________________
( ૨૦ )
""
સમા એ ભગવાન અધિક છે. જેમના પ્રભાવથી નાગ નાગેન્દ્ર થયે!, મહા મિથ્યાત્વી કમઠ શત્રુ રૂપે દર્શન કરતાં પણ સમક્તિ પામ્યા, અજય રાન્તના રોગ નાશ પામ્યા, કૃષ્ણ વાસુદેવનું સૈન્ય જરા રાક્ષસીથી મુક્ત થયું. આ કળીકાળમાં પાંચમા આરામાં એ હાજરાહજુર છે. ” પાર્શ્વ - નાથના ધ્યાનમાં ચિત્તની તન્મયતા થઈ ગઈ. એમાં જ ચિત્ત લયલીન થઈ ગયું એ વિચારમાં ને વિચારમાં હુમેશના નિયમ પ્રમાણે નિદ્રા આવી ગઈ. ત્રણ પ્રહર રાત્રી વહી ગયા પછી સ્વન્નામાં એમણે એક અજાયબ વસ્તુ જોઈ.
અનિમેષ નયને શેડ એ દિવ્ય મૂર્ત્તિ તરફ જોઇ રહ્યા. આપ કાણુ છે ? ”
''
77
હું લક્ષ્મીદેવી ! શ્રેષ્ઠી હું તમારી ઉપર પ્રસન્ન છું
(C
વાહ ! કૃપા આપની, આખરે આપે અમારી સામુ જોયું તેા ખરૂ ? ”
“ શ્રેષ્ઠી ! તમે ભાગ્યવંત છે ! દેવ ગુરૂધર્મની ભક્તિ કરનારા, મહા સત્વવત છે ? હું પણ જીનેશ્વરની ભક્તિ કરનારી છું. સાહર્મિકની ભક્તિ કરવી, એમને દુ:ખમાં સહાય કરવી એ મારી જ છે. તેમાંય પાર્શ્વનાથની ભક્તિ કરનારા, એકાગ્ર ચિત્તે એમનું આરાધન કરનારા તે આ ભવમાં જ મનાવાંછિત મેળવે છે. ”