________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર *
૨૩૯ નથી. જે પીડાય તે જ વેદના જાણે, બીજા મૂખંજન તે હાંસી જ કરે. મારી સાસુ મારા પતિનું સ્વપ્નમાં પણ ઈષ્ટ ઈચ્છતા નથી, એ શું તમે જાણતા નથી ? તમારા સિવાય મારું દુઃખ કોને જણાવું ?'
આ પ્રમાણે ગુણાવલીના આકંદનાં વચન સાંભળીને મંત્રી તેને આશ્વાસન આપે છે કે, અહી તમારે ખેદ ન કર, છેવટે બધું સારું થશે.
તે પછી મંત્રીનું વચન માન્ય કરતાં તે ગુણાવલી પોતાના જીવિત જેવા પાંજરામાં રહેલા તે કૂકડાને આપીને અશ્રુ સહિત નેત્રવાળી રુદન કરતી ચંદ્રરાજાને કહે છે: सामि दीणं मम चिच्या, विएस गंतुमिच्छसि । असमए मई जाया, अकम्हा हि कह तव ॥५६॥ दूरं गए तुमे नाह, कहं चिटठामि तुं विणा । कइकालं अणाहा ह, जीविस्सामि निराहारा ॥५७॥
હે સ્વામી! દીન એવી મને મૂકીને તમે વિદેશ જવા ઈચ્છે છે?. અકસ્માત અકાળે તમને કેમ બુદ્ધિ થઈ ?” પ૬.
- “ હે નાથ ! તમે દૂર જશે તો તમારા વિના હું કઈ રીતે રહી શકીશ? અનાથ એવી હું આધાર વિના કેટલે કાળ જીવી શકીશ?” પ૭