________________
સ્વ, રસીકલાલ હરીલાલ ઝવેરી (પાલનપુવાળા).
જન્મ તારીખ : -૪-૧૯૨૧
સ્વર્ગસ્થ : ૨૭-૯-૧૯૭૮ સંવત ૨૦૩૪ ભાદરવા વદ ૧૧ બુધવાર
મનોરમ્ય લીલાછમ ઉદ્યાનમાં ખીલેલા ગુલાબના ફુલ સારાએ ઉદ્યાનને સુગ થી મામધાયમાન બનાવી દે છે તેમ આપે ઝવેરી કુટુંબ રૂપી ઉદ્યાનમાં જન્મીને આખા કુટુંબમાં દાન, દયા, ક્ષમા, સરળતા, નમ્રતા, માતૃભકિત, સત્ય નીતિ, સદાચાર, વિનય, વિવેક, સંપ અને સમર્પણુતા, આદિ અનેક ગુણ ૩૫ પુષ્પની પરિમલ પ્રસરાવી છે તેમજ માયાળુ સ્વભાવ, કુટુંબ અને ધમ પ્રત્યેની લાગણી આ બધા સંસ્કારોથી કુટુંબને અમૂલ્ય વારસે મળે છે. ભલે આજે અમારા ઝવેરી કુટુંબમાં આપ દેહ રૂપે. અમારી સમક્ષ નથી પણ આપના ગુણોની સુવાસ તે અમારા જીવનમાં મહેંકી રહી છે. આપે ઝવેરી કુટુંબના સુકાની બની અમારા જીવનબાગના માળી બનીને અમારામાં સ સ્કાર, સદાચાર તપ-ત્યાગ અને દાનદયાના સુચને ખીલવીને અમારા જીવન બાગને સદ્ગુણરૂપી સૌરભથી મઘમઘતો બનાવ્યું છે. આપે નિષ્કામ અને નિઃરવાથ' ભાવે અમને ધર્મકાર્ય સત્કાર્યો કરવાની પ્રેરણા આપી ધાર્મિક ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે તેમજ વહેપારના ક્ષેત્રે ખૂબ આગળ વધારી અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપે આપેલા આ સંસ્કારના અમૂલ્ય વારસા બદલ અમે આપના ઋણી છીએ એ ગુણોને અમારા જીવનમાં તાણાવાણાની જેમ વણીને યતકિ ચિંત ઋણમાંથી મુકત થઈએ એ જ અંતરની આરઝુ.
એજ લિ. આપના ભવોભવના ઋણી
શ્રીમતી સુભદ્રા રસીકલાલ ઝવેરી નરેન્દ્ર, ચંદ્રા, સતેન્દ્ર, લા. મુકેશ. મીના, રાજેન વિભા, માયા. બેલા.