Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi
Catalog link: https://jainqq.org/explore/005009/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો નમો નિમ્પલદેસણક્સ આગમ કથાનુયોગ '-: સંકલન અને અનુવાદ કર્તા :મુનિ દીપરત્નસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: નમો નમો નિમ્મલદંસણસ પૂ. શ્રી આનંદ-સમા–લલિત–સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમ: આગમકથાનુયોગ-૨ | - -- (ભાગ-૨–ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, ગણધર, પ્રત્યેકબુદ્ધ, નિલવ, ગોશાલક કથાઓ) -: સંકલન અને અનુવાદકર્તા :મુનિ દીપાલ્લીરલ:”ીર તા. ૨૩/૬/૦૪ બુધવાર ૨૦૬૦–અષાઢ સુદ-૫ આગમ કથાનુયોગ-સંપુટ મૂલ્ય રૂ. ૧૫૦૦/ શ્રી શ્રુત પ્રકાશન નિધિ -(સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી, વિભાગ-૧, ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. ૨/૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ કથાનુયોગ-ર -: આગમ કથાનુયોગ ભાગ ૧ થી ૬:જ. 10 કયા ભાગમાં કઈ કથા મળશે ? (૧) કુલકર કથા (૧) ચક્રવર્તી કથા (૩) વાસુદેવ કથા (૫) ગણધર કથા (૭) નિલવ કથા ભાગ-૧ (૨) તીર્થકર કથા ( ભાગ-૨ ) (૨) બલદેવ કથા (૪) પ્રતિવાસુદેવ કથા (૬) પ્રત્યેકબુદ્ધ કથા (૮) ગોશાલકની કથા ભાગ-૩ ૦ શ્રમણ કથા – (મૂળ આગમ આધારિત) ભાગ-૪ ) (૧) શ્રમણ કથા (આગમ સટીકેની) (૨) શ્રમણી કથા ( ભાગ-૫ ) (૧) શ્રાવક કથા (૨) શ્રાવિકા કથા ભાગ-૬ ) (૧) દેવ કથા (૨) દેવી કથા (૩) પ્રાણી કથા (૪) અન્યતીર્થીક કથા (૫) દુઃખવિપાકી કથા (૬) પ્રકીર્ણ કથા (૭) દષ્ટાંત–ઉપનય Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સહાયકો ભાગ–૧–ની સંપૂર્ણ દ્રવ્યસહાયના પ્રેરણાદાતા (૧) વાત્સલ્યવારિધિ, પરમ ગીતાર્થ, સંયમમૂર્તિ પૂજ્ય સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મ.સા.ના પટ્ટપ્રભાવક, ગુરુપાદચારી, ભગવતીજીસૂત્રદેશનાદક્ષ, શ્રુતાનુરાગી પૂ.આચાર્યદેવ શ્રી નરદેવસાગર સૂરીશ્વરજી મ.સા. તથા તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય રત્નો પૂ. પ્રવચનપટુ, તપસ્વીરત્ન ગણિવર્ય શ્રી ચંદ્રકીર્તિસાગરજી મ.સા. તેમજ વૈયાવચ્ચ પરાયણ પૂજ્ય મુનિરાજ શ્રી પદ્મકીર્તિસાગરજી મ.ની પ્રેરણાથી શ્રી સંઘમાં થયેલ ઐતિહાસિક ચાતુર્માસ, અનેકવિધ— અભૂતપૂર્વ આરાધનાઓ, શ્રી ભગવતીજીસૂત્ર તથા શ્રી મલયસુંદરીચરિત્રના મનનીય અને તાત્ત્વિક પ્રવચનો તેમજ શ્રી ઉપધાન તપની આરાધના નિમિત્તે – (૧) શ્રી શાહપુરી જૈન શ્વે.મૂ.પૂ. સંઘ – કોલાપુર (૨) શ્રી લક્ષ્મીપુરી જૈન શ્વે.મૂ.પૂ. સંઘ – કોલાપુર (૩) શ્રી રાજસ્થાની જૈન શ્વે.મૂ.પૂ. સંઘ - સીકંદરાબાદ d Bill }}}“ ) ); !!! [1 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ 3 ૫ ભાગ–૨ થી ૬ના અન્ય દ્રવ્યસહાયકો પ.પૂજ્ય ગચ્છાધિપતિ, આગમવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબની શ્રુતઅનુરાગજન્ય પ્રેરણાથી– (૧) શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ઉપાશ્રય સંઘ, નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ, મુંબઈ-૮૬–તરફથી - (૨) શ્રી સુભાનપુરા જૈન સંઘ, વડોદરા તરફથી - આગમ કથાનુયોગ–૨ સંયમૈકલક્ષી પૂ.આ.દેવ શ્રી વિજય ઋચકચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી (૧) જૈન શ્વે.મૂર્તિ. સંઘ, મંગળ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (૨) શ્રી આદિનાથ જૈન શ્વે.મૂર્તિ. સંઘ, ગિરિરાજ સોસાયટી, બોટાદ. - ૫.પૂ. સચ્ચારિત્ર ચૂડામણી પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસાગર સૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન શાસનપ્રભાવક પૂ.પંન્યાસ શ્રી હર્ષસાગરજી મ.સા.ની પ્રેરણાથી – (૧) “આરાધક સુશ્રાવક ભાઈઓ તરફથી'' મલાડ— (૨) શ્રી ભાદરણનગર શ્વે.મૂ.પૂ.જૈન સંઘ, મલાડ, મુંબઈ. ૫.પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રી મહાયશસાગર સૂરિજી મ.સા.ની પ્રેરણાથી ‘શ્રી ગોડીજી દેવસુર સંઘ.' મુંબઈ. ૫.પૂ. શ્રુતવત્સલ આચાર્યદેવ શ્રી વિજય મુનિચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી '‘ભરડવા જૈન સંઘ''ના જ્ઞાન ખાતામાંથી. ૫.પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરિશ્વરજી મ.સા.ના પરિવારવર્તી સરળહૃદયી ભક્તિ પરાયણ પૂ.પં.શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી – ‘શ્રી હાલાર તીર્થ, આરાધના ધામ.' વડાલીઆ, સિંહણના જ્ઞાન ખાતામાંથી. ૫.પૂ. આગમ વિશારદ ગુરુદેવ પંન્યાસ શ્રી અભયસાગરજી મ.સા.ના પરિવારવર્તી તાત્ત્વિક વ્યાખ્યાનદાતા પૂ.ગણિવર્ય શ્રી અક્ષયચંદ્રસાગરજી મ.સા.ની પ્રેરણાથી ‘શ્રી કલ્યાણકારી સિદ્ધાર્થનગર શ્વે.મૂ.પૂ.સંઘ.' ગોરેગાંવ–વેસ્ટ, મુંબઈ. Page #6 -------------------------------------------------------------------------- ________________ દવ્ય સહાયકો પ.પૂ. તપસ્વીરત્ના, શ્રમણીવર્યા શ્રી શશીપ્રભાશ્રીજી મ.ની સમ્યજ્ઞાનાનુરાગીણી પ્રેરણાથી (૧) શ્રી સુંદરબાઈ જૈન પૌષધશાળા, શાંતિનગર કોલોની, ઇન્દૌર. (૨) શ્રી કોલોની નગર શ્રી જૈન સંઘ, ઇન્દૌર. ૧૦. પૂ માલવદેશદીપિકા સાધ્વીશ્રી મનોહરશ્રીજી – ઇશ્રીજી મ.ના શિષ્યરત્ના પૂ. શ્રમણીવર્ય શ્રી હેમેન્દ્રીજી તથા પૂસા શ્રી ચાસુદર્શાશ્રીજી મ.ની પાવન પ્રેરણાથી – શ્રી જૈન શેમ્પૂસંઘ, કન્લ તરફથી– પૂ.ગુરુવર્યા, વૈયાવચ્ચપરાયણા શ્રી મલયાશ્રીજી મ.સા.ના શિષ્યા ગુણાનુરાગી સાધવીશ્રી હિતજ્ઞાશ્રીજી મ.ની પ્રેરણાથી – “જૈન આરાધના મંદિર, ખાનપુર"ના જ્ઞાનખાતામાંથી, અમદાવાદ તરફથી– ૧૨ પૂ.વાત્સલ્યવારિધિ સાધ્વીશ્રી મલયાશ્રીજી મ.સા.ના શિષ્યા વિદુષી સાધ્વીજી પૂ.ગુણાશ્રીજી મ. તથા પૂ.નરેન્દશ્રીજી મ.ની સ્મૃતિઅર્થે સુવિશાલ પરિવાર પરિવૃત્તા પૂ.શ્રમણીવર્યા પ્રશમશીલાશ્રીજી મ.ની પ્રેરણાથી – “ગુરુકૃપા ટ્રસ્ટ" અમદાવાદ તરફથી. પપૂ. વૈયાવચ્ચરતા સાધ્વીશ્રી મલયાશ્રીજીના પ્રશિષ્યા પૂ.ગુરુવર્યા સા. શ્રી ભવ્યાનંદશ્રીજી મ.ના પટ્ટપ્રભાવિકા મૃદુભાષી સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી મ.ના તપસ્વીરના શિષ્યા સા.શ્રી પૂર્ણદર્શિતાશ્રીજીની પ્રેરણાથી– અનિતાબેન માંગીલાલજી રાંકા, હસ્તે–અક્ષત, યથ્વી, પ્રતીક્ષાટાવર, મુંબઈ તરફથી | ૧૪ ૫.પૂ.શતાવધાની શ્રમણીવર્યા શ્રી શુભોદયાશ્રીજી મ. તથા સા.સુરકુમાશ્રીજીની પ્રેરણાથી– જૈન છે.મૂ.પૂ.સંઘ, દાહોદ તરફથી ૧૫ પપૂશતાવધાની શ્રમણીવર્યા શ્રી અમિતગુણાશ્રીજી મ. તથા પૂ. તપસ્વીરત્ના સાધ્વી શ્રી વિનીતજ્ઞાશ્રીજી મ.ની પુનિત પ્રેરણાથી– “શ્રી લુણાવાડા જે.મૂપૂ.જૈન સંઘ, જ્ઞાનખાતું, લુણાવાડા તરફથી. ૧૬ | પ.પૂ. સાધ્વીશ્રી ધર્મજ્ઞાશ્રીજી તથા પ.પૂ. સાધ્વી શ્રી પ્રતિજ્ઞા શ્રીજીની પ્રેરણાથી “શ્રી કાલાવાડ રોડ છે.મૂ.પૂ.જૈન તપગચ્છ સંઘ", રાજકોટ તરફથી તથા – પ.પૂ. વૈયાવચ્ચપરાયણા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શ્રી નાથીશ્રી શ્રાવિકા ઉપાશ્રય, પતાસાપોળ, અમદાવાદ તરફથી. (૧૩ -- --- - - - --- -- - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૨ ૧૭ પ.પૂ. સાગરાનંદ સૂરિશ્વરજી મ.સા.ના સમુદાયના સ્વ. સાધ્વીશ્રી રત્નત્રયાશ્રીજી મ.સા.ની નવમી પુન્યતિથિ નિમિત્તે તેઓના પટ્ટપ્રભાવિકા શ્રમણીવર્યા શ્રી સૌમ્યગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી – “શ્રી જોધપુર સેટેલાઈટ .મૂ.પૂ. સંઘ – જ્ઞાનખાતું, અમદાવાદ તરફથી પપૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરિશ્વરજી મ.ના આજ્ઞાનુવર્તી - પૂ.સમાધિમરણઆરાધિકા સ્વ. સાધ્વીશ્રી દેવેનશ્રીજીની સ્મૃતિ નિમિત્તે પૂવૈયાવચ્ચી સાધ્વીશ્રી અનંતગુણાશ્રીજીની પ્રેરણાથી “સખ્યમ્ દર્શન આરાધના ટ્રસ્ટ" અમદાવાદ તરફથી. પપૂ સંયમ અનુરાગી સા. શ્રી નિજાશ્રીજી મ.ના શિષ્યા જ્ઞાનરુચિવંતા સા.શ્રી વિદિતરત્નાશ્રીજીની પ્રેરણાથી – “શ્રી જૈન સંઘ, મઢી તરફથી પ.પૂ.આગમોદ્વારકશ્રીના સમુદાયવર્તી સાધ્વીશ્રી શીલરેખાશ્રીજી મ.સા.ના શિષ્યા પઠન-પાઠનરતા સાધ્વીશ્રી મુક્તિરેખાશ્રીજી મ. તથા સા.શ્રી અસ્મિતાશ્રીજીના વર્ષિતપ નિમિત્તે – “શ્રુતપ્રેમી ભક્તો” તરફથી. પ.પૂ. વર્ધમાન તપોનિધિ આ.દેવ શ્રીમદ્ વિજય ભકિત સૂરિશ્વરજીના સમુદાયના પૂ.ગચ્છાધિપતિ આ.દેવ શ્રી પ્રેમસૂરિશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી પુન્યવતી શ્રમણીવર્યા શ્રી લાવણ્યશ્રીજી મ.ના પરમ વિનયા–શિષ્યા સા.શ્રી તિજ્ઞાશ્રીજી મ.ની પ્રેરણાથી – “શ્રી ધર્મભક્તિ-જૈન જે.મૂ.પૂ.સંઘ, રાજગાર્ડન, અમદાવાદ તરફથી. શેઠ શ્રી રતનચંદ ગુલાબચંદ જૈન ઉપાશ્રય ટ્રસ્ટ – જ્ઞાનખાતુ, નાગજી ભુધરની પોળ, માંડવીની પોળ, અમદાવાદ. શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જૈન પાઠશાળા, જામનગર તરફથી સમ્યગૂ શ્રુતાનુરાગી શ્રાવિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ, ગૌતમનગર, વડોદરા – તરફથી. પ્રભાબેન શાંતિલાલ વોરા, જામનગર તફથી. ૨૫ | – ૪ – ૪ – -: ટાઈપ સેટીંગ : “ફોરએવર ડિઝાઈન” માધવપુરા માર્કેટ, અમદાવાદ. ફોન નં. ૨૫૬૩૧૦૮૦. -: મુદ્રક :“નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ” ઘીકાંટા રોડ, અમદાવાદ ફોન નં. ૨૫૫૦૮૬૩૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ - - ૧૧૧ ૦૩૭૬. ' ૧૨3 ૧૨૫ આગમ કથાનુયોગ – ભાગ-૧ થી ૬ અ–નુક્ર–મ–ણિકા -: આગમ કથાનુયોગ – ભાગ–૧ :ઉત્તમપુરુષ ચરિત્ર – ભૂમિકા | ૦૩૩|૩. ભ.સંભવ કથા કુલકર વક્તવ્યતા ૦૩૬૪. ભ.અભિનંદન – કથા ૧૧૩ ભરતક્ષેત્રના વર્તમાન કુલકર ૦૩૭૫. ભ.સુમતિ કથા ૧૧૫ – સાત કુલકર પરંપરા ૬. ભ.પદ્મપ્રભ કથા ૧૧૭ – પંદર કુલકર પરંપરા ૦૩૯,૭. ભ.સુપાર્શ્વ કથા ૧૧૯ ૧. સુમતિકુલકર ૦૪૦ | [૮. ભ.ચંદ્રપ્રભ કથા ૧૨૧ ૨. પ્રતિકૃતિ કુલકર ૦૪૦ ૯. ભ.સુવિધિ કથા 3. સીમંકર કુલકર ૦૪૦૧૦. ભ.શીતલ કથા ૪. સીમંધર કુલકર ૦૪૦ | ૧૧. ભ.શ્રેયાંસ કથા ૧૨૭ પ. ક્ષેમંકર કુલકર ૦૪૦ ૧૨. ભ.વાસુપૂજ્ય કથા ૧૨૯ ૬. મંધર કુલકર ૦૪૧|૧૩. ભ.વિમલ કથા ૧૩૧ ૭. વિમલવાહન કુલકર ૦૪૧) ૧૪. ભ.અનંત કથા ૧૩૨ ૮. ચક્ષુષ્માન કુલકર ૦૪૧૧૫. ભ.ધર્મ કથા ૧૩૫ ૯. યશસ્વી કુલકર ૦૪૧૧૬. ભ.શાંતિ કથા ૧૩૭ ૧૦. અભિચંદ કુલકર ૦૪૨] ૧૭. ભાકુંથ કથા ૧૪3 ૧૧. ચંદ્રાભ કુલકર ૦૪૨ ૧૮. ભ.અર કથા ૧૨. પ્રસેનજિત કુલકર ૦૪૨) ૧૯. ભ.મદ્ધિ કથા ૧૩. મરુદેવ કુલકર ૦૪૨૨૦. ભ.મુનિસુવ્રત કથા ૧૪. નાભિ કુલકર ૦૪ર) ૨૧. ભ.નમિ કથા ૧૫. ઋષભ કુલકર ૦૪૩] ૨૨. ભ.અરિષ્ટનેમિ કથા ૧૮૮ કુલકરોની દંડનીતિ ૦૪૩ ૨૩. ભ.પાર્થ કથા ૧૯૮ કુલકર કાળે કલ્પવૃક્ષ ૦૪૪ ૨૪. ભ.મહાવીર કથા ૨૦૫ યુગલિક પુરુષ–સ્ત્રી વર્ણન ૦૪૭|ભરતક્ષેત્રની આગામી ચોવીસી ભરતક્ષેત્રના પૂર્વ કુલકરો ૦૪૯) ભ.મહાપદ્મ ચરિત્ર ૩૭૪ ભરતક્ષેત્રના આગામી કુલકરો ૦૫૦ ઐરાવત ક્ષેત્રની ચોવીસીઓ 3૮૦ ઐરાવત ક્ષેત્રના કુલકરો ૦૫૦| તીર્થક-સામાન્ય અધ્યયન–૧–તીર્થકર ચરિત્ર ૦૫૧) તીર્થકરના ૩૪–અતિશયો ૩૮૧ ૧. ભLઋષભ કથા ૦૫ર તીર્થકર વસ્ત્ર અને લિંગ ૩૮ર ૨. ભ.અજિત કથા ૧૦૯ વ્રત–ચાર કે પાંચ, રાજવીપણું ૩૮૨ $ $ $ $ 6 A $ $ $ દદદદદદદદદ | ૧૪૬ ૧૪૯ ૧૮૪ ૧૮૬ ૩૭૧ ૩૮૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ આગમ કથાનુયોગ – ભાગ-૨) ૧૪૧ ૧૪૨ ૧૨ ૧૪૩ ૧૪૪ ૧૪૪ ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૬ ૧૪૬ ૧૪૬ ૧૦૨ ૧૪૭ ૧૦૩ ૧૪૮ ૧૪૮ ૧૪૮ ખંડ-૧-ઉત્તમપુરષ ચરિત્ર-ચાલુ અઢીદ્વીપમાં અરહંતાદિ વંશ અઢીદ્વીપમાં અરહેતાદિ ઉત્પત્તિ અઢીદ્વીપમાં ઉત્તમ પુરષો અધ્યયન-૨ખ્યક્રવર્તી ચરિત્ર ૦ ચક્રવર્તી સ્વરૂપ ૦ ભરતક્ષેત્રના વર્તમાન ચક્રવર્તી ૧. ભરતચક્રી કથા ૨. સગરચક્રી કથા ૩. મધવચક્રી કથા ૪. સનસ્કુમારચક્રી કથા ૫. શાંતિચક્રી કથા ૬. કુંથુચક્રી કથા ૭. અરચક્રી કથા ૮. સુભૂમચક્રી કથા ૯. મહાપદ્મચક્રી કથા ૧૦. હરિષણચક્રી કથા ૧૧. જયચક્રી કથા ૧૨. બ્રહ્મદરચક્રી કથા - ચક્રવર્તી સામાન્ય - અઢીદ્વીપમાં ચક્રવર્તી વિજય. – આગામી કાળે થનાર ચક્રવર્તી - ચક્રવર્તીની સંખ્યા - ચક્રવર્તીની ઋદ્ધિ - ચક્રવર્તીનો સર્વ વૈભવ અધ્યયન-૩ બલદેવ-વાસુદેવ-પ્રતિશત્રુ ૦ ભૂમિકા – ત્રણે સાથે કેમ? - દશાર/દશામંડલનો અર્થ ૦ વાસુદેવ સ્વરૂપ વાસુદેવ પરીચયાત્મક કથા (૧) ત્રિપૃષ્ઠ વાસુદેવ ૦૩૩(૨) હિપૃષ્ઠ વાસુદેવ ૦૩૩(૩) સ્વયંભૂ વાસુદેવ ૦૩૩|(૪) પુરુષોત્તમ વાસુદેવ ૦૩૪(૫) પુરુષસિંહ વાસુદેવ ૦૩૫|(૬) પુરુષપુંડરીક વાસુદેવ ૦૩૫૭) દત્ત વાસુદેવ ૦૩૫|(૮) નારાયણ વાસુદેવ ૦૩૬) કૃષ્ણ વાસુદેવ ૦૮૭| બલદેવ સ્વરૂપ ૦૯૦(૧) અચળ બળદેવ ૦૯૧)(૨) વિજય બળદેવ ૧૦૧](૩) ભદ્ર બળદેવા (૪) સુપ્રભ બળદેવા (૫) સુદર્શન બળદેવ ૧૦૩(૬) આનંદ બળદેવ ૧૦૬(૭) નંદન બળદેવ ૧૧૩](૮) પદ્મ બળદેવા ૧૧૪|) રામ બળદેવ ૧૧૫|૦ પ્રતિવાસુદેવ સ્વરૂપો ૧૩૫ (૧) અશ્વગ્રીવ પ્રતિશત્ર ૧૩પ(૨) તારક પ્રતિશત્રુ ૧૩૬ ! (૩) મેરક પ્રતિશત્રુ ૧૩૬ [(૪) મધુકૈટભ પ્રતિશત્રુ ૧૩૬ [(૫) નિશુંભ પ્રતિશત્રુ ૧૩૭|(૬) બલિ પ્રતિશત્રુ - (૭) પ્રહાદ પ્રતિશત્રુ ૧૩૯(૮) રાવણ પ્રતિશત્રુ ૧૩૯(૯) જરાસંઘ પ્રતિશત્રુ ૧૩૯ કૃષ્ણ-રામ–જરાસંઘ કથા ૧૪૦ ભરતક્ષેત્રના ભાવિ–બલદેવાદિ -|ઐરાવત ક્ષેત્રના બલદેવ–આદિ ૧૪૧] અચલ અને વિભિષણ x - ૪ - ૧૪૯ ૧૪૯ ૧પ૦ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૨ ૧૭ ૧૭૩ - Page #10 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા 30 339 33 ભાગ–૨–અંગર્ત ખંડ-૨-શ્રમણ કથાનક અધ્યયન–૧-ગણધર કથા ૧૭૪) અધ્યયન-૩-ગોપાલક કથા ગણનો અર્થ ૧૭૪|ગોશાળાનો પૂર્વભવ, આભવ, ગણધરનો અર્થ ૧૭૪]- ભાવિભવોથી મોક્ષ સુધી ભ.મહાવીરના ગણ–ગણધર ૧૭૫ – – – ૦ ગણધર કથાનક - ૧૫ | અધ્યયન-૪-પ્રત્યેકબુદ્ધ કથા ૧. ઇન્દ્રભૂતિ ગૌતમ કથા ૧૭૫|૦ પ્રત્યેકબુદ્ધનું સ્વરૂપ – ૨. અગ્નિભૂતિ ગણધર કથા ૧૮૮(૧) કરકુંડુ પ્રત્યેકબુદ્ધ કથા ૩૧૬ ૩. વાયુભૂતિ ગણધર કથા ૧૨|(૨) દ્વિમુખ પ્રત્યેકબુદ્ધ કથા ૪. વ્યક્ત ગણધર કથા ૧૯૪| (૩) નમિ પ્રત્યેકબુદ્ધ કથા ૫. સુધર્મા ગણધર કથા ૧૯૬] (૪) નમ્નતિ પ્રત્યેકબદ્ધ કથા ૬. મંડિતપુત્ર ગણધર કથા ૧૯૯/- કરકુંડુ આદિ ચારેનો મોક્ષ છે. મૌર્યપુત્ર ગણધર કથા ૨૦૨૦ ઋષિભાષિત પયજ્ઞા મુજબ ૮. અકપિત ગણધર કથા ૨૦૫ પીસ્તાળીશ પ્રત્યેકબુદ્ધો ૯. અલભ્રાતા ગણધર કથા ૨૦૦] ૧. ભ.અરિષ્ટનેમિના શાસનના ૧૦. મેતાર્ય ગણધર કથા ૨૦૯ - વીશ પ્રત્યેકબુદ્ધો ૧૧. પ્રભાસ ગણધર કથા ૨૧૧| ૨. ભ.પાર્ષના શાસનના ૦ ચોવીસ જિનના ગણધરો - પંદર પ્રત્યેકબુદ્ધો ૩. ભ.મહાવીરના શાસનના અદયયન-૨-નિલવ કથા - દશ પ્રત્યેક બુદ્ધો ૦ નિતવનો અર્થ ૨૧૪ (૫) ઇન્દ્રના પ્રત્યેકબુદ્ધ કથા ૩૪3 (૧) જમાલિ નિલવ કથા ર૧૪](૬) ધર્મરુચિ પ્રત્યેકબુદ્ધ કથા ૩૪૪ (૨) તિષ્યગુખ નિલવ કથા ૨૩૧] (૭) રુદ્રક પ્રત્યેકબુદ્ધ કથા ૩૪૬ (૩) અષાઢ નિદ્ભવ કથા ૨૩૩|(૮) વલ્કલચિરિ પ્રત્યેકબુદ્ધ ૩૪૮ (૪) અશ્વમિત્ર નિતવ કથા ૨૩૭(૯) વારત્રક પ્રત્યેકબુદ્ધ કથા ૩૫૪ (૫) ગંગાચાર્ય નિતવ કથા ર૪૦ (૧૦) નારદ પ્રત્યેકબુદ્ધ કથા (૬) રોહગુપ્ત નિતવ કથા ર૪૪૧(૧૧) નાગદત્ત પ્રત્યેકબુદ્ધ કથા ૩૬૧ (૭) ગોષ્ઠામાહિલ નિતવ કથા ૨૪૯|(૧૨) બાહુક પ્રત્યેકબુદ્ધ કથા (૮) શિવભૂતિ નિતવ કથા ૨૫૪|(૧૩) દ્વૈપાયન પ્રત્યેકબુદ્ધ કથા ૩૬૭ આગમ કથાનુયોગ ભાગ-૩ ખંડ-૨ – અંતર્ગતુ - અધ્યયન-૫–મૂળ આગમ આધારિત શ્રમણ કથાઓ ૦ શ્રમણ શબ્દ–અર્થ અને સ્વરૂપ ૦૩૩|૨. ઉદક પેઢાલ પુત્ર કથા ૧. આર્દ્રકુમાર કથા ૦૩૪૩. મહાબલ/સુદર્શન કથા ૦૫૯ છે. ૩૪૨ ૩૫૮ ૩૬૬ - ૦૪૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ - | ભાગ–૩ (ખંડ૨) અધ્યયન-૫ મૂળ આગમની શ્રમણ કથા-(ચાલુ) ર૫ર ૧૦૩ ૪. કાર્તિક શ્રેષ્ઠી કથા ૫. ગંગદત કથા. ૬. ઋષભદત્ત કથા ૭. અતિમુક્ત કથા ૮. સ્કંદક કથા ૯. ગંગેય કથા ૧૦. પુદ્ગલ પરિવ્રાજક કથા ૧૧. કુરુદત્ત પુત્ર કથા ૧૨. તિષ્યક કથા ૧૩. કાલાસ્યવેષિપુત્ર કથા ૧૪. શિવરાજર્ષિ કથા ૧૫. ઉદાયન કથા ૧૬. રોહ કથા ૧૭. કાલોદાયી કથા ૧૮. આનંદ કથા ૧૯. સર્વાનુભૂતિ કથા ૨૦. સુનક્ષત્ર–૧ કથા ૨૧. સિંહ અણગાર કથા ૨૨. સુમંગલ કથા ૨૩. કાલિકપુત્ર કથા + મેહિલ સ્થવિર + આનંદરક્ષિત સ્થવિર + કાશ્યપ સ્થવિર ૨૪. થાવગ્ગાપુત્ર કથા | + શેલકરાજર્ષિ + શુક્રપરિવ્રાજક + પંથકમુનિ ૨૫. જિતશત્રુ–સુબુદ્ધિ કથા ૨૬. ધર્મરુચિ–૧ કથા ૨૭. ધર્મચિ–૨ કથા ૨૮. ધર્મચિ–૩ કથા ૨૯. મેઘકુમાર કથા ૩૦. જિનપાલિત કથા ૦૭૨૩૧. ધન્ય સાર્થવાહ–૧ કથા | ૨૧૬ ૦૭૭/૩૨. ધન્ય સાર્થવાહ–ર કથા ૨૨૦ ૦૮૦ |૩૩. ચિલાતિપુત્ર કથા ૨33 ૦૮૩ + ધન્ય સાર્થવાહ કથા ૨૩૩ ૦૮૬ | ૩૪. પુંડરીક-કંડરીક કથા ૨૪૪ ૦૯ ૩૫. પ્રતિબુદ્ધિ કથા ૨૫૨ ૦૯૯/૩૬. ચંદ્રચ્છાય કથા | ૩૭. શંખ કથા ૨૫ર ૧૦૩] ૩૮રુકિમ કથા ૨પર ૧૦૪ ૩૯. અદીનશત્રુ કથા ૨૫૩ ૧૦૬ ૪૦. જિતશત્રુ–૨ કથા ૨૫૩ ૧૧૩ ૪૧. પાંડવોની કથા ૨૫૩ ૧૨૬ ૪૨. તેતલિપુત્ર કથા ૨૫૫ ૧૨૭ ૪૩. ગૌતમ મુનિ કથા ૨૫૫ ૪૪. સમુદ્ર-૧ કથા ૨૫૭ ૫. સાગર–૧ કથા ૨૫૭ ૪૬. ગંભીર કથા ૨૫૮ ૧૩૨ ૪૭. તિમિત કથા ૨૫૮ ૧૩૨ ૪૮. અચલ–૧ કથા ૨૫૮ ૧૩૨ ૪૯. કાંડિલ્ય કથા ૨૫૮ ૧૩૨ ૫૦. અક્ષોભ–૧ કથા ૨૫૯ ૧૩૨) ૫૧. પ્રસેનજિત કથા ૨૫૯ ૧૩૨ |પર. વિષ્ણુકુમાર કથા ૨૫૯ ૧૩૩૫૩. અક્ષોભ-૨ કથા ૨૬૦ ૧૩૯ ૫૪. સાગર-ર કથા ૨૬૦ ૧૪૦ | પપ. સમુદ્ર-૨ કથા ' ૧૪૭પ૬. હૈમવંત કથા ૧૫૩ ૫૭. અચલર કથા ૨૬૧ ૧૬૦૫૮. ધરણ કથા ૧૬૦ | ૫૯. પૂરણ કથા ૧૬૧ | ૬૦. અભિચંદ્ર કથા ૨૬૧ ૧૬૨ ) ૬૧. અનીયસ કથા ૨૦૫ ૬૨. અનંતસેન કથા ૨૬૦ ૨૬૧ ૨૬૧ ૨૨ ૨૬૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ-૩ (ખંડ–૨) અધ્યયન—૫ મૂળ આગમની ભ્રમણ કથા (ચાલુ) ૬૩. અનિહત કથા ૬૪. વિદ્વત્ કથા ૬૫. દેવયશ કથા ૨૬૩ | ૯૬. સુમનભદ્ર કથા ૨૬૩ ૯૭. સુપ્રતિષ્ઠ કથા ૨૬૩ ૯૮. મેઘ કથા ૬૬. શત્રુસેન કથા ૬૭. સારણ કથા ૬૮. ગજસુકુમાલ—૧ કથા ૬૯. ગજસુકુમાલ–ર કથા ૭૦. સુમુખ કથા ૭૧. દુર્મુખ કથા ૭૨. કૂપારક કથા ૭૩. દારુક કથા ૭૪. અનાવૃષ્ટિ કથા ૭૫. જાલિ—૧ કથા ૭૬. મયાલિ–૧ કથા ૭૭. ઉવયાલિ–૧ કથા ૭૮. પુરુષસેન—૧ કથા ૭૯. વારિષણ—૧ કથા ૮૦. પ્રદ્યુમ્ન કથા ૮૧. શાંબ કથા ૮૨. અનિરુદ્ધ કથા ૮૩. સત્યનેમિ કથા ૮૪. નેમિ કથા ૮૫. મંકાઈ કથા ૮૬. કિંકમ કથા ૮૭. અર્જુનમાળી કથા ૮૮. કાશ્યપ કથા ૮૯. ક્ષેમક કથા ૯૦. કૃતિધર કથા ૯૧. કૈલાશ કથા ૯૨. હરિચંદન કથા ૯૩. વાત્ત કથા ૯૪. સુદર્શન કથા ૯૫. પૂર્ણભદ્ર—૧ કથા ૨૬૩૨ ૯૯. અલક્ષ્ય કથા ૨૬૩ ૧૦૦, જાલિ–ર કથા ૨૬૪ ૧૦૧. મયાલિ–૨ કથા ૨૮૩ ૧૦૨. ઉવયાલિ–૨ કથા ૨૮૪ ૧૦૩. પુરુષસેન—૨ કથા ૨૮૪ ૧૦૪. વારિષણ– કથા ૨૮૪ ૧૦૫. દીર્ઘદંત કથા ૨૮૪ ૧૦૬. લષ્ટદંત કથા ૨૮૫ ૧૦૭. વેડા-૧ કથા ૨૮૫ ૧૦૮. વેહાયસ કથા ૨૮૫૧૦૯. અભય કથા ૨૮૫ ૧૧૦. દીર્ઘસેન કથા ૨૮૫ ૧૧૧. મહાસેન કથા ૨૮૫૧૧૨. ધન્ય અણગાર કથા ૨૮૫ ૧૧૩. સુનક્ષત્ર–ર કથા ૨૮૬ | ૧૧૪. ઋષિદાસ કથા ૨૮૮ ૧૧૫. પેલક કથા ૨૮૯ | ૧૧૬. રામપુત્ર કથા ૨૮૯ ૧૧૭, ચંદ્રિમ કથા ૨૮૯ ૧૧૮. સૃષ્ટિમાતૃક કથા ૨૮૯ ૧૧૯. પેઢાલપુત્ર કથા ૨૯૦ ૧૨૦. પોટ્ટિલ કથા ૨૯૬ | ૧૨૧. વેહલ–૨ કથા ૨૯૬ | ૧૨૨. સુબાહુ કથા ૨૯૬ | ૧૨૩. ભદ્રનંદી—૧ કથા ૨૯૬ | ૧૨૪. સુજાત કથા ૨૯૬ ૧૨૫. સુવાસવ કથા ૨૯૬ ૧૨૬. જિનદાસ કથા ૨૯૬ | ૧૨૭. ધનપતિ કથા, ૨૯૬।૧૨૮. મહાબલ કથા ૧૧ ૨૯૬ ૨૯૬ ૨૯૬ ૨૯૬ ૨૯૭ ૨૮ ૨૯૯ ૨૯૯ ૨૯૯ ૨૯૯ ૩૦૦ ૩૦૦ ૩૦૦ ૩૦૦ ૩૧૪ ૩૧૪ ૩૧૪ ૩૨૩ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૯ 330 330 330 ૩૩૧ ૩૩૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગમ કથાનુયોગ-૨ ભાગ–૩ (ખંડ–૨) અધ્યયન—૫ મૂળ આગમની ભ્રમણ કથા (ચાલુ) ૩૩૧ ૧૫૭. પગત (પ્રકૃત) કથા ૩૩૨ ૧૫૮. યુક્તિ (જુત્તિ) કથા ૩૩૨ ૧૫૯. દશરથ કથા ૩૩૨ ૧૬૦. દૃઢરથ કથા ૩૩૩ | ૧૬૧. મહાધનુ કથા ૩૩૫ ૧૬૨. સતધનુ કથા ૩૩૬ | ૧૬૩. દશધનું કથા ૩૩૭ ૧૬૪. શતધનુ કથા ૩૩૭ ૧૬૫. નાગીલ કથા ૩૩૭ ૧૬૬. વજ્ર આચાર્ય કથા ૩૩૮ ૧૬૭. શ્રીપ્રભ કથા ૧૨૯. ભદ્રનંદી–૨ કથા ૧૩૦. મહચંદ્ર કથા ૧૩૧. વરદત્ત ફા ૧૩૨. દૃઢપ્રતિજ્ઞ-૧ કથા ૧૩૩. કેશી (કુમાર) કથા ૧૩૪. દૃઢપ્રતિજ્ઞ–૨ કથા ૧૩૫. પદ્મ કથા ૧૩૬. મહાપદ્મ કથા ૧૩૭. ભદ્ર કથા ૧૩૮. સુભદ્ર કથા ૧૩૯. પદ્મભદ્ર કથા ૧૪૦, પદ્મસેન કથા ૧૪૧. પદ્મગુલ્મ કથા ૧૪૨. નલિનગુલ્મ કથા ૧૪૩. આનંદ—૨ કથા ૧૪૪. નંદન કથા ૧૪૫. અંગતિ કથા ૧૪૬. સુપ્રતિષ્ઠ કથા ૧૪૭. પૂર્ણભદ્ર–ર કથા ૧૪૮. મણિભદ્ર કથા ૧૪૯. દત્ત કથા ૧૫૦. શિવ કથા ૧૫૧. બલ કથા ૧૫૨. અનાધૃત કથા ૧૫૩. નિષધ + વીરંગદ કથા ૧૫૪. માયની કથા ૧૫૫. વહ કથા ૧૫૬. વેડ (વેહલ) કથા આગમ ૧૮૨. અતિમુક્ત મુનિ કથા ૧૮૩. અંગર્ષિ કથા ૩૪૮ ૩૪૮ ૩૪૮ ૩૪૮ ૩૪૮ ૩૪૮ ૩૪૮ ૩૪૮ ૩૪૯ ૩૫૯ ૩૬૩ ૩૩૮ ૧૬૮. સાવધાચાર્ય (કુવલયપ્રભ) ૩૬૪ ૩૩૮|૧૬૯. નંદીષેણ–૧ કથા ૩૭૨ ૩૭૫ ૩૭૭ ૩૭૭ ૩૭૮ ૩૯૮ ૩૯૮ ૪૦૧ ૪૧૦ ૩૪૨ ૧૭૫. હરિકેશબલ કથા ૩૪૩ ૧૭૬. જયઘોષ + વિજયઘોષ ૪૦૭ ૩૪૩ ૧૭૭. અનાથી (મુનિ) કથા ૩૪૩ ૧૭૮. સમુદ્રપાલ કથા ૩૪૩ ૧૭૯. મૃગાપુત્ર (બલશ્રી) કથા ૪૧૬ ૩૪૪ ૧૮૦. ગર્દભાલિ કથા ૩૪૮ + સંજયરાજા + ક્ષત્રિયમુનિ ૪૧૪ ૪૨૨ ૪૨૨ ૪૨૫ ૪૨૫ ૩૩૮ ૧૭૦, આસડ કથા ૩૩૯ | ૧૭૧. અનામી (મુનિ) કથા ૩૩૯ ૧૭૨. સુસઢ કથા ૩૩૯ | + ગોવિંદબ્રાહ્મણ, + કુમારવર ૩૪૧ ૧૭૩. ચિત્ર(મુનિ) કથા ૩૪૧ ૧૭૪. રથનેમિ કથા ૩૪૮ | ૧૮૧. ઇષુકાર કથા ૩૪૮ |+ ભૃગુ પુરોહિત કથા -: (ખંડ–૨ અધ્યયન—૫) આગમ સટીકંની શ્રમણ કથા : ૦૩૩ ૧૮૪. અંબર્ષિ કથા ૦૩૩૧૧૮૫, અચલ—3 કથા કથાનુયોગ ભાગ–૪ ૦૩૪ ૦૩૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ–૪ (ખંડ–૨ અધ્ય.પ) આગમ સટીકંની ભ્રમણ કથા (ચાલુ) ૦૩૫ ૨૧૯. કાશીરાજ ધૃષ્ટાંત ૦૮૮ ૦૮૮ ૦૮૮ ૦૮૯ ૦૮૯ ૦૮૯ ૦૯૨ ૦૯૩ ૦૯૪ ૦૯૬ ૦૩૬ ૨૨૦. કુણાલ કથા ૦૪૪ ૨૨૧. કુમારપુત્રિક કથા ૦૪૫ ૨૨૨. કુમાર મહર્ષિ કથા ૦૪૮ | ૨૨૩. કુરુદત્ત સુત કથા ૦૪૯ ૨૨૪. કુલવાલક કથા ૦૪૯ ૨૨૫. કૌડિન્યાદિ તાપસ કથા ૦૫૦ ૨૨૬. ખપુટાચાર્ય કથા ૦૫૦ ૨૨૭. સ્કંદક—૨ કથા ૦૫૦ ૨૨૮.સ્કંદિલાચાર્ય કથા ૦૫૨ ૨૨૯. સુલકકુમાર કથા ૦૫૩ ૨૩૦. ગાર્ભાચાર્ય કથા ૦૫૪ ૨૩૧. ગાગલિ કથા ૦૫૬ ૨૩૨. ગુણંઘર કથા ૦૫૯ ૨૩૩. ગુણચંદ્ર-૧ + મુનિચંદ્ર ૧૦૧ ૦૬૩|+ સાગરચંદ્ર + ચંદ્રાવતંસક ૦૬૪ ૨૩૪. ગુણચંદ્ર–૨+સાગરચંદ્ર ૦૬૫ ૨૩૫. ગોવિંદ વાચક કથા ૦૬૭ ૨૩૬. ધૃતપુષ્યમિત્ર કથા ૦૬૮ ૨૩૭. ચંડરુદ્રાચાર્ય + સાધુ ૦૯૭ ૦૯૯ ૧૦૦ ૧૦૧ ૧૮૬. અચલ૪ કથા ૧૮૭. આર્યરક્ષિત કથા ૧૮૮. અર્જુન (પાંડવ) કથા ૧૮૯. અર્ણિકાપુત્ર કથા ૧૯૦. અપરાજિત કથા ૧૯૧. અભિચંદ્ર કથા ૧૯૨. અભિચીકુમાર કથા ૧૯૩. અમૃતઘોષ કથા ૧૯૪. અજાપાલક વાચક કથા ૧૯૫. અર્હત્રક કથા ૧૯૬. અર્હમ્ મિત્ર કથા ૧૯૭. અવંતિસુકુમાલ કથા ૧૯૮. અશકટાાત કથા ૧૯૯. અષાઢાભૂતિ કથા ૨૦૦. અષાઢાચાર્ય કથા ૨૦૧. અંગારમર્દક કથા ૨૦૨. ઇન્દ્રદત્ત (અંતર્ગત) સાધુ ૨૦૩. ઇલાચિપુત્ર કથા ૨૦૪. ઋષભસેન ગણધર ૨૦૫. ઋષભસેન + સિંહસેન ૨૦૬. ઉત્સાર વાચક કથા ૨૦૭. એણેયક કથા ૨૦૮. કાષ્ઠ મુનિ કથા ૨૦૯. કઠિયારાની કથા ૨૧૦. કૃષ્ણ આચાર્ય કથા ૨૧૧. કૃતપુણ્ય કથા ૨૧૨. કાર્તિકાર્ય કથા ૨૧૩. કપિલમુનિ કથા ૨૧૪. કાલક૧ કથા ૨૧૫. કાલકર કથા ૨૧૬. કાલક૩ કથા ૨૧૭. કાક ૪ કથા ૨૧૮. કાલવૈશિક કથા ૧૩ ૧૦૩ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૦૬૮ ૨૩૮. ચાણક્ય કથા ૦૭૦ | ૨૩૯. ચિલાત–૨ કથા ૧૧૪ ૦૭૧ | ૨૪૦. જમુનરાજર્ષિ + દંડમુનિ ૧૧૫ ૧૧૬ ૧૧૬ ૧૧૮ ૦૭૨ ૨૪૧. જંઘાપરિજિત કથા ૦૭૨ ૨૪૨. જંબુસ્વામી કથા ૦૭૩ ૨૪૩. જગાણંદ કથા ૦૭૭ ૨૪૪. જવ મુનિ કથા ૦૭૭ ૨૪૫. યશોભદ્ર (જસભદ્દ) ૦૮૧ ૨૪૬. જિનદેવ કથા ૧૧૮ ૧૨૦ ૧૨૦ ૦૮૩ ૨૪૭. યુધિષ્ઠિર (જુડિöિલ) ૧૨૦ ૧૨૧ ૦૮૪ ૨૪૮, જ્વલન આદિ કથા ૦૮૬ | + દહનમુનિ + હુતાશનમુનિ ૦૮૭ ૨૪૯. ઢંઢણકુમાર કથા ૧૨૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમ કથાનુયોગ-૨ ભાગ-૪ (ખંડ૨ અધ્ય-૫) આગમ સટીકેની શ્રમણ કથા (ચાલુ) ૧૬૬ ૧૬૯ ૧૭૦ ૧૭૩ ૨૫૦. તોસલિપુત્ર કથા ૨૫૧. સ્થૂલભદ્ર + શ્રીયક કથા ૨પર. દઢપ્રહારી–૧ કથા ૨૫૩. સંગમસ્થવિર કથા + દત્તમુનિ કથા ૨૫૪. દધિવાહન કથા ૨૫૫. દમદંત કથા ૨૫૬. દશાર્ણભદ્ર કથા ૨૫૭. દત્ત + સેવાલાદિ કથા ૨૫૮. દુષ્પભ કથા ૨૫૯. દુર્બલિકા પુષ્યમિત્ર કથા ૨૬૦. દેવર્ધ્વિગણિ કથા ૨૬૧. દેવલાસુત કથા ૨૬૨. દેવશ્રમણક કથા ૨૬૩. ધનગિરિ કથા ૨૬૪. ધનંમિત્ર + ધનશર્મ ૨૬૫. ધન્યની કથા ૨૬૬. ધર્મઘોષ–૧ કથા ૨૬૭, ધર્મઘોષ–૨ કથા ૨૬૮. ધર્મઘોષ–૩ કથા ૨૬૯. ધર્મઘોષ-૪ + સુજાત ૨૭૦, ધર્મસિંહ કથા ૨૭૧. નકુલ પાંડવ કથા ૨૭૨. નંદ (સુંદરીનંદ) ૨૭૩. નંદિષેણ–ર કથા ૨૭૪. નંદિષણ-૩ કથા ૨૭૫. નંદિષેણ-૪ કથા ર૭૬. નાગિલ–૨ કથા ૨૭૭. નાગાર્જુન કથા ૨૭૮. નાગદત્ત–૧ કથા ૨૭૯. નાગદત્ત-૨ કથા ૨૮૦, પંથક કથા ૨૮૧. પ્રભવ (ચોર) કથા ૧૨૩ ૨૮૨. પ્રસન્નચંદ્ર કથા ! ૧૬૩ ૧૨૩|૨૮૩. પાદલિપ્તસૂરિ કથા ૧૩૩૨૮૪. પિઢર કથા ૧૬૭ ૧૩૪૨૮૫. પુષ્પચૂલ કથા ૧૬૭ ૨૮૬. પુષ્યભૂતિ + પુષ્યમિત્ર ૧૬૮ ૧૩૬ [૨૮૭. “પુષ્યમિત્ર” કથા ૧૩૬ ૨૮૮. પોતપુષ્યમિત્ર કથા ૧૩૭૫૨૮૯. પિંગલક કથા ૧૭૦ ૧૪૪૨૯૦. ફલ્યુરક્ષિત કથા ૧૪૫ ૨૯૧. બલભાનું કથા ૧૭૦ ૧૪૫૨૯૨. બાહુબલિ કથા ૧૭૦ ૧૪૬ /૨૯૩. ભદ્ર-૧ કથા ૧૭૩ ૧૪૬ / ૨૯૪. ભદ્ર-૨ (જિતશત્રપુત્ર) ૧૪૭! ર૯૫. ભદ્રગુણાચાર્ય કથા ૧૭૪ ૧૪૮, ૨૯૬. ભદ્રબાહુસ્વામી કથા | ૧૭૫ ૧૪૮ ૨૯૭. ભશકમુનિ કથા ૧૭૭ ૧૪૯|૨૯૮, ભીમ (પાંડવ) કથા ૧૫૦ |૨૯. ધર્મઘોષ–૫ કથા + ધર્મયશ+અવંતિવર્ધન ૧૫૦ |.૩૦૦. મનક કથા ૧૮૦ ૧૫૧/૩૦૧. મહાગિરિ કથા ૧૮૧ ૧૫૩|૩૦૨. મહાશાલ + શાલ કથા ૧૫૩|૩૦૩. મુનિચંદ્ર કથા ૧૮૩ ૧૫૪ ! ૩૦૪, મેતાર્ય કથા ૧૮૩ ૧પપ|૩૦૫. રંડાપુત્ર કથા ૧૮૭ ૧૫૫૩૦૬. રોહિણિક કથા ૧૮૭ ૧૫૬ | ૩૦૭. લોહાર્ય કથા ૧૫૮ ] ૩૦૮. વજસ્વામી કથા ૧૮૯ | ૩૦૯. વજભૂતિ કથા ૧૫૯/૩૧૦. વજસેન આચાર્ય કથા ૧૯૧૩૧૧. વસ્ત્રપુષ્યમિત્ર કથા || ૧૯૯ ૧૬૨|૩૧૨. વિંધ્યમુનિ કથા ૧૬૨૩૧૩. વિષ્ણુકુમારમુનિ કથા | ૨૦૦ ૧૭૮ #fffff { $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $# $# ૧૭૮ ૧૫o ૧૮ર ૧૮૮ ૧૫૯ | ૧૯૮ ૧૯૯ ૧૯૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ-૪ (ખંડ-૨, અધ્ય–૫) આગમ સટીકની શ્રમણ કથા (ચાલુ). - - - - ૨૧૧ ૨૧૧ ૨૧૨ ૩૧૪. સંભૂતિવિજય કથા ૩૧૫. (આય) સમિત કથા ૩૧૬. શશક (મુનિ) કથા ૩૧૭. સહદેવ (પાંડવ) કથા ૩૧૮. શાલિભદ્ર કથા ૩૧૯. શીતલાચાર્ય કથા ૩૨૦. સિંહગિરિ કથા ૩૨૧. સુકોશલ કથા ૨૧૨ ૨૦૧] ૩૨૨. સુનંદ કથા ૨૦૧ ૩૨૩. સુમનભદ્ર કથા ૨૦૩ | ૩૨૪. સુવ્રત કથા ૨૦૪ ૩૨૫. સુહસ્તિ કથા ૨૦૪) ૩૨૬. શય્યભવ કથા ૨૦૯૩૨૭. સોમદેવ–૧ કથા ૨૧૦ ૩૨૮. સોમદેવ–૨ કથા ૨૧૧ ૩૨૯. હસ્તિભૂતિ+હસ્તિમિત્ર ૨૧૫ ૨૧૮ ૨૧૮ ૨૧૯ ભાગ-૪ – (ચાલુ) ખંડ-૩ શ્રમણી કથાનક મૂળ આગમની – શ્રમણી કથાઓ ૩૦૮ ૩૦૮ ૩૦૮ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ 3૦૯ 3૦૯ ૧. અનવદ્યા કથા ૨. ચંદના કથા 3. જયંતી કથા ૪. દેવાનંદા કથા ૫. પ્રભાવતી કથા ૬. મૃગાવતી કથા ૭. દ્રૌપદી કથા ૮. પોટિલા કથા ૯. કાલી–૧ કથા ૧૦. રાજી કથા ૧૧. રજની કથા ૧૨. વિદ્યુતુ કથા ૧૩. મેધા કથા ૧૪. શુંભા કથા ૧૫. નિશુંભા કથા ૧૬. રંભા કથા ૧૭. નિરંભા કથા ૧૮. મદના કથા ૧૯. ઇલા કથા ૨૦. સતેરા કથા | ૨૧. સૌદામિની કથા ૨૨૦ | ૨૨. ઇન્દ્રા કથા ૨૨૧ | ૨૩. ધના કથા ૨૨૫] -૨૪. વિદ્યુતા કથા | ૨૫. રૂપા કથા ૨૩૧ | ૨૬. સુરપા કથા | ૨૭. રૂપાંશા કથા ૨૪૦ | ૨૮. રૂપકાવતી કથા ૨૯. રૂપકાંતા કથા ૨૯ | ૩૦ રૂપપ્રભા કથા ૩૦૫ ૩૧. કમલા કથા ૩૦૬ ૩૨. કમલપ્રભા કથા ૩૦૬ 33. ઉત્પલા કથા ૩૦૬, ૩૪. સુદર્શના કથા ૩૦૭ ૩૫. રૂપવતી કથા ૩૬. બહુરૂપા કથા ૩૭. સુરપા કથા ૩૦૭) | ૩૮. સુભગા કથા ૩૦૭ ૩૯. પૂર્ણા કથા ૩૦૭/૪૦. બહુપુત્રિકા કથા ૩૦૮૪૧. ઉત્તમ કથા ૩૦૮/૪૨. ભારિકા કથા 3૦૯ ૩૦૯ ૩૦૭ ૩૦૭ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ ભાગ-૪ (ખંડ૩) મૂળ આગમની શ્રમણી કથા (ચાલુ) ૩૧૨ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૦૯ ૪૩. પવા કથા ૪૪. વસુમતી કથા ૫. કનકા કથા ૪૬. કનકપ્રભા કથા ૪૭. અવતંસા કથા ૪૮. કેતુમતી કથા ૪૯. વજસેના કથા ૫૦. રતિપ્રિયા કથા ૫૧. રોહિણી કથા પર. નવમિકા–૧ કથા ૫૩. હી કથા ૫૪. પુષ્પવતી કથા પપ. ભુજગા કથા પ૬. ભુજગાવતી કથા પ૭. મહાકચ્છા કથા ૫૮. અપરાજિતા કથા ૫૯. સુઘોષા કથા ૬૦. વિમલા કથા ૬૧. સુસ્વરા કથા ૬૨. સરસ્વતી કથા ૬૩. સૂર્યપ્રભા કથા ૬૪. આતપ કથા ૬૫. અર્ચિમાલી–૧ કથા ૬૬. પ્રભંકરા–૧ કથા ૬૭. ચંદ્રપ્રભા કથા ૬૮. જ્યોત્સનાભા કથા ૬૯. અર્ચિમાલી-૨ કથા ૭૦. પ્રભંકરા–૨ કથા ૭૧. પદ્માવતી કથા ૭૨. શિવા કથા ૭૩. શચિ કથા ૭૪. અંજૂ કથા ૭૫. રોહિણી કથા ૩૦૯/૭૬. નવમિકા–ર કથા ૩૦૯/૭૭. અચલા કથા ૩૦૯]૭૮. અપ્સરા કથા ૩૦૯,૭૯. કૃષ્ણા કથા ૩૦૯ ૮િ૦. કૃષ્ણરાજી કથા ૩૦૯૮૧. રામા કથા ૩૦૯ ૮૨. રામરણિતા કથા ૩૦૯ ૮૩. વસુ કથા ૩૦૯૮૪. વસુગુપ્તા કથા ૮૫. વસુમિત્રા કથા ૩૦૯ ૮૬. વસુંધરા કથા ૩૦૯ ૮૭. ગોપાલિકા કથા ૩૦૯ ૮૮. પુષ્પચૂલા કથા ૩૦૯ ૮૯. સુવ્રતા–૧ કથા ૩૦૯/૯૦. સુવ્રતા–૨ કથા ૩૦૯૯૧. પદ્માવતી કથા ૦૯|૨. ગૌરી કથા ૩૦૯ ૯૩. ગાંધારી કથા ૩૦૯૯૪. લક્ષ્મણા કથા ૩૦૯,૯૫. સુશીમા કથા ૩૧૦ ૯િ૬. જાંબવતી કથા ૩૧૧/૯૭. સત્યભામા કથા ૩૧૧૯૮. રુકિમણી કથા ૩૧૧૯. મૂલશ્રી કથા ૩૧૧૧૦૦. મૂલદત્તા કથા ૩૧૧/૧૦૧. નંદા કથા ૩૧૧/૧૦૨. નંદવતી કથા ૩૧૧ ૧૦૩. નંદોત્તર કથા ૩૧૨૧૦૪. નંદશ્રેણિકા કથા ૩૧૨/૧૦૫. મરુતા કથા . ૩૧૨/૧૦૬. સુમરુતા કથા ૩૧૨૧૦૭. મહામરુતા કથા ૩૧૨ / ૧૦૮. મરૂદેવા કથા ૩૧૩ ૩૧૪ ૩૧૪ ૩૧૪ ૩૧૫ ૩૧૫ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૧ કે? ૩૨૧ ૩૨૧ ૩૨૨ ૩૨૨ ૩૨૨ ૩૨૨ ૩૨૨ ૩૨૨ ૩૨૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા Jain ભાગ–૪ (ખંડ–૩) મૂળ આગમની શ્રમણી કથા (ચાલુ) ૩૨૨ ૧૨૮. શ્રીદેવી (ભૂતા) કથા ૩૨૨ ૧૨૯. હ્રીદેવી કથા ૧૦૯. ભદ્રા કથા ૧૧૦. સુભદ્રા કથા ૧૧૧. સુજાતા કથા ૧૧૨. સુમના કથા ૧૧૩. ભૂતદત્તા કથા ૧૧૪. કાલી–૨ કથા ૧૧૫. સુકાલી કથા ૧૧૬. મહાકાલી કથા ૧૧૭. કૃષ્ણા કથા ૧૧૮. સુકૃષ્ણા કથા ૧૧૯. મહાકૃષ્ણા કથા ૧૨૦. વીરકૃષ્ણા કથા ૧૨૧. રામકૃષ્ણા કથા ૧૨૨. પિતૃસેનકૃષ્ણા કથા ૧૨૩. મહાસેનકૃષ્ણા કથા ૧૨૪. યક્ષિણી કથા ૧૨૫. બ્રાહ્મી કથા ૧૨૬. સુંદરી કથા ૧૨૭. સુભદ્રા કથા + સોમા કથા ભાગ–૪ (ખંડ–૩) ૧૪૮. અંગારવતી કથા ૧૪૯. અર્ધસંકાશા કથા ૧૫૦. ઉત્તરા કથા ૧૫૧. કીર્તિમતિ કથા ૧૫૨. યક્ષા કથા ૧૫૩. યક્ષદિત્રા કથા ૧૫૪. ભૂતા કથા ૧૫૫. ભૂતદિત્રા કથા ૧૫૬. સેણા કથા ૧૫૭. વેણા કથા ૧૫૮. રેણા કથા ૨/૨ International ૩૨૨ ૧૩૦. દ્યુતિદેવી કથા ૩૨૨ ૧૩૧. કીર્તિદેવી કથા ૩૨૨ ૧૩૨. બુદ્ધિદેવી કથા ૩૨૨ ૧૩૩. લક્ષ્મીદેવી કથા ૩૨૫ ૧૩૪. ઇલાદેવી કથા ૩૨૬ ૧૩૫. સુરાદેવી કથા ૩૨૭ ૧૩૬. રસદેવી કથા ૩૨૭ ૧૩૭. ગંધદેવી કથા ૩૨૯ ૧૩૮. પાંડુઆર્યા કથા ૩૩૦ ૧૩૯. કમલામેલા કથા ૩૩૦ ૧૪૦. ભટ્ટિદારિકા (?) કથા ૩૩૧ | ૧૪૧. મેઘમાલા કથા ૩૩૨ ૧૪૨. રજુઆય્ય કથા ૩૩૩|૧૪૩, લક્ષ્મણાઆર્યા કથા ૩૩૩ ૧૪૪. વિષ્ણુશ્રી કથા ૩૩૫૨૧૪૫. કમલાવતી કથા ૩૩૭|૧૪૬. જસા કથા ૧૪૭. રાજીમતી કથા આગમસટીકંની શ્રમણી કથા ૩૬૪ ૧૫૯. જયંતિ + સોમા કથા ૩૬૫ ૧૬૦. યશોભદ્રા કથા ૩૬૬ | ૧૬૧. યશોમતી કથા ૩૬૬ ૧૬૨. ધનશ્રી (સર્વાંગસુંદરી) ૩૬૭ ૧૬૩. ધારિણી કથા ૩૬૭ ૧૬૪. પદ્માવતી કથા ૩૬૭ ૧૬૫. પ્રગલ્ભા + વિજયા ૩૬૭ ૧૬૬. પુષ્પચૂલા + પુષ્પવતી ૩૬૭ | ૧૬૭. પુષ્પચૂલા—૨ કથા ૩૬૭ ૧૬૮. પુરંદરયશા કથા ૩૬૭૧૬૯. ભદ્રા કથા ૧૭ ૩૪૬ ૩૪૯ ૩૪૯ ૩૪૯ ૩૪૯ ૩૪૯ ૩૪૯ ૩૪૯ ૩૪૯ ૩૪૯ ૩૫૦ ૩૫૧ ૩૫૩ ૩૫૩ ૩૫૪ ૩૫૬ ૩૬૨ ૩૬૨ ૩૬૩ ૩૬૩ ૩૬૮ ૩૬૮ ૩૬૯ ૩૬૯ ૩૭૨ 393 ૩૭૩ 393 ૩૭૪ ૩૭૫ ૩૭૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમ કથાનુયોગ-૨ ભાગ-૪ (ખંડ–૩) આગમ સટીકંની શ્રમણી કથા (ચાલુ) ૧૭૦, મનોહરી કથા ૧૭૧. વિગતભયા + વિનયવતી. ૧૭૨. નંદશ્રી શ્રીદેવી કથા ૧૭૩. શ્રીકા કથા ૩૭૬ ૧૭૪, શિવા કથા ૩૭૬ ૧૧૭૫. સુકુમાલિકા–ર કથા ૩૭૭/૧૭૬. સુજ્યેષ્ઠા કથા ૩૭૭૧૭૭. સુનંદા કથા ૩૭૮ ૩૭૯ ૩૮૦ ૨૮૩ - - - - - - - - - - - ૧૨૫ આગમ કથાનુયોગ–પ ખંડ-૪-શ્રાવક કથા ભાગ-૫ (ખંડ-૪) મૂળ આગમની શ્રાવક કથા ૧. લેપ કથા ૦૩૪/૨૦. સાલપુત્ર કથા ૨. ઋષિભદ્રપુત્ર કથા ૦૩૫, ૨૧. મહાશતક કથા ૩. શંખ + પુષ્કલી કથા ૦૩૮ ૨૨. નંદિનીપિતા કથા ૪. નાગપૌત્ર વરુણ + બાલમિત્ર ૦૪૩ ૨૩. લેતિકા/સાલિહી પિતા ૫. સોમિલ કથા ૦૪૭ ૨૪. સુદર્શન–૧ કથા ૬. મસ્કુક કથા ૦૫૧ | ૨૫. સુમુખ કથા ૭. ઉદયન કથા ૦૫૩ / ૨૬. વિજયકુમાર કથા ૮. અભીચિ કથા ૨૭. ઋષભદત્ત કથા ૯, તંગીયાનગરીના શ્રાવકો ૨૮. ધનપાલ કથા ૧૦. કનકધ્વજ કથા ૦૬૧) ૨૯. મેઘરથ કથા ૧૧. નંદમણિયાર કથા ૦૬૨ ૩૦. નાગદેવ કથા ૧૨. સુદર્શન–૧ કથા ૩૧. ધર્મઘોષ કથા ૧૩. અર્ડત્રક કથા | ૩૨. જિતશત્રુ કથા ૧૪. આનંદ કથા ૭૨ ૩૩. વિમલવાહન કથા ૧૫. કામદેવ કથા ૦૮૮૫ ૩૪. કોણિક કથા ૧૬. ચુલનીપિતા કથા ૧૦૧,૩૫. અંબઇશ્રાવક-૭૦૦ શિષ્યો ૧૭. સુરાદેવ કથા ૧૦૮|૩૬. પ્રદેશીરાજા કથા ૧૮. ચુલ્લશતક કથા ૧૧૫ ૩૭. સોમિલ કથા ૧૯. કૂંડકોલિક કથા ૧૨૦૩૮. શ્રેણિક કથા ભાગ-૫ (ખંડ-૪) આગમ સટીકની શ્રાવક કથા ૧૩૬ ૧૪૧ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૬ ૧૪૬ OUE ૮ १४६ ૧૪૬ ૦૬૯ ૧૪૬ ૦ ૭૧ | ૧૪૬ ૦ ૧૪૬ ૧૪૭ ૧૮૨ ૧૮૮ ૨૫૪ ૨૬૦ ૨૮૨ ૩૯. અંબડ કથા ૪૦. આનંદ-૨ કથા ૪૧. ઉદાઈ કથા ૨૭૯ (૪૨, લેમશ્રાવક કથા ૨૮૦/૪૩. ગંધાર શ્રાવક કથા ૨૮૦૪૪. ચેટક કથા ૨૮૨ ૨૮૩ - - - -- - - ---- - Page #20 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા - ૨૮ ૨૯૦ ૨૯૦ ૨૯૧ ૨૯૬ ૨૯૬ ભાગ-૫ (ખંડ–૪) આગમ સટીકેની શ્રાવક કથા (ચાલુ) ૪૫. જનક કથા ૨૮૩૫૭. મિત્રશ્રી કથા ૪૬. જિનદાસ—૧ કથા ૨૮૪૫૮. મુંડિક્રામક કથા ૪૭. જિનદાસ-૨ કથા ૨૮૪/૫૯. મુરુંડ કથા ૪૮. જિનદાસ-૩ કથા ૨૮૫ ૬૦. વલ્ગર કથા ૨૯૦ ૪૯. જિનદેવ–૧ કથા ૨૮૬ | | ૬૧. વસુભૂતિ કથા ૨૯૧ ૫૦. જિનદેવ-ર કથા ૨૮૬૬૨. સંપ્રતિરાજાની કથા ૫૧. ઢક શ્રાવક કથા ૨૮૭૬૩. સાગરચંદ્ર કથા પર. ઢઢર કથા ૨૮૭ ૬૪. સુદર્શન કથા ૫૩. ધનંજય કથા ૨૮૭૬૫. સુનંદ કથા ૨૯૮ ૫૪. પદ્મરથ + વૈશ્વાનર કથા ૨૮૮ ૬૬. સુલસ કથા ૨૯૮ ૫૫. પ્રસેનજિત કથા ૨૮૮ ૬૭. શ્રેયાંસ કથા ૨૯ પદ. બલભદ્રકથા ૨૮૯ ૬૮. ભવીરને પારણું કરાવનારા ૨૯૯ ભાગ-૫ (ખંડ–૫) – શ્રાવિકા કથા ૧. સુભદ્રા–૧ કથા ૩૦૨,૧૫. ફાલ્ગની કથા ૩૧૨ ૨. સુલસા કથા ૩૦૪૧૬. કુશ્કી કથા ૩૧૩ ૩. અગ્નિમિત્રા કથા ૩૦૬ / ૧૭. બહુલા કથા ૩૧૩ ૪. અનુધરી કથા ૩૦૬ ૧૮. ભદ્રા–૧ કથા ૩૧૩ ૫. અશ્વિની કથા ૩૦૭/૧૯, ભદ્રા–૨ કથા ૩૧૪ ૬. ઉત્પલા કથા ૩૦૭, ૨૦. ભદ્રા-૩ કથા ૩૧૪ ૭. ઉપકોશા કથા ૩૦૭ ૨૧. મિત્રવતી કથા ૩૧૪ ૮. કોસાગણિકા કથા ૩૦૮ ૨૨. રેવતી કથા ૩૧૫ ૯. ચેલ્લણા કથા ૩૦૮ ૨૩. રુદ્રસોમા કથા ૩૧૬ ૧૦. દેવકી કથા ૩૦૯ ૨૪. સાધુદાસી કથા ૩૧૬ ૧૧. દેવદત્તા કથા ૩૧૦] ૨૫. શ્યામા કથા ૨૧૭ ૧૨. ધન્યા કથા ૩૧૧ | ૨૬. શિવાનંદા કથા ૧૩. નંદા કથા ૩૧૧ ૨૭. સુભદ્રા–૨ કથા ૩૧૮ ૧૪. પૂષા કથા ૩૧૨ ૨૮. સુભદ્રા-3 કથા ૩૧૯ ૩૧૭ આગમ કથાનુયોગ ભાગ-૬ ભાગ-૬ (ખંડ–૬) દેવ-દેવીની કથાઓ | ૧. વિજયદેવ કથા ૦૩૪૩. ઇશાનેન્દ્ર કથા ૨. શક્રેન્દ્ર કથા ૦૪૪]૪. ચમરેન્દ્ર કથા ૦૪૯ ૦૫૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૫. હરિણેગમેષી કથા ૬. ત્રાયસિઁશક દેવ કથા ભાગ–૬ ખંડ–૬ દેવદેવી કથાઓ (ચાલુ) ૦૬૫ ૨૨. બલ યક્ષ કથા ૦૬૬|૨૩. સંગમ દેવ કથા ૦૬૭ ૨૪. વિદ્યુમ્માલી દેવ કથા ૦૬૭|૨૫. નાગીલ દેવ કથા ૦૬૮ ૨૬. પ્રભાવતી દેવ કથા ૦૬૮ ૨૭. હુંડીક દેવ કથા ૦૬૮ ૨૮. શૈલક યક્ષ કથા ૦૬૮ ૨૯. તિષ્યક દેવ કથા ૦૬૯ | ૩૦. જ્વલન + દહન દેવ કથા ૦૬૯ ૩૧. સાગરચંદ્ર દેવ કથા ૦૬૯ ૩૨. મુગરપાણી યક્ષ કથા ૦૭૦ ૩૩. કમલદલ યક્ષ કથા ૦૭૧ ૩૪. પુષ્પવતી દેવ કથા ૩૫. લલિતાંગ દેવ કથા ૭. ચંદ્ર દેવ કથા ૮. સૂર્ય દેવ કથા ૯. શુક્ર દેવ કથા ૧૦. પૂર્ણભદ્ર દેવ કથા ૧૧. મણિભદ્ર દેવ કથા ૧૨. દત્ત આદિ દેવ કથા ૧૩. સૂર્યાભદેવ કથા ૧૪. દુર દેવ કથા ૧૫. મહાશુક્ર દેવ કથા ૧૬. માગધ દેવ કથા ૧૭. વરદામ દેવ કથા ૧૮. પ્રભાસ દેવ કથા ૧૯. કૃતમાલ દેવ કથા ૨૦. મેઘમુખ દેવ કથા ૨૧. શૂલપાણી યક્ષ કથા X - ૧. ચમરેન્દ્રની અગ્રમહિષીઓ ૨. બલીન્દ્રની અગ્રમહિષીઓ ૩. ધરણેન્દ્રની અગ્રમહિષીઓ ૪. વેણુદેવ આદિની અગ્રમહિષી ૫. ભૂતાનંદની અગ્ર મહિષીઓ ૬. વેણુદાલી આદિની અગ્રમહિષીઓ ૭. પિશાચેન્દ્ર આદિ આઠ – વ્યંતરેન્દ્રોની અગ્રમહિષીઓ ૮. મહાકાલ આદિ આઠ વ્યંતરેન્દ્રોની અગ્રમહિષીઓ ૯. સૂર્યની અગ્રમહિષીઓ ભાગ–૬ ૧. ઉદાયી હાથીની કથા ૨. ભૂતાનંદ હાથીની કથા આગમ કથાનુયોગ-૨ ૦૭૧ ૦૭૧ ૩૬. હિંદુક યક્ષ કથા ૦ દેવકથા વિશે કંઈક ૦૭૧ ૦૭૧ ૦ ચોસઠ ઇન્દ્રોના નામ X - X Xx - x ૦૮૨ ૦૮૨ ૦૭૮ ૧૦. ચંદ્રની અગ્રમહિષીઓ ૦૭૯ | ૧૧. શક્રની અગ્રમહિષીઓ ૦૭૯ ૧૨. ઇશાનેન્દ્રની અગ્રમહિષીઓ ૦૮૨ ૦૭૯ | ૧૩. બહુપુત્રિકા દેવી કથા ૦૮૦ ૧૪. શ્રી—હી આદિ દશ દેવીઓ ૦૮૩ ૦૮૦|૧૫. હાસા + પ્રહાસા દેવી ૦૮૩ ૦૮૩ ૦૮૪ ૦૮૪ ૦૮૫ ૦૮૫ ૦૮૫ - ૧૬. કટપુતના વ્યંતરી કથા ૦૮૦ ૧૭. શાલાર્યા વ્યંતરી કથા ૧૮. સ્વયંપ્રભા દેવી કથા ૦૮૧ ૧૯. શ્રી દેવી કથા ૦૮૧ ૨૦. સિંધુદેવી કથા (ખંડ–૭) પ્રાણી કથાઓ ૦૮૬ ૩. સેચનક હાથીની કથા ૦૮૭૪. વાંદરાની કથા ૭૨ ૦૭૨ ૭૨ ૦૭૨ ૦૭૩ ૦૭૩ ૦૭૪ ૦૭૪ ૦૭૪ ૦૭૫ ૦૭૫ ૦૭૫ ૦૭૫ ૦૭૯ ०७६ ૦૭૬ 600 ०८७ ૦૮૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ—૬ (ખંડ–૭) પ્રાણી કથાઓ (ચાલુ) ૦૯૦૧૦. બળદની કથા ૦૯૧ ૧૧. સર્પની કથા ૦૯૧ | ૧૨. હાથીની કથા ૦૯૨ |૧૩. પાડાની કથા ૦૯૩ ૧૪. બકરાની કથા ૫. સુમેરુપ્રભ હાથીની કથા ૬. મેરુપ્રભ હાથીની કથા ૭. દેડકાની કથા ૮. કંબલ–સંબલ બળદોની કથા ૯. ચંડકૌશિકની કથા ભાગ–૬ (ખંડ–૮) અન્યતીર્થિક કથાઓ ૧. મરીચી કથા ૨. કાલોદાયી આદિ દશ ૩. દ્વૈપાયન ઋષિ કથા ૪. રામગુપ્ત આદિ મિથ્યામતિ ૫. તાલિ તાપસ કથા ૬. જમદગ્નિ કથા + પરસુરામ કથા ૭. સ્કંદક પરિવ્રાજક કથા ૮. પુદ્ગલ પરિવ્રાજક કથા ૯. મુદ્ગલ પરિવ્રાજક કથા ૧૦. નારદ/કસ્ફુલનારદ કથા ૧૧. વૈશ્યાયન બાલતપસ્વી કથા ભાગ–૬ ખંડ–૯ અન્યકથા ૧. મૃગાપુત્રની કથા ૨. ઉતિકની કથા 3. અભગ્રસેન કથા ૪. શકટની કથા ૫. બૃહસ્પતિદત્ત કથા ખંડ-૯ અન્યકથા ૧. કાલકુમાર કથા ૨. સુકાલકુમાર કથા 3. મહાકાલકુમાર કથા ૪. કૃષ્ણકુમાર કથા ૧૭. બુદ્ધ/શાક્ય કથા ૧૦૧ ૧૮. નૈરિક તાપસ કથા ૧૦૨ ૧૯. ધર્મરુચિ તાપસ કથા ૧૦૨ ૨૦. શિવ તાપસ કથા ૧૦૩ ૨૧. શુક્ર પરિવ્રાજક કથા ૧૦૪ ૨૨. કપિલની કથા (ખંડ–૯) અન્ય કથાઓ અઘ્યયન—૧ દુ:ખવિપાકી કથાઓ ૧૧૧ ૬. નંદિવર્ધન કથા ૧૧૮ | ૭. ઊંબરદત્ત કથા ૧૨૩|૮. શૌર્યદત્ત કથા ૧૨૮૨૯. દેવદત્તા કથા ૧૩૧ ૧૦. અંજૂની કથા ૦૯૬૧૨. ઇન્દ્રનાગ કથા ૦૯૭ ૧૩. પૂરણ તાપસ કથા ૦૯૮ ૧૪. કૌડિન્ય, દત્ત અને ૦૯૯ | શેવાલ આદિ તાપસોની કથા ૦૯૯ ૧૫. ગોવિંદ ભિક્ષુ કથા ૧૦૦ ૧૬. પોટ્ટશાલ કથા ― અધ્યયન—૨ પકીર્ણ-કથાઓ ૧૪૮ | ૫. સુકૃષ્ણકુમાર કથા ૧૫૦ ૬. મહાકૃષ્ણકુમાર કથા ૧૫૦ ૭. વીરકૃષ્ણકુમાર કથા ૧૫૦ | ૮. રામકૃષ્ણકુમાર કથા ૨૧ ૦૯૩ ૦૯૪ ૦૯૪ ૦૯૪ ૦૯૫ ૧૦૪ ૧૦૫ ૧૦૫ ૧૦૬ ૧૦૬ ૧૦૪ ૧૦૭ ૧૦૮ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૩૩ ૧૩૫ ૧૩૮ ૧૪૧ ૧૪૬ ૧૫૦ ૧૫૦ ૧૫૦ ૧૫૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આગમ કથાનુયોગ-૨ - - જનાર ૧૬૧ ૧૬૭ ૧૭૧ 39s - - ભાગ-૬ (ખંડ–૯) અન્યકથા – અધ્ય-૨ – પ્રકિર્ણ કથા (ચાલુ) ૯. પિતૃસેનકૃષ્ણ કથા ૧૫૦ ૧૯. અપ્રતિષ્ઠાન નરકે જનાર ૧૦. મહાસેનકૃષ્ણ કથા ૧૫૦ |૨૦. કુરુવંદ કથા ૧૬૦ ૧૧. મહેશ્વ—ઉત્પત્તિ કથા ૧૫૧૨૧. પ્રદ્યોતની કથા ૧૬૨ ૧૨. એલાષાઢ કથા ૧૫૩] ૨૨. અસંયતિઓની પૂજા ૧૩. કંસ કથા ૧૫૩|૨૩. મંડિતચોરની કથા ૧૬૫ ૧૪. કલ્કી કથા. ૧૫૫ | ૨૪. પાલક કથા ૧૬૪ ૧૫. કચ્છ, મહાકચ્છ, ૨૫. મૂલદેવ કથા - નમિ, વિનમિ કથા ૧પપ ૨૬. મમ્મણ કથા ૧૬૬ ૧૬. કલ્પક કથા ૧૫૬ / ૨૭. સુમતિ કથા ૧૭. કોકાસ + જિતશત્રુ કથા | ૧૫૮ [૨૮. સુજ્ઞશ્રી કથા ૧૮. કાલસૌરિય કથા ૧૫૯) ૨૯. સુલસા કથા ભાગ-૬ (ખંડ–૧૦) દષ્ટાંત–ઉપનય ૦ દૃષ્ટાંત ઉપનય-ભૂમિકા ૧૭૩૭. અશ્વ ૧૮૪ ૧. મયૂરી અંડ ૧૭૩ ૮. સંઘાટ ૧૮૯ ૨. કાચબો ૧૭૬ ૯, શૈલક ૧૮૯ 3. તુંબડુ ૧૭૮૧૦. માકંદીપુત્ર ૪. અક્ષત–શાલી ૧૭૯ ૧૧. નંદીફળ ૫. ચંદ્રમાં ૧૮૨ [૧૨. સુંસમાં ૧૮૯ ૬. દાવદ્રવ ૧૮૩/૧૩. પુંડરીક ૧૯૦ ભાગ-૬ (ખંડ૧૦) વિવિધ પિંડ–દોષના દૃષ્ટાંતો ૧૪. હાથી ૧૯૦ |૨૬. ગોવત્સ ૧૯૮ ૧૫. લાડુપ્રિયકુમાર ૧૯૦૫ ૨૭. મણિભદ્ર યક્ષાયતન ૧૯૯ ૧૬. ચોર ૧૯૧ ૨૮, દેવશર્મા મંખ ૧૯૯ ૧૭. રાજપુત્ર ૧૯૨ ૨૯. ભગિની ૧૮. પલ્લી ૧૯૨ ૩૦. મોદકભોજન ૨૦૧ ૧૯. રાજદુષ્ટ ૧૯૩|૩૧. ભિક્ષુ ૨૦૨ ૨૦. શાલી-૧ ૧૯૪| ૩૨. મોદકદાન ૨૦૩ ૨૧. બિલાડાનું માંસ ૧૫ ૩૩. ગોવાળ ૨૦૪ ૨૨. શાલી–૨ ૧૯૫ ૩૪. મોદક ૨૦૪ ૨૩. સંઘભોજન ૧૯૬] ૩૫. સ્વગ્રામદૂતિ ૨૦૫ ૨૪. ખીરભોજન ૧૯૬] ૩૬. ગ્રામનાયક ૨૦૬ ૨૫. ઉદ્યાનગમન ૧૯૭] ૩૭. બ્રાહ્મણ પુત્ર ૧૮૯ ૧૮૯ - - - 333333: _888888888888 ૨૦૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ૨૨ ભાગ-૬ (ખંડ૧૦) વિવિધ પિંડદોષ દષ્ટાંત (ચાલુ) ૨૧૦ ૨૧૧ - ૨૧૨ ૨૧૨ ૨૧૨ ૨૧૨ ૨૧૨ ૨૧૩ ૨૧૩ ૨૧૩ ૩૮. મૃત માસિક ભોજન ૨૦૭૪૦. સિંહકેસરા લાડુ ૩૯. ક્ષુલ્લક સાધુ ૨૦૮/૪૧. ભિક્ષપાસક ભાગ-૬ (ખંડ–૧૦) “ભક્તપરિજ્ઞા'માંના દષ્ટાંતો ૪૨. મૃગાવતી ૨૧૧ ૫૧. વસુરાજા ૪૩. દત્ત ૨૧૧) પર. કઢી ડોશી ૪૪. કૃષ્ણ + શ્રેણિક ૨૧૧ ૫૩. કામાસક્ત પુરુષો ૪૫. નંદ મણિયાર ૨૧૨ / ૫૪. દેવરતિ ૪૬. કમલયક્ષ ૨૧૨ | પપ. નિયાણશલ્ય યુક્તો ૪૭. સુદર્શન ૨૧૨ / ૫૬. ઇન્દ્રિય રાગથી હાનિ ૪૮, યુવરાજર્ષિ ૨૧૨ / ૫૭. કષાય પરિણામ ૪૯. ચિલાતિપુત્ર ૨૧૨ ૫૮. અવંતિસુકમાલ પ૦, ચંડાલ ૨૧૨/૫૯. સુકોશલ + ચાણક્ય | ભાગ-૬ (ખંડ–૧૦) “સંસ્કારક પયત્રામાંના દષ્ટાંતો ૬૦. અર્ણિકાપુત્ર આચાર્ય ૨૧૩૬૮. અમૃતઘોષ ૬૧. સ્કંદકસૂચિ—૫૦૦ શિષ્યો ૨૧૩ ૬૯. લલિતઘટા પુરુષો ૬૨. દંડ + યવરાજર્ષિ ૨૧૪૭૦. સિંહસેન ઉપાધ્યાય ૬૩. સુકોશલ ઋષિ ૨૧૪૭૧. કુરુદત્ત શ્રેષ્ઠીપુત્ર ૬૪. અવંતિસુકમાલ ૨૧૪ | ૭ર. ચિલાતિપુત્ર ૬૫. કાર્તિકાર્ય ષિ ૨૧૪ ૭૩. ગજસુકુમાલ ૬૬. ધર્મસિંહ ૨૧૪ ૭૪. સુનક્ષત્ર મુનિ ૬૭. ચાણક્ય ૨૧૪. | + સર્વાનુભૂતિ મુનિ ભાગ-૬ (ખંડ–૧૦) “મરણસમાધિમાંના દષ્ટાંતો ૨૧૩ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૬ E = ૨૧૭ ૨૧૭ ૨૧૭ ૭૫. જિનધર્મ શ્રાવક ૭૬. મેતાર્ય મુનિ ૭૭. ચિલાતિ પુત્ર ૭૮. ગજસુકુમાલ ૭૯. સાગરચંદ્ર ૮૦. અવંતિસુકમાલ ૮૧. ચંદ્રાવતંસક ૮૨. દમદંત ઋષિ ૮૩. સ્કંદકષિના – શિષ્યો ૨૧૬ ૮૪. ધન્ય + શાલિભદ્ર ૨૧૬૮૫. હાથી, ૨૧૬૮૬. પાંડવ ૨૧૬ ૮૭. દંડ અણગાર ૨૧૬ ૮૮. સુકોશલ ૨૧૭,૮૯, ક્ષુલ્લક મુનિ ૨૧૭૯૦. વજસ્વામી ૨૧૭ ૯૧. અવંતિસેન ૨૧૭૯૨. અત્રક ૨૧૭ ૨૧૭ ૨૧૮ ૨૧૮ ૨૧૮ ૨૧૮ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આગમ કથાનુયોગ-૨ - - - - - - - - ૨૧૮ ૨૧૮ ભાગ-૬ (ખંડ–૧૦) “મરણસમાધિમાંના દૃષ્ટાંતો (ચાલુ) ૯૩. ચાણક્ય ૨૧૮ | ૯૮. મુનિચંદ્ર આદિ ૯૪. બત્રીશઘટા પુરુષો ૨૧૮૯૯. ઉષ્ણાદિ પરીષહો ૫. ઇલાપુત્ર ૨૧૮૧૦૦. સિંહચંદ્ર + સિંહસેન ૯૬. હસ્તિમિત્ર ૨૧૮ ૧૦૧. બે સર્પો ૯૭. ધનમિત્ર ૨૧૮/૧૦૨. પુંડરીક-કંડરીક ભાગ-૬ (ખંડ–૧૦) “આગમ-સટીકંના દષ્ટાંતો | ૨૧૯ ૨૧૯ ૨૧૯ ૨૩૦ ૨૩૦ ૨૩૧ ૨૩૧ ૨ ૩૧ ૨ ૩ર. ૨૩૨ ૨૩૨ ૨૩૩ 33 ૨33 ૨ ૩૪ ૧૦૩. અગદ ૧૦૪. અગsદત્ત ૧૦૫. અગારી ૧૦૬. અઍકારિયભટ્ટા ૧૦૭. અજિતસેન ૧૦૮. અર્જુનચોર ૧૦૯. અર્તન ૧૧૦. અનંગ ૧૧૧. અસંઘ ૧૧૨. અદત્ત ૧૧૩. સ્ત્રી જનિત સંગ્રામો ૧૧૪. ઇન્દ્ર ૧૧૫. ઇન્દ્રદત્ત ૧૧૬. સુરેન્દ્રદત્ત ૧૧૭. ઉત્કર્ટ ૧૧૮, ઉદિતોદય ૧૧૯. કપિલ ૧૨૦. કપિલબટુક ૧૨૧. કપિલા ૧૨૨. કાલોદાયી ૧૨૩. કુવિકર્ણ ૧૨૪. કોંકણક–૧ ૧૨૫. કોંકણકદારક ૧૨૬. કુચિત ૧૨૭. કુલપુત્ર ૧૨૮. કેશી ૨૧૯ | ૧૨૯, કોંકણક–૨ ૨૨૦] ૧૩૦, કોંકણક–૩ ૨૨૧૧૩૧. કોંકણક સાધુ ૨૨૧ [૧૩૨. કોંકણક–૪ ૨૨૨૧૩૩. ભારવાહી પુરુષ ૨૨૩૧૩૪. કોડીસર ૨૨૩/૧૩૫. કોલગિની ૨૨૩/૧૩૬. ખંડકર્ણ ૨૨૪૧૩૭. ગંધપ્રિય ૨૨૪|૧૩૮, ચારુદત્ત ૨૨૪૧૩૯. જિનદાસ + દામન્નગ ૨૨૫,૧૪૦. જિતશત્ર–૧ ૨૨૫,૧૪૧. ડોડિણી ૨૨૫૧૪૨. તુંડિક ૨૨૬ / ૧૪૩. તોસલિ ૨૨૬ / ૧૪૪. તોસલિક ૨૨૭] ૧૪૫. દેવદત્તા ૨૨૭/૧૪૬. ધર્મઘોષ–૧ ૨૨૮/૧૪૭. ધનસાર્થવાહ ૨૨૮૧૪૮. ધર્મઘોષ–૨ ૨૨૮૧૪૯. ધર્મરુચિ ૨૨૮૧૫૦. ધર્મિલ ૨૨૯ ૧૫૧. ધૂર્તાખ્યાન ૨૨૯ /૧૫૨. નંદિની ૨૩૦ ૧૫૩. નવકપુત્રી + ચેટી ૨૩૦ ૧૫૪. પદ્માવતી + વજભૂતિ ૨૩૫ ૨૩૬ ૨૩૬ ૨૩૬ ૨ 39 ૨૩૭ ર 39 ૨૪૧ ૨૪૧ ૨૪૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ૨૫ - - - ૨૫૦ ૨પ૧ ૨૫૧ ૨૫૧ ૨પર ભાગ-૬ (ખંડ–૧૦) “આગમ–સટીકના દષ્ટાંતો (ચાલુ) ૧૫૫. પુષ્પશાલ + ભદ્રા ૨૪ર૧૭૩. સુકુમાલિકા ૧૫. પુષ્પશાલ સુત ૨૪ર૧૭૪. સોદાસ ૧૫૭. પૃથ્વી ૨૪૨/૧૭૫. સોમિલ ૧૫૮. ભદ્રગમહિષી ૨૪૩/૧૭૬. સૌમિલિક ૧૫૯. મતિ + સુમતિ ૨૪૩૧૭૭. ૫૦૦ સુભટ ૧૬૦. મંગુ આચાર્ય ૨૪૩૦ માનવભવની દુર્લભતા– ૧૬૧. મંડુક્કલિત ૨૪૪ દશ દેખાતો ૧૬૨. મગધશ્રી + મગધસુંદરી ૨૫૧૭૮. (૧) ચોધક ૧૬૩. મગધસેના ૨૪૫ ૧૭૯. (૨) પાસગા ૧૬૪. મયુરંક ૨૪૬ /૧૮૦. (૩) ઘાન્ય ૧૬૫. મુરુંડ ૨૪૬/૧૮૧. (૪) દ્યુત ૧૬૬. મૂક ૨૪૬/૧૮૨. (૫) રત્ન ૧૬૭. રોગ ૨૪૭/૧૮૩. (૬) સ્વપ્ન ૧૬૮. વિજયા ૨૪૮/૧૮૪. (૭) ચક્ર/રાધાવેધ ૧૬૯. વિમલ ૨૪૯ ૧૮૫. (૮) કાચબો ૧૭૦. વીરક ૨૪૯/૧૮૬. (૯) યુગ ૧૭૧. વિરઘોષ ૨૪૯ ૧૮૭. (૧૦) સ્તંભ ૧૭૨. સરજસ્ક ૨૫૦૧૮૮. કૂવાનો દેડકો પરિશિષ્ટ-૧ અકારાદિક્રમે કથાના નામો ૨પર ૨૫૨ ૨૫૩ ૨૫૩ ૨૫૩ ૨૫૪ ૨૫૪ ૨૫૪ ૨૫૫ ૨૫૫ ૨૫૫ ૨૫૬) મકથાનુયોગભાગ–૧ થી સંક્ષિપ્ત–વિવરણ - આગમ કથાન કુલ પૃષ્ઠ ૩૮૪ ૩૬૮ | ભાગ સમાવિષ્ટ કથાનકો કુલકર કથાઓ, તીર્થકર કથાઓ. ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, - ગણધર, નિલવ, ગોશાલક, પ્રત્યેકબુદ્ધની કથાઓ. શ્રમણ કથાઓ – મૂળ આગમો આધારિત શ્રમણ કથાઓ – આગમ પંચાંગી આધારિત શ્રાવક કથાઓ, શ્રાવિકા કથાઓ. ૬. | દેવ, દેવી, પ્રાણી, અન્યતીર્થિક, દુઃખવિપાકી અને પ્રકીર્ણ કથા વિવિધ દૃષ્ટાંતમાળા 3. ૪૩૨ ૩૮૪. દ 14 ૩૨૦ -- --- - | ૨૭ર Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આયા. સૂય. ઠા. સમ. ભગ નાયા. ઉવા અંત અનુત્ત. પણ્ડા. વિવા. ઉવ. રાય. જીવા. પ. સૂર. ચંદ. જંબૂ. નિર. કપ્પ. પુલ્ફિ. આચારાંગ સૂયગડાંગ ઠાણાંગ સમવાયાંગ ભગવતી નાયાધમ્મકહા ઉવાસગદસા અંતગડદસા ➖➖ અનુત્તરોપપાતિક દસા પટ્ટાવાગરણ વિપાકસૂત્ર ઉવવાઈ રાયપ્પસેણિય જીવાજીવાભિગમ પત્રવણા સૂરપન્નત્તિ ચંદપન્નત્તિ જંબૂદીવપત્તિ નિરયાવલિયા કúવર્ડિસિયા પુલ્ફિયા ૬. વૃત્તિ નિ. - નિર્યુક્તિ હ. હારિભક્રિય સંક્ષેપ–સૂચિ ૧ પૃ. ~ પૃષ્ઠાંક સ્થ. સ્થવિરાવલિ ટી. ચૂ. -- ચૂર્ણિ મૂ મૂલ મ. - પુષ્ક. વÈિ. - ભત. સંથા. ગચ્છા. મરણ. નિસી. બુહ. વવ. દસા. જીય. મહાદિન. આવ. ઓહ. પિંડ. દસ. ઉત્ત. નંદી. અનુઓ. તિત્યો. ઋષિ. મલયગિરિ (આવ.ચૂ.) ભાગ-૧ ટીપ્પણક આગમ કથાનુયોગ–૨ પુષ્કચૂલિયા વહ્િદસા ભત્તપરિણા સંથારગ ગચ્છાયાર મરણસમાધિ નિશીથ બુત્સપ્પ વવહાર ર (આવ.ચૂ.) ભાગ—૨ અવ. – અવસૂરી કલ્પવૃ.—કલ્પસૂત્ર—વિનયવિજય–વૃત્તિ ઉત્ત.ભાવ.—ઉત્તરાધ્યયન—ભાવવિજય—વૃત્તિ દસાસુયમાંંધ જીયકમ્પ મહાનિશીથ આવશ્યક ઓહનિજ્જુત્તિ પિંડનિ′ત્તિ દસવેયાલિય ઉત્તરાધ્યયન નંદીસૂત્ર અનુઓગધાર તિત્તથોગાલિય ઋષિભાષિત ભા. – સૂ – સૂત્રાંક અ. — અધ્યયન ભાષ્ય સંદર્ભ સાહિત્ય (૧) અમે સંપાદન કરેલ બામસુત્તાળિ – મૂલ્લું અને ગ્રામસુત્તનિટી આ કથાસાહિત્યનો મૂળ સ્રોત છે. તેનાજ ક્રમાંકો આગમસંદર્ભમાં આપેલા છે. (૨) ચૂર્ણિમાં પૂજ્ય સાગરનંદસૂરીજી સંપાદિત-ચૂર્ણિના પૃષ્ઠાંક આપેલા છે. (૩) જીતકલ્પ, ઋષિભાષિત પૂજ્ય પુન્યવિજયજી સંપાદિત છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ આગમ સાહિત્ય પ્રકાશન અમારું પ્રકાશિત આગમ–સાહિત્ય १ - आगमसुत्ताणि - मूलं આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગઅલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદ સૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગઅલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫–આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ—અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આગમસોસો, ગામનામળોતો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/- દર્શન—પૂજન માટે આજીવન ઉપયોગી છે. – X - X — * - * — ૨. આગમ–ગુજરાતી અનુવાદ આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઇત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. એક ઝલક સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ ‘આગમદીપ'' સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂ. ૨૦૦૦/–ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ સન ૨૦૦૩ને અંતે તેની માત્ર બે નકલો બચેલી છે. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. ૨૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ ३. आगमसुत्ताणि-सटीकं જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણ છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૫૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઇત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂ. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની માત્ર બે નકલો સન-૨૦૦૩ને અંતે સ્ટોકમાં રહી છે. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. – – ૪ – » –– ૪ – ૪. આગમ–વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદૂરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથકૂ–પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો–આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમ–સટીકંમાં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂ. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #30 -------------------------------------------------------------------------- ________________ આગમ સાહિત્ય પ્રકાશન ૨૯ - ५. आगमसद्दकोसो આ શબ્દકોશ – એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ–ડીક્ષનેરી” જેમાં તમને મળે છે. મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ–અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – ૧ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે–તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ – જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. - વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું કામસુત્તળ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો તેમાં મૂળ આગમ કે આગમ–સટીમાં મળી જ જવાના -- ૪ – X - X – ૪ – ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમ સટીકંમાં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ (નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ | ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ || તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/–ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામ/ત્તાધિસરી તો છે જ. Page #31 -------------------------------------------------------------------------- ________________ 30 ७. आगमसूत्र हिन्दी अनुवाद મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦ થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તો પણ આગમના ગુજરાતી અનુવાદની ગેરહાજરીમાં તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે મહત્ત્વનું સંદર્ભશાસ્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર હિન્દી અનુવાવ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને જ્ઞાન સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. - * - * — x - X - ૮. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથેસાથે પંડિત શ્રી રૂપવિજયજી તુ ૪૫– આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. આગમ કથાનુયોગ–૨ -- X - X - X* X * અન્ય સાહિત્ય પ્રકાશન ** આગમના ઉક્ત વિરાટ કાર્યોની ઉપરાંત વ્યાકરણ, વિધિ, પૂજન, વ્યાખ્યાન, તત્ત્વાર્થ, જિનભક્તિ, પાઠશાળા અભ્યાસ, આરાધના આદિ વિવિધ વિષયોને સ્પર્શતા અમારા ભિન્ન—ભિન્ન પ્રકાશનો અને પ્રસ્તુત આગમકથાનુયોગ ભાગ–૧ થી ૬ સહિત મુનિદીપરત્નસાગરની કલમે ૨૪૭ પ્રકાશનો પ્રગટ થઈ ચૂક્યા છે. જેમાંના ઘણાં બધાં પ્રકાશનો હાલ અપ્રાપ્ય બન્યા છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય સર્જન - હું – અને કથાનુયોગ ૩૧ .. આરંભે આટલું જરૂર વાંચો અભિનવ હેમ લઘુપ્રક્રિયાને સર્જનયાત્રાનું આરંભ બિંદુ ગણીએ તો મારી આ યાત્રા બાવીશ વરસની થઈ. આટ આટલા વરસોથી લખું છું. છતાં ગ્રંથસ્થ કૃતિઓની સંખ્યાથી કોઈને આંજી શકું તેમ નથી. વરસો કે ગણિતનો મેળ બેસાડવા પ્રયત્ન પણ કર્યો નથી. મારાથી થાય એ રીતે શબ્દની સાધના કરી રહ્યો છું. શબ્દની આંગળી ઝાલી જ્યાં-જ્યાં હું ગયો છું એ મુકામોનો હિસાબ હવે ર૪૭ પ્રકાશનો પહોચે છે. આયુષ્ય કર્મ અને દેહનામ કર્મ આદિનો સથવારો રહે તો હજી શબ્દોના સંગાથે વધુને વધુ પંથ કાપવાની ભાવના ભાવું છું. જે કંઈ લખ્યું છે એ ફરી વાંચવાનો સમય ન મળે એવી તાણ વચ્ચે જીવવાનું થયું છે. શ્વાસ લઉ છું કે વિચી છું ત્યારે નહીં, પણ કંઈક લખી શકું છું ત્યારે જ જીવું છું. છતાંયે લખવામાં સમગ્ર જીવનનો વ્યાપ આવી જાય છે, એવા ભ્રમમાં પણ નથી. હા, આ સર્જન એ પ્રાણવાયુ સમ જરૂર બની રહે છે. આગમ સાધનામાં આઠેક વર્ષ પસાર થયા છે અને આગમ સંબંધી આ નવમું વિરાટ પ્રકાશન આપ સૌના કરકમલોનો સ્પર્શ પામી રહ્યું છે. આગમ શ્રુતના ચાર મુખ્ય અનુયોગમાં આ કથાનુયોગ સંબંધી સર્જન છે જેમાં મૂળ આગમોની સાથે તેની નિર્યુક્તિ, ભાષ્ય ચૂર્ણિ, વૃત્તિ કે અવચૂરી એ તમામ અંગોનો સમાવેશ કરી કથાઓનું સંકલન, ગોઠવણી અને (ક્ત તથા સંસ્કૃત ભાષામાંથી) ગુજરાતી અનુવાદ કરેલ છે. જેને મુખ્ય દશ વિભાગો દ્વારા છ પુસ્તકોમાં ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં રજૂ કરું છું. વર્તમાન કાળે સ્વીત પીસ્તાળીશ આગમો અને તેના નૃત્યાદિનો આધાર લઈને સંકલિત કરાયેલ આ આગમ કથાનુયોગમાં જો કથાને ધ્યાનથી વાંચવામાં આવે તો તેમાં દ્રવ્યાનુયોગ તથા ચરણકરણાનુયોગ પણ ગુંથાએલો નજરે પડે છે. જો કથાની મનન કરી તેના નિષ્કર્ષોને ચિંતવવામાં પુરુષાર્થ થાય તો અદ્ભુત સત્યો અને તત્ત્વોથી આત્મા વૈરાગ્ય વાસિત થતો રહે અને ચિત્તતંત્રને ચોંટ આપે તેવો સમર્થ છે. આગમસાહિત્યમાં જ – નાયાધમ્મકહા, ઉવાસગદસા, અંતગડદસા, અનુત્તરોપપાતિકદસ વિપાકસૂત્ર, નિરયાવલિકા, કલ્પવતંસિકા, પુષ્ફિયા, પુષ્કચૂલિયા અને વષ્ઠિદસા એટલા આગમસૂત્રો તો પ્રત્યક્ષતયા કથાનુયોગનું પ્રાધાન્ય ધરાવે જ છે. જ્યારે ઉવવાઈ અને રાયપૅસેણિય એ બંને આગમોમાં દ્રવ્યાનુયોગ અને | ચરણાનુયોગની ગુંથણી હોવા છતાં પ્રધાનતા તો કથાનુયોગની જ છે. વળી વિશાળકાય રૂપ ધરાવતા ભગવતીજી અંગ સૂત્રોમાં અનેક કથાઓ વણી લેવામાં આવી છે. તો ઉત્તરાધ્યયન સૂત્ર પણ કથાથી સમૃદ્ધ બનેલ છે. સમવાય અંગસૂત્ર ઉત્તમપુરુષોના ચરિત્રોમાં અનેક પૂરક માહિતી પૂરી પાડે છે. તો આચારાંગને જોયા વિના ભગવંત મહાવીરના કથા અણસ્પર્શી જ રહે. દ્રવ્યાનુયોગ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આગમ કથાનુયોગ-૨ પ્રાધાન્ય છતાં આર્દ્રકુમાર આદિ માટે સૂયગડાંગ જોવું જ રહ્યું અને પદાર્થોની એકથી દશની ગણના છતાં ઠાણાંગ સૂત્રની વૃત્તિમાં કથા તો મળે જ છે. ગણિતાનુયોગ | પ્રાધાન્ય છતાં જંબૂદીવપન્નત્તિ સૂત્ર વિના ભગવંત ઋષભનું ચરિત્ર અને ભરતચક્રવર્તી કથા અધૂરી જ રહી હોત તો જીવ-અજીવ આદિ પદાર્થોની પ્રજ્ઞાપના કરતા જીવાજીવાભિગમની વૃત્તિ પણ ક્યાંક ક્યાંક કથાઓનું દર્શન કરાવવાનું ચૂક્યું નથી. ચાર મૂળસૂત્રોમાં આવશ્યક સૂત્રની પંચાંગી તો લખલૂંટ ખજાના જેવું છે. આગમોમાં સૌથી વિપુલ સાહિત્ય જો ક્યાંય પ્રાપ્ત થતું હોય તો તે છે આવશ્યક સૂત્રના ચૂર્ણિ–વૃત્તિ–ભાષ્ય અને નિર્યુક્તિ તેની સાથે સાથે ઓઘ અને પિંડનિયુક્તિ પણ છે આચારની સમજ આપતી વેળા વિવિધ દોષોનો નિર્દેશ કરતા અનેક દૃષ્ટાંતો પૂરા પાડે , જ છે. પણ જો દૃષ્ટાંતમાળાની ગુંથણી જ કરવી હોય તો નિશીથ, બૃહત્કલ્પ, વ્યવહાર અને જીતકલ્પ સૂત્રના ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ જેટલી વિપુલ માહિતી તો અંગસૂત્ર અને ઉપાંગસૂત્રો પણ પૂરી પાડતા નથીમહાનિશીથ સૂત્ર તો સચોટ કથાના વૈભવરૂપ છે છે જ. તો દસાસુયકબંધ છેદસૂત્ર એ શ્રેણિક–ચેલણા દ્વારા ભગવંત વંદનાર્થે જતા શ્રાવકોની ઋદ્ધિનું ઉત્તમ દષ્ટાંત પૂરું પાડેલ છે. નંદી આદિ ચૂલિકા સૂત્ર પણ કથાનકથી | અણસ્પર્યા નથી જ તો પયન્ના સૂત્ર પણ કથાનો અંગુલિનિર્દેશ તો કરે જ છે. આટલા બધાં આગમોમાં કથાઓના વર્ણનથી આપણે સહેજે એવો વિચાર ફૂરે કે, અધધ ! આટલું કથાસાહિત્ય છે આપણી પાસે ? તો તમને ભગવંતના શાસનકાળ વખતના એક માત્ર નાયાધમકહા સૂત્ર સુધી અવશ્ય દોરી જવા પડશે. જ્યારે નાયાધમ્મકહા સૂત્રનું કદ ૫,૭૬,૦૦૦ શ્લોક પ્રમાણ હતું ત્યારે તેમાં નાની–મોટી થઈને સાડા ત્રણ કરોડ કથાઓ હતી. આ તો થઈ માત્ર એક જ અંગસૂત્રની વાત બીજા સૂત્રોમાં આવતી કથાઓ તો અલગ. તેની સામે અમે વર્તમાનકાલીન આગમોમાં પીસ્તાળીશે આગમ, તેની પ્રાપ્ત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ વૃત્તિ આદિ બધું જ સાહિત્ય એકઠું કરીને એક–એક પાત્રની માહિતીને એક જ સ્થાને સંગ્રહિત કરી તો પણ મળ્યા માત્ર ૮૫ર કથાનક અને ૧૮૭ દૃષ્ટાંતો. ખેર ! છેદસૂત્રો અને આવશ્યક સૂત્રનું વિવેચન સાહિત્ય ફંફોસતા દૃષ્ટાંતોની સંખ્યા હજી વધી શકે છે. પણ ક્યાં સાડા ત્રણ કરોડનું કથા સાહિત્ય અને ક્યાં આજે મળતી | માંડ–માંડ હજાર-બારસો કથાઓ !!! તો પણ મને સંતોષ છે કે, પૂજ્યપાદુ આગમોદ્ધારક શ્રી આનંદસાગર સૂરિશ્વરજીના અધૂરા રહી ગયેલા સ્વપ્નોને પરિપૂર્ણ કરવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું અને અનેકાનેક પૂજ્ય શ્રી, શ્રમણી વૃંદ અને શ્રુતપ્રેમીઓના દ્રવ્યભાવયુક્ત સહકાર, પ્રેરણા, ભાવના, આશીર્વાદ અને પ્રાર્થનાઓના પ્રેરકબળોથી ગણધર કૃત્ શબ્દોને પુનઃ શબ્દદેહ અર્પી કિંચિત્ ચેતના પૂરી શક્યો છું. – મુનિ દીપરત્નસાગર - - - - - - - - - - Page #34 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ નમો નમો નિમ્મલદંસણસ્સ પૂ. શ્રી આનંદ ક્ષમા લલિત સુશીલ સુધર્મસાગર ગુરુભ્યો નમઃ આગમકથાનુયોગ-૨ ખંડ-૧-ઉત્તમપુરુષ ચરિત્ર-(ચાલુ) ૦ ભૂમિકા : પ્રથમ ખંડમાં ઉત્તમપુરુષ ચરિત્ર કથાનકો સમાવિષ્ટ કરાયેલા છે. તેમાં તીર્થંકર કથાનક વિભાગ પૂર્ણ થયો. આ ભાગમાં ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનું કથન કરવામાં આવશે. એક અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં ભરત આદિ કોઈપણ એક ક્ષેત્રમાં ૨૪–તીર્થંકર, ૧૨-ચક્રવર્તી, ૯-વાસુદેવ, ૯-બળદેવ, ૯-પ્રતિવાસુદેવ રૂપ ૬૩–ઉત્તમ પુરુષોની ગણના થાય છે. બીજા મતે નવ પ્રતિવાસુદેવની ગણના ન કરતા ૫૪–ઉત્તમ પુરુષોની સંખ્યા ગણવામાં આવે છે. આ અરહંત આદિની, તેના વંશની ઉત્પત્તિ વગેરે આ પ્રમાણે છે -- – ૦ અઢીદ્વીપમાં અરહંત આદિ વંશની ઉત્પત્તિ : આગમ સંદર્ભ :– ઠાણાંગ–૮૯, ૧૫૧; - 33 જંબુદ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયમાં એક યુગમાં બે અર્હત્ વંશ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જંબૂદ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયમાં – એક યુગમાં બે ચક્રવર્તી વંશ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જંબૂદ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયમાં, એક યુગમાં બે દશારવંશ (વાસુદેવ–બળદેવનું કુળ) ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જંબુદ્વીપ નામક દ્વીપના ભરત અને ઐરવત વર્ષક્ષેત્રમાં પ્રત્યેક અવસર્પિણી– ઉત્સર્પિણીમાં આ ત્રણ વંશ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જેમકે અર્હત વંશ, ચક્રવર્તી વંશ અને દશાર્હ વંશ. - આ જ પ્રમાણે યાવત્ પુષ્કરવરદ્વીપાર્ધના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ક માટે પણ સમજી લેવું (અર્થાત્ ઘાતકીખંડદ્વીપ અને પુષ્કરવરદ્વીપાર્ધના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાર્ધમાં આ ત્રણ— ત્રણ વંશ ઉત્પન્ન થયા છે થાય છે અને થશે.) ૦ અઢીદ્વીપમાં અરિહંતાદિની ઉત્પત્તિ :– - આગમ સંદર્ભ – ઠાણાંગ–૮૯, ૧૫૧; જંબુદ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયે એક યુગમાં બે અરિહંત ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જંબૂદ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયે ઍક યુગમાં બે ચક્રવર્તી ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જંબુદ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયે – એક યુગમાં બે બળદેવ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જંબૂદ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયે, Jain| ૨/૩ |nternational Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ એક યુગમાં બે વાસુદેવ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જંબુદ્વીપ નામક દ્વીપમાં ભરત અને ઐરવત વર્ષ ક્ષેત્રમાં પ્રત્યેકમાં પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં ત્રણ ઉત્તમ પુરુષો ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. તે આ પ્રમાણે :- (૧) અરિહંત, (૨) ચક્રવર્તી, (૩) બલદેવ અને વાસુદેવ. આ જ પ્રમાણે ધાતકીખંડદ્વીપમાં અને પુષ્કરવરાર્ધદ્વીપમાં પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધ પ્રત્યેકમાં ત્રણ–ત્રણ ઉત્તમ પુરુષો – અરિહંત, ચક્રવર્તી અને બળદેવ—વાસુદેવ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. ૦ અઢીદ્વીપમાં ઉત્તમ પુરુષો : 101 જંબુદ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી—અવસર્પિણીમાં ચોપન—ચોપન ઉત્તમ પુરુષો ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. તે આ પ્રમાણે :– ચોવીસ તીર્થંકર, બાર ચક્રવર્તી અને નવ બલદેવ તથા નવ વાસુદેવ. —સમવાય-૧૩૨; -૦- ધાતકીખંડદ્વીપમાં ઉત્કૃષ્ટતઃ અડસઠ અરિહંત સમુત્પન્ન થયા છે, સમુત્પન્ન થાય છે અને સમુત્પન્ન થશે. આ જ પ્રમાણે ચક્રવર્તી, બળદેવ અને વાસુદેવ માટે પણ સમજી લેવું (અર્થાત્ ધાતકીખંડના પૂર્વાર્ધમાં ઉત્કૃષ્ટ-૩૪, પશ્ચિમાર્ધમાં ઉત્કૃષ્ટ-૩૪ થશે. તેમાં ભરત ક્ષેત્રમાં એક, ઐરવત ક્ષેત્રમાં એક અને મહાવિદેહની બત્રીશ વિજયોમાં બત્રીશ - એ બધાં મળીને ચોત્રીશ સમજવા. પણ એક જ ક્ષેત્રમાં નહીં. બીજું એક જ ક્ષેત્રમાં એક સાથે ચક્રવર્તી અને વાસુદેવ સંભવતા નથી. તે બેમાંથી એક જ ઉત્તમ પુરુષ એક સમયે સંભવી શકે.) સમ. ૧૪૬ + ?. પુષ્કરવરદ્વીપાર્ધમાં ઉત્કૃષ્ટતઃ અડસઠ અ ંત સમુત્પન્ન થયા છે, સમુત્પન્ન થાય છે અને સમુત્પન્ન થશે. એ જ પ્રમાણે ચક્રવર્તી, બળદેવ અને વાસુદેવ માટે સમજી લેવું. (શેષકથન ઉપર મુજબ જાણવું.) સમ. ૧૪૬; -- જંબુદ્વીપના મહાવિદેહ વર્ષક્ષેત્રમાં જઘન્યથી ચાર અરિહંત, ચાર ચક્રવર્તી, ચાર બળદેવ–ચાર વાસુદેવ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. -~ આગમ કથાનુયોગ-૨ - ઠાણાંગ-૩૨૧; જંબુદ્વીપવર્તી સુમેરૂ પર્વતના પૂર્વમાં અને સીતા મહાનદીની ઉત્તરમાં ઉત્કૃષ્ટ આઠ અરિહંત, આઠ ચક્રવર્તી, આઠ બળદેવ – આઠ વાસુદેવ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. (આ વિધાન પ્રત્યેક વિજયને આશ્રીને કરાયેલ છે. આ પ્રમાણે મહાનદીના ચારે કાંઠાની આઠ–આઠ વિજયને આશ્રીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ બત્રીશ તીર્થંકર, બત્રીશ ચક્રવર્તી આદિ સમજવું. જઘન્યથી મહાવિદેહમાં ચાર વાસુદેવ વિહરતા હોય છે. જ્યાં વાસુદેવ વિચરતા હોય ત્યાં ચક્રવર્તી ન હોય. તેથી ખરેખર તો ઉત્કૃષ્ટથી અઠ્ઠાવીશ ચક્રવર્તી જ જંબુદ્વીપમાં હોઈ શકે એ જ રીતે જઘન્યથી ચાર ચક્રવર્તી તો હોય જ, તેથી ઉત્કૃષ્ટથી અટ્ઠાવીસ વાસુદેવ જ હોય, વાસુદેવના સહચારીપણાને લીધે બળદેવ પણ અટ્ઠાવીસ જ ઉત્કૃષ્ટથી થાય છે. ઠાણાંગ-૭૫૦ + રૃ. 101 --- X X - Page #36 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી ચરિત્ર–ભૂમિકા ખંડ–૧–ઉત્તમ પુરુષ ચરિત્ર અધ્યયન–૨–ચક્રવર્તી ચરિત્ર ભૂમિકા-ચક્રવર્તી : આ પૃથ્વી પરના રાજાધિરાજ કહેવાય છે. પૃથ્વીના ચાર છેડા (ત્રણ તરફ સમુદ્ર અને ચોથી તરફ વર્ષધર પર્વત)ના અંતને સાધનાર અર્થાત્ એટલી વિશાળ પૃથ્વીનો મહારાજા હોય છે. તે તેના વર્ષક્ષેત્રની છ ખંડ પૃથ્વીનો દિગ્વીજય કરે છે. તે ચૌદ રત્ન (સાત એકેન્દ્રિય અને સાત પંચેન્દ્રિય રત્નો) અને નવ નિધિનો સ્વામી હોય છે. ચક્રરત્ન તેનું મુખ્ય આયુધ હોય છે. તેને નરદેવ પણ કહે છે. ૩૨,૦૦૦ રાજાઓનો તે અધિપતિ રાજા હોય છે. ભરતક્ષેત્રને આશ્રીને ચક્રવર્તીની રાજ્યસત્તાનો વિચાર કરીએ તો ત્રણ તરફ લવણસમુદ્ર અને ચોથી તરફ હિમવંતપર્વત પર્યન્તની એક છત્ર છ ખંડ પથ્વી પર તેનું શાસન હોય છે. તેને હાથી, ઘોડા, રથ અને પાયદળની ચતુરંગીણી સેના હોય છે. તેને ૬૪,૦૦૦ રાણીઓ હોય છે. તીર્થંકરની માતાની માફક ચક્રવર્તીની માતા પણ ચક્રવર્તી જ્યારે ગર્ભમાં આવે ત્યારે ચૌદ સ્વપ્નોને જોઈને જાગે છે. ચક્રવર્તી ક્યારેય નિમ્નકુળમાં જન્મતા નથી. તેનો જન્મ હંમેશા ઉગ્રકુળ, રાજકુળ, ક્ષત્રિયકુળ આદિ ઉચ્ચકુળોમાં જ થાય છે. ચૌદે ચક્રી કાશ્યપ ગોત્રના હતા. ચક્રવર્તી દરેક રીતે તીર્થંકર કરતા અલ્પ ઋદ્ધિવાન્ અને વાસુદેવ કરતા બમણાં ઋદ્ધિમાન હોય છે. તેના શરીર પર ઉત્તમ પુરુષના ૧૦૦૮ લક્ષણો હોય છે. જંબુદ્વીપમાં જઘન્યથી ચાર ચક્રવર્તી અને ઉત્કૃષ્ટથી ત્રીશ ચક્રવર્તીઓ હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી અઠ્ઠાવીસ ચક્રવર્તીઓ હોય છે. ભરત અને ઐરવતમાં બે ચક્રવર્તી થાય છે. પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં ભરત અને ઐરવતમાં બારબાર ચક્રવર્તીઓ થાય છે. તેમાંના અગિયાર ચક્રવર્તી દૂષમ–સુષમ આરામાં અને એક ચક્રવર્તી સુષમ–દૂષમ આરામાં થાય છે. ચક્રવર્તીને ચક્રધર અને ચક્રીના નામે પણ ઓળખવામાં આવે છે. આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં બાર ચક્રવર્તીઓ થયા. તે આ પ્રમાણે :૧. ભરત, ૨. સગર, ૩. મઘવા, ૪. સનત્કુમાર, ૫. શાંતિ, ૬. કુંથુ, ૭. અર, ૮. સુભૂમ, ૯. મહાપદ્મ, ૧૦. હરિષણ, ૧૧. જય અને ૧૨. બ્રહ્મદત્ત. (ઉક્ત વર્ણન ચક્રવર્તીનો સામાન્ય ખ્યાલ આપવા પૂરતું જ છે. તેની વિશેષ ઋદ્ધિ આદિ વર્ણન તેમની કથાઓમાં રજૂ કરેલ છે.) ૦ ચક્રવર્તી વિષયક સામાન્યમાહિતી સ્રોતના આગમ સંદર્ભ :– ૧. આયા.ચૂ.પૃ. ૧૫૫; ૨. સૂય.નિ.૯૫–પૃ. ૪. સમ. ૩૧, ૨૩૨, ૩૧૫ થી ૩૧૮ ૩૫ ૬. પટ્ટા. ૧૯ + q. ૭. જીવા. ૧૪૫; ૯. તું.. ૬૪; ૧૧. આવ.નિ. ૭૪, ૭૫, ૩૪૨, ૩૬૮, ૩૭૩-૩૭૫, ૩૯૪, ૪૨૧, ૫૭૦; ૩. ઠા.૮૯, ૬૫૭, ૭૪૫, ૮૧૫-૮૩૯; ૫. ભગ ૬૭૮, ૫૫૪ + ૧. ૮. જંબૂ. ૪૭, ૫૩, ૩૬૦ + ૧૦. નિસી.ભા. ૪૨૯૩ની ચૂ. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આગમ કથાનુયોગ-૨ ૧૨. આવ.સ્. ૧–પૃ. ૨૦૮, ૨૧૫, ૨૩૯; ૧૩. ઉત્ત. ૩૪૯ + . ૧૪. તિલ્યો. ર૯૪, ૫૫૮, ૫૬૫, ૧૧૨૪, ૧૧૨૫; ૧૫. ઉપર - ૧૭, ૧૮; (૧) ભરત ચક્રવતી કથાનક : ૦ આગમ સંદર્ભ:– સમગ્ર કથાનકનો મુખ્ય સ્ત્રોત– (૧) જંબૂ ૫૫ થી ૧૨૬; (૨) આવ. પૂ.૧–પૃ. ૪૪, ૧૩૨, ૧૩૩, ૧૮૦ થી ૨૨૮; - સંબંધિત માહિતીનો સ્ત્રોતઠા. ૪૭૩, ૫૭૦, ૬૫૭, ૭૦૭, ૮૧૫ થી ૮૨૯, ૯૦૫ થી ૯૦૭; સમ. ૩૧, ૧૨૬, ૧૫૦, ૧૫૬, ૧૯૨, ૧૬૩, ૧૭૫, ૧૮૭, ૨૦૮, ૩૧૩, ૩૧૫, ૩૧૭, ૩૨૦; નિસી.ભા. ૨૪૯૮; બુદ.ભા. ૪ર૧૮, ૬૩૮૩; વવ.ભા. ૨૪૦૪ની વૃ. આવ.નિ ૭૧ થી ૭૫, ૧૬૯, ૧૭૨ થી ૧૭૯, ૧૯૬, ૩૪૨ થી ૩૪૮, ૩૬૧, ૩૬૨, ૩૬૬ થી ૩૭૫, ૩૯૧ થી ૩૯૯, ૪૦૧, ૪૧૬, ૪૩૫, ૪૩૬, ૫૭૦; આવ.ભા. ૩, ૪, ૩૨, ૩૩, ૩૬ થી ૪૫; પિંડ.નિ. ૬૧૭, દસ.નિ. ૦૪-વૃ. ઉત. પ૯૭, ૧૧૨૭ + 9. ઉત્ત. ૫૯૩ + ભાવવૃ. તિત્વો ૨૮૩, ૨૮૪, ૨૯૪, ૩૦૧, ૫૫૯; કલ્પસૂત્ર-૨૧રની વૃ. ૦ ભરતચક્રી–સામાન્ય પરિચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ભરત નામે પ્રથમ ચક્રવર્તી થયા. તેમનો જન્મ વિનિતાનગરીમાં ભoષભદેવની પત્ની સુમંગલાની કુક્ષિમાં થયો. તેઓ કાશ્યપ ગોત્રના હતા, તેમનો વર્ણ નિર્મલ સુવર્ણની પ્રભા જેવો હતો, ઊંચાઈ ૫૦૦ ધનુષની હતી. તેઓ છ ખંડ રૂ૫ ભરતના, ચૌદ રત્ન અને નવ નિધિના સ્વામી હતા. સુભદ્રા નામે તેની મુખ્ય રાણી (સ્ત્રીરત્ન) હતા. ચોર્યાશી લાખ પૂર્વનું પૂર્ણ આયુ ભોગવ્યું. જેમાં ૮૩ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા. જેમાં ૭૭ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહ્યા. પછી ચક્રવર્તી રાજા થયા. અંતે કેવળજ્ઞાન પામી શ્રમણપણે વિચરી અને આયુ પૂર્ણ થતા મોક્ષે પધાર્યા. ૦ ભરત ચક્રવર્તી–પૂર્વભવ વર્ણન : ભઋષભદેવ જ્યારે તેના નવમાં ભવમાં વૈદ્યપુત્ર હતા. ત્યારે તેની સાથેના કાળમાં જ ઉત્પન્ન થયેલા બીજા ચાર જીવો હતા. ૧. રાજપુત્ર, ૨. શ્રેષ્ઠી પુત્ર. ૩. અમાત્ય પુત્ર અને ૪. સાર્થવાહ પુત્ર. આ બધાં મિત્રોને પરસ્પર અતીવ સ્નેહ હતો. તેઓ સાથે જ મોટા થયા. એક વખત તેઓએ એક કૃમિકૃષ્ઠની ભયંકર વ્યાધિથી પીડાતા મુનિની ચિકિત્સા કરી, મુનિને નિરોગી બનાવેલા (વિશેષ કથા ભઋષભ કથાનુસાર જાણવી). તે સર્વેને સંવેગ ઉત્પન્ન થતા, કોઈ સ્થવીર ભગવંત પાસે દીક્ષા લીધી. તપસાધના કરી, આયુ પૂર્ણ કરીને પાંચે અગ્રુત કલ્પ ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને આ જ જંબૂતીપમાં પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં મનુષ્યરૂપે જન્મ્યા તે વખતે ઋષભદેવનો જીવ વજનાભ ચક્રવર્તીપણે ઉત્પન્ન થયો અને બીજા ચાર મિત્રો વજનાભના નાના ભાઈઓ રૂપે જન્મ્યા. જેમાં ભરતચક્રીનો જીવ જે પૂર્વે રાજપુત્ર હતો તે આ જન્મમાં બાહુ નામે જમ્યો અને અન્ય ત્રણ મિત્રો સુબાહુ, પીઠ અને મહાપીઠના નામે જખ્યા. તેઓ માંડલીક રાજા થયા. તેમના પિતા વજસેને દીક્ષા લઈને કેવળજ્ઞાન પામ્યા. Page #38 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૩૭ તે તીર્થકર ભગવંત વજસેનનું સમવસરણ રચાયું ત્યારે ભારતના જીવ એવા બાહુએ બીજા ચારે ભાઈઓ સહિત દીક્ષા ગ્રહણ કરી, બામુનિ અગિયાર અંગો ભણ્યા. તે વખતે બાહુમુનિ સાધુઓની વૈયાવચ્ચમાં રત હતા. જ્યારે સુબાહુમુનિ મુનિઓની વિશ્રામણા કરતા હતા. પીઠ અને મહાપીઠ બંને ભાઈઓ સ્વાધ્યાયમાં રત રહેતા હતા. બાહુ મુનિને સાધુની ભક્તિથી ચક્રવર્તીનું ભોગકર્મ ઉપાર્જિત કર્યું. તે વખતે સુબાહુ મુનિએ સાધુની વિશ્રામણાથી અત્યંત બાહુબળ (યોગ્ય નામકર્મ) ઉપાર્જન કર્યું અને પીઠ મહાપીઠને ઇર્ષ્યાને કારણે સ્ત્રીવેદનો કર્મબંધ થયો. ત્યાંથી પાંચ મુનિ આયુષ્ય પૂર્ણ કરીને - સર્વાર્થસિદ્ધ વિમાને દેવપણે ઉત્પન્ન થયા. ૦ ભરત-(ચક્રવર્તી)નો ભવ : વિનિતાનગરીમાં ભઋષભદેવના પ્રથમ પુત્રરૂપે ભરતનો જન્મ થયો તે આ પ્રમાણે - ભાષભદેવને બે પત્નીઓ હતી. એક સુમંગલા, જે ઋષભના યુગલિની હતા. બીજી સુનંદા હતી. બાહ અને પીઠ અનુત્તર વિમાનથી દેવાયું પૂરું કરીને યુગલરૂપે સુમંગલાની કુક્ષીમાં આવ્યા. સુમંગલાએ તેને જન્મ આપ્યો પછી તેનું નામ ભરત અને બ્રાહ્મી પાડવામાં આવ્યું. સુબાહુ અને મહાપીઠ પણ અનુત્તર વિમાનેથી ચ્યવ્યા, તે સુનંદાની કક્ષામાં ઉત્પન્ન થયા તેનું નામ બાહુબલિ અને સુંદરી રખાયું. સુમંગલાએ બીજા ઓગણપચાસ પુત્ર યુગલોને જન્મ આપ્યો. એ રીતે ભરત આદિ સો ભાઈ અને બે બહેનો થયા. ભઋષભે જ્યારે દીક્ષા લીધી ત્યારે પોતાના સો પુત્રોનો સો રાજ્ય ઉપર અભિષેક કર્યો. તેમાં મોટા પુત્ર ભરતને વિનીતાનગરીનું મુખ્ય રાજ્ય આપ્યું. બાહુબલિને બહલી દેશમાં તક્ષશિલા નગરીનું રાજ્ય આપ્યું અને બાકીના અઠાણું પુત્રોને જુદા જુદા દેશ વહેંચી આપ્યા. તે વખતે વિનીતા નગરીમાં તે મહાહિમવંત, મહામલય, મેરૂ પર્વત સમાન અચલ એવો પ્રભાવશાળી ભરત રાજા થયો. ૦ રાજા ભરતનું વર્ણન : (જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ – સૂત્ર-૫૫) ત્યાં વિનીતાનગરીમાં અસંખ્યવર્ષોનો સમય વીત્યા પછી યશસ્વી, ઉત્તમ અને અભિજાત્ય કુળવાળો, સત્વ, વીર્ય, પરાક્રમ ગુણ યુક્ત, પ્રશંસનીય વર્ણ, સ્વર, સુદઢ, બલિષ્ઠ શરીર, સંહનનવાળો, સૂક્ષ્મબુદ્ધિ, ધારણાશક્તિ તથા મેધાવાળો, દર્શનીય શરીર સંસ્થાન, ઉત્તમ શીલવાનું અને પ્રકૃતિવાળો, પ્રભાસમાનું મનોહર ગૌરવ, કાંતિ ગતિવાળો, અનેક પ્રકારે પ્રભાવશાળી વચનો બોલનાર, તેજ, આયુ, બળ, વીર્ય યુક્ત, નિગડ નિચિત લોઢાની સાંકળ સમાન સુદઢ, વજsષભનારાચ સંતનન યુક્ત શરીર ધારણ કરવાવાળો એવો ભરત રાજા થયો. તેની હથેળી અને પગના તળીયા મીનયુગલ આદિ ૧૦૦૮ ઉત્તમ પ્રકારના સામુદ્રિક લક્ષણોથી યુક્ત હતા. જેવા કે, મીનયુગલ, યુગ, ભંગાર, વર્ધમાનક, ભદ્રાસન, શંખ, છત્ર, ચામર, પતાકા, ચક્ર, બંગલ, મુસલ, રથ, સ્વસ્તિક, અંકુશ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, યૂપ, સમુદ્ર, પૃથ્વી, ઇન્દ્રધ્વજ, પા, હાથી, સિંહ, દંડ, કાચબો, ગિરિવર, શ્રેષ્ઠ અશ્વ, મુગટ, કુંડલ, નંદાવર્ત, ધનુષ્ય, ભાલો, ગાગર, ભવન, વિમાન આદિ. આ ચિન્હો પરસ્પર એકબીજાથી પૃથક–પૃથક, સ્પષ્ટરૂપે અંકિત, પ્રશસ્ત હોય છે. તથા તેમના વક્ષ:સ્થળના વાળ ઉર્ધ્વ મુખ, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આગમ કથાનુયોગ-૨ સુકમાલ, સ્નિગ્ધ અને કોમળ હતા. તેમજ સુંદર આવર્તયુક્ત હતા. વિશાળ વક્ષ:સ્થળ પર શ્રીવત્સનું સુંદર ચિન્હ અંકિત હતું. દેશ અને ક્ષેત્રને અનુરૂપ તે ભરત રાજાનું સુગઠિત, સુંદર શરીર હતું. બાળસૂર્યના કિરણોથી વિકસિત કમળના મધ્યભાગ સમાન તેનો વર્ણ હતો. તેનો પૃષ્ઠોત–ગુદાભાગ ઘોડાના પૃષ્ઠાંત સમાન પ્રશસ્ત અને નિરૂપલેપ હતો. તેના શરીરમાંથી પઘ, ઉત્પલ, ચમેલી, માલતી, જૂહી, ચંપક, કેસર, કસ્તુરી, સદશ સુગંધ આવતી હતી. તે છત્રીશથી પણ અધિક એવા પ્રશસ્ત અને રાજાને ઉચિત એવા લક્ષણોથી યુક્ત હતો. અવિચ્છિન્ન પ્રભૂત્વ અને એક છત્ર રાજ્યનો સ્વામી હતો. તેનો માતૃવંશ તથા પિતૃવંશ નિર્મલ હતો. પોતાના વિશુદ્ધ કુળરૂપી આકાશમાં તે પૂર્ણિમાના ચંદ્ર સમાન હતો. તે ચંદ્ર સમાન સૌમ્ય અને મન તથા આંખોને આનંદદાયી હતો. સમુદ્ર સમાન નિશ્ચલ, ગંભીર અને સુસ્થિર હતો. કુબેરની માફક ભોગોપભોગમાં દ્રવ્યનો સમુચિત, પ્રચુર વ્યય કરતો હતો. યુદ્ધમાં સદૈવ અપરાજિત, પરમ વિક્રમશાળી હતો. સૌંદર્યવાનું, નરાધિપ હતો. તેના શત્રુનાશ પામ્યા હતા. આ રીતે તે સુખપૂર્વક ભરતક્ષેત્રના રાજ્યનો ઉપભોગ કરતો હતો. | (ચક્રીની ઋદ્ધિ) – ચક્રવર્તીની ઋદ્ધિ તીર્થકર કરતા હીન અને વાસુદેવ કરતા બમણી હોય છે. કેમકે તીર્થકર અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ રૂપ પૂજાને યોગ્ય હોય છે. ચક્રવર્તી ચૌદ રત્ન અને છ–ખંડ પૃથ્વીના અને ૩૨,૦૦૦ રાજાના અધિપતિ હોય છે. વાસુદેવ સાત રત્નો, ૧૬,૦૦૦ રાજાના અને અર્ધ ભારતના અધિપતિ હોય છે. તે રીતે ભારતની ઋદ્ધિ પણ ચૌદરત્ન, નવનિધિ, ૩૨,૦૦૦ રાજા અને છ ખંડ પૃથ્વીનું સ્વામિત્વ હતું (જેનું વર્ણન ભરતની દિગ્વીજય યાત્રામાં વિસ્તારથી કરેલ છે.) | (ચક્રીના બળ-રૂપ) :- તે ચક્રવર્તી કૂવાના કાંઠે બેઠા હોય, ડાબા હાથમાં સાંકળ પકડી હોય (બાંધી હોય), ૩૨,૦૦૦ રાજા એક સાથે તે સાંકળને પોતાના સર્વ બળ વડે – હાથી, ઘોડા, રથ, પાયદળ યુક્ત સર્વ શક્તિ વડે ખેંચે, તે વખતે ચક્રવર્તી જમણા હાથે ભોજન કરતા હોય તો પણ તે રાજાઓ તે સાંકળ વડે ચક્રવર્તીનો હાથ પણ ન હલાવી શકે તેવું તે ચક્રવર્તીનું બળ હોય છે. જો કે તીર્થકરનું બળ અપરિમિત હોય છે, તેથી તીર્થકરની તુલનાએ તો ચક્રવર્તીનું બળ હીન જ સમજવું. તેનું રૂપ વ્યંતર કરતા અનંતગુણ હીન અને વાસુદેવ કરતા અનંતગુણ અધિક હતું. (દંડનીતિ) – રાજા ભરતના રાજ્યમાં ચાર પ્રકારની દંડનીતિ હતી. પરિભાષણ, મંડલબંધ, ચારક અને છવિચ્છેદ. ૦ દંડનીતિ – અપરાધીના અનુશાસન માટેની નીતિ તે દંડનીતિ. -- પરિભાષણ દંડનીતિ – અપરાધીને ઠપકો આપવો. નીતિનો ભંગ કરનારને ક્રોધ, આવેશપૂર્વક ઉપાલંભ આપવો તે. – મંગલબંધ દંડનીતિ – નીતિભંગ કરનાર અપરાધીને ક્ષેત્રમર્યાદા બહાર ન જવાની આજ્ઞા આપવી તે. - ચારક દંડનીતિ–નીતિનો ભંગ કરનારને કેદમાં નાંખવો અને બંધનમાં બાંધવો તે. -- છવિચ્છેદ દંડનીતિ – અપરાધી વ્યક્તિના હાથ, પગ, નાસિકા આદિનો છેદ Page #40 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા કરીને તેને દંડ આપવો તે. ૦ ચક્રરત્નની ઉત્પત્તિ : રાજ્ય કરતી વખતે તે ભરત રાજાની આયુધશાળામાં કોઈ એક દિવસે દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થયું. ત્યારે ભરત રાજાની આયુધશાળાના રક્ષકે સમુત્પન્ન ચક્રરત્નને જોયું, જોઈને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત અને નંદિત થયો, પ્રીતિયુક્ત મનવાળો થયો. તેના ચિત્તમાં પ્રસન્નતા થઈ. હર્ષને લીધે તેના રોમ—રોમ વિકસિત થઈ ગયા, હૃદય હર્ષથી વ્યાપ્ત થઈ ગયું. જ્યાં દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થયું હતું ત્યાં આવ્યો. આવીને ચક્રરત્નને ત્રણ પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને, હાથ જોડી ચક્રરત્નને પ્રણામ કર્યા. પ્રણામ કરીને આયુધશાળાની બહાર આવ્યો. જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં ભરત રાજા બેઠા હતા, ત્યાં તેની પાસે આવી હાથ જોડી – યાવત્ -- જય-વિજય ઘોષપૂર્વક વધામણી આપી અને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! આપની આયુધશાળામાં દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થયેલું છે. આ વાત આપ દેવાનુપ્રિયને પ્રીતિદાયક બને, તે માટે હું આ પ્રિય વાતનું આપને નિવેદન કરું છું. ત્યારે રાજા ભરત આયુધશાળા રક્ષક પાસેથી આ વાત સાંભળી હર્ષિત થયો યાવત હર્ષાતિરેકથી તેનું હૃદય પ્રફૂલ્લિત થયું. તેના શ્રેષ્ઠ કમળ જેવા નેત્ર અને મુખ વિકસિત થયા. હાથોમાં પહેરેલા ઉત્તમ કટક, ત્રુટિત, કેયુર, મસ્તકનો મુગટ, કાનોના કુંડલ ચંચળ થયા, કંપી ઉઠ્યા. હર્ષના અતિરેકથી કંપતા એવા હાર વડે તેનું વક્ષસ્થળ અત્યંત શોભવા લાગ્યું. તેના ગળામાં લટકતી લાંબી પુષ્પમાળાઓ ચંચળ બની ગઈ. -- ઉત્કંઠિત થતો એવો તે રાજા શીઘ્રતાથી સિંહાસનેથી ઉઠ્યો, ઉઠીને નીચે ઉતર્યો. પાદુકા ઉતારી, એક વસ્ત્રનું ઉત્તરાસંગ કર્યું. હાથોની અંજલિ જોડી ચક્રરત્ન સન્મુખ સાત-આઠ ડગલા ચાલ્યો. ડાબા ઘૂંટણને ઊંચો કર્યો. જમણા ઘૂંટણને જમીન પર મુક્યો. હાથ જોડીને તેણે મસ્તકની ચારે તરફ ઘુમાવી અંજલિબદ્ધ થઈ ચક્રરત્નને પ્રણામ કર્યા. આયુધ શાળાના રક્ષકને પોતાના મુગટ સિવાયના બધાં આભુષણ દાન આપી દીધા. તેને જીવનનિર્વાહ ઉપયોગી વિપુલ પ્રીતિદાન કર્યું, સત્કાર કર્યો, સન્માન કર્યું. પછી પૂર્વાભિમુખ થઈ સિંહાસન પર બેઠા. ૦ ભઋષભના કેવળજ્ઞાનના સમાચાર : વિનીતાનગરીના પરિમતાલ ઉદ્યાનમાં ભગવંત ઋષભને પણ એ જ દિવસે કેવળજ્ઞાન થયું. ભગવંતના વૃત્તાંત માટે નિયુક્ત પુરુષે આવીને તે સમાચાર પણ આપ્યા. જે દિવસે ભગવંતને કેવળજ્ઞાન થયું એ જ દિવસે ચક્રરત્નની પણ ઉત્પત્તિ થઈ. ભરત રાજાને તે બંને સમાચાર, જ્ઞાનરત્ન ઉત્પત્તિ અને ચક્રરત્ન ઉત્પત્તિ તે–તે નિયુક્ત પુરુષો દ્વારા એક સાથે જ મળ્યા. ત્યારે ભરત રાજાને વિચાર આવ્યો કે, બંને રત્નોની પૂજા કરવી ઉચિત છે. તો પહેલા કોની પૂજા કરવી ? ચક્રરત્નની કે પિતાજીની (ભઋષભની)? ત્રિલોકના નાથ એવા ભગવંતની પૂજા કરવાથી ચક્રરત્નની પૂજા તો થઈ જ જવાની છે. વળી દેવેન્દ્રો પણ જેની પૂજા કરે છે તે ભગવંત જ પ્રથમ પૂજાને યોગ્ય છે. તેમજ ચક્રરત્નની પૂજા આ લોકના સુખને માટે થવાની છે – સાંસારિક સુખને માટે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦. આગમ કથાનુયોગ-૨ થવાની છે. પરમાત્માની પૂજા પરલોકનું – મોક્ષનું સુખ આપનાર છે. માટે ચક્રરત્નની પૂજા ભલે બાકી રહે, પહેલા પિતાજી (ભઋષભીની પૂજા કરવી એ જ યોગ્ય છે. એવો નિર્ણય કરી પ્રભુને વંદન કરવાની તૈયારી કરી. ૦ ભગવંત વંદન અને મરૂદેવા માતાને કેવળજ્ઞાન : સર્વદ્ધિ વડે રાજા ભરત, ભગવંત ઋષભના વંદનાર્થે જવાની તૈયારી કરતા હતા. હવે જ્યારે ભગવંતે દીક્ષા લીધી, ત્યારે મરૂદેવી માતા ભારતની રાજ્યલક્ષ્મી જોઈને કહેતા – વિલાપ કરતા હતા કે મારા પુત્ર ઋષભને આવી રાજ્યલક્ષ્મી નથી, તે અત્યારે ભૂખતરસથી પિડાતો અને વસ્ત્રરહિત ફરી રહ્યો છે. ભરત રાજા તે વખતે તીર્થકરના વૈભવનું વર્ણન કરતા હતા, તો પણ મરૂદેવા માતાને તેની પ્રતીતિ થતી ન હતી. પુત્ર વિરહને લીધે તે હંમેશાં રૂદન કર્યા કરતા અને અવિશ્રાંત અશ્રુજળથી તેમના નેત્રોમાં પડલ બાઝી ગયા હતા. ભરત રાજાએ જઈને તેમને વિનંતી કરી. હે માતા ! ચાલો હું તમને ભગવંત (તમારા પુત્ર)ના વૈભવનું દર્શન કરાવું. ત્યારે ભારત હાથી ઉપર આરૂઢ થઈ, મરૂદેવા માતાને સાથે બેસાડી વિનીતા નગરીથી નીકળ્યો. સમવસરણ પ્રદેશે આકાશમાં વિમાનોમાં આરૂઢ થઈને આવતા દેવ-દેવી ગણને જોયો. વિરાટ ધ્વજપટ્ટ ફરકતો હતો. કિમંડલ દેવદુંદુભીના નાદથી વ્યાપ્ત હતું. આ બધું જોઈને ભરત રાજાએ મરૂદેવા માતાને કહ્યું, “જુઓ આ તમારા પુત્રની ઋદ્ધિ” મારી ઋદ્ધિ તો તેના કરોડમાં ભાગે પણ નથી. તે વખતે છત્રાતિછત્ર આદિ અતિશયધારી એવા ભગવંતની ઋદ્ધિ જોઈને – કોઈ કહે છે કે ધર્મદેશના સાંભળતા – મરૂદેવા માતાને કેવળજ્ઞાન થયું. તત્કાળ આયુ પણ પૂર્ણ થતાં મોક્ષે પધાર્યા. તે વખતે પ્રથમ સમવસરણમાં ભરતના ઋષભસેન વગેરે ૫૦૦ પુત્રો અને ૭૦૦ પૌત્રોએ દીક્ષા લીધી. બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી. સુંદરીને દીક્ષા લેવાની ઘણી ઈચ્છા હતી, પણ તેણી અત્યંત સ્વરૂપવતી હતી. તેથી રાજા ભરત તેને સ્ત્રીરત્ન બનાવવા ઈચ્છતો હતો, તેથી તેણીને દીક્ષા લેવા આજ્ઞા ન આપતા તે શ્રાવિકા થઈ. મરીચિ કે જે રાજા ભારતની વસ્મારાણીનો પુત્ર હતો તેણે પણ ઘણા કુમારો સહિત દીક્ષા લીધી. ભરત રાજા ભગવંતના નાણકલ્યાણકનો આઠ દિવસનો મહોત્સવ કરી વિનીતાનગરી પાછો ફર્યો. ૦ ચક્રરત્નનો આઠ દિવસીય મહોત્સવ : ચક્રરત્નની પૂજા કરવાની કામનાવાળા રાજા ભરત – યાવતુ – ઉત્તમ સિંહાસન પર પૂર્વાભિમુખ કરીને બેઠા પછી તે રાજા ભરતે પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આદેશ આપ્યો કે, હે દેવાનુપ્રિયો ! તમે લોકો શીઘ વિનીતાનગરીને અંદર અને બહારથી સાફ-સ્વચ્છ કરો. સુગંધિત જળ વડે તેનું સિંચન કરો. કૂડો-કચરો કાઢી સફાઈ કરો. નગરીના રાજમાર્ગ અને ગલીઓને સાફ કરી, તેની બંને બાજુએ મંચ ઉપર મંચ બનાવી તેને સુશોભિત કરો. વિવિધ પ્રકારના રંગબેરંગી વસ્ત્રોની બનેલી અને જેમાં વૃષભ, સિંહ, મત્સ્યયુગલ આદિના માંગલિક ચિન્હો બનાવેલા હોય તેવી પતાકા–ધ્વજા અને નાની દવજાથી મંડિત કરો. યથાયોગ્ય સ્થાને ચંદરવા બાંધીને તેને દર્શનીય બનાવો. સમસ્તનગરમાં ગોશીર્ષ ચંદન અને રક્તચંદનથી અંકિત કળશોને સ્થાપિત કરીને નગરની Page #42 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૪૧ શોભા વધારો તથા ચંદનના ઘડામાં – યાવત્ – સુગંધિત પદાર્થોને રાખીને સમસ્ત નગરીને સુગંધની વાટિકા અથવા પિટારી સમાન કરો. આ પ્રમાણે કરીને–કરાવીને આજ્ઞાપૂર્તિ થયાની મને સૂચના આપો. - ત્યારે તે કૌટુંબિક પુરુષો ભરતરાજાની આ આજ્ઞા સાંભળીને અતિ હર્ષિત થયા – થાવત્ – “જેવી સ્વામીની આજ્ઞાએ પ્રમાણે કહીને તે આજ્ઞાવચનોને વિનયપૂર્વક સ્વીકારીને ભરત રાજા પાસેથી નીકળ્યા. નીકળીને વિનીતા રાજધાનીને – યાવતું – આજ્ઞાનુસાર સુશોભિત કરીને–કરાવીને રાજા ભરતને આજ્ઞાપૂર્તિ થયાની સૂચના આપી. ત્યારપછી ભરતરાજા ખાનગૃહ તરફ ગયા. તેમાં પ્રવેશ કર્યો. કરીને મુક્તાજાળથી યુક્ત ગવાક્ષો વડે દર્શનીય અને અનેક મણિરત્નો વડે મંડિત રમણીય ભોંયતળીયાવાળા સ્નાન મંડપમાં રખાયેલ, અનેક પ્રકારના મણિરત્નો વડે નીર્મિત, ચિત્રવિચિત્ર ચિત્રો વડે શૃંગારિત સ્નાનપીઠ પર સુખપૂર્વક બેઠા, બેસીને તે ભરતરાજાએ શુભ જળ વડે, ગંધોદકપુષ્પોદક અને શુદ્ધોદક વડે પૂર્ણ કલ્યાણકારી ઉત્તમ મજ્જનવિધિ વડે સ્નાન કર્યું. તે વખતે સેંકડો કૌતુકો કર્યા, લ્યાણકર શ્રેષ્ઠ સ્નાન કરીને પછી પસ્મલ સદશ સુકમાલ કાષાયિક ગંધ વડે સુગંધિત વસ્ત્ર ખંડથી શરીરને લુંછયું. પછી સરસ સુગંધી ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો. અખંડ મૂલ્યવાનું દૂષ્યરત્નો પહેર્યા. શુચિ–પવિત્ર માળા પહેરી તથા કુંકુમ આદિનું વિલેપન કર્યું. મણિ સુવર્ણનો બનેલ હાર, અર્ધવાર, ત્રિસરો હાર, લાંબા, લટકતા ઝુમખા, કંદોરો આદિ આભુષણ યથાસ્થાને શરીર પર ધારણ કર્યા. - ગળામાં રૈવેયક, આંગળીઓમાં વીંટી પહેરી, મસ્તકના વાળમાં આભરણરૂપ પુષ્પ ધારણ કર્યા, વિવિધ પ્રકારના મણિ વડે ખચિત કડા, ત્રુટિત આદિ આભુષણો હાથમાં પહેર્યા. તેનાથી વધુ શોભવા લાગ્યો. કુંડલોની મનોહર કાંતિ વડે તેમનું મુખ ચમકવા લાગ્યું. મુગટના તેજથી તેનું મસ્તક દેદીપ્યમાન થઈ ગયું. હાર વડે આચ્છાદિત તેનું વક્ષસ્થળ દર્શનીય બન્યું. લાંબા, લટકતા અને સુંદર વસ્ત્ર વડે નીર્મિત ઉત્તરીય વડે તેના ખંભા શોભતા હતા. મુદ્રિકા વડે તેમની આંગળીઓ પીતવર્ણ દેખાતી હતી. અનેક ગણીઓ વડે ખચિત, મહામૂલ્યવાનું, કુશળ કારીગરો દ્વારા બનાવાયેલા, અત્યંત મજબૂત, સુંદર ઘાટવાળા, પ્રશસ્ત, સુવર્ણના વીરવલયો હાથમાં પહેર્યા. - અધિક કેટલું વર્ણન કરીએ ? કલ્પવૃક્ષ સદશ અલંકારોથી વિભૂષિત રાજા ભરતની ઉપર કોટપુષ્પની માળાથી યુક્ત છત્ર – યાવત્ – બંને બાજુએ ચામર વિંઝાતા હતા. જેના વાળ તેમને સ્પર્શતા હતા. લોકો મંગલમય જય-જય શબ્દો બોલતા હતા. અનેક ગણનાયક, દંડનાયક – યાવત્ – દૂત, સંધિપાલ આદિથી ઘેરાયેલ તે રાજા શ્વેત વર્ણોવાળા મહામેઘના મધ્યમાં પ્રિયદર્શનવાળા ચંદ્રની માફક શોભી રહ્યો હતો. આવો તે રાજા હાથમાં સુગંધિત પુષ્પોને લઈને, ગળામાં માળા પહેરેલા એવા તે નાનગૃહમાંથી બહાર નીકળ્યા. નીકળીને જ્યાં આયુધશાળા હતી, જ્યાં ચક્રરત્ન હતું. તે તરફ જવાને પ્રવૃત્ત થયા. - જ્યારે તે રાજા ચાલવા લાગ્યો ત્યારે અનેક ઈશ્વર, તલવર, માડંબિક યાવત્ સાર્થવાહ વગેરે ચાલવા લાગ્યા. જેમાંથી કેટલાંક હાથોમાં કમળ, કેટલાંક ઉત્પલ લઈને – Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આગમ કથાનુયોગ-૨ થાવત્ – કેટલાંક શત સહસ્ત્ર પાંખડીવાળા પુષ્પને લઈને રાજા ભરતની પાછળ પાછળ ચાલવા લાગ્યા. તેની પાછળ અનેક દાસીઓ પણ નીકળી. જે આ પ્રમાણે – કુન્જા, ચિલાતી, વામન, બર્બરી, બાશિકા, યોનિકી, પલ્હવદેશવાસિની, ઇસિનિક દેશવાસી, થારકિનિક દેશવાસી, લાકુશી, લકુશી, તામિલી, સિંહલી, આરબી, પુલિંદી, પક્કણી, બહલિ દેશવાસી, મુરુડી, શબરી અને પારસી દેશવાસિની હતી. – આ દાસીઓમાંથી કેટલીક દાસીઓના હાથમાં મંગલઘડા હતા. કેટલીકના હાથમાં ભંગાર હતા. કેટલીક દર્પણ, થાળી, ચંગેરી, સુપ્રતિષ્ઠ, વાતકરણ, રત્નકરંડક, પુષ્પ ચંગેરિકા, માળા, વર્ણ, ચૂર્ણ, ગંધ, વસ્ત્ર આભરણ, લોમહસ્ત ચંગેરી, પુષ્પપટલ હાથમાં લઈને નીકળી હતી. કેટલીક મયૂરપિચ્છ લઈને, કેટલીકના હાથમાં સિંહાસન, કેટલીકના હાથમાં છત્ર, ચામર અને કેટલીકના હાથમાં તેલસમુદ્ગક લીધેલ હતું. તે ઉપરાંત કેટલીક-કેટલીક દાસીઓ તેલસમુદ્ગક, કોઠસમુગક, પત્રસમુદ્ગક, ચોયસમુદ્ગક, તગરસમુદ્ગક, હરિતાલ સમુદ્ગક, હિંગલોકસમુદ્ગક, અલોશિલસમુદ્ગક, સર્ષપસમુદ્ગક લઈને ચાલતી હતી. કેટલીકના હાથમાં પંખા, કેટલીકના હાથમાં ધૂપદાન લીધેલા હતા. એ રીતે તે ભરત રાજાની પાછળ-પાછળ જઈ રહી હતી. તે વખતે તે ભરત રાજા પોતાની સમસ્ત ઋદ્ધિ, ધૃતિ, સેના, સમુદાય, આદર, શૃંગાર, વૈભવ સહિત, સમસ્ત વસ્ત્ર, પુષ્પ, ગંધ, માલ્ય, અલંકાર, વિભૂષા સહિત, સર્વ પ્રકારના વાદ્યોના શબ્દ, નિનાદ સહ, મહાનું ઋદ્ધિ, સમૃદ્ધિ – યાવત્ – એક સાથે ઘણાં જોરથી વગાડાતા શ્રેષ્ઠ શંખ, પ્રણવ, પટહ, ભેરી, ઝલ્લરી, ખરમુખ, મુરજ, મૃદંગ, દુંદુભિ આદિના ધ્વનિ સહ ચાલતાચાલતા જ્યાં આયુધશાળા હતી. ત્યાં આવ્યો, આવીને ચક્રરત્નને જોતાની સાથે પ્રણામ કર્યા. પ્રણામ કરીને જ્યાં ચક્રરત્ન હતું ત્યાં આવ્યો. આવીને મયૂરપિચ્છ હાથમાં લીધું. મયુરપિચ્છ લઈને ચક્રરત્નની પ્રમાર્જના કરી. પછી દિવ્ય જળધારા વડે તેનું સિંચન કર્યું. શ્રેષ્ઠ ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો. શ્રેષ્ઠ નૂતન ગંધમાળા વડે તેની પૂજા કરી, પુષ્પ ચડાવ્યા. માળા, ગંધ, વર્ણ, ચૂર્ણ, વસ્ત્રો અને આભરણો ચડાવ્યા. – પછી તે ચક્રરત્ન સન્મુખ સ્વચ્છ, સ્નિગ્ધ, શ્વેત, રત્નમય અસત–ચોખા વડે અષ્ટ મંગલદ્રવ્યોનું આલેખન કર્યું. તે અષ્ટમંગલ આ પ્રમાણે :- ૧. સ્વસ્તિક, ૨. શ્રીવત્સ, ૩. નંદાવર્ત, ૪. વર્ધમાનક, ૫. ભદ્રાસન, ૬, મત્સ્ય, ૭. કળશ અને ૮. દર્પણ. અષ્ટમંગલ દ્રવ્યોનું આલેખન કરીને યોગ્ય કૃત્યપૂર્વક ઉપચાર કર્યો તે આ પ્રમાણે – - ગુલાબ, માલતી, ચંપક, અશોક, પુન્નાગ, આશ્રમંજરી, નવલિકા, બકુલ, તિલક, કણેર, મોગરો, કુબ્બક, ટોરંટ, મરવો, દમનક તે બધાનાં શ્રેષ્ઠ–સુગંધી એવા પંચરંગી પુષ્પોને હાથમાં ગ્રહણ કરી એટલા બધાં પુષ્પો ચડાવ્યા કે જાણે ચક્રરત્ન સમક્ષ આશ્ચર્યકારી પુષ્પોનો જાનુપ્રમાણ ઢેર થઈ ગયો. ત્યાર પછી નિર્મલ ચંદ્રકાંત, વજ-વૈડુર્ય મણિઓથી નિર્મિત દંડવાળા અને જેમાં સુવર્ણ મણિરત્નો દ્વારા અનેક પ્રકારના ચિત્ર બનાવ્યા હોય તેમજ જે શ્રેષ્ઠ કાલાગુરુ, સુંદરુષ્ક, તુરષ્કની બનેલી ગંધથી વ્યાપ્ત હોય તથા જે ધૂપની સુગંધલહેર સર્વત્ર ફેલાઈ રહી હોય એવા વૈડૂર્યમણિના બનેલા ધૂપદાનને હાથમાં લઈને આદરપૂર્વક ધૂપને પ્રગટાવ્યો. Page #44 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૪૩ - તેમ કર્યા પછી ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. પછી સાત-આઠ ડગલાં પાછળ ખસીને ડાબો ઘૂંટણ ઊંચો કર્યો, જમણો ઘૂંટણ ભૂમિતળે અડાડ્યો. મસ્તકને ત્રણ વખત ભૂમિતલે લગાડી કંઈક નીચે નમ્યો. પછી બે હાથ જોડી મસ્તકે અંજલિ કરી, ચક્રરત્નને પ્રણામ કર્યા. પ્રણામ કરીને શસ્ત્રાગાર – આયુધ શાળામાંથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, તેમાં જ્યાં સિંહાસન હતું, ત્યાં આવ્યો, આવીને પૂર્વાભિમુખ થઈને શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો. બેસીને અઢાર શ્રેણિ–પ્રશ્રેણિ અર્થાત્ બધી જાતિના પ્રજાજનોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે બધા નગર અને રાજ્યવાસી પ્રજાજનો, આયુધશાળામાં વિજય વૈજયંત ચક્રરત્નના ઉત્પન્ન થવાના ઉપલક્ષ્યમાં એક અષ્ટાલિકા મહોત્સવ કરો. આ દિવસોમાં રાજ્યમાં ક્યાંય પણ કોઈ શુલ્ક કે કર લેવામાં નહીં આવે. ખેતી, હળ હાંકવું, લેણ-દેણ, ક્રય-વિક્રય બધું જ બંધ રાખવું. રાજનો કોઈ પુરુષ કોઈના ઘરમાં પ્રવેશ નહીં કરે. દંડ-કુદંડ માફ થશે. ઋણીનું ઋણ રાજ્ય ચૂકવશે. ગણિકા–નટ આદિના ઉત્તમ નૃત્ય, નાટક, ખેલ, તમાશા સાર્વજનિક સ્થળોમાં થશે. મૃદંગ આદિ વાદ્યો અને ગીતોનો નાદ સર્વત્ર ગુંજતો રહેશે. સંદેવ તાજા પુષ્પોની માળા રહેશે. એ પ્રમાણે પ્રત્યેક નગરવાસી તથા જનપદવાસી પ્રમુદિત મનવાળા થઈ મહોત્સવ કરે અને આજ્ઞાનુસાર મહોત્સવ સંપન્ન થયાની મને ખબર આપો. આ પ્રમાણે ભરત રાજા દ્વારા આજ્ઞાપિત તે અઢાર શ્રેણી–પ્રશ્રેણી પ્રજાજનોએ તે આદેશ વચનોને સન્માનપૂર્વક, હર્ષિત થઈને – યાવત્ – સવિનય સાંભળ્યો. સાંભળીને ભરત રાજા પાસેથી પાછા ગયા. જઈને નગરીને શુલ્ક અને કર રહિત – યાવત્ – કરી, કરાવી. મહોત્સવ પૂર્ણ થયેથી ભરત રાજા પાસે આવ્યા. આવીને આજ્ઞાનુસાર મહોત્સવ થયાના સમાચાર આપ્યા. ૦ માગઘતીર્થ પ્રતિ પ્રયાણ :– ત્યારપછી જ્યારે ચક્રરત્નનો આઠ દિવસીય મહોત્સવ સંપન્ન થઈ ગયો ત્યારે તે ચક્રરત્ન આયુધગૃહ શાળાથી નીકળ્યું, નીકળીને આકાશમાં અધર સ્થિત થયું. તે ચક્ર એક હજાર દેવોથી પરિવરેલું હતું. તે વખતે આકાશમંડલ દિવ્ય વાદ્યોના નિનાદથી ગુંજાયમાન થઈ રહ્યું હતું. આકાશમાં પ્રતિષ્ઠિત તે ચક્રરત્ન વિનીતા રાજધાનીની ઠીક મધ્યમાંથી થઈને નીકળ્યું. નીકળીને તે ગંગા મહાનદીના દક્ષિણ દિશાવર્તી કિનારાથી થઈ પૂર્વ દિશામાં રહેલા માગધ તીર્થ તરફ ચાલવા લાગ્યું. ભરતરાજાએ જ્યારે તે દિવ્ય ચક્રરત્નને ગંગા મહાનદીના દક્ષિણ દિશાના કિનારાથી પૂર્વ દિશામાં રહેલા માગધ તીર્થ તરફ જતું જોયું તો તે જોઈને હર્ષિત, સંતુષ્ટ – યાવત્ – હૃદયથી આનંદિત થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું ' હે દેવાનુપ્રિયો ! તમે જલદીથી આભિષેક્ય હસ્તિરત્નને સુસજ્જિત કરો, સુસજ્જિત કરીને શ્રેષ્ઠ હાથી, ઘોડા, રથ અને યોદ્ધા વડે યુક્ત ચતુરંગિણી સેનાને તૈયાર કરો. તૈયાર કરીને મારી આજ્ઞાનું પાલન થયાના અને સમાચાર આપો. ત્યારે તે કૌટુંબિક પુરષોએ પણ આજ્ઞાપાલન કરીને ભારત રાજાને તેની સૂચના આપી. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આગમ કથાનુયોગ-૨ ત્યારપછી તે ભરત રાજા જ્યાં સ્નાનઘર હતું ત્યાં આવ્યા. સ્નાનઘરમાં પ્રવેશ કર્યો, કરીને મોતીઓ વડે મંડિત ગવાક્ષવાળા અભિરામ આદિ પૂર્વ વર્ણિત રીતે સ્નાન કરીને – યાવત્ – શરદઋતુના ધવલ મહામેઘમાંથી નીકળેલા ચંદ્રમાની માફક – યાવત્ – ચંદ્રમાં સદશ પ્રિયદર્શનવાળો તે નરપતિ ખાનગૃહથી બહાર નીકળ્યો. નીકળીને હાથી, ઘોડા, રથ, શ્રેષ્ઠ વાહન, ભટ–સુભટ આદિના સમૂહથી સુસજ્જિત સેના દ્વારા ફેલાઈ રહેલી કીર્તિવાળો એવો ભરત રાજા જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, તેમાં જ્યાં આભિષેક્ય હસ્તિરત્ન હતો ત્યાં આવ્યો. આવીને અંજનગિરિના સમૂહ જેવા અત્યંત શ્યામ હસ્તિરત્ન પર આરૂઢ થયો. – ત્યારે તે ભરતાધિપતિ નરેન્દ્રનું વક્ષસ્થળ શ્રેષ્ઠ રીતે સુઘડ સુવર્ણકારો દ્વારા બનાવાયેલ હારોથી આચ્છાદિત હતું. કુંડલોના તેજથી મુખ દેદીપ્યમાન લાગતું હતું. મુગટ વડે મસ્તક શોભતું હતું. તે નરસિંહ, નરપતિ, નરેન્દ્ર, નરવૃષભ, મરતરાજાઓમાં વૃષભ સમાન શ્રેષ્ઠ હતો. અવ્યવહિત રાજતેજની લક્ષ્મીથી ઉજ્વલિત હતો. પ્રશસ્ત મંગલ વચનોથી સ્તુતિ કરાતો હતો. લોકો દ્વારા જય-જય શબ્દનો ઘોષ થતો હતો. આવો રાજા હાથીની પીઠ પર બેઠો. – તે સમયે કોરંટ પુષ્પની માળાઓથી શોભિત છત્ર તેના પર ધારણ કરાયું. ઉત્તમ શ્રેષ્ઠ ચામરો વિંઝાવા લાગ્યા. હજાર યક્ષ વડે પરિવરેલો તે રાજા ધનપતિ કુબેર જેવો લાગતો હતો. ઇન્દ્રની સમાન ઋદ્ધિ વડે તેની કીર્તિ ફેલાઈ રહી હતી. એવો તે ભરતરાજા ગંગા મહાનદીના દક્ષિણ દિગુવર્તી કિનારા પર રહેલા હજારો ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટ્ટણ, આશ્રમ, સંવાહ આદિથી મંડિત એવી સ્થિર વસુંધરા અને પ્રજાજનોથી યુક્ત પૃથ્વીને જીતતો જીતતો, ભેટના રૂપો ઉત્કૃષ્ટ રત્નોનો સ્વીકાર કરતો તે દિવ્ય ચક્રરત્નનું અનુગમન કરતો, એક–એક યોજન વસતિએ રહેતો-રહેતો જ્યાં માગધતીર્થ હતું, ત્યાં આવ્યો. આવીને માગધતીર્થથી બહુ નજીક નહીં, બહુ દૂર નહીં એવા સ્થળે બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી, ઉત્તમ નગરી સમાન વિજયરૂંધાવાર (પડાવ)ની સ્થાપના કરી. કરીને વર્ધકીરત્નને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! જલ્દીથી તું મારા માટે એક આવાસ સ્થાન અને પૌષધશાળાનું નિર્માણ કર. કરીને મારી આ આજ્ઞાના પાલન થયાની મને સૂચના આપ. ત્યારે તે વર્ધકીરત્ન, ભરત રાજાની આ વાત સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થયો, ચિત્તમાં આનંદિત અને પ્રીતિયુક્ત મનવાળો થઈ – યાવત્ – અંજલિ જોડી બોલ્યો, “જેવી આપની આજ્ઞા”. એ પ્રમાણે વિનયપૂર્વક આજ્ઞા વચનોને સ્વીકારીને ભરત રાજાને માટે આવાસ અને પૌષધશાળા બનાવી શીવ્રતયા આજ્ઞાપાલન થયાનું રાજાને જણાવ્યું. ત્યાર પછી તે ભરતરાજા આભિષેક યોગ્ય હસ્તિરત્નથી ઉતર્યો. જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો. આવીને પૌષધશાળામાં પ્રવેશ કર્યો. પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું. પછી દર્ભનું આસન બિછાવ્યું, બિછાવીને દર્ભાસન પર બેઠો. બેસીને માગધતીર્થકમાર દેવની સાધનાને માટે અઠ્ઠમ તપ કર્યો. પ્રત્યાખ્યાન કરીને પૌષધશાળામાં પૌષધવતી માફક બ્રહ્મચારી રહ્યો. મણિ, સુવર્ણ, માળા, શૃંગાર, વિલેપનનો ત્યાગ કર્યો. મૂસલ અને અન્ય Page #46 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૪૫ શસ્ત્રોને છોડી દીધા. દર્ભાસન પર એકલા બેસીને અદ્વિતીય અઠમ તપ અને ધર્મ જાગરણ આરાધના કરતા ત્યાં રહ્યા. ૦ લવણ સમુદ્રમાં પ્રવેશ : અઠમ તપની આરાધના કરીને રાજા ભરત પૌષધશાળામાંથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો! તમે જલ્દીથી ઘોડા, હાથી, રથ અને પ્રવર યોદ્ધા સહિતની ચતુરંગિણી સેના તૈયાર કરો તથા ચારઘંટવાળો અથરથ તૈયાર કરો. એમ કહીને તે રાજા સ્નાનઘરમાં પ્રવેશ્યો. પ્રવેશીને પૂર્વે વર્ણન કર્યા મુજબ – યાવત્ - સ્નાન કરીને ધવલ મહામેઘમાંથી નીકળતા ચંદ્રસમાન – યાવત્ – સ્નાનગૃહથી બહાર નીકળ્યો. નીકળીને અશ્વ, હાથી, રથ શ્રેષ્ઠ વાહન – કાવત્ – જેની કીર્તિ ચારે તરફ ફેલાઈ રહી છે એવો તે ભરત રાજા જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં ચારઘંયુક્ત અશ્વરથ હતો ત્યાં આવ્યો. આવીને ચતુર્ઘટક અશ્વરથમાં બેઠો. ત્યાર પછી ચતુર્ઘટવાળા અશ્વરથમાં બેઠેલા અને હાથી, ઘોડા, રથ અને યોદ્ધાયુક્ત ચતુરંગિણી સેનાથી પરિવરેલો, મહા ભટ-સુભટ પથગર આદિ દ્વારા પરિરક્ષિત ચક્રરત્ન દ્વારા દેખાડાતા માર્ગે, અનેક હજારો શ્રેષ્ઠ રાજાઓ દ્વારા અનુગમન કરાતા અને ઉત્કૃષ્ટ સિંહનાદના ઘોષથી કલ–કલ શબ્દારો દ્વારા પ્રભિત મહાસમુદ્રની ગર્જના સમાન આકાશમંડલને ગુંજાવતા તે ભરત રાજા માગધતીર્થથી પૂર્વ દિશાના માર્ગ પર ચાલતો લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે – યાવત્ – તેના ઉત્તમ રથના પૈડા મધ્યભાગ સુધી ભીંજાઈ ગયા ત્યારે તે ભરત રાજાએ ઘોડાઓને રોકયા. રોકીને રથને ઊભો રાખ્યો. પછી ધનુષ્યને હાથમાં લીધું. ૦ માગધ તીર્થાધિપતિના ભવનમાં બાણ ફેંકવું – દેવનું આવવું : તે ધનુષનો આકાર તત્કાળ ઉગેલા બાલચંદ્ર (બીજના ચંદ્ર) જેવો, ઇન્દ્ર ધનુષ સમાન વક્ર હતો. મદોન્મત્ત ગર્વીષ્ઠ શ્રેષ્ઠ ભેંસના સુદઢ નિગડ સીંગડાના મધ્ય ભાગમાંથી બનાવેલ હતું. શ્રેષ્ઠ સર્પ, શ્રેષ્ઠ ભેંસ, શ્રેષ્ઠ કોકિલ, ભ્રમર સમૂહ, નીલરાશિ સમાન અત્યંત કૃષ્ણવર્ણી તે ધનુષની પૃષ્ઠભાગ તેજસ્વી, નિર્મળ અને સ્નિગ્ધ હતો. નિપુણ શિધ્ધિઓ દ્વારા સજાવેલ હોવાથી તે ચમકતું હતું. મણિરત્નોની ઘંટિકા દ્વારા વેષ્ટિત હતું. તેના પર વિજળી સમાન ચમકતા સોનેરી કિરણોના ચિન્હો લાગેલ હતા. દદર પર્વત – મલય પર્વતના શિખરો પર વસતા સિંહોની કેસરા, ચમરી ગાયની પૂછના વાળ તથા અર્ધચંદ્રના ચિન્હોથી અંકિત હતું. કાળા, લીલા, પીળા અને જૈતરંગી અનેક સ્નાયુઓની બનેલી પ્રત્યંચા વડે સજ્જિત હતું. શત્રુઓના જીવનનો અંત કરનાર તથા જેનો ટંકાર મનને કંપાવી દેનાર હતો. તે ધનુષના બાણના બંને છેડા વમણિના બનેલ હતા. તેના પર સુવર્ણ મણિરત્નો દ્વારા પોતાના નામનું ચિન્હ બનાવેલ હતું. આવા પ્રકારનું ધનુષ લઈને, તેના પર બાણ ચઢાવીને, વૈશાખ નામના આસને બેસીને ધનુષની પ્રત્યંચાને કાન સુધી ખેંચીને તે રાજા ભરત આ પ્રકારના વચનો બોલ્યો – હે દેવગણ ! તમે બધા ધ્યાનપૂર્વક સાંભળો. જે દેવગણ મારા બાણના બાહ્ય સ્થાનમાં Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આગમ કથાનુયોગ-૨ રહેલા હોય તથા નાગ, અસુર, સુવર્ણકુમાર આદિ દેવો. આ બધાં જ દેવતાઓને હું ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હે દેવગણ ! તમે ધ્યાનપૂક સાંભળો કે, જે નાગ, અસુર, સુવર્ણકુમાર આદિ દેવ બાણના અત્યંતર ભાગના અધિષ્ઠાયક છે અને મારા દેશમાં વસે છે. તે બધાંને હું નમસ્કાર કરું છું એમ કહીને રાજા ભરતે બાણ છોડ્યું. | (તે સમયે રાજા ભરત કેવો દેખાતો હતો ?) યુદ્ધ સમયે જેમ યોદ્ધો પોતાના શરીરના મધ્ય ભાગને મજબૂત બાંધે છે. તે જ રીતે રાજા ભરતે પોતાના શરીરના મધ્ય ભાગને મજબૂતીથી બાંધ્યો હતો. મંદ મંદ વહેતા પવનની લહેરોથી શરીર પર ધારણ કરેલ કૌશય વસ્ત્ર ફરકી રહ્યું હતું. દર્શનીય શ્રેષ્ઠ ધનુષને હાથમાં ધારણ કરેલ તે રાજા ભરત સાક્ષાત્ ઇન્દ્ર સમાન શોભી રહ્યો હતો. - પંચમીના ચંદ્રમા સમાન અત્યંત ચંચળ અને વિજયના સાધનરૂપ તે મહાધનુષ રાજા ભરતના ડાબા હાથમાં શોભી રહ્યું હતું. જ્યારે રાજા ભરતે તે બાણ છોડ્યું, ત્યારે છૂટતાની સાથે જ બાર યોજન દૂર રહેલા માગધતીર્થના અધિપતિ દેવના ભવનમાં આવીને પડ્યું. ત્યારે તે મગધતીર્થાધિપતિદેવ ભવનમાં પડેલા બાણને જુએ છે. જોઈને અત્યંત ક્રોધિત થયો, રોષાયમાન થયો, કુપિત થયો. ક્રોધથી દાંતને કચકચાવતો, કપાળમાં ત્રણ સળ પાડી, ભ્રકુટી ખેંચીને આ પ્રમાણે બોલ્યો ' અરે કોણ છે આ? જે અપ્રાર્થિતનો પ્રાર્થી છે. (મૃત્યુનો અભિલાષી છે) પૂરત, પ્રાંત, લક્ષણવાળો, હીનપુચ, ચઉદ્દસિયો, હી–શ્રી રહિત અર્થાત્ કંગાળ, એવો નિર્લજ્જ કોણ છે ? જે મારી આવા પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ, દેવધૃતિ, દેવાનુભાવથી ઉપાર્જિત, પ્રાપ્ત–આધીન કરાયેલ સંપત્તિ, વૈભવની પ્રાપ્તિની ઇચ્છા કરનારો મારા ભવનમાં બાણ ફેંકી રહ્યો છે. એમ વિચારી સિંહાસનથી ઉઠે છે. ઉઠીને જ્યાં તે નામાંકિત બાણ પડેલું હતું, તે તરફ જાય છે. તે નામાંકિત બાણને ગ્રહણ કરે છે. બાણને લઈને તે નામાંકન વાંચે છે. નામના ચિન્હ અક્ષરને વાંચીને, તે માગધ તીર્થાધિપતિ દેવના મનમાં આ પ્રકારનો વિચાર, ચિંતન, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો અરે ! જંબૂદીપ નામના દ્વીપમાં ભરત વર્ષક્ષેત્રમાં સાર્વભૌમ ચક્રવર્તી ભરત નામનો રાજા ઉત્પન્ન થયો છે. તો અતીત, વર્તમાન અને અનાગત કાળે થનારા પ્રત્યેક માગધતીર્થવાસી દેવકુમારોના આ પરંપરાગત આચાર છે કે, તે રાજાનો સત્કાર કરવો. “હું પણ જાઉં અને તે ભરત રાજાનો સત્કાર ક" એ પ્રમાણે વિચારે છે. વિચારીને હાર, મુગટ, કુંડલ, કટક, ત્રુટિત, વસ્ત્ર, આભરણ અને નામાંકિત બાણ તથા માગધતીર્થનું જળ વગેરે ગ્રહણ કરે છે. કરીને ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ, વેગવાળી, સિંહસદશ, શીઘ, વિશેષ વેગવાળી, દિવ્ય દેવગતિ વડે ચાલત–ચાલતો જ્યાં રાજા ભરત છે ત્યાં આવે છે. ત્યાં આવીને ઘુંઘરુવાળા પંચરંગી ઉત્તમ વસ્ત્રો ધારણ કરીને, બે હાથ જોડી દશ નખ ભેગા કરી મસ્તકે અંજલિ કરી ભરત રાજાને જય અને વિજય વડે વધાવે છે. વધાવીને આ પ્રમાણે બોલ્યો, હે દેવાનુપ્રિય! તમે સમગ્ર ભારત વર્ષના માગધતીર્થ સુધીના પૂર્વ દિશાવર્તી ક્ષેત્ર પર વિજય પ્રાપ્ત કરી લીધો છે. તેથી હું પણ આપ દેવાનુપ્રિયના દેશનો નિવાસી બન્યો છું. હું પણ આપ દેવાનુપ્રિયનો આજ્ઞાકારી કિંકર-નોકર છું. આપ Page #48 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૪૭ દેવાનુપ્રિયના પૂર્વ દિવર્તી ક્ષેત્રનો અંતપાલ છું. આપ મારા તરફથી આ પ્રીતિદાનનો સ્વીકાર કરો. એમ કહીને હાર, મુગટ, કુંડલ, કટક આદિ – યાવત્ – માગવતીર્થજળનું ભટણું ધરે છે. ત્યારે તે રાજા ભરત માગધતીર્થ (દેવ)કુમાર દ્વારા અપાતા તે પ્રીતિદાનનો સ્વીકાર કરે છે. સ્વીકારીને માગધતીર્થાધિપતિ દેવકુમારનો સત્કાર કરે છે, સન્માન કરે છે. સત્કાર સન્માન કરીને વિદાય કરે છે. ૦ અઠમ તપનું પારણું અને અષ્ટાલિકા મહોત્સવ : ત્યાર પછી તે ભરત રાજા રથને પાછો ફેરવે છે. ફેરવીને માગધતીર્થ થઈ લવણસમુદ્રથી પાછો ભરતક્ષેત્રમાં ઉતરે છે. ઉતરીને જ્યાં વિજય રૂંધાવાર–પડાવ હતો, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવે છે આવીને ઘોડાઓને રોકે છે. રોકીને રથ ઊભો રાખે છે. પછી રથમાંથી ઉતરે છે. ઉતરીને જ્યાં સ્નાનગૃહ છે ત્યાં આવે છે. આવીને સ્નાનગૃહમાં પ્રવેશ કરે છે. કરીને – યાવત્ – ચંદ્ર સમાન પ્રિયદર્શનવાળો તે નરપતિ ભરત રાજા માનગૃહથી બહાર નીકળે છે. નીકળીને ભોજનમંડપ પાસે આવે છે. ભોજન મંડપમાં આવીને શ્રેષ્ઠ સુખાસન પર બેસીને અઠમ તપનું પારણું કરે છે. પારણું કરીને ભોજન મંડપની બહાર નીકળે છે. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે. આવીને સિંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને સુખપૂર્વક બેસે છે. બેસીને અઢાર શ્રેણી-પ્રશ્રેણીઓને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી નગરને શુલ્ક અને કર રહિત આદિ કરીને – યાવતું - માગધતીર્થકુમાર દેવના ઉપલક્ષમાં આઠ દિવસીય મહોત્સવ કરો. આ પ્રમાણે કરીને મારી આજ્ઞાપાલન થયાની મને સૂચના આપો. ત્યારે તે અઢાર શ્રેણિ–પ્રશ્રેણિજનો ભરત રાજાનો આ આદેશ સાંભળી હર્ષિત થયા – યાવત્ – મહામહોત્સવ કરે છે. કરીને મહામહોત્સવ સંપન્ન થયાની રાજાને સૂચના આપે છે. ૦ વરદામ તીર્થે પ્રયાણ :– ત્યાર પછી તે દિવ્યચક્રરત્ન, જેનું નિવેશસ્થાન વજમય છે. જેના આરા લોહિતાક્ષ નામક લાલ રત્નોના બનેલા છે. જેની નેમિ–ધરી જાંબુનદ સુવર્ણની બનેલી છે. અનેક મણિઓથી નિર્મિત અન્તઃ પરિધિરૂપ સ્થળથી યુક્ત છે. મણિમુક્તાઓના જાળથી વિભૂષિત તથા જે નંદિઘોષ સહિત છે. ઘુંઘરૂંઓથી શોભિત, દિવ્ય, મધ્યાહ્નના સૂર્ય સમાન તેજસ્વી, અનેક પ્રકારના મણિરત્નોની ઘંટડીના સમૂહથી ચારે તરફથી વ્યાસ, સર્વઋતુના સુગંધિત પુષ્પોની બનેલ માળાઓથી આકર્ષિત અને આકાશમાં અધર રહેલું છે. હજારો યક્ષો વડે પરિવૃત્ત, પોતાના દિવ્ય વાદ્યોની ધ્વનિથી આકાશમંડલને ગુંજાયમાન અને જેનું નામ સુદર્શન છે (તે ચક્રરત્ન) માગધતીર્થકુમાર દેવના ઉપલક્ષમાં કરાયેલ આઠ દિવસીય મહોત્સવ સંપન્ન થયા બાદ નરપતિ ભરતની આયુધશાળામાંથી નીકળે છે. નીકળીને નૈઋત્ય દિશામાં સ્થિત વરદામતીર્થ તરફ પ્રયાણ કરવા લાગ્યું. ત્યારે તે ભરતરાજા તે દિવ્ય-ચક્રરત્નને નૈઋત્ય દિશાવર્તી વરદામતીર્થ તરફ પ્રયાણ કરતું જુએ છે. જોઈને હર્ષિત–સંતુષ્ટ થઈને – યાવત્ – કૌટુંબિક પુરુષોને બોલાવે Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આગમ કથાનુયોગ-૨ છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી અશ્વ, હાથી, રથ, શ્રેષ્ઠ યોદ્ધાઓ સહિતની ચતુરંગિણી સેના તૈયાર કરો. અભિષેક યોગ્ય હસ્તિરત્નને સુસજ્જિત કરો. એમ કહીને તે ખાનગૃહમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને પૂર્વ વર્ણન અનુસાર ખાન કરીને – યાવત્ – નીકળે છે – યાવત્ – તેની બંને તરફ શ્વેત શ્રેષ્ઠ ચામર ઢોળાવા લાગ્યા. તે સમયે તે ભરત રાજાએ પોતાના હાથમાં ઉત્તમ ઢાલ રાખેલી. શ્રેષ્ઠ કમરબંધથી તેની કમર બાંધેલી હતી. ખેટક, ઉત્તમ બખ્તર, કવચ તથા માઢીને ધારણ કરેલા હતા. – તે રાજા હજારો યોદ્ધાથી યુક્ત હતો. ઉત્કૃષ્ટ ઉત્તમ મુગટ પહેરેલો હતો. પતાકા, ધ્વજા, વૈજયંતિ, ચામર અને છત્રોની છાયા વડે તેનો માર્ગ આચ્છાદિત હતો. તેનાથી અંધકાર જણાતો હતો. તલવાર, ગોફણ, ખગ, ધનુષ, બાણ, કનક, કલ્પ, ફૂલ, લગુડ, ભિંડીમાલ, ધનુષ, તૂણીર, શર આદિ શસ્ત્રો હતા, જે કાળા, લીલા, પીળા, લાલ અને સફેદ રંગોથી ચિન્હીત હતા. કેટલાંક યોદ્ધા તાલ દેતા હતા, કોઈ સિંહનાદ કરતા, ખડખડાટ હસતા, ઘોડાનો હણહણાટ, હાથીનો ગુલગુલ અવાજ કરતા હતા. તે સાથે લાખો રથોનો ઘણઘણાહટ, ઘોડાના નિયંત્રણ માટેના ચાબુકના સડસડ શબ્દોનો ધ્વનિ, એક સાથે વગાડાઈ રહેલા ભંભા, હોરંભ, ઢપલા, ખરમુખી, મુકુંદ, શંખ, પરિલિ, વચ્ચક, પરિવાદિની, બંસરી, વેણુ, વિપંથી, મહતી, કચ્છપી, રિગિસિગિ, કરતાલ, કંસતાલ, કરધાણ આદિ વિવિધ વાદ્યોનો નિનાદ સમસ્ત જીવલોકને વ્યાપ્ત કરતો હોય તેવો પ્રતીત થતો હતો. આવા પ્રકારે સજ્જ થયેલો, સૈન્ય–વાહનના સમુદાયયુક્ત, હજારો યક્ષોથી પરિવૃત્ત, ધનપતિ કુબેર સમાન અને ઋદ્ધિ સંપન્નતાથી ઇન્દ્ર જેવા, પ્રખ્યાત કીર્તિવાળા તે રાજા ભરત સેના, વાહન, રથ આદિના સમુદાય સાથે સેકડો ગામ, આકર, નગર, ખેડ,. કર્બટ આદિથી યુક્ત થઈ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરતો ઇત્યાદિ પૂર્વવત્ – યાવત્ – વિજયરૂંધાવાર નિવેશ કરે છે અર્થાત્ પડાવ નાંખે છે. પડાવ નાંખીને વર્ધકીરત્નને બોલાવે છે. બોલાવીને આજ્ઞા આપે છે – હે દેવાનુપ્રિય ! તું જલદીથી મારા માટે આવાસ અને પૌષધશાળા બનાવો બનાવીને આજ્ઞાનુસાર કાર્ય સંપન્ન થયાની મને સૂચના આપ. તે વર્ધકીરત્ન આશ્રમ, દ્રોણમુખ, ગામ, પટ્ટણ, ઉત્તમપુર, સ્કંધાવાર, ઘર, દુકાન તે સર્વની રચના કરવામાં કુશળ, વાસ્તુના એક્યાશી પદોમાંથી અનેક ગુણ જાણવામાં નિપુણ, દેવયાનોની, પીસ્તાળીશ પ્રકારની વાસ્તુપરીક્ષામાં કુશળ, નેમિ, પાર્થ, ભોજનશાળા, કોટ્ટનિય અને શયનગૃહો આદિની વિભાગપૂર્વક રચના કરવામાં કુશળ, છેદ્ય – વેદ્ય, દવદાનકર્મ આદિમાં પ્રખ્યાત બુદ્ધિવાળો હતો. જલ–યાન, ભૂમિ–યાન આદિ સાધનો બનાવવામાં કુશળ, જળ, સ્થળ, ગુફા આદિના નિર્માણમાં ઉપયોગી યંત્રોના નિર્માણ, પરિખા નિર્માણમાં કુશળ, સમયનો જાણકાર હતો. શબ્દના પરમાર્થની જાણકાર, વાસ્તુ પ્રદેશના વિધાનમાં પ્રવીણ, પ્રધાન ગર્ભિણી કન્યારૂપ વેલ–વેખિતવેલ આદિના ગુણ–દોષનો જ્ઞાતા હતો. ગુણસંપન્ન, સોળ પ્રકારના પ્રાસાદ નિર્માણમાં કુશળ, ચોસઠ પ્રકારના ગૃહ નિર્માણમાં વિશિષ્ટ વિપુલ મતિવાળો, નંદાવર્ત, વર્ધમાન, સ્વસ્તિક, રૂચક, સર્વતોભદ્ર સન્નિવેશ નિર્માણમાં વિશેષજ્ઞ તેમજ ધ્વજ, દેવગૃહ, કોઠો, કાષ્ઠ, કિલ્લો, ખાઈ, વાહન એ Page #50 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૪ સર્વે વિભાગોમાં કુશળ હતો. પૂર્વોક્ત પ્રકારે અનેક ગુણરત્નોથી સંપન્ન અને તપ સંયમથી યુક્ત એવો તે સ્થપતિ–વર્ધકીરત્ન “હવે હું શું કરું ?” એવું કહેતો ભરતરાજા સમક્ષ ઉપસ્થિત થયો. રાજાની સેવામાં ઉપસ્થિત તે વર્ધકીરત્ન એ રાજાની આજ્ઞા અનુસાર દેવકર્મવિધિ દ્વારા એક મુહૂર્તમાં આવાસ, ભવન, અંઘાવાર (છાવણી) આદિની રચના કરી દીધી. કરીને પછી ઉત્તમ પૌષધશાળાનું નિર્માણ કર્યું. પછી જ્યાં ભરતરાજા હતા – યાવતું – જલ્દીથી આજ્ઞાપૂર્તિની સૂચના આપે છે. શેષ કથન પૂર્વવત્ જાણવું – યાવત્ – રાજા સ્નાનગૃહથી નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં ચતુર્ઘટ રથ હતો ત્યાં આવે છે. તે રથ પૃથ્વીતલ પર ચાલવામાં અત્યંત શીધ્ર ગતિવાળો, અનેક શુભ લક્ષણયુક્ત, પ્રશસ્ત, હિમવંત પર્વતની કંદરાઓમાં નિર્વાત સ્થાનમાં સંવર્ધિત આશ્ચર્યકારી તિનિસ વૃક્ષના કાષ્ઠમાંથી બનાવેલ હતો. તેના કૂબર જંબૂનદ જાતિના સુવર્ણના હતા, પૈડાના આરા સોનાના હતા, જે પુલાક, શ્રેષ્ઠ ઇન્દ્રનીલરત્ન, સાસક, પ્રવાલ, સ્ફટિક, ઉત્તમ રત્ન, લેષ્ઠ, મણિવિદ્ગમ આદિથી વિભૂષિત હતા. તેમાં અડતાલીશ આરા હતા. તેના તુંબા સોનાના બન્યા હતા. સારી રીતે ઘસીને સ્નિગ્ધ કરાયેલ અને ચમકતી એવી પૃષ્ઠ ઉપર બરાબર દૃઢતાથી રાખ્યા હતા. વિશિષ્ટ, લષ્ટ, નવીન લોઢાના ખીલાઓથી જોડાયેલા હતા. – વાસુદેવના શસ્ત્ર, પ્રહરણરત્ન, ચક્રરત્ન જેવા ગોળ તેના પૈડા હતા. તેની જાળી, ઝરોખા, કર્કતનરત્ન, ઇન્દ્ર નીલમણી, આસક આદિ રત્નો દ્વારા સુંદર રીતે બનાવાયેલ હતા. તેની ધરી પ્રશસ્ત, વિસ્તીર્ણ, સમ અને શ્રેષ્ઠ નગર માફક ગુપ્ત હતી. ઘોડાની લગામ સુંદર કિરણોવાળા તપનીય સુવર્ણની બનેલી હતી. તેમાં સ્થાને સ્થાને કવચ પ્રસ્થાપિત હતા. તે રથ પ્રહરણોથી પરિપૂરિત હતો. ઢાલ, કણક, ધનુષ, મંગલાગ્ર, ત્રિશૂળ, ભાલા, તોમર તથા સેંકડો બાણોથી યુક્ત બત્રીશ તૂણીરોથી તે પરિમંડિત હતો. તેના પર સુવર્ણ અને રત્નોના ચિત્રો બનેલા હતા. તેમાં હલીમુખ, બગલા, હાથીદાંત, ચંદ્ર, મુક્તા, તૃણ, મલિકા, કુંદ, કુટજ તથા કંદલના પુષ્પ, સુંદર ફીણ, મોતીના હાર અને કાશ સદશ શ્વેત અને દેવ, મન, પવનના વેગથી અધિક ગતિવાળા, ચપળ, શીધ્રગામી, ચામર અને સ્વર્ણમય આભૂષણોથી વિભૂષિત ચાર ઘોડા જોડેલ હતા. તેના પર છત્ર, ધ્વજા, ઘંટિકા, પતાકા લાગેલી હતી. – આ રથના સાંધાઓને મજબૂતીથી જોડવામાં આવ્યા હતા. યુદ્ધને યોગ્ય સમર કરણક નામના વાદ્યના નાદ સમાન ગંભીર નાદવાળો હતો. તેના બંને કૂપર ઉત્તમ હતા. સુંદર ચક્ર, ઉત્તમ નેમિ (મધ્યભાગ) અને ધૂરાના બંને ખૂણા ઉત્તમ હતા. બંને તુંબ શ્રેષ્ઠ વજરત્નના બનેલા હતા. તે શ્રેષ્ઠ સુવર્ણથી સુશોભિત હતા. સુયોગ્ય શિલ્પકારો દ્વારા નિર્મિત હતો. ઉત્તમ ઘોડા જોડવામાં આવતા હતા. સુયોગ્ય સારથી દ્વારા સુનિયોજિત હતો. ઉત્તમોત્તમ રત્નો વડે પરિમંડિત હતો. સોનાની ઘંટડીથી સુશોભિત હતો. તે અયોધ્ય હતો. તેનો રંગ વિદ્યુત, પરિતસ સુવર્ણ, કમળ, જપાકુસુમ, દીસઅગ્નિ તથા પોપટની ચાંચ જેવો હતો. તેની પ્રભા ચણોઠી, બંધુજીવક, હિંગલોક, સિંદુર, કેસર, કબૂતરના પગ, કોયલની આંખ, અધરોષ્ઠ, અતિ લાલ વૃક્ષ, સુવર્ણ, પલાશ પુષ્પ, હાથીનું તાળવું, Jain of international Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦. આગમ કથાનુયોગ-૨ ઇન્દ્રગોપક, બિંબફળ, શિલપ્રવાલ તથા ઉગતા સૂર્ય સમાન લાલ હતી. તે રથ ઉપર સર્વ ઋતુઓમાં વિકસતા પુષ્પોની માળા લટકતી હતી. ઉન્નર શ્વેત ધ્વજ ફરકતો હતો. તેનો ઘોષ ગંભીર હતો. શત્રુના હૃદયને કંપાવનાર હતો. તે રથ પૃથ્વીવિજય લાભ નામે પ્રસિદ્ધ હતો. લોકમાં તેનો યશ ફેલાયેલો હતો. બધાં અવયવોથી યુક્ત હતો. ચાર ઘંટાઓ જોડાયેલી હતી. એવા રથ પર પ્રાત:કાળે તે શોભાસંપન્ન રાજા ભરત પૌષધ પારીને આરૂઢ થયો. પછીનું સર્વકથન પૂર્વ ઉલિખિત વર્ણન અનુસાર જાણવું. ત્યારે તે ભરત રાજા ચતુર્ઘટ અશ્વરથ પર આરૂઢ થઈને વરદામ તીર્થથી દક્ષિણ દિશાવર્તી લવણસમુદ્રમાં ઉતર્યો – યાવત્ – તે ઉત્તમ રથ પૂરી પર્યત ભીંજાઈ ગયો – થાવત્ – પ્રીતિદાન ગ્રહણ કર્યું. વિશેષ એ કે, ચૂડામણિ, વક્ષસ્થળ પર પહેરવાનું દિવ્ય આભૂષણ, કંદોરો, કડા, ત્રુટિત – યાવત્ – દક્ષિણ દિશાનો અંતપાલ – યાવત્ – આઠ દિવસનો મહોત્સવ કરે છે. કરીને આજ્ઞાનુસાર કાર્ય સંપન્ન થયાની સૂચના આપે છે. ૦ પ્રભાસ તીર્થે વિજય : વરદામતીર્થકુમાર દેવના ઉપલક્ષમાં થયેલ આઠ દિવસીય મહોત્સવ સંપન્ન થયા બાદ તે દિવ્ય ચક્રરત્ન આયુધગૃહશાળામાંથી બહાર નીકળ્યું. નીકળીને આકાશમાં અધર સ્થિત થયું – યાવત્ – આકાશ મંડલને ગુંજાયમાન કરતું વાયવ્ય દિશામાં અવસ્થિત પ્રભાસ તીર્થ તરફ ચાલવા લાગ્યું. ત્યારે તે ભરતરાજા તે દિવ્યચક્રરત્નનું અનુગમન કરતા – યાવત્ – વાયવ્ય ખૂણા તરફ ચાલવા લાગ્યા ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ સમજી લેવું – થાવત્ – તે વાયવ્ય ખૂણા તરફ ચાલતો પ્રભાસ તીર્થથી લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. કરીને – યાવત્ – તેના ઉત્તમ રથની ધૂરી ભીંજાઈ ગઈ – યાવત્ – પ્રીતિદાનનો સ્વીકાર કર્યો. વિશેષ એ કે માળા, મુગટ, મુક્તાવિશેષ રાશિ, સુવર્ણરાશિ, કડા, ત્રુટિત આભરણ, નામાંકિત બાણ અને પ્રભાસતીર્થના જળને ગ્રહણ કર્યું. કરીને – યાવત્ – પ્રભાસતીર્થ સુધીના પશ્ચિમ દિશાવર્તી ક્ષેત્ર પર વિજય પ્રાપ્ત કર્યો. તેથી આ પ્રભાસ તીર્થ મર્યાદાથી હું પણ આપ દેવાનુપ્રિયનો દેશવાસી બની ગયો – યાવત્ – પશ્ચિમ દિશાનો અંતપાલ થઈ ગયો છું. શેષકથન પૂર્વવત્ યાવત્ આઠદિવસીય મહોત્સવ સંપન્ન થયો. ૦ સિંધુદેવીએ કરેલ સન્માન : પ્રભાસતીર્થકુમાર દેવના સન્માનાર્થે કરાયેલ અષ્ટાલિકા મહામહોત્સવ સંપન્ન થયા પછી તે દિવ્ય ચક્રરત્ન આયુધશાળાથી બહાર નીકળ્યું. નીકળીને – યાવતુ – પોતાના નિનાદથી આકાશમંડલને વ્યાપ્ત કરતું સિંધુ મહાનદીના દક્ષિણ કિનારે થઈને પૂર્વ દિશા તરફ સિંધુદેવીના ભવન તરફ ચાલ્યું. ત્યારે તે રાજા ભરત તે દિવ્યચક્રરત્નને દક્ષિણ કૂળથી થઈ પૂર્વ દિશામાં રહેલ સિંધુદેવીના ભવન તરફ જતું જુએ છે. જોઈને મનમાં હર્ષિત, સંતુષ્ટ, આનંદિત થાય છે, ઇત્યાદિ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું – વાવ – જે તરફ સિંધુદેવીનું ભવન છે ત્યાં આવે છે. આવીને સિંધુદેવીના ભવનથી બહુ દૂર નહીં, બહુ નજીક નહીં એવા સ્થળે બાર યોજન લાંબો, નવ યોજન પહોળો શ્રેષ્ઠ નગર જેવો પડાવ નાંખે છે – યાવત્ – સિંધુદેવી નિમિત્તે અઠમ તપ સ્વીકાર કરે છે. કરીને પૌષધશાળામાં પૌષધવ્રતધારી માફક બ્રહ્મચારી – યાવત્ – દર્ભના આસને બેસીને અઠમભક્ત યુક્ત તે રાજા Page #52 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૫૧ સિંધુદેવીનું ધ્યાન કરે છે. ત્યારપછી જ્યારે ભરતરાજા દ્વારા કરાયેલ અઠમતપ પરિપૂર્ણ થયો ત્યારે સિંધુદેવીનું આસન કંપાયમાન થયું. ત્યારે તે સિંધુદેવી પોતાના આસનને કંપાયમાન થતું જુએ છે. જોઈને અવધિજ્ઞાનનો ઉપયોગ કરે છે. કરીને અવધિજ્ઞાન દ્વારા તેણી ભરતરાજાને જુએ છે. જોઈને તેણીને આવા પ્રકારનો વિચાર–પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ભરત નામના રાજા ચાતુરંત ચક્રવર્તી ઉત્પન્ન થયા છે. તો અતીત, વર્તમાન, અનાગતમાં થનાર સિંધુદેવીનો આ પરંપરાગત આચાર છે કે, તે ભરતરાજાનું સન્માન કરે. તો હું પણ જાઉં અને ભરતરાજાનું સન્માન કરું એમ વિચારીને રત્નોના બનેલા ૧૦૦૮ કળશ, જેના પર અનેક પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોની ચિત્રકારી કરાઈ છે એવા બે ભદ્રાસન, કડા, ત્રુટિત – યાવત્ – આભરણ લઈને ઉત્કૃષ્ટ ગતિથી આવીને – થાવત્ – આ પ્રમાણે બોલી– આપ દેવાનુપ્રિયે કેવલકલ્પ ભરત વર્ષને જીતી લીધું છે. તેથી હે દેવાનુપ્રિય ! હું પણ આપની દેશવાસિની થઈ ગઈ છું. આપ દેવાનુપ્રિયની આજ્ઞાકારિણી સેવિકા છું. તો હે દેવાનુપ્રિય ! આપ મારી આ ભેટનો સ્વીકાર કરો. રત્નો દ્વારા ચિત્રિત ૧૦૦૮ કળશ, વિવિધ મણિઓથી ખચિત સુવર્ણના કડા આદિ સ્વીકાર કરો – યાવતુ – પૂર્વોક્ત પાઠ અનુસાર સર્વ વર્ણન કરવું – યાવત્ વિદાય કરે છે. ત્યાર પછી રાજા ભરત પૌષધશાળાથી બહાર નીકળે છે. નીકળીને જ્યાં સ્નાનગૃહ છે ત્યાં આવે છે. આવીને સ્નાન કરે છે, બલિકર્મ કરે છે. શુદ્ધ પવિત્ર મંગલકારી શ્રેષ્ઠ વસ્ત્રો પહેરે છે. અતિ મૂલ્યવાનું પણ થોડાં આભરણોથી શરીરને અલંકૃત્ કરીને સ્નાનગૃહથી બહાર નીકળે છે. નીકળીને જ્યાં ભોજનમંડપ છે, ત્યાં આવે છે. ભોજનમંડપમાં આવીને સુખાસને બેસે છે. અઠમતપનું પારણું કરે છે – યાવત્ – પૂર્વદિશા તરફ મુખ કરીને ઉત્તમ સિંહાસને બેસે છે. અઢાર શ્રેણી–પ્રશ્રેણી પ્રજાજનોને બોલાવીને – યાવત્ – આઠ દિવસીય મહામહોત્સવ કરવાની આજ્ઞા આપે છે – યાવત્ – મહોત્સવ સંપન્ન થયાની સૂચના આપે છે. ૦ વૈતાઢય ગિરિમારે કરેલ સન્માન : સિંધુદેવીના સન્માનમાં કરાયેલ આઠ દિવસીય મહામહોત્સવ સંપન્ન થયા બાદ તે દિવ્યચક્રરત્ન આયુધ ગૃહશાળામાંથી તે જ પ્રકારે નીકળ્યું – યાવત્ – ઇશાનખૂણામાં વૈતાઢય પર્વત સામે પહોંચ્યું. ત્યાર પછી તે ભરત રાજા – યાવત્ – જ્યાં વૈતાઢય પર્વત છે. જ્યાં વૈતાતત્ર્ય પર્વતનો પાછળનો ભાગ છે ત્યાં આવે છે. આવીને વૈતાઢ્ય પર્વતના દક્ષિણી નિતંબ–(પાછળના ભાગમાં) બાર યોજન લાંબા અને નવ યોજન પહોળા ઉત્તમ નગરની રચના સમાન વિજયસ્કંધાવારનો નિવેશ કરે છે અર્થાત્ પડાવ નાંખે છે. પડાવ નાંખીને – યાવત્ – વૈતાઢ્ય ગિરિકુમાર દેવની આરાધના નિમિત્તે અઠમભક્ત તપ ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને પૌષધશાળામાં – યાવત્ – અઠમતપમાં વૈતાઢ્ય ગિરિકુમાર દેવનું મનમાં ધ્યાન કરે છે. જ્યારે રાજા ભરતનો અઠ્ઠમભક્ત તપ પરિપૂર્ણ થયો ત્યારે વૈતાઢ્યગિરિકુમારનું આસન ચલાયમાન થયું. શેષ વર્ણન સિંધુદેવી સમાન જાણવું. પ્રીતિદાન, આભિષેક્ય Page #53 -------------------------------------------------------------------------- ________________ પર આગમ કથાનુયોગ-૨ હાથીને તૈયાર કરાવવો, રત્નોના અલંકાર, કટક, ત્રુટિત, વસ્ત્ર અને આભરણોને છે, લઈને તે ઉત્કૃષ્ટ ગતિ દ્વારા – યાવત્ – આઠ દિવસીય મહોત્સવ કરવાની આજ્ઞા આપે છે –– યાવત્ – આજ્ઞા પાછી આપે છે. ૦ તિમિસ્ત્ર ગુફાધિપતિ કૃતમાલદેવે કરેલ સન્માન : મહામહિમાવાળો અષ્ટાલિકા મહોત્સવ સંપન્ન થયા બાદ તે દિવ્ય ચક્રરત્નએ – થાવત્ – પશ્ચિમ દિશામાં તિમિસ્ત્ર ગુફા સન્મુખ પ્રયાણ કર્યું, ત્યારે ભરતરાજા તે દિવ્યચક્રરત્નને -- યાવતુ – પશ્ચિમ દિશામાં તિમિત્ર ગુફા સન્મુખ દિશામાં પ્રયાણ કરતું જુએ છે. જોઈને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત થઈને – યાવત્ – તિમિસ્ત્ર ગુફાથી અતિ દૂર નહીં. અતિ નિકટ નહીં તેવા સ્થાને બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી સ્કંધાવારની રચના કરે છે – યાવત્ – કૃતમાલદેવની આરાધના કરવા માટે અઠમ તપ સ્વીકારે છે. સ્વીકારીને પૌષધશાળામાં પૌષધયુક્ત થઈ, બ્રહ્મચારી થઈ – યાવત્ – કૃતમાલદેવનું મનમાં ધ્યાન કરે છે. ત્યાર પછી જ્યારે તે ભરતરાજાનો અઠ્ઠમતપ પરિપૂર્ણ થયો ત્યારે તે કૃતમાલ દેવનું આસન ચલાયમાન થાય છે. તે જ પ્રકારે – યાવત્ – વૈતાઢ્ય ગિરિમારના વર્ણન અનુસાર સમજવું, વિશેષ એટલે કે પ્રીતિદાનમાં હસ્તિરત્ન માટે ચૌદ તિલક સહિત આભૂષણોની પેટી, કટક – યાવત્ – આભરણોને છે. લઈને તે ઉત્કૃષ્ટ ગતિથી – થાવત્ – સત્કાર કરે છે. સન્માન કરે છે. સત્કાર અને સન્માન કરીને વિદાય કરે છે – થાવત્ – ભોજનમંડપમાં આવે છે. તે જ પ્રમાણે મહામહોત્સવ કરે છે. આજ્ઞાપૂર્ણ થયાની સૂચના આપે છે. ૦ સુસણ સેનાપતિ દ્વારા સિંધુ નદી પાર કરવી : કૃતમાલ દેવના ઉપલક્ષમાં મહામહિમાવાળો અષ્ટાલિકા ઉત્સવ સંપન્ન થયા બાદ ભરતરાજાએ સુષેણ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! તું જા અને સિંધુ મહાનદીના પશ્ચિમ દિશાવર્તી નિષ્ફટને સિંધુ સાગર ગિરિની મર્યાદા સુધીના જે સમ–વિષમ નિષ્ફટ પ્રદેશ છે, તેને આધીન કરો. અધીન કરીને અભિનવ–ઉત્તમ રત્નોને લાવો. તે ઉત્તમ રત્નોને લાવીને મારી આજ્ઞાનું પાલન થયાની મને જાણ કરો. - ત્યાર પછી તે સેનાનો અધિપતિ સુષેણ, સૈન્યનો નેતા, ભારતવર્ષમાં વિશ્રુત યશવાળો, મહાન્ બળ અને પરાક્રમવાળો, મહાત્મા, ઓજસ્વી, તેજસુ, લક્ષણયુક્ત, પ્લેચ્છભાષા વિશારદ, મનોરમણીય ભાષા, ભરત વર્ષક્ષેત્રના નિષ્કટ પ્રદેશો, નિવારણો અને દુર્ગમ તથા પ્રદેશ સ્થાનોનો જાણકાર, અસ્ત્રશસ્ત્રમાં કુશળ, સેનાપતિરત્ન સુષેણ, ભરતરાજાની આ વાતને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત થયો – યાવત્ – બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે અંજલિ કરી બોલ્યો, હે સ્વામી ! જેવી આપની આજ્ઞા છે તેમ કરીશ. એ પ્રમાણે વિનયપૂર્વક આજ્ઞાવચનોને સ્વીકારે છે. સ્વીકારીને ભરતરાજા પાસેથી નીકળે છે. નીકળીને જ્યાં તેનો પોતાનો આવાસ છે ત્યાં આવે છે. આવીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! જલદીથી આભિષેક્ય હસ્તિરત્નને સજ્જિત કરો. અશ્વ, હાથી, Page #54 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી . ભરત કથા - રથ, ઉત્તમ યોદ્ધાઓથી યુક્ત – યાવત્ - ચતુરંગિણી સેનાને તૈયાર કરો. એ પ્રમાણે કહીને, જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યો. આવીને સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો. પ્રવેશીને સ્નાન કર્યું. બલિકર્મ કર્યું. કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરીને યુદ્ધ માટે તૈયાર થયો. કવચ ધારણ કર્યું. ગ્રીવાબંધ પહેર્યો. શરીર પર વિમલ અને ઉત્તમ ચિહ્નપટ્ટ બાંધ્યા. આયુધ—પ્રહરણ ગ્રહણ કર્યા. અનેક ગણનાયકો, દંડનાયકો આદિથી પરિવૃત્ત થઈને, કોરંટ પુષ્પોની માળાઓથી સુશોભિત છત્ર ધારણ કર્યું. લોકો જય જય સૂચક શબ્દો બોલે છે. સ્નાનગૃહથી નીકળી જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી, જ્યાં આભિષેક્ષ્ય હસ્તિરત્ન હતો, ત્યાં આવીને આભિષેક્ય હસ્તિરત્ન પર આરૂઢ થયો. ત્યાર પછી હાથી પર બેસેલો અને મસ્તક પર કોરંટ પુષ્પમાળાવાળા છત્રને ધારણ કરેલો, ઘોડા, હાથી, રથ અને પ્રવર યોદ્ધા સહિતની ચતુરંગિણી સેનાથી સંપરિવૃત્ત થયેલો અને મહાન સુભટોના સમૂહથી ઘેરાયેલો તે સુષેણ સેનાપતિ, મહાન્ ગગનભેદી સિંહનાદ આદિ અનેક પ્રકારના કોલાહલો દ્વારા સમુદ્ર ગર્જના સમાન નાદ કરતો એવો, સર્વ પ્રકારની ઋદ્ધિ, દ્યુતિ, બળ સહિત – યાવત્ – નિર્દોષ નાદપૂર્વક જ્યાં સિંધુ મહાનદી હતી, ત્યાં આવ્યો. આવીને ચર્મરત્નને હાથમાં લીધું. તે ચર્મરત્નનો આકાર શ્રી વત્સ જેવો હતો. તેમાં મોતી, અર્ધતારા અને ચંદ્ર જેવા ચિત્રો બનેલા હતા. તે અચલ અને અકંપ હતું. અભેદ્ય કવચ જેવું હતું. નદી અને સમુદ્ર પાર કરવાના યંત્રરૂપ હતું. એવા એ દિવ્ય ચર્મરત્ન પર સત્તર પ્રકારના ધાન્યો – જેમાં સત્તરમું ધાન્ય શણ છે તે વાવવાથી એક જ દિવસમાં ઉગી જતા હતા. વર્ષાની આશંકા હોય ત્યારે ચક્રવર્તી દ્વારા સ્પર્શ કરવાથી તે દિવ્ય ચર્મરત્ન તિ બારયોજનથી કંઈક વધારે ફેલાઈ જતું હતું. તે વખતે સુષેણ સેનાપતિ દ્વારા સ્પર્શ કરાયેલ તે દિવ્ય ચર્મરત્ન શીઘ્રતયા નાવ જેવું બની ગયું. ત્યારે તે સુષેણ સેનાપતિ નાવ સમાન બનેલા તે દિવ્ય ચર્મરત્ન પર સ્કંધાવાર, સૈન્ય, વાહન સહિત આરૂઢ થયો. આરૂઢ થઈને નિર્મલ પાણીના ઉછળતા તરંગોવાળી સિંધુ મહાનદીને આ નૌકારૂપ બનેલા ચર્મરત્ન દ્વારા બળ, વાહન અને સૈન્ય સહિત પાર કરી ગયો. . સુષેણ સેનાપતિ દ્વારા સિંહલ આદિ દેશ પર વિજય : મહાનદીને પાર કરીને સિંધુ પ્રદેશ પર અપ્રતિહત શાસન સ્થાપિત કર્યા પછી કેટલાંયે ગામ, નગર, આકર, પર્વતો ઉપર વસેલા ખેડા, કર્બટ, મડંબ અને પટ્ટણો તથા સિંહલ દેશ, બર્બર દેશ, સમસ્ત અંગલોક, બલાયાલોક, ઉત્તમ મણિરત્ન સુવર્ણના કોષ્ઠાગારોથી સમૃદ્ધ પરમ રમણીય યવનદ્વીપને તથા અરબ, રોમ અને અલસંડ દેશવાસી, કાળામુખવાળા યવન લોકોને તથા ઉત્તમ વૈતાઢ્ય પર્વતના કિનારે વસેલી સમસ્ત મ્લેચ્છ જાતિઓ આદિ બધાં પ્રકારની પ્રજાઓને તેમજ નૈઋત્ય ખૂણામાં – યાવત્ – સિંધુસાગર અંતર્વતી દ્વીપોની પ્રજાઓ અને સમસ્ત પ્રવર કચ્છને અધીન કરીને તે સુષેણ સેનાપતિ પાછો આવ્યો અને બહુસમરમણીય કચ્છ પ્રદેશમાં આવીને સુખપૂર્વક બેઠો. તે સમયે તે—તે દેશો, નગરો, પટ્ટણોના જે—જે સ્વામી હતા. તે બધાં તથા આકરપતિ, મંડલપતિ અને પટ્ટણપતિ હતા તે બધાં ભેટ, આભરણ, ભૂષણ, રત્ન, - ૫૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ મૂલ્યવાન્ વસ્ત્રો તથા બીજી પણ રાજાઓને દેવા યોગ્ય ઉત્તમ વસ્તુઓ અને રાજાઓને અભીષ્ટ ચીજો જ લઈને સેનાપતિ પાસે ઉપહાર સ્વરૂપે મૂકી, વારંવાર મસ્તકે અંજલી કરી, પ્રણામ કરી આ પ્રમાણે બોલ્યા, તમે અમારા સ્વામી છો. જેમ દેવનું શરણું લેવાય છે તેમ અમે તમારી શરણાં આવ્યા છીએ. અમે તમારા દેશવાસી છીએ. પછી સેનાપતિનો જયજયકાર કરવા લાગ્યા. પછી સુષેણ સેનાપતિએ યોગ્યતાનુસાર તેમને તેમની રાજ્યગાદી પર સ્થાપિત કર્યા, સત્કાર, સન્માન કરી વિદાય કર્યા. તે બધાં પોતાના નગર—પટ્ટણ આદિમાં પાછા ફર્યા. ૦ સુષેણ સેનાપતિ દ્વારા ભરતરાજાને ઉપહાર અર્પણ : ૫૪ તત્પશ્ચાત્ અપ્રતિહત શાસન અને બળવાળા સુષેણ સેનાપતિએ પ્રાપ્ત ઉપહાર, આભરણ, આભુષણ, રત્નો આદિને સવિનય લાવીને પુનઃ તે સિંધુ નામક સ્થાનને પાર કર્યું. સર્વ વૃત્તાંતનું ભરત રાજાને નિવેદન કર્યું. નિવેદન કરીને પ્રાપ્ત સર્વ ઉપહાર અર્પણ કર્યો. સત્કાર–સન્માન પામેલ તથા સહર્ષ વિદાય પામીને તે પોતાના પટમંડપમાં આવ્યો. ત્યાર પછી સુષેણ સેનાપતિએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ કર્યા. ભોજન કર્યું - યાવત્ – શરીર પર ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો. પછી સુષેણ સેનાપતિ ઉત્તમ પ્રાસાદમાં ગયો. ત્યાં મૃદંગનાદ સાથે ઉત્તમ તરુણીઓ દ્વારા થતા બત્રીશ પ્રકારના નાટકો જોતો, સંગીત સાંભળતો તથા જોર—જોરથી વગાડાઈ રહેલા નાટ્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલતાલ, તૂરિય, ઘન મૃદંગ આદિના ધ્વનિઓ સાથે ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ એ પાંચ પ્રકારના મનુષ્ય સંબંધિ કામભોગોને ભોગવતો વિચરે છે. ૦ સુષેણ સેનાપતિએ કરેલ તિમિસ્ર ગુફા દ્વારોદ્ઘાટન :– - ત્યાર પછી કોઈ દિવસે ભરત રાજાએ સુષેણ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું જલ્દીથી જા અને તિમિસ્ર ગુફાની દક્ષિણ બાજુના દ્વારના કમાડને ઉઘાડ. ઉઘાડીને મારી આજ્ઞાનું પાલન થયાનું મને જણાવ. ત્યારે ભરતરાજાની આ આજ્ઞા સાંભળીને તે સુષેણ સેનાપતિ હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળો થયો – યાવત્ – બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડી – યાવત્ - આજ્ઞાવચનોને સ્વીકારે છે. સ્વીકારીને ભરતરાજા પાસેથી બહાર નીકળે છે. નીકળીને જ્યાં પોતાનો આવાસ છે ત્યાં આવે છે. જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવે છે. ત્યાં આવીને દર્ભના સંથારા પર બેસે છે યાવત્ કૃતમાલ દેવના નિમિત્તે અઠમ તપ કરે છે. પૌષધશાળામાં પૌષધવ્રતી માફક બ્રહ્મચર્ય ધારણ કરી – યાવત્ – અટ્ઠમતપને પૂર્ણ કરી પૌષધશાળાની બહાર નીકળ્યો. નીકળીને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યો. આવીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ–સ્વચ્છ મંગલરૂપ વસ્ત્રો પહેર્યા. અલ્પ પણ મહામૂલ્યવાન્ આભરણોથી શરીરને અલંકૃત્ કર્યું. હાથમાં ધૂપ, પુષ્પ, સુગંધીમાળાઓ લઈને સ્નાનગૃહથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં તિમિસ્ર ગુફાનું દક્ષિણ દિશાવર્તી દ્વાર હતું તે તરફ પ્રયાણ કર્યું. યાવત્ – ત્યારે તે સુષેણ સેનાપતિના ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક સાર્થવાહ પ્રભૂતિ હતા. જેમાંથી કેટલાંકે હાથોમાં કમળ લીધું હતું – યાવત્ – સુષેણ Page #56 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૫૫ સેનાપતિની પાછળ-પાછળ જવા લાગ્યા. ત્યાર પછી તે સુષેણ સેનાપતિ ઘણી કુન્જા, ચિલાતી આદિ દાસીઓ – યાવત્ – ઇંગિત, ચિંતિત, ઇચ્છિત વાતોને સમજવામાં નિપુણ, કુશળ, વિનીત કેટલીક હાથમાં કળશ લઈને – યાવત્ – પાછળ—પાછળ ચાલે છે. પછી સમસ્ત હિં, ઘુતિ – યાવત્ – વાદ્યોના નિર્દોષ નાદ સહિત તે સુષેણ સેનાપતિ જ્યાં તિમિસ્ત્ર ગુફાના દક્ષિણ ભાગનું દ્વાર છે ત્યાં આવે છે. આવીને કમાડોને જોતાં જ પ્રણામ કરે છે. કરીને લોમહસ્તક વડે કમાડોનું પ્રમાર્જન કરે છે. પ્રમાર્જીને દિવ્ય જલધારા વડે તેનો અભિષેક કરે છે. અભિષેક કરીને સરસ ગોશીષ ચંદનના પાંચ આંગળીઓ સહિત થાપા લગાડે છે. લગાડીને ઉત્તમ શ્રેષ્ઠ ગંધ અને માલા દ્વારા અર્ચન કરે છે. પુષ્પ ચઢાવે છે – વાવ – વસ્ત્રો ચઢાવે છે. – વસ્ત્ર આદિ અર્પણ કરીને આસિંચન, ઉત્સિંચન, વિપુલપટ્ટ – યાવતું -- કરે છે. એમ કરીને સ્વચ્છ, સ્નિગ્ધ, રજતસદશ, સ્વચ્છ ચોખા વડે તિમિસ્ત્ર ગુફાના દક્ષિણ ભાગના હારના કમાડો સામે આઠ-આઠ મંગલોનું આલેખન કરે છે. તે આ પ્રમાણે – સ્વસ્તિક, શ્રીવત્સ – યાવત્ – હાથમાં ગ્રહણ કરેલ કરતલ પ્રભૃષ્ટ ચંદ્ર જેવી પ્રભાવવાળો તથા વજ અને વૈદુર્યમણિના બનેલ હાથાવાળા ધૂપદાન લઈને – યાવત્ – ધૂપ ઉખેવે છે. ઉખેવીને ડાબો ઘૂંટણ ઊંચો કરી, જમણો ઘૂંટણ નીચો કરી, બંને હાથ જોડી – યાવત્ – મસ્તકે અંજલિ કરી કમાડોને પ્રણામ કરે છે. કરીને દંડરત્નને હાથમાં લઈ ફેરવે છે. – ત્યારપછી પાંચ લતાવાળા, વજના સારભાગમાંથી બનેલ હોવાના લીધે વિશેષ મજબૂત, સમસ્ત શત્રુસેનાનું વિનાશક, રાજા માટે સ્કંધાવાર કરવો હોય ત્યારે ત્યાં જમીન પરના ખાડા, ગુફા, વિષમભૂમિ, મોટા પર્વત હોય તો તે બધાંને દૂર કરીને સમતલ મેદાન બનાવનાર, શાંતિકર, શુભકર, હિતકર, રાજાનું હિતૈષી, ઇચ્છિત મનોરથને પૂર્ણ કરનાર, દિવ્ય અને અપ્રતિહત એવા તે દંડવત્નને હાથમાં લઈને સાત-આઠ ડગલા પાછળ ખસે છે. ખસીને તિમિસ્ત્ર ગુફાના દક્ષિણ ભાગના દ્વારના કમાડોને તે દંડરત્ન દ્વારા ઘણાં મોટેથી અવાજ કરીને ત્રણ વખત તાડિત કરે છે. ત્યારે સુષેણ સેનાપતિએ આ રીતે દંડરત્નથી મોટા અવાજ સાથે તિમિસ્ત્ર ગુફાના દક્ષિણ ભાગના દ્વારના કમાડ પર ત્રણ વખત તાડન કરતા તે કમાડ ક્રૌંચ પક્ષી જેવો અવાજ કરતા ખૂબ જ મોટા અવાજ સાથે પોતપોતાના સ્થાનેથી સરકી ગયા. ત્યારપછી સુષેણ સેનાપતિ તિમિસ્ત્ર ગુફાના દક્ષિણી ભાગના દ્વારના કમાડોને ઉઘાડી દે છે. ઉઘાડીને જ્યાં ભરતરાજા હતા, ત્યાં આવે છે. આવીને – યાવતું – બંને હાથ જોડી જય-વિજય શબ્દોથી ભરતરાજાને વધાવે છે. વધાવીને આ પ્રમાણે કહે છે, હે દેવાનુપ્રિય ! તિમિસ્ત્ર ગુફાના દક્ષિણી ભાગના દ્વારના કમાડો ઉઘાડી દીધા છે. આ સમાચાર આપને પ્રિય છે, તેથી નિવેદન કરું છું. આ સમાચાર આપને પ્રિય થાઓ. ૦ રાજા ભરતનું તિમિસ્ત્ર ગુફા પ્રતિ પ્રયાણ અને ગુફા પ્રવેશ :– ત્યાર પછી સુષેણ સેનાપતિએ આપેલ સમાચાર સાંભળી અને સમજીને ભરતરાજા હર્ષિત, સંતુષ્ટ અને પ્રસન્નચિત્ત થયા – યાવત્ – હર્ષિત હૃદયવાળા થઈને સુષેણ સેનાપતિનો સત્કાર સન્માન કરે છે. સત્કાર સન્માન કરીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. Page #57 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! જલ્દીથી આભિષેક્ય હસ્તિત્વને સજાવો. હાથી, ઘોડા, રથ, પ્રવર યોદ્ધાઓની ચતુરંગિણી સેનાને સજાવો ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું – યાવત્ – અંજનગિરિફૂટ સંદેશ શ્રેષ્ઠ હાથી પર તે નરપતિ આરૂઢ થયો. તત્પશ્ચાત્ ભરતરાજા મણિરત્નને હાથમાં લે છે. તે મણિરત્ન અંકુશ સમાન છે. ચાર અંગુલ લાંબુ અને અનર્ધ–અમૂલ્ય છે. તિર્જી છ ખૂણાવાળું છે. જેની દ્યુતિ અનુપમ છે. દિવ્ય મણિરત્ન સમાન છે. વૈડૂર્યમણિ વત્ આભાવાળું છે. સર્વ પ્રાણીઓને પ્રિય છે. મસ્તક પર તેને ધારણ કરવાથી કોઈ પ્રકારના દુઃખની સંભાવના રહેતી નથી – યાવત – સર્વકાળ આરોગ્ય રહે છે. મા મણિરત્નને ધારણ કરનારને તિર્યંચ, દેવ કે મનુષ્યકૃત્ ઉપસર્ગ કિંચિંતુ માત્ર પણ દુઃખદાયી થતા નથી. સંગ્રામમાં પણ આ મણિરત્ન ધારણ કરનારનો કોઈ શસ્ત્રથી વધ થઈ શકતો નથી. તે સદા યુવાન રહે છે. તેના નખ કે વાળ વધતા નથી અને તે સમસ્ત ભયોથી મુક્ત રહે છે. એવા મણિરત્નને લઈને તે નરપતિ હસ્તિરત્નના કુંભ સ્થળના દક્ષિણી ભાગમાં રાખે છે. ત્યારપછી તે ભરતાધિપતિ નરેન્દ્ર, જેનું વક્ષસ્થળ રતિ ઉત્પન્ન કરનારા હારથી શોભિત હતું -- યાવત્ – ઇન્દ્ર સમાન ઋદ્ધિ દ્વારા જેની કીર્તિ ફેલાયેલી છે, તે જે માર્ગમાં મણિરત્ન દ્વારા પ્રકાશ કરાઈ રહ્યો હતો અને ચક્રરત્ન દ્વારા જેને માર્ગ બતાવાઈ રહ્યો હતો, જેની પાછળ અનેક હજારો રાજા અનુગમન કરી રહ્યા હતા. (તેવા ભરતરાજા) મહાનું ઉત્કૃષ્ટ સિંહનાદો અને કલકલ ધ્વનિ દ્વારા ગગનમંડલને સમુદ્રધ્વનિ સમાન કરતો, જ્યાં તિમિસ્ત્ર ગુફાના દક્ષિણી ભાગના દ્વાર હતા ત્યાં આવે છે. આવીને મેઘસમૂહથી અંધકારમય બનેલા આકાશમાં જે રીતે ચંદ્ર પ્રવેશ કરે છે. તે જ રીતે તિમિત્ર ગુફાના દ્વારેથી તે રાજા પ્રવેશ કરે છે. ત્યારપછી તે ભરતરાજા છ તલ, બાર ખૂણા, આઠ કર્ણિકા, અધિકરણ સંસ્થાના અને આઠ સુવર્ણપ્રમાણવાળા કાકણીરત્નને હાથમાં લે છે ત્યારે તે ચતુર અંગુલ પ્રમાણ માત્ર અને આઠ સુવર્ણ પ્રમાણ ભારવાળું, વિષનું હરણ કરનાર, અતુલ – બીજા રત્ન જેની તુલના ન કરી શકે તેવું સમચતુરઢ આકારવાળું, સમતલ, માનોનાનપોત કે જેનાથી સર્વજન વ્યવહાર કરે છે, જાણે તે ચંદ્ર ન હોય, સૂર્ય ન હોય, અગ્રિ ન હોય તે રીતે આ મણિ અંધકારનો નાશ કરી દે છે. આ કાકણીરત્ન દિવ્ય ભાવયુક્ત હોવાથી તેની શ્યાપ્રભા બાર યોજન સુધી વ્યાપ્ત થાય છે, ઘન અંધકારને દૂર કરે છે. રાત્રિમાં સમસ્ત અંધાવારને આલોકમય કરી દિવસરૂપ કરી દે છે. જેના પ્રભાવથી–પ્રકાશથી બીજા અર્ધભરતક્ષેત્ર પર વિજય પ્રાપ્ત કરવા પોતાની સેના સાથે તિમિસ્ત્ર ગુફામાં પ્રવેશ કરે છે. | (ત્યારપછી) તે ઉત્તમ રાજા કાકણીરત્નને લઈને તિમિસ્ત્ર ગુફાના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં આવેલા કટકોમાં એક-એક યોજનના અંતરે પાંચસો ધનુષુ પહોળા અને એક યોજન સુધી પ્રકાશ ફેલાવનારા, ચક્રની નેમિના આકારના તથા ચંદ્રમંડલ જેવો પ્રકાશ ફેલાવનારા ઓગણપચાશ માંડલાઓનું આલેખન કરતા પ્રવેશ કરે છે. ત્યાર પછી ભરતરાજા દ્વારા એક–એક યોજનાના અંતરથી પ્રકાશની વ્યવસ્થા કરવાને માટે ઓગણપચાસ માંડલાઓનું આલેખન કર્યા પછી તે તિમિસ્ત્ર ગુફા શીધ્રતયા ખૂબ જ Page #58 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી પ્રકાશમય, ઉદ્યોતમય થવાથી દિવસ જેવી બની ગઈ. ૦ ઉન્મગ્ર—નિમણૂજલા મહાનદીઓમાં ભરતનું ઉત્તરણ : તે તિમિસ્ર ગુફાના ઠીક મધ્યભાગમાં ઉન્મગ્રજલા અને નિમગ્રજલા નામની બે મહાનદીઓ છે. જે તિમિસ ગુફાના પૂર્વના ભિત્તિપ્રદેશથી પ્રવાહિત થતી પશ્ચિમમાં સિંધુ મહાનદીમાં જઈને મળે છે. હે ભગવન્ ! તે મહાનદીઓને ઉન્મગ્ર જલા અને નિમગ્રજલા કેમ કહે છે ? હે ગૌતમ ! ઉન્મગ્રજલા મહાનદીમાં જો કોઈ તૃણ કે પાન કે કાષ્ઠ કે કાંકરા કે અશ્વ કે હાથી કે રથ કે યોદ્ધા કે મનુષ્યને ફેંકે (કે પડે) તો ઉન્મગ્ર જલા મહાનદી ત્રણ વખત ઘુમાવી—ઘુમાવીને એકાંત સ્થળમાં ફેંકી દે છે. જો નિમગ્રજલા મહાનદીમાં તૃણ, પાન, કાષ્ઠ, કંકર, અશ્વ, હાથી, રથ, યોદ્ધા કે મનુષ્યને ફેંકે (કે પડે) તો નિમગ્રજલા મહાનદી ત્રણ વખત ઘુમાવી—ઘુમાવીને પોતાના પાણીમાં નિમગ્ર કરી દે છે. (સમાવી દે છે) તેથી હે ગૌતમ ! તેને ઉન્મગ્રજલા અને નિમગ્રજલા મહાનદી કહે છે. ત્યાર પછી ચક્રરત્ન દ્વારા દેખાડાતા માર્ગે તે ભરતરાજા અનેક રાજાઓ વગેરે સહિત ઉત્કૃષ્ટ સિંહનાદ યાવત્ કરતા-કરતા સિંધુ મહાનદીના પૂર્વી કિનારે થઈને જ્યાં ઉન્મગ્રજલા મહાનદી છે, ત્યાં આવ્યા. આવીને વર્ધકીરત્નને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રય ! ઉન્મગ્ર નિમગ્નજલા મહાનદીઓ પર સેંકડો સ્તંભથી અત્રિવિષ્ટ અચલ, અકંપ, અભેદ્યકવચ, બંને તરફ આલંબન માટે લગાડાયેલ બાહાવાળો સર્વરત્નમય, સુખેથી સંક્રમી શકાય તેવો પુલ બનાવો. બનાવીને મારી આજ્ઞાનું પાલન થયાની મને સૂચના આપો. ત્યાર પછી તે વર્ધકીરત્ન ભરતરાજાની આ આજ્ઞા સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત થયો – યાવત્ – વિનયપૂર્વક આદેશનો સ્વીકાર કર્યો. સ્વીકારીને જલ્દીથી ઉન્મગ્ર નિમગ્રજલા મહાનદીઓ પર સેંકડો સ્તંભોથી સંનિવિષ્ટ – યાવત્ -- સુખેથી સંક્રમી શકાય તેવો પુલ બનાવે છે. બનાવીને જ્યાં ભરતરાજા હતા ત્યાં આવ્યો. આવીને યાવત્ – આશા પૂર્ણ થયાની સૂચના આપે છે. ત્યાર પછી ભરતરાજા સ્કંધાવાર અને સેના સહિત સેંકડો સ્તંભો પર બનાવાયેલ – યાવત્ – સુસંક્રમણ પુલ દ્વારા ઉન્મગ્રજલા અને નિમગ્નજલા મહાનદીઓને પાર કરે છે. ―― - ભરત કથા ૫૭ ત્યાર પછી તિમિસ્ર ગુફાના ઉત્તર બાજુના દ્વારના કમાડ સ્વયમેવ ક્રોંચપક્ષી સદેશ અવાજ કરતા–કરતા પોતાના સ્થાનેથી સરકી ગયા (ખૂલી ગયા.) ૦ સુષેણ સેનાપતિએ કરેલ આવાડ ચિલાતનો પરાજય : તે કાળે, તે સમયે ઉત્તરાર્ધ ભરતવર્ષમાં ઘણાં આવાડચિલાત વસતા હતા. જે આઢ્ય, અભિમાની, ધનવાન્, વિખ્યાત હતા. જેમની પાસે વિશાળ ભવન, શયન, આસન, યાન, વાહન આદિ હતા. (તેમની પાસે) ઘણું જ ધન, સોનું, ચાંદી હતા. ધનવૃદ્ધિ માટે વ્યાપારમાં ધન લગાડેલ હતું. અત્ર—પાણીનો પૂરતો ભંડાર હતો. જે બીજાને પણ ખવડાવતા હતા. ઘણાં દાસ-દાસી, ગાય-ભેંસ, બકરા આદિ હતા. તેઓ ઘણા જનસમૂહથી પણ પરાજય પામે તેવા ન હતા. શૂરવીર અને પરાક્રમી હતા. તેમની પાસે વિશાળ સેના, વાહન હતા. મોટા સમરાંગણમાં તેઓએ વિજય પ્રાપ્ત કરેલ હતો. ત્યાર પછી તે આવાડ ચિલાતોના દેશમાં કોઈ સમયે સેંકડો ઉત્પાત્ ઉત્પન્ન થયા. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આગમ કથાનુયોગ-૨ જેમકે, અકાલમાં મેઘગર્જના, અકાળમાં વીજળી ચમકવી, અકાળે વૃક્ષોમાં ફૂલો આવવા. વારંવાર આકાશમાં દેવતાનો નાય થવો. ત્યારે તે આવા ચિલાત પોતાના દેશમાં સેંકડો ઉત્પાતોને પ્રાદુર્ભત થયેલા જુએ છે. જોઈને એકબીજાને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે – હે દેવાનુપ્રિયો ! આપણા દેશમાં સેંકડો ઉત્પાત્ ઉત્પન્ન થયા છે. જેમકે, અકાળે મેઘગર્જના, અકાળે વીજળી થવી, અકાળે વૃક્ષોનું ફળવું. વારંવાર આકાશમાં દેવતાઓનો નાચ થવો. “ન જાણે આપણા દેશમાં કેવો ઉપદ્રવ થવાનો છે ?" એવું વિચારી તેઓ મનથી ભાંગી પડ્યા, ચિંતા અને શોકસાગરમાં ડૂબી ગયા, શોકાતુર થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં ડૂબી ગયા. ભૂમિ તરફ દૃષ્ટિ કરી ચિંતામગ્ન થઈ ગયા. તે વખતે ચક્રરત્ન દ્વારા દેખાડાતા માર્ગે તે ભરતરાજા – યાવત્ – સમુદ્રની ગર્જના સમાન વાતાવરણ સર્જતો તિમિસ્ત્ર ગુફાની ઉત્તર બાજુના દ્વારેથી મેઘવ્યાપ્ત અંધકાર સમૂહમાંથી ચંદ્રમાં નીકળે તેમ નીકળ્યો. ત્યારે તે આવડચિલાત ભરતરાજાની આગળ વધતી સેનાને જુએ છે. જોઈને ક્રોધાભિભૂત, રુષ્ટ, પ્રચંડ, કુપિત થઈને દાંત કચકચાવતા એકબીજાને બોલાવે છે. બોલાવીને પરસ્પર આ પ્રમાણે કહે છે – હે દેવાનુપ્રિયો ! આ કોણ અનિષ્ટની પ્રાર્થના કરવાવાળા, દૂરંતપંત લક્ષણવાળા, ભાગ્યહીન, ચૌદસીયા, શ્રી શ્રી રહિત છે. જે આપણા દેશ પર આક્રમણ કરવાને માટે જલ્દીથી આવી રહ્યો છે. તો હે દેવાનુપ્રિયો ! તો આપણે તેને એવી રીતે પાછો ભગાડી દઈએ કે જેથી તે આપણા દેશ ઉપર આક્રમણ કરી આગળ ન વધે. એ પ્રમાણે વિચારી તેઓએ એકબીજાની વાત સ્વીકારી. સ્વીકારીને યુદ્ધને માટે કટિબદ્ધ થયા. શરીર પર બખ્તર–કવચ બાંધ્યા. બાણની પટ્ટિકા બાંધી. ગળાના પટ્ટા બાંધ્યા. વિમલ અને ઉત્તમ ચિહ્ન પટ્ટક પહેર્યા. આયુધો અને પ્રહારોના સાધનો લીધા. જ્યાં ભરતરાજાની સેનાનું અગ્રદલ હતું ત્યાં આવ્યા. આવીને ભરતરાજાના અગ્રસૈન્યદલ સાથે લડવા લાગ્યા. તે વખતે તે આવાચિલાત લોકો ભરતરાજાના અગ્રસૈન્ય દળને આહત મથિત કરીને, ઉત્તમવીરોને ઘાયલ કરીને, તેમના ચિન્હવાળી ધ્વજા પતાકાઓને નષ્ટ-ભ્રષ્ટ કરીને અને ગળામાં પ્રાણ અટકી ગયા હોય તેવી કરીને દિશા–વિદિશાઓમાં ભગાડવા લાગ્યા. ત્યારે તે સૈન્યબળના નેતા – યાવત્ – ભરતરાજાના અગ્ર સૈન્યદળને આવા ચિલાતો દ્વારા આહત–મથિત અને વીર યોદ્ધાઓને ઘાયલ કરવા – યાવત્ – દિશાવિદિશાઓમાં ભાગતા જુએ છે. જોઈને ક્રોધાભિભૂત –પ્રચંડ અને કુપિત થઈને દાંતોને કચકચાવતા કાળ જેવા થઈને કમલામેલ નામના અશ્વરત્ન પર સવાર થયો. તે અશ્વરત્ન એંસી અંગુલ ઊંચો હતો, નવાણું અંગુલ પ્રમાણ વિસ્તાર હતો. ૧૦૮ અંગુલ પ્રમાણ લાંબો હતો. મસ્તક બત્રીશ અંગુલ ઊંયુ હતું. તેના કાન ચાર અંગુલ પ્રમાણ હતા. (મસ્તકથી નીચે અને ઘુંટણોથી ઉપરનો ભાગ) બાહાક વીસ અંગુલ હતો. ઘૂંટણ ચાર અંગુલ હતા. જંઘા સોળ અંગુલ હતી. ખરી ચાર અંગુલ હતી. તેના પેટની નીચે અને ઉપરનો ભાગ સાંકડો, મધ્યભાગ અને વચમાં થોડો પહોળો અને વળવાના સ્વભાવની કોઠી જેવો હતો. પલાણ રાખવાનો ભાગ કંઈક અંગુલ નમેલો હતો. જે બેસનાર માટે સુખકર હતો. તેની પીઠ સંનત, સુજાત, પ્રશસ્ત અને વિશિષ્ટ હતી. પીઠ Page #60 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૫૯ હરિણીના ઘૂંટણ જેવી વિશાળ અને ઉન્નત હતી. તેના અંગપ્રત્યંગ પ્રહાર વર્જિત હતા. – તે અશ્વરત્નનું શરીર સોનાના આભૂષણોથી શૃંગારિત હતું. શાસક વિચિત્ર પ્રકારના રત્નો અને સોનાના ફૂલોથી જટિલ હતી. કંચનયુક્ત મણિઓની બનેલી તથા સોનાના પતરાની બનેલી અનેક પ્રકારની ઘંટડીઓના સમૂહ અને મોતીઓના ઝૂમખાથી સુશોભિત પીઠ હતી. કર્કતનરત્ન, ઇન્દ્રનીલરત્ન, મરકત મણિ મસારગલ્લ રત્નોથી મંડિત એવું રતિકર મુખ હતું. મણિ જડેલ સૂત્રોથી વિભૂષિત હતું. દેવબુદ્ધિથી બનાવાયેલ કનકમય પાનું તેના પર તિલક હતું. ઇન્દ્રવાહન સમાન વળી જવાના સ્વભાવવાળું હતું. રૂપવાન્ હતો. પાંચ અવયવો પર વિંઝાતા ચામરથી યુક્ત હતો. ભૂતલ પર ચાલનારો હતો. વિકસિત–દઢ પલકોવાળા તેના નિર્દોષ નેત્રો હતા. સુવર્ણ, રત્ન, ચાંદી જડિત વસ્ત્રો તેના શરીર પર ઓઢાડેલા હતા તાલુ, જીભ, મુખ તપેલા સોના જેવા હતા. નાસિકા લક્ષ્મીના અભિષેક ચિન્હવાળી હતી. કમલપત્ર પર રહેલ જળબિંદુ સમાન તેના શરીર પર નિશાન હતા. અચંચલ હતો, શરીર ફૂર્તિવાળુ હતું. ચરક પરિવ્રાજક માફક અશુચિરહિત હતો. – તે અશ્વરત્ન જ્યારે ચાલતો ત્યારે જમીન પર ખુરીના લાગવાથી ઠવ–ઠવની ધ્વનિ થતી હતી (દાબડાનો મધુર રણકાર થતો હતો) ચાલતી વખતે તેના બંને પગ મોઢા સુધી જતા હતા, ત્યારે એવું લાગતું હતું કે, જાણે તે બંને પગને મુખમાંથી કાઢી રહ્યો છે. પોતાની તે જ ગતિ દ્વારા કમળના તંતુ અને પાણીનો સહારો લઈને ગતિ કરતો હતો અર્થાત્ સરકતો હોય તેમ દોડતો હતો. જાતિ, કુળ, રૂ૫ આદિની અપેક્ષાએ પ્રશસ્ત, બાર આવર્તવાળ, વિશુદ્ધ લક્ષણ, ઉત્તમકુળમાં ઉત્પન્ન, મેઘાવી, ભદ્ર અને વિનીત હતો. તેની રોમરાજિ અતિશય પાતળી અને સુકુમાલ હતી. તે સ્નિગ્ધ કાંતિવાળો અને સુંદર ગતિવાળો, દેવ, મન, પવન, ગરુડના વેગને જીતનારો એવો ચપળ અને શીઘગામી હતો. ઋષિ સમાન ક્ષમા ધારણ કરનાર, સુશિષ્ય સંદેશ પ્રત્યક્ષ વિનીત, જળ, અગ્નિ, પાષાણ, ધૂળ, કીચડ, કંકર, રેતી, નદીતટ, સમુદ્રતટ, વિષમ, પર્વત, ગુફા, કંદરા આદિ દુર્ગમ ભૂમિને લાંઘવામાં–પહોંચાડવામાં અને પાર કરવામાં સમર્થ હતો. મોટા મોટા યોદ્ધા પણ જેને પછાડવામાં સમર્થ ન હતા. પ્રતિપક્ષી પર તે અશ્વ ટૂટી પડવાના સ્વભાવવાળો હતો. આંસુ પાડવાવાળો ન હતો. જેનું તાલું કાળું ન હતું, સમયે હણહણવાવાળો, નિદ્રા વિજેતા, પરીષહ વિજયી, લઘુશંકાદિ માટે સ્થાન ગવેષણા કરનાર, જાતિવંત, બેલાના ફૂલ જેવી નિર્મળ નાસિકાવાળો, પોપટની પાંખ જેવા વર્ણવાળો, મનને અભિશમ, એવો કમલામેલ અથરત્ન હતો. તેના પર આરૂઢ થયો, હાથમાં ખગરત્ન લીધું. આ ખગરત્ન નીલકમલના સમૂહ સમાન શ્યામલ, ચંદ્રમંડલ સમાન ચમકતું, શત્રુજનોનું વિનાશક, કનક અને રત્નની મૂઠથી મંડિત, નવમલ્લિકાના પુષ્પ જેવી ગંધવાળી તથા અનેક પ્રકારના મણિરત્નોથી વિવિધ પ્રકારના ચિત્રોથી યુક્ત, તીક્ષ્ણ અને ચમચમતી ધારવાળું, લોકમાં અનુપમ હતું. તે ખગર– વંસવૃક્ષ, સીંગ, અસ્થિ, હાથીદાંત, ફૌલાદના બનેલા વિશાળ લોહદંડ અને ઉત્તમ વજને ભેદવામાં સમર્થ – યાવત્ – સર્વત્ર અપ્રતિહત ગતિવાળું હતું તેથી જંગમ પ્રાણીઓને ભેદવામાં તો કુંઠિત થઈ જ ન શકે ! તે દિવ્ય ખગરત્ન પચાસ આંગળ લાંબુ, સોળ આંગળ પહોળું અને અડધો અંગુલ જાડું હતું. આ Page #61 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ માપ ખડ્ઝ (અસિ) રત્નનું અધિકાધિક માપ હતું. આવા ખત્રરત્નને નરપતિ પાસેથી લઈને તે સેનાપતિ જ્યાં આવાડકિરાત લોકો હતા ત્યાં પહોંચે છે. પહોંચીને આવારકિરાતો સાથે યુદ્ધ કરવામાં તે પ્રવૃત્ત થઈ ગયો. ત્યાર પછી તે સુષેણ સેનાપતિએ તે આવાડકિરાતોને આહત-મથિત કરી દીધા. મોટામોટા સુભટોને ઘાયલ કરીને – યાવતું – દિશા વિદિશામાં ભગાડી દીધા. ૦ આવાઇકિરાતોની પ્રાર્થનાથી મહામેઘ વર્ષા : ત્યાર પછી સુષેણ સેનાપતિ દ્વારા આહત મથિત – યાવત્ – ભગાડી દેવાયેલા તે આવાઇકિરાત લોકો ભયગ્રસ્ત, ત્રસિત, વ્યથિત, ઉદ્વિગ્ન થઈ ગયા. ભયભીત થઈને આત્મવિશ્વાસહીન, બળહીન, વીર્યહીન, પુરુષાર્થ અને પરાક્રમહીન થઈ ગયા. હવે સામનો કરવો શક્ય નથી એમ વિચારીને અનેક યોજન દૂર ચાલ્યા ગયા. દૂર ભાગીને તેઓ એક સ્થાને એકત્રિત થયા. એકત્રિત થઈને જ્યાં સિંધુ મહાનદી હતી ત્યાં આવ્યા. આવીને બાલ-રેતીની શય્યા બનાવી. બનાવી તેના પર બેઠા. બેસીને અઠમ તપ કર્યો. બાલ સંથારે બેસી – ઉર્ધ્વ મુખ થઈ, વસ્ત્રરહિત થઈ અઠમ તપ ધારી તેઓ પોતાના કુળદેવતા મેઘમુખનાયક નાગકુમાર દેવોનું સ્મરણ કરવા લાગ્યા. ત્યાર પછી જ્યારે આવાડકિરાતોનો અઠ્ઠમ તપ પૂર્ણ થયો. ત્યારે મેઘમુખ નામક દેવોનું આસન ચલાયમાન થયું. પછી તે મેઘમુખ નામક નાગકુમાર દેવ પોતપોતાના આસનોને ચલાયમાન થતા જુએ છે. જોઈને અવધિજ્ઞાનનો યોગ મુકે છે. અવધિજ્ઞાન દ્વારા આવાઇ કિરાતોને જુએ છે. જોઈને એકબીજાને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જંબુદ્વીપના ઉત્તરાર્ધ ભરતવર્ષ ક્ષેત્રમાં સિંધુ મહાનદીના કિનારે બાલુ–રેતીના સંથારા પર અવસ્થિત, ઉર્ધ્વમુખ રહેલા, નિર્વસ્ત્રપણે અઠમતપના ધારક આવા કિરાત લોકો પોતાના કુળદેવતારૂપ આપણે મેઘમુખ નાગકુમાર દેવોને મનમાં ધારણ કરીને બેઠેલા છે. તો આપણે માટે એ શ્રેયસ્કર છે કે, આપણે તે આવા કિરાતો પાસે જઈએ. – આ પ્રમાણે વિચારી તેઓએ એકબીજાની આ વાતને સ્વીકારી, સ્વીકારીને પોતાની ઉત્કૃષ્ટ, ત્વરિત ગતિથી – યાવત્ – ગમન કરતા કરતા જ્યાં જંબૂલીપ નામક દ્વિીપ હતો, ઉત્તરાર્ધ ભરતક્ષેત્ર હતું, જ્યાં સિંધુ મહાનદી હતી. જ્યાં આવાડ ચિલાત લોકો હતા ત્યાં આવ્યા. આવીને અંતરિક્ષમાં ઊંચે ઊભા રહીને, ઘૂંઘરુવાળા પંચરંગી વસ્ત્રોને સારી રીતે પહેરેલા તેઓએ આવા કિરાતોને આ પ્રમાણે કહ્યું, અહો આવા કિરાતો ! તમે લોકો બાલ-રેતીના સંથારા પર બેસીને, ઉર્ધ્વમુખ થઈ, નિર્વસ્ત્રપણે અઠમ તપ ધારણ કરી, કુળદેવતારૂપ મેઘમુખ નાગકુમાર દેવો એવા અમારું ધ્યાન કરો છો એટલે તમારા કુળદેવતારૂપ અમે મેઘમુખ નાગકુમારદેવ તમારી સન્મુખ પ્રગટ થયા છીએ. તો અમને કહો કે અમે તમારું કર્યું કાર્ય કરીએ અથવા તમે શું વિચારી રહ્યા છો? ત્યાર પછી તે આવાડ કિરાત તે મેઘમુખ નાગકુમાર દેવોની આ વાતને સાંભળીને સમજીને હર્ષિત, સંતુષ્ટ અને આનંદિત મનવાળા થયા – યાવત્ – પ્રસન્ન હૃદયવાળા થઈને પોતાના સ્થાનેથી ઉડ્યા, ઉઠીને જ્યાં મેઘમુખ નાગકુમારદેવ હતા ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડી – ચાવતું મસ્તકે અંજલિ કરી મેઘમુખ નાગકુમાર દેવોને જય વિજય Page #62 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૬૧ શબ્દોથી વધાવ્યા. વધાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આ કોણ અનિષ્ટની અભિલાષા કરવાવાળા દુરંત પ્રાંતલક્ષણવાળા – યાવત્ – હી – શ્રી પરિવર્જિત છે, જે અમારા દેશ પર આક્રમણ કરવાને માટે પોતાના પરાક્રમથી એકદમ આવી ચડ્યા છે. તો હે દેવાનુપ્રિયો! તમે એવું કરો કે જેથી તેઓ અમારા દેશ પર આક્રમણ કરવા અહીં આવી ન શકે. ત્યારે તે મેઘમુખ નાગકુમાર દેવોએ આવાડ કિરાતોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આ તો પૃથ્વીની ચારે અંતને સાધનાર મહાદ્ધિ, મહાદ્યુતિ – યાવત્ – મહાસૌખ્યવાળા ભરત નામના ચક્રવર્તી રાજા છે. કોઈ દેવ, દાનવ, કિન્નર, કિંમુરિષ, મહોરગ અથવા ગંધર્વ તેને અપ્રિયોગ અથવા મંત્રપ્રયોગ દ્વારા પણ કોઈ ઉપદ્રવ કરવા, રોકવા, ખસેડવા કે ઉદ્વેગ કરવા માટે સમર્થ નથી. તો પણ તમને પ્રિય થાય, સારું લાગે તે માટે અમે ભરતરાજાને ઉપસર્ગ કરીશું. એ પ્રમાણે કહીને તેઓ આવાડકિરાતો પાસેથી બીજે સ્થાને ચાલ્યા ગયા. ત્યાં જઈને તે દેવોએ વૈક્રિય સમુદ્દાત વડે સમુદઘાત કર્યો. સમુદ્ઘાત કરીને મેઘસેના વિકર્વીવિકર્વીને જ્યાં ભરતરાજાનો વિજય રૂંધાવાર નિવેશ હતો ત્યાં આવ્યા. આવીને વિજયઅંધાવાર નિવેશ ઉપર તત્કાળ તણ–તણ ધ્વનિ સાથે મેઘવર્ષા કરવા લાગ્યા. ચારે તરફ વીજળીઓ ચમકાવા લાગ્યા. વીજળી ચમકાવા સાથે યુગમુશલમુષ્ટિ પ્રમાણ – મુશળધાર વરસાદ વરસાવા લાગ્યા. આ રીતે સાત રાત્રિ પર્યન્ત વરસાદ વરસાવવામાં પ્રવૃત્ત થયા. ૦ છત્રરત્ન અને ગૃહપતિરત્ન દ્વારા સાત દિવસનો નિર્વાહ : પછી તે ભરત રાજા વિજય સ્કંધાવાર (-છાવણી) પર યુગ, મુસલ, મુષ્ટિ પ્રમાણ (મુશળધાર) વરસાદને સાત રાત-દિવસ વરસતો જુએ છે. એ પ્રકારે જોઈને ચર્મરત્નને હાથમાં લે છે. હાથમાં લેતા તે ચર્મરત્ન શ્રીવત્સ સદશ આકાર ધારણ કરે છે. ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું -- યાવત્ – તે ચર્મરત્ન તિછું બાર યોજનથી અધિક પ્રમાણ ફેલાઈ જાય છે ત્યારે તે ભરતરાજા અંધાવારની સેના સહિત ચર્મરત્ન પર ચઢી જાય છે. ચઢીને દિવ્ય છત્રરત્ન હાથમાં લે છે. તે છત્રરત્ન ૯૯,૦૦૦ સોનાની શલાકાથી પરિમંડિત હતું. તે મહામૂલ્યવાન અને અયોધ્યા હતું. તે છત્રનો દંડ નિર્વાણ, સુપ્રશસ્ત, વિશિષ્ટ, લષ્ટ, સુવર્ણનો અને મજબૂત હતો. ઘસીને ખૂબ જ નિગ્ધ બનાવેલ હતો અને સુંદર રજતકમળના કિનારા જેવો હતો. છત્રના બરાબર મધ્યમાં દંડ લાગેલો હોવાથી તે પિંજરા જેવા આકારનું દેખાતું હતું. તેના પર વિવિધ પ્રકારના ચિત્રો બનેલા હતા. મણિ, મુક્તા, પ્રવાલ, તપ્ત સુવર્ણ, પાંચ પ્રકારના ચમકતા રત્નોનું બનેલ હતું. તેના પર માંગલિક ચિન્હોની રચના કરાઈ હતી. રત્નના કિરણોની કાંતિથી વિવિધ રંગોથી અનુરંજિત હતું. - આ છત્રરત્ન રાજ્યલક્ષ્મીના ચિન્હરૂપ હતું. તેનો પાછળનો ભાગ અર્જુન સુવર્ણના પતરાથી આચ્છાદિત હતો. તેની ચારે તરફ તપ્ત સુવર્ણના પટ્ટક જડેલા હતા. તે અધિક શોભા સંપન્ન હતું. શરદઋતુના ચંદ્ર સમાન વિમલ અને પ્રતિપૂર્ણ ચંદ્રમંડલ સમાન રૂપવાળું હતું. તેનો સ્વાભાવિક વિસ્તાર રાજા ભરત દ્વારા તિર્યક્ પ્રસારિત–પોતાની બંને Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૨ આગમ કથાનુયોગ-૨ ભૂજાઓના વિસ્તાર જેટલું હતું. કુમુદ વન સદશ ધવલ હતું. તે રાજા ભરતના જંગમ વિમાન સદેશ હતું. સૂર્યના આતપ, તોફાન, વર્ષા આદિ દોષોનું વિનાશક હતું. પૂર્વજન્મમાં આચરિત તપ અને પુણ્યકર્મના ફળસ્વરૂપ તે પ્રાપ્ત હતું. તે છત્રરત્ન અહત–અખંડ હતું. ઐશ્વર્ય આદિ અને ગુણોનું પ્રદાયક હતું. હેમંત આદિ ઋતુઓમાં તદ્વિપરીત સુખપ્રદ છાયા આપતું હતું. છત્રોમાં ઉત્કૃષ્ટ અને પ્રધાન હતું. અલ્પપુણ્ય પુરુષોને માટે દુર્લભ હતું. તે છત્રરત્ન છ ખંડોના અધિપતિ ચક્રવર્તી રાજાઓના પૂર્વાચરિત તપના ફળના એક ભાગરૂપ હતું. દેવયોનિમાં પણ અત્યંત દુર્લભ હતું. તેના પર ફૂલોની માલા લટકતી હતી. તે શરઋતુના ધવલ મેઘ તથા ચંદ્રમાના પ્રકાશ સમાન ભાસ્વર હતું. એક હજાર દેવોથી અધિષ્ઠિત હતું. રાજા ભરતનું તે છત્રરત્ન એવું લાગતું હતું. જાણે ભૂતલ પર પરિપૂર્ણ ચંદ્રમંડલ હોય ત્યાર પછી જ્યારે તે છત્રરત્નને ભરતરાજાએ હાથમાં લીધું ત્યારે જલ્દીથી તે કિંચિંતુ અધિક બાર યોજન તિર્જી ફેલાઈ ગયું. ત્યાર પછી ભરતરાજાએ તે છત્રરત્નને છાવણી ઉપર સ્થાપિત કર્યું. સ્થાપિત કરીને મણિરત્નને હાથમાં ગ્રહણ કર્યું ઇત્યાદિ – થાવત્ – છત્રરત્નના અંદરના ભાગમાં રાખ્યું. - રાજાભરત સાથે ગાથાપતિરત્ન હતો. તે પોતાની અનુપમ વિશેષતા યુક્ત હતો. શિલા જેવા અતિ સ્થિર ચર્મરત્ન પર વાવવા માત્રથી ચોખા, જઉ, ઘઉં, મગ, અડદ, તલ, કળથી, સાઠી, નિષ્પાવ, ચણા, કોદરા, કોથમીર, કાંગ, વરક, રાલક, વરણ, દૂધી, કાકડી, ભાજી, તુંબક, બિજોર, કટહલ, આમ, આંબલી આદિ સર્વે ફળ, શાકભાજી આદિ પદાર્થોને ઉત્પન્ન કરવામાં કુશળ હતો. તે ગાથાપતિએ તે દિવસે વાવેલા પાકેલ, સાફ કરેલ બધાં પ્રકારના ધાન્યોના હજારો કુંભ રાજા ભરતને સમર્પિત કર્યા. રાજા ભરત તે ભીષણ વર્ષા સમયે ચર્મરત્ન પર આરૂઢ રહ્યા, છત્રરત્ન દ્વારા આચ્છાદિત રહ્યા. મણિરત્ન દ્વારા કરાયેલા પ્રકાશમાં રાત-દિવસ રાત્રિ સુખપૂર્વક સુરક્ષિત રહ્યો. તે સમયગાળામાં રાજા ભરતને તથા તેની સેના ભૂખથી પીડાઈ નહીં. તેઓએ દિનતાનો અનુભવ ન કર્યો. તેઓ ભયભીત કે દુઃખી ન થયા. ૦ દેવો દ્વારા નાગકુમારોને ભરતને શરણે જવા ઉપદેશ : ત્યાર પછી જ્યારે સાત દિવસ પૂરા થઈ ગયા ત્યારે તે ભરતરાજાને આવા પ્રકારનો વિચાર આવ્યો, ચિંતન થયું અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો – કોણ છે આ અનિષ્ટની અભિલાષા કરનાર, દુષ્ટ લક્ષણવાળો – યાવત્ – હી શ્રી થી વર્જિત કે જે આ પ્રકારની વિદનકારી પ્રવૃત્તિ દ્વારા જે મારી છાવણી પર મુશળધાર વર્ષા કરવાને માટે મારી સામે ઉભેલો છે. ત્યારે તે ભરતરાજાના આવા પ્રકારના સમુત્પન્ન વિચાર, ચિંતન અને મનોગત સંકલ્પને જાણીને ૧૬,૦૦૦ દેવ સહાયતા કરવાને માટે તૈયાર થઈ ગયા. ત્યારે તે દેવો શસ્ત્રાદિથી સજ્જિત થઈને યુદ્ધ માટે તૈયાર થયા. તેઓએ શરીર પર બખ્તર પહેર્યા, કવચ ધારણ કર્યા – યાવત્ – આયુધ અને પ્રહરણ હાથમાં લીધા, પછી જ્યાં મેઘમુખ નાગકુમાર દેવ હતા ત્યાં આવ્યા. આવીને મેઘમુખ નાગકુમાર દેવોને આ પ્રમાણે કહ્યું, અરે ! ઓ મેઘમુખ નાગકુમાર દેવો ! અનિષ્ટની અભિલાષા કરનારા – Page #64 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૬૩ થાવત્ – હી શ્રી વગરના, શું તમે જાણતા નથી કે તમે, મહાત્ ઋદ્ધિશાળી ચતુર દિગવ્યાપી પૃથ્વીના સ્વામી ભરતરાજાને – યાવત્ – ઉપદ્રવ કરવાને, પાછા હટાવવાને તત્પર થયા છો. તેમજ તમે ભરતરાજાની છાવણી પર મુશળધાર વરસાદ સાત રાતદિવસથી વરસાવી રહ્યા છો. તમે જે કર્યું તે ઠીક છે પણ હવે તેને રોકીને જલ્દી પાછા ખસી જાઓ. નહીં તો આજે જ બીજા લોકને જોશો – મૃત્યુ પામશો. ૦ આવાડ કિરાતોનું ભરતના શરણે જવું : ત્યારે તે મેઘમુખનાગકુમાર દેવો, પે'લા ૧૬,૦૦૦ દેવોની આ વાત સાંભળી ભયભીત, ગ્રસિત, વ્યથિત અને ઉદ્ધગત્રસ્ત થઈ ગયા. ભય પામેલા તેઓએ મેઘસૈન્યનું સંહરણ કરી લીધું – વર્ષાબંધ કરી, કરીને જ્યાં આવાડ ચિલાત લોકો હતા ત્યાં આવ્યા. આવીને આવા કિરાતોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તે ભરતરાજા મહા ઋદ્ધિવાનું છે – યાવત્ – તેને કોઈ દેવ કે દાનવ – યાવતું – અગ્નિપ્રયોગ દ્વારા – યાવત્ – ઉપદ્રવ કરવા કે રોકવામાં કોઈ સમર્થ નથી. તો પણ હે દેવાનુપ્રિયો ! તમારા હિતને માટે અમે ભરતરાજા પર ઉપસર્ગ કર્યો. હે દેવાનુપ્રિયો ! હવે તમે જાઓ. સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરી, ભીના વસ્ત્રનો કટિપ્રદેશે કછોટો બાંધી, ઉત્તમરત્નો લઈને હાથ જોડી પગમાં પડી ભરતરાજાનું શરણું ગ્રહણ કરો. ઉત્તમ પુરુષો નમ્ર થઈ શરણે આવેલા પ્રતિ વાત્સલ્યભાવવાળા હોય છે. ભરતરાજા તરફથી કોઈ ભય રાખશો નહીં. એમ કહી જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા. ત્યારપછી મેઘમુખ નાગકુમાર દેવોની આ વાત સાંભળીને તે આવાડ કિરાતો પોતપોતાના સ્થાનેથી ઊભા થયા. ઊભા થઈને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યું. ભીના વસ્ત્રનો કછોટો બાંધ્યો. પોતાની પાસેના અગ્ર અને ઉત્તમ રત્નો લઈને જ્યાં ભરતરાજા હતા ત્યાં પહોંચ્યા. પહોંચીને બંને હાથ જોડી – યાવત્ – મસ્તકે અંજલિ કરીને જય-વિજય શબ્દોથી વધાવ્યા. વધાવીને અગ્ર અને ઉત્તમ રત્નો ભેટ ભર્યા ભેટ ધરીને આ પ્રમાણે બોલ્યા – હે વસુધર, ગુણધર, જયધર ! હી શ્રી બુદ્ધિ અને કીર્તિના ધારક નરેન્દ્ર ! હજારો સુલક્ષણના ધારક ! અમારા આ રાજ્યને ચિરકાળ સુધી ધારણ કરો. હે અશ્વપતિ, ગજપતિ, નરપતિ, નવનિધિપતિ, ભરત ક્ષેત્રના પ્રથમ અધિપતિ, બત્રીસ હજાર જનપદના સ્વામી ! તમે ચિરંજીવી થાઓ. હે પ્રથમ નરેશ્વર, ઈશ્વર, હજારો સ્ત્રીઓના હૃદયના સ્વામી, લાખો દેવોના ઈશ્વર, ચૌદ રત્નોના અધિપતિ, યશસ્વી ! સમુદ્ર અને પર્વતોની સીમાપર્યતના ઉત્તર અને પશ્ચિમનું સર્વક્ષેત્ર તમે જીતી લીધું છે. તેથી હે દેવાનુપ્રિયો ! હવે અમે આપના દેશના નિવાસી છીએ. અહો આપ દેવાનુપ્રિયના ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ આપને લબ્ધપ્રાપ્ત અને અભિસમન્વાગત થયા છે. તે અમે નજરે જોયું. હે દેવાનુપ્રિય ! અમે આપની ક્ષમાયાચના કરીએ છીએ. હે દેવાનુપ્રિય ! અમને ક્ષમા આપો. આપ ક્ષમા કરવાને સમર્થ છો. હવે ફરીથી અમે આવું નહીં કરીએ. એમ કહીને હાથ જોડી, પગે પડી ભરતરાજાને શરણે ગયા. ત્યારપછી તે ભરતરાજા તે આવાડ-કિરાતોએ લાવેલા અગ્ર ઉત્તમ રત્નોની ભેટનો Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૪ આગમ કથાનુયોગ-૨ સ્વીકાર કરે છે. સ્વીકારીને તે આવા કિરાતોને આ પ્રમાણે કહ્યું, હે (નગરજનો !) હવે તમે અમારી બાહુની છાયાનો સ્વીકાર કર્યો છે. તેથી તમે નિર્ભય અને ઉદ્વેગરહિત થાઓ. સુખપૂર્વક રહો. તમારે કોઈ ભય રાખવાની જરૂર નથી. એ પ્રમાણે કહીને તેઓનો સત્કાર કર્યો, સન્માન કર્યું. સત્કાર અને સન્માન કરીને તેઓને વિદાય કર્યા - ત્યારપછી ભરતરાજાએ સુષેણ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું જા અને ફરીથી પશ્ચિમ તરફના સિંધુસાગર અને પર્વતની મર્યાદા સુધીના ભૂભાગના સમવિષમ નિષ્ફટોને તમારે અધિન કરો. અધિન કરીને તેમના અગ્ર ઉત્તમ રત્નાદિ પ્રાપ્ત કરો. પ્રાપ્ત કરીને જલ્દીથી મારી આજ્ઞાપૂર્તિ થયાની મને સૂચના આપો. ત્યારે ભરતરાજાની આજ્ઞા પામીને તે સેનાપતિએ પૂર્વે કહેલા વિધાન અનુસાર બીજી વખત પશ્ચિમ તરફના સિંધુસાગર અને પર્વતની મર્યાદા સુધીના સમવિષમ નિકૂટોને તે પ્રમાણે (પૂર્વે વર્ણન કર્યા પ્રમાણે) પોતાને અધિન કર્યા. કરીને – યાવત્ - પાંચ પ્રકારના કામભોગોને અનુભવતો આનંદથી વિચરે છે. ૦ લઘુહિમવંત ગિરિકુમાર પર વિજય : ત્યારે કોઈ એક દિવસે તે દિવ્ય ચક્રરત્ન આયુધધરશાળાથી બહાર નીકળ્યું. નીકળીને અંતરિક્ષમાં ઊંચે સ્થિત થયું – યાવત્ – વાયવ્ય દિશામાં લઘુ હિમવંત પર્વત તરફ ગમન કરવા લાગ્યું. ત્યારે તે ભરતરાજા તે દિવ્યચક્રરત્નનું અનુગમન કરતા – થાવત્ – લઘુ હિમવંત પર્વતથી બહુ દૂર નહીં, બહુ નજીક નહીં એવા સ્થાને બાર યોજના લાંબો, નવયોજન પહોળો પડાવ નાખ્યો – યાવત્ – લઘુ હિમવંત ગિરિકુમાર દેવના નિમિત્તે અઠમતપને ગ્રહણ કર્યો. અહીં બધું જ કથન માગધકુમાર દેવ અનુસાર સમજી લેવું – યાવત્ – સમુદગર્જના સમાન નિનાદ કરતા (તે રાજા) ઉત્તર દિશા-અભિમુખ જ્યાં લઘુ હિમવંત વર્ષધર પર્વત છે ત્યાં આવ્યો. – આવીને લઘુ હિમવંત વર્ષધર પર્વતને ત્રણ વખત રથના શિખરના અગ્રભાગથી સ્પર્શ કર્યો. સ્પર્શ કરીને રથના ઘોડાને ઉભા કર્યા. ઊભા કરીને પૂર્વે માગધતીર્થના વર્ણનમાં કહ્યા મુજબ – યાવત્ – એક ધનુષ લઈને વિશાળ બાણને કાન સુધી ખેંચ્યું – યાવતું – રાજા ભરત દ્વારા જોડાયેલ તે બાણ શીઘ્રતાથી બોંતેર યોજન સુધી જઈને લઘુ હિમવંત ગિરિકુમાર દેવની મર્યાદામાં જઈને પડ્યું. ત્યાર પછી લઘુ હિમવંત ગિરિકુમાર દેવ પોતાની સીમામાં પડેલા બાણને જુએ છે. જોઈને ક્રોધાભિભૂત થયો, રોષાયમાન થયો – યાવતું – (માગધ તીર્થકુમાર દેવની માફક) પ્રીતિદાન, સર્વ ઔષધી, માળા, ગોશીષ ચંદન અને કટક - યાવત્ – કહજળને ગ્રહણ કરે છે. કરીને ઉત્કૃષ્ટ ગતિથી થાવત્ ઉત્તરમાં લઘુ હિમવંતગિરિની મર્યાદામાં (આવીને બોલ્યો) હવે હું આપનો દેશવાસી, પ્રજાજન છું – યાવત્ – હું આપ દેવાનુપ્રિયના ઉત્તર દિશાનો અંતપાલ છું – યાવત્ – વિદાય આપી. ૦ કાકણી રત્ન દ્વારા નામ લેખન : તે કાળે ભરતરાજાએ પોતાના ઘોડા ઊભા રાખ્યા. રાખીને રથને પાછો વાળ્યો. પછી જ્યાં ઋષભકૂટ પર્વત છે ત્યાં આવ્યા. આવીને ત્યાં રથના અગ્રભાગથી ત્રણ વખત ઋષભકૂટ પર્વતનો સ્પર્શ કર્યો. સ્પર્શ કરીને ઘોડાને ઊભા રાખ્યા. ઊભા રાખીને છ Page #66 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા તલવાળું, બાર ખૂણાવાળું, આઠ કિનારાવાળું, અધિકરણ આકારવાળું કાકિણી રત્ન હાથમાં લીધું, હાથમાં લઈને ઋષભકૂટ પર્વતના પૂર્વ તરફના કટક પર પોતાનું નામ લખ્યું. અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતિમ સમયમાં હું ભરત નામનો ચક્રવર્તી થયો છું. હું પ્રથમ રાજા છું, સમસ્ત ભરતનો અધિપતિ અને નરવરેન્દ્ર છું. મારો કોઈ પ્રતિશત્રુ નથી. મેં સમગ્ર ભારત વર્ષને જીતી લીધું છે. એ પ્રમાણે પોતાનું નામ લખે છે. ૦ ભરતનું વૈતાઢ્ય ગમન અને સ્ત્રીરત્નની પ્રાપ્તિ : નામ લખ્યા પછી રથને પાછો વાળે છે. વાળીને જ્યાં પડાવ હતો, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવે છે, આવીને – યાવત્ – લઘુહિમવંત ગિરિકુમારદેવના અષ્ટાલિક મહામહોત્સવ સંપન્ન થયા પછી દિવ્યચક્રરત્ન આયુધઘરશાળામાંથી બહાર નીકળ્યું, નીકળીને – યાવત્ – દક્ષિણ દિશા તરફના વૈતાઢ્ય પર્વતની સામેની દિશામાં ચાલ્યું, ત્યારે તે ભરતરાજા તે દિવ્યચક્રરત્નનું અનુગમન કરતા – યાવત્ – વૈતાય પર્વતના ઉત્તર ભાગ તરફ આવ્યા. આવીને વૈતાદ્ય પર્વતના ઉત્તર ભાગમાં બાર યોજના લાંબો, નવ યોજન પહોળો પડાવ નાંખ્યો – યાવત્ – પૌષધશાળામાં પ્રવેશ કર્યો – યાવત્ – નમિ અને વિનમિ નામના વિદ્યાધર રાજાના ઉપલક્ષમાં અઠમતપ ગ્રહણ કર્યો – યાવત્ – નમિ અને વિનમિ વિદ્યાધર રાજાઓને મનમાં ધારણ કરતો રહેવા લાગ્યો. ત્યારપછી જ્યારે ભરતરાજાનો અઠમ તપ પૂરો થયો ત્યારે નમિ અને વિનમિ વિદ્યાધર રાજા પોતાની દિવ્યમતિથી પ્રેરાઈને બંને એકબીજાની પાસે આવ્યા. આવીને આ પ્રકારે બોલ્યા – હે દેવાનુપ્રિય ! જંબૂદીપ નામનો હીપના ભરતવર્ષ ક્ષેત્રમાં ચાતુરંત ચક્રવર્તી ભરત નામનો રાજા ઉત્પન્ન થયો છે. અતીત–વર્તમાન અને અનાગત કાળના વિદ્યાધર રાજાઓનો આ પરંપરાગત આચાર છે કે, ચક્રવર્તીનું સન્માન કરવું જોઈએ. હે દેવાનુપ્રિય! ચાલો આપણે પણ ભરતરાજાનું સન્માન કરીએ. એવું વિચારી દિવ્યમતિ પ્રેરિત એવો વિનમિ વિદ્યાધર, ચક્રવર્તીની સમૃદ્ધિને જાણીને માનોન્માન પ્રમાણ શરીર ધારિણી, તેજસ્વી, રૂપ-લક્ષણ યુક્ત, સ્થિર યૌવના, અવસ્થિત વાળ અને નખવાળી, સમસ્ત રોગ નાશિની, બળ—પુષ્ટિ દાયિકા, ઇચ્છિત શીતોષ્ણ સ્પર્શવાળી (એવી કન્યા), “સ્ત્રીરત્ન”ને સાથે લીધી. – (તે કન્યા) ત્રણ સ્થાનોમાં કૃશ હતી–કટિપ્રદેશ, ઉદર અને હનુ. ત્રણ સ્થાનોમાં લાલ હતી – હોઠ, તાલુ અને હાથપગના તળીયા. તેનો કમરનો મધ્યભાગ ત્રિવલીયુક્ત હતો. તેના ત્રણ અંગ ઉન્નત્ત હતા – સ્તન, જઘન, યોનિ, ત્રણ અંગ ગંભીર હતા – નાભિ, સત્વ અને સ્વર, ત્રણ અંગ શ્યામ વર્ણના હતા – રોમરાજી, સ્તનની ડીંટડી, આંખની કીકી, ત્રણ અંગ શ્વેત, ત્રણ અંગ પ્રલંબ અને ત્રણ અંગ વિસ્તારવાળા હતા. તેનું શરીર સમચતુરઢ સંસ્થાનવાળું હતું. ભરતક્ષેત્રની બધી સ્ત્રીઓમાં સર્વોત્તમ હતી. તેના સ્તન, જઘન, કમરની નીચેના ભાગ, હાથ, પગ ઘણાં જ સુંદર હતા. નેત્ર, માથાના વાળ, હોઠ રતિ ઉત્પન્ન કરનાર હતા. મનોહર હતા. શ્રૃંગાર અને આકાર ચિત્ત આકર્ષક હતા. તે લોકવ્યવહારમાં કુશળ હતી. પોતાના સૌંદર્ય દ્વારા દેવાંગનાના રૂપને પણ ઝાંખુ પાડતી હતી. યૌવનસંપન્ના એવી સુભદ્રા નામક સ્ત્રીરત્નને (વિનમિ વિદ્યાધર, ચક્રવર્તી Jain Pર પn |ternational Jain International Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૬ માટે ભેટણા રૂપે લાવ્યો). નમિ વિદ્યાધર રત્ન, કટક, ત્રુટિત, બાજુબંધને લઈને પોતાની ઉત્કૃષ્ટ, ત્વરિત યાવત્ – અતિ વેગવાનૢ વિદ્યાધરગતિથી જ્યાં ભરતરાજા હતો, ત્યાં પહોંચ્યો. પહોંચીને આકાશમાં ઊંચે સ્થિત થઈ ઘૂંઘરુવાળા વસ્ત્રો પહેર્યા યાવત્ – જયવિજય શબ્દોથી વધાવ્યા. વધાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે સમસ્ત ભરતક્ષેત્રને જીતી લીધું છે. તેથી અમે હવે આપ દેવાનુપ્રિયના આજ્ઞાકારી સેવક છીએ. એમ કહીને દેવાનુપ્રિય ! અમારા ઉપહારને સ્વીકાર કરો – યાવત્ – વિનમીએ સ્ત્રીરત્નને અને મિએ રત્ન આદિને સમર્પિત કર્યાં. આપ -- ત્યાર પછી તે ભરતરાજા યાવત્ – વિદાય આપે છે. વિદાય આપીને પૌષધશાળામાંથી બહાર નીકળે છે. નીકળીને સ્નાનગૃહમાં ગયા યાવત્ ભોજનમંડપમાં ગયા યાવત્ નમિ વિનમિ વિદ્યાધર રાજાઓના ઉપલક્ષમાં આઠ દિવસીય મહામહોત્સવ કર્યો. ૦ ગંગાદેવી તથા નટ્ટમાલક દેવ દ્વારા પ્રીતિષ્ઠાન : ત્યાર પછી તે દિવ્યચક્રરત્ન આયુધઘરશાળાથી બહાર નીકળ્યું – યાવત્ – ઇશાન દિશા તરફ ગંગાદેવીના ભવન તરફ પ્રયાણ કર્યું. બાકી સર્વ કથન સિંધુદેવીની વક્તવ્યતા અનુસાર જાણવું – યાવત્ વિશેષ એટલું કે રત્નના આશ્ચર્યકારી ૮૦૦૦ કુંભ તથા મણિ, કનક અને રત્નોના અનેક પ્રકારના ચિત્રો જેના ઉપર બનેલા હતા તેવા બે સુવર્ણના સિંહાસન ગંગાદેવીએ અર્પણ કર્યા. શેષ પૂર્વવત્ – યાવત્ મહામહોત્સવ કર્યો. – ગંગાદેવીના ઉપલક્ષમાં આઠ દિવસીય મહામહોત્સવ સંપન્ન થયા બાદ તે દિવ્યચક્રરત્ન આયુધઘરશાળાથી બહાર નીકળ્યું. નીકળીને – યાવત્ – ગંગા મહાનદીના પશ્ચિમી કિનારેથી થઈને દક્ષિણ દિશામાં ખંડ પ્રપાત નામક ગુફાની સામે પહોંચ્યું. ત્યારે ભરતરાજા પણ યાવત્ – જ્યાં ખંડપ્રપાત ગુફા હતી ત્યાં આવ્યો. આવીને સર્વકથન કૃતમાલક દેવની વક્તવ્યતા અનુસાર જાણવું. વિશેષતા એટલી કે દેવનું નામ નટ્ટમાલક હતું. પ્રીતિદાનમાં અલંકાર, કટક આદિ સામગ્રી પૂર્વવત્ જાણવી યાવત્ - મહામહિમાવાળો આઠ દિવસીય ઉત્સવ કર્યો. -- ― -- - આગમ કથાનુયોગ-૨ -- - નટ્ટમાલક દેવ નિમિત્તનો આઠ દિવસીય મહોત્સવ સંપન્ન થયા પછી તે ભરતરાજાએ સુષેણ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને – યાવત્ – સર્વ વર્ણન સિંધુનદીના વર્ણન અનુસાર જાણવું યાવત્ – ગંગા મહાનદીના પૂર્વ ભાગના નિષ્કુટપ્રદેશને ગંગાસાગર અને પર્વતની મર્યાદા પર્યંતના સમવિષમ નિકૂટ ક્ષેત્ર છે, તેને અધિન કરો. અધિન કરીને અગ્ર ઉત્તમ રત્નોને ભેટરૂપે સ્વીકાર કરે છે. સ્વીકારીને જ્યાં ગંગાનદી છે ત્યાં આવે છે. આવીને બીજી વખત પોતાના સ્કંધાવારના બળ—સેનાની સાથે નૌકા સમાન બનેલ ચર્મરત્ન દ્વારા વિમલજળની ઊંચી ઊંચી તરંગોવાળી ગંગાનદીને પાર કરે છે. પાર કરીને જ્યાં ભરતરાજાનો પડાવ હતો, જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં આવે છે. આવીને આભિષેક્ય હસ્તિરત્નથી નીચે ઉતરે છે. ઉતરીને અગ્ર ઉત્તમ રત્નો લઈને જ્યાં ભરતરાજા હતા ત્યાં આવે છે. આવીને બંને હાથ જોડી યાવત્ – અંજલિ કરી - Page #68 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૬૭ ભરતરાજાને જય-વિજય શબ્દોથી વધાવે છે. વધાવીને અગ્ર ઉત્તમ રત્નો સામે ધરે છે. ત્યારપછી તે ભરતરાજા સુષેણ સેનાપતિ દ્વારા લેવાયેલ તે અગ્ર ઉત્તમ રત્નોને સ્વીકાર્યા. સ્વીકારીને સુષેણ સેનાપતિના સત્કાર, સન્માન કર્યા. સત્કાર, સન્માન કરીને તેને વિદાય આપી, ત્યારે તે સુષેણ સેનાપતિ ભરતરાજા પાસેથી નીકળ્યો ઇત્યાદિ શેષવર્ણન પૂર્વ કથનાનુસાર જાણવું – યાવત્ – આનંદોપભોગ કરે છે. ૦ ભારતનું પ્રતિગમન : ત્યાર પછી કોઈ એક સમયે ભરતરાજાએ સુષેણ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું જા અને ખંડપ્રપાત ગુફાના ઉત્તર દ્વારના કમાડોને ખોલ, ખોલીને જે પ્રમાણે તિમિસ્ત્ર ગુફાના વર્ણનમાં કહ્યું હતું. તેમ અહીં પણ સમજી લેવું - યાવત્ – આ સમાચાર આપને પ્રિય થાઓ. શેષ વર્ણન પૂર્વવત્ – યાવત્ – ભરતરાજાએ ઉત્તર દ્વારેથી પ્રવેશ કર્યો. જે રીતે ચંદ્ર મેઘઘટાઓના અંધકારને દૂર કરી દે છે. એ રીતે પ્રવેશ કરીને રાજા ભરત મંડલોનું આલેખન કરી (અંધકાર દૂર કરી દે છે.). તે ખંડપ્રપાત ગુફાની બરાબર મધ્યમાં – યાવત્ – ઉન્મગ્રકલા અને નિમગ્રજલા નામની બે નદીઓ વહેતી હતી. શેષકથન પૂર્વવત્ જાણવું. વિશેષ એટલું કે, આ બંને નદીઓ પશ્ચિમમાં આવેલા કટક પ્રદેશ વિશેષથી પ્રવાહિત થઈને પૂર્વદિશામાં ગંગાનદીમાં મળતી હતી. શેષ વર્ણન પૂર્વવત્ વિશેષ એ કે, પશ્ચિમી તટથી ગંગામહાનદી પર સંક્રમપુલ બનાવેલો પુલનું વર્ણન પૂર્વવત્ જાણવું. ત્યાર પછી ખંડપ્રપાત ગુફાના દક્ષિણી હારના કમાડ ક્રૌંચપક્ષી માફક જોરથી અવાજ કરતા સરસરાહટ સાથે પોતાના સ્થાનેથી સરકી ગયા. ત્યાર પછી ચક્રરત્ન દ્વારા નિર્દેશિત માર્ગનું અનુસરણ કરતા રાજા ભરત ઘોર અંધકારને ચીરીને આગળ વધતા ચંદ્રમાની જેમ ખંડપ્રપાત ગુફાના દક્ષિણ દ્વારથી નીકળ્યો. ૦ નવનિધિ ઉત્પત્તિ : ત્યાર પછી તે ભરતરાજાએ ગંગા મહાનદીના પશ્ચિમી કિનારે બાર યોજન લાંબો, નવ યોજન પહોળો – યાવત્ – વિજય રૂંધાવારનો નિવેશ કર્યો. શેષ કથન માગધદેવ પ્રમાણે જાણવું – યાવત્ – નિધિ રત્નોની આરાધના માટે અઠમ તપને ગ્રહણ કર્યો. ત્યાર પછી તે ભરતરાજા પૌષધશાળામાં – યાવત્ – નિધિરત્નોનું મનમાં ધ્યાન કરતા ત્યાં રહે છે. અઠમતપ પૂર્ણ થતા તે નવ નિધિઓ પોતાના અધિષ્ઠાતા દેવોની સાથે ત્યાં ભરતરાજા સન્મુખ ઉપસ્થિત થઈ. તે નિધિઓ અપરિમિત લાલરત્નોથી યુક્ત હતી. ધ્રુવ– અક્ષય તથા અવ્યય હતી. લોકમાં સુખશાંતિની વૃદ્ધિ કરનારી અને લોક પ્રસિદ્ધ હતી. તે આ પ્રમાણે – (નવનિધિ – નામ અને વર્ણન) ૧. નૈસર્પ, ૨. પાંડુક, ૩, પિંગલક, ૪. સર્વરત્ન, ૫. મહાપઘ, ૬. કાલ, ૭. મહાકાલ, ૮, માણવક અને ૯. શંખ. તેનો પ્રભાવ–સામર્થ્ય આદિ આ પ્રમાણે છે – ૧. નૈસર્પનિધિ :- ગ્રામ, આકર, નગર, પટ્ટણ, દ્રોણમુખ, મંડળ, ઝંઘાવાર, દુકાન, ઘર આદિના સ્થાપનમાં આ નિધિ ઉપયોગી છે. ૨. પાંડુકનિધિ :- ગણિત વિદ્યાની ઉત્પત્તિમાં, માન, ઉન્માન અને પ્રમાણ વિદ્યાના હેતુરૂપ છે. ધાન્યોના બીજો ઉત્પન્ન કરવામાં આ નિધિ સમર્થ હોય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આગમ કથાનુયોગ-૨ ૩. પિંગલક નિધિ :- પુરુષો, સ્ત્રીઓ, ઘોડા અને હાથી માટેના આભૂષણો ઉત્પન્ન કરવામાં આ નિધિ સમર્થ હોય છે. ૪. સર્વરત્ન નિધિ :- સમસ્ત રત્નોમાં સર્વોત્તમ એવા ચક્રવર્તી રાજાના ચૌદ રત્નોને ઉત્પન્ન કરવામાં સમર્થ હોય છે. જેમાં સાત એકેન્દ્રિય રત્ન હોય છે. સાત પંચેન્દ્રિય રત્નો હોય છે. (ચૌદ રત્નો આ પ્રમાણે–) – એકેન્દ્રિય રત્ન :- ૧. ચક્રરત્ન, ૨. છત્રરત્ન, ૩. ચામરરત્ન, ૪. દંડરન, ૫. અસિરત્ન, ૬. મણિરત્ન અને ૭. કાકણીરત્ન. - પંચેન્દ્રિય રત્ન :- ૧. સેનાપતિ રત્ન, ૨. ગૃહપતિ રત્ન, 3. વર્ધકી રત્ન, ૪. પુરોહિત રત્ન, પ. હસ્તિ રત્ન, ૬. અશ્વ રત્ન, ૭. સ્ત્રી રત્ન ૫. મહાપમહાનિધિ :- સર્વ પ્રકારના વસ્ત્રોન ઉત્પન્ન કરે છે. વસ્ત્રનું રંગવું, ધોવું આદિ સમગ્ર સજાવટમાં સમર્થ હોય છે. ૬. કાલનિધિ :- કાલજ્ઞાનની જનક છે. સમસ્ત જ્યોતિષ વિદ્યાની જ્ઞાપક છે. તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ વંશોના ભૂત, વર્તમાન અને ભવિષ્યની સૂચક છે. તેમના શુભાશુભની જ્ઞાપક છે તથા સો પ્રકારના શિલ્પોની પરિચાયક છે. ૭. મહાકાલ નિધિ :- લોઢાની ઉત્પત્તિ બતાવે છે તથા ચાંદી અને સોનાની ખાણો, મણિ, મોતી, સ્ફટિક અને પ્રવાલોની ઉત્પત્તિની બોધક છે. ૮. માણવક નિધિ :- યોદ્ધા, શસ્ત્ર, બખ્તર આદિની ઉત્પત્તિની સૂચક છે તથા સર્વ પ્રકારની યુદ્ધનીતિ અને દંડનીતિની જ્ઞાપક છે. ૯. શંખનિધિ :- નાટ્ય વિધિ, નાટક વિધિ. ચાર પ્રકારના કાવ્યો તથા બધાં પ્રકારના વાદ્યો અને તેના અંગોની ઉત્પત્તિની દર્શક આ શંખ મહાનિધિ છે. આ પ્રત્યેક મહાનિધિ આઠ-આઠ ચક્રો પર પ્રતિષ્ઠિત છે. આઠ-આઠ યોજના ઊંચી, નવ–નવ યોજન પહોળી તથા બાર–બાર યોજન લાંબી છે. તેનો આકાર પેટી સમાન છે. તે બધી ગંગાનદી પાસે રહેલી છે. આ નિધિઓના કબાટ સુવર્ણના બનેલા છે, તેના દ્વાર વૈર્ય મણિના બનેલા છે. તેમાં વિવિધ પ્રકારના રત્નો જડેલા છે. તેના પર સૂર્ય, ચંદ્ર, ચક્ર આદિના ચિન્હો બનેલા છે. તેના દરવાજા સમચોરસ છે. - આ નિધિઓની સ્થિત પલ્યોપમની છે. તેના અધિષ્ઠાતા દેવોના નામ નિધિના નામ સમાન છે. તે નિધિ તે દેવોના આવાસરૂપ છે. આ નિધિઓ ખરીદી શકાતી નથી. તેના દેવના આધિપત્યમાં જ રહે છે. આ નવ નિધિરત્નો પ્રભૂત ધન અને રત્નના સંચયમાં સમૃદ્ધ છે. જે ભરતક્ષેત્રના અધિપતિ ભરત ચક્રવર્તીને અધીન થઈ. - ત્યારપછી તે ભરતરાજા અઠમ તપની આરાધના પરિપૂર્ણ થતા પૌષધશાળામાંથી બહાર નીકળે છે. પૂર્વવત્ સ્નાનગૃહમાં પ્રવેશ કરે છે – યાવત્ – શ્રેણી–પ્રશ્રેણી પ્રજાજનને બોલાવે છે – યાવત્ – નિધિરત્નોના ઉપલક્ષમાં આઠ દિવસીય મહામહોત્સવ કરે છે. નિધિરત્નોના માનમાં કરાયેલ આઠ દિવસનો મહામહોત્સવ સંપન્ન થયા બાદ તે ભરતરાજાએ સુષેણ સેનાપતિ રત્નને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! તું જા અને ગંગાનદીના પૂર્વ તરફના નિકૂટ ક્ષેત્રને બીજી વખત પણ Page #70 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૬૯ ગંગાસાગર અને પર્વતની મર્યાદા સુધીના સમ–વિષમ નિષ્ફટોને અધીન કરો. અધીન કરીને અહીં આવી, મને આજ્ઞાપાલન થયાની સૂચના આપો. ત્યાર પછી તે સુષેણ સેનાપતિએ તે પ્રમાણે કર્યું, આદિ વર્ણન પૂર્વવત્ અહીં પણ સમજી લેવું – યાવત્ – તે ક્ષેત્રોને અધીન કરીને આજ્ઞા અનુસાર કાર્ય થયાની સૂચના આપી - યાવત્ – ભરતરાજાએ તેને વિદાય આપી – યાવતુ – તે ભોગોપભોગ ભોગવતો વિચરે છે. ૦ વિનિતા રાજધાની પ્રતિગમન : ત્યારપછી અન્ય કોઈ દિવસે તે દિવ્ય ચક્રરત્ન આયુધઘરશાળાથી બહાર નીકળ્યું. નીકળીને આકાશમાં ઊંચે સ્થિત થઈને અને ૧૦૦૦ યક્ષોથી સંપરિવૃત્ત દિવ્યવાદ્યોના નાદ સાથે – યાવતું – આકાશને ગુંજાવતા વિજયરૂંધાવાર નિવેશની વચ્ચોવચ્ચથી નીકળે છે. નીકળીને દક્ષિણ-પશ્ચિમ દિશામાં વિનીતા રાજધાની તરફ જનારા માર્ગ પર ચાલ્યા. ત્યાર પછી તે ભરતરાજા – યાવત્ – તે ચક્રરત્નને જતું જુએ છે. જોઈને હર્ષિત–સંતુષ્ટ થયો – યાવત્ – કૌટુંબિક પુરુષોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી આભિષેક્ય હસ્તિરત્નને તૈયાર કરો – યાવત્ – આજ્ઞાપૂર્તિની સૂચના આપે છે. ત્યારપછી રાજ્યને અર્જિત કરનાર, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર, સમસ્ત રત્નોમાં પ્રધાન એવું ચક્રરત્ન જેને ત્યાં ઉત્પન્ન થયેલ છે, નવનિધિઓનો સ્વામી, સમૃદ્ધ કોશ–ખજાના યુક્ત, જેનું ૩૨,૦૦૦ રાજા અનુગમન કરે છે, જેણે ૬૦,૦૦૦ વર્ષોમાં ભરત વર્ષhત્રને પોતાને અધીન કરેલું છે, એવો તે ભરતરાજા કૌટુંબિક પુરુષોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલદીથી અભિષેક્ય હસ્તિરત્ન, ઘોડા, હાથી, રથ વગેરે પૂર્વે કરેલા વર્ણન અનુસાર અહીં પણ સમજી લેવું – યાવત્ – અંજનગિરિના શિખર સમાન ગજપતિ ઉપર તે નરપતિ–રાજાભરત આરૂઢ થયો. - જ્યારે ભરતરાજા આભિષેક્ય હસ્તિરત્ન પર આરૂઢ થયો. ત્યારે આઠ–આઠ મંગલ તેની આગળ ચાલ્યા. તે આ પ્રમાણે – સ્વસ્તિક, શ્રીવત્સ – યાવત્ – દર્પણ. ત્યાર પછી પૂર્ણકલશ, ભંગાર, દિવ્યત્ર અને પતાકા – યાવત્ – ચાલ્યા. ત્યાર પછી વૈડૂર્યરત્નનો ચમકતો વિમલદંડ – યાવત્ – અનુક્રમે ચાલ્યો. ત્યાર પછી સાત એકેન્દ્રિય રત્નો અનુક્રમે આગળ ચાલ્યા. તે આ પ્રમાણે :- ૧. ચક્રરત્ન, ૨. છત્રરત્ન, 3. ચામરરત્ન, ૪. દંડરન, ૫. અસિરત્ન, ૬. મણિરત્ન અને ૭. કાકણીરત્ન. ત્યારપછી અનુક્રમે નવ મહાનિધિ આગળ ચાલી. તે આ પ્રમાણે – નૈસર્પ, પાંડુક - યાવત્ – શંખ. ત્યાર પછી અનુક્રમથી ૧૬,૦૦૦ દેવો આગળ ચાલ્યા. ત્યાર પછી અનુક્રમથી ૩૨,૦૦૦ રાજા આગળ ચાલ્યા. ત્યાર પછી સેનાપતિ રત્ન આગળ ચાલ્યો. આ પ્રમાણે અનુક્રમથી ગૃહપતિરત્ન, વર્ધકીરત્ન અને પુરોહિતરત્ન આગળ ચાલ્યા. ત્યાર પછી સ્ત્રીરત્ન સુભદ્રા આગળ ચાલી. ત્યાર પછી ૩૨,૦૦૦ કલ્યાણિકા આગળ ચાલી. ત્યાર પછી અનુક્રમથી ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા આગળ ચાલી, ત્યાર પછી બત્રીશ–બત્રીશના સમૂહવાળી એક એવી ૩૨,૦૦૦ નાટક મંડળી અનુક્રમે આગળ ચાલી. ત્યારપછી ૩૬૦ સૂત અનુક્રમથી આગળ ચાલ્યા. ત્યાર પછી, અનુક્રમે અઢાર શ્રેણિ—પ્રશ્રેણિજનો આગળ ચાલ્યા. તે આ પ્રમાણે – કુંભાર, વણકર, સોની, સૂપકાર, Page #71 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ ગંધર્વ, કાશવક, માલાકાર, કચ્છકાર, તંબોલિક, ચર્મકાર, યંત્રપીલક, ગંછિય, છિપા, કાંસ્યકાર, સીવક, ગુઆર, ભિન્ન અને ધીવર. ત્યાર પછી અનુક્રમથી ચોર્યાશી લાખ ઘોડાની શ્રેણી, ચોર્યાશી લાખ હાથીની શ્રેણી, ચોર્યાશી લાખ રથ, છન્નુ કરોડનું પાયદળ (મનુષ્યો) આગળ ચાલ્યા, ત્યાર પછી અનેક રાજા, ઈશ્વર, તલવર – યાવત્ – સાર્થવાહ વગેરે અનુક્રમે આગળ ચાલ્યા. ૭૦ ત્યારપછી ઘણાં તલવારધારી, લાઠીધારી, કુંતધારી, ધનુર્ધારી, ચામરધારી, પાશધારી, ફલકધારી, પરશુધારી, પુસ્તકધારી, વીણાધારી, કૂપધારી, હડફપાનદાનીધારી, દીપિકાધારી, પોતપોતાના રૂપોથી, વેશથી, ચિન્હથી, પોતપોતાના કાર્ય માટે નિયુક્ત, પોતપોતાના વસ્ત્રો ધારણ કરી અનુક્રમે આગળ ચાલ્યા. ત્યાર પછી ઘણાં દંડી, મુંડી, શિખંડી, શિખાધારી, પીછાધારી, વિદૂષક, જુગારી, દવકારી, ચાટુકારક, કંદપ્પિક, કૌકુત્યિક, મૌખરિક આદિ ગાતા, વગાડતા, ખેલકૂદ કરતા, નાચતા, હસતા, રમતા, કીલકીલ કરતા અનુક્રમે આગળ ચાલ્યા. તથા શીખ દેવાવાળા, ભૂત, વર્તમાન, ભાવિ કથન કરનારા, શુભ વયન બોલનારા, કોલાહલ કરનારા, શોભતા, શોભાવતા, અવલોકન કરતા, જય-જયકાર કરતા અનુક્રમથી આગળ ચાલ્યા. આ બધું વર્ણન ઉવવાઈ સૂત્રમાં રાજા કોણિકની વંદનયાત્રા અનુસાર જાણવું – યાવત્ – તે રાજાની આગળ—આગળ મહાન્ અશ્વો, અશ્વધર ચાલવા લાગ્યા. બંને બાજુમાં મોટામોટા હાથી, તેના મહાવત, તેની પાછળ રથ, રથોનો સમૂહ (આદિ) અનુક્રમથી ચાલ્યા. ત્યારપછી ભરતક્ષેત્રાધિપતિ, નરેન્દ્ર, હાર વડે વ્યાસ, સુશોભિત અને પ્રીતિકર વક્ષઃસ્થલવાળા, અમરપતિ તુલ્ય સુપ્રશસ્ત સમૃદ્ધિવાન્, વિશ્રુત કીર્તિ, સમુદ્રની ગર્જનાવત્ સિંહનાદ કરતો, સર્વ પ્રકારની ઋદ્ધિ તથા દ્યુતિ સમન્વિત, ભેરી, ઝાલર, મૃદંગ આદિ અન્ય વાદ્યોના ધ્વનિ સાથે, હજારો ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, મંડબ યુક્ત પૃથ્વીને જીતતો ઉત્તમ શ્રેષ્ઠ રત્ન ભેટ સ્વરૂપે પ્રાપ્ત કરતો, દિવ્ય ચક્રરત્નને અનુસરતો, એક-એક યોજનના અંતરે પડાવ નાંખતો અને રોકાતો એવો ભરત રાજા જ્યાં વિનીતા રાજધાની હતી ત્યાં આવ્યો. રાજધાનીથી થોડે અંતરે બાર યોજન લાંબો અને નવ યોજન પહોળો સ્કંધાવાર નિવેશ કર્યો અર્થાત્ સસૈન્ય પડાવ નાંખ્યો. પછી વર્કીરત્નને બોલાવ્યો. બોલાવીને પૌષધશાળામાં પ્રવેશ કર્યો. કરીને વિનીતા રાજધાની નિમિત્તે યાવત્ અઠ્ઠમ તપ ગ્રહણ કર્યો. કરીને – યાવત્ – અટ્ઠમ તપ સાથે પ્રતિ જાગૃત રહીને સાવધાન રહીને જાગતા—જાગતા આરાધના કરે છે. - - અઠ્ઠમભક્ત તપ આરાધના સંપન્ન થયા બાદ તે ભરતરાજા પૌષધશાળામાંથી બહાર નીકળ્યો. નીકળીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આભિષેક્સ હસ્તિરત્ન તૈયાર કરવો, સ્નાન કરવું આદિ વર્ણન પૂર્વવત્ જાણવું. આગળનું વર્ણન વિનીતા રાજધાનીથી વિજયહેતુ પ્રસ્થાન સમાન છે. વિશેષ એટલું કે, વિનીતા રાજધાનીમાં પ્રવેશ કરવાના અવસરે નવ મહાનિધીઓ તથા ચાર સેનાઓએ રાજધાનીમાં પ્રવેશ કર્યો નહીં. રાજા ભરતે અંજનગિરિના શિખર સમાન ગજપતિ પર આરૂઢ થઈને પ્રવેશ કર્યો. શેષ Page #72 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૭૧ વર્ણન પૂર્વવત્ જાણવું – યાવતું – નિર્દોષ નાદ દ્વારા આકાશમંડલને ગંજાવતો વિનીતા રાજધાનીની વચ્ચોવચ્ચ થઈને જ્યાં પોતાનું ઘર-આવાસ હતો, જ્યાં ઉત્તમ વિશાળ ઊંચા ભવનનું પ્રવેશદ્વાર હતું તે તરફ ગમન કર્યું. - જ્યારે તે ભરતરાજા વિનીતા રાજધાનીના મધ્યાતિમધ્યમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે કેટલાંક દેવો વિનીતા રાજધાનીને અંદર–બહાર પાણીથી સીંચી રહ્યા હતા, સાફ કરી રહ્યા હતા, ઉપલિપ્ત કરી રહ્યા હતા. કેટલાંક દેવો માર્ગમાં મંચ બનાવી રહ્યા હતા. આ પ્રમાણે શેષ વર્ણન “વિજયદેવ" અધિકાર અનુસાર સમજવું. (જેમકે) કેટલાંક દેવો અનેક પ્રકારની રંગબેરંગી કપડાંની ધ્વજા પતાકાઓને આકાશમાં ફરકાવીને નગરીની ભૂમિને શોભિત કરી રહ્યા હતા. કેટલાંક દેવો ચંદરવો બાંધીને સજાવટ કરી રહ્યા હતા. કેટલાંક દેવ ગંધવર્તિકા સમાન નગરને સુગંધમય કરી રહ્યા હતા. કેટલાંક દેવો ચાંદીની, કેટલાંક સુવર્ણની, રત્નની, વૈડૂર્યની, મણિની, હીરાની આભૂષણોની વર્ષા કરી રહ્યા હતા. જ્યારે તે ભરતરાજા વિનીતા રાજધાનીના મધ્યાતિમધ્યમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે શૃંગાટકો – યાવત્ – મોટા મોટા રાજમાર્ગોમાં ઘણાં ધનાર્થી, કામાર્થી, ભોગાર્થી, લાભાર્થી, ઋદ્ધિના અભિલાષી, કિલ્બિષિક, કારોટિક, કારવાહિક, શાંખિક, ચક્રધારી, હળધારી, મુખમાંગલિક, પૂસમાણવક, વર્તમાનક, લખ–પંખ આદિ લોક, પોતપોતાની ઉદાર, ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનામ, શિવ, ધન્ય, મંગલ, શોભાયુક્ત હૃદયને આનંદ દેનારી વાણી દ્વારા નિરંતર અભિનંદન કરતા સ્તુતિ કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા જનજનને માટે આનંદ દેનારા રાજન્ ! આપનો જપ થાઓ. આપનો વિજય થાઓ. જન-જનને માટે કલ્યાણ સ્વરૂપ રાજન્ ! આપ સદા જયશીલ થાઓ. આપનું કલ્યાણ થાઓ, જેને નથી જીત્યુ તેના પર આપ વિજય પ્રાપ્ત કરો. જેને જીતી લીધું છે તેનું પાલન કરો, તેની વચ્ચે નિવાસ કરો. દેવોમાં ઇન્દ્ર, તારામાં ચંદ્ર, અસુરોમાં ચમરેન્દ્ર તથા નાગકુમારોમાં ધરણેન્દ્ર માફક લાખો પૂર્વ, કરોડો પૂર્વ, કોડાકોડી પૂર્વ પર્યન્ત વિનીતા રાજધાનીનું અને લઘુ હિમવંત પર્વત તથા સમુદ્રપર્યત સીમાવાળા સંપૂર્ણ ભરતક્ષેત્રનું તેના ગામ, આકર, નગર, ખેડા, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટ્ટન, આશ્રમ, સન્નિવેશોનું સમ્યક્ પ્રકારે શાસન દ્વારા પ્રજાનું પાલન કરીને સારી રીતે યશ પ્રાપ્ત કરો – યાવત્ – સમસ્ત ભરતક્ષેત્રનું આધિપત્ય, પૌરોહિત્વ, સ્વામિત્વ ભોગવો – યાવત્ – આનંદપૂર્વક વિચારો. આ પ્રમાણે બોલતા–બોલતા ભરતરાજાનો જયજયકાર કરે છે. ૦ ભરત દ્વારા દેવાદિ સત્કાર અને વિદાય : ત્યારપછી તે ભરતરાજા હજારો નેત્રો દ્વારા જોવાતો-જોવાતો, હજારો મુખો દ્વારા સ્તવાતો–સ્તવાતો, હજારો હદયો દ્વારા અભિનંદાતો–અભિનંદાતો, હજારો મનોરથો દ્વારા સ્પર્શીતા-સ્પર્શાતો, કાંતિરૂપ અને સૌભાગ્ય ગુણો દ્વારા દેખાડાતો–દેખાડાતો, હજારો અંગુલિયો દ્વારા નિર્દેશાતો-નિર્દેશાતો, હજારો નર-નારીઓની અંજલીઓને પોતાના જમણા હાથ વડે સ્વીકારતો-સ્વીકારતો તેમજ હજારો ભવનોની પંક્તિઓને પાર કરતો – તંત્રી, તાલ, ત્રુટિત, ગીત આદિ વાદ્યોના મધુર, મનોહર, મંજુલ ઘોષો દ્વારા આદર, સન્માન પ્રાપ્ત કરતો-કરતો જ્યાં તેનું ઘર–આવાસ હતો. જ્યાં તેનું ઉત્તમ ભવનનું Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આગમ કથાનુયોગ-૨ દ્વાર હતું, ત્યાં આવે છે. આવીને પોતાના આભિષેક્ય હસ્તિરત્નને ઊભો રાખ્યો. રાખીને આભિષેક હસ્તિરત્નથી નીચે ઉતર્યો. ઉતરીને ૧૬,૦૦૦ દેવોનું સત્કા–સન્માન કર્યું. સત્કાર-સન્માન કરીને ૩૨,૦૦૦ રાજાઓનું સત્કાર–સન્માન કર્યું. કરીને સેનાપતિરત્નનું સત્કાર–સન્માન કર્યું. કરીને એ જ પ્રમાણે – ગૃહપતિરત્ન, વર્ધકિરન, પુરોહિતરત્નના સત્કાર-સન્માન કર્યા. કરીને ૩૬૦ સૂપકારોના સત્કાર-સન્માન કર્યા. કરીને અન્ય પણ ઘણાં રાજા, ઈશ્વર યાવત્ સાર્થવાહ પ્રભૂતિના સત્કાર-સન્માન કર્યા. (તે બધાંના) સત્કાર-સન્માન કરી વિદાય આપી. ત્યારપછી સ્ત્રીરત્ન–૩૨,૦૦૦ ઋતુ કલ્યાણિકા, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા, બત્રીશબદ્ધ ૩૨,૦૦૦ નાટક મંડલી સાથે સંપરિવૃત્ત થઈને સર્વ ભવનોમાં શિખર સમાન અને કૈલાશ પર્વતમાં શિખર સમાન ઊંચા એવા ભવનમાં કૈલાશ પર્વતના શિખરે પ્રવેશ કરતા દેવરાજ સદશ તે રાજાએ પ્રવેશ કર્યો. ત્યારપછી તે ભરતરાજાએ મિત્રોનું, જ્ઞાતિજનોનું, પોતાના સ્વજનોનું, સંબંધિઓનું, પરિજનોનું નિરીક્ષણ કર્યું. કરીને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં ગયો, જઈને – યાવત્ – સ્નાનગૃહથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં ભોજનમંડપ છે ત્યાં આવ્યો. આવીને ભોજનમંડપમાં સુખાસને બેસીને અઠમભક્તનું પારણું કર્યું. કરીને ઉપર પોતાના ઉત્તમ પ્રાસાદમાં આવ્યો. ત્યાં બેસીને વાગતા મૃદંગ સાથે બત્રીશબદ્ધ નાટકો જોતો જોતો, સાંભળતો–સાંભળતો, આનંદ કરતો-કરતો મહાન્ ભોગોને ભોગવતો-ભોગવતો વિચરે છે. ૦ ભરતનો રાજ્યાભિષેક : ત્યારપછી અન્ય કોઈ દિવસે રાજ્યધુરાનું ચિંતન કરતા રાજા ભરતને આ પ્રકારનો – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. મેં મારા બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ દ્વારા લઘુહિમવંત પર્વતથી લઈને સમુદ્ર પર્યંતની સીમામાં આવેલ સંપૂર્ણ ભરતક્ષેત્ર પર વિજય પ્રાપ્ત કર્યો છે. હવે મારા માટે એ શ્રેયસ્કર છે કે ઘણા ધૂમધામ સાથે રાજ્યાભિષેક દ્વારા અભિસિંચન કરવું. આ પ્રમાણે વિચારે છે. વિચારીને કાલે પ્રાતઃકાળે સૂર્યનો ઉદય થતાં જ જ્યાં સ્નાનગૃહ છે - યાવત્ – સ્નાન કરીને બહાર નીકળ્યો. નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળામાં જ્યાં સિંહાસન હતું ત્યાં આવે છે. આવીને પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન પર બેઠો. ત્યારપછી ૧૬,૦૦૦ દેવોને, ૩૨,૦૦૦ રાજાઓને, સેનાપતિરત્નને – યાવત – પુરોહિત રત્નને, ૩૬૦ સૂપકારોને, અઢાર શ્રેણી–પ્રશ્રેણીઓને અને બીજા પણ ઘણાં રાજા, ઈશ્વર, કોટવાલ યાવત્ સાર્થવાહોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! મેં મારા બળ, વીર્ય દ્વારા – યાવત્ – ભરતક્ષેત્રને જીતી લીધું છે. તેથી હે દેવાનુપ્રિયો ! તમે બધા મળીને ધૂમધામ સાથે મારા રાજ્યાભિષેકનો પ્રબંધ કરો. ત્યાર પછી ભરતરાજાની આ આજ્ઞા સાંભળીને તે ૧૬,૦૦૦ દેવો – યાવત્ – સાર્થવાહ આદિ સર્વે હર્ષિત–સંતુષ્ટ થયા. બંને હાથ જોડી મસ્તકે અંજલિ કરી ભરતરાજાની તે આજ્ઞાને સારી રીતે વિનયપૂર્વક સ્વીકારે છે. ત્યાર પછી ભરતરાજા જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો. આવીને – યાવત્ – અઠમ તપની પ્રતિજાગૃત થઈ આરાધના કરે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૭૩ અઠમભક્ત તપ પૂર્ણ થતાં તે રાજા ભરતે આભિયોગિકદેવોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! વિનીતા રાજધાનીના ઇશાન ખૂણામાં જલ્દીથી એક વિશાલ અભિષેક મંડપની વિફર્વણા કરો. કરીને અભિષેક મંડપ તૈયાર થયાની મને સૂચના આપો. ત્યાર પછી તે આભિયોગિક દેવ ભરતરાજાની તે આજ્ઞા સાંભળીને હર્ષિતસંતુષ્ટ થયા – યાવત્ – “હે સ્વામી! તે પ્રમાણે થશે.” કહીને તે આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને વિનીતા રાજધાનીના ઇશાન ખૂણામાં ગયો. જઈને વૈક્રિય સમુદ્દઘાત કર્યો. કરીને સંખ્યાત યોજન લાંબો દંડ બનાવ્યો તે આ પ્રમાણે રત્નોનો – યાવત્ રિષ્ટ રત્નોના, યથાબાદર પુદ્ગલોને દૂર કર્યા અને યથાસૂમ પુદગલો ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને બીજી વખત પણ વૈક્રિય સમુઘાત કરી અત્યંત સમતલ, રમણીય ભૂમિભાગની રચના કરી. તે ઢોલકના ઉપરના ભાગ સમાન હતો. તે સમતલ અને રમણીય ભૂમિભાગની વચ્ચોવચ્ચ એક વિશાળ અભિષેક મંડપની રચના કરી. તેમાં અનેક સ્તંભ લાગેલા હતા – યાવત્ – સુગંધમય વાટિકા જેવો બનાવી દીધો. અહીં પ્રેક્ષાગૃહનું વર્ણન સમજી લેવું. તે અભિષેક મંડપના ઠીક મધ્યભાગમાં એક મહાન અભિષેક પીઠ બનાવી જે અત્યંત સ્વચ્છ અને નિગ્ધ હતી. તે અભિષેક પીઠની ત્રણ દિશાઓમાં ત્રણ સોપાનો જેવી રચના કરી. તે ત્રણ સોપાનોનું વર્ણન સમજી લેવું – યાવત્ – તેની પર તોરણોની રચના કરી. તે અભિષેકપીઠનો ભૂભાગ ઘણો જ સમ અને રમણીય હતો. તે સમ અને રમણીય ભૂભાગની ઠીક મધ્યમાં એક વિશાળ સિંહાસનની વિદુર્વણા કરી, તે સિંહાસન – યાવત્ – માળાનું વર્ણના “વિજયદેવ'ના અધિકાર પ્રમાણે સમજી લેવું ત્યાર પછી તે દેવ અભિષેક મંડપની રચના કરે છે, રચના કરીને જ્યાં ભરતરાજા હતો. ત્યાં આવીને – યાવત્ – આજ્ઞાનુસાર કાર્ય સંપન્ન થયાની સૂચના આપે છે. ત્યારપછી આભિયોગિક દેવોની વાત સાંભળી, સમજીને તે ભરતરાજા હર્ષિત, સંતુષ્ટ થયો – યાવત્ – પૌષધશાળાની બહાર નીકળ્યો. નીકળીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી આભિષેક્ય હસ્તિરત્નને તૈયાર કરો, કરીને હાથી, ઘોડા – યાવત્ – સજાવીને મારી આ આજ્ઞાનું પાલન થયાની મને સૂચના આપો – યાવત્ – તે દેવોએ તેમ કર્યું. ત્યારે તે ભરતરાજાએ ખાનગૃહમાં પ્રવેશ કર્યો – યાવત્ – અંજનગિરિના શિખર જેવા ગજપતિ ઉપર તે નરપતિ ભરતરાજા આરૂઢ થયો. ત્યારપછી જ્યારે તે ભરતરાજા આભિષેક્ય હસ્તિરત્ન પર આરૂઢ થયા ત્યારે તેની આગળ આઠ-આઠ મંગલ ચાલવા લાગ્યા. શોભાયાત્રાનું સમસ્ત વર્ણન વિનીતા રાજધાનીના પ્રવેશ વખતે કરાયેલ, તે પ્રમાણે જાણવું – થાવ – પ્રતિબધ્યમાનું થતા– થતા વિનીતા રાજધાનીના મધ્યભાગથી નીકળે છે, નીકળીને જ્યાં વિનીતા રાજધાનીના ઇશાન ખૂણામાં અભિષેક મંડપ છે ત્યાં આવે છે. આવીને અભિષેક મંડપના દ્વારે આભિષેજ્ય હસ્તિરત્નને ઊભો રાખે છે. ઊભો રાખીને આભિષેકય હસ્તિરત્નથી નીચે ઉતરે છે. ઉતરીને સ્ત્રીરત્ન–૩૨,૦૦૦ તુ કલ્યાણિકા–૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા તથા બત્રીશબદ્ધ–૩૨,૦૦૦ નાટ્યમંડળી સાથે અભિષેક મંડપમાં પ્રવેશ કરે છે. પ્રવેશ Page #75 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ કરીને, જ્યાં અભિષેક પીઠ છે ત્યાં આવે છે. આવીને અભિષેક પીઠની અનુપ્રદક્ષિણા કરીને પૂર્વ તરફના ત્રિસોપાન જેવા સોપાન પર ચડે છે. ચડીને જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે. આવીને પૂર્વદિશા તરફ મુખ કરી સિંહાસન ઉપર બેઠો. ૭૪ ત્યારપછી તે રાજા ભરતના ૩૨,૦૦૦ રાજા જ્યાં અભિષેક મંડપ છે ત્યાં આવે છે. આવીને અભિષેક મંડપમાં પ્રવેશ કરે છે. પ્રવેશીને અભિષેક પીઠની અનુપ્રદક્ષિણા કરીને ઉત્તર તરફના ત્રિસોપાન પ્રતિરૂપકથી જ્યાં ભરતરાજા હતા ત્યાં આવે છે. આવીને બંને હાથ જોડી – યાવત્ – મસ્તકે અંજલિ કરી ભરતરાજાને જય—વિજય વડે વધાવે છે. વધાવીને ભરતરાજાની બહુ દૂર નહીં, બહુ નીકટ નહીં એવા સ્થાને તેમની સેવા કરતા યાવત્ – પર્યુંપાસના કરે છે. - - ત્યારપછી તે ભરતરાજાના સેનાપતિરત્ન – યાવત્ – સાર્થવાહ આદિ પણ તે જ રીતે પ્રવેશ કરે છે. વિશેષ એટલું કે, તેઓ દક્ષિણ તરફના ત્રિસોપાન પ્રતિરૂપકથી પ્રવેશ કરી – યાવત્ – પર્યાપાસના કરે છે. ત્યાર પછી તે ભરતરાજા આભિયોગિક દેવોને બોલાવે છે. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! હવે જલ્દીથી મારો મહાર્થ, મહાઈ, મહાર્હ મહારાજા પદ સંબંધિ અભિષેક કરો, ત્યારે તે આભિયોગિક દેવ ભરતરાજાની આ વાત સંભળી અત્યંત હર્ષિત–સંતુષ્ટ થયા — યાવત્ – ઇશાનખૂણા તરફ ગયા. જઈને વૈક્રિય સમુઘાત કર્યો. - – - (અભિષેક સંબંધિ) સર્વ વર્ણન ‘વિજયદેવ''ના અભિષેક અનુસાર જાણવું - યાવત્ – પંડક વનમાં એક સ્થાને એકત્રિત થયા. એકત્રિત થઈને જ્યાં દક્ષિણાર્ધ ભરતવર્ષ ક્ષેત્ર છે, જ્યાં વિનીતા રાજધાની છે, ત્યાં આવ્યા. આવીને વિનીતા રાજધાનીની પ્રદક્ષિણા કરી જ્યાં અભિષેક મંડપ છે, જ્યાં ભરતરાજા છે ત્યાં આવ્યા, આવીને મહાર્થ, મહાર્દ, મહાર્દ, મહારાજ્યાભિષેકની તૈયારી કરી. ત્યાર પછી શુભ તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર, મુહૂર્ત આવ્યા ત્યારે ઉત્તર પ્રોષ્ઠપદાના વિજયમુહૂર્તમાં ૩૨,૦૦૦ રાજા ઉત્તમ કમળો પર રાખેલ, ઉત્તમ સુગંધિત જળથી ભરેલ, તે સ્વાભાવિક અને વિક્રિયા દ્વારા બનાવેલ કળશો દ્વારા યાવત્ – ઘણી ધૂમધામથી રાજા ભરતનો રાજ્યાભિષેક કરે છે. અભિષેક સંબંધિ વર્ણન ‘વિજયદેવ’'ના અધિકાર પ્રમાણે સમજી લેવું. અભિષેક કરીને પ્રત્યેક પ્રત્યેક યાવત્ – અંજલિ કરીને ઇષ્ટ પ્રિય વાણી દ્વારા જેમ પ્રવેશના વર્ણનમાં કહેલું તેમ અહીં સમજવું – યાવત્ જય-જય શબ્દો બોલે છે. ૦ નગરમાં દ્વાદશવર્ષીય પ્રમોદ ઘોષણા : - - ત્યાર પછી તે રાજા ભરતના સેનાપતિરત્ન યાવત્ – પુરોહિતરત્ન, ૩૬૦ સૂપકાર, અઢાર શ્રેણી—પ્રશ્રેણીજનો તથા બીજા પણ ઘણાં – યાવત્ – સાર્થવાહ આદિ આ જ પ્રમાણે ઉત્તમ કમળો પર રાખેલ કળશો દ્વારા અભિષેક કરે છે – યાવત્ – સ્તુતિ કરે છે. ૧૬,૦૦૦ દેવ પણ આ રીતે અભિષેક કરે છે. વિશેષ એટલું કે, પદ્મ સનાન સુકોમલ વસ્ત્ર દ્વારા દેવોએ રાજા ભરતના શરીરને સ્વચ્છ કર્યું – યાવત્ મુગટ પહેરાવ્યો. ત્યાર પછી દદ્દર–ચંદન આદિ સુગંધિત પદાર્થોનું શરીર પર વિલેપન કર્યું. દિવ્ય એવી સુંદર પુષ્પમાળા પહેરાવી. વિશેષ કેટલું વર્ણન કરવું ? ગ્રંથિમ, વેષ્ટિમ માળાઓ - Page #76 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૭૫ દ્વારા – યાવત્ - વિભૂષિત કરે છે. મહાનું એવા રાજ્યાભિષેકથી અભિસિંચિત્ થયા બાદ તે ભરતરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે હાથીના ઉત્તમ સ્કંધ પર આરૂઢ થઈને વિનીતા રાજધાનીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર – યાવત્ – મોટા માર્ગો અને ગલિયોમાં ઊંચા અવાજમાં ઉદ્ઘોષણા કરાવો કે, આજથી બાર વર્ષનો પ્રમોદ ઉત્સવ આરંભ થાય છે. આ સમયે સમગ્ર રાજ્ય શુલ્કરહિત, કરરહિત, ખેડાણરહિત, દેવારહિત અને માપરહિત રહેશે. તેમજ ભટ્ટના ગૃહપ્રવેશ અને દંડ-કુદંડ રહિત રહેશે – યાવત્ – પુરજનપદ સહિત આ બાર વર્ષનો પ્રમોદ ઉત્સવ મનાવવામાં આવશે. આ ઘોષણા કરીને મારી આજ્ઞાનું પાલન થયાની મને સૂચના આપો. ત્યારે તે કૌટુંબિક પુરુષ ભરતરાજાની આ વાત સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળા, પ્રિતીયુક્ત મનવાળા થયા. હર્ષના વશથી તેમના હૃદય વિકસિત થયા, તેમણે વિનયપૂર્વક આજ્ઞા સ્વીકારી. પછી તત્કાળ હાથીના સ્કંધ પર બેસીને – યાવતુ – ઘોષણા કરી. કરીને આજ્ઞાપૂર્તિની સૂચના આપી. ૦ રાજા ભરતનું પોતાના પ્રાસાદે જવું : મહાનું એવા રાજ્યાભિષેકથી અભિસિંચિત્ થયેલ તે ભરત રાજા સિંહાસનથી ઊભા થયા. ઊભા થઈને સ્ત્રીરત્ન – યાવત્ – ૩૨,૦૦૦ નાટકોથી પરિવૃત્ત થઈ અભિષેક પીઠથી પૂર્વ દિશાવર્તી ત્રિસાપન પ્રતિરૂપકથી નીચે ઉતર્યો. ઉતરીને અભિષેક મંડપથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં આભિષેક્ય હસ્તિરત્ન હતો, ત્યાં આવ્યા. આવીને અંજનગિરિના શિખર સમાન ગજપતિ પર – યાવત્ – આરૂઢ થયા. પછી તે ભરતરાજાના ૩૨,૦૦૦ રાજાઓ અભિષેક પીઠના ઉત્તર દિશાવર્તી ત્રિસોપાન પ્રતિરૂપક દ્વારા નીચે ઉતર્યા. પછી ભરતરાજાના સેનાપતિ રત્ન – યાવત્ – સાર્થવાહ વગેરે અભિષેક પીઠની દક્ષિણ બાજુના ત્રિસોપાન પ્રતિરૂપક દ્વારા નીચે ઉતર્યા. તે વખતે જ્યારે તે ભરતરાજા આભિષેક્ય હસ્તિરત્ન પર આરૂઢ થયા ત્યારે આઠ–આઠ મંગળ આગળ – યાવતુ – ચાલવા લાગ્યા. સત્કારના પાઠ સિવાયનું પ્રવેશના સમયનું જે વર્ણન પહેલા કરાયું છે, તે જ વર્ણન અહીં પણ સમજી લેવું. તથા કુબેર પર્વતનો આખો સૂત્રપાઠ પણ અહીં જાણવો – યાવત્ – કૈલાશ પર્વતના શિખરની ઉપર કુબેર સમાન તે ભરતરાજા પોતાના પ્રાસાદે સુખનો અનુભવ કરે છે. ત્યારપછી તે ભરતરાજા સ્નાનગૃહમાં પ્રવેશ્યો. પ્રવેશીને – યાવત્ – ભોજન મંડપમાં સુખાસને બેસીને અઠમભક્ત તપનું પારણું કર્યું. કરીને ભોજનમંડપથી બહાર આવ્યો. આવીને ઉત્તમ પ્રાસાદના ઉપરના ભાગમાં ઢોલક આદિ વાદ્ય વાગી રહ્યા હતા – થાવત્ – ભોગવતો વિચરે છે. ત્યારપછી જ્યારે બાર વર્ષનો પ્રમોદ પ્રસંગ પૂર્ણ થઈ ગયો ત્યારે તે ભરતરાજા જ્યાં ખાનગૃહ હતું ત્યાં આવ્યા. આવીને – યાવત્ – સ્નાનગૃહથી બહાર નીકળ્યા. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી – યાવતુ – સિંહાસન પર પૂર્વ તરફ મુખ કરીને બેઠા. બેસીને ૧૬,૦૦૦ દેવોના સત્કાર-સન્માન કર્યા. સત્કાર-સન્માન કરીને તેમને વિદાય આપી. પછી ૩૨,૦૦૦ રાજાઓના સત્કાર-સન્માન કર્યા. કરીને સેનાપતિરત્નના Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬ આગમ કથાનુયોગ-૨ સત્કાર-સન્માન કર્યા. કરીને – યાવત્ – પુરોહિતરત્નના સત્કાર-સન્માન કર્યા. કરીને ૩૬૦ સૂપકારોના સત્કાર-સન્માન કર્યા, અઢાર શ્રેણી–પ્રશ્રેણીજનોના સત્કાર-સન્માન કર્યા કરીને બીજા પણ ઘણાં રાજા, ઈશ્વર, તલવર યાવત્ સાર્થવાહ આદિના સત્કારસન્માન કરીને બધાંને વિદાય આપી. વિદાય આપીને ઉત્તમ પ્રાસાદના ઉપરના ભાગમાં જઈને – યાવત્ – ભોગ ભોગવતો વિચરે છે. ૦ રત્ન અને મહાનિધિઓના ઉત્પત્તિ સ્થાન : ભરતરાજાના ૧. ચક્રરત્ન, ૨. દંડરન, 3. અસિરત્ન, ૪. છત્રરત્ન. આ ચાર એકેન્દ્રિય રત્નો આયુધશાળામાં સમુત્પન્ન થયા. ૫. ચર્મરત્ન, ૬. મણિરત્ન અને ૭. કાકણીરત્ન અને નવમહાનિધિ શ્રીગૃહમાં ઉત્પન્ન થયા. ૧. સેનાપતિરત્ન, ૨. ગૃહપતિરત્ન, 3. વર્ધકિરત્ન અને ૪. પુરોહિતરત્ન. આ ચાર મનુષ્યરત્ન વિનીતા રાજધાનીમાં ઉત્પન્ન થયા. ૫. અશ્વરત્ન અને ૬. હસ્તિરત્ન એ બે પંચેન્દ્રિયરત્નો વૈતાઢ્ય પર્વતની તળેટીમાં ઉત્પન્ન થયા. ૭. સુભદ્રા નામક સ્ત્રીરત્ન ઉત્તરદિશાવર્તી વિદ્યાધર શ્રેણીમાં ઉત્પન્ન થયેલ. ૦ ભરત ચક્રવર્તીની શાસન ઋદ્ધિ : ત્યારે તે ભરતરાજા (ચક્રવર્તી) ચૌદરત્નો, નવ મહાનિધિ, ૧૬,૦૦૦ દેવતા, ૧૬,૦૦૦ (માંડલીક) રાજાઓ, ૩૨,૦૦૦ ઋતુ કલ્યાણિકા, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા, બત્રીશબદ્ધ ૩૨,૦૦૦ નાટક, ૩૬૦ સૂપકારો, અઢાર શ્રેણી–પ્રશ્રેણીજન, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૯૬ કરોડ મનુષ્યો (પાયદળ), ૭૨,૦૦૦ ઉત્તમપુર (નગર), ૨૨,૦૦૦ જનપદ, ૯૬ કરોડ ગામ, ૯૯,૦૦૦ દ્રોણમુખ, ૪૮,૦૦૦ પટ્ટણ, ૨૪,૦૦૦ કર્બટ, ૨૪,૦૦૦ મડબ, ૨૦,૦૦૦ આકર, ૧૬,૦૦૦ ખેડા, ૧૪,૦૦૦ સંબોધ, છપ્પન અંતરોદક (જલ અન્તર્વતી સ્થાન), ૪૯ કુરાજ્યો, વિનીતા રાજધાની, લઘુહિમવંત પર્વતથી સમુદ્ર મર્યાદા પર્યાનું ભરતક્ષેત્ર અને બીજા પણ અનેક રાજા, ઈશ્વર, તલવર – યાવત્ – સાર્થવાહ આદિનું આધિપત્ય, પૌરોપત્ય, ભર્તૃત્વ, સ્વામિત્વ, મહત્તરત્વ, આજ્ઞેશ્વરત્વ, સૈનાપત્ય કરતા, પાલન કરતા (સખ્ય નિર્વાહ કરતા) વિચરતા હતા. (રાજા ભરતે) પોતાના સમસ્ત શત્રુરૂપ કંટકોને ઉખેડીને ફેંકી દીધા, સર્વશત્રુઓને જીતી લીધા. પછી ભરતખંડનો અધિપતિ (ચક્રવર્તી) રાજા થયો. તેનું સમસ્ત શરીર ઉત્તમ ચંદન લેપથી ચર્ચિત હતું, ઉત્તમ હાર આદિથી તેનું વક્ષસ્થળ શોભતું હતું. મસ્તક પર ઉત્તમ મુગટ ધારણ કરેલા, શરીર પર ઉત્તમ વસ્ત્ર અને આભૂષણ ધારણ કરેલા, તેના મસ્તક પર બધી ઋતુઓના ઉત્તમ પુષ્પોની માળા શોભતી હતી. ઉત્તમ નાટક—નાટિકાઓ તથા ઉત્તમ સ્ત્રીઓના સમૂહથી ઘેરાયેલો હતો. સર્વ ઔષધિ, સર્વરત્નો તથા પોતાની સર્વ શોભાથી સંપન્ન હતો. તેના સંપૂર્ણ મનોરથ પૂરા થયા હતા. પોતાના સર્વશત્રુના માનનું મર્દન કરેલ હતું. પૂર્વકૃત્ તપના પ્રભાવથી સુખરૂપ ફળનો તેણે સંચય કર્યો હતો. આવો તે ભરત નામનો રાજા મનુષ્ય સંબંધિ ભોગો ભોગવતો વિચરતો હતો. ૦ સુંદરીની દીક્ષા :(ભઋષભને કેવળજ્ઞાન થયું ત્યારે બ્રાહ્મી વગેરેએ દીક્ષા લીધેલી. સુંદરી અતિ Page #78 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૭૭ સ્વરૂપવાનું હોવાથી ભરતરાજા તેને સ્ત્રીરત્ન પદે સ્થાપવા ઇચ્છતા હોવાથી તેણીને દીક્ષાની અનુમતિ ન આપી. તેણી શ્રાવિકા બની) રાજા ભરત ૬૦,૦૦૦ વર્ષે ભારત વર્ષક્ષેત્ર જીતીને વિનીતા રાજધાની પધાર્યા. પછી બાર વર્ષનો મહારાજ્યાભિષેક મહોત્સવ થયો. બાર વર્ષીય રાજ્યાભિષેક મહોત્સવ પૂર્ણ થયા બાદ સર્વેને વિદાય આપી. પછી પોતાના સ્વજનવર્ગનું સ્મરણ કરવા લાગ્યા. તે વખતે બધાં સ્વજનોને જોતા-જોતા સુંદરીને જોઈ. તેણીને ખૂબ જ કૃશકાય અને પ્લાન મુખવાળી જોઈ. (સ્વજનોને પૂછયું કે, સુંદરી આવી કૃશકાય અને જ્ઞાનમુખ કેમ થઈ ગઈ છે ? ત્યારે સ્વજનોએ જણાવ્યું કે–). જે દિવસે ભરતરાજાએ દિગ્વીજય યાત્રાનો આરંભ કર્યો તે જ દિવસથી સુંદરીએ આયંબિલનો તપ આરંભ કર્યો હતો. તેણીને જોઈને રોષાયમાન થયેલ રાજાએ કૌટુંબિકજનોને કહ્યું કે, કેમ મારે ત્યાં ભોજન મળતું ન હતું. જેથી આ આટલી કૃશકાય અને પ્લાન સૌંદર્યવતી બની ગઈ ? કે પછી વૈદ્યો મળતા ન હતા ? ત્યારે કુટુંબીજનોએ રાજાને સમજાવ્યું કે, તેણી એટલા માટે આયંબિલ કરતી રહી છે જેથી તમારો તેના પરનો રાગ ઘટી જાય. સુંદરીએ પણ ભરતને કહ્યું કે, હવે જો તમને રુચે તો મારી સાથે ભોગ ભોગવો અને મારું રૂપ ન ગમે તો મને દીક્ષાની અનુજ્ઞા આપો. ત્યારે ભરત તેના પગે પડી ગયો. તેણીને રજા આપી અને સુંદરીએ પણ દીક્ષા લીધી. ૦ બાકીના અઠાણુ ભાઈઓની દીક્ષા : અન્ય કોઈ દિવસે ભરતરાજાએ તેમના ભાઈઓને ત્યાં દૂતો મોકલ્યા. કહેવડાવ્યું કે, તમે મારી આજ્ઞામાં રહીને રાજ્ય ભોગવો અર્થાત્ માટે શરણે આવી જાઓ. ભાઈઓએ ઉત્તર આપ્યો કે, આ રાજ્ય અમને પિતા તરફથી મળેલું છે અને તમને પણ પિતાએ જ રાજ્ય આપ્યું છે. અમે પિતા (ભગવંત ઋષભ) પાસે જઈશું તેમને પૂછીશું અને તેઓ જેમ કહેશે તેમ કરીશું. તે વખતે ભષભ અષ્ટાપદ તરફ વિચરતા હતા. બધાં. ભાઈઓએ ભેગા થઈને ભગવંત પાસે જઈને પૂછયું કે, આ રાજ્ય તો આપનું આપેલું છે અને મોટા ભાઈ ભરત તે આંચકી લેવા માગે છે. તો અમે શું કરીએ ? શું યુદ્ધ કરીએ કે તેની આજ્ઞાનો સ્વીકાર કરીએ ? (શેષ કથા ભઋષભના ચરિત્ર પ્રમાણે જાણવી) – યાવતું – અઠાણુ ભાઈઓએ દીક્ષા લીધી. ૦ બાહુબલી સાથે યુદ્ધ : પોતાના અઠ્ઠાણું ભાઈઓની દીક્ષા થયા પછી ભરતે બાહુબલી પાસે દૂત મોકલ્યો. બાકીના ભાઈઓની દીક્ષાની વાત સાંભળી બાહુબલી ક્રોધિત થઈ ગયા. દૂતને કહ્યું કે, તે ભાઈઓ તો નાના હતા એટલે દીક્ષા અપાવી દીધી. પણ હું યુદ્ધ માટે સમર્થ છું, મને જીત્યા વગર તું કઈ રીતે જીતેલ કહેવાઈશ ? મારી સાથે લડવા આવી જાય. ત્યારે બંને પોતાના દેશની સરહદ ઉપર સર્વ સૈન્ય–બળ સાથે ભેગા થયા. (અહીં કલ્પસૂત્ર વૃત્તિકાર સૂત્ર-૨૧રની વૃત્તિમાં એવું જણાવે છે કે-) બાહુબલિએ ભારતની આજ્ઞા ન માનતા ભરતે તેના પર ચડાઈ કરી. ભરત અને બાહુબલિ વચ્ચે બાર વર્ષ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું. બંનેના સૈન્યોમાં પુષ્કળ મનુષ્યોનો સંહાર થયો. પણ બંનેમાંથી કોઈ હાર્યું નહીં. આ રીતે ઘણાં મનુષ્યોનો સંહાર થતો જાણી ત્યાં શક્રઇન્દ્રએ આવી તેઓને Page #79 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ સમજાવ્યા કે સૌજન્યથી સુશોભિત એવા તમે બંને ભાઈઓનું યુદ્ધ ખરેખર જગા દુર્ભાગ્યથી જ ઉપસ્થિત થયું છે. માટે તે બંધ કરવું જોઈએ. પણ જો તમે એકબીજા પર વિજય મેળવ્યા વિના અટકવાના જ ન હો તો તમે બંને જાતે પરસ્પર ઉત્તમ યુદ્ધ કરો, પણ સંખ્યાબંધ પ્રાણીઓનું વિઘાતક એવું આ મધ્યમ યુદ્ધ બંધ જ કરો. આ પ્રમાણે શક્રનું વચન બંનેએ કબૂલ કર્યું. પછી શક્રએ દૃષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ એ ચાર યુદ્ધથી પરસ્પર બંને ભાઈઓએ લડવું એમ ઠરાવ કર્યો. (આવશ્યક નિયુક્તિ ૩૪૮ની વૃત્તિ, આવશ્યક ભાષ્ય ૩૨, ૩૩; આવશ્યક ચૂર્ણિ ૧-પૃ. ૨૧૦ મુજબ–) બાહુબલિએ ભરતને કહ્યું, અપરાધરહિત લોકોને મારવાથી શો લાભ છે ? હું અને તું – આપણે બે જ યુદ્ધ કરીએ. ભરતે પણ કહ્યું કે, ભલે તેમ થાઓ. તે બંને વચ્ચે પહેલા દૃષ્ટિ યુદ્ધ થયું તેમાં ભરત હારી ગયો. પછી વાગ્યુદ્ધ થયું તેમાં પણ ભરત હારી ગયો. પછી બાહુયુદ્ધ થયું તેમાં પણ ભરત હારી ગયો. પછી મુષ્ટિયુદ્ધ અને પછી દંયુદ્ધમાં પણ ભરત હારી ગયો (કલ્પસૂત્ર વૃત્તિકારના મતે ચારે યુદ્ધમાં અને આવશ્યક વૃત્તિ તથા ચૂર્ણિના મતે પાંચે યુદ્ધમાં બાહુબલિનો વિજય થયો અને ભરતની હાર થઈ) ત્યારે ભરત વિચારવા લાગ્યો કે, શું આ જ ચક્રવર્તી છે કે પછી હું દુર્બળ છું (ત્યાર પછીની કથા ત્રણ ભિન્ન ભિન્ન રૂપે જોવા મળે છે–) (૧. આવશ્યક નિયુક્તિ ૩૪૮ની વૃત્તિ :−) ભરતની આવી વિચારણા જોઈ દેવોએ તેને ચક્રરત્ન આયુધ લડવા માટે આપ્યું. ત્યારે તે ગ્રહણ કરીને દોડ્યો. બાહુબલિએ જોયું કે, ભરત દિવ્યચક્રરત્ન લઈને આવી રહ્યો છે. અભિમાનથી તેણે વિચાર્યું કે, હવે હું તેના જ ચક્ર વડે તેને ભાંગી નાખીશ. છે. (ર. આવશ્યક ચૂર્ણિ ૧-પૃ. ૨૧૦ :-) ભરત ચક્રવર્તીની આવી વિચારણા જોઈને દેવોએ તેને દંડરત્ન આપ્યું. ત્યારે તે ઠંડરત્ન લઈને દોડ્યો. બાહુબલિએ તેને દિવ્ય દંડરત્ન લઈ આવતો જોયો. અભિમાનથી તેણે વિચાર્યું કે, હવે હું તેને તેના જ દંડરત્ન વડે ભાંગી નાખીશ. (આવશ્યક નિર્યુક્તિ-વૃત્તિ તથા ચૂર્ણિ) પછી બાહુબલિની વિચારધારા પલટાઈ. તેને થયું કે, આ તુચ્છ કામભોગો શું કામના છે ? પોતાની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલા એવા આને (ભરતને) હણવો યુક્ત નથી. મારા માટે એ યોગ્ય છે કે, હું ભાઈઓના માર્ગને જ અનુસરું. એમ વિચારીને બોલ્યો કે, આ પુરુષત્વને ધિક્કાર થાઓ. જે અધર્મયુદ્ધ કરવા પ્રવૃત્ત થયા. આ ભોગને ધિક્કાર થાઓ. માટે આવા ભોગનું કોઈ કામ નથી. મારે કંઈ લડવું નથી. હું યુદ્ધ ન કરવા પ્રવૃત્ત થઈશ. પછી બાહુબલિએ ભરતને કહ્યું, લે આ તારું રાજ્ય. હું તો દીક્ષા ગ્રહણ કરીશ. ત્યારે ભરતે બાહુબલિના પુત્રને રાજ્ય પર સ્થાપ્યો. (કલ્પસૂત્ર-૨૧૨ની વૃત્તિ) ચારે યુદ્ધમાં હારવાથી ભરતરાજાને ઘણો ક્રોધ ચડ્યો. તેથી બાહુબલિના નાશ માટે ચક્રરત્ન છોડ્યું. પણ બાહુબલિ સમાન ગોત્રના હોવાથી તે ચક્ર પણ તેને કંઈ કરી શક્યું નહીં. ત્યારે બાહુબલિએ વિચાર્યું કે, અત્યાર સુધી ભ્રાતૃભાવથી જ મેં ભરતની ઉપેક્ષા કરી, છતાં તે દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી. માટે હવે કંઈપણ વિચાર્યા વિના એક જ મુટ્ઠી મારી તેના ચૂરેચૂરા કરી નાંખુ. એમ વિચારી Page #80 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ક્રોધથી ધમધમતા બાહુબલિ મુઠી ઉગામી ભરતનો મારવા દોડ્યા. પણ વિવેક જાગૃત થતા તે બાહુબલિ વિચારવા લાગ્યા કે, અહો ! પિતાતુલ્ય મોટા ભાઈને મારે હણવા અનુચિત છે. પણ હવે આ ઉપાડેલી મુઠી પણ કેમ નિષ્ફળ જાય ? એમ વિચારી બાહુબલિએ તે મુઠી પોતાના મસ્તક પર ચલાવી તે જ વખતે લોચ કર્યો. સર્વ સાવદ્યનો ત્યાગ કરી ત્યાં જ કાઉસ્સગ્ગ ધ્યાને સ્થિર થઈ ગયા. તે વખતે ભરત મહારાજા તેમને વંદન કરી પોતાનો અપરાધ ખમાવી સ્વસ્થાને ગયા. ( ભરત બાહુબલિ વચ્ચેની કથાનો આટલો ભાગ ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, ચપ્પન્ન મહાપુરુષ ચરિત્ર આદિ બધાં ગ્રંથોમાં ભિન્ન ભિન્ન રીતે વર્ણવાયેલ છે. જેમાં ઉક્ત આગમિક કથા સિવાયની તેમજ અલગ વક્તવ્યતા પણ જોવા મળે છે.) ૦ ભરતરાજાએ ભગવંતને કરેલ પ્રશ્નો : અષ્ટાપદે રચાયેલ સમવસરણમાં ભરતે ભગવંત ઋષભને કેટલાંક પ્રશ્નો પૂછેલા – જેમકે – હે ભગવંત ! આપના જેવા બીજા કેટલાં તીર્થકર ભગવંત અહીં ભરતક્ષેત્રમાં થશે? હે તાત ! આપના જેવા લોકગુરુ, કેવલી, તીર્થકર અહીં આ ભારતવર્ષમાં થશે ? જિનવરેન્દ્ર ભગવંત ઋષભે જણાવ્યું કે મારા સમાન બીજા ત્રેવીસ તીર્થકરો અહીં આ ભરતક્ષેત્રમાં થશે – અજિત, સંભવ, અભિનંદન – યાવત્ વર્તમાન. નરવરેન્દ્ર ચક્રવર્તી ભરતે પૂછયું કે, જેવો હું રાજા (ચક્રવર્તી) છું તેવા બીજા કેટલા ચક્રવર્તી અહીં આ ભરતક્ષેત્રમાં થશે ? ત્યારે જિનવરેન્દ્ર ભગવંત ઋષભે જણાવ્યું કે, હે નરેન્દ્રશાર્દૂલ ! તારા જેવા બીજા અગિયાર ચક્રવર્તી રાજા આ ભરતક્ષેત્રમાં અહીં થશે. સગર, મધવા, સનત્કુમાર, શાંતિ, કુંથુ, અર, સુભૂમ, મહાપદ્મ, હરિષેણ, જય અને બ્રહ્મદત્ત. તદુપરાંત ત્રિપૃષ્ઠ યાવત્ કૃષ્ણ એ નવ વાસુદેવ થશે. અચલ યાવત્ રામ એ નવ બળદેવ થશે. અશ્વગ્રીવ – યાવત્ – જરાસંધ એ નવ પ્રતિવાસુદેવ થશે. ૦ મરીચીનો પ્રસંગ : ભરતે પૂછયું કે, આ પર્ષદામાં એવો કોઈ જીવ છે કે, જે આ જ ભરતક્ષેત્રમાં તીર્થકર થનાર હોય ? ભગવંત ઋષભદેવે જણાવ્યું કે, તારો પુત્ર આ મરીચી આ જ ભરતક્ષેત્રમાં ચોવીસમાં તીર્થકર થશે. (આ કથા ભ મહાવીર કથાનકમાં – ‘આપેલ છે.) નરવરેન્દ્ર ભરતે પૂછયું, હે તાત ! અહીં રહેલી આ પર્ષદામાં આ ભારત વર્ષમાં બીજા પણ કોઈ તીર્થકર થનાર છે ? ત્યારે ભગવંતે તેમની નિકટના ભૂભાગે રહેલ આદિપરિવ્રાજક એવા તેમના પૌત્ર અને ભારતના પુત્ર કે જે મહાત્મા એકાંતમાં સ્વાધ્યાય અને ધ્યાનમાં યુક્ત હતા. તે મરીચી તરફ અંગુલિ નિર્દેશ કરી કહ્યું કે, આ મરીચી ભાવિમાં ધર્મવર ચક્રવર્તી એવા અંતિમ તીર્થકર “વીર” (વર્ધમાન–મહાવીર) થશે. ભગવંતના મુખેથી નીકળેલ વચન સાંભળીને ભરતરાજા રોમાંચિત થઈ ગયા. તે પિતા (ભઋષભ)ને વંદન કરી મરીચીને અભિવંદન કરવા ગયા. ભરતરાજા વિનયપૂર્વક મરીચી પાસે ગયા. તેને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કર્યું. પછી એવા પ્રકારની મધુરવાણીથી સ્તવના કરી. ખરેખર ! તમે વિશેષ લાભને પ્રાપ્ત કર્યો છે, જેથી તમે ધર્મચક્રવર્તી એવા ચોવીસમાં વીર (મહાવીર) નામના અંતિમ તીર્થંકર થવાના છો. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૦ આગમ કથાનુયોગ-૨ ભરતરાજા એકાંત સમ્યગુ દર્શનથી અનરંજિત હૃદયવાળા થઈને, ભાવિ તીર્થંકરની ભક્તિ બુદ્ધિથી મરીચીને અભિવંદન કરવા પ્રવૃત્ત થયા. તેમણે મરીચીને કહ્યું કે, હું તમારા આ જન્મના આ પરિવ્રાજકપણાને વંદન કરતો નથી, પણ તમે ભાવિમાં જે અંતિમ તીર્થંકર થવાના છો તેને વંદુ છું. એ પ્રમાણે વંદના-સ્તવના કરી, પછી ત્રણ પ્રદક્ષિણા દઈ ભગવંત ઋષભદેવને પૂછીને વિનીતાનગરી (—અયોધ્યા)માં ભરતે પ્રવેશ કર્યો. ૦ માયણ-ઉત્પત્તિ તથા ઇન્દ્ર મહોત્સવ પ્રવર્તન : અન્યદા ભગવંત ઋષભદેવ વિહાર કરતા અષ્ટાપદ પધાર્યા. ત્યાં સમવસરણ થયું. ભરત પણ ભાઈઓની દીક્ષા થયાનું સાંભળી મનથી ઘણો જ સંતાપ પામેલો અને ખિન્ન થયેલો હતો. તેના મનમાં વિચાર આવ્યો કે, ફરીથી હું ભોગ–દાન માટે પ્રાર્થના કરું અને જો ગ્રહણ કરે તો સારું. એવું વિચારી તે ભગવંત પાસે આવ્યો. તેમને નિમંત્રણા કરી કે આપ ભોગથી નિવર્સેલા છે અને સર્વસંગનો પણ પરિત્યાગ કર્યો છે. તો આપ મને આહારદાનનો લાભ આપી ધર્માનુષ્ઠાન કરવા દો (ભરતે વિચાર્યું કે, હું આહારદાન દ્વારા ધર્માનુષ્ઠાન કરું) પાંચસો ગાડાં ભરીને વિવિધ પ્રકારનો આહાર લાવી નિમંત્રણા કરી. ભગવંતે જણાવ્યું કે, આધાકર્મી અને સામેથી લાવેલ આહાર યતીઓને (સાધુઓને) પ્રતિષેધ હોવાથી કલ્પતો નથી. સાધુ માટે કરેલ કે કરાવેલ ન હોય તેવા અન્નથી નિમંત્રણા કરવી જોઈએ. વળી રાજપિંડ પણ સાધુઓને નિષેધ હોવાથી ક૫તુ નથી. ત્યારે ભરતરાજાને થયું કે, હું તો સર્વ પ્રકારે ભગવંત દ્વારા ત્યજાયેલો છું. તે ખૂબ જ દુઃખી થઈ ગયો. તેને દુઃખિત થયો જાણી દેવરાજે શક્રએ તેના કોપની શાંતિ માટે ભગવંતને પૂછ્યું કે, અવગ્રહ કેટલા પ્રકારે કહ્યો છે ? ભગવંતે જણાવ્યું કે, અવગ્રહ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે – દેવેન્દ્ર અવગ્રહ, રાજ્ય અવગ્રહ, ગૃહપતિ અવગ્રહ, સાગારિક અવગ્રહ અને સાધર્મિક અવગ્રહ, દેવેન્દ્ર એટલે દક્ષિણાર્ધ અધિપતિ શક્ર, રાજા-ભરતક્ષેત્રનો અધિપતિ, ગૃહપતિ અર્થાત્ માંડલિક રાજા, સાગારિક અર્થાત સર્જાતર અને સાધર્મિક એટલે સંયત (સાધુ-સાધ્વી). આ બધાંમાં પૂર્વ–પૂર્વનો અવગ્રહ પછી–પછીના અવગ્રહથી બાધિત થાય છે. ઇત્યાદિ પ્રરૂપણા કરી. દેવરાજ શક્રએ કહ્યું કે, હે ભગવન્! જે આ શ્રમણો મારા આ અવગ્રહમાં વિચરી રહ્યા છે. તેને આ અવગ્રહમાં વિચરવાની હું અનુજ્ઞા આપું છું. એ પ્રમાણે કહીને ભગવંતને વંદન કરી ઊભો રહ્યો. ભરતે પણ વિચાર્યું કે હું પણ (ભરતક્ષેત્રના) મારા અવગ્રહની અનુજ્ઞા આપું. આટલું કહીશ તો પણ હું કૃતાર્થ થઈશ. ભગવંત પાસે જઈને તેણે પણ સ્વ–અવગ્રહમાં સાધુઓને વિચરવાની અનુજ્ઞા આપી. પછી શુક્રને પૂછ્યું, હું આ ભોજનપાન લાવ્યો છું, તેનું મારે શું કરવું ? દેવરાજ શક્રએ કહ્યું, વિશેષ ગુણવાનોની ભક્તિ કરવી. ભરતે વિચાર્યું કે, મારા માટે સાધુને છોડીને બીજા વિશેષ ગુણવાનું કોને જાણવા? પર્યાલોચના કરતા તેને ખ્યાલ આવ્યો કે, શ્રાવકો પણ દેશવિરતિધર હોવાથી મારે માટે વિશેષ ગુણવાનું છે. તેઓને આ અન્ન-પાન આપું. ફરી પાછું ભરતે દેવેન્દ્રના રૂપ અને ભાસ્વર આકૃતિવાપણાને જોઈને પૂછયું. શું તમે આવા પ્રકારના રૂપ વડે જ દેવલોકમાં પણ રહો છો કે, કેમ ? દેવેન્દ્રએ કહ્યું કે, ના. Page #82 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા તે વાત બરાબર નથી. દેવલોકના મારા મૂળ રૂપને મનુષ્ય જોવા પણ સમર્થ નથી. કેમકે તે ઘણું જ દેદીપ્યમાનું હોય છે. ત્યારે ભારતે ફરીથી કહ્યું કે, મને તે મૂળરૂપ જોવાનું ઘણું જ કુતૂહલ છે, દેવેન્દ્રએ કહ્યું કે, તું ઉત્તમ પુરુષ છે માટે હું તને કિંચિંતુ દર્શન કરાવું. એમ કહીને – આને હું શરીરના માત્ર એક ભાગનું દર્શન કરાવું. એમ વિચારી યોગ્ય અલંકાર વિભૂષિત એવી માત્ર એક આંગળીનું દિવ્ય–દેદીપ્યમાન રૂપ દેખાડ્યું. તે જોઈને ભરત અતીવ હર્ષાયમાનું થઈ ગયો. તેણે તે આંગળી જેવી દેદીપ્યમાનું આકૃતિ કરાવી તેના નિમિત્તે અષ્ટાલિકા મહોત્સવ કર્યો. ત્યારથી પ્રતિવર્ષ ઇન્દ્ર મહોત્સવ પ્રવર્યો. ભરતે કહ્યું કે, તમે દેવેન્દ્ર છો, હું માનુષેન્દ્ર છું આપણે મિત્ર થઈએ. ઇન્કે પણ તે વાત સ્વીકારી. ત્યારપછી ભરતે શ્રાવકોને બોલાવીને કહ્યું, તમારે પેષણ—કૃષિ આદિ કર્મ–વ્યાપાર કરવો નહીં. હું તમારી આજીવિકાનો ખ્યાલ રાખીશ. પ્રતિદિન મારે ત્યાં ભોજન કરવું. તમારે સ્વાધ્યાયાદિ કરવો, જિનવાણી સાંભળવી, સાધુઓની સુશ્રુષા કરવી અને એ રીતે રહેવું. ત્યારે તેઓ પણ રોજેરોજ ભરતરાજાના ભોજનગૃહમાં વ્યવસ્થિત આસને બેસી જમવા લાગ્યા. રોજ રાજાને આશીર્વચન કહેતા, “તો મવા વર્ષને મયં તસ્મા હન મા નૈતિ | હે રાજન્ ! તમે જીતાઈ રહ્યા છો. ભય વધી રહ્યો છે. તેથી કોઈને (આત્મગુણને) હણો નહીં – હણો નહીં. રાજા ભરત રતિસાગરમાં ડૂબેલો હતો. પ્રમાદમાં હતો. આ શબ્દો સાંભળીને પછીના કાળે વિચારે છે. હું કોના વડે જીતાયો છું. ત્યારે તેને એવી મતિ ઉત્પન્ન થતી કે ક્રોધાદિ કષાય વડે હું જીતાયેલો છું. ભોગપ્રમત્તતા યાદ આવતી. તેનાથી જ મને ભય વધી રહ્યો છે. એ પ્રમાણે આલોચના કરતા ધર્મધ્યાન થતું અને સંવેગમાં પ્રવૃત્ત થતો. કેટલોક કાળ તે શબ્દાદિ વિષયથી દૂર થઈ જતો. ત્યારે ત્યાં ઘણાં લોકોએ ભોજન કરવાનું શરૂ કરી દીધું. ત્યારે ઘણાં બધાં લોકોના આવાગમનને કારણે સૂપકારો (રસોઈયાઓ) પૂરતી રસોઈ બનાવી શકતા ન હતા. તેથી ભરતને નિવેદન કર્યું કે, આમાં કોણ શ્રાવક છે અને કોણ નથી ? તે જાણી શકાતું નથી. કેમકે પ્રચુર પ્રમાણમાં લોકો આવે છે. ત્યારે ભરતરાજાએ કહ્યું કે, તમારે પૂછીને જમાડવા. ત્યારે રસોઈયા પૂછવા લાગ્યા, તમે કોણ છો ? જવાબ મળતો કે અમે શ્રાવક છીએ. શ્રાવકોને કેટલા વ્રત હોય છે ? “અમારે વ્રતો હોતા નથી.” પરંતુ અમારે પાંચ અણુવ્રત હોય છે. શિક્ષાવ્રત કેટલા હોય છે ? તેઓ કહેતા કે સાત શિક્ષાવ્રત હોય છે. – જેઓ આવા જ્ઞાતા હતા તેની રાજાને માહિતી આપી. જે નિષ્ક્રમણ પ્રવેશ આદિ જાણતા હતા. તેમની એક કતાર (હરોળ–શ્રેણી) બનાવવામાં આવી. પછી તે બધાંને રાજા પાસે લાવવામાં આવ્યા. રાજાએ તે બધાંને કાકણી રત્ન વડે લંછિત કર્યા (જનોઈ જેવું ચિન્હ કર્યું). ફરી પાછા છ માસ ગયા બાદ એ જ રીતે કસોટી કરવામાં આવી. જે બીજા શ્રાવકો થયા તેને પણ લંછિત કરવામાં આવ્યા. એ રીતે છ–છ માસે શ્રાવકો તૈયાર થયા તે મહા (બ્રાહ્મણ) કહેવાયા (કેમકે તેઓ મા ટન મા એમ રાજાને કહેતા હતા) તેઓને જે પુત્ર ઉત્પન્ન થતા તે સાધુઓને આપતા હતા. તેમાંથી જે દીક્ષા ગ્રહણ કરતા તે સાધુ થતા હતા. જે દીક્ષાગ્રહણ કરતા ન હતા. તે શ્રાવકો રૂપે રહેતા હતા. અન્ય પણ જે કોઈ ત્યાં આવતા તેની કસોટી કરી ભરત પાસે લાવતા. ભરતરાજા તેને કાકણિરત્ન ion International Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ વડે અંકિત કરતા આ પ્રમાણે માહણની ઉત્પત્તિ જાણવી. ભરત પછી આદિત્યયશા રાજા થયો, તેની પાસે કાકણિરત્ન ન હોવાથી તે સોનાની યજ્ઞોપવિત (જનોઈ) ધારણ કરાવતો હતો. એ પ્રમાણે આઠ યુગપુરુષ પર્યંત આ પ્રવૃત્તિ ચાલી. તે આ પ્રમાણે રાજા—આદિત્યયશ, મહાયશ, અતિબલ, બલભદ્ર, બલવીર્ય, કૃતવીર્ય, જલવીર્ય અને દંડવીર્ય. તેમાં મહાયશ વગેરે રાજાએ (ચાંદીની) રૂપાની યજ્ઞોપવિત આપેલી. કેટલાંકે વિચિત્ર પટ્ટસૂત્રમય યજ્ઞોપવિત આપેલી. આ શ્રાવકોને પ્રતિષેધ કરાતો છ–છ મહિને પુનઃકસોટી કરાતી. પણ કાળક્રમે આ માહણ વર્ગ મિથ્યાત્વ પામ્યો. કેમકે નવમાં સુવિધિનાથ જિનના અંતરમાં સાધુવર્ગનો વિચ્છેદ થતા સંયતને બદલે અસંયતો પૂજાવા લાગ્યા. ૦ વેદ ઉત્પત્તિ : આગમ કથાનુયોગ-૨ રાજા ભરતે માહણો (શ્રાવકો)ના સ્વાધ્યાયને માટે અર્હતોની સ્તુતિ, યતિધર્મ, સાધુ સામાચારી, શ્રાવકધર્મ, શ્રાવક સામાચારી, શાંતિકર્મ આદિના વર્ણનયુક્ત એવા ચાર આર્યવેદોની રચના કરી. (સુલસા યાયવલ્કય આદિએ અનાર્ય વેદોની રચના કરેલી.) ૦ ભઋષભનિર્વાણ : ભગવંત ઋષભદેવ નિર્વાણ પામ્યા. (જેનું વર્ણન ભઋષભ કથાથી જાણવું.) ભરત રાજાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તે દુઃખથી સંતપ્ત મનવાળો થયો, પરમ શોક સંતપ્ત હૃદયવાળો થયો. તે પગે ચાલીને અષ્ટાપદે ગયો. લોહી નીકળતા પગે તે ચાલ્યો. તે પરિશ્રમને તે વેદી (સહન કરી) શકતો ન હતો. પરમ દુઃખી (વ્યથિત) થઈ તે ભગવંતને વંદના કરી પર્યુપાસના કરતો ત્યાં રહ્યો. દેવોએ નિર્વાણ મહોત્સવ કર્યો. (જેનું વર્ણન ભઋષભ કથાનકથી જાણવું) જ્યારે દેવ–દેવેન્દ્રોએ ભગવંતની અસ્થિ આદિ ગ્રહણ કર્યા ત્યારે ભરત વગેરેએ પણ ભગવંતની ચિતાની ભસ્મ ગ્રહણ કરી. ત્યાર પછી ભગવંતને આશ્રિને ભરતે ચૈત્યગૃહ, જિનાલય કરાવ્યું. તેણે વર્ષકિરત્નને બોલાવ્યો. તેને કહીને એક યોજન લાંબુ, ત્રણ ગાઉં ઊંચુ સિંહ નિષદ્યા આકારું જિનાલય કરાવ્યું. તેમાં સેંકડો સ્તંભો ગોઠવ્યા, (જે પ્રમાણે વૈતાઢ્યના સિદ્ધાયતનનું વર્ણન જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં આવે છે. તે પ્રમાણેનું સિદ્ધાયતન – જિનાલય અહીં પણ સમજી લેવું – (જુઓ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર-૧૪) તેનું કિંચિત્ વર્ણન આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૨૪ થી ૨૨૭માં કરાયેલ છે તે આ પ્રમાણે - રત્નમય પાષાણથી સિંહનિષદ્યા પ્રાસાદ કરાવ્યો. તેની ચોતરફ સ્ફટિક રત્નના ચાર દ્વાર કરાવ્યા. તે પ્રત્યેક દ્વારની બંને બાજુએ રત્નમય ચંદનના સોળ–સોળ કળશો રચાવ્યા. પ્રત્યેક દ્વારે સોળ સોળ રત્નમય તોરણો રચાવ્યો. અષ્ટમંગળની સોળ–સોળ પંક્તિઓ રચાવી. તે દ્વારોની બંને બાજુએ પ્રત્યેક—પ્રત્યેકમાં વિશાળ મુખમંડપો કરાવ્યા. જે સેંકડો સ્તંભોથી બનાવાયેલ હતા. તે પ્રત્યેક મુખમંડપોની ત્રણે દિશામાં ત્રણ દ્વાર કરાવ્યા. તે દ્વાર ઉત્તમ સુવર્ણાદિના બનેલા હતા. ત્યાં પણ સિંહનિષદ્યા પ્રાસાદના દ્વારની માફક સોળ–સોળ ચંદન કળશ અને રત્નમય તોરણોની રચના કરી. તે મુખ મંડપોની Page #84 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા છતમાં પઘલતા–વનલતા આદિ અનેક લતાના ચિતરામણ કરાવ્યા. તે મુખમંડપની ઉપર આઠ–આઠ મંગલની રચના કરી, સ્વસ્તિક-શ્રીવત્સ આદિ આઠ ઇત્યાદિ. – તે મુખમંડપની આગળ ચાર પ્રેક્ષાગૃહ મંડપ બનાવ્યા, જે મુખમંડપ સદશ જ હતા. તે પ્રેક્ષામંડપના બહુસમ રમણીય ભૂમિભાગનાં બહુમધ્ય દેશ ભાગમાં પ્રત્યેકમાં અક્ષપાટક રચાવ્યા. તે અલપાટક સર્વરત્નમય, નિર્મલ યાવત્ પ્રતિરૂપ હતા. તે અક્ષપાટકના ઠીક મધ્યભાગમાં પ્રત્યેકમાં એક–એક મનોહર સિંહાસન રચ્યું. તેના ઉપરના ભાગમાં સુંદર લંબૂસ–તોરણ બનાવ્યું. પ્રેક્ષાગૃહ મંડપની આગળ પ્રત્યેક પ્રત્યેકમાં એક મણિપીઠિકા બનાવી. તે મણીપીઠિકા સર્વરત્નમય, નિર્મળ – યાવત્ – પ્રતિરૂપ હતી. તે મણીપીઠિકાની પ્રત્યેકની ઉપર મનોહર ચૈત્યસૂપ બનાવ્યું. તે ચૈત્યસ્તૂપ શંખ–અંક યાવત્ સર્વરત્નમય હતું-નિર્મળ હતું. તેના ઉપર આઠ-આઠ મંગળ બનાવેલા. – તે પ્રત્યેક ચૈત્યસ્તૂપની આગળ ચારે દિશામાં એક–એક એવી ચાર મણિપીઠિકા બનાવી જે સર્વે મણિમય હતી. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક ચૈત્યસ્તૂપ સન્મુખ ૫૦૦ ધનુના પ્રમાણવાળી, રત્નનિર્મિત પદ્માસને રહેલી ઋષભ, વર્તમાન, ચંદ્રાનન (ચંદ્રપ્રભ) વારિષણની ચાર–ચાર પ્રતિમાઓ બનાવી. તે દરેક ચૈત્યસ્તૂપની આગળ અમૂલ્ય માણિજ્યમય વિશાળ એવી સુંદર પીઠિકાઓ રચી. તે દરેક પીઠિકા ઉપર એક-એક ચૈિત્યવૃક્ષ રચ્યું. ત્યાં પાલતા–વનલતા આદિના ચિતરામણ કરાવ્યા. ઉપર આઠ-આઠ મંગલોની રચના કરી, તે પ્રત્યેક ચૈત્યવૃક્ષની આગળ બીજી એક મણીમય મણીપીઠિકા બનાવી. તે પ્રત્યેક ઉપર એક–એક ઇન્દ્રધ્વજ રચ્યો. જે વજરત્નનો બનેલ હતો – યાવત્ – તેના પર આઠ-આઠ મંગળની રચના કરી. – તે પ્રત્યેક મહેન્દ્રધ્વજની આગળ એક–એક નંદાપુષ્કરિણી બનાવી. જે પુષ્કરિણી ત્રણ-ત્રણ પગથિયા અને તોરણથી શોભતી હતી. જે સ્વચ્છ અને શીતળ જળથી ભરેલી હતી. વિચિત્ર કમળોથી શોભતી હતી. દધિમુખપર્વતના આધારભૂત પુષ્કરિણી જેવી મનોહર લાગતી હતી. તે ચૈત્યગૃહમાં અડતાલીશ-દશક મનોગુણિકા છે. જેમાંથી સોળ પૂર્વમાં, સોળ પશ્ચિમમાં, આઠ દક્ષિણમાં અને આઠ–દશક ઉત્તરમાં છે. તે મનોગૅલિકામાં ઘણાં સોનાચાંદીના ફલક છે. તે સોના-ચાંદીના ફલકોમાં ઘણાં વજમય નાગદંતક છે – તે વજમય નાગદંતકોમાં ઘણી પુષ્પમાળાઓ લટકે છે. તે સોનાના ઝુમખાવાળી છે. યાવત્ સર્વ દિશાઓને સુગંધમય કરી રહી છે. તે ચૈત્યમાં અડતાલીશ-દશક ગોમાણસિયા છે. જે મનોગુલિકાની માફક પૂર્વ-પશ્ચિમ સોળ-સોળ અને ઉત્તર-દક્ષિણ આઠ-આઠ છે. તેમાં ઘણાં જ સોનાચાંદીના ફલક છે. તે ફલકમાં ઘણાં વજમય નાગદંતક છે તે વજમય નાગદંતકોમાં ઘણાં ચાંદીના સિક્કા છે. તે ચાંદીના સિક્કામાં ઘણી વૈડૂર્યરત્નની ધૂપઘટિકાઓ છે. તે ચૈત્યના ઉપરના ભાગમાં પઘલતાદિ ઘણાં ચિત્રો બનાવેલા છે. તે ચૈત્યના બહુસમરમણીય ભૂમિભાગમાં બરાબર મધ્યદેશ ભાગમાં સર્વ મણિમય એવી મણીપીઠિકા છે. જે નિર્મળ – યાવત્ – પ્રતિરૂપ છે. તેની ઉપર સર્વરત્નમય એવો નિર્મળ – યાવત્ – Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આગમ કથાનુયોગ-૨ પ્રતિરૂપ દેવ ંદક છે. તે દેવછંદક ઉપર શૈલેષી ધ્યાનમાં વર્તતી હોય તેવી, દરેક પ્રભુના દેહમાન અને વર્ણ પ્રમાણેની, જાણે ભગવંત પોતે જ સાક્ષાત્ બિરાજેલા હોય તેવી ઋષભ, વર્ધમાન એ ચોવીશે તીર્થંકરોની પ્રત્યેકની એક–એક પ્રતિમા કરાવી - અજિત – યાવત્ ભરતે ત્યાં બિરાજમાન કરી, તે પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે જાણવું– હતા તેમાં સોળ પ્રતિમા સુવર્ણની, બે શ્યામ રત્નની, બે સ્ફટિક રત્નની (ઉજ્જ્વળ), બે વૈડૂર્ય મણીની (નીલ), બે રક્ત મણિની હતી, તે પ્રતિમાના વિભિન્ન અંગો આવા પ્રકારે તેના નખ અંક રત્નના હતા, મસ્તકનો અંત ભાગ લોહિતાક્ષ રત્નનો, હાથ–પગના તળિયા તપનીય સુવર્ણના, પગ, જંઘા, જાનૂ, ઉરુ, ગાત્રલષ્ઠી એ સર્વે કનકમય હતા. રોમરાજી રિષ્ઠરત્નમય હતી. નાભિ, ડીંટડી, શ્રીવત્સ એ તપનીય સુવર્ણના હતા. બાહા અને ગ્રીવા કનકમય હતા. મસ્તકના કેશ, આંખની પાપણ અને ભ્રમર રિષ્ટ રત્નમય હતા. હોઠ પ્રવાલ રત્નના હતા. દંતપંક્તિ સ્ફટિકમય હતી. જીભ અને તાળવુ તપનીય સુવર્ણના હતા. નાક કનકમય હતું. આંખો અંકરત્નની હતી. તેના ખૂણા લોહિતાક્ષરત્નના હતા. આંખની કીકીઓ રિષ્ટરત્નમય હતી, કાન, કપાળ, ગાલ કનકમય હતા, શીર્ષઘડી વજ્રરત્નમય હતી, ઇત્યાદિ. તે પ્રત્યેક જિનપ્રતિમાની પાછળ એક—એક છત્રધર પ્રતિમા હતી, તે પ્રતિમાઓએ હિમ, રજત, કુંદ, ચંદ્રની આભાવાળા, કુરંટક પુષ્પની માળાયુક્ત, મણિ, મોતી, શીલ, પ્રવાલ, સ્ફટિક રત્નમય દંડયુક્ત શ્વેત છત્રને ધારણ કરીને ઉભેલી હતી. તે જિનપ્રતિમાની બંને બાજુ બે—બે ચામરધારી પ્રતિમાઓ હતી, તે ચંદ્રપ્રભ, વજ્ર, વેરુલિય–વિવિધ પ્રકારના મણિ અને રત્નથી ખચિત મનોહર દંડવાળા, સૂક્ષ્મ, રજતમય, લાંબા વાળથી યુક્ત, શંખ, કુંદ, દગરય, પાણીના ફીણ આદિ જેવા શ્વેત ચપળ ચામર ગ્રહણ કરીને પ્રતિમાને ચામર વિંઝતી હોય તે રીતે ઉભેલી હતી. તે જિનપ્રતિમાઓની આગળ બે—બે નાગપ્રતિમા, બે— બે યક્ષપ્રતિમા, બે—બે ભૂતપ્રતિમા અને બે-બે કુંડધાર પ્રતિમાઓ અંજલિ જોડી, મસ્તકને કિંચિત્ નમાવીને રહેલી હતી અને તે સર્વરત્નમય અર્થાત્ રત્નની બનેલી હતી. તે દેવછંદક ઉપર ઉત્તમ રત્નના ઉજ્જ્વળ – ચોવીશ ઘંટ, ચોવીશ ચંદન કળશ, એ જ રીતે ચોવીશ—ચોવીશ ભૃગાંર, આદર્શ, થાળા, પાતી, સુપ્રતિષ્ઠક, મનોગુલિકા, વાતકરક, રત્નકરંડક, હયકંઠ, ગજકંઠ, નરકંઠ યાવત્ વૃષભકંઠ હતા. પુષ્પગંગેરી અને માલ્ય, ચૂર્ણ, ગંધ, વસ્ત્ર તથા આભરણ ચંગેરીઓ હતી. ચોવીશ પુષ્પ પટલ - - યાવત્ - ચોવીશ આભરણપટલ, ચોવીશ લોમહસ્તકપટલક હતા. ચોવીશ—ચોવીશ સિંહાસન, છત્ર, ચામર, તેલ સમુદ્ગક યાવત્ – ધૂપકડુચ્છક હતા. તે ચૈત્ય ઉપર આઠઆઠ મંગલોનો રચના કરેલી હતી. તે ચૈત્ય સેંકડો સ્તંભો ઉપર રચાયું હતું. ઉત્તમ તોરણ, શાલભંજિકા–પુતળીઓ આદિથી તે સ્તંભોયુક્ત હતા. સ્તંભો સુશ્લિષ્ટ, વિશિષ્ટ, લષ્ટ, સંસ્થિત, પ્રશસ્ત, વૈસૂર્યમણિના બનેલા હતા. તે ચૈત્યનો ભૂમિભાગ વિવિધ પ્રકારના મણિસુવર્ણાદિથી ખચિત, ઉજ્જ્વળ, બહુસમ અને સુવિભકત હતો. તે ચૈત્યમાં ઇહામૃગ, વૃષભ, તુરંગ, નર, મગર, વિહગ, બાલ, કિન્નર, રુરુ, સરભ, ચમર, કુંજર, વનલતા, પદ્મલતા આદિના ચિત્રો Page #86 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી કરાવેલ હોવાથી મનોહર લાગતું હતું. તેની ફરતા વજ્રાદિ રત્નોના બનેલા સ્તંભો ગોઠવેલા હતા. ધ્વજાની ઘુંઘરીઓનો અવાજ વિદ્યાધરોની સ્ત્રીઓની કટિમેખલાના ધ્વનિને અનુસરતો હતો. હજારો કિરણોથી લિપ્ત હોય તેવું શોભતું હતું. ચક્ષુને આનંદકારી, સુખદ્ સ્પર્શવાળું, શ્રી—શોભા સંપન્ન, કંચન, મણિ, રયણના સ્તૂપોથી યુક્ત, વિવિધ પ્રકારી પંચવર્ષીય ઘંટા, પતાકાથી પરિમંડિત શિખરોવાળું, ગોશીર્ષ ચંદનના રસમય તિલકોથી લાંછિત કરાયેલું હતું. - ભરત કથા વળી તેના ચણતરના સાંધા એવી રીતે મેળવેલા હતા કે, તે અષ્ટાપદ ચૈત્ય એક પાષાણમાંથી બનાવેલું હોય તેમ લાગતું હતું. તે ચૈત્યના નિતંબ ભાગ ઉપર મનોહર એવી માણેકની પૂતળીઓ ગોઠવી હતી. તેના દ્વારની બંને તરફ ચંદન રસથી લીંપેલા બે કુંભો હતા. ધૂપિત કરીને તિર્કી બાંધેલી લટકતી માળાઓથી તે રમણીય લાગતું હતું. તેના તળીયા પંચવર્તી પુષ્પોથી શોભતા હતા. કાલગરુ, ઉત્તમ કુંદરુક્ક, તુરુષ્કની ધૂપથી તે સદા મઘમઘતું હતું. ઉત્તમ સુગંધની ગંધથી તે ગંધવાટિકા રૂપ જણાતું હતું. તેની આગળ, બે બાજુએ અને પાછળ સુંદર ચૈત્યવૃક્ષો તથા માણિક્યની પીઠિકા રચેલી હતી. એવું તે ચૈત્ય સર્વરત્નમય, નિર્મલ – યાવત્ – પ્રતિરૂપ લાગતું હતું. તે ચૈત્યમાં (ચાર શાશ્વત પ્રતિમા અને ચોવીશ તીર્થંકર પ્રતિમાઓ ઉપરાંત *નવ્વાણું ભાઈઓની તથા પોતાની પણ એક પ્રતિમા પ્રભુની સેવા કરતા હોય તેવી મુદ્રામાં સ્થાપિત કરાવી. એક તીર્થંકર ભગવંત માટે અને નવ્વાણું ભાઈઓના એવા કુલ સો સ્તૂપ કરાવ્યા. ત્યાં આવનારા ગમનાગમન વડે આશાતના ન કરે એવું ધારીને લોઢાના યંત્રમય આરક્ષક પુરુષોની ત્યાં સ્થાપના કરી. તેથી ત્યાં મનુષ્યો જઈ શકતા ન હતા. પછી ભરત ચક્રવર્તીએ દંડરત્ન વડે ત્યાં આખા અષ્ટાપદ પર્વતને છેદીને આઠ પગથિયા બનાવ્યા. જેમાંનું એક એક પગથિયું એક–એક યોજનનું હતું. તેને કારણે તે તીર્થનું નામ અષ્ટાપદ થયું. સાગર ચક્રવર્તીના પુત્રોએ પોતાની કીર્તિ અને સ્વવંશના અનુરાગથી દંડરત્ન વડે ફરતી ખાઈ બનાવી. ત્યાં ગંગાનદીના નીર વહેવડાવ્યા. (* આવશ્યક ભાષ્ય-૪૫, આવશ્યક નિયુક્તિ-૪૩૫ની વૃત્તિમાં સો ભાઈઓના સ્તૂપ કરાવ્યા તેમ જણાવે છે, તીર્થંકર પ્રતિમા, પ્રાતૃશત પ્રતિમા જ્ઞાત્મપ્રતિમાં 71) ૭ આદર્શગૃહમાં ભરતને કેવળજ્ઞાન :-- ભગવંત ઋષભદેવના નિર્વાણ બાદ, જિનાલયનું નિર્માણ કરાવીને ભરત ચક્રવર્તી અયોધ્યા પાછા ફર્યા. અલ્પ શોકવાળા થયા. ફરીથી ભોગ ભોગવવામાં પ્રવૃત્ત થયા. એ પ્રમાણે તેણે બીજા પાંચ લાખ પૂર્વ ભોગ ભોગવતા અતિક્રાંત થયા. ત્યાર પછી અન્ય કોઈ દિવસે જ્યાં સ્નાનગૃહ હતું. ત્યાં ભરત જાય છે. જઈને યાવતુ ચંદ્રમા સમાન પ્રિયદર્શનવાળો એવો તે નરપતિ સર્વાલંકાર વિભૂષિત થઈને સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યા. નીકળીને જ્યાં આદર્શગૃહ—અરિસાભવન હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને સિંહાસન છે ત્યાં આવ્યા. આવીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને તે ઉત્તમ સિંહાસન પર બેસે છે. બેસીને પોતાને જોતા–નિરીક્ષણ કરવા લાગ્યા. તે સર્વાંગ સુંદર પુરુષ લાગતા હતા. આ પ્રમાણે નિરીક્ષણ કરતા–કરતા તેના હાથમાંની વીંટી પડી ગઈ. ત્યારે તેને ૮૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ U આગમ કથાનુયોગ-૨ વીંટી પડી ગયાનો ખ્યાલ ન રહ્યો. આ પ્રમાણે તેનું–પોતાનું અવલોકન કરતા જ્યારે તેની દૃષ્ટિ તેની આંગળી પર પડી, ત્યારે તેણે તેની આંગળીને શોભારહિત જોઈ, ત્યારે તેણે કટક (નામના આભુષણને) ઉતાર્યું. એ પ્રમાણે તે એક–એક આભૂષણ ઉતારવા લાગ્યા. બધાં જ આભૂષણો ઉતારી દીધા, ત્યારે પોતાને પઘરહિત એવા પદ્મસરોવરની માફક શોભારહિત જાણીને સંવેગ ઉત્પન્ન થયો. તે વિચારવા લાગ્યો કે, આ શરીરની શોભા તો આગંતુક (અન્ય) દ્રવ્યથી છે. તે સ્વાભાવિક સુંદર જણાતું નથી. ત્યાર પછી શુભ માનસિક પરિણામ, પ્રશસ્ત અધ્યવસાયોને કારણે વિશેષરૂપે શુદ્ધ થઈ રહેલી વેશ્યાઓના ફળ સ્વરૂપ ઇહા, વિચાર, માર્ગણા, તર્ક–વિતર્ક, ગવેષણા, આત્મ નિરીક્ષણ કરતા-કરતા આત્મગુણના આચ્છાદક કર્મોનો ક્ષય થવાથી કમરૂપી રજને દૂર કરનાર અપૂર્વકરણમાં પ્રવેશ કરતા તે રાજાને અનંત, અનુત્તર, સર્વોત્કૃષ્ટ, ખરાબાદ, નિરાવરણ, સમગ્ર, પ્રતિપૂર્ણ એવું ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા. ત્યારે ત્યાં દેવેન્દ્ર દેવરાજ શક્રએ આવીને કહ્યું કે, આપ દ્રવ્યલિંગ ગ્રહણ કરો, જેથી હું આપનો નિષ્ક્રમણ મહોત્સવ કરું. ત્યારે તેમણે સ્વયમેવ પંચમુષ્ટિક લોચ કર્યો. રાજા આદર્શગૃહથી બહાર નીકળ્યા. ત્યાં નીકટમાં રહેલા વાણવ્યંતર દેવતાઓએ રજોહરણ, પાત્ર, ઉપકરણાદિ ઉપસ્થાપિત કર્યા–લાવીને આપ્યા. ત્યાર પછી દેવેન્દ્ર શક્રએ તેમને વંદન કર્યું. ભરતરાજા દશ હજાર રાજાઓ સાથે પ્રવ્રજિત થયા. પછી અંતઃપુરની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યા. નીકળીને દશ હજાર રાજાઓ સાથે વિનીતા રાજધાનીના મધ્યભાગથી થઈને નીકળ્યા, નીકળીને મધ્યદેશમાં સુખપૂર્વક વિહાર કર્યો. એ રીતે એક લાખ પૂર્વની કેવલિપર્યાય પાળીને જે તરફ અષ્ટાપદ પર્વત છે તે તરફ જાય છે. ત્યાં જઈને ધીમે ધીમે અષ્ટાપદ પર્વત પર ચડે છે. ચડીને મેઘ જેવા શ્યામ વર્ણના દેવોના વાસ સ્થાન સદશ એક શિલાપટ્ટની પ્રતિલેખના કરે છે. સંલેખણામાં તત્પર થઈને, આહાર–પાણીનો સર્વથા ત્યાગ કરીને પાદપોપગમન આસને સ્થિર થઈ સર્વ પ્રકારની શંકા–આશંકાઓનો નિઃશેષરૂપે ત્યાગ કરીને વિચરે છે. ત્યારે તે ભરતરાજા ૭૭ લાખ પૂર્વ વર્ષ સુધી કુમારવસ્થામાં રહીને, ૧૦૦૦ વર્ષ સુધી માંડલિક રાજારૂપે રહીને, ૧૦૦૦ વર્ષ જૂન છ લાખ પૂર્વ વર્ષ સુધી ચક્રવર્તી પદ ભોગવીને, એ રીતે કુલ ૮૩ લાખ પૂર્વ પર્યત ગૃહસ્થાવાસમાં રહીને ભરતે ભરત–વર્ષક્ષેત્ર તથા કામભોગ છોડીને પ્રવજ્યા ગ્રહણ કરી કિંચિત્ જૂન એક લાખ પૂર્વ વર્ષ સુધી કેવલી પર્યાય ભોગવીને અને તેટલો જ શ્રમણ પર્યાય ભોગવીને, ચોર્યાશી લાખ પૂર્વનું પોતાનું પૂર્ણ આયુ ભોગવીને તેમાં છેલ્લે એક માસનું નિર્જળ અનશન વ્રત પાળીને શ્રવણ નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ થયો ત્યારે વેદનીય, આયુ, નામ અને ગોત્ર આ ચાર કર્મો ક્ષીણ થતા જ ભરતકેવલિ કાળધર્મ પામ્યા. સંસારથી વ્યતિક્રમણ કર્યું. સમ્યક્ પ્રકારે ઉર્ધ્વગમન થયું. જન્મ, જરા, મરણના બંધનો છિન્ન ભિન્ન થઈ ગયા. તેઓ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા, પરિનિર્વાણને પ્રાપ્ત થયા. અંતકર થયા, સર્વ દુઃખથી મુક્ત થયા. આ રીતે ભરત ચક્રવર્તીનું ચરિત્ર પૂર્ણ થયું. સાર્વભૌમ ચક્રવર્તી ભરતરાજા પછી આઠ યુગપ્રધાન પુરુષ અનુક્રમે, વ્યવધાનરહિત સિદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખથી મુક્ત Page #88 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – ભરત કથા ૮૭ થયા. તે આ પ્રમાણે :- ૧. આદિત્યયશ, ૨. મહાયશ, ૩. અતિબલ, ૪. મહાબલ, ૫. તેજોવીર્ય, ૬. કાર્તવીર્ય, ૭. દંડવીર્ય અને ૮. જલવીર્ય. ભરતચક્રીની દીક્ષા બાદ શકેન્દ્રએ આદિત્યયશાનો રાજ્યાભિષેક કર્યો. (૨) સગર ચક્રવર્તી કથાનક :–૦- સામાન્ય પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સગર નામે બીજા ચક્રવર્તી થયા. તેમનો જન્મ અયોધ્યા નગરીમાં સુમિત્ર વિજયની પત્ની (રાણી) જશવતી(–ચશોમતી)ની કુક્ષિમાં થયો. તેઓ કાશ્યપ ગોત્રના હતા. તેમનો વર્ણ નિર્મળ સુવર્ણની પ્રભા જેવો હતો. ઊંચાઈ ૪૫૦ ધનુષની હતી. તેઓ છ ખંડરૂપ ભરતના, ચૌદ રત્નના અને નવનિધિના સ્વામી હતા. ભદ્રા નામે તેની મુખ્ય રાણી (સ્ત્રીરત્ન) હતા. બોંતેર લાખ પૂર્વનું પૂર્ણ આય. ભોગવ્યું. તેઓ ૭૧ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા. ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા લીધી. એક લાખ પૂર્વનો શ્રમણ પર્યાય પાળી, અંતે કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. તે ભગવંત અજીતનાથના શાસનમાં થયેલા. –૦- કથાનક : અયોધ્યા (અપરનામ વિનીતા) નામે નગરી હતી. તેમાં જિતશત્ર નામે રાજા હતો. તેને સુમિત્રવિજય નામે નાનો ભાઈ હતો, જે યુવરાજ હતો. જિતશત્રુ રાજાની પત્ની (રાણી)નું નામ વિજયા હતું અને સુમિત્રવિજય યુવરાજની પત્ની યશોમતી (જશવતી) હતી. એક રાત્રિએ રાણીવિજયા તથા યશોમતી બંનેએ રાત્રિના કંઈક સુતા, કંઈક જાગતા એવી સ્થિતિમાં ચૌદ સ્વપ્નો જોયા. વિજયારાણીની કૃષિમાં ભગવંત અજિતનાથનો જીવ આવ્યો અને યશોમતીની કુલિમાં સગર ચક્રવર્તીનો જીવ આવ્યો. ત્યારપછી કોઈ કાળે જિતશત્રુ તથા સુમિત્રવિજયે દીક્ષા ગ્રહણ કરી. પછી અજિતસ્વામી રાજા બન્યા અને સગર યુવરાજ બન્યો. કોઈ વખતે અજિતનાથ પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી અને નાના ભાઈ સગરને રાજ્ય સોંપ્યું ત્યાર પછી સગર ચક્રવર્તી રાજા થયા. (સગરના દિગ્વીજય અને ચક્રવર્તીપણાનું વર્ણન ભરત ચક્રવર્તી અનુસાર જાણવું). તે સગર ચક્રવર્તીને પોતાની ૬૪,૦૦૦ સ્ત્રીઓ સાથે ભોગ ભોગવતા કાળક્રમે ૬૦,૦૦૦ પુત્રો થયા. તેમાં જહનુકુમાર સૌથી મોટો પુત્ર હતો. અન્ય કોઈ દિવસે તેણે ચક્રવર્તી પિતાને ખુશ કરીને કહ્યું કે – હે તાત! આપની કૃપાથી અમને બધું જ પ્રાપ્ત થયું છે. આપ અમને દંડરત્ન આપો તો અમે સમગ્ર પૃથ્વી પર સ્વેચ્છાએ વિચરણ કરીએ. સગર રાજાની અનુજ્ઞા પામી જહનુકુમાર આદિ પુત્રોએ સૈન્ય સહિત ત્યાંથી પ્રયાણ કર્યું. આશ્ચર્ય ચકિત કરતી રત્નગર્ભા પૃથ્વીને અવલોકતા તે વિચારવા લાગ્યા. અનુક્રમે તેઓ ચાર યોજન વિસ્તારવાળા અને આઠ યોજન ઊંચા એવા અષ્ટાપદ પર્વત પર બધાં ભાઈઓ સાથે ચડ્યા. તેઓએ ત્યાં બે કોશ પહોળા અને ત્રણ કોશ લાંબા એવા રત્નમય Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ આગમ કથાનુયોગ-૨ ચતુર્મુખ ચૈત્યના દર્શન કર્યા. ત્યાં પોતપોતાના પ્રમાણથી શોભતા એવા ભગવંત ઋષભ આદિ ચોવીશે તીર્થકર ભગવંતોની પૂજા કરી. ભરત આદિ ભાઈઓના સો સ્તુપોને નમસ્કાર કર્યા. સાગરરાજાના પુત્રો સુષમકાળમાં બનેલા આ ચૈત્યને જોઈને અતિ હર્ષ પામ્યા. તેમણે અમાત્યને પૂછ્યું કે, આવું ભવ્ય ચૈત્ય કોણે કરાવ્યું? અમાત્યે જણાવ્યું કે, આપના પૂર્વજ એવા ભરત ચક્રવર્તીએ આ ચૈત્ય કરાવેલ છે. જહનુકુમારે તેના સેવકોને કહ્યું કે, ભરતચક્રવર્તીએ કરાવેલ ચૈત્ય જેવું જ બીજું એક ચૈત્ય અહીં તૈયાર કરાવો. સેવકોએ જઈને–આવીને કહ્યું કે, જૂના ધર્મસ્થાનોનું રક્ષણ કરવું તે નવા ધર્મસ્થાન કરાવ્યાથી પણ અધિક છે. તેથી આપણે આ ચૈત્યની રક્ષા કરવી જોઈએ. કાળના અનુભાવથી ભાવિમાં અન્ય લોકો અહીં ઉપદ્રવ ન કરે તે માટે આ જ ચૈત્યનું રક્ષણ કરવું તે મહાફળનું કારણ બનશે. એ પ્રમાણે વિચારી જહનુકુમારે પોતાના ભાઈઓ સાથે મળીને અષ્ટાપદ ગિરિ ફરતી હજાર યોજન ઊંડી ખાઈ ખોદવાનું વિચાર્યું. ત્યાર પછી દંડરત્ન વડે તેઓએ પૃથ્વીને ખોદવાનું શરૂ કર્યું. તે વખતે નીચે રહેલા નાગકુમારના ક્રીડાગૃહ આદિ માટીના પાત્રની જેમ ભાંગવા માંડ્યા. - આ ઉપદ્રવથી નાગકુમારેન્દ્ર વલપ્રભ અત્યંત લોભ પામ્યો. અવધિજ્ઞાન વડે સર્વ વૃત્તાંત જાણી તે અત્યંત ક્રોધિત થયો. તેણે સગરરાજાના પુત્રોને કહ્યું કે, ઓ મૂર્ખ લોકો ! તમે આ પૃથ્વીને ભેદવા દ્વારા કેવું અકૃત્ય કર્યું તે તમે જાણો છો ? તમે નાગકુમારના ગૃહો સાથે શાશ્વત ચૈત્યોને ઉપદ્રવ કર્યો છે. સિંહની માફક તે જ્વલનપ્રભ બધાંને હણવા તૈયાર થઈ ગયો. તે વખતે જહનુકુમારે તેને કહ્યું કે, હે ભોગીંદ્ર ! અમે તો તીર્થરક્ષાની બુદ્ધિથી આ કાર્ય કરેલ. અમારા અજ્ઞાનને તમે ક્ષમા કરો. જહનુકુમારની પ્રાર્થનાથી તે જ્વલનપ્રભ નાગેન્દ્ર શાંત થયો. સગરચક્રવર્તીના પુત્રોએ પણ ફરી આવું નહીં કરીએ તેવું વચન આપ્યું. પછી તે નાગેન્દ્ર નાગલોકમાં પાછો ફર્યો. - ત્યાર પછી જહનુકુમારોએ પોતાના નાનાભાઈઓ સાથે વિચાર્યું કે, આ ખાઈમાં જો પાણી ભરેલું નહીં હોય તો તે કદાચ ભવિષયમાં ધૂળથી ભરાઈ જશે. તેથી પવિત્ર ગંગાનદીના જળ વડે તેને ભરી દેવી જોઈએ. ત્યારે મોટાભાઈની તે વાતમાં સર્વે ભાઈઓ સંમત થયા. તેણે ત્યાર પછી દંડરત્ન વડે ગંગાનદીના નીરને તે ખાઈમાં વહેવડાવી, ખાઈ પૂરાઈ ગયા પછી વધારાનું પાણી નાગકુમારોના સ્થાનમાં પ્રવેશી ગયું. તેમના ઘર–મંદિર વગેરેમાં પ્રવેશથી તે ભાંગવા લાગ્યા. નાગલોકના લોભથી નાગેન્દ્ર જ્વલનપ્રભ ભયંકર કોપાયમાન થયો. ક્રોધથી સળગતા તે નાગેન્દ્રએ તુરંત જ સગરચક્રવર્તીના પુત્રોના વધને માટે દૃષ્ટિવિષ સર્પોને મોકલ્યા. દૃષ્ટિવિષ સપએ તેઓને જોતાં જ પોતાની દૃષ્ટિમાંથી વિષને છોડ્યું અને સગરચક્રવતીના સાઠ હજાર પુત્રોને ભસ્મીભૂત કરી દીધા. આ ઘટનાથી સગરચક્રવર્તીનું સૈન્ય આદિ હૈયાફાટ રૂદન કરવા લાગ્યા. તે વખતે મંત્રીઓએ વિચાર્યું કે, અવશ્યભાવી એવી ઘટનાનું કોઈ જ અતિક્રમણ કરી શકતું નથી. ઉપદ્રવસ્થાને રહેવું ઉચિત નથી એમ સમજીને સામંત આદિ સર્વે પણ અયોધ્યા આવ્યા. તેઓ પણ લજ્જાથી પ્લાન વદનવાળા થઈ વિચારવા લાગ્યા કે, હવે સગર રાજાને જઈને આપણે કઈ રીતે મોઢું બતાવીશું? આના કરતા આપણે બધાંએ અગ્રિમાં પ્રવેશ કરી બળી Page #90 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી - સગર કથા મરવું એ જ શ્રેષ્ઠ છે. તે વખતે ત્યાં કોઈ બ્રાહ્મણે પ્રગટ થઈને કહ્યું કે, શુભ કે અશુભ કર્મો પ્રત્યેક પ્રાણીએ ભોગવવા જ પડે છે. તેથી તમે વ્યાકૂળ ન થાઓ. તમારા સ્વામીને હું સમજાવીશ. ૮૯ આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણ કોઈ અનાથ મૃતકને લઈને રાજકૂલ દ્વારે ગયો. ત્યાં જઈને મોટે—મોટેથી વિલાપ કરવા લાગ્યો. તે સાંભળીને સગર ચક્રવર્તીએ તેને બોલાવીને પૂછયું કે, શા માટે રડે છે ? ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે, મને ભાગ્યયોગે એક જ પુત્ર હતો. તે હવે નિશ્ચેષ્ટ થઈ ગયો છે. તેને કોઈપણ રીતે જીવતો કરવો છે. હું જ્યારે તેના શોકમાં ડૂબેલો હતો ત્યારે મને કૂળદેવીએ કહ્યું કે, જેના ઘરમાં કોઈ મૃત્યુ પામેલ ન હોય તેના ઘેર જઈને માંગલિક ભસ્મ લઈ આવ. તો હું તારા પુત્રને જીવતો કરી દઈશ. પુત્રને જીવાડવાના લોભથી હું ઘેર ઘેર ભટકતો રહ્યો, પરંતુ મને એક પણ ઘર એવું ન મળ્યું કે, જ્યાં કોઈ મૃત્યુ થયું ન હોય. ત્યારે રાજાએ કહ્યું કે, અમારે પણ પૂર્વે ઘણાં પૂર્વજો મૃત્યુ પામ્યા છે. મૃત્યુ એ તો સર્વસાધારણ ઘટના છે. હે બ્રાહ્મણ ! તું કેમ આટલો બધો ખેદ કરે છે ? તું મૃતપુત્રના વિચાર છોડીને તારા મૃત્યુ પહેલાં કંઈક આત્મહિતને સાધ. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે, હે રાજા ! હું પ્રાણીઓનું ભવસ્વરૂપ જાણું છું, પણ પુત્રના વિયોગે આજે તે બધું ભૂલી જવાય છે. કેમકે જો મારો પુત્ર જીવંત નહીં થાય તો મારું કૂળ ક્ષય પામશે. હે દીન અને અનાથોના નાથ ! તેના દુઃખથી હું આકુળ—વ્યાકુળ થઈ ગયો છું. હું તેના વગર જીવી શકું તેમ નથી. તમે મને મારા પુત્રની ભિક્ષા આપો. ત્યારે રાજાએ તેને સાંત્વન આપતા કહ્યું કે, હે દ્વિજોત્તમ ! તમે મોહના ચિન્હરૂપ શોકને દૂર કરો, ધીરજ રાખો, હે મહાસત્વ ! આત્મામાં વિવેકને ધારણ કરો. ધર્મશાળાના વટેમાર્ગુની માફક સંસારમાં બધાં આવે છે, મળે છે અને વિખૂટા પડે છે. – ત્યારે તે બ્રાહ્મણે સગર ચક્રવર્તીને કહ્યું કે, હે રાજન ! તારા પણ ૬૦,૦૦૦ પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા છે. તું પણ તેનો શોક ન કર. તે વખતે બ્રાહ્મણે પૂર્વે સમજાવ્યા પ્રમાણે બધાં સામન્તાદિ સગર ચક્રવર્તી પાસે આવ્યા. જે પ્રમાણે બનેલ તે સર્વ વૃત્તાંત સગર ચક્રવર્તીને જણાવ્યો. તે સાંભળીને ચક્રી પણ વજ્રથી હણાયો હોય તેમ મૂર્છા પામીને જમીન પર પડી ગયો. કંઈક ભાન આવતા તે સાર્વભૌમ રાજા વિલાપ કરવા લાગ્યો. “ઓ પુત્રો ! મને એકલો મૂકીને તમે બધાં ક્યાં ચાલ્યા ગયા ?'' હે દુદૈવ ! તેં સર્વે બાળકોને એક સાથે સંહરીને કેવી ક્રૂરતા આચરી ? બધાં બાળકોના મૃત્યુના સમાચાર સાંભળીને જે હૃદય ફાટી પડતું નથી તે નિષ્ઠુરથી પણ નિષ્ઠુર છે. સર્વસુખને ભોગવ્યા વિના મારા પુત્રો પરલોકે સિધાવી ગયા, હવે જો હું તેને અનુસરું નહીં તો મારો આ પ્રેમ કૃત્રિમ જ છે. રાજાને આ રીતે કરુણ વિલાપ કરતો જોઈને તે બ્રાહ્મણે ચક્રવર્તીને કહ્યું કે, હે સ્વામી ! હજી હમણાં તો તમે મને શોક ન કરવા સમજાવતા હતા. હવે તમે સ્વયં કેમ રડો છો ? હે નાથ ! પ્રિયજનોનો વિયોગ કોને અતિદુઃસહ નથી થતો ? કેવળ ધીરપુરુષો જ તેને સહન કરે છે. જો વિચક્ષણ પુરુષો આવા કાળે પોતાના આત્માને શિક્ષા આપી શકે તો જ બીજાને કરેલ શિક્ષાદાન શોભે છે. આ પ્રમાણે તે બ્રાહ્મણના વચનો અને મંત્રીની વાત સાંભળીને સગર ચક્રીએ ધીરતાને ધારણ કરી. પછી કાલ–ઉચિત ક્રિયા કરી, ત્યાર Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯૦ આગમ કથાનુયોગ-૨ પછી તે ચક્રી નગરજન અમાત્ય આદિની સાથે અષ્ટાપદે આવ્યા. ગ્રામજનોએ આવીને તેમને વિનંતી કરી કે, તમારા પુત્રોએ વહાવેલી ગંગા અનેક ગામોને પ્લાવિત કરી રહી છે તેનું નિવારણ કરો. સગરરાજાએ પોતાના પૌત્ર ભગીરથને તે કાર્ય માટે આજ્ઞા કરી. ગંગાનદીને પૂર્વ સાગરમાં ભેળવી દો. તેણે અઠમ તપ કરી જ્વલનપ્રભ દેવની આરાધના કરી. નાગેન્દ્ર એ દર્શન આપતા, લોકોને ગંગાના પાણીના ઉપદ્રવથી મુક્ત કરવા કહ્યું. પ્રસન્ન થયેલા નાગેન્દ્રએ કહ્યું. તમે નિર્વિદનતાથી તમારું ઇચ્છિત કાર્ય કરો. તમને નાગકુમારો તરફથી કોઈ ઉપદ્રવનો ભય રાખશો નહીં. પછી નાગેન્દ્ર સ્વસ્થાનકે પાછા ગયા. ભગીરથે અઠમ તપનું પારણું કર્યું. દંડવત્નને ગ્રહણ કરી, કર્ષણ કરી તે ગંગાને પૂર્વ સમુદ્રમાં ભેળવી દીધી. ત્યાં ગંગાસાગર નામે તીર્થ થયું. ત્યાર પછી ભગીરથે વિધિવત્ નાગની પૂજા કરી. અયોધ્યા જઈને સગર ચક્રીને તે વાત જણાવી સંતુષ્ટ કર્યા. ત્યારપછી સગરચક્રીએ ભગીરથને રાજ્ય સોંપી પોતે અજિતનાથ ભગવંત પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. સત્યપ્રતિજ્ઞ એવા સગરરાજર્ષિએ સારી રીતે દુષ્કર તપોનું સેવન કર્યું. કાળક્રમે તેમણે અજ્ઞાનનો ધ્વંસ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. બોંતેર લાખ વર્ષનું આયુ પરિપૂર્ણ કરી સગરચક્રી મોક્ષે ગયા. આ રીતે નરપતિ સગરચક્રવર્તી સાગરપર્યત ભરતવર્ષક્ષેત્ર અને પૂર્ણ ઐશ્વર્યને છોડીને સંયમની સાધના કરીને પરિનિર્વાણ પામ્યા. જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં દશ મુખ્ય રાજધાની હતી. તેમાં દશ ચક્રવર્તીઓ થયા કે જેમણે દીક્ષા લીધેલી. તેમાંના એક સગરચક્રવર્તી વિનીતા અપરામ અયોધ્યામાં થયા. આગમ સંદર્ભ :– ઠા. ૯૦૫ થી ૯૦૭ + વૃ. સમ. ૭૧, ૩૧૩, ૩૧૫, ૩૧૭, ૩૨૦; આવનિ. ૩૭૪, ૩૯૧, ૩૯૨, ૩૯૪, ૩૯૫, ૩૯૭ થી ૩૯૯, ૪૦૧, ૪૧૬; આવ રૃ. ૧-પૃ. ૨૧૪, ૧૫, ૨૨૦, ૨૨૮; આવ.નિ. ૪૧૬, ૪૧૯, ૪ર૧, ૪૩૫ની વૃ. આવ.મ.ગ્રં.પૃ. ૨૩૭ થી.. ઉત્ત. ૧૯૪; ઉત્ત.ભાવ. પૃ. ૩૩૭-૩૪૦; તિલ્યો. ૪૬૫, ૫૫૯; (૩) મધવ ચક્રવર્તી કથાનક :–૦- સામાન્ય પરીચય : જંબૂલીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં મઘવ નામે ત્રીજા ચક્રવર્તી થયા. તેમનો જન્મ શ્રાવસ્તીનગરીમાં પિતા સમુદ્રવિજયના પત્ની ભદ્રામાતાની કુક્ષિમાં થયો. તેઓ કાશ્યપ ગોત્રના હતા. તેમનો વર્ણ નિર્મળ સુવર્ણની પ્રભા સમાન હતો. ઊંચાઈ સાડા બેતાલીશ ધનુષ હતી. તેઓ છ ખંડરૂપ ભરતના, ચૌદરત્નના અને નવનિધિના સ્વામી હતા. સુનંદા તેમની મુખ્ય રાણી (સ્ત્રીરત્ન) હતી. પાંચ લાખ વર્ષનું પૂર્ણ ભોગવ્યું. અંતે દીક્ષા લઈ મૃત્યુ બાદ તેઓ સનંકુમાર દેવલોકમાં ગયા. તેઓ ભગવંત ધર્મ અને ભગવંત શાંતિના શાસનના વચ્ચેના અંતરમાં થયેલા. તેને “મઘવા” નામે પણ ઓળખવામાં આવે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – મધવ કથા –૦- કથાનક : આ ભરતક્ષેત્રમાં મહીમંડળ નામે નગરમાં ભગવંત વાસુપૂજ્યના તીર્થમાં નરપતિ નામે રાજા હતો. પોતાના સંતાનની માફક પ્રજાનું પાલન કરતા તેણે દીર્ઘકાળ સુધી રાજ્ય કર્યું. કોઈ કાળે તેણે વિરકત બની રાજ્યનો ત્યાગ કર્યો અને દીક્ષા ગ્રહણ કરી. અપ્રમત્તપણે લાંબાકાળ સુધી દીક્ષાનું પાલન કરી મૃત્યુ પામ્યા (કાળધર્મ પામ્યા). ત્યાંથી મધ્યમ રૈવેયકમાં અહમિંદ્ર દેવ થયા. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શ્રાવતિ નામે નગરી હતી. તેમાં અસંખ્યગુણરૂપ રત્નો વડે મૂર્તિમાનું સમુદ્ર હોય તેવા સમુદ્ર વિજય નામે રાજા હતા. તેને ભદ્ર અંગવાળી સર્વ ભદ્રના સ્થાનરૂપ દેવી સશ ભદ્રા નામે પત્ની (રાણી) હતી. તે નરપતિદેવ રૈવેયકથી ચ્યવને ભદ્રામાતાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તે વખતે ભદ્રામાતાએ ચૌદ મહાસ્વપ્નોને જોયા. રાજાએ તેણીને કહ્યું કે, આ ચૌદ મહાસ્વપ્નના ફળરૂપે તને પુત્ર જન્મશે અને તે ચક્રવર્તી રાજા થશે. કાળક્રમે તેણીએ ઉત્તમ લક્ષણવાળા, સુવર્ણ વર્ણથી શોભતા એવા ઉત્તમ પુત્રરત્નને જન્મ આપ્યો. આ પુત્ર પૃથ્વીમાં મઘવા (ઇન્દ્ર) સમાન થશે એવું ધારીને સમુદ્રવિજયે મહોત્સવ કરીને તેનું મઘવા એવું નામ રાખ્યું. જ્યારે તે યુવાન થયો ત્યારે સમુદ્રવિજય રાજાએ તેને રાજ્ય સોંપ્યું. તેના શસ્ત્રાગારમાં દેદીપ્યમાન એવું ચક્ર ઉત્પન્ન થયું. ત્યારે **ભરત ચક્રવર્તીની માફક ** તેણે છ ખંડ ભારતને જીતી લીધું. લાંબા સમય સુધી ચક્રવર્તીપણે છ ખંડ ભારતનું રાજ્ય કર્યું. ત્યાર પછી તે મહાન, ઋદ્ધિસંપન્ન અને યશસ્વી એવા મઘવા ચક્રવર્તીએ ભરતક્ષેત્રના રાજ્યનો–દ્ધિ, પરિવારનો ત્યાગ કર્યો અને વિરક્ત થઈ દીક્ષા ગ્રહણ કરી. ૨૫,૦૦૦ વર્ષ કુમારવયમાં, ૨૫,૦૦૦ વર્ષ મંડલીક રાજા રૂપે, ૧૦,૦૦૦ વર્ષ દિગ્વીજયમાં, ૩,૯૦,૦૦૦ વર્ષ ચક્રવર્તીપણામાં અને ૫૦,૦૦૦ વર્ષનો દીક્ષાપર્યાય પાળી કુલ પાંચ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી તે મઘવા ચક્રવર્તી સનકુમાર નામે ત્રીજા દેવલોકમાં મહર્દિક દેવ થયા. ૦ આગમ સંદર્ભ :ઠા. ૯૦૫ થી ૯૦૭ + . સમ. ૩૧૩, ૩૧૫, ૩૧૭, ૩૨૦; આવ.નિ. ૩૭૪, ૩૯૧, ૩૨, ૩૯૪, ૩૯૫, ૩૯૭ થી ૩૯૯, ૪૦૧, ૪૧૬, આવ.યૂ.૧-૫. ૨૧૫, ૨૨૦, ૨૨૮; આવા નિ ૪૧૬, ૪૧૯, ૪૨૧ની વૃ. ઉત્ત. પ૯૫; ઉત્તભાવ . ૩૪૦; તિથો. પપ૯, ૫૬ ૧; (૪) સનસ્કુમાર ચક્રવર્તી કથાનક - –૦- સામાન્ય પરીચય : જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં ચોથા ચક્રવર્તી સનકુમાર (અન્નકુમાર) થયા. હસ્તિનાપુરના અશ્વસેન રાજાની પત્ની સહદેવી રાણીની કુક્ષીમાં તેમનો જન્મ થયો. તેઓ કાશ્યપગોત્રના હતા. તેમનો વર્ણ નિર્મળ સુવર્ણની પ્રભા સમાન હતો. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૨ આગમ કથાનુયોગ-૨ ઊંચાઈ સાડા એકતાલીશ ધનુષ હતી. તેઓ છ ખંડરૂપ ભરતના, ચૌદરત્નના, નવનિધિન સ્વામી હતા. જયા નામે તેની મુખ્ય રાણી (સ્ત્રીરત્ન) હતી, ત્રણ લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. અંતે દીક્ષા લીધી. મૃત્યુ બાદ તેઓ સનસ્કુમાર નામના ત્રીજા દેવલોકમાં દેવત થયા. તેઓ ભગવંત ધર્મનાથ અને ભગવંત શાંતિનાથના શાસનના વચ્ચેના અંતરમાં અને સનસ્કુમાર ચક્રવર્તીના કાળ પૂરો થયા બાદ ચક્રવર્તી થયેલા. -૦– કથાનક : કાંચનની શોભાને ધારણ કરનારી એવી કાંચનપુર નામે નગરી હતી. ત્યાં અતિ પરાક્રમી એવો વિક્રમયશા નામે રાજા હતો. તેને વિશ્વમાં મનોહર એવી પાંચસો રાણી હતી. તે નગરમાં ઘણો જ સમૃદ્ધિશાળી અને ધનવાનું એવો નાગદત્ત નામે સાર્થવાહ હતો તેને સૌભાગ્યકારી, લાવણ્યવતી અને અતિશય રૂપથી શોભતી વિષ્ણુની લક્ષ્મીદેવી સદશા દેવસુંદરી જેવી વિષ્ણશ્રી નામે સ્ત્રી હતી. કોઈ વખતે વિક્રમયશા રાજાની દૃષ્ટિ વિષ્ણુર્થ ઉપર પડી. તે સ્ત્રીના સૌંદર્યએ રાજાનું મન હરી લીધું. રાજાના મનમાં થયું કે, આ સ્ત્ર વિના મારું રાજ્ય, જન્મ સર્વે નિષ્ફળ છે. રાજાએ તુરંત જ તેણીનું હરણ કરીને પોતાન અંતઃપુરમાં સ્થાપન કરી દીધી. “હે પ્રિયે ! તું ક્યાં ચાલી ગઈ ?' એ પ્રમાણે વિલાપ કરતો નાગદત્ત સાર્થવા ત્યાર પછી ઉન્મત્ત – ગાંડાની માફક ભમવા લાગ્યો. વિક્રમયશા રાજા લજ્જા-લોકાપવા અને પોતાના શુદ્ધ અંત:પુરને બધાંને છોડીને નિત્ય વિષ્ણુશ્રી સાથે કામક્રીડા આદિમાં રમણ કરવા લાગ્યો. તેથી અંતઃપુરની અન્ય સ્ત્રીઓને ઇર્ષ્યા જન્મી. અસૂયાથી તે સ્ત્રી પર કામ કર્યું. તે મૃગાક્ષી સ્ત્રી ક્ષણે-ક્ષણે ક્ષીણ થતી મૃત્યુ પામી. ત્યારે તેણીના દવાગ્રિની જેમ દુઃસહ્ય એવા વિયોગને કારણે તે રાજા પણ નાગદત્તની માફક ઉન્મત્ત–પાગલ જેવો થઈ ગયો. તે બોલવા લાગ્યો કે, મારી પ્રિયા તો પ્રણયથી રીસાઈને મૌન થઈ ગઈ છે. સ્નેહર્થ મોહિત થઈ તેણીના મૃતકને અગ્રિમાં નાંખવાની ના પાડી દીધી. ત્યારે મંત્રીઓએ કંઈક વિચારી, રાજાને છેતરીને પશુના મૃતકની માફક તે સ્ત્રીના મૃતકને જંગલમાં ફેંકાવી દીધું તે રાજાએ જ્યારે તે સ્ત્રીને ન જોઈ ત્યારે તેની શોધમાં અશ્રુ વહાવતો આંસુ વડે પૃથ્વીને સિંચતો અહીં-તહીં ભમવા લાગ્યો. વિરહથી વિહળ બનીને હે કાન્તા ! તે એકાંતને કેમ ધારણ કર્યું છે ? મશ્કરીમાં પણ તારે આમ ન કરવું જોઈએ. એ પ્રમાણે આક્રન્ટ કરતો, ત્રણ દિવસ સુધી તેણે અન્ન-જળને પણ લીધા નહીં. મંત્રીઓને થયું કે, આ રાજ આમ જ મરી જશે. તેથી વનમાં રહેલા તે સ્ત્રીના શરીરને બતાવ્યું. તે સ્ત્રીના સ્તનો ગીધડાંએ ચૂંથી નાખેલા, કાગડાઓએ તેની આંખો ખેંચી કાઢેલી. તેનું શરીર કૃમિઓર્થ ખદબદતુ હતું અને તેના શરીરમાંથી દુર્ગધ ફેલાઈ રહી હતી. શિયાળીઆએ તેના આંતરડ ખેંચી લીધેલા, માખીઓનો સમૂહ તેની આસપાસ ફેલાઈ ગયો હતો. વિષ્ણુશ્રીના આવા ચુંથાયેલા શરીરને જોઈને તે રાજા ત્યાં બેસી પડ્યો. વિક્રમયશા રાજા વિરક્ત થઈને ચિંતવવા લાગ્યો, અરે ! આ અસાર સંસારમાં કંઈ જ સાર નથી. આવા અસાર સ્ત્રીદેહમાં હું બહુ કાળ મોહ પામ્યો, ખરેખર મને ધિક્કાર છે. કુળ, શીલ, યશ, લજ્જા આદિ મેં જેને કારણે છોડી દીધા હે જીવ! હે ઉન્મત્ત ! જો તેણીની Page #94 -------------------------------------------------------------------------- ________________ ચક્રવતી - સનકુમાર કથા આ દશા જો. હવે મારા આત્માને નિર્મળ કરવા માટે મારે ધર્મક્રિયારૂપી નીર વડે જ પાપરૂપી કાદવને ધોવો જોઈએ. આ પ્રમાણે વિરક્ત બનેલા તે રાજાએ સુવ્રતાચાર્ય પાસે જઈને, ધૂળની જેમ રાજ્યનો ત્યાગ કરીને દીક્ષા લીધી. વિવિધ પ્રકારના તપ વડે, શરીરને શોષવી દઈને, લાંબા કાળ સુધી શ્રમણપણામાં વિચરીને મૃત્યુ બાદ ત્રીજા સ્વર્ગે ગયો. આ તરફ પત્નીના વિરહથી દુઃખી થયેલો નાગદત્ત પણ આર્તધ્યાન વડે મૃત્યુ પામીને તિર્યંચ યોનિમાં અનેક ભવ ભટક્યો. પછી સિંહપુર નામના નગરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણપુત્ર થયો. કોઈ વખતે તેણે પૂણ્યના હેતુથી ત્રિદંડીપણાનો ધર્મ સ્વીકાર્યો. કોઈ વખતે બેમાસી તપ કરીને તે રત્નપુર નગરમાં આવ્યો. ત્યાં ત્રિદંડીભક્ત નરવાહના નામે રાજા હતો. રાજાએ તેને પોતાને ત્યાં પારણું કરવા માટે નિમંત્રણ આપ્યું. ત્યાં તેણે જિનધર્મ નામક કુમારને ત્યાં આવેલો જોયો. તેને જોતાં જ અગ્નિશર્મા તાપસના નેત્રો રોષથી લાલ થઈ ગયા. પૂર્વજન્મનું વેર યાદ આવ્યું. તે ત્રિદંડિકે નરવાહન રાજાને આ પ્રમાણે કહ્યું- હે રાજા ! જો આ શ્રેષ્ઠીના વાંસા પર અતિ ઉષ્ણ દૂધપાકનું પાત્ર મૂકીને ભોજન કરાવશો તો હું કરીશ, અન્યથા ભોજન કરીશ નહીં. રાજાએ કહ્યું કે, હું બીજા પુરુષના વાંસા પર પાત્ર મૂકી ભોજન કરાવું. આ પ્રમાણે રાજાએ કહેતા તે દુષ્ટ, દુષ્ટ, વતી ફરીથી બોલ્યો, આના જ વાંસા પર પાત્ર મૂક તો હું ભોજન કરીશ, અન્યથા જતો રહીશ. તે રાજા ત્રિદંડીક ભક્ત હોવાથી તેણે ત્રિદંડીના વચનને ગ્રહણ કર્યું. રાજાની આજ્ઞાથી તે શ્રાવકના વાંસા પર અતિ ઉષ્ણ દૂધપાકનો થાળ મૂકીને તે તાપસને ભોજન માટે અપાયું ત્યારે તેણે ભોજન કરવું શરૂ કર્યું. તે શ્રાવકે વિચાર્યું કે, આ મારા જ અશુભકર્મનું ફળ છે, તેણે વિશુદ્ધ બુદ્ધિ વડે તે થાળીના ઉષ્ણ તાપને સહન કર્યો. ભિક્ષુએ ભોજન કરી લીધું ત્યાં સુધીમાં તે તાપથી શ્રેષ્ઠીના ચામડી, માંસ, લોહીમાં તે પાત્ર ચોંટી ગયું. લોકોએ તે થાળને ઉખાડ્યો પછી શ્રેષ્ઠી ઘેર ગયો. - જિનધર્મકુમારે સર્વજનોને ખમાવ્યા. પછી ગુરુજન પાસે જઈને જિનધર્મદીક્ષા અંગીકાર કરી, પછી નગરીની બહાર નીકળ્યા. પક્ષ—પક્ષનું અનશન ગ્રહણ કરી, પર્વતના શિખરે કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. એ રીતે ચારે દિશામાં કાયોત્સર્ગ કરતા જે ઉપસર્ગો થયા તે સહન કર્યા. તે વખતે ગીધ અને કાગડાઓએ તેના પૃષ્ઠ ભાગને ચૂંથી નાંખ્યો. તેણે તે ઉગ્ર વેદનાને સહન કરી અને નમસ્કાર મંત્રનું ધ્યાન કર્યું. મૃત્યુ બાદ તે પહેલા સૌધર્મકલ્પ ઇન્દ્ર થયા. તેણે જિનધર્મનું આ અનંતર ફળ પ્રાપ્ત કર્યું. પેલો ત્રિદંડી તાપસ પણ મરીને તેના આભિયોગિક કુકર્મોથી પહેલા દેવલોકમાં ઇન્દ્રના વાહનરૂપ ઐરાવણ હાથી થયો. તે ત્રિદંડીનો જીવ ત્યાંથી ચ્યવીને કેટલાંક ભવો ભમી કરી અસિત નામે યક્ષરાજ થયો. આ ભરતક્ષેત્રમાં કુર જાંગલ દેશમાં કલ્યાણપદ અને શોભા સંપન્ન એવું હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં અશ્વોની સેનાથી શત્રુને જિતનાર એવો અશ્વસેન નામનો એક શ્રેષ્ઠ રાજા હતો. પૃથ્વી પર દેવી સમાન એવી સહદેવી નામે તેની રાણી હતી, તેની કુક્ષિમાં જિનધર્મનો જીવ સ્વર્ગથી ઍવીને આવ્યો. તેનું ગર્ભાવતરણ થયું ત્યારે ચૌદ મહાસ્વપ્નોને જોઈને માતા સહદેવી જાગ્યા. ગર્ભકાળ પૂર્ણ થયો ત્યારે તેણીએ ઉત્તમ લક્ષણોથી લક્ષિત, જગના લોકોને મનોહારી, અદ્વિતીય રૂપ લક્ષ્મીથી યુક્ત કામદેવ જેવા પુત્રને જન્મ Page #95 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ આપ્યો. રાજાએ તેનો જન્મોત્સવ કરી સનકુમાર નામ રાખ્યું. તે કાળક્રમે વૃદ્ધિ પામતા કલ્પવૃક્ષ સદૃશ થયો. સાડા એકતાલીશ ધનુની તેની કાયા હતી. કાલિંદીસૂરનો શ્રીયુક્ત એવો મહેન્દ્રસિંહ નામનો પુત્ર હતો. તેની સાથે ધૂળમાં રમતા–રમતા જ તેની મૈત્રી બંધાયેલી, બંને મિત્રો કલાચાર્ય પાસે ભણવા મૂકેલા, સનકુમારે લીલા માત્રમાં બધી જ કળાઓ શીખી લીધી. સનત્કુમાર જ્યારે યૌવન પામ્યા ત્યારે તેના લાવણ્યથી અનેક સ્ત્રીઓ તેના તરફ આકર્ષવા લાગી. મકરંદ નામના ઉદ્યાનમાં કોઈ સમયે વસંતઋતુમાં તે મહેન્દ્રસિંહ સાથે ક્રીડા કરવા ગયા. તે વખતે મિત્ર સાથે વિવિધ ક્રીડા કરતા એવા તેને રાજાએ એક સુંદર અશ્વ ભેટ આપ્યો. તે અશ્વનું નામ જલધિકલ્લોલ હતું. રાજકુમાર પણ તેના પર ચઢીને તેની ગતિ જાણવા માટે ઉત્સુક બન્યા. તે રાજકુમારે અશ્વની લગામ ખેંચી તેને ગતિવંત થવા પ્રેર્યો. તે ઘોડો વાયુ જેવી ગતિથી આકાશમાં ઉડતો હોય તેમ દોડ્યો. જેમ જેમ કુમાર તેને લગામથી ખેંચવા લાગ્યો તેમ તેમ તે વિપરિત શિક્ષાવાળો અશ્વ અધિક—અધિક દોડવા લાગ્યો. ૯૪ સાથે-સાથે બીજા ઘોડેશ્વાર રાજપુત્રો અશ્વ દોડાવતા હતા. તેઓની મધ્યમાંથી સનત્કુમારનો અશ્વ જોતજોતામાં કુમારને લઈને અદૃશ્ય થઈ ગયો. પોતાના કુમારને અશ્વ હરી ગયો, તે જાણીને અશ્વસેન રાજા મોટી અશ્વસેના લઈને તેને પાછો લાવવા પાછળ ચાલ્યા. તેટલામાં પ્રચંડ ધૂળની આંધી ઉઠી, સૈન્યને દિગ્મૂઢ કરી દીધું. કુમારના અશ્વના પગલાંના ચિહ્નો તે પવનની સાથે ભુંસાઈ ગયા. તેની સામે સઘળું સૈન્ય નિરૂપાય થઈ ગયું. તે વખતે મહેન્દ્રસિંહે અશ્વસેન રાજાને વિજ્ઞપ્તિ કરી, હે દેવ ! આ દૈવદુર્ઘટના જુઓ. આ અનિષ્ટ કંઈ સમજાતું નથી. તો પણ હું મિત્રને શોધીને જલ્દીથી અહીં લાવીશ. હે પ્રભો ! ઘણાં સૈન્ય સાથે વનમાં ભમવું દુષ્કર છે. તેના કરતા પક્ષીની માફક એકાકી કે અલ્પસૈન્ય સાથે શોધવું સહેલું છે. હે પ્રભો ! આપ અહીં જ રહો હું મારા મિત્રને શોધવા જાઉ છું. ત્યાર પછી પરિમિત પરિવાર સાથે મહેન્દ્રસિંહ યમ જેવી મોટી અટવીમાં પ્રવેશ્યો. તે અટવીમાં ગેંડાઓએ શીંગડાથી ઉખેડેલા પાષાણો વડે સર્વ માર્ગ વિષમ થઈ ગયો હતો. ગરમીથી પીડાતા ડુક્કરોએ નાના તળાવોને કાદવમય કરી દીધેલા. પ્રૌઢ રીંછોના નાદથી ગુફાઓમાં પડઘા પડતા હતા. ગુફામાં રહેલા કેશરીઓના નાદથી ભયંકર દેખાવ થઈ રહ્યો હતો. ઊંચી ફાળ ભરતા ચિત્તાઓના સમૂહથી મૃગોના ટોળા આકુળવ્યાકુળ થઈ જતા હતા. પશુઓને ગળી જઈને અજગરો વૃક્ષોને વીંટાઈ રહ્યા હતા. જળપાન કરતા સિંહોએ નદીઓને રુંધી હતી. ઉન્મત્ત હાથીઓએ વૃક્ષની શાખાઓ ભાંગીને અટવીને દુર્ગમ બનાવી હતી. આવી અટવીમાં તેણે સનકુમારને શોધવા પ્રવેશ કર્યો. - ધીરે ધીરે તેનું સર્વ સૈન્ય વિખુટું પડી ગયું. મહેન્દ્રસિંહ સંગરહિત મુનિની જેમ એકલો ફરવા લાગ્યો. પલ્લીપતિની જેમ ધનુષ્ય લઈને એકલો ભમતા તે મિત્રને શોધતો હતો. ઉનાળો, ચોમાસુ, શિયાળો બધી ઋતુ અને ભૂખ–તરસ વેઠવા લાગ્યો. એ રીતે સનત્કુમારને શોધવામાં મહેન્દ્રસિંહને એક વર્ષ વીતી ગયું. તેટલામાં કોઈ વખતે પક્ષીઓનો કલરવ, કમળની સુગંધ આદિથી નજીકમાં સરોવર હોવાનું અનુમાન થયું. એટલામાં સનકુમારને જોઈને તેને થયું કે, આ સત્ય છે કે, મારા મનનો ભ્રમ છે ? તેટલામાં કોઈના Page #96 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – સનકુમાર કથા ૯૫ મુખેથી નીકળેલ વચનો તેના સાંભળવામાં આવ્યા, “કુરુવંશમાં અવતંભરૂપ, અશ્વસેન રાજાના આત્મન સનસ્કુમાર ! સૌભાગ્યને જિતનાર ! તમે ઘણું જીવો. આ પ્રમાણે સાંભળતા તેની આંખોમાંથી અશ્રુનો ધોધ છૂટ્યો. – તે જઈને મિત્રના પગમાં પડી ગયો. સનસ્કુમારે પણ ઊભા થઈને તેને આદરપૂર્વક લાવ્યા. તેને ગળે લગાડીને હર્ષના અશ્રુથી નવડાવી દીધો. તે બંને આ ઓચિંતા મિલનથી ખૂબ જ વિસ્મય પામ્યા. પછી પોતાના હર્ષાશ્રુ લુંછીને સનસ્કુમારે અમૃત જેવી વાણી વડે મહેન્દ્રસિંહને પૂછયું, હે મિત્ર! અહીં શી રીતે આવ્યા ? એકલા કેમ છો? હું અહીં છું તે શી રીતે જાણ્યું ? આટલો વખત જ્યાં નિગમૈને કર્યો ? મારો વિયોગ થતાં પિતાજીએ પ્રાણ કઈ રીતે ધારણ કર્યા ? માતા–પિતાએ આવા દુર્ગમ પ્રદેશમાં તમને એકલા કઈ રીતે મોકલ્યા ? ત્યારે મહેન્દ્રસિંહે ગદ્ગદ્ વાણીથી પોતાનો સર્વ વૃત્તાંત જણાવ્યો. તેની વાત ધીરજથી સાંભળીને સનસ્કુમારે વિદ્યાધરોની રમણીઓ પાસે તેને ખાન અને ભોજનાદિ કરાવ્યા. ત્યારપછી મહેન્દ્રસિંહે વિનયથી અંજલિ જોડીને પૂછયું કે, હે પ્રિય મિત્ર ! પછી તે અશ્વ તમને કેટલે સુધી લઈ ગયેલો તે વૃત્તાંત મને જણાવો. ત્યારે સનસ્કુમારે વિશુદ્ધ બુદ્ધિથી વિચાર્યું કે, હું મારું જ વૃત્તાંત સ્વમુખે શી રીતે કહું? મારા પ્રિય મિત્રને આ વાત બીજા કોઈ કરે તેવું કરું. આ પ્રમાણે વિચારી પોતાની બાજુમાં રહેલ બકુલમતિ નામની પ્રિયાને જણાવ્યું કે, વિદ્યાથી મારો વૃત્તાંત જાણનારી હે પ્રિયા ! મારા મિત્રને તું સર્વ વૃતાંત જણાવ. મને નિદ્રા આવે છે. એ પ્રમાણે કહીને સનસ્કુમાર સુવા માટે ચાલ્યો ગયો. ત્યારે બકુલમતિએ મહેન્દ્રસિંહને કહ્યું કે, તે અશ્વ કુમારનું હરણ કરીને અટવીમાં લઈ ગયો. બીજે દિવસે પણ તે અશ્વ વેગથી ચાલવા લાગ્યો. મધ્યાહ્નકાળ થયો ત્યારે ભૂખ-તરસથી પીડાયેલો તે અશ્વ જીભ કાઢીને ઊભો રહ્યો. તે અશ્વનો કંઠ શ્વાસથી પૂરાઈ ગયો હતો. તે સ્તબ્ધ થઈ ગયેલો ત્યારે આર્યપુત્ર ! તેના પરથી ઉતરી ગયા. ઘોડા પરથી પલાણ લગામ વગેરે ઉતારી લીધા. પછી ઘોડો પડી ગયો અને તત્કાળ તેના પ્રાણ ચાલ્યા ગયા. તમારા મિત્ર તૃષાતુર થઈ જળને શોધતા આમતેમ ભમવા લાગ્યા. તો પણ ક્યાંય તેને પાણી મળ્યું નહીં. તેઓ તૃષાથી આક્રાંત અને અત્યંત શ્રમિત થઈ ગયા. અટવીના દાવાનળના દાહથી તે ઘણાં વ્યાકુળ થઈ ગયેલા. તેથી નજીકમાં રહેલા સપ્તપર્ણના વૃક્ષની નીચે બેઠા તેવા જ આંખ મીંચીને પૃથ્વી પર પડી ગયા. તે વખતે પુણ્યયોગે તે વનનો અધિષ્ઠાયક યક્ષ આવ્યો. તેણે શીતળ જળ વડે કુમારના સર્વ અંગને સિંચિત્ કર્યું. તેનાથી સંજ્ઞા પ્રાપ્ત થતા યક્ષે આપેલ પાણી પીધું. પછી કુમારે પૂછયું કે, તમો કોણ છો ? આ જળ કયાંથી લાવ્યા? યક્ષે કહ્યું કે, હું અહીં વસતો યક્ષ છું અને આ જળ તમારા માટે માનસ સરોવરમાંથી લાવ્યો છું. પછી આપના મિત્રે કહ્યું, મારા શરીરમાં ઘણો સંતાપ છે, જે માનસ સરોવરમાં સ્નાન કર્યા વિના શાંત નહીં થાય. ત્યારે યક્ષરાજે કહ્યું કે, તમારી એ ઇચ્છા હું પૂર્ણ કરીશ. પછી સંપુટમાં બેસાડીને તેને માનસરોવર લઈ ગયો. તમે અહીં સ્નાન કરીને તમારા પરિશ્રમને દૂર કરો. તે વખતે પૂર્વજન્મનો શત્રુ અસિતાક્ષ નામે યક્ષ જલ્દીથી ત્યાં આવ્યો. ક્રોધથી Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આગમ કથાનુયોગ-૨ ધમધમતા તેણે આવીને યમરાજ સદશ રૂપ વિફર્થે. તેણે આર્યપુત્ર ઉપર એક વૃક્ષ ઉખેડીને ફેંક્યુ. વધને માટે આવતા તે વૃક્ષને તમારા મિત્રે હાથના પ્રહાર વડે દૂર ફેંકી દીધું. તે યક્ષ રજને ઉડાડીને સમગ્ર વિશ્વ અંધકારમય કરી દીધું. પછી તેણે ભયંકર અટ્ટહાસ્ય કરતા, ભયંકર આકૃતિ ધારક પિશાચને વિકુળં. તેઓ તેમના વિકરાળ મુખેથી જ્વાળાઓ ફેંકતા હતા. તેનાથી તમારા મિત્ર ડર્યા નહીં. પછી તે યક્ષે નાગપાશથી બાંધ્યા. તેને તમારા મિત્રએ જીર્ણ રજૂની માફક તોડી નાંખ્યા. ત્યારે તે યક્ષ તમારા મિત્રને પોતાના હાથ વડે જોર-જોરથી મારવા લાગ્યો. ત્યારે કુમારે વજ જેવી મુષ્ટિ વડે તેના પર પ્રહાર કર્યો ત્યારે યક્ષે આર્યપુત્રને લોઢાના મુદગરથી પ્રહાર કર્યો. તે દુર્જન તેના અકૃત્યથી અટક્યો નહીં. ત્યારે તમારા મિત્રે ચંદનના વૃક્ષને ઉખેડીને તે યક્ષને માર્યુ. ત્યારે તે યક્ષે પર્વતને ઊંચકીને તમારા મિત્ર પર ફેંક્યો. તેના વડે તે ક્ષણવાર નિશ્ચેતન થઈ ગયા. સંજ્ઞા પ્રાપ્ત થતા તમારા મિત્રે પર્વતને ખસેડી દીધો. પછી આર્યપુત્ર બાહુ વડે યુદ્ધ કરવા લાગ્યા. તેણે ભુજાદંડના પ્રહારથી તે યક્ષના ટુકડે ટુકડા કરી નાખ્યા. પણ તે યક્ષનું અમરપણાને લીધે મૃત્યુ ન થયું. પણ તે અસિતાક્ષ યક્ષ ચીસો પાડતો નાસી ગયો. તે વખતે રણ કૌતુકને જોનારી દેવી અને વિદ્યાધરીએ તમારા મિત્ર પર પુષ્પ વૃષ્ટિ કરી, પછી અપરાકાળે તમારા મિત્ર નંદનવનમાં ગયા. ત્યાં શક્રની મહિષા જેવી આઠ સુંદર ખેચરકન્યાએ તેમને જોયા. તે સર્વે કટાક્ષદક્ષ નયનો વડે આર્યપુત્રને જોવા લાગી. તેમના ભાવોને જાણવા (સનસ્કુમારે) તેઓને આ પ્રમાણે કહ્યું નયનને આનંદ આપનારી એવી તમે કોની પુત્રીઓ છો ? કયા હેતુથી તમે આ વનને અલંકૃત્ કરેલ છે ? તેમણે કહ્યું, અમે ભાનવેગ વિદ્યાધરની પુત્રીઓ છીએ. અહીંથી નજીક અમારા પિતાની નગરી છે. તમારા મિત્રને કહ્યું કે, તમે ત્યાં વિશ્રામ કરવા પધારી તેને અલંકૃત કરો. તેથી તમારા મિત્ર તે નગરીમાં આવ્યા. સંધ્યાકાળે સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં નિમગ્ન થતો હતો. તે વખતે તમારા મિત્રને જોઈ ભાનુવેગ હર્ષિત થયો. તેમણે ઊભા થઈ વિનયપૂર્વક કહ્યું કે, હે મહાભાગ ! મારી આ આઠ કન્યાઓને ગ્રહણ કરો. કેમકે અર્ચિમાલી મુનિએ કહ્યું હતું કે, જે અસિતાક્ષ યક્ષને જીતી જશે તે આ કન્યાના પતિ થશે. તેથી હું પ્રાર્થના કરું છું કે, તમે આ કન્યાઓનું પાણિગ્રહણ કરો. તેથી તમારા મિત્ર એ આઠે કન્યા સાથે પરણ્યા. તેઓની સાથે કંકણબદ્ધ રત્નના પલંગ પર નિદ્રાસુખ અનુભવવા લાગ્યા. તેવામાં પે'લા અસિતાક્ષ ચલે આવીને ક્ષણવારમાં તેને ઉપાડીને બીજા સ્થાને ફેંકી દીધા. જાગૃત થઈને પોતાને અરણ્યમાં એકાકી જોયા. ત્યારે તે આર્યપુત્ર (સનસ્કુમાર) અટવીમાં પહેલાની જેમ એકાકી ભમવા લાગ્યા. ત્યારે ભૂમિ પર સાત માળનો ઊંચો એવો એક પ્રાસાદ તેમના જોવામાં આવ્યો. આ પણ કોઈની માયા જ લાગે છે તેમ વિચારી તેઓ તે પ્રાસાદ પાસે આવ્યા. ત્યાં તેમને કોઈ સ્ત્રીના રૂદનનો અવાજ આવ્યો. ત્યારે તે પ્રાસાદમાં જઈને સાતમે માળે ગયા, ત્યાં એક દિવ્ય કન્યાને જોઈ, તેણી ગદ્ગદ કંઠે બોલી રહી હતી, ત્રણ જગના લોકોમાં ઉત્કૃષ્ટ ! કુરુવંશરૂપી આકાશમાં સૂર્ય સમાન ! સનસ્કુમાર ! જન્માંતરે પણ મારા પતિ થજો. તે સાંભળી તે આર્યપુત્ર ! “આ કોણ છે ?" તેમ વિચારતા તેઓ બોલ્યા Page #98 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – સનત્યુમાર કથા G ૯ ૭ તે સનકુમાર કોણ છે ? તારે તેની સાથે શો સંબંધ છે ? તેને વારંવાર સંભારતી તું કેમ રડે છે ? એ પ્રમાણે પૂછતા તેણીએ ઉત્તમ આસન આપ્યું અને હર્ષિત તથા વિસ્મિત થઈને મધુર વાણીપૂર્વક બોલી, હું સાકેતપુરના સુરાષ્ટ્ર રાજા અને ચંદ્રયશા દેવીની પુત્રી સુનંદા છું અને કુરુવંશજ અને અત્યંત સ્વરૂપવાનુ એવા સનકુમાર રાજા અશ્વસેનના પુત્ર છે. મનોરથ વડે જ તે મારા પતિ છે. મારા માતા-પિતાએ જલ મૂકીને મને તેમને જ આપી છે. મારો વિવાહ થયા પછી કોઈ વિદ્યાધર ઉપાડીને મને અહીં લાવ્યો છે અને આ પ્રાસાદ વિકુર્તી મને અહીં રાખી છે. ત્યારે આર્યપુત્રએ કહ્યું કે, તું રડીશ નહીં. જેનું તું સ્મરણ કરી રહી છે તે સનત્કુમાર હું જ છું. આ પ્રમાણે તે બંનેનો વાર્તાલાપ ચાલતો હતો ત્યાંજ ક્રોધથી સળગતો તે વજ્રવેગ વિદ્યાધર ત્યાં આવ્યો. તત્કાળ તે વિદ્યાધરે તમારા મિત્રને આકાશમાં ઉછાળ્યા. તે વખતે તે કન્યા રોતી--કકડતી ભૂમિ ઉપર પડી ગઈ. તે વખતે તમારા મિત્રએ એક જ મુષ્ટિના પ્રહારથી તે વિદ્યાધરને મારી નાંખ્યો. અક્ષતાંગ એવા તમારા મિત્ર તે કન્યા પાસે આવ્યા. પોતાની બધી વાત કરી. સનકુમારે ત્યાંજ તે કન્યા સાથે લગ્ન કર્યા. ત્યારે નિમિત્તકે કહ્યું કે, ભાવિ ચક્રવર્તીની આ મુખ્ય પત્ની (સ્ત્રીરત્ન) થશે. (અહીં ઉત્તરાધ્યયન ભાવવિજયજી વૃત્તિમાં સુનંદા નામ જણાવે છે. જ્યારે સમવાવ સૂત્ર−૩૨૦માં સ્ત્રીરત્નનું નામ જયા કરેલ છે.) તેવામાં વજ્રવેગની સહોદરા સંધ્યાવલી નામે બેન, ભાઈના વધ થયાનું જાણી ગુસ્સે થઈ ત્યાં આવી. પણ ‘જે તારા ભાઈનો વધ કરશે તે તારો પતિ થશે.'' એવું જ્ઞાનીવચન યાદ આવતા તે શાંત થઈ ગઈ. તેણે આર્યપુત્ર સાથે પરણવાની ઈચ્છા કરી. સુનંદાની સંમતિથી તેની સાથે લગ્ન કર્યા. તે વખતે કોઈ બે વિદ્યાધર ત્યાં આવ્યા. કુમારને બખ્તર અને મહા રથ આપ્યા અને જણાવ્યું કે, સ્વપુત્ર વજ્રવેગના મરણના સમાચાર જાણી તેના પિતા અનિશવેગ—વિદ્યાધર અધિપતિ પોતાના સૈન્ય સાથે લડવા આવી રહ્યા છે. તેથી અમે ચંદ્રવેગ અને ભાનુવેગ વિદ્યાધરના પુત્ર હરિશ્ચંદ્ર અને ચંદ્રવેગ તમારા પાસે આવ્યા છીએ. અમારા પિતાએ ઇન્દ્ર રથ અને કવચ મોકલ્યા છે. ચંદ્રવેગ અને ભાનુવેગ જે તમારા શ્વશૂર છે તે પણ પોતાની મોટી સેના સાથે આવી રહ્યા છે. તે સમયે સંધ્યાવલિએ પણ આર્યપુત્રને પ્રજ્ઞપ્તિકા નામે વિદ્યા આપી અને વિજયી થવા કહ્યું– ત્યારપછી તમારા મિત્ર અને અનિશવેગ વિદ્યાધર વચ્ચે મહાયુદ્ધ થયું. બંને પક્ષના સૈન્યો યુદ્ધ કરવા લાગ્યા. એ પ્રમાણે યુદ્ધ કરતા બંનેના સૈનિકો ભગ્ન થવા લાગ્યા. પછી આર્યપુત્ર અને અનિશવેગ વચ્ચે યુદ્ધ થયું. પ્રથમ બાણયુદ્ધ થયું, પછી ગદા વગેરેથી અસ્ત્રયુદ્ધ થયું. પછી સર્પ અને ગારૂડ, આગ્નેય અને વારુણ આદિ દિવ્ય અસ્ત્રો વડે યુદ્ધ થયું. પછી આર્યપુત્ર એક બાણથી તે વિદ્યાધરના ધનુષ્યની જીવાને છેદી નાખી. પછી અનિશવેગ વિદ્યાધરની એક ભૂજા આર્યપુત્રએ છેદી નાખી. છેલ્લે વિદ્યાએ આપેલા ચક્ર વડે તમારા મિત્રએ અનિશવેગના મસ્તકને છેદી નાંખ્યુ. ત્યારે અનિશવેગની સર્વ રાજ્યલક્ષ્મી મારા પતિ (સનત્કુમાર)ને પ્રાપ્ત થઈ. પછી સંધ્યાવલિ અને સુનંદા સાથે આનંદ કરતા તેમજ ચંદ્રવેગ આદિ સાથે અમે બધાં વૈતાઢ્યગિરિ પર આવ્યા. ત્યાં તમારા મિત્રનો રાજ્યાભિષેક કર્યો. પછી વૈતાઢ્યગિરિના શાશ્વત ચૈત્યમાં અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. Jain || ૨૪૭ | ternational Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આગમ કથાનુયોગ-૨ કોઈ વખતે વિદ્યાધરેન્દ્ર ચંદ્રવેગ એવા મારા પિતાએ કહ્યું કે, પૂર્વે મને અર્ચિમાલી મુનિએ કહેલું કે, આ બકુલમતિ વગેરે સો કન્યા ચોથા ચક્રવર્તી સનકુમારને પરણશે. તે એક મહિનામાં અહીં માનસ સરોવર આવશે અને અસિતયણનો પરાજય કરશે. તેથી હે સ્વામી ! પ્રસન્ન થાઓ અને આ સો કન્યા સાથે વિવાહ કરો. ત્યાર પછી લગ્ન કરીને વિવિધ ક્રીડા કરતા, વિદ્યાધરીઓથી પરિવરેલો અહીં તે સુખે કરીને કાળ નિર્ગમન કરી રહ્યા છે. આ પ્રમાણે બકુલમતિએ બધો વૃત્તાંત જણાવ્યો. ત્યારે સનસ્કુમાર ઘરમાંથી બહાર આવ્યા. પછી મિત્ર સાથે વૈતાઢ્યગિરિ ગયા. અવસર જોઈને મહેન્દ્રસિંહે કહ્યું કે, તમારા પિતા અશ્વસેન તમારા વિયોગથી ખૂબ જ પીડિત છે. તમારા દર્શન માટે તમારા માતા-પિતા ઝૂરી રહ્યા છે. મહેન્દ્રસિંહના એ વચન સાંભળી તે તત્કાળ પિતા પાસે જવા માટે ઉત્કંઠિત થયા. સેના સહિત, સેંકડો વિદ્યાધરોથી પરિવરેલા, પ્રકાશમાન વિમાનો સાથે સનસ્કુમાર હસ્તિનાપુર જવા નીકળ્યા. ઘણી ઋદ્ધિ-સમૃદ્ધિ સહિત, ઉત્તમ વાદ્યોના નિર્દોષપૂર્વક તેઓ હસ્તિનાપુર પધાર્યા. સનકુમારને પરિવાર, સ્ત્રી, મિત્રાદિ ઋદ્ધિ સહિત જોઈને તેમના માતા–પિતા, નગરજનો આદિ ખૂબ જ આનંદિત થયા. મહેન્દ્રસિંહે રાજાને સનસ્કુમારનો સમગ્ર વૃત્તાંત જણાવ્યો. ત્યારે અશ્વસેન રાજાએ તેમના પુત્ર સનસ્કુમારને રાજારૂપે સ્થાપિત કર્યા. મહેન્દ્રસિંહને સેનાધિપતિ બનાવ્યા અને પોતે ભગવંત ધર્મનાથના તીર્થના કોઈ સ્થવીર પાસે દીક્ષા ગ્રહણ કરી. રાજ્યનું પાલન કરતા સનસ્કુમારને કોઈ દિવસે ચક્ર વગેરે ચૌદ મહારત્નો પ્રાપ્ત થયા. ત્યાર પછી દશ હજાર વર્ષમાં તેણે ભરતક્ષેત્ર જીતી લીધુ. નવ નિધિરત્નો પ્રાપ્ત થયા. પછી પોતાની નગરીએ પાછા ફર્યા. (ભરતક્ષેત્રનો દિગ્વીજય – નગરપ્રવેશ આદિ ભરતચકી પ્રમાણે સમજી લેવું) જ્યારે તેઓ નગર પ્રવેશ કરતા હતા ત્યારે અવધિજ્ઞાન વડે સૌધર્મેન્દ્રએ જાણ્યું કે, પૂર્વભવે આ પણ મારા જેવા સૌધર્મેન્દ્ર હતા. તેથી તેને ઘણો જ સ્નેહ ઉત્પન્ન થયો. આ ચોથા ચક્રવર્તી તો મારા બંધુ સમાન છે. તેથી ત્યાં જઈને તેનો રાજ્યાભિષેક કરવો જોઈએ. કુબેરને ચામર, છત્ર, હાર, મુગટ, કુંડલ, સિંહાસન, પાદપીઠ, દેવદૂષ્ય અને પાદુકા લઈને સનસ્કુમારને આપવા માટે સૌધર્મેન્દ્રએ આજ્ઞા કરી. તેમજ રંભા-તિલોત્તમાં આદિ દેવીઓને પણ તેના રાજ્યાભિષેકમાં જવા માટે કહ્યું. ત્યારે કુબેરે હસ્તિનાપુર જઈને સૌધર્મેન્દ્રએ કરેલા આદેશનું નિવેદન કર્યું. ત્યારે ચક્રવર્તીએ તેને અનુમતિ આપી. કુબેર એક યોજન લાંબી માણિજ્યપીઠ બનાવી. તેની ઉપર મણિમય મંડપની રચના કરી. તે મણિપીઠ મધ્યે સિંહાસન રચાવ્યું. કુબેરના આદેશથી દેવો હીરોદક લાવ્યા. કુબેરે વિનંતી કરી સનસ્કુમાર ચક્રીને સિંહાસન પર બેસાડીને ઇન્દ્રએ મોકલેલ ભેટો આપી. પવિત્ર જળ વડે તેનો ચક્રીપણાનો અભિષેક કર્યો. દેવોએ મંગલવાદ્યોનો નિર્દોષ કર્યો. તુંબરૂ આદિએ મંગલ ગીતગાનનો આરંભ કર્યો. રંભા, તિલોત્તમા આદિએ નૃત્યો કર્યા, ગાંધર્વોએ નાટકો ભજવ્યા. પછી વસ્ત્ર, આભુષણ, માળા, વિલેપનાદિથી તેની પૂજા કરી, ચક્રવર્તીએ ગંધહસ્તિ પર આરૂઢ થઈ હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો. સ્વર્ગની નગરી જેવી હસ્તિનાપુર નગરીને કરીને, રત્નાદિની વૃષ્ટિ કરીને, ચક્રવર્તીએ Page #100 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – સનસ્કુમાર કથા વિદાય આપતા યક્ષપતિ સ્વર્ગે ગયા. ત્યાર પછી ચક્રવર્તીએ બાર વર્ષનો મહોત્સવ કરાવ્યો. ન્યાયપૂર્વક તે કૃપાળુ રાજા પ્રજાનું પાલન કરવા લાગ્યો. પોતાની સુંદર સ્ત્રીઓ સાથે ભોગ ભોગવતા તે રાજાના વર્ષો દિવસોની જેમ વીતવા લાગ્યા. કોઈ વખતે સૌધર્માસભામાં બેઠેલો સૌધર્મેન્દ્ર સૌદામિની નામે નાટક કરાવતો હતો. ત્યારે ઇશાનકલ્પમાંથી પોતાના દેદીપ્યમાન રૂપ અને તેજ વડે સર્વે દેવોના તેજને ઢાંકી દેતો એવો સ્વરૂપવાનું એક સંગમ નામનો દેવ ત્યાં આવ્યો. તેનું કાર્ય પતાવી જ્યારે તે ગયો ત્યારે વિસ્મીત થયેલા દેવોએ શક્રેન્દ્રને પૂછ્યું કે, આ દેવને આવું લોકોત્તર તેજ અને અનુપમરૂપ કઈ રીતે પ્રાપ્ત થયું ? ત્યારે ઇન્દ્રએ કહ્યું કે, પૂર્વજન્મમાં તેણે વર્ધમાન આયંબિલ તપ કરેલું. તેનાથી તેને આવું અનુપમ રૂપ અને તેજ પ્રાપ્ત થયા છે. ત્યારે દેવોએ ફરી પ્રશ્ન કર્યો કે, ત્રણ ભુવનમાં આના જેવો કોઈ રૂપવાનું અને તેજસ્વી હશે. ખરો? ત્યારે દેવેન્દ્રએ ઉત્તર આપ્યો કે, હસ્તિનાપુરમાં ચક્રવર્તી સનકુમાર છે, તેના જેવું અદ્ભુત રૂપ સૌંદર્ય કોઈ દેવ કે મનુષ્યનું છે નહીં. તે વખતે શકના વચન પર શ્રદ્ધા ન આવવાથી વિજય અને વૈજયંત નામના બે દેવ બ્રાહ્મણનું રૂપ લઈ ચક્રવર્તીના મહેલના દ્વારે આવ્યા, તે વખતે સનસ્કુમાર સ્નાન કરવા માટે જતા હતા. કારપાલે ચક્રવર્તીને સમાચાર આપ્યા કે, બે બ્રાહ્મણ આપના દર્શન માટે આવ્યા છે. રાજાની આજ્ઞાથી બ્રાહ્મણોએ આવીને સનસ્કુમારને જોયા તે બ્રાહ્મણોના મસ્તક ધૂણી ગયા, અહો ! શક્રએ કરેલ વર્ણન કરતા પણ આ તો અધિક રૂપવાનું છે. ખરેખર ! વચન વડે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. તેમણે ચક્રવર્તીના જે-જે અંગ પર દૃષ્ટિ કરી ત્યાં ત્યાંથી દૃષ્ટિ ખસી શકતી ન હતી. ખરેખર ! શક્રએ આના રૂપની જે પ્રશંસા કરી છે તે લેશમાત્ર મિથ્યા નથી. અમે તો ઇર્ષ્યાથી આવેલા પણ તમારા દર્શનથી કૃતાર્થ થયા છીએ. સનસ્કુમારે પૂછ્યું, હે ઉત્તમ બ્રાહ્મણો ! તમે અહીં શા હેતુથી આવ્યા છો ? ત્યારે તે ભૂદેવોએ કહ્યું કે, હે નરેશ્વર ! આ સચરાચર જગતમાં તમારું રૂ૫ સૌંદર્ય અપ્રતિમ છે. તે સાંભળી કૌતુક થવાથી અમે તમારા દર્શન માટે આવ્યા હતા. હે રાજા ! લોકોમાં તમારા રૂપનું અદ્ભુત વર્ણન અમે સાંભળેલું. પરંતુ તમે તો તેનાથી પણ વિશેષ રૂપવાનું છો. ત્યારે રૂપના મદથી તે રાજા બોલ્યો કે, હે વિપ્રો ! મને સ્નાન અને અલંકૃત્ થઈને આવવા દો, પછી જુઓ કે મારું કેવું રૂપ નીખરે છે. જ્યારે હું સ્નાન કરી લઉં, રત્ન અલંકારોથી સજ્જ થઈ રાજ્યસભામાં બેસું, તે વખતે મારા રૂપને જોજો તો કેવું સમ્યકુ, પ્રેક્ષણીય અને મનોરમ છે તે ખ્યાલ આવશે. એ પ્રમાણે ભૂદેવોને કહીને રાજા અન્યત્ર ગયો. - ત્યાર પછી તે ભૂપતિએ સ્નાન કર્યું. આભૂષણાદિથી અલંકૃત્ થયો. વિભૂષિત થયેલો એવો તે રાજા સભામાં આવ્યો. તે વિપ્રોને પોતાનું રૂપ જોવા માટે આજ્ઞા કરી, તે વખતે તે બ્રાહ્મણોએ તેમનું વિકૃત થયેલું રૂપ જોયું, તેઓ ખેદ પામ્યા. તેઓ વિચારવા લાગ્યા કે, અહો ! તે રૂ૫, તે કાંતિ, તે લાવણ્ય કયાં ચાલ્યા ગયા ? અથવા મનુષ્યોને સર્વ ક્ષણિક જ હોય છે. રાજાએ તેમને પૂછયું કે, પહેલાં મારું રૂપ જોઈને તમે ખૂબ જ ખુશ થયા હતા. હવે વિષાદથી તમારા મુખ શ્યામ થઈ ગયા છે. આમ કેમ બન્યું ? તે બ્રાહ્મણોએ કહ્યું અમે દેવો છીએ. સ્વર્ગમાં જ્યારે દેવેન્દ્રએ તમારા રૂપનું વર્ણન કર્યું ત્યારે Page #101 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ અમને અશ્રદ્ધા થઈ. તેથી તમારા રૂપની પરીક્ષા કરવા અહીં આવ્યા. પૂર્વે જ્યારે તમારું રૂપ જોયું ત્યારે ઇન્દ્રએ વર્ણવ્યું તેના કરતા પણ અધિક હતું. તેથી અમે ખુશ થયા હતા. હમણાં ફરીથી જ્યારે તમારું રૂપ જોયું ત્યારે વિષાદ પ્રાપ્ત થયા કેમકે આટલા કાળમાં તમારી અદ્ભુત કાયા રોગથી ઘેરાઈ ગઈ છે. જેણે રાક્ષસની જેમ તમારા રૂપ, લાવણ્ય, કાંતિને ગ્રસી લીધાં છે. આટલું કહી, તે દેવો અંતર્ધ્યાન થઈ ગયા. ૧૦૦ રાજાએ પોતાનું રૂપ જોયું. ધૂળ વડે આચ્છાદિત વારુણની જેમ છાયારહિત એવી પોતાની કાયાને જોઈ. તે વિચારવા લાગ્યો કે, રોગના સ્થાનરૂપ આ શરીરને ધિક્કાર થાઓ. મનુષ્યના શરીરનું મૂલ્ય કેટલું ? યમરૂપ વ્યાધિ ગમે ત્યારે તેને ઘેરી વળે છે. આ રૂપાદિ ગુણો નાશવંત છે. તેમાં કયો બુદ્ધિમાન મૂર્છા ધારણ કરે ? જેના ક્ષણમાત્ર સેવનથી આ ભોગો ચાલ્યા જવાના તેમાં કયો મેઘાવી આસક્તિ કરે ? જે ગુણો વિનાશ પામવાના છે અને પરિગ્રહ ગ્રહની માફક પીડે છે તેમાં કયો ધીમાન્ લેપાય ? આજે કે કાલે જે શરીર વિનાશ પામવાનું છે. તે શરીરમાં મમત્ત્વ કોણ કરે ? તેના કરતા આ બધાંનો ત્યાગ કરીને શાશ્વત સુખને આપનાર વ્રતને ગ્રહણ કરવા શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચારી પોતાના પુત્રને રાજ્ય સોંપી સનન્કુમાર રાજાએ વિનયંધરસૂરિ પાસે જઈ વ્રત ગ્રહણ કર્યા – દીક્ષા લીધી. (આવશ્યક ચૂર્ણિ-૧-પૃ. ૨૨૮ પ્રમાણે ૧૦૦૦ રાજાઓ સહિત દીક્ષા ગ્રહણ કરેલી) એ રીતે મહાન ઋદ્ધિ સંપન્ન મનુષ્યેન્દ્ર સર્કુમાર ચક્રવર્તીએ પુત્રને રાજ્ય સોંપી ચારિત્ર ગ્રહણ કરી તપ આચરણા શરૂ કરી, પરંતુ જે વખતે તેણે દીક્ષા લીધી ત્યારે સર્વ રત્નો, બધી રાણીઓ, સર્વે નિધિના યક્ષો, સૈન્ય આદિ સર્વ પરિવાર આદિએ ગાઢ અનુરાગથી તેની પાછળ-પાછળ છ માસ પર્યંત ભ્રમણ કર્યું. તેઓ સર્વે વિનવણી કરતા રહ્યા કે, હે પ્રભો ! અમારા કોઈપણ અપરાધ વિના અમારો કેમ ત્યાગ કરો છો ? પાછા ફરો પણ સંયત એવા સનત્કુમાર રાજર્ષિએ સિંહાવલોકનથી પણ પાછું ફરીને ન જોયું. છ મહિના પછી સમગ્ર પરિવાર તે સત્ત્વશાળીને નમન કરીને પોતપોતાને સ્થાને પાછો ફર્યો. એક વખતે છટ્ઠના પારણે તે રાજર્ષિ ગૌચરી માટે નીકળ્યા. ત્યાં તેને બકરીના દૂધની છાશ અને કોઈ તુચ્છ ધાન્ય પ્રાપ્ત થયું. તેનો રાજર્ષિએ આહાર કર્યો. પુનઃ પુનઃ પણ છઠ કરીને તે જ રીતે પારણું કર્યું. તેને લીધે તેના શરીરમાં રોગો વૃદ્ધિ પામવા લાગ્યા. સાત મહાવ્યાધિ તેના શરીરમાં ઉત્પન્ન થઈ. ૧. કં ડૂ (ખસ), ૨. શોષ, ૩. પીડ(સોજા), ૪. કાસ, ૫. શ્વાસ, ૬. જ્વર, ૭. અરુચી. આ સાતે રોગને તેમણે સો વર્ષ સુધી સમતાભાવે સહન કર્યા. તે વેદના સાથે બીજા પણ બધાં પરીષહોને સહન કર્યા. તીવ્રતપનું આચરણ કર્યું. તેનાથી તેમને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. તેમાં સાત લબ્ધિઓ મુખ્ય હતી. ૧. મળ, ૨. આમર્શ, ૩. વિષ્ટા, ૪. મૂત્ર, ૫. સર્વોષેધ્ય, ૬. કફ અને ૭. સંભિન્નશ્રોત, તો પણ તેણે પોતાના શરીરની વ્યાધિ નિવારવા કોઈ જ ઉપાય કર્યા નહીં. કોઈ વખતે ઇન્દ્રે દેવતાઓ સમક્ષ પ્રશંસા કરતા કહ્યું કે, અહો ! સનકુમાર ચક્રવર્તી ચક્રવર્તીપણાંની લક્ષ્મીનો ત્યાગ કરીને કેવો ઉગ્ર તપ તપી રહ્યા છે. તેમનું ધૈર્ય ખરેખર ! અદ્ભુત છે. રોગોથી ઘેરાયેલું શરીર છે. તપના પ્રભાવે તે નિવારવાની લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે. તો પણ તે રાજર્ષિ પોતાની કાયા પરત્વે નિસ્પૃહ થઈ કોઈ ચિકિત્સા કરતા નથી. પણ Page #102 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી સનસ્કુમાર કથા દેવેન્દ્રની આ વાત પરત્વે તે વિજય-વૈજયંત દેવને શ્રદ્ધા થઈ નહીં. તેઓ બંને વૈદ્યનું રૂપ લઈને સનત્કુમાર રાજર્ષિ પાસે આવ્યા. તેઓએ કહ્યું, હે સાધુ ! જો તમારી અનુમતિ હોય તો અમે ધર્મવૈદ્ય છીએ, તમારા રોગની ચિકિત્સા કરીએ. તેઓએ વારંવાર આ પ્રમાણે (રાજર્ષિન) કહ્યું, ત્યારે તે વ્રતી (સનકુમારે) તત્ત્વામૃત સદેશ વાણીથી સ્વસ્થ ચિત્તે આ પ્રમાણે કહ્યું જો તમે કર્મરોગ (ભાવ રોગ)ની ચિકિત્સા કરી શકતા હો તો કરો. આ દેહરોગ (દ્રવ્યરોગ)ની ચિકિત્સા કરવાના હો તો આ તરફ જુઓ. એમ કહીને ગલત પતથી શીર્ણ થયેલી પોતાની આંગળીને પોતાના કફના બિંદુ વડે લિંપી એટલે તત્કાળ તે સુવર્ણ વર્ણ સટ્ટશ થઈ ગઈ. તેમણે વૈદ્યોને કહ્યું કે, રોગના આતંકને તો હું પોતે પણ નિવારી શકું છું. કર્મરૂપી રોગની ચિકિત્સા જો તમે કરી શકવા સમર્થ હો તો તેમ કરવાની મારી અનુજ્ઞા છે. વિસ્મિત થયેલા તે બંને દેવો તે ચક્રીમુનિને નમી પડ્યા. પછી કહ્યું કે, પ્રથમ વિપ્રરૂપે આવીને જે બે દેવતાઓ તમારું રૂપ જોઈ ગયા હતા, તે જ અમે બંને દેવતાઓ આજે વૈદ્ય થઈને આવ્યા છીએ. ‘અપૂર્વ લબ્ધિ પ્રાપ્ત થયા છતાં પણ સનક્કુમાર રાજર્ષિ રોગના આતંકને કેવા ધૈર્યપૂર્વક સહન કરતાં તપ કરી રહ્યા છે.'' એ પ્રમાણે ઇન્દ્રે તમારી પ્રશંસા કરી તે સાંભળીને અમે અહીં આવ્યા છીએ. ખરેખર ! તમે મેરૂ પર્વત જેવા અચલ છો એ પ્રમાણે કહીને તે દેવો અંતર્ધાન થઈ ગયા. - સનત્કુમાર ચક્રવર્તીએ ૫૦,૦૦૦ વર્ષ કુમારવયમાં, ૫૦,૦૦૦ વર્ષ માંડલિક રાજાપણે, એક લાખ વર્ષ ચક્રવર્તીરૂપે અને એક લાખ વર્ષનો શ્રમણપર્યાય પાળી એ ત્રણ લાખ વર્ષનું આયુ પરિપૂર્ણ કરી. અંત સમયે અનશન કરી કાળધર્મ (મૃત્યુ) પામીને સનત્ક્રુમાર નામક ત્રીજા દેવલોકે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને અહીં મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષને પ્રાપ્ત કરશે. ૦ આગમ સંદર્ભ *→ આયા.ચૂ.પૃ. ૬૪, ૯૩, ૧૬૭, ૧૭૮; સૂર્ય. ૧૭૪ની . સમ. ૩૧૩, ૩૧૫, ૩૧૭, ૩૨૦; આવ.નિ. ૩૭૪, ૩૯૧, ૩૯૨, ૩૯૪, ૩૯૫, ૩૯૭ થી ૩૯૯, ૪૦૧, ૪૧૬; આવ યૂ.૧-પૃ. ૨૧૫, ૨૨૦, ૨૨૮; ઉત્ત. ૪૦૭, ૫૯૬; ઉત્ત.ચૂ.પૃ. ૫૦; ઉત્ત.ભાવ.પૃ.પૃ. ૨૭૭, ૩૪૦ થી ૩૪૯; તિત્થો. ૫૫૯, ૬૬૬; * (૫) શાંતિ ચક્રવર્તી કથાનક : –૦– સામાન્ય પરીચય : X ૧૦૧ આયા. ૮૪, ૯૯, ૧૬૦ની વૃ. ઠા. ૩૭૬, ૮૯૮ની રૃ. મરણ. ૪૧૧, ૪૧૨; જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં શાંતિ નામે પાંચમાં ચક્રવર્તી થયા. તેઓ આ ચોવીસીના સોળમાં તીર્થંકર પણ હતા. તેમનો જન્મ હસ્તિનાપુરમાં (અપરનામ– આવ.મ.૬.પૃ. ૨૩૭ થી... ઉત્ત ૫૯૬, ૧૧૨૭ની પૃ. ઉત્ત.નિ. ૮૪ની રૃ. Page #103 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ ગજપુરમાં) થયો. રાજા વિશ્વસેન તેમના પિતા હતા અને માતાનું નામ “અચિરા’ હતું. કાશ્યપ ગોત્રીય આ ચક્રવર્તી (ભગવંત)નો વર્ણ નિર્મળ સુવર્ણ સદ્દેશ હતો. તેમની ઊંચાઈ ચાલીશ ધનુની હતી. તેઓ છ ખંડરૂપ ભરતક્ષેત્રના, ચૌદરત્નના અને નવનિધિના સ્વામી હતા. તેમના મુખ્ય પત્ની (સ્ત્રીરત્ન)નું નામ વિજયા હતું. તેમનું પૂર્ણ આયુ એક લાખ વર્ષનું હતું. તેઓ ચક્રવર્તીપણાની લક્ષ્મીનો ત્યાગ કરી પ્રવ્રજ્યા ગ્રહણ કરી, તીર્થંકર પદ પામ્યા. કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, તીર્થ સ્થાપના કરી, અનેક જીવોના તારક બનીને નિર્વાણ પામ્યા. ૧૦૨ -૦- કથાનક ચક્રવર્તી શાંતિના કથાનક માટે વિભાગ−૧-અધ્યયન—૧માં સોળમાં ભગવંત શાંતિનાથનું કથાનક જોવું. મહાન્ ઋદ્ધિ સંપન્ન અને લોકમાં શાંતિ કરનારા શાંતિનાથ ચક્રવર્તીએ ભારતવર્ષ ક્ષેત્રનો ત્યાગ કરી, તીર્થંકર પદવી પામી અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. ૦ આગમ સંદર્ભ :-- —ભ૰શાંતિનાથના કથાનકને અંતે આપેલ આગમ સંદર્ભો પ્રમાણે જાણવું. (૬) કુંથુ ચક્રવર્તી કથાનક ઃ-૦- સામાન્ય પરીચય : × X જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં કુંથુ નામે છટ્ઠા ચક્રવર્તી થયા. તેઓ આ ચોવીસીના સત્તરમાં તીર્થંકર પણ હતા. તેમનો જન્મ હસ્તિનાપુર (અપરનામ—ગજપુર)માં થયો. તેમના પિતાનું નામ રાજા “શૂર’” હતું અને માતાનું નામ “સિરિ’(શ્રી) હતું. કાશ્યપ ગોત્રીય આ ચક્રવર્તી (ભગવંત)નો વર્ણ નિર્મળ સુવર્ણ સદેશ હતો. તેમની ઊંચાઈ પાત્રીશ ધનુની હતી. તેઓ છ ખંડરૂપ ભરતક્ષેત્રના, ચૌદ રત્નના અને નવનિધિના સ્વામી હતા. તેમના મુખ્યપત્ની (સ્રીરત્ન)નું નામ કૃષ્ણશ્રી હતું. તેમનું પૂર્ણ આયુ ૯૫,૦૦૦ વર્ષનું હતું. તેઓ ચક્રવર્તીપણાની લક્ષ્મીનો ત્યાગ કરી પ્રવ્રજ્યા ગ્રહણ કરી તીર્થંકર પદ પામ્યા. કેવળજ્ઞાન પામી, તીર્થ સ્થાપના કરી, અનેક જીવોને તારીને નિર્વાણ પામ્યા. —૦ કથાનક : ચક્રવર્તી કુંથુના કથાનક માટે **વિભાગ-૧- અઘ્યયન-૧-માં સત્તરમાં ભગવંત કુંથુનાથનું કથાનક જોવું. ઇક્ષ્વાકુ કુળના રાજાઓમાં શ્રેષ્ઠ નરેશ્વર, વિખ્યાતકીર્તિ, ધૃતિમાન કુંથુનાથે અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. ૦ આગમ સંદર્ભ : – ભ૰કુંથુનાથના કથાનકને અંતે આપેલ આગમ સંદર્ભ પ્રમાણે જાણવું. -X-X Page #104 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – અર કથા ૧૦૩ (૭) અર ચક્રવર્તી કથાનક :-૦- સામાન્ય પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં “અર" નામે સાતમા ચક્રવર્તી થયા. તેઓ આ ચોવીસીના અઢારમાં તીર્થકર પણ હતા. તેમનો જન્મ હસ્તિનાપુર (અપરનામનાગપુર)માં થયો. તેઓનો જન્મ રાજા સુદર્શનના પત્ની (રાણી) દેવીની કૃષિમાંથી થયો. કાશ્યપ ગોત્રીય આ ચક્રવર્તીનો વર્ણ નિર્મળ સુવર્ણ સદશ હતો. તેમની ઊંચાઈ ત્રીશ ધનુષ્ય હતી. તેઓ છ ખંડરૂપ ભરતક્ષેત્રના, ચૌદરત્નના અને નવનિધિના સ્વામી હતા. તેમના મુખ્ય પત્ની (સ્ત્રીરત્ન)નું નામ “સૂરશ્રી" હતું. તેમણે ૮૪,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. તેઓએ ચક્રવર્તીપણાની લક્ષ્મીનો ત્યાગ કરી, પ્રવજ્યા ગ્રહણ કરી–તીર્થંકર પદ પામ્યા, કેવળજ્ઞાન પામી, તીર્થ સ્થાપના કરી, અનેક જીવોના તારક બનીને નિર્વાણ પામ્યા. –૦- કથાનક : ચક્રવર્તી “અર'ના કથાનક માટે **વિભાગ–૧– અધ્યયન-૧–માં અઢારમાં ભગવંત અરનાથનું કથાનક જોવું. સાગરપર્યત ભારતવર્ષને છોડીને, કર્મરજને દૂર કરીને, નરેશ્વરોમાં શ્રેષ્ઠ એવા “અરનાથે' અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. ૦ આગમ સંદર્ભ :– ભોઅરનાથના કથાનકને અંતે આપેલ આગમ સંદર્ભ પ્રમાણે જાણવું. (૮) સુભૂમ ચક્રવર્તી કથાનક :-૦- સામાન્ય પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રના આ અવસર્પિણી કાળમાં “સુભમ” નામે સાતમા ચક્રવર્તી થયા. તેમનો જન્મ હસ્તિનાપુરમાં થયો. પિતાનું નામ કૃતવીર્ય અને માતાનું નામ તારા હતું. કાશ્યપગોત્રીય આ ચક્રવર્તીનો વર્ણ નિર્મળ સુવર્ણ સદશ હતો. તેમની ઊંચાઈ અઠાવીશ ધનુષુ હતી. તેઓ છ ખંડરૂપ ભરતક્ષેત્રના, ચૌદરત્નના અને નવનિધિના સ્વામી હતા. તેમના મુખ્યપત્ની (સ્ત્રીરત્ન)નું નામ “પદ્મશ્રી' હતું. તેમણે ૬૦,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. મરીને સાતમી નરકે ગયા. તેઓ ભ૦ અરનાથ અને ભમહિનાથના શાસનના મધ્યના કાળમાં થયા. -૦– કથાનક : વસંતપુર નગરમાં વંશનો ઉચ્છેદ કરનાર એક બાળક દેશાંતર ભટકતા એક વખત સાર્થરહિત થઈ ગયો. તાપસની પલિ (આશ્રમ)માં પહોંચ્યો. તેનું નામ અગ્રિક હતું. યમ(જમ) નામના તાપસે તેને ઉછેરીને મોટો કર્યો. યમ(જમ)ના પુત્રરૂપે ઉછરવાથી તે જમદગ્નિના નામે પ્રસિદ્ધ થયો. તે ઘોર તપશ્ચર્યા કરી જગમાં વિખ્યાત થયો. તે વખતે પૂર્વજન્મના શ્રાવક એવા વૈશ્વાનર દેવ અને તાપસભક્ત એવા ધવંતરી દેવ, તે બંને દેવો વચ્ચે પરસ્પર વાદ થયો કે કોનો ધર્મ શ્રેષ્ઠ ? તેઓએ નક્કી કર્યું કે, Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આગમ કથાનુયોગ-૨ આપણે સાધુની તથા તાપસની પરીક્ષા કરીએ. ત્યારે શ્રાવક એવા વૈશ્વાનર દેવે કહ્યું કે, જે અમારામાં તદ્દન નવો હોય અને તમારામાં બધાંમાં મુખ્ય હોય તેની પરીક્ષા કરીએ. તે વખતે નવો–નવો ધર્મ પામેલો પધરથ રાજા મિથિલા નગરીથી નીકળી વાસુપૂજ્ય પ્રભુની પાસે દીક્ષા લેવા ચંપાપુરી જતો હતો. વૈશ્વાનર અને ધવંતરી દેવે તેને જોયો. તેની પરીક્ષા કરવા અન્ન-પાન લાવીને મૂક્યા. પણ તે અગ્રાહ્ય જાણવાથી તેણે અંગીકાર ન કર્યા. માર્ગમાં કાંટા-કંકર બિચાવ્યા, તેનાથી તે રાજાનો કોમળ ચરણ પીડાવા લાગ્યા, તો પણ ક્ષોભિત ન થયો. પછી અનુકૂળ ઉપસગ કર્યા તો પણ રાજા ચલિત ન થયો. પણ ધર્મમાં અત્યંત સ્થિર થઈ ગયો. કોઈ કહે છે તે શ્રાવકે ભક્ત પ્રત્યાખ્યાન કરેલ. બંને દેવો સિદ્ધપુત્રરૂપે ગયા. શ્રાવકને કહ્યું કે, આ વ્રત ગ્રહણ ન કરો. હજી તમારું આયુષ્ય ઘણું છે. યુવાન છો. ભોગ ભોગવો. ત્યારે શ્રાવકે કહ્યું કે, આયુષ્ય વધુ હશે તો ધર્મ પણ વધુ કરી શકીશ. પણ તેને તે દેવો લોભિત કરી ન શક્યા. ત્યાર પછી તેઓ જમદગ્નિ પાસે ગયા. તેઓએ દેવમાયાથી પક્ષીનું (ચકલાચકલીનું) રૂ૫ વિકુવ્યું. જમદગ્રિની વિશાળ દાઢીમાં તેમણે માળો બનાવ્યો. પછી ચકલાએ ચકલીને કહ્યું કે, હું હિમાલય પર જઈશ. ચકલી બોલી કે, તું ત્યાંથી પાછો નહીં આવે માટે તેને જવા દઈશ નહીં. ચકલાએ કહ્યું કે, હું પાછો ન આવું તો મને ગોહત્યાનું પાપ લાગે તેવા સોગંદ લઉં . ચકલી તેની વાતમાં સંમત ન થઈ. તેણે કહ્યું કે, હે પ્રિયે ! તું એવા સોગંદ લે કે, આ ઋષિના દુષ્કૃત–પાપ મને લાગે તો તને જવા દઉં. પસીના આવા વચન સાંભળી જમદગ્રિ રોષાયમાન થયો. તે બંને પક્ષીને પકડી લીધા અને કહ્યું કે, આવા દુષ્કર તપ તપતા એવા મારામાં કયું દુષ્ક–પાપ હોય. પક્ષીઓ બોલ્યા કે, તમે સંતાનરહિત છો. તમારું તપ વ્યર્થ છે કેમકે, અપત્રની ગતિ થતી નથી. જમદગ્નિ તે વાતથી શોભિત થઈ વિચારવા લાગ્યા કે, સ્ત્રી અને પુત્રરહિત મારું સઘળું તપ ફોગટ છે. તે ધવંતરી દેવ પરીક્ષામાં તાપસને નિષ્ફળ થયા જાણી શ્રાવક થઈ ગયો. જમદગ્નિ તાપસ પણ આતાપના–તપ છોડીને મૃગકોષ્ઠક નગરે ગયો. ત્યાં જિતશત્રુ રાજા હતો, તેણે તાપસને આવેલા જાણી ઊભા થઈ અંજલિ જોડી પૂછયું, હે મહર્ષિ ! આપની શી સેવા કરું? જમદગ્નિએ કહ્યું. મને તારી એક કન્યા આપ (પરણાવ). રાજાએ કહ્યું, મારે સો પુત્રીઓ છે તેમાંથી જે જોઈએ તે હું તમને આપું. જમદગ્નિએ અંતઃપુરમાં જઈ રાજકન્યાઓને કહ્યું, તમારામાંથી કોઈ એક મારી ધર્મપત્ની થાઓ. તે સાંભળી તે કન્યાઓ બોલી, અરે જટાધારી, ભીખ માંગી જીવનાર, તને આવું બોલતા શરમ નથી આવતી. જમદગ્નિએ ક્રોધથી બધી કન્યાઓને કુબડી બનાવી દીધી. તે વખતે એક કન્યા રેણુના પુંજ સાથે આંગણમાં રમતી હતી. તેને જોઈ જમદગ્નિએ તેને રેણુકા નામથી બોલાવી, એક ફળ બતાવી કહ્યું, “આ જોઈએ છે ?” ત્યારે કન્યાએ હાથ લંબાવ્યો. જમદગ્નિએ કહ્યું, “આ મને ઇચ્છે છે" એમ કહીને તે કન્યાને ગ્રહણ કરી. ત્યાર પછી બીજી નવ્વાણું કન્યાઓને પોતાની શાળી સમજીને પુનઃ રૂપવતી કરી દીધી. પછી રેણુકાને લઈને પોતાના આશ્રમે લાવ્યો. રાજાએ પણ તે તાપસને ગાય વગેરેની ભેટ આપી. તે કન્યાને જમદગ્નિએ ઉછેરી, મોટી કરી, તે કન્યા જ્યારે યૌવનવતી થઈ Page #106 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – સુભમ કથા ૧૦૫ ત્યારે જમદગ્નિએ તેની સાથે વિધિવત્ વિવાહ કર્યા. ઋતુકાળ પ્રાપ્ત થતા મુનિએ રેણુકાને કહ્યું કે, તારે માટે એવો ચરૂ સાધીશ જેનાથી તને બ્રાહ્મણોમાં અગ્રેસર એવો પુત્ર પ્રાપ્ત થશે. ત્યારે રેણુકાએ કહ્યું કે, હસ્તિનાપુરમાં અનંતવીર્યની રાજાની જે પત્ની છે તે મારી બેન છે. તેથી તેના માટે પણ એક ક્ષત્રિય–ચરૂ સાર્ધા. તેથી જમદગ્નિએ બંને માટે એકએક ચરૂ સાધ્યો. રેણુકાએ વિચાર કર્યો કે, હું તો અરણ્યની મૃગલી જેવી છું, તો મારો પુત્ર પણ તેવો ન થાઓ. એમ વિચારી તેણીએ ક્ષત્રિય ચરૂનું ભક્ષણ કર્યું અને બ્રાહ્મણચરૂ તેણીની બેનને આપ્યો. તે બંનેને એક–એક પુત્ર થયો. જમદગ્નિ અને રેણુકાના પુત્રનું નામ “રામ” રાખ્યું અને અનંતવીર્યનો પુત્ર કૃતવીર્ય થયો. એક દિવસ કોઈ વિદ્યાધર આવ્યો. તે રોગને કારણે આકાશગામીનિ વિદ્યા ભૂલી ગયો. રેણુકાપુત્ર રામે તેની સેવા કરી. તેથી પ્રસન્ન થઈને તેણે રામને પરશુવિદ્યા આપી. શરવનમાં જઈને તેણે તે વિદ્યા સાધી. કોઈ કહે છે કે, જમદગ્રિની પરંપરાથી રામને તે પરશુવિદ્યા પ્રાપ્ત થઈ. (ત્યારથી તે પરશુરામ નામે પ્રસિદ્ધ થયા). કોઈ વખતે રેણુકા તેની બેનના ઘેર ગઈ. તેણીને રાજા અનંતવીર્ય સાથે પ્રેમ થતા નિરંતર રતિક્રીડા મગ્ન બની. તેનાથી રેણુકાને એક પુત્ર થયો. જમદગ્નિ તે પુત્ર સાથે રેણુકાને પોતાને ત્યાં પાછી લાવ્યા. પરશુરામને બધી વાત જાણી ક્રોધ ચડ્યો. તેથી તેણે પોતાની માતાને પુત્ર સહિત મારી નાંખી. રેણુકાની બેને આ વાત જાણી તેણે અનંતવીર્ય રાજાને કહ્યું. તેથી રાજાએ આવીને જમદગ્રિના આશ્રમનો વિનાશ કર્યો અને બધી ગાયોને લઈને ભાગી ગયો. આ વાત પરશુરામને જણાવી એટલે રામે પોતાની પરશ વડે અનંતવીર્યને મારી નાખ્યો. પછી તેનો પુત્ર કૃતવીર્ય રાજા બન્યો. તેની પત્ની “તારા' રાણી બની. કોઈ વખતે માતાના મુખેથી કૃતવીર્યે પોતાના પિતાના મરણનો વૃત્તાંત જાણ્યો. તેણે આવીને જમદગ્નિ તાપસને મારી નાંખ્યા. આ વાત જ્યારે પરશુરામે જાણી, ત્યારે તે શીધ્ર હસ્તિનાપુર પહોંચ્યો. તેની જ્વલંત પરશુ વડે તેણે કૃતવીર્યને મારી નાંખ્યો. તેના રાજ્ય પર પરશુરામ રાજા થઈને બેસી ગયો. તે વખતે કૃતવીર્યની પત્ની તારા ગર્ભવતી હતી. તેથી તે ભ્રાન્ત થઈ ત્યાંથી પલાયન થઈ ગઈ અને તાપસના આશ્રમમાં નાસી આવી. તેણે એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ સુભૂમ રખાયું. હવે રામની પરસુ જ્યાં જ્યાં ક્ષત્રિયને જોતી ત્યાં ત્યાં પ્રજ્વલિત થઈ જતી. એક વખત પરશુરામ તાપસના આશ્રમ પાસેથી પસાર થતો હતો. ત્યાં તેની પરશુ પ્રજ્વલિત થઈ. પરશુરામે પૂછ્યું કે, અહીં કોઈ ક્ષત્રિય છે ? તાપસોએ કહ્યું કે, અમે જ ક્ષત્રિય છીએ. પછી પરશુરામે સાત વખત પૃથ્વીને નક્ષત્રિયા કરી અને હણેલા ક્ષત્રિયોની દાઢોથી એક થાળ ભરી દીધો. તે સુભૂમ મોટો થતા તેને વિદ્યાધરે ગ્રહણ કર્યો. એક વખતે રામે કોઈ નિમિત્તયાને પૂછયું કે, મારો વધ કોનાથી થશે? તે નિમિત્તકે કહ્યું કે, જે પુરુષ સિંહાસન પર બેસીને ખીરરૂપ બની ગયેલી આ દાઢોનું ભક્ષણ કરશે તેનાથી તમારો વધ થશે. તે સાંભળી પરશુરામે ત્યાં એક અવારિત દાનશાળા કરાવી, ત્યાં આગળ એક સિંહાસન મૂકાવી Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આગમ કથાનુયોગ-૨ દાઢોથી ભરેલો થાળ રખાવ્યો. બીજી તરફ મેઘનાદ વિદ્યાધરે નૈમિતિકને પૂછયું કે, મારી પદ્મશ્રી કન્યા હું કોને આપું? નિમિત્તકે કહ્યું કે, તેને માટે સુભમ યોગ્ય વર છે. ત્યારથી તે વિદ્યાધર સુભેમનો સેવક થઈને રહ્યો. ત્યાર પછી કેટલોક કાળ પસાર થયો. એક વખત સુભૂમે માતાને પૂછયું કે, શું આ લોક આટલો જ છે કે, આથી અધિક પણ છે ? ત્યારે માતાએ તેને સર્વ વૃત્તાંત જણાવ્યો. તે સાંભળીને સુભૂમ “પરશુરામને હણી નાખીશ' એવા અભિમાનથી હસ્તિનાપુર ગયો. ત્યાં સભામાં સિંહાસન પર બેઠો. તે વખતે પેલી દાઢો ખીરરૂપ થઈ ગઈ. તે વખતે દાઢની રક્ષા કરનારા બ્રાહ્મણો યુદ્ધ કરવાને ઉદ્યત થયા. મેઘનાદ વિદ્યાધરે તેઓને મારી નાંખ્યા. સુભૂમ વિશ્વસ્ત થઈ તે ક્ષીર ખાઈ ગયો. પરશુરામને આ સમાચાર મળ્યા. ક્રોધથી ધમધમતો તે ત્યાં આવ્યો. તેણે સુભૂમ ઉપર પોતાનું પરશુ ફેંક્યું. પણ તેનો નાશ થઈ ગયો. સુબૂમ પાસે કંઈ શસ્ત્ર ન હતું. તેણે દાઢનો ભરેલો જે થાળ હતો તે ફેંક્યો. તે થાળ જ ચક્રરત્ન બની ગયો. તેના વડે પરશુરામનું મસ્તક છેદાઈ ગયું. પછી સુભૂમે અભિમાન વડે એકવીશ વખત પૃથ્વીને નિબ્રહ્મણી કરી. બ્રાહ્મણીના ગર્ભ પણ ચીરી નાંખ્યા. (પછી સુભૂમે ભરત ચક્રવર્તીની માફક સમગ્ર ભરતક્ષેત્રને સાધ્યો. તે આઠમો ચક્રવર્તી થયો. અનેક પ્રાણીઓની હિંસા કરતો અને નિત્ય રૌદ્રધ્યાનથી વર્તતો એવો સુભૂમ ચક્રવર્તી કામભોગનો ત્યાગ ન કરીને કાળ પરિણામના વશથી મૃત્યુ પામી સાતમી અધઃસપ્તમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નરકે ગયો. તે ૫૦૦૦ વર્ષ કુમારપણે રહ્યો, ૫૦૦૦ વર્ષ માંડલિક રાજાપણે રહ્યો. પ૦૦ વર્ષ દિગ્વિજયમાં ગયા. ૫૦,૦૦૦ વર્ષમાં ૫૦૦ વર્ષ ન્યૂનકાળ ચક્રવર્તીરૂપે રહી કુલ ૬૦,૦૦૦ વર્ષનું આયુ પૂર્ણ કર્યું. ૦ આગમ સંદર્ભ :આયા.ચૂં.પૃ. ૪૯, ૫૫, આયા. મૂ. ૬૩ની વૃ; સૂય યૂ.પૂ. ર૦૯, સુય.મૂ. ૪૧૯ની , ઠા ૧ર૦; સમ. ૩૧૩, ૩૧૫, ૩૧૭, ૩૨૦; જીવા. ૧૦૫, + આવ.નિ. ૩૯૧, ૩૯૩, ૩૯૪, ૩૯૬ થી ૩૯૯, ૪૦૧, ૪૧૭, ૪ર૧; આવ.ચૂ.૧–પૃ. ૨૧૫, ૨૨૦, ૫૨૦ થી ૫૨૨; આવ.મ. વ. ર૩૭, ર૩૯, ૩૭૫; આવ.નિ. ૯૧૮, ૯૨૧ ની વૃ. તિસ્થો. ૪૮૧, પ૯૫, – ૮ –– » – (૯) મહાપદ્મ ચક્રવર્તી કથાનક :–૦- સામાન્ય પરીચય : જંબૂઢીપના ભરતક્ષેત્રના આ અવસર્પિણીકાળમાં મહાપદ્મ નામે નવમાં ચક્રવર્તી થયા. તેમની જન્મ નગરી વાણારસી હતી. (ઉત્તરાધ્યયન ભાવવિજય કૃત્ વૃત્તિમાં હસ્તિનાપુર નગરી જણાવી છે.) રાજા પોત્તરની પત્ની રાણી જ્વાલાની કુક્ષિમાં તેઓ ઉત્પન્ન થયા. કાશ્યપ ગોત્રીય આ ચક્રવર્તીનો વર્ણ નિર્મલ સુવર્ણ સમાન હતો. તેમની ઊંચાઈ વીશ ધનુષ હતી. તેઓ છ ખંડરૂપ ભરતક્ષેત્રના, ચૌદ રત્નના અને નવનિધિના સ્વામી હતા. તેમના મુખ્ય પત્ની (સ્ત્રીરત્ન)નું નામ વસુંધરા હતું. ( ઉત્તરાધ્યયન ભાવવિજયજી વૃત્તિમાં તેનું નામ મદનાવલિ જણાવેલ છે.) તેમણે ૩૦,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. જેમાં છેલ્લા ૧૦,૦૦૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ ચક્રવતી – મહાપદ્મ કથા ૧૦૭ વર્ષ શ્રમરૂપે રહ્યા. અંતે કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. તેઓ ભગવંત મુનિસુવ્રત સ્વામીના શાસનમાં થયેલા. –૦- કથાનક : આ જ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરી હતી. પદ્મ સમાન ઇક્વાકુવંશમાં પક્વોત્તર નામે એક રાજા થયો. તેને જ્વાલા નામે મુખ્ય રાણી હતા. તેમને સિંહના સ્વપ્નથી સૂચિત એવો વિષ્ણુ નામનો એક પુત્ર થયો. ત્યાર પછી ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત સર્વ શોભાના ધામ સમાન મહાપદ્મ નામના પુત્રને જન્મ આપ્યો. કલાચાર્ય પાસે તે બંને સકળ કળાકલાપ ભણ્યા. બંને યૌવન વયને પ્રાપ્ત થયા. મહાપાકુમારને વિજયવાનું જાણી પદ્મોત્તર રાજાએ તેમને યુવરાજ પદે સ્થાપિત કર્યા. તે સમયે ઉજ્જયિની નગરીમાં શ્રીવર્ગ નામે રાજા હતો. તેને નમુચિ નામે મંત્રી હતો. જે વિતંડાવાદમાં પંડિત હતો. એક વખતે મુનિસુવ્રતસ્વામીના શિષ્ય સુવ્રતાચાર્ય વિચરણ કરતા ત્યાં પધાર્યા. તેમના વંદનાર્થે નગરજનોને જતાં જોઈ મહેલના ગવાક્ષમાં ઉભેલા રાજા શ્રીવર્મ એ નમુચિ મંત્રીને પૂછયું કે, આ લોકો ક્યાં જઈ રહ્યા છે ? નમુચિએ કહ્યું કે, દેવીદ્યાનમાં કોઈ શ્રમણ પધારેલા છે. તેમના ભક્તો તેમના વંદનાર્થે જઈ રહ્યા છે. રાજાએ કહ્યું કે, ચાલો આપણે પણ ત્યાં જઈએ. ત્યારે મંત્રીએ કહ્યું કે, ભલે આપને જવું હોય તો ત્યાં જઈએ પણ આપે ત્યાં તટસ્થવૃત્તિથી રહેવું. હું બધાંને વાદમાં જીતીને નિરુત્તર કરી દઈશ. હે સ્વામી ! પાખંડીઓનું પાંડિત્ય સાધારણ લોકોમાં જ ચાલે છે. રાજાએ તેને અનુમતિ આપી પછી મંત્રી આદિ પરિવાર સાથે રાજા વનમાં ગયા. નમુચિ મંત્રીએ સ્વેચ્છાવાદથી મુનિઓને ધર્મસંબંધિ પ્રશ્નો કરવા માંડ્યા. “આ મુદ્ર છે" તેમ સમજી મુનિઓએ મૌન ધારણ કર્યું. તેથી નમુચિએ ક્રોધ કરી જૈન શાસનની નિંદા કરતા સદ્ગુરુને આશ્રિને બોલ્યો કે, તમે ગૌરવતાવાળું શું જાણો છો ? ત્યારે સુવતાચાર્યએ કહ્યું કે, જો તારી જીભ પર ખુજલી આવતી હોય તો અમે કંઈક બોલીએ. તે વખતે એક બાળસાધુએ કહ્યું કે, હે ગુરુ ભગવંત ! આ ધૃષ્ટની સાથે આપે કંઈ બોલવું યુક્ત નથી. આપ જુવો, હું સભ્યતાથી તેને વાદમાં જીતી લઈશ. તે ગમે તે પક્ષ કહે, તો પણ હું તેને યથાર્થ રીતે દૂષિત કરીશ. તે સાંભળી નમુચિ મંત્રી દ્ધ થઈને બોલ્યો કે, તમે સર્વદા અપવિત્ર, પાખંડી અને વેદથી બાહ્ય છો. તેથી તમે મારા દેશમાં વસવાને યોગ્ય નથી. એટલો જ મારો પક્ષ છે. ત્યારે બાળસાધુએ કહ્યું કે, વેદ ઋતિમાં પાણીનું સ્થાન, ખાંડણીઓ, ઘંટી, ચૂલો અને માર્જની એ પાંચ સ્થાનોને પ્રાણી વધના સ્થાનો કહ્યા છે. જેઓ આ પાંચ સ્થાનને સેવે છે તેઓ સદા વેદબાહ્ય કહેવાય છે. અમે તો પાંચ સ્થાનથી રહિત છીએ અમે વેદબાહ્ય કઈ રીતે કહેવાઈએ ? જે સંભોગ છે તે જ અપવિત્ર છે. તેનો જે સેવક છે તે જ વેદબાહ્ય છે. અમે તો કામભોગોથી વિરક્ત છીએ, પછી અમે કઈ રીતે વેદબાહ્ય કહેવાઈએ ? એ રીતે તે ક્ષુલ્લકે યુક્તિથી તે બુદ્ધિનિધાન નમુચીને વાદમાં પરાજિત કર્યો. તેથી સાધુ સાથે ગાઢ વૈરને ધારણ કરતો તે મંત્રી રાજા સાથે પોતાના ગૃહે પાછો ફર્યો. તે રાત્રિના મુનિને હણવાની ઇચ્છાથી તે ક્રોધાંધ મંત્રી વનમાં ગયો. શાસનદેવીએ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આગમ કથાનુયોગ-૨ નિર્ચન્થભક્તિ બુદ્ધિએ તેને ખંભિત કરી દીધો. પ્રાત:કાળે લોકો તેને તે સ્થિતિમાં જોઈને વિસ્મય પામ્યા. રાજા તો આચાર્ય પાસે ઘર્મ સાંભળી ઉપશાંત થઈ ગયાં. બધાં લોકો દ્વારા નિંદા થતા તે નમુચી અપમાનીત થયો. દેવીએ પછી તેને મુક્ત કર્યો. લજ્જા પામી તે મંત્રી ત્યાંથી હસ્તિનાપુર ગયો. તે ત્યાં મહાપવા યુવરાજના સંગમાં આવ્યો અને પૂર્વના પુણ્યથી તેણે ત્યાં અમાત્ય પદ પ્રાપ્ત કર્યું. મહાપબના દેશના પ્રાંત ભાગમાં સિંહબલ નામે રાજા રહેતો હતો. તે દુર્ગમ એવા દૂર્ગમાં આશ્રય લઈને રહેલો. સિંહની જેમ તે ઘણો પરાક્રમી હતો. તે વારંવાર મહાપદ્મના દેશને લુંટી લુંટીને તે પોતાના દુર્ગમાં પ્રવેશી જતો, તેથી તેને કોઈ પકડી શકતું ન હતું. એક વખતે કોપિત થયેલા મહાપો નમુચી મંત્રીને કહ્યું કે, તમે સિંહબલને પકડવાનો કોઈ ઉપાય જાણો છો ? નમુચીએ કહ્યું કે, હા હું જાણું છું. ત્યારે મહાપદ્મ ખુશ થઈને તેને આજ્ઞા કરી એટલે નમુચી તુરંત ત્યાં ગયો. સિંહબલના દુર્ગને ભાંગીને, બળપૂર્વક તેને બાંધીને મહાપા પાસે લાવ્યો. ત્યારે મહાપપે કહ્યું, મંત્રીરાજ ! વર માગો. નમુચીએ કહ્યું કે, સમય આવ્યે માંગીશ. તેની વાત મહાપો સ્વીકારી. તે યુવરાજપદ સારી રીતે પાળવા લાગ્યા. એક વખતે મહાપદ્મની માતા વાલાએ જૈનરથ તૈયાર કરાવ્યો. તે વખતે મિથ્યાષ્ટિ એવી તેની પત્ની માતા લક્ષ્મીએ બ્રહ્મરથ કરાવ્યો. લક્ષ્મીએ રાજા પાસે એવી માંગણી કરી કે, નગરમાં મારો બ્રહ્મરથ પહેલા ચાલશે. જ્વાલા રાણીએ રાજાને કહ્યું કે, જો જૈનરથ નગરમાં પહેલા ચાલશે નહીં તો હું અનશન કરીશ. તેથી રાજાએ બંનેની રથયાત્રા અટકાવી દીધી. માતાના દુઃખથી મહાપદ્મ ઘણો દુ:ખી થયો. તેને થયું કે, મારા જેવો પુત્ર હોવા છતાં માતાના મનોરથોની પૂર્તિ ન થઈ શકે તે હું કેમ સહન કરું ? મારે માતાથી વિશેષ જગત્માં કશું નથી. એમ વિચારી બધાં સૂતા હતા ત્યારે રાત્રે પોતાની નગરીમાંથી મહાપા નીકળી ગયો. સ્વેચ્છાએ ભ્રમણ કરતા મહા અટવામાં આવ્યો. ત્યાંથી તે તાપસના આશ્રમમાં આવ્યો. પ્રિય અતિથિના સમાગમથી તાપસોએ તેનો સત્કાર કર્યો. મહાપા પોતાનું ઘર હોય તેમ ત્યાં રહેવા લાગ્યો. તે વખતે ચંપાનગરીમાં રાજા જન્મેજયને કાળ રાજાએ રૂંધ્યો તે પરાભૂત થઈ ત્યાંથી પલાયન થઈ ગયો. તે નગર ભાંગવાથી લોકો બધી દિશામાં ભાગવા લાગ્યા. અંતઃપુરની સ્ત્રીઓ પણ નાસવા લાગી. તે વખતે ચંપાપતિ જન્મેજયની પત્ની નાગવતી પોતાની મદનાવલી પુત્રીની સાથે નાસીને તાપસના આશ્રમમાં આવી. ત્યારે મહાપદ્મ અને મદનાવલી બંને પરસ્પર એકબીજાને જોતા ક્ષણવારમાં પરસ્પર રાગવાળા બન્યા. લજ્જાથી તેના નયન ઝૂકી ગયા. તે જાણીને નાગવતીએ મદનાવલીને કહ્યું કે, હે પુત્રી ! તું પુરુષને જોઈને રાગવતી કેમ થઈ છે ? જ્ઞાનીએ કહ્યું છે કે, “ભાવિ ચક્રવર્તીની તું મુખ્ય પત્ની થઈશ" તે કેમ ભૂલી જાય છે ? તું જેતે પુરુષ વિશે કેમ ઉત્સુક થઈ છે ? તે વખતે વિપરીત બનાવના ભયથી તે આશ્રમના કુલપતિને કહ્યું કે, હે મહાપદ્મ ! તારે જ્યાં જવું હોય ત્યાં જા. તે સાંભળીને મહાપદ્મ ત્યાંથી નીકળી ગયો. આ મારી જ સ્ત્રી થશે. કેમકે હું જ ભાવિ ચક્રવર્તી છું. હવે હું ક્યારે ભરતક્ષેત્રને સાધુ અને જ્યારે આ મારી પત્ની બને ? જ્યારે હવે મારી માતાના અહંતુ ચૈત્ય વંદનાર્થે રથયાત્રા લઈ જવાના Page #110 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – મહાપદ્મ કથા ૧૦૯ મનોરથો હું પૂરા કરી શકીશ ? આ પ્રમાણેના મનોરથરૂપી રથ પર આરૂઢ થયેલો તે રાજકુમાર ફરતો-ફરતો સિંધુનંદન ઉપવને પહોંચ્યો. ત્યાં નગરની સ્ત્રીઓ ઉદ્યાનમાં રહી વિવિધ ક્રીડામાં મગ્ન હતી. તે ક્રીડાનો કોલાહલ સાંભળી ત્યાંના રાજા મહાસેનનો એક હાથી આલાન સ્તંભને ઉખેડીને, મહાવતને ફેંકી દઈને ભાગ્યો. તે નગરની સ્ત્રીઓના અનુરાગથી તત્કાળ ત્યાં આવી ગયો. અતિશય બીક પામેલ તે સ્ત્રીઓ નાશતા પોકારવા લાગી કે અહીં કોઈ એવો વીર છે કે, જે અમને આ હાથીથી બચાવે ? તેઓનો પોકાર સાંભળી મહાપ તે હાથીને તર્જના કરી. તરત જ તે હાથી ક્રોધથી મહાપદ્મ સમ્મુખ વન્યો. તેને આવતો જોઈ, ખલના પહોંચાડવા મહાપદ્મ એક વસ્ત્ર આકાશમાં ફેંક. હાથીએ ક્રોધાંધ થઈ તે વસ્ત્રને મહાપદ્મ સમજીને પ્રહાર કર્યો. તે વખતે કોલાહલ સાંભળી મહાન રાજા, તેના સામંત અને મંત્રી સાથે ત્યાં આવ્યો. સર્વે નગરજનો પણ ત્યાં ભેગા થઈ ગયા. તે વખતે મહાન રાજાએ મહાપાને કહ્યું કે, વીર ! દૂર ખસી જા. ક્રોધથી કાળ જેવા થયેલા આ હાથી સાથે યુદ્ધ કરવું રહેવા દે. મહાપદ્મ કહ્યું કે, હે રાજન્ ! શાંત થઈને ક્ષણવાર જુઓ. હું હમણાં જ આ ઉન્મત્ત હાથીને વશ કરી દઈશ. એ પ્રમાણે કહીને તેણે હાથીના મસ્તક પર વજ જેવી મુઠી વડે પ્રહાર કર્યો. પછી તે હાથી કુમારને પકડવા ઉદ્યત્ત થયો. તેટલામાં તે કુમાર ઉછળીને તે હાથી પર આરૂઢ થઈ ગયો. પછી તે હાથીને હાથ-પગ પર વિવિધ પ્રહારો કરી, કંઠ ભાગે અંગુઠા વડે પીડા કરી અંકુશિત કરી દીધો. તે હાથી નાના બાળની માફક તેની સાથે રમતો જોઈ સર્વજનો વિસ્મિત થઈ ગયા. – મહાસેન રાજા પણ તેની પ્રશંસા કરવા લાગ્યા. મહાપા તે હાથી સાથે ક્રીડા કરવા લાગ્યો. પછી કોઈ મહાવતને તે હાથી સોંપી કુમાર નીચે ઉતરી ગયો. મહાસેન રાજાએ પણ તેના પરાક્રમ અને રૂપથી જાણ્યું કે, આ કુમાર કોઈ ઉચ્ચ કુળમાં જન્મ્યો છે. એ પ્રમાણે વિચારી રાજા તેને પોતાને ઘેર લઈ ગયો. તેને પોતાની સો કન્યા પરણાવી. તે રાજકન્યાની સાથે નિત્ય ભોગ ભોગવતા કુમારને મદનાવલીની યાદ આવવા લાગી. એક વખત મહાપમકુમાર શય્યામાં સુતા હતા ત્યારે વેગવતી નામની વિદ્યાધરી તેનું હરણ કરવા આવી. નિદ્રા ભંગ થતા કુમારે વ્રજ જેવી મુષ્ટિ ઉગામી કહ્યું કે, મારું હરણ કેમ કરે છે? ત્યારે તેણી બોલી કે, હે શૂરવીર ! તમે કોપ ન કરો, મારી વાત સાંભળો વૈતાયગિરિ પર સુરોદય નામે એક નગર છે. ત્યાં ઇન્દ્રધનું નામે એક વિદ્યાધર રાજા છે. શ્રીકાંતા નામે તેની પત્ની છે. જયચંદ્રા નામે તેને પુત્રી છે. યોગ્ય વર ન મળવાથી તે સર્વ પુરુષો પર હેપવાળી થઈ હતી. ભરતક્ષેત્રના તમામ રાજાઓના ચિત્ર બતાવ્યા, પણ તેને કોઈ રૂટ્યો નહીં. પછી એક વખતે મેં તમારું રૂપ ચિત્રપટ પર આલેખી બતાવ્યું એટલે તેણી તત્કાળ આકર્ષિત થઈ. તેણીએ કહ્યું કે, હવે હું આને જ પરણીશ અન્યથા અગ્નિ પ્રવેશ કરીશ. તેથી તેણીના પિતાઓ મને તમને લાવવા મોકલી છે. મેં જયચંદ્રાને પણ આશ્વાસન આપતા કહ્યું છે કે, તારા હૃદયપઘને વિકસ્વર કરનાર તે મહાપાને હું જરૂર લાવીશ, જો હું નહીં લાવી શકું તો અગ્નિમાં પ્રવેશ કરીશ, માટે તમે કોપ ન કરો. આ પ્રમાણે હકીકત સાંભળી મહાપદ્મની અનુજ્ઞાથી તે વેગવતી વિદ્યાધરી મહાપદ્મને સુરોદયપુર Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ લાવી. પછી જયચંદ્રા સાથે તેના તત્કાળ વિવાહ થયા. જયચંદ્રાના મામાના દીકરા ગંગાધર અને મહીધર નામે બે દુર્મદ વિદ્યાધરો હતા. તેઓ જયચંદ્રાના વિવાહના સમાચાર સાંભળી અત્યંત ગુસ્સે થયા. તેઓ બંને પોતાના સર્વ બળ સહિત મહાપદ્મ સાથે યુદ્ધ કરવા સુરોદયપુર આવ્યા. કેમકે તે પણ જયચંદ્રાને પ્રાપ્ત કરવા ઇચ્છતા હતા. મહાપદ્મકુમાર પણ વિદ્યાધરોની સેના સહિત લડવા માટે નગરથી બહાર નીકળ્યો. મહાપડ્યે શત્રુસૈન્યનો જોત—જોતામાં ભંગ કરતા તે વિદ્યાધરપતિ ગંગાધર અને મહીધર ત્યાંથી જીવ લઈને નાસી ગયા. આગમ કથાનુયોગ-૨ પછી ચક્રરત્ન આદિ રત્નો ઉત્પન્ન થયા. લીલા માત્રમાં મહાપડ્યે સમગ્ર ભરતક્ષેત્ર પર વિજય પ્રાપ્ત કર્યો. એક સ્ત્રીરત્ન સિવાય મહાપદ્મને ચક્રવર્તીપણાની સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. મદનાવલિ વિના તે બધું જ અધૂરું લાગ્યું. ક્રીડા કરવાને બહાને મહાપદ્મ તાપસોના આશ્રમમાં ગયો. તાપસોએ ફળ, પુષ્પ આદિથી તેનું આતિથ્ય કર્યું. જન્મેજયરાજા પણ ફરતો ફરતો ત્યાં આવ્યો. તેણે પોતાની પુત્રી મદનાવલી મહાપદ્મને પરણાવી. એ પ્રમાણે ચક્રીની સર્વ સમૃદ્ધિ પૂર્ણ કરી તે હસ્તિનાપુર આવ્યો. આ વૃત્તાંત સાંભળી પ્રથમથી ખુશ થયેલા તેના માતા–પિતાને પ્રણામ કર્યા. પોતાના પુત્રનું અદ્ભુત ચરિત્ર સાંભળીને, તેની ઋદ્ધિ-સમૃદ્ધિ જોઈને માતા-પિતાના હૃદય હર્ષવિભોર બન્યા. કોઈ વખતે મુનિસુવ્રતસ્વામીના શિષ્ય સુવ્રતાચાર્ય વિચરણ કરતા ત્યાં પધાર્યા. તે સાંભળીને રાજા પરિવાર સહિત તેને વંદન કરવા ગયો. ત્યાં તેમની ધર્મદેશના સાંભળી. પોતાના પુત્રને રાજ્ય સોંપી તેણે દીક્ષા લેવા વિચાર્યું. આચાર્યએ પણ કહ્યું કે, ધર્મકાર્યમાં વિલંબ કરવો ન જોઈએ. તે પોતાના નગરમાં ગયો. પોતાના પરિજનોને, મંત્રી તથા સામંતોને બોલાવ્યા. પોતાના પુત્ર વિષ્ણુકુમારને પણ બોલાવ્યો. પછી બધાંને કહ્યું કે, મેં સુવ્રતાચાર્ય પાસે સંસારની અસારતાનો બોધ સાંભળ્યો છે. આટલો વખત વ્રતરહિતપણે પસાર કરી હું ઠગાયો છું. તેથી હવે હું વ્રત ગ્રહણ કરવા ઇચ્છું છું અને આ વિષ્ણુકુમારને રાજ્યભાર સોંપવા માંગુ છું, ત્યારે વિષ્ણુકુમારે પણ કહ્યું કે, કિંપાકના ફળ સમાન ભોગોમાં મને રસ નથી, હું પણ આપની સાથે દીક્ષા જ ગ્રહણ કરીશ. તેથી મહાપદ્મને બોલાવીને કહ્યું કે, હવે તમે જ આ રાજ્યનો ભાર સંભાળો. ત્યારે મહાપદ્મ પદ્મોત્તર રાજાને કહ્યું, વડીલતુલ્ય વિષ્ણુકુમાર છે ત્યાં સુધી મારે તે કાર્ય કરવું ઉચિત નથી. આપ તેનો જ રાજ્યાભિષેક કરો. હું તો પહેલાંની માફક ફરી પણ યુવરાજ થઈને જ રહીશ. રાજાએ કહ્યું કે, મેં તો વિષ્ણુકુમારને પ્રાર્થના કરી, પણ તે તો રાજ્ય ગ્રહણ કરવાને ઇચ્છતો નથી. મારી સાથે દીક્ષા લેવાને ઇચ્છે છે. આ વાત સાંભળી પદ્મકુમાર મૌન રહ્યા. પદ્મોત્તર રાજાએ ચક્રીપણાના અભિષેક સહિત તેને રાજ્ય સોંપ્યું. પછી રાજાએ વિષ્ણુકુમાર સાથે સુવ્રતાચાર્ય પાસે દીક્ષા લીધી. પછી મહાપદ્મચક્રીએ પૃથ્વી પર પોતાના શાસનની માફક સર્વજનોએ પૂજેલા પોતાની માતાના જૈનરથને આખી નગરીમાં ફેરવ્યો. ચક્રીએ પોતાના વંશની માફક જૈન શાસનની ઉન્નત્તિ કરી. ઘણાં ભવ્યોને આર્હતુ શાસનને અર્પણ કર્યા. ઘણાં જ ગામ, આકર, નગર આદિમાં કોટિશઃ ચૈત્યો તે પરમાર્હત્ ચક્રવર્તીએ કરાવ્યા. કોઈ વખતે પદ્મોત્તર રાજર્ષિએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને વિષ્ણુકુમાર Page #112 -------------------------------------------------------------------------- ________________ ચક્રવતી – મહાપદ્મ કથા ૧૧૧ મુનિએ મહાનું તપ કરીને અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરી. એક વખતે સુવતાચાર્ય પોતાના સાધુ પરિવાર સાથે હસ્તિનાપુર ચાતુર્માસ કરવા પધાર્યા. નમુચીએ જ્યારે તે જાણ્યું ત્યારે પૂર્વના વૈરનો બદલો લેવાની ઇચ્છાથી મહાપદ્મચક્રીને વિનંતી કરી કે, હે સ્વામી ! આપે પૂર્વે મને વર માંગવા કહેલું કે અત્યારે આપો. ત્યારે રાજાએ કહ્યું કે, જે ઇચ્છા હોય તે કહો. ત્યારે નમુચીએ કહ્યું, મારે એક યજ્ઞ કરવો છે, તે યજ્ઞ પૂરો થાય ત્યાં સુધી મને તમારું રાજ્ય આપો. સત્યપ્રતિજ્ઞ મહાપદ્મ રાજાએ નમુચીને રાજ્ય પર બેસાડ્યો અને પોતે અંતઃપુરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી નગરની બહાર જઈને નમુચી યજ્ઞપાટકમાં જઈ કપટથી દીક્ષિત થઈ, બગલાંની માફક દૃષ્ટ ધ્યાન કરવા લાગ્યો. તેને અભિષેક કરવા માટે સર્વ નગરજનો, મંત્રી અને સર્વ ધર્માચાર્યો આવ્યા. માત્ર જૈનમુનિઓ આવ્યા નહીં. ત્યારે નમુચીએ સર્વધર્માચાર્ય આવ્યા પણ શ્વેતાંબર જૈન ભિક્ષુઓ ન આવ્યા તેમ જાણીને ઇર્ષ્યાથી તેમના છિદ્રો શોધવા લાગ્યો. પછી સુવ્રતાચાર્ય પાસે જઈને તે અનાર્ય બોલ્યો કે, જે રાજા હોય તેને સર્વધર્મના લિંગીઓ આશ્રય કરે છે. તપસ્વીઓ પોતાના તપનો છઠો ભાગ રાજાને આપે છે. એ જ લોકસ્થિતિ છે. તમે અભિમાન વડે સ્તબ્ધ બન્યા છો. મર્યાદાલોપક છો અને મારા નિંદક છો. તેથી તમે મારા રાજ્યમાં રહી શકશો નહીં. ગમે ત્યાં બીજે ચાલ્યા જાઓ. તમારામાંનો જે કોઈ અહીં રહેશે તે શઠનો હું વધ કરીશ. રાજ્યવિરોધી કોઈપણ અહીં રહી ન શકે. આચાર્યમહારાજે કહ્યું કે, તમારા અભિષેકમાં આવવાનો અમારો આચાર નથી માટે અમે આવ્યા ન હતા. અમે કોઈની પણ નિંદા કરતા નથી. ત્યારે નમુચીએ ક્રોધિત થઈને કહ્યું, હવે બહુ બોલવાની જરૂર નથી. સાત દિવસ પછી જો તમે મારા રાજ્યમાં દેખાશો તો હું ચોરની જેમ તમારો ઘાત કરીશ. ત્યાર પછી પોતાની વસતિમાં આવીને આચાર્યએ મુનિઓને કહ્યું કે, હવે આપણે શું કરીશું, ત્યારે એક સાધુએ કહ્યું કે, વિષ્ણુકુમાર મુનિએ ૬૦૦૦ વર્ષ સુધી તપ કરેલ છે. હાલ તેઓ મેરૂ પર્વત રહ્યા છે. તેઓ મહાપદ્મરાજાના મોટા ભાઈ છે. તેની વાણીથી આ નમુચી શાંત થઈ જશે. જે વિદ્યાલબ્ધિવાન મુનિ હોય તે તેમને લેવા જઈ શકે. ત્યારે એક લબ્ધિવાન્ મુનિએ કહ્યું કે, હું આકાશમાર્ગે ત્યાં સુધી જવા સમર્થ છું પણ પાછો અહીં આવવા સમર્થ નથી. તો મારું કંઈ કાર્ય હોય તો મને કહો. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું, તમને વિષ્ણુમુનિ પાછા લાવશે માટે તમે ત્યાં જાઓ. તે મુનિ ક્ષણવારમાં વિષ્ણુ મુનિ સમક્ષ ઉપસ્થિત થયા. તેને આવેલી જોઈને વિષ્ણુ મહામુનિએ વિચાર્યું કે, નક્કી સંઘનું કોઈ કાર્ય હશે તેથી જ આ મુનિ આવ્યા છે. અન્યથા વર્ષાવાસમાં કેમ આવે ? એમ વિચારતા હતા, ત્યાં તે મુનિએ આવીને વંદના કરી. તેણે જલ્દીથી વિષ્ણુમુનિને પોતાના આગમનનો હેતુ કહ્યો. તેને લઈને તુરંત જ વિષ્ણુમુનિ ગજપુર-હસ્તિનાપુર આવ્યા. પછી સાધુ પરિવાર સાથે વિષ્ણુમુનિ નમુચી પાસે આવ્યા. એક નમુચી સિવાય બધાં રાજાઓએ તેમને વંદના કરી. પછી ધર્મનો ઉપદેશ આપીને તેમણે નમુચીને કહ્યું કે, વર્ષાકાળ સુધી બધાં મુનિઓ આ નગરમાં રહેશે. આ મુનિઓ પોતે પણ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આગમ કથાનુયોગ-૨ એક સ્થાને બહું રહેતા નથી. પણ વર્ષાકાળમાં ઘણાં જીવોની ઉત્પત્તિ થતી હોવાથી તેમને વિહાર કરવો કલ્પતો નથી. આવા મોટા નગરમાં અમારા જેવા ભિક્ષુકો ભિક્ષાવૃત્તિ વડે રહે છે તેમાં તમને શું નુકસાન છે ? પૂર્વે પણ ભરત આદિ રાજાઓએ મુનિને નમન કરેલ છે. તમે કદાચ તેમ ન કરો તો પણ તેમને અહીં તો રહેવા દો. નમુચિ તે સાંભળીને ગુસ્સે થયો. તેણે કહ્યું કે, એક જ વાત બીજી વખત કહેવાનો શો અર્થ છે ? હવે જો પાંચ દિવસ પછી અહીં દેખાશો તો નક્કી હું તેમનો નિગ્રહ કરીશ. વિષ્ણુમુનિએ કહ્યું કે, તમને વાંધો ન હોય તો આ મહર્ષિ ઉદ્યાનમાં રહેશે. ત્યારે અધમ મંત્રીએ ક્રોધ કરીને કઠોર વાણીથી કહ્યું કે, આ ઉદ્યાનમાં કે નગરમાં કે મારા સમગ્ર રાજ્યમાં પણ આ પાખંડી, પાપાશય, શ્વેતાંબર ભિક્ષુઓએ રહેવું નહીં. હવે જો તમારું ભલું ઇચ્છતા હો તો તત્કાળ મારા રાજ્યમાંથી નીકળી જાઓ. તે વખતે વિષ્ણુમુનિ રોષાયમાનું થઈને બોલ્યા કે, તમે માત્ર ત્રણ પગલાં ભૂમિ અમને રહેવા માટે આપો. ત્યારે નમુચીએ માત્ર ત્રણ પગલાં ભૂમિ રહેવા માટે આપી કહ્યું કે, જો તેની બહાર કોઈ આવ્યું તો હું તેને તુરંત હણી નાખીશ. ત્યારે ક્રોધના આવેશથી તે વિષ્ણુમુનિએ પોતાનું શરીર વધારવા માંડ્યું. મુગટ, કુંડળ, માળા, ધનુષ્ય, વજ અને ખડ્ઝ ધરતા, મોટા ફુકારાથી જીર્ણપત્રની જેમ ખેચરોને પાડી નાખતા, કમળ પત્રની જેમ ચરણથી પૃથ્વીને કંપાવતા, કલ્પાંત કાળના પવનોની જેમ સમુદ્રોને ઉછાળતા, રાફડાના રાશિની જેમ પર્વતોને ફાડી નાખતા તેમજ મહાપરાક્રમી મહાતેજસ્વી સુર અસુરોને ભયંકર એવા વિષ્ણુમુનિએ વિવિધરૂપે વૃદ્ધિ પામતા મેગિરિ જેવા થયા. (વૈક્રિયલબ્ધિથી એક લાખ યોજનનું શરીર વિકુલ્) નમુચીને પાડી દીધો. પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર કિનારે બે પગલા મૂકીને સ્થિત થયા. ત્રણલોકને ક્ષોભિત થયેલો જોઈ, શકે તુરંત ત્યાં આવ્યા. અપ્સરાઓને આજ્ઞા કરી. તેઓ પણ સર્વજ્ઞના ભાવને જણાવવા ઉત્તમ સૂરમાં ગાવા લાગી પ્રાણીઓ ક્રોધ કરવાથી સ્વ–પરના દાહક બને છે. સ્વાર્થમાં મોહિત થાય છે. દુર્ગતિમાં જાય છે. શાંતરસરૂપ અમૃતનું પાન કરો. આ પ્રમાણે તેમની આગળ ગાતી તેઓ નૃત્ય કરવા લાગી. મહાપા પણ આ વાત જાણતાં જ ત્યાં આવ્યા. વિષ્ણુમુનિને ભક્તિથી નમસ્કાર કરી બોલ્યા કે, આ અધમ મંત્રી નમુચી સંઘની આશાતના કરતો હતો તે મને ખબર નહીં. તો પણ હું જ અપરાધી છું. હે મહામુનિ ! આ પાપીમંત્રીના અપરાધથી આ ત્રણે લોક પ્રાણસંશયમાં આવી પડેલ છે. માટે તેની રક્ષા કરો. આજ પ્રમાણે બીજા પણ રાજા, દેવ, અસુર અને સકળ સંઘે વિનંતી કરી, ત્યારે મુનિઓ આ વિવિધ વચનોથી શાંત થયા. ચરણને અત્યંત સ્પર્શ થતા વિષ્ણુકુમારે નીચે જોયું, ત્યાં પોતાનો ભાઈ મહાપદ્મ, ચતુર્વિધ સંઘ, દેવેન્દ્ર-રાજા આદિ જોવામાં આવ્યા. – ત્યારે વિષ્ણુમુનિએ વિચાર્યું કે, મારે આ ચતુર્વિધ સંઘ માન્ય છે. મહાપદ્મ આદિ સર્વે અનુકંપા કરવા યોગ્ય છે. તેથી તે મહામુનિએ પોતાના શરીરની વૃદ્ધિનો ઉપસંહાર કરતા પોતાની પૂર્વવત્ સ્થિતિને ધારણ કરી. રાકલ શ્રી સંઘના અનુરોધથી તેમણે નમુચીને છોડી દીધો. મહાપદ્મચક્રીએ તેને ત્યાંથી કાઢી મૂક્યો. વિષ્ણુમુનિ પણ જગમાં ત્રિવિક્રમના Page #114 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – મહાપદ્મ કથા ૧૧૩ નામે ખ્યાતિ પામ્યા. સંઘનું કાર્ય કરીને વિષ્ણુમુનિ શાંત થયા. આલોચના, પ્રતિક્રમણ કરી, ચીરકાળ તપશ્ચર્યા કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, કાળક્રમે મોક્ષે ગયા. મહાપદ્મચક્રી પણ દીર્ધકાળ સુધી રાજ્ય ભોગવી, રાજ્યનો ત્યાગ કરી, સદ્ગુરુ પાસે દીક્ષા લઈ, કેવળજ્ઞાન પામી, મોક્ષે પધાર્યા. મહાપદ્મ રાજર્ષિએ દશ હજાર વર્ષનો સંયમ પર્યાય પાળી ઉગ્ર વ્રતપાલન કરી. કુલ ૩૦,૦૦૦ વર્ષનું આયું પાળ્યું.જેમાં ૫૦૦ વર્ષ કુમારાવસ્થામાં, ૫૦૦ વર્ષ માંડલીક રૂપે, ૩૦૦ વર્ષ દિગ્વીજયમાં, ૧૮,૭૦૦ વર્ષ ચક્રવતીપણે એમ ૨૦,૦૦૦ વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા. ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા લીધી, અંતે મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ :ઠL ૯૦૭; સમ. ૩૧૪, ૩૧૫, ૩૧૮, ૩૨૦; આવ.નિ ૩૯૧, ૩૯૩, ૩૯૪, ૩૯૬ થી ૩૯૮, ૪૦૦, ૪૦૧, ૪૧૮, ૪ર૧; આવ યૂ.૧– ૨૧૫, ૨૨૦ થી ૨૨૮; ઉત્ત. ૬૦૦ + ; ઉત્ત.ભાવ.વૃ૫ ૩૬૮ થી ૩૭૪; તિલ્યો. ૩૦૩; – ૮ – ૮ – (૧૦) હરિષણ ચક્રવર્તી કથાનક - –૦- સામાન્ય પરીચય : જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં દશમા ચક્રવર્તી હરિષણ થયા. તેમની જન્મનગરી કંપિલ હતી. પિતાનું નામ મહાહરિ અને માતાનું નામ મેરા હતું. કાશ્યપગોત્રિય આ ચક્રવર્તીનો વર્ણ નિર્મળ સુવર્ણની પ્રભા સમાન હતો. તેમની ઊંચાઈ પંદર ધનુષ્પ હતી. તેઓ છ ખંડરૂપ ભરતના, ચૌદ રત્નના અને નવનિધિના સ્વામી હતા. તેમના મુખ્યપત્ની (સ્ત્રીરત્ન)નું નામ “દેવી" હતું. તેઓએ ૧૦,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. જેમાં ૩૫૦ વર્ષનો શ્રમણપર્યાય હતો. અંતે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. તેઓ ભ૦નમિનાથના શાસનમાં થયેલા. -૦- કથાનક : આ જ ભરતક્ષેત્રમાં કાંપીલ્ય નામે નગર હતું, ત્યાં મહાહરિ નામે રાજા હતો. તેની મેરા નામની પ્રિયા (રાણી) હતી. તેને હરિષેણ નામે વિશ્વને આનંદ આપનારો પુત્ર થયો. તે વખતે મેરા માતાએ ચૌદ મહાસ્વપ્નોને જોયેલા. ચંદ્રના કળા–કલાપની જેમ વૃદ્ધિ પામતો તે મોટો થયો. પંદર ધનુષની ઊંચાઈવાળા કાયા થઈ. યૌવન વયને પ્રાપ્ત કરી. પિતાનું રાજ્ય પામીને તેનું પાલન કરવા લાગ્યો. કોઈ વખતે ચક્ર આદિ ચૌદ રત્નો ઉત્પન્ન થયા. ત્યાર પછી છ ખંડ ભરતક્ષેત્રને સાધ્યો-દિગ્વિજય કર્યો. ચક્રવર્તીપણું પામીને તેનો અભિષેક કરાયો. દીર્ધકાળ સુધી ભોગ ભોગવ્યા. કોઈ વખતે લઘુકર્મીપણાથી તે ભગવાસથી વિરક્ત થયા. તેને મનમાં વિચાર આવ્યો કે, પૂર્વના કોઈ પુણ્યથી મને આ સંપત્તિ પ્રાપ્ત થઈ છે. પુણ્ય પ્રાપ્તિ માટે ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ અંતે તો તેનો નાશ જ થવાનો છે. એ પ્રમાણે વિચારી પોતાના પુત્રને રાજ્ય સોંપી તે હરિષણ ચક્રવર્તીએ ૧૦૦૦ રાજાઓ સાથે દિક્ષા ગ્રહણ Jain for International Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આગમ કથાનુયોગ-૨ કરી. કર્મલય માટે પોતાનું સર્વ ફોરવ્યું. કુલ ૧૦,૦૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી. જેમાં ૩૫૦ વર્ષનો દીક્ષાપર્યાય પાળી, સમગ્ર શત્રુઓના માનનું મર્દન કરનારા હરિષણ રાજર્ષિએ ઘાતિકર્મોનો ક્ષય કરી અનંતજ્ઞાનાદિ પ્રાપ્ત કર્યા. અનુત્તર એવી ગતિને પ્રાપ્ત કરી. ૦ આગમ સંદર્ભ :-- સમ. ૧૬૮, ૧૭૬, ૩૧૩, ૩૧૫, ૩૧૮, ૩૨૦; આવ.મ. ૨૩૭, ૨૩૯ આવ.નિ. ૩૯૧, ૩૯૩, ૩૯૪, ૩૯૬ થી ૩૯૮, ૪૦૦, ૪૦૧, ૪૧૮, ૪૨૧; આવ . ૧૫. ૨૧૫, ૨૨૦, ૨૨૮; ઉત્ત. ૬૦૧ + વૃ ઉત્ત.ભાવ... ૩૭૪; તિલ્યો. પ૬૦; (૧૧) જય ચક્રવર્તી કથાનક :–૦- સામાન્ય પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં અગિયારમાં ચક્રવર્તી “જય” થયા. તેમની જન્મનગરી રાજગૃહ હતી. પિતાનું નામ વિજય અને માતાનું નામ વપ્રા (વપ્રકા) હતું. કાશ્યપગોત્રીય આ ચક્રવર્તીનો વર્ણ નિર્મળ સુવર્ણની પ્રભા સમાન હતો. તેમની ઊંચાઈ બાર ધનુમ્ હતી. તેઓ છ ખંડ ભારતના, ચૌદ રત્નના અને નવનિધિના સ્વામી હતા. તેમના મુખ્ય પત્ની (સ્ત્રીરત્ન)નું નામ લછિમતિ હતું. તેઓએ ત્રણ હજાર વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. જેમાં ૪૦૦ વર્ષનો દીક્ષા પર્યાય હતો. અંતે તેઓ મોલે પધાર્યા. ભગવંત નમિનાથ અને ભગવંત અરિષ્ટનેમિના શાસનના મધ્યમાં તેઓ થયા. –૦- કથાનક : આ ભરતક્ષેત્રમાં લક્ષ્મીના ગૃહરૂપ રાજગૃહ નામે નગર હતું. ત્યાં યશના સમુદ્ર સ્વરૂપ એવો વિજય (સમુદ્રવિજય) નામે એક રાજા હતો. પુણ્ય-લાવણ્ય અને તારુણ્યથી યુક્ત તેમજ શીલરૂપી અલંકારથી યુક્ત એવી વપ્રા નામક તેની પ્રિયા (રાણી) હતી. ચૌદ સ્વપ્નોથી સૂચિત એવો એક પુત્ર થયો. તેનું “જય" નામ રાખ્યું. તેણે રૂપ અને શરીરરૂપી લક્ષ્મીને જીતી લીધી હતી. અમૃતનું પાન કરતો હોય તેમ કાળક્રમે તે યૌવનને પામ્યો. બાર ધનુષની ઊંચાઈવાળી કાયા થઈ ૩૦૦ વર્ષનો કુમારકાળ પૂરો થતા તેમના પિતાએ તેને રાજ્યની ધુરા સોંપી દીધી. ૩૦૦ વર્ષ માંડલિક રાજાપણે વીતાવ્યા બાદ ચક્ર આદિ રત્નો ઉત્પન્ન થયા. ૧૦૦ વર્ષમાં તેણે છ ખંડ ભારતને જીતી લીધું. રમણીરત્નની માફક તેણે ચક્રવર્તીની ઋદ્ધિ-સંપત્તિને ૧૦૦ વર્ષ સુધી ભોગવી. - ત્યાર પછી ભવઉદ્વેગ થયો. સંવર્ગને પામ્યા. હજાર રાજાઓ સાથે શ્રેષ્ઠ ત્યાગી એવા જયચક્રવર્તીએ રાજ્યનો પરિત્યાગ કર્યો. જિનભાષિત સંયમનું આચરણ કરવા ગુર સમીપે જઈને તેમજ રાજ્યનિધિ પુત્રને સોંપીને પોતે દીક્ષા ગ્રહણ કરી. ૩૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. જેમાં ૪૦૦ વર્ષના દીક્ષા પર્યાયમાં તારૂપી અગ્નિ વડે કર્મોને બાળી નાંખીને કેવળજ્ઞાન તથા મુક્તિને પ્રાપ્ત કર્યા. ૦ આગમ સંદર્ભ :સમ ૩૧૪, ૩૧૫, ૩૧૮, ૩૨૦; આવનિ. ૩૯૧, ૩૯૩, ૩૯૪, ૩૯૬ થી Page #116 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – બહાદત્ત કથા ૧૧૫ –૩૯૮, ૪૦૦, ૪૦૧, ૪૧૮, ૪ર૧; આવા .૧-પૃ. ૨૧૫, ૨૨૦, ૨૨૮; ઉત્ત. ૬૦૨ + વૃ; ઉત્ત.ભાવ. ૩૭૫; તિો . પ૬૦; (૧૨) બ્રહ્મદત્ત ચક્રવર્તી ચરિત્ર :–૦- સામાન્ય પરીચય : જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં બારમા ચક્રવર્તી બ્રહ્મદત્ત થયા. તેમની જન્મનગરી કાંપિલ્ય હતી. પિતાનું નામ રાજા બ્રહ્મ અને માતાનું નામ રાણી ચૂલણી હતું. કાશ્યપ ગોત્રીય આ ચક્રવર્તીની ઊંચાઈ સાત ધનુષની હતી. વર્ણ નિર્મળ સુવર્ણની પ્રભા સદશ હતો. છ ખંડ ભારત, ચૌદ રત્ન અને નવનિધિના તેઓ સ્વામી હતા. તેમની મુખ્ય પત્ની (સ્ત્રીરત્ન)નું નામ કુરુમતિ હતું. તે સિવાય બુદ્ધિમતી, પુષ્પવતી, શ્રીકાંતા, રત્નપતી, ખંડા, વિશાખા, હરિકેશા, ગોદત્તા, કણેરુદત્તા, કણેરુપ્રતિકા, કુંજરસેના, કણેરુસેના, ઋષિબુદ્ધિ આદિ રાણીઓના પણ ઉલ્લેખ મળે છે. ૭૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવી, કામભોગ અને રાજ્યશ્રીનો ત્યાગ કર્યા સિવાય, ચક્રીની ઋદ્ધિ–વૈભવમાં ડૂબેલા બ્રહ્મદત્ત સાતમી નરકે ગયા. તેમનો કાળ ભગવંત અરિષ્ટનેમિના અને ભગવંત પાર્થના શાસન મધ્યે થયા. -૦- કથાનક :૦ ગોવાળનો ભવ અને સ્વર્ગગમન : આ જંબૂલીપના ભરતક્ષેત્રમાં સાકેત નામે નગર હતું. ત્યાં જીવ–અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા ચંદ્રાવતંસક નામે રાજા હતા. તેને ધારિણી નામે પત્ની (રાણી) અને મુનિચંદ્ર નામે પુત્ર હતો. તે રાજાને કોઈ વખતે સંવેગ ઉત્પન્ન થવાથી પોતાના પુત્રનો રાજ્યાભિષેક કરી સાગરચંદ્ર ગુરુ પાસે દીક્ષા લીધી. સંયમની સુંદર પરિપાલના કરી મલકલંકને દૂર કરી અપવર્ગે પધાર્યા. કોઈ વખતે સાગરચંદ્ર આચાર્ય ઘણાં શિષ્યથી પરિવરીને સાકેત નગરે પધાર્યા. મુનિચંદ્ર રાજા તેમના વંદનાર્થે નીકળ્યા. તેમણે આચાર્ય ભગવંતને જોઈને દર્શન કર્યા, સ્તુતિ કરી, તેમની સમીપે બેસી, આચાર્ય ભગવંત પાસેથી વિશુદ્ધ ધર્મની દેશના સાંભળી. તેને સંયમ જીવનની આચરણાની અભિલાષા પ્રગટી, ભવવિરક્ત મનવાળા થઈને, પોતાના પુત્રને રાજ્ય સોંપી મુનિચંદ્ર રાજાએ દીક્ષા ગ્રહણ કરી. ગ્રહણ–આસેવન ઉભય લક્ષણા શિક્ષા પ્રાપ્ત કરી. કોઈ વખતે સારા સાર્થની સાથે સાગરચંદ્રાચાર્યે પોતાના ગચ્છ સાથે વિહાર કર્યો. મુનિચંદ્રમુનિ પણ ગુરુ ભગવંત સાથે દેશાંતર વિચારવા લાગ્યા. નિયોગથી એકાકી થઈ કોઈ નિકટના ગામમાં ભોજન-પાન નિમિત્તે ગયા. તેઓ ભિક્ષાર્થે ગામમાં ગયા ત્યારે સાર્થ તો ચાલવા લાગ્યો. આચાર્ય ભગવંત પણ સાથે સાથે નીકળ્યા. મુનિચંદ્રમુનિને વિસ્મૃતિ થવાથી, ભોજન પાન લાવીને સાર્થની પાછળ જવા લાગ્યા પણ તેઓ માર્ગ ભૂલી ગયા. | – માર્ગથી ભ્રષ્ટ થયેલા મુનિ ચારે દિશામાં સાર્થની શોધ કરી. તેઓ અનેક સ્થાને Page #117 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ ભમતા—ભમતા વિંદ્ય અટવી પાર કરી, ગિરિકંદરાને અતિક્રમી, ઊંચા—નીચા ભૂભાગને જોતા ભયાનક માર્ગથી ત્રીજો દિવસ થયો ત્યારે ભૂખ–તરસથી પીડાવા લાગ્યા. તેનું ગળું—તાળવું આદિ સુકાવા લાગ્યા. વૃક્ષની છાયામાં મૂર્છાવશ અને ચેષ્ટારહિત થઈ બેસી ગયા. ચાર ગોવાળ પુત્રોએ તેમને જોયા. તેઓને અનુકંપા ઉત્પન્ન થઈ. ત્યાં આવીને ગોરસ મિશ્રિત જળ વડે સિંચન કર્યું–પીવડાવ્યું. થોડા આશ્વસ્ત થયા એટલે ગોકુળમાં લઈ ગયા. તેઓ પ્રતિજાગૃત થતા તેમણે કાલોચિત કૃત્ય કર્યું. પછી ચારે ગોવાળ પુત્રોએ તેમને પ્રાસુક અન્ન આદિ વડે પ્રતિલાભિત કર્યા. બાંધવની જેમ સેવા કરી. મુનિચંદ્રમુનિએ તેમના પ્રતિ ઉપકારને માટે જિનપ્રણિત ધર્મ કહ્યો. તે ગોવાળ પુત્રોએ પણ તેને ભાવપૂર્વક અંગીકાર કર્યો. સાંભળીને સમ્યકુબોધ પામ્યા. ભવથી ભય પામેલા તેઓએ દીક્ષા લીધી. ૧૧૬ તે ગોવાળપુત્રમાંના બે મુનિઓએ મળલિપ્ત શરીર જોઈને જુગુપ્સા કરી. જોકે મુનિની અનુકંપા કરવાથી, સમ્યક્ત્વ યુક્ત અનુભાવથી અને વ્રતપ્રભાવથી તે ચારે મુનિઓ દેવાયુ ઉપાર્જન કરી દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવીને જેમણે જુગુપ્સા કરી ન હતી તે બે મુનિઓ કેટલાંક ભવ ભ્રમણ કરી ઇષુકાર નગરે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા જે અધિકાર ઇસુકાર રાજાની કથામાં અન્યત્ર આવે છે. તેથી તેનો ઉલ્લેખ અહીં કરેલ નથી. ૦ દશાર્ણ જનપદે દાસીપુત્ર :– જે બે મુનિઓએ જુગુપ્સા કરી હતી તે બંને દર્શાણ જનપદમાં દશપુરનગરમાં બ્રાહ્મણ કુળમાં શાંડિલ્ય નામના બ્રાહ્મણની જયવતી નામની દાસીથી, દાસરૂપે, યુગલપુત્રપણે જન્મ્યા. અનુક્રમે તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા. કોઈ વખતે તેઓ ક્ષેત્રની રક્ષા કરવાને ગયા. રાત્રે તેઓ સુઈ ગયા ત્યારે વડના કોટરમાંથી નીકળીને યમરાજના બંધુ સમાન એક કાળા સર્પે બંનેમાંથી એકને ડંશ દીધો. પછી બીજો ભાઈ તે સર્પની શોધ કરવા નીકળ્યો. તેથી જાણે પૂર્વ ભવનું વૈર હોય તેમ તે દુષ્ટ સર્પે તેને પણ ડંશ દીધો. તે બંનેને ચિકિત્સા પ્રાપ્ત ન થવાથી બંને મૃત્યુ પામ્યા. ૦ હરણરૂપે અને હંસરૂપે જન્મો : દાસીપુત્રરૂપે મૃત્યુ પામ્યા પછી તે બંને કાલિંજર ગિરિના શિખર ઉપર એક મૃગલીના ઉદરથી બંને મૃગ- હરણરૂપે જન્મ્યા. તે બંને સ્નેહપૂર્વક ફરતા હતા. તેવામાં એક શીકારીએ એક જ બાણ વડે સમકાળે તેમને મારી નાંખ્યા. ત્યાંથી મૃત્યુ પામીને ગંગાનદીના કિનારે એક રાજહંસીના ઉદરે પૂર્વની જેમ યુગલિક રૂપે બંને હંસ થયા. બાળપણથી તેઓ પરસ્પર દૃઢ અનુરાગ વડે સાથે જ ભ્રમણ કરવા લાગ્યા. કોઈ વખતે કોઈ પારધીએ જાળ બિછાવી તેમને બંનેને પકડી લીધા. પછી તેમની ડોક ભાંગી નાખી. ખરેખર ધર્મની નિંદાનું ફળ વિષની વેલડી જેવું છે. ૦ કાશીદેશમાં ચાંડાલરૂપે જન્મ : હંસના ભવથી મૃત્યુ પામીને તે બંને કાશીદેશની વારાણસી નગરીમાં ભૂતદત્ત નામના સમૃદ્ધિમાન્ ચંડાળને ઘેર પુત્રરૂપે ઉત્પન્ન થયા. તેમના નામ ચિત્ર અને સંભૂત રખાયા. તે સમયે તે વારાણસી નગરીમાં શંખ નામનો રાજા હતા. તેનો નમુચી નામે પ્રધાન હતો. એક વખતે તે નમુચી પ્રધાન મોટા અપરાધમાં આવ્યો. તેણે રાજાના અંતઃપુરને Page #118 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – બહાદત્ત કથા ૧૧૭ દૂષિત કરેલ. તેથી રાજાએ તેને ગુપ્ત રીતે મારી નાખવા માટે ભૂતદત્ત ચંડાળને સોંપ્યો. તેણે નમુચીને કહ્યું કે, જો તું મારા પુત્રોને ભોંયરામાં રહીને ગુપ્ત રીતે ભણાવ તો હું તને જીવતો રાખીશ. નમુચીએ જીવિત રહેવા માટે તે ચાંડાળનું વચન સ્વીકાર્યું. પછી તેણે ચિત્ર અને સંભૂતને વીણાવાદન આદિ વિચિત્ર કળાઓનો અભ્યાસ કરાવ્યો. કેટલેક દિવસે તે કુબુદ્ધિ માતંગપતિની પત્ની સાથે અનુરાગી થઈ રમણ કરવા લાગ્યા. તે વાત જાણીને ક્રુદ્ધ થયેલ તે ચાંડાલ નમુચીનો વધ કરવા પ્રવૃત્ત થયો. તે વાત ચિત્ર સંભૂતે જાણીને નમુચીને ત્યાંથી ભગાડી મૂક્યો. નમુચી ત્યાંથી હસ્તિનાપુર આવ્યો. ત્યાં સનસ્કુમાર ચક્રવર્તીએ તેને પ્રધાન બનાવ્યો. અહીં ચિત્ર અને સંભૂત નવયૌવનને પામ્યા. અનિંદ્ય એવું અદ્ભુત રૂપ પામ્યા. અતિ મધુર ગીત ગાવા લાગ્યા. ઉત્તમ વીણા વગાડવા લાગ્યા. તેઓ જ્યારે ગાતા અને નૃત્ય કરતા ત્યારે જગના લોકોના મનને હરી લેતા હતા. એક વખત તે નગરીમાં મદનોત્સવ પ્રવર્યો. તેથી નગરજનો સંગીતના રસિક થઈને નગરની બહાર નીકળ્યા. તે વખતે ચિત્ર અને સંભૂત પણ ગાતા ગાતા બહાર નીકળ્યા. તેમના ગીતથી આકર્ષાઈને મૃગલાની જેમ નગરજનો એકઠા થયા. તે વખતે કોઈએ રાજા પાસે આવીને કહ્યું કે, બે ચાંડાળોએ આપણા નગરજનોને ગીતથી આકર્ષીને તેમના જેવા મલિન કરી નાંખ્યા છે. તેમની વિશિષ્ટ ગીતકળાથી તરુણીવર્ગ આક્ષિપ્ત થયો છે. આસક્તિ હેતુથી તેઓએ સ્પૃશ્ય–અસ્પૃશ્યનો ભેદ ભૂંસી નાખ્યો છે. તત્કાળ રાજાએ કોટવાળને બોલાવીને હુકમ કર્યો કે, આ બંને ચાંડાળોને નગરીના કોઈપણ પ્રદેશમાં પ્રવેશવા દેવા નહીં. કોટવાળે તેમને રાજાનો હુકમ સંભળાવતા તેઓ વારાણસીથી દૂર રહેવા લાગ્યા. એક વખતે વારાણસીમાં કૌમુદી ઉત્સવ પ્રવર્યો. તેથી તે ચાંડાળોએ રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી તે નગરીમાં પ્રવેશ કર્યો. આખા અંગ પર બુરખો નાંખીને ઉત્સવને જોતાં ચોરની જેમ આખી નગરીમાં તેઓ છુપી રીતે ફરવા લાગ્યા. પછી નગરજનોના ગીત સાથે પોતાના સ્વરને મેળવીને તેઓ પણ ગીત ગાવા લાગ્યા. રાજાજ્ઞાની અવગણના કરી મનોહર ગીત ગાતા, તેમને, સાંભળીને મધ પર માખીની જેમ યુવાન નગરજનો તેને ઘેરી વળ્યા. પછી “આ બંને જણ કોણ છે ?” એવા કુતૂહલથી તેમનો બુરખો ખેંચી કાઢ્યો. “અરે ! આ તો રાજાજ્ઞાના ભંજક ચંડાળો છે.” તેમ જાણતાં જ લોકો તેમને મારવા લાગ્યા. – તેથી તુરંત જ તે બંને ત્યાંથી ભાગ્યા. ગરીબડા જેવા દેખાતા, ભયથી વિહળ અને પગેપગે સ્કૂલના પામતા. એવા તે બંને લોકોનો માર ખાઈને માંડ માંડ બહાર ગંભીર ઉદ્યાનમાં આવ્યા. ત્યાં આવીને વિચારવા લાગ્યા કે હીન જાતિથી દૂષિત એવા આપણા કળા કૌશલ્ય અને રૂ૫ વગેરેને ધિક્કાર થાઓ. આપણામાં રહેલા કળા, લાવણ્ય અને રૂપ આપણા આ શરીર સાથે એકરૂપ થઈ ગયા છે. સર્વ અનર્થનું કારણ આ શરીર જ છે. માટે તેને કોઈ પણ રીતે તૃણની જેમ ત્યજી દઈએ. સાક્ષાત્ મૃત્યુ જોવા જતા હોય તેમ બંને દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા. – ઘણે દૂર જતા એક મોટો પર્વત તેમના જોવામાં આવ્યો. તે બંને તેના પર ચડી Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આગમ કથાનુયોગ-૨ ગયા. ત્યાંથી તેઓ ભૃગુપાત કરવા (પડવા) ઇચ્છતા હતા. ત્યાં તેમને એક શ્રમણ—મુનિ જોવામાં આવ્યા. તે ધ્યાનસ્થ અને સકલ ગુણભંડાર મુનિને જોઈને તેઓનો સકળ સંતાપ દૂર થઈ ગયો. ત્યાં આવી તે બંને ચાંડાલ મુનિને નમી પડ્યા. મુનિએ ધ્યાન સમાપ્ત કરીને તેમને કહ્યું કે, તમે બે કોણ છો ? અહીં કેમ આવ્યા છો ? તેઓએ પોતાનો સર્વ વૃત્તાંત મુનિને કહી સંભળાવ્યો. ત્યારે મુનિએ કહ્યું કે, ભૃગુપાત કરવાથી તમારા શરીરનો નાશ થશે, પણ પાપનો નાશ થશે નહીં. તમારા જેવા દક્ષ–ચતુરને માટે તેમ કરવું યોગ્ય નથી. દુઃખના મૂળરૂપ પાપકર્મ તપથી ક્ષય પામે છે. મૃત્યુથી નહીં. તેથી ત્યાજ્ય એવા આ દેહને તપ અને ચારિત્ર વડે સફળ કરો. - તેઓએ મુનિના વચનને તત્કાળ અંગીકૃત્ કર્યું. તેમની પાસે દીક્ષા લઈને કાળક્રમે તે બંને ગીતાર્થ થયા. છઠ–અઠમ વગેરે દસ્તપ તપીને તેમણે પૂર્વકર્મની સાથે શરીરને પણ શોષવી નાંખ્યું. તપોમૂર્તિ એવા તે બંને સાથે-સાથે વિચરણ કરવા લાગ્યા. વિચરતા–વિચરતા તે બંને કોઈ વખતે હસ્તિનાપુર નગરે આવ્યા. ત્યાં નગર બહારના ઉદ્યાનમાં રહીને દુરૂપ એવું તપ તપવા લાગ્યા. કોઈ વખતે સંભૂત મુનિ માસક્ષમણને પારણે હસ્તિનાપુરમાં ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. ભિક્ષાર્થે ભ્રમણ કરતા તે મુનિને દુરાત્મનું નમુચીએ જોયા. તેને શંકા થઈ કે, આ ચાંડાલ પુત્ર મારું દુરિત્ર જાણે છે. “કદાચ તે મારો વૃત્તાંત કહી દેશે તો ?" નમુચીમંત્રીએ પોતાના સેવકને આજ્ઞા કરી કે, આ મુનિને તત્કાળ નગરની બહાર કાઢી મૂકો. યમદૂત જેવા તે ચંડ સેવકોએ મુનિને લાકડીઓના માર મારીને તે સ્થાનેથી ભગાડ્યા. મુનિ તત્કાળ ઉતાવળથી ઉદ્યાન તરફ જવા લાગ્યા, તો પણ નમુચિના સેવકોએ તેમને છોડ્યા નહીં. ત્યારે શાંત એવા તે મુનિને ક્રોધ ચડ્યો. કેમકે અગ્નિના તાપથી શીતળજળ પણ ઉષ્ણ થઈ જાય છે. તત્કાળ મુનિના મુખમાંથી અકાળે ઉત્પન્ન થયેલા મેઘમાંથી વીજળીની જેમ તેજોલેશ્યા ઉત્પન્ન થઈ. તેની મોટી મોટી જ્વાલા આકાશ મંડળને સ્પર્શવા લાગી. આ પ્રમાણે ક્રોધથી તેજોલેશ્યાને ધારણ કરતા તે મુનિને પ્રસન્ન કરવા માટે નગરજનો ભય અને કૌતુકથી ત્યાં આવ્યા. સનસ્કુમાર ચક્રી પણ ત્યાં આવ્યા. સંભૂત મુનિને નમસ્કાર કરી ચક્રવર્તી બોલ્યા કે, હે ભગવંત! આપને આમ કરવું ઉચિત નથી. આપ અમારા પર કૃપા કરો, આપના ક્રોધને ત્વરિત શાંત કરો. પુરુષોનો કોપ તો દુર્જનના સ્નેહ જેવો હોય છે. હું આપને પ્રાર્થના કરું છું કે, આપ આપના કોપનો ત્યાગ કરો. આ સમયે સમગ્ર વૃત્તાંત જાણીને ચિત્રમુનિ ત્યાં આવ્યા. તેમણે કહ્યું કે, હે ભાઈ ! આ રોષ ચારિત્ર રૂપી વનને સળગાવનાર છે. દેશોન પૂર્વક્રોડ વર્ષે જે નિર્મળ ચારિત્રને પ્રાપ્ત કર્યું હોય, તે પણ કષાયથી કલુષિત થયેલ મુનિ મુહૂર્ત માત્રમાં હારી જાય છે. અપકાર કરનાર પરત્વે કરાયેલ ક્રોધ પણ ધર્મરૂપી ધનનું હરણ કરીને અનંત દુઃખને આપનારું થાય છે. આવા–આવા વિવિધ વચનો વડે, શાસ્ત્રાનુસારી વાણી વડે ચિત્રમુનિએ સંભૂતિમુનિના ક્રોધને શાંત કર્યો. પછી સંભૂતિમુનિ ઉપશાંત થયા. લોકો પણ તેમને નમસ્કાર કરીને પોતપોતાના સ્થાને ગયા. ચિત્રમુનિ પણ સંભૂતિમુનિને લઈને ઉદ્યાનમાં પાછા ફર્યા. ત્યાં ગયા પછી તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે માત્ર આહારને માટે ઘેરઘેર ફરવાથી મોટુ દુઃખ Page #120 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – બહાદત્ત કથા ૧૧૯ પ્રાપ્ત થાય છે. આ શરીર આહાર વડે પોષણ કર્યા છતાં પરિણામે તો નાશવંત જ છે. તો પછી આ શરીરની કે આહારની જરૂર શું છે ? આવો નિશ્ચય કરી બંને મુનિઓએ સંખનાપૂર્વક ચતુર્વિધ આહારના પચ્ચક્ખાણ કર્યા. સનસ્કુમાર ચક્રવર્તીએ આજ્ઞા કરી કે, મારા હોવા છતાં પણ તે સાધુઓનો જેણે પરાભવ કર્યો છે તેને શોધી લાવો. એટલે કોઈએ કહ્યું કે, એ કાર્ય નમુચીમંત્રીએ કરેલ છે. રાજાએ ગુસ્સે થઈને નમુચીને બંધનમાં નાંખી બોલાવ્યો. “હવેથી બીજો કોઈ આ રીતે સાધુઓનો પરાભવ ન કરે” એમ વિચારી શુદ્ધ બુદ્ધિવાળા સનસ્કુમાર ચક્રી નગરના મધ્યમાંથી નીકળી નમુચીને બાંધેલી હાલતમાં મુનિની પાસે લાવ્યા. ચક્રીએ બંને મુનિને વંદના કરી, ત્યારે પ્રસન્ન એવા મુનિઓએ તેમને ધર્મલાભરૂપ આશીર્વાદ આપ્યા. રાજાને કહ્યું કે, જે અપરાધી હોય છે તે પોતાની મેળે જ કર્મનું ફળ ભોગવે છે. પછી રાજાએ અપરાધી એવા નમુચીને બતાવ્યો. મુનિએ તેને છોડાવ્યો. પછી રાજાએ નમુચીને દેશનિકાલ કર્યો. ત્યાર પછી ચક્રવર્તીની સ્ત્રીરત્ન (મુખ્ય પત્ની) સુનંદા બીજી અન્ય સર્વે રાણીઓ સાથે મુનિને વંદન કરવા આવી. ઇન્દ્રાણી જેવી તે સ્ત્રીરત્ન સંભૂતમુનિના ચરણકમળમાં નમી ત્યારે તેના વાળનો સ્પર્શ થતા સંભૂતમુનિ પ્રબળતાથી તેનામાં અનુરક્ત થયા. મુનિને વિચાર આવ્યો કે, જો આના વાળની લટનો સ્પર્શ પણ આવા અતુલ સુખને આપે છે. તો તેની સમગ્ર કાયાના સ્પર્શ કેવો સુખદ હશે ? અંતઃપુર સહિત તેમને નમસ્કાર કરી જ્યારે રાજા પાછા ગયા ત્યારે સંભૂતિમુનિએ કામરાગથી અંધ બની નિયાણ કર્યું કે, અતિ દુષ્કર એવા મારા સપનું જો કંઈપણ ફળ હોય તો હું પણ ભાવિમાં આવા સ્ત્રીરત્નનો સ્વામી થઉં. મેં ચાંડાલજાતિમાં અનેક કદર્થના ભોગવી છે. તે સાંભળીને ચિત્રમુનિએ વિચાર્યું કે, ખરેખર ! મોહને જીતવો ઘણો દુષ્કર છે. કેમકે આગમોના જ્ઞાતા એવા આ સંસારરૂપી સમુદ્રમાં પડી રહ્યા છે. તેને બોધ પમાડવા માટે ચિત્રમુનિએ કહ્યું કે, હે ભાઈ ! તમે આ શું કરો છો ? તપના ઉત્કૃષ્ટ ફળને છોડીને આવા તણખલા જેવા ફળને કેમ ઇચ્છે છે ? મોક્ષના સુખને છોડીને ક્ષણિક સુખ આપનારા ભોગફળને કેમ ઇચ્છો છો ? કાચના ટુકડા માટે રત્નનો ત્યાગ કેમ કરો છો ? દુઃખના નિદાન જેવા આ મોહના નિદાનનો કેમ ત્યાગ કરતા નથી ? એ રીતે ચિત્રમુનિએ અટકાવવા છતાં પણ સંભૂતમુનિએ તેના તપના ફળરૂપે ચક્રવર્તી થવાની જ વાંછા કરી. જેથી તે પણ ઉત્તમ જાતિમાં જન્મ પામી લલિત લલનાના વિલાસને પામે. પણ તેણે વિષયતૃષ્ણા છોડી નહીં. નિયાણા સહિત જ અનશન કર્યું. આયુષ્ય કર્મનો ક્ષય થતા બંને મુનિઓ તે તપના અનુભાવથી સૌધર્મ દેવલોકમાં – નલિનગુલ્મવિમાનમાં વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયા. ૦ બ્રહ્મદત્ત ચક્રવર્તીનો ભવ – જન્મ અને ઉછેર : ચિત્રમુનિનો જીવ દેવલોકથી ચ્યવને પુરિમતાલ નગરમાં એક ધનાઢ્ય વણિકનો પુત્ર થયો. સંભૂતમુનિનો જીવ દેવલોકથી અવીને કાંપિલ્યપુરના રાજા બ્રહ્મની પત્ની (રાણી) ચુલનીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે ચૂલનીદેવીએ ચક્રવર્તીપણાના સૂચક ચૌદ સ્વપ્નો Page #121 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ જોયા. બ્રહ્મરાજાએ તે પુત્રનો જન્મ થતા બ્રહ્મદત્ત એવું નામ પાડ્યું. તે કુમાર શુક્લ પક્ષના ચંદ્રની જેમ વૃદ્ધિ પામ્યો. જગતને આનંદ આપનાર તથા મધુર ભાષી થયો. તે બ્રહ્મરાજાને ચાર મિત્રો હતા. કાશી દેશનો રાજા કટક, હસ્તિનાપુરનો રાજા કર્ણરુદત્ત, કોશલ દેશનો રાજા દીર્ઘ અને ચંપા નગરીનો રાજા પુષ્પચૂલ. તે પાંચે મિત્રો મધ્યે ગાઢ સ્નેહ હતો. તેઓ એકબીજાનો વિરહ ખમી શકતા ન હતા. તેથી પાંચે મિત્રો એક એક નગરમાં એક–એક વર્ષ સાથે રહેતા હતા. કોઈ વખતે ક્રમાનુસાર તેઓ કાંપિલ્ય નગરમાં એકઠા થયા. બ્રહ્મરાજાને ઇન્દ્રથી પ્રમુખ ચાર રાણીઓ હતી. તેમાં ચુલનીએ બ્રહ્મદત્તને જન્મ આપેલો, તે વખતે જ તેના ધનુ નામના સેનાપતિને ત્યાં પણ પુત્રજન્મ થયેલો. તેનું વરધનુ નામ પાડેલ. કાળક્રમે તે બંનેએ અનેક કળા ગ્રહણ કરી. તેવામાં કોઈ દિવસે બ્રહ્મ રાજાને મસ્તકમાં દુસ્સહ વેદના શરૂ થઈ. તે વખતે બ્રહ્મદત્ત બાર વર્ષનો થયેલો. બ્રહ્મ રાજાએ પોતાનો પુત્ર તેમના મિત્રોને સોંપીને કહ્યું કે, આ બાળક વતી તમારે રાજ્ય ચલાવવું. ત્યાર પછી બ્રહ્મ રાજાનું મૃત્યુ થયું. ત્યાર પછી બ્રહ્મ રાજાના મિત્રોએ બ્રહ્મનું મૃતક કર્મ કર્યું. કેટલાંક દિવસો વીત્યા બાદ તે મિત્રરાજાઓએ બ્રહ્મદત્તનો રાજ્યાભિષેક કર્યો. મિત્રરાજાઓએ વિચાર કર્યો કે, હજી આ રાજ્યની ધુરાને ધારણ કરવા સમર્થ નથી. તેથી તેનું પાલન કરવું જોઈએ. જ્યાં સુધી તેનું શૈશવ પૂર્ણ થાય ત્યાં સુધી આપણામાંથી કોઈએ રાજ્યનું રક્ષણ કરવું જોઈએ. કેટલાંક વર્ષો પછી તે રાજ્યભાર સંભાળી શકશે. તેઓએ દીર્ઘરાજાને ત્યાં રક્ષણની જવાબદારી સોંપી, બીજા મિત્રરાજાઓ પોતપોતાને નગરે ગયા. દીર્ઘરાજા સમગ્ર રાજ્યને કાગડો ઓદનને ભોગવે તે રીતે ભોગવવા લાગ્યો અને બીલાડી દૂધને શોધે તે રીતે ગુપ્ત રાખેલા ભંડારને શોધવા લાગ્યો. દીર્ઘરાજાના અપ્રતિહત પ્રવેશને લીધે ક્રમશઃ તેનો ચૂલની સાથે સંબંધ બંધાયો. પૂર્વનો પરીચય તો હતો જ. પોતાની નિપુણ વાણી વડે તેણે ચૂલની દેવીને મોહિત કરી. ચૂલની પણ તેની સાથે પ્રેમમાં રમણ કરવા લાગી. તે બંને સુખે ભોગ ભોગવતા દિવસો પસાર કરવા લાગ્યા. ૧૨૦ ન આ વાત અંતઃપુર રક્ષકને જાણવામાં આવી. તેણે તે વાત બ્રહ્મરાજાના બીજા હૃદય જેવા મંત્રી ધનુને કરી. તેણે વિચાર્યું કે, ચુલની એ આ અકાર્ય કર્યું તે સ્ત્રીજાતિના સ્વભાવથી સહજ છે. પણ જેને વિશ્વાસથી બધું સોંપેલ છે તે દીર્ઘરાજા વિકાર પામી આવું અકાર્ય કરે તે અયુક્ત છે. હવે તે બ્રહ્મદત્તકુમારનું કંઈ વિપ્રિય ન કરે તે જોવાનું છે. કેમકે સર્પની જેમ પોષણ કરાયેલ તે કદી પોતાનો થવાનો નથી. એમ વિચારી મંત્રીએ પોતાના પુત્ર વરધનુને આ વૃત્તાંત બ્રહ્મદત્તને જણાવવાની, તેની નિરંતર સેવા કરવાની અને કુમારને ક'દિ એકલા ન મૂકવાની આજ્ઞા કરી. જ્યારે બ્રહ્મદત્તના જાણવામાં આ વૃત્તાંત આવ્યો. ત્યારે તેણે કોઈ ઉપાયથી તેમને રોકવા વિચાર્યું. બ્રહ્મદત્ત એક દિવસ વિજાતીય પક્ષી એવા કાગડા અને કોકિલાને લઈને અંતઃપુરમાં ગયો. પછી તે ઊંચે સ્વરે બોલ્યો કે, જે આ પક્ષીની માફક વર્ણશંકરપણું કરશે તેનો જરૂર હું નિગ્રહ કરીશ. હું નિશ્ચિતપણે તેને મારી નાખીશ. આ પ્રમાણે તે રોજ ત્યાં ભ્રમણ કરવા લાગ્યો. ત્યારે દીર્ઘરાજાએ ચુલની કહ્યું કે, આ બાળક મને કાગડો અને તને કોયલ માને Page #122 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – બહ્મદત્ત કથા ૧૨૧ છે. તે આપણને મારવા ઇચ્છે છે. ત્યારે ચૂલની દેવીએ કહ્યું કે, તે બાળકની વાતથી શું ડરવાનું ? વળી કોઈ વખતે બ્રહ્મદત્ત ભદ્રજાતિની હાથિણી અને હલકી જાતિના હાથીને લાવ્યો. ફરી પૂર્વવત્ મૃત્યુસૂચક વચન બોલ્યો. તે સાંભળી દીર્ઘ ચુલનીને કહ્યું કે, આ બાળકનું ભાષણ સાભિપ્રાય છે. યુલનીએ કહ્યું કે, જો એમ હોય તો પણ તે બાળક શું કરવાનો છે ? ફરી તે હંસલી અને બગલાને લાવ્યો અને પૂર્વવત્ ધમકી ઉચ્ચારી. –૦- બ્રહ્મદત્તને મારવાનો પ્રયત્ન અને બચાવ : દીર્ઘરાજાએ ચુલની દેવીને કહ્યું, તારા બાળપુત્રનું વાણી સાંભળ. નિશે તેના મનમાં રહેલો આ રોષાગ્નિ છે. આ બાળક મોટો થતાં આપણને અવશ્ય વિદનકર્તા થશે. કોઈપણ ઉપાયથી આનો વિનાશ કરવો પડશે. વિષની વેલીની જેમ તેની ઉપેક્ષા કરવા યોગ્ય નથી. ચુલની બોલી. આવા રાજ્યધર પુત્રને મારી કેમ નખાય ? તિર્યંચો પણ પોતાના પ્રાણની જેમ પુત્રની રક્ષા કરે છે. દીર્થે કહ્યું, હે સુતનુ ! આ પુત્ર મૂર્તિમાન્ એવો તારો કાળ જછે. તેથી તેની ઉપર તું મોહ રાખ નહીં. હું હોઈશ તો તને પુત્ર થવા કંઈ દુર્લભ નથી. મોહના ઉદયથી ચુલનીએ તેની વાત સ્વીકારી. તેણી રતિસ્નેહને વશ થઈ અને પુત્રનો મોહ લુપ્ત થયો. ચુલનીએ વિચાર્યું કે, કોઈ ઉપાય વડે આ પુત્રને મારી નાંખવો પણ લોકમાં નિંદા થવા ન દેવી. દીર્થે કહ્યું કે, તેના વિવાહ ગોઠવીએ પછી વાસગૃહના કપટથી એક લાક્ષાગૃહ બનાવવું. પછી તે પુત્રને તેની પત્ની સહિત સુતો હોય ત્યારે રાત્રિના અગ્નિ પ્રગટાવી દેવો. આ પ્રમાણે તેમણે મંત્રણા કરી, તે શયનગૃહની જાળીમાંથી અંતઃપુર રક્ષકે સાંભળીને ધનુમંત્રીને જણાવી. ધનુકુમારના રક્ષણ માટે પ્રયત્ન કરવા લાગ્યો. બ્રહ્મદત્તના વિવાહ પુષ્પચલ રાજાની પુત્રી પુષ્પચૂલા (પુષ્પવતી) સાથે કરવાનું નક્કી થયું. વિવાહને યોગ્ય સર્વ સામગ્રીની તૈયારી થવા લાગી. બ્રહ્મદત્તના હિતની રક્ષા માટે ધનુમંત્રીએ જઈને દીર્ઘરાજાને કહ્યું કે, મારે વરધનું નામે પુત્ર છે તે હવે તમારી આજ્ઞાને વહન કરનારો થાઓ. હું હવે વૃદ્ધ થયો છું. બીજે સ્થાને જઈને ધર્મ અનુષ્ઠાન કરવા જઉં. મંત્રીના આવા વચનથી દીર્ઘને શંકા થઈ કે, આ કોઈ બીજા સ્થાને જઈ અનર્થ સર્જશે. તેથી તેણે મંત્રીને કપટથી કહ્યું કે, તમે અહીં જ રહીને દાનાદિ કાર્ય દ્વારા ધર્મ આચરો. રાજાના વચનથી તે સદ્બુદ્ધિવાળા મંત્રીએ ગંગાનદીના કિનારે દાનશાળા બનાવી. ત્યાં ગરીબ આદિને દાન દેવાનું કાર્ય આરંભ્ય. પછી દાન–માન અને ઉપકાર વડે પ્રતીતિ યોગ્ય થયેલા પુરુષોની પાસે બે કોશ દૂરથી સુરંગ કરાવી લાક્ષાગૃહ સુધી મેળવી દીધી. પછી ગુપ્ત રીતે બધી વાત પુષ્પયુલ રાજાને જણાવી દીધી. રાજાએ પણ પોતાની પુત્રીના સ્થાને એક દાસીને મોકલી દીધી. લોકો પણ તે દાસીને રાજાની પુત્રી જ સમજવા લાગ્યા. આભૂષણોના મણિથી પ્રકાશતી તે દાસી નગરમાં પ્રવેશી. ગણિકાના પ્રેમની જેમ બહારથી હર્ષ દેખાડતી ચુલનીએ લગ્ન મહોત્સવ કર્યો. બ્રહ્મદત્ત સાથે તેના લગ્ન કરાવ્યા. પછી લોકોને વિદાય આપી ચુલનીએ તે વરવધૂને લાક્ષાગૃહમાં સુવા મોકલ્યા. બ્રહ્મદત્તે પણ બીજાને વિદાય કરી, પોતાની પત્ની અને મંત્રીપુત્ર વરધન સાથે શયનગૃહમાં ગયો. મંત્રીપુત્ર સાથે વાર્તાલાપ કરતા બ્રહ્મદત્ત જાગૃત સ્થિતિમાં જ અડધી રાત્રિ નિર્ગમન કરી. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આગમ કથાનુયોગ-૨ ત્યાર પછી ચુલીની દેવીએ આજ્ઞા કરેલા તેમના વિશ્વાસુ સેવકોએ લાક્ષાગૃહને આગ લગાડી, દીર્ઘરાજા અને ચુલનીના અપયશની જેમ તેના ધૂમાડો ચારે તરફ ફેલાવા લાગ્યો. જ્વાળાઓના સમૂહથી બધું જ સળગવા લાગ્યું. બ્રહ્મદત્તકુમારે સંભ્રાન્ત થઈ મંત્રીપુત્રને પૂછયું કે, આ શું થયું ? તેણે ચુલનીનું સર્વ દુશેષ્ટિત કહી સંભળાવ્યું. પછી કહ્યું કે, તમારા રક્ષણને માટે મારા પિતાએ એક સુરંગ તૈયાર કરાવી છે. ત્યાંના ગુપ્ત દ્વારમાં પ્રવેશી પગની પાનીના પ્રહારથી હારને ખોલી નાખ્યું. વરધનુએ કહ્યું કે, આ બધું રહસ્ય મારા પિતાએ તારા સસરાને કહેલ છે. તેણે પણ દાસીને જ મોકલી છે. પછી બ્રહ્મદત્ત પોતાના મિત્રની સાથે સુરંગમાં ચાલ્યો. સુરંગના અંતે મંત્રીએ બે અશ્વો તૈયાર રાખેલા હતા. તેના પર સવાર થઈ પચાશ યોજન ઝડપથી પસાર કર્યા. પણ એક શ્વાસે દોડ્યા હોવાથી બને અશ્વો મૃત્યુ પામ્યા. પછી પગે ચાલતા તે બંને કોષ્ટક ગામે પહોંચ્યા. –૦- બ્રહાદત્તનું ભ્રમણ અને કન્યાઓ સાથે લગ્ન : – ત્યારે બ્રહાદત્તે મંત્રીપુત્રને કહ્યું કે, મને હવે ભુખની પીડા ઘણી થાય છે. મંત્રીપુત્રે તેને કહ્યું કે, ક્ષણવાર વિરામ કરો. પછી કંઈક વિચારી મંત્રીપુત્રે ગામમાંથી વાણંદને બોલાવ્યો. બંનેએ મસ્તકનું મુંડન કરાવી માત્ર ચોટલી રાખી. પછી પવિત્ર એવા કાષાય વસ્ત્ર ધારણ કર્યા. બંનેએ ગળામાં બ્રહ્મસૂત્ર ધારણ કર્યા. બ્રહ્મદત્તના વક્ષ:સ્થળમાં શ્રીવત્સનું લાંછન હતું. તેને મંત્રીપુત્રે વસ્ત્ર વડે ઢાંકી દીધું. એ રીતે વેશાંતર કરી બંને કોઈ બીજા ગામમાં ગયા. ત્યાં કોઈ બ્રાહ્મણે આદરપૂર્વક તેમને ભોજન કરાવ્યું. પછી તે બ્રાહ્મણની સ્ત્રીએ તેને ચોખા વડે વધાવ્યો. બે શ્વેત વસ્ત્ર અને અપ્સરા જેવી કન્યા આગળ ધરી. ત્યારે વરધનુએ કહ્યું કે, કસાઈ આગળ ગાયની જેમ આ પરાક્રમ કે કળામાં અજ્ઞાતજનના ગળામાં આ કન્યા કેમ બાંધે છે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે, આ બંધુમતી નામે મારી ગુણવતી કન્યા છે. નિમિત્તકે મને કહેલું કે, આનો પતિ ચક્રવર્તી થશે. વળી તેણે જ કહેલું કે, વસ્ત્રથી જેણે પોતાનું શ્રીવત્સ લાંછન ઢાંકેલું હોય એવો જે પુરુષ તારે ઘેર ભોજન કરવા આવે તેને તારે કન્યા આપવી. પછી તે બંધુમતી સાથે બ્રહ્મદત્તનો વિવાહ થયો. તે રાત્રિ બંધુમતીની સાથે રહી તેને આશ્વાસન આપી બીજે દિવસે કુમાર મિત્ર સાથે ત્યાંથી અન્યત્ર ચાલ્યો. પ્રાતઃકાળે તેઓ એક ગામે પહોંચ્યા. ત્યાં સાંભળ્યું કે, દીર્ઘરાજાએ બ્રહ્મદત્તના બધા માર્ગો રંધી દીધા છે. તે સાંભળીને પ્રાણની રક્ષા માટે ઉન્માર્ગે ચાલતા તેઓ એક મહાટવીમાં આવી પહોંચ્યા. ત્યાં બ્રહ્મદત્તને તરસ લાગી. મંત્રીપુત્ર તેને એક વડના વૃક્ષ નીચે મૂકી પાણી લેવા ગયો. ત્યાં દીર્ઘરાજાના સૈનિકોએ વરધનુને ઓળખીને પકડી લીધો. તેણે સંજ્ઞાથી બ્રહ્મદત્તને પલાયન થવા જણાવી દીધું. કુમાર તુરંત ત્યાંથી રવાના થઈ ગયો. બ્રહ્મદત્ત વેગથી એક અટવીમાંથી બીજી અટવીમાં જતો રહ્યો. ત્યાં વિરસ ફળ ખાઈને બે દિવસ વીતાવ્યા. ત્રીજે દિવસે એક તાપસ તેના જોવામાં આવ્યો. તે ઘણો હર્ષિત થયો. તેણે તાપસને પૂછયું કે, તમારો આશ્રમ ક્યાં છે ? તે તાપસ તેને આશ્રમમાં લઈ ગયો. આશ્રમના કુળપતિએ તેને કહ્યું કે, વત્સ તમારી આકૃતિ અત્યંત મનોહર જણાય છે. તમારું અહીં આગમન કેમ થયું ? Page #124 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – બાદત કથા ૧૨૩ બ્રહ્મદરે કુલપતિને વિશ્વાસથી સર્વ વૃત્તાંત જણાવ્યો. તે સાંભળી કુલપતિએ ગદ્ગદિત થઈને કહ્યું કે, હું તમારા પિતા બ્રહ્મ રાજાનો નાનો ભાઈ છું. આ તારું ઘર જ છે એમ સમજી સુખેથી રહે અને કોઈ ડર રાખીશ નહીં. તેથી અત્યંત ખુશ થઈને કુમાર ત્યાંજ રહ્યો. અનુક્રમે વર્ષાકાળ પ્રાપ્ત થયો. ત્યાં કાકાના પ્રેમથી તે સર્વ કળાને વિશેષ કરીને શીખ્યો. ત્યાર પછી શરદઋતુ આવી. તાપસો ફળ આદિને માટે વનમાં ગયા. કુલપતિના નિષેધ છતાં બ્રહ્મદત્ત તેમની સાથે ગયો. ત્યાં ફળફૂલથી ભરેલ નમેલા અને નહીં નમેલા વૃક્ષોને જોયા. નજીકમાં કોઈ હાથીને યો. તાપસોએ તેને ઘણો અટકાવ્યો, તો પણ કુમાર હાથીની પાછળ ગયો. પર્વત જેવા હાથી સામે તે નરહસ્તી કુમારે ઉગ્ર ગર્જના કરી. તેથી તે હાથી રોષથી અંધ બન્યો. કુમાર તરફ દોડતો આવ્યો. કુમારે તેને છેતરવા પોતાનું વસ્ત્ર ફેંક્યું. તે પડતા વસ્ત્ર પર ક્રોધી ગજેન્દ્ર દંતશુળથી પ્રહાર કરવા માંડ્યો. ત્યારે કુમારે અનેક ક્રીડા દ્વારા તે હાથીને રમાડ્યો. – તે વખતે વરસાદની ધારા શરૂ થઈ જળધારાએ તે હાથીને ઉપદ્રવ કરવા માંડ્યો. તેથી તે હાથી નાસી ગયો. બ્રહ્મદત્તકુમાર આખો દિવસ દિમૂઢ થઈને તેની પાછળ ભમતો ભમતો નદીમાં પડ્યો. તેના કિનારે એક પુરાણુ ઉજ્જડ નગર તેના જોવામાં આવ્યું. તેમાં પ્રવેશતા કુમારે એક વંશજાલિકા જોઈ. ત્યાં એક ખડ્રગ અને ખ્યાન જોઈને શસ્ત્રપ્રિયકુમારે તેને લઈ લીધા. ખગ વડે તેણે વંશજાલિકાને છેદી નાખી. તેવામાં છેદાઈને પૃથ્વી પર પડેલું એક મસ્તક તેના જોવામાં આવ્યું. તેથી સંબ્રાન્ત થયેલા કુમારે વધુ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે, ધુમ્રપાન કરનારા કોઈ નિરપરાધીને તેણે મારી નાંખ્યો. “મને ધિક્કાર છે” એમ તે પોતાના આત્માની નિંદા કરવા લાગ્યો. આગળ ચાલતા તેણે સાત માળ વાળો પ્રાસાદ જોયો. તેને ફરતું એક ઉદ્યાન હતું. સાક્ષાત્ સ્વર્ગ એવા તે મહેલ પર કુમાર ચઢ્યો. ત્યાં હાથ પર મુખ રાખીને બેસેલી એક વિદ્યાધરી જેવી સુંદર સ્ત્રી તેના જોવામાં આવી. કુમારે તેની પાસે જઈને પૂછયું, તું કોણ છે ? અહીં એકલી કેમ ઊભી છે ? ભયભીત થયેલી તે કન્યાએ ગદ્ગદિત થઈ કહ્યું કે, મારો વૃત્તાંત ઘણો મોટો છે, માટે પ્રથમ તમે કહો કે તમે કોણ છો ? અહીં કેમ આવ્યા છો ? તેની વાણીથી હર્ષિત થયેલા કુમારે કહ્યું કે, હું પાંચાલ દેશના બ્રહ્મ રાજાનો પુત્ર બ્રહ્મદત્ત છું. આટલું સાંભળતા જ તે રમણી હર્ષથી ઊભી થઈ. તેના લોચનરૂપ અંજલિમાંથી ખરતા આનંદાશ્રુના જળથી તેણીએ કુમારના ચરણ ઉદક વડે ભીંજવી દીધા. પછી કહ્યું, હે કુમાર ! શરણ વિનાની મને તમારું શરણ થાઓ. આ પ્રમાણે બોલતી તે કન્યા રડવા લાગી. તેને આશ્વાસન આપી કુમારે પૂછ્યું, તું કેમ રડે છે ? ત્યારે તે કન્યા બોલી, હું તમારા મામા પુષ્પચૂલની પુષ્પચૂલા (પુષ્પવતી) નામે પુત્રી છું. મારા પિતાએ તમને આપેલી છે. હું ઉદ્યાનની વાપિકાના કિનારે રમવા ગઈ હતી. તેવામાં એક દુષ્ટ વિદ્યાધર મારું હરણ કરીને અહીં લાવેલ છે. આટલો કાળ હું બંધુ આદિજનોના વિરહથી પીડાતી હતી. આપને જોઈને મને શાતા વળી બ્રહ્મદત્તે જ્યારે પૂછયું કે, તે મારો શત્રુ ક્યાં ગયો ? ત્યારે પુષ્પવતીએ કહ્યું કે, તે મારા તેજને સહન કરી શક્યો Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આગમ કથાનુયોગ-૨ નહીં, તેથી વિદ્યાસાધનાને માટે એક વંશજાલિકાની પાછળ ધુમ્રપાન કરતો ઉર્ધ્વ પગે રહેલો છે. તેને આજે વિદ્યા સિદ્ધ થવાની છે. વિદ્યા સિદ્ધ થયા પછી શક્તિમાનું થયેલો તે મને પરણવા પ્રયત્ન કરશે. તે સાંભળી કુમારે પોતે તેનો વધ કર્યાનો વૃત્તાંત કહ્યો. ત્યારે તેણી બોલી, બહુ સારું કર્યું. તે કન્યા અતિ હર્ષિત થઈ. કેમકે તેને પ્રિયના મિલાપ અને અપ્રિયનો વિચ્છેદ થયો. પછી પરસ્પર અનુરક્ત તે બંનેએ ત્યાં ગાંધર્વ વિવાહ કર્યો. વિવિધ પ્રકારે કામક્રીડા કરતા તેઓની રાત્રિ ક્ષણની જેમ પસાર થઈ ગઈ - પ્રાતઃકાળે વિદ્યાધરીઓના શબ્દ બ્રહ્મદત્તના સાંભળવામાં આવ્યા. બ્રહ્મદરે પુષ્પવતીને પૂછયું કે, આ કોનો શબ્દ છે ? પુષ્પવતીએ કહ્યું, હે પ્રિય ! તમારા શત્રુ નાટ્યોન્મત્ત વિદ્યાધરને ખંડા અને વિશાખા નામે બે બહેનો છે. તે વિદ્યાધર કન્યાઓનો આ શબ્દ છે. તેમના ભાઈ માટે વિવાહની સામગ્રી લઈને અહીં આવે છે. હે સ્વામી ! તમે ક્ષણવાર દૂર ખસી જાઓ. એટલે હું તમારા ગુણોનું કીર્તન કરીને તમારી ઉપરના રાગ વિરાગનો ભાવ જાણી લઉં. જો તેમને તમારા પર રાગ થશે, તો હું તમને લાલ ધ્વજા બતાવીશ અને વિરાગ થશે તો સફેદ ધજા બતાવીશ. જો લાલ ધ્વજા બતાવું તો અહીં આવવું. સફેદ ધજા બતાવું તો બીજી તરફ ચાલ્યા જવું. બ્રહ્મદરે કહ્યું, તમે ડરો નહીં પછી બ્રહ્મદત્ત પુષ્પવતીના કહેવા પ્રમાણે અન્યત્ર ચાલ્યો ગયો. પછી તેણીએ શ્વેત ધજા ફરકાવતા બ્રહ્મદત્ત દૂર ચાલ્યો ગયો. ત્યાંથી ચાલતા તે દુર્ગમ વનને પાર કરીને, સંધ્યાકાળે એક સરોવરની પાસે આવ્યો. ત્યાં સ્નાન કરી, અમૃતના જેવા જળનું પાન કર્યું. ત્યાંથી તે વાયવ્ય દિશાના કિનારે આવ્યો. ત્યાં સાક્ષાત્ વનકન્યા જેવી કન્યાને જોઈ. બ્રહાદત્તને થયું કે, આજે મારો જન્મ સફળ થયો. તેના દર્શનરૂપ અમૃત રસને તે કુમાર પીવા લાગ્યો. તો પણ મરૂભૂમિનો મુસાફર જેમ ગ્રીષ્મમાં પાણી પીતા પણ તૃપ્તિ ન પામે તેમ તે કુમારને તૃપ્તિ ન થઈ. તે કન્યા પણ તેને જોતી કટાક્ષાદિ દૃષ્ટિ ફેંકવા લાગી. દાસીને તે કન્યાએ કંઈ સૂચના આપી. કુમાર પણ બીજી તરફ ચાલ્યો. ત્યાં એક દાસીએ આવીને વસ્ત્ર, તાંબુલ, આભુષણાદિ કુમારને આપ્યા અને કહ્યું, આપને તેણીના પિતાના મંત્રીને ઘેર આવવા કહ્યું છે. પછી બ્રહ્મદત્ત તે દાસી સાથે મંત્રીને ઘેર ગયા. મંત્રી પણ તેને જોઈને ઊભો થઈ સામે આવ્યો. ત્યારે દાસીએ કહ્યું, હે મંત્રીરાજ ! શ્રીકાંતા રાજપુત્રીએ આમને મોકલ્યા છે. દાસીના ગયા પછી મંત્રીએ બ્રહ્મદત્તની ઘણી સેવા કરી. રાત્રિ નિર્ગમન થયા પછી મંત્રી તેને રાજકુળમાં લઈ ગયા. રાજાએ બાળસૂર્યની જેમ તેની અધ્યદિકથી પૂજા કરી. પછી વંશ કુળાદિક પૂછયા વિના રાજાએ પોતાની પુત્રી પરણાવી. કુમાર પણ ઘણો ખુશ થયો. કોઈ વખતે બ્રહ્મદરે એકાંતમાં ક્રીડા કરતા તે રાજકુમારીને પૂછયું. મારા કુળથી અજાણ અને હું એકલો છું તે જાણવા છતા તારા પિતાએ તેને મારી સાથે કેમ પરણાવી ? ત્યારે શ્રીકાંતા બોલી, મારા પિતા વસંતપુરના રાજા શબરસેનના પુત્ર છે. તેમને ગોત્રીઓએ રાજ્યવિહોણા કરી દીધા છે. તેઓ આ પલ્લીમાં રહ્યા છે. તેમણે અહીં ભિલોને વશ કર્યા છે. ગામઆદિને લુંટીને પણ તેઓ પરિવારનું પોષણ કરી રહ્યા છે. ચાર પુત્રો પછી તેમને હું પુત્રીરૂપે જન્મી. હું યૌવનવતી થઈ એટલે મારા પિતાએ કહ્યું, જે સર્વે રાજા તારી Page #126 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – બહ્મદત કથા ૧૨૫ અપેક્ષા કરે તેને તારે દૃષ્ટિ વડે જોવા. તેમાંથી તને જે યોગ્ય લાગે તેના સમાચાર તારે મને આપવા. પિતાના વચનથી હું તે સરોવર પર રહી સર્વે મુસાફરોને જોતી હતી. પુણ્યના ઉદયથી મેં તમને જોયા. મારા મનોરથ જાણીને મારા પિતાએ મને તમારી સાથે પરણાવી. કોઈ વખતે તે પલિપતિ કોઈ ગામ ભાંગવા માટે સૈન્ય સહિત ચાલ્યો. તેની સાથે બ્રહ્મદત્ત પણ ચાલ્યો. સરોવરને કાંઠે આવીને ઊભો. ભિલોએ ગામ લુંટવા માંડ્યું એટલામાં વરધનું આવીને કુમારના ચરણમાં પડ્યો. કુમારને વળગીને મુક્તકંઠે રડી પડ્યો. બ્રહ્મદત્ત અમૃત જેવી મધુર વાણીથી આશ્વાસન આપીને તેનો વૃત્તાંત પૂગ્યો. વરધનુએ ગગ વચનથી પોતાનો વૃત્તાંત કહેવા માંડ્યો. હે નાથ ! તમને વડના વૃક્ષ નીચે મૂકીને હું જળ લેવા ગયો. અમૃતકુંડ જેવું એક સરોવર જોયું. તમારા માટે કમળના પત્રમાં જળ લઈને હું પાછો આવતો હતો, ત્યારે યમદૂત જેવા સુભટોએ મને પકડીને પૂછ્યું કે, બ્રહ્મદત્ત ક્યાં છે? ત્યારે મેં કહ્યું કે, હું કંઈ જાણતો નથી. એટલે તેઓ મને મારવા લાગ્યા. તેથી મેં કહ્યું, બ્રહ્મદત્તને કોઈ વાઘ ખાઈ ગયો. તેઓ બોલ્યા કે, તે સ્થાન બતાવ. એટલે આમતેમ ભમતો હું આવ્યો અને મેં તમને નાસી જવાની સંજ્ઞા કરી. ત્યાર પછી કોઈ પરિવાજકે આપેલી ગુટિકા મેં તુરંત મુખમાં મૂકી દીધી. તેના પ્રભાવથી હું સંજ્ઞારહિત થઈને પડી ગયો. તેથી મને મરેલો ધારી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી મેં ગુટિકા બહાર કાઢી, પછી તમને શોધતો હું કોઈ એક ગામમાં આવ્યો. ત્યાં કોઈ પરિવ્રાજક મારા જોવામાં આવ્યો. તેમને મેં પ્રણામ કર્યા. મને જોઈને તે તાપસે કહ્યું, વરધનું ! હું તારા પિતાનો મિત્ર છું. તારી સાથે ભાગેલો બ્રહ્મદત્ત ક્યાં છે? મેં કહ્યું. સારું વિશ્વ જોયું પણ તેનો પત્તો નથી. તે તાપસે કહ્યું કે, જ્યારે લાક્ષાગૃહ દગ્ધ થયું ત્યારે પ્રાત:કાળે દીર્ઘરાજાએ જોયું તો તેમાંથી બળી ગયેલ એક જ મુડદ નીકળ્યું ત્રણ મડદાં ન નીકળ્યા. સુરંગ મળી આવી, ઘોડાના પગલાંના નિશાન જોયા. એટલે તમે બંને ધનુમંત્રીની બુદ્ધિથી જ નાશી ગયા જાણી, રાજા તેના પ્રત્યે ઘણો જ ગુસ્સે થયો, પછી તમને બંનેને બાંધી લાવવા ચારે દિશામાં ઘોડેસ્વાર રવાના કર્યા ધનુમંત્રી ત્યાંથી નાસી ગયા. તમારી માતાને દીર્ઘરાજાએ નરક જેવા ચાંડાળના પાડામાં નાખ્યા. આ વૃત્તાંત સાંભળીને દુઃખારૂં થયેલો હું કાંડિલ્ય નગરે ગયો. કપટથી કાપાલિકનો વેષ લઈને ચંડાળના પાડામાં નિરંતર ફરવા લાગ્યો. તે લોકોએ મને ત્યાં ભમવાનું કારણ પૂછયું, ત્યારે મેં કહ્યું, હું માતંગી વિદ્યાનો સાધુ છું. અમારો આ કલ્પ છે. ત્યાં ભમતા ભમતા મારે ત્યાંના રક્ષક સાથે મૈત્રી થઈ ગઈ. એક દિવસે મેં તે રક્ષક પાસે મારી માતાને કહેવડાવ્યું કે, તમારા પુત્રનો મિત્ર કૌડિન્ય મહાવ્રત ધારી છે તે તમને અભિવાદન કરે છે. બીજે દિવસે હું જાતે માતાની પાસે ગયો. તેમને ગુટીકા અને બીજોરાનું ફળ આપ્યું. તે ખાવાથી મારી માતા સંજ્ઞારહિત થઈ ગયા. કોટવાળે તેમને મરેલા ધારી રાજાને કહ્યું, રાજાએ તેના શરીરના સંસ્કારને માટે કહ્યું, મેં કહ્યું, અરે રાજપુરુષો ! જો તમે આ વખતે આ સ્ત્રીને મૃતસંસ્કાર કરશો તો રાજા ઉપર મહા અનર્થ થશે. તેથી તેઓ ડરીને ચાલ્યા ગયા. મેં પુરરક્ષકને કહ્યું કે, તું સહાય આપે તો આ સુલક્ષણા સ્ત્રીને મંત્ર વડે સાધુ. પુરરક્ષક સંમત થતા, માતાને દૂર સ્મશાનમાં લઈ ગયો. ત્યાં મેં માયા વડે મંડળ આદિ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ આગમ કથાનુયોગ-૨ આલેખન કર્યું. પછી માતાને બીજી ગુટકા આપતા તે સચેત થઈ ગયા. પછી હું માતાને મારા પિતાના મિત્ર દેવશર્માને ત્યાં લઈ ગયો. ત્યાંથી નીકળી તમને શોધતા-શોધતા અનેક સ્થાને ભ્રમણ કરતો હું અહીં આવ્યો. મારા ભાગ્ય યોગે તમે અહીં મળી આવ્યા. આ પ્રમાણે વૃત્તાંત કહી વરધનુએ બ્રહ્મદત્તને પૂછયું કે, હે મિત્ર! હવે તમારો વૃત્તાંત જણાવો. બ્રહ્મદત્ત સર્વ વાત કર્યા પછી બંને મિત્રો વાર્તાલાપ કરતા હતા, ત્યાં કોઈએ આવીને કહ્યું કે, આ ગામમાં દીર્ઘરાજાના સુભટો આવ્યા છે. જે તમારા જેવા બંનેના –આકૃતિ બનાવી ગામના લોકોને તમારી ભાળ પૂછે છે તે સાંભળી હું અહીં આવ્યો છું. હવે તમને જેમ રૂચે તેમ કરો. ત્યારે બ્રહ્મદત્ત અને મંત્રીપુત્ર પણ તત્કાળ અરણ્યમાં નાસી ગયા. અનુક્રમે તેઓ કૌસાંબીનગરી આવ્યા. ત્યાં સાગરદત્ત શેઠ અને બુદ્ધિલના કુકડાની લડાઈ થતી હતી. હારજીત પર એક લાખ દ્રવ્યની શરત હતી. તે આ બંને કુમારે જોયું. તે બંને કુકડાનું યુદ્ધ ચાલતું હતું, તેમાં સાગરદત્તનો કુકડો જાતિવાન્ હતો. બુદ્ધિલનો કુકડો જાતિવાનું ન હતો. બ્રહ્મદ બુદ્ધિલના કુકડાના પગમાં તીક્ષ્ણ સોયો જોઈ. બુદ્ધિલને તેની જાણ થતાં તેણે બ્રહ્મદત્તને અડધું દ્રવ્ય આપવા કહ્યું, પણ બ્રહ્મદત્તે તે ન સ્વીકાર્યું. તેણે લોઢાની સોયો ખેંચી કાઢી. સાગરદત્તના કુકડાએ ક્ષણવારમાં બુદ્ધિલના કુકડાને ભગ્ન કર્યો. વિજયથી હર્ષિત થયેલો સાગરદત્ત, બ્રહ્મદત્ત અને મંત્રીપુત્રને પોતાના રથમાં બેસાડી પોતાને ઘેર લઈ ગયો. પોતાના ઘરની જેમ તેઓ ત્યાં ઘણાં દિવસ રહ્યા. એક વખત બુદ્ધિલના દાસે વરધનુ પાસે આવી કંઈક કહ્યું. વરધનુએ કુમારને કહ્યું, બુદ્ધિલે કહ્યા પ્રમાણે અર્ધ લાખ દ્રવ્ય મોકલાવ્યું છે. એમ કહી મોતીનો હાર બતાવ્યો. તે હાર સાથે બ્રહ્મદત્તે એક લેખ જોયો. તે વખતે વત્સા નામે તાપસી પણ ત્યાં આવી. બંને કુમારોને ચોખા વડે વધાવીને તે દાસીએ વરધનુને એક તરફ લઈ જઈ સંદેશો કહ્યો. વરધનુએ બ્રહ્મદત્તને કહ્યું, તે આ લેખનો જવાબ લેવા આવી હતી, આ નગરમાં રનવતી નામે શ્રેષ્ઠી સુતા છે. તે અતીવ સુંદર છે. તેણીએ કુકડાયુદ્ધ વખતે તમને જોયા ત્યારથી કામાર્ત થયેલી છે. બ્રહ્મદત્ત જ મારું શરણ હો તેમ બોલ્યા કરે છે. તેથી મેં તેને આશ્વાસન આપી, તમારા વતી પ્રતિલેખ લખીને મોકલ્યો છે. તે સાંભળી બ્રહ્મદત્ત પણ કામથી પીડિત થઈ સુખે રહી ન શક્યો. આ સમયમાં દીર્ઘરાજાના મોકલેલા સુભટો બ્રહ્મદત્ત અને વરધનુને શોધવા માટે આવ્યા. તેની ખબર પડતાં સાગરદત્તે તેને નિધાનની જેમ ભૂમિગૃહમાં સંતાડ્યા. પછી રાત્રિએ રથમાં બેસાડી સાગરદત્ત તેમને કેટલેક દૂર લઈ ગયો. પછી પોતે પાછો વળ્યો. બંને આગળ ચાલ્યા, ત્યાં નગરીના ઉદ્યાનમાં એક સુંદર સ્ત્રી તેના જોવામાં આવી. તેણીએ આદરથી પૂછ્યું કે, તમને આવતા આટલી વાર કેમ લાગી ? તે બંનેએ વિસ્મયથી પૂછયું કે, અમે કોણ છીએ ? તું અમને શી રીતે ઓળખે છે ? આ નગરીમાં ધનપ્રભવ નામે ધનાઢય શ્રેષ્ઠી છે. તેને આઠ પુત્રો પછી એક પુત્રી થઈ, તે હું છું. યૌવનવતી થતાં મેં વરની પ્રાપ્તિ માટે આ ઉદ્યાનમાં એક યક્ષનું આરાધન કર્યું. યક્ષે મને પ્રસન્ન થઈને કહેલું કે, બ્રહ્મદત્ત નામે ચક્રવર્તી તારો પતિ થશે. તેણે જ કહેલું કે, આ મંદિરમાં તારો મેળાપ થશે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – બહાદત્ત કથા ૧૨૭ તેથી હે સુંદર ! તમે જ બ્રહ્મદર છો. બ્રહ્મદત્તે તેનો અંગીકાર કરી. પછી તેણીને રથમાં બેસાડી ચાલ્યા. તેણીએ કહ્યું કે, અહીં મગધપુરમાં ધનાવહ નામે મારા કાકા છે. તે આપણો ઘણો સત્કાર કરશે, માટે તે તરફ ચાલો. રત્નાવતીના કહેવાથી બ્રહ્મદત્તે મંત્રીપુત્રને કહી તે બાજુ ઘોડા હંકાર્યા. બ્રહ્મદત્ત વગેરે થોડી વારમાં અટવીમાં પહોંચ્યા. ત્યાં સુકંટક અને કંટક નામના બે ચોર સેનાપતિએ બ્રહ્મદત્તને રોક્યો. કુમારે બાણોનો વરસાદ કરી તે બંને ચોરોને નસાડી મૂક્યા. ત્યારે મંત્રીપુત્રે કહ્યું કે, સ્વામી ! તમે બે ઘડી આ રથમાં સૂઈ જાઓ. બ્રહ્મદત્ત રત્નવતી સાથે ત્યાં સૂઈ ગયો. પ્રભાતે એક નદી કાંઠે આવ્યા ત્યારે મંત્રીપત્રને ન જોયો ત્યારે બ્રહ્મદત્ત વ્યાકુળ ચિત્ત થઈ ગયો. વિલાપ કરતો મૂર્ષિત થઈ ગયો. રત્નાવતીએ તેને શાંત પાડ્યો. રત્નાવતીના કહેવાથી અશ્વોને હંકાર્યા. થોડા વખતમાં મગધ દેશની ભૂમિના સીમાડાના ગામમાં આવ્યા. તે ગામનો નાયક સભા ભરીને બેઠો હતો. તે બ્રહ્મદત્તને જોતાં જ તેને પોતાને ઘેર લઈ ગયો. ગ્રામાધિપે પૂછયું કે, તમે શોકગ્રસ્ત કેમ જણાઓ છો ? બ્રહ્મદરે કહ્યું, મારો એક મિત્ર ચોર લોકો સાથે યુદ્ધ કરતા ક્યાંક ચાલ્યો ગયો છે. ગ્રામાધિપે તેને શોધી લાવવા વચન આપ્યું. તેણે પાછા આવીને કહ્યું કે, કોઈ મનુષ્ય તો અટવીમાં ન મળ્યો. માત્ર પ્રહાર કરવાથી પડી ગયેલ એક બાણ હાથમાં આવ્યું છે. આ વાત સાંભળી બ્રહ્મદત્તને થયું કે, જરૂર વરધનુ માર્યો ગયો છે. તે શોકગ્રસ્ત થઈ ગયો. રાત્રિના ચોથા પ્રહરે ત્યાં ચોર આવ્યા. કુમારના બળથી તેઓ નાસી ગયા. બીજે દિવસે તે ગ્રામપતિને લઈને કુમાર ત્યાંથી રાજગૃહી આવ્યો. ત્યાં રત્નપતીને નગરની બહાર તાપસ આશ્રમમાં રાખી, તેણે નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં હવેલીના એક ગોખમાં તેણે બે નવયૌવના સ્ત્રીઓને જોઈ. કુમારને જોતાં જ તે સ્ત્રીઓ બોલી કે, હે ભદ્ર! તે વખતે પ્રેમીજનને છોડીને તમે ચાલ્યા ગયા તે યોગ્ય છે ? બ્રહ્મદરે પૂછયું કે, મારા પ્રેમીજન કોણ ? મેં તેનો ક્યારે ત્યાગ કર્યો? હું કોણ છું ? તમે બંને કોણ છો ? તેણી બોલી હે નાથ ! પ્રસન્ન થાઓ, અહીં પધારો, વિશ્રામ લો. પછી તેણીએ વૃત્તાંત કહેવો શરૂ કર્યો. આ ભરતમાં વૈતાઢ્ય નામે રજતગિરિ છે. તેની દક્ષિણ શ્રેણીમાં શિવમંદિર નામે નગરમાં જ્વલનશિખ રાજા છે. તે વિદ્યાધર રાજાને વિદ્યશિખા નામે પ્રિયા છે. અમે તેની ખંડા અને વિશાખા નામની પુત્રીઓ છીએ. એક વખતે પોતાના મહેલમાં અમારા પિતા અગિશીખ નામના મિત્ર સાથે વાર્તાલાપ કરતા હતા. તેવામાં અષ્ટાપદગિરિ જતાં દેવતાઓને અમે આકાશમાં જોયા. અમે પણ તીર્થયાત્રા કરવા ચાલ્યા. અમે અષ્ટાપદગિરિ પર જિનપ્રતિમાને જોઈ. અમે ત્યાં ત્રણ પ્રદક્ષિણા કરી, વિધિવત પૂજા કરી, વંદના કરી, ત્યાંથી ચાલ્યા ત્યારે બે ચારણ શ્રમણ મુનિઓને જોયા. તેમને નમસ્કાર કરી અને ધર્મદેશના સાંભળી. દેશનાને અંતે અગ્રિશિખે પૂછયું કે, આ બંને કન્યાનો પતિ કોણ થશે ? તેઓ બોલ્યા કે, જે તેણીના ભાઈને મારી નાખશે તે આ બંનેનો પતિ થશે. તે વાત સાંભળી અમારા પિતા ગ્લાનિ પામ્યા. અમે અમારા ભાઈની રક્ષા માટે તત્પર બન્યા. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આગમ કથાનુયોગ-૨ એક વખતે અમારા ભાઈએ ફરતા–ફરતા તમારા મામાની કન્યા પુષ્પવતીને જોઈને તેનું હરણ કર્યું. પુષ્પવતીનું હરણ કર્યા પછી તેની દૃષ્ટિને સહન ન કરવાથી તે વિદ્યા સાધવાને ગયો. પછીની વાત તો તમે જાણો જ છો. પુષ્પવતીએ અમને બધું જણાવ્યું. પણ ભૂલથી તેણીએ લાલને બદલે સફેદ ધજા ફરકાવી એટલે તમે ત્યાંથી ચાલ્યા ગયા. અમે આપને સર્વત્ર શોધ્યા. પણ આપ ક્યાંય મળ્યા નહીં. તેથી નિર્વેદ પામીને અહીં આવીને રહ્યા છીએ. હે સ્વામી ! આજે અમારા પુણ્યથી તમે અહીં આવ્યા છે, તેથી અમે તમને વરીએ છીએ. તેમનાં આવા પ્રેમવચન સાંભળીને બ્રહ્મદત્ત ગાંધર્વ વિવાહથી તેમને પરણ્યો. બંને સાથે ક્રીડા કરતા બ્રહ્મદતે રાત્રિ નિર્ગમન કરી. પછી કહ્યું કે, જ્યાં સુધી મને રાજ્યનો લાભ ન થાય ત્યાં સુધી તમારે પુષ્પવતી સાથે રહેવું. ત્યાર પછી બ્રહ્મદત્ત તાપસના આશ્રમમાં રાખેલી રત્નપતીને શોધવા લાગ્યો. ત્યાં તેણી જોવામાં ન આવી પણ એક દિવ્ય આકૃતિ પુરુષને જોયો. બ્રહ્મદરે પૂછયું, હે મહાભાગ! અહીં તમે દિવ્ય વસ્ત્રધારી કોઈ સ્ત્રીને જોઈ ? તેણે કહ્યું કે, હે નાથ ! હે નાથ! એમ પોકારી રૂદન કરતી એક સ્ત્રી મેં જોયેલ. અમારી સ્ત્રીઓએ તેણીને તેના કાકાને સોંપી. પછી તેણે પૂછયું કે, શું તમે તેના પતિ છો ? બ્રહ્મદત્તે હા કહી. પછી તે પુરુષ આગ્રહપૂર્વક બ્રહ્મદત્તને તેણીના કાકાને ઘેર લઈ ગયો. રત્નવતીના કાકાએ સમૃદ્ધિપૂર્વક રત્નપતીનો વિવાહ મહોત્સવ કર્યો. ત્યાં બ્રહ્મદત્તની સાથે વિષયસુખ ભોગવવા લાગ્યો. કોઈ વખતે બ્રહ્મદત્તે પોતાના મિત્ર વરધનુના ઉત્તરકાર્ય કરવાનો આરંભ કર્યો. તે વખતે બ્રાહ્મણના વેશે વરધનું પણ ત્યાં આવ્યો. તેણે બ્રહ્મદરને કહ્યું કે, જો મને ભોજન આપશો તો તે સાક્ષાત્ વરધનુને જ મળશે. તે સાંભળીને કુમાર સંભ્રમથી ઘરની બહાર આવ્યો. તેની સામે ધ્યાનથી જોઈને બ્રહ્મદત્ત તેને ઓળખી ગયો. હર્ષાશ્રુથી તેને નવડાવતો, તેને અંતગૃહમાં લઈ ગયો. પછી તેનો વૃત્તાંત પૂછયો. તે કહેવા લાગ્યો, હે મિત્ર ! તમે સૂઈ ગયા પછી ચોર લોકોએ મને રુંધી લીધો. વૃક્ષની અંદર રહેલા એક ચોરે મને બાણ માર્યું. હું પૃથ્વી પર પડી ગયો. લતાઓના અંતરમાં ઢંકાઈ ગયો. મને ત્યાં ન જોતા ચોરો ચાલ્યા ગયા. એક ગામના નાયક પાસેથી તમારા ખબર મેળવીને ચાલતો ચાલતો અહીં આવ્યો. મેં તમને અહીં જોયા પછી બ્રહ્મદત્તે કહ્યું, હે મિત્ર! પુરુષાર્થ કર્યા વિના આમને આમ ક્યાં સુધી ભટકશું ? તે સમયે ત્યાં મદનોત્સવ પ્રવર્યો. તેવામાં રાજાનો એક ઉન્મત્ત હાથી ખીલો ભાંગી સાંકળ તોડીને સર્વ જનોને ત્રાસ પમાડતો છૂટો થઈ ગયો. તે હાથીએ કોઈ કન્યાને કમલિનીની જેમ ખેંચીને પોતાની સુંઢમાં પકડી લીધી. તેથી તે કન્યા દીન નેત્રે પોકાર કરવા લાગી. સર્વત્ર હાહાકાર થઈ ગયો. તે સમયે બ્રહ્મદત્તે તેને લલકાર્યો હાથી કન્યા છોડીને બ્રહ્મદત્ત સામે દોડ્યો. બ્રહ્મદત્તે તેની સામે વસ્ત્ર ફેંક્યું. હાથી દાંત વડે તે વસ્ત્ર પર પ્રહાર કરવા લાગ્યો. પછી બ્રહ્મદત્તે વચનથી, પગથી, અંકુશથી હાથીને તુરંત વશ કર્યો. પછી તે હાથીને ખીલા પાસે લઈ જઈ બાંધી દીધો. લોકો તેનો જયજયકાર કરવા લાગ્યા. ત્યાં રાજા આવ્યો. કુમારનું તેજ જોઈને રાજા વિસ્મય પામ્યો. રાજાએ પૂછયું કે, આ કોણ છે? સૂર્ય કે ઇન્દ્ર તો નથી ને ? રત્નપતીના કાકાએ આવીને સમગ્ર વૃત્તાંત જણાવ્યો. Page #130 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી - બહ્મદત્ત કથા ૧૨૯ રાજાએ ઉત્સવપૂર્વક પોતાની કન્યા તેને પરણાવી. બ્રહ્મદત્ત ત્યાં સુખપૂર્વક રહેવા લાગ્યો કોઈ વખતે એક વૃદ્ધ સ્ત્રીએ કુમાર પાસે આવીને કહ્યું કે, હે વત્સ ! આ નગરમાં કુબેર ભંડારી જેવો વૈશ્રમણ નામે એક શ્રેષ્ઠી રહે છે. તેને સમુદ્રની લક્ષ્મી જેવી શ્રીમતી નામે એક પુત્રી છે. તમે જ્યારથી તે કન્યાને ઉન્મત્ત હાથી પાસેથી છોડાવી છે ત્યારથી તે કન્યા તમારા માટે તડપે છે. ભોજન કરતી નથી, રમતી નથી, સૂતી નથી. માટે તેનું પાણિગ્રહણ કરો. તેની સાથે કુમાર પરણ્યો. વરધનું પણ સુબુદ્ધિ મંત્રીની કન્યા નંદાને પરણ્યો. ત્યાં રહેતા તે બંને વીર શક્તિથી પૃથ્વી પર પ્રખ્યાત થયા. કેટલાંક દિવસ પછી તેઓ વારાણસી નગરીમાં આવ્યા. બ્રહ્મદત્તને આવેલો જાણીને ત્યાંનો રાજા કટક ઉત્સવપૂર્વક તેને પોતાને ઘેર લાવ્યો. ત્યાં પોતાની કનકવતી કન્યા તથા ચતુરંગી સેના બ્રહ્મદત્તને આપી. તેને આવેલો જાણી ચંપાનગરીનો રાજા કરેણુદત્ત, ધનુમંત્રી તથા બીજા અનેક રાજાઓ ત્યાં આવ્યા. પછી બ્રહ્મદત્તે વરધનુને સેનાપતિ બનાવ્યો. પછી તેમણે કાંપિલ્ય પ્રતિ પ્રયાણ કર્યું. તે પૂર્વે તેને ચિત્રની પુત્રી વિદ્યુત્પાલા અને વિદ્યુત્પતી, ચિત્રસેનની પુત્રી ભદ્રા, પંથકની પુત્રી નાગયશ, કીર્તિસેનની પુત્રી કીર્તિમતી, હરીલની પુત્રી નાગદત્તા, યશોમતી, ચારુદત્તની પુત્રી વચ્છી, વૃષભની પુત્રી શીલા, મલયવતી, વનરાજી, સોમા, કરેણુદતા, કરેણુપદિકા, કુંજરસેના, કણેરુસેના, ઋષિવૃદ્ધિ, સ્ત્રીરત્ન કુરુમતિ આદિ અનેક કન્યાઓ સાથે લગ્ન થયા. ૦ બ્રહ્મદત્તનો ચક્રવર્તીરૂપે અભિષેક થવો : - બ્રહ્મદત્તકુમારે દીર્ઘરાજાને મૃત્યુ માર્ગ મોકલવા પ્રયાણ કર્યું. તે વખતે દીર્ઘરાજાના શંખ નામના દૂતે આવીને કટક રાજાને કહ્યું કે, દીર્ઘરાજા સાથે તમારે બાલ્ય મૈત્રી છે. તે છોડી દેવી યુક્ત નથી. તે સાંભળીને કટક રાજા બોલ્યો, હે દૂત ! પૂર્વે બ્રહ્મરાજા સહિત અમે પાંચે સહોદર જેવા મિત્ર હતા. બ્રહ્મરાજા સ્વર્ગે ગયા પછી તેનો પુત્ર બાળક હોવાથી, અમે તેના રાજ્યનું રક્ષણ કરવા દીર્ઘરાજાને રાજ્ય સોંપેલું. તેણે તે રાજ્ય પચાવી પાડ્યું. તે દીર્ઘને ધિક્કાર થાઓ. હે દૂત ! તારા દીર્ઘરાજાને જઈને કહે કે, બ્રહ્મદત્ત સૈન્ય લઈને આવે છે. માટે યુદ્ધ કર અથવા નાસી જા. એ પ્રમાણે કહીને દૂતને વિદાય કર્યો. બ્રહાદત્તકુમાર પણ અવિચ્છિન્ન પ્રયાણ કરતો કાંપિલ્ય નગરે પહોંચ્યો. સમુદ્ર જેમ હીપને ઘેરી લે તેમ તેના સૈન્ય આખી નગરીને ઘેરી લીધી. ચૂલનીને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તેણે પૂર્ણા નામના પ્રવર્તિની પાસે દીક્ષા લીધી અને કાળક્રમે મોક્ષે ગયા. દીર્ઘરાજા સર્વ સૈન્ય સહિત બહાર નીકળ્યો. પરસ્પર તેનું અને બ્રહ્મદત્તના સૈન્યનું યુદ્ધ થયું. બ્રહ્મદત્તના સુભટોએ દીર્ઘરાજાના અગ્ર સુભટોને મારી નાખ્યા. તે જોઈને દીર્ઘ વરાહની જેમ શત્રુઓ ઉપર દોડ્રયો અને પ્રહારો કરવા લાગ્યો. તેણે બ્રહ્મદત્તનું સૈન્ય હત– પ્રહત કરી નાંખ્યું. તે સમયે બ્રહ્મદત્તના હાથમાં ચક્રરત્ન પ્રગટ થયું. તેણે ચક્ર વડે દીર્ઘરાજાનું મસ્તક પૃથ્વી પર પાડી દીધું. તે વખતે દેવોએ બ્રહ્મદત્તનો જયજયકાર કરતા કહ્યું કે, આ બારમો ચક્રવર્તી ઉત્પન્ન થયો છે. તેના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરી, પિતાની જેમ પુરજનોએ જોયેલ, બંદીજનો જેમ જયજય કરતા, ઉત્સવપૂર્વક સ્વર્ગમાં પ્રવેશ કરતો હોય તેમ કાંપિલ્યપુરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી પોતાની પ્રથમ પરણેલી સર્વ સ્ત્રીઓને Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આગમ કથાનુયોગ-૨ બોલાવી લીધી. સમગ્ર ભરતક્ષેત્રને સાધવા માટે અગણિત સૈન્ય સહિત ચાલ્યા. (ભરત ચક્રવર્તીની માફક સમગ્ર ભરતક્ષેત્રનો દિગ્વીજય કર્યો.) બધાં રાજાઓએ ભેગા થઈને બ્રહ્મદત્ત ચક્રીનો બાર વર્ષીય અભિષેક મહોત્સવ કર્યો. ૦ બ્રહ્મદત્ત સાથે ચિત્રમુનિનો સંવાદ : બ્રહ્મદત્ત ચક્રવર્તી સુખપૂર્વક પોતાનો કાળ નિર્ગમન કરતો હતો. એક વખત તે રાજ્યસભામાં બેઠા-બેઠા ગીત-સંગીતને માણતો હતો. તેવામાં એક દાસીએ આવીને એક ચિત્ર-વિચિત્ર પુષ્પનો દડો આપ્યો. તે જોઈને ચક્રવર્તીને વિચાર થયો કે, મેં આવો પુષ્પનો દડો ક્યાંક જોયો છે. એમ વિચારતા તેને પૂર્વના ભવોનું જાતિસ્મરણ જ્ઞાન થયું. તત્કાળ તે મૂછ પામ્યો. સામંતોએ તેને ચંદનના રસ વડે સિંચિંતૂ કર્યો. બ્રહ્મદત્ત સ્વસ્થ થયો. તેને યાદ આવ્યું કે, આવો પુષ્પનો ડો મેં સૌધર્મ દેવલોકમાં જોયેલો છે. હવે મારો પૂર્વજન્મનો સહોદર મને ક્યાં મળશે? તે જાણવા તેણે અડધા શ્લોકની રચના કરી–“દશપુરે દાસ હતા, કાલિંજરમાં મૃગ થયા. ગંગા તીરે હંસ થયા. કાશી ભૂમિમાં ચંડાલ થયા. દેવલોકમાં મહર્તિક દેવ થયા.....” તે પછીનો શ્લોક જે પૂર્ણ કરશે તેને હું અડધું રાજ્ય આપીશ. આ પ્રમાણે તેણે પ્રતિદિન નગરમાં ઉદ્ઘોષણા કરાવી. ચક્રીના રાજ્યના અર્થી લોકોએ તે અડધો શ્લોક કંઠસ્થ કરી લીધો. પણ કોઈ તેને પૂરો કરી શક્યું નહીં. ચિત્રનો જીવ (બ્રહ્મદત્ત ચક્રીના પૂર્વભવમાં સંભૂતનો ભાઈ) જે પુરિમતાલનગરમાં ધનાઢ્યને ઘેર પુત્રપણે અવતરેલો હતો. તેને જાતિસ્મરણજ્ઞાન થવાથી દીક્ષા ગ્રહણ કરી. ગ્રામાનુગ્રામ વિચરતા તેણે લોકમુખે તે શ્લોક સાંભળ્યો. તેથી પૂર્વભવના ભાઈને પ્રતિબોધ કરવા તે કાંડિલ્ય નગરે આવ્યા. આરામના મનોરમ ઉદ્યાનમાં તે સાધુ રહ્યા. રેંટ ચલાવનારના મુખે અધૂરો શ્લોક સાંભળી તે મુનિ બોલ્યા, છઠા ભવે એકબીજાની અલગ જમ્યા' આ પ્રમાણે તે શ્લોકનો ઉત્તરાર્ધ પૂરો થયો. તે રેટ ચલાવનાર રાજા આગળ જઈને બંને શ્લોક પૂરો બોલી ગયો. તેને ધમકાવવાથી શ્લોક પૂરો કરનારનું નામ આપ્યું. તેને પુષ્કળ ઇનામ આપી વિદાય કર્યો. નેહવશ થઈ ચક્રીને મૂર્છા આવી ગઈ. મુનિનું નામ જાણી ઉત્કંઠાથી તે મુનિને જોવા ઉદ્યાનમાં આવ્યો. મુનિને વંદન કરી નેત્રમાં અશ્રુ લાવીને પૂર્વજન્મની માફક સ્નેહ ધરીને બેઠો. (ઉત્તરાધ્યયન અધ્યયન-૧૩માં સૂત્ર ૪૦૭ થી ૪૪૧માં ચિત્ર-સંભૂત નામથી આ ઘટના અને પછીનો સંવાદ આ પ્રમાણે છે...) – જાતિથી પરાજિત સંભૂતમુનિએ હસ્તિનાપુરમાં ચક્રવર્તી થવાનું નિયાણું કર્યું. ત્યાંથી મૃત્યુ પામીને તે પદ્મગુલ્મ વિમાનમાં દેવ થયો. પછી બ્રહ્મદત્ત ચક્રવર્તીરૂપે ચૂલનીની કુક્ષિમાં જન્મ લીધો. કાળક્રમે સંભૂતમુનિનો જીવ બ્રહ્મદત્ત ચક્રવર્તી થયો. – ચિત્રમુનિ પુરિમતાલ નગરમાં વિશાળ શ્રેષ્ઠિ કુળમાં ઉત્પન્ન થયા. ધર્મ સાંભળીને પ્રવ્રજિત થયા. (મૂળમાં ‘ઘH 5T લૂંફાં જ લખ્યું છે. ભાવવિજયજી એ વૃત્તિમાં જાતિસ્મરણજ્ઞાન થવાથી દીક્ષા લીધી એમ જણાવેલ છે.) – કાંપિલ્ય નગરમાં ચિત્ર અને સંભૂત(બ્રહ્મદત્ત) બંને મળ્યા. તેઓએ પરસ્પર સુખ અને દુઃખરૂપ કર્મફળના વિપાકના સંબંધમાં વાતચીત કરી. Page #132 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – બહ્મદત્ત કથા ૧૩૧ (ઉત્ત.નિ. ૩૫૫ >) બ્રહ્મદત્તને જાતિસ્મરણ જ્ઞાન થવાથી દોઢ શ્લોક બનાવી, બીજા શ્લોકનો ઉત્તરાર્ધ બાકી રાખ્યો. કર્ણોપકર્ણ થતા ચિત્રના જીવ મુનિએ સાંભળ્યો. તેવા પ્રકારના જ્ઞાનાતિશય-ઉપયોગથી એવો સંકલ્પ કર્યો કે, હું ત્યાં જઈને પૂર્વભવના મારા ભાઈ સંભૂતના જીવને પ્રતિબોધ કરું. તેણે કપિલપુર વિહાર કર્યો. ત્યાં પહોંચીને નગરના બહારના ઉદ્યાનમાં રહ્યા. ઇત્યાદિ કથા પૂર્વે જણાવ્યા મુજબ જાણવી. પછી તેઓએ પરસ્પર સુખદુ:ખની વાર્તા કરી. – મહાત્ ઋદ્ધિ સંપન્ન અને મહાનું યશસ્વી ચક્રવર્તી બ્રહ્મદ અતીવ આદર સહ પોતાના પૂર્વભવના ભાઈને આ પ્રમાણે કહાં - આ પૂર્વે આપણે બંને પરસ્પર વશવર્તી, અનુરક્ત અને હિતૈષી ભાઈ–ભાઈ હતા. આપણે બંને દશાર્ણ દેશમાં દાસ, કાલિંજર પર્વત પર હરણ, મૃત ગંગાને કિનારે હંસ અને કાશી દેશમાં ચાંડાલ હતા. દેવલોકમાં મહાત્ ઋદ્ધિસંપન્ન દેવ હતા. ત્યારથી આપણો આ છઠો ભવ છે. જેમાં આપણે એકબીજાને છોડીને અલગ-અલગ સ્થાને જમ્યા છીએ. – ચક્રવર્તીએ આ પ્રમાણે કહેતા મુનિએ તેમને કહ્યું, હે રાજા ! તે નિદાનકૃત્ કર્મોનું વિશેષરૂપે ચિંતન કર્યું. તે આર્તધ્યાન જનિત કર્મફળના વિપાકથી આપણે અલગ-અલગ જમ્યા. તે વખતે મેં તને ઘણો અટકાવ્યો, તો પણ તે નિદાનનો ત્યાગ ન કર્યો. તેનું આ ફળ છે કે, આપણો આ ભવે વિયોગ થયો. – આ પ્રમાણે વિયોગનો હેતુ જાણીને ચક્રવર્તીએ ફરી પૂછ્યું, હે ચિત્ર ! પૂર્વજન્મમાં મેં કરેલ સત્ય અને માયારહિત અનુષ્ઠાન કર્મોના ફળરૂપે, શુભ અનુષ્ઠાનના ફળરૂપે આજે – આ કાળે હું સ્ત્રીરત્નાદિનો પરિભોગ કરી રહ્યો છું. શું તમે પણ તેવા જ સુખ ભોગવી રહ્યા છો ? – આ પ્રમાણે ચક્રવર્તીએ કહ્યું, એટલે મુનિએ પ્રત્યુત્તર આપ્યો, મનુષ્યો દ્વારા સમાચરિત બધાં સત્કર્મ સફળ થાય છે. કરેલા કર્મોના ફળને ભોગવ્યા વિના મુક્તિ થતી નથી. મારો આત્મા પણ ઉત્તમ અર્થ અને કામ દ્વારા પુણ્ય ફળથી યુક્ત રહ્યો છે. – તેથી જ હે સંભૂત (બ્રહ્મદત્ત) ! જેમ તું તને પોતાને ભાગ્યવાનું, મહાનું ઋદ્ધિથી સંપન્ન અને પુણ્ય–ફળથી યુક્ત સમજે છે. તે જ રીતે ચિત્રને (મને) પણ સમજ. – હે રાજનું ચિત્રની (મારી) પાસે પણ પ્રચૂર ઋદ્ધિ અને ઘુતિ રહી છે. સ્થવિરોએ જનસમુદાયમાં ઓછા વર્ણવાળી પણ મહાનું અર્થવાળી ગાથા કહેલી હતી, જેને શીલ અને ગુણોથી યુક્ત ભિભૂ પ્રયત્નથી પામે છે. તે સાંભળીને હું શ્રમણ થઈ ગયો. કોઈ દુઃખથી દગ્ધ થઈને શ્રમણ થયો નથી. – મુનિએ આ પ્રમાણે કહેતા, બ્રહ્મદત્તે પોતાની સંપત્તિ માટે નિમંત્રણ કરતા કહ્યું, ઉચ્ચોદય, મધુ, કર્ક, મધ્ય અને બ્રહ્મા. એ પાંચ મુખ્ય પ્રાસાદ અને અનેક બીજા રમણીય પ્રાસાદ છે. પાંચાલ દેશના અનેક વિશિષ્ટ પદાર્થોથી યુક્ત તથા પ્રચૂર અને વિવિધ ધનથી પરિપૂર્ણ આ ગૃહોનો સ્વીકાર કરો. – તમે નાટ્ય, ગીત અને વાદ્યો સહિત સ્ત્રીઓથી પરિવરેલા આ ભોગોને ભોગવો. હે ભિક્ષુ ! મને આ જ પ્રિય છે. પ્રવજ્યા નિશ્ચયથી દુઃખપ્રદ છે. તેમાં કંઈપણ સુખ નથી. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૨ આગમ કથાનુયોગ-૨ - ચક્રવર્તીએ આ પ્રમાણે કહેતા મુનિએ શું કહ્યું તે જણાવે છે – તે રાજાના હિતાનુપ્રેક્ષી, હિતાકાંક્ષી ચિત્રમુનિએ પૂર્વભવના સ્નેહથી અનુરકત અને કામભોગોમાં આસક્ત નરપતિને આવા વચનોથી સમજાવતા કહ્યું કે, બધાં જ ગીત–ગાન વિલાપ છે. સમસ્ત નાટ્ય વિડંબણા છે. બધાં આભરણો ભારરૂપ છે અને સમગ્ર કામભોગ દુઃખપ્રદ છે. અજ્ઞાનીઓને સુંદર દેખાતા, પરંતુ વસ્તુતઃ દુઃખકર કામભોગોમાં તે સુખ નથી. જે સુખ શીલગુણોમાં રત અને કામ–ભોગોથી નિવૃત્ત તપોધન ભિક્ષુઓને હોય છે. હે નરેન્દ્ર મનુષ્યોમાં જે ચાંડાલ જાતિ અધમ જાતિ મનાય છે, તેમાં આપણે બંને ઉત્પન્ન થઈ ચૂક્યા છીએ. ચાંડાલોની વસ્તીમાં આપણે બંને રહેતા હતા. ત્યાં બધાં લોકો આપણો દ્વેષ કરતા હતા. તે ચાંડાલ જાતિમાં આપણે જન્મ લીધો હતો. ત્યાં આપણે બંને રહ્યા ત્યારે બધાં લોકોએ આપણી દુગંછા–જુગુપ્સા કરી. જ્યારે આ જન્મમાં જે કંઈ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી તે પૂર્વજન્મના શુભકર્મોનું ફળ છે. તેથી શુભકર્મોને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ પણ વિષયાદિ ભોગમાં વ્યાકુળ થવું ન જોઈએ. વળી, પૂર્વ શુભકર્મોના ફળ સ્વરૂપ અત્યારે તું મહાનુભાગ, મહાદ્ધિવાળો રાજા બન્યો છે. તેથી તું ક્ષણિક ભોગોનો ત્યાગ કરી ચારિત્ર ધર્મની આરાધના માટે અભિનિષ્ક્રમણ કર, ગૃહસ્થપણામાં સર્વ ચારિત્રનો સંભવ નથી. હે રાજન્ ! આ અશાશ્વત માનવજીવનમાં જે વિપુલ પુણ્યકર્મ કરતો નથી, તે મૃત્યુ આવતા પશ્ચાતાપ કરે છે અને ધર્મ ન કર્યો હોવાથી પરલોકમાં પણ પશ્ચાત્તાપ કરે છે. જે રીતે અહીં સિંહ હરણને પકડીને લઈ જાય છે, તે જ રીતે અંતકાળે મૃત્યુ મનુષ્યને લઈ જાય છે. મૃત્યુ સમયે તેના માતા–પિતા કે ભાઈ કોઈ પણ તેના મૃત્યુના દુઃખમાં ભાગીદાર થતા નથી... તેના દુઃખમાં જ્ઞાતિજન કે મિત્ર કે પુત્ર કે બંધુ–ભાઈ કોઈપણ દુઃખનો ભાગ લઈ શકતું નથી તે પોતે એકલો જ પ્રાપ્ત થયેલા દુ:ખોને ભોગવે છે, કેમકે કર્મ તેના કરનારની પાછળ જ ચાલે છે. સેવક, પશુ, ક્ષેત્ર, ઘર, ધન-ધાન્ય વગેરે બધું જ છોડીને આ પરાધીન જીવ પોતાના કરેલા કર્મોની સાથે સુંદર કે અસુંદર અર્થાત્ સ્વર્ગ–નરકાદિ પરભવમાં જાય છે. જીવરહિત તે એકાકી તુચ્છ શરીરને ચિતામાં અગ્નિ વડે બાળીને લોકકૃત્ય કરીને ફરી સ્વાર્થસિદ્ધિ માટે તે સ્ત્રી, પુત્ર અને જ્ઞાતિજનો કોઈ અન્ય આશ્રયદાતાનું અનુસરણ કરે છે. હે રાજન્ કર્મ કોઈપણ પ્રકારનો પ્રમાદ કર્યા વિના જીવનને પ્રત્યેક ક્ષણે મૃત્યુની નજીક લઈ જઈ રહ્યું છે અને આ જરા મનુષ્યની કાંતિનું હરણ કરી રહી છે. તે પાંચાંલરાજ ! મારી વાત સાંભળો, પ્રચૂર-અતિશય કર્મો, પંચેન્દ્રિય વધ આદિ ન કરો. આ પ્રમાણે મુનિએ કહ્યું, ત્યારે ચક્રવર્તીએ તેને કહ્યું હે આર્ય! (મુનિ !) જે પ્રમાણે તમે મને જણાવી રહ્યા છો, તે હું પણ જાણું છું કે, આ કામભોગ બંધનરૂપ છે. પરંતુ તે સાધુ! અમારા જેવા ભારેકર્મી લોકો માટે કામભોગનો ત્યાગ ઘણો દુર્જય છે. હે ચિત્ર (મુનિ !) હસ્તિનાપુરમાં મહાત્ ઋદ્ધિવાળા ચક્રવર્તી રાજાને જોઈને ભોગોમાં આસક્ત થઈને મેં આ અશુભ નિયાણું કરેલ. તેનું મેં પ્રતિક્રમણ ન કર્યું. આ તે જ કર્મનું ફળ છે કે, જેથી ધર્મને જાણવા છતાં પણ હું Page #134 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – બહ્મદત્ત કથા ૧ ૩૩ કામભોગોમાં આસક્ત છું... જેમ દળદળમાં ફસેલો હાથી સ્થળને જોતો હોય છે, તો પણ કિનારે પહોંચી શકતો નથી. તે જ રીતે અમારા જેવા કામભોગોમાં આસક્ત લોકો જાણવા છતાં પણ ભિક્ષમાર્ગ–સંયમ માર્ગનું અનુસરણ કરી શકતા નથી. – ત્યારે ફરીથી મુનિએ અનિત્યતા દર્શાવતા કહ્યું કે, હે રાજન્ સમય વ્યતીત થઈ રહ્યો છે. આયુષ્યકાળ વીતી રહ્યો છે. રાત્રિ જલ્દીથી પૂરી થઈ રહી છે. મનુષ્યના કામભોગો નિત્ય નથી. જે રીતે ક્ષીણ ફળવાળા વૃક્ષને પક્ષી છોડી જાય છે. તે જ રીતે ક્ષીણ પુણ્યવાળા લોકોને કામભોગ છોડી જાય છે. જો તું કામભોગને છોડવામાં અસમર્થ છે, તો તું શિષ્ટજન ઉચિત આર્ય–કર્મ કર. હે રાજન્ ! ધર્મમાં સ્થિત થઈને બધાં જીવો પ્રત્યે તું દયા કરનારો થા. જેથી તું ભવિષ્યમાં વૈક્રિય શરીરધારી દેવ થઈ શકે... ભોગોને છોડવાની તારી બુદ્ધિ નથી. તું આરંભ અને પરિગ્રહમાં આસક્ત છે. મેં વ્યર્થ જ તારી સાથે આટલો સંવાદ કર્યો. તને સંબોધન કર્યું. રાજન્ ! હવે હું જઈ રહ્યો છું. તને જીવનની અનિત્યતાના દર્શન માટે ઘણાં પ્રકારે મેં શિક્ષા આપી છતાં તને કિંચિંતુ માત્ર વૈરાગ્ય ઉત્પન્ન ન થયો. તારા અવિનયપણાને લીધે તારી ઉપેક્ષા કરવી જ યોગ્ય છે. - એ રીતે પાંચાલ દેશનો રાજા બ્રહ્મદત્ત મુનિના વચનોનું પાલન ન કરી શક્યો. તે અનુત્તર ભોગો ભોગવીને સાતમી અનુત્તર નરકમાં ગયો. (જેનો અધિકાર આ કથામાં આગળ નોંધેલ છે.) – કામભોગોથી નિવૃત્ત, ઉગ્ર ચારિત્રી અને તપસ્વી મહર્ષિ ચિત્ત અનુત્તર સંયમનું પાલન કરીને અનુત્તર સિદ્ધિગતિને પ્રાપ્ત કરી. (અવશિષ્ટ કથા-) બ્રહ્મદત્તને બોધ કરવા આવેલ મુનિ પોતાના મરણને નિકટ જાણીને તેમજ બ્રહ્મદત્ત બોધ ન પામતા ત્યાંથી વિહાર કરી ગયા. ચક્રવર્તીએ દીર્ધકાળ સુધી રાજ્ય ભોગવ્યું. કોઈ વખતે પૂર્વનો પરિચિત બ્રાહ્મણ આવ્યો. પૂર્વે જ્યારે બ્રહ્મદત્ત એકાકી ફરતો હતો. તે વખતે કોઈ બ્રાહ્મણ તેને સહાય આપીને સુખદુ:ખનો ભાગી બન્યો હતો. તે વખતે બ્રહ્મદત્તે કહેલું કે, જ્યારે તું જાણે કે, બ્રહ્મદત્ત ચક્રવર્તી બન્યો છે ત્યારે તું મને આવીને મળજે. જ્યારે તે બ્રાહ્મણે જાણ્યું કે, બ્રહ્મદત્ત રાજા થયો એટલે તે તેની પાસે આવ્યો. પણ રાજ્યાભિષેકની વ્યગ્રતાને કારણે તેનો રાજમહેલમાં પ્રવેશ થઈ શક્યો નહીં. જ્યારે રાજ્યાભિષેક પછી બ્રહ્મદત્ત બહાર નીકળ્યો ત્યારે તેણે જૂના પગરખાની ધજા બનાવી, ઊંચા દંડ પર લટકાવીને ઊભો રહ્યો. ચક્રીએ તે જોઈને છડીદારને પૂછયું કે, આ અભિનવ ધજાવાળો કોણ છે ? છડીદારે કહ્યું કે, બાર વર્ષથી તે આપની રાહ જોતો ઊભો છે. ત્યારે ચક્રીએ બોલાવીને તેની ઓળખ પૂછી એટલે તે બ્રાહ્મણે કહ્યું કે, હે નાથ! બાર વર્ષમાં તમારી પાછળ ફરતા-ફરતા મારા આટલા પગરખાં ઘસાઈ ગયા. ચકી તેને ઓળખી ગયો. સભામંડપમાં બોલાવીને પૂછયું કે, તને હું શું આપું ? બ્રાહ્મણ કહે મને ભોજન આપો. – રાજાએ તેને કોઈ દેશ-ગામ માંગવા સમજાવ્યું. પણ તે બ્રાહ્મણ બોલ્યો કે, રાજ્યનું ફળ ભોજન જ છે. માટે મને તમારા ઘરથી આરંભીને આખા ભરતક્ષેત્રમાં ઘેરઘેર ભોજન અને દક્ષિણામાં એક દીનાર મળે તેવો હુકમ કરો. ચક્રીએ વિચાર્યું કે, આ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૪ આગમ કથાનુયોગ-૨ બ્રાહ્મણની આટલી જ યોગ્યતા જણાય છે. પછી પોતાના ઘેર ભોજન કરાવી એક દીનાર દક્ષિણા આપી. રાજાની આજ્ઞાથી તે બ્રાહ્મણે ભરતક્ષેત્રમાં અનુક્રમે બધે ઘેર ભોજન કરવા માંડ્યું. તે રોજ વિચારતો કે બધે ઘેર જમીને પછી રાજાને ઘેર જમીશ. એ રીતે ચિરકાળે પણ રાજભોજન ન મળ્યું. એ રીતે વ્યર્થકાળ ગુમાવતો તે બ્રાહ્મણ અન્યદા મૃત્યુ પામ્યો. (* આ કથા માનવભવની દુર્લભતાના દશ દષ્ટાંતોમાં પણ આવે છે પણ તેમાં કેટલુંક કયાંતર પણ જોવા મળે છે. તે આ પ્રમાણે-) સંસારના ઇન્દ્રિયોના વિષયસુખ ભોગવવાની તૃષ્ણાવાળો, તેના જ ચિત્તવાળો, તેની જ લેશ્યાવાળા બ્રહ્મદત્તને કિંચિત્ ઉણ સાતસો વર્ષ પસાર થયા. કોઈ સમયે બ્રાહ્મણ ઉપરોક્ત વર્ણન અનુસાર વરદાન પ્રાપ્ત કર્યું અને તે ભોજન કરવા લાગ્યો. પછી તેણે રાજાનું ચિત્ત પ્રસન્ન કરી એક વખત માગણી કરી કે, મને આપ કરો છો તે ભોજન કરાવો. રાજાએ કહ્યું કે, મારું ભોજન એક વર્ષની મહેનતથી તૈયાર થાય છે. તે પચાવવાની તારી શક્તિ નથી. ચક્રવર્તી માટે તૈયાર થતી ખીર તું પચાવી નહીં શકે. તેના પરિણામે મનુષ્યના શરીરમાં કામદેવનો તીવ્ર ઉન્માદ ઉત્પન્ન થાય છે. – બ્રાહ્મણે કહ્યું કે, આપ આટલું અલ્પ ભોજન કરાવવા પણ સમર્થ નથી. ચક્રીએ આવેશમાં આવીને પોતાના ભોજનમાંથી અલ્પ ભોજન કરાવ્યું. બ્રાહ્મણ ઘેર ગયો. રાત્રે તે ભોજનના લીધે તેને મહા ઉન્માદ થયો. તેથી માતા, પત્ની, પુત્રી, બહેનનો તફાવત જાણ્યા સિવાય ઉન્માદથી મત્ત બનેલા તેણે તે બધાંની સાથે બળાત્કારે રતિક્રીડા કરી. એમ પ્રાત:કાળ સુધી બધાં સાથે ક્રીડા કરતો રહ્યો. જ્યારે ચક્રીનો આહાર જીર્ણ થયો ત્યારે પોતાનું ચરિત્ર વિચારવા લાગ્યો. પોતાના વર્તનથી લજ્જા આવી. ઘરનાને મુખ બતાવવા લાયક ન રહ્યો. ઘરની બહાર નીકળી ગયો. તે વિચારવા લાગ્યો કે આ ચક્રીએ મને ભ્રષ્ટ કરી દીધો. તે નગરની બહાર નીકળી ગયો. ભમતા–ભમતા તેણે એક ગોપાલ બાળક વડ નીચે બેઠેલો જોયો. તે દૂરથી કાંકરા વડે પીપળાના પાન વીંધતો હતો. બ્રાહ્મણને થયું કે, આ મારું કાર્ય કરવા માટે સમર્થ છે. તેણે તે બાળકને સન્માન કરી, દાન આપી વચનો દ્વારા વશ કર્યો. કોઈ વખત ચક્રવર્તી પોતાના રસાલા સહિત બહાર નીકળ્યો. બ્રાહ્મણના સમજાવ્યા પ્રમાણે તે ગોવાળ–બાળક કોઈ દેવગૃહમાં કોઈ ન દેખે તેમ છૂપાઈ ગયો. તેણે ગોફણથી તાકીને બે ગોળી મારી જેનાથી પરપોટાની જેમ રાજાની બંને આંખો બહાર નીકળી ગઈ. ચારે બાજુ તપાસ કરતા તે ગોપાળ–બાળકને જોયો. જ્યારે તેને મારવામાં આવ્યો ત્યારે તેણે બ્રાહ્મણનું નામ આપ્યું. ત્યારે રાજાએ તે ગોપાળ–બાળકને તથા તે બ્રાહ્મણને પુત્ર, મિત્ર, બંધ આદિ સહિત મરાવી નંખાવ્યો, રાજાએ બીજા પણ પુરોહિત, ભટ્ટ, બ્રાહ્મણાદિ પરત્વે અતિશય ક્રોધાંધ થઈ સર્વેને મરાવી નખાવ્યા, તો પણ તેનો રોષ શાંત ન થયો. પછી મંત્રીઓને આજ્ઞા કરી કે, બ્રાહ્મણોના નેત્રો ઉખેડીને વિશાળ થાળ ભરીને મને અર્પણ કરો, જેથી મારા હાથેથી તેને મસળીને આનંદ માણું. અતિ રોષવાળા અને રોઢ પરિણામી રાજાની વાત સાંભળીને મંત્રી ગુંદાના ઠળિયા ભરેલો થાળ હાથમાં અર્પણ કરે છે. ચક્રી વારંવાર તેને મસળતા અત્યંત આનંદ અનુભવવા લાગ્યો. સ્ત્રીરત્નના સ્પર્શમાં પણ તેને એટલો આનંદ થતો ન હતો, જેટલો આનંદ તેને Page #136 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – બહ્મદત્ત કથા ૧૩૫ ગુંદાના ઠળિયા ભરેલો થાળ મસળવાથી થતો હતો. તેના આ અશુભ પરિણામો દિનપ્રતિદિન વધવા લાગ્યા. સોળ વર્ષ તેના આ અવિરતિ વિષયતૃષાથી પસાર થયા. એ રીતે બ્રહ્મદરે ૭૦૦ વર્ષનું સર્વાયુ પૂર્ણ કર્યું. વિષયાભિલાષલોલુપ તે રૌદ્રધ્યાનપૂર્વક જીવન વ્યતીત કરતો મરીને તમસ્તમા નામા સાતમા અપ્રતિષ્ઠાન નરકમાં ગયો. – ચાર પ્રકારના પુરુષોમાં ઉદિત-અસ્તમિત પ્રકારના પુરુષમાં બ્રહ્મદરનું દૃષ્ટાંત આવે છે. ચક્રવર્તીપણે ઉન્નત્ત કુલમાં ઉદય પામ્યો અને સાતમી નરકમાં ગયો. ૦ આગમ સંદર્ભ :આયા.યૂ. ૧૯, ૭૪, ૧૨૧, ૧૯૭, ૩૮૧; ઠા. ૧૨૦, ૩૩૭, ૬૬ 3; સમ. ૩૧૪, ૩૧૫, ૩૧૮, ૩૨૦; જીવા. ૧૦૫; મરણ. ૩૭૭; નિસી.ભા. ૫૭૨ની ચૂ. આવ.નિ. ૩૭૫, ૩૯૩, ૩૯૪, ૩૯૬ થી ૩૯૮, ૪૦૦, ૪૦૧, ૪૧૮, ૪૧૯, ૪૨૧; આવ.ચૂં. ૧–પૃ. ૨૧૫, ૨૨૦, ૩૬૬, ૪૪૬; ર–પૃ. ૭૯, ૩૦૭; આવ.નિ. ૪૧૮, ૪૧૯, ૪૨૧ ની વૃ. દસ.યૂ.કૃ. ૧૦૫, ૩૨૮; ઉત્ત.મૂ. ૪૦૭ થી ૪૪૦ + વૃ. ઉત્ત.નિ. ૧૬૦, ૩૩૬ થી ૩૫૯ + વૃ. ઉત્ત.યૂ.પૃ. ૨૧૪; ઉત્ત.ભાવ..પૃ. ૯૨, ૯૪, ૨૭૬ થી ૩૦૦; તિલ્યો. પ૬૦, ૧૧૪૧; ૦ ચક્રવર્તી સામાન્ય :- અઢીદ્વીપમાં ચક્રવર્તી વિજય : – જંબૂદ્વીપમાં ચોત્રીશ ચક્રવર્તી વિજય છે. તે આ પ્રમાણે – મહાવિદેહમાં બત્રીશ, ભારતમાં એક અને ઐરવતમાં એક – સમ. ૧૧૦; – જંબુકીપવત મેરૂ પર્વતના પૂર્વમાં સીતા મહાનદીના ઉત્તરી કિનારા પર આઠ ચક્રવર્તી વિજય છે. તે આ પ્રમાણે – ૧. કચ્છ, ૨. સુકચ્છ, 3. મહાકચ્છ, ૪. કચ્છગાવતી, ૫. આવર્ત, ૬. મંગલાવર્ત, ૭. પુષ્કલ, ૮. પુષ્કલાવતી. – જંબૂલીપવર્તી મેરૂ પર્વતના પૂર્વમાં સીતા મહાનદીના દક્ષિણ ભાગમાં આઠ ચક્રવર્તી વિજય છે. તે આ પ્રમાણે – ૧. વત્સ, ૨. સુવત્સ, 3. મહાવત્સ, ૪. વત્સકાવતી, ૫. રમ્ય, ૬. રપ૬, ૭. રમણીક અને ૮. મંગલાવતી. – જંબૂદ્વીપવર્તી મેરૂ પર્વતના પશ્ચિમ ભાગે સીતોદા મહાનદીની ઉત્તરમાં આઠ ચક્રવર્તી વિજય છે. તે આ પ્રમાણે – ૧. વપ્ર, ૨. સુવપ્ર, ૩. મહાવપ્ર, ૪. વાકાવતી, ૫. વલ્થ, ૬. સુવ°. ૭. ગંધિલ અને ૮. ગંધિલાવતી. – જંબુદ્વીપવર્તી મેરૂ પર્વતના પૂર્વમાં સીતા મહાનદીના ઉત્તરમાં આઠ રાજધાનીઓ છે. તે આ પ્રમાણે :- ૧. ક્ષમા, ૨. મપુટી, ૩. રિષ્ટા, ૪. રિઝપુરી, ૫. ખગી, ૬. મંજૂષા, ૭. ઔષધિ, ૮. પુંડરીકિણી. – જંબૂઢીપવર્તી મેરૂ પર્વતના પૂર્વમાં સીતા મહાનદીના દક્ષિણમાં આઠ રાજધાનીઓ છે. તે આ પ્રમાણે :- ૧. સુસીમા, ૨. કુંડલા, 3. અપરાજિતા, ૪. પ્રભંકરા, Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ૫. અંકાવતી, ૬. પદ્માવતી, ૭. શુભા, ૮. રત્નસંચયા. જંબૂદ્વીપવર્તી મેરૂ પર્વતના પશ્ચિમમાં સીતોદા મહાનદીના દક્ષિણમાં આઠ રાજધાનીઓ છે. તે આ પ્રમાણે :- ૧. અશ્વપુરા, ૨. સિંહપુરા, ૩. મહાપુરા, ૪. વિજયપુરા, ૫. અપરાજિતા, ૬. અરજા, ૭. અશોકા અને ૮. વીતશોકા. જંબુદ્વીપવર્તી મેરૂ પર્વતના પશ્ચિમમાં સીતોદા મહાનદીની ઉત્તરમાં આઠ રાજધાનીઓ છે. તે આ પ્રમાણે :- ૧. વિજયા, ૨. વૈજયંતી, 3. જયંતી, ૪. અપરાજિતા, ૫. ચક્રપુરા, ૬. ખગપુરા, ૭. અવધ્યા, ૮. અયોધ્યા. ૦ ચક્રવર્તી વિજય અને તેની રાજધાનીના આગમ સંદર્ભ :– ઠાણ. ૭૪૯; જંબૂ ૧૬૭, ૧૭૧, ૧૭૨, ૧૭૫, ૧૭૬, ૧૮૮, ૧૮૯, ૧૯૧, ૧૯૨; – જંબુકીપની વિજય અને રાજધાનીઓ પ્રમાણે ધાતકીખંડ અને પુષ્કરવર દ્વીપાર્ધ માટે પણ સમજી લેવું. ઠાણ. ૭૫૧; ધાતકીખંડ નામના દ્વીપમાં ૬૮ ચક્રવર્તી વિજય અને ૬૮ રાજધાનીઓ છે. એ જ રીતે પુષ્કરવ૨દ્વીપાર્ધમાં ૬૮ ચક્રવર્તી વિજય અને ૬૮ રાજધાનીઓ છે. સમ. ૧૪૬; ૦ આગામી ઉત્સર્પિણીમાં થનારા ચક્રવર્તી : જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં બાર ચક્રવર્તી થશે. તે આ પ્રમાણે :- ૧. ભરત, ૨. દીર્ઘદંત, ૩. ગૂઢદંત, ૪. શુદ્ધદંત, ૫. શ્રીપુત્ર, ૬. શ્રીભૂતિ, ૭. શ્રીસોમ, ૮. ૫૫, ૯. મહાપદ્મ, ૧૦. વિમલવાહન, ૧૧. વિપુલવાહન ને ૧૨. વરિષ્ઠ. આ બાર આગામી ભરતાધિપતિ થશે. આ બારે ચક્રવર્તીઓના બાર પિતા હશે, બાર માતા હશે. બાર સ્ત્રીરત્ન હશે (અર્થાત્ પ્રત્યેક ચક્રવર્તીના એક–એક માતા–પિતા અને સ્રીરત્ન થશે, પરંતુ તેના નામો વગેરે જણાવેલા નથી.) તિત્શો. ૧૧૨૪, ૧૧૨૫; જંબુદ્વીપના એરાવત વર્ષમાં આગામી ઉત્સર્પિણીમાં બાર ચક્રવર્તી થશે. બાર ચક્રવર્તી પિતા થશે, બાર ચક્રવર્તી માતા થશે. બાર સ્રીરત્ન થશે. સમ. ૩૮૨; -૦- હે ભગવન્ જંબૂદ્વીપમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કુલ કેટલા ચક્રવર્તી થાય છે ? ગૌતમ ! જઘન્યથી કુલ ચાર અને ઉત્કૃષ્ટથી કુલ ૩૦ ચક્રવર્તી થાય છે. વાસુદેવ અને બળદેવ (તથા પ્રતિવાસુદેવ) પણ જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી ૩૦ હોય છે. (જ્યાં ચક્રવર્તી હોય ત્યાં વાસુદેવ ન હોય અને જ્યાં વાસુદેવ હોય ત્યાં ચક્રવર્તી ન હોય તેથી ઉત્કૃષ્ટ સંખ્યા ૩૦ કહી છે. અન્યથા ચક્રવર્તી વિજય તો ૩૪ હોય છે.) મહાવિદેહમાં જઘન્યથી ચાર ચક્રવર્તી હોય ઉત્કૃષ્ટથી ૨૮ ચક્રી તથા ભરત અને ઐરાવતમાં એક–એક એમ ત્રીશ ચક્રવર્તી હોય. - આવ.યૂ.૧-૬ ૨૧૫; —સમ. ૩૬૫ થી ૩૬૮; ૦ ચક્રવર્તી સંખ્યા :– -0 આગમ કથાનુયોગ-૨ ૦ ચક્રવર્તીની ઋદ્ધિ : સર્વે ચક્રવર્તીઓના હાર મુકતા–મણીમય અને મહામૂલ્યવાન્ તેમજ ચોસઠ સર વાળો હોય છે. સમ. ૧૪૨; -- Page #138 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી – સામાન્ય ૧ ૩૭ – પ્રત્યેક ચક્રવર્તીને ૯૬-૯૬ કરોડ ગામ હોય છે, ૭૨,૦૦૦ શ્રેષ્ઠ નગર હોય છે. ૪૮,૦૦૦ પટ્ટણ હોય છે. સમ. ૧૨૬, ૧૫૦, ૧૭૫; – નિધિરત્ન : જેબૂદ્વીપમાં કુલ કેટલાં નિધિરત્ન છે ? ગૌતમ ! બધાં મળીને ૩૦૬ નિધિરત્નો હોય છે. જંબૂદ્વીપમાં કેટલા નિધિરત્ન ઉપભોગમાં આવે છે ? ગૌતમ ! જઘન્યથી ૩૬ અને ઉત્કૃષ્ટથી ૨૭૦ નિધિરત્નો પરિભોગમાં આવે છે. (તે આ પ્રમાણે – ચક્રવર્તી વિજય ૩૪ છે. નિધિરત્નો નવ હોય છે. તેથી ૩૪ X ૯ = ૩૦૬ થશે. જઘન્ય ચક્રવર્તી ૪ X ૯ = ૩૬ અને ઉત્કૃષ્ટ ચક્રવર્તી ૩૦ X ૯ = ૨૭૦ નિધિરત્નો ઉપયોગમાં આવે.) – જંબૂ. ૩૬૦; પ્રત્યેક મહાનિધિ આઠ ચક્ર પર પ્રતિષ્ઠિત હોય છે. ઊંચાઈમાં આઠ યોજન હોય છે. પ્રત્યેક મહાનિધિ નવ-નવ યોજન પહોળી હોય છે. પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તીને નવ મહાનિધિઓ હોય છે. – ઠાણ. ૭૦૨, ૮૧૫, નવ નિધિનું વર્ણન ભરત ચક્રવર્તી કથાનક મુજબ જાણવું. - ઠાણ. ૮૧૬–૮૩૯; – ચૌદરત્ન : પ્રત્યેક ચાતુરંગ ચક્રવર્તી ચૌદ રત્નોના સ્વામી હોય છે. જેમાં સાત એકેન્દ્રિય રત્નો અને સાત પંચેન્દ્રિય રત્નો હોય છે. એકેન્દ્રિય રત્નો આ પ્રમાણે :- ૧. ચક્રરત્ન, ૨. છત્રરત્ન, 3. ચામરરત્ન, ૪. દંડરત્ન, ૫. અસિરત્ન, ૬. મણિરત્ન, ૭. કાકિણીરત્ન. પંચેન્દ્રિય રત્નો આ પ્રમાણે :– ૧. સેનાપતિરત્ન, ૨. ગાથાપતિ રત્ન, 3. વર્ધકિરન, ૪. પુરોહિતરત્ન, ૫. સ્ત્રીરત્ન, ૬. અશ્વરત્ન, ૭. હસ્તિરન. – ઠાણ. ૬૫૭, સમ. ૨૭; હે ભગવન્! જંબૂતીપમાં કુલ કેટલાં એકેન્દ્રિય રત્ન હોય છે ? ગૌતમ ! બધાં મળીને ૨૧૦ એકેન્દ્રિય રત્નો હોય છે. હે ભગવન્! જંબૂદ્વીપમાં કેટલા એકેન્દ્રિય રત્નો પરિભોગમાં આવે છે ? ગૌતમ ! જઘન્યથી ૨૮ અને ઉત્કૃષ્ટથી ૨૧૦ એકેન્દ્રિય રત્નો પરિભોગમાં આવે છે. જંબુદ્વીપમાં કેટલા પંચેન્દ્રિય રત્નો હોય છે ? ગૌતમ ! ૨૧૦ પંચેન્દ્રિય રત્નો હોય છે. જંબૂદ્વીપમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટલાં રત્નો પરિભોગમાં આવે છે ? ગૌતમ ! જઘન્યથી ૨૮ અને ઉત્કૃષ્ટથી ૨૧૦ પંચેન્દ્રિય રત્નો પરિભોગમાં આવે છે. (આ સંખ્યા આ રીતે સમજવી – જઘન્યથી ચાર ચક્રવર્તી હોય અને ઉત્કૃષ્ટથી ૩૦ ચક્રવર્તી હોય છે. તેથી ૪ x ૭ = ૨૮ અને ૩૦ x ૭ = ૨૧૦ રત્નો ઉપભોગમાં આવે). જંબૂ. ૩૬૦; - ચક્રવર્તીનો સર્વ વૈભવ : અસુરો, સુરો, તિર્યંચો અને મનુષ્યો સંબંધિ ભોગોમાં રતિપૂર્વક વિહારમાં પ્રવૃત્ત, સુરેન્દ્રો અને નરેન્દ્રો દ્વારા સત્કૃત, દેવલોકમાં દેવેન્દ્ર સદશ, ભરતક્ષેત્રમાં હજારો પર્વતો, નગરો, નિગમો, જનપદો, પુરવરો, દ્રોણમુખો, ખેડ, કર્મટો, છાવણીઓ, પત્તનો વડે સુશોભિત, સુરક્ષિત, સ્થિર લોકોના નિવાસવાળી, એક છત્ર અને સમુદ્રપર્યત પૃથ્વીનો ઉપભોગ કરીને ચક્રવર્તી – જે નરસિંહ છે, નરપતિ છે, નરેન્દ્ર છે, નરવૃષભ છે - તે સ્વીકાર કરેલ ઉત્તરદાયિત્વને નિભાવવામાં સમર્થ છે. જે મરભૂમિના વૃષભની સમાન, અત્યધિક રાજdજરૂપી લક્ષ્મી વડે દેદીપ્યમાન છે, જે સૌમ્ય અને નિરોગી છે, રાજવંશોમાં તિલકની સમાન છે. જે સૂર્ય, ચંદ્ર, શંખ, ચક્ર, સ્વસ્તિક, પતાકા, યવ, મત્સ્ય, કાચબો, રથ, ભગ, Page #139 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ ભવન, વિમાન, અશ્વ, તોરણ, નગરદ્વાર, મણિ, રત્ન, નંદાવર્ત્ત, મૂસલ, હળ, કલ્પવૃક્ષ, સિંહ, ભદ્રાસન, સુરૂચિ, સ્તૂપ, મુગટ, મુક્તાવલીહાર, કુંડલ, હાથી, બળદ, દ્વીપ, મેરૂ પર્વત, ગરુડ, ધ્વજા, ઇન્દ્રકેતુ, અષ્ટાપદ, ધનુષૅ, બાણ, નક્ષત્ર, મેઘ, મેખલા, વીણા, ગાડાની યુપ, છત્ર, માળા, દામિની, કમંડલ, કમળ, ઘંટા, જહાજ, સુઈ, સાગર, કુમુદવન, મગર, હાર, ગાગર, નુપૂર, પર્વત, નગર, વજ્ર, કિન્નર, મયૂર, રાજહંસ, સારસ, ચકોર, ચક્રવાકયુગલ, ચામર, ઢાલ, પવ્વીસક, વિપંચી, શ્રેષ્ઠ પંખો, લક્ષ્મીનો અભિષેક, પૃથ્વી, તલવાર, અંકુશ, નિર્મળ કળશ, ભૃગાંર અને વર્ધમાનકના ધારક છે. (અર્થાત્ ચક્રવર્તી સૂર્યચંદ્ર યાવતુ વર્ધમાનક જેવા વિભિન્ન લક્ષણોના ધારક હોય છે.) ૧૩૮ ૩૨,૦૦૦ શ્રેષ્ઠ મુગટબદ્ધ રાજા માર્ગમાં તેની પાછળ-પાછળ ચાલે છે. તેઓ ૬૪,૦૦૦ શ્રેષ્ઠ યુવતિઓના નેત્રોના કાંત–સ્વામી હોય છે. તેમના શરીરની કાંતિ સુવર્ણવર્ણીય હોય છે. તેઓ કમળના ગર્ભ, ચંપાના ફૂલો, કોરંટની માળા અને તપેલા સુવર્ણની કસૌટી પર ખેંચાયેલી રેખા સમાન ગૌર વર્ણવાળા હોય છે. તે (ચક્રવર્તી)ના બધાં અંગોપાંગ અત્યંત સુંદર અને સુડોલ હોય છે. મોટા–મોટા પટ્ટણોમાં બનેલા વિવિધ રંગોના હિરણના ચામડા સમાન કોમળ અને બહુમૂલ્ય વલ્કલ વડે તથા ચીની વસ્ત્રો, રેશમી વસ્ત્રો વડે તથા કટિસૂત્ર વડે જેનું શરીર સુશોભિત હોય છે. તે ચક્રવર્તીના મસ્તક ઉત્તમ સુગંધના સુંદર ચૂર્ણની ગંધ અને ઉત્તમ કુસુમો વડે યુક્ત હોય છે. કુશળ કળાચાર્યો દ્વારા નિપુણતાપૂર્વક બનાવાયેલ સુખકર માળા, કડાં, અંગદ, ત્રુટિકા તથા અન્ય ઉત્તમ આભૂષણોને તેઓ શરીર પર ધારણ કરે છે. એકાવલિહાર વડે તેનો કંઠ સુશોભિત રહે છે. તેઓ લાંબી લટકતી ધોતી અને ઉત્તરીય વસ્ત્ર પહેરે છે. તેમની આંગળીઓ વીંટી વડે પીળી રહે છે. પોતાના ઉજ્જ્વળ અને સુખપ્રદ વેશથી તે (ચક્રવર્તી) અત્યંત શોભે છે. પોતાની તેજસ્વિતાથી ચક્રવર્તી સૂર્ય સમાન ચમકે છે. તેમનો આઘોષ શરદઋતુના નવા મેઘના ધ્વનિ સમાન મધુર, ગંભીર અને સ્નિગ્ધ હોય છે. તેમને ત્યાં ચૌદ રત્નો ઉત્પન્ન થાય છે અને તે નવનિધિના સ્વામી હોય છે. તેમનો ખજાનો ઘણો ભરપૂર હોય છે. તેમના રાજ્યની સીમા ચાતુરંત હોય છે. ચતુરંગિણી સેના તેમના માર્ગનું અનુગમન કરે છે. તે અશ્વ, હાથી, રથ અને પાયદળ સેનાના અધિપતિ હોય છે. તે ઘણાં જ ઊંચા કુળવાળા અને વિશ્રુત હોય છે. તેમનું મુખ શરદઋતુના પૂર્ણ ચંદ્ર સમાન હોય છે. તે ચક્રવર્તી શૂરવીર હોય છે. આ ચક્રવર્તીઓનો પ્રભાવ ત્રણે લોકોમાં ફેલાયેલ હોય છે. સર્વત્ર તેમનો જયજયકાર થાય છે તેઓ સંપૂર્ણ ભરતક્ષેત્રના અધિપતિ, ધીર, સમસ્ત શત્રુઓના વિજેતા, મોટા–મોટા રાજાઓમાં સિંહ સમાન, પૂર્વે કરેલ તપના પ્રભાવથી સંપન્ન, સંચિત પુષ્ટ સુખોને ભોગવનારા, અનેક સેંકડો વર્ષના આયુષ્યવાળા અને મનુષ્યોમાં ઇન્દ્ર હોય છે. ઉત્તર દિશામાં હિમવાનૢ વર્ષધર પર્વત અને શેષ ત્રણ દિશાઓમાં લવણ સમુદ્ર પર્યંત સમગ્ર ભરતક્ષેત્રને ભોગવતા, જનપદોમાં મુખ્ય અને અતુલ્ય શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ સંબંધિ કામભોગોનો અનુભવ કરતા હોય છે. પણ્ડા. ૧૯; X ~ X — -- Page #140 -------------------------------------------------------------------------- ________________ બળદેવ, વાસુદેવ ૧૩૯ ખંડ–૧–ઉત્તમપૂરૂષ ચૈત્ર અધ્યયન–૩–બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ કથાનક ૦ ભૂમિકા :- ત્રણે ઉત્તમ પુરષો સાથે કેમ લીધા ? ઉત્તમ પુરુષોના કથાનકમાં ખરેખર તો તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ એમ પાંચ વિભાગ/અધ્યયન અલગ–અલગ જ ગણાય. (જેઓ પ્રતિવાસુદેવ આમાં ગણતા નથી તેમના મતે ચોપન મહાપુરુષ ગણીએ તો પણ ચોવીસ તીર્થંકરનું એક અધ્યયન, બાર ચક્રવર્તીનું એક અધ્યયન, નવ વાસુદેવનું એક અધ્યયન અને નવ બળદેવનું એક અધ્યયન એ રીતે ચાર અધ્યયનો થાય, પરંતુ વાસુદેવ અને બળદેવ બંને ભાઈઓ જ હોય છે. તેમના પિતા એક હોય છે અને માતા અલગ-અલગ હોય છે. તે બંનેનું ચરિત્ર સાથે જ હોય છે. વળી પ્રતિવાસુદેવનું હંમેશા વાસુદેવ સાથે યુદ્ધ થાય છે અને નિયમો વાસુદેવના હાથે પ્રતિવાસુદેવનું મૃત્યુ થાય છે, તેથી તેનું કથાનક પણ વાસુદેવ-બળદેવ સાથે જોડાયેલું રહે છે. તેથી આ ત્રણે ઉત્તમ પુરુષોનું ચરિત્ર સહવર્તી હોવાથી અહીં એક સાથે લીધેલ છે. ૦ દશાર/દશાર મંડલ શબ્દનો અર્થ : દશાર કે દશામંડલ એ બળદેવ અને વાસુદેવ માટે વપરાતો સંયુક્ત શબ્દ છે. તેઓનો વંશ દૂષમસુષમા આરામાં ઉત્પન્ન થાય છે. તેમાં નવ બળદેવ અને નવ વાસુદેવ પ્રત્યેક અવસર્પિણી–ઉત્સર્પિણી કાળમાં થાય છે. જંબૂલીપ નામના હીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં નવ દશાર મંડલ થયા. તે આ પ્રમાણે જે ઉત્તમપુરુષ છે, મધ્યમપુરુષ છે, પ્રધાનપુરુષ છે, ઓજસ્વી, તેજસ્વી, બળશાળી, યશસ્વી, સુંદર શરીરવાળા, કાંત, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન રૂપ, સુરૂપ, સુખશાળી છે. સુખાભિગમ છે અર્થાત્ જેમની પાસે બધાં સુખપૂર્વક પહોંચી શકે છે. જે બધાં મનુષ્યોના નેત્રો માટે કાંતરૂપ છે. જે અધિકબલી, અતિઅલી અને મહાબલી છે. અપ્રતિહત અને અપરાજિત છે. શત્રુઓનું મર્દન કરનાર છે. હજારો શત્રુઓના માનનું મર્દન કરનારા છે. દયાળુ, અમત્સર, અચપળ, અચંડ, મૃદુ, મંજુલ અને હસીને વાત કરનાર છે. જેમની વાણી ગંભીર, મધુર, પ્રતિપૂર્ણ અને સત્ય હોય છે. જેનામાં વાત્સલ્યભાવ છે, શરણ યોગ્ય છે, જેમનું શરીર લક્ષણ, વ્યંજન, ગુણોપેત, માનોન્માન પ્રમાણ, પરિપૂર્ણ, સુસંસ્થાનયુક્ત અને સર્વાગ સુંદર હોય છે. તેઓ ચંદ્ર સમાન શીતળ, જોવામાં કાંત અને પ્રિય હોય છે. જે માત્સર્યરહિત છે. દંડનીતિના પ્રકાંડ વિદ્વાનું છે, ગંભીર દર્શનવાળા છે. જેમાં બળદેવ તાલ ધ્વજવાળા અને વાસુદેવ ગરૂડ ધ્વજવાળા છે. તેઓ મહાધનુષનો ટંકાર કરનારા છે. મહાબળના સમુદ્ર સમાન છે. સમરાંગણમાં દુર્ધર ધનુર્ધર છે. ધીરપુરુષ છે. યુદ્ધમાં કીર્તિ પ્રાપ્ત કરનારા છે. મહાનું કુળમાં ઉત્પન્ન છે. મહારત્નોને ચૂર્ણ જેવા બનાવી દેવાના બળના ધારક છે. અર્ધ ભરતક્ષેત્રના અધિપતિ છે, સૌમ્ય છે, રાજ્યવંશના તિલક સમાન છે, અજેય છે, અજિત રથ છે. તેમાં બળદેવ હાથમાં હળ ધારણ કરે છે અને વાસુદેવ ધનુષ ધારણ કરે છે. શંખ, ચક્ર, ગદા, શક્તિ અને નંદક ધારણ કરે છે. મસ્તક પર શ્રેષ્ઠ, ઉજ્વળ, શુક્લ, વિમલ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આગમ કથાનુયોગ-૨ કૌસ્તુભ મણિયુક્ત મુગટને ધારણ કરનારા છે. કાનોમાં પહેરેલા કુંડળથી જેઓનું મુખ શોભાયમાન હોય છે. કમળ જેવા નયન છે અને વક્ષસ્થળ પર એકાવલિ હાર લટકે છે. જેઓ શ્રીવત્સના લંછનથી યુક્ત છે. જેમની યશકીર્તિ લોક વિશ્રત છે. બધી ઋતુઓમાં ઉત્પન્ન થનારા પંચરંગી સુગંધી સુંદર, કાંત, વિકસિત ઉત્તમ પુષ્પોની લટકતી માળાઓ વડે જેમનું ગળું શોભે છે. જેમના અંગોપાંગમાં ૧૦૮ પ્રશસ્ત સુંદર ચિન્હ શોભિત હોય છે. મદમત્ત શ્રેષ્ઠ ગજેન્દ્ર જેવી લલિત ગતિ સમાન જેમની ગતિ હોય છે. જેમનો નિનાદ–સ્વર ક્રૌંચ પક્ષીના મધુર અને ગંભીર શરદ સ્વર જેવો હોય છે. જેમાં બળદેવ નીલ અને વાસુદેવ પીત વસ્ત્રના ઘારક હોય છે. તેઓ સૂર્ય સમાન તેજસ્વી, નરસિંહ, નરપતિ, નરેન્દ્ર, નરવૃષભ અને દેવરાજ ઇન્દ્ર જેવા છે. અપ્રતિહત રાજ્ય તેજ લક્ષ્મીથી દીપ્તિમાન આ રામ (બળદેવ) અને કેશવ (વાસુદેવ) બંને ભાઈ–ભાઈ હોય છે. તે પ્રમાણે ત્રિપૃષ્ઠ યાવત્ કૃષ્ણ અને અચલ યાવત્ રામ એ પ્રમાણે આ દશાર મંડળ ક્રમશ: નવ વાસુદેવ અને નવ બળદેવ થયા. ૦ દશાર/દશામંડલના આગમ સંદર્ભ :સૂય.નિ. ૧૪૯; ઠા. ૮૯, ૧૫૧ + વક સમ. ૩૨૭ + ચૂં, ૩૮૨; જંબૂ. ૪૭, પ3; આવ.નિ. ૪૨૪; તિલ્યો. પ૬૮, ૧૧૪૨; ૦ વાસુદેવ પરીચય : રાજાનો એક પ્રકાર, જે હંમેશાં બળદેવના ભાઈ હોય છે અને અર્ધ ભરતક્ષેત્રના અધિપતિ હોય છે. ૧૬,૦૦૦ રાજાઓના અધિપતિ હોય છે. તે કેશવ' નામે પણ ઓળખાય છે. તે શંખ, ચક્ર, ગદા, શક્તિ, નંદક(તલવાર) અને ખગના ધારક હોય છે. મહાશક્તિમાન હોય છે. તેનો વર્ણ નીલ હોય છે. તેઓ ૧૦૮ શુભ લક્ષણોવાળા હોય છે. ચક્રવર્તી તેના કરતા રૂપ, સામર્થ્ય, ક્ષેત્રાધિપત્ય, સમૃદ્ધિ, રાણીઓ, નગરો, રાજાઓ આદિ બધામાં બમણી ઋદ્ધિવાળા હોય છે. વાસુદેવો કદાપી નિમ્ન, તુચ્છ, દરિદ્ર, કૃપણ, બ્રાહ્મણ આદિ કુળોમાં જન્મતા નથી. તેઓ જ્યારે માતાની કૃષિમાં આવે છે ત્યારે તેમની માતા ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ સાત મહાસ્વપ્નો જોઈને લાગે છે. જંબૂદ્વીપમાં જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી ત્રીશ વાસુદેવો હોય છે. પ્રત્યેક ઉત્સર્પિણી–અવસર્પિણીમાં નવ-નવ વાસુદેવ થાય છે અને તે દુષમ-સુષમ કાળમાં જ થાય છે. પ્રત્યેક વાસુદેવને એક મુખ્ય શત્રુ હોય છે. જેને પ્રતિશત્ર (પ્રતિવાસુદેવ) કહે છે. જેને હંમેશાં વાસુદેવ મારી નાંખે છે. વાસુદેવો હંમેશાં તેના પૂર્વભવમાં નિયાણું કરે છે. તેઓ વાસુદેવના ભવમાં કદાપી દીક્ષા કે મુક્તિ પ્રાપ્ત કરી શકતા નથી અને હંમેશાં મૃત્યુ પામીને નરકગતિમાં જાય છે. તેઓ પીળા વસ્ત્ર ધારણ કરે છે. ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં નવ વાસુદેવો થયા :- ૧. ત્રિપૃષ્ઠ, ૨. દ્વિપૃષ્ઠ, ૩. સયંભૂ, ૪. પુરુસોત્તમ, ૫. પુરુષસીહ, ૬. પુરિષપુંડરીક, ૭. દત્ત, ૮. નારાયણ ૯. કૃષ્ણ. ૦ વાસુદેવ પરીચયના આગમ સંદર્ભ :ઠા. ૮૯; સમ. ૩૨૮, ૩૪૦, ૩૮૨; ભગ. ૫૨૦, ૬૭૮; પા . ૧૯ + વૃ; જીવા. ૧૬૩ની વૃ; પન્ન ૪૬૪ની વૃ. જબૂ. ૪૯, ૫૩, ૩૬૦; તંદુ. ૬૪; નિસી.ભા. ૪ર૯૩ની ચૂત Page #142 -------------------------------------------------------------------------- ________________ વાસુદેવ ચરિત્ર ૧૪૧ આવ.નિ. ૭૧, ૭૨, ૭૫, ૪૦૨, ૪૧૯ થી ૪૨૧; આવ.ભા. ૪૦; આવ રૃ.૧-પૃ. ૨૧૫; ઉત્ત. ૩૪૮; તિલ્યો. ૬૦૨ થી ૬૦૯; ૦ વાસુદેવ પરીચયાત્મક કથાનક :૧. ત્રિપૃષ્ઠ વાસુદેવ પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠ થયા. તેમનો જન્મ પોતનપુરમાં રાજા પ્રજાપતિ (રિપુપ્રતિશત્રુ)ની રાણી (પત્ની) મૃગાવતીની કુક્ષીમાંથી થયો. તેમનો વર્ણ નીલ હતો. ગૌતમ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ ૮૦ ધનુષની હતી. અચલ બળદેવ તેના ભાઈ હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવનું પૂર્વભવનું નામ વિશ્વભૂતિ હતું. આચાર્ય સંભૂત તેમના ધર્માચાર્ય હતા. મથુરા નગરીમાં ગાયના કારણે તેમણે નિયાણ કરેલ તેમના પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ)નું નામ અશ્વગ્રીવ હતું. તેને ચક્ર વડે ત્રિપૃષ્ઠ હણેલ. ૮૦ લાખ વર્ષ રાજ્ય કરી ૮૪ લાખ વર્ષનું આયુ પૂર્ણ કરી તેઓ સાતમી નરકે ગયા. તેઓ ભગવંત શ્રેયાંસનાથના શાસનમાં થયેલા. તેની પૂર્વે બે ચક્રવર્તીઓ થયા હતા – ભરત અને સગર, ભ૦ મહાવીર પોતાના અઢારમાં ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ થયેલા. –૦- ત્રિપૃષ્ઠ વાસુદેવ કથાનક – ભ૦મહાવીરના કથાનકમાં જોવું ૦ આગમ સંદર્ભ :-- ઠા. ૮૧૧ થી ૮૧૪; સમ ૧૫૯, ૧૬૩, ૩૨૩, ૩૨૪, ૩૨૮ થી ૩૪૪; આવ.નિ. ૪૦૨ થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૧૩, ૪૪૭, આવ.ભા. ૪૦ થી ૪3; આવ.યૂ. ૧-પૃ. ૨૨૦, ૨૩૨ થી ૨૩૫; આવ.મ... ૨૫૦; આવ.નિ. ૪૧૯ થી ૪ર૧-૪૪૫ થી ૪૪૮ની વૃ. તિલ્યો. ૪૭૪ ૫૬૬ થી – ૨. દ્વિપૃષ્ઠ વાસુદેવ પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં દ્વિપષ્ઠ નામે બીજા વાસુદેવ થયા. તેમનો જન્મ બારાવતી નગરીમાં રાજા બ્રહ્મની રાણી (પત્ની) ઉમાની કુક્ષિથી થયો. તેમનો વર્ણ નીલ હતો. ગૌતમ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ ૭૦ ધનુષની હતી. વિજય બળદેવ તેના ભાઈ હતા. દ્વિપૃષ્ઠ વાસુદેવનું પૂર્વભવનું નામ પર્વતક હતું. આચાર્ય સુભદ્ર તે ભવમાં તેના ધર્માચાર્ય હતા. કનકવસ્તુ નગરીમાં યુપના નિમિત્તે તેમણે નિયાણું કરેલ. તેમના પ્રતિશત્રુ તારક નામે હતા. તેમણે તારકના ચક્ર વડે જ તારકને મારી નાંખેલ. ૭૨ લાખ વર્ષનું આયુ પૂર્ણ કરીને મૃત્યુ બાદ છઠી નરકે ગયા. ભગવંત વાસુપૂજ્યના શાસનમાં થયેલા. તેમની પૂર્વે બે ચક્રવર્તી અને એક વાસુદેવ થઈ ગયેલા. –૦- દ્વિપૃષ્ઠ વાસુદેવ કથાનક :- આગમોમાં આટલી જ માહિતી ઉપલબ્ધ થઈ છે. વિશેષ કથા ત્રિષષ્ટિ શલાકા કે યઉધ્વન મહાપુરુષ ચરિયું માં જોઈ શકાય. ૦ આગમ સંદર્ભ :ઠા ૮૧૧ થી ૮૧૪; સમ. ૩૨૩, ૩૨૪, ૩ર૮ થી ૩૪૪; આવ.નિ. ૪૦૨ થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૧૩; આવ.ભા. ૪૦ થી ૪૩; આવ યૂ.૧-પૃ. ૨૨૦; આવ.નિ. ૪૧૯ થી ૪૨૧ની વૃ. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આગમ કથાનુયોગ-૨ તિથો. ૪૭૫, પ૬૬, ૬૦૨, ૬૦૩, ૬૦૫, ૬૧૫; ૩. સ્વયંભૂ વાસુદેવ પરીચય : જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સ્વયંભૂ નામે ત્રીજા વાસુદેવ થયા. તેમનો જન્મ બારાવતી નગરીના રાજા રુદ્રની (સમવાયાંગ વૃત્તિમાં રાજા સોમ નામે ઉલ્લેખ છે. રુદ્ર નામ બીજે સર્વત્ર જોવા મળેલ છે.) રાણી (પત્ની) પૃથ્વીની કુણીમાંથી થયો. તેમનો વર્ણ નીલ હતો. ગૌતમ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ ૬૦ ધનુષની હતી. ભદ્ર બળદેવ તેના ભાઈ હતા. સ્વયંભૂ વાસુદેવનું પૂર્વભવનું નામ ધનદત્ત હતા. તે ભવે તેના ધર્માચાર્ય સુદર્શન આચાર્ય હતા. શ્રાવતી નગરીમાં સંગ્રામના નિમિત્તથી તેમણે નિયાણું કરેલ. તેમના પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ) મેરક હતા. જેમને તેનાથી જ ચક્રથી સ્વયંભૂ વાસુદેવ મારી નાંખેલ. તેમનો વિજયકાળ ૯૦ વર્ષનો હતો. તેઓ ૬૦ લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવી મૃત્યુબાદ છઠી નરકે ગયા. તેઓ ભગવંત વિમલના શાસનમાં થયેલા. તેમની પૂર્વે બે ચક્રવર્તી અને બે વાસુદેવ થઈ ગયેલા. -૦- સ્વયંભૂ વાસુદેવ કથાનક :- આગમોમાં ઉપરોક્ત માહિતી જ ઉપલબ્ધ છે. વિશેષ કથા ત્રિષષ્ટિ શલાકા કે ચઉપ્પન મહાપુરુષ ચરિર્યમાં જોઈ શકાય. ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧૪; સમય ૧૬૯, ૩૨૩, ૩૨૪, ૩૨૮ થી ૩૪૪; આવ.નિ. ૪૦૨ થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૧૩; આવે.ભા. ૪૦ થી ૪૩; આવ.યૂ. ૧–પૃ. ૨૨૦; આવ.નિ. ૪૧૯ થી ૪ર૧ની વૃ, આવ.મ.પૃ. ૨૩૭ થી તિલ્યો. પ૭૭, ૬૦૨ થી ૬૧૫; ૪. પુરુષોત્તમ વાસુદેવ પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પુરુષોત્તમ નામે ચોથા વાસુદેવ થયા. તેમનો જન્મ બારાવતી નગરીના રાજા સોમ (સર્વત્ર સોમ નામ મળે છે પણ સમવાયાંગ વૃત્તિમાં તેનું નામ રુક જણાવેલ છે)ની રાણી (પત્ની) સીતાની કુક્ષિમાંથી થયેલો. તેમનો વર્ણ નીલ હતો. ગૌતમ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ ૫૦ ધનુષ હતી. સુપ્રભ બળદેવ તેના ભાઈ હતા. પુરુષોત્તમ વાસુદેવનું પૂર્વભવનું નામ સમુદ્રદત્ત હતું. તે ભવે આચાર્ય શ્રેયાંશ તેના ધર્માચાર્ય હતા. ત્યાં પોતનનગરીમાં સ્ત્રીના નિમિત્તથી તેણે નિયાણું કરેલ. તેમના પ્રતિશત્રુ (પ્રતિ વાસુદેવ) મધુકેતવ હતા. તેના જ ચક્રથી પુરુષોત્તમ વાસુદેવ તેને મારી નાંખેલ. ૩૦ લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવી મૃત્યુ બાદ છઠી નરકે ગયા. તેઓ ભગવંત અનંતના શાસનમાં થયેલા. તેમની પૂર્વે બે ચક્રવર્તી અને ત્રણ વાસુદેવ થયેલા. –૦- પુરુષોત્તમ વાસુદેવ કથાનક :- આગમોમાં ઉપરોક્ત માહિતી જ ઉપલબ્ધ છે. વિશેષ કથા ત્રિષષ્ટિ શલાકા કે ચઉપૂન મહાપુરુષ ચરિયમાં જોઈ શકાય. ૦ આગમ સંદર્ભ : Page #144 -------------------------------------------------------------------------- ________________ વાસુદેવ ચરિત્ર ૧૪૩ ઠા. ૮૧૧ થી ૮૧૪; સેમ ૧૨૮, ૩૨૩, ૩૨૪, ૩૨૮ થી ૩૪૪; આવ.નિ. ૪૦૨ થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૦૯, ૪૧3; આવ.ભા. ૪૦ થી ૪3; આવ.સ્. ૧-પૃ. ૨૨૦; આવ.નિ ૪૧૯ થી ૪૨૧ની વૃ. તિલ્યો. ૪૭૭, પ૭૭, ૬૦૪, ૬૦૫, ૬૧૫; - x – ૪ – ૫. પુરુષસિંહ વાસુદેવ–પરીચય : જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પાંચમાં વાસુદેવ પુષસિંહ થયા. તેમનો જન્મ આસપુર (અશ્વપુર)માં રાજા શીવની (પત્ની) રાણી અમૃતાની કુક્ષિથી થયેલ. તેમનો વર્ણ નીલ હતો. ગૌતમ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ ૪૫ ધનુષ્ય હતી. સુદર્શન બળદેવ તેના ભાઈ હતા. પુરુષસિંહ વાસુદેવનું પૂર્વભવનું નામ ઋષિપાલ હતું. આચાર્ય કૃષ્ણ તેના ધર્માચાર્ય હતા. તે ભવે તેણે રાજગૃહી નગરીમાં રંગમાં પરાજય નિમિત્તે નિયાણું કરેલ. પુરુષસિંહ વાસુદેવના પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ)નું નામ નિશુંભ હતું. તેને તેના જ ચક્ર વડે વાસુદેવે મારી નાંખેલ. દશ લાખ વર્ષનું આયુ પૂર્ણ કરી તેઓ (આવ.નિ. ૪૧૩, ઠાણ. ૯૩૦, સમ. ૩૪૩ પ્રમાણે) છઠી નરકમાં ઉત્પન્ન થયા. જ્યારે (સમ. ૨૧ર મુજબ) પાંચમી નરકે ઉત્પન્ન થયા. તેઓ ભગવંત ધર્મનાથના શાસનમાં થયેલા. તેમની પૂર્વે બે ચક્રવર્તી અને ચાર વાસુદેવ થયેલા. -૦- પુરુષસિંહ વાસુદેવ કથાનક :– આગમોમાં આટલી જ માહિતી ઉપલબ્ધ છે. વિશેષ કથા ત્રિષષ્ટિ શલાકા કે “ચઉપ્પન મહાપુરુષ ચરિય’થી જાણી શકાય. ૦ આગમ સંદર્ભ :ઠL ૮૧૧ થી ૮૧૪, ૯૩૦ સમ. ર૧૨, ૩ર ર, ૩ર૪, ૩ર૮ થી ૩૪૪; આવ.નિ. ૪૦૨ થી ૪૦૫, ૪૬૮, ૪૦૯, ૪૧3; આવ.ભા. ૪૦ થી ૪3; આવ.યૂ.૧–પૃ. ૨૨૦; આવ.નિ. ૪૧૯ થી ૪ર૧ની વૃ. તિલ્યો. ૪૭૮, પ૭૭, ૬૦૨ થી ૬૧૫; ૬. પુરુષપુંડરિક વાસુદેવ પરીચય : જંબૂલીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં છઠા વાસુદેવ પુરુષપુંડરિક થયા. તેમનો જન્મ ચક્રપુરમાં રાજા મહાશીવની (પત્ની) રાણી લચ્છીમતીની કુક્ષિથી થયેલો. તેમનો વર્ણ નીલ હતો. ગૌતમ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ ૨૯ ધનુષ હતી. આનંદ બળદેવ તેના ભાઈ હતા. પુરુષપુંડરિક વાસુદેવનું પૂર્વભવનું નામ પ્રિયમિત્ર હતું. તે ભવે આચાર્ય ગંગદત્ત તેમના ધર્માચાર્ય હતા. તે ભવે તેમણે કાકંદી નગરીમાં ભાર્યાના અનુરાગથી નિયાણું કરેલ. આ વાસુદેવના પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ)નું નામ બલિ હતું. તેના જ ચક્ર વડે તેની પુરુષપુંડરિકે હત્યા કરેલ. ૬૫,૦૦૦ વર્ષનું આયુ પૂર્ણ કરી તેઓ છઠી નરકે ઉત્પન્ન થયા. તેઓ ભગવંત અરનાથ અને ભ૦મલ્લિનાથના શાસનના વચ્ચેના અંતરમાં થયા. તેમની પૂર્વે બે ચક્રી પછી પાંચ વાસુદેવ પછી પાંચ ચક્રી એ રીતે સાત ચક્રી અને પાંચ વાસુદેવ થયેલા. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આગમ કથાનુયોગ-૨ –૦- પુરુષપુંડરિક વાસુદેવ કથાનક :– આગમોમાં આટલી જ માહિતી ઉપલબ્ધ છે. વિશેષ કથા ત્રિષષ્ટિ શલાકા, કે ઉuત્ર મહાપુરુષ થી જાણવી. ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧૪; સમ. ૩૨૩, ૩૨૪, ૩ર૮ થી ૩૪૪; આવ.નિ. ૪૦૨ થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૧૩; આવ.ભા. ૪૦ થી ૪3; આવ.યૂ. ૧–પૃ. ૨૨૦; આવ નિ ૪૧૯ થી ૪૨૧ની વૃ, તિલ્યો. ૬૦૨-૬૧૫; ૭. દત્ત વાસુદેવ પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સાતમા વાસુદેવ દત્ત નામે થયા. તેમનો જન્મ વાણારસી નગરીના રાજા અગ્રિસીહની (પત્ની) રાણી શેષવતીની કુક્ષિથી થયો. તેમનો વર્ણ નીલ હતો. ગૌતમ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ (આવ.નિ.૪૦૩) ૨૬ ધનુષુ અને ધનુષુ સમ. ૧૧૧ મુજબ – ૩૫) ધનુષની હતી. નંદન બળદેવ તેના ભાઈ હતા. દત્ત વાસુદેવનું પૂર્વભવનું નામ લલિતમિત્ર હતું. તે ભવે આચાર્ય સાગર તેના ધર્માચાર્ય હતા. તે ભવમાં કૌશાંબીનગરીમાં ગોષ્ઠી નિમિત્તે તેણે નિયાણું કરેલ. દર વાસુદેવના પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ)નું નામ પ્રહ્માદ હતું. તેને તેના જ ચક્ર વડે દત્તે મારી નાંખેલ. (આવ.નિ. ૪૦૩ મુજબ) પ૬,૦૦૦ વર્ષનું, (તિર્થી. ૧૪રર–મુજબ) ૩૨,૦૦૦ વર્ષનું આયુષ્ય હતું. મૃત્યુ બાદ તે પાંચમી નરકે ઉત્પન્ન થયા. તેઓ ભગવંત અરનાથ અને ભમલિના શાસનની વચ્ચેના કાળમાં થયેલા. તેમની પૂર્વે આઠ ચક્રવર્તી અને છ વાસુદેવ થઈ ગયેલા. -૦– દત્ત વાસુદેવ કથાનક :- આગમોમાં આટલી જ માહિતી ઉપલબ્ધ છે. વિશેષ કથા. ત્રિષષ્ટિ શલાકા કે ચપ્પન્ન મહાપુરુષ ચરિયું જાણી શકાય. ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧૪; સમ ૧૧૧, ૩૨૩, ૩૨૪, ૩ર૮ થી ૩૪૪; આવા નિ ૪૦૨ થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૧3; આવ.ભા. ૪૦ થી ૪3; આવ.પૂ.૧–પૃ. ૨૨૦; આવ.નિ. ૪૧૯ થી ૪ર૧ની વ. તિલ્યો. ૧૦૨-૬૧૫; ૮. નારાયણ વાસુદેવ પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નારાયણ નામે આઠમાં વાસુદેવ થયા. તે લક્ષ્મણ નામે ઓળખાય છે. તેમનો જન્મ અયોધ્યા. નગરીમાં (આવ નિ ૪૦૮ પ્રમાણે રાજગૃહીના) રાજા દશરથની પત્ની રાણી કેગમતીની ફરીથી થયો. (કેગમતીનું ગ્રંથાંતરમાં સુમિત્રા નામ છે) તેમનો વર્ણ નીલ હતો. કાશ્યપ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ ૧૬ ધનુષ હતી. બળદેવ પદ્મ કે જે ‘રામ' નામે પ્રસિદ્ધ થયા, તે તેના ભાઈ હતા. નારાયણ વાસુદેવનું પૂર્વભવનું નામ પુનર્વસુ હતું. તે ભવે આચાર્ય સમુદ્ર તેના ધર્માચાર્ય હતા. તે ભવે મિથિલાપુરીમાં પરદ્ધિ નિમિત્તે તેણે નિયાણું કરેલ. તેના પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ)નું નામ રાવણ હતું. તેને તેના જ ચક્ર વડે નારાયણે મારી નાંખેલ. ૧૨,૦૦૦ વર્ષનું આયુ પૂર્ણ કરીને મૃત્યુ બાદ ચોથી નરકે ગયા, તેઓ ભ૦ મુનિસુવ્રત અને ભામિ શાસનના વચ્ચેના Page #146 -------------------------------------------------------------------------- ________________ વાસુદેવ ચરિત્ર ૧૪૫ અંતરમાં થયા. તેમની પૂર્વે નવ ચક્રવર્તી અને સાત વાસુદેવ થયા. ૦ નારાયણ (લક્ષ્મણ) વાસુદેવ કથાનક :- આગમોમાં આટલી જ માહિતી ઉપલબ્ધ થઈ છે. રામ, લક્ષ્મણ, રાવણની વિસ્તૃત કથા ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, ચપ્પન્ન મહાપુરુષ ચરિત્ર, પદ્મ ચરિત્ર આદિ ગ્રંથોમાં જોવી. ૦ આગમ સંદર્ભ :ઠા ૮૧૧ થી ૮૧૪;, સમ. ૩૨૩, ૩૨૪, ૩૨૮ થી ૩૪૪; આવ.નિ. ૪૦૨ થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૧3; આવ.ભા. ૪૦ થી ૪3; આવ. યૂ. ૧–પૃ. ૨૨૦; આવ.નિ. ૪૧૯ થી ૪૨૧ની વૃ તિત્વો. ૫૬૬, ૫૭૭, ૬૦૨-૬૧૫; –– –– » – ૯. કૃષ્ણ વાસુદેવ પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવમાં વાસુદેવ કૃષ્ણ થયા. તેમનો જન્મ મથુરાનગરીમાં રાજા વસુદેવની રાણી દેવકીની કુક્ષિથી થયેલો. તેમનો વર્ણ નીલ હતો. ગૌતમ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ ૧૦ ધનુષુ હતી. બળદેવ, રામ કે જે ‘બળદેવ” નામે પ્રસિદ્ધ હતા. તે તેના ભાઈ હતા. કૃષ્ણ વાસુદેવના પૂર્વભવનું નામ ગંગદત્ત હતું. તે ભવે તેના ધર્માચાર્ય દ્રુમસેન હતા. ત્યાં હસ્તિનાપુરમાં માતાના નિમિત્તે તેણે નિયાણુ કરેલ. કૃષ્ણ વાસુદેવના પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ)નું નામ જરાસંઘ હતું. તેને કૃષ્ણ મારી નાંખેલ. તેઓ ૧૦૦૦ વર્ષનું આયુ પૂર્ણ કરી, મૃત્યુ પામીને ત્રીજી નરકમાં ગયા. તેઓ ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં થયા. તેમની પૂર્વે ૧૧ ચક્રવર્તી થયા. તેઓ આ અવસર્પિણીના અંતિમ વાસુદેવ હતા. આગામી ચોવીસીમાં બારમાં (તેરમાં) તીર્થકર થશે. –૦- વાસુદેવ કથાનક :- આ જ વિભાગમાં બળદેવ અને પ્રતિવાસુદેવના પરીચય બાદ કૃષ્ણ વાસુદેવનું વિસ્તૃત કથાનક આપેલ છે. ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧૪, ૯૩૦; સમ ૧૪, ૩૨૩, ૩૨૪, ૩૨૮ થી ૩૪૪, ૩૫૭, ૩૬૩; અંત. ૨૦; આવ.નિ. ૪૦ર થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૧3; આવ.ભા. ૪૦ થી ૪3; આવ.યૂ. ૧–પૃ. ૨૨૦; આવ.નિ. ૪૧૯ થી ૪ર૧ની વૃ. તિત્વો. ૪૮૫, ૨૬૬, ૬૦૦-૬૧૫, ૧૧૧૭, ૦ બળદેવ પરીચય : - બળદેવ ઉત્તમ પુરુષોમાંના એક વર્ગનું નામ છે. તેઓ વાસુદેવના મોટા ભાઈ હોય છે. વાસુદેવ–બળદેવના પિતા એક જ હોય છે પણ માતા જુદા-જુદા હોય છે. તે “બલ” નામે પણ ઓળખાય છે. તેઓ અર્ધ ભરતક્ષેત્રના સ્વામીવતું હોય છે તે આયુધોમાં હળ– મુશલ અને બાણ ધારણ કરે છે. વર્ણમાં શ્વેત હોય છે. તેમના શરીર પર ૧૦૮ ઉત્તમ લક્ષણો હોય છે. બળદેવો કદાપિ નિમ્ન, તુચ્છ, દરિદ્ર, કૃપણ, બ્રાહ્મણ આદિ કુળમાં જન્મ લેતા નથી. જ્યારે તેઓ માતાના ગર્ભમાં આવે ત્યારે તેમની માતા ચૌદ મહાસ્વપ્નોમાંના કોઈપણ ચાર મહાસ્વપ્નોને જુએ છે. જંબૂદ્વીપમાં જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી ૩૦ Jain tionnternational Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આગમ કથાનુયોગ-૨ બળદેવ હોય છે. ભારત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં નવ નવ બળદેવો હંમેશાં થાય છે. તેઓ દુષમ-સુષમ કાળમાં જ થાય છે. તેઓ પૂર્વભવમાં કદાપી કોઈ નિયાણું કરતા નથી. તેઓ મૃત્યુ બાદ નિયમા ઉર્ધ્વગામી હોય છે અર્થાત્ તેઓ મોક્ષમાં કે સ્વર્ગમાં જ જાય છે. તેઓ લીલા વસ્ત્રો પહેરે છે. તેઓ “રામ” નામે પણ ઓળખાય છે. અપરિમિત બળવાળા હોય છે. ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં નવ બળદેવ થયા. તે આ પ્રમાણે :– ૧. અચલ, ૨. વિજય, 3. ભદ્ર, ૪. સુપ્રભ, ૫. સુદર્શન, ૬. આનંદ, ૭, નંદન, ૮. પદ્મ(રામ) અને રામ(બળદેવ). ૦ બળદેવ પરીચયના આગમ સંદર્ભ :ઠા. ૮૯; સમ ૩ર૩, ૩ર૮, ૩૪૪, ૩૪૫; ભગ. ૨૪૩, પર૦, ૬૭૮; પપ્પા. ૧૯ + વૃ. જંબૂ ૪૯, ૫૩, ૩૬૦; નિસી.ભા. ૪૨૯૩ની ચૂત આવ.નિ. ૭૦, ૭૫, ૪૦૨, ૪૦૪, ૪૧૪, ૪૧૫; આવભ. ૪૧; આવ. પૂ.૧–પૃ. ૨૧૫; તિલ્યો. પ૬૭, ૬૦૪; કલ્પ. ૧૭, ૧૮; ૧. અચલ બળદેવ પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં અચલ નામે પહેલા બળદેવ થયા. તેમનો જન્મ પોતનપુરના રાજા પ્રજાપતિની પત્ની રાણી ભદ્રાની કુક્ષિથી થયો. તેમનો વર્ણ ગૌર હતો. ગૌતમ ગોત્રના આ બળદેવની ઊંચાઈ ૮૦ ધનુષ હતી. તેઓ વાસુદેવ ત્રિપૃષ્ઠના ભાઈ હતા. તેમનું પૂર્વભવનું નામ વિશ્વગંદી હતું. આયુષ્ય ૮૫ લાખ વર્ષ હતું. ત્રિપૃષ્ઠ વાસુદેવના મૃત્યુબાદ કેટલાંક કાળે દીક્ષા લઈ. છેલ્લે કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. તેઓ ભગવંત શ્રેયાંસના શાસનમાં થયેલા. (તીર્થોધ્યાલિતમાં અચલનો ક્રમ બીજો કહ્યો છે) -૦- અચલ બળદેવ કથા :- ત્રિપૃષ્ઠ વાસુદેવ પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ :-- ઠા. ૮૧૧ થી ૮૧3; સમ. ૧૫૯, ૩૨૩, ૩ર૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫; આવ.નિ. ૪૦૨, ૪૦૪, ૪૦૬, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫; આવ.ભા. ૪૦, ૪૧; આવ. ચૂ.૧-પૃ. ૨૨૦, ૨૩૨; આવ.નિ. ૪૧૯, ૪ર૦ + વૃ. આવ.મ.વૃ.પૃ. ૨૩૭, ૨૪૦, ૨૪૯; તિલ્યો. પ૭૭, ૫૮૦, ૬૦૨, ૬૦૬, ૬૧૬; – ૪ – ૪ – ૨. વિજય બળદેવ પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં વિજય નામે બીજા બળદેવ થયા. તેમનો જન્મ બારાવતીમાં બ્રહ્મરાજાની પત્ની રાણી સુભદ્રાની કુક્ષિથી થયો. તેમનો વર્ણ ગૌર હતો. ગૌતમ ગોત્રના આ બળદેવની ઊંચાઈ ૭૦ ધનુષ હતી. તેઓ વાસુદેવ દ્વિપૃષ્ઠના ભાઈ હતા. તેમનું પૂર્વભવનું નામ સુબંધુ હતું. હિપૃષ્ઠ વાસુદેવના મૃત્યુ બાદ અમરકીર્તિ, મહાયશસ્વી વિજય રાજાએ ગુણ સમૃદ્ધ રાજ્યનો ત્યાગ કરી દીક્ષા લીધી. (આવશ્યક નિયુક્તિ ૪૦૬ મુજબ) ૭૫ લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવીને (સમવાય-૧૫૧-મુજબ) ૭૩ લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવીને તેઓ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અન્તકૃત્ થઈને, બધાં દુઃખોનો Page #148 -------------------------------------------------------------------------- ________________ બળદેવ ચરિત્ર ૧૪૭ ક્ષય કરીને પરિનિર્વાણને પ્રાપ્ત થયા–મોક્ષે ગયા. તેઓ ભગવંત વાસુપૂજ્યના શાસનમાં થયેલા (તીર્થોધ્યાલિતમાં વિજયનો ક્રમ પહેલો જણાવેલ છે) – – વિજય બળદેવ કથા – દ્વિપૃષ્ઠ વાસુદેવ મુજબ જાણવી. ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧3; સમ. ૧૫૧, ૩૨૨, ૩૨૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫; આવ.નિ. ૪૦૨, ૪૦૪, ૪૦૬, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫; આવ.ભા. ૪૦, ૪૧; આવ યૂ.૧–પૃ. ૨૨૦ આવ.નિ. ૪૧૯, ૪ર૦ + 4. આમ પૃ. ૨૩૭ થી– ઉત્ત. ૬૦૯; તિલ્યો. પ૬૭, ૨૭૭, ૫૮૦, ૬૦-૬૧૬; – – – – – ૩. ભદ્ર બળદેવ પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ભદ્ર નામે ત્રીજા બળદેવ થયા. તેમનો જન્મ બારીવતીના રાજા રકની પત્ની રાણી સુપ્રભાની કુક્ષિથી થયો. તેમનો વર્ણ ગૌર હતો. ગૌતમ ગોત્રના આ બળદેવની ઊંચાઈ ૬૦ ધનુષ્પ હતી. તેઓ ત્રીજા વાસુદેવ સયંભૂના ભાઈ હતા. તેમનું પૂર્વભવનું નામ સાગરદત્ત હતું. સયંભૂ વાસુદેવના મૃત્યુ બાદ તેમણે દીક્ષા લીધી. ૬૫ લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવી અંતે કેવળજ્ઞાન પામીને તેઓ મોક્ષે ગયા. તેઓ ભગવંત વિમલના શાસનમાં થયેલા. (તીર્થોગાલિતમાં ભદ્ર બળદેવનો ક્રમ ચોથો જણાવેલ છે) (સમવાયવૃત્તિમાં ભદ્ર બળદેવના પિતાનું નામ સોમ જણાવેલ છે. આવ, સમય અને તિસ્થો.માં રુક છે) –૦- ભદ્ર બળદેવ કથા :- સયંભૂ વાસુદેવ પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧૩; સમ. ૩ર૩, ૩ર૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫; આવ નિ ૪૦૨, ૪૦૬, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫; આવ.ભા. ૪૦, ૪૧; આવ.યૂ. ૧–પૃ. ૨૨૦; તિલ્યો. પ૧૭, ૫૭૭, ૬૦૨ થી ૬૧૬, – x — — ૪. સુપ્રભ બળદેવ પરીચય : જંબૂલીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સુપ્રભ નામે ચોથા બળદેવ થયા. તેમનો જન્મ બારાવતીના રાજા (આવશ્યક, સમવાય મૂળ, તીર્થોદુગાલિત પ્રમાણે) સોમ (સમ.વૃત્તિમાં રુક નામ છે)ની પત્ની સુદર્શનાની કુક્ષિથી થયેલો. તેમનો વર્ણ ગૌર હતો. ગૌતમ ગોત્રના આ બળદેવની ઊંચાઈ પ૦ ધનુષ હતી. તેઓ ચોથા વાસુદેવ પુરુષોત્તમના ભાઈ હતા. તેમનું પૂર્વભવનું નામ અશોક હતું. પુરુષોત્તમ વાસુદેવના મૃત્યુ બાદ તેમણે દીક્ષા લીધી. (આવશ્યક નિ. ૪૦૬ મુજબ) પપ લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવીને (સમવાય-૧૨૯ મુજબ) પ૧ લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવીને સુપ્રભ બળદેવ – મોક્ષે ગયા, તેઓ ભગવંત અનંતના શાસનમાં થયેલા. (તીર્થોદુગાલિતમાં તેને ત્રીજા બળદેવ જણાવેલા છે) –૦- સુપ્રભ બળદેવ કથા :- પુરુષોત્તમ વાસુદેવ પ્રમાણે જાણવી ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧૩; સમ. ૧૨૯, ૩ર૩, ૩૨૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫; Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આવ.નિ. ૪૦૨, ૪૦૬, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫; આવ.નિ. ૪૧૯, ૪૨૦ની વૃ; આવ.યૂ.૧૫ ૨૨૦; તિત્વો. ૬૦૨ થી ૬૧૬; X ૫. સુદર્શન બળદેવ પરીચય : જંબૂલીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સુદર્શન નામે પાંચમાં બળદેવ થયા. તેમનો જન્મ અશ્વપુરનગરીના રાજા શીવની પત્ની રાણી વિજયાની કુક્ષિથી થયેલો. તેમનો વર્ણ ગૌર હતો. ગૌતમ ગોત્રના આ બળદેવની ઊંચાઈ ૪૫ ધનુષુ હતી. તેઓ પાંચમાં વાસુદેવ પુરિષસીંહના ભાઈ હતા. તેમનું પૂર્વભવનું નામ લલિત હતું. પુરિસસીંહ વાસુદેવના મૃત્યુ બાદ તેમણે દીક્ષા લીધી. સત્તર લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવી મોક્ષે ગયા. તેઓ ભગવંત ધર્મના શાસનમાં થયેલા. X — સુદર્શન બળદેવ કથાનક :- પુરુષસીંહ વાસુદેવ પ્રમાણે જાણવું. ૦ આગમ સંદર્ભ : ઠા. ૮૧૧ થી ૮૧૩; આ.નિ. ૪૦૨, ૪૦૬, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫; આવ.નિ. ૪૧૯, ૪૨૦ની રૃ. આવ.યૂ.૧૫. ૨૨૦; આવ.યૂ. ૧-૫ ૨૨૦; તિસ્થો. ૫૧૭, ૫૭૭, ૬૦૨-૬૧૫; ૭. નંદન બળદેવ પરીચય : X - X ૬. આનંદ બળદેવ પરીચય : જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આનંદ નામે છટ્ઠા બળદેવ થયા. તેમનો જન્મ ચક્રપુરના મહાશીવની પત્ની રાણી વેજયંતીની કુક્ષીથી થયો. તેમનો વર્ણ ગૌર હતો. ગૌતમ ગોત્રના આ બળદેવની ઊંચાઈ ૨૯ ધનુષુ હતી. તેઓ છઠ્ઠા વાસુદેવ પુરુષપુંડરીકના ભાઈ હતા. તેમનું પૂર્વભવનું નામ વરાહ હતું. પુરુષપુંડરીક વાસુદેવના મૃત્યુ બાદ તેમણે દીક્ષા લીધી. ૮૫,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવીને મોક્ષે ગયા. તેઓ ભગવંત અરનાથ અને ભગવંત મલ્લિનાથના શાસનકાળના અંતરમાં થયેલા. (તીર્થોદ્ગાલિતમાં છઠ્ઠા બળદેવનું નામ નંદી બતાવેલ છે.) આગમ કથાનુયોગ-૨ -૦- આનંદ બળદેવ કથા :— પુરુષપુંડરીક વાસુદેવ પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ : - ઠા. ૮૧૧ થી ૮૧૩; સમ. ૩૨૨, ૩૨૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫ આવ.નિ. ૪૦૨, ૪૦૭, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫; આવ.નિ. ૪૧૯, ૪૨૦ની રૃ. આવ ભા. ૪૦, ૪૧; આવ..પૃ.પૃ. ૨૩૭-૨૪૦; - x આવ.ભા. ૪૦, ૪૧; આવમ.વૃ.પૃ. ૨૩૭-૨૪૦; સમ ૩૨૨, ૩૨૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫; આવ ભા. ૪૦, ૪૧; તિત્વો. ૬ ૦૬; X જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નંદન નામે સાતમાં બળદેવ થયા. Page #150 -------------------------------------------------------------------------- ________________ બળદેવ ચરિત્ર ૧૪૯ તેમનો જન્મ વાણારસીના રાજા અગ્રિસીદની પત્ની રાણી જયંતીની કશીથી થયેલો. તેમનો વણે ગૌર હતો. ગૌતમ ગોત્રના આ બળદેવની ઊંચાઈ આવશ્યક નિ. ૪૦૩ મુજબ ૨૬ ધનુષ સમવાય-૧૧૧ મુજબ ૩૫ ધનુષુ હતી. તેઓ સાતમા વાસુદેવ દત્તના ભાઈ હતા. તેમનું પૂર્વભવનું નામ ધર્મસેન હતું. દત્ત વાસુદેવના મૃત્યુ બાદ તેમણે દીક્ષા લીધી. ૬૫,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવીને તેઓ મોક્ષે ગયા. તેઓ ભગવંત અરનાથ અને ભગવંત મલ્લિનાથના શાસનના મધ્યમાં થયેલા. (તીર્થોદ્ગાલિત પયગ્રા મુજબ સાતમા બળદેવનું નામ નંદિમિત્ર હતું. તેમની ઊંચાઈ ૨૨ ધનુષ હતી) –૦- નંદન બળદેવ કથા :- દત્ત વાસુદેવ પ્રમાણે જાણવી ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧૩; સમ ૧૧૧, ૩૨૩, ૩૨૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫; આવ.નિ. ૪૦૨, ૪૦૭, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫; આવ.ભા. ૪૦, ૪૧; આવ. યૂ.૧–. રર૦; આવ.નિ. ૪૧૯, ૪૨૦ની વૃ તિલ્યો. પ૧૭, પ૭૭, ૫૮૦, ૬૦૨ થી ૬૧૬, ૧૪૧૮; – ૮ – ૮ – ૮. પદ્મ (રામ) બળદેવ પરીચય : - જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પદ્મ નામે આઠમા બળદેવ થયા. જે “રામ” નામે પણ ઓળખાય છે. તેમનો જન્મ અયોધ્યા નગરી (આવ.નિ. ૪૦૮ મુજબ રાજગૃહી નગરી)ના રાજા દશરથની પત્ની રાણી અપરાજિતા (જે વ્યવહારમાં કૌશલ્યા નામે ઓળખાય છે.)ની કુક્ષિમાંથી થયો. તેમનો વર્ણ ગૌર હતો. કાશ્યપ ગોત્રના આ બળદેવની ઊંચાઈ ૧૬ ધનુષ હતી. તેઓ આઠમા વાસુદેવ નારાયણ (લક્ષ્મણ)ના ભાઈ હતા. તેમનું પૂર્વભવનું નામ અપરાજિત હતું. વાસુદેવ નારાયણ (લક્ષ્મણ)ના મૃત્યુબાદ તેમણે દીક્ષા લીધી. તેઓ ૧૫,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવીને અંતે મોલમાં ગયા. તેઓ ભગવંત મુનિસુવ્રતસ્વામી અને ભગવંત નમિનાથના શાસનકાળના મધ્ય ભાગમાં થયા. –૦- પા(રામ) બળદેવ કથા :– વાસુદેવ નારાયણ પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧૩; સમ. ૩૨૩, ૩૨૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫; આવ.નિ. ૪૦૬, ૪૦૩, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫; આવ.ભા. ૪૦, ૪૧; આવ રૃ. ૧–પૃ. ૨૨૦; આવ.નિ. ૪૧૯, ૪૨૦ની વૃ. તિર્થી. પ૭૭, ૬૦૨-૬૧૬; –– » –– – ૯. રામ(બલભદ્ર) બળદેવ પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં “રામ” નામે નવમાં બળદેવ થયા. તેઓ બળદેવ અને બળભદ્ર નામે પણ પ્રસિદ્ધ છે. તેઓ મથુરા નગરીના લોરીયપુરના રાજા વસુદેવ અને રાણી રોહિણીના પુત્ર હતા અને વાસુદેવ કૃષ્ણના મોટા ભાઈ હતા. ગૌર વણય અને ગૌતમ ગોત્રીય આ બળદેવની ઊંચાઈ દશ ધનુષ હતી. તે બારાવતી નગરીના રાજા હતા. તેમનું પૂર્વભવનું નામ રાજલલિત હતું. વાસુદેવ કૃષ્ણના મૃત્યુ બાદ તેમણે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આગમ કથાનુયોગ-૨ દીક્ષા લીધી. ૧૨૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવી તેઓ પાંચમા દેવલોક, બ્રહ્મ દેવલોકમાં– દેવરૂપે ઉત્પન્ન થયા. આવતી ચોવીસીમાં તેઓ એક ગર્ભવાસ લઈને (તીર્થકરત્વ પામીને) સિદ્ધ થશે–મોક્ષે જશે. તેઓ ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં થયા. . – રામ એ પ્રત્યેક બળદેવ માટે વપરાતું સામાન્ય નામ પણ છે. – તેમને ધારિણી નામે પત્નીથી સુમુખ, દુર્મુખ, કૂપદાયક નામે પુત્રો થયેલા. રેવતી નામે પત્નીથી નિષધ વગેરે પુત્રો થયેલા. જરાકુમાર નામે તેને બીજા એક ભાઈ પણ હતા. કૃષ્ણના પાંચ મહાવીરોમાં તેઓ મુખ્ય વીર હતા. સાગરચંદ્ર તેનો પૌત્ર હતો. તેણે ક્રોધ પર વિજય મેળવેલો. દ્વારિકા બળતી હતી ત્યારે માતા–પિતાને બચાવવા માટે તેમણે પ્રયત્ન કરેલો. તેઓ કૃષ્ણ વાસુદેવ માટે વનમાં પાણીની શોધમાં ગયા ત્યારે જરાકુમારના બાણથી કૃષ્ણનું મૃત્યુ થયેલ. કૃષ્ણને નરકમાં દુ:ખથી બચાવવા માટે પણ તેમનો જીવ દેવલોકમાંથી ગયો હતો. પણ તે દેવરૂપે કૃષ્ણને કંઈ મદદ કરી શક્યા ન હતા. કૃષ્ણના કહેવાથી તેમણે કૃષ્ણને પીતાંબરધારી તથા હાથમાં ચક્ર, તલવાર આદિ મૂકીને દેવરૂપે પ્રસિદ્ધ કરેલા. તેમના વાહન તરીકે ગરુડને પ્રસિદ્ધ કરેલું. તેઓ નિષ્કષાય નામે ચૌદમાં તીર્થકર ભરતક્ષેત્રની આગામી ચોવીસીમાં થશે. તીર્થકરત્વ ભોગવીને નિર્વાણ પ્રાપ્ત કરશે. -૦- રામ (બલભદ્ર) બળદેવ કથા :- વાસુદેવ કૃષ્ણ પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ :સૂય.નિ રત્ની વૃ. ઠ. ૮૧૧ થી ૮૧૩; સમ. ૧૪, ૨૫, ૩૨૩, ૩ર૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫, ૩૫૭, ૩૬ ૨; નાયા. ૬૩, ૧૬૯; અંત. 3, ૨૦, ૬૪; પા . ૧૯; જીવા. ૯૫ની વૃ. વણ્ડિ . ૩; મરણ. ૪૯૮; બુહ.ભા. ૧૭રની વૃ. આવ.નિ. ૪૦૨, ૪૦૭, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫; આવ.ભ. ૪૦, ૪૧; આવ.યૂ.૧–પૃ. ૧૧૨, ૨૨૦, ૩૫૫; આવ.નિ. ૪૧૯, ૪૨૦ની વૃ. ઉત્ત. ૭૯૭, ૭૯૮; ઉત્ત.પૂ.પૃ. ૭૫; ઉત્ત.મૂ. ૮૦ની વૃ. તિસ્થો. પ૬૭, ૫૭૮, ૬૦૨, ૬૦૪, ૬૦૭, ૬૧૬; ૦ પ્રતિવાસુદેવ પરીચય : પ્રતિવાસુદેવ વ્યવહાર પ્રસિદ્ધ શબ્દ છે. તે માટે આગમમાં વપરાતો શબ્દ છે – સિતું – “પ્રતિશત્રુઓ. તેઓ વાસુદેવના જન્મજાત શત્રુ હોય છે. તેમની હત્યા તેમના જ ચક્ર વડે થાય છે. જેટલા વાસુદેવ હોય તેટલાં જ પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ) હોય છે. તેઓ બધાં મૃત્યુ પછી નરકે જાય છે. અર્થાત્ જંબૂદ્વીપમાં જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી ૩૦ પ્રતિશત્રુઓ હોય છે. ભારત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં નવ-નવ પ્રતિશત્રુઓ થાય છે. તે દરેક દુઃષમ-સુષમ આરામાં જ થાય છે. ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં નવ પ્રતિશત્રુઓ (પ્રતિવાસુદેવો) થયા. તે આ પ્રમાણે :- ૧. અશ્વગ્રીવ, ૨. તારક, ૩. મેરક, ૪. મધુકેતભ, ૫. નિશુંભ, ૬. બલિ, ૭, પ્રહ્માદ, ૮. રાવલ અને ૯, જરાસંધ. Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રતિવાસુદેવ ૧૫૧ સમવાય-૧૪, સૂત્ર-૧૩૨માં તથા આવ.ભા. અલ્માં ૫૪ ઉત્તમ પુરુષોનો ઉલ્લેખ કરે છે. કેમકે ત્યાં ૨૪ તીર્થકર, ૧૨-ચક્રવર્તી, ૯-બળદેવ અને ૯-વાસુદેવ એ ૫૪ને ઉત્તમ પુરુષ ગણેલ છે. તેમાં પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ)નો ઉલ્લેખ કરેલ નથી. પણ ત્રેસઠ શલાકા પુરુષોની ગણનામાં આ નવ પ્રતિશત્રુને સમાવેલા છે. એ રીતે ૬૩ શલાકા અર્થાત્ ઉત્તમ પુરુષોની ગણના થયેલી છે. તે મતે પ્રતિવાસુદેવને પણ ઉત્તમ પુરુષ ગણેલા છે. ૦ પ્રતિવાસુદેવ પરીચયના આગમ સંદર્ભ– સમ ૩૪૦ થી ૩૪૨; ભગ. ૨૪૩; આવ.ભા. ૪૨, ૪૩; તિલ્યો. ૬૦૯, ૧૦ – ૪ – ૪ – ૧. અશ્વગ્રીવ પ્રતિશત્રુ–પરીચય : જંબૂઢીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પહેલા પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ) અશ્વગ્રીવ થયા. તેને ઘોડગગ્રીવ પણ કહે છે. તેને તેના જ ચક્ર વડે પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠએ હણ્યા હતા. તે મરીને સાતમી નરકભૂમિમાં ગયા. તેઓ ભગવંત શ્રેયાંસના શાસનમાં થયેલા. –૦- અશ્વગ્રીવ પ્રતિશત્રુ કથા – ત્રિપૃષ્ઠ વાસુદેવ પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ :સૂય.ચૂપૃ. ૩૪૧; ઠા. ૮૧૧; સમ. ૩૨૮, ૩૪૧ થી ૩૪૩, આવ.નિ. ૪૧૩; આવ, ભા. ૪૦, ૪૨, ૪3; આવ.યૂ.૧–. ર૨૦, ૨૩૨–૩૪; આવ.નિ. ૪૧૯, ૪૨૦ની વૃ. તિથો. ૬૧૦; – ૪ –– » –– ૨ થી ૮ પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ પરીચય) : - જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં– ૨. બીજા પ્રતિશત્રુ તારક થયા. જે બીજા વાસુદેવ દ્વિપૃષ્ઠ વડે સ્વચક્રથી હણાયા. મરીને છઠી નરકે ગયા. આ પ્રતિશત્રુ ભગવંત વાસુપૂજ્યના શાસનમાં થયેલા. 3. ત્રીજા પ્રતિશત્રુ મેરક થયા. જે ત્રીજા વાસુદેવ સયંભૂ વડે સ્વચક્રથી હણાયા. તે ભગવંત વિમલના શાસનમાં થયેલ. ૪. ચોથા પ્રતિશત્રુ મધુકૈટભ થયા. જે ચોથા વાસુદેવ પુરુષોત્તમ વડે સ્વચક્રથી હણાયા. તે ભગવંત અનંતના શાસનમાં થયેલ. ૫. પાંચમાં પ્રતિશત્રુ નિશુંભ થયા. જે પાંચમાં વાસુદેવ પુરુષસીંહ વડે સ્વચક્રથી હણાયા. તે ભગવંત ધર્મના શાસનમાં થયેલા. ૬. છઠા પ્રતિશત્રુ બલિ થયા. જે છઠા વાસુદેવ પુરુષપુંડરિક વડે સ્વચક્રથી હણાયા. તે ભઅર અને ભ૦મલ્લિના વચ્ચેના અંતરમાં થયા. ૭. સાતમાં પ્રતિશત્ર પ્રહ્માદ થયા. તે સાતમાં વાસુદેવ દત્ત વડે સ્વચક્રથી હણાયા. તે ભોઅર અને ભમલિના વચ્ચેના અંતરમાં થયા. ૮. આઠમા પ્રતિશત્રુ રાવણ થયા. તે આઠમાં વાસુદેવ લક્ષ્મણ વડે સ્વચક્રથી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર આગમ કથાનુયોગ-૨ હણાયા. તે ભય મુનિસુવ્રત પછીના કાળમાં થયેલા, મૃત્યુ પામીને ચોથી નરકે ગયા. –૦- તારક આદિ પ્રતિવાસુદેવની કથા :- હિપૃષ્ઠાદિ વાસુદેવ કથા માટે અપાયેલ સૂચના મુજબ જાણવી. ૦ તારક આદિ પ્રતિવાસુદેવના આગમ સંદર્ભ :ઠા. ૮૧૧; સમ. ૩૪૧ થી ૩૪૩; આવ.નિ. ૪૧૩; આવ.ભા. ૪૦, ૪૨, ૪3; આવ.પૂ.૧–પૃ.૨૨૦; આવ.નિ. ૪૧૯, ૪ર૦ની વૃ. તિલ્યો. પ૭૭, ૬૧૦, ૧૧; – ૪ – ૪ – ૯. જરાસંધ પ્રતિશત્રુ પરીચય : જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવમા પ્રતિશત્રુ જરાસંધ થયા. તે રાજગૃહીના રાજા હતા. કંસના સસરા હતા. તેના પોતાના ચક્રથી જ વાસુદેવ કૃષ્ણ વડે તે હણાયા. તેઓ ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં થયેલા. તેમનો જરાસિંધ નામે પણ ઉલ્લેખ મળે છે. –૦- જરાસંઘ પ્રતિશત્રુ કથાનક :- વાસુદેવ કૃષ્ણ પ્રમાણે જાણવું. ૦ આગમ સંદર્ભ :આયા.યૂ.પૂ. ૮૬; આયા.મૂ. 63–9. સૂય..પ. ૩૪૦; ઠા ૮૧૧; ઠામૂ. ૩૬ ૦ની વૃ; સમ. ૩૪૧ થી ૩૪3; નાયા. ૧૭૦; પપ્પા. ૧૯, આવ.નિ. ૪૧૩; આવ.ભા. ૪૦, ૪૨, ૪૩; આવપૂ.૧–પૃ. ૨૨૦, ૪૯૨; આવ.નિ. ૪૧૯, ૪૨૦–વૃ. દસ યૂ.પૃ. ૪૧; તિથો. ૬૧૦; ૦ વાસુદેવ કૃષ્ણ, બળદેવ રામ, પ્રતિશત્રુ જરાસંધ કથા :-૦- ભૂમિકા : – મથુરાનગરીના રાજા વસુદેવ અને રાણી દેવકીના પુત્ર કૃષ્ણ આ અવસર્પિણીમાં ભારતમાં નવમાં વાસુદેવ થયા. – મથુરા નગરીના રાજા વસુદેવ અને રાણી રોહિણીના પુત્ર રામ આ અવસર્પિણીમાં ભારતમાં નવમાં બળદેવ થયા. – રાજગૃહીના રાજા જરાસંધ જે બૃહદ્રથ રાજાના પુત્ર હતા તે આ અવસર્પિણીમાં ભારતમાં ત્રણ ખંડના સ્વામી પ્રતિશત્રુ થયા. –૦- વાસુદેવ કૃષ્ણ અને બળદેવ રામનો પૂર્વભવ : એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. કોઈ વખતે કાષ્ઠ લેવા માટે તેઓ ગામ બહાર ગયા. કાષ્ઠની ગાડી ભરી પાછા વળ્યા. તે વખતે મોટો ભાઈ આગળ ચાલતો હતો. તેણે માર્ગના ચીલા ઉપર એક સર્પિણીને જતી જોઈ. તેથી ગાડી હાંકતા નાના ભાઈને કહ્યું કે, આ ચીલામાં સર્પિણી પડી છે તેને બચાવીને ગાડી ચલાવજે. તે સાંભળી સર્પિણી વિશ્વાસમાં આવી. પણ નાના ભાઈએ ક્રુર થઈ ગાડી તેના પર ચલાવી. તેના હાડકા ભાંગી ગયા. તે સર્પિણી પણ આ મારો વૈરી છે, એમ ચિંતવતા મરણ પામી, હસ્તિનાપુરમાં જન્મી. કોઈ શ્રેષ્ઠીની પત્ની બની. Page #154 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ – બલભદ્ર – જરાસંધ ૧૫૩ પેલા બે ભાઈઓમાંથી મોટો ભાઈ મૃત્યુ પામીને તે સ્ત્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તે પુત્રનું નામ રાજલલિત રાખ્યું. પૂર્વજન્મે તેણે અનુકંપા દાખવેલી તેથી તે પુત્ર તેને ઘણો જ પ્રિય હતો. જે નાનો ભાઈ હતો તે પણ તે સ્ત્રીના ઉદરથી ઉત્પન્ન થયો. તેનું ગંગદત્ત નામ રાખ્યું. પરંતુ જ્યારે તે ગર્ભમાં ઉત્પન્ન થયો ત્યારે તે સ્ત્રી વિચારતી હતી કે પત્થરની જેમ આને ફેંકી દઉ. તેણીએ તે ગર્ભને નષ્ટ કરવા ઘણાં પ્રયત્નો કર્યા. તો પણ ગર્ભ પડ્યો નહીં. જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેને ત્યજી દેવા કોઈ દાસીને આપી દીધો. તે શેઠના જોવામાં આવતા તે પુત્રને પાછો લાવ્યા. તેને ગુપ્ત સ્થાને બીજે ઉછેરવા આપ્યો. ક્રમશઃ તે મોટો થવા લાગ્યો. રાજલલિતને જે કંઈ પ્રાપ્ત થતું, તેમાંથી ગંગદત્તને આપતો. માતાને ગંગદત્ત અનિષ્ટ જ હતો. તેણી જ્યારે તેને જોતી ત્યારે લાકડી આદિ વડે તેને મારતી. કોઈ વખતે ઇન્દ્ર મહોત્સવ થયો. ત્યારે પિતાએ થોડાં સાગરિકોને જમવા બોલાવ્યા. તે વખતે રાજલલિતના કહેવાથી ગંગદત્તને બોલાવ્યો. પલંગની નીચે તેને છૂપાવી દીધો. ગુપ્ત રીતે તેને પણ ભોજન આપવું શરૂ કર્યું. પરંતુ કોઈ તેને જોઈ ગયું. તેથી હાથ વડે ખેંચીને તેને બહાર કાઢયો. શ્રેષ્ઠી પત્નીએ તેને મારીને ખાળમાં ફેંકી દીધો. ગંગદત્ત રડવા લાગ્યો. ત્યારે પિતા શ્રેષ્ઠીએ તેને પાછો લાવી નવડાવ્યો. તે સમયે કોઈ સાધુ ભિક્ષાર્થે પધાર્યા. તે વખતે શ્રેષ્ઠીએ પૂછયું કે, હે ભગવન્! માતાને ગંગદત્ત આટલો અપ્રિય કેમ છે ? મુનિએ પૂર્વભવનો પ્રસંગ જણાવ્યો. પછી કહ્યું કે, પુત્ર ઇષ્ટ કે અનિષ્ટ થઈ શકે. “જેને જોઈને ક્રોધ વૃદ્ધિ પામે અને સ્નેહ ઘટવા લાગે ત્યારે જાણવું કે આ મારો પૂર્વ વૈરી છે. જેને જોઈને સ્નેહ વૃદ્ધિ પામે અને ક્રોધ ઘટવા લાગે તો જાણવું કે, આ મારો પૂર્વનો બાંધવ છે. મુનિના વચનથી શ્રેષ્ઠીએ અને રાજલલિતે દીક્ષા લીધી. તે દ્રમસેન આચાર્ય પાસે ભાઈને પ્રવજિત થયો જાણી તેના પરત્વેના સ્નેહને કારણે ગંગદત્તે પણ દીક્ષા ગ્રહણ કરી, બંને ભાઈ સાધુ ઇર્યાસમિતિ આદિનું પાલન કરવા લાગ્યા. અનિશ્ચિત એવા મહાનું તપ કરવા લાગ્યા. તે વખતે ગંગદત્તમુનિને માતાનું અનિષ્ટપણું યાદ આવતા તેણે રાગગર્ભિતા નિયાણું કર્યું કે, જો મારા તપ, નિયમ, સંયમનું કોઈ ફળ હોય તો હું આગામી જન્મ હું લોકોના મન અને નયનને આનંદ આપનારો થઉં – અર્થાત્ વિશ્વવલ્લભ થઉં. ઘોર તપશ્ચર્યા કરી બંને ભાઈ મુનિ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને રાજલલિત વસુદેવ–રોહિણીના પુત્રરૂપે જમ્યા અને ગંગદા વસુદેવદેવકીના પુત્રરૂપે જમ્યા. તે અધિકાર આ પ્રમાણે ૦ આગમ સંદર્ભ :- ગંગદત્ત અને રાજલલિત – કૃષ્ણ અને રામના પૂર્વભવના– -- સમ, ૩૨૧ થી ૩૨૬, ૩૨૮ થી ૩૪૫; ભત્ત. ૧૩૭; આવ. નિ. ૮૪૫, ૮૪૭ ની વૃ. આવ.પૂ.૧-૫. ૪૭૪, ૪૭૫; તિસ્થો. ૬૦૫ થી ૬૦૯; ૦ વાસુદેવ કૃષ્ણ અને બળદેવ રામનો ભવ : દેવલોકથી ચ્યવીને રામ (બળદેવ) તથા કૃષ્ણ (વાસુદેવ) મથુરા નગરીના રાજા વસુદેવના પુત્રરૂપે જમ્યા. તે વસુદેવ દશમાં દશાર્ણ હતા. તે દશાર્ણ ઉત્પત્તિ આ પ્રમાણે Page #155 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ *દશાર્હ :- ભરતક્ષેત્રમાં મથુરા નામે એક શ્રેષ્ઠ નગરી હતી. તે નગરીમાં હરિવંશમાં એક યદુ નામે રાજા થયો. યદુરાજાના વંશમાં અંધકવૃષ્ણિ અને ભોજવૃષ્ણિ નામે બે પ્રતાપી પુત્રો થયા. ભોજવૃષ્ણિને ઉગ્ર પરાક્રમી ઉગ્રસેન નામે પુત્ર થયો. અંધકવૃષ્ણિને સુભદ્રા રાણીથી દશ પુત્રો થયા. ૧. સમુદ્રવિજય, ૨. અક્ષોભ, 3. સ્તિમિત, ૪. સાગર, ૫. હિમવાનું, ૬. અચલ, ૭. ધરણ, ૮. પૂરણ, ૯. અભિચંદ્ર અને ૧૦. વસુદેવ. તે દશ પુત્રો બાદ બે પુત્રી થઈ. ૧. કુંતી અને ૨. મદ્રી. કુંતિના લગ્ન રાજા પાંડુ સાથે થયા અને મદ્રીના લગ્ન રાજા દમઘોષ સાથે થયા. ૧૫૪ (* દશાર્હનો બીજો અર્થ બલદેવ અને વાસુદેવનો સંયુક્ત વર્ગ પણ થાય છે. જે વિશે આ અધ્યયનમાં “દસાર–દસારમંડલ'' શબ્દથી આરંભમાં સ્પષ્ટીકરણ કરેલ છે. * દશાર્હ – સાર — શબ્દનો અર્થ “વાસુદેવ'' પણ કરાયેલ છે. જુઓ આવશ્યક નિયુક્તિ - ૩૬૮, ૪૨૪, ૪૩૨, ૪૪૭ આદિની વૃત્તિ) અહીં દશાર્હ – ‘“સાર’' શબ્દ અંધકવૃષ્ણિ (વૃષ્ણિ)ના દશ પુત્રોના અર્થમાં ગ્રહણ કરાયેલ છે. આ દશ દશાર્ણો જ્યારે કૃષ્ણનો વાસુદેવ રૂપે અભિષેક થયો ત્યારે તેમના આધિપત્યના બહુમાન્ય અને વિશ્વાસુ રાજારૂપે પણ ઉલ્લેખિત થયેલા જોવા મળેલ છે. ૦ દશ દશાહનો આગમ સંદર્ભ :-- નાયા. ૧૬૯; પણ્ડા. ૧૯ + છું. દસ.યૂ.પૃ. ૪૧, ૩૨૦; ૦ વસુદેવ : અંત. ૩, ૬, ૮, ૧૩; વÈિ. 3; દ.નિ. ૫૬ + ; અંત.મૂ. ૩ની વૃ; બુહ.ભા. ૧૭૨ની વૃ; દશ દશાર્ણોના પિતા રાજા અંધકવૃષ્ણિ કે જે વૃષ્ણિ પણ કહેવાય છે. તેણે કોઈ વખતે સુપ્રતિષ્ઠ નામના અવધિજ્ઞાનીને પૂછ્યું કે, હે સ્વામી ! મારે વસુદેવ નામનો દશમો પુત્ર છે. તે અત્યંત રૂપ અને સૌભાગ્યવાળો છે. કળાવાનુ અને પરાક્રમી છે તેનું શું કારણ ? સુપ્રતિષ્ઠમુનિએ વસુદેવનો પૂર્વભવ જણાવતા કહ્યું કે– -૦- નંદિષણ :– મગધદેશમાં નંદિગ્રામમાં (આવ.ચૂ.ના મતે શાલિગ્રામમાં) એક ગરીબ બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ સોમિલા હતું. તેમને નંદિષેણ નામે એક પુત્ર હતો. નંદિષણના માતા–પિતા તેની બાલ્યાવસ્થામાં મૃત્યુ પામ્યા. નંદિષેણ મોટા પેટવાળો, લાંબા દાંતવાળો, ખરાબ નેત્રવાળો અને ચોરસ માથાવાળો હતો. તેમજ અત્યંત કુરૂપ હોવાથી તેના સ્વજનોએ તેનો ત્યાગ કરેલો. તે મામાને ત્યાં રહ્યો. મામાને સાત કન્યા વિવાહ યોગ્ય હોવાથી તેમણે કહેલું કે, હું તને એક કન્યા પરણાવીશ. કન્યાના લોભથી તે મામાને ત્યાં બધું કામ કરતો હતો. પણ એકે કન્યા તેને પરણવા ઇચ્છતી ન હતી. તે કન્યાઓએ પ્રતિજ્ઞા કરેલી કે, જો પિતા અમને આ કુરૂપી સાથે પરણાવશે તો અમે જરૂર મૃત્યુ પામીશું. કોઈ કન્યા તેની સાથે લગ્ન કરવા ઇચ્છતી ન હતી. તેથી વૈરાગ્ય પામી રત્નપુર નગરે આવ્યા. ત્યાં સુસ્થિત મુનિથી પ્રતિબોધ પામીને તેણે દીક્ષા લીધી. તેઓ આચાર્ય નંદિવર્ધનના શિષ્ય બન્યા. ગીતાર્થ થઈ નંદિષણમુનિ અભિગ્રહપૂર્વક સાધુઓની વૈયાવચ્ચ કરવા લાગ્યા. બાળ—ગ્લાન પ્રમુખ મુનિઓની વૈયાવચ્ચ કરનારા અને તેમાં કદી ખેદ નહીં પામનારા તે નંદિણમુનિના વૈયાવચ્ચ ગુણની કોઈ વખતે ઇન્દ્રે તેની સભામાં પ્રશંસા કરી. Page #156 -------------------------------------------------------------------------- ________________ કૃણ – બલભદ્ર – જરાસંધ ૧૫૫ ઇન્દ્રના વચન પરત્વે શ્રદ્ધા ન કરનાર કોઈ દેવ ગ્લાનમુનિનું રૂપ લઈ રનપુર નજીકના કોઈ અરણ્યમાં આવ્યો. એક બીજા સાધુનો વેશ વિફર્વી નંદિષણમુનિના સ્થાનમાં ગયો. નંદિષણમુનિને છઠ–છઠનો તપ ચાલતો હતો. તેનું પારણું હતું. નંદિષણમુનિ પારણું કરવા માટે બેસીને હજી કોળીયો હાથમાં લીધો, તેવામાં તે સાધુએ આવીને કહ્યું કે, હું ભદ્ર! સાધુઓની વૈયાવચ્ચની પ્રતિજ્ઞા લઈને તું ખાવા બેઠો છે ? નગરની બહાર અતિસાર રોગવાળા એક મુનિ સુધા અને તૃષાથી પીડિત છે. - તે સાંભળતા જ નંદિષેણ મુનિ આહાર કરવાનો પડતો મૂકીને શુદ્ધ પાણીની ગવેષણા કરવા નીકળ્યા. ત્યારે તે દેવે પોતાની શક્તિથી સર્વત્ર પાણી અનેષણીય કરવા માંડ્યું. તે લબ્ધિવાન્ મુનિના પ્રભાવે દેવની શક્તિ ટકી ન શકી. શુદ્ધ પાણીની ગવેષણા કરીને નંદિષણમુનિ તે ગ્લાનમુનિ પાસે આવ્યા. તે મુનિ આક્રોશ વચનથી નંદિષેણ મુનિને ધિક્કારવા લાગ્યા. નંદિષણમુનિએ ક્ષમાયાચના કરી, તે મુનિને જળપાન કરાવ્યું. પછી તે અશક્ત મુનિને પોતાના ખભા પર બેસાડીને ચાલ્યા. તો પણ તે મુનિએ આક્રોશ કરવાનું ચાલુ રાખ્યું. પછી તે દેવમુનિએ નંદિષણમુનિ પર વિષ્ટા કરી. તે વખતે નંદિષણમુનિ ચિંતવવા લાગ્યા કે, આ મહર્ષિ ક્યારે પીડા રહિત થાય ? તે મુનિના આક્રોશ વચનને પણ ગણકાર્યા નહીં. આવી તેની દૃઢતા જોઈને તે દેવે પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું. નંદિષણમુનિને ત્રણ પ્રદક્ષિણા દઈ તેને નમસ્કાર કર્યો. ક્ષમા માંગી. તે દેવે જ્યારે વરદાન માટે કહ્યું ત્યારે પણ નંદિષણમુનિ અયાચક રહ્યા. ત્યાર પછી નંદિષણમુનિ પોતાની વસતિમાં પાછા ફર્યા. બીજા મુનિઓએ પૂછતા ગર્વરહિતપણે સર્વહકીકત જણાવી દીધી. પછી ૧૨,૦૦૦ વર્ષ સુધી દુષ્કર તપ કર્યું. છેવટે અનશન કર્યું. તે વખતે તેને પોતાનું દુર્ભાગ્ય સ્મરણમાં આવ્યું. તેથી તેણે એવું નિયાણું કર્યું કે, આ તપના પ્રભાવે હું આગામી જન્મમાં સ્ત્રી વલ્લભ થઉં. આવું નિયાણું કરી, આલોચના કર્યા સિવાય કાળધર્મ પામીને તે મહાશુક્ર કલ્પ દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તે તમારા પુત્ર વસુદેવરૂપે જમ્યા છે. પછી અંધકવૃષ્ણિરાજાએ સોરિયપુરનું રાજ તેના મોટા પુત્ર (પહેલા દસાઈ) સમુદ્રવિજયને સોંપીને દીક્ષા ગ્રહણ કરી. ' વસુદેવે પણ સૌરિયપુરનું રાજ કરેલુ. તેને ઘણી બધી પત્ની (રાણીઓ) અને પુત્રો હતા. તેમાં રોહિણી અને દેવકી રાણીથી રામ (બળદેવ) અને કૃષ્ણ (વાસુદેવ) બે પુત્ર થયા. કંસના મૃત્યુ પછી તેઓ મથુરામાં રહ્યા. જરાસંધ દ્વારા પરેશાન કરાતા તેઓ મથુરા છોડીને બારાવતી (દ્વારિકા) આવીને રહેલા. દ્વારિકાના દહન વખતે તેનું મૃત્યુ થયેલું. ઇત્યાદિ અધિકાર આ કથામાં આગળ આવશે. ૦ વસુદેવ તથા નંદીષેણના આગમ સંદર્ભ :ઠા.મૂ. ૮૯૮ ની વૃ. સમ. ૩રર; અંત. ૧૨ થી ૧૪, ૧૭; અંત.મૂ. ૩, ૧૧ની વૃ. પડ્ડા. ૧૯ + . સા.નિ. ૯૨ની ચૂં. | જિય.ભા. ૮૨૫ થી ૮૪૬; આવ યૂ. ૧-પૃ.૩૫૬; ર–પૃ. ૯૪; ઓહ.નિ. ૮૩૭; દસ.યૂ. ૧૦૫; ઉત્ત. ૭૯૭, ૭૯૮; તિથો. ૬૦૨, ૬૦3; ૦ વસુદેવના રોહિણી સાથે લગ્ન-રામ બલદેવનો જન્મ : વસુદેવના અનેક કન્યાઓ સાથે લગ્ન થયા. પછી એક વખત વસુદેવ ક્યાંક જઈ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આગમ કથાનુયોગ-૨ રહ્યા હતા. તેવામાં કોઈ દેવતાએ આવીને તેને કહ્યું કે, હે વસુદેવ ! રુધિર રાજાની કન્યા રોહિણીને હું તને સ્વયંવરમાં આપું છું. માટે તારે ત્યાં જઈને પટપ્સ વગાડવો. પછી વસુદેવ અરિષ્ટપુરમાં રોહિણીના સ્વયંવર મંડપમાં ગયા. ત્યાં જરાસંધ વગેરે રાજાઓ આવીને બેઠા હતા. તે વખતે અતિ સૌંદર્યવતી રોહિણી મંડપમાં આવી. તેને કોઈ રાજા રુચ્યો નહીં. તે વખતે વાસુદેવ બીજો વેષ લઈને વાજિંત્રો વગાડનારાની વચ્ચે બેસી પટડ વગાડવા લાગ્યા. પટલમાંથી નીકળતા શબ્દોથી રોહિણીએ તેના સામે જોયું. જોતાવેંત જ તે રોમાંચિત થઈને તેણે વાસુદેવના કંઠમા માળા આરોપી દીધી. એ રીતે અરિષ્ટપુરના રાજા રુધિરની પુત્રી અને રાજકુમાર હિરણ્યનાભની બહેનના રોહિણી સાથે લગ્ન થયા. તેણે પોતાનું પરાક્રમ બતાવી મૂળરૂપે પ્રગટ કર્યું. પછી જરાસંધાદિ રાજાઓ પાછા ગયા. રાજલલિતનો જીવ સુંદર ચારિત્ર પાલન કરી મહાશુક્ર કલ્પ દેવતા થયેલ. તે ત્યાંથી ચવીને કાળક્રમે રોહિણીના ઉદરમાં ઉત્પન્ન થયો. તે સમયે અવશેષ રાત્રિએ તેણે બળદેવના જન્મને સૂચવનારા હાથી, સમુદ્ર, સિંહ અને ચંદ્ર એ ચાર સ્વપ્નો જોયા. પૂર્ણ સમયે રોહિણીએ ચંદ્ર જેવા ગૌર વર્ણના પુત્રને જન્મ આપ્યો. સમુદ્રવિજય આદિએ તેનો જન્મોત્સવ કર્યો. વસુદેવે તેનું રામ નામ પાડ્યું. તે બળભદ્ર નામે પ્રખ્યાત થયા. અનુક્રમે રામ મોટો થયો. તેણે ગુરુજનની પાસેથી સર્વકળાઓ ગ્રહણ કરી. સર્વ શાસ્ત્રો ભણ્યો. ૦ રોહિણીનો આગમ સંદર્ભ :સમ. ૩૨૬; પપ્પા. ૧૯, ૨૦, પહા. ૨૦ની વ. ઉત્ત. ૭૯૮; ઉત્ત.ભાવ.. તિલ્યો. ૬૦૪; ૦ દેવકી સાથે વસુદેવના લગ્ન : કોઈ વખતે કંસે સ્નેહથી વસુદેવને મથુરા આવવા કહ્યું. દશાર્ણ પતિ સમુદ્રવિજયની આજ્ઞાથી તે મથુરા ગયા. ત્યાં કંસે વસુદેવને કહ્યું કે, મૃત્તિકાવતી નામે મોટી નગરી છે. ત્યાં દેવકનામે રાજા છે તે મારા કાકા છે. તેને દેવકન્યા જેવી દેવકી નામે પુત્રી છે. તેને તમે પરણો. દશમાં દશાર્ણ વસુદેવે તે વાત સ્વીકારી. વસુદેવ અને કંસ અનુક્રમે મૃત્તિકાવતી નગરી પહોંચ્યા. દેવકી માટે માંગણી કરી. દેવકે તેની રાણી દેવીને પૂછ્યું. પછી શુભ દિવસે વસુદેવ સાથે દેવકીનો વિવાહ થયો. દેવકે વસુદેવને સુવર્ણાદિ પુષ્કળ ભટણું ધર્યું અને દશ ગોકુળના પતિ નંદને કોટિ ગાય સાથે પણ આપ્યો. પછી વસુદેવ, કંસ અને નંદ સાથે મથુરા આવ્યા. તે વખતે કંસના અનુજ બંધુ જેણે પૂર્વે ચારિત્ર ગ્રહણ કરેલ, તે અતિમુક્ત મુનિ તપશ્ચર્યાથી કૃશ થયેલા, તે પારણાને માટે કંસના ઘેર આવ્યા. તે વખતે કંસની પત્ની જીવયશાએ મુનિની ઘણી કદર્થનાપૂર્વક અનુકૂળ ઉપસર્ગ કર્યા. તે વખતે જ્ઞાની મુનિએ કહ્યું કે, જેના નિમિત્તે આ ઉત્સવ થાય છે. તેનો સાતમો ગર્ભ તારા પતિ કંસ અને તારા પિતા જરાસંધનો હણનાર થશે. કંસે જ્યારે તે વાત જાણી એટલે વસુદેવ પાસેથી વચન લઈને કપટથી દેવકીના સાતે ગર્ભ તેનો સોંપી દેવા કબૂલ કરાવ્યું. દેવકીએ પણ મૂળ વાત નહીં જાણતી હોવાથી તે વાત સ્વીકારી લીધી. વસુદેવને પછીથી તે વાતની જાણ થઈ, પણ પોતે સત્યવચની હોવાથી મનમાં ઘણો પસ્તાવો કરતો રહ્યો. Page #158 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ – બલભદ્ર – જરાસંધ ૧૫૭ ૦ દેવકીનો આગમ સંદર્ભ :સમ. ૩૫૩; અંત. ૧૩; પપ્પા ૧૯; નિસી.ભા. ર૯૪ની ચૂં. ઉત્ત. ૭૯૮; તિત્વો. ૬૦૩; ૦ નાગ પત્ની સુલસા : એ સમયે ભજિલપુરમાં નાગ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને સુલસા નામે પત્ની હતી. તે બંને પરમ શ્રાવક હતા. અતિમુક્ત નામના ચારણલબ્ધિધારી મુનિએ તે સુલતાના સંબંધમાં આગાહી કરેલી કે, આ કન્યા નિંદ-મૃતપુત્રા થશે. તે સાંભળી સુલસાએ હરિસેગમેલી દેવની આરાધના કરી. તે દેવ સંતુષ્ટ થયો. દેવતાએ કહ્યું કે, હે કન્યા! તને તો હું પુત્ર આપી ન શકું, પણ કંસે મારવા માટે દેવકીના ગર્ભ માંગ્યા છે. તે હું તને તારા મૃત ગર્ભના પ્રસવ સમયે અર્પણ કરીશ. દેવે પોતાની શક્તિથી દેવકી અને સુલતાને એક જ સમયે રજસ્વલા કરી. તેઓ બંને સાથે જ સગર્ભા થઈ. સાથે જ બાળકને જન્મ આપ્યો. ત્યારે દેવતાએ સુલતાના મૃતગર્ભને સ્થાન દેવકીના ગર્ભને ગોઠવી દીધો. તેના મૃતગર્ભને દેવકીના પુત્રને સ્થાને મૂકી દીધો. કંસે સુલતાના મૃતગર્ભને દેવકીના પુત્ર માની પત્થરની શિલા ઉપર દૃઢપણે અફળાવીને તેને મારી નાંખ્યાનું માનવા લાગ્યો. એ રીતે દેવકીના છ ગર્ભ સુલતાને ઘેર પુત્રની જેમ સ્તનપાન કરીને સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યા. તેમના નામ અનુક્રમે :૧. અનીકયશ, ૨. અનંતસેન, ૩. અનિહત, ૪. વિદુ, ૫. દેવયશ, ૬. શત્રુસેન પાડ્યા. આ છ એ કુમાર કુબેર સમાન રૂપવાનું અને એક સરખા દેખાતા હતા. છેલ્લે આ છ એ પુત્રોએ અરિષ્ઠનેમિ પાસે દીક્ષા લીધેલી. ૦ સુલતાનો આગમ સંદર્ભ :** અંત, ૧૦, ૧૧, ૧3; આવયૂ.૧–પૃ. ૩૫૭; ૦ કૃષ્ણનો જન્મ : કોઈ વખતે ઋતુસ્નાતા દેવકીના ગર્ભમાં મહાશુક્ર દેવલોકથી ચ્યવીને ગંગદત્તનો જીવ આવ્યો તે રાત્રિએ દેવકીએ સાત મહાસ્વપ્નો જોયા. જે સાત સ્વપ્નો વાસુદેવની માતા વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે જુએ છે. તે આ પ્રમાણે :- સિંહ, સૂર્ય, અગ્નિ, હાથી, ધ્વજ, વિમાન અને પા સરોવર, દેવકીએ રત્નવત્ તે ગર્ભને ધારણ કર્યો. અનુક્રમે શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ મધ્યરાત્રે દેવકીએ કૃષ્ણ (નીલ) વર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. વસુદેવે પોતાના તે પુત્રનું નામ કૃષ્ણ પાડ્યું. તેનો જન્મ થતાં જ દેવતાના સાંનિધ્યથી શત્રુઓના દૃષ્ટિપાતનો નાશ થયો. તેના જન્મ વખતે દેવતાઓએ કંસના ચોકીયાતોને નિદ્રાધીન કરી દીધા. દેવકીએ વસુદેવને વિનંતી કરી કે, કંસે તમને વાણીથી બાંધી લીધા. મારા છ પુત્રોનો નાશ કર્યો. હવે આ પુત્રની માયા વડે પણ રક્ષા કરો. તમે તેને નંદના ગોકુળમાં લઈ જાઓ. ત્યાં તે મોસાળની જેમ રહીને મોટો થશે. નેહાર્ટ વસુદેવે પહેરેગીરોને સુતેલા જોયા. ત્યાંથી પુત્રને લઈને બહાર નીકળી ગયા. તે વખતે દેવતાએ તે બાળક પર છત્ર ધારણ કર્યું, પુષ્પની વૃષ્ટિ કરી. આઠ ઉગ્ર દીવાથી માર્ગમાં ઉદ્યોત કરવા લાગ્યા. પછી શ્વેત વૃષભરૂપ લઈ તે દેવતાઓએ બીજાઓ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આગમ કથાનુયોગ-૨ ન જાણે તેમ નગરીના દ્વાર ઉઘાડી દીધા. પછી વસુદેવ નંદના ઘેર પહોંચ્યા. નંદની સ્ત્રી યશોદાએ તે કાળે એક પુત્રીને જન્મ આપ્યો હતો. વસુદેવે તેને પુત્ર સોંપી, પુત્રી લીધી. દેવકીની પાસે જઈને તેને પુત્રને સ્થાને મૂકી દીધી. ત્યાર પછી કંસના ચોકીદારો જાગી ગયા. શું જમ્યુ? એમ પૂછતાં અંદર આવ્યા. ત્યાં પુત્રી જોવામાં આવી. તેઓ પુત્રીને કંસ પાસે લઈ ગયા. કંસને થયું કે, આ તો સ્ત્રી માત્ર છે. મુનિનું વચન મિથ્યા થયું લાગે છે. તેથી તે પુત્રીની એક બાજુની નાસિકા છેદીને દેવકીને પાછી સોંપી દીધી. ૦ કૃષ્ણનું બાળપણ અને વૃદ્ધિ : દેવતા દ્વારા રક્ષા કરાતો તે વસુદેવ-દેવકીનો પુત્ર કૃષ્ણ નંદને ઘેર મોટો થવા લાગ્યો. દેવકીને પુત્રનું મુખ જોવાની ઇચ્છા થઈ એટલે ગોપૂજાના બહાને તેણી ગોકુળમાં આવી. ત્યાં હૃદયમાં શ્રીવત્સના લાંછનવાળો, નીલકમલ જેવી કાંતિવાળો, પ્રફૂલ્લિત કમળ જેવા નેત્રવાળો, કર–ચરણાદિમાં ચક્રાદિ ૧૦૮ ઉત્તમ લક્ષણોને ધારણ કરતો પુત્ર યશોદાના ખોળામાં રમતો જોયો. કોઈ વખતે શકુનિ અને પૂતના વિદ્યાધરી ગોકુળમાં આવી. વસુદેવ સાથે વૈર લેવા માટે તેણે કૃષ્ણને મારવાનું નક્કી કર્યું હતું. એકલા કૃષ્ણને જોઈને શકુનિ વિદ્યાધરીએ ગાડા ઉપર બેસી, નીચે રહેલા કૃષ્ણને દબાવ્યા. પૂતનાએ વિષથી લિપ્ત પોતાનું સ્તન કૃષ્ણના મુખમાં આપ્યું. તે વખતે કૃષ્ણના સાંનિધ્યમાં રહેલા દેવતાઓએ ગાડાં વડે જ તે બંનેને પ્રહાર કરીને મારી નાંખ્યા. કૃષ્ણના મુખમાંથી વિષને સંહરી લીધું. જ્યારે નંદ અને યશોદાએ તે જાણ્યું ત્યારે આક્રંદ કરવા લાગ્યા. ત્યારે ગોવાળોએ કહ્યું કે, બાળ હોવા છતાં તમારા આ બળવાનું બાળકે ગાડું વીખી નાખ્યું છે અને તે એકલો હોવા છતાં આ બે વિદ્યાધરીને મારી નાખી છે ત્યારથી યશોદા આદરપૂર્વક નિરંતર તેને પોતાની પાસે જ રાખવા લાગ્યા. તો પણ ઉત્સાહી કૃષ્ણ કપટ કરીને આમતેમ ભાગી જતા હતા. કોઈ વખત એક દોરડી કૃષ્ણના ઉદર સાથે બાંધી. બીજો છેડો ખાંડણીઆ સાથે બાંધી, બીતા બીતા યશોદા પડોશીને ઘેર ગઈ. તે વખતે કોઈ વિદ્યાધર ત્યાં આવ્યો. તેણે પાસ–પાસે રહેલા બે વૃક્ષ જેવું રૂપ કર્યું. પછી કૃષ્ણને ખાંડણીઆ સહિત ચાંપી મારવા માટે તે બે વૃક્ષની વચ્ચે લાવવા પ્રયત્ન કર્યો. કૃષ્ણના રક્ષક દેવોએ તે વૃક્ષને ભાંગી નાખીને તેને અત્યંત પ્રહાર કર્યો. તેવામાં કૃષ્ણ હાથીના બચ્ચાની જેમ બંને વૃક્ષોને ભાંગી નાખ્યા છે.” એ વાત નંદ અને યશોદા સુધી પહોંચી ગઈ. તે ગોપ અને ગોપાંગનાઓને અત્યંત પ્રિય થઈ ગયા. આ વાત સમુદ્રવિજયાદિ દશાના સાંભળવામાં આવી. વસુદેવ ચિંતવવા લાગ્યા કે, મેં મારા પુત્રને ગોપવ્યો છે. છતાં તે આવા પરાક્રમોથી પ્રસિદ્ધ થઈ જશે તો કંસ તેને મારી નાંખશે. તેના રક્ષણ માટે રામ (બલભદ્ર)ને ત્યાં મોકલું. કેમકે હજી કંસ તેને ઓળખતો નથી. પછી રામને બોલાવી તેને સર્વ હકીકત સમજાવી નંદ તથા યશોદાને પુત્રપણે અર્પણ કર્યો. રામ(બલભદ્ર) ગોકુળમાં ગયા પછી દશ ધનુ ઊંચા શરીરવાળા અને સુંદર આકૃતિવાળા તે બંને બીજા સર્વકાર્યો મૂકીને ક્રીડા કરવા લાગ્યા. રામ પાસે કૃષ્ણ ધનુર્વેદ તેમજ અન્ય સર્વે કળાઓ શીખ્યા. મિત્રવત્ પરસ્પર સ્નેહર્પક રહેવા લાગ્યા. ક્ષણમાત્ર પણ Page #160 -------------------------------------------------------------------------- ________________ બલભદ્ર જરાસંધ એકમેકનો વિયોગ સહન કરી શકતા ન હતા. કૃષ્ણ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ગોપાંગનાઓનાં ચિત્તમાં વસવા લાગ્યા. ગોપાંગનાઓ તેમના પ્રતિ સતત આકર્ષિત રહેવા લાગી. કૃષ્ણ નાચતા ત્યારે રામ હસ્તતાલ દેતા રહેતા. આ પ્રમાણે ક્રીડા કરતા રામ અને કૃષ્ણને અગિયાર વર્ષ વીતી ગયા. ૦ કંસનો વધ : કૃષ્ણ -- ――――― કંસ કોણ ? ભોજવૃષ્ણિએ દીક્ષા લીધી. મથુરામાં ઉગ્રસેન રાજા થયા. તેને ધારિણી નામે પટ્ટરાણી હતી. એક વખતે ઉગ્રસેન રાજાએ માર્ગમાં બેઠેલા કોઈ માસોપવાસી તાપસને તેણે જોયો. તે તાપસને એવો અભિગ્રહ હતો કે, પારણે પહેલા ઘરમાંથી ભિક્ષા મળે તો જ લેવી. ત્યાં ન મળે તો બીજે ઘેરથી ભિક્ષા ન લેવી. ઉગ્રસેન રાજા તેને પારણાનું નિયંત્રણ કરીને પોતાને ઘેર ગયા. તાપસમુનિ તેની પાછળ ગયા. ઘેર જઈને રાજા તે વાત ભૂલીયા. તાપસને ભિક્ષા ન મળવાથી પારણું કર્યા સિવાય જ પોતાને સ્થાને પાછા ફર્યા. ફરી તેણે માસોપવાસ શરૂ કર્યા. અન્યદા રાજા ફરી તે સ્થાન તરફ આવ્યા. તાપસને જોતાં જ પૂર્વે નિમંત્રણ કરેલ તે વાત યાદ આવી. રાજાએ ત્યાં જઈ ક્ષમાયાચના કરી. ફરી પાછું પારણા માટે પધારવા નિમંત્રણ આપ્યું. બીજી વખત પણ રાજા ભૂલી ગયા. તાપસ પારણું કર્યા વિના જ પાછા ફર્યા. ફરી પાછું રાજાએ ત્યાં જઈ ક્ષમા માંગી. ફરી નિમંત્રણ આપ્યું. ફરી ભૂલી ગયા. તાપસને ત્રીજી વખતે સખત ક્રોધ ચઢયો. તેણે નિયાણું કર્યું કે, આ તપના પ્રભાવ વડે હું ભવાંતરમાં આ રાજાનો વધ કરનાર થઉં. પછી અનશન કરી તે તાપસ મૃત્યુ પામ્યો. તે તાપસ મરીને ઉગ્રસેનની પત્ની ધારિણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તે ગર્ભના પ્રભાવે ધારિણીને પતિનું માંસ ખાવાની ઇચ્છા થઈ. અતિ કષ્ટ કરીને તેણીએ તે વાત ઉગ્રસેનને કરી. મંત્રીઓએ કપટપૂર્વક ધારિણીનો દોહદ-ઇચ્છાની પૂર્તિ કરી, જ્યારે તેને તે બાળક જન્મ્યો ત્યારે માતાને અનિષ્ટ લાગતા તે બાળકને કાંસાની પેટીમાં મૂકી દીધો. પછી પેટીમાં રાજાની તથા પોતાના નામની અંકિત બે મુદ્રા મૂકી દીધી. તથા એક પટ્ટક લખીને મૂક્યો. પેટીને યમુના નદીમાં વહાવી દીધી અને રાજાને કહ્યું કે, તે પુત્ર તો જન્મતાં જ મૃત્યુ પામ્યો. તે પેટી તણાતી–તણાતી શૌર્યપુરના દ્વારે પહોંચી. સુભદ્ર નામે કોઈ રસવણિકના હાથમાં તે પેટી આવી. તેણે બાળકને લઈને પોતાની પત્ની ઇંદુને સોંપ્યો. તે દંપતીએ તેનું કંસ નામ રાખ્યું. કાળક્રમે તે બાળક મોટો થવા લાગ્યો. તે કલહપ્રિય હતો. બધાં બાળકોને મારતો– કૂટતો રહેતો. જ્યારે તે દશ વર્ષનો થયો ત્યારે તેઓએ કંસને વસુદેવની સેવા કરવા સોંપ્યો. વસુદેવ પાસે રહી તે બધી કળા શીખ્યો. એમ કરતા તે યૌવન વયને પ્રાપ્ત થયો. તેણે સિંહરથ રાજાનું સૈન્ય ભાંગી નાંખીને સિંહરથને પકડી લીધો. તે પરાક્રમને કારણે જરાસંધ પ્રતિશત્રુએ પોતાની પુત્રી જીવયશા કંસને પરણાવી. તે વખતે કંસને પણ પોતે ઉગ્રસેનનો પુત્ર છે તેની જાણ થતાં, તેણે પિતા પરત્વેના રોષથી મથુરા નગરીની માંગણી કરી. જરાસંઘે તે નગરી પણ આપી. પછી કંસ જરાસંધના સૈન્યને લઈને મથુરા આવ્યો. પોતાના પિતા ઉગ્રસેનને બાંધીને કેદમાં નાંખ્યા. કંસ મથુરાનો રાજા થયો. ૧૫૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ અતિમુક્તમુનિના વચનથી પોતાનું મૃત્યુ ટાળવા તેણે વસુદેવ—દેવકીના છ પુત્રો તો માંગી લીધેલા. સાતમો પુત્ર કૃષ્ણ વસુદેવે ગુપ્ત રીતે ગોકુળમાં મોકલી દીધેલ. કંસે માન્યુ કે, દેવકીને સાતમી પુત્રી થઈ છે એટલે તેની એક નાસિકા છેદી છોડી દીધેલ. કોઈ વખતે દેવકી પાસે આવેલા કંર્સ તેના ઘરમાં એક નાસિકા છેદાયેલ કન્યાને જોઈ. તેથી ભય પામેલા કંસે પોતાને ત્યાં આવીને નિમિત્તિયાને બોલાવીને પોતાના મૃત્યુ વિશે પૂછ્યું. નૈમિત્તિકે કહ્યું કે ઋષિનું વચન કદિ મિથ્યા થતું નથી. તમારો અંત લાવનાર દેવકીનો પુત્ર ક્યાંય પણ જીવતો હશે. તેની પરીક્ષા કરવા તમારો અરિષ્ટ નામે બળદ, કેશી નામે અશ્વ, કુંદાત એવો ખર અને મેષ વૃંદાવનમાં છૂટા મૂકો. જે આ ચારેને મારી નાંખે તે જ દેવકીનો સાતમો ગર્ભ તમને હણનાર થશે. ૧૬૦ આ પ્રમાણે નૈમિત્તિકના વચનથી પોતાના શત્રુને જાણવા કંસે અરિષ્ટ આદિ ચારે બળવાન્ પશુને વૃંદાવનમાં છુટા મૂક્યા. તે સાથે ચાણ્ર તથા મુષ્ટિક નામના બે મલ્લને ત્યાં ધ્યાન રાખવા જણાવ્યું. અરિષ્ટ બળદ વૃંદાવનમાં ગોપ લોકોને ઉપદ્રવ કરવા લાગ્યો, ગોવાળો હે રામ ! હે કૃષ્ણ ! અમારી રક્ષા કરો તેમ પોકાર કરવા લાગ્યો. કૃષ્ણ રામને લઈને ત્યાં દોડી ગયા. ત્યાં કૃષ્ણે તે દુર્માંત બળદને શીંગડાથી પકડ્યો. તેનું ગળું વાળી મારી નાંખ્યો. પછી કોઈ વખતે કેશી નામક બળવાન્ અશ્વ યમરાજાની જેમ ત્યાં ઉપદ્રવ ફેલાવવા લાગ્યો. કૃષ્ણે તેના મોઢામાં હાથ નાંખી ગળા સુધી હાથ લઈ જઈ તેનું મુખ ફાડી નાંખ્યું. તે જ રીતે કંસના પરાક્રમી ખર અને મેંઢાને પણ મારી નાખ્યા. પછી કંસનું શાંર્ગ ધનુષુ ચઢાવ્યું. કંસ તેનાથી ભય વિહ્વળ બન્યો. પછી અવસર જોઈને રામે કૃષ્ણને સમગ્ર વૃત્તાંત જણાવી દીધો. ત્યારે કૃષ્ણે જાણ્યું કે, તે વસુદેવ-દેવકીનો પુત્ર છે. કંસના ભયથી જ આ રીતે વૃંદાવનમાં યશોદા પાસે રહ્યો છે. એક વખત યમુના નદીમાં નહાતી વખતે તેણે કાલિય નામના સર્પને નાથ્યો. તે વખતે કંસની આજ્ઞાથી મહાવર્ત પદ્મોત્તર અને ચંપક નામના બે હાથીને તૈયાર કર્યા. તેને પ્રેરણા કરી એટલે તે બંને કૃષ્ણની સન્મુખ દોડ્યા. તે વખતે કૃષ્ણ દાંત ખેંચી કાઢીને મુષ્ટિના પ્રહારથી પદ્મોત્તર હાથીને મારી નાંખ્યો અને રામે ચંપક હાથીને મારી નાંખ્યો. નગરજનો વિસ્મય પામ્યા. પછી નીલવસ્ત્રધારી રામ અને પીતવસ્ત્રધારી કૃષ્ણ મલ્લોના અખાડામાં આવ્યા. રામે કૃષ્ણને બતાવ્યું કે, પે'લો કંસ છે. કંસે મલ યુદ્ધમાં પર્વત જેવા ચાણૂરને ઉતાર્યો. તે બાહુયુદ્ધ માટે ગર્જના કરવા લાગ્યો. તેની અતિગર્જના સહન ન થતા. મહાભૂજ કૃષ્ણ મંચથી નીચે ઉતરી તેની સામે હાથ પછાડ્યો. લોકોમાં કોલાહલ થવા લાગ્યો. કંસે ક્રોધથી કહ્યું કે, આ બે ગોવાળીઆને અહીં કોણ લાવ્યું છે ? પરાક્રમી એવા કૃષ્ણ અને રામે કંસના તે વચનને ગણકાર્યું નહીં. તે બંને મલ્લયુદ્ધમાં ઉતર્યા. કૃષ્ણ અને ચાણ્ર તથા રામ અને મુષ્ટિક પરસ્પર બાયુદ્ધમાં પ્રવર્ત્યા. રામ અને કૃષ્ણે તે મુષ્ટિક અને ચાણ્રને ઘાસની પૂતળાની જેમ ઊંચે ઉછાળ્યા. પછી તેઓ વચ્ચે પરસ્પર લાંબુ યુદ્ધ ચાલ્યુ. છેલ્લે રામ અને કૃષ્ણએ તે મલ્લને ખતમ કરી દીધા. તે વખતે ભયથી કંપતા કંસે હુકમ કર્યો કે, આ અધમ બંને ગોપબાળોને તત્કાળ મારી નાખો, વિલંબ ન કરો. આ બંનેને પોષનાર નંદને પણ મારી નાંખો. તેથી રોષથી મંચ ઉપર ચઢીને Page #162 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ – બલભદ્ર – જરાસંધ ૧૬૧ વાળ વડે પકડીને કૃષ્ણ કંસને પૃથ્વી પર પાડી દીધો. તેનો મુગટ પડી ગયો, વસ્ત્રો ખસી ગયા. નેત્રો ભયથી સંભ્રમ પામી ગયા. કૃષ્ણ કંસને કહ્યું કે, અરે અધમ ! તેં તારી રક્ષાને માટે વૃથા ગર્ભની હત્યાઓ કરી, હવે તું રહેવાનો નથી. તે વખતે દોડી આવેલા કંસના સુભટોને રામે માંચડાનો એક સ્તંભ ઉખેડી તેના વડે બધાંને નસાડી મૂક્યા. પછી કૃષ્ણ કંસના મસ્તક પર પગ મૂકીને તેને મારી નાંખ્યો. ૦ કંસના આગમ સંદર્ભ :આયા.મૂ. ૬૩ની વ સૂય.....પૃ. ૩૪૦; પહા. ૧૯; પપ્પા.મૂ. ૨૦ની વૃ. આવ.ચૂ.૧–પૃ. ૩૫૭; ઉત્ત.ભાવ.વૃ. ૦ પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ) જરાસંઘનો વધ : રાજા બૃહદ્રથનો પુત્ર જરાસંધ હતો. તે પ્રચંડ આજ્ઞાવાળો અને ત્રણ ખંડ ભારતનું રાજ્ય ભોગવતો પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ) હતો. તેને જીવયા નામે પુત્રી હતી. કંસનું પરાક્રમ જોઈને તેણે જીવયશા કંસને પરણાવેલી હતી, જ્યારે કૃષ્ણ કંસને મારી નાખ્યો ત્યારે તે જીવયાએ પ્રતિજ્ઞા કરેલી કે, રામ, કૃષ્ણ અને દશાર્ડોને હણાવ્યા પછી જ તેણી તેના પતિનું પ્રેત કાર્ય કરશે. અન્યથા તેણી અગ્રિમાં પ્રવેશ કરશે. આવી પ્રતિજ્ઞા લઈ તેણી મથુરાથી નીકળી પોતાના પિતા જરાસંધ પાસે રાજગૃહીમાં આવેલી. અફાટ રૂદન કરતી જીવયશાને જરાસંધે જોઈ ત્યારે પુત્રીને રૂદનનું કારણ પૂછતાં તેણીએ અતિમુક્ત મુનિની ભવિષ્યવાણીથી લઈને કંસના ઘાત સુધીનો સર્વ વૃત્તાંત જરાસંધને જણાવ્યો. જરાસંધે પુત્રીને વચન આપ્યું કે, તે કંસના સર્વ ઘાતકોને સપરિવાર મારી નાખશે. ત્યારે જીવયશા શાંત થઈ. પ્રતિશત્રુ જરાસંધે તેના માંડલીક રાજા સમુદ્રવિજયને આજ્ઞા કરી કે, કંસની હત્યા કરનારા રામ અને કૃષ્ણને સોંપી દો. સમુદ્રવિજયે કંસે કરાવેલી વસુદેવના છ પુત્રોની હત્યાની વાત જણાવી. તો પણ જરાસંધનો દૂત ન માન્યો. એટલે દશાર્ણપતિ બધા યાદવોને ભેગા કરીને જરાસંધની સાથે યુદ્ધ કરવા ચાલ્યા. જરાસંધે તેના પુત્ર સહદેવ વગેરેને લડવા મોકલ્યા. વનમાં અતિમુક્તમુનિ મળ્યા. ત્યારે સમુદ્રવિજય આદિએ તેમને વંદન-સત્કાર આદિ કરી પૂછયું કે, આ યુદ્ધનું પરિણામ શું આવશે? ત્યારે મુનિએ કહ્યું કે, આ રામ બલદેવ અને કૃષ્ણ વાસુદેવ દ્વારિકા નગરી વસાવીને રહેશે. જરાસંધનો વધ કરી અર્ધ ભારતના સ્વામી થશે. પછી સમુદ્રવિજય રામ અને કૃષ્ણ સહિત અઢાર કુળકોટિ યાદવોને લઈને રૈવતક ગિરિ તરફ આવ્યા. ત્યાંથી આગળ વાયવ્ય દિશામાં છાવણી નાંખીને રહ્યા. શુભ દિવસે કૃષ્ણ સ્નાન કરી, બલિકર્મ કરી, સમુદ્રની પૂજા કરી. અઠમ તપ કર્યો. ત્રીજી રાત્રિએ લવણસમુદ્રનો અધિષ્ઠાતા દેવ અંજલિ જોડીને પ્રગટ થયો. તેણે કૃષ્ણને પંચજન્ય શંખ અને રામને સુઘોષ શંખ આપ્યો. તે સિવાય દિવ્ય રત્નમાળા અને વસ્ત્રો આપ્યા. પછી પૂછયું કે, મને શા માટે યાદ કર્યો ? ત્યારે કૃષ્ણ દ્વારિકાનગરી વસાવવા માટે કહ્યું. ૦ દ્વારિકા (બારામતી) નિર્માણ :- તે દેવે ઇન્દ્રને વાત કરી, ઇન્દ્રની આજ્ઞાથી વૈશ્રમણદેવ કુબેરે તે સ્થાને પોતાના કૌશલ્યથી બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી રત્નમય નગરી બનાવી. સ્વર્ણ પ્રાકારોથી યુક્ત, પંચવર્ણીમણિથી જડિત કાંગરા વડે ternational Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આગમ કથાનુયોગ-૨ શોભતી અને કુબેરનગરી સદશ હતી. તેની આસપાસ અઢાર હાથ ઊંચો, નવ હાથ ભૂમિમાં રહેલો, બાર હાથ પહોળો અને ફરતી ખાઈવાળો કિલ્લો બનાવ્યો. તે પ્રમોદ અને ક્રીડાના સ્થાન સમાન સાક્ષાત્ દેવલોક જેવી પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતી. તેમાં વિવિધ પ્રકારના અનેક મહેલો બનાવ્યો. જિનચૈત્યોનું નિર્માણ કર્યું. દશાર્દો માટે વિવિધ પ્રાસાદ બનાવ્યા. સરોવર-વાવડી, ચૈત્યો–ઉદ્યાનો આદિનું નિર્માણ કર્યું. ઇન્દ્રપુરી જેવી રમણીય તે નગરીનું એક જ રાત્રિમાં નિર્માણ કર્યું. તેની બહાર ઇશાન ખૂણામાં રૈવતક પર્વત હતો. નંદનવન ઉદ્યાન હતું. સુરપ્રિય યક્ષનું મંદિર હતું. ચારે તરફ વનખંડો હતા. - પછી કુબેર કૃષ્ણને બે પીતાંબર, નક્ષત્રમાળા, હાર, મુગટ, કૌસ્તુભમણી, શાંગંધનુષ્ય, અક્ષય બાણવાળા ભાથા, નંદક નામે ખગ, કૌમુદકી ગદા અને ગરૂડધ્વજ રથ આપ્યો. રામને વનમાળા, મૂશળ, બે નીલવસ્ત્ર, તાલધ્વજ રથ, અક્ષયભાથા, ધનુષ્ય અને હળ આપ્યા. દશે દશાર્ણોને રત્નનાં આભરણો આપ્યા. ત્યાર પછી રામે સિદ્ધાર્થ નામના સારથીવાળા અને કૃષ્ણ દારૂક નામના સારથીવાળા રથમાં બેસીને વારિકામાં પ્રવેશ કર્યો. કુબેરે સાડા ત્રણ દિવસ સુધી સુવર્ણ, રત્ન, ધન, વસ્ત્ર, ધાન્યાદિની વૃષ્ટિ કરીને તે નગરીને ભરી દીધી. ૦ શિશુપાલ સાથે યુદ્ધ : કુંડિનપુરમાં ભીષ્મક નામે રાજા હતો. તેને યશોમતી નામે રાણી હતી. તેમને રૂકુમી નામે પુત્ર અને રૂક્િમણી નામે સ્વરૂપવાનું પુત્રી હતી. કૃષ્ણ રૂક્િમણી પાસે દૂત મોકલી લગ્ન માટે માંગણી કરેલી. ત્યારે રૂમિએ કહેલું કે, એક ગોવાળીયા સાથે મારી બેનના લગ્ન કરું? મારી બહેનના લગ્ન તો રાજા દમઘોષના પુત્રસુકિતમતી નગરીના રાજા શિશુપાલ સાથે કરીશ. આ વાત દૂતે દ્વારિકા આવીને કૃષ્ણને જણાવી. રુકિમણીની ફોઈએ કહ્યું કે, મને અતિમુક્તકમુનિએ કહ્યું છે કે, આ રાજકુમારી કૃષ્ણની પટ્ટરાણી થશે. જે પશ્ચિમના સાગર કિનારે દ્વારિકા નગરી વસાવે તેને કૃષ્ણ જાણવો. તેથી રૂક્િમણી પણ કૃષ્ણને પરણવાની ઇચ્છાવાળી થઈ જાણી, કૃષ્ણ પાસે દૂત મોકલીને તે વાત જણાવી. રૂમિએ શિશુપાલની સાથે પોતાની બહેનને પરણાવવા બોલાવ્યો. શિશુપાલ મોટી સેના લઈને આવ્યો. રામ અને કૃષ્ણ કુંડિનપુર આવ્યા. રૂક્િમણીને રથમાં બેસાડી રથ હાંકી મૂક્યો. દૂર જઈને કૃષ્ણ પાંચજન્ય અને રામે સુઘોષા નામનો શંખ વગાડ્યો. રૂમિ અને શિશુપાલ મોટી સેના લઈ રામ અને કૃષ્ણની પાછળ ચાલ્યા. ત્યાં શિશુપાલ સાથે મહાયુદ્ધ થયું. શિશુપાલ સહિત રૂમિની સેના પલાયન થઈ ગઈ. રામે રૂક્િમને રૂક્િમણીનો (કૃષ્ણની પત્નીનો) ભાઈ જાણીને છોડી મૂક્યો. - શિશુપાલનો આગમ સંદર્ભ :સૂય.મૂ. ૧૬૫ + વૃ. સૂય યૂ.પૂ. ૧૦૦; નાયા. ૧૭૦; પા .મૂ. ૨૦ + 9. આવ યૂ.૧–પૃ. ૫૬૩; ઉત્ત.ભાવ.. –૦- જરાસંધનો વધ : એક વખત કોઈ વણિકજનો દ્વારા જીવયશાએ દ્વારિકા (બારામતી) નગરી અને કૃષ્ણ વિશે જાણ્યું. તેણે રડતા-રડતા જરાસંધને તે વાત જણાવી. મંત્રીના વારવા છતાં Page #164 -------------------------------------------------------------------------- ________________ જરાસંધ જરાસંધે સેનાને આજ્ઞા આપી. સહદેવ વગેરે પુત્રો, શિશુપાલ આદિ રાજાઓ તૈયાર થયા. જ્યારે જરાસંધ ચાલ્યો ત્યારે મસ્તકેથી મુગટ પડી ગયો. હાર તુટ્યો, વસ્ત્ર પગમાં ભરાયુ, છીંક આવી ઇત્યાદિ અપશુકનો થયા. જરાસંધ હાથી પર આરૂઢ થઈ પૃથ્વીને કંપાવતો આગળ વધ્યો. કૃષ્ણને તે સમાચાર મળ્યા. તેણે ભેરીનો નાદ કર્યો. સમુદ્રવિજય આદિ પણ તૈયાર થઈને સામે ચાલ્યા. શુભ દિવસે દારૂક સારથીવાળા અને ગરૂડના ચિન્હવાળા રથ પર આરૂઢ થઈને કૃષ્ણે પણ પ્રયાણ કર્યું. કૃષ્ણ -- બલભદ્ર - પરસ્પર જુદા જુદા વ્યૂહ રચીને લડવા લાગ્યા, મહાયુદ્ધ થયું. કેટલાંયે મહાયોદ્ધા હણાયા. ત્યાર પછી સેનાપતિપદે શિશુપાલનો અભિષેક કર્યો. યાદવોએ કૃષ્ણની આજ્ઞાથી ગરૂડ વ્યૂહ રચ્યો. શિશુપાલે ચક્રવ્યૂહ રચ્યો. રાજા જરાસંધ રણભૂમિમાં આવ્યો. જરાસંધે ક્રોધથી ધનુષ્યનો ટંકાર કર્યો. વેગથી પોતાનો રથ રામ અને કૃષ્ણની સામે ચલાવ્યો. શિશુપાલે કૃષ્ણ સામે તીક્ષ્ણ બાણો છોડ્યા. જેથી કૃષ્ણે બાણ વડે શિશુપાલના ધનુષ્ય, કવચ અને રથને છેદી નાખ્યા. ત્યારે શિશુપાલ ખડગ ખેંચીને કૃષ્ણ સામે દોડ્યો. કૃષ્ણે તેના ખડ્ગ, મુકુટ અને મસ્તક છેદી નાખ્યા. શિશુપાલનો વધ થતા જરાસંધ ક્રોધ પામ્યો અને યમરાજ જેવો ભયંકર થઈ ગયો. જરાસંધે યાદવો સાથે યુદ્ધ કરવા માંડ્યુ. તેની સામે ચારે પ્રકારની સેનામાંથી કોઈ ટકી શકતું ન હતું. પછી કૃષ્ણ સામે તેણે ક્રોધપૂર્વક બાણો છોડવા શરૂ કર્યા. કૃષ્ણે તે બાણને છેદવા માંડ્યા. બંને મહારથીઓ દિશાઓને ગજવતા યુદ્ધ કરવા લાગ્યા. તેમ કરતા જ્યારે જરાસંધના સર્વ અસ્ત્રો નિષ્ફળ ગયા, ત્યારે જરાસંઘે દુર્વાહ એવા ચક્રનું સ્મરણ કર્યું. તેણે કૃષ્ણ પર ચક્ર છોડ્યું. તે ચક્ર કૃષ્ણની પાસે આવીને ઊભું રહ્યું. કૃષ્ણે તે ચક્રને હાથમાં લીધું. તે સમયે દેવતાઓએ આકાશવાણી કરી કે, આ નવમાં વાસુદેવ ઉત્પન્ન થયા છે. કૃષ્ણ પર સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ કરી. કૃષ્ણે જરાસંધ પર ચક્ર છોડ્યું. જરાસંધનું મસ્તક પૃથ્વી પર પાડી દીધું. દેવતાઓએ ઊંચે સ્વરે જયનાદ કરી કૃષ્ણ પર પુષ્પવૃષ્ટિ કરી. કૃષ્ણ વાસુદેવ થયા. રામ બલદેવ થયા, પ્રતિશત્રુ જરાસંધનું તેના જ ચક્ર વડે મૃત્યુ થતા તે નરકે ગયા. ૦ જરાસંધના આગમ સંદર્ભ : આયા.ચૂ.પૃ. ૮૬; ઠા. ૮૧૧; નાયા. ૧૭૦; આવ.ચૂ૧-૫ ૨૨૦, ૪૯૨; ચૂ.પૃ. ૪૧; ૦ કૃષ્ણનું વાસુદેવત્વ : આયા.મૂ. ૬૩ની વૃ; ઠા.મૂ. ૩૬૦ની વૃ; પણ્ડા. ૧૯; આવ.નિ. ૪૧૩; ૧૬૩ સૂર્ય યૂ.પૃ. ૩૪૦; સમ ૩૪૧થી ૩૪૩; તિત્વો. ૬૧૦; તે સમયે દેવતાઓએ ઉદ્ઘોષણા કરી કે, હે રાજાઓ ! તમે સર્વ પ્રકારે માન છોડી દો. ચિરકાળથી આદરેલો જરાસંધનો પક્ષપાત મૂકી દો. ભક્તિથી કૃષ્ણ વાસુદેવનું શ્રેષ્ઠ શરણ ગ્રહણ કરો. કેમકે આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આ છેલ્લા અને નવમાં વાસુદેવ કૃષ્ણ થયા છે. આ મહાભુજ રાજા ત્રણ ખંડ ભરતક્ષેત્રની પૃથ્વીનો ભોક્તા થશે. આ દિવ્યવાણી સાંભળી સર્વે રાજાઓ આવીને કૃષ્ણ વાસુદેવને નમ્યા. તેઓએ કહ્યું કે, હવે આવ.ભા. ૪૦, ૪૨, ૪૩; આવ.નિ. ૪૧૯, ૪૨૦ની ; Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આગમ કથાનુયોગ-૨ અમે તમારા સેવક રાજા છીએ. અમે તમારી આજ્ઞાનું પાલન કરીશું. કૃષ્ણ પણ તે રાજાઓને કહ્યું કે, હવે હું તમારો સ્વામી છું. સૌ પોતપોતાના રાજ્યમાં નિર્ભય થઈને વર્તજો. બીજા ઇન્દ્ર હોય તેવા કૃષ્ણ વાસુદેવ સર્વ પરિવાર સાથે ચાલ્યા. તે વખતે કૃષ્ણ સાત રત્નો સાથે ચાલ્યા, તે રત્નો આ પ્રમાણે :- ૧. ચક્ર, ૨. ગદા, ૩. શંખ, ૪. કૌસ્તુભમણિ, ૫. ખગ, ૬. ધનુષ્ય અને ૭. નક્ષત્રમાળા. તેની સાથે તેના જ્યેષ્ઠ બંધુ રામ બલદેવ પણ ચાલ્યા તેમણે દિગ્વિજય યાત્રા આરંભી. પછી માગધપતિ, વરદામપતિ અને પ્રભાસપતિ એ ત્રણે તીર્થોના અધિપતિને પોતાની આજ્ઞા મનાવી. વૈતાય પર્વતની બંને શ્રેણીના વિદ્યાધરો પર વિજય મેળવ્યો. એ રીતે દક્ષિણાર્ક ભરત પર વિજય મેળવી દિગ્વિજય યાત્રાથી નિવૃત્ત થયા. અર્ધચક્રવર્તીની સમૃદ્ધિથી અને ચક્રવર્તી કરતા અર્ધભૂજાના બળથી યુક્ત થઈને ચાલ્યા. છ માસમાં અર્ધભરતને સાધીને મગધ દેશમાં આવ્યા. – કોટિશિલા : ત્યાં એક યોજન ઊંચી અને એક યોજનના વિસ્તારવાળી ભરતાઈવાસી દેવીદેવતા અધિષ્ઠિત કોટિશિલા નામે એક શિલા હતી. તે શિલાને કૃષ્ણ પોતાના ડાબા હાથ વડે પૃથ્વીથી ચાર આંગળ ઊંચી કરી, તે શિલાને પ્રથમ વાસુદેવે ભુજાના અગ્રભાગ સુધી ઊંચી કરેલી. બીજાએ મસ્તક સુધી, ત્રીજાએ કંઠ સુધી, ચોથાએ છાતી સુધી, પાંચમાંએ હૃદય સુધી, છઠાએ કમર સુધી, સાતમાએ સાથળ સુધી, આઠમાએ જાનુ સુધી અને નવમા કૃષ્ણ વાસુદેવે પૃથ્વીથી ચાર આંગળ ઊચી કરી. કેમકે અવસર્પિણીના નિયમ પ્રમાણે વાસુદેવોનું બળ પણ ઓછું થતું જાય છે. – વાસુદેવનું બળ અને રૂપ : વીર્યંતરાય કર્મના ક્ષયોપશમ વિશેષથી બળનો અતિશય જણાવતા કહે છે કે, વાસુદેવના ૧૬,૦૦૦ રાજાઓ પોતાના સર્વ બળ વડે – હાથી, ઘોડા, રથ, પાયદળ સહિત – સાંકળ બાંધીને ખેંચે, તે વખતે કૂવાને કાંઠે બેસેલ વાસુદેવ જમણા હાથે ભોજન કરતો હોય અને ડાબા હાથે સાંકળ પકડીને બેઠો હોય, આનંદથી હસતો હસતો જ સાંકળ પકડી રાખે, તો પણ તે ૧૬,૦૦૦ રાજા સર્વ બળપૂર્વક તેને લેશમાત્ર વિચલિત કરી શકતા નથી. જો કે ચક્રવર્તીના બળ કરતા વાસુદેવનું બળ અડધું હોય છે. બળદેવનું બળ તો ઘણું બધું જ હોય છે. પણ કાળના પ્રભાવે તે-તે વાસુદેવ-બળદેવનું બળ પૂર્વપૂર્વના વાસુદેવ-બળદેવ કરતા અવસર્પિણીમાં ઘટતું જાય છે. સામાન્ય વ્યક્તિ કરતા અનંતગુણરૂપ રાજાનું હોય છે. રાજા કરતાં અનંતગુણરૂપ માંડલીકનું હોય છે. માંડલીક રાજા કરતા અનંતગુણરૂપ બળદેવ, વાસુદેવનું હોય છે. પણ વાસુદેવનું રૂપ ચક્રવર્તીના રૂપ કરતા અનંત ગુણહીન હોય છે. – વાસુદેવનો અભિષેક અને સમૃદ્ધિ : કૃષ્ણ વાસુદેવે ગજેન્દ્ર ઉપર આરૂઢ થઈ લક્ષ્મીનું નવીનનગર હોય તેવી વારિકા (બારામતી)માં પ્રવેશ કર્યો. ચારે તરફ મોતીના ચોક પૂરેલા હતા. ઘેરઘેર તોરણોની શ્રેણી બાંધેલી હતી. નગર રમણીય દેખાતું હતું. નગરની ભૂમિ જળથી સિંચિત્ હતી. Page #166 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ – બલભદ્ર ૧૬૫ સ્થળે સ્થળે મંચો બાંધેલા હતા. મંગળ ગીતો ગવાતા હતા. લોકોની ભીડ એટલી હતી કે, બધો જીવલોક નગરમાં એકત્ર થયો જણાતો હતો. કૃષ્ણ દ્વારિકામાં પધાર્યા. ત્યાં ૧૬,૦૦૦ રાજાઓએ અને દેવતાઓએ કૃષ્ણના અર્ધચક્રીપણાનો, વાસુદેવપણે અભિષેક કર્યો. સમુદ્રવિજય આદિ દશાર્ડોએ અભિષેક કર્યો. કૃષ્ણ વાસુદેવના આધિપત્યમાં સમુદ્રવિજય આદિ દશ દશાë, બળદેવ આદિ પાંચ મહાવીરો, ઉગ્રસેન પ્રમુખ ૧૬,૦૦૦ રાજાઓ, પ્રદ્યુમ્ન વગેરે સાડા ત્રણ કરોડ કુમારો, શાંબ આદિ ૬૦,૦૦૦ દર્દાન્ત કુમારો, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીરો, મહાસેન આદિ પ૬,૦૦૦ બલવક, અનંગસેના આદિ અનેક હજારો ગણિકા અને તે સિવાય ઇભ્ય, શ્રેષ્ઠી, સાર્થપતિ વગેરે હજારો પુરુષ હતા. તેને ૧૬,૦૦૦ રાણીઓ હતી. (સામાન્ય નિયમ પ્રમાણે ચક્રવર્તીને ૬૪,૦૦૦ અને વાસુદેવને ૩૨,૦૦૦ પત્ની–રાણીઓ હોય છે.) કૃષ્ણને આઠ પટ્ટરાણીઓ હતી – તે આ પ્રમાણે :- ૧. પદ્માવતી, ૨. ગોરી, 3. ગંધારી, ૪. લક્ષ્મણા, ૫. સુશીમા, ૬. જાંબવતી, ૭. સત્યભામા અને ૮. રુકિમણી. ૦ કૃષ્ણ વાસુદેવ અને ભગવંત અરિષ્ટનેમિ : ( ભ. અરિષ્ટનેમિ કથાનક પણ જોવું) ભ-અરિષ્ટનેમિ કૃષ્ણ વાસુદેવના ભાઈ હતા. સમુદ્રવિજય અને વસુદેવભાઈ હતા. અરિષ્ટનેમિ સમુદ્રવિજયના પુત્ર હતા અને કૃષ્ણ વસુદેવના પુત્ર હતા. અરિષ્ટનેમિ (તીર્થકર હોવાથી) અતુલ બલી હતા. એક વખત નેમિકુમારે પોતાના મુખેથી કૃષ્ણ વાસુદેવનો પંચજન્ય શંખ વગાડ્યો ત્યારે હાથીઓ બંધન સ્તંભ ઉખેડી ભાગ્યા. ઘોડાઓ અશ્વશાળા છોડી ભાગ્યા. નગરજનો ભયભીત થઈ ગયા. આખું શહેર બહેરું બની ગયું. શસ્ત્રશાળાના રક્ષકો મૃત થયા હોય તેમ પડી ગયા. એ ધ્વનિ સાંભળીને કોઈ શત્રુ ઉત્પન્ન થયાનું વિચારતા શ્રીકૃષ્ણ આકુળ-વ્યાકુળ થઈને આયુર્દૂ શાળામાં આવ્યા. ત્યાર પછી નેમિકુમારને જોઈને આશ્ચર્ય પામ્યા. બળની પરીક્ષા માટે કૃષ્ણ ભઅરિષ્ટનેમિ સાથે ભુજાબળની તુલના કરી. પણ તીર્થંકરના બળ સામે કૃષ્ણ હારી ગયા. કૃષ્ણ અરિષ્ટનેમિકુમારને વિવાહ માટે તૈયાર કરવા ઘણાં પ્રયત્નો કર્યા. તેમની પટ્ટરાણીઓ દ્વારા જળક્રીડા કરવા લઈ ગયા. યુક્તિ-પ્રયુક્તિથી સમજાવ્યા. પ્રભુનું હસતુ મુખ જોઈ જાહેર કરી દીધું કે, અરિષ્ટનેમિ વિવાહ માટે તૈયાર છે પછી કૃષ્ણ વાસુદેવે ઉગ્રસેન રાજા પાસે જઈ તેમની રૂપવતી કન્યા રાજીમતી માટે માંગણી કરી, ત્યાંથી અરિષ્ટનેમિ પાછા ફર્યા. (ઇત્યાદિ સર્વ વૃત્તાંત ભગવંત અરિષ્ટનેમિની ફથાથી જાણી લેવો). ભગવંત અરિષ્ટનેમિએ દીક્ષા લીધી. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારથી કૃષ્ણ વાસુદેવ તેમના અનન્ય અનુરાગી બન્યા. અનેક સ્થાને આગમોમાં કૃષ્ણ વાસુદેવ ભ૦અરિષ્ટનેમિના વંદનાર્થે ગયાના પ્રસંગો નોંધાયા છે. જેમકે – (અંતગડદસા સૂત્ર-૧૩).... દ્વારિકા નગરીમાં ભઅરિષ્ટનેમિ પધાર્યા. કૃષ્ણવાસુદેવ, ગજસુકુમાર આદિ ભગવંતના વંદન અને ધર્મશ્રવણ માટે ગયા. (નાયાધમ્મકહા-સૂત્ર-૬૩) ભગવંત અરિષ્ટનેમિ પધાર્યા. કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય આદિ દશ દશાર્ણો ચતુરંગિણી સેના સહિત ભગવંતના વંદનાર્થે ગિરનાર પર્વતના નંદનવન ઉદ્યાનમાં ગયા. (વહિદા-સૂત્ર-૩) નિષધકુમારના દીક્ષા પ્રસંગે કૃષ્ણ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ આગમ કથાનુયોગ-૨ વાસુદેવ સમસ્ત ઋદ્ધિ સહિત યાવતું વાદ્યઘોષના નાદપૂર્વક વારિકાથી ભગવંત અરિષ્ટનેમિના વંદનાર્થે નીકળ્યા ઇત્યાદિ. – ભગવંત અરિષ્ટનેમિના વંદનનો વિશિષ્ટ પ્રસંગ : કોઈ વખતે ભગવંત અરિષ્ટનેમિ ૧૮,૦૦૦ સાધુ સહિત પધાર્યા. તે વખતે કૃષ્ણ વાસુદેવ અનેક રાજા આદિ પરિવાર સહિત ભગવંતના વંદનાર્થે નીકળ્યા. તે વખતે ભાવપૂર્વક કૃષ્ણ વાસુદેવે મુનિ વંદના શરૂ કરી. બીજા–બીજા રાજાઓ તો થોડા-થોડા મુનિઓને વંદના કરીને બેસી ગયા. પણ કૃષ્ણ ૧૮,૦૦૦ સાધુઓને બાદશાવર્ત વંદના કરી. પછી કૃષ્ણ ભગવંતને કહ્યું, હે ભગવંત ! સર્વે મુનિઓને બાદશાવર્ત વંદના કરવાથી આજે મને જેટલો શ્રમ થયો છે. તેટલો શ્રમ ૩૬૦ મહાયુદ્ધો કરવામાં પણ મને થયો નહોતો. ત્યારે સર્વજ્ઞ ભગવંતે તેમને કહ્યું કે, હે વાસુદેવ ! તમે આજે ભાવવંદનાથી મહત્ પુણ્ય, સાયિક સમકિત અને તીર્થકર નામકર્મ ઉપાર્જન કરેલ છે. વળી સાતમી નરકને યોગ્ય કર્મપુદ્ગલો ખપાવીને ત્રીજી નરકને યોગ્ય આયુષ્ય તમે બાંધ્યું છે. જેને તમે આ ભવના પ્રાંત ભાગમાં નિકાચીત કરશો. ૦ દ્વારિકા વિનાશ, કૃષ્ણનું મૃત્યુ અને ગતિ : કોઈ વખતે ધર્મદેશના શ્રવણ કર્યા બાદ કૃષ્ણ વાસુદેવે ભગવંત અરિષ્ટનેમિને વંદના કરીને આ પ્રમાણે પૂછયું, હે ભગવન્! બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી યાવતું સાક્ષાત્ દેવલોક સમાન આ દ્વારિકા નગરીનો વિનાશ કયા કારણે થશે ? હે કૃષ્ણ ! એ પ્રમાણે સંબોધિત કરીને અરહંત અરિષ્ટનેમિએ ઉત્તર આપ્યો, હે કૃષ્ણનિશ્ચયથી બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી યાવતું પ્રત્યક્ષ સ્વર્ગપુરી સમાન આ દ્વારકા નગરીનો વિનાશ મદિરા, અગ્નિ અને દ્વૈપાયન ઋષિના કોપના કારણે થશે. અરહંત અરિષ્ટનેમિ પાસેથી દ્વારકાનગરીના વિનાશનું કારણ સાંભળી–સમજીને કૃષ્ણ વાસુદેવના મનમાં આવો વિચાર, ચિંતન, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, તે જાલિ, મયાલિ, ઉવયાલિ, પુરિસસેન, વીરસેન, પદ્યુમ્ન, શાંબ, અનિરુદ્ધ, ઢનેમિ, સત્યનેમિ આદિને ધન્ય છે જેઓ અરિષ્ટનેમિ ભગવંત પાસે મુંડિત યાવત્ પ્રવ્રજિત થયા છે. હું અધન્યઅકૃતપુણ્ય છું કે, રાજ્ય, અંતઃપુર, મનુષ્ય સંબંધિ કામભોગોમાં મૂર્ણિત છું. આ છોડીને ભગવંત અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈને અનગારરૂપ પ્રવજ્યા લેવામાં અસમર્થ છું. ભગવંત અરિષ્ટનેમિએ પોતાના જ્ઞાનબળથી કૃષ્ણ વાસુદેવના મનમાં આવેલા વિચારો જાણી અર્તધ્યાનમાં ડૂબેલા કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે, નિશ્ચયથી હે કૃષ્ણ! તમારા મનમાં આવો વિચાર ઉત્પન્ન થયો કે – યાવત્ – હું પ્રવજ્યા લઈ શકતો નથી. હે કૃષ્ણશું આ વાત સત્ય છે ? શ્રીકૃષ્ણએ કહ્યું કે, હા ભગવન્! એમ જ છે. હે કૃષ્ણ ! એવું ક્યારેય થયું નથી, થતું નથી અને થશે પણ નહીં કે વાસુદેવના ભવમાં ધન, ધાન્ય, સ્વર્ણ આદિ સંપત્તિ છોડીને વાસુદેવ મુનિ વ્રત લે. વાસુદેવ દીક્ષા લેતા નથી, લીધી નથી, લેશે પણ નહીં. શ્રીકૃષ્ણએ પૂછયું, હે ભગવન્! એવું કેમ કહેવાય છે કે, આવું કદિ થયું નથી થતું નથી અને થશે પણ નહીં ? હે કૃષ્ણ ! નિશ્ચયથી બધાં વાસુદેવ પૂર્વભવમાં નિદાનકૃત હોય છે. તેથી હું કહું છું કે, એવું કદિ થયું નથી, થતું નથી અને થશે Page #168 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ – બલભદ્ર ૧૬૭ પણ નહીં કે વાસુદેવ ક્યારેય પ્રવજ્યા અંગીકાર કરે. ત્યારે વાસુદેવ કૃષ્ણ અરહંત અરિષ્ટનેમિને નમસ્કાર કરીને પૂછયું કે, હે ભગવન્! અહીંથી કાળ કરીને હું ક્યા જઈશ? કયા ઉત્પન્ન થઈશ ? ભગવંત અરિષ્ટનેમિએ કહ્યું, હે કૃષ્ણ ! તમે સુરા–અગ્નિ અને દ્વૈપાયનના કોપને કારણે આ દ્વારકા નગરી બળીને ભસ્મ થઈ જશે ત્યારે તમારા માતા–પિતા અને સ્વજનોનો વિયોગ થઈ જવાથી રામ બળદેવની સાથે દક્ષિણ સમુદ્રના કિનારા તરફ પાંડુ રાજાના યુધિષ્ઠિર આદિ પાંચ પાંડવોની પાસે પાંડુમથુરા તરફ જશો. રસ્તામાં વિશ્રામ લેવાને માટે કૌશાંબ વન–ઉદ્યાનમાં અતિ વિશાળ એક વટવૃક્ષની નીચે, પૃથ્વીશિલા પટ્ટ પર પીતાંબર ઓઢીને સુતા હશો. તે સમયે કોઈ હરણ છે તેમ માનીને જરાકુમાર દ્વારા ફેંકાયેલ તીક્ષ્ણ બાણ તમારા ડાબા પગમાં વાગશે. એ તીક્ષ્ણ તીરથી વિંધાઈને તમે કાળ કરીને વાલુકાપ્રભા નામની ત્રીજી નરકમાં જન્મ લેશો. પ્રભુના મુખેથી પોતાના આગામી ભવની આ વાત સાંભળીને કૃષ્ણ વાસુદેવ ખિન્ન મનવાળા થઈ આર્તધ્યાન કરવા લાગ્યા. ત્યારે અરિહંત અરિષ્ટનેમિ ફરી બોલ્યા, હે દેવાનુપ્રિય ! તમે ખિન્ન મનવાળા થઈને આર્તધ્યાન ન કરો. નિશ્ચયથી કાલાંતરે તમે ત્રીજી પૃથ્વી (નરક)થી નીકળીને આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં પુંડ જનપદના શતદ્વાર નગરમાં “અમમ” નામે બારમાં તીર્થકર થશો. (*સમવાય-૩૫૭, ૩૬માં આ ક્રમ તેમણે જણાવેલ છે) ત્યાં ઘણાં વર્ષો સુધી કેવલીપર્યાય પાળીને તમે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશો. અરિહંત ભગવંતના મુખેથી પોતાના ભવિષ્યનો આ વૃત્તાંત સાંભળીને કૃષ્ણ વાસુદેવ ઘણાં પ્રસન્ન થયા. પોતાની ભુજા પર તાલ વગાડવા લાગ્યા. જયનાદ કરવા લાગ્યા – યાવત્ – ભગવંતને વંદન–નમસ્કાર કરીને આભિષેક્ય હસ્તિરત્ન પર આરૂઢ થઈને દ્વારકા નગરીથી નીકળી મહેલમાં આવ્યા. ૦ કૃષ્ણ વાસુદેવનો ચારિત્ર રાગ અને કરેલ દીક્ષા ઉત્સવો : ભગવંત અરિષ્ટનેમિના મુખે દ્વારકા વિનાશની, વાસુદેવ કદાપી ચારિત્ર ન લે તે અને પોતાની દુર્ગતિની વાત સાંભળી કૃષ્ણ પોતાની રાજસભામાં આવ્યા, સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા પછી પોતાના આજ્ઞાકારી પુરુષોને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે દ્વારકાનગરીના શૃંગાટક આદિમાં ઊંચે સ્વરે ઘોષણા કરાવી કહો કે, હે દ્વારકાવાસી નગરજનો ! આ બાર યોજન લાંબી ચાવતુ પ્રત્યક્ષ સ્વર્ગનગરી સમાન દ્વારકા નગરીનો સુરા, અગ્નિ અને દ્વૈપાયનના કોપને કારણે નાશ થશે. તેથી હે દેવાનુપ્રિયો ! દ્વારકા નગરીમાં જેની ઇચ્છા હોય, ભલે તે રાજા હોય કે યુવરાજ, ઈશ્વર હોય, તલવર હોય, માંડલિક હોય, કૌટુંબિક હોય, ઇભ્ય હોય, રાણી હોય, કુમાર હોય, કુમારી હોય, રાજરાણી હોય કે રાજપુત્રી હોય, તેમાંથી જે પણ ભગવંત અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈને થાવત્ દીક્ષા લેવા ઇચ્છે, તેને કૃષ્ણ વાસુદેવ તેમ કરવાની આજ્ઞા આપે છે. દીક્ષાર્થીની પાછળ તેના આશ્રિત બધાં કુટુંબીજનોની કૃષ્ણ રાજા યથાયોગ્ય વ્યવસ્થા કરશે અને મોટા ઋદ્ધિસત્કાર સાથે તેનો દીક્ષા મહોત્સવ સંપન્ન કરશે. આ પ્રમાણે બે-ત્રણ વખત ઘોષણા કરી પુનઃ મને સૂચિત કરો. કૃષ્ણની આજ્ઞા પામીને તે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આગમ કથાનુયોગ-૨ આજ્ઞાકારી રાજપુરષોએ તે ઘોષણા બે-ત્રણ વખત કરી, પછી કૃષ્ણ વાસુદેવને આજ્ઞાપાલન થયાની સૂચના આપી. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવના આઠે પટ્ટરાણી–પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણ, સુશીમા, જાંબવતી, સત્યભાભા અને રુકિમણીએ દીક્ષા લીધી. તેનો દીક્ષા મહોત્સવ કૃષ્ણ ઘણી જ ઋદ્ધિપૂર્વક ઉજવ્યો. દ્વારિકા નગરીમાં વીરો નામે એક સાળવી હતો. તે કૃષ્ણનો અત્યંત ભક્ત હતો. કૃષ્ણના દર્શન કરીને જ તે ભોજન લેતો, અન્યથા તે જમતો નહીં. એક વખત કૃષ્ણ વાસુદેવે નિયમ લીધો હતો કે, ઘણાં જીવોની હિંસાને અટકાવવા હું વર્ષાકાળમાં રાજમંદિરની બહાર નીકળીશ નહીં. દ્વારપાળોને પણ આજ્ઞા કરી કે, વર્ષાઋતુના ચાર માસ પર્યત કોઈને પણ રાજમહેલમાં ડાવેશ કરવા દેવો નહીં. પરિણામે વર્ષાકાળ શરૂ થયો ત્યારે વીરા સાળવીને દ્વારપાળે રાજમહેલમાં પ્રવેશ કરવા ન દીધો. તેથી કૃષ્ણ મહારાજાને ઉદ્દેશીને તે દ્વારે જ બેઠો રહ્યો, પણ કૃષ્ણના દર્શન ન થવાથી ભોજન લીધું નહીં. એ પ્રમાણે આખો વર્ષાકાળ પૂરો થઈ ગયો. તે વખતે સર્વ રાજાઓ સાથે વીરો સાળવી દ્વાર પાસે આવીને ઉભેલ. તેને કૃશ થયેલ જોઈને વાસુદેવ પૂછયું, હે વીરા ! તું કેમ કૃશ થઈ ગયો છે ? દ્વાર પાળોએ તેના કૃશ થવાનું યથાર્થ કારણ બતાવતા કૃણે તેને અખ્ખલિતપણે રાજમહેલમાં આવવા દેવાનો હુકમ કર્યો. ભગવંત અરિષ્ટનેમિ પાસે યતિ ધર્મ સાંભળીને કૃષ્ણ નિયમ લીધેલો કે, હું યતિધર્મ પાળવાને સમર્થ નથી, પણ બીજાઓને દીક્ષા અપાવવાનો અને તેની અનુમોદના કરવાનો નિયમ હો. જે કોઈ દીક્ષા લેશે, તેને હું રોકીશ નહીં, પણ તેનો નિષ્ક્રમણ મહોત્સવ સ્વ સંતતિવત્ કરીશ, ત્યાર પછી તેને જે-જે વિવાહ યોગ્ય કન્યાઓ પ્રણામ કરવા આવી, તેમને કૃષ્ણ પૂછ્યું કે, હે પુત્રીઓ ! તમારે સ્વામિની થવું છે કે દાસી ? તેઓ બોલી કે, અમે સ્વામિની થઈશું. તુરંત કૃષ્ણ કહ્યું કે, જો સ્વામિની થઈ હોય તો ભગવંત અરિષ્ટનેમિ પાસે જઈ દીક્ષા લ્યો. આ પ્રમાણે કહીને જે-જે કન્યા વિવાહ યોગ્ય થાય તે સર્વેને દીક્ષા અપાવવા લાગ્યા. એક વખત કોઈ રાણીએ તેની પુત્રીને સમજાવી રાખ્યું કે, તને જ્યારે તારા પિતા પૂછે ત્યારે તું નિઃશંક થઈને કહેજે કે, મારે દાસી થવું છે. તે વિવાહ યોગ્ય થઈ ત્યારે પિતા કૃષ્ણ વાસુદેવને પ્રણામ કરવા ગઈ. કૃષ્ણ પૂછયું ત્યારે તે કન્યાએ તેની માતાના શીખવ્યા મુજબ કહ્યું કે, મારે દાસી થવું છે. ત્યારે કૃષ્ણ વિચાર્યું કે, જો બીજી પુત્રી પણ આ પ્રમાણે કહેશે તો તે મારી પુત્રીઓ હોવા છતાં ભવ અટવીમાં ભ્રમણ કરનારી થશે. માટે કોઈ એવો ઉપાય કરું કે બીજી પુત્રીઓ દાસી થવાનું ન વિચારે. તેણે પે'લા વીરક શાળવીને બોલાવીને પૂછયું કે, તે કાંઈપણ ઉત્કૃષ્ટ પરાક્રમ કર્યું છે. ત્યારે વીરક શાળવીએ બહુ વિચારીને કહ્યું કે, પૂર્વે બદરીના વૃક્ષ ઉપર રહેલા એક કાકડાને મેં પાષાણ મારીને મારી નાખ્યો હતો. એક વખત માર્ગમાં પૈડાના ચીલામાં જળ વહેતું હતું, તેને ડાબે પગે રોકી રાખેલ, એક વખત ઘડામાં માખીએ પેસી ગઈ હતી. મેં તે ઘડાનું મુખ ડાબા હાથ વડે બંધ કરીને ઘણીવાર સુધી ગણગણાટ કરતી તે માખીઓને મેં પૂરી રાખી હતી. કૃષ્ણ વાસુદેવ સભામાં વીરક શાળવીના આ પરાક્રમને આ રીતે રજૂ કર્યું – આ Page #170 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ બલભદ્ર ૧૬૯ વીરક શાળવી ઘણો પરાક્રમી છે. તે ખરેખર ક્ષત્રિય છે કેમકે તેણે ભૂમિ શસ્ત્રથી બદરીના વૃક્ષ પર રહેલ રાતી ફણાવાળા નાગને મારી નાખ્યો હતો. ચક્રથી ખોદાયેલી અને કલુષજળને વહન કરનારી ગંગાનદીને પોતાના વામ ચરણથી રોકી રાખી હતી અને ઘટનગરમાં રહેનારી ઘોષ કરતી મોટી સેનાને વામ કર વડે પૂરી રાખી હતી. ખરેખર ! તે મારો જમાઈ થવાને યોગ્ય છે, એમ કહીને જેણે ‘‘દાસી થવું છે'' તેમ કહેલું તે કન્યાને હે વીરક ! તું ગ્રહણ કર. પછી કૃષ્ણે ખાનગીમાં તેને કહ્યું કે, તારે કન્યાને દાસીની જેમ રાખવી અને ઘરનું બધું કામ કરાવવું. કામ ન કરે તો મારવી. તે કન્યા રડતી–ડતી કૃષ્ણ વાસુદેવ પાસે પહોંચી. ત્યારે કૃષ્ણે કહ્યું કે, હે પુત્રી ! તેં સ્વામીપણું છોડીને દાસીપણું માંગ્યુ તો હવે હું શું કરું ? ત્યારે કન્યાના અતિ આગ્રહ થકી વીરકને સમજાવીને તે કન્યાને દીક્ષા અપાવી. ૦ કૃષ્ણ વાસુદેવે કરેલ દીક્ષા મહોત્સવો :– કૃષ્ણે તેની પદ્માવતી આદિ આઠ પટ્ટરાણીનો દીક્ષા મહોત્સવ કર્યો. - કૃષ્ણે થાવચ્ચાપુત્રનો દીક્ષા મહોત્સવ કર્યો. કૃષ્ણે ગજસુકુમારનો દીક્ષા મહોત્સવ કર્યો. 7 - કૃષ્ણના રાજ્યશાસનમાં જાલિ, મયાલિ, ઉવયાલિ, પુરુષસેન, વારિપેણ, પ્રદ્યુમ્ન, શાંબ, અનિરુદ્ધ, સત્યનેમિ, દૃઢનેમિ, નિષધ, ઢઢણ આદિ અનેક કુમારોએ, મૂલશ્રી—મૂલદત્તા આદિ પુત્રવધૂઓએ એવા અનેક જીવોએ દીક્ષા ગ્રહણ કરી. (આ સર્વે કથાનકો તે—તે પાત્રની શ્રમણ—શ્રમણી કથાથી જાણવા પણ તેમાં થાવચ્ચાપુત્ર અને ગજસુકુમારનો દીક્ષા પ્રસંગ ખૂબ જ સુંદર રીતે અને વિસ્તારથી વર્ણવાયેલ છે. જે તેમના કથાનકોથી જાણવો.) ૦ કૃષ્ણ સાથે સંબંધિત વિશિષ્ટ પાત્રો : - કૃષ્ણનો માતા દેવકી સાથેનો વિશિષ્ટ પ્રસંગ નોંધાયેલ છે. જેમાં દેવકી માતાની પુત્ર પ્રાપ્તિની ઇચ્છાર્થે કૃષ્ણ વાસુદેવ અટ્ઠમ તપ આરાધના કરી માતાની મનોકામના પૂર્ણ ફરી. આ વાત દેવકીના કથાનકમાં જોવી. -- કૃષ્ણનો ગજસુકુમાર સાથેનો વિશિષ્ટ પ્રસંગ છે. જેમાં તેમણે ગજસુકુમાર માટે સોમા કન્યાની માંગણી કરી, વિરક્ત ગજસુકુમારનો દીક્ષા મહોત્સવ કર્યો. તેમને જોઈને સોમીલ બ્રાહ્મણ મૃત્યુ પામ્યો. આ વૃતાંત ગજસુકુમાર કથાથી જાણવો. - કૃષ્ણ અને પાંડવો દ્રૌપદીનો સ્વયંવર, પાંડવો સાથે તેણીના લગ્ન, દ્રૌપદીનું અપહરણ, કુંતીના કહેવાથી દ્રૌપદીને છોડાવવા કૃષ્ણનું અપરકંકા ગમન, યુદ્ધ, દ્રૌપદીને છોડાવવી, ગંગા નદી તરીને પાર કરવી ઇત્યાદિ વૃત્તાંત દ્રૌપદીના કથાનકથી જાણવો. કૃષ્ણ અને વૈપાયનઋષિ દ્વૈપાયન દ્વારા દ્વારિકા વિનાશનું નિયાણું કરવું, કૃષ્ણ દ્વારા ક્ષમાયાચના, કૃષ્ણ અને રામને દ્વારિકા વિનાશ અવસરે જીવતા જવા દેવાની દ્વૈપાયનની કબૂલાત. - કૃષ્ણના પુત્ર શાંબ, પ્રદ્યુમ્ન તથા ઢંઢણની વિશિષ્ટ કથા. – કૃષ્ણ વાસુદેવના ભાઈ રામ બલદેવ, જેમણે કૃષ્ણના મૃત્યુ બાદ દીક્ષા લીધી, કૃષ્ણને નારકીમાં દુઃખમાંથી બચાવવા ગયા. જે બલદેવ ભાવિ ચોવીસીમાં તીર્થંકર થશે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ આગમ કથાનુયોગ-૨ – આ બધાં ઉપરાંત ભગવંત અરિષ્ટનેમિના અનન્ય ભક્ત અને પીતરાઈ ભાઈ રૂપે કૃષ્ણ વાસુદેવ. –૦- ભાવિ તીર્થકરત્વ :- કૃષ્ણ વાસુદેવ તો આવતી ચોવીસીમાં અમમ નામે બારમા (તેરમા) તીર્થકર થવાના જ છે. તે ઉપરાંત તેના કુટુંબીજનોમાં ભાઈ બળદેવ, માતા દેવકી, અપર માતા રોહિણી પણ આગામી ઉત્સર્પિણીમાં તીર્થકરત્વ પામશે. ૦ કૃષ્ણ વાસુદેવના અન્ય નામો : કૃષ્ણને મહારહ, કેસર, કસી, વાસુદેવ, હરિ, દશાર્ણ, દશાકુલમંડન, દશાર્ણસિંહ, વિશ્વકસેન અને હરિફલ પ્રભુ નામે પણ ઓળખાવાયા છે. ૦ કૃષ્ણની ભેરી : કૃષ્ણની પાસે ચાર પ્રકારની ભેરી હતી. ૧. કૌમુદિની, ૨. સંગ્રામિકી, ૩. દુર્ભતિકી અને ૪. અશિવોપશમની. તેમાં કૌમૃદિકી, સંગ્રામિકી અને દુર્ભુતિકી અથવા આબૂદયિકી એ ત્રણે ભેરી ગોશીષચંદનની બનેલી હતી. તેમજ દેવતાપરિગૃહીત હતી. ચોથી ભેરી – અશિવોપશમનીની ઉત્પત્તિ આ પ્રમાણે છે– ઇન્દ્ર દેવો મધ્યે કૃષ્ણ વાસુદેવની પ્રશંસા કરતા કહ્યું કે, ખરેખર ! કૃષ્ણ બીજાના ગુણ જ જુએ છે, અવગુણને ગ્રહણ કરતા નથી. નીચ યુદ્ધ કરતા નથી. ત્યારે એક દેવને તે વાતની શ્રદ્ધા ન થઈ. જ્યારે કૃષ્ણ ભ. અરિષ્ટનેમિને વંદનાર્થે જતા હતા, ત્યારે તે દેવે કાળા કુતરાનું મડદું વિકુવ્યું. જેમાંથી અત્યંત દુર્ગધ ફેલાતી હતી. તે ગંધથી સર્વ લોક વ્યથિત થતો હતો. જ્યારે તેને કૃષ્ણ જોયું ત્યારે તે બોલ્યા, અરે ! આ કાળા કુતરાના દાંત કેવા શ્વેત ચમકી રહ્યા છે ! ત્યારે દેવે વિચાર્યું કે, કૃષ્ણ ખરેખર ગુણગ્રાહી છે. પછી તે કૃષ્ણના અશ્વરત્નને લઈને દોડ્યો, મંદરા પાલકે તે જાણ્યું. તેણે કુંજન કર્યું. તે સાંભળી રાજા તથા કુમારો નીકળ્યા. તે દેવે તેઓને હત–વિહત કરી દીધા. પછી કૃષ્ણવાસુદેવ નીકળ્યા. તેણે કહ્યું કે, મારા અશ્વરત્નનું કેમ હરણ કરે છે? દેવે કહ્યું, મને યુદ્ધમાં હરાવીને તે પાછો લઈ લો. વાસુદેવે કહ્યું કે, આપણે કઈ રીતે યુદ્ધ કરી શકીએ, તું જમીન પર છે અને હું રથમાં છું. તો પહેલા રથને ગ્રહણ કર. દેવે કહ્યું કે, રથનું શું કામ છે ? તેણે અશ્વયુદ્ધ, બાહયુદ્ધ આદિ સર્વેનો નિષેધ કર્યો. આપણે અધિષ્ઠાન–નિતંબ વડે યુદ્ધ કરીએ. ત્યારે વાસુદેવે કહ્યું કે, હું મારો પરાજય સ્વીકારું છું. તું તારે અશ્વરત્ન લઈ જા. હું નીચયુદ્ધ નહીં કરું. ત્યારે દેવે ખુશ થઈને કહ્યું, હે વાસુદેવ ! તું વર (દાન) માંગ. હું તે આપીશ, વાસુદેવે કહ્યું, મને અશિવોપશમની ભેરી આપ. તે દેવે આપી. તેને છ-છ માસે વગાડાતી, તેનો અવાજ જેટલે પહોંચે ત્યાં ત્યાં ઉત્પન્ન થતા રોગાદિ ઉપશાંત થતા, છ માસ પર્યત નવા રોગો થતા નહીં. કોઈ વખતે કોઈ વણિક ત્યાં આવ્યો. તેને ઘણો જ દાહજ્વર થયેલો. તેણે ભેરી પાલકને કહ્યું, તું લાખ મુદ્રા ગ્રહણ કરી મને આ ભેરીનો એક ટુકડો આપ. ભેરીપાલકે લોભ વડે તે આપ્યો, ત્યાં ચંદનના કાષ્ઠનું થીગડું લગાવ્યું. એ રીતે બીજા–બીજા લોકોએ પણ મુદ્રા આપી તેનો ટુકડો–ટુકડો લીધો. પછી તે ભરી ચંદનના કાષ્ઠની બની ગઈ. કોઈ વખતે અશિવ ઉત્પન્ન થતા, વાસુદેવે તે ભેરી વગાડી. હજી તો તેમાં વાયુ પુરવા જતા હતા ત્યાં વાસુદેવ જાણ્યું કે, આ તો Page #172 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ – બલભદ્ર ૧૭૧ i Bગા ચંદનકાષ્ઠનો ભંગાર બની ગઈ છે પછી અઠ્ઠમ તપ કરી ફરી દેવની આરાધના કરીને ભરીને મૂળ સ્વરૂપે પ્રાપ્ત કરી. ૦ કૃષ્ણ વાસુદેવનું મૃત્યુ અને ગતિ : ભગવંત અરિષ્ટનેમિએ કરેલ ભાવિકથન મુજબ કૈપાયન કે જે મરીને અગ્રિકુમાર દેવ થયેલા, તેણે પૂર્વનું વૈર સંભારી દ્વારકા નગરીને અગ્રિથી ભસ્મ કરી, કૃષ્ણ અને રામને તેણે આપેલા વચન પ્રમાણે જવા દીધા. વસુદેવ, દેવકી, રોહિણીએ અરહંત અરિષ્ટનેમિનું શરણું લઈ, ચાર આહારનું પચ્ચકખાણ કર્યું. ચાર શરણા અંગીકાર કર્યા. એકત્વાદિ ભાવના ભાવી, નમસ્કાર મંત્રનું ધ્યાન કર્યું. ત્રણે મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. કૃષ્ણ અને રામ ત્યાંથી નીકળ્યા. તેઓએ પાંડુ મથુરા તરફ પ્રયાણ કર્યું. માર્ગે ચાલતા તેઓ હસ્તિકલ્પ નગર પાસે આવ્યા. સુધાની પીડા રામ બળદેવને જણાવી. રામ ત્યાંથી આહારની શોધમાં નીકળ્યા. પછી કૃષ્ણને તૃષા લાગતા પાણીની શોધમાં ગયા. કૃષ્ણ વાસુદેવ કૌશાંબ વનમાં વૃક્ષની છાયામાં આશરો લીધો. પીતાંબર ઓઢીને સુતા ક્ષણવારમાં નિદ્રાધીન થઈ ગયા. તે વખતે કૃષ્ણના એક મોટા ભાઈ જરાકુમાર કે જે ભગવંતની અગમ વાણીથી દ્વારકાથી નીકળી ગયેલા, તેના હાથે કૃષ્ણ વાસુદેવનું મૃત્યુ ન થાય તે માટે વનમાં ભ્રમણ કરતા હતા, તેને પીતાંબર ઓઢેલા કૃષ્ણને જોઈને થયું કે, દૂર કોઈક મૃગ લાગે છે. તેણે બાણ છોડ્યું. તેના પ્રહારથી કૃષ્ણ વાસુદેવ મરણ પામ્યા. ૧૦૦૦ વર્ષનું પૂર્ણાયુ ભોગવી મરીને ત્રીજી નરકે ઉત્પન્ન થયા. ૦ રામ બળદેવની દીક્ષા અને ગતિ :-- કૃષ્ણના મૃત્યુથી રામ શોકમગ્ન થયા. તે માનવા તૈયાર નથી કે તેનો ભાઈ મૃત્યુ પામ્યો છે. તેના મૃતકને ખભે લઈને ફર્યા કરે છે. સિદ્ધાર્થ જે દેવ થયેલો તેણે અવધિજ્ઞાનથી આ વાત જાણી, તે રામ બળદેવને બોધ આપવા આવ્યા. વિવિધ પ્રયુક્તિઓ વડે તેણે રામ બળદેવને પ્રતિબોધિત કર્યા. કૃષ્ણના મૃતકનો અગ્નિ સંસ્કાર કરી, તે દીક્ષા લેવા તત્પર થયા. અરહંત અરિષ્ટનેમિએ તેમનો આ ભાવ જાણી એક વિદ્યાધર મુનિને સત્વરે મોકલ્યા. રામે તેમની પાસે દીક્ષા લીધી. તીવ્રતપ કરવા લાગ્યા. સિદ્ધાર્થદેવ તેમનો રક્ષક બનીને રહ્યો. કાળધર્મ પામીને રામ બળદેવ પાંચમાં દેવલોકે ઉત્પન્ન થયા. પછીના ભવે તેઓ તીર્થકરત્વ પામી નિર્વાણ પામશે. ૦ આગમ સંદર્ભ :-- આય.મૂ. ૬૩, ૨૦૭ની વૃ; આયા.. ૮૬; સૂય. ૧૬૫, ૩૭૩; સૂય.ચૂ.પ્ર. ૩૪૦; ઠા. ૭૩૮, ૮૧૨, ૮૧૩, ૮૭૧, ૯૩૦, ૯૬૮; ઠા. ૩૬૦, ૭૩૮, ૮૭૧, ૯૮૨ની વૃ. સમ ૧૪, ૨૫, ૩ર૧ થી ૩૪૫, ૩૨૩, ૩૫૭, ૩૬૨; ભગ. પર૦, ૬૭૮; - નાયા. ૧૭, ૬૩ થી ૬૫, ૧૬૯ થી ૧૭૮; તે અંત. ૩, ૫, ૧૦, ૧૩, ૧૪, ૧૬, ૧૭, ૧૯ થી ૨૨; પપ્પા. ૧૯, ૨૦ + વૃ. વહિ. 3; ભા. ૬૯, ૧૩૭; ગચ્છા. ૮૪ની વૃ. મરણ. ૪૩૩, ૪૯૭; નિસી.ભા. ૧૪૧, ૨૯૪ ૨૩૪૩ની ચૂ. બુ.ભા. ૩૫૬, ૧૭૨, ૫૦૨૩, પર૫પની વૃ. વવ.ભા. ૧૧૮૭ + વૃ. આવ.નિ. ૭૧, ૭૨, ૭૫, ૩૬૮, ૪૦ર થી ૪૧૬, ૪રર, – ૫૭૦, ૮૩૫, ૮૩૬, ૧૧૬૮, ૧૧૮૬, ૧૩૦૫; Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આગમ કથાનુયોગ-૨ આવ.નિ. ૧૩૬, ૩૯૯, ૪૨૦, ૪૨૧, ૮૪૭, ૧૧૦૪ ની વૃ. આવ.ભા. ૪૦ થી ૪૩; આવ.ભા. ૧૫૧ ની , આવ.યૂ. ૧–પૃ. ૧૬, ૯૬, ૧૧૨, ૧૧૬, ૧૨૧, ૧૫૫, ર૧૦, ૨૧૧, ૨૨૦, ૨૬૧, ૨૬૫, ૨૯૬, ૩૩૪, ૩૫૫ થી ૩૫૮, ૩૬૧ થી ૩૬૫, ૪૬૦, ૪૬૫, ૪૭૪, ૪૭૫, ૪૯૨, પ૬૩; ર–પૃ. ૩૨; ઓહ. ૮૩૭ દસ.યૂ.પૃ. ૪૧, ૧૦૬; દસ.નિ પ૬, ૧૯૩ની વૃ. ઉત્ત. ૭૮, ૮૦૨, ૮૦૪, ૮૨૩ થી ૮૨૫; ઉત્ત.યૂ.પૂ. ૭૬, ૯૫; ઉત્ત.નિ. ૮૦, ૧૧૪, ૧૬૦ની , નંદી.મૂ. ૪૬ની વૃ તિલ્યો. ૪૭૯, ૪૮૫, પ૬૬, ૬૦૩, ૬૦૫ થી ૬૦૯, ૬૧૪; – ૪ – ૪ – ૦ ભરતક્ષેત્રની આગામી ઉત્સર્પિણીના બલદેવ–વાસુદેવ : જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં નવ બલદેવ–નવ વાસુદેવોના પિતા થશે. નવ વાસુદેવની માતા હશે. નવ બળદેવની માતા થશે. નવ દસાર મંડલ થશે. તે આ પ્રમાણે – તેઓ ઉત્તમ હશે, મધ્યમ હશે, પ્રધાન હશે. ઓજસ્વી અને તેજસ્વી હશે. આ પ્રમાણે પૂર્વની માફક આમનું પણ વર્ણન કરવું જોઈએ – યાવત્ – નીલ અને પીત વસ્ત્રને પહેરનારા આ રામ અને કેશવ બંને ભાઈ હશે. જે આ પ્રમાણે છે – – આગામી ઉત્સર્પિણીના વાસુદેવો :- ૧. નંદ, ૨. નંદમિત્ર, ૩. દીર્ઘબાહુ, ૪. મહાબાહુ, ૫. અતિબલ, ૬. મહાબલ, ૭. બલભદ્ર, ૮. હિપૃષ્ઠ, ૯. ત્રિપૃષ્ઠ. – આગામી ઉત્સર્પિણીના બળદેવોના નામો :- ૧. જયંત, ૨. વિજય, ૩. ભદ્ર, ૪. સુપ્રભ, ૫. સુદર્શન, ૬. આનંદ, ૭. નંદન, ૮, પદ્મ અને ૯. સંકર્ષણ. આ નવ બલદેવ–વાસુદેવના પૂર્વભવના નવ નામ હશે. નવ ધર્માચાર્ય હશે. નવ નિદાન ભૂમિઓ હશે. નવ નિદાન કારણો હશે. નવ પ્રતિશત્રુ હશે તે આ પ્રમાણે ૧. તિલક, ૨. લોહજંઘ, ૩. વજજંઘ, ૪. કેશરી, ૫. પથરાજ, ૬. અપરાજિત, ૭. ભીમ, ૮. મહાભીમ અને ૯. સુગ્રીવ. કીર્તિપુરુષ વાસુદેવોના આ પ્રતિશત્રુ તેમની સાથે ચક્રયુદ્ધ કરશે અને અંતમાં સ્વચક્રથી મરણને પ્રાપ્ત કરશે. – – જંબુદ્વીપ નામના દ્વીપના ઐરાવત વર્ષમાં આગામી ઉત્સર્પિણીમાં નવ બલદેવ-વાસુદેવ પિતા થશે. નવ વાસુદેવ માતાઓ થશે. નવ બલદેવ માતાઓ થશે. નવ દસાર મંડલ થશે. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, પ્રધાન પુરુષ – યાવત્ – રામ અને કેશવ બંને ભાઈ થશે. નવા પ્રતિશત્રુ થશે. નવ પૂર્વભવના નામ થશે. નવ ધર્માચાર્ય થશે. નવ નિદાન ભૂમીઓ થશે. નવ નિદાન કારણ થશે. આ બધું કથન ઐરાવત ક્ષેત્રની આગામી ઉત્સર્પિણીકાળમાં કરવું જોઈએ. આ પ્રમાણે બંને દ્વીપના આગામી ઉત્સર્પિણી કાળને માટે કહેવું જોઈએ. ૦ આગમ સંદર્ભ :સમ. ૩૬૮ થી ૩૭૩, ૩૮૨; સમ. ૩૮રની વૃ તિથો. ૧૧૪૭ થી ૧૧૫૧; Page #174 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ – બલભદ્ર ૧૭૩ (તિર્થોદ્દગાલિતમાં નામ ભેદ – બીજા વાસુદેવ નંદમિત્રને બદલે નંદિમિત્ર જણાવેલા છે. ત્રીજા દીર્ઘબાહુને બદલે સુંદરબાહુ કહ્યા છે. એ જ રીતે બળદેવમાં પણ પહેલાનું નામ જયંતને બદલે જયંતિ છે, બીજાનું વિજયને બદલે અજિત છે. અચલ બલદેવ–વિભિષણ વાસુદેવ : અવર વિદેહમાં અલિલાવતી નામક વિજયમાં વીતશોકા નામની નગરી હતી. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો, તેને મનોહરી અને કેકયી નામે બે રાણીઓ હતી. તેમને અનુક્રમે અચલ અને વિભિષણ પુત્ર હતા. મનોહરી અચલ બલદેવની માતા હતા. કેકયી વિભિષણ, વાસુદેવની માતા હતા. તે બંને અર્ધ વિજયના સ્વામી હતા. મનોહરી માતાએ જિતશત્રના મૃત્યુ પછી કોઈ વખતે અચલને કહ્યું કે, મેં ભર્તા (પતિ) અને પુત્ર બંનેની લક્ષ્મી ભોગવી. હવે હું પરલોકના હિતને માટે દીક્ષા લઈશ. અચલ સ્નેહને કારણે તેને રજા આપતો નથી. આગ્રહ કર્યો ત્યારે કહ્યું કે, હે માતા ! જો સ્વર્ગમાં જાઓ તો મને પ્રતિબોધ કરજો. તેણી અગિયાર અંગ ભણ્યા, તીવ્ર વૈરાગ્યથી લાંતક કલ્પમાં ઇન્દ્ર થયા. વિભિષણ વાસુદેવ મૃત્યુ પામ્યા ત્યારે નેહવશ અચલ તે વાતને સ્વીકારતો ન હતો. તે સમયે પુત્રસ્નેહથી લાંતકેન્દ્ર થયેલ માતાનો જીવ નીચે આવીને અચલ બળદેવને પ્રતિબોધ કરે છે. અચલ પણ કામભોગથી નિવર્તીને દીક્ષા લે છે. ત્યાર પછી લલિતાંગ દેવ થાય છે. (ભગવંત ઋષભ અને શ્રેયાંસના પૂર્વભવ અંતર્ગત્ કથા પ્રસંગ છે.) આગમ સંદર્ભ :આવરૃ.૧–પૃ. ૧૭૬, ૧૭૭; આવ.મ.વૃ.પૂ. ૨૨૫; Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આગમ કથાનુયોગ-૨ ખંડ-૨-શ્રમણ કથાનક અધ્યયન-૧–ગણધર કથા ૦ ગણ : ગણ શબ્દના અનેક અર્થો છે. પરંતુ અહીં ગણ–ધર’ શબ્દની ભૂમિકારૂપે "ગણ" શબ્દનો અર્થ જ ગ્રાહ્ય છે. - ગણ એટલે એક સામાચારીવાળા (સાધુ)જનોનો સમૂહ. –ગણ એટલે એક વાચના, આચાર, ક્રિયાસ્થાનોનો સમૂદાય કે સૂત્ર –ગણ એટલે સ્થવરોની શિષ્ય સંસ્થિતિ, ગણ એટલે કુળ સમુદાય. –ગણ એટલે એક વાચનાને ગ્રહણ કરતા સાધુઓનો સમુદાય – એક ક્રિયાવાળા સાધુઓનો સમુદાય અથવા સમાન વાચના–ક્રિયાવાળો સાધુવર્ગ –ગણ શબ્દ ચાંદ્રાદિ કુળોનો સમૂહ, ગચ્છ, કોટિકાદિ ગણ, ઇત્યાદિ અર્થ પણ ધરાવે છે. શ્રમણ ભગવંત મહાવીરને નવ ગણ હતા. તે આ પ્રમાણે :- ૧. ગોદાસગણ, ૨. ઉત્તરબલિસ્સીંગણ, ૩. ઉદ્દેહગણ, ૪. ચારણગણ, ૫. ઉડવાટિકગણ, ૬. વિશ્વવાદિકગણ, ૭. કામર્દિકગણ, ૮. માનવગણ અને ૯, કોટિક ગણ. ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૩૭; ઠા. ૨૨૨, ૨૨૮, ૪૩૧, ૪૭૬, ૪૮૫, ૨૧૮, ૫૯૫, ૭૨૮, ૮૩૭ની વૃ સમ. ૮ ની વૃ; ભગ. ૨૫૧, ૪૧રની વૃ; પપ્પા. ૨૦ ની વૃ. ઉવ ૨૦ ની વૃ. જંબૂ. ૪૪ની વૃ. ગચ્છા. ૨૦ની વૃ. નિસી ૧૦૭૩ની ચૂ. બુહ. ૧૨૫ની વ. વવ.ભા. ૭૬૮ની વૃ. જીય.મૂ. ૯૮નું ભા. આવ.નિ. ૨૧૧ની વૃ. ઓહ.નિ ૧૦૪૧ની વૃ; પિંડ.નિ. ૪૭૬ની વૃક દસનિ. ૩૨૬–વં. કલ્પ. ૮/૧ ની વૃ. ૦ ગણધર : ગણના ધારકને ગણધર કહે છે. તેઓ તીર્થકર ભગવંતના મુખ્ય શિષ્ય હોય છે. તેઓ આચાર્ય પણ કહેવાય છે. અનુત્તરદર્શનજ્ઞાનાદિ ધર્મગણના ધારણકર્તા હોય છે. સૂત્રના કર્તા હોય છે. ભગવંતના અતિશય ધારક એવા અનંતર શિષ્યો સાધુ સમૂહને ધારણ કરે છે અને સાધુગણને લઈને પૃથક્ વિચરતા હોય છે. તીર્થકર દ્વારા અપાતી દેશનાને તેઓ સહેલાઈથી સમજે છે અને ભગવંત દ્વારા અપાતા ત્રિપદીરૂપ માતૃકાન્યાસથી સર્વ પ્રવચનને કર્મના ક્ષયોપશમથી સૂત્રરૂપે ગુંથે છે. એટલે જ આગમોમાં કહેવાય છે, “અડતો અર્થને જણાવે છે અને ગણધરો તેને સૂત્રરૂપે ગુંથે છે.” ભગવંત દ્વારા અપાતી શિક્ષાને પદ્ધતિસરના સાહિત્યરૂપે બીજબુદ્ધિ સમ્યક્ત્વથી અનેક યોગના ધારક તૈયાર કરે છે જેને દ્વાદશાંગી કહેવાય છે. તેઓ પોતે પણ કાદશાંગી અને ચૌદપૂર્વના અથવા ગણિપિટકના ધારક હોય છે. પ્રત્યેક તીર્થકરને કેટલાંક ગણધરો હોય છે. જેમકે ભગવંત ઋષભને ૮૪–ગણધર હતા. ભગવંત વર્તમાન મહાવીરને ગૌતમાદિ ૧૧–ગણધર હતા. Page #176 -------------------------------------------------------------------------- ________________ ગણધર કથાનક ૧૭૫ નંદી.યૂ.પૂ.૭; (ગણધરોની સંખ્યા અને સંખ્યા વિષયક મતભેદ તીર્થકર કથાનકોમાં પૂર્વે અપાઈ ગયેલ છે.) ગણધરને સંયતી પરિવર્તક પણ કહ્યા છે. ભમહાવીરના અગિયાર ગણધર હતા. તે આ પ્રમાણે :૧. ઇન્દ્રભૂતિ, ૨. અગ્રિભૂતિ, ૩. વાયુભૂતિ, ૪. વ્યક્ત, ૫. સુધર્મા, ૬. મંડિત પુત્ર. ૭. મૌર્યપુત્ર, ૮. અકંપિત, ૯. અચલભ્રાતા, ૧૦. મેતાર્ય અને ૧૧. પ્રભાસ. ૦ આગમ સંદર્ભ :-- આયા. ૩૯૦ની વૃ. સૂય.નિ ૧, ૧૮, ૧ની . ઠા. ૭૨૮ની વૃ. સમ. ૮ની વૃ. ભગ. ૧૦૮૨; જીવા. ૧ની વૃ પન્ન ૪૪૧–4 જંબૂ. ૪૪ની વૃ. બુહ ૪૧૫૦, ૫૩૬૨ની વૃ જીય.ભા. ૨૪૭૧ થી ૨૪૭૫, આવ.નિ. ૮૨, ૯૦ થી ૯૨, ર૬૯, ૨૭૦, ૫૯૩, પ૦૪, ૬૫૮; આવ.નિ. ૨૧૧–વૃ. આવ.યૂ.૧–પૃ. ૮૬, ૩૩૭; ઉત્ત.ચૂપૂ. ર૭૦; ઉત્ત. ૧૦૫ત્ની વૃ. નંદી. ૨૦, ૨૧, ૧૫૪; નંદી ૨૧, ૧૫૪ની વૃ કલ્પ ૧૨૧, ૮/૧ની વૃ. – x — — — ૦ ભ૦મહાવીરના ગણ અને ગણધર : તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત મહાવીરને નવ ગણ અને અગિયાર ગણધર થયા. ભગવન્! એવું કેમ કહ્યું કે, શ્રમણ ભગવંત મહાવીરને નવ ગણ અને અગિયાર ગણધર હતા ? (કેમકે જે ભગવંતના જેટલા ગણ હોય તેટલાં જ તેમના ગણધર હોય છે – આવશ્યક નિયુક્તિ૨૬૯). ભગવંત મહાવીરના આઠમા અને નવમા ગણધરની વાચના સંયુક્ત હતી. તેમજ દશમા અને અગિયારમાં ગણધરની વાચના સંયુક્ત હતી. સમાન વાચના ગ્રહણ કરનારનો ગણ એક જ કહેવાતો હોવાથી તે બંનેના ગણ એક થાય. તે કારણથી હે આર્યો ! એમ કહેવાય છે કે, શ્રમણ ભગવંત મહાવીરના ગણધર અગિયાર હતા. પણ, ગણ નવ હતા. (ગણધરના નામ, પરિવાર, વાયનાની વિશેષ માહિતી ગણધર કથાનકમાં આપેલી છે) ૦ આગમ સંદર્ભ:- કલ્પસૂત્ર વ્યાખ્યાન ૮ સૂત્ર ૧ થી ૩ ૦ ગણધર કથાનક : પૂર્વે આચાર આદિ બાર અંગસૂત્રરૂપ દ્વાદશાંગી વર્તતી હતી. પરંતુ આર્ય સ્થૂલભદ્ર છેલ્લા ચૌદપૂર્વી થયા પછી ક્રમશઃ પૂર્વોનું જ્ઞાન અને દૃષ્ટિવાદ વિચ્છેદ પામ્યા. એ દૃષ્ટિવાદના પાંચ વિભાગ હતા – પરિકર્મ, સૂત્રો, પૂર્વ, અનુયોગ અને ચૂલિકા. અનુયોગ વિભાગ બે ભેદે હતો – મૂળ પ્રથમાનુયોગ અને ચંડિકાનુયોગ. તે ગંડિકાનુયોગમાં અનેક ગંડિકાઓ હતી. જેમાંની એક ગણધરગંડિકા હતી. તે ગણધરગંડિકામાં ગણધરોના ચરિત્રો હતા. હાલ ગણધરચંડિકાના અભાવે ગણધર વિષયક પૂર્ણ માહિતી મળતી નથી. પ્રવર્તમાન આગમોમાં જે માહિતી ઉપલબ્ધ છે તે અહીં ગણધર કથામાં રજૂ કરી છે. ૧. ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ કથા :–૦- પરીચય : ભગવંત મહાવીરના પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ થયા. જે ઇન્દ્રભૂતિનો જન્મ મગધદેશના ગોમ્બર ગામમાં થયેલો. તેમના પિતાનું નામ વસુભૂતિ અને માતાનું નામ પૃથ્વી Page #177 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ હતું. જ્યેષ્ઠા નક્ષત્રવાળા આ ગણધરનું ગોત્ર ગૌતમ હતું. ગણધર અગ્નિભૂતિ અને વાયુભૂતિ તેના ભાઈ હતા. તેઓ બ્રાહ્મણ જ્ઞાતિના, ઉત્તમ–વિશાળ કુળ અને વંશવાળા અને ૫૦૦ શિષ્ય પરિવારના અધ્યાપક હતા. તેઓ મધ્યમપાપાપુરી નગરીમાં સોમિલ નામના ધનાઢ્ય બ્રાહ્મણે યોજેલા એક વિરાટ યજ્ઞમાં આવેલા હતા. તેમની સાથે અગ્નિભૂતિ આદિ બીજા દશ બ્રાહ્મણો પણ પોતાના શિષ્ય પરિવાર સાથે આવેલા. ઇન્દ્રભૂતિને “જીવ છે કે નહીં ?' એવો સંશય હતો. પણ પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી પોતાનો સંદેહ અન્ય વિદ્વાન બ્રાહ્મણને પૂછીને સમાધાન પ્રાપ્ત કરતા ન હતા. દેવોનું સમવસરણમાં આગમન અને ઇન્દ્રભૂતિની વિચારણા :– ૧૭૬ 101 તે વખતે ભગવંત મહાવીર પણ મધ્યમપાપાપુરીના મહાસેન ઉદ્યાનમાં પધારેલા. ભગવંતનું સમોસરણ રચાયું. તે અવસરે દેવોના જય-જય શબ્દયુક્ત દિવ્ય દુંદુભિ શબ્દના નાદ સહિત આકાશમંડલથી અપ્સરા સહિત દેવગણ આવી રહ્યો હતો, તેઓને યજ્ઞમંડપ તરફ આવતા જોઈને તે યજ્ઞમંડપમાં એકઠા થયેલા બ્રાહ્મણો પરસ્પર બોલવા લાગ્યા કે, અહો ! આ યજ્ઞનો પ્રભાવ તો જુઓ ! આપણા મંત્રોથી બોલાવેલા આ દેવો પ્રત્યક્ષ થઈને યજ્ઞમંડપમાં પધારી રહ્યા છે. પરંતુ તે દેવગણ તો યજ્ઞમંડપ છોડીને સમસરણભૂમિએ ઉતર્યા. તે જોઈને અનેક લોકો પણ સમવસરણ પ્રતિ ચાલ્યા અને દેવગણોથી પૂજાતા ભગવંતને જોઈને તેઓ અતિ હર્ષાયમાન થયા. ‘અત્રે સર્વજ્ઞ ભગવંત પધારેલા છે'' દેવો પણ તેની પૂજા કરે છે એ પ્રમાણેનો લોકપ્રવાદ પ્રસરવા લાગ્યો. દેવોને યજ્ઞમંડપ છોડી ભગવંત પાસે જતા જોઈને બ્રાહ્મણો ખિન્ન થઈ ગયા. લોક મુખેથી તેઓએ જ્યારે સાંભળ્યું કે, ‘‘આ દેવોતો સર્વજ્ઞ પ્રભુને વંદન કરવા જાય છે; ત્યારે ‘‘સર્વજ્ઞ’” એવો શબ્દ સાંભળતાં જ ઇન્દ્રભૂતિ કોપાયમાન થઈ વિચારવા લાગ્યા કે, અરે ! હું સર્વજ્ઞ હોવા છતાં બીજો પણ કોઈ પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવે છે. કાનને અસહ્ય એવું કડવું વચન કેમ સાંભળી શકાય ? કોઈ તારો આવીને મુર્ખાઓને ઠગી જાય અને મુર્ખ લોકો તેમની પાસે જાય તે બને. પણ આ દેવો કેમ ત્યાં જાય છે ? આશ્ચર્ય છે કે આ પાખંડીએ તો દેવોને પણ ઠગ્યા. કે જે સર્વજ્ઞ એવા મને અને આ પવિત્ર યજ્ઞમંડપને છોડીને તેની પાસે ચાલ્યા જાય છે. કે પછી જેવો તે સર્વજ્ઞ હશે તેવા જ આ દેવો પણ હશે ? તો પણ હું તેના સર્વજ્ઞપણાના આડંબરને સહન કરી શકું નહીં. કેમકે આકાશમાં બે સૂર્ય હોઈ ન શકે. ગુફામાં બે સિંહ રહી ન શકે. તેમ હું અને તે બંને સર્વજ્ઞ કઈ રીતે થઈ શકીએ ? ભગવંતને વંદન કરી પાછા ફરતા લોકોને ઇન્દ્રભૂતિએ હાંસીપૂર્વક પૂછ્યું કે, તમોએ તે સર્વજ્ઞને જોયો ? કહો તો ખરા કે, તે સર્વજ્ઞ કેવો છે ? તેનું રૂપ કેવું છે ? ત્યારે તે મનુષ્યોએ ઉત્તર આપ્યો કે, ત્રણે જગના લોકો એકઠા થાય, તેમના આયુષ્યની સમાપ્તિ ન થાય અને પરાર્ધથી ઉપર ગણિત હોય, તો કદાચ તે સર્વજ્ઞ પ્રભુના ગુણો ગણી શકાય. તે સાંભળી ઇન્દ્રભૂતિ વધારે વિચારમાં પડ્યો આ મહાધૂર્ત તો ખરેખર માયાનું ઘર જણાય છે. તેણે તો સર્વજનોને ભ્રાંતિમાં નાંખી દીધા. જેમ હાથી કમળને ઉખેડી નાખે તેમ આ ઇન્દ્રજાળીયો આવા ભોળા અને મૂર્ખ લોકો પાસે પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવે તો Page #178 -------------------------------------------------------------------------- ________________ ગણઘર ગૌતમ કથા - ૧૭૭ શી નવાઈ છે ? તેનું મિથ્યાભિમાન ત્યાં સુધી જ છે કે, જ્યાં સુધી મારી સાથે વાદમાં ઉતર્યો નથી. પણ હવે હું તે સર્વજ્ઞને ક્ષણવાર પણ સહન કરી શકું નહીં. જેણે પ્રખર પંડિતોની સભામાં મોટા મોટા વાદીઓને વાદવિવાદમાં બોલતા બંધ કરી દીધા છે એવા મારી પાસે આ સર્વજ્ઞ વળી કોણ છે ? દરેક દેશના પંડિતોને જીતી જગતમાં વિજયપતાકા ફરકાવનાર મારી આગળ વળી સર્વજ્ઞ તરીકે અભિમાન કરનાર આ વાદી કોણ છે ? આ પ્રમાણે વિચારી ઇન્દ્રભૂતિએ પોતાના ભાઈ અગ્નિભૂતિને કહ્યું કે, ‘હે અગ્નિભૂતિ ! મગ પકાવતાં કોઈ કોરડું રહી જાય તેમ દરેક વાદીઓને જીતવા છતાં આ વાદી હજુ રહી ગયો લાગે છે, માટે હું તેને વાદમાં પરાસ્ત કરવા જાઉ છું. અગ્નિભૂતિએ કહ્યું, હે વડિલ બંધુ ! કીડા સરખા દમ વગરના એ વાદીને જીતવા માટે આપે પ્રયાસ કરવાની શી જરૂર છે ? આપ મને આજ્ઞા આપો. હું હમણાં જઈને તેને પરાસ્ત કરું છું. ઇન્દ્રભૂતિ બોલ્યા કે, જો કે તે તો મારા એક વિદ્યાર્થી વડે પણ જીતી શકાય તેવો છે, પણ તે વાદીનું નામ મારાથી સહન થઈ શકે તેમ નથી. જેમ ઘાણીમાં તલ પીલતા કોઈ તલ રહી જાય તેમ જગતના સર્વ વાદીઓને જીતવા છતા આ વાદી રહી ગયો છે. સર્વજ્ઞ હોવાનો ખોટો ડોળ રાખનારા આને હું સહન કરી શકું તેમ નથી. કેમકે સમગ્ર વાદીઓને જીતવા છતાં આ એક વાદી રહી જાય તો સર્વવાદી જીત્યા ન કહેવાય. એક પણ વાદી બાકી રહે તો સમગ્ર જગતમાં વિજયપતાકા ફરકાવી મેળવેલો મારો યશ નષ્ટ થઈ જાય. માટે હે અગ્નિભૂતિ ! મારી કીર્તિના રક્ષણ માટે પણ મારે જવું ઉચિત જ છે. આ પ્રમાણે કહીને બાર તિલકથી વિભૂષિત, સુવર્ણ જનોઈને ધારણ કરેલ, ઉત્તમોત્તમ પીળા વસ્ત્રોના આડંબરયુક્ત એવો તે ઇન્દ્રભૂતિ ૫૦૦ શિષ્યોથી પરિવરીને ભગવંત મહાવીર પાસે વાદ કરવા ચાલ્યો. તે વખતે તેની સાથે ચાલતા ૫૦૦ શિષ્યો બિરૂદાવલી બોલાવે છે, હે સરસ્વતી કંઠાભરણ ! હે વાદિ મદગંજન ! હે વાદિતરુ– ઉન્મૂલન હસ્તિન્ ! હે વાદિગજસિંહ, હે વિજિતાનેકવાદ ! હે વિજ્ઞાનાખિલપુરાણ ! હે કુમતાન્ધકારનભોમણિ ! હે વિનિતઅનેક નરપતિ ! હે શિષ્યીકૃત બૃહસ્પતિ ! હે સરસ્વતીલબ્ધ પ્રસાદ ! ઇત્યાદિ બિરૂદાવલીથી દિશાઓને ગજવતા શિષ્યોની સાથે ઇન્દ્રભૂતિ ચાલતા ચાલતા વિચારે છે કે, અરે ! આ ધિટ્યા માણસને આવું તે શું સૂજ્યું કે તેણે સર્વજ્ઞ હોવાનો આડંબર કરી મને છંછેડ્યો ? ઠીક છે, તેનો આવો ઘમંડ ક્યાં સુધી ટકવાનો ? હું હમણાં જ જઈને તેને વાદમાં નિરુત્તર કરી નાંખુ છું. મદોન્મત્ત હાથી ત્યાં સુધી જ વનમાં ગર્જના કરી શકે છે કે, જ્યાં સુધી કેસરીસિંહની ગર્જના ન સાંભળે. આવા અનેક તરંગોમાં રાચતો ઇન્દ્રભૂતિ ભગવંતના સમવસરણમાં આવ્યો. ત્યાં ચોત્રીશ અતિશયોથી શોભતા, સુવર્ણના સિંહાસન પર બેઠેલા, સુરેન્દ્રોથી પૂજાતા, સુરનરોથી પરિવરેલા અને અમૃતમય વાણીથી દેશના આપી રહેલા જગપૂજ્ય શ્રમણ ભગવંત મહાવીરનું તેજસ્વી અને ભવ્ય મુખારવિંદ જોઈને ઇન્દ્રભૂતિ દંગ થઈ ગયો. નીચે ઊભા ઊભા જ વિચારવા લાગ્યો કે, અહો ! આ તો શું બ્રહ્મા છે ? શંકર છે ? ચંદ્ર છે ? સૂર્ય છે ? મેરૂ છે ? કૃષ્ણ છે ? કામદેવ છે ? કોણ છે આ ? હા ! હવે ખબર પડી આ તો સર્વગુણ સંપન્ન તીર્થંકર છે. પ્રભુ સાથે વાદ કરવા આવેલા Jain | ૨/૧૨ {nternational Page #179 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ ઇન્દ્રભૂતિના હવાઈ તરંગો ઉડી ગયા. તે ચિંતામાં પડી ગયો. હવે મારે મારી કીર્તિનું રક્ષણ કઈ રીતે કરવું ? હું અહીં ન આવ્યો હોત તો જ સારું હતું. મેં વગર વિચાર્યું સાહસ કર્યું. હું આ તેજસ્વી મહાજ્ઞાની આગળ કઈ રીતે બોલી શકીશ ? કદાચ ભાગ્યોદયથી અહીં મારો જય થાય તો હું ત્રણે જગતમાં પંડિત શિરોમણિ કહેવાઈશ. ૧૭૮ ઇન્દ્રભૂતિનું આગમન અને ભગવંત દ્વારા સંશયનિવારણ :~ આ પ્રમાણે ચિંતવતા ઇન્દ્રભૂતિને, જન્મ-વૃદ્ધાવસ્થા અને મરણથી વિપ્રમુખ્ત થયેલા સર્વજ્ઞ—સર્વદર્શી જિનેશ્વર પ્રભુ મહાવીરે તેમને નામ અને ગોત્રપૂર્વક કહ્યું, હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! તું અહીં ભલે આવ્યો. આ પ્રમાણે પોતાનું નામ અને ગોત્ર સાંભળીને ઇન્દ્રભૂતિ વિચારવા લાગ્યો કે, અરે ! આ તો મારું નામ પણ જાણે છે અથવા તો હું વિશ્વવિખ્યાત છું. મને કોણ નથી ઓળખતું. પણ જો મારા હૃદયમાં રહેલા સંશયને તે કહી આપે તો તે મારે માટે આશ્ચર્યકારી ગણાય. આ પ્રમાણે ચિંતવતા ઇન્દ્રભૂતિને અત્યંત ગંભીર ધ્વનિથી પ્રભુ મહાવીરે પૂછ્યું કે, હે “ઇન્દ્રભૂતિ ! તને એવો સંશય છે કે, આત્મા છે કે નહીં ?'' તમે વેદપદોના અર્થને બરાબર જાણતા નથી. તેથી આ સંશય થયો છે. આ સંશય તને પરસ્પર વિરુદ્ધ દેખાતા વેદવાક્યોથી થયો છે. તે વેદપદો આ પ્રમાણે છે :- “વિજ્ઞાનયન દ્વૈતમ્યો મૂતેભ્યઃ સમુત્યાય તાન્ચેવાનુ વિનશ્યતિ, ન પ્રેત્યસંજ્ઞાતિ'' જ્યારે “સ થૈ ગયમાત્મા જ્ઞાનમય'' વગેરે. આ વેદવાક્યોથી તારા ચિત્તમાં વિપર્યાસ થયેલો છે. કેમકે તું અહીં એવો અર્થ કરે છે કે, “વિજ્ઞાનોનો સમુદાય જ આ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને પાછો ભૂતોમાં જ નાશ પામે છે. તેથી પરલોકની સંજ્ઞા નથી. અર્થાત્ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એ પાંચ ભૂતો શરીરરૂપે પરિણમ્યા હોય, ત્યારે શરીરરૂપે પરિણમેલા આ પાંચ ભૂતોમાંથી ‘આ ઘડો છે, આ ઘર છે, આ મનુષ્ય છે'' ઇત્યાદિ વિવિધ પ્રકારનો જ્ઞાનનો સમુદાય જ ઉત્પન્ન થાય છે. પણ આત્માને માનવાવાળો જ્ઞાનનો આધાર જે આત્મા નામનો પદાર્થ માને છે, તે આત્મા નામનો પદાર્થ નથી. કેમકે પાંચ ભૂતોમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનનો આધાર પાંચ ભૂતો માનવા. 1101 જે રીતે મદિરાના અંગોમાંથી મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી જ્ઞાનશક્તિ ઉત્પન્ન થાય છે. આવી રીતે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થઈને, પછી જ્યારે શરીરરૂપે પરિણમેલા તે પાંચ ભૂતોનો વિનાશ થાય છે ત્યારે તે વિજ્ઞાનનો સમુદાય પણ જળમાં પરપોટાની પેઠે તે ભૂતોમાં જ લય પામે છે. આવી રીતે આત્મા નામનો પદાર્થ નથી, તેથી પ્રત્યસંજ્ઞા એટલે પરલોકની સંજ્ઞા નથી. અર્થાત્ મરીને પુનર્જન્મ નથી. કેમકે જ્યારે આત્મા નથી તો પછી પરલોક કોનો ? માટે અહીંથી મરીને કોઈ પરલોકમાં જતું નથી અને પરલોકથી અહીં કોઈ આવતું નથી. હે ઇન્દ્રભૂતિ ! વળી તું માને છે કે, ઉપર પ્રમાણે વેદવાક્યનો અર્થ યુક્તિથી પણ ઠીક લાગે છે. કેમકે પ્રત્યક્ષ પ્રમાણથી તો આત્મા જણાતો નથી. એટલે આત્મા જોવામાં આવતો નથી, તેમ સ્પર્શાદિ અનુભવથી પણ જણાતો નથી. તો આત્મા (જીવ) છે તેની શી સાબિતી ? જો આત્મા હોય તો જેમ ઘડો–વસ્ત્ર આદિ પદાર્થો જણાય છે તેમ Page #180 -------------------------------------------------------------------------- ________________ ગણધર – ગૌતમ કથા ૧૭૯ - - - - - - - - - - નાના જણાવો જોઈએ. જો કે પરમાણુઓ પણ જોવા કે સ્પર્શ આદિ અનુભવથી જણાતા ન હોવાથી અપ્રત્યક્ષ છે, છતાં ઘટ વગેરે કાર્યરૂપે પરિણમેલા તેઓ પ્રત્યક્ષ જણાય છે. પણ આત્મા તો તેવા કાર્યરૂપે પરિણમેલો પણ પ્રત્યક્ષ જણાતો નથી. અનુમાન પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, કેમકે અનુમાન પ્રત્યક્ષપૂર્વક પ્રવર્તે છે. જેણે પહેલાં ધૂમાડા અને અગ્રિનો સંબંધ ચૂલા આદિ સ્થાને જોયેલ હોય, તે માણસ પર્વત પર ધૂમાડો નીકળતો જોઈ, પહેલાં પ્રત્યક્ષથી જાણેલા ધૂમાડા અને અગ્રિનો સંબંધને યાદ કરે છે કે, જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ જોવા મળેલ હતો, આ પર્વત પર ધૂમાડો દેખાય છે માટે ત્યાં અગ્નિ હોવો જોઈએ. આવી રીતે પ્રત્યક્ષપૂર્વક અનુમાન થાય છે, આત્માની સાથે તો કોઈનો પણ સંબંધ પ્રત્યક્ષ જણાતો નથી. તો પછી આત્માની સિદ્ધિ અનુમાનથી કઈ રીતે થઈ શકે ? આગમ પ્રમાણથી પણ આત્માનો નિશ્ચય થઈ શકતો નથી, કેમકે કોઈ શાસ્ત્ર જણાવે છે કે, આત્મા છે, અને કોઈ જણાવે છે કે, આત્મા નથી. આ રીતે પરસ્પર વિરુદ્ધ જણાવતા શાસ્ત્રોમાં સાચું કુયું અને જૂઠું કર્યું? ઉપમા પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, કેમકે ઉપમા પ્રમાણ તો નિકટના પદાર્થમાં સાદૃશ્ય બુદ્ધિ ઉત્પન્ન કરે છે. જેમ જંગલમાં ગયેલો માણસ ત્યાં રોઝ નામના જંગલી પશુને જોઈને તે માણસને સાદૃશ્ય બુદ્ધિ થાય છે કે, જેવી ગાય હોય તેવો આ પશુ છે પણ જગમાં આત્મા જેવો તો કોઈ પદાર્થ નથી, તો ઉપમા પ્રમાણથી પણ આત્મા કોના જેવો માનવો ? આવી રીતે પ્રત્યક્ષ કે અનુમાન કે આગમ કે ઉપમા એવા કોઈપણ પ્રમાણથી આત્મા(જીવ)ની સિદ્ધિ થઈ શકતી નથી. તેથી આત્મા(જીવ) નથી એવું માનવું જોઈએ. – વળી ઘી, દૂધ વગેરે ઉત્તમ પદાર્થો વાપરી શરીર પુષ્ટ બન્યું હોય, તો તેમાંથી સતેજ જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ અનુભવીએ છીએ. માટે એમ માનવું જોઈએ કે, શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાન એ ભૂતોનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી. તેથી આત્મા (જીવ) નામનો કોઈ પદાર્થ નથી. આ પ્રમાણે છે ઇન્દ્રભૂતિ ! તું માને છે કે, “વિજ્ઞાન ઘન” ઇત્યાદિ વેદપદોથી તથા પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, તેથી આત્મા નામનો પદાર્થ નથી. પણ વળી આત્મા છે' એવું જણાવનારા બીજા વેદવાક્યો જોઈ—જાણી તું સંશયમાં પડ્યો છે કે, “આત્મા(જીવ) છે કે નથી ? પરંતુ હે ગૌતમ ઇન્દ્રભૂતિ ! તારો આ સંશય અયુક્ત છે કેમકે – વિજ્ઞાનઘન પુર્વ મૂખ્ય: સમુWાય તીજોવાઈનું વિનશ્યતિ, ન પ્રેયસંજ્ઞાતિ'' એ વેદવાક્યોનો અર્થ તું સમજ્યો નથી, તેથી એ વાક્યનો અર્થ તું જે ઉપર મુજબ કરે છે તેવો તેનો અર્થ નથી. – પણ એ વાક્યનો અર્થ આ પ્રમાણે છે – વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન અર્થાત્ જ્ઞાનદર્શનનો ઉપયોગ. તે વિજ્ઞાનના સમુદાયરૂપ જ આત્મા જ્ઞેયપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વગેરે ભૂતો થકી અથવા ઘડો–વસ્ત્ર આદિ પર્યાયો થકી “આ પૃથ્વી છે, આ ઘડો છે, આ વસ્ત્ર છે' આદિ પ્રકારે તે–તે ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે. અર્થાત્ આત્મામાં જ આવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે ઘડો–વસ્ત્ર આદિનો શેયપણે અભાવ થયા પછી Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આગમ કથાનુયોગ-૨ જ આત્મા પણ તેના ઉપયોગરૂપે વિનાશ પામે છે અને બીજા પદાર્થના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે અથવા સામાન્યરૂપે રહે છે. આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. અર્થાત્ આત્માનો જ્ઞાનરૂપ ઉપયોગ ઉત્પન્ન થાય છે અને આત્માનો જ્ઞાનરૂપ ઉપયોગ નાશ પામે છે. આત્મા ઉત્પન્ન થતો કે નાશ પામતો નથી. આત્માના પ્રત્યેક પ્રદેશે જ્ઞાન-દર્શનના ઉપયોગરૂપ અનંતા પર્યાયો રહેલા છે. તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા કથંચિત્ અભિન્ન છે અર્થાત્ આત્મા વિજ્ઞાનમય હોવાથી વિજ્ઞાનઘન ઇવ” એટલે વિજ્ઞાનના સમુદાયરૂપ જ છે. જ્યારે ઘડો–વસ્ત્ર વગેરે ભૂતોનું જ્ઞાન થાય ત્યારે તે ઘડો–વસ્ત્ર આદિ હેતુથી “આ ઘડો છે, આ વસ્ત્ર છે' ઇત્યાદિ ઉપયોગરૂપે આત્મા પરિણમે છે (અર્થાત્ આત્માનો ઉપયોગ તે વખતે ઘડા આદિમાં હોય છે) એટલે તે તે વિજ્ઞાનપર્યાયે ઉત્પન્ન થાય છે. કારણ કે તે આત્માને ઉપયોગરૂપે પરિણમવામાં તે ઘડાદિ વસ્તુનું સાપેક્ષપણું છે. પછી જ્યારે તે ઘડો–વસ્ત્ર આદિ વસ્તુનું આંતરું પડી જાય કે તેનો અભાવ થાય, કે અન્ય પદાર્થમાં મન ચાલ્યું જાય, ઇત્યાદિ કોઈપણ કારણથી આત્માનો ઉપયોગ તે પદાર્થ થકી ખસી જાય અને બીજા પદાર્થમાં ઉપયોગ પ્રવર્તે ત્યારે પૂર્વેના ઘડો–વસ્ત્રાદિ શેય પદાર્થો શયપણે રહેતા નથી, પણ બીજા જે પદાર્થોમાં ઉપયોગ પ્રવર્યો હોય તે પદાર્થો શેયપણે પ્રાપ્ત થાય છે. આવી રીતે જ્યારે તે ઘડો આદિ શેયરૂપે રહેતા નથી. ત્યારે આત્મા પણ આ ઘડો છે, આ વસ્ત્ર છે ઇત્યાદિ ઉપયોગ રૂપે રહેતો નથી. પણ બીજા પદાર્થના ઉપયોગ રૂપે પરિણમે છે અથવા સામાન્યરૂપે રહે છે. એટલે કે પૂર્વના ઉપયોગ રૂપે રહેતો નથી. તેથી જ વેદવાકયમાં કહ્યું છે કે, “ન ઑસંજ્ઞા ' અર્થાત્ પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આત્માની ત્રણ વિશેષતા છે. જે પદાર્થનું વિજ્ઞાન પ્રવર્તતું હોય તે વિજ્ઞાનપર્યાયરૂપે આત્મા ઉત્પન્ન થાય છે. તે સમયે પૂર્વેના પદાર્થના વિજ્ઞાનપર્યાય નષ્ટ થયેલા હોવાથી તે પૂર્વના વિજ્ઞાનપર્યાયરૂપે આત્મા નાશવંતરૂ૫ છે. અનાદિકાળથી પ્રવર્તેલી વિજ્ઞાન સંતતિ વડે દ્રવ્યરૂપે આત્મા અવિનશ્વરરૂપ છે. આવી રીતે આત્મા (જીવ) પર્યાયસ્વરૂપે ઉત્પત્તિ અને વિનાશરૂપ છે અને આત્મા (જીવ) દ્રવ્યરૂપે નિત્ય છે. વળી હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! પ્રત્યક્ષ પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થાય છે. કેમકે ઘડો–વસ્ત્ર આદિનું જે જ્ઞાન હૃદયમાં ઝૂરે છે, તે જ્ઞાન જ આત્મા છે. કેમકે જ્ઞાન આત્માથી કથંચિત્ અભિન્ન હોવાથી આત્મસ્વરૂપ જ છે. વળી જ્ઞાન પ્રત્યેકને પોતાના અનુભવથી સિદ્ધ હોવાથી સ્વપ્રત્યક્ષ જ છે. જ્યારે જ્ઞાન પ્રત્યક્ષ છે, તો પછી જ્ઞાનથી અભિન્ન એવો આત્મા પ્રત્યક્ષ જ છે તે કેમ ન મનાય ? હું બોલ્યો, હું બોલું છું, હું બોલીશ આદિ પ્રકારે ત્રણે કાળના વ્યવહારમાં “હું” એવી જે પ્રતીતિ થાય છે, તે પ્રતીતિથી પણ આત્મા પ્રત્યક્ષ સિદ્ધ છે. જો આત્માને નહીં માનો તો 'હું' શબ્દથી કોને ગ્રહણ કરશો ? કદાચ હું શબ્દથી “શરીરને ગ્રહણ કરશો તો મુડદાને પણ હું બોલ્યો ઇત્યાદિ પ્રતીતિ થવી જોઈએ, કારણ કે, તે સ્થિતિમાં પણ શરીર તો છે જ. તો પછી મુડદાને તેવી પ્રતીતિ કેમ થતી નથી ? તેથી માનવું જોઈએ કે, 'હું બોલ્યો' ઇત્યાદિ પ્રતીતિ શરીરથી જુદા એવા Page #182 -------------------------------------------------------------------------- ________________ ગણધર – ગૌતમ કથા ૧૮૧ શરીરીને થાય છે, અને તે જ આત્મા છે. – વળી જેના ગુણ પ્રત્યક્ષ હોય તે ગણી પણ પ્રત્યક્ષ જ મનાય છે. સ્મરણ, ઇચ્છા, સંશય વગેરે ગુણો પ્રત્યેકને પોતાના અનુભવથી પ્રત્યક્ષ સિદ્ધ છે. તેથી તે ગુણોના આધારરૂપ ગુણીને પણ પ્રત્યક્ષ સિદ્ધ જ માનવો જોઈએ. તે સ્મરણ ઇચ્છા, સંશય વગેરે ગુણોનો આધાર શરીર તો ન જ કહેવાય, કેમકે જેવા ગુણ હોય તેવો જ તેઓનો ગુણી હોય. તે ગુણો અમૂર્ત અને ચૈતન્યરૂપ છે, શરીર તો મૂર્ત અને જડરૂપ છે. આવી રીતે અમૂર્ત અને ચૈતન્યરૂપ ગુણોનો આધાર મૂર્ત અને જડરૂપ શરીર કઈ રીતે સંભવે? તેથી મૂર્ત અને જડરૂપ એવા તે ગુણોનો આધાર–ગુણી અમૂર્ત અને ચૈતન્યરૂપ એવો આત્મા જ સ્વીકારવો જોઈએ. અનુમાન પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકે છે. તે આ પ્રમાણે :- જે ભોગ્ય હોય તેનો ભોક્તા અવશ્ય હોય છે. જેમ ભોજન, વસ્ત્ર વગેરે ભોગ્ય છે, તો તેનો ભોક્તા મનુષ્ય છે. તે રીતે શરીર પણ ભોગ્ય છે, તેનો ભોક્તા શરીરી હોવો જોઈએ અને તે આત્મા જ છે. આગમ પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકે છે. વેદમાં જ કહ્યું છે કે તે વૈ યમત્મિ જ્ઞાનમય: તે આ આત્મા જ્ઞાનમય છે. તેમજ – રુમ તાન યા તિ છાત્રવં યો વેત્તિ રસ નવ:” આ વેદ વાક્યથી પણ આત્મા છે તેમ સિદ્ધ થાય છે. વળી તું જે માને છે કે, ઘી, દૂધ વગેરે ઉત્તમ પદાર્થો વાપરી પુષ્ટ બનેલા શરીરનું ચૈતન્ય સતેજ અનુભવાતું હોવાથી, ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી તે ચૈતન્ય ઉત્પન્ન થાય છે." આ પણ તારું માનવું અયોગ્ય છે. કારણ કે તે વખતે પુષ્ટ થયેલું શરીર ચૈતન્યનું સહાયક બને છે. પણ શરીર માત્ર સહાયક થવાથી તે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ માની શકાય નહીં. જેમ અગ્નિ વડે સુવર્ણમાં કાવ્યતા (પીગળવાપણું) થાય છે. તે દ્રાવણ થવામાં અગ્નિ સહાયકારી છે, પણ તેથી એમ તો ન જ કહેવાય કે અગ્નિમાંથી કાવ્યતા ઉત્પન્ન થઈ, દ્રવતા તો સુવર્ણમાંથી ઉત્પન્ન થાય છે. તેથી તે દ્રવતા એ સુવર્ણનો ધર્મ છે. તેમ ચૈતન્ય સતેજ થવામાં પુરું શરીર સહાયકારી થયું હોય, તેથી એવું ન જ કહેવાય કે, શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થયું. ચૈતન્ય તો આત્મા થકી જ ઉત્પન્ન થાય છે. તેથી તે આત્માનો ધર્મ છે. તદુપરાંત ઘણાં માણસોનું શરીર પુષ્ટ હોય છતાં તેમનું જ્ઞાન થોડું હોય છે અને ઘણાં કૃશ શરીરવાળાનું જ્ઞાન–વિશાળ હોય છે. તેથી પુષ્ટ શરીરવાળાને ઘણું જ્ઞાન હોય એવો નિયમ ક્યાં રહ્યો ? જ્યારે એવો નિયમ ન રહે ત્યારે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એવું પણ કેમ મનાય ? તેમજ શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થતું હોય તો મૃત્યુ પછી પણ શરીર તો છે. તો તે મૃતકને ચૈતન્ય કેમ થતું નથી ? - જેમ સફેદ તાંતણાથી બનેલા વસ્ત્રને લાલ રંગથી રંગીએ, તે વખતે તે તાંતણા પણ લાલ રંગના થઈ જાય છે. તેથી માનો છો કે લાલ તાંતણા થકી વસ્ત્ર બન્યું. પણ શરીર અને ચૈતન્યમાં તે અનુમાન થઈ શકે નહીં. કેમકે ગાંડા થઈ ગયેલા માણસનું ચૈતન્ય વિકાર પામેલું હોય છે. છતાં તેનું શરીર તો પ્રથમના જેવું જ હોય છે. ગાંડાના શરીરમાં કંઈ વિકૃત્તિ દેખાતી નથી. તો પછી શરીરમાંથી જ ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ કેવી રીતે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આગમ કથાનુયોગ-૨ મનાય ? વળી જેની વૃદ્ધિ થતાં જેમાં વૃદ્ધિ થાય તે-તે થકી ઉત્પન્ન થયું કહેવાય, જેમ માટી વધારે હોય તો ઘડો મોટો થાય, તો ત્યાં ઘડો માટીમાંથી ઉત્પન્ન થયો મનાય છે. પણ શરીર અને ચૈતન્યમાં એવું અનુભવાતું નથી. કારણ કે, હજારો યોજનના શરીરવાળા માછલાંઓને જ્ઞાન ઘણું અલ્પ હોય છે અને નાના શરીરવાળા મનુષ્યોનું જ્ઞાન વધારે હોય છે. આ રીતે ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે એવું કોઈપણ પ્રકારે સિદ્ધ થઈ શકાતું નથી. માટે માનવું પડે કે જ્ઞાન શરીરથી ઉત્પન્ન થતું નથી. પણ શરીરથી જુદા એવા કોઈ પદાર્થથી જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે પદાર્થ એ આત્મા છે. હે ઇન્દ્રભૂતિ ! આ પ્રમાણે વિજ્ઞાનને ઇત્યાદિ વેદપદોથી તથા પ્રત્યક્ષાદિ પ્રમાણોથી ‘આત્મા છે' એમ નિર્ણય થાય છે. જેમ દૂધમાં ઘી, તલમાં તેલ, કાષ્ઠમાં અગ્નિ, પુષ્પમાં સુગંધ અને ચંદ્રકાંત મણિમાં જળ રહેલું છે, તેમ શરીર થકી ભિન્ન એવો આત્મા પણ શરીરમાં રહેલો છે. દીવાના પ્રકાશની જેમ આત્માનો પ્રકાશ જ્ઞાન સમજવો. જેમ દીવો એક ઘડામાં હોય તો તેનો પ્રકાશ તે ઘડાની સીમામાં ફેલાય છે. તે જ દીવો કોઈ ઓરડામાં મૂકાય તો તેનો પ્રકાશ આખા ઓરડામાં ફેલાય છે. તેમ આત્માને જ્યારે જ્ઞાનાવરણીય આદિ કર્મની મર્યાદા બંધાય છે ત્યારે તે મર્યાદામાં જ તેનો જ્ઞાનપ્રકાશ ફેલાય છે, પણ જ્ઞાનાવરણીય આદિ કર્મનો ક્ષય થાય ત્યારે તે આત્મા કેવળજ્ઞાનના બળે અનંત સુધી જ્ઞાનપ્રકાશ ફેલાવે છે. ૦ સંશય નષ્ટ થતા ઇન્દ્રભૂતિની દીક્ષા : આ પ્રમાણે જન્મ, જરા, મરણથી, વિપ્રમુક્ત થયેલા જિનેશ્વર મહાવીરે ઇન્દ્રભૂતિ ગૌતમના સંશયનું નિવારણ કર્યું, ત્યારે ઇન્દ્રભૂતિનો આત્મા વિષયક સંશય નષ્ટ થયો. આત્મા છે" તે વાતની પ્રતીતિ થઈ ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમે પોતાના પાંચસો શિષ્યો સહિત તે જ વખતે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેઓ ભગવંતના મુખ્ય શિષ્ય અને પ્રથમ ગણધર થયા, ત્યાર પછી ભગવંત પાસેથી ઉત્પન્નડું વા, વિડુિ વા, ધુવે વા એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કરીને વિશિષ્ટ ક્ષયોપશમ તથા બીજબુદ્ધિ સમ્યકત્વ વડે દ્વાદશાંગી (ગણિપિટક)ની રચના કરી. ૦ ગણધર ઇન્દ્રભૂતિ : ઇન્દ્રભૂતિ સંયમ અંગીકાર કર્યા પછી ભગવંતના પ્રથમ શિષ્ય અને પ્રથમ ગણધર બન્યા. તે તેમના ગોત્રથી જ વિશેષ પ્રસિદ્ધિ પામ્યા. આગમોમાં તથા ભગવંતે કરેલા સંબોધનોમાં તે “ગૌતમ” નામે જ વધારે ઓળખાયા. તેમના શરીર, તપ, જ્ઞાન આદિ ગુણોનું વર્ણન અનેક સ્થાને આ પ્રમાણે જોવા મળે છે તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ગૌતમ ગોત્રીય, સમચતુરસ્ત્ર સંસ્થાન સંપન્ન, સાત હાથની ઊંચાઈવાળા, વજ8ષભનારાચ સંતાનનવાળા, વિશુદ્ધ સુવર્ણની દિપ્ત કાંતિવાળી, કમલકેશર સમાન ગૌર વર્ણવાળા, ઉગ્રતપસ્વી. દીપ્ત તપસ્વી, તપ્ત તપસ્વી, મહાનું તપસ્વી, ઉદાર, ઘોર, ઘોરગુણવાળા, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસી, શરીર પ્રત્યેના મમત્વનો ત્યાગ કરનારા, વિશિષ્ટ તપસ્યાથી પ્રાપ્ત અન્તર્ડિંત વિપુલ તેજોલેશ્યાવાળા, ચૌદ પૂર્વોના જ્ઞાતા, ચાર જ્ઞાનોથી યુક્ત, સર્વ અક્ષર સન્નિપાતિક Page #184 -------------------------------------------------------------------------- ________________ ગણધર – ગૌતમ કથા ૧૮૩ એવા ઇન્દ્રભૂતિ નામના અણગાર શ્રમણ ભગવંત મહાવીરની અતિ દૂર નહીં, અતિ નીકટ નહીં તેવા યથાયોગ્ય સ્થાને ઘૂંટણોને ઊંચા કરીને, મરતકને નમાવીને, ધ્યાનરૂપી કોઠામાં બિરાજમાન, સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે. ૦ પ્રશ્નકર્તા ઇન્દ્રભૂતિ : ત્યાર પછી જાતશ્રદ્ધા – તત્ત્વ નિર્ણય કરવાને માટે ઉત્પન્ન વાંછાવાળા, જાતસંશયવાળા, તત્ત્વ નિર્ણયને માટે જિજ્ઞાસુ, જાત કુતૂહલ, ઉત્પન્ન ઉત્કંઠા ઉત્સુકતાવાળા, એ જ રીતે ઉત્પન્ન શ્રદ્ધા, ઉત્પન્ન સંશય, ઉત્પન્ન કુતૂહલવાળા, સંજાત શ્રદ્ધા, સંજાત સંશય, સંજાત કુતૂહલવાળા, સમુત્પન્ન શ્રદ્ધા, સમુત્પન્ન સંશય, સમુત્પન્ન કુતૂહલવાળા તે ભગવંત ગૌતમ પોતાના સ્થાનેથી ઉઠયા, ઉઠીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને વંદન–નમસ્કાર કરે છે, નમસ્કાર કરીને અતિ નીકટ નહીં, અતિ દૂર નહીં તેવા સ્થાને સુશ્રષાની ઇચ્છાપૂર્વક અને નમસ્કાર કરીને, ભગવંતની સન્મુખ રહી, વિનયપૂર્વક અંજલિ જોડીને પર્યાપાસના કરતા આ પ્રમાણે બોલ્યો–પૂછ્યું પ્રશ્નકર્તારૂપે ગૌતમસ્વામીનું નામ ભગવતીજી માં તો સર્વત્ર પ્રસિદ્ધ છે જ પણ ભગવતી અંગસૂત્ર સિવાય ઠાણાંગ, સમવાઓ નાયાધમકહા, ઉવાસગદસા, અનુત્તરોપપાતિકદસા, વિપાકશ્રત, ઉવવાદ, રાયuસેણિય, જીવાજીવાભિગમ, પન્નવણા, સૂરપત્તિ, ચંદપ=ત્તિ, જંબુદ્વીપપન્નત્તિ, નિરયાવલિયા, કાપવડિંસિયા, પુફિયા, ૫ ફયૂલિયા, તલવેયાલિય, મહાનિસીડ, ઉત્તરાધ્યયન, નંદી આદિ બાવીશ આગમોમાં ગૌતમસ્વામીએ ભગવંત મહાવીરને પ્રશ્ન કરીને પોતાની શંકા કે કુતૂહલના સમાધાનો પ્રાપ્ત કર્યાનું જોવા મળેલ છે. આ પ્રશ્નો ગૌતમ સ્વામીએ મુખ્યત્વે બે સ્વરૂપે કર્યા છે. ૧. પોતાની તત્ત્વજિજ્ઞાસાનું સમાધાન પ્રાપ્ત કરવા અને ૨. કથાનકોના વિષયમાં પૂર્વભવ, આગામીભવ ઋદ્ધિ આદિ કુતૂહલના સમાધાન અર્થે તત્ત્વજિજ્ઞાસા વિષયક પ્રશ્નોત્તર ઠાણાંગ, સમવાઓ ભગવતી, ઉવવાઈ, રાયuસેણિય, જીવાજીવાભિગમ, પન્નવણા, પન્નત્તિઓ, નંદી આદિ આગમોમાં નજરે પડે છે. જ્યારે ચરિત્ર/કથા સંબંધિ પ્રશ્નો નાયાધમ્મકહા, ઉવાસગાસા આદિ કથાની મુખ્યતાવાળા આગમોમાં તથા ભગવતીજીમાં જોવા મળે છે. તત્ત્વજિજ્ઞાસા વિષયક પ્રશ્નોત્તર એ દ્રવ્યાનુયોગનો વિષય હોવાથી અત્રે કથાનુયોગમાં તત્સંબંધિ ઉલ્લેખ અપ્રસ્તુત છે. જ્યારે ચરિત્ર–કથા સંબંધિ પ્રશ્નોનો નિર્દેશ તે–તે કથાનકોમાં કરાયેલ છે, જે આ આગમ કથાનુયોગમાં સંબંધિત કથાઓમાં જોઈ શકાશે. ૦ ઇન્દ્રભૂતિ ગૌતમની સંયમચર્યા : તે સમયે છઠના પારણાના દિવસે ભગવંત ગૌતમે પહેલા પ્રહરમાં સ્વાધ્યાય કર્યો, બીજા પ્રહરમાં ધ્યાન કર્યું. ત્રીજા પ્રહરે અત્વરિત, શારીરિક શીઘ્રતા રહિત, માનસિક ચાલતા રહિત, અસંભ્રાન્તપણે મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કર્યું, પાત્રો અને વસ્ત્રોનું પ્રતિલેખન અને પ્રમાર્જના કરી પાત્ર ઉઠાવ્યા. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા. આવીને ભગવંતને વંદન અને નમસ્કાર કર્યા. પછી કહ્યું કે, હે ભગવન્! આપની અનુજ્ઞા Page #185 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ હોય તો હું આજ છટ્ઠના પારણા નિમિત્તે... નગરમાં ઉચ્ચ, નિમ્ન, મધ્યમ આદિ કુળોમાં ગૃહસમાદાની ભિક્ષાચર્યા માટે ભિક્ષાચર્યાની વિધિ અનુસાર જવાની ઇચ્છા રાખું છું. ભગવંતની આજ્ઞા પ્રાપ્ત કરીને ભગવંત ગૌતમસ્વામીએ પ્રસ્થાન કર્યું. શીઘ્રતા રહિતપણે, સ્થિરતાપૂર્વક, આકુળતારહિત, યુગપરિમાણ માર્ગનું પરિલોકન કરતા કરતા અર્થાત્ ઇર્યાસમિતિપૂર્વક આગળ—આગળના ગમન માર્ગનું શોધન કરવાપૂર્વક – ચાલતા ચાલતા... નગરમાં આવ્યા. આવીને ત્યાં ઉચ્ચ, નિમ્ન, મધ્યમ કુળોમાં સમાદાની ભિક્ષા હેતુ ભ્રમણ કરવા લાગ્યા. ૧૮૪ ભિક્ષાવિધિપૂર્વક આવશ્યકતા અનુસાર ભિક્ષા લઈને નીકળ્યા. અત્વરિત ગતિથી યાવત્ -- ઇર્યા—શોધન કરતા... આવ્યા. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા. ગમનાગમન સંબંધિ પ્રતિક્રમણ કર્યું, એષણા દોષોની આલોચના કરી, ભગવંતને આહાર—પાણી દેખાડ્યા. ભગવંતને વંદનનમસ્કાર કરીને તે બધી જ વાતોનું નિવેદન કર્યું કે, જે ભગવંતની આજ્ઞા લઈને ભિક્ષા માટે ગયા પછી બનેલ હતી. ભગવંતની આજ્ઞા પ્રાપ્ત કરીને મૂર્છારહિત, વૃદ્ધિરહિત, પ્રતિબંધરહિત, આસક્તિ રહિત બિલમાં પ્રવેશ કરતા સર્પની જેમ આહાર ફરતા સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે. - ૦ ઇન્દ્રભૂત્તિ ગૌતમ અને અન્ય પાત્રો :– – કેશી સ્વામી :– ગૌતમસ્વામીને ભ૰પાર્શ્વનાથની શાખાના એક વિદ્વાન્ સાધુ ભગવંત કેશીસ્વામી સાથે ચતુર્યામ ધર્મ, વસ્ત્ર વર્ણભેદ, બંધન ઇત્યાદિ વિષયમાં અનેક પ્રશ્નોત્તર થયેલા. અંતે કેશીસ્વામીએ ગૌતમ સ્વામીના ઉત્તરોથી સંતુષ્ટ થઈને પંચમહાવ્રત ધર્મ સ્વીકાર્યો – જુઓ કથાનક ‘સિ’. ઉદક પેઢાલપુત્ર :– ભગવંત પાર્શ્વના શાસનના એક સાધુ, જેની સાથે ગૌતમ સ્વામીને પચ્ચક્ખાણના વિષયમાં વિસ્તૃત સંવાદ થયેલો, પછી ઉદકપેઢાલપુત્ર ભગવંત મહાવીરનો માર્ગ સ્વીકાર્યો. જુઓ કથાનક ‘ઉદક પેઢાલપુત્ર''. - કાલોદાયી આદિ અન્યતીર્થિક :- ગૌતમ સ્વામીને તેમની સાથે અસ્તિકાય આદિ સંબંધે ચર્ચા થયેલી. કથા જુઓ ‘કાલોદાઈ' -સ્કંદક પરિવ્રાજક :– ગૌતમ સ્વામીનું સ્કંદક પરિવ્રાજક આવ્યા ત્યારનું અત્યંત વિનયી વર્તન અને સ્વાગત. કથા જુઓ ‘સ્કંદક’. – આનંદ શ્રાવક :– ગૌતમસ્વામીનો આનંદશ્રાવક સાથે વાર્તાલાપ, અવધિજ્ઞાન વિષયક શંકા, ભગવંતની આજ્ઞાથી આનંદશ્રાવક સાથે ક્ષમાયાચના. કથા જુઓ ‘આનંદ''. - અતિમુક્ત :- ગૌતમસ્વામીનું તેની સાથે ગૌચરી જવું, તેને લઈને ભગવંત મહાવીર પાસે આવવું. અતિમુક્તકુમારની દીક્ષા. કથા જુઓ ‘અતિમુક્ત'. —તિર્થશૃંભગ દેવ :- વજ્રસ્વામીનો પૂર્વભવનો જીવ જ્યારે દેવરૂપે હતો અને ગૌતમસ્વામી અષ્ટાપદ તીર્થે ગયેલા ત્યારે તે દેવને વૈરાગ્યની ઉત્તમ કથા દ્વારા પ્રતિબોધ કરેલ. કથા જુઓ ‘વજ્રસ્વામી’’. ઇન્દ્રનાગ :- એક પ્રત્યેક બુદ્ધ, ગૌતમસ્વામી તેને તેની પૂર્વાવસ્થામાં મળેલા - Page #186 -------------------------------------------------------------------------- ________________ ગણધર – ગૌતમ કથા ૧૮૫ ગૌતમસ્વામીના પિંડ, આહાર સંબંધિ સંવાદ પછી તે પ્રત્યેકબદ્ધ થયા. જુઓ “ઇન્દ્રનાગ”. - કપિલબટુક :- ગૌતમસ્વામીનો જીવ જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવના રથનો સારથી હતો. ત્રિપૃષ્ઠએ સિંહને મારી નાંખ્યો. કાળક્રમે તે કપિલબટુક થયો, ત્યારે ગૌતમ સ્વામી તેને શિષ્ય બનાવીને ભગવંત મહાવીર પાસે લાવેલા. કથા જુઓ “કપિલબટુક". – મહાશતક :- ભગવંત મહાવીરના કહેવાથી ગૌતમસ્વામી મહાશતક શ્રાવકને ત્યાં ગયેલા. મહાશતકે તેની પત્ની રેવતીને કહેલ સત્ય પણ અનિષ્ટવચન માટે ક્ષમાયાચના કરવા સમજાવેલું. – મૃગાપુત્ર :- મૃગારાણીનો અત્યંત કરુણાજનક સ્થિતિમાં જીવતો પત્ર જેને જોવા ગૌતમસ્વામી તેના મહેલે ગયેલા. કથા જુઓ “મૃગાપુત્ર". – આ સિવાય પણ જમાલિ, શાલ, મહાશાલ, ગાગલિ, પીઠર, યશોમતી, ૧૫૦૦ તાપસ ઇત્યાદિ અનેક પાત્રો, ગૌતમસ્વામીથી પ્રતિબોધિત થઈ કેવલી થયા. ૦ ગણધર ગૌતમને કેવળજ્ઞાન : જે રાત્રિને વિશે શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુ:ખથી મુક્ત થયા, તે રાત્રિમાં ભગવંતના જ્યેષ્ઠ અંતેવાસી ગૌતમ ઇન્દ્રભૂતિ અનગારને જ્ઞાતવંશીય ભગવંત મહાવીર પ્રભુ વિશે જે પ્રેમબંધન હતું, તે પ્રેમબંધન નષ્ટ થતા અનંતવસ્તુના વિષયવાળું, અવિનાશી, અનુપમ – યાવત્ – કેવળજ્ઞાન કેવળદર્શન ઉત્પન્ન થયું. ગૌતમસ્વામીના કેવળજ્ઞાનની ઘટના આ પ્રમાણે છે - એક વખત ભગવંત મહાવીરે શાલ, મહાશાલ, મુનિ સહિત ગૌતમસ્વામીને રાજગૃહીથી ચંપાપુરીમાં ગાંગલિ રાજાને પ્રતિબોધવા મોકલ્યા. ગાંગલિ રાજા માતાપિતા સહિત તેમના વંશનાર્થે આવ્યા. ત્યારે ગૌતમસ્વામીએ વૈરાગ્ય ગર્ભિત દેશના આપી, ગાંગલિએ યશોમતિ અને પિઠર (માતા–પિતા) સહિત દીક્ષા લીધી. તે સમયે ગૌતમ સ્વામીએ સંયમ જીવન સંબંધિ શિક્ષા આપતા તેઓ માર્ગમાં શુભધ્યાને આરૂઢ થયા તે સર્વેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. જ્યારે મહાવીરસ્વામી પાસે પહોંચ્યા ત્યારે ગૌતમસ્વામીએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન–નમસ્કાર કર્યા, પોતાની સાથે રહેલ તે પાંચને પણ તેમ કરવા કહ્યું, ત્યારે ભગવંતે કહ્યું, હે ગૌતમ ! તમે કેવળીની આશાતના ન કરો. તે જાણી ગૌતમસ્વામી ખેદ કરવા લાગ્યા કે, જેને હું દીક્ષા–શિક્ષા આપું છું તેને કેવળજ્ઞાન થાય તો મને કેમ થતું નથી ? ત્યારે ભગવંતે તેને આશ્વાસન આપતા કહ્યું કે, હે ગૌતમ ! તું મારી સાથે ચિર સંશ્લિષ્ટ છે – લાંબા કાળથી જોડાયેલો છે, હે ગૌતમ ! તું મારો ચિર સંસ્તુત છે, ઘણા કાળથી મારી પ્રશંસા કરતો અનુરાગી છે. તું મારો ચિર પરિચિત છે. હે ગૌતમ ! તું મારી સાથે ચિરસેવિત અથવા દીર્ધકાળની પ્રીતિથી જોડાયેલો છે. ચિરકાળથી તું મારો અનુગામી છે. મારી સાથે ચિરાનુવૃત્તિ છે. આ પૂર્વેના ભવોમાં પણ તને મારી સાથે સ્નેહ સંબંધ હતો, વધારે શું કહું ? આ ભવમાં મૃત્યુ પછી, આ શરીર છૂટી જશે ત્યારે, આ મનુષ્યભવનો ત્યાગ કર્યા પછી પણ આપણે બંને તુલ્ય અને એકાર્ય તથા વિશેષતારહિત અને કોઈપણ પ્રકારના ભેદભાવરહિત થઈ જઈશું અર્થાત્ મોલમાં સિદ્ધશિલા પર સિદ્ધ સ્વરૂપે એકીભાવ થઈ જઈશું. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આગમ કથાનુયોગ-૨ પૂર્વભવમાં એક ઉલ્લેખ તો આગમોમાં નજરે પડે છે કે, જ્યારે ભગવંત મહાવીર ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં હતા ત્યારે ગૌતમસ્વામીનો જીવ તેના રથનો સારથી હતો. પ્રસિદ્ધ વાત પ્રમાણે (જોકે આગમમાં તેનો ઉલ્લેખ જોવા મળેલ નથી) ભગવંતે મરીચીના ભવમાં જેને શિષ્યરૂપે સ્વીકારેલ તે કપિલ રાજપુત્રનો જીવ પણ ગૌતમસ્વામીનો જ પૂર્વભવ હતો. આ રીતે તેઓની દીર્ધકાલીન પ્રીત હતી. ભગવંતે ગૌતમસ્વામીને કહ્યું કે, હે ગૌતમ ! જે મનુષ્ય પોતાની લબ્ધિ વડે અષ્ટાપદ તીર્થે જઈને ત્યાંના ચૈત્યોની વંદના કરે છે, ત્યાં રહેલ પ્રતિમાજીની પ્રતિસેવના કરે છે તે મનુષ્ય તે જ ભવે સિદ્ધ થાય છે. ત્યારે ગૌતમસ્વામીએ વિચાર્યું કે, હું ભગવંતની આજ્ઞાપૂર્વક અષ્ટાપદ તીર્થે જઈને ચૈત્યવંદના કરું. તેના હૃદયગત ભાવોને જાણીને તથા ત્યાં તાપસો પ્રતિબોધ પામશે તે વિચારીને ભગવંતે કહ્યું, હે ગૌતમ ! તું અષ્ટાપદ તીર્થે ચૈત્ય વંદનાર્થે જા. ત્યારે ગૌતમસ્વામી હર્ષિત અને સંતુષ્ટ થઈને, ભગવંતને વંદન કરીને અષ્ટાપદે ગયા. ત્યાં કૌડિન્ય, દત્ત અને શેવાલ ત્રણે તાપસો ૫૦૦-૫૦૦ના પરીવાર સાથે અષ્ટાપદના અલગ-અલગ પગથિયે તપશ્ચર્યા કરતા હતા. ગૌતમસ્વામી સૂર્યના કિરણો પકડીને અષ્ટાપદ તીર્થે પહોંચ્યા. કેમકે ગૌતમ તો જંઘાચારણ લબ્ધિવાન્ હતા. ત્યાં ચૈત્યવંદના કરી. વજસ્વામીના જીવ એવા વૈશ્રમણ દેવને પ્રતિબોધ કર્યા, પાછા ચાલતા ૧૫૦૦ તાપસોને પ્રતિબોધ કરી, સ્વલબ્ધિએ પારણું કરાવ્યું, ભગવંતની સન્મુખ જતાં તે સર્વે તાપસોને કેવળજ્ઞાન થયું. (સમગ્ર વર્ણન માટે કથા જુઓ વજસ્વામી). શ્રમણ ભગવંત મહાવીરે જ્યારે પોતાનો નિર્વાણ કાળ જાણ્યો ત્યારે ગૌતમના. તેમની ઉપરના પ્રશસ્ત નેહરાગના નિવર્તન માટે અમાવાસ્યાના સંધ્યાકાળ પૂર્વે ગૌતમ સ્વામીને નજીકના કોઈ ગામમાં દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધવા મોકલ્યા. ભગવંતની આજ્ઞાથી ગૌતમસ્વામી તુરંત ત્યાં ગયા. દેવશર્માને પ્રતિબોધિત કરી પ્રભાતે પાછા આવતા રસ્તામાં જાણ્યું કે, શ્રી વીરપ્રભુ નિર્વાણ પામ્યા છે. વજથી હણાયા હોય તેમ ક્ષણવાર શૂન્ય થઈ ગયા. સ્તબ્ધ ઊભા રહ્યા, પછી બોલવા લાગ્યા કે હે સ્વામી! મેં આટલો વખત આપની સેવા કરી અને આપે અંત સમયે જ મને આપના દર્શનથી દૂર કર્યો ? હે સ્વામી ! હવે હું કોના ચરણમાં નમીને વારંવાર પદાર્થોના પ્રશ્નો પૂછીશ? હવે “હે ભગવન્!" એમ હું કોને કહીશ ? કોણ મને આપ્તવાણીથી ગૌતમ ! કહીને બોલાવશે ? એ રીતે કરુણ સ્વરે વિલાપ કરતા ગૌતમ સ્વામીની વિચારધારા પલટાઈ. – જ્ઞાનદૃષ્ટિ ખુલી ગઈ. હું નાહક ભ્રમણામાં હતો. વીતરાગ તો નેહ વગરના હોય છે. મારો જ અપરાધ છે કે, મેં મૃતનો ઉપયોગ કર્યો નહીંએ નિર્મોહીને મારો મોહ ક્યાંથી હોય ? ઇત્યાદિ ભાવના ભાવતા અને સ્નેહને ધિક્કારતા, સમભાવને ભાવતાં ગૌતમ સ્વામીને તત્કાળ કેવળજ્ઞાન થયું. ૦ ગણધર ગૌતમનું નિર્વાણ : ઇન્દ્રભૂતિ ગૌતમ ૫૦ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા, પછી સંયમ અંગીકાર કર્યો. ૩૦ વર્ષ છઘસ્થપણે રહ્યા. ૧૨ વર્ષનો કેવલી પર્યાય પાળ્યો. કુલ ૪૨ વર્ષનો શ્રમણ પર્યાય પાલન કર્યો. ૯૨ વર્ષનું સર્વાયુ ભોગવ્યું. તેઓ ૫૦૦ શ્રમણોને વાચના આપતા હતા. તેઓ Page #188 -------------------------------------------------------------------------- ________________ ગણધર – ગૌતમ કથા ૧૮૭ દ્વાદશાંગી અને ચૌદપૂર્વના ધારક હતા. સર્વલબ્ધિસંપન્ન, વજxષભ નારાય સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાન યુક્ત એવા આ પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમે છેલ્લે એક માસનું પાદપોપગમન અનશન સ્વીકાર્યું. રાજગૃહી નગરીમાં નિર્વાણ પામ્યા. તેઓનું નિવણ ભગવંત મહાવીરના નિર્વાણ પછી ૧૨ વર્ષે થયું. તેઓ પોતાના ગણને સુધર્માસ્વામીને સોંપીને ગયા, તેથી નિર્યુક્તિકાર એવું કહે છે કે તેઓ શિષ્યગણ રહિત હતા. સુધર્માસ્વામીનું આયુષ્ય વધારે જાણીને પોતાની શિષ્ય સંતતિ સોંપીને નિર્વાણ પામ્યા. ૦ આગમ સંદર્ભ :સૂય. ૭૯૬ થી ૮૦૬; ઠા. ૧૭૯, ૪૯૭, ૬૭૨; સમ, ૧૯, ૧૭૧, ૨૩૪, ૨૩૭, ૨૩૮, ૨૪૧, ૨૪૫ થી ર૪૭, ૨૪૯ થી ૨૫૪, ૩૦૬; ભગ ૮, ૯, ૧૧, ૧૩, ૧૬, ૧૮, ૧૯, ૨૨ થી ૨૭, ૨૯ થી ૩૫, ૩૭ થી ૪૬, ૪૮ થી પર, ૫૪, પ, ૬૨ થી ૬૪, ૬૬ થી ૭૧, ૭૬ થી ૧૦૪, ૧૦૬ થી ૧૧૨, ૧૧૭ થી ૧૧૯, ૧ર૧ થી ૧ર૯, ૧૩૪. ૧૩૫, ૧૩૭, ૧૩૯ થી ૧૪૯, ૧૫ર થી ૧૬૦, ૧૬૩ થી ૧૬૭, ૧૭૦ થી ૧૭૨, ૧૭૪ થી ૧૭૭, ૧૮૪ થી ૧૮૯, ૧૯૧ થી ૧૫, ૧૯૯ થી ૨૦૧, ૨૦૪ થી ૨૦૬, ૨૦૮, ૨૧૨, ૨૧૬ થી ૨૨૭, ૨૨૯ થી ૨૩૨, ૨૩૪ થી ર૪૯, ૨૫૧ થી ૨૫૮, ૨૬૦, ર૬૧, ર૬૩ થી ૨૬૬, ૨૬૮, ૨૭૩ થી ર૭૫, ૨૭૭, ર૮૦ થી ૨૮૬, ૨૮૮, ૨૯૧, ૨૯ર, ૨૯૪. ર૯૫, ૨૬૭, ૨૯૯ થી ૩૦૩. ૩૦૭, ૩૧ ર, ૩૧૪ થી ૩૧૮, ૩૨૦ થી ૩૨૪, ૩૨૮ થી ૩૩૧, ૩૩૩ થી ૩૪૦, ૩૪૨ થી ૩૫૧, ૩૫૩, ૩પપ થી ૩૭૭, ૩૮૨ થી ૩૮૯, ૩૯૧ થી ૩૯૩, ૩૯૫ થી ૪૦૨, ૪૦૪, ૪૬૫, ૪૦૭ થી ૪૦૯, ૪૧૧ થી ૪૧૬, ૪૧૮, ૪૨૦ થી ૪૩૭, ૪૩૯, ૪૪૪, ૪૪૫, ૪૪૭ થી ૪૫૦, ૪૬૧, ૪૬૭ થી ૪૭૩, ૪૭૫ થી ૪૭૯, ૪૮૨ થી ૪૮૪, ૪૮૭, ૪૮૮, ૪૯૦, ૪૯૨, ૪૯૮ થી ૫૦૦, ૫૦૮ થી પ૧૩, ૫ર૭, ૫ર૮ ૫૩ર, ૫૩૩. ૫૩ થી ૫૫૧, પપ૪ થી પ૬૨, પ૬૪ થી ૨૬૭, ૨૬૯ થી પ૭૫, ૫૭૭, ૫૭૮, ૫૮૧ થી ૫૮૬, ૫૮૮ થી ૫૫, ૫૯૭ થી ૬૦૩, ૬૦૫ થી ૬૧૨, ૬૧૪ થી ૬૩૬, ૬૩૮, ૬૫૬, ૬૫૭, ૬૬૧ થી ૬૭૨, ૬૭૪ થી ૬૮૯, ૬૯૫ થી ૭૦૯, ૭૧૫, ૭૨૨, ૭૨૪, ૭૨૭, ૭૩૩ થી ૭૪૬, ૭૪૮ થી ૭૫૪, ૭૫૭, ૭૫૯, ૭૬૧ થી ૭૬૭, ૭૬૯, ૭૭૦, ૭૭૪, ૭૮૦ થી ૭૮૯, ૭૯૨ થી ૮૦૫, ૮૦૭, ૮૩૮ થી ૮૪૪, ૮૪૬ થી ૮૪૯, ૮૫૬ થી ૮૬૦, ૮૬૨ થી ૮૭૮, ૮૮૦ થી ૮૯૭, ૯૦૧ થી ૯૩૬, ૯૪૨ થી ૯૫૩. ૯૭૦ થી ૯૭૪. ૯૭૬ થી ૯૮૩, ૯૮૬ થી ૯૯૩, ૯૯૫, ૯૯૬, ૯૯૮ થી ૧૦૦૦, ૧૦૦૩, ૧૦૧૬, ૧૦૧૮ થી ૧૦૨૦, ૧૦૨૨, ૧૦૨૫, ૧૦૨૬, ૧૦૩૩ થી ૧૦૩૬, ૧૦૩૮, ૧૦૪૨, ૧૦૪૪ થી ૧૦૪૬, ૧૦૫૭, ૧૦૫૮, ૧૦૬૪, ૧૦૬૮, ૧૦૭૯; નાયા. ૪૧, ૭૪, ૧૪૧, ૧૪૩, ૧૪૫, ૨૨૦ થી ૨૨૨; ઉવા ૧૨, ૧૭ થી ૧૯, ૨૮, ૩૬, ૪૦, ૫૫, ૫૭, ૫૮; અંત. ૩૯, અનુત્ત. ૧, ૧૨; વિવા. ૬, ૭, ૯, ૧૨, ૧૩, ૧૬, ૧૭, ૧૯, ૨૦, ૨૩ થી ૩૪, ૩૭; ઉવ. ૪૪, ૪૮ થી પર, પ૪, ૫૫; રાય ૨૬, ૨૭, ૩૧, ૩૪, ૪૬, ૮૧, ૮૨; જીવા. ૧૪, ૧૬, ૧૭, ૨૯, ૩૩, ૩૪૩૬, ૩૮, ૪૦, ૪૩, ૪, ૪૯, ૫૧, ૫૪ થી ૫૯, ૬૧ થી ૬૫, ૬૭ થી ૬૯, ૭૬, ૭૯, ૮૧, ૮૨, ૮૬ થી ૧૦૦, ૧૦૨ થી ૧૦૬, ૧૦૮ થી ૧૧૦, ૧૧૬, ૧૧૭, ૧૩૦ થી ૧૩૮, ૧૪૮, ૧૪૩, ૧૪૫, ૧૪૬, ૧૫૦, ૧૫૪, ૧૫૬ થી ૧૬૧, ૧૬૩, ૧૬૪, ૧૬૬, ૧૬૭, ૧૭૨, ૧૭૩, ૧૮૧ થી ૧૯૦, ૧૯૪, ૧૯૫, ૧૯૮, ૨૦૦ થી ૨૦૫, ૨૦૭ થી ૨૧૨, ૨૧૭, ૨૧૯ થી ૨૪, ૨૨૮, ૨૩૦, ૨૩૫, Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આગમ કથાનુયોગ-૨ ૨૩૭, ૨૩૯, ૨૪૩, ૨૪૫, ૨૮૭ થી ૨૯૪, ૩૦૦ થી ૩૦૯, ૩૧૨ થી ૩૩૩, ૩૩૭ થી ૩૫૭, ૩૬૧ થી ૩૬૩, ૩૬૮ થી ૩૭૯, ૩૮૨ થી ૩૮૫, ૩૮૯ થી ૩૯૮; પત્ર. ૧૬૨, ૧૬૬, ૧૯૨ થી ૧૯૬, ૨૦૧ થી ૨૦૩, ૨૦૫, ૨૧૭, ૨૧૮, ૨૨૧, ૨૨૫, ૨૬૧ થી ૨૮૫, ૨૯૪, ૨૯૬, ૨૯૮ થી ૩૧૧, ૩૧૩, ૩૧૫ થી ૩૨૦, ૩૨૨ થી ૩૨૫, ૩૨૭ થી ૩૩૪, ૩૩૭, ૩૩૮, ૩૪૦ થી ૩૬૩, ૩૬૫, ૩૭૨, ૩૭૩, ૪૧૩ થી ૪૧૭, ૪૨૦ થી ૪૨૮, ૪૩૨, ૪૩૫ થી ૪૪૧, ૪૪૩ થી ૪૫૫, ૪૫૭ થી ૪૬૧, ૪૬૩ થી ૪૭૦, ૪૭૩ થી ૪૯૫, ૪૯૭ થી ૫૦૮, ૫૧૦ થી ૫૧૨, ૫૧૫ થી ૫૩૩, ૫૩૫ થી ૫૪૯, ૫૫૨, ૫૫૪ થી ૫૫૭, ૫૫૯ થી ૫૬૫, ૫૭૨ થી ૫૭૫, ૫૭૭, ૫૮૦ થી ૫૮૩, ૫૮૬ થી ૫૯૧, ૫૯૩, ૫૯૬ થી ૫૯૮, ૬૦૦ થી ૬૧૫, ૬૧૭ થી ૬૨૧; સૂર. ર. ચંદ. ૪ જંબૂ. ૧ થી ૩, ૭, ૮, ૯ ૧૧ થી ૧૫, ૧૯ થી ૨૨, ૩૨, ૩૪ થી ૪૦, ૪૭ થી ૫૦, ૫૩, ૫૪, ૭૯, ૧૨૬ થી ૧૪૩, ૧૪૬, ૧૫૧, ૧૬૨, ૧૬૩, ૧૬૫ થી ૧૬૭, ૧૬૯ થી ૧૭૧, ૧૭૩, ૧૭૪, ૧૭૮, ૧૮૦ થી ૧૮૪, ૧૮૭, ૧૯૪, ૧૯૬, ૧૯૭, ૧૯૯ થી ૨૦૨, ૨૦૫, ૨૦૬, ૨૦૮, ૨૦૯, ૨૧૧, ૨૪૫, ૨૪૭, ૨૪૯, ૨૫૦, ૨૫૨ થી ૨૬૦, ૨૬૨ થી ૨૭૮, ૨૮૪, ૨૮૬, ૨૮૯, ૨૯૨, ૨૯૫, ૨૯૯, ૩૦૦, ૩૦૨, ૩૦૩, ૩૦૬, ૩૦૭, ૩૧૦, ૩૧૫, ૩૧૯, ૩૨૪, ૩૨૯, ૩૩૧, ૩૩૨, ૩૩૮ થી ૩૪૦, ૩૪૪, ૩૪૮ થી ૩૫૧, ૩૫૫, ૩૫૯ થી ૩૬૫; નિર. ૮, ૯, ૧૮, ૧૯, પુ. ૩; મહાનિ. પુલ્ફિ. ૩, ૫, ૭, ૮, ૯; તંદુ. ૨૦ થી ૨૫; ૩૪, ૩૮૬, ૩૮૭, ૩૮૯, ૩૯૦, ૩૯૬, ૪૦૫, ૪૧૧, ૪૧૨, ૪૩૨, ૪૩૭, ૪૫૩, ૪૫૮, ૪૬૧, ૪૬૩, ૪૭૯, ૪૯૨, ૪૦૩, ૪૯૪, ૫૧૮, ૫૯૨ થી ૫૯૪, ૫૯૯, ૬૦૦, ૬૦૩ થી ૬૦૫, ૬૦૭, ૬૨૧, ૬૨૨, ૬૪૫, ૬૭૮, ૬૭૯, ૬૮૧ થી ૬૮૩, ૬૯૨ થી ૬૯૭, ૭૬૪, ૮૧૨, ૮૧૫, ૮૧૬, ૮૧૯ થી ૮૩૦, ૮૩૩ થી ૮૩૮, ૮૪૪ થી ૮૪૬, ૮૯૫, ૧૦૧૨ થી ૧૦૨૭, ૧૦૩૧, ૧૦૬૫, ૧૧૪૧, ૧૧૪૭, ૧૩૦૫, ૧૩૫૭, ૧૩૭૬ થી ૧૩૮૦, ૧૩૮૫, ૧૩૮૯ થી ૧૩૯૨, ૧૪૦૦ થી ૧૪૦૨, ૧૪૩૧, ૧૪૩૯, ૧૪૮૩, ૧૪૮૪, ૧૪૯૮, ૧૫૧૧, ૧૫૧૩, ૧૫૧૪, ૧૫૧૭, ૧૫૨૪ થી ૧૫૨૬; આવ.નિ. ૫૯૨, ૫૯૩, ૫૯૫ થી ૬૦૧, ૬૪૩, ૬૪૬ થી ૬૫૦, ૬૫૨ થી ૬૫૯; આવ.નિ. ૭૬૪, ૮૪૭ની પૃ. જોગનંદી. ૧; આવ.યૂ. ૧-પૃ. ૩૩૫, ૩૮૩, ૩૯૦, ૪૬૬; ઉત્ત. ૨૯૧ થી ૩૨૭, ૮૫૨ થી ૯૩૫; અનુઓ. ૨૭૦, ૨૮૪, ૨૮૯, ૨૯૮, ૨૯૯; કલ્પસૂત્ર ૧૯, ૧૨૧, ૧૨૭ની પૃ. ૭, ૮/ર થી ૪; (* અહીં કથાનક સ્વરૂપના તથા ગૌતમ સ્વામીએ ભગવંત મહાવીરને પૂછેલા પ્રશ્નોના સંદર્ભો લીધેલા છે. જ્યાં ભગવંત મહાવીર દ્વારા માત્ર સંબોધન સ્વરૂપે ગોયમ' શબ્દ આવેલો હોય તે ગ્રહણ કરેલ નથી. કેમકે તે નામકોશનો વિષય છે. કથાનુયોગનો નહીં) X ૨. ગણધર અગ્નિભૂતિ કથા ઃ-૦- પરીચય : કલ્પ ૧; X નંદી. ૨૦, ૮૧; ભગવંત મહાવીરના બીજા ગણધર અગ્નિભૂતિ થયા. તેમનો જન્મ મગધદેશના Page #190 -------------------------------------------------------------------------- ________________ ગણધર – અગ્નિભૂતિ કથા ૧૮૯ ગોબ્બર ગામમાં થયેલો. તેમના પિતાનું નામ વસુભૂતિ અને માતાનું નામ પૃથ્વી હતું. કૃતિકા નક્ષત્રવાળા અગ્રિભૂતિ ગૌતમ ગોત્રના હતા. બ્રાહ્મણકુળના હતા. તેમજ પ૦૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્નત કુળ અને વિશાળ વંશવાળા આ અગ્નિભૂતિ, ઇન્દ્રભૂતિ અને વાયુભૂતિના ભાઈ હતા. તેઓ મધ્યમપાપાપુરી નગરીમાં સોમિલ નામના ધનાઢ્ય બ્રાહ્મણે યોજેલા એક વિરાટ યજ્ઞમાં શિષ્ય પરિવાર સહિત આવેલા હતા. અગ્નિભૂતિને “કર્મ છે કે નહીં ?” તેવો સંશય હતો. પણ પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી પોતાનો સંદેહ અન્ય વિદ્વાન્ બ્રાહ્મણને પૂછીને સમાધાન પ્રાપ્ત કરતા ન હતા. ૦ અગ્નિભૂતિનું આગમન અને ભગવંત દ્વારા સંશનિવારણ : ઇન્દ્રભૂતિને દીક્ષિત થયેલ સાંભળી, તેમનો બીજો ભાઈ અગ્નિભૂતિ વિચારવા લાગ્યો કે, કદાચ પર્વત પીગળી જાય, હિમસમૂહ સળગી ઉઠે કે, અગ્નિની જ્વાળા શીતળ થઈ જાય પણ મારો ભાઈ હારે નહીં. ઇન્દ્રભૂતિ દીક્ષિત થયાની વાતમાં જરા પણ શ્રદ્ધા વિશ્વાસ ન રાખતો તે અગ્નિભૂતિ લોકોને વારંવાર પૂછવા લાગ્યો. પણ લોકમુખેથી સાંભળી તેને નિશ્ચય થયો કે, ઇન્દ્રભૂતિ દીક્ષિત થઈ ગયા છે, ત્યારે તે વિચારવા લાગ્યો કે, તે ધૂર્ત જરૂર ઇન્દ્રભૂતિને છેતરી લીધા. પણ હું હમણાં જ જઈ તે ધૂર્તને જીતી લઉં અને માયાપ્રપંચથી પરાજિત કરેલા મારા વડિલ ભાઈને પાછો લઈ આવું. આ પ્રમાણે વિચારી અગ્નિભૂતિ રોષથી પૂર્વવર્ણિત સ્વરૂપથી (ઇન્દ્રભૂતિની માફક) પ૦૦ શિષ્ય પરિવાર સાથે ઇન્દ્રભૂતિને પાછો લેવા નીકળ્યો. જેવો તે ભગવંત પાસે પહોંચ્યો કે વિસ્મયમાં ગરકાવ થઈ ગયો. જન્મ, જરા, મરણથી વિમુક્ત થયેલા સર્વજ્ઞ–સર્વદર્શી જિનેશ્વર ભગવંત મહાવીરે તેને નામ અને ગોત્રપૂર્વક બોલાવ્યા. અગ્નિભૂતિને પ્રથમ તો આશ્ચર્ય થયું કે, અહો ! આ તો મારા નામ અને ગોત્ર પણ જાણે છે, પછી થયું કે, હું તો વિશ્વવિખ્યાત છું, મારું નામ કોણ ન જાણે ? પણ જો તે મારા હૃદયમાં રહેલા સંશયને તે જાણે અને પ્રગટ કરે તો હું માનું કે, તે સર્વજ્ઞ છે. ત્યારે ભગવંતે તેને કહ્યું, હે અગ્નિભૂતિ ! તને એવો સંશય છે કે, “કર્મ છે કે નથી ?'' તારો આ સંશય અનુચિત છે. તને આ સંશય પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી ઉત્પન્ન થયો છે. તું વેદપદોના અર્થને બરાબર જાણતો નથી. જો જાણતો હો તો મને કહે, “પ વુિં પ્રિ સર્વ ય મૂi માવ્યમ્' આ વેદપદથી તું એવું માને છે કે કર્મ નથી. તું આ વેદપદોનો અર્થ એવો કહે છે કે, આ પ્રત્યક્ષ જણાતું ચેતન–અચેતન સ્વરૂપ જે ભૂતકાળમાં થયેલું છે, જે ભવિષ્યકાળમાં થવાનું છે, તે સર્વે પુરુષ જ છે એટલે આત્મા જ છે. અર્થાત્ આત્મા સિવાય કર્મ ઈશ્વર વિગેરે કંઈ પણ નથી. એ જ વેદપદોમાં આગળ કહ્યું છે કે, મરણનો અભાવ અર્થાત્ મોક્ષનું જે ઐશ્વર્ય છે, આહાર વડે અતિશય વૃદ્ધિને પ્રાપ્ત કરે છે, પશુ આદિ જે ચાલે છે, પર્વતાદિ જે નથી ચાલતા, મેરૂ આદિ જે દૂર છે, જે નીકટ છે તે સર્વે પુરુષ છે. જે ચેતના છે કે જે બાહ્ય છે તે સર્વે પુરુષ છે. તેનાથી અતિરિકત કોઈ કર્મ છે નહીં તેવું તું માને છે. મનુષ્ય દેવ તિર્યંચ પર્વત પૃથ્વી વગેરે જે જે વસ્તુઓ દેખાય છે તે સર્વ આત્મા જ છે. આત્મા સિવાયની એક પણ વસ્તુ નથી. આ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આગમ કથાનુયોગ-૨ વચનો વડે “સર્વ વસ્તુ આત્મા જ છે” એમ જાણી “કર્મ નથી' તેમ તું માને છે. વળી હે અગ્નિભૂતિ ! તું માને છે કે ઉપરોક્ત વેદપદોનો અર્થ યુક્તિથી પણ યોગ્ય લાગે છે. પ્રત્યક્ષ, અનુમાન, આગમ પ્રમાણથી પણ તને તે યોગ્ય લાગે છે. કેમકે તું માને છે કે, આત્મા અમૂર્ત છે, જેને મૂર્ત એવા કર્મ વડે અનુગ્રહ અને ઉપઘાત એટલે કે, લાભ અને હાની કઈ રીતે સંભવે ? જેમ અમૂર્ત એવા આકાશને મૂર્ત એવા ચંદન વડે વિલેપન થતું નથી. તેમ શસ્ત્રથી ખંડન પણ થતું નથી. તેમ અમૂર્ત એવા આત્માને કર્મથી અનુગ્રહ કે ઉપઘાત કેમ થઈ શકે ? માટે કર્મ નામનો પદાર્થ નથી. પણ વળી કર્મની સત્તા જણાવનારા બીજા વેદપદો જોઈને તું સંશયમાં પડ્યો છે કે કર્મ છે કે નથી ? પરંતુ હે અગ્નિભૂતિ ! તારો આ સંશય અયુક્ત છે કારણ કે, “ગુરુપ વેઢ #િ સર્વ થર્ મૂતં યદ્ય માધ્યમ્ આદિ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી. તું એ વેદપદોનો અર્થ છે ઉપર મુજબ કરે છે, તેવો તેનો અર્થ નથી. તેનો અર્થ આ પ્રમાણે છે – “આ પ્રત્યક્ષ જણાતું ચેતન–અચેતન સ્વરૂપ જે ભૂતકાળમાં થયેલું છે અને ભવિષ્યકાળમાં થવાનું છે, તે સર્વ આત્મા જ છે.” આ વેદપદોમાં આત્માની સ્તુતિ કરે છે, પણ આત્માની સ્તુતિ કરવાથી “કર્મ નથી' એમ સમજવાનું નથી. તે જાત્યાદિ મદનો ત્યાગ અને અદ્વૈત ભાવનાનું પ્રતિપાદક છે, કર્મ સત્તાનું પ્રતિષેધક નહીં. વેદ વાક્યો ત્રણ પ્રકારના હોય છે – વિધિદર્શક, અનુવાદદર્શક અને સ્તુતિસ્વરૂપ. જેમકે – “સ્વર્ગની ઇચ્છાવાળો અગ્નિહોત્ર હોમ કરે" આ વિધિવાક્ય છે. “બાર મહિનાનું એક વરસ થાય.” આ અનુવાદ વાક્ય છે. કેટલાંક વેદવાક્યો સ્તુતિવાક્યો હોય છે. જેમકે – જલમાં વિષ્ણુ છે, સ્થળમાં વિષ્ણુ છે, પર્વતના શિખર પર વિષ્ણુ છે, સર્વ ભૂતમય વિષ્ણુ છે તેથી સમગ્ર જગત્ વિષ્ણમય છે. આ વેદપદ વિષ્ણુનો મહિમા દર્શાવે છે. બીજી વસ્તુનો અભાવ નહીં જેવી રીતે આ વાકયથી આખા જગતને વિષ્ણમય કહેવા છતાં, વિષ્ણુ સિવાયની બીજી વસ્તુઓનો અભાવ સમજવાનો નથી. તેમ “જે થયું અને જે થશે તે સર્વ આત્મા જ છે' એ વેદપદ આત્માનો મહિમા જણાવે છે. તેથી આત્મા સિવાય કર્મ નથી એવું સમજવાનું નથી. વળી તું માને છે કે, અમૂર્ત એવા આત્માને મૂર્ત એવા કર્મ વડે અનુગ્રહ અને ઉપઘાત કેમ સંભવે ? તારી એ માન્યતા પણ યોગ્ય નથી. કેમકે જ્ઞાન અમૂર્ત છે, તેને મૂર્ત એવા બ્રાહ્મી વગેરે ઔષધો વડે તથા ઘી, દૂધ વગેરે ઉત્તમ પદાર્થો વડે અનુગ્રહ થતો દેખાય છે. વળી મદિરા આદિ પદાર્થો વડે જ્ઞાનને ઉપઘાત થતો દેખાય છે. માટે અમૂર્તને પણ મૂર્ત વડે અનુગ્રહ અને ઉપઘાત સંભવે છે. એમ માનવું જોઈએ. વળી જો કર્મ ન હોય તો એક સુખી, બીજો દાખી, એક શેઠ – બીજો નોકર, ઇત્યાદિ પ્રકારે પ્રત્યક્ષ દેખાતી જગની વિચિત્ર સ્થિતિ કઈ રીતે સંભવે છે ? ઉચ્ચનીચના રાજા અને રંક જેવા જે ભેદો જોવામાં આવે છે, તેનું કાંઈ પણ કારણ હોવું જોઈએ અને તે કારણ એ જ શુભ–અશુભ કર્મ છે. વળી જે-જે ક્રિયા કરાય છે. તેનું ફળ અવશ્ય મળવું જોઈએ. દાન આદિ શુભ ક્રિયાઓ છે અને હિંસા આદિ અશુભ ક્રિયાઓ છે. તે શુભ–અશુભ ક્રિયાનું કાંઈ પણ ફળ અવશ્ય મળવું જોઈએ. તે ફળ એ જ શુભાશુભ કર્મ. તેથી કર્મ દ્વિતીય છે અને પુરુષ તેનો કર્તા છે. અર્થાત્ આત્મા કર્યા છે, તેના વડે જે કરાય Page #192 -------------------------------------------------------------------------- ________________ ગણધર – અગ્નિભૂતિ કથા ૧૯૧ છે તે કર્મ છે. એ રીતે અમૂર્ત એવા આત્માને વિશિષ્ટ પરિણામથી મૂર્ત એવા કર્મ પુદ્ગલોનો સંબંધ અવિરુદ્ધ છે. અર્થાત્ કર્મ છે. કર્મનું શુભાશુભપણું “પુષ્યઃ પુન પાપ: પાનિ કર્મ એ શ્રુતિ વચન પ્રામાણ્યથી પણ સિદ્ધ જ છે. ૦ સંશય નષ્ટ થતાં અગ્નિભૂતિની દીક્ષા : આ પ્રમાણે જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા જિનેશ્વર મહાવીરે અગ્નિભૂતિ ગૌતમના સંશયનું નિવારણ કર્યું, ત્યારે અગ્નિભૂતિનો કર્મવિષયક સંશય નષ્ટ થયો. “કર્મ છે તે વાતની પ્રતીતિ થતાં અગ્નિભૂતિ ગૌતમે પોતાના ૫૦૦ શિષ્યો સહિત તે જ વખતે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેઓ ભગવંતના બીજા ગણધર થયા. ત્યાર પછી ભગવંત પાસેથી ઉપૂરૂ વા, વિરે રૂ વા ધુરૂ વા. એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કર્યો અર્થાત્ દરેક પદાર્થો ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને દ્રવ્યરૂપે નિત્ય રહે છે. ત્રિપદીનું સ્વરૂપ પામીને અગ્રિભૂતિ ગણધરે વિશિષ્ટ ક્ષયોપશમ તથા બીજ બુદ્ધિ સમ્યકત્વથી દ્વાદશાંગી (ગણિપિટક)ની રચના કરી. તે સમયે ભગવંત તેની અનુજ્ઞા કરે છે. ત્યાં શક્રેન્દ્ર દિવ્ય વાસચૂર્ણનો ભરેલો વજય દિવ્ય થાળ લઈને ભગવંત પાસે ઊભા રહે છે. ત્યાર પછી ભગવંત રત્નમય સિંહાસન થકી ઉઠીને વાસચૂર્ણની સંપૂર્ણ મુઠી ભરે છે. તે વખતે ગણધર ભગવંત કિંચિત્ નમે છે. દેવો વાજિંત્રના ધ્વનિ–ગાન આદિ બંધ કરી મૌન રહે છે. પછી ભગવંત બોલે છે, અગ્નિભૂતિને દ્રવ્ય, ગુણ–પર્યાય વડે તીર્થની આજ્ઞા આપું છું. એમ કહી અગ્નિભૂતિના મસ્તક પર વાયચૂર્ણ નાખ્યું. ત્યારે દેવોએ તેમના પર ચૂર્ણ, પુષ્પ, સુગંધી પદાર્થની વૃષ્ટિ કરી. ૦ પ્રશ્નકર્તા અગ્નિભૂતિ : ભગવંત મહાવીરને ગૌતમ અગ્નિભૂતિ અણગારે વંદન–નમસ્કારપૂર્વક અસુરકુમારેન્દ્ર અસુરરાજ ચમર તથા તેના સામાનિક દેવ, લોકપાલ આદિ સંબંધે તથા નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણની ઋદ્ધિ, વિક્ર્વણા વિષયક યાવત્ સ્વનિતકુમાર પર્ય, સમસ્ત વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવો વિષયક પ્રશ્નો કરેલ. દેવેન્દ્ર દેવરાજ શક્રની ઋદ્ધિ વિકુવા શક્તિ વિષયક પ્રશ્નો કરેલ. તિષ્યક અણગાર અંગે પ્રશ્નો કરેલ. તેમણે વાયુભૂતિને અસુરેન્દ્ર અસુરરાજ ચમર આદિ સંબંધે કરેલ પ્રશ્નોના ભગવંતે આપેલા ઉત્તરની સમગ્ર વક્તવ્યતા કહેલી ભગવંતે અગ્નિભૂતિને પણ “ગૌતમ' સંબોધન કરેલ છે. ૦ ગણધર અગ્નિભૂતિને કેવળજ્ઞાન અને નિર્વાણ : અગ્રિભૂતિ ગૌતમ (આવશ્યક નિર્યુક્તિ-૬૫૦ મુજબ) ૪૬ વર્ષ અને (સમવાય-૧૨૫ મુજબ) ૪૭ વર્ષ ગૃહસ્થપણે રહ્યા. પછી સંયમ અંગીકાર કર્યો. છવસ્થ રૂપે ૧૨ વર્ષ પૂર્ણ કર્યા બાદ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પછી ૧૬ વર્ષ કેવલી સ્વરૂપે રહ્યા. એ રીતે ૨૮ વર્ષનો શ્રમણ પર્યાય પાળ્યો. તેમનું પૂર્ણાયુષ્ય ૭૪ વર્ષનું હતું. તેઓ ૫૦૦ શિષ્યોને વાચના આપતા હતા. દ્વાદશાંગી અને ચૌદપૂર્વના ધારક હતા. સર્વલબ્ધિ સંપન્ન, વિજઋષભનારાચ સંઘયણ અને સમચતુરઢ સંસ્થાનથી યુક્ત હતા. આ બીજા ગણધર અગ્નિભૂતિ ગૌતમે છેલ્લે એક માસનું પાદપોપગમન અનશન સ્વીકાર્યું. તેઓ રાજગૃહી નગરીમાં નિર્વાણ પામ્યા. તેઓ ભગવંત મહાવીરના નિર્વાણ પૂર્વે જ નિર્વાણ પામેલા. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આગમ કથાનુયોગ-૨ આવશ્યક નિર્યુક્તિકાર જણાવે છે કે, અગ્રિભૂતિ ગણધર શિષ્યરહિતપણે નિર્વાણ પામ્યા. કેમકે ગણધર સુધર્માસ્વામીનું આયુષ્ય વધારે હોવાથી, અગ્નિભૂતિ ગણધરે પોતાનો શિષ્ય પરિવાર છેલ્લે તેમને સોંપી દીધેલ હતો. ૦ આગમ સંદર્ભ :સમ. ૧૯, ૧૨૫, ૧૫ર; ભગ. ૧૫ર થી ૧૫૬; આવ.નિ. ૧૯૨, થી પ૯૭, ૬૦૦ થી ૬૦૫, ૬૪૩, ૬૪૬ થી ૬૫૦, ૬૫૨ થી ૬૫૯; નંદી. ૨૦; કલ્પસૂત્ર ૧ર૧ની વૃ. ૮/ર થી ૪ –– ૪ – – ૩. ગણધર વાયુભૂતિ કથા :-૦– પરીચય : ભગવંતના ત્રીજા ગણધર વાયુભૂતિ થયા. તેમનો જન્મ મગધદેશના ગોમ્બર ગામમાં થયેલો. તેમના પિતાનું નામ વસુભૂતિ અને માતાનું નામ પૃથ્વી હતું. તે ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિના ભાઈ હતા. સ્વાતિ નક્ષત્રવાળા આ ગણધર ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલા. બ્રાહમણ કુળના હતા. સાત હાથ ઊંચા હતા. પ૦૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્નત કુળ અને વિશાળ વંશવાળા હતા. તેઓ મધ્યમ પાપાપુરીમાં સોમીલ નામના ધનાઢય બ્રાહ્મણે આયોજિત કરેલા એક યજ્ઞમાં શિષ્ય પરિવાર સહિત આવેલા હતા. વાયુભૂતિને સંશય હતો કે, “શરીર એ જ જીવ છે કે શરીરથી ભિન્ન જીવ છે ?" પોતાના સર્વજ્ઞપણાના અભિયાનની ક્ષતિના ભયથી પોતાનો સંદેહ અન્ય વિદ્વાન્ બ્રાહ્મણને પૂછીને સમાધાન પ્રાપ્ત કરતા ન હતા. ૦ વાયુભૂતિનું આગમન અને ભગવંત દ્વારા સંશય નિવારણ : આ રીતે ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિને દીક્ષિત થયેલા સાંભળી વાયુભૂતિએ વિચાર્યું કે, હું પણ તે જિનેશ્વર સમીપે જાઉ–અભિમાનનો ત્યાગ કરીને, જેમના ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે. હવે હું તે સર્વજ્ઞ પાસે જઈને ભગવંતને વંદન કરીશ. વંદીને તેમની પર્યુપાસના કરીશ. એ પ્રમાણે સંકલ્પ કરીને વાયુભૂતિ પોતાના સંશયના નિવારણ અર્થે પ૦૦ શિષ્યો સાથે ભગવંત સમીપે ગયા. ભગવંતની અભિવંદના કરી, તેમની સન્મુખ ઊભા રહ્યા. તે વખતે જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા સર્વજ્ઞ– સર્વદર્શી જિનેશ્વર મહાવીરસ્વામીએ તેને નામ અને ગોત્રથી બોલાવી વાયુભૂતિના હૃદયગત સંકલ્પને જણાવ્યો. કેમકે વાયુભૂતિ ક્ષોભથી પોતાનો સંશય જણાવવા અસમર્થ હતો. હે વાયુભૂતિ ! તને એવો સંશય છે કે, “આ શરીર છે એ જ જીવ છે કે શરીરથી ભિન્ન જીવ છે.” આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી ઉત્પન્ન થયો છે. વિજ્ઞાનધન एवतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति" હે વાયુભૂતિ ! તું વેદ પદોનો અર્થ બરાબર જાણતો નથી. તેથી તારા સંશયના નિવારણાર્થે હું તને યોગ્ય અર્થ જણાવું છું. તું એવું માને છે કે, શરીરથી ભિન્ન એવો આત્મા નથી, પણ શરીર એ જ આત્મા (જીવ) છે, કેમકે વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે – વિજ્ઞાન ન વ એટલે વિજ્ઞાનોનો સમુદાય જ. પૃથ્વી વગેરે પાંચ ભૂતોમાંથી Page #194 -------------------------------------------------------------------------- ________________ ગણધર – વાયુભૂતિ કથા ૧૯૩ ઉત્પન્ન થઈને પાછો તે ભૂતોમાં જ લય પામે છે. તેથી શરીર અને આત્માની ભિન્ન સંજ્ઞા નથી. એટલે કે શરીરરૂપે પરિણમેલ પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનનો સમુદાય જ ઉત્પન્ન થાય છે, તેથી વિજ્ઞાનનો આધાર પાંચ ભૂતો જ છે. પણ જીવને શરીરથી પૃથક્ માનનારા જે વિજ્ઞાનનો આધાર જીવ નામનો પદાર્થ શરીરથી પૃથક માને છે તે જીવ નામનો પદાર્થ શરીરથી પૃથક્ નથી. જેમ મદિરાના અંગોમાંથી મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી ચૈતન્ય શક્તિ ઉત્પન્ન થાય છે. આવી રીતે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થઈને, પછી જ્યારે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોનો વિનાશ થાય છે ત્યારે, તે વિજ્ઞાનનો સમુદાય પણ જળમાં પરપોટાની જેમ તે ભૂતોમાં જ લય પામે છે. આવી રીતે ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થતું હોવાથી તે ચૈતન્યનો આધાર શરીર છે, તેથી લોકો જે જીવ શબ્દથી બોલે છે, તે જીવ શરીર જ છે. શરીરથી ભિન્ન જીવ નથી. તેથી જ વેદવાક્યમાં કહ્યું છે કે, “ શ્રેત્યસંજ્ઞાઈતિ” એટલે શરીર અને જીવની પૃથક્ સંજ્ઞા નથી. પણ શરીર એ જ જીવ છે. પરંતુ “ભૂતોના સમુદાયરૂપ શરીરથી આત્મા ભિન્ન છે' એમ જણાવનારા બીજા વેદ પદોને જોઈને તને સંશય થયો છે કે, “શરીર એ જ આત્મા છે કે, શરીરથી ભિન્ન આત્મા છે?” - “સત્યેન નગતિપરના હેવ દ્રઢ નિત્યં જાતિય દિ શુદ્ધ'' અર્થાત્ હંમેશા જ્યોતિર્મય અને શુદ્ધ એવો આ આત્મા સત્ય, તપસ્યા અને બ્રહ્મચર્ય વડે જણાય છે. જે આત્માને ધીર ને સંયમી આત્માએ જુએ છે. આ વેદપદોથી જણાય છે કે, શરીરથી જીવ જુદો છે. પરંતુ તે વાયુભૂતિ ! તારો આ સંશય અયુકત છે. કેમકે તું વેદપદોના અર્થને બરાબર સમજ્યો નથી. તું વેદપદોના અર્થને બરાબર સમજ. તે આ પ્રમાણે છે – - જે વિશિષ્ટ જ્ઞાન અર્થાત્ જ્ઞાનદર્શનનો ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય. તે વિજ્ઞાનના સમુદાયરૂપ આત્મા જાણવા યોગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વગેરે ભૂતો થકી અથવા ઘડો–વસ્ત્ર આદિ ભૂતોના વિકારો થકી “આ પૃથ્વી છે, આ ઘડો છે, આ વસ્ત્ર છે.” ઇત્યાદિ પ્રકારે તે તે ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થઈને તે પૃથ્વી–ઘડો આદિના જાણપણાનો અભાવ થયા પછી જ આત્મા (જીવ) તેના ઉપયોગરૂપે વિનાશ પામે છે અને બીજા પદાર્થના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે અથવા સામાન્યરૂપે રહે છે. આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આત્માના પ્રત્યેક પ્રદેશે જ્ઞાનદર્શનના ઉપયોગરૂપ અનંતાપર્યાયો રહેલા છે. તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા કથંચિત્ અભિન્ન છે એટલે વિજ્ઞાનમય છે. જ્યારે આત્માનો પૂર્વ પદાર્થનો ઉપયોગ નષ્ટ થાય ત્યારે અને બીજા પદાર્થમાં ઉપયોગરૂપે પ્રવર્તે ત્યારે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આ રીતે સ્પષ્ટ સમજાય છે કે, શરીરથી જીવ ભિન્ન છે. ઇત્યાદિ પૂર્વવતું. ૦ સંશય નષ્ટ થતા વાયુભૂતિની દીક્ષા : આ પ્રમાણે જન્મ, જરા, મૃત્યુથી વિપ્રમુક્ત થયેલા જિનેશ્વર મહાવીરે વાયુભૂતિના સંશયનું નિવારણ કર્યું ત્યારે વાયુભૂતિનો “શરીર એ જ જીવ કે શરીરથી ભિન્ન જીવ" એ સંશય નષ્ટ થયો. “શરીર અને જીવ પૃથક્ છે" એવો નિર્ણય થતા વાયુભૂતિ ગૌતમે Jain bateation International Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આગમ કથાનુયોગ-૨ પોતાના ૫૦૦ શિષ્યો સહિત દીક્ષા ગ્રહણ કરી. તેઓ ભગવંતના ત્રીજા ગણધર થયા. ભગવંત પાસેથી ઉત્પન્નડુ વા વા વા ઘુવડું વા એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કર્યો – થાવત્ – ભગવંતે વાયુભૂતિના મસ્તક પર વાસપૂર્ણનો લેપ કર્યો ઇત્યાદિ સમગ્ર કથન અગ્નિભૂતિ ગણધર અનુસાર સમજી લેવું. ૦ પ્રશ્નકર્તા વાયુભૂતિ : ભગવંત મહાવીરને ગૌતમ વાયુભૂતિ અણગારે વંદના અને નમસ્કાર કરી પછી પૂછયું – (જ્યારે ગૌતમ અગ્નિભૂતિ અણગારે ગૌતમ વાયુભૂતિ અણગારને અસુરેન્દ્ર અસુરરાજ ચમરની ઋદ્ધિ અને પ્રભાવની તથા વિકુર્વણા શક્તિની, ચમરેન્દ્રના સામાનિક દેવો, ત્રાયશ્ચિંશક દેવો, લોકપાલો, અગ્રમહિષી આદિના ઋદ્ધિ, પ્રભાવ, વૈક્રિયલબ્ધિ આદિ વક્તવ્યતા જણાવી ત્યારે ગૌતમ વાયુભૂતિને તેની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ આદિ ન થતા ભગવંત મહાવીરની પર્યાપાસના કરી પૂછયું-) ગણધર અગ્નિભૂતિએ કહેલ વાત સત્ય છે તેમ જાણતા અગ્નિભૂતિની વિનયપૂર્વક ક્ષમાયાચના કરી. ત્યાર પછી ભગવંતને વૈરોચનેન્દ્ર વૈરોચન રાજ બલિની ઋદ્ધિ, પ્રભાવ, વિદુર્વણાશક્તિ સંબંધે પ્રશ્નો કર્યા. બલીન્દ્ર સામાનિક દેવ, લોકપાલ, અગ્રમહિષીની ઋદ્ધિ આદિ વિષયક પ્રશ્નો કર્યા. જે રીતે દક્ષિણદિશાના બધાં ભવનપતિ સંબંધે ગણધર અગ્નિભૂતિએ પ્રશ્નો કરેલા, તે જ રીતે ઉત્તરદિશાના બધાં ભવનપતિ સંબંધે ગણધર વાયુભૂતિએ પ્રશ્નો કરીને ભગવંત મહાવીર પાસે સમાધાનો પ્રાપ્ત કર્યા. ઇશાનેન્દ્રની ઋદ્ધિ આદિ તથા કુરુદત્ત અણગાર સંબંધે પ્રશ્નો કર્યા. એ જ રીતે સનસ્કૂમારાદિ સર્વે વૈમાનિક ઇન્દ્રો સંબંધિ પ્રશ્નો પૂછેલા. ૦ ગણધર વાયુભૂતિને કેવળજ્ઞાન અને નિર્વાણ : વાયુભૂતિ ગૌતમ ૪ર વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. પછી સંયમ અંગીકાર કર્યો. ૧૦ વર્ષ છદ્મસ્થાવસ્થામાં પસાર કર્યા બાદ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ ૧૮ વર્ષ કેવલીરૂપે વિચર્યા. એ રીતે કુલ ૨૮ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. તેમનું પૂર્ણાયુષ્ય ૭૦ વર્ષનું હતું. તેઓ પ૦૦ શિષ્યોને વાચના આપતા હતા. દ્વાદશાંગી અને ચૌદપૂર્વના ધારક હતા. સર્વલબ્ધિ સંપન્ન, વજsષભનારા સંઘયણ અને સમચતુસ્ત્ર સંસ્થાનથી યુક્ત હતા. આ ત્રીજા ગણધર વાયુભૂતિ ગૌતમે છેલ્લે એક માસનું પાદપોપગમન અનશન સ્વીકાર્યું. તેઓ રાજગૃહી નગરીમાં નિર્વાણ પામ્યા. તેમનું નિર્વાણ ભગવંત મહાવીરના નિર્વાણની પૂર્વે થયેલું. શિષ્યરહિત નિર્વાણ પામેલા કેમકે પોતાના ગણનો વ્યુત્સર્ગ કરીને તેમણે સર્વ શિષ્યો સુધર્માસ્વામીને સોંપી દીધેલા. ૦ આગમ સંદર્ભ :સમ, ૧૯; ભગ. ૧૫૪ થી ૧૫૯; આવ.નિ. પ૯૨ થી ૧૯૭, ૬૦૨ થી ૬૦૫, ૬૪૩, ૬૪૬ થી ૬૫૦, ૬૫ર થી ૬૫૯; નંદી. ૨૦, કલ્પસૂત્ર ૧૨૧ની વૃ. ૮/ર થી ૪; – – – ૪. ગણધર વ્યક્ત કથા :–૦- પરીચય : ભગવંતના ચોથા ગણધરનું નામ વ્યક્ત હતું. તેમનો જન્મ કોલ્લાગ સંનિવેશમાં Page #196 -------------------------------------------------------------------------- ________________ ગણધર – વ્યકત કથા ૧૯૫ થયેલો. તેમના પિતાનું નામ ધનમિત્ર અને માતાનું નામ વારુણી હતું. શ્રવણ નક્ષત્રવાળા આ ગણધરનું ગોત્ર ભારદ્વાજ હતું. બ્રાહ્મણ કુળમાં જન્મેલા હતા, સાત હાથની કાયા હતી. તેઓ ૫૦૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્નર કુળ અને વિશાળ વંશવાળા હતા. તેઓ મધ્યમ પાપાનગરીમાં સોમિલ નામના ધનાઢય બ્રાહ્મણે આયોજિત કરેલા યજ્ઞમાં શિષ્યપરીવાર સહિત આવેલા, વ્યક્તને સંશય હતો કે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂત છે કે નહીં? પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી પોતાનો સંદેહ અન્ય બ્રાહ્મણોને પૂછીને સમાધાન પ્રાપ્ત કરતા ન હતા. ૦ વ્યક્તનું આગમન અને ભગવંત દ્વારા સંશય નિવારણ : આવી રીતે ઇન્દ્રભૂતિ વગેરેને દીક્ષિત થયેલા સાંભળી વ્યક્ત વિચાર્યું કે જેના ઇન્દ્રભૂતિ વગેરે શિષ્યો થયા તે મારે પણ પૂજનીય થાઓ. હું પણ ત્યાં જઉં, જિનેશ્વર ભગવંતને વંદના કરું, વંદીને તેમની પર્યાપાસના કરીશ અને મારા સંશયનું નિવારણ કરીશ. આ પ્રમાણે વિચારી તે ૫૦૦ શિષ્ય સહિત ભગવંત પાસે આવ્યો. ભગવંતને પ્રમાણ કર્યા. ભગવંતની ઋદ્ધિ સંપદા જોઈને વિસ્મયથી વિસ્ફારિત થયેલા નયને ત્યાં ઊભો રહ્યો. તે વખતે જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા, સર્વજ્ઞ સર્વદર્શી જિનેશ્વર ભગવંત મહાવીરે તેને નામ અને ગોત્રપૂર્વક બોલાવતા કહ્યું, હે ભારદ્વાજ વ્યક્ત ! તને એવો સંશય છે કે, “પાંચ ભૂત છે કે નહીં ?” તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી આ સંશય ઉત્પન્ન થયો છે. “વિનોપનું વૈ સનમ, વૈઘ દ્રવિધિના વિજ્ઞા:” એ વેદપદોનો અર્થ બરાબર ન જાણવાથી તને આ સંશય થયો છે. આ વેદપદોથી તું એમ માને છે કે, “પાંચ ભૂત નથી.” “વનોપમ વૈ નમ્” એટલે પૃથ્વી, જળ વગેરે સમગ્ર જગત્ સ્વપ્ન તુલ્ય જ છે. જેમ સ્વપ્નમાં સુવર્ણ, રત્ન, સ્ત્રી વગેરે જોવામાં આવે પણ વાસ્તવિક રીતે તે કાંઈ હોતું નથી. તેમ પૃથ્વી, જલ વગેરે ભૂતોને આપણે જોઈએ છીએ, પણ વાસ્તવિક રીતે તો આ બધાં પદાર્થો સ્વપ્નવત્ જ છે. આ પ્રમાણે આ બ્રહ્મવિધિ–પરમાર્થ શીધ્ર જાણી લેવો. આ વેદપદોથી તું એવું માને છે કે, પૃથ્વી આદિ પંચ ભૂતો નથી. પરંતુ પૃથ્વી ટેવતા સાપો તેવતા અર્થાત્ પૃથ્વી દેવતા છે, જળ દેવતા છે ઇત્યાદિ વેદપદોને પૃથ્વી–જળ વગેરે ભૂતોની સત્તા–વિદ્યમાનતા જણાવનારા જોઈને તું સંશયમાં પડ્યો છે કે પાંચ ભૂત છે કે નથી ? વળી પ્રમાણથી તને આ વાત ગ્રાહ્ય લાગતી નથી, પણ ચક્ષુ વડે પરમાણુ કે પરમાણુસમૂહ તને પ્રત્યક્ષ દેખાય છે. તેથી તારું ચિત્ત સંભ્રાન્ત થયેલ છે. આ તારો સંશય અયુક્ત છે. કેમકે તું વેદપદોનો અર્થ બરાબર સમજ્યો નથી. “આ સકલ જગત્ સ્વપ્ન સદશ જ છે.” એ વેદપદો આત્મસંબંધિ ચિંતવના માટે છે. તે સુવર્ણ, રત્ન, સ્ત્રીનો સંયોગ અનિત્ય છે તેમ સૂચવે છે. સુવર્ણ, ધન, પુત્ર, સ્ત્રી વગેરેનો સંયોગ અસ્થિર છે, અસાર છે, કટુ વિપાક આપનારો છે. માટે તેઓ ઉપરની આસક્તિ ત્યજીને મુક્તિ માટે પ્રયત્ન કરવો. એમ આ વેદપદો વૈરાગ્યનો બોધ આપનારા પદો છે. ભૂતોનો નિષેધ સૂચવનારા પદો નથી. જન્મ, જરા, મૃત્યુથી વિપ્રમુક્ત જિનેશ્વર ભગવંતના આ વચનને સાંભળીને વ્યક્તને પાંચ ભૂતોનો જે સંશય હતો તે નષ્ટ થયો. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આગમ કથાનુયોગ-૨ ૦ સંશય નષ્ટ થતા વ્યક્તની દીક્ષા : આ પ્રમાણે પ્રભુના વચનથી વ્યક્તનો સંશય નષ્ટ થયો. ત્યારે “પાંચ ભૂતો છે” તે વાતની પ્રતીતિ થઈ. આ પ્રમાણે નિર્ણય થતા વ્યક્ત ભારદ્વાજે પોતાના ૫૦૦ શિષ્યો સહિત દીક્ષા ગ્રહણ કરી. તેઓ ભગવંતના ચોથા ગણધર થયા. ભગવંત પાસેથી પૂરું વા, વિનાને ટુ વ, ઇવેઃ વા'' એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કર્યો – યાવત્ – ભગવંતે વ્યકત નામના ગણધરના મસ્તક પર વાતચૂર્ણનો ક્ષેપ કર્યો ઇત્યાદિ સમગ્ર કથન અગ્નિભૂતિ ગણધર અનુસાર સમજી લેવું. ૦ ગણધર વ્યક્તને કેવળજ્ઞાન અને નિર્વાણ : વ્યક્ત ગણધર ૫૦ વર્ષ પર્યત ગૃહસ્થપણે રહ્યા. પછી તેણે સંયમ અંગીકાર કર્યો. ૧૨ વર્ષ છદ્મવસ્થાવસ્થામાં પસાર કર્યા બાદ ૬૨ વર્ષની વયે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ૧૮ વર્ષ તેમણે કેવલી અવસ્થામાં પસાર કર્યા. એ રીતે તેમનો શ્રામણ્ય પર્યાય કુલ ૩૦ વર્ષનો હતો. તેઓએ ૮૦ વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવ્યું. તેઓ ૫૦૦ શિષ્યોને વાચના આપતા હતા. દ્વાદશાંગી અને ચૌદ પૂર્વના ધારક હતા. સર્વલબ્ધિસંપન્ન, વજ ઋષભનારાચ સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત હતા. ચોથા ગણધરે વ્યક્ત છેલ્લે એક માસનું પાદપોપગમન અનશન સ્વીકાર્યું. તેઓ રાજગૃહી નગરીમાં નિર્વાણ પામ્યા. તેમનું નિર્વાણ ભગવંત મહાવીરના નિર્વાણની પહેલા થયું હતું. વ્યક્ત ગણધર શિષ્ય સંતતિ રહિત નિર્વાણ પામ્યા. કેમકે પોતાના ગણનો ત્યાગ કરીને તેમણે સર્વ શિષ્યો સુધર્માસ્વામીને સોંપી દીધેલા. આગમ સંદર્ભ :સમ. ૧૯; આવ.નિ. ૧૯૨, ૧૯૩, થી પ-૭, ૬૧૦ થી ૬૧૩, ૬૪૩, -૬૪૬ થી ૬૫૯; કલ્પસૂત્ર—૧૨૧ ની વૃ ૮/ર થી ૪; – – – – ૫. ગણધર સુધર્મા કથા :–૦- પરીચય : ભગવંતના પાંચમાં ગણધર સુધર્મા થયા. તેમનો જન્મ કોલાગ સંનિવેશમાં થયો. તેમના પિતાનું નામ ધર્મિલ અને માતાનું નામ ભદ્રિલા હતું. ઉત્તરાફાલ્વની નક્ષત્રવાળા આ ગણધરનું ગોત્ર અચિવૈશ્યાયન હતું. બ્રાહ્મણ કુળમાં જન્મેલા હતા, સાત હાથની કાયા હતી. તેઓ ૫૦૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્ન કુળ અને વિશાળ વંશવાળા હતા. તેઓ મધ્યમ પાપાનગરીમાં ધનાઢય એવા સોમિલ બ્રાહ્મણે આયોજિત કરેલા યજ્ઞમાં પધારેલ હતા. સુધર્માને શંકા હતી કે, “આ જીવ જેવો આ ભવમાં છે તેવો જ પરભવમાં થાય છે કે ભિન્ન સ્વરૂપે થાય છે ?' પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી પોતાનો સંદેહ અન્ય બ્રાહ્મણને પૂછીને તેઓ સમાધાન પ્રાપ્ત કરતા ન હતા. ૦ સુધર્માનું આગમન અને ભગવંત દ્વારા સંશય નિવારણ : ઇન્દ્રભૂતિ વગેરે ચારને દીક્ષિત થયેલા સાંભળી પાંચમા સુધર્મા નામના પંડિત વિચાર્યું કે, જેના ઇન્દ્રભૂતિ વગેરે ચાર શિષ્યો થયા. તે માટે પણ પૂજ્ય જ છે, માટે હું Page #198 -------------------------------------------------------------------------- ________________ ગણધર – સુધર્મા કથા ૧૯૭ પણ તેમની પાસે જઉં અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણેના સંકલ્પપૂર્વક સુધર્મા પ૦૦ શિષ્યો સાથે નીકળ્યા અને જિનેશ્વર ભગવંત પાસે આવ્યા. વંદના કરી, કરીને ભગવંતની પર્યુપાસના કરતા ત્યાં ઊભા રહ્યા. તે વખતે ભગવંતને જોઈને તે ખૂબ જ હર્ષિત થઈ ગયા. તે વખતે જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા – સર્વજ્ઞ અને સર્વદર્શી જિનેશ્વર ભગવંતે સુધર્માને તેના નામ અને ગોત્ર જણાવવા પૂર્વક કહ્યું, હે સુધર્મા! તને એવો સંશય છે કે, “જે પ્રાણી જેવો આ ભવમાં હોય તેવો જ પરભવમાં થાય છે કે, બીજા સ્વરૂપે થાય છે ? તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોની શ્રુતિથી આવો સંશય ઉત્પન્ન થયો છે – પુરુષો વૈ પુરુષત્વમથુતે પરાવ: પશુત્વમ્' હે સુધર્મા ! તું વેદ પદોના અર્થને બરાબર જાણતો નથી, તેથી તારા સંશયના નિવારણ અર્થે હું તેનો યોગ્ય અર્થ જણાવું છું – પુરુષ મૃત્યુ પામ્યા પછી પરભવમાં પુરુષપણાને પામે છે. પશુઓ મરી ગયા પછી પરભવમાં પશુપણાને પામે છે અર્થાત્ તું એવો અર્થ કરે છે કે, મનુષ્ય મૃત્યુ પામીને પરભવમાં મનુષ્ય જ થાય, દેવ કે તિર્યંચ ન થાય. પશુ મરીને બીજા ભવમાં પશુ જ થાય પણ મનુષ્ય કે દેવ ન જ થાય. હે સુધર્મા! તું એવું માને છે કે ઉપરોક્ત વેદપદોનો અર્થ યુક્તિથી પણ યોગ્ય જ લાગે છે. કેમકે જેવું કારણ હોય તેવું જ કાર્ય સંભવે છે. જેમ શાલિના બીજથી શાલિનો અંકુરો જ ઉત્પન્ન થાય અન્ય ધાન્યનો ન થાય. તેમ મનુષ્ય મરીને મનુષ્ય જ થાય. પશુ કઈ રીતે થાય ? વળી ગૃના ગાવત : સUરિપ ટહ્યતે – વિષ્ટા સહિત એવા જે મનુષ્યો બળાય છે તે શિયાળ થાય છે. એવું વેદપદ સાંભળીને તને સંશય થયો છે. કેમકે જો મનુષ્ય વિષ્ટાયુક્ત અવસ્થામાં મરણ પામે તો પરભવે તે મનુષ્ય શિયાળ થાય છે. એટલે કે, આ વેદપદ “મનુષ્ય મરીને શિયાળ પણ થાય છે' તેવું જણાવે છે. એટલે તું વિચારે છે કે, “મનુષ્ય આ ભવમાં જેવો હોય તેવો પરભવમાં થાય” એવો નિયમ રહેતો નથી. આ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદપદોથી તું સંશયમાં પડ્યો છે. પણ તે સુધર્મા ! તારો આ સંશય અયુક્ત છે. કેમકે તને ઉક્ત બંને વેદપદોનો અર્થ સમજાયો નથી. ખરેખર આ વેદપદોનો અર્થ તું કરે છે એ પ્રમાણે નથી. પણ તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે– અહીં પુરુષ (મનુષ્ય) મરીને પરભવમાં મનુષ્યપણું પામે છે તેનો અર્થ એવો થાય કે, જે મનુષ્ય ભદ્રક પ્રકૃતિવાળો હોય, વિનય–સરળતા વગેરે ગુણો વડે યુક્ત હોય, તે આ ભવમાં મનુષ્ય સંબંધિ આયુષ્યકર્મ બાંધીને મરી ગયા પછી મનુષ્ય જન્મ પામે છે અને જે માયા વગેરે દોષયુક્ત હોય તે આ ભવમાં પશુસંબંધિ આયુષ્ય કર્મ બાંધીને મરી ગયા પછી પરભવમાં પશુજન્મ પામે છે. આવી રીતે તે–તે જીવે બાંધેલા કર્મની અપેક્ષાએ મનુષ્ય અથવા પશુઓની ગતિ સૂચવી છે. પણ એ વેદપદો એવો નિશ્ચય સૂચવતાં નથી કે મનુષ્ય મરીને મનુષ્ય જ થાય ને પશુ મરીને પશુ જ થાય. આવી રીતે પ્રાણીઓની ભિન્ન ભિન્ન ગતિમાં ઉત્પત્તિ કર્મને આધીન છે. વળી યુક્તિથી તું જે માને છે કે જેવું કારણ હોય તેના સદેશ જ કાર્ય સંભવે, તે પણ તારું માનવું ઠીક નથી. કેમકે છાણ વગેરેમાંથી વીંછી વગેરેની ઉત્પત્તિ દેખાય જ છે. તેથી કારણથી વિસદશ કાર્ય પણ સંભવે. અન્યથા ધાન્ય સાથે ઘાસની ઉત્પત્તિ પણ ન થાય. તે રીતે કર્મના બીજ અનુસાર દેવ, મનુષ્ય, નારકી કે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આગમ કથાનુયોગ-૨ તિર્યંચ ગતિ સંભવે છે. પણ આ લોક અને પરલોકમાં સમાનતા જ હોય તેમ માની શકાય નહીં. તારે પોતાને આ ભવમાં બાલ, યુવા, વૃદ્ધત્વ આદિ પર્યાયો સમાન ન હતા. ૦ સંશય નષ્ટ થતા સુધર્માની દીક્ષા : જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા જિનેશ્વર ભગવંત મહાવીરના વચનથી સુધર્માનો સંશય નષ્ટ થયો. તેને પ્રતીતિ થઈ કે જીવની ગતિ કર્માનુસારિણી હોય છે. આ ભવે જે સ્વરૂપે હોય તે જ સ્વરૂપે આવતા ભવમાં પણ જન્મે તેવું નથી હોતું. એટલે તેણે પોતાના ૫૦૦ શિષ્યો સહિત ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેઓ ભગવંત મહાવીરના પાંચમાં ગણધર થયા, ત્યાર પછી ભગવંત પાસેથી ૩qન્નેક્ વા વિનામે ડું વા ધુ વા એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કર્યો – યાવત્ – ભગવંતે સુધર્મા ગણધરના મસ્તક પર વાતચૂર્ણનો ક્ષેપ કર્યો ઇત્યાદિ કથન અગ્નિભૂતિગણધર અનુસાર જાણવું. ૦ સુધર્મ ગણધર-જ્ઞાનદાતા રૂપે : આગમોના ઘણાં અધ્યયન આદિ સુધર્માસ્વામીએ પોતાના શિષ્ય “જબૂ'ને કહ્યા છે. જંબૂસ્વામી દ્વારા કરાયેલા પ્રશ્નોના ઉત્તર રૂપે પણ ભગવંતે કરેલી પ્રરૂપણા–ધર્મકથા આદિને સુધર્માસ્વામીએ જણાવેલી છે. તેનો ઉલ્લેખ મુખ્યત્વે બે પ્રકારે છે :- ૧. સૂત્રમાં જ “તૂ' ના સંબોધનથી કરાયેલા ઉલ્લેખ સ્વરૂપે અને ૨. “સૂવે છે લાડકું !' આરંભ વાક્યથી કે રિમ અંત્ય વાકયથી. જેમાં સુવું છે સારાં ! વાક્યની વૃત્તિમાં “સુધર્મા સ્વામીએ તેમના શિષ્ય જંબૂસ્વામીને આ પ્રમાણે કહ્યું" એવું વૃત્તિગત સ્પષ્ટીકરણ મળે છે તેમજ ઉત્તમ શબ્દની ચૂર્ણિગત વ્યાખ્યામાં આ ખુલાસો મળે છે. આવા આગમોમાં નાયાધમ્મકહા, ઉવાગદશા, અંતગડદસા, અનુત્તરોપપાતિકદસા, પહાવાગરણ, વિવાગસૂય, નિરયાવલિકા આદિ આગમોમાં સંવૂ” એવા નામથી જ ભગવદ્ વાણીના જ્ઞાનનું દાન સુધર્માસ્વામીએ કર્યું છે. જ્યારે આચારાંગ, સૂયગડાંગ આદિની વૃત્તિ તથા દશવૈકાલિક અને ઉત્તરઝયણાણિમાં તેની ચૂર્ણિમાં ખુલાસો કયો છે કે સુધર્મા સ્વામીએ – જંબૂ સ્વામીને આ પ્રમાણે કહ્યું. ૦ ગણધર સુધર્માસ્વામી ગુણ વર્ણન : તે કાળ, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય આર્યસુધર્મા નામે સ્થવીર હતા. તેઓ જાતિસંપન્ન, બળસંપન્ન, રૂપસંપન્ન, વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન, ચારિત્રસંપન્ન, લજ્જાસંપન્ન, લાઘવસંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, ક્રોધને જીતનારા, માનને જીતનારા, લોભને જીતનારા, નિદ્રા–ઇન્દ્રિય અને પરીષહોને જીતનારા, જીવતા રહેવાની કામના અને મૃત્યુના ભયથી રહિત, તપપ્રધાન, ગુણપ્રધાન, ગુપ્રિધાન, ચરણપ્રધાન, નિગ્રહપ્રધાન, નિશ્ચયપ્રધાન, આર્જવપ્રધાન, માદવપ્રધાન, લાઘવપ્રધાન, શાંતિપ્રધાન, મુક્તિપ્રધાન, વિદ્યાપ્રધાન, મંત્રપ્રધાન, બ્રહ્મપ્રધાન, વ્રતપ્રધાન, નયપ્રધાન, નિયમપ્રધાન, સત્યપ્રધાન, શૌચપ્રધાન જ્ઞાનદર્શનચારિત્રપ્રધાન, ચૌદપૂર્વોના જ્ઞાતા, ઉદાર, ઘોર, ઘોરવતી, ઘોર તપસ્વી, ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યનું પાલન કરનારા, શરીર સંસ્કારના ત્યાગી, વિપુલ તેજલેશ્યાને પોતાના શરીરમાં સમાવિષ્ટ કરીને રાખનારા, ચાર જ્ઞાનોથી સંપન્ન, ૫૦૦ સાધુઓથી પરિવૃત્ત, અનુક્રમથી ચાલતા ચાલતા એક ગામથી બીજે ગામ વિચરણ Page #200 -------------------------------------------------------------------------- ________________ ગણઘર – સુધર્મા કથા ૧૯૯ કરતા કરતા. નગરી પધાર્યા. સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા રહ્યા. – તેમના પટ્ટશિષ્ય “જંબૂ” નામક અણગાર હતા. – ચંપાનગરીમાં કોણિકરાજા તેમના વંદનાર્થે અને ધર્મશ્રવણ કરવા માટે આવેલ. ૦ ગણધર સુધર્માને કેવળજ્ઞાન અને નિર્વાણ : સુધર્મા ૫૦ વર્ષ સુધી ગૃહસ્થપણે રહ્યા. ત્યાર પછી દીક્ષા લીધી. ગણધર પદવી પામ્યા. ૪૨ વર્ષ છદ્મસ્થપણામાં પસાર કર્યા. ૯૨માં વર્ષ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આઠ વર્ષનો કેવલી પર્યાય પાળ્યો. એ રીતે કુલ ૫૦ વર્ષનો શ્રમણ પર્યાય પાળેલ. તેમાં ૩૦ વર્ષ પર્યંત ભગવંત મહાવીરની નિશ્રામાં રહ્યા. ભગવંતના નિર્વાણ પછી બીજા ૨૦ વર્ષ ગયા બાદ ૧૦૦ વર્ષનું આયુ પૂર્ણ કરીને ગણધર સુધર્મા નિર્વાણ પામ્યા. તેમણે છેલ્લે પાદપોપગમન અનશન ગ્રહણ કરેલ. એક માસ સુધી અનશન તપ કરીને રાજગૃહી નગરીમાં તેઓનું નિર્વાણ થયું. ભગવંતના અગિયાર ગણધરોમાં નિર્વાણ પામનારા તેઓ છેલ્લા ગણધર હતા. ગણધર સુધર્મા પોતાના ગણના ૫૦૦ સાધુઓને વાચના આપતા હતા. દ્વાદશાંગી (ગણીપિટક)ના ધારક હતા. સર્વ લબ્ધિસંપન્ન, વજઋષભનારાચ સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત હતા. સર્વે ગણધરોમાં નિર્વાણ પામવામાં તેઓ છેલ્લા હોવાથી, બધાં જ ગણધરો પોતપોતાના ગણને સુધર્માસ્વામીને સોંપીને ગયેલા હતા. તેથી જ આવશ્યક નિર્યુક્તિકાર તીર્થને સુધર્માસ્વામીનું તીર્થ કહે છે. પટ્ટાવલીની ગણના પણ સુધર્માસ્વામીના ક્રમથી જ થાય છે. સ્થવિરાવલી કે ગણધરવંશની ગણના સુધર્માસ્વામીથી જ થાય છે. ૦ આગમ સંદર્ભ :આયા. ૧ ની વ. સૂય નિ ૮૫; સૂય ચૂપૃ. ૩૧, ૧૫૫; સૂય.મૂ. ૪૩૭, ૪૯૭, ૬૩૩, ૬૪૮, ૬૭૫, ૭૦૦ની વૃ. ઠા.મૂ.૧ની વૃ. સમ. ૧૯, ૧૭૯ સમ. ૧, ૧૯ત્ની વૃ. નાયા. ૪, ૫, રર૦; નાયા. ૯ ની વૃ. ઉવા. ૨; અંત. ૧; અનુત્ત. ૧; પા . ૧; વિવા. ૧, ૨, ૧૧, ૧૮, ૨૪, ૨૭, ૨૯, ૩૧ થી ૩૫; નિર. ૨, 3; નિર. ૪ ની વૃ; નિસી.ભા. ૨૧૫૪ની ચૂ. આવ.નિ પ૯૨, ૧૯૩, ૫૯૫ થી ૫૯૮, ૬૧૪ થી ૬૧૭, ૬૪૬ થી ૫૦, ૫૨, ૬૫૪, ૬૫૫, -- ૬૫૭ થી ૬૫૯; આવ.નિ. ૭૩૫-. આવ.યૂ. ૧–પૃ. ૮૬, ૯૧, ૩૨૪, ૩૨૭, ૩૩૪, ૪૫૫; દસરૃ.પૂ. ૬, ૮૩, ૧૩૦; ઉત્ત.૨.૫. ૨૮૧; કલ્પસ્થ ૮૨ થી ૫; કલ્પ.યૂ.. ૧૦૪; કલ્પ. ૧૨૧ની વૃ; નંદી. ૨૦, ૨૩; નદી.યૂ.પૃ. ૭; નંદી. ૨૩ની વૃ તિત્વો. ૭૧૧, ૬. ગણધર મંડિતપુત્ર કથા - –૦- પરીચય : ભગવંતના છઠા ગણધર મંડિત પુત્ર થયા, તેનો મંડિતના નામે પણ ઉલ્લેખ છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આગમ કથાનુયોગ-૨ તેમનો જન્મ મૌર્ય સંનિવેશમાં થયો. તેમના પિતાનું નામ ધનદેવ અને માતાનું નામ વિજયદેવા હતું. તેમના નાના ભાઈ મૌર્યપુત્ર સાતમા ગણધર થયા. મઘા નક્ષત્રવાળા આ ગણધરનું ગોત્ર વાશિષ્ઠ હતું. બ્રાહ્મણ કુળમાં જન્મેલા હતા. તેમની કાયા સાત હાથની હતી. તેઓ ૩૫૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્નત્ત કુળ અને વિશાળ વંશવાળા હતા. તેઓ મધ્યમપાપાનગરીમાં સોમિલ નામના ધનાઢ્ય બ્રાહ્મણ દ્વારા આયોજિત યજ્ઞમાં પધારેલા. મંડિતપુત્રને મનમાં સંશય હતો કે, “આ જીવને કર્મનો બંધ અને કર્મથી મુક્તિ છે કે નહીં?" પોતાના સર્વજ્ઞાણાના અભિમાનની ક્ષતિના ભયથી અન્ય વિદ્વાન્ બ્રાહ્મણને પૂછીને તેઓ પોતાના સંશયનું નિવારણ કરતા ન હતા. ૦ મંડિતપુત્રનું આગમન અને ભગવંત દ્વારા સંશય નિવારણ : ઇન્દ્રભૂતિ વગેરે પાંચને દીક્ષિત થયેલા સાંભળી છઠા મંડિત નામના પંડિતે વિચાર્યું કે, જેના ઇન્દ્રભૂતિ આદિ પાંચ શિષ્યો થયા તે મારે પણ પૂજ્ય જ છે. માટે હું પણ તેમની પાસે જઉં અને મારા સંશયનું નિવારણ મેળવું. આ પ્રમાણેના સંકલ્પપૂર્વક પંડિતપુત્ર ૩૫૦ શિષ્યોના પરિવાર સહિત નીકળ્યા. જિનેશ્વર ભગવંત મહાવીર પાસે આવ્યા. ભગવંતને વંદના કરી, ભગવંતની પર્યાપાસના કરતા ઊભા રહ્યા. તેઓ ત્રણ ભુવનના નાથને નમસ્કાર કરી અતિ આનંદિત થયા. તે વખતે જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા સર્વજ્ઞ અને સર્વદર્શી જિનેશ્વર ભગવંત મહાવીરે મંડિતપુત્રને તેના નામ અને ગોત્ર જણાવવા પૂર્વક કહ્યું કે, હે મંડિતપત્ર ! તને એવો સંશય છે કે, “આત્માને કર્મનો બંધ અને કર્મથી મોક્ષ છે કે નહીં ?" તારા ચિત્તમાં આવો સંશય પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી ઉત્પન્ન થયો છે – “સ TU વિમુખી વિમુર્ન વધ્યતે સંસતિ વા કુવ્વત મવતિ વી, ન વા | વાઘમગન્તર વા વેઢ ઇત્યાદિ.' હે મંડિત ! તું વેદપદોના અર્થને બરાબર જાણતો નથી, તેથી તારા સંશયના નિવારણાર્થે હું તેનો યોગ્ય અર્થ જણાવું છું – ર એટલે તે આ આત્મા, વિપુ – સત્ત્વ, રજસ્ અને તમોગુણ રહિત છે, વિમુ: સર્વ વ્યાપક છે. ન વધ્યતે કર્મથી બંધાતો નથી. શુભ અશુભ કર્મના બંધનથી રહિત છે. તે સંસરત સંસારમાં પરિભ્રમણ કરતો નથી. કેમકે કર્મનું બંધન ન હોય તો આત્માનું ભ્રમણ ન થાય. ‘મુવત' આત્મા કર્મથી મુકાતો નથી. કેમકે કર્મ બંધાતા નથી. તો પછી કર્મથી મુક્ત થવાનું પણ રહેતું નથી. ન મોઘતિ તેમજ આત્મા કર્મ વગેરેનો કર્તા ન હોવાથી બીજાઓને કર્મથી મૂકાવતો પણ નથી. વળી આ આત્મા પોતાનાથી ભિન્ન એવા મહત્ અંધકાર વગેરે બાહ્ય સ્વરૂપને તથા અત્યંતર એટલે પોતાના સ્વરૂપને ગણતો નથી. કેમકે જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ છે, પણ આત્માનો ધર્મ નથી. આ પ્રમાણે વેદપદોથી તું એવું માને છે કે, “આત્માને બંધ કે મોક્ષ નથી.' પરંતુ " વૈ સરી પ્રિયાશિયો પતિ , શરીર વા વસન્ત પ્રિવાડપ્રિયે ન સ્પૃશતઃ' એ વેદપદોથી આત્માને બંધ અને મોક્ષની કૃતિ જણાય છે. તેનો અર્થ તું કરે છે કે, શરીર સહિત અર્થાત્ સંસારી આત્માને સુખ અને દુઃખનો અભાવ નથી જ. એટલે સંસારી આત્માને સુખ અને દુઃખ ભોગવવા જ પડે છે. કેમકે તેને સુખ–દુઃખના કારણભૂત Page #202 -------------------------------------------------------------------------- ________________ ગણધર – પંડિતપુત્ર કથા ૨૦૧ શુભ અને અશુભ કર્મો હોય છે. શરીર રહિત એટલે મુક્ત થેયલા અને લોકના અગ્રભાગમાં વસતા આત્માને સુખ–દુઃખ સ્પર્શતા નથી. કેમકે મુક્તાત્માને સુખ–દુ:ખના કારણભૂત કર્મો હોતા નથી. આ વેદપદોથી તો સ્પષ્ટ જણાય છે કે, આત્માને બંધ અને મોક્ષ છે. આ રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી સંશય ઉત્પન્ન થયો છે, પણ હે મંડિત ! આ તારો સંશય અયુક્ત છે. કેમકે તે Ug વિધુ વિન વધ્યતંત્ર ઇત્યાદિ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી. તેથી તું ઉપરોક્ત અર્થ કરે છે. પણ ખરેખર તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે – વિરાળ એટલે છઘસ્થપણાના ગુણરહિત એવો, વિમ એટલે કેવળજ્ઞાન સ્વરૂપે સર્વવ્યાપક એવો તે આત્મા અર્થાત્ મુક્તાત્મા ન વધ્યત – કર્મથી બંધાતો નથી, શુભાશુભ કર્મના બંધનથી રહિત છે. કેમકે મુક્તાત્માને કર્મબંધનના કારણભૂત મિથ્યાદર્શન વગેરેનો અભાવ છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. કર્મથી મૂકાતો નથી. કેમકે તે મુક્તાત્મા કર્મથી રહિત જ હોય છે. મુક્તાત્માને કર્મનો બંધ જ નથી. તેથી તેને મૂકાવાપણાનો પ્રશ્ન જ નથી. વળી મુક્તાત્માને સંસાર સંબંધિ સુખ હોતું નથી. ન વી વીમવેત્તર વા વેઢ મુક્તાત્માને પુષ્પચંદન આદિથી થતા બાહ્ય સુખને તથા અભિમાનથી થતા આંતરિક સુખને, આ પ્રમાણે બંને પ્રકારનાં સાંસારિક સુખને અનુભવવા રૂપે જાણતો નથી. તેથી તે સાંસારિક સુખ ભોગવતો નથી. આવી રીતે તે વેદપદો મુક્ત થયેલા આત્માનું સ્વરૂપ જણાવે છે. પણ સંસારી આત્માને તો કર્મનો બંધ અને કર્મથી મોક્ષ હોય જ છે. જેમ સુવર્ણને સંયોગથી અનાદિકાળથી મલિનતા લાગી હોય તો પણ સાર, માટી ઇત્યાદિ દ્રવ્યસંયોગોથી વિઘટિત કરાતા શુદ્ધ સુવર્ણ મેળવી શકાય છે, તેમ અનાદિ કાળથી જીવ અને કર્મનો સંયોગ થયા કરતો હોય તો પણ જ્ઞાન, દર્શન, ચારિત્રના યોગથી તે આત્માને તે–તે કર્મોથી વિયોગ થઈ શકે છે અને મિથ્યાત્વ-અવિરતિ આદિ યોગથી કર્મનો બંધ પણ થઈ શકે છે. જ્યારે આત્મા મુક્ત થઈ જાય ત્યારે મિથ્યાત્વાદિ અભાવે કર્મનો લેશમાત્ર સંયોગ થતો નથી. કેમકે કષાયાદિ યુક્ત જીવ જ કર્મને યોગ્ય પુગલો એકઠા કરે છે. ૦ સંશય નષ્ટ થતા મંડિતપુત્રની દીક્ષા : જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા જિનેશ્વરના વચનોથી મંડિતપુત્રના સંશયનું નિવારણ થયું. તેને પ્રતીતિ થઈ કે, “આત્માને કર્મનો બંધ અને કર્મથી મુક્તિ બંને હોય છે. તેથી તેણે પોતાના ૩૫૦ શિષ્યો સહિત ભગવંત મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી, તેઓ ભગવંત મહાવીરના શાસનમાં છઠા ગણધર થયા. ત્યાર પછી ભગવંત પાસેથી Sqન્ને ૩ વા, વિકમ રૂ વા, ઘુવેરૂ વા – એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કરીને દ્વાદશાંગી–ગણીપિટકની રચના કરી – યાવત્ – ભગવંતે મંડિતપુત્ર ગણધરના મસ્તક પર દિવ્યવાસચૂર્ણનો લેપ કર્યો ઇત્યાદિ સમગ્ર કથન અગ્નિભૂતિ ગણધર મુજબ જાણવું. ૦ પ્રશ્નકર્તા ગણઘર મંડિત પુત્ર : રાજગૃહી નગરમાં કોઈ વખતે પ્રકૃતિથી ભદ્ર એવા મંડિતપુત્ર અણગારે ભગવંત Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આગમ કથાનુયોગ-૨ મહાવીરની પર્યપાસના કરતા આ પ્રમાણે પૂછયું, મંડિતપુત્રએ ભગવંતને ક્રિયા અને તેના ભેદ વિશે, ક્રિયા અને વેદનાના સંબંધ વિશે, શ્રમણોને ક્રિયા લાગવાનું કારણ, જીવને થતા કંપન આદિ, જીવની અંતક્રિયા વિશે, પ્રમત્તસંયમ કાળ અને અપ્રમત્ત સંયમ કાળ ઇત્યાદિ પ્રશ્નો પૂછેલા અને ભગવંત મહાવીરે તેમને સમાધાન આપ્યા હતા. ૦ મંડિતપુત્રને કેવળજ્ઞાન અને નિર્વાણ : મંડિતપુત્ર ૫૩ વર્ષ સુધી ગૃહસ્થપણામાં રહ્યા. ત્યાર પછી તેમણે દીક્ષા લીધી. ૧૪ વર્ષ તેઓ છઘસ્થરૂપે રહ્યા પછી એટલે કે ૬૭ વર્ષે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૧૬ વર્ષનો કેવલી પર્યાય પાળ્યો. એ રીતે ૩૦ વર્ષનું શ્રમણપણું પાલન કર્યું. ૮૩ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. તેમણે રાજગૃહીમાં છેલ્લે એક માસનું પાદપોપગમન અનશન સ્વીકારેલું. ત્યાર પછી નિર્વાણ પામ્યા, ગણધર મંડિત પુત્ર ૩૫૦ શિષ્યોને વાચના આપતા હતા. દ્વાદશાંગી—ચૌદપૂર્વના ધારક હતા. સર્વલબ્ધિસંપન્ન, વજઋષભનારાય સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત હતા. તેમનું નિર્વાણ ભગવંત મહાવીરના નિર્વાણ પૂર્વે થયેલ હતું. મંડિતપુત્ર ગણધર શિષ્યસંતતિ રહિત નિર્વાણ પામ્યા. કેમકે તેઓએ કાળધર્મ પૂર્વે જ પોતાના ગણનો ત્યાગ કરીને ગણધર સુધર્માસ્વામીને સોંપી દીધેલ હતો. ૦ આગમ સંદર્ભ :સમ. ૧૯, ૯૯, ૧૬૨; ભગ. ૧૭૮ થી ૧૮૨; આવ. ચૂ.૧–પૃ. ૩૩૭ થી ૩૩૯; આવ.નિ. પ૯ર, પ૯૪ થી ૫૭, ૬૧૮ થી ૬૨૧, ૬૪૪, ૬૪૬ થી ૬૫૦, ૬૫ર થી ૬૫૫, ૬૫૭ થી ૬૫૯; નંદી. ૨૧, કલ્પ સ્થ. ૮/૨ થી ૪; કલ્પ. ૧૨૧ ની વ: – X - X — ૭. ગણધર મૌર્યપુત્ર કથા – –૦- પરીચય : ભગવંતના સાતમાં ગણધર મૌર્યપુત્ર થયા. તેમનો જન્મ મૌર્ય સંનિવેશમાં થયો. તેમના માતા-પિતાનું નામ વિજયદેવા અને મૌર્ય હતું. ગણધર મંડિત (મંડિતપુત્ર) તેમના ભાઈ હતા. રોહિણી નક્ષત્રવાળા આ ગણધરનું ગોત્ર કાશ્યપ હતું. (અહીં મૌર્ય અને મંડિત બંનેને માતાને આશ્રિને ભાઈ કહ્યા છે. કેમકે ઘનદેવના મૃત્યુ બાદ વિજયદેવાના લગ્ન મૌર્ય સાથે થયા. તે દેશમાં એવો રીવાજ હતો કે સ્ત્રીના બીજા લગ્ન થાય તેથી બંનેના પિતા અને ગોત્ર જુદા હતા. તે વાતમાં વિરોધ ન જાણવો) તેઓ બ્રાહ્મણકુળમાં જન્મેલા. તેમના કાયા સાત હાથની હતી. ૩૫૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્નતકુળ અને વિશાળ વંશવાળા હતા, તેઓ મધ્યમ પાપાનગરીમાં સોમિલ નામના ધનાય બ્રાહ્મણ દ્વારા આયોજિત યજ્ઞમાં પધારેલા. મૌર્યપુત્રના મનમાં સંશય હતો કે, “દેવો. છે કે નહીં” પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી અન્ય વિદ્વાનું બ્રાહ્મણને પૂછીને પોતાના સંશયનું નિવારણ કરતા ન હતા. ૦ મૌર્યપુત્રનું આગમન અને ભગવંત દ્વારા સંશય નિવારણ : Page #204 -------------------------------------------------------------------------- ________________ મૌર્યપુત્ર કથા ઇન્દ્રભૂતિ વગેરે છ ની દીક્ષા થયાનું સાંભળીને સાતમા મૌર્ય નામના પંડિતે વિચાર્યું કે, જેમના ઇન્દ્રભૂતિ આદિ છ શિષ્યો થયા તે મારે પણ પૂજ્ય જ છે. માટે હું પણ ત્યાં જઉ અને મારા સંશયનું નિવારણ પ્રાપ્ત કરું. આ પ્રમાણેના સંકલ્પપૂર્વક મૌર્યપુત્ર પોતાના ૩૫૦ શિષ્યો સાથે નીકળ્યા. જિનેશ્વર ભગવંત મહાવીર પાસે આવ્યા. ભગવંતને વંદના કરી, ભગવંતની પર્યાપાસના કરતા ઊભા રહ્યા. જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા સર્વજ્ઞ—સર્વદર્શી જિનેશ્વર ભગવંત મહાવીરે મૌર્યપુત્રને તેમના નામ અને ગોત્રપૂર્વક બોલાવ્યા અને કહ્યું કે, હે મૌર્યપુત્ર ! તને એવો સંશય છે કે, “દેવો છે કે નહીં ?'' તારા ચિત્તમાં આવો સંશય પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી ઉત્પન્ન થયેલો છે. તે વેદપદો આ પ્રમાણે છે “को जानाति मायोपमान् गीर्वाणान् इन्द्र, यम, વળ, વેરાવી'' ઇત્યાદિ. ગણધર - હે મૌર્યપુત્ર ! તું વેદપદોના અર્થને બરાબર જાણતો નથી. તેથી તને આવો સંશય થયો છે. પરંતુ તારા સંશયના નિવારણાર્થે હું તને તેનો યોગ્ય અર્થ જણાવું છું. જો જ્ઞાનતિ. વેદપદોનો અર્થ તું એવો કરે છે કે, ઇન્દ્રાદિ દેવો માયારૂપ છે. જેમ માયા– ઇન્દ્રજાળ ખરેખર કંઈ હોતું નથી, તેમ વાસ્તવિક રીતે દેવો પણ હોતા નથી. વળી તું યુક્તિથી પણ વિચારે છે કે, નારકીઓ તો પરતંત્ર અને દુઃખથી વિહ્વળ હોવાથી અહીં આવી શકતા નથી, તેથી તેઓને પ્રત્યક્ષ જોવાનો કોઈ ઉપાય નથી. તેથી શાસ્ત્ર વચનાનુસાર “નારકીઓ છે'' તેમ શ્રદ્ધા રાખવી જોઈએ. પણ દેવો તો સ્વતંત્ર અને પ્રભાવશાળી હોવાથી અહીં આવવાને સમર્થ છે. છતાં પણ દેવો દૃષ્ટિગોચર થતા નથી માટે દેવો હોવા જોઈએ નહીં. ૨૦૩ પરંતુ દેવોની વિદ્યમાનતા જણાવનારાં વેદપદોની પણ તને શ્રુતિ છે. “સપ યજ્ઞાયુધી યજ્ઞમાનોઽગ્નતા સ્વર્તો ઘ્ધતિ'' એટલે કે, જેને યજ્ઞરૂપ આયુધ-શસ્ત્ર છે એવો તે યજમાન જલ્દીથી સ્વર્ગલોક-દેવલોકમાં જાય છે. આ વેદપદોથી સ્પષ્ટ જણાય છે કે, દેવો છે. કેમકે જો દેવો ન હોય તો દેવલોક કયાંથી હોય ? આવી રીતે વિરુદ્ધ લાગતા વેદપદોથી તું સંશયમાં પડ્યો છે કે, “દેવ છે કે નથી ? પરંતુ હે મૌર્યપુત્ર ! આ તારો સંશય અયુક્ત છે. કેમકે સમવસરણમાં આવેલા આ દેવોને તું અને હું પ્રત્યક્ષ જોઈએ છીએ. વળી ચંદ્ર–સૂર્યાદિ જ્યોતિષ્ક દેવોના વિમાનોને સર્વ લોકો પ્રત્યક્ષ જુએ છે. જો દેવો ન હોય તો આ વિમાનો કઈ રીતે દેખાય ? દેવો સ્વચ્છંદચારી છે, કામરૂપ છે. પ્રકૃષ્ટ દિવ્ય પ્રભાવવાળા છે અને અહીં આવવાને સમર્થ છે છતાં કેમ નથી આવતા એવું તું જે વિચારે છે તેનું કારણ એ છે કે, દેવગણ હંમેશા સંગીત-નાટ્યાદિ કાર્યોમાં વ્યગ્ર હોય છે. દિવ્ય પ્રેમ, વિષયમાં આસક્તિ આદિ કારણોથી, મનુષ્યલોકની દુર્ગંધ સહન ન થવાથી, સ્ત્રીના પ્રકૃષ્ટરૂપ આદિમાં પ્રસક્ત રહેવાથી ઇત્યાદિ કારણે આવતા નથી. તો પણ તીર્થંકરોના કલ્યાણક આદિમાં, ભકિતથી, પૂર્વભવની પ્રીતિથી કે પૂર્વભવના દ્વેષથી વગેરે કારણોથી દેવતાઓ આવતા જ હોય છે. વેદપદોમાં દેવોને જે માયા સદશ કહ્યા છે, તે દેવોનું અનિત્યપણું સૂચવે છે. મોટા Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આગમ કથાનુયોગ-૨ આયુષ્યવાળા દેવો પણ આયુષ્ય પૂર્ણ થતા ચ્યવે છે. તેથી બીજા પદાર્થોની જેમ તેઓ પણ અનિત્ય છે. માટે દેવપણાની આકાંક્ષા ન રાખતા શાશ્વત એવા મોક્ષનો જ વિચાર કરવો. મોક્ષ માટે જ પ્રયત્ન કરવો. એ પ્રમાણે દેવોના અનિત્યપણાને સૂચવીને પ્રાણીઓને બોધ આપેલ છે. પણ એ વેદપદો દેવો નથી એમ જણાવતાં નથી. ૦ સંશય નષ્ટ થતા મૌર્યપુત્રની દીક્ષા : જન્મ, જરા, મરણથી વિમુક્ત થયેલા જિનેશ્વરના વચનોથી મૌર્યપુત્રના સંશયનું નિવારણ થયું. તેને પ્રતીતિ થઈ કે, “દેવો છે તેથી તેણે પોતાના ૩૫૦ શિષ્યો સહિત ભગવંત મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી. તેઓ ભગવંત મહાવીરના શાસનમાં સાતમા ગણધર થયા. ત્યાર પછી ભગવંત પાસેથી ૩qન્ને ડું વા, વિપામે રૂ વીં, યુવે ૩ વા એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કરીને દ્વાદશાંગી–ગણિપિટકની રચના કરી – યાવત્ – ભગવંતે મૌર્યપુત્ર ગણધરના મસ્તક પર દિવ્યવાસચૂર્ણનો ક્ષેપ કર્યો ઇત્યાદિ સર્વ કથન અગ્રિભૂતિ ગણધર મુજબ જાણવું. ૦ મૌર્યપુત્રને કેવળજ્ઞાન અને નિર્વાણ : મૌર્યપુત્ર ૬૫ વર્ષ સુધી ગૃહસ્થપણામાં રહ્યા. ત્યાર પછી તેમણે દીક્ષા લીધી. ચૌદ વર્ષનો તેમનો છઘWપર્યાય રહ્યો. પછી તેઓ ૭૯ વર્ષે કેવળજ્ઞાન પામ્યા. તેમનો કેવલી પર્યાય ૧૬ વર્ષનો હતો. એ રીતે ૩૦ વર્ષનું શ્રમણપણું પાળ્યું. ૯૫ વર્ષનું પૂર્ણાયુ ભોગવ્યું. (* અહીં સમવાયાંગ સૂત્ર–૧૪૩ની ટીકામાં અભયદેવસૂરિજી જણાવે છે કે, પંડિતપુત્ર મોટો ભાઈ છે. બંનેની દીક્ષા એક જ દિવસે થયેલી છે. તો પછી મૌર્યપુત્રની ઉંમર ૬૫ વર્ષ અને પંડિતપુત્રની ૫૩ વર્ષ દેખાડે છે, તે સમજી શકાતું નથી.) અમે પણ આવશ્યક સૂત્ર નિર્યુક્તિ ૬૫૦ થી ૬પ૬ને મેળવી જોઈ. જેમાં ઉપરોક્ત ઉમરો લખી છે. ગૃહસ્થ પર્યાય ૬૫ વર્ષ છવસ્થતા ૧૪ વર્ષ, કેવલી પર્યાય ૧૬ વર્ષ કુલઆયુ ૯૫ વર્ષ માતા બંનેની એક જ છે. મંડિતપુત્રના પિતા ધનદેવના મૃત્યુ બાદ મૌર્ય સાથે લગ્ન કર્યા પછી મૌર્યપુત્રનો જન્મ થયો છે. તો મંડિત કરતા મૌર્યપુત્ર મોટા કઈ રીતે હોઈ શકે તે સમજાતું નથી. વળી આવશ્યક ચૂર્ણિ – વૃત્તિ કે દીપિકામાં આ વિષયે કશું જણાવેલ નથી. ગણધર મૌર્યપુત્રએ છેલ્લે રાજગૃહીમાં એક માસનું પાદપોપગમન અનશન સ્વીકાર્યું. ભગવંતના નિર્વાણ પૂર્વે જ તેઓ નિર્વાણ પામ્યા. તેઓ ૩૫૦ શિષ્યોને વાચના આપતા હતા. દ્વાદશાંગી–ચૌદ પૂર્વના ધારક હતા. સર્વલબ્ધિસંપન્ન, વજઋષભ નારાચ સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત હતા. નિર્વાણ પૂર્વે પોતાનો ગણ સુધર્માસ્વામીને સોંપીને શિષ્ય સંતતિ રહિત થઈ કાળધર્મ પામ્યા. ૦ આગમ સંદર્ભ :સમ. ૧૯, ૧૪૩, ૧૭૪; આવનિ પ૯૨, પ૯૪ થી ૧૯૭, ૬૨૨ થી ૬૨૫, ૬૪૩ થી ૬૫૦, ૬૫ર થી ૬૫૫, ૬૫૭ થી ૬૫૯; નંદી. ૨૧; કલ્પ.D. ૮/ર થી ૪; કલ્પ. ૧૨૧ ની જ – ૪ – ૪ – Page #206 -------------------------------------------------------------------------- ________________ ગણધર – અપિત કથા ૨૦૫ ૮. ગણધર અકંપિત કથા :–૦- પરીચય : ભગવંતના આઠમાં ગણધર અકંપિત થયા. તેનો જન્મ મહિલા ગામે થયો હતો. તેમના પિતાનું નામ દેવ અને માતાનું નામ જયંતી હતું. ઉત્તરાષાઢા વાળા આ ગણધરનું ગોત્ર ગૌતમ હતું. તેઓ બ્રાહ્મણ કુળમાં જન્મેલા. તેમની કાયા સાત હાથની હતી. તેઓ ૩૦૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્નત્ત કુળ અને વિશાળ વંશવાળા હતા. તેઓ મધ્યમ પાપાનગરીમાં સોમીલ નામના ધનાઢય બ્રાહ્મણે આયોજિત કરેલા યજ્ઞમાં પોતાના શિષ્યો સહિત પધારેલા હતા. અકંપિતના મનમાં સંશય હતો કે, “નારકી છે કે નહીં.” પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી બીજા વિદ્વાન્ બ્રાહ્મણને પૂછીને પોતાના સંશયનું નિવારણ કરતા ન હતા. ૦ અકંપિતનું આગમન અને ભગવંત દ્વારા સંશય નિવારણ : ઇન્દ્રભૂતિ આદિ સાતને દીક્ષિત થયાનું સાંભળી અકંપિત નામક આઠમા પંડિત વિચાર્યું કે, જેમના ઇન્દ્રભૂતિ આદિ સાત શિષ્યો થયા તેઓ મારે પણ પૂજ્ય જ છે. માટે હું પણ ત્યાં જઉં અને મારા સંશયનું નિવારણ કર્યું. આ પ્રમાણેના સંકલ્પપૂર્વક અકંપિત પોતાના ૩૦૦ શિષ્યો સહિત નીકળ્યા. જિનેશ્વર ભગવંત મહાવીર પાસે આવ્યા. ભગવંતને વંદના કરી ભગવંતની પર્યાપાસના કરતા ત્યાં ઊભા રહ્યા. જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા, સર્વજ્ઞ–સર્વદર્શી જિનેશ્વર ભગવંત મહાવીરે તેને નામ અને ગોત્રપૂર્વક બોલાવતા કહ્યું કે, હે અકંપિત તમે ભલે આવ્યા. તેમને સંશય છે કે, “નારકી છે કે નહીં ?" તારા ચિત્તમાં આવો સંશય પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાકયોથી ઉત્પન્ન થયેલો છે. તે વેદપદો આ પ્રમાણે છે – ન વૈ પૈત્ર નવે નારા: સંન્તિ” આદિ. હે અકંપિત ! તું વેદપદોના અર્થને બરાબર જાણતો નથી. તેથી તને આવો સંશય થયેલો છે. પરંતુ તારા સંશયના નિવારણાર્થે હું તને તેનો યોગ્ય અર્થ જણાવું છું. “ હું વૈ પ્રેત્ય નર નારા: ક્ષત્તિ એ વેદપદોનો અર્થ તું એવો કરે છે કે, પ્રત્યેક અર્થાતુ નરકમાં નારકો નથી. અર્થાત્ કોઈપણ પ્રાણી મરીને પરભવમાં નારકી થતા નથી. વળી તું માને છે કે, દેવો તો ચંદ્ર-સૂર્ય આદિ પ્રત્યક્ષ જણાય છે. વળી મનુષ્યો કોઈ દેવની માનતા માને છે, તો કેટલાકને તે માનેલી માન્યતાનું ફળ પણ મળતું દેખાય છે. આ પ્રમાણે તે માનતાનું ફળ જોઈને અનુમાનથી પણ જણાય છે કે, દેવો છે. પણ નારકી તો પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી પણ જણાતા નથી, તેથી નારકી નથી. પરંતુ બીજા વેદપદોની શ્રુતિ પણ તું જાણે છે – “નાર વૈ ણ ઝાયતે : શુદામશ્રાતિ એટલે જે બ્રાહ્મણ શુદ્રનું અન્ન ખાય છે તે નારકી થાય છે. એ વેદપદોથી નારકીની વિદ્યમાનતા જણાય છે. કેમકે જો નારકી ન હોય તો “શુકનું અન્ન ખાનારો બ્રાહ્મણ નારકી થાય" એવું કઈ રીતે કહેવાય. આવી રીતે પરસ્પર વિરુદ્ધ લાગતા વેદપદોથી સંશયમાં પડેલો છે કે નારકી છે કે નથી ? પરંતુ હે અકંપિત ! આ તારો સંશય અયુક્ત છે. કેમકે વૈ નર નારા: મિ એ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી. તેઓનો અર્થ આ પ્રમાણે છે– Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ આગમ કથાનુયોગ-૨ પરલોકમાં નરકોને વિશે નારકીઓ નથી. અર્થાત્ પરલોકમાં નારકીઓ મેરૂ વગેરેની જેમ શાશ્વતા નથી. પરંતુ જે પ્રાણી ઉત્કૃષ્ટ પાપ ઉપાર્જન કરે છે, તે મરીને પરભવમાં નારકી થાય છે. એ પ્રમાણે તે વેદપદોનો અર્થ છે. પણ એ વેદપદો "નારકી નથી' એમ જણાવતા નથી. બીજું નારકીઓ કર્મ પરતંત્રતાને લીધે અહીં આવી શકતા નથી. અહીંથી ત્યાં જઈ શકાતું નથી. મનુષ્યાદિને ત્યાં જવું અશક્ય છે જ પણ સાયિક જ્ઞાનવાળા તો તે નારકીઓને પોતાના જ્ઞાનથી પ્રત્યક્ષ જુએ છે. છબસ્થોને અનુમાન પ્રમાણથી નારકીની પ્રતીતિ થઈ શકે છે. તે આ પ્રમાણે – જેમ પ્રાણી ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ અનુત્તર દેવપણે ઉત્પન્ન થઈને ભોગવે છે, તેમ ઉત્કૃષ્ટ પાપ કરનાર પ્રાણીને તે ઉત્કૃષ્ટ પાપનું ફળ પણ અવશ્ય ભોગવવું પડે છે અને તે તીવ્ર અને નિરંતર દુઃખ ભોગવવારૂપ ફળને પ્રાણીઓ નારકીપણે ઉત્પન્ન થઈને ભોગવે છે. કદાચ તું એવું માને કે, ઉત્કૃષ્ટ પાપનું ફળ તિર્યંચ કે મનુષ્યભવમાં પણ ભોગવી શકાય, કેમકે ઘણાં તિર્યંચોને અને મનુષ્યોને અતિશય દુઃખી જોઈએ છીએ, તો તે માન્યતા પણ યોગ્ય નથી, કેમકે તિર્યંચ અને મનુષ્યભવમાં તીવ્ર અને નિરંતર દુઃખ હોતું નથી. દુઃખ વધારે હોય તો પણ થોડું સુખ પણ હોય છે. પરંતુ જેવું તીવ્ર અને નિરંતર દુઃખ નારકી ભોગવે છે, તેવું દુઃખ તિર્યંચ અને મનુષ્યો ભોગવતા નથી. ઉત્કૃષ્ટ પાપના ફળને ભોગવવા માટે તો નારકીમાં જ જવું પડે. માટે “નારકી છે.” ૦ સંશય નષ્ટ થતા અકંપિતની દીક્ષા : જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા જિનેશ્વરના વચનોથી અકંપિતના સંશયનું નિવારણ થયું. તેને પ્રતીતિ થઈ કે, “નારકી છે તેથી તેણે પોતાના ૩૦૦ શિષ્યો સહિત દીક્ષા અંગીકાર કરી, તેઓ ભગવંત મહાવીરના શિષ્ય અને આઠમા ગણધર થયા. ત્યાર પછી ભગવંત પાસેથી ઉપૂ વા, વિરામે રૂ વા, ઘુવ ૩ વા એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કરીને દ્વાદશાંગી—ગણિપીટકની રચના કરી – યાવતું – અકૅપિત ગણધરના મસ્તક પર દિવ્ય વાસચૂર્ણનો લેપ કર્યો ઇત્યાદિ સર્વ કથન અગ્નિભૂતિ ગણધર પ્રમાણે જાણવું. ૦ અકંપિતને કેવળજ્ઞાન અને નિર્વાણ : અકંપિત ૪૮ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા. પછી ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. નવ વર્ષ સુધી છ સ્થાવસ્થામાં રહ્યા. ૨૧ વર્ષ તેમનો કેવલી પર્યાય રહ્યો. એ રીતે ૩૦ વર્ષની દીક્ષા પર્યાય પાળ્યો અને ૭૮ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. છેલ્લે રાજગૃહીમાં તેમણે એક માસનું પાદપોપગમન અનશન સ્વીકાર્યું. તેઓ અને અલભ્રાતા ગણધર બંનેની વાચના એક સાથે ચાલતી હોવાથી તેમનો બંનેનો ગણ એક જ હતો. દ્વાદશાંગી અને ચૌદ પૂર્વના ધારક, સર્વલબ્ધિસંપન્ન, વજઋષભનારાચ સંઘયણ તથા સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત એવા આ ગણધરનું નિર્વાણ ભગવંત મહાવીરના નિર્વાણ પૂર્વે થયું. તેઓ ગણ વ્યુત્સર્ગ કરીને અંતે શિષ્ય સંતતિ રહિત નિર્વાણ પામ્યા. ૦ આગમ સંદર્ભ :સમ. ૧૯, ૧૫૭; આવનિ પ૯૨, ૫૯૪ થી ૧૯૭, ૬૨૬ થી ૬૨૯, ૬૪૩ થી ૫૦, ૬૫ર થી ૬૫૪, ૬૫૬ થી ૬૫૯; નંદી. ૨૧; કલ્પ.સ્થ. ૮/ર થી ૪; કલ્પ. ૧ર૧ ની વૃ. — x – ૪ – Page #208 -------------------------------------------------------------------------- ________________ ગણધર અચલભ્રાતા કથા ૯. ગણધર અચલભ્રાતા કથા : -૦- પરીચય : ભગવંતના નવમાં ગણધર અચલભ્રાતા થયા. તેનો જન્મ કોશલા નગરીમાં થયો. તેના માતા–પિતાનું નામ નંદા અને વસુ હતું. મૃગશીર્ષ નક્ષત્રવાળા આ ગણધરનું ગોત્ર હારિત હતું. તેઓ બ્રાહ્મણકુળમાં જન્મેલા. તેમની કાયા સાત હાથની હતી. તેઓ ૩૦૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્નત કુળ અને વિશાળ વંશવાળા હતા. તેઓ મધ્યમ પાપાનગરીમાં સોમીલ બ્રાહ્મણ દ્વારા આયોજિત કરાયેલા યજ્ઞમાં પોતાના શિષ્ય પરિવાર સહિત પધારેલા. અચલભ્રાતાના મનમાં સંશય હતો કે, “પુણ્ય અને પાપ છે કે નહીં ?'' પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી તે બીજા વિદ્વાન્ બ્રાહ્મણને પૂછીને પોતાના સંશયનું નિવારણ કરતા ન હતા. ૦ અચલભ્રાતાનું આગમન અને ભગવંત દ્વારા સંશય નિવારણ :~ ૨૦૭ ઇન્દ્રભૂતિ આદિ આઠને દીક્ષિત થયાનું જાણીને અચલભ્રાતા નામના નવમા પંડિતે વિચાર્યું કે જેમના ઇન્દ્રભૂતિ વગેરે આઠ પંડિતો શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે, માટે હું પણ તેમની પાસે જઉં અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણે વિચારી અચલભ્રાતા પોતાના ૩૦૦ શિષ્યો સાથે નીકળ્યા. જિનેશ્વર ભગવંત મહાવીર પાસે આવ્યા. ત્યાં ભગવંતને વંદના કરી, તેમની પર્યુપાસના કરતા ત્યાં ઊભા રહ્યા. ત્યારે જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા સર્વજ્ઞ—સર્વદર્શી જિનેશ્વર ભગવંત મહાવીરે તેને નામ અને ગોત્રપૂર્વક બોલાવતા કહ્યું કે, હે અચલભ્રાતા ! તમે ભલે આવ્યા. તમને સંશય છે કે, “પુણ્ય અને પાપ છે કે નહીં ?'' તારા ચિત્તમાં આવો સંશય પરસ્પર વિરુદ્ધ દેખાતા વેદ વાક્યોથી ઉત્પન્ન થયો છે. તે વેદપદો આ પ્રમાણે છે – “પુરુષ વેયં પ્રિં સર્વ યદ્ ભૂત – यच्च भाव्यम्. હે અચલભ્રાતા ! તું વેદપદોના અર્થને બરોબર જાણતો નથી, તેથી તને આવો સંશય થયો છે. તેથી તારા સંશયના નિવરણાર્થે હું તને એ વેદપદોનો યોગ્ય અર્થ જણાવું છું. તું ઉક્ત વેદપદોથી એવું સમજે છે કે, “પુણ્ય પાપ નથી.' પુરુષ વેવું વાક્યથી તું એવું સમજે છે કે, આ પ્રત્યક્ષ જણાતું ચેતન–અચેતન સ્વરૂપ જે થયું અને થશે તે સર્વ પુરુષ અર્થાત્ આત્મા જ છે. આત્મા સિવાય પુણ્યપાપ કશું જ નથી. પણ બીજા વેદપદની શ્રુતિ છે – ‘મુખ્ય: પુષ્યેન વર્મા, પાપઃ પાપેન ર્મળા - પુણ્ય કર્મ એટલે કે, શુભકર્મ વડે પ્રાણી પુણ્યશાળી થાય છે અને પાપકર્મ એટલે અશુભ કર્મ વડે પાપનો ભાગી થાય છે. એ વેદપદોથી પુણ્ય–પાપની વિદ્યમાનતા પણ જણાય છે તે કારણે જ તું સંશયમાં પડ્યો છે કે, પુણ્ય–પાપ છે કે નહીં ? હે અચલભ્રાતા ! તારો આ સંશય અયુક્ત છે. કેમકે “પુરુષં વેટ સ્પ્રિં સર્વે થર્ ભૂતં યદ્ય ભાવ્યમ્'' એટલે આ પ્રત્યક્ષ જણાતું ચેતન–અચેતન સ્વરૂપ જે ભૂતકાળમાં થયું અને ભવિષ્યકાળમાં થશે. તે સર્વ આત્મા જ છે. ‘“તે વેદપદો આત્માની સ્તુતિ જણાવે છે. તેથી પુણ્ય—પાપ નથી તેમ સમજવાનું નથી. જેમ ‘વિષ્ણુમથંના'' એ વેદપદોમાં સર્વ જગત્ત્ને વિષ્ણુમય કહ્યું છે. ત્યાં એ વેદપદો વિષ્ણુનો મહિમા જણાવે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આગમ કથાનુયોગ-૨ છે. તેથી કંઈ વિષ્ણુ સિવાયની બીજી વસ્તુનો અભાવ છે તેવું પ્રતિપાદિત થતું નથી. તેમ જે થયું અને જે થશે તે સર્વ આત્મા જ છે. એ વેદપદોમાં આત્માનો મહિમા જણાવ્યો છે. તેથી આત્મા સિવાય “પુણ્ય–પાપ નથી' એમ સમજવાનું નથી. વળી દરેક પ્રાણી જે સુખ–દુઃખ અનુભવે છે તેનું કાંઈ પણ કારણ અવશ્ય હોવું જ જોઈએ. જેમકે સ્વર્ગથી ઍવીને તે મનુષ્ય-તિર્યંચાદિ ગતિ પામે છે કે મનુષ્ય દેવ–નારકાદિ ગતિ પામે છે. તે પુણ્ય–પાપનો ફળ વિપાક જ છે. જેમ અતિ પથ્ય આહારના સેવનથી ઉત્કૃષ્ટ આરોગ્ય સુખ પામે છે અને તેવા આહારના અભાવે આરોગ્ય સુખની હાનિ પણ થાય છે. સર્વાહારનો ત્યાગથી અપવર્ગ પણ પ્રાપ્ત થાય છે. એકાન્ત સંસારી જીવોને સુખ કે દુઃખ જ હોતા નથી. સર્વે પ્રાણીના સુખ કે દુઃખ પુણ્ય–પાપના કારણે જ હોય છે. શુભાશુભ કર્મોના ઉદય, ક્ષય, ક્ષયોપશમ, ઉદારણાદિ કારણે જીવોને પુણ્ય-પાપના ફળ મળતા પ્રત્યક્ષ દેખાય છે. તેથી પુણ્ય–પાપ છે જ. ૦ સંશયન થતા અચલભ્રાતાની દીક્ષા : જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા જિનેશ્વરના વચનોથી અલભ્રાતાના સંશયનું નિવારણ થયું. તેને પ્રતીતિ થઈ કે, “પુણ્ય-પાપ છે" તેથી તેણે પોતાના ૩૦૦ શિષ્યો સહિત દીક્ષા અંગીકાર કરી. તેઓ ભગવંત મહાવીરના શિષ્ય અને નવમાં ગણધર થયા. ત્યાર પછી ભગવંત પાસેથી ઉપૂત્રે ૩ વા, વિરે વા, યુવે રૂ વા એ ત્રિપદી માતૃકાન્યાસ પ્રાપ્ત કરીને દ્વાદશાંગી ગણીપિટકની રચના કરી – યાવત્ – ભગવંતે અલભ્રાતા ગણધરના મસ્તક પર દિવ્ય વાસવર્ણનો ક્ષેપ કર્યો ઇત્યાદિ સર્વ કથન અગ્રિભૂતિ ગણધર પ્રમાણે જાણવું. ૦ અચલભ્રાતાને કેવળજ્ઞાન અને નિર્વાણ : - અલભ્રાતા કે જેને અચલ નામે પણ ઓળખવામાં આવે છે. તે ૪૬ વર્ષ ગૃહસ્થપણે રહ્યા. પછી ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી ૧૨ વર્ષ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. ૫૮મે વર્ષે તેઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ૧૪ વર્ષ કેવલી અવસ્થામાં રહ્યા. એ રીતે કુલ ૨૬ વર્ષનો તેમને શ્રમણપર્યાય હતો. ૭૨ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. છેલ્લે રાજગૃહીમાં તેમણે એક માસનું અનશન કર્યું. ગણધર અચલભ્રાતા અને ગણધર અકંપિત બંનેની સમાન વાચના હોવાથી તે બંનેનો ગણ એક જ હતો. દ્વાદશાંગી અને ચૌદ પૂર્વના ધારક, સર્વલબ્ધિ સંપન્ન વજ8ષભનારાચ સંઘયણ તથા સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત એવા આ ગણધરનું નિર્વાણ ભગવંત મહાવીરના નિર્વાણ પૂર્વે થયેલું. તેઓ પોતાના ગણનો ત્યાગ કરીને, શિષ્ય સંતતિ રહિત નિર્વાણ પામેલા. ૦ આગમ સંદર્ભ :સમ. ૧૯, ૧૫૦; સમ ૧૫૦–વૃ. આવ.નિ. પ૯ર, પ૯૪ થી પ૯૭, ૬૩૦ થી ૬૩૩, ૬૪૩ થી ૬૫૦, ૫ર થી ૬૫૪, ૬૫૬ થી ૬૫૯; નંદી. ૨૧; કલ્પ.૭ ૮/ર થી ૪; કલ્પ. ૧૨૧ ની વ્ર –– X – – Page #210 -------------------------------------------------------------------------- ________________ ગણધર – મેતાર્ય કથા ૨૦૯ ૧૦. ગણધર મેતાર્ય કથા :–૦- પરીચય : ભગવંતના દશમાં ગણધર મેતાર્ય થયા. તેમનો જન્મ તંગીયા નગરીમાં થયો. તેના માતા-પિતાનું નામ વરુણદેવા અને દત્ત હતું. અશ્વિની નક્ષત્રવાળા આ ગણધરનું ગોત્ર કૌડિન્ય હતું. તેઓ બ્રાહ્મણ કુળમાં જન્મેલા. સાત હાથની ઊંચાઈ હતી. ૩૦૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્નત કુળ અને વિશાળ વંશવાળા હતા. તેઓ મધ્યમ પાપાનગરીમાં સોમીલ નામના ધનાઢ્ય બ્રાહ્મણ દ્વારા આયોજિત યજ્ઞમાં પોતાના શિષ્ય પરિવાર સહિત પધારેલા. મેતાર્યના મનમાં એવો સંશય હતો કે, “પરલોક છે કે નહીં ?” પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી તે બીજા વિદ્વાન્ બ્રાહ્મણને પૂછીને પોતાના સંશયનું નિવારણ કરતા ન હતા. ૦ મેતાર્યનું આગમન અને ભગવંત દ્વારા સંશય નિવારણ : - ઇન્દ્રભૂતિ આદિ નવને દીક્ષિત થયાનું જાણીને મેતાર્ય નામક દશમા પંડિત વિચાર્યું કે જેમના ઇન્દ્રભૂતિ વગેરે નવે પંડિતો શિષ્ય થયા તે મારે પણ પૂજ્ય જ છે. માટે હું પણ તેમની પાસે જઉં અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણે સંકલ્પ કરી મેતાર્ય પોતાના ૩૦૦ શિષ્યો સાથે નીકળ્યા. જિનેશ્વર ભગવંત મહાવીર પાસે આવ્યા. ત્યાં ભગવંતને વંદના કરી, તેમની પર્યાપાસના કરતા ઊભા રહ્યા. ત્યારે જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા સર્વજ્ઞ–સર્વદર્શી જિનેશ્વર ભગવંત મહાવીરે તેને નામ અને ગોત્રપૂર્વક બોલાવતા કહ્યું કે, હે મેતાર્ય ! તમે ભલે આવ્યા. તેમને સંશય છે કે, “પરલોક છે કે નહીં ?" તારા ચિત્તમાં આવો સંશય પરસ્પર વિરુદ્ધ દેખાતા વેદવાક્યોથી ઉત્પન્ન થયો છે. તે વેદપદો આ પ્રમાણે છે – “વિજ્ઞાનધન પર્વતેખ્યો પૂM: સમુWાય તાજેTSનું विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति । હે મેતાર્ય ! તું વેદપદોના અર્થને બરાબર જાણતો નથી, તેથી તને આવો સંશય થયો છે. તેથી તારા સંશયના નિવારણાર્થે હું તને એ વેદપદોનો યોગ્ય અર્થ જણાવું છું. તું ઉક્ત વેદપદોથી એવું સમજે છે કે, વિજ્ઞાન એટલે વિજ્ઞાનનો સમુદાય જ આ પૃથ્વી વગેરે પાંચ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને, પાછો તે પાંચ ભૂતોમાં જ લય પામે છે. તેથી પરલોકની સંજ્ઞા નથી અર્થાત્ પાંચ ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે અને જ્યારે પાંચ ભૂતો વિનાશ પામે છે ત્યારે તે ચૈતન્ય પણ જળમાં પરપોટાની જેમ તે ભૂતોમાં લય પામે છે. આવી રીતે ચૈતન્ય એ ભૂતોનો ધર્મ છે અને ભૂતો નષ્ટ થતાં તે ચૈતન્ય પણ વિનાશ પામે છે તેથી બીજી ગતિમાં જવા રૂપ પરલોક નથી. પરંતુ બીજા વેદપદોની પણ તને શ્રુતિ છે. સ્વામીશિહોત્ર કુહતુ અર્થાત્ સ્વર્ગની ઇચ્છાવાળો અગ્નિહોત્ર હોમ કરે તથા નારો વૈ પ નીયતે : શુદ્રાન્નમશ્રાતિ – જે બ્રાહ્મણો શુદ્રનું અન્ન ખાય છે તે નારકી થાય છે ઇત્યાદિ વેદપદોથી પરલોકની વિદ્યમાનતા જણાય છે કેમકે જો પરલોક ન હોય તો કોઈ સ્વર્ગ કે નરકમાં જાય કઈ રીતે? આવી રીતે પરસ્પર વિરુદ્ધ દેખાતા વેદવાક્યોથી તું સંશયમાં પડ્યો છે કે, “પરલોક છે કે નથી ?" પરંતુ હે મેતાર્ય ! તારો આ સંશય અયુક્ત છે. કેમકે – International Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦. આગમ કથાનુયોગ-૨ વિજ્ઞાનધન એ વેદવાક્યોનો અર્થ તું સમજવો નથી. વિજ્ઞાન એટલે જ્ઞાન-દર્શનનો ઉપયોગ, તે વિજ્ઞાનના સમુદાયરૂપ જ આત્મા શેયપણે એટલે જાણવાયોગ્યપણે પ્રાપ્ત થયેલા. આ પૃથ્વી વગેરે ભૂતો થકી અથવા ઘડો–વસ્ત્ર વગેરે વિકારો થકી, “આ પૃથ્વી છે,” આ ઘડો છે, આ વસ્ત્ર છે” વગેરે પ્રકારે તેને ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થઈને તે ઘડો–વસ્ત્ર વગેરે ભૂતોનો શેયપણે અભાવ થયા પછી જ આત્મા તેઓના ઉપયોગરૂપે વિનાશ પામે છે અને બીજા પદાર્થોના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે અથવા સામાન્ય સ્વરૂપે રહે છે. તે પ્રેત્યHISતિ આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આ વેદપદો ઘડો–વસ્ત્ર આદિ ભૂતોની અપેક્ષાએ આત્માના ઉપયોગની ઉત્પત્તિ અને વિનાશ સૂચવે છે. પણ તેથી ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ સમજવાનું નથી. ચૈતન્ય એ ભૂતોનો નહીં પણ આત્માનો ધર્મ છે. આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે. તેથી આત્મા પરલોકમાં જાય છે અને પરલોકથી આવે છે. આત્માને પોતાના કર્મ અનુસાર ગતિ પ્રાપ્ત થાય છે. મનુષ્યાદિ પર્યાયથી નિવૃત્ત થઈને દેવ આદિ પર્યાયની પ્રાપ્તિ થાય છે. ઇત્યાદિ. ૦ સંશય નષ્ટ થતા મેતાર્યની દીક્ષા : જન્મ જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા જિનેશ્વરના વચનોથી મેતાર્યના સંશયનું નિવારણ થયું. તેને પ્રતીતિ થઈ કે, “પરલોક છે તેથી તેણે પોતાના ૩૦૦ શિષ્યો સહિત ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેઓ ભગવંત મહાવીરના દશમાં ગણધર થયા. ત્યાર પછી ભગવંત પાસેથી ઉપૂન્ને રૂ વા, વિનાને રૂ વા, ઘુવે રૂ વા એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કરીને દ્વાદશાંગી ગણીપિટકની રચના કરી – યાવતુ – ભગવંતે મેતાર્ય ગણધરના મસ્તક પર દિવ્ય વાસચૂર્ણનો લેપ કર્યો ઇત્યાદિ સર્વકથન અગ્નિભૂતિ ગણધર પ્રમાણે જાણવું. ૦ મેતાર્યને કેવળજ્ઞાન અને નિર્વાણ : મેતાર્ય ૩૬ વર્ષ ગૃહસ્થપણામાં રહ્યા, પછી ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. ૧૦ વર્ષ છઘસ્થાવસ્થામાં રહ્યા. ૪૬માં વર્ષે તેને કેવળજ્ઞાન થયું. ૧૬ વર્ષ કેવલી અવસ્થામાં રહ્યા. ૬૨ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. છેલ્લે રાજગૃહીમાં એક માસનું અનશન કર્યું. ગણધર મેતાર્ય અને ગણધર પ્રભાસ બંનેની સમાન વાચના હોવાથી તેમનો ગણ એક જ હતો. દ્વાદશાંગીના ધારક, સર્વલબ્ધિ સંપન્ન, વજઋષભ નારાય સંઘયણ તથા સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત એવા આ ગણધરનું નિર્વાણ ભગવંત મહાવીરના નિર્વાણ પૂર્વે થયેલું. તેઓ પોતાના ગણનો ત્યાગ કરીને શિષ્ય સંતતિ રહિત નિર્વાણ પામેલા. ૦ આગમ સંદર્ભ :સમ. ૧૯; આવ.નિ ૫૯૨, ૫૯૪ થી ૫૭, ૬૩૪ થી ૬૩૭, | -૬૪૩ થી ૬૪૯, ૫૧ થી ૬૫૪, ૬૫૬ થી ૬૫૯ નંદી. ૨૧; કલ્પ સ્થ. ૮ર થી ૪; કલ્પ ૧૨૧ની વૃ. Page #212 -------------------------------------------------------------------------- ________________ ગણધર પ્રભાસ કથા ૧૧. ગણધર પ્રભાસ કથા ઃ-૦- પરીચય : ભગવંત મહાવીરના અગિયારમાં ગણધર પ્રભાસ થયા. તેઓ રાજગૃહીના બ્રાહ્મણ બલ અને અતિભદ્રાના પુત્ર હતા. પુષ્ય નક્ષત્રવાળા આ ગણધરનું ગોત્ર કૌડિન્ય હતું. સાત હાથની કાયાવાળા તે ઉન્નત કુળ અને વિશાળ વંશમાં જન્મેલા. તેઓ ૩૦૦ શિષ્યોના અધ્યાપક હતા. મધ્યમપાપાનગરીમાં સોમીલ નામક ધનાઢ્ય બ્રાહ્મણ દ્વારા યોજિત શિષ્યો સહિત યજ્ઞમાં પધારેલા. પ્રભાસના મનમાં સંશય હતો કે, “મોક્ષ છે કે નહીં'' પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ‘ભયથી તે બીજા વિદ્વાન્ બ્રાહ્મણને પૂછીને પોતાના સંશયનું નિવારણ કરતા ન હતા. ૦ પ્રભાસનું આગમન અને ભગવંત દ્વારા તેનું સંશય નિવારણ : ઇન્દ્રભૂતિ આદિ દશને દીક્ષિત થયા જાણી પ્રભાસ નામક અગિયારમાં પંડિતે વિચાર્યું કે, જેમના ઇન્દ્રભૂતિ વગેરે દશ પંડિતો શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે. માટે હું પણ તેમની પાસે જઉ અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણે વિચારી પ્રભાસ પોતાના ૩૦૦ શિષ્યો સાથે નીકળ્યા. જિનેશ્વર ભગવંત મહાવીર પાસે આવ્યા. ત્યાં ભગવંતને વંદના કરી. તેમની પžપાસના કરતા ઊભા રહ્યા. ત્યારે જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા સર્વજ્ઞ-સર્વદર્શી જિનેશ્વર ભગવંત મહાવીરે તેને નામ અને ગોત્રપૂર્વક બોલાવતા કહ્યું કે, હે પ્રભાસ ! તને સંશય છે કે, “મોક્ષ છે કે નહીં ?'' તારા ચિત્તમાં આવો સંશય પરસ્પર વિરુદ્ધ દેખાતા વેદવાક્યોથી ઉત્પન્ન થયો છે. તે વેદપદો આ પ્રમાણે છે – નરામય્ય વા તત્સર્વં યગ્નિહોત્રમ્'' આ વેદપદોથી તું એવું માને છે કે મોક્ષ નથી. ઉક્ત વેદપદોનો અર્થ તું એવો કરે છે કે, અગ્નિહોત્ર હોમ નરમર્ય એટલે યાવજ્જીવ કરવો. અગ્નિહોત્ર ક્રિયા કેટલાંકને વધનું કારણ અને કેટલાકને ઉપકારનું કારણ હોવાથી દોષમિશ્રિત છે. તેથી અગ્નિહોત્ર કરનારને સ્વર્ગ મળે છે પણ મોક્ષ મળતો નથી. જીવનપર્યંત આવી રીતે ફક્ત સ્વર્ગરૂપ ફળ આપનારી ક્રિયાને કરવાનું કહેલ હોવાથી મોક્ષરૂપ ફળ આપનારી ક્રિયા કરવાનો કોઈ કાળ રહ્યો નહીં. કેમકે જીવનપર્યંત અગ્નિહોત્ર કરે તો મોક્ષના હેતુભૂત ક્રિયા ક્યા કાળે કરી શકે ? જો મોક્ષ સાધક ક્રિયા માટે કોઈ કાળ જ ન રહે તો પછી મોક્ષ નથી તેવું જ માનવું પડે. વળી બીજા વેદપદની શ્રુતિ એવી છે કે, ત્રે બ્રહ્મળી વેવિતવ્ય પમ્ ઝપમાં ૬ । તંત્ર પર સત્યજ્ઞાનમ્, અનન્તાં વૃદ્ઘતિ । અર્થાત્ બ્રહ્મ બે જાણવાં. એક પર અને બીજું અપર. તેઓમાં પર એ સત્યજ્ઞાન છે અને અનંતર બ્રહ્મ મોક્ષ છે એ વેદપદોથી તથા સૈષા મુદ્દા પુરવા એટલે સંસારમાં આસક્ત પ્રાણીઓને આ મુક્તિરૂપી ગુફા દુરવગાહ અર્થાત્ પ્રવેશ માટે મુશ્કેલ છે. ઇત્યાદિ વેદપદોથી મોક્ષની વિદ્યમાનના જણાય છે. આ રીતે પરસ્પર વિરુદ્ધ ભાસના વેદપદોથી તને સંશય થયો છે કે, “મોક્ષ છે કે નહીં ?'' ૨૧૧ પરંતુ હે પ્રભાસ ! તારો આ સંશય અયુક્ત છે. કેમકે ખરા મર્યાં વા યગ્નિહોત્રમ્ એ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી. તે પદોમાં વા શબ્દ પિ પણના અર્થમાં છે. તે Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ આગમ કથાનુયોગ-૨ પદોનો અર્થ છે – જીવનપર્યત પણ અગ્નિહોત્ર હોમ કરવો અર્થાત્ સ્વર્ગના અર્થીએ આખી જીંદગી સુધી પણ અગ્નિહોત્ર કરવો અને જે કોઈ મોક્ષનો અર્થી હોય તેણે અગ્નિહોત્ર હોમ છોડીને મોક્ષસાધક ક્રિયા પણ કરવી. આ પ્રમાણે તે મોક્ષસાધક ક્રિયાનો કાળ પણ કહ્યો જ છે. માટે મોક્ષ છે. તથા સંસારનો અભાવ એ મોક્ષ છે. સંસાર એટલે તિર્યંચ, નારક, દેવ, મનુષ્ય રૂપ ચાર ગતિ. આત્મા આ ગતિથી જુદુ તત્ત્વ છે. જો સંસારનો અભાવ ગણો તો આત્માનો પણ અભાવ થઈ જાય. કેમકે આત્મા જ તે ચાર ગતિમાં ભ્રમણ કરે છે. સંસારથી નિવૃત્ત થાય ત્યારે આત્માનો મોક્ષ થાય છે અર્થાત્ શુદ્ધ જ્ઞાન દર્શન અને ચારિત્ર વડે કર્મનો ક્ષય થવાથી અને આત્મા થકી સમગ્ર કર્મોનો ક્ષય થાય તે જ મોક્ષ છે. પ્રાણીઓને જેમ કર્મનો બંધ થાય છે. તેમ કર્મથી નિવૃત્તિ પણ થાય છે. જો કર્મનો બંધ ન થાય તો શુભકર્મ થકી સ્વર્ગ પણ પ્રાપ્ત ન થાય. જેમ બંધ થાય તેમ કર્મથી મોક્ષ પણ થાય જ તે યુક્તિ સંગત છે. ૦ સંશય નષ્ટ થતા પ્રભાસની દીક્ષા : જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા જિનેશ્વર ભગવંત મહાવીરના વચનોથી પ્રભાસનો સંશય દૂર થયો. તેને પ્રતીતિ થઈ કે “મોક્ષ છે” તેથી તેણે પોતાના ૩૦૦ શિષ્યો સહિત દીક્ષા અંગીકાર કરી. તેઓ ભગવંત મહાવીરના શિષ્ય અને અગિયારમાં ગણધર થયા. ત્યાં પછી ભગવંત પાસેથી ઉપૂ ડું વ, વિકારે ૩ વા, ઘુવે ટુ વા એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કરીને તેમણે દ્વાદશાંગી ગણીપિટકની રચના કરી – યાવત્ – ભગવંતે પ્રભાસ ગણધરના મસ્તક પર દિવ્ય વાસચૂર્ણનો લેપ કર્યો ઇત્યાદિ સર્વ કથન અગ્નિભૂતિ ગણધર પ્રમાણે જાણવું. ૦ પ્રભાસને કેવળજ્ઞાન અને નિર્વાણ : પ્રભાસ ૧૬ વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા. ત્યાર પછી તેમણે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. આઠ વર્ષ તેમનો છદ્મસ્થપર્યાય રહ્યો ત્યાર પછી ચોવીસમે વર્ષે તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ૧૬ વર્ષ તેઓનો કેવલી પર્યાય રહ્યો અને ૪૦ વર્ષનું પૂર્ણાયુ ભોગવ્યું. છેલ્લે રાજગૃહીમાં તેમણે એક માસનું અનશન કર્યું. ગણધર પ્રભાસ અને ગણધર મેતાર્યની સમાન વાચના હોવાથી તેઓ બંનેનો ગણ એક જ હતો. તેઓ દ્વાદશાંગી–ચૌદપૂર્વના ધારક હતા. સર્વલબ્ધિસંપન્ન હતા. વજઋષભનારાસંઘયણથી યુક્ત અને સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હતા. તેમનું નિર્વાણ ભગવંત મહાવીરની હયાતીમાં થયેલું. નિર્વાણ પૂર્વે ગણનો ત્યાગ કર્યો હોવાથી તેઓ શિષ્ય સંતતિ રહિત નિર્વાણ પામ્યા. ૦ આગમ સંદર્ભ :સમ. ૧૯; આવ.નિ. ૧૯૨, ૫૯૪ થી ૫૯૬, ૬૩૮ થી ૬૪૧, ૬૪૫ થી ૬૪૯, ૬૫૧ થી ૬૫૪, ૬૫૬ થી ૬૫૯; નંદી. ૨૧; કલ્પ સ્થ. ૮/ર થી ૪; કલ્પ–૧ર૧ની વ. – – – મુનિ દીપરત્નસાગર સંકલિત–અનુવાદિત ગણધરકથા પૂર્ણ Page #214 -------------------------------------------------------------------------- ________________ ગણધર સંખ્યા ૨૧૩ ૦ ચોવીસ જિનના ગણધરોની સંખ્યા ૦ ક્રમ | ભગવંત આવશ્યક | તિથૈજ્ઞાલિત | સમવાય નિર્યુક્તિ પ્રવચન સારોદ્ધાર ૯૫ - જે ન » નું છે કે $ $ ૯૫ ૯૫ ૮૧ ૭૬ દ૬ ૫૭ 2.8875488 €3$%98:SWYE YUS ૫૬ ૫૭ | | | | { S S S છે દ ક કે 8 8 8 | | | | | ઇ ર ૫૦ | ભઋષભ ८४ ८४ ભ-અજિત ૯૫ ભસંભવ ૧૦૨ ૯૫ ૧૦૨ ભઅભિનંદન ૧૧૬ ૧૦૩ ૧૧૬ ભસુમતિ ૧૦૦ ૧૧૬ ૧૦૦ ભ૦પદ્મપ્રભ ૧૦૭ ૧૦૧ ૧૦૭ ભસુપાર્શ્વ ૯૫ ભચંદ્રપ્રભા ૯ ૩ ૯૩ ૯૩. ભસુવિધિ ८८ ८४ ૮૮ ભશીતલ ૮૧ ८१ ભશ્રેયાંસ ૭૨ ૭૭ ભવાસુપૂજ્ય ૬૬ ૬૬/૬૨ ભવિમલ ભ અનંત ૫૦ ભ૦ધર્મ ૪૩ ભશાંતિ ૨૭ ૩૫ ભાર 3 ૩ 3 3 ભમલિ ૨૮ ૨૮ ભમુનિસુવ્રત ૧૮ ભ૦નમિ ભ-અરિષ્ટનેમિ ભ૦પાર્શ્વ ૧૦ ૨૪. | ભ મહાવીર ૧૪૪૮ | | ૧૪૩૪ ૧૪પર એ સિવાય કોઈક ભગવંતના ગણધરનો ઉલ્લેખ અન્ય આગમ ગ્રંથોમાં જોવા મળે છે. પણ સર્વ ગણધરોની સંખ્યા અન્યત્ર મળતી નથી. જેમકે નાયાધમ્મકહાઓમાં ભમલિના ૨૮ ગણધર કહ્યા છે. કલ્પસૂત્રમાં ભઅરિષ્ટનેમિના ૧૮ ગણધર કહ્યા છે. ઠાણાંગમાં ભગવંત પાર્શ્વના ૮ ગણધર કહ્યા છે ઇત્યાદિ–ઇત્યાદિ. ૫૦ 13 ન ભકુંથુ 3" ૩ ૩ ૨૮ છે ૧૧ ૧૧ ( કુલ — — — — — Page #215 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ ખંડ-૨-અધ્યયન-૨-નિહ્નવ કથા = ૦ નિહ્નવો, શ્રમણ ગણાતા નથી – તો પણ તેનો શ્રમણ વિભાગમાં સમાવેશ કેમ કર્યો ? — નિહ્નવોને શ્રમણ ગણ્યા નથી તે વાત સાચી જ છે. પણ તેને ગૃહસ્થ કે અન્યતીર્થિ પણ નથી ગણ્યા. અમે શ્રમણ વિભાગમાં આ અધ્યયનનો સમાવેશ કર્યો. કેમકે, તેઓ મૂળભૂત શ્રમણો હતા. તેમાંના ચારે તો નિહ્નવપણું છોડી ફરી શ્રમણપણું અંગીકાર કરેલ જ છે. ૦ નિહ્નવ :- સૂત્રોના યથાર્થને છુપાવે, નવા અર્થોને જાહેર કરે, મૂળભૂત સિદ્ધાંતોનો અપલાપ કરે તેને નિહ્નવ કહે છે. તે સિદ્ધાંતના સત્ય અર્થને ગોપવે છે અથવા તેનું ઉત્થાપન કરે છે, સત્યનો અપલાપ કરે છે અથવા છુપાવે છે. સ્વ પ્રપંચથી તીર્થંકર ભાષિતને ગોપવે છે. તે અતિ ક્લિષ્ટ કર્મોના ઉદયથી આગમ અભિહિત અર્થોને કુયુક્તિથી ઘટાવે છે અને નવા સિદ્ધાંતની સ્થાપના કરે છે. તે મિથ્યાવાદી હોય છે. તેને માટે પ્રવચન નિહવ શબ્દ વપરાય છે. પ્રવચન નિહ્વવ અર્થાત્ જે જિનાગમનો અપલાપ કરે કે તેના એકાદ અંશને અન્યથા પ્રરૂપે તે. તેઓ ચર્યા અને લિંગથી સામાન્ય સાધુ તુલ્ય હોય છે. પણ વિપરીત બોધવાળા હોવાથી મિથ્યાસૃષ્ટિ જ હોય છે. તેઓ સમ્યક્ત્વથી ભ્રષ્ટ હોય છે. તેને માર્ગથી સ્મુત થયેલા ગણવામાં આવે છે. ગચ્છ બહાર કરાય છે. આચાર્ય પણ તેનો સસંર્ગ કરતા નથી. ૨૧૪ ભગવંત મહાવીરના શાસનમાં સાત નિર્હાવો થયા તે આ પ્રમાણે :- ૧. જમાલિ, ૨. તિષ્યગુપ્ત, ૩. આષાઢ, ૪. અશ્વમિત્ર, ૫. ગંગ, ૬. રોહગુપ્ત, ૭. ગોષ્ઠામાહિલ. તેઓએ કાઢેલા નવા મત અનુક્રમે આ પ્રમાણે છે :- ૧. બહુરત, ૨. જીવપ્રદેશિક, ૩. અવ્યક્ત, ૪. સમુચ્છેદ, પ. દોકિરિય, ૬. ત્રિરાશિક, ૭. અબુદ્ધિક. આ ઉપરાંત શિવભૂતિને પણ નિહ્નવ જ ગણેલ છે. તેણે બોટિક મત કાઢેલો હતો. આગમ સંદર્ભ : ભગ. ૩૨; બૃહ.ભા. ૫૪૩૩ + ; આવ.ભા. ૧૨૫ થી ૧૪૮; પિંડ.નિ. ૧૭૮ થી ૧૮૦; ઉવ. ૫૧ની ; નિસી.ભા. ૫૫૯૬ થી ૫૬૨૪; આવ.નિ. ૭૭૮ થી ૭૮૮; દસા. ૬૧ + ચૂ આવ.ચૂ ૧-૫ ૪૧૫, ૪૧૯ થી ૪૪, ૪૨૭, ૫૮૬; ૨-પૃ. ૨૮; ઉત્તનિ ૧૬૫ થી ૧૭૮; ઉત્ત.નિ. ૧૭૮–ભા.૧, ૨; (૧) નિહવ જમાલિ કથા ઃ-૦- પરીચય : × X ભગવંત મહાવીરના શાસનમાં પહેલો નિહ્નવ જમાલી થયો. તેણે “બહુરત'' નામે મત કાઢેલો. તેણે શ્રાવસ્તી નગરીમાં નવા મતની સ્થાપના કરેલી. ભગવંત મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી ૧૪ વર્ષે જમાલી નિદ્ભવ થયો. તેણે મરણપર્યંત પોતાનો મત છોડ્યો ન હતો. મૂળભૂત તે સમ્યક્ દૃષ્ટિ હતો. તેઓ નિત્ય પ્રત્યાખ્યાન યુક્ત રહેતા હતા. નિર્હાવો સાધુ કે અન્યતીર્થિક કે ગૃહસ્થ ગણાતા નથી. પણ તેઓ નિર્પ્રન્થ રૂપ કે નિર્પ્રન્થવત્ Page #216 -------------------------------------------------------------------------- ________________ નિહ્નવ જમાલિ કથા - ગણાય છે. કેમકે સાધુ લિંગને ધારણ કરેલા હોય છે. ભિક્ષાટન આદિ ક્રિયા સાધુવત્ જ કરતા હોય છે. જમાલી નિહવ બીજા નિહવની તુલનાએ પરસ્પર બે દોષવાળા હતા. એક તો તે બહુરત મતવાળા હતા તે દોષ અને બીજું તે જીવપ્રદેશિક આદિ મતવાળા ન હતા. તેમનું આ મિથ્યાદૃષ્ટિપણું જન્મ, જરા, મરણ, ગર્ભવાસરૂપ સંસારનું મૂળ હતું૦ જમાલિ કથા ઃ ૨૧૫ -૦- ગૃહસ્થવાસ : બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરથી પશ્ચિમદિશામાં ક્ષત્રિયકુંડગ્રામ નામક નગર હતું. તે ક્ષત્રિયકુંડગ્રામ (કુંડપુર)નામક નગરમાં ભગવંત મહાવીરની બેન સુદર્શનાને જમાલિ નામનો પુત્ર હતો. તેના લગ્ન શ્રમણ ભગવંત મહાવીરની પુત્રી પ્રિયદર્શના સાથે થયેલા હતા. જમાલિ—પ્રિયદર્શના સાથે વિષયસુખ ભોગવતો પોતાના કાળ પસાર કરી રહ્યો હતો. તે જમાલિ ક્ષત્રિયકુમાર ઋદ્ધિમાન દીપ્ત યાવત્ અપરિભૂત હતો. જ્યાં મૃદંગ વાદ્યનો સ્પષ્ટ ધ્વનિ થઈ રહ્યો હતો, બત્રીશ પ્રકારના નાટકોના અભિનય અને નૃત્ય થઈ રહ્યા હતા, અનેક પ્રકારની સુંદર તરુણિઓ દ્વારા સંપ્રયુક્ત નૃત્ય અને ગુણગાન વારંવાર કરાઈ રહ્યા હતા, તેની પ્રશંસાથી ભવન ગુંજાયમાન થઈ રહ્યું હતું. ખુશીઓ મનાવાઈ રહી હતી. એવા પોતાના ઉંચા—શ્રેષ્ઠ પ્રાસાદ–ભવનમાં પ્રાવૃ, વર્ષા, શરદ, હેમંત, વસંત અને ગ્રીષ્મ એ છ ઋતુઓમાં પોતાના વૈભવ અનુસાર આનંદ મનાવતો, સમય વીતાવતો, મનુષ્ય સંબંધિ પાંચ પ્રકારના ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધવાળા કામભોગોનો અનુભવ કરતો રહેતો હતો. –૦– ભગવંત મહાવીરનું આગમન :– - કોઈ દિવસે ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર યાવત્ મહાપથ પર ઘણાં લોકોનો કોલાહલ થઈ રહ્યો હતો. (ઇત્યાદિ વર્ણન ઉવવાઈસૂત્ર અનુસાર જાણવું) – યાવત્ - ઘણાં લોકો પરસ્પર એકબીજાને કહી રહ્યા હતા – હે દેવાનુપ્રિયો ! આદિકર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ ભગવંત મહાવીર આ બ્રાહ્મકુંડ નામના નગરની બહાર બહુશાલ નામના ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને યાવત્ – વિચરી રહ્યા છે. તેથી હે દેવાનુપ્રિયો ! તથારૂપ અરિહંત ભગવંતના નામ ગોત્રના શ્રવણ માત્રથી મહાન્ ફળ પ્રાપ્ત થાય છે. (ઇત્યાદિ વર્ણન ઉવવાઈ સૂત્રાનુસાર જાણવું) – યાવત્ – તે જનસમૂહ ત્રણ પ્રકારની પર્વપાસના કરી રહ્યો છે. તે વખતે ઘણાં મનુષ્યોના શબ્દ અને તેઓનું પરસ્પર મિલન સાંભળીને અને જોઈને તે ક્ષત્રિયકુમાર જમાલિના મનમાં એવો વિચાર – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, શું આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં ઇન્દ્ર મહોત્સવ છે ? અથવા સ્કંદ ઉત્સવ છે ? અથવા મુકુંદ મહોત્સવ છે ? કે પછી નાગનો—યક્ષનો અથવા ભૂત મહોત્સવ છે ? શું કોઈ કુવો, સરોવર, નદી કે દ્રહનો ઉત્સવ છે ? અથવા શું કોઈ પર્વત, વૃક્ષ, ચૈત્ય કે સ્તૂપનો ઉત્સવ છે ? જે નિમિત્તે આ ઘણાં બધા ઉગ્ર, ભોગ, રાજન્ય, ઇક્ષ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય, ક્ષત્રિયપુત્ર, ભટ, ભટપુત્ર, સેનાપતિ, સેનાપતિપુત્ર, પ્રશાસ્તા, પ્રશાસ્તા પુત્ર, લિચ્છવી, લિચ્છવી પુત્ર, બ્રાહ્મણ, બ્રાહ્મણ પુત્ર, ઇભ્ય ઇત્યાદિ – યાવત્ – સાર્થવાહ પ્રમુખ, સ્નાન આદિ કરીને – યાવત્ – બહાર નીકળી રહ્યા છે ? આ પ્રમાણે વિચારીને તેણે કંચુકી પુરુષને બોલાવ્યા અને તેને પૂછયું, હે દેવાનુપ્રિયો ! શું આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં ઇન્દ્ર આદિ કોઈ ઉત્સવ F - - Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આગમ કથાનુયોગ-૨ છે ? જેના નિમિત્તે – યાવત્ – આ બધાં લોકો બહાર જઈ રહ્યા છે? ત્યારે જમાલિ ક્ષત્રિયકુમારે આ પ્રમાણે કહ્યું તે સાંભળીને તે કંચુકી પુરુષ અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થયા. તેઓએ શ્રમણ ભગવંત મહાવીરનું આગમન જાણીને તેમજ નિશ્ચિત કરીને, બે હાથ જોડી જય-વિજય ધ્વનિથી જમાલિ ક્ષત્રિયકુમારને વધાઈ આપી. તેઓએ કહ્યું, હે દેવાનુપ્રિય ! આજે ક્ષત્રિયકુંડગ્રામ નગર બહાર ઇન્દ્ર આદિ ઉત્સવ નથી. પરંતુ હે દેવાનુપ્રિય ! આદિકર યાવત્ સર્વજ્ઞ સર્વદર્શી શ્રમણ ભગવંત મહાવીર, બ્રાહ્મણકુડંગ્રામનગરની બહાર બહુશાલ નામના ઉદ્યાનમાં અવગ્રહ ગ્રહણ કરીને – યાવત્ – વિચરી રહ્યા છે. તે નિમિત્તથી આ ઉગ્રકુલ, ભોગકુલ આદિના પુરુષો તથા અન્ય પણ ઘણાં લોકો વંદનને માટે – યાવત્ – જઈ રહ્યા છે. ત્યારે કંચકી પુરષ પાસેથી આ વાત સાંભળી, હૃદયમાં ધારણ કરી જમાલિ ક્ષત્રિયકુમાર હર્ષિત અને સંતુષ્ટ થયા. તેમણે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી ચાર ઘંટાવાળા અશ્વરથને જોડીને અહીં ઉપસ્થિત કરો અને મારી આ આજ્ઞાનું પાલન કરીને સૂચના આપો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ જમાલિ ક્ષત્રિયકુમારની તે આજ્ઞાને સાંભળીને તે મુજબ કાર્ય કરી, નિવેદન કર્યું. –૦- ભગવંતના વંશનાર્થે જમાલિની જવું : ત્યાર પછી તે જમાલિ ક્ષત્રિયકુમાર જ્યાં ખાનગૃહ હતું, ત્યાં આવ્યો. તેણે સ્નાન કર્યું તથા અન્ય દિનચર્યા કરી – યાવત્ – શરીર પર ચંદનનો લેપ કર્યો. સમસ્ત આભુષણોથી વિભૂષિત થયા અને સ્નાનગૃહથી નીકળ્યા. ઇત્યાદિ સમગ્ર વર્ણન (કોણિક કથા અનુસાર) જાણવું. પછી જ્યાં બહારની ઉપસ્થાનશાળા હતી અને જ્યાં સુસજ્જિત ચાર ઘંટાવાળો અશ્વરથ હતો, ત્યાં તે આવ્યો. તે અશ્વરથ પર આરૂઢ થયો. કોરંટ પુષ્પની માળાથી યુક્ત છત્રને મસ્તક પર ધારણ કર્યું. મોટા-મોટા સુભટો, દાસો, પથપ્રદર્શકો આદિના સમૂહથી પરિવૃત્ત થયો. પછી તે ક્ષત્રિયકુમાર જમાલિ ક્ષત્રિયકુંડ ગ્રામનગરના મધ્ય ભાગમાંથી નીકળ્યો. બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરની બહાર જ્યાં બહુશાલ ઉદ્યાન હતું, ત્યાં આવ્યો. ત્યાં ઘોડાને રોકીને રથને ઊભો રાખ્યો. રથમાંથી નીચે ઉતર્યો. પછી તેણે પુષ્પ, તાંબુલ, આયુધ આદિ તથા ઉપાનનો ત્યાગ કર્યો. એકપડવાળા વસ્ત્રનું ઉત્તરાસંગ કર્યું. તદન્તત્તર આચમન કર્યું, અશુદ્ધિ દૂર કરીને અત્યંત શુદ્ધ થયો. મસ્તકે બંને હાથ જોડીને જમાલિ શ્રમણ ભગવંત મહાવીર પાસે પહોંચ્યો. શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી – યાવત્ – ત્રિવિધ પર્યાપાસના કરી. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીરે તે ક્ષત્રિયકુમાર જમાલિ તથા વિશાળ ઋષિગણ આદિ પર્ષદાને ધર્મોપદેશ આપ્યો. પર્ષદા પાછી ગઈ. શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી અને તેને હૃદયંગમ કરીને હર્ષિત અને સંતુષ્ટ થયેલ ક્ષત્રિયકુમાર જમાલિ – પાવત્ – ઊભો થયો. ઊભા થઈને તેણે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા આપી. – યાવત્ – વંદન-નમસ્કાર કરીને કહ્યું, હે ભગવન્! હું નિર્ગસ્થ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર પ્રતીતિ કરું છું. ભગવન્! નિર્ગસ્થ પ્રવચનમાં મારી રુચિ છે. ભગવન્! હું Page #218 -------------------------------------------------------------------------- ________________ નિદ્ભવ – જમાલિ કથા ૨૧૭ નિર્ચન્જ પ્રવચન અનુસાર વર્તવાને માટે અમ્યુદ્યત થયો છું. ભગવન્! આ નિર્ગસ્થ પ્રવચન તથ્ય છે, સત્ય છે, અસંદિગ્ધ છે – યાવત્ – જે પ્રમાણે આપ કહો છો તે યથાવત્ છે. પરંતુ હે દેવાનુપ્રિય ! હું મારા માતા-પિતાને પૂછીને અને તેમની અનુજ્ઞા લઈને આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈને અગારધર્મ છોડીને અનગારધર્મથી પ્રવજિત થવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો.” જ્યારે શ્રમણ ભગવંત મહાવીરે જમાલિ ક્ષત્રિયકુમારને આ પ્રમાણે કહ્યું, ત્યારે તે હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આ–દક્ષિણ પ્રદક્ષિણા કરીને – યાવત્ – નમસ્કાર કર્યા. પછી તે ચાતુર્ધટ અશ્વરથ પર આરૂઢ થયો, આરૂઢ થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી બહુશાલ નામના ઉદ્યાનથી નીકળ્યો -- યાવત્ – મસ્તક પર કોરટપુષ્પની માળાથી યુક્ત છત્રને ધારણ કર્યું, મહાન્ સુભટો ઇત્યાદિના સમૂહથી પરિવૃત્ત થઈને જ્યાં ક્ષત્રિયકુંડગ્રામ નામનું નગર હતું. ત્યાં આવ્યો. ત્યાંથી તે ક્ષત્રિયકુંડગ્રામ નગરની વચ્ચોવચ્ચ થઈને જ્યાં પોતાનું ભવન હતું, જ્યાં બહારની ઉપસ્થાનશાળા હતી ત્યાં આવ્યો. ત્યાં પહોંચીને પોતાના અશ્વોને રોક્યા, રથને ઊભો રાખ્યો. પછી તે રથમાંથી નીચે ઉતર્યો અને આંતરિક ઉપસ્થાનશાળામાં જ્યાં પોતાના માતા–પિતા હતા, ત્યાં આવ્યો. આવીને માતા–પિતાને જય—વિજય શબ્દોથી વધાવ્યા. પછી માતા–પિતાને કહ્યું કે, મેં શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મને ઇષ્ટ, અત્યંત ઇષ્ટ અને રૂચિકર પ્રતીત થયો છે, –૦- દીક્ષા માટે જમાલિ દ્વારા માતપિતાની અનુમતિ માટે સંવાદ : આ સાંભળીને માતા-પિતાએ ક્ષત્રિયકુમાર જમાલિને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર! તું ધન્ય છે પુત્ર ! તું કૃતાર્થ થયો છે પુત્ર ! તું કૃતપુણ્ય છે. પુત્ર ! તું કૃતલક્ષણ છે કે, તે શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કર્યું અને તે ધર્મ તને ઇષ્ટ, વિશેષ પ્રકારે અભિષ્ટ અને રુચિકર લાગ્યો છે. તદન્તત્તર ક્ષત્રિયકુમાર જમાલિએ બીજી વખત પણ પોતાના માતા-પિતાને કહ્યું કે, મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે ખરેખર ધર્મ સાંભળ્યો, જે મને ઇષ્ટ, અભિષ્ટ અને રૂચિકર લાગ્યો. તેથી હે માતાપિતા ! હું સંસારથી ઉદ્વિગ્ન થઈ ગયો છું, જન્મ મરણથી ભયભીત થયો છું. તેથી હવે મારી ઇચ્છા છે કે, હું આપ બંનેની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અનગાર ધર્મમાં પ્રવજિત થાઉં. * ક્ષત્રિયકુમાર જમાલિની માતા તેનાં તે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, મનને અપ્રિય અને અશ્રુતપૂર્વ વચન સાંભળીને અને અવધારણ કરીને રોમેરોમથી વહેતા એવા પસીનાથી તેનું શરીર ભિંજાઈ ગયું. શોકના ભારથી તેનું અંગ અંગ કંપવા લાગ્યું. તેણી નિસ્તેજ થઈ ગઈ. તેણીનું મુખ દીન અને ઉન્મના થઈ ગયું. હથેળી વડે મળેલી કમલમાલાની સદશ શરીર તત્કાળ મુરઝાઈ ગયું અને દુર્બળ થઈ ગયું. તે લાવણ્યશૂન્ય, કાંતિરહિત અને શોભાહીન થઈ ગઈ. આભૂષણો ઢીલા પડી ગયા હાથોની શ્વેત ચૂડીઓ નીચે પડીને ચૂર ચૂર થઈ ગઈ. ઉત્તરીય વસ્ત્ર શરીર પરથી ખસી ગયું. મૂછવશ તેની ચેતના નષ્ટ થઈ ગઈ. શરીર ભારે ભારે થઈ ગયું. સુકોમળ કેશરાશિ વિખરાઈ ગઈ. તેણી Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ .. આગમ કથાનુયોગ-૨ કુહાડી વડે કાપેલી ચંપકલતાની માફક અને મહોત્સવ સમાપ્ત થયા પછીના ઇન્દ્રધ્વજની માફક શોભાવિહીન થઈ ગઈ. તેના સંધિબંધન શિથિલ થઈ ગયા અને તેણી ધડામ કરતી સર્વ શરીર સાથે ફર્શ પર પડી ગઈ. ત્યાર બાદ ક્ષત્રિયકુમાર જમાલિની વ્યાકુળતાપૂર્વક અહીં-તહીં પડતી માતાના શરીર પર શીઘ દાસિઓએ સ્વર્ણકળશોના મુખથી નીકળતી શીતળ અને નિર્મળ જળધારાનું સિંચન કરીને તેણીના શરીરને સ્વસ્થ કર્યું. પછી પંખા અને તાડપત્રોથી જલકણો સહિત હવા નાંખી. ત્યાર પછી અંતઃપુરના પરિજનોએ તેણીને આશ્વસ્ત કરી. રડતી, ઇંદન કરતી, શોક કરતી અને વિલાપ કરતી એવી માતા ક્ષત્રિયકુમાર જમાલિને કહેવા લાગી, હે પુત્ર! તું અમારે એકમાત્ર પુત્ર છે, તું અમને ઇષ્ટ છે, કાંત છે, પ્રિય છે, મનોજ્ઞ છે, મનને સુખકર છે, આધારભૂત છે, વિશ્વાસપાત્ર છે, તું સંમત-અનુમત અને બહુમત છે. તું આભૂષણોની પેટી સમાન છે, રત્નસ્વરૂપ છે, રત્નતુલ્ય છે, જીવન કે જીવિતોત્સવ સમાન છે, હૃદયને આનંદ દેનારો છે, ઉદુમ્બરના ફૂલ સમાન તારું નામ શ્રવણ પણ દુર્લભ છે તો તારું દર્શન દુર્લભ હોય તેમાં શું કહેવાપણું છે ? તેથી હે પુત્ર ! અમે તારો વિયોગ ક્ષણમાત્ર પણ ઇચ્છતા નથી. તેથી જ્યાં સુધી અમે જીવતા રહીએ, ત્યાં સુધી તું ઘરમાં જ રહે. ત્યાર પછી જ્યારે અમારું મૃત્યુ થાય, તારી ઉમર પરિપક્વ થઈ જાય, કુળવંશની વૃદ્ધિનું કાર્ય થઈ જાય ત્યારે નિરપેક્ષ થઈને તું ગૃહવાસનો ત્યાગ કરીને, મુંડિત થઈને અનગાર ધર્મથી પ્રવજિત થજે. ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિએ પોતાના માતાપિતાને કહ્યું, હમણાં જે તમે કહ્યું, હે પુત્ર ! તું અમારો એકમાત્ર પુત્ર છે, ઇષ્ટ, કાંત આદિ છે – યાવત્ - અમારા મૃત્યુ બાદ પ્રવ્રજિત થજે ઇત્યાદિ. તો હે માતપિતા ! આ મનુષ્ય જીવન જન્મ, જરા, મૃત્યુ, રોગ તથા શારીરિક અને માનસિક અનેક દુઃખોની વેદનાથી અને સેંકડો કષ્ટો અને ઉપદ્રવો વડે ગ્રસ્ત છે, અધ્રુવ છે, અનિયત છે, અશાશ્વત છે, સંધ્યાકાલીન વાદળોના રંગ સમાન ક્ષણિક છે. પાણીના પરપોટા સમાન છે. ઘાસના તણખલાની અણી ઉપર રહેલા જળબિંદુ સમાન છે. સ્વપ્નદર્શન તુલ્ય છે. વિદ્યુતુલતાની ચમક સમાન ચંચળ અને અનિત્ય છે. સડવા, ગળવા, પડવા અને વિધ્વંસ થવાના સ્વભાવવાળું છે. પહેલા કે પછી તેને અવશ્ય છોડવું પડશે. તેથી હે માતાપિતા ! એ કોણ જાણે છે કે આપણામાં કોણ પહેલાં જશે કે પછી કોણ જશે? તેથી હું ઇચ્છું છું કે, આપની અનુજ્ઞા પ્રાપ્ત થાય તો હું શ્રમણ ભગવંત મહાવીર પાસે ખંડિત થઈને – યાવત્ – પ્રવ્રજ્યા અંગીકાર કરું. આ વાત સાંભળીને ક્ષત્રિયકુમાર જમાલિને તેના માતાપિતાએ કહ્યું કે, હે પુત્ર ! તારું આ શરીર – વિશિષ્ટ , લક્ષણો, વ્યંજનો અને ગુણોથી યુક્ત છે. ઉત્તમ બળ, વીર્ય અને સત્ત્વથી સંપન્ન છે. વિજ્ઞાનમાં વિચક્ષણ છે, સૌભાગ્ય ગુણથી ઉન્નત છે, કુલીન છે, મહાનું સમર્થ છે. વિવિધ વ્યાધિઓ અને રોગોથી રહિત છે, નિરુપદ્ધત, ઉદાત્ત, મનોહર અને પાંચ ઇન્દ્રિયોની પટુતા વડે યુક્ત છે તથા પ્રથમ યૌવન અવસ્થામાં છે ઇત્યાદિ અનેક ગુણોથી યુક્ત છે. હે પુત્ર! જ્યાં સુધી તારું શરીર રૂપ-સૌભાગ્ય અને યૌવન આદિ ઉત્તમ ગુણયુક્ત છે. ત્યાં સુધી હું તેનો અનુભવ કર–ભોગવ. પછી અમારું મૃત્યુ થાય ત્યારે અને Page #220 -------------------------------------------------------------------------- ________________ નિલવ – જમાલિ કથા ૨૧૯ તારી ઉમર પણ પરિપક્વ થઈ જાય તેમજ કુળવંશની વૃદ્ધિનું કાર્ય થઈ જાય ત્યારે નિરપેક્ષ થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને અગારવાસ છોડીને અનગારધર્મમાં પ્રવજિત થજે. ત્યારે ક્ષત્રિકુમાર જમાલિએ માતા–પિતાને કહ્યું, હે માતાપિતા ! તમે મને જે કહ્યું કે, પુત્ર ! તારું આ શરીર ઉત્તમ રૂ૫ આદિ ગુણો વડે યુક્ત છે ઇત્યાદિ – યાવત્ – અમારું મૃત્યુ થાય પછી તું પ્રવ્રજિત થજે. પરંતુ આ માનવશરીર દુઃખોનું ઘર છે. અનેક પ્રકારની સેંકડો વ્યાધિઓનું નિવાસસ્થાન છે, અસ્થિરૂપ કાષ્ઠ ઉપર ઉભેલું છે. નાડિયો અને સ્નાયુઓના જાળથી વેષ્ટિત છે. માટીના વાસણ સમાન દુર્બળ છે. અશુચિ વડે સંક્લિષ્ટ છે. તેને ટકાવી રાખવા માટે સદૈવ તેની સંભાળ રાખવી પડે છે. તે સડેલા મૃતક અને જીર્ણ ઘર જેવું છે. સડવું, પડવું, નાશ પામવું તેનો સ્વભાવ છે. આ શરીરને પહેલા કે પછી અવશ્ય છોડવું પડશે. ત્યારે કોને ખબર છે કે, પહેલા કોણ જશે અને પછી કોણ જશે ? ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ – યાવત્ – તેથી હું ઇચ્છું છું કે, તમારી આજ્ઞા પ્રાપ્ત કરીને હું પ્રવજ્યા ગ્રહણ કરું. ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિના માતાપિતાએ કહ્યું, હે પુત્ર ! આ તારી ગુણવલ્લભા, ઉત્તમ, તારામાં નિત્ય ભાવાનુરક્ત, સર્વાગ સુંદર આઠ પત્નીઓ છે. જે વિશાળ કુળમાં ઉત્પન્ન નવ યૌવનાઓ છે. કળાકુશળ છે. સદૈવ લાલિત અને સુખ ભોગને યોગ્ય છે. તેણીઓ માર્દવગુણથી યુક્ત, નિપુણ, વિનયવ્યવહારમાં કુશળ અને વિચક્ષણ છે. મંજુલ– પરિમિત અને મધુર ભાષિણી છે. હાસ્ય, વિપ્રેક્ષિત, ગતિ, વિલાસ અને ચેષ્ટાઓમાં વિશારદ છે. નિર્દોષ કુળ અને શીલ વડે સુશોભિત છે. વિશુદ્ધ કુળરૂપ વંશતંતુની વૃદ્ધિ કરવામાં સમર્થ અને પૂર્ણ યૌવનવાળી છે. મનોનુકૂલ અને હૃદયને ઇષ્ટ છે. તેથી હે પુત્ર ! તું તેણીની સાથે મનુષ્યસંબંધિ વિપુલ કામભોગનો ઉપભોગ કર અને પછી જ્યારે તું ભક્તભોગી થઈ જાય, વિષયવિકારોમાં તારી ઉત્સુકતા સમાપ્ત થઈ જાય, ત્યારે અમારા મૃત્યુ બાદ – યાવત્ – તું પ્રવ્રુજિત થજે. માતાપિતાના પૂર્વોક્ત કથનના ઉત્તરમાં જમાલિ ક્ષત્રિયકુમારે પોતાના માતાપિતાને કહ્યું, ભલે તમે જે આ કહ્યું કે, વિશાળકુળમાં ઉત્પન્ન તારી આ આઠ પત્નીઓ છે – યાવત્ – મુક્ત ભોગી થઈને તથા તમારા મૃત્યુ બાદ દીક્ષા લેજે, પરંતુ તે માતાપિતા ! એ નક્કી છે કે, આ મનુષ્ય સંબંધિ કામભોગો, મળ, મૂત્ર શ્લેષ્મ, સિંઘાણ, વમન, પિત્ત, પૂતિ, શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થાય છે. આ અમનોજ્ઞ અને અસુંદર મૂત્ર તથા દુર્ગધયુક્ત વિષ્ઠાથી પરિપૂર્ણ છે. મૃત ક્લેવર સમાન ગંધવાળા, ઉચ્છવાસ અને અશુભ નિઃશ્વાસથી યુક્ત હોવાથી ઉઠેગ ઉત્પન્ન કરનારા છે, બીભત્સ છે, અલ્પકાલ સ્થાયી છે, તુચ્છ સ્વભાવવાળા છે, કલમલના સ્થાનરૂપ હોવાથી દુઃખરૂપ છે અને અનેક જનસમુદાયને માટે ભોગ્યરૂપથી સાધારણ છે. અત્યંત માનસિક કલેશ અને ગાઢ શારીરિક કષ્ટ વડે સાધ્ય છે. અજ્ઞાની લોકો દ્વારા સેવિત છે. સાધુ પરષો દ્વારા સંદેવ નિંદનીય છે. અનંત સંસારની વૃદ્ધિ કરનારા છે. પરિણામથી કટુ ફળવાળા છે. બળતા એવા ઘાસના પૂળાની આગ સમાન કઠિનતાથી છૂટનારા છે તથા દુઃખાનુબંધી છે. સિદ્ધિગમનમાં વિનરૂપ છે. તેથી હે માતાપિતા ! આ કોણ જાણે છે કે, આપણામાં કોણ પહેલા જશે અને કોણ પછી જશે? તેથી હું આપની Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ આગમ કથાનુયોગ-૨ આજ્ઞા પ્રાપ્ત કરીને પ્રવજિત થવા ઇચ્છું છું. ત્યાર પછી ક્ષત્રિયકુમાર જમાલિને તેના માતાપિતાએ કહ્યું, હે પુત્ર ! તારા દાદા, પરદાદા અને પિતાના પરદાદાથી પ્રાપ્ત આ ઘણું બધું હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, ઉત્તમ વસ્ત્ર, વિપુલ ધન, કનક ચાવતું સારભૂત દ્રવ્ય વિદ્યમાન છે. આ દ્રવ્ય એટલું છે કે, સાત પેઢી સુધી પ્રચુર દાન દેવામાં આવે, પુષ્કળ ભોગવવામાં આવે અને ઘણું બધું વહેંચી દેવામાં આવે તો પણ પર્યાપ્ત છે. તેથી હે પુત્ર ! મનુષ્યસંબંધિ આ વિપુલ ઝરદ્ધિ અને સત્કાર સમુદયનો અનુભવ કર. પછી આ કલ્યાણનો અનુભવ કરીને અને કુળવંશ તંતુની વૃદ્ધિ કરીને પછી – યાવત્ – તું પ્રવ્રજિત થશે. ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિએ પોતાના માતાપિતાને કહ્યું, મારા દાદા, પરદાદા આદિથી પ્રાપ્ત દ્રવ્યના દાન–ભોગ આદિ પછી – યાવત્ પ્રવજ્યા ગ્રહણ કરવી, પરંતુ હે માતા–પિતા! આ હિરણ્ય, સુવર્ણ – યાવત્ – સારભૂત દ્રવ્ય અગ્નિસાધારણ, ચોર સાધારણ, રાજ સાધારણ અને મૃત્યુ સાધારણ તથા દાવાદ સાધારણ છે. તેમજ તે અગ્નિ સામાન્ય યાવત્ દાવાદ સામાન્ય છે. તે અધ્રુવ છે, અનિત્ય છે અને અશાશ્વત છે. તેને પહેલા કે પછી એક દિવસ અવશ્ય છોડવું પડશે. વળી કોણ જાણે છે કે, પહેલા કોણ જશે અને પછી કોણ જશે ? ઇત્યાદિ પૂર્વવત્ – યાવત્ – તમારી આજ્ઞા પ્રાપ્ત કરીને મારે પ્રવૃજિત થવાની ઇચ્છા છે. જ્યારે ક્ષત્રિયકુમાર જમાલિને તેના માતાપિતા વિષયને અનુકૂળ ઘણી બધી યુક્તિઓ, પ્રજ્ઞપ્તિઓ, સંજ્ઞપ્તિઓ અને વિજ્ઞતિઓ દ્વારા કહેવા, બતાવવા, સમજાવવા આદિમાં સમર્થ ન થયા ત્યારે વિષયની પ્રતિકૂળ અને સંયમ પ્રત્યેના ભય અને ઉદ્વેગ ઉત્પન્ન કરનારી ઉક્તિઓ વડે સમજાવતા કહ્યું, હે પુત્ર ! આ નિગ્રંથ પ્રવચન સત્ય, અનુત્તર યાવતુ સર્વદુઃખોનો અંત કરનાર છે. તેમાં તત્પર જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે, નિર્વાણ પ્રાપ્ત કરે છે અને સમસ્ત દુ:ખોનો અંત કરે છે. પરંતુ આ નિગ્રંથ ધર્મ સર્પની જેમ એકાંતદૃષ્ટિ વાળો છે, છરો કે ખગ આદિ તીણ શાસ્ત્રની માફક એકાંત ધારવાળો છે. તે લોઢાના ચણા ચાવવા જેવો દુષ્કર છે, રેતીના કણની માફક સ્વાદરહિત છે. ગંગા આદિ મહાનદીના પ્રતિસ્ત્રોત ગમનની સમાન અથવા ભુજા વડે મહાસમુદ્ર તરવા સમાન પાલન કરવામાં ઘણો કઠિન છે. તીક્ષ્ણ ધાર પર ચાલવા સમાન છે. મહાશિલાને ઉપાડવા સમાન ગુરુતર ભાર ઉપાડવા જેવો છે તલવારની ધાર પર ચાલવા સમાન વ્રતનું આચરણ છે. હે પુત્ર ! નિગ્રંથ શ્રમણોને માટે આ વાતો કલ્પનીય નથી. જેમકે, આધાકર્મિક, ઔદેશિક, મિશ્રજાત, અધ્યવપૂરક, પૂતિક, ક્રીત, પ્રામિત્ય, અછેદ્ય, અનિસૃષ્ટ, અભ્યાહત, કાંતારભક્ત, દુર્ભિક્ષ ભક્ત, ગ્લાન ભક્ત, વર્કલિકાભક્ત, પ્રાથૂર્ણકભક્ત, શય્યાતરપિંડ અને રાજપિંડ. એ જ પ્રમાણે મૂળ, કંદ, ફળ, બીજ અને હરિત ભોજન કરવાનું કે પીવાનું પણ તેઓને અકલ્પનીય છે. હે પુત્ર! તું સુખમાં ઉછરેલો છે, સુખ ભોગવવા યોગ્ય છે. દુઃખ સહન કરવા યોગ્ય નથી. તું શીત, ઉષ્ણ, ભુખ, તરસને તથા ચોર, વ્યાલ, ડાંસ, મચ્છરોના ઉપદ્રવને અને વાત, પિત્ત, કફ તથા સન્નિપાત સંબંધિ અનેક રોગોના આતંકને અને ઉદયમાં આવેલા પરીષહો તથા ઉપસર્ગોને સહન કરવામાં સમર્થ નથી. હે પુત્ર ! અમે તો ક્ષણમાત્ર પણ તારો વિયોગ સહન કરવામાં સમર્થ નથી. તેથી તે પુત્ર ! જ્યાં સુધી Page #222 -------------------------------------------------------------------------- ________________ નિલવ – જમાલિ કથા ૨૨૧ અમે જીવતા છીએ, ત્યાં સુધી તું ગૃહસ્થવાસમાં રહે, ત્યાર બાદ અર્થાત્ અમારા મૃત્યુ પછી – યાવત્ - પ્રવજ્યા ગ્રહણ કરજે. ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિએ માતા–પિતાને પ્રત્યુત્તર આપતા આ પ્રમાણે કહ્યું, હે માતાપિતા ! તમે મને જે આ કહો છો કે, આ નિર્ગસ્થ પ્રવચન સત્ય છે, અનુત્તર છે, અદ્વિતીય છે – યાવત્ – હું સમર્થ નથી ઇત્યાદિ – યાવત્ – પછી પ્રવ્રજિત થજે. પરંતુ હે માતા–પિતા! એ નિશ્ચિત છે કે, નામર્દો, કાયરો, કાપુરષો તથા આ લોકમાં આસક્ત અને પરલોકથી પરાફ઼મુખ અને વિષયભોગોની તૃષ્ણાવાળા પુરુષોને માટે તથા સાધારણજન માટે આ નિર્ચન્જ પ્રવચનનું આચરણ અતિ દુષ્કર છે, પરંતુ ધીર, કૃતનિશ્ચય અને ઉપાયમાં પ્રવૃત્ત પુરુષો માટે તેનું આચરણ જરા પણ દુષ્કર નથી. તેથી મારી ઇચ્છા છે કે, આપ જો મને આજ્ઞા આપો તો હું શ્રમણ ભગવંત મહાવીરની પાસે દીક્ષા લઉં. જ્યારે ક્ષત્રિયકુમાર જમાલિના માતા-પિતા વિષયને અનુકૂળ અને પ્રતિકૂળ ઘણી બધી ઉક્તિઓ, પ્રજ્ઞતિઓ, સંજ્ઞપ્તિઓ અને વિજ્ઞતિઓ દ્વારા તેને સમજાવી ન શક્યા, ત્યારે અનિચ્છાથી તેમણે ક્ષત્રિયકુમાર જમાલિને દીક્ષા માટે અભિનિષ્ક્રમણની સંમતિ આપી. –૦- જમાલિની દીક્ષા માટેની તૈયારી અને ગમન : ત્યારપછી ક્ષત્રિયકુમાર જમાલિના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું, જલ્દીથી ક્ષત્રિયકુંડગ્રામ નગરની અંદર અને બહાર પાણી છંટકાવો. જમીનની સફાઈ કરાવો, તેને લિંપાવો ઇત્યાદિ કરાવો. – યાવત્ – કાર્ય પૂર્ણ થયેથી તે કૌટુંબિક પુરષોએ આજ્ઞા પાછી સોંપી. ક્ષત્રિયકુમાર જમાલિના પિતાએ ફરીથી તે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને ફરીથી એ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! જલ્દીથી જમાલિ ક્ષત્રિયકુમાર માટે મહાર્થ, મહામૂલ્ય, મહાઈ અને વિપુલ નિષ્ક્રમણા-ભિષેકની તૈયારી કરો. ત્યારે કૌટુંબિક પુરુષોએ તેમની આજ્ઞાનુસાર કાર્ય કરીને આજ્ઞા પાછી સોંપી ત્યારપછી જમાલિ ક્ષત્રિયકુમારના માતા-પિતાએ તેને ઉત્તમ સિંહાસન પર પૂર્વાભિમુખ બેસાડ્યો. પછી ૧૦૮ સોનાના કળશ આદિથી (સૂર્યાભદેવની કથાનુસાર) – થાવત્ – ૧૦૮ માટીના કળશોથી સર્વદ્ધિ સહિત – યાવત્ – મોટા નાદ સહિત નિષ્ક્રમણ—અભિષેક કર્યો. નિષ્ક્રમણાભિષેક પૂર્ણ થયા પછી જમાલિકુમારના માતાપિતાએ હાથ જોડીને જયવિજય શબ્દથી વધાવ્યા. પછી તેઓએ તેને કહ્યું, હે પુત્ર! બોલો, અમે તમને શું આપીએ ? તારા કયા કાર્ય માટે શું દઈએ ? તારે શું પ્રયોજન છે? ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિએ માતાપિતાને આ પ્રમાણે કહ્યું, હે માતાપિતા ! હું કૃત્રિકાપણથી રજોહરણ અને પાત્રા મંગાવવા ઇચ્છું છું અને વાણંદને બોલાવવા ઇચ્છું છું. ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિના પિતાએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી શ્રીગૃહમાંથી ત્રણ લાખ સુવર્ણમુદ્રા લઈને તેમાંથી એક-એક લાખ સોનૈયા આપીને કૃત્રિકાપણથી રજોહરણ અને પાત્રા લઈ આવો તથા એક લાખ સોનૈયા આપીને વાણંદ (હજામ)ને બોલાવી લાવો. ક્ષત્રિયકુમાર જમાલિના પિતાની ઉપરોક્ત આજ્ઞા સાંભળીને તે કૌટુંબિક પુરુષ ઘણાં જ હર્ષિત અને સંતુષ્ટ થયા. તેઓએ હાથ જોડી – યાવત્ – સ્વામીના વચનનો સ્વીકાર કર્યો અને જલ્દીથી શ્રીગૃહમાંથી ત્રણ Page #223 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ લાખ સુવર્ણમુદ્રા કાઢી કૃત્રિકાપણથી રજોહરણ અને પાત્રા લાવ્યા તથા વાણંદને બોલાવ્યો. પછી ક્ષત્રિયકુમાર જમાલિના પિતાની આજ્ઞાનુસાર બોલાવેલ વાણંદ ઘણો જ પ્રસન્ન અને સંતુષ્ટ થયો. તેણે સ્નાનાદિ કર્યા યાવત્ શરીરને અલંકૃત્ કર્યું, પછી જ્યાં ક્ષત્રિયકુમાર જમાલિના પિતા હતા ત્યાં આવ્યો અને તેમને જયવિજય શબ્દોથી વધાવ્યા પછી બોલ્યો કે, હે દેવાનુપ્રિય ! મારે કરવા યોગ્ય કાર્યની મને આજ્ઞા કરો. ૨૨૨ - - ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિના પિતાએ તે વાણંદને કહ્યું, હે દેવાનુપ્રિય ! ક્ષત્રિયકુમાર જમાલિના નિષ્ક્રમણને યોગ્ય અગ્રકેશ ચાર અંકુલ છોડીને અત્યંત પ્રયત્નપૂર્વક કાપી નાંખો. ક્ષત્રિયકુમાર જમાલિના પિતા પાસેથી આદેશ પ્રાપ્ત કરીને તે વાણંદ અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થયો અને બે હાથ જોડીને – યાવત્ આ પ્રમાણે બોલ્યો, હે સ્વામી ! આપની આજ્ઞા પ્રમાણ. એ પ્રમાણે તેણે વિનયપૂર્વક તેમના વચનોનો સ્વીકાર કર્યો. પછી સુગંધિત ગંધોદકથી હાથપગ ધોયા. આઠ પડવાળા શુદ્ધ વસ્ત્રથી મુખ બાંધ્યુ અને અત્યંત યત્નપૂર્વક ક્ષત્રિયકુમાર જમાલિના નિષ્ક્રમણ યોગ્ય અગ્રકેશને ચાર આંગળ છોડીને કાપ્યા—મુંડન કર્યું. ત્યારપછી ક્ષત્રિયકુમાર જમાલિની માતાએ સફેદ વર્ણની – હંસ સટશ ચિન્હવાળી વસ્ત્રની આદરમાં તે અગ્રકેશોને ગ્રહણ કર્યા. પછી તેને સુગંધિત ગંધોદક વડે ધોયા. પછી પ્રધાન અને શ્રેષ્ઠ ગંધ તથા માળા દ્વારા તેનું અર્ચન કર્યુ અને શુદ્ધ વસ્ત્રમાં તેને બાંધીને રત્ન કરંડકમાં રાખ્યા. ત્યાર પછી જમાલિકુમારની માતા હાર, જલધારા, સિંદુવારના પુષ્પો અને ટુટેલા મોતીઓની માળા સમાન પુત્રના દુઃસહ વિયોગના કારણે આંસુ વહાવતી આ પ્રમાણે બોલી, ‘“આ (વાળ) અમારે માટે ઘણી જ તિથીઓ, પર્વો, ઉત્સવો અને નાગાપૂજાદિ રૂપ યજ્ઞો તથા મહોત્સવાદરૂપ ક્ષણોમાં ક્ષત્રિયકુમાર જમાલિના અંતિમ દર્શનરૂપ થશે.'' એવું વિચારી તે (વાળ)ને પોતાના તકિયાની નીચે રાખી દીધા. -- ત્યારપછી ક્ષત્રિયકુમાર જમાલિના માતા–પિતાએ બીજી વખત ઉત્તર દિશાભિમુખ સિંહાસન રખાવ્યુ અને ક્ષત્રિયકુમાર જમાલિને ચાંદી અને સોનાના કળશ વડે સ્નાન કરાવ્યું. પછી રૂંવાટીવાળા સુકોમળ ગંધકાષાયિત સુગંધિયુક્ત વસ્ર વડે તેના અંગને સ્વચ્છ કર્યું. ત્યાર પછી સરસ ગોશીર્ષ ચંદન વડે જમાલિના આખા અંગે લેપન કર્યું. ત્યાર પછી નાકના ઉચ્છવાસના વાયુથી પણ ઉડી જાય એવા બારીક, નેત્રોને આહ્લાદક લાગે તેવા, સુંદર વર્ણ અને કોમળ સ્પર્શ વડે યુક્ત, ઘોડાના મુખની લાળથી પણ અધિક કોમળ, શ્વેત અને સોનાના તારોથી જોડાયેલ, મહામૂલ્યવાન્ અને હંસના ચિહ્ન વડે યુક્ત પટશાટક પહેરાવ્યું. હાર અને અર્ધહાર પહેરાવ્યો યાવત્ – વિચિત્ર રત્નોથી જડિત મુગટ પહેરાવ્યો. ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ અને સંઘાતિમ રૂપે તૈયાર કરાયેલ ચારે પ્રકારની માળાઓથી કલ્પવૃક્ષ સમાન તે જમાલિકુમારને અલંકૃત અને વિભૂષિત કર્યા. - ત્યારપછી ક્ષત્રિયકુમાર જમાલિના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને તેઓને કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી અનેક સેંકડો સ્તંભો વડે યુક્ત, લીલાપૂર્વક ઉભેલી પુતળી વાળી ઇત્યાદિ - યાવત્ – મણિરત્નોની ઘંટડીઓના સમૂહથી ચારે તરફથી પરિવૃત્ત, હજારો પુરુષો વડે ઉપાડી શકાય તેવી શિબિકા ઉપસ્થિત કરો અને મારી આ આજ્ઞાનું - Page #224 -------------------------------------------------------------------------- ________________ નિલવ – જમાલિ કથા ૨૨ ૩ પાલન કરીને મને સૂચિત કરો. આ આદેશને સાંભળીને કૌટુંબિક પુરુષોએ એવા જ પ્રકારની શિબિકા તૈયાર કરી – યાવત્ – નિવેદન કર્યું. ત્યારપછી ક્ષત્રિયકુમાર જમાલિ કેશાલંકાર, વસ્ત્રાલંકાર, માલ્યાલંકાર, આભરણાલંકાર વડે અલંકૃત થઈને તથા પ્રતિપૂર્ણ અલંકારોથી સુસજ્જિત થઈને સિંહાસનથી ઊભા થયા. તે દક્ષિણ તરફથી શિબિકા પર આરૂઢ થયા અને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વ તરફ મુખ રાખીને બેઠા. પછી ક્ષત્રિયકુમાર જમાલિની માતા સ્નાનાદિ કરીને – યાવતુ – શરીરને અલંકૃત કરીને હંસચિત સદશ પટશાક લઈને દક્ષિણ તરફથી શિબિકા પર આરૂઢ થયા અને જમાલિકુમારની જમણી બાજુએ શ્રેષ્ઠ સિંહાસન પર બેઠા. ત્યાર પછી ક્ષત્રિયકુમાર જમાલિની ધાવમાતાએ સ્નાનાદિ કર્યું – યાવત્ – શરીરને અલંકૃત કરીને રજોહરણ અને પાત્ર લઈને જમણી તરફથી શિબિકા પર ચયા અને ક્ષત્રિયકુમાર જમાલિની ડાબી બાજુના શ્રેષ્ઠ ભદ્રાસન પર બેઠા પછી ક્ષત્રિયકુમાર જમાલિના પાછળ ભાગમાં શૃંગારના ઘર સમાન, સુંદર વેશવાળી, સુંદર ગતિવાળી – યાવત્ – રૂ૫ અને યૌવનના વિલાસથી યુક્ત, સુંદર સ્તન, જઘન, વદન, હાથ, પગ, લાવણ્ય, રૂપ અને યૌવનના ગુણોથી યુક્ત એક ઉત્તમ તરુણી હિમ, રજત, કુમુદ, કુંદપુષ્પ અને ચંદ્રમા સમાન, કોરંટક પુષ્પની માળાથી યુક્ત, શ્વેત છત્ર હાથમાં લઈને લીલાપૂર્વક ધારણ કરતી એવી ઊભી રહી. ત્યાર પછી જમાલિકુમારની બંને તરફ શૃંગારના ઘરની સમાન, સુંદર વેશવાળી – યાવત્ – ૩૫, યૌવનના વિલાસથી યુક્ત બે ઉત્તમ તરૂણીઓ હાથમાં ચામર લઈને લીલા સહિત ઢોળતી એવી ઊભી રહી. તે ચામર અનેક પ્રકારના મણીઓ, કનક, રત્નો તથા વિશુદ્ધ અને મહામૂલ્યવાનું તપનીય સુવર્ણથી નિર્મિત, ઉજ્વળ અને વિચિત્ર દંડવાળા હતા. શંખ, અંતરત્ન, કુંદપુષ્પ, ચંદ્ર, જળબિંદુ મથન કરાયેલા અમૃતના ફીણના પુંજ સમાન શ્વેત હતા. પછી ક્ષત્રિયકુમાર જમાલિના ઇશાનખૂણામાં શૃંગારના ગૃહ સમાન, ઉત્તમ વેશવાળી - યાવત્ – રૂપ, યૌવન અને વિલાસથી યુક્ત એક શ્રેષ્ઠ તરુણી પવિત્ર જળથી પરિપૂર્ણ, ઉન્મત્ત હાથીના મોટા મુખના આકાર સમાન શ્વેત રજતનિર્મિત કળશને હાથમાં લઈને ઊભી રહી. ત્યાર પછી ક્ષત્રિયકુમાર જમાલિના અગ્નિ ખૂણામાં શૃંગારગૃહ સમાન – યાવત્ – રૂપ, યૌવન અને વિલાસથી યુક્ત એક શ્રેષ્ઠ યુવતી વિચિત્ર સ્વર્ણમય દંડવાળા એક તાડપત્રના પંખાને લઈને ઊભી રહી. ત્યાર પછી ક્ષત્રિયકુમાર જમાલિના પિતાએ કૌટુંબિક પરષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી એક સરખા, સમાન ત્વચાવાળા, સમાન વયવાળા, સમાન લાવણ્ય, રૂપ અને યૌવન ગુણોથી યુક્ત, એક સમાન આભૂષણ, વસ્ત્ર અને પરીકર ધારણ કરેલ ૧૦૦૦ શ્રેષ્ઠ કૌટુંબિક તરુણોને બોલાવો. ત્યારે તે કૌટુંબિક પુરુષ સ્વામીની આજ્ઞાનો – યાવત્ – સ્વીકાર કરીને જલ્દીથી એક સમાન, સમાન ત્વચાવાળા – યાવત્ – ૧૦૦૦ શ્રેષ્ઠ કૌટુંબિક તરુણોને બોલાવી લાવ્યા. જમાલિ ક્ષત્રિયકુમારના પિતાની આજ્ઞાથી કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયેલ તે ૧૦૦૦ તરુણ સેવક હર્ષિત અને સંતુષ્ટ થઈને, સ્નાનાદિથી નિવૃત્ત થઈને, બલિકર્મ, કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત્ત કરીને એકસમાન આભૂષણ અને વસ્ત્ર તથા વેશ ધારણ કરીને જ્યાં જમાલિ ક્ષત્રિયકુમારના પિતા હતા, ત્યાં આવ્યા અને બે હાથ જોડીને – યાવત્ – તેઓને Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આગમ કથાનુયોગ-૨ જય-વિજય શબ્દો વડે વધાવીને આ પ્રમાણે બોલ્યા, હે દેવાનુપ્રિય ! અમારે જે કાર્ય કરવાનું હોય તેની આજ્ઞા આપો. ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિના પિતાએ તે ૧૦૦૦ તરણ સેવકોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે સ્નાનાદિ કરી - યાવત્ – એક સમાન વેશમાં સુસજ્જ થઈને જમાલિકુમારની શિબિકાને ઉપાડો. ત્યારે તે કૌટુંબિક તરુણોએ ક્ષત્રિયકુમાર જમાલિના પિતાની આજ્ઞા શિરોધાર્ય કરીને, સ્નાનાદિ કરીને – યાવત્ – એક સમાન પોષાક ધારણ કરીને ક્ષત્રિયકુમાર જમાલિની શિબિકા ઉપાડી. હજાર પુરુષ દ્વારા ઉપાડવા યોગ્ય તે શિબિકા પર જ્યારે જમાલિ ક્ષત્રિયકુમાર વગેરે બધા આરૂઢ થયા, ત્યારે તે શિબિકાની આગળ–આગળ સર્વ પ્રથમ આ આઠ મંગલ અનુક્રમથી ચાલ્યા – સ્વસ્તિક, શ્રીવત્સ, નન્હાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મસ્ય અને દર્પણ. તે આઠ મંગળ પછી પૂર્ણ કળશ ચાલ્યો. (ઇત્યાદિ ઉવવાઈ સૂત્રમાં કહ્યા મુજબ) - યાવત્ – ગગનતલચુંબિની વૈજયંતી ધ્વજા પણ આગળ યથાનુક્રમથી ચાલી – યાવત્ – આલોક કરતા અને જય-જયકાર શબ્દનો ઉચ્ચારણ કરતાં અનુક્રમે કુટુંબીજનો ચાલ્યા. તેની પછી ઘણાં બધાં ઉગ્રકુળના, ભોગકુળના ક્ષત્રિય ઇત્યાદિ – યાવત્ – મહાન્ પુરુષોના વર્ગથી પરિવૃત્ત થઈને ક્ષત્રિયકુમાર જમાલિના આગળ-પાછળ અને આજુબાજુ ચાલવા લાગ્યા. ત્યાર પછી જમાલિકુમારના પિતાએ ખાન આદિ કર્યું – યાવત્ – તેઓ વિભૂષિત થઈને ઉત્તમ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને તથા મહાસુભટોના સમુદાયથી ઘેરાયેલા – થાવત્ – ક્ષત્રિયકુમાર જમાલિની પાછળ-પાછળ ચાલવા લાગ્યા. સાથે જ તે જમાલિ ક્ષત્રિયકુમારની આગળ મોટા-મોટા અને શ્રેષ્ઠ ઘોડેશ્વાર તથા તેમની બંને બાજુમાં ઉત્તમ હાથી અને પાછળ રથ તથા રથસમૂહ ચાલતો હતો. આ પ્રમાણે ક્ષત્રિયકુમાર જમાલિ સર્વ ઋદ્ધિ સહિત – યાવત્ – વાદ્યો સહિત ચાલ્યો. તેમની આગળ કળશ અને તાડપત્રના પંખા લઈને પુરુષો ચાલતા હતા. તેમના મસ્તક પર શ્વેત છત્ર ધારણ કરેલ હતું. તેની બંને બાજુ શ્વેત ચામર અને નાના પંખા વિંઝાઈ રહ્યા હતા. ક્ષત્રિયકુમાર જમાલિ ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને જતા–જતા બ્રાહ્મણકુંડગ્રામની બહાર જ્યાં બહુશાલ નામનું ઉદ્યાન હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા. તે તરફ ગમન કરવા લાગ્યા. જ્યારે ક્ષત્રિયકુમાર જમાલિ ક્ષત્રિયકુંડ ગ્રામ નગરના મધ્યમાં થઈને જઈ રહ્યા હતા. ત્યારે શૃંગાટક, ત્રિક, ચતુષ્ક – યાવત્ – રાજમાર્ગો પર ઘણાં બધાં ધનાર્થી, કામાર્થી ઇત્યાદિ લોકો (કોણિકની કથામાં મુજબ) ઇષ્ટ, કાંત, પ્રિય આદિ શબ્દોથી યાવત્ અભિનંદન-સ્તુતિ કરતા કહેવા લાગ્યા હે નંદ ! ધર્મ દ્વારા તમારો જય થાઓ. હે નંદ ! તપ દ્વારા તમારો જય થાઓ. હે નંદ ! તમારું કલ્યાણ થાઓ. હે દેવ ! અખંડ ઉત્તમ જ્ઞાનદર્શન ચારિત્ર દ્વારા અવિજિત ઇન્દ્રિઓને જીતો અને વિજિત શ્રમણધર્મનું પાલન કરો. હે દેવ ! વિદનોને જીતીને સિદ્ધિમોક્ષમાં જઈને વસો. તપથી પૈર્યરૂપી કચ્છને અત્યંત દૃઢતાપૂર્વક બાંધીને રાગ-દ્વેષરૂપી મલને પરાજિત કરો. ઉત્તમ શુક્લધ્યાન દ્વારા આઠ કર્મશત્રુઓનું મર્દન કરો. હે વીર અપ્રમત્ત થઈને રૈલોક્યના રંગમંચમાં આરાધનારૂપી પતાકાને ગ્રહણ કરો અને Page #226 -------------------------------------------------------------------------- ________________ નિલવ – જમાલિ કથા ૨૨૫ અંધકારરહિત અનુત્તર એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરો તથા જિનવર ઉપદિષ્ટ સરળ સિદ્ધિમાર્ગ પર ચલાવીને પરમપદરૂપ મોક્ષને પ્રાપ્ત કરો. પરીષહ સેનાને નષ્ટ કરો તથા ઇન્દ્રિયગ્રામના કંટકરૂપ ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરો. તમારું ધર્માચરણ નિર્વિઘ્ન થાઓ. આ પ્રમાણે લોકો અભિનંદન અને સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે (કોણિક કથા મુજબ) ક્ષત્રિયકુમારજમાલિ હજારો નયનાવલિઓ દ્વારા જોવાતા – યાવત્ – નીકળ્યા. પછી બ્રાહ્મણકુંડગ્રામનગરની બહાર બહુશાલ ઉદ્યાનની નજીક આવ્યા અને જેવા તેણે તીર્થકર ભગવંતના છત્ર આદિ અતિશયોને જોયા, ત્યાંજ હજાર પુરુષો દ્વારા ઉપાડાયેલી તે શિબિકાને રોકી અને સ્વયં તે સહસ્ત્રવાહિની શિબિકાથી નીચે ઉતર્યા. ક્ષત્રિયકુમાર જમાલિને આગળ કરીને તેના માતા-પિતા, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા અને ભગવંતની જમણી બાજુથી ત્રણ વખત પ્રદક્ષિણા આપી – યાવત્ – વંદના–નમસ્કાર કરીને કહ્યું, ભગવંત ! આ ક્ષત્રિયકુમાર જમાલ અમારો એકમાત્ર અને ઇષ્ટ, કાંત તથા પ્રિય પુત્ર છે – યાવત્ – (અમારા માટે) નામ શ્રવણ પણ દુર્લભ છે, તો દર્શન દુર્લભ હોય તેમાં શું કહેવું ? જેમ કોઈ કમળ, પદ્મ કે – યાવત્ – સહસ્ત્રદલ કમળ કીચડમાં ઉત્પન્ન થઈને અને જળમાં સંવર્ધિત થવા છતાં પણ પંકરજથી લિપ્ત થતું નથી. જળકળથી લિપ્ત થતું નથી. એ પ્રમાણે ક્ષત્રિયકુમાર જમાલિ પણ કામમાં ઉત્પન્ન થયો, ભોગોમાં વૃદ્ધિ પામ્યો, પરંતુ તે કામમાં લેશમાત્ર પણ લિપ્ત થયો નહીં અને ભોગમાં પણ અંશમાત્ર લેપાયો નથી. તે મિત્ર, જ્ઞાતિ, નિજસંબંધિ, સ્વજનસંબંધિ અને પરિજનોમાં પણ લેપાયો નથી. હે દેવાનુપ્રિય! તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે. જન્મમરણના ભયથી ભયભીત થયેલો છે. હવે તે આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈને અગારવાસ છોડીને અનગાર ધર્મથી પ્રવજિત થવા ઇચ્છે છે. તેથી અમે આપ દેવાનુપ્રિયને શિષ્યભિક્ષા આપીએ છીએ. આપ દેવાનુપ્રિય ! આ શિષ્યરૂપ ભિક્ષા સ્વીકાર કરો. –૦- જમાલિની દીક્ષા : ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે ક્ષત્રિયકુમાર જમાલિને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! જેમ તને સુખ ઉપજે તેમ કર, પરંતુ વિલંબ ન કર. ભગવંતે આમ કહ્યું, ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિ હર્ષિત અને સંતુષ્ટ થયો. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત પ્રદક્ષિણા કરી – યાવત્ – વંદન–નમસ્કાર કર્યા. ઇશાનખૂણામાં ગયો ત્યાં જઈને સ્વયં જ આભુષણ, માળા અને અલંકાર ઉતાર્યા. ત્યાર પછી ક્ષત્રિયકુમાર જમાલિની માતાએ તે આભુષણ, માળા અને અલંકારોને હંસ સદશ ચિન્હવાળા એક પટશાટકમાં ગ્રહણ કર્યા અને પછી હાર, જળધારા ઇત્યાદિ સમાન – યાવતું – આંસુ વહાવતી પોતાના પુત્રને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર ! સંયમમાં પ્રવૃત્તિ કરજે. હે પુત્ર! સંયમમાં પરાક્રમ કરજે. આ વિષયમાં જરા પણ પ્રમાદ કરીશ નહીં. આ પ્રમાણે કહીને જમાલિના માતાપિતાએ શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કર્યા, કરીને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ચાલ્યા ગયા. ત્યારપછી જમાલિકુમારે સ્વયં લોચ કર્યો. પછી શ્રમણ ભગવંત મહાવીરની પાસે Jain L a nternational Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ આગમ કથાનુયોગ-૨ ઉપસ્થિત થયો અને ઋષભદત્ત બ્રાહ્મણની માફક ભગવંત પાસે પ્રવજ્યા અંગીકાર કરી. વિશેષતા એ કે ક્ષત્રિયકુમાર જમાલિએ ૫૦૦ પુરષો સાથે પ્રવજ્યા અંગીકાર કરી. તેને અનુસરીને જમાલિની પત્ની અને ભગવંત મહાવીરની પુત્રી એવી અનોwગા કે જેનું બીજું નામ પ્રિયદર્શના છે, તેણે પણ ૧૦૦૦ના પરિવાર સહિત દીક્ષા ગ્રહણ કરી. શેષ વર્ણન પૂર્વવત્ – યાવત્ – જમાલિ અણગારે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં બધાં ઉપવાસ – છઠ, અઠમ – યાવત્ – અર્ધ માસ ક્ષમણ, માસક્ષમણ ઇત્યાદિ વિવિધ તપ:કર્મોથી પોતાને આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યા. ત્યારપછી કોઈ એક દિવસે જમાલિ અણગાર ભગવંત મહાવીર પાસે આવ્યા અને ભગવંત મહાવીરને વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા. હે ભગવન્! આપની આજ્ઞા હોય તો હું પ૦૦ અણગારોની સાથે આ જનપદની બહાર વિચરણ કરવા ઇચ્છું છું. એ સાંભળીને શ્રમણ ભગવંત મહાવીરે જમાલિની તે વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો. તેઓ મૌન રહ્યા. ત્યારે જમાલિ અણગારે શ્રમણ ભગવંત મહાવીરને બીજી વખત, ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું, ભગવન્! આપની આજ્ઞા પ્રાપ્ત હોય તો હું ૫૦૦ અણગારો સાથે અન્ય જનપદોમાં વિહાર કરવા ઇચ્છું છું. જમાલ અણગારે બીજી અને ત્રીજી વખત પણ તે જ વાત કરી ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે વાતનો આદર ન કર્યો – યાવત્ - મૌન રહ્યા. ત્યારે જમાલિ અણગારે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા અને ભગવંતની અનુજ્ઞા મેળવ્યા વિના જ તેમની પાસેથી–બહુશાલ ઉદ્યાનથી નીકળ્યા અને ૫૦૦ અણગારો સાથે બહારના જનપદમાં વિહાર કરવા લાગ્યા. તે કાળે અને તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. ત્યાં કોષ્ઠક નામક ઉદ્યાન હતું. તે કાળે અને તે સમયે ચંપા નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું – યાવત્ – ત્યાં પૃથ્વીશિલાપટ્ટક હતો. એક વખત જમાલિ અણગાર ૫૦૦ અણગારોથી પરિવૃત્ત થઈને અનુક્રમથી વિચરણ કરતા અને ગ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં જ્યાં કોષ્ટક ઉદ્યાન હતું, ત્યાં આવ્યા અને મુનિઓના કલ્પ અનુસાર અવગ્રહ ગ્રહણ કરીને, સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. શ્રમણ ભગવંત મહાવીર પણ અનુક્રમથી વિચરણ કરતા કરતા – યાવત્ – સુખપૂર્વક વિહાર કરતા, જ્યાં ચંપાનગરી હતી, પૂર્ણભદ્ર નામક ચૈત્ય હતું. ત્યાં પધાર્યા તથા શ્રમણોને યોગ્ય એવા અવગ્રહને ગ્રહણ કરીને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા હતા. તે સમયે જમાલિ અણગારને અરસ, વિરસ, અંત, પ્રાંત, રૂક્ષ અને તુચ્છ તથા કાલાતિક્રાંત અને પ્રમાણાતિક્રાન્ત તથા ઠંડા પાન અને ભોજનોથી એક વખત શરીરમાં વિપુલ રોગાંતક ઉત્પન્ન થયા. તે રોગ ઉજ્વલ, વિપુલ, પ્રગાઢ, કર્કશ, કર્ક, ચંડ, દુઃખરૂપ, કષ્ટસાધ્ય, તીવ્ર અને દુઃસહ હતો. તેમનું શરીર પિત્તજ્વરથી વ્યાપ્ત હોવાથી દાહથી યુક્ત થઈ ગયું હતું. તે ઊભા રહેવાને માટે અસમર્થ થઈ ગયા. વેદનાથી પીડિત જમાલિ અણગારે ત્યારે શ્રમણ નિર્ચન્થોને બોલાવીને તેઓને કહ્યું, હે દેવાનુપ્રિયો ! મારા માટે શય્યા–સંસ્મારક બિછાવો. ત્યારે શ્રમણ નિર્ચસ્થોએ જમાલિ અણગારની આ વાતને વિનયપૂર્વક સ્વીકારી અને જમાલિ અણગારને માટે શય્યા Page #228 -------------------------------------------------------------------------- ________________ નિહ્નવ જમાલિ કથા - સંસ્તારક તૈયાર કરવા લાગ્યા. પરંતુ જમાલિ અણગાર પ્રબલતર વેદનાથી પીડિત હતા. તેથી તેમણે તેઓને બીજી વખત–રી શ્રમણ નિગ્રન્થોને બોલાવ્યા અને તેઓને આ પ્રમાણે પૂછયું, હે દેવાનુપ્રિયો ! શું મારા સુવાને માટે સંસ્તારક બિછાવી દીધો કે બિછાવી રહ્યા છો ? તેના ઉત્તરમાં શ્રમણનિગ્રન્થોએ જમાલિ અણગારને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આપના સુવાને માટે સંથારો બિછાવાયો નથી, પણ બિછાવાઈ રહ્યો છે. =0= જમાલિનું નિહવપણું : - .. શ્રમણોની આ વાત સાંભળીને જમાલિ અણગારના મનમાં આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ - ઉત્પન્ન થયો કે, શ્રમણ ભગવંત મહાવીર જે આ પ્રમાણે કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે, “ચલમાન ચલિત છે,” “ઉદીર્યમાણ ઉદીરિત છે.’ યાવત્ – નિર્જીર્યમાણ નિર્જીર્ણ છે. આ કથન મિથ્યા છે. કેમકે અહીં પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે કે, જ્યાં સુધી શય્યા—સંસ્તારક બિછાવાઈ રહ્યો છે, ત્યાં સુધી તે બિછાવાયો નથી. અર્થાત્ કરાતુ કર્યું ન કહેવાય. તેથી ‘‘ચલમાણ’’ ચલિત નથી પણ ‘અચલિત’ છે અર્થાત્ ‘ચાલતુ' ચાલ્યુ ન કહેવાય. – યાવત્ – ‘નિર્જીર્યમાણ' નિર્જીણ નથી પણ અનિર્જીર્ણ છે. આ પ્રમાણે વિચારીને શ્રમણ નિગ્રન્થ—નિગ્રન્થીઓને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવંત મહાવીર જે આ પ્રમાણે કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે, ‘‘ચલમાન'' ચલિત છે – યાવત્ – ‘નિર્જીર્યમાણ' — નિર્જીય છે તે મિથ્યા છે પણ ‘ચલમાન' અચલિત છે યાવત્ નિર્જીર્યમાણ અનિર્જીણ છે. - ―――― જમાલિ અણગાર દ્વારા આ પ્રમાણે કહેવા પર યાવત્ · પ્રરૂપણા કરવા પર કેટલાંક નિર્ગુન્થોએ આ વાતની શ્રદ્ધા—પ્રતીતિ અને રુચિ કરી અને કેટલાયે નિર્રન્થોએ આ વાતની શ્રદ્ધા–પ્રતીતિ અને રુચિ ન કરી. તેમાંથી જે શ્રમણ નિર્પ્રન્થોએ જમાલિની આ વાતની (નવા મતની) શ્રદ્ધા–પ્રતીતિ અને રુચિ કરી તેઓ જમાલિ અણગારનો આશ્રય કરીને વિચરવા લાગ્યા અને જે શ્રમણ નિર્રન્થોએ એ વાતની શ્રદ્ધા–પ્રતીતિ અને રુચિ ન કરી તેઓ જમાલિ અણગારની પાસેથી – કોષ્ઠક ઉદ્યાનથી નીકળી ગયા અને અનુક્રમથી વિચરણ કરતા અને ગ્રામાનુગ્રામ જતા ચંપાનગરીની બહાર જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, તેમની પાસે પહોંચ્યા. તેઓએ શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત ભગવંતની જમણી બાજુથી પ્રદક્ષિણા કરી, પછી વંદન—નમસ્કાર કરીને તેઓ ભગવંતનો આશ્રય કરી વિચરવા લાગ્યા. પ્રિયદર્શના કે જે જમાલિની પત્ની હતી તેણી પણ જમાલિના અનુરાગથી તેના મતને જ સ્વીકારીને વિચરવા લાગી. જમાલિના મત અનુસાર જે કોઈ વસ્તુ ‘વિમાળ’ એટલે કરાતી હોય તેને ‘તં’ કરેલી ન કહેવાય. પરંતુ જે કાર્ય પૂરું થઈ ગયું હોય તે જ કર્યું કહેવાય. જેમકે ઘડોવસ્ત્ર વગેરે કાર્ય ક્રિયાકાળના અંત ભાગે જ થયેલા દેખાય છે. પરંતુ ઘડાનો પેટાળ, ગોળાઈ આદિ કાળમાં ઘડો થયેલો દેખાતો નથી. આ વાત આબાલગોપાલ સર્વજનને પ્રત્યક્ષ સિદ્ધ છે. આવું વિચારી જમાલિ પોતાની કલ્પિત યુક્તિઓ વડે સર્વ સાધુઓને સમજાવવા લાગ્યો. ત્યારે સ્થવિરોએ તેમને કહ્યું, ઋિષમાળ તું આદિ ભગવાનના વાક્યો સત્ય જ છે. તેમાં કંઈ પણ વિરોધ નથી. કેમકે ઘડા વગેરેમાં અવાંતર કારણો અને કાર્યો ૨૨૭ - Page #229 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ અસંખ્યાતા હોય છે. માટી લાવવી, તેનું મર્દન કરવું, પિંડ બનાવવો, તેને ચક્ર પર ચડાવવો, દંડથી ચક્ર ભમાડવું, પહેલા પેટાળ બનાવવું પછી ઘડાની ગોળાઈ કરવી ઇત્યાદિ કાર્યો એ ઘડારૂપી સર્વ કાર્યના છે અને છેવટે દોરા વડે કાપીને ઘડાને ચક્રથી જુદો કર્યો ત્યારે જ તે ઘડારૂપી કાર્ય થયું એમ તમે માનો છો તે અયોગ્ય છે. - કેમકે ઘડારૂપી કાર્ય કરતી વેળાએ દરેક સમયે અન્ય અન્ય કાર્યોનો આરંભ થાય છે અને તે કાર્યો નિષ્પન્ન થાય છે. કેમકે કાર્યના કારણોનો અને નિષ્પત્તિનો એક જ કાળ છે. કારણનો કાળ જુદો અને નિષ્પત્તિનો કાળ જુદો હોતો નથી. હવે જો તમારા મતે નૃત કર્યા પછી જ કરાયું ગણો તો દરેક સમયે “જે કરાયું તેને જ કર્યું' ગણતા માત્ર એક સમય—પ્રથમ સમય જ થશે. જો પ્રથમ સમય જ સ્વીકારશો તો કદાપિ કોઈ ક્રિયા પૂર્ણ થશે જ નહીં. કેમકે હંમેશા કરાતી ક્રિયાનો આદિ સમય રહેવાનો જ. તેથી તમારા મતે તો ઘડાની આદિની સર્વ ક્રિયા વિફળ જ ગણાશે અને ક્રિયા પૂર્ણ થયે જ કાર્ય થયેલું મનાશે. પણ વ્યવહારમાં તો ઘડો બનાવનાર જ્યારથી માટી લાવીને ક્રિયાનો આરંભ કરે છે, ત્યારથી જ હું ઘડો બનાવું છું તેવું કહે છે. તેથી વિમાળ ક્રિયા અપેક્ષાએ તો કરાતું કર્યું તેમ માનશો તો જ તે ક્રિયાનું સાફલ્ય થશે. જેમ વસ્ત્ર વણવાના આદ્ય સમયે પહેલા તંતુથી જ વસ્ર થઈ રહ્યું છે તેમ નહીં માનો તો અંત સમયે પણ વસ્ર કઈ રીતે નિષ્પન્ન થશે ? કેમકે વસ્ત્રના તંતુના આદ્ય સમયથી વસ્ત્ર થઈ રહ્યું છે તેમ માનશો તો જ વસ્ત્ર થશે. જો તેમ નહીં માનો તો વસ્ત્રના અંત સમયે કંઈ તે વસ્ત્ર ઘડારૂપ લેવાનું નથી. વળી તમે સંથારો અડધો પથરાયેલો જોઈને સંથારો કર્યો જ નથી તેમ બોલ્યા તે પણ અયોગ્ય જ છે. કેમકે સંથારો અડધો પથરાયો તો પૂરો પથરાશે. તૃણ—ઘાસ વગેરે બિછાવવાની ક્રિયા જ શરૂ ન થઈ હોય (અથવા વર્તમાન પ્રણાલીને આશ્રિને સંથારીયુ પથરાયું જ ન હોય તો પછી પણ સંથારો ક્યાંથી થવાનો ?) જેટલા આકાશપ્રદેશમાં સંથારો પાથરવા માંડ્યો તેટલા આકાશપ્રદેશમાં તો પથરાઈ ગયો છે. માત્ર પાથરવાના બીજા તૃણ—ઘાસ (ઉત્તરપટ્ટાદિ) બાકી છે. પણ જેટલો સંથારો પથરાયો તે તો પથરાયો જ છે, તે કંઈ હવે પથરાવાનો નથી. ભગવંતના આ વચન ક્રિયાકાળની અપેક્ષાએ સમજવાના છે. તેથી જ ભગવંતે “ચલમાણે ચલિએ', ‘ઉદીરિજ્જુમાણે ઉદીŞ'' ઇત્યાદિ નવ વાક્યો (ભગવતીજી સૂત્ર-૯) જણાવેલા છે. આ જ વાત કર્મને આશ્રિને પણ સમજવાની છે. કર્મપુદ્ગલના અનંતસ્કંધાદિ પ્રતિસમયે ચલિત થાય છે. આ પ્રમાણે અનેક યુક્તિ-પ્રયુક્તિથી સમજાવવા છતાં જમાલિ સમજ્યો નહીં અને “નવોમત’” સ્થાપી નિહ્નવપણે વિચરવા લાગ્યો. (આ બધાં તર્ક–વિશેષાવશ્યક ભાષ્યમાં વિસ્તારથી આપેલા છે.) ૨૨૮ ત્યારપછી કોઈ કોઈ સમયે જમાલિ તે રોગાતંકથી મુક્ત થયા. નિરોગી અને બળવાન શરીરવાળા થયા. ત્યારે શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ઉદ્યાનથી નીકળ્યા અને અનુક્રમે વિચરણ કરતા, ગ્રામાનુગ્રામ વિચરતા જ્યાં ચંપાનગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા. તે ભગવંત મહાવીરથી બહુ દૂર નહીં અને બહુ નજીક નહીં તેવા સ્થાને ઊભા રહીને ભગવંતને આ પ્રમાણે કહેવા લાગ્યા જે પ્રકારે આપના ઘણાં શિષ્યો છદ્મસ્થ રહીને છદ્મસ્થ - Page #230 -------------------------------------------------------------------------- ________________ નિલવ – જમાલિ કથા ૨૨૯ અવસ્થામાંથી નીકળીને વિચરણ કરે છે, તે પ્રકારે હું છદ્મસ્થ રહીને છપસ્થ અવસ્થાથી વિચરણ કરતો નથી. પરંતુ હું ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન–કેવળદર્શન ધારણ કરીને અ– જિન–કેવલી થઈને કેવલીવિહારથી વિચરણ કરી રહ્યો છું. –૦- જમાલિનું અજ્ઞાન : ત્યારે ગૌતમસ્વામિએ જમાલિને આ પ્રમાણે કહ્યું, હે જમાલિ! કેવલીનું જ્ઞાન કે દર્શન, પર્વત-સ્તંભ કે સ્તૂપ આદિથી અવરુદ્ધ થતું નથી કે તેનાથી રોકાતું પણ નથી તો હે જમાલિ! જો તું ઉત્પન્ન કેવળજ્ઞાન દર્શનનો ધારક, અહં–જિન–કેવલી થઈને કેવલીરૂપે અપક્રમણ કરીને વિચરણ કરી રહ્યો છે તો આ બે પ્રશ્નોના ઉત્તર આપ :- ૧. લોક શાશ્વત છે કે અશાશ્વત ? ૨. જીવ શાશ્વત છે કે અશાશ્વત છે? ગૌતમસ્વામીએ જ્યારે જમાલિને આ પ્રમાણે કહ્યું ત્યારે તે શંકિત, કાંક્ષિત યાવત્ કલુષિત પરિણામવાળો થયા. તે ગૌતમ સ્વામીને કંઈપણ ઉત્તર આપવામાં સમર્થ ન થયા. તે મૌન થઈને ચુપચાપ ઊભા રહ્યા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું, હે જમાલિ! મારા ઘણાં શ્રમણનિગ્રંથ અંતેવાસી છઘસ્થ છે, જે આ પ્રશ્નોના ઉત્તર દેવામાં એ જ પ્રમાણે સમર્થ છે, જે પ્રમાણે હું છું. તો પણ તેઓ આ પ્રકારની ભાષા બોલતા નથી. જમાલિ ! લોક શાશ્વત છે, કેમકે તે ક્યારેય ન હતો એવું નથી. ક્યારેય નહીં હોય એમ પણ નહીં, ક્યારેય નહીં રહેશે એવું પણ નથી. પરંતુ લોક હતો – છે અને રહેશે. આ લોક ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવ્યય અને અવસ્થિત છે. હે જમાલિ ! લોક અશાશ્વત પણ છે, કેમકે અવસર્પિણી કાળ પછી ઉત્સર્પિણી કાળ આવે છે. વળી ઉત્સર્પિણી કાળ પછી અવસર્પિણી કાળ આવે છે અર્થાત્ લોકના કાળ પર્યાય આદિ બદલાતા રહેતા હોવાથી પર્યાય અપેક્ષાએ તે અશાશ્વત છે. એ જ રીતે જીવ પણ શાશ્વત છે. કેમકે તે “ક્યારેય ન હતો–નથી કે નહીં રહે” તેમ નથી. જીવ હતો – છે અને રહેશે. વળી જીવ અશાશ્વત પણ છે કેમકે તે નૈરયિક થઈને તિર્યંચ પણ થાય છે, તિર્યંચ થઈને મનુષ્ય પણ થાય છે, મનુષ્ય થઈને દેવ પણ થાય છે અર્થાત્ દ્રવ્યરૂપે જીવ નિત્ય છે અને પર્યાયરૂપે અનિત્ય છે. શ્રમણ ભગવંત મહાવીરે જમાલિ અણગારને આ પ્રમાણે કહ્યું યાવત્ પ્રરૂપણા કરી તો પણ તેને આ વાત પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ન થઈ. શ્રમણ ભગવંત મહાવીરની એ વાત પર શ્રદ્ધા–પ્રતીતિ અને રુચિ ન કરતા જણાલિ અણગાર ભગવાન્ પાસેથી ચાલ્યા ગયા. આ પ્રમાણે ભગવંતથી અલગ વિચરણ કરીને જમાલિએ ઘણાં અસભૂત ભાવોને પ્રગટ કર્યા તથા મિથ્યાત્વ અભિનિવેશોથી પોતાના આત્મા તથા બીજાને અને ઉભયને ભ્રાંત કરતો અને મિથ્યાજ્ઞાનયુક્ત કરતા ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે અર્ધમાસની સંખના દ્વારા પોતાના શરીરને કૃશ કરીને તથા અનશન દ્વારા ત્રીશ ભક્તોનું છેદન કરીને, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ, કાળ કરીને લાંતકકલ્પ તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવરૂપે ઉત્પન્ન થયા. –૦– જમાલિની ગતિ : જમાલિ અણગારને કાળધર્મ પ્રાપ્ત થયેલ જાણીને ગૌતમસ્વામી શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા. વંદના–નમસ્કાર કરીને પૂછયું, હે ભગવન્! એ નિશ્ચિત છે કે, Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૦ આગમ કથાનુયોગ-૨ જમાલિ અણગાર આપ દેવાનુપ્રિયનો અંતેવાસી કુશિષ્ય હતો. તે જમાલિ અણગાર કાળ કરીને ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા ? શ્રમણ ભગવંત મહાવીરે હે ગૌતમ ! મારો અંતેવાસી જમાલિ નામે અણગાર વાસ્તવમાં કુશિષ્ય હતો. તે વખતે મારા કહેવા છતાં – થાવત્ – પ્રરૂપણા કરવા છતાં તેણે મારા કથન પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરી નહીં, તે કથન પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ન કરતો એવો તે બીજી વખત પણ સ્વયં મારી પાસેથી ચાલ્યો ગયો અને ઘણાં જ અસદ્ભાવોને પ્રગટ કરવાથી ઇત્યાદિ પૂર્વોક્ત કારણોથી – યાવત્ – કાળ કરીને કિલ્બિષિક દેવરૂપે ઉત્પન્ન થયો છે. ભગવન્! શું જમાલિ અણગાર અરસાહારી, વિરસાહારી, અંત્યાહારી, પ્રાન્તાહારી, રૂક્ષાહારી, તુચ્છાદારી, અરસજીવી, વિરસજીવી, તુચ્છજીવી, ઉપશાંતજીવી, પ્રશાંતજીવી અને વિવિક્તજીવી હતા ? હાં ગૌતમ ! જમાલિ અણગાર અરસાહારી, વિરસાહારી યાવત્ વિવિક્તજીવી હતા. હે ભગવન્! કાળ સમયે કાળ કરીને તેઓ લાંતકકલ્પમાં કિલ્બિષિક દેવરૂપે કેમ ઉત્પન્ન થયા? ગૌતમ ! જમાલિ અણગાર આચાર્યના પ્રત્યેનીક હતા, ઉપાધ્યાયના પ્રત્યેનીક હતા. આચાર્ય અને ઉપાધ્યાયનો અપયશ કરનારા અને તેઓનો અવર્ણવાદ કરનારા હતા – યાવત્ – તે મિથ્યાભિનિવેશ દ્વારા પોતાને અને બીજાને તેમજ ઉભયને ભ્રાંતિ ઉપજાવનારા અને દુર્વિદગ્ધ બનાવનાર હતા – યાવત્ – ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને અર્ધમાસિક સંલેખના દ્વારા શરીરને કૃશ કરીને તથા ત્રીશ ભક્તનું અનશન દ્વારા છેદ કરીને તે અત્યસ્થાનની આલોચનાપ્રતિક્રમણ કર્યા વિના જ તેણે કાળ સમયે કાળ કર્યો. જેનાથી તે લાંતક કલ્પમાં તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવરૂપે ઉત્પન્ન થયા. હે ભગવન્! તે જમાલિદેવ તે દેવલોકથી આયુષ્ય ક્ષય થયા બાદ યાવત્ ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! તે તિર્યંચના–મનુષ્યના અને દેવના પાંચ-પાંચ ભવ ગ્રહણ કરીને અને એ રીતે પંદર ભવોનું સંસાર પરિભ્રમણ કરીને ત્યાર પછી તે સિદ્ધ થશે, બુદ્ધ થશે - યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. જમાલિના મતમાં–દૃષ્ટિમાં બહુ જીવો રત થયા. તેથી આ મતને “બહુરત" મત કહે છે અથવા બહુ સમયે કાર્ય સિદ્ધિ શક્ય હોવાથી “બહુરત” મત કહ્યો. એ રીતે ભગવંત મહાવીરના કેવળજ્ઞાન પછી ચૌદ વર્ષે આ પ્રથમ નિલવ થયો – અનોજ્જા અથવા પ્રિયદર્શના સાધ્વીએ ઢક શ્રાવકના પ્રતિબોધથી આ મતનો ત્યાગ કર્યો અને ભગવંત મહાવીરનો આશ્રય કરી વિચારવા લાગ્યા તે કથા કનોજ્ઞા માં જોવી. ૦ આગમ સંદર્ભ :આયા. પ૧૧; સૂય ચૂપૃ. ૨૭૩; ઠા ૬૮૮, ૬૮૯ + વ સમ. ૨૩૩નૃ. ભગ ૧૦, ૪૬૩ થી ૪૭૦, ઉવ. ૫૧–પૃ. નિસી.ભા. ૫૫૯૬, પપ©, પ૬૧૧, -પ૬૧૮, પ૬ ૨૪ થી ૫૬ ર૪; આવનિ ૭૭૮ થી ૭૮૮; આવ.ભા. ૧૨૫, ૧૨૬; આવ ચૂ–પૃ. ૪૧૬ થી ૪૧૯; આવ.નિ. ૧૬૫, ૧૬૭ ની . ઉત્ત. નિ ૧૬૫, ૧૬૬; ઉત્ત.નિ. ૧૬૭ની વૃ. ઉત્ત.ભાવ.અધ્ય. ૩ – ૮ – ૪ – Page #232 -------------------------------------------------------------------------- ________________ નિલવ – તિષ્યગુપ્ત કથા ૨ ૩૧ (૨) નિલવ તિષ્યગુપ્ત કથા :–૦- પરીચય : - ભગવંત મહાવીરના શાસનમાં તિષ્યગુપ્ત નામે બીજા નિલવ થયા. તેમણે “જીવપ્રદેશિક' નામનો મત કાઢેલો. આ નવા મતની સ્થાપના તેમણે (રાજગૃહમાં) 8ષભપુરમાં કરેલી. ભગવંત મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી સોળ વર્ષે આ બીજો નિલવ ઉત્પન્ન થયો. જો કે તેને પ્રતિબોધ થતા તેણે આ નવા મતનો ત્યાગ કરી પુનઃ સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલું હતું. મૂળભૂત તે સમ્યક્દૃષ્ટિવાળા હતા, પછી મિથ્યાત્વમાં પ્રવેશ કરેલો હતો. નિત્ય પચ્ચક્ખાણ યુક્ત હતા. શેષ પરીચય જમાલિ નિભવ મુજબ જાણવો. વિશેષ એ કે તેણે પોતાનો મત આમલકલ્પમાં છોડી દીધેલો હતો. -૦- તિષ્યગુપ્ત કથા : ભગવંત મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સોળ વર્ષે બીજો નિભવ ઉત્પન્ન થયો. તેનું કથાનક આ પ્રમાણે છે – તે કાળે, તે સમયે રાજગૃહી નગરીમાં ગુણશીલ ચૈત્ય હતું. ત્યાં એક વખત ચૌદ પૂર્વધર એવા વસૂ નામના આચાર્ય ભગવંત પધાર્યા. તેમને તિષ્યગુપ્ત નામે શિષ્ય હતા. એક વખત આત્મપ્રવાદ નામના પૂર્વનો અભ્યાસ કરતા તેના ભણવામાં આ સૂત્ર–આલાપક આવ્યો. જે અંતે નવપૂણે નીત્તિ વત્તત્રં સિયા ? ઇત્યાદિ. હે ભગવન્! જીવના એક પ્રદેશમાં જીવ એવી વક્તવ્યતા થઈ શકે ? ભગવંતે કહ્યું, ના, એ અર્થ સમર્થ નથી. આ રીતે આગળ-આગળ પ્રશ્ન કરતા પૂછે છે કે, જીવના બે પ્રદેશમાં, ત્રણ પ્રદેશમાં, સંખ્યાતા પ્રદેશમાં, અસંખ્યાતા પ્રદેશમાં યાવત્ એક ઉણ સર્વ પ્રદેશમાં જીવની વક્તવ્યતા થઈ શકે કે નહીં? ભગવંત કહે ના, એ અર્થ પણ સમર્થ નથી. અર્થાત્ એક ઉણ સર્વ પ્રદેશે પણ જીવ કહેવાય નહીં. ત્યારે જીવ જ્યારે કહેવાય ? ભગવંત કહે, પરિપૂર્ણ લોકાકાશના પ્રદેશ જેટલા પ્રદેશ તુલ્ય જીવના પ્રદેશ છે અર્થાત્ તેટલા પ્રદેશે જીવની વક્તવ્યતા થઈ શકે – તે સમગ્ર પ્રદેશે જીવ કહેવાય. આ પ્રમાણે ભણતાં તિષ્યગુપ્તને એવી શંકા થઈ કે, “જીવના એક છેલ્લા પ્રદેશમાં જ જીવસંજ્ઞા રહેલી જણાય છે. કેમકે જ્યારે માત્ર એક પ્રદેશ હીન એવા સર્વ જીવપ્રદેશે પણ જીવ છે એમ કહેવાતું નથી અને માત્ર તે હીન રહેલ એક પ્રદેશ ઉમેરાતા તેને જીવ કહેવાય છે, ત્યારે એક પ્રદેશે જ જીવ છે તેમ માનવું જોઈએ. ત્યારે આચાર્ય વસૂએ તેને સમજાવ્યું કે, એક પ્રદેશ માત્રથી જીવ એવું સમજવું નહીં, પણ સમગ્ર–પ્રતિપૂર્ણ લોકાકાશ પ્રદેશતુલ્ય દેશે જીવ છે તેમ સમજવું જોઈએ. પરંતુ તિષ્યગુપ્ત પોતાના તે મતને સર્વ લોકો પાસે કહેવા લાગ્યા. ત્યારે ગુરુ ભગવંતે તેને સમજાવતા કહ્યું કે, હે શિષ્ય ! જો તું જીવના એક-બે–ત્રણ આદિ પ્રદેશે જીવપણું સ્વીકારતો નથી અને માત્ર એક છેલ્લા પ્રદેશમાં જ જીવત્વ માનીશ તો છેલ્લા પ્રદેશમાં પણ જીવપણું સિદ્ધ થશે નહીં. કેમકે સર્વનું પ્રદેશપણું તો સરખું જ છે. જેમ રેતીના હજારો કણીયામાં તેલ નથી, તો તે એક છેલ્લા કણીયામાં પણ તેલ કઈ રીતે સંભવે ? એમ તું માત્ર છેલ્લા પ્રદેશે જીવ છે તેવું માનીશ અને પૂર્વપૂર્વના પ્રદેશે જીવત્વ સ્વીકારીશ નહીં તો જીવપણું કઈ રીતે સિદ્ધ થઈ શકશે? માટે તારા માનવા પ્રમાણે તો જીવનો અભાવ જ સિદ્ધ થશે. તે અભાવ તો તું માનતો નથી, તેથી તું Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ કહે છે તે અર્થ ઇષ્ટ નથી. તિષ્યગુપ્તે પ્રશ્ન કર્યો કે, આપ જે કહો છો તેનાથી તો આગમને જ બાધ આવે છે. કેમકે હમણાં જ આવેલા સૂત્ર આલાપકમાં એકબે વગેરે પ્રદેશમાં જીવનો નિષેધ કરીને છેલ્લા જ પ્રદેશમાં જીવપણું કહેલું છે. તો આપ જગત્ બંધુ જિનેશ્વરના કહેલા સૂત્રનો કેમ નિષેધ કરો છો ? ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, જો તું સૂત્રને પ્રમાણ માનતો હો તો સાંભળ, તેમાં જ કહ્યું છે કે, “પરિપૂર્ણ લોકાકાશ પ્રદેશ તુલ્ય જીવમાં જ જીવની સંજ્ઞા છે. શ્રુતને પ્રમાણ માનનારાઓએ તો આમાં નવી કુયુક્તિઓ કરવી જ ન જોઈએ. સર્વે સમુદાયરૂપ જીવના પ્રદેશો જીવ છે. જેમ કોઈ વસ્ત્રપટ લેવામાં આવે તો તેમાં આવતા સમગ્ર તંતુના સમુદાયને જ પટ કહે છે પણ તેમાંના કોઈ એક તંતુને પટ કહેવાતો નથી કે તેના અંત્ય તંતુને પટ કહેવાતું નથી. કેમકે તેના સર્વ પ્રદેશોનું તુલ્યપણું હોય છે. એ જ રીતે જીવે અવગાહિત કોઈ એક પ્રદેશના આધારે તેને જીવ ન કહી શકાય પણ તેના એક એક પ્રદેશથી અવગાહિત સર્વે પ્રદેશના તુલ્યપણાથી સમગ્ર પ્રદેશે જીવની વક્તવ્યતા થઈ શકે. અંત્ય પ્રદેશ માફક શેષ પ્રદેશનું પણ આત્મોપકારિત્વ સિદ્ધ જ છે. આ પ્રમાણે ઘણી યુક્તિ પ્રયુક્તિથી સમજાવવા છતાં તિષ્યગુપ્ત ન સમજ્યા. આ વિશેષ યુક્તિ-પ્રયુક્તિ વિશેષાવશ્યક ભાષ્યમાં બતાવેલી છે, ઉત્તરાધ્યયન વૃત્તિમાં પણ તેનો ઉલ્લેખ છે.) ત્યારે ગુરુ ભગવંતે કાયોત્સર્ગ કર્યો - તિષ્યગુપ્તને ગચ્છ બહાર કર્યા. પછી તે તિષ્યગુપ્ત મુનિ આમલકલ્પા નામક નગરીમાં ગયા. તેણે અસદ્ભાવનાથી, મિથ્યાત્વ અભિનિવેશથી પોતાને—અન્યને અને ઉભયને વ્યુાહિત કર્યાં. આમલકલ્પા નગરીએ જઈને ત્યાં આમ્રશાલ વનમાં રહ્યા. ત્યાં મિત્રશ્રી નામે એક શ્રમણોપાસક—શ્રાવક હતો. તે મિત્રશ્રી પ્રમુખ અન્ય પણ બીજા શ્રાવકો નીકળ્યા અને ઉદ્યાનમાં તિષ્યગુપ્ત સાધુની પાસે આવ્યા. મિત્રશ્રી પણ જાણતો હતો કે આ નિર્ણવ છે. તે જાણતો હતો કે હું પછીથી તેને સમજાવીશ. તો પણ તે માયાસ્થાનપૂર્વક ગયો અને ધર્મ શ્રવણ કર્યો. ત્યારે પણ મિત્રશ્રી શ્રાવકે તેનો વિરોધ ન કર્યો. મનમાં નિશ્ચય કર્યો કે, આમને હું પ્રતિબોધ કરીશ. આગમ કથાનુયોગ-૨ એક વખત તેણે વિપુલ– સંખડી કરી અર્થાત્ મોટો જમણવાર કર્યો. તિષ્યગુપ્તને નિહ્નવ જાણી. તેને પ્રતિબોધ કરવા માટે નિમંત્રણ આપ્યું. “આજે આપ આહાર લેવા મારે ત્યાં જ પધારજો. તે નિયંત્રણ અંગીકાર કરીને મુનિ તિષ્યગુપ્ત મિત્રશ્રી શ્રાવકના ઘેર પધાર્યા. મિત્રશ્રીએ તેમને બહુમાનપૂર્વક આસન પર બેસાડ્યા. તેમની સન્મુખ ઘણાં ઉત્સાહ અને આડંબરથી ઉત્તમ પ્રકારના અનેક ભક્ષ્ય, ભોજ્ય, અન્નપાત્ર, વ્યંજન, વસ્ત્ર વગેરેનો સમૂહ ધર્યો. પછી તે સર્વેમાંથી છેલ્લો એક-એક અવયવ લઈને તેમના પાત્રમાં મૂક્યો. દાળ, કઢી, જળ વગેરેનું એક–એક બિંદુ જ આપ્યું. વજ્રમાંથી પણ એક છેલ્લો તંતુ કાઢીને આપ્યો. પછી તે શ્રાવકે તેને નમસ્કાર કરી પોતાના સર્વ બંધુઓને કહ્યું કે, તમે બધા આ સાધુને વંદના કરો. મેં આજે તેમને પ્રતિપૂર્ણ પડિલાભ્યા છે. હું આજે મારા આત્માને ધન્ય અને પુણ્યવાન્ માનું છું. કેમકે ગુરુ મારે ઘેર પધાર્યા છે. ત્યારે તિષ્યગુપ્ત બોલ્યા કે, હે શ્રાવક ! આવો એકએક કણ આપીને તે આજે મારી હાંસી કરી છે, તે તેં યોગ્ય કર્યું નથી. ત્યારે મિત્રશ્રી શ્રાવકે કહ્યું, હે પૂજ્ય ! તમારો Page #234 -------------------------------------------------------------------------- ________________ નિલવ – તિષ્યગુપ્ત કથા ૨ ૩૩ જ આ મત છે. તમારો મત સત્ય જ હોય તો આ લાડુ, ભાત, દાળ, જળ વગેરેના છેલ્લા અવયવ થકી આપની તૃપ્તિ થવી જોઈએ. તેમજ આ એક છેલ્લો વસ્ત્રતંતુ આપને શીતથી રક્ષણ કરનારો થવો જોઈએ. જો તેમ ન માનો તો આપનો જ મત મિથ્થા સાબિત થશે. તે સાંભળીને પ્રતિબોધ પામેલા તિષ્યગુપ્ત બોલ્યા કે, હે શ્રાવક ! મને સ્વસિદ્ધાંતથી પ્રતિલાભિત કરી તેં મને સારો બોધ આપ્યો. વર્ધમાન સ્વામીના સિદ્ધાંતનો પ્રતિલાભ કરીને તેં ભગવંતના સિદ્ધાંતમાં કરેલી મારી શંકાને દૂર કરી છે. આ રીતે તિષ્યગુપ્ત સમ્યક્ બોધ પામ્યા. પછી તે શ્રાવકે ભક્તિપૂર્વક તેમને સારી રીતે પ્રતિલાભિત કર્યા અને “મિચ્છાદુક્કડ' કર્યું – પોતાની અપરાધની ક્ષમા માંગી. ગુરુ ભગવંત પાસે જઈ પોતાની મિથ્યા પ્રરૂપણા સંબંધિ આલોચના–પ્રતિક્રમણ કરીને જિનેશ્વર ભગવંતની આજ્ઞાનુસાર વિચરવા લાગ્યા. સમ્યમ્ માર્ગની પ્રતિપાલના કરી તિષ્યગુપ્ત મુનિ સ્વર્ગે ગયા. ૦ આગમ સંદર્ભ :ઠા ૬૮૮, ૬૮૯ + વૃ; ઉવ ૫૧ ની વૂ કિસી.ભા. ૫૫૬૯, પપ૯૭, પ૬૧૧, -પ૬૧૮, ૫૬૨૨ થી પ૬૨૪; આવનિ ૭૭૮ થી ૭૮૮; આવ.ભા. ૧૨૭ + 4 આવયૂ.૧–પૃ. ૪૨૦, ઉત્ત.નિ ૧૬૫, ૧૬૮ ની વૃ ઉત્ત.ભાવ.અધ્ય૩–વૃ; (૩) નિલવ આષાઢ કથા :- (આષાઢ શિષ્યોની કથા) -૦- પરીચય : ભગવંત મહાવીરના શાસનમાં ત્રીજા નિલવ આષાઢ નામે આચાર્ય થયા. તેમનાથી “અવ્યક્ત' નામે મત શરૂ થયેલો. આ નિલવ મત સેવિયા (શ્વેતાંબિકા) નગરીએ ઉત્પન્ન થયેલો. ભગવંત મહાવીરને કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી ૨૧૪ વર્ષે “અવ્યક્ત” મતસિદ્ધાંત ઉદ્ભવેલો હતો. જે મતનો પછીથી તેઓએ ત્યાગ કરેલો. મૂળભૂત તેઓ સમ્યગદષ્ટિ હતા, પછી મિથ્યાત્વ પ્રવેશેલ. તેઓ નિત્ય પચ્ચકખાણ યુક્ત હતા. શેષ પરીચય જમાલિ મુજબ જાણવો. ૦ આષાઢ કથા : તે કાળે અને તે સમયે ભગવંત મહાવીરના સિદ્ધિગમન પછી ૨૧૪ વર્ષે ત્રીજો નિહ્નવ ઉત્પન્ન થયો. (અહીં પરીચયમાં કેવળજ્ઞાન પછી ૨૧૪ વર્ષ અને કથામાં નિર્વાણ (સિદ્ધિ) ગમન પછી ૨૧૪ વર્ષ એવા ભેદ એટલે નોંધાયો છે કે, આવશ્યક નિર્યુક્તિ ૭૮૨ મુજબ આ કાળ કેવળજ્ઞાન પછીનો જણાવેલ છે. જ્યારે આવશ્યક ભાષ્ય-૧૨૯, આવશ્યક ચૂર્ણિ–૧–પૃ. ૪૨૧, ઉત્તરાધ્યયન નિર્યુક્તિ ૧૬૯ની વૃત્તિ ઇત્યાદિમાં સિદ્ધિગમન પછી ર૧૪ વર્ષે જણાવેલ છે. હવે પછી બાકીના નિધવોનો કાળ ભગવંતના સિદ્ધિગમન પછીનો જ જણાવેલ છે.) શ્વેતાંબિકા નામે નગરી હતી, ત્યાં પોલાસ નામે ઉદ્યાન હતું. ત્યાં આર્ય આષાઢ નામના આચાર્ય કે, જે વાંચનાચાર્ય પણ હતા. તેઓ પોતાના ગચ્છ સહિત પધાર્યા. તે ગચ્છમાં આગમનું અધ્યયન કરનારા ઘણાં શિષ્યો હતા. તે શિષ્યો આગાઢ યોગમાં પ્રતિપન્ન થઈ અધ્યયન રત હતા. તે જ દિવસે કોઈ વિચિત્ર કર્મોના ઉદયથી આચાર્ય ભગવંતને રાત્રિના વિશુચિકા થઈ. વાયનો નિરઢ કરવાથી – યાવત્ – તેઓ કાલધર્મ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આગમ કથાનુયોગ-૨ પામ્યા. સૌધર્મકલ્પ નલિનિગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. પણ તે વૃત્તાંત કોઈના જાણવામાં ન આવ્યો. તેમણે દેવલોકમાં ઉત્પન્ન થતાની સાથે જ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકયો – યાવત્ – તેમણે તેમના શરીરને જોયું, સાધુઓને આગાઢ યોગમાં પ્રવેશ કરાવેલો જાણ્યો. તેમના પ્રત્યેના કરુણાભાવથી દેવે ત્યાં આવીને તે જ શરીરમાં પ્રવેશ કર્યો. પછી સાધુઓને જગાડીને કહ્યું, હે સાધુઓ ! વૈરાત્રિક કાલગ્રહણ કરો. દેવના વચનથી તે સાધુઓએ ક્રિયા કરી. તેમજ શ્રતના ઉદ્દેશ, અનુદેશ, સમુજ્ઞા પણ તેમની પાસે કરી. તે દેવે દિવ્ય પ્રભાવથી તે સાધુઓના કાલભંગ આદિ વિનનું નિવારણ કરીને જલદીથી તે સાધુઓના યોગ પૂર્ણ કરાવ્યા. પછી જ્યારે તે દેવ પોતાનું શરીર છોડીને સ્વર્ગમાં પાછા જઈ રહ્યા હતા ત્યારે તેમણે સાધુઓને કહ્યું, હે પૂજ્ય શ્રમણો ! ક્ષમા કરજો મેં અસંયમીએ તમોને વંદનાદિક કરાવ્યા છે તમે સંયમી છો, હું તો અમુક દિવસે કાળ કરીને સ્વર્ગમાં ગયો હતો. પણ તમારા પરની અનુકંપાથી અહીં આવીને તમારા યોગ પૂર્ણ કરાવ્યા છે ઇત્યાદિ કહી તે સાધુઓને ખમાવીને સ્વર્ગે ગયા. પછી તે સાધુઓએ તેમનું શરીર પરઠવાવી દીધું. પછી તેઓને આવા પ્રકારનો વિચાર આવ્યો કે, અહો ! આ અવિરતિ દેવને આપણે ઘણાં કાળ સુધી વંદના કરી, તેઓ બધાં સંમત થયા કે, આપણે અવ્યક્ત ભાવે તેઓને વાંદ્યા. તેથી બધાં જ અવ્યક્ત ભાવો છે, માટે બીજે સ્થાને પણ શંકા રાખવી જોઈએ. કેમકે “કોણ. સંયમી છે અને કોણ અસંયમી દેવતા છે તે કોણ જાણે છે ? માટે કોઈએ કોઈને વંદના ન કરવી એ જ શ્રેયસ્કર છે. અન્યથા અસંયમીને વંદના અને મૃષાવાદ એ બે દોષ લાગે છે. આ રીતે તેઓ અવ્યક્ત–મત વાળા નિલવ થયા. નિર્ણય કર્યો કે, જ્યાં સુધી તમને કે મને પ્રતીતિ ન થાય કે, “આ સંયત છે કે નથી ?” તમારે પણ એ પ્રમાણે જ કરવું–પ્રરૂપવું. આ જ પ્રમાણે સંયતિ કે શ્રાવકો માટે પણ અવ્યક્ત ભાવ ભાવવો. આ પ્રમાણે તેઓ અસદુભાવથી પોતાને, બીજાને અને ઉભયને વ્યર્ડ્સાહિત કરતા વિચરવા લાગ્યા. તેવા પ્રકારના ભારે કર્મના ઉદયથી તે મિથ્યા પરિણામની બુદ્ધિવાળા સાધુઓએ અવ્યક્તવાદને અંગીકાર કર્યો. પરસ્પર વંદનક્રિયાને છોડી દીધી. તે વખતે બીજા સ્થવીર સાધુઓએ તેમને અનુશાસિત કરતાં કહ્યું, જો તમારે બીજા સર્વ ઉપર સંદેહ છે, તો જેણે તમને કહ્યું કે, હું દેવ છું ત્યાં પણ તમને કેમ સંદેહ થયો નહીં કે, તે દેવ છે કે અદેવ છે? તમારા મતે જો જ્ઞાન નિશ્ચયકારી નથી, તો તેનું અનિશ્ચયકારિત્વ પણ નિશ્ચયને આધીન જ છે. વસ્તુ વ્યસ્ત હોવા છતાં અવ્યક્તત્વ સિદ્ધ થશે. જો આ અનુમાન જ્ઞાન જ હોય તો પણ તે નિશ્ચયકારી ગણશો કે નહીં ગણો ? જો તમે અનુમાનથી નિશ્ચયકારી ગણશો તો તમારી અવ્યક્તત્વની માન્યતા મિથ્યા છે. જો તમે તે જ્ઞાનને અનિશ્ચયકારી ગણશો તો નિશ્ચયથી પ્રતિજ્ઞામાં પણ સર્વથા અનિશ્ચયકારિત્વનો અભાવ થઈ જશે, પછી તેની સાધના કઈ રીતે કરશો? જો સર્વથા તમે શ્રુતજ્ઞાનને પણ જ્ઞાનની અનિચયકારિતાથી જોશો તો પછી સ્વર્ગ–અપવર્ગની સાધના માટે તદર્થે ઉપદેશાવેલ તપ વગેરે પણ અનિશ્ચિત થશે. તો પછી કેશલંચન આદિ અનર્થક થશે અને તેની પ્રરૂપણા કરનાર તીર્થંકરની પણ નિશ્ચિતતા કઈ રીતે થશે? (ઇત્યાદિ અનેક યુક્તિ-પ્રયુક્તિથી થવીરોએ સમજાવ્યા જે ઉત્તરાધ્યયન Page #236 -------------------------------------------------------------------------- ________________ નિલવ – આષાઢ કથા ૨ ૩૫ સૂત્રની વૃત્તિમાં આપેલ છે.) ત્યારે તે સાધુઓએ કહ્યું કે, આચાર્યએ પોતે જ જણાવ્યું છે કે, “હું દેવ છું" તથા દેવનું રૂપ પણ અમે પ્રત્યક્ષ જોયું છે તેથી અમને સંદેહ નથી. એટલે સ્વવીરોએ જણાવ્યું કે, જો એમ છે તો જેઓ એમ કહે છે કે, “અમે સાધુ છીએ.” તેમજ સાધુનું રૂપ પણ તમે પ્રત્યક્ષ જુઓ છો તો તેઓના સાધુપણાને માટે કેમ સંદેહ કરો છો કે, જેથી તમે પરસ્પર વંદના કરતા નથી ? વળી સાધના કરતા દેવનું વાક્ય વધુ સત્ય હોય એમ પણ તમારે ધારવું ન જોઈએ. કેમકે દેવો તો ક્રીડા-કુતૂહલ આદિ કારણે પણ અસત્ય બોલે. જ્યારે સાધુઓ તો તેવા અસત્યથી વિરમેલા હોવાથી અસત્ય બોલે નહીં. વળી જો પ્રત્યક્ષ એવા યતિને માટે પણ તમને શંકા હોય તો પછી પરોક્ષ એવા જીવ અજીવાદિ પદાર્થોને વિશે તો ઘણી જ શંકા હોવી જોઈએ. વળી યતિનો વેશ ધારણ કરેલા મનુષ્યમાં પણ સાધુપણું છે કે નહીં એવો તમને સંદેહ પડે છે તો જિનેશ્વરોની પ્રતિમા વિશે તો નિશ્ચયથી જ જિનપણું નથી તેમ માની તેને પણ વંદન કેમ કરાય ? ત્યારે સાધુઓએ ઉત્તર આપ્યો કે, અસંયમી દેવતાએ પ્રવેશ કરેલા યતિવેષને વાંદવાથી તેમાં રહેલા અસંયમરૂપ પાપની અનુમતિ આવે, તે દોષ પ્રતિમાને વિશે લાગતો નથી. સ્થવિરે કહ્યું, દેવતાએ અધિષ્ઠિત કરેલી પ્રતિમાને વિશે પણ અનુમતિરૂપ દોષ રહેલો જ છે. ત્યારે તેઓ બોલ્યા કે, શુદ્ધ અધ્યવસાયવાળો માણસ જિનેશ્વરની બુદ્ધિથી પ્રતિમાને વાંદે છે, માટે તેને પ્રતિમાને દોષ લાગતો નથી. તેથી સ્થવિરે કહ્યું કે, શુદ્ધ અધ્યવસાયવાળાને યતિબુદ્ધિથી યતિરૂપે–સાધુરૂપે વાંદતા કયો દોષ આવે છે કે, જેથી તમે પરસ્પર વંદના કરતા નથી ? ત્યારે સાધુઓએ પૂછ્યું કે, ત્યારે તો વિશુદ્ધ પરિણામવાળા લિંગમાત્રને ધારણ કરનાર પાર્થસ્થાદિકને પણ યતિબુદ્ધિથી નમે તો તેને દોષ લાગતો નથી એમ સમજવું ને ? સ્થવિરો જવાબ આપ્યો કે, તમારું કહેવું અયુક્ત છે. કેમકે પાર્થસ્થાદિકને વિશે સમ્યક્ નિર્ગસ્થપણાનો અભાવ છે, આહાર વિહાર વડે તેનામાં નિર્ગસ્થ લિંગની પ્રાપ્તિ જણાતી નથી. માટે પ્રત્યક્ષ દોષવાળા પાર્થસ્થાદિકને વંદના કરે તો તેને સાવદ્ય—અનુજ્ઞાનો દોષ લાગે છે. તમે તો સર્વત્ર શંકાવાળા છો. તેથી આહાર, ઉપધિ, શય્યા વગેરે પણ દેવતાના વિફર્વેલા હશે કે નહીં તેનો નિશ્ચય નહીં હોવાથી તે આહારાદિક પણ તમારે ગ્રહણ કરવા ન જોઈએ. આ પ્રમાણે અતિ શંકા રાખવાથી સમગ્ર વ્યવહારનો ઉચ્છેદ થશે. કેમકે નિશ્ચયકારી જ્ઞાન વિના કોણ જાણે છે કે, આ ભોજન છે કે કીડા છે ? વસ્ત્રાદિકમાં માણિક્ય છે કે સર્પ છે ? એ રીતે અવ્યક્ત મતથી સર્વ સ્થાને શંકા જ રહેશે અને ભોજન–પાન આદિ કશું વાપરી શકાશે નહીં. એ જ રીતે જેમ તમે આષાઢ દેવે ધારણ કરેલું યતિનું રૂપ જોયું એવા બીજા કેટલા દેવોને યતિરૂપે જોયા છે કે, તમે સર્વત્ર શંકાશીલ થયા છો ? કોઈ વખત કંઈ અચ્છેરારૂપે કોઈ સ્થાને દેવાદિકને જોવા માત્રથી સર્વ સ્થાને શંકા રાખવી એ યોગ્ય નથી. તેથી વ્યવહારનયનો આશ્રય કરી તમારે પરસ્પર વંદન કરવા જોઈએ. છઘસ્થોની પ્રવૃત્તિમાં વ્યવહારપ્રધાન છે. વ્યવહારનો ઉચ્છેદ કરવાથી તીર્થના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થાય છે ઇત્યાદિ યુક્તિઓ વડે સ્થવિર સાધુઓએ તેમને સમજાવ્યા, Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ આગમ કથાનુયોગ-૨ તો પણ તેઓએ પોતાનો આગ્રહ છોડ્યો નહીં, ત્યારે સ્થવિરોએ તેમને કાયોત્સર્ગપૂર્વકવોસિરાવવાપૂર્વક ગચ્છ બહાર કર્યા. તે સાધુઓ વિચરતા–વિચરતા કોઈ દિવસે રાજગૃહ નગરે ગયા. ત્યાં મૌર્યવંશી બળભદ્ર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે શ્રાવક હતો. તેના જાણવામાં આવ્યું કે, આ અવ્યક્તવાદી નિભવો અહીં આવેલા છે અને ગુણશીલ ઉદ્યાનમાં રહેલા છે. ત્યારે તે શ્રાવક રાજા તેમને બોધ પમાડવા માટે પોતાના સુભટોને બોલાવીને કહ્યું, ગુણશીલ ઉદ્યાનમાં રહેલા સાધુઓને બાંધીને અહીં લઈ આવો. સુભટો તે સાધુઓને લઈ આવ્યા. ત્યારે રાજાએ કૃત્રિમ કોપ કરીને સુભટોને કહ્યું કે, આ સર્વેને તેલની ઉકળતી કડાઈમાં નાંખો અને હાથીને પગે બાંધીને તેમનું મર્દન કરો. રાજાની આજ્ઞા સાંભળીને સુભટો હાથીઓને તથા કડાઈઓને લાવ્યા. તે જોઈને ભયભીત થયેલા સાધુઓએ રાજાને કહ્યું, હે રાજન્ ! તમે શ્રાવક છો, છતાં અમને સાધુઓને કેમ હણો છો ? રાજાએ ઉત્તર આપ્યો કે, કોણ શ્રાવક ? તમે પણ ચોર છો, લુંટારાઓ છો કે સાધુ છો તે કોણ જાણે છે ? ત્યારે તે સાધુઓએ ઉત્તર આપ્યો કે, હે રાજન્ ! અમે સાધુ જ છીએ અન્ય કોઈ નથી. ત્યારે રાજાએ કહ્યું કે, તમારા મનમાં તો સર્વ વસ્તુ અવ્યક્ત છે. તેથી તમે સાચે જ સાધુઓ છો તે કેમ જાણવું? તમે પણ કેમ કહી શકો કે તમે સાધુ જ છો ? તમારા મતે તો હું પણ શ્રાવક છું કે અન્ય કોઈ ? તે કેમ નક્કી થઈ શકે? તેથી તમે પણ મને શ્રાવક કેમ કહો છો ? જો તમે સાધુ અને હું શ્રાવક છું એમ માનશો તો પરસ્પર વંદન નહીં કરતા એવા તમારા અવ્યકતવાદની હાનિનો પ્રસંગ આવશે. તથાપિ તમે વ્યવહારનયને સ્વીકારો તો ઉત્તમ નિર્ગસ્થરૂપે હું તમારી સદ્દતણા કરું. એ વાત સાંભળી તે સાધુઓ લજ્જા પામ્યા. રાજાની વાણીથી દૃઢ બોધ પામ્યા. તેઓએ સ્વીકાર કર્યો કે, નિઃશંકપણે તેઓ શ્રમણ નિર્ગસ્થ છે. “જિનેશ્વર ભગવંતે કહેલી ક્રિયાયુક્ત અને જ્યેષ્ઠ–લઘુના વ્યવહારે પરસ્પર વંદના કરનારા અમે શ્રમણ નિર્ચન્થ છીએ” – એ પ્રમાણે વારંવાર બોલવા લાગ્યા. પછી તે સાધુઓએ કહ્યું કે, હે રાજન ! ચિરકાળથી ભ્રાંતિ પામેલા અમને આજે તમે સન્માર્ગ પમાડ્યો. તે સાંભળીને રાજા નમ્રતાથી બોલ્યો કે, તમોને પ્રતિબોધ કરવા માટે જ મેં આ અનુચિત્ત પ્રવૃત્તિ કરેલી હતી. તે સર્વ ક્ષમા કરજો. એમ કહીને તે રાજાએ સર્વ સાધુઓને વંદના કરી. તે સાધુઓ પણ બોધ પામી મિથ્યાત્વનો ત્યાગ કરી, ફરી પહેલાંની જેમજ પૃથ્વી પર વિચરવા લાગ્યા. ૦ આગમ સંદર્ભ :ઠા ૬૮૮, ૬૮૯ + 9. ઉવ ૫૧ની વૃ. નિસીભા. પપ૯૬, ૫૫૯૯, -પ૬૧૩, ૫૬૧૮, ૨૬૨૨ થી પ૬૨૪; આવ નિ ૭૭૮ થી ૭૮૮; આવ.ભા. ૧૨૯, ૧૩૦ + ગ્રં. આવયૂ. ૧–પૃ. ૪૨૧, ૪૨૨; ઉત્ત.નિ ૧૬૫, ૧૬૯ + વૃ. ઉત્ત.ભાવ. અધ્ય૩ ની વ્ર - X - X -- Page #238 -------------------------------------------------------------------------- ________________ નિતવ – અઋમિત્ર કથા ૨ ૩૭ (૪) નિલવ અશ્વામિત્ર કથા :–૦- પરીચય : ભગવંત મહાવીરના શાસનમાં ચોથો નિલવ અશ્વમિત્ર થયો. તેણે સામુચ્છેદ નામક મત કાઢેલો. આ મતની સ્થાપના તેણે મિથિલા નગરીમાં કરી. ભગવંત મહાવીરના નિર્વાણ બાદ ૨૨૦ વર્ષે અશ્વમિત્ર નિલવ થયો. તેમણે પોતાના નિલવપણાનો – મતનો જો કે પછીથી ત્યાગ કરેલો અને પુનઃ ભગવંત મહાવીરના મતનું અનુસરણ કરેલું હતું. મૂળભૂત અશ્વમિત્ર નિલવ સમ્યક્ દૃષ્ટિ હતા. નિત્ય તેઓ પચ્ચક્ખાણ કરતા હતા. શેષ પરીચય જમાલિ પ્રમાણે જાણવો. ૦ અશ્વામિત્ર-કથા : મિથિલા નગરીમાં લક્ષ્મીધર ચૈત્યના ઉદ્યાનમાં મહાગિરિ નામક આચાર્ય સમવસર્યા. તેને કૌડિન્ય નામે શિષ્ય હતા. તે કૌડિન્યને અશ્વમિત્ર નામે શિષ્ય હતા. તે દશમું અનુપ્રવાદ નામક પૂર્વ ભણતા હતા. તેમાં નૈપુણિક વસ્તુ ભણતાં છત્રયાય વક્તવ્યતાનો આલાપક ભણવામાં આવ્યો. તેમાં એ પ્રમાણે વાત આવી કે વર્તમાન સમયના સર્વે નારકી જીવો બીજે સમયે જ નાશ પામે છે, આ પ્રમાણે વૈમાનિકના જીવો પર્યત આ વાત જાણવી. એ જ પ્રમાણે બીજા સમય વગેરેના નારકી જીવો માટે પણ જાણવું. આ પ્રમાણેનો આલાપક સાંભળીને અશ્વમિત્રને એવી વિતિગિચ્છા–શંકા થઈ કે, “ઉત્પત્તિ થયા પછી તરત જ સર્વ વસ્તુ સર્વથા નાશ પામે છે.” સર્વ સંયતો નાશ પામશે અને બધાંનો સમુચ્છેદ થશે. તેનું ચિત્ત ત્યાં સ્થિર થઈ ગયું. આચાર્ય ભગવંતને તેને સમજાવ્યું કે, આ એક સમય વક્તવ્યતા છે.” પણ તેણે તે વાત ગ્રહણ ન કરી. અશ્વમિત્ર આ પ્રમાણે તે બોધ ગ્રહણ કરીને, બીજાઓને પણ વ્યર્ડ્સાહિત કરતો કહેવા લાગ્યો કે, સર્વથા સર્વ વસ્તુ ઇન્દ્રધનુષ, વીજળી અને મેઘની જેમ પ્રતિક્ષણે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેને ગુરુ ભગવંતે વિવિધ યુક્તિ-પ્રયુક્તિથી સમજાવતા કહ્યું (આ વિવિધ યુક્તિ પ્રયુક્તિની દાર્શનિક ચર્ચા ઉત્તરાધ્યયન નિર્યુક્તિ ૧૭૦ની વૃત્તિમાં કરાયેલી છે) – દરેક વસ્તુ પ્રતિક્ષણે નાશ પામે છે એવું માત્ર બૌદ્ધ મતવાળા જ માને છે અને તેવો મત માત્ર ઋજુસૂત્ર નામના ચોથા નયનો જ છે. સર્વ નિયોનો આવો મત છે પણ નહીં. અહીં જે સર્વમ્ ક્ષ મ્ ની વાત કહી છે તે તો “જુદા જુદા પર્યાયની ઉત્પત્તિ તથા નાશ થાય છે" એવી અપેક્ષાએ કોઈ પણ પ્રકારે વસ્તુનો પ્રતિક્ષણે નાશ કહેલો છે. જે સમયે નારકી આદિ પ્રથમ સમયના નારકીપણે ક્ષય પામે છે, તે જ સમયે બીજા સમયના નારકીપણે તે ઉત્પન્ન થાય છે અર્થાત્ તેનો પ્રથમ સમયનો નારકી પર્યાય નષ્ટ થાય છે અને બીજા સમયનો નારકી પર્યાય ઉત્પન્ન થાય છે. – પરંતુ જીવ–જીવદ્રવ્યપણે તો સ્થાયી જ છે. ક્ષય તો માત્ર કાળના પર્યાયથી જ થયો છે. તેથી સર્વથા વસ્તુનો – દ્રવ્યનો ક્ષય થયો તેમ માનવું ઘટાવી શકાય નહીં. કેમકે દરેક વસ્તુ ના પર્યાયો અનંતા છે. તેમાંથી માત્ર એક પર્યાયનો નાશ થવાથી સર્વથા વસ્તુનો જ નાશ માનવો એ માન્યતા શાસ્ત્ર વિરુદ્ધ જ છે. વળી હે શિષ્ય ! કદાચ તું સૂત્રના આલાવાથી ભ્રાંતિ પામ્યો હો તો સૂત્રનું જ વચન તને કહું તે સાંભળ – સૂત્રમાં જ એ વાત Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આગમ કથાનુયોગ-૨ આવે છે કે, “હે ભગવન્! નારકીના જીવો શાશ્વતા છે કે, અશાશ્વતા ? હે ગૌતમ ! કથંચિત્ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે. ફરી ગૌતમસ્વામીએ પૂછયું, એમ શી રીતે કહો છો ? હે ગૌતમ! દ્રવ્યનયને આધારે શાશ્વતા છે અને ભાવનયને આધારે અશાશ્વતા છે ઇત્યાદિ. હે શિષ્ય ! આ રીતે સૂત્રમાં પણ નારકાદિનો સર્વથા નાશ કહેલો નથી. તેઓ કાળપર્યાયને આશ્રિને પ્રથમ સમયના ભાવથી નારકીપણે નાશ પામે છે પરંતુ સર્વથા દ્રવ્યપણે નાશ પામતા નથી. કેમકે દ્રવ્યપણે તો નારકી શાશ્વતા છે જો કદાચ સર્વથા નાશ માનીએ તો પ્રથમ સમયોત્પન્ન નારકીનો સર્વથા નાશ થવાથી દ્વિતીય સમયોત્પન્ન નારકી એ વિશેષણ કઈ રીતે ઘટી શકે ? અથવા તો હે શિષ્ય ! અમે તને જ પૂછીએ છીએ કે, “સર્વ વસ્તુ ક્ષણિક છે' એમ તે કઈ રીતે જાણ્યું? જો તું એમ કહે છે કે, “મૃતથી જાણ્ય" તો સૂત્રથી થતાં અર્થનું જ્ઞાન તો અસંખ્ય સમય વડે ઉત્પન્ન થયેલા સૂત્રાર્થ ગ્રહણ કરવાના પરિણામથી જ થાય છે. જો પ્રતિક્ષણે નાશ માનીશ તો સૂત્રાર્થ ગ્રહણ ઘટી કઈ રીતે શકશે ? તાત્પર્ય એ છે કે ચિત્તની સ્થિતિ અસંખ્ય સમય સુધી રહે છે. પણ સર્વ ક્ષણિક નથી. કેમકે સૂત્રમાં જે પદો રહેલા છે તે તો સાવયવ છે, અને તે પદના દરેક અક્ષરનો ઉચ્ચાર અસંખ્યાતા અસંખ્યાતા સમયે કરી શકાય છે. તેથી તે પદોનું જ્ઞાન પણ અસંખ્યાતા સમયે થાય છે. તે સર્વ ક્ષણવાદી પક્ષમાં ઘટે જ નહીં. હે શિષ્ય ! ક્ષણિકવાદીના પક્ષમાં બીજા પણ ઘણાં દોષો આવે છે તે સાંભળ કોઈ એક વ્યક્તિ ભોજન કરવા બેસે, પણ તે ક્ષણિક હોવાથી દરેક કોળીયાનો ખાનાર જુદો જુદો વ્યક્તિ થશે અને ભોજનને અંતે ખાનારો પણ ક્ષણિક હોવાથી રહ્યો નથી. તેથી છેલ્લો કોળીયો ખાનાર કોઈ જુદો જ છે તો તેને માત્ર એક કોળીયો ખાવાથી તૃપ્તિ શી રીતે થશે? વળી ભોજન પૂર્ણ થયા પછી (તારા સિદ્ધાંત પ્રમાણે સર્વ વસ્તુ ક્ષણિક હોવાથી) ભોજનની તૃપ્તિ કોને થઈ? એ જ પ્રમાણે માર્ગમાં ગતિ કરનારો માણસ પણ ક્ષણે ક્ષણે નવો નવો થવાથી તેને કોઈ પણ વખતે શ્રમ લાગશે નહીં કેમકે પૂર્વ પૂર્વનો માણસ તો ક્ષણે ભણે નાશ પામ્યો છે. વગેરે દોષો સ્વબુદ્ધિથી જાણી લેવા. આવા દોષો-આપત્તિ આવવાથી સમગ્ર લોકવ્યવહારનો જ ઉચ્છેદ થશે. –(આ રીતે માનવાથી) ભોજન ક્રિયાનો આરંભ અન્ય કરે છે અને તૃપ્તિ બીજા માણસને થાય છે, માર્ગે કોઈ માણસ ચાલે છે અને તેનો શ્રમ કોઈ બીજાને લાગે છે. ઘટ આદિ પદાર્થોને જોનારો કોઈ માણસ છે અને તે પદાર્થનું જ્ઞાન બીજાને થાય છે. કાર્યનો આરંભ કોઈ બીજો માણસ કરે છે અને કાર્યનો કર્તા કોઈ બીજો જ થાય છે. કોઈ માણસ દુષ્કર્મ કરે છે અને તેના ફળરૂપે નરકમાં કોઈ બીજો માણસ જાય છે. ચારિત્ર કોઈ પાળે છે તેના ફળરૂપે મોક્ષે કોઈ બીજો જાય છે. વળી દરેક વસ્તુ સર્વથા ક્ષણિક હોય તો પદાર્થના મૂળ સ્વરૂપના અભાવે તે પદાર્થ દેખાય જ નહીં. જો “વાસનાની પરંપરાએ કરીને વસ્તુ દેખાય છે.” એમ કહીએ તો વાસના સંતાન પણ ક્ષણિક વારમાં જ ડૂબી જાય છે. જો “વિનાશ થયા છતાં પણ અનેક ક્ષણ સુધી વાસના રહે છે.” એમ કહીએ તો તમારા મનમાં જ મોટી હાનિ–આપત્તિ આવશે. માટે હે શિષ્ય ! હૃદયમાં મિથ્યાત્વને કેમ વધારે છે ? કેમકે કોઈ પણ વસ્તુ એકાંતે કરીને પર્યાયમય પણ નથી અને એકાંતે કરીને દ્રવ્યરૂપ પણ નથી. પણ ઉત્પાદ– Page #240 -------------------------------------------------------------------------- ________________ નિર્હાવ – અશ્ચમિત્ર કથા વ્યય અને ધ્રૌવ્યરૂપ હોવાથી અનેક પર્યાયવાળી છે. ભુવન, વિમાન, દ્વીપ, સમુદ્ર વગેરે સર્વ વસ્તુ નિત્યાનિત્યપણાથી વિચિત્ર પરિણામી અને અનેક સ્વરૂપી છે. એમ જિનેશ્વર પરમાત્માએ કહેલું છે. વળી સૂત્રમાં ભગવંતે કોઈ સ્થાને કોઈ વાત વ્યવહારનયને આશ્રિને કહી છે, તો કોઈ સ્થાને નિશ્ચયનયને આશ્રિને કહેલી છે અને કોઈ સ્થાને તે બંને ઉભયનયને આશ્રિને કહેલી હોય છે. તે સર્વ યથાર્થ બુદ્ધિથી સ્વીકારવું, પણ જિનેશ્વરના વચનમાં પોતાના મતની કલ્પના કરવી નહીં. હે શિષ્ય ! જો તું એકલા પર્યાયનયને જ અંગીકાર કરીશ તો – સુખ, દુઃખ, બંધ, મોક્ષ વગેરે કંઈ પણ ઘટશે નહીં અને માત્ર દ્રવ્યાર્થિક નયનો આશ્રય કરીએ તો પણ સુખદુઃખાદિ કંઈ ઘટે નહીં. કેમકે દ્રવ્યાર્થિક સર્વ વસ્તુ એકાંતે નિત્ય હોવાથી સર્વ વસ્તુ આકાશ માફક અવિચળ થશે. તેથી તેની વિચિત્રતા ઘટી નહીં શકે. માટે બંને પક્ષને સ્વીકારવાથી જ સર્વ વાત ઘટાવી શકાશે. વળી એકાંત પક્ષ તો અનેક દોષોથી ભરપૂર હોવાથી ત્યાગ કરવા જ લાયક છે. ૨૩૯ આ પ્રમાણે અનેક યુક્તિઓથી તેને સમજાવ્યા તો પણ જ્યારે તે સમજ્યો નહીં, ત્યારે તેને નિહ્નવ જાણીને ગચ્છ બહાર કરવામાં આવ્યા. પછી તે પોતાના મતમાં વ્યુાહિત થયેલા સાધુઓ સહ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યો. એ રીતે વિચરતા તે એકદા રાજગૃહી નગરે ગયો. વિહારમાં તે બધે ‘સમુચ્છેદ'' મતની વ્યાખ્યા કરતો જતો હતો. જ્યાં કોઈ લોકો ન હોય ત્યાં અસદ્ભાવનાથી પોતાના આત્માને ભાવિત કરતો હતો. ત્યાં ખંડરક્ષા કરનારા આરક્ષકો શ્રમણોપાસક હતા. તેઓ જકાત-કર ઉઘરાવતા હતા. તેઓએ નિહ્નવોને આવેલા જાણ્યા. તે શ્રાવકો તેમને મારવા લાગ્યા. કેમકે શ્રાવકો વિચારતા હતા કે આ નિહ્નવોને કઠોર કર્મથી બોધ પમાડવો જરૂરી છે. તે સાધુઓ ભયભીત થઈ ગયા અને કહ્યું કે, અમે તો લોકોમાં એમ સાંભળેલ છે કે, તમે ‘‘શ્રાવકો છો’’ તો પછી અમને સાધુઓને કેમ મારો છો ? અસંયત થઈને સંયતને મારો છો ? તે સાંભળી શ્રાવકોએ તેમને કહ્યું કે, તમારા સમુચ્છેદ મત પ્રમાણ જેઓએ વ્રત ગ્રહણ કર્યું છે તે સર્વે નાશ પામ્યા છે અને તમે તો વળી બીજા જ ઉત્પન્ન થયા છો. તમે ચોર કે લુંટારા જે હો તે તો તમારા મતે સ્વયં વિનશ્વર જ છે. તમારો વિનાશ કોણ કરી શકે ? તમે તો પ્રતિક્ષણ નાશ પામનારા છો, તેથી માર ખાનાર બીજા કોઈક છે અને વિનાશ પામનારા બીજા કોઈક છે. તેમજ તમારા મત પ્રમાણે અમે પણ કોઈ બીજા જ છીએ, શ્રાવક નથી. તેથી તમે અમને શ્રાવક કેમ કહો છો ? પરંતુ જો તમે જિનેશ્વરના ઉત્તમ સિદ્ધાંત–આગમને પ્રમાણ માનતા હો તો અમે પણ તમને તેવા જ ઉત્તમ સાધુ માનીને શ્રદ્ધા રાખીએ અને તમને મારીએ નહીં. જિનેશ્વર ભગવંતના સિદ્ધાંત મુજબ તો કાળ આદિની સામગ્રીથી એક જ વસ્તુ એક સમયે પ્રથમ સમયપણે નાશ પામે છે, પણ બીજા સમયપણે ઉત્પન્ન થાય છે. વળી ત્રીજા સમયે બીજા સમયપણાને છોડીને ત્રીજા સમયવાળી થાય છે. એ રીતે ચોથા– પાંચમા સમયે — યાવત્ – સમજી લેવું. આ અભિપ્રાયથી જ નારકી વગેરે જીવોને ક્ષણિક કહેલા છે. આ પ્રમાણે તે સાધુઓ પ્રતિબોધ પામ્યા અને પોતાના સમુચ્છેદ મતનો—ક્ષણિક Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આગમ કથાનુયોગ-૨ પક્ષનો કદાગ્રહ છોડીને પરમાત્માના સિદ્ધાંતને અંગીકાર કર્યો. તેથી તે શ્રાવકોએ પણ તેમને હર્ષપૂર્વક ખમાવીને વંદન કર્યું અને પોતાનું સમકિત પણ નિર્મળ કર્યું. ૦ આગમ સંદર્ભ :ઠા. ૬૮૮, ૬૮૯ + 9. ઉવ. ૫૧ની . નિસીભા પપ૯૬, ૫૬૦૪, -પ૬૧૪, ૫૬૧૮, પ૬રર થી પ૬૨૪, આવ.નિ. ૭૭૮ થી ૭૮૮; આવ.ભા. ૧૩૧, ૧૩ર + વૃક્ષ આવ યૂ.૧–પૃ. ૪૨૨, ૪ર૩; ઉત્ત.નિ ૧૬૫, ૧૭૦ + ; ઉત્ત.અધ્ય. ૩-ભાવ. (૫) નિલવ ગંગાચાર્ય | ગંગેચ કથા - –૦- પરીચય : ભગવંત મહાવીરના શાસનમાં પાંચમાં નિલવ ગંગ નામે આચાર્ય થયા, તેનું ગંગેય નામ પણ આવે છે. તેમણે “તિક્રિયા–બેક્રિયા” નામે મત કાઢેલો. આ નિલવ મત તેમણે ઉલૂકાતીરે સ્થાપિત કર્યો હતો. ભગવંત મહાવીરના નિર્વાણ પછી ૨૨૮ વર્ષે એક સમયે બે ઉપયોગની વાત કરનાર આ નિલવ થયેલા. જો કે પછીથી તેણે પોતાના મતનો ત્યાગ કરેલો અને ભગવંત મહાવીર પ્રરૂપિત સિદ્ધાંતને અંગીકાર કરેલ હતા. મૂળભૂત તેઓ સમ્યક્દષ્ટિવાળા હતા અને નિત્ય પચ્ચક્ખાણાદિ યુક્ત હતા. શેષ જમાલિ મુજબ જાણવું. ૦ ગંગાચાર્ય કથા : ઉલુકા નામે નદી હતી. તેના કાંઠે ઉલ્લકાતીર નગર હતું, બીજા કાંઠે ખેટકસ્થામ હતું. ત્યાં મહાગિરિ નામના આચાર્યના શિષ્ય ધનગુપ્ત અને તેના શિષ્ય ગંગ નામના આચાર્ય હતા. કોઈ વખતે ગંગાચાર્ય ઉલુકા નદીના પૂર્વ કાંઠે અને તેમના ગુરુ ધનગુપ્તાચાર્ય નદીના પશ્ચિમ કાંઠે ચાતુર્માસ રહેલા. એક વખત શરદઋતુમાં ગંગાચાર્ય પોતાના ગુરુને વંદન કરવા માટે ઉલૂકા નદી પાર કરતા હતા. તે વખતે સૂર્યના કિરણોથી તેમનું મસ્તક દાઝવા લાગ્યું, પગ શીતળ પાણીના સ્પર્શથી શીતળતા અનુભવતા હતા. તે વખતે પૂર્વકૃત્ મોહનીયના ઉદયથી તે એવું ચિંતવવા લાગ્યા કે, સિદ્ધાંતમાં એ પ્રમાણે કહ્યું છે કે, એક સમયે એક જ ક્રિયાનું વેદના થાય, બે ક્રિયાનો અનુભવ ન થાય. જીવ કાં તો શીત ક્રિયાને વેદે અથવા ઉષ્ણ ક્રિયાનું વેદન કરે છે. પણ મને તો અત્યારે એક સાથે બે ક્રિયાનો અનુભવ થાય છે – શીત અને ઉષ્ણ. તે બંને ક્રિયાનું વદન હું એક જ સમયે કરી રહ્યો છું. માટે આગમનું એ વચન યથાર્થ લાગતું નથી. પોતાની આવી શંકા સાથે તેઓ ગુરુ ભગવંત પાસે આવ્યા. તેમણે ગુરુ ભગવંતને પોતાના સંશયનું નિવેદન કર્યું. તે સાંભળીને આચાર્ય ભગવંતે કહ્યું કે, તું આવી પ્રજ્ઞાપના કરીશ નહીં, કેમકે એક સમયે બે ક્રિયાઓનું વેદના થઈ શકે નહીં. શીતસ્પર્શ કે ઉષ્ણસ્પર્શ કે ઉભયસ્પર્શ સાથે થઈ શકે ખરો, પણ તેનું વેદન એક સાથે થઈ શકે નહીં. હે વત્સ ! છાયા અને આતપ જેમ સમકાળે ન હોય તેમ એક કાળે બે ક્રિયાનો અનુભવ અન્યોન્ય વિરુદ્ધ હોવાથી થઈ શકે જ નહીં જે વેદના થાય છે તે અનુક્રમે જ થાય છે. કેમકે જીવને એક સમયે એક જ ઉપયોગ હોય છે. (આ રીતે અનેક યુક્તિ-પ્રયુક્તિથી ગંગાચાર્યને સમજાવ્યા. Page #242 -------------------------------------------------------------------------- ________________ નિહ્નવ ગંગ કથા જેનું દાર્શનિક વર્ણન ઉત્તરાધ્યયન નિર્યુક્તિ ૧૭૧માં વાદી-પ્રતિવાદી રૂપે કરાયેલ છે) હે વત્સ ! સમય—આવલિકા આદિ કાળ ઘણો સૂક્ષ્મ છે અને મન પણ અતિ ચપળ, અતિ સૂક્ષ્મ અને ઘણી જ ત્વરાવાળું છે તેથી તને વેદન / અનુભવનો અનુક્રમ જાણવામાં આવ્યો નથી. તેથી તું માને છે કે, એક કાળે બે ક્રિયાનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ મન એ ઇન્દ્રિયોથી ગ્રહણ ન થઈ શકે તેવા સૂક્ષ્મ પુદ્ગલના સ્કંધોથી બનેલું છે, તે મન ઇન્દ્રિઓએ ગ્રહણ કરેલા સ્પર્શનાદિક દ્રવ્ય સાથે જે વખતે સંબંધ પામે છે, તે વખતે ઇન્દ્રિયોને તે દ્રવ્યનું જ માત્ર જ્ઞાન કરાવવામાં કારણભૂત થાય છે. અન્ય પદાર્થમાં ઉપયોગ રાખનારો પ્રાણી પાસે ઉભેલા હાથીને પણ જોઈ શકતો નથી. તેથી એક પદાર્થમાં ઉપયોગવાળું મન કદાપિ બીજા અર્થનો ઉપયોગ ધરાવી શકે જ નહીં. જેમ એક મુનિ એકાગ્ર ધ્યાનમાં મગ્ન થઈને કાયોત્સર્ગે રહ્યા હતા તેવામાં તેની પાસે થઈને એક ચક્રવર્તી પોતાના સમગ્ર સૈન્ય તથા ૬૪,૦૦૦ અંતેઉરીઓ સહિત નીકળ્યો. તે વખતે સૈન્યમાં રહેલાં સંખ્યાબંધ વાજિંત્રો પણ વાગતા હતા. ચક્રવર્તીએ તે મુનિને જોઈને વિચાર્યું કે, અહો ! આ મુનિનું ચિત્ત કેવું એકાગ્ર છે કે જેથી મારું સૈન્ય, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચે ઇન્દ્રિઓને સુખ આપનારા સાધનોથી સંપૂર્ણ છતાં પણ આ મુનિ મન દઈને તેને જોતાં પણ નથી. પછી જ્યારે તે મુનિનું ધ્યાન પૂર્ણ થયું ત્યારે તેને નમીને ચક્રીને પૂછયું કે, “હે સ્વામી ! હસ્તિ, અશ્વ, રથ, વાજિંત્ર અને સ્ત્રીઓ વગેરે પાંચે ઇન્દ્રિઓને અનુકૂળ વસ્તુઓથી યુક્ત મારું સૈન્ય આપની પાસે થઈને ગયું, તે સર્વે આપે જોયું કે નહીં ? ધ્યાની મુનિએ જવાબ આપ્યો કે, તમારા સેવકોએ મને પ્રણામ વગેરે કર્યા હશે, પણ હું તો પરમાત્મધ્યાનમાં જ ઉપયોગાસક્ત હતો તેથી મેં તે કોઈપણ જોયું નથી – સાંભળ્યું નથી, જાણ્યું નથી. તે સાંભળીને ગુરુના ઉપયોગની વારંવાર સ્તુતિ કરતો તે ચક્રી પ્રતિબોધ પામીને બોલ્યો કે, પોતાની પાસે ઇન્દ્રિઓથી ગ્રહણ થાય તેવા અનેક પદાર્થો રહેલા હોય, તો પણ મનની પ્રવૃત્તિ વિના કોઈપણ પદાર્થ ગ્રહણ થતો નથી, તે સત્ય વાત છે – તો હે શિષ્ય ! જીવ જે ઉપયોગમાં વર્તતો હોય, તે જ ઇન્દ્રિયના વિષયમાં તલ્લીન થાય છે. તેથી તે બીજા પદાર્થમાં લીન થઈ શકતો નથી. ત્યારે ગંગાચાર્યએ પ્રશ્ન કર્યો કે, હે સ્વામી ! જો એક કાળે બે ક્રિયાનો ઉપયોગ ન થતો હોય તો મેં શીત અને ઉષ્ણ બંને સ્પર્શો એક સાથે કેમ વેદ્યા ? ધનગુપ્તાચાર્યે કહ્યું કે, સમય—આવલિકા આદિ કાળનો જે વિભાગ બતાવેલો છે, તે અતિ સૂક્ષ્મ છે. માટે ભિન્નભિન્ન સમયે થયેલું બે ક્રિયાનું જ્ઞાન, કમળના સો પત્ર ઉપર– ઉપર રાખીને કોઈ બળવાન્ માણસ અતિ તીક્ષ્ણ સૂચિથી તે પત્રોને વીંધે, તો પણ તે એક સમયે વીંધી શકશે નહીં. કેમકે કાળના ભેદે કરી અસંખ્યાત-અસંખ્યાત સમયે એક પત્રનો વેધ થાય છે અને ઉપરના પત્ર વિંધાયા વિના નીચેનું પત્ર વિંધી શકાતું નથી. તો પણ એ પત્રને વીંધનાર માણસ એમ માનશે કે, મેં એક જ કાળે આ બધાં પત્રો વીંધ્યા છે. વળી આલાતચક્રને ઘણી જ ત્વરાથી ગોળ ફેરવીએ તો પણ તે ચક્ર કાળના ભેદ કરીને જુદી જુદી દિશાઓમાં અનુક્રમે અનુક્રમે જ ફરે છે. તો પણ ફેરવવાનો કાળ ઘણો સૂક્ષ્મ હોવાથી, તે જાણવામાં આવતો નથી. માટે જોનારને તે ગોળ કુંડાળું જ લાગે છે. |૨/૧૬ Jain Educate nternational ૨૪૧ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ આગમ કથાનુયોગ-૨ તેવી જ રીતે શીત અને ઉષ્ણ ક્રિયાના અનુભવનો કાળ ભિન્ન હોવા છતાં પણ સૂક્ષ્મ હોવાથી તારાથી જાણી શકાયો નથી. તેથી તે બંને ક્રિયાનો અનુભવ એક જ કાળે થયો, એવું તું માને છે. વળી ચિત્ત પણ બધી ઇન્દ્રિઓની સાથે એક કાળે સંબંધ રાખતું નથી, પણ અનુક્રમે જ સંબંધ રાખે છે. તે જ રીતે ઉપલક્ષણથી મસ્તક, હાથ, પગ વગેરે સ્પર્શનેન્દ્રિયના જુદા જુદા અવયવો સાથે પણ ચિત્ત એક કાળે સંબંધ રાખતું નથી. જેમ કોઈ માણસ લાંબી અને સૂકી આંબલી ખાય છે, તેને ચક્ષુ વડે જોવાથી તેના રૂપનું જ્ઞાન થયું, નાક વડે સુંઘવાથી ગંધનું જ્ઞાન થયું. ખાવાથી રસનું જ્ઞાન થયું, સ્પર્શવાથી સ્પર્શનું જ્ઞાન થયું. ચાવવાથી શબ્દ ઉત્પન્ન થયો, તે કર્ણ વડે સાંભળવાથી શબ્દનું જ્ઞાન થયું. પરંતુ તે પાંચે જ્ઞાન અનુક્રમે જ થાય છે, નહીં તો સાંકર્ય દોષ લાગે. મતિજ્ઞાન વગેરેના ઉપયોગ વખતે અવધિ વગેરે જ્ઞાનના ઉપયોગની પણ પ્રાપ્તિ થઈ જાય ને તેમ થવાથી એક વખતે ઘટાદિક પદાર્થની કલ્પના કરતા અનંતા ઘટાદિક પદાર્થોની કલ્પનાની પ્રવૃત્તિનો પ્રસંગ પ્રાપ્ત થાય, પણ તેમ થતું નથી. વળી જિનેશ્વર પરમાત્માના ગુણનું સ્મરણ કરીને ધ્યાનમાં ઉપયોગમાં રાખતી વેળાએ પણ મિથ્યાત્વના તર્ક અને અસુરાદિકના ધ્યાનના ઉપયોગની પ્રાપ્તિ થવી જોઈએ, માટે તારા મત પ્રમાણે તો ઉપર કહેલા ઉપરાંત બીજા પણ અનેક દોષ પ્રાપ્ત થશે અને તેથી ચિંતિત અર્થ પ્રાપ્ત થશે નહીં. માટે ઉપયોગ એક કાળે એક જ વસ્તુમાં થાય છે, પણ અનેક વસ્તુમાં થતો નથી. તે જ પ્રમાણે કર્મબંધ અને તેની નિર્જરા વગેરે પણ ઘટાવવાં. આ સંબંધમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત વિચારવું. જ્યારે શ્રેણિક મહારાજાએ મહાવીરસ્વામીને પ્રસન્નચંદ્ર મુનિની ગતિનું સ્વરૂપ પૂછ્યું, તે વખતે ભગવંતે મુનિના ચિત્તમાં રહેલા પ્રશસ્ત અને અપ્રશસ્ત ઉપયોગના પરાવર્તમાનપરા અનુસાર વારંવાર જુદું જુદું ગતિનું સ્વરૂપ કહેલું, જો એક કાળે અનેક ઉપયોગ વર્તતા હોત તો જિનેશ્વર પણ એક કાળે અનેક ગતિ કહેત. પરંતુ તેવું થઈ શકતું નથી, માટે એક કાળે એક જ ઉપયોગ વર્તે છે તે પણ સત્ય છે. જ્યારે પ્રાણીનું મન શીત ઉપયોગમાં વ્યાપારવાળું હોય છે. ત્યારે તે મન ઉષ્ણ ઉપયોગમાં વર્તતું નથી. કેમકે તે પરસ્પર વિરોધી છે. આમ છતાં પણ સમકાળે બે ઉપયોગ વર્તવા વિશેની તારી માન્યતા છે તે મનના સંચારનો ક્રમ ન જાણવાથી ઉત્પન્ન થઈ છે. ત્યારે ગંગાચાર્યએ પુનઃ પ્રશ્ન કર્યો કે, હે સ્વામી ! મતિજ્ઞાનના ભેદોનું વર્ણન કરતી વખતે આપે જ બહુ, બહુવિધ, ક્ષિપ્ર ઇત્યાદિ ભેદો જણાવેલા છે. તે વખતે એક વસ્તુમાં જુદા જુદા અનેક ઉપયોગ હોય તેમ કહેલું હતું, તે કઈ રીતે ? ત્યારે આચાર્ય ભગવંતે જણાવ્યું કે, તે બહુ, બહુવિધાદિ રૂપ વસ્તુમાં અનેક પર્યાયો હોય છે. તેમનું સામાન્યરૂપે કરીને ગ્રહણ માત્ર કરવું. તે જ જ્ઞાનમાં ઉપયોગ છે તેવું બતાવવા માટે છે. પણ એક વસ્તુમાં એક કાળે અનેક ઉપયોગ કોઈ સ્થાને હોય જ નહીં. જેમ “સૈન્ય જાય છે" એ વાક્ય સામાન્ય છે, કેમકે તેમાં કોઈનો વિશેષ નિર્દેશ નથી. તેને એક ઉપયોગપણું કહેવાય છે. પણ તે સૈન્યમાં દરેક વસ્તુ ભિન્ન ભિન્ન કરીએ. જેમકે આ હાથી છે, આ અશ્વ છે, ઇત્યાદિ. વિભાગ કરીએ તો તે ભેદના અધ્યવસાયરૂપ અનેક ઉપયોગતા કહેવાય. – તે જ પ્રમાણે હે શિષ્ય ! એક જ સમયે ઘણાં વિશેષનું જ્ઞાન થાય નહીં. કેમકે Page #244 -------------------------------------------------------------------------- ________________ નિલવ – ગંગ કથા ૨૪૩ તે સર્વેના લક્ષણો ભિન્ન ભિન્ન છે. લક્ષણ એટલે શીત–ઉષ્ણ વગેરે વિશેષ વસ્તુનું સ્વરૂપ કહેવું છે. તે લક્ષણ પરસ્પર ભિન્ન ભિન્ન હોવાથી તેને ગ્રહણ કરનારા જ્ઞાનો પણ ભિન્ન ભિન્ન છે. તેથી તે જ્ઞાનો એક કાળે થાય નહીં. વળી સામાન્યનું લક્ષણ એવું છે કે જે અનેક વિષયવાળું હોય અને જે અનેકનો બોધ કરતું હોય તે સામાન્ય કહેવાય. તો સામાન્યનું પ્રથમ જ્ઞાન થયા વિના વિશેષ જ્ઞાનની ઉત્પત્તિ જ થતી નથી. માટે એક કાળે વિશેષ જ્ઞાન ન થાય, એમ સિદ્ધ થાય છે. તાત્પર્ય એ કે, પ્રથમ “વેદન અનુભવ થાય છે” એમ સામાન્યનું ગ્રહણ કરીને પછી “ઇડામાં પ્રવેશ કરવાથી ક્રમશઃ “પગમાં શીત વેદના થાય છે" એવો વેદનાનો નિશ્ચય થાય છે. તે જ રીતે મસ્તકને વિશે પ્રથમ સામાન્ય રીતે વેદનાનું ગ્રહણ થયા પછી ઇહામાં પ્રવેશ કરવાથી “મસ્તકે ઉષ્ણ વેદના થાય છે”. હે ગંગ ! એક જ પ્રાણી એક કાળે ક્રિયાઓ તો ઘણી કરી શકે છે, જેમ નર્તકી અભ્યાસ કૌશલ્યથી મુખે શબ્દો બોલે છે, નેત્રથી કટાક્ષ ફેકે છે. હાથ–પગનું આકુંચન પ્રસારણ કરે છે, આંગળીઓ હલાવે છે, ઇત્યાદિ હાવભાવ એક કાળે કરે છે પણ તેનો ઉપયોગ તો એક કાળે એક જ ક્રિયામાં હોય છે. એ જ રીતે કોઈ ભગવંતની ભક્તિ નિમિત્તે એક હાથે ચામર વીંઝે, બીજા હાથે ધૂપ કરે, મુખેથી પ્રભુના ગુણ કિર્તનરૂપ સ્તુતિ કરે, નેત્ર વડે ભગવંતની અદ્ભુત પ્રતિમા જોઈને મસ્તક ધુણાવે ઇત્યાદિ અનેક ક્રિયા સમકાળે કરે છે, પણ તેનો ઉપયોગ સમકાળે બધી ક્રિયામાં વર્તતો નથી. ઉપયોગ તો એક જ ક્રિયામાં વર્તે છે. આ પ્રમાણે ગુરુ ભગવંતે અનેક રીતે સમજાવ્યું, તો પણ ગંગાચાર્યએ પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં. અસતભાવથી પોતાના–બીજાના અને ઉભયના આત્માને બુટ્ટાહિત કરવા લાગ્યા. સાધુઓને આ પ્રમાણેની પ્રજ્ઞાપના કરવા લાગ્યા અને તેણે પોતાનો મત ન છોડ્યો ત્યારે તેને ગચ્છ બહાર કર્યા. પછી તે વિચરણ કરતા-કરતા રાજગૃહી પધાર્યા. રાજગૃહીમાં મહાતપસ્વર પ્રભાવ નામે એક કહ હતો, તેની પાસે મણિનાગ નામના યક્ષનું ચૈત્ય હતું. ત્યાં રહીને ગંગાચાર્ય પર્ષદા સમક્ષ સમકાળે બે ક્રિયા વેદવારૂપ પોતાના અસત્ પક્ષની પ્રરૂપણા કરવા લાગ્યા. તે સાંભળીને તે મણિનાગ યક્ષને કોપ ચડ્યો. તેથી તેણે કહ્યું કે, અરે દુષ્ટ ! આવી અસત્ પ્રરૂપણા કરીને અનેક પ્રાણીઓના મનમાં સંશય કેમ ઉત્પન્ન કરે છે ? આ જ સ્થાને વર્ધમાનસ્વામીનું સમવસરણ થયેલું, તે વખતે ભગવંતે એક સમયે એક જ ક્રિયાનું વદન હોય તેમ પ્રતિપાદન કરેલું. તે વખતે મેં આ ચૈત્યમાં રહીને સાંભળેલું હતું. તમે શું વીરસ્વામી કરતા પણ અધિકજ્ઞાની થયા છો કે જેથી તેમનું વચન પણ અન્યથા કરવા તત્પર થયા છો? માટે આ દુષ્ટ વાચના છોડીને ભગવંતના વચનને અંગીકાર કર, નહીં તો હમણાં આ મુદુગર વડે શિક્ષા કરીશ. પછી તેણે ગંગાચાર્યને સમજાવ્યા. ગંગાચાર્યએ તેનું કહેવું સ્વીકાર્યું, ગુરુ ભગવંત પાસે જઈને ભૂલની આલોચના કરી, પ્રતિક્રમણ કર્યું અને દર્શનના નિવપણાને છોડીને સમકિત નિર્મળ કર્યું. ૦ આગમ સંદર્ભ :ઠા. ૬૮૮, ૬૮૯ + વૃ, ઉવ. પ૧ ની વૃક નિસી.ભા. ૫૫૯૬, ૫૬૦૧, પ૬૧૫, ૫૬૧૮, ૫૬૨૨ થી ૫૬૨૪; Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ આગમ કથાનુયોગ-૨ આવ.૧–૫ ૪ર૩, ૪૨૪; આવ.નિ. ૭૭૮ થી ૭૮૮; ઉત્ત.નિ. ૧૬૫, ૧૭૧ + 9 આવ.ભા. ૧૩૩, ૧૩૪ + 9 ઉત્ત.અધ્ય. ૩ની ભાવ; – X — — — (૬) નિલવ રોહગુપ્ત કથા :–૦- પરીચય : ભગવંત મહાવીરના શાસનમાં છઠા નિલવ રોહગુપ્ત થયા. તેમણે ત્રિરાશિક (તૈલિય) મત કાઢેલો. આ મતની સ્થાપના તેમણે અંતરંજિકા નગરીમાં કરેલી. ભગવંત મહાવીરના નિર્વાણથી ૫૪૪ વર્ષે આ નિદ્ભવ થયેલો. જીવનપર્યત તેણે પોતાનો મત છોડ્યો નહીં. મૂળભૂત સમ્યક્ દૃષ્ટિ એવો રોહગુપ્ત પછી મિથ્યાત્વ અભિનિવેશવાળો થયો. જો કે તે નિત્ય પચ્ચકખાણી હતો, સાધુવતુ લિંગને ધારણ પણ કરતો હતો. તેનો શેષ પરીચય જમાલિ અનુસાર જાણવો. ૦ રોહગુપ્ત કથા - –૦કોના શિષ્ય ? રોહગુપ્તનો ઉલ્લેખ આર્ય મહાગિરિના શિષ્યરૂપે પણ આવે છે અને શ્રીગુણના શિષ્યરૂપે પણ મળે છે તે આ પ્રમાણે (૧) કલ્પસૂત્રકાર સ્થવિરાવલિમાં જણાવે છે કે, એલાપત્યગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિને આઠ સ્થવિર શિષ્યો હતા. તેમાંના એક કૌશિકગોત્રવાળા સ્થવિર પુડુલુક રોહગુપ્ત. (૨) આવશ્યક ભાષ્ય–૧૩૬, કલ્પસૂત્ર વૃત્તિમાં તેમને આચાર્ય શ્રી ગુરૂના શિષ્ય કહા છે. (૩) આવ યૂ.૧–પૃ. ૪૨૪માં તેને આચાર્ય શ્રી ગુપ્તના સક્રિયર કહ્યા છે, અને ઉત્ત.નિ ૧૭૨ની વૃત્તિમાં તેને સ્થવિર શ્રી ગુપ્તના ભેદ (શૈક્ષ) કહ્યા છે. ભેદ નો અર્થ નવદીક્ષિત કે નાનો સાધુ પણ થાય છે. (૪) સ્થાન–સૂત્ર ૬૮૮ની વૃત્તિ તથા નિસી.ભા. પ૬૧૬ની ચૂર્ણિમાં આવો કોઈ ઉલ્લેખ નથી, ત્યાં તો રોગુપ્ત શ્રી ગુણાચાર્યને વંદનાર્થે જતા હતા તેમજ લખ્યું છે. અનુમાનથી એમ કહી શકાય કે, સ્થવિરાવલિ મુજબ રોહગુપ્ત મૂળભૂત આચાર્ય મહાગિરિના જ શિષ્ય હોય. પરંતુ આર્ય મહાગિરિ જ્યારે જિનકલ્પની તુલના કરતા વિચરતા હતા, ત્યારે તેણે પોતાનો શ્રમણગણ તેમના ગુરુભાઈ વાશિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સુહસ્તિને સોપેલ હોય. તે સ્થવિર આર્ય સુહસ્તિને બાર સ્થવિર શિષ્યો હતા. જેમાંના એક શ્રીગુપ્ત સ્થવિર હતા. આર્ય સુહસ્તિ બાદ શ્રીગુપ્ત આચાર્યની નિશ્રામાં રોહગુપ્ત રહ્યા હોય, ત્યારે તે તેમના શિષ્ય કે શૈક્ષ કે સુઝિયર રૂપે હોય તેથી શિષ્ય ગણ્યા હોય. (આ અનુમાનની સત્યતા બહુશ્રુતો જ કહી શકે). –૦- ષડુલુક કેમ કહેવાયા? રોહગુપ્ત દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય નામના છ પદાર્થોની પ્રરૂપણા કરેલી. તેથી તે ૬ (છ) કહેવાયા અને ઉલક એટલે કૌશિક ગોત્રમાં ઉત્પન્ન થયા હોવાથી ઉલૂક કહેવાયા. કેમકે કૌશિક અને ઉલૂક બંને શબ્દ સમાન અર્થવાળા છે. રોહગુપ્ત કૌશિક ગોત્રવાળા હતા, તેથી તેને ઉલૂક પણ કહે છે. આ રીતે તેઓ છ પદાર્થના પ્રરૂપક હોવાથી અને ઉલૂક ગોત્રમાં ઉત્પન્ન થયેલા હોવાથી ષડુલૂક (છલૂઅ) કહેવાયા. તેણે ઐરાશિક નામનો મત કાઢેલો. એટલે કે જીવ–અજીવ અને નોજીવ એ પ્રમાણે ત્રણ રાશિની Page #246 -------------------------------------------------------------------------- ________________ નિલવ – રોહગુપ્ત કથા ૨૪૫ પ્રરૂપણા કરનારો તેનો પરિવાર થયો. તે આ પ્રમાણે– ૦ રોહગુપ્ત મુનિનો પોર્ટુશાલ સંન્યાસી સાથે વાદ : અંતરંજિકા નામે નગરી હતી, ત્યાં ભૂતગૃહ ચૈત્ય હતું. ત્યાં શ્રીગુપ્ત નામના આચાર્ય પોતાના ગચ્છ સહિત બિરાજમાન હતા. તે નગરીમાં બલશ્રી નામે રાજા હતો. રોહગુપ્ત મુનિ કોઈ અન્ય ગામમાં હતા. તેઓ આચાર્ય ભગવંતના વંદનાર્થે તે નગરીમાં આવ્યા. ત્યાં એક પરિવ્રાજક પાટાથી પોતાનું પેટ બાંધીને અને જાંબુના વૃક્ષની શાખા હાથમાં લઈને તે નગરીમાં ભ્રમણ કરતો હતો. તે જોઈને લોકોએ તેને પૂછયું કે, “આ શું છે?” ત્યારે તે પરિવ્રાજક બોલ્યો કે, મારું ઉદર/પેટ ઘણાં જ્ઞાનથી ભરાઈ ગયું છે માટે તે ફાટી જવાના ભયથી તેને લોઢાના પટ્ટા વડે બાંધી લીધું છે અને આખા જંબૂદ્વીપમાં મારો કોઈ પ્રતિવાદી નથી એવું જણાવવાને માટે આ જંબૂવૃક્ષની શાખા હાથમાં રાખેલી છે. પછી તે પરિવ્રાજકે એવો પટડ વગડાવ્યો કે, આ આખી નગરી શૂન્ય છે, સર્વે પરપ્રવાદી છે, પણ મારો કોઈ પ્રતિવાદી નથી. નગરીમાં પ્રવેશ કરતા રોહગુસે તે પહ જોયો અને ઉદ્ઘોષણા સાંભળી. તેથી રોહગુણે તે પોટ્ટશાલના પટાને વગાડાતો બંધ કરાવ્યો અને કહ્યું કે, હું તેની સાથે વાદ કરીશ. એમ તેણે ઉદૂઘોષણાનો પ્રતિષેધ કરાવ્યો. આચાર્ય ભગવંત પાસે પહોંચી, તેણે ઇર્યાપથ આલોચનાદિ કરી, વંદન કરીને કહ્યું કે, મેં પોર્ટુશાલ પરિવ્રાજકનો પટ રોકીને તેમની સાથે વાદ કરવાનું નક્કી કર્યું છે. સમગ્ર વૃતાંત સાંભળીને આચાર્ય ભગવંતે કહ્યું કે, તે આ અકાર્ય કર્યું છે. કેમકે તે પરિવ્રાજક ઘણી વિદ્યાનો જ્ઞાતા છે. કદાચ તે વાદમાં પરાભવ પામે તો મંત્રવિદ્યાથી પ્રતિવાદીને ઉપદ્રવ કરે છે. તે પરિવ્રાજક વીંછી, સર્પ, ઉદર, મૃગ, સુવર, કાગડા અને સમળી એ સાત વિદ્યાઓમાં કુશળ છે. વિદ્યા વડે ઉદ્ભટ એવો તે મંત્ર દ્વારા આ સાતને વિકર્વીને પ્રતિવાદીને ઉપસર્ગ કરે છે તે સાંભળી રોહગુણે કહ્યું કે, એમ હોય તો પણ હવે ક્યાં નાસીને જવાય એમ છે ? તે પટકનો તો પ્રતિષેધ કર્યો જ છે. ત્યારે આચાર્ય શ્રીગણે કહ્યું કે, જો એવો જ નિશ્ચય હોય તો માત્ર પાઠ કરવાથી જ સિદ્ધ થાય એવી અને તેની વિદ્યાનો નાશ કરનારી આ સાત વિદ્યાને તું ગ્રહણ કર. એમ કહીને તેને મયુરી, નકુલી, બિડાલી, વ્યાઘી, સિંડી, ઉલૂકી અને શ્યની નામની સાત વિદ્યાઓ આપી. આ વિદ્યા વડે અનુક્રમે મોર, નોળીઓ, બિલાડા આદિ સાત ઉત્પન્ન થઈ શકશે. એ સાત વિદ્યાઓ આપ્યા પછી આચાર્ય ભગવંત તેને અભિમંત્રિત કરેલ રજોહરણ આપ્યું અને કહ્યું કે, જો કદાચ તે તાપસ અન્ય કોઈ વિદ્યાથી બીજો કાંઈ ઉપદ્રવ કરે તો તેના નિવારણ માટે તારે આ રજોહરણને તારા મસ્તક પર ફેરવવું. તેમ કરવાથી તું અજેય અને ઉપદ્રવ રહિત થઈશ. પછી ઇન્દ્ર પણ તને જીતી શકશે નહીં. રોહગુપ્ત મુનિ તે વિદ્યાને ગ્રહણ કરીને બલશ્રી રાજાની રાજસભામાં ગયા. ત્યાં તેણે કહ્યું કે, આ ભિક્ષુ પરિવ્રાજકમાં શું જ્ઞાન છે ? તેથી પ્રથમ તે જ પોતાની ઇચ્છા પ્રમાણે પૂર્વ પક્ષ કરે, તેનો હું ઉત્તર આપીશ. તે સાંભળીને તાપસે વિચાર્યું કે, આ જૈન સાધુઓ ઘણાં નિપુણ હોય છે, માટે તેમના જ સંમત પક્ષનો આશ્રય કરીને હું બોલું કે, જેથી તે તેનું નિરાકરણ કરી જ શકે નહીં એમ વિચારી તે બોલ્યો કે, દુનિયામાં જીવ અને અજીવ એવી બે જ રાશિ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ આગમ કથાનુયોગ-૨ છે, કારણ કે તે જ પ્રમાણે જોવામાં આવે છે. તેથી સુખ અને દુઃખ, ધર્મ અને અધર્મ, પુણ્ય અને પાપ, દ્રવ્ય અને ભાવ, રાત્રિ અને દિવસ ઇત્યાદિ બબ્બે રાશિની જેમ. તે સાંભળીને રોહગુપ્ત વાદીનો પરાભવ કરવા માટે પોતાના સંમત પક્ષને પણ છોડી દઈ તેને અસત્ય ઠરાવવા કહ્યું કે, તે જે હેત આપ્યો છે તે બીજી રીતે જોવામાં આવે છે, તેથી અસિદ્ધ છે. સાંભળ દુનિયામાં જીવ, અજીવ અને નોજીવ એવી ત્રણ રાશિ છે, તે આ પ્રમાણે– સંસાર સ્થાયી મનુષ્ય-તિર્યંચ આદિ જીવ છે, પરમાણુ-ઘડો આદિ અજીવ છે અને ગરોળીની કપાયેલી પૂંછડી વગેરે નો જીવ છે. તેથી જીવ–અજીવ અને નોજીવ એ ત્રણ રાશિ સિદ્ધ થાય છે. વળી તે જ પ્રમાણે જોવામાં આવે છે. તેથી, સત્ત્વ, રજસ, તમન્ એ ત્રણ ગુણ, હસ્વ-દીર્ઘ અને ડુત એ ત્રણ સ્વર, વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણ કાળ, પ્રાતઃ–મધ્યાહુ અને સાયં એ ત્રણ સંધ્યા, એક વચન, દ્વિવચન અને બહુવચન એ ત્રણ વચન, સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણ લોક, બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ એ ત્રણ દેવ, અધમ–મધ્યમ અને ઉત્તમ ઇત્યાદિ ત્રણ-ત્રણ રાશિની જેમ. ઇત્યાદિ અનેક યુક્તિઓ વડે રોહગુપ્ત એ ત્રણ રાશિની સિદ્ધિ કરીને તેણે પોર્ટુશાલ પરિવ્રાજકને પરાજિત કર્યો. તેથી તે પરિવ્રાજકે ક્રોધાવેશમાં આવીને રોહગુપ્તના નાશ માટે વૃશ્ચિક વિદ્યાનું સ્મરણ કરી વીંછીઓ વિકુર્બા, ત્યારે રોહગુપ્ત ગુરુ ભગવંત પાસેથી મેળવેલી મયૂરી વિદ્યા વડે મોર વિફર્વી તે વિદ્યાનો વિઘાત કર્યો. ત્યારે પરિવ્રાજકે સર્પ છોડ્યા, તેના પર રોહગુપ્ત નોળીયા છોડ઼યા. એ પ્રમાણે ઉંદર પર બિલાડી, મૃગ ઉપર વાઘ, સુવર ઉપર સિંહ અને કાગડા ઉપર ઘુવડ છોડ્યા. તેથી અત્યંત ક્રોધ પામી પોટ્ટાલે અતિ દૂષ્ટ સમળીઓ મૂકી, તેના પર રોહગુપ્ત મુનિએ બાજ છોડીને તેનો પરાભવ કર્યો. તે જોઈને પરિવ્રાજકે રાસથી વિદ્યા છોડી. તેને આવતી જોઈને રોહગુપ્તમુનિએ પોતાના શરીર ફરતા–મસ્તક ઉપર રજોહરણ ફેરવવા માંડ્યું. તેના પ્રભાવથી રાસથી પ્રભાવ રહિત થઈ ગઈ અને તે રાસલી તાપસ ઉપર મૂત્ર-પુરીષ કરીને જતી રહી. તે સર્વ જોઈને સભાપતિ રાજાએ તથા સભાના સમગ્ર લોકોએ તે તાપસની નિંદા કરીને તેને નગરમાંથી કાઢી મૂક્યો. ૦ ગુરુ ભગવંત દ્વારા રોહગુપ્તને મિથ્યા માન્યતા છોડવા સમજાવવા : પછી રોહગુપ્તમુનિ મહોત્સવ પૂર્વક ગુરુ ભગવંત પાસે આવ્યા. આવીને સર્વ વૃત્તાંત કહ્યો. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, હે વત્સ ! તે રાજસભામાં વાદીને હરાવીને વિજય મેળવ્યો છે તો ઘણું સારું કર્યું, પરંતુ સભામાંથી ઉઠીને આવતાં તે એમ કેમ ન કહ્યું કે, માત્ર વાદીને જીતવા માટે જ મેં ત્રણ રાશિનું સ્થાપન કર્યું છે. પણ વાસ્તવિક રીતે તો જીવ અને અજીવ એ જ રાશિ છે. જે જીવ–અજીવ–નોજીવ એ ત્રણ રાશિની સ્થાપના કરી તે ઉત્સુત્ર છે. માટે ફરીથી રાજસભામાં જા અને મિથ્યાદુકૃત દઈને આવ. એ પ્રમાણે ગુરુએ ઘણીવાર ઘણી રીતે કહ્યું, ત્યારે રોહગુપ્તમુનિને વિચાર આવ્યો કે, આવી મોટી રાજસભામાં પોતે જ ત્રણ રાશિ પ્રરૂપીને, પાછો હું પોતે જ ત્યાં જઈ પોતાને અપ્રમાણિક કેમ કરું ? એ પ્રમાણે અહંકાર લાવી, તે રાજસભામાં ન ગયો અને આચાર્ય શ્રીગુપ્તની સામે થઈને બોલ્યો કે, મારું કથન સત્ય છે. જો કદાચ નોજીવ નામનો ત્રીજો રાશિ માનતા કાંઈ દોષ આવતો હોય તો તે સિદ્ધાંત અસત્ય છે, પણ તેમાં કાંઈ દોષ આવતો નથી. Page #248 -------------------------------------------------------------------------- ________________ નિલવ – રોહગુપ્ત કથા ૨૪૭ કેમકે ગરોળીની પૂંછડી વગેરે જીવના દેશ ભાગને નોજીવ કહીએ તો તેમાં શો દોષ છે ? સૂત્રમાં ધર્માસ્તિકાય વગેરેના દશ પ્રકાર કહ્યા છે, તેમાં તે ધર્માસ્તિકાયના પ્રદેશને પૃથગૂ વસ્તુપણું કહેલું જ છે, નહીં તો દશ પ્રકારો થાય જ નહીં. તે જ પ્રમાણે ગરોળીની પૂંછડી અને મનુષ્યના છેડાયેલા હાથ વગેરે અવયવો તે છેદાયેલા હોવાથી જીવથી ભિન્ન છે, અને તે અવયવો ફરાયમાન થાય છે, તેથી તે અજીવથી પણ ભિન્ન છે. માટે અવશ્ય તે અવયવો જુદી જ વસ્તુ છે એમ સિદ્ધ થાય છે માટે તે નોજીવ છે. તે સર્વે સાંભળીને ગુર તેને સાથે લઈને રાજસભામાં ગયા. ત્યાં સત્ય માર્ગની પ્રરૂપણા કરીને શિષ્ય કરેલા પ્રશ્નોનું આગમ અનુસાર નિવારણ કર્યું કે, સૂત્રમાં જીવ અને અજીવ એ જ રાશિ કહેલાં છે, વળી ધર્માસ્તિકાય વગેરેના પ્રદેશ તે ધર્માસ્તિકાયાદિકથી કંઈ જુદા નથી. તેવી જ રીતે પૂચ્છ આદિ પણ ગરોળી વગેરે જીવોથી અભિન્ન છે. તે જીવ સંબંધિ હોવાથી જીવ જ છે. તે વિશે ભગવતીજી સૂત્રમાં કહ્યું છે કે, હે ભગવંત ! કાચબો કે કાચબાની શ્રેણી, ગરોળી કે ગરોળીની શ્રેણી, વૃષભ કે વૃષભની શ્રેણી, મનુષ્ય કે મનુષ્યની શ્રેણી, પાડો કે પાડાની શ્રેણી, તેના બે ખંડ, ત્રણ ખંડ યાવત્ સંખ્યાતા ખંડ છેદીને કરવામાં આવે તો તેના આંતરામાં જીવપ્રદેશ પ્રગટપણે છે ? ભગવંતે કહ્યું, હે ગૌતમ ! પ્રગટપણે છે. હે ભગવંત! કોઈ પુરુષ તે આંતરામાં રહેલ જીવ પ્રદેશને હાથ વડે, પગ વડે, કાષ્ઠ વડે, તીર્ણ શસ્ત્ર વડે છેદતો એવો અથવા અગ્નિકાય વડે બાળતો એવો તેને કાંઈ અલ્પ બાધા કે વિશેષ બાધા ઉપજાવી શકે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. ફરી રોહગુપ્તમુનિએ પ્રશ્ન કર્યો કે, ગરોળીના દેહ અને પૂંછડીની વચમાં પણ જીવના પ્રદેશો રહેલા છે, એમ સૂત્રમાં કહ્યું છે, તો તે વચમાં રહેલા જીવના પ્રદેશો કેમ જણાતા નથી ? આચાર્ય ભગવંતે જણાવ્યું કે, જીવપ્રદેશો અરૂપી હોવાથી દેખાતા નથી. જેમ દીવાના કિરણો પૃથ્વી, ભીંત કે કોઈ પાત્ર વગેરે મૂર્તિમાન વસ્તુ ઉપર પડેલા હોય તો તે જોવામાં આવે છે, પણ કેવળ આકાશમાં ફેલાયેલા હોય તો તે ગ્રહી શકાતા નથી. તે જ પ્રમાણે વચમાં રહેલા જીવપ્રદેશો જણાતા નથી. બોલવું, શ્વાસ લેવો, દોડવું, વળગવું, ઝૂરવું વગેરે ક્રિયાઓ દેહને વિશે જણાય છે, પણ વચમાં જણાતી નથી, માટે સૂક્ષ્મ કામણ દેહથી યુક્ત છતાં પણ તે જીવપ્રદેશો દારિક દેહ વિનાના હોવાથી જણાતા નથી. અથવા હે રોહગુપ્ત ! તું જેને જીવ કહે છે, તેના પ્રદેશો જીવથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો તું ભિન્ન છે એમ કહે તો જીવની સાથે ફરીથી તેનો સંગમ કઈ રીતે થાય ? કેમકે ભિન્ન પ્રદેશ બીજે સ્થાને પણ પરમાણુની જેમ મળી જાય છે અને તે પ્રદેશોનો બીજા જીવ સાથે સંગમ થવાથી તે બંને જીવોનો કર્મનો સંકર થયો. તેથી બંને જીવના સુખદુઃખાદિક પણ મળી જવા જોઈએ, પણ તેવું થતું નથી. માટે તે ભિન્ન છે તેવું કહી શકાતું નથી. હવે તે પ્રદેશો “જીવથી અભિન્ન છે' એમ તું કહે તો, તે પ્રદેશના જીવના અંતર્ગત્ છે એમ કહેવું જોઈએ. માટે બે જ રાશિ સિદ્ધ થશે, ત્રણ રાશિ સિદ્ધ નહીં. ત્યારે રોહગુપ્તમુનિએ કહ્યું, તે પ્રદેશ અભિન્ન છે તો પણ સ્થાનનો ભેદ થયો, માટે તેને નોજીવ કહેવો પડે. જેમ આકાશમાં એક છતાં સ્થાનભેદથી ઘડામાં રહેલું આકાશ ઘટાકાશ' અને ઘરમાં રહેલું આકાશ “ગૃહકાશ” કહેવાય છે. તેમ સ્થાનભેદથી નોજીવ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ આગમ કથાનુયોગ-૨ કહેવામાં શું બાધ છે ? ત્યારે શ્રીગુપ્ત આચાર્યએ કહ્યું- જો એમ કહીશ તો “નોઅજીવ' નામનો ચોથો રાશિ પણ તારે અંગીકાર કરવો પડશે. કેમકે આકાશાદિ અજીવ છે, તેના પણ પ્રદેશો સંભવે છે, તેથી તે પ્રદેશોને સ્થાનભેદની વિવલાથી “નોઅજીવ' કહેવા પડશે અને તેમ કહેવાથી ચાર રાશિ થશે. પરંતુ જેમ લક્ષણના સમાનપણાથી નોજીવ જીવથી ભિન્ન નથી તેમજ સમાન લક્ષણ હોવાથી નોઅજીવ પણ જીવથી ભિન્ન નથી. આ પ્રમાણે શ્રીગુપ્ત આચાર્ય અને રોગમુનિને યાદ કરતા છ માસ વ્યતીત થયા. ત્યારે બલશ્રી રાજાએ આચાર્ય મહારાજને કહ્યું કે, હવે આ વાદ સમાપ્ત કરો, કેમકે હંમેશાં આની વ્યગ્રતાથી મારા રાજકાર્યો સીદાય છે ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, આટલા દિવસ સુધી મેં આ શિષ્યને માત્ર ક્રીડા કરાવી છે. પણ હવે પ્રાતઃકાળે તેનો હું અવશ્ય નિગ્રહ કરીશ. પછી બીજે દિવસે શ્રીગુપ્તાચાર્યે રાજાને કહ્યું કે, આ દુનિયામાં જેટલી વસ્તુ છે તે સર્વે કૃત્રિકાપણમાં મળે છે, તે તમે તથા સર્વ લોકો જાણે છે. માટે આપણે ત્યાં જઈએ અને નોજીવની માંગણી કરીએ. પછી ગુરુ ભગવંત સર્વપરિવાર તથા રોહગુપ્તને લઈને કૃત્રિકાપણ ગયા. ત્યાં કૃત્રિકાપણના અધિષ્ઠિત વ્યંતર દેવ પાસે જીવ, અજીવ અને નોજીવની માંગણી કરી, જ્યારે જીવની માંગણી કરી ત્યારે તેણે મેના-પોપટ આદિ આપ્યા. જ્યારે અજીવની માંગણી કરી ત્યારે તેણે પત્થરના ટુકડા આદિ આપ્યા. જ્યારે નોજીવની માંગણી કરી ત્યારે પહેલા કહ્યું કે, “નોજીવ" નથી. ફરી માંગ્યુ તો પત્થર વગેરેના ખંડ જ આપ્યા. કેમકે “નો' શબ્દ નકાર વાચી છે અર્થાત્ અજીવ અને નોજીવમાં કોઈ ભેદ નથી. છેવટે “નોઅજીવ' માંગ્યો તો ફરી તે દેવે મેના-પોપટ આપ્યા. કેમકે નો– અજીવ નો અર્થ તેણે કર્યો જે અજીવ નથી તે અર્થાત્ જીવ એ રીતે જીવ અને અજીવ સિવાય તેણે કંઈ આપ્યું નહીં. એ રીતે બે જ રાશિ સિદ્ધ થઈ. – આ રીતે ત્રીજી રાશિ સિદ્ધ થઈ શકી નહીં, પછી આચાર્ય ભગવંતે રોહગુપ્તમુનિને સમજાવ્યું કે, હવે તું તારો કદાગ્રહ છોડી દે. જો કદાચ જગત્માં નો જીવ વસ્તુ જૂદી હોત તો દેવતા કેમ ન આપત ? એ રીતે ૧૪૪ પ્રશ્નો કરીને રાજાની સમક્ષ ગુરુએ તેનો નિગ્રહ કર્યો, તે આ પ્રમાણે – અહીં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ મૂળ પદાર્થોની ભેદ કલ્પના કરી, તેમાં પાંચ મહાભૂત-કાળ, દિશા, આત્મા અને મન એ નવ પ્રકારના દ્રવ્ય કર્યા. રૂપ, રસ, સંખ્યા, બુદ્ધિ, તેષ વગેરે સત્તર ભેદ ગુણના કર્યા. ઉલ્લેપણ, અપેક્ષપણ, આકુંચન, પ્રસારણ અને ગમન એ પાંચ ભેદ ક્રિયાના (કર્મના) કર્યા. ત્રણ પ્રકાર સામાન્યના કર્યા અને એક–એક ભેદ વિશેષનો તથા સમવાયનો ગ્રહણ કર્યો. તે સર્વે મળીને (૯ + ૧૭ + પ + ૩ + ૧ + ૧) છત્રીશ ભેદ થયા. તે સર્વના પ્રકૃતિ, અકાર (અલ્પનિષેધ), નોકાર (સર્વથા નિષેધ) અને ઉભય નિષેધ એમ ચાર ચાર પ્રકાર કર્યા. એટલે (૩૬ ૪ ૪) ૧૪૪ ભેદ થયા. પછી કૃત્રિકાપણ દેવ પાસે જઈને પૃથ્વી માંગી, ત્યારે તેણે પાષાણ આપ્યો, કારણ કે પ્રકૃત્તિથી–મૂળથી તે શુદ્ધ પૃથ્વી જ છે. અપૃથ્વી માંગી ત્યારે તેણે જળ વગેરે આપ્યું. કેમકે અપૃથ્વી એટલે પૃથ્વી સિવાયનું. નોપૃથ્વી માંગી ત્યારે “નો" શબ્દના થોડો નિષેધ અને સર્વથા નિષેધ એવા બંને અર્થ કરીને પહેલા થોડો નિષેધ ધારીને પાષાણનો ટુકડો Page #250 -------------------------------------------------------------------------- ________________ નિલવ – રોહગુપ્ત કથા ૨૪૯ આપ્યો અને સર્વથા નિષેધ ધારીને જળ વગેરે આપ્યું. જ્યારે નોઅપૃથ્વી માંગી ત્યારે પાષાણનો ટુકડો જ આપ્યો. કેમકે નોઆજીવની જેમ નોઅપૃથ્વીનો અર્થ પૃથ્વી જ થાય છે. આ પ્રમાણે જળ વગેરે સર્વેમાં ચાર-ચાર ભેદ ગણવા. નિશ્ચયનયના મતે તો જીવ અને અજીવ એ જ પદાર્થો છે. આવી રીતે ગુરુ ભગવંતે તેને અનેક પ્રકારે સમજાવ્યા. પણ રોગુણે તેનો દુરાગ્રહ-મિથ્યાભિનિવેશ છોડ્યો નહીં. ૦–૦ રોહગુપ્તને નિલવ જાહેર કરવા : ત્યારે શ્રીગુણાચાર્ય બળખા નાખવાની કુંડીમાંથી ભસ્મ લઈને રોહગુપ્તમુનિના મસ્તક પર નાંખી અને ગચ્છની બહાર કર્યો. બલશ્રી રાજાએ પણ “મહાન્ એવા વર્ધમાન સ્વામીનો જય થાઓ" એ પ્રમાણે ઉચ્ચ સ્વરે બોલી નગરમાં એવી ઉદ્દઘોષણા કરાવી કે ગુરુના પ્રતિપક્ષી એવા રોહગુપ્તને જે માન્ય કરશે તે રાજનો દ્રોહી ગણાશે. તેને નિલવ જાહેર કરી ગુરુએ સંઘ બહાર કર્યા. પછી રોહગુએ પોતાની બુદ્ધિથી વૈશેષિક શાસ્ત્રની રચના કરી. એ રીતે ભગવંત મહાવીરના નિર્વાણ પછી ૫૪૪ વર્ષ પોતાના ત્રણ રાશિના નવા મતની સ્થાપના કરતો વૈશેષિક એવો તે છઠો નિભવ થયો. ૦ આગમ સંદર્ભ :ઠા. ૬૮૮, ૬૮૯ + વૃ, ઉવ ૫૧ ની વૃ; નિસીભા પપ૯૬, ૫૬૦૨ થી પ૬૦૬, ૧૬૧૬, ૫૬૧૮, ૫૬૨૨ થી પ૬૨૪; બુહ.ભા. ૭૫૬ની , આવ.નિ. ૭૭૮ થી ૭૮૮; આવ.ભા. ૧૩૫, ૧૩૬ + , આવત્ ૧–પૃ. ૪૨૪ થી ૪૨૬; ઉત્ત.નિ ૧૬૫, ૧૭૨ થી ૧૭૪ ની વૃ; કલ્પસૂત્ર વ્ય. ૮ની વૃત્તિ. (૭) નિલવ ગોષ્ઠામાહિલ કથા – -૦- પરીચય : ભગવંત મહાવીરના શાસનમાં સાતમાં નિલવ ગોષ્ઠામાહિલ થયા. તેમણે અબદ્ધિકા' નામે મત કાઢેલો હતો. આ મતની સ્થાપના તેણે દશપુર નગરીમાં કરેલી. ભગવંત મહાવીરના નિર્વાણ પછી ૫૮૪ વર્ષ ગોષ્ઠામાહિલ નામે નિલવ થયેલો. તેણે જીવનપર્યત પોતાના મતનો ત્યાગ કર્યો નહીં. જો કે તે મૂળભૂત સમ્યક્ દૃષ્ટિ હતા. પણ પછીથી તેનામાં મિથ્યાત્વનો પ્રવેશ થયેલો. ગોષ્ઠામાહિલે પ્રત્યાખ્યાન સ્વીકારેલ ન હતું. તે ન સાધુ હતા, ન ગૃહસ્થ કે ન અન્યલિંગી, તેઓ સાધુલિંગે રહેલા સાધુવતું કે સાધુરૂપ માત્ર હતા. શેષ પરીચય જમાલિ કથા મુજબ જાણવો. ૦ ગોઠામાહિલ કથા :–૦- આર્યરક્ષિત સૂરિ અને ગણની સોંપણી : દશપુર નગરમાં તોશલીપુત્ર આચાર્યના એક શિષ્ય આર્યરક્ષિતસૂરિ હતા. તેઓ વજસ્વામી આચાર્ય પાસે કંઈક અધિક નવ પૂર્વ ભણ્યા હતા. તેણે જ્યારે જાણ્યું કે દુર્બલિકા પુષ્યમિત્ર આદિ જેવા પરમમેઘાવીને પણ નવમું પૂર્વ સ્મરણમાં રહેતું નથી. ત્યારે તેને ચિંતા થઈ. તેણે પોતાના જ્ઞાન અતિશયનો ઉપયોગ કર્યો ત્યારે જાણ્યું કે, હવે શેષ શિષ્યો મતિ–મેઘા અને ધારણા વડે પરિહીન થતાં જાય છે. તેથી આર્યરક્ષિતસૂરિએ શ્રતને Page #251 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ ચાર અનુયોગમાં વિભાજિત કર્યું :- (૧) દ્રવ્યાનુયોગ, (૨) ધર્મકથાનુયોગ, (૩) ચરણકરણાનુયોગ અને (૪) ગણિતાનુયોગ. જેથી અલ્પબુદ્ધિવાળા શિષ્યો પણ સુખે કરીને શ્રુતને ગ્રહણ કરી શકે. પછી તેઓ વિહાર કરતા મથુરા ગયા. ત્યાં ભૂતગુફામાં વ્યંતરગૃહે રહ્યા. એ વખતે શક્ર દેવરાજે મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા સીમંધરસ્વામીને નિગોદનું સ્વરૂપ પૂછયું, ભગવંતે નિગોદના સ્વરૂપને વર્ણવ્યું ત્યારે શક્રેન્દ્રએ પૂછ્યું કે, આવું નિગોદનું સ્વરૂપ ભરતવર્ષક્ષેત્રમાં બીજું કોઈ સમજાવી શકે ? ત્યારે સીમંધર સ્વામીએ કહ્યું કે, આર્યરક્ષિત સૂરિ નિગોદનું આવું જ સ્વરૂપ વર્ણવવાને સમર્થ છે. ત્યારે ઇન્દ્રે બ્રાહ્મણ સ્વરૂપે આવી – યાવત્ – નિગોદનું સ્વરૂપ જાણી - યાવતુ – પ્રશંસા કરી ગયો. આર્ય રક્ષિતસૂરિ વિહાર કરી એકદા દશપુર નગરે પધાર્યા, તે વખતે મથુરા નગરીમાં કૉઈ નાસ્તિકવાદી ઉત્પન્ન થયો. તે પ્રરૂપણા કરતો હતો કે, માતા નથી, પિતા નથી ઇત્યાદિ. તેની સામે કોઈ પ્રતિવાદી ન હતો. ત્યારે સકલ શ્રી સંઘે એકઠા થઈને કોઈ સંઘાટકને આર્યરક્ષિત સૂરિ પાસે મોકલ્યા. કેમકે આર્યરક્ષિતસૂરિ યુગપ્રધાન આચાર્ય હતા. સાધુના સંઘાટકે અર્થાત્ બે સાધુએ જઈને તેમને નાસ્તિકવાદીનો સર્વ વૃત્તાંત કહ્યો. પરંતુ આચાર્ય ભગવંત વૃદ્ધ હોવાથી પોતે જવાને માટે અશક્ત હતા. તેથી તેમણે વાદલબ્ધિના ધારક એવા પોતાના મામા ગોષ્ઠામાહિલ નામના મુનિને વાદ કરવા મોકલ્યા. તે ગોષ્ઠામાહિલે ત્યાં જઈને વાદીનો પરાજય કર્યો. પછી ત્યાંના શ્રાવકોએ ગોષ્ઠામાહિલને ચાતુર્માસ માટે વિનંતી કરી. તેઓ ત્યાં ચાતુર્માસ રહ્યા. આર્યરક્ષિતસૂરિએ પોતાના આયુષ્યનો અંતકાળ જાણીને વિચાર્યું કે, હવે આ ગણનો ભાર કોને સોંપવો ? ત્યારે તેને દુર્બલિકાપુષ્પમિત્ર મુનિ યોગ્ય લાગ્યા. પણ અન્ય સાધુઓ ગોષ્ઠામાહિલ કે ફલ્ગુરક્ષિતને ગણાચાર્ય બનાવવાના મતના હતા. ત્યારે આચાર્ય ભગવંતે સર્વ સંઘને બોલાવીને કહ્યું – ઘડા ત્રણ પ્રકારના હોય છે. એક વાલનો ઘડો, બીજો તેલનો ઘડો અને ત્રીજો ઘીનો ઘડો. જો તેને ઊંધા વાળીએ તો વાલના ઘડામાંથી સર્વે વાલ નીકળી જાય છે, તેલના ઘડામાંથી કંઈક તેલ ઘડામાં ચોટેલું રહે છે. ઘી ના ઘડામાં ઘણું બધું ઘી ચોટેલું રહે છે. તેવી રીતે સૂત્ર તથા અર્થના વિષયમાં હું દુર્બલિકા પુષ્પમિત્ર પાસે વાલના ઘડારૂપ થયો. કેમકે મારામાં રહેલ સમગ્ર સૂત્રાર્થ તેણે ગ્રહણ કર્યો. જ્બુરક્ષિત માટે હું તેલના ઘડા સમાન થયો છું, કેમકે તેણે સર્વ સૂત્રાર્થ ગ્રહણ કર્યો નથી. ગોષ્ઠામાહિલ માટે તો હું ઘીના ઘડા જેવો થયો છું કેમકે ઘણો સૂત્રાર્થ મારી પાસે જ રહી ગયો છે માટે દુર્બલિકાપુષ્પમિત્ર તમારા આચાર્ય થાઓ. આર્યરક્ષિતસૂરિની એ વાત સાંભળીને સર્વ સંઘે તે વાતને અંગીકાર કરી, પછી સાધુ તથા શ્રાવક બંને પક્ષને યોગ્ય અનુશાસન આપીને આચાર્ય ભગવંતે અનશન ગ્રહણ કર્યું. ભક્ત પ્રત્યાખ્યાન અનશન કરીને તેઓ દેવલોકે દેવરૂપે ઉત્પન્ન થયા. સર્વ વૃત્તાંત ગોષ્ઠામાહિલે સાંભળ્યો, એટલે તે મથુરાથી ત્યાં આવ્યા અને પૂછ્યું કે, આચાર્ય ભગવંતે પોતાની પાટે કોને સ્થાપ્યો ? તે સાંભળી સર્વેએ દૃષ્ટાંતપૂર્વક સર્વ વૃત્તાંત કહ્યો. તેથી ગોષ્ઠામાહિલ અતિ ખેદ પામ્યા. જુદા ઉપાશ્રયમાં રહીને આચાર્યની નિંદા કરવા લાગ્યા. તેમજ સાધુઓને સમજાવવા લાગ્યા કે, તમે વાલના ઘડા જેવા આચાર્ય પાસે કેમ શ્રુતનો ૨૫૦ Page #252 -------------------------------------------------------------------------- ________________ નિહ્રવ – ગોષ્ઠામાહિલ કથા અભ્યાસ કરો છો ? પણ તે બીજાને વ્યુાહિત કરી શક્યા નહીં. 010 વિંદ્યમુનિનો કર્મપ્રવાદનો અભ્યાસ :– એક વખત દુર્બલિકા પુષ્પમિત્રસૂરિના વિંદ્ય નામના શિષ્ય પૌરિસિકાળે કર્મપ્રવાહ નામના પૂર્વની આવૃત્તિ કરતા હતા. તેમાં એવો વિષય હતો કે, જીવના પ્રદેશ સાથે બદ્ધ થયેલું કર્મ જેનો માત્ર બંધ થાય છે એટલે કષાયરહિત–કેવળીને ઇર્યાપથિકી સંબંધિ જે કર્મ બંધાય છે તે બદ્ધ કહેવાય છે. તે કર્મ કાલાંતર સ્થિતિને પામ્યા વિના જ સુકી ભીંત પર નાંખેલી સુકી રેતીની જેમ જીવના પ્રદેશથી જુદું પડે છે અને જીવના પ્રદેશોએ પોતાનું કરી લીધેલું જે કર્મ તે બદ્ધ સ્પષ્ટ કહેવાય છે. તેવું કર્મ આર્દ્ર ભીંત પર નાંખેલા ભીના ચૂર્ણની જેમ કાલાંતરે નાશ પામે છે. અતિ ગાઢ અધ્યવસાયથી બાંધેલું કર્મ કે જે અપવર્તનાદિ કરણને અયોગ્ય હોવાથી નિકાચિત કહેવાય છે, તે કર્મ અતિ ગાઢ બંધવાળુ હોવાથી આર્દ્ર ભીંત ઉપર આકરા કળી ચૂનાનો હાથ દીધો હોય તેની જેમ કાલાંતરે પણ વિપાકથી ભોગવ્યા વિના પ્રાયે કરીને ક્ષય પામતું નથી. આ ત્રણે પ્રકારના બંધ સમજવા માટે સૉયના સમૂહનું જેવું કર્મ તે બદ્ધ કર્મ જાણવું, લોઢાની પાટીથી બાંધેલા સોયના સમૂહ જેવું કર્મ બદ્ધ સ્પષ્ટ કર્મ જાણવું. અગ્નિથી તપાવી હથોડા વતી ટીપીને એકત્ર કરેલા સોયના સમૂહ જેવું કર્મ બદ્ધ સૃષ્ટ નિકાચિત જાણવું. અહીં કોઈને શંકા થાય કે નિકાચિત તથા અનિકાચિત કર્મમાં શો તફાવત ? તેનો ઉત્તર આપતા જણાવે છે કે, કર્મસંબંધે અપવર્તનાદિક આઠ કરણ કહેલાં છે, તે સર્વકરણ અનિકાચિત કર્મમાં જ પ્રવર્તે છે. નિકાચિતકર્મમાં તો તેનું ફળ ઉદય આવ્યેથી પ્રાયે કરીને ભોગવવું જ પડે છે. અહીં ‘પ્રાયે કરીને’ એવો શબ્દપ્રયોગ એટલા માટે થયો છે કે, ‘‘તપ વડે નિકાચિત કર્મનો પણ ક્ષય થાય છે.'' એ વચનાનુસાર અત્યંત તપ કરવાથી તથા ઉત્કૃષ્ટ અધ્યવસાયના બળથી નિકાચિત કર્મમાં પણ અપવર્તનાદિક કરણો પ્રવર્તે છે. સમગ્ર વ્યાખ્યાનું તાત્પર્ય એ છે કે જીવપ્રદેશ અને કર્મનો સંબંધ ક્ષીરનીરની જેમ અથવા અગ્નિ તપાવેલા લોઢાના ગોળાની જેવો છે. ૨૫૧ ૦ ગોષ્ઠામાહિલે કરેલ મિથ્યાવાદ :– (જીવ અને કર્મ સંબંધ) આ રીતે આચાર્ય ભગવંત અર્થ પૌરુષી કરી રહ્યા હતા. પણ ગોષ્ઠામાહિલ તે સાંભળતા ન હતા. તેણે આવીને કહ્યું કે, તમે બધાં અહીં વાલના ઘડા સમાન છો. ત્યારે ત્યાંથી ઉઠીને વિંદ્યમુનિએ પ્રતિ ઉત્તર આપતા કહ્યું કે, આઠમા કર્મપ્રવાદ પૂર્વમાં કર્મનું વર્ણન કરાયેલ છે. ત્યારે અસત્ કર્મના ઉદયને લીધે કદાગ્રહથી તે વાતને ન સ્વીકારતા ગોષ્ઠામાહિલે તેમને કહ્યું કે, જીવ અને કર્મનો બંધ કઈ રીતે થાય ? તમે જીવ અને કર્મનો જે તાદાત્મ્ય સંબંધ કહો છો તે દૂષિત છે. તાદાત્મ્ય ભાવ માનવાથી જેમ જીવના પ્રદેશ જીવથી ભિન્ન થતા નથી, તેમ કર્મ પણ જીવથી અભિન્ન રહેશે અને તેથી સદાકાળ જીવ કર્મ સહિત રહેવાથી મોક્ષ પામશે નહીં અને મોક્ષનો જ અભાવ થશે. માટે મારી યુક્તિ જ યોગ્ય છે. સર્પની કાંચળીની પેઠે જીવની સાથે કર્મનો માત્ર સ્પર્શ જ થાય છે. અગ્નિથી તપાવેલા ગોળાની જેમ તાદાત્મ્ય ભાવ પામ્યા વિના જ તે જીવની સાથે જોડાય છે અને તેની સાથે પરભવમાં જાય છે એવું જો માનશો તો મોક્ષની પ્રાપ્તિ થશે નહીં. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨પર આગમ કથાનુયોગ-૨ ગોષ્ઠામાહિલનું આ પ્રમાણેનું વચન સાંભળીને વિંદ્યમુનિને શંકા પડવાથી તેમણે આચાર્ય ભગવંતને જઈને પૂછ્યું. ત્યારે આચાર્ય ભગવંતે ઉત્તર આપ્યો કે, તમે જે પ્રથમ કહ્યું તે જ સત્ય છે. કેમકે જીવ પોતાની અવગાહનાથી વ્યાપ્ત થયેલા આકાશપ્રદેશમાં રહેલાં જ કર્મના દળીયાને ગ્રહણ કરે છે. પણ બીજા પ્રદેશમાં રહેલાંને ગ્રહણ કરતો નથી. તેથી જો આત્મા કદાચ અન્ય પ્રદેશમાં રહેલા કર્મને ગ્રહણ કરી પોતાની ફરતા વીટે તો તે કર્મને સર્પ–કાંચળીની ઉપમા ઘટી શકે. તે સિવાય ઘટી શકે નહીં. આ પ્રકારનું ગુરનું વચન વિંધ્યમુનિએ ગોષ્ઠામાજિલને કહ્યું, પણ તેણે અંગીકાર કર્યું નહીં. ત્યારે આચાર્યએ ગોષ્ઠામાહિલને બોલાવીને પૂછયું કે, તમે સર્પકંચુકની જેમ સંબંધ માનો છો, તે જીવના દરેક પ્રદેશની સાથે માનો છો કે, જીવની બહારના ત્વચાના પર્યત ભાગ સાથે ફરતો વિંટાયેલો માનો છો ? જો જીવના દરેક પ્રદેશના પર્યત ભાગ સાથે માનશો, તો આકાશની જેમ જીવમાં સર્વ પ્રદેશે કર્મ પ્રાપ્ત થશે, તો પછી જીવનો મધ્યભાગ કયો કે જે કર્મરહિત રહેશે ? કેમકે જીવના પ્રતિપ્રદેશે કર્મ લાગવાથી કોઈ મધ્યપ્રદેશ બાકી રહેશે નહીં, કે જેથી કર્મનું અસર્વવ્યાપીપણું થાય. એ રીતે સાધ્યવિફળતા પ્રાપ્ત થવાથી સર્પ–કંચુકનું દૃષ્ટાંત અઘટિત થશે. – જો જીવની બહાર ત્વચાના પર્યત ભાગ સાથે કંચુકની જેમ સ્પર્શ કરેલું કર્મ માનશો, તો જીવ એક ભવમાંથી બીજા ભવમાં જશે, ત્યારે અંગબાહ્ય મેલની જેમ તેની સાથે કર્મ જશે નહીં અને જો તમે એમ કહેશો કે, જીવની સાથે કર્મ ન જાય તેમાં શો દોષ છે ? તો સર્વ જીવનો મોક્ષ થશે, કેમકે પુનર્જન્મના કારણભૂત કર્મનો જ તેની સાથે અભાવ છે. ઇત્યાદિ અનેક દોષ પ્રાપ્ત થશે. તે સાંભળી ગોષ્ઠામાહિલે કહ્યું કે, જો જીવ અને કર્મનું જુદાપણું ન હોય, તો જીવ થકી તેનો વિયોગ શી રીતે થાય ? ત્યારે ગુરુ ભગવંતે ઉત્તર આપ્યો કે, “જો કે કર્મ જીવની સાથે અભેદે કરીને રહ્યું છે, તો પણ સુવર્ણ અને માટીની જેમ તેનો વિયોગ થઈ શકે છે. જેમ મિથ્યાત્વાદિકે કરીને કર્મનું ગ્રહણ થાય છે, તેમ જ્ઞાન અને ક્રિયાએ કરીને તેનો વિયોગ થઈ શકે છે. ઇત્યાદિ અનેક યુક્તિથી તેને સમજાવ્યા છતાં ગોષ્ઠામાહિલ બોધ પામ્યા નહીં અને તેણે પોતાનો કદાગ્રહ મૂક્યો નહીં ૦-૦ ગોષ્ઠામાડિલે કરેલ મિથ્યાવાદ–પ્રત્યાખ્યાન સંબંધે : અન્યદા વિંધ્યમુનિ નવમા પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વમાં આવેલા મુનિઓના પ્રત્યાખ્યાનનું વર્ણન કરતા હતા કે, મુનિએ યાવજીવ સર્વ સાવદ્યના પ્રત્યાખ્યાન ત્રિવિધે ત્રિવિધે કરવા. તે સાંભળીને ગોષ્ઠામાહિલે કહ્યું કે, સર્વ પ્રત્યાખ્યાન યાવજીવ આદિ અવધિ વિના જ કરવાં. અવધિ સહિત પ્રત્યાખ્યાન કરવાથી આશંસા દોષ પ્રાપ્ત થાય છે. જેમકે કોઈ સાધુ એવો વિચાર કરે કે, પ્રત્યાખ્યાન પૂર્ણ થયા પછી હું સ્વર્ગાદિકમાં દેવાંગના સાથે ભોગ ભોગવીશ. આમ થવાથી પરિણામ અશુદ્ધ થયા, તેથી પ્રત્યાખ્યાન પણ અશુદ્ધ થયું. ત્યારે ગુરુ ભગવંતે પૂછયું કે, તમે જે આશંસા દોષ આપ્યો તે કાળનો અવધિ કરવાથી પ્રાપ્ત થાય છે કે, વાંછાથી પ્રાપ્ત થાય છે ? જો કાળની અવધિ કરવાથી આશંસા દોષ પ્રાપ્ત થતો હોય તો પોરિસિ વગેરેના Page #254 -------------------------------------------------------------------------- ________________ નિલવ – ગોષ્ઠામાવિલ કથા ૨૫૩ - પચ્ચકખાણમાં પણ તે દોષ પ્રાપ્ત થશે. કેમકે કાળપ્રત્યાખ્યાનમાં પ્રહર વગેરે કાળમાન સાક્ષાત્ કહેલું છે. “જો કદાચ પોરિસિ વગેરે કાળની અવધિ કહેવી નહીં.” એમ કહેશો તો દીક્ષા ગ્રહણના દિવસથી જ અનશન કરવું પડશે અને તીર્થકરોએ તો તપસ્વીઓને દશા પ્રકારે અનાગત આદિ પ્રત્યાખ્યાનો કરવાનું સિદ્ધાંતમાં કહેલું છે. જો “તૃષ્ણા કે વાંછાથી આશંસા દોષ પ્રાપ્ત થાય છે” – એ બીજો પક્ષ માનશો તો તે પણ અયોગ્ય છે. કેમકે મુનિને અન્ય ભવમાં પાપ સેવવાની ઇચ્છા હોતી નથી અને જો અવધિ રહિત પ્રત્યાખ્યાન કરે તો સર્વ પ્રત્યાખ્યાન આગામી કાળનું પણ થઈ જશે. તેમ થવાથી આયુષ્યના લયે દેવગતિને પામેલા યતિને સાવદ્ય કર્મના સેવનથી અવશ્ય વ્રતનો ભંગ પ્રાપ્ત થશે. આવા-આવા કારણોથી આશંસારહિતપણે અવધિ સહિત પ્રત્યાખ્યાન કરવાથી કાયોત્સર્ગની જેમ કાંઈ પણ દોષ લાગતો નથી. ઇત્યાદિ યુક્તિઓથી સમજાવ્યા છતાં પણ જ્યારે તે કાંઈ પણ શ્રદ્ધા પામ્યા નહીં ત્યારે આચાર્ય દુર્બલિકા પુષ્પમિત્ર તેને ગચ્છના બહુશ્રુત અને વૃદ્ધ મુનિઓ પાસે લઈ ગયા. તેઓએ કહ્યું કે, આ આચાર્ય ભગવંત જેમ કહે છે, તેમજ આર્યરક્ષિત સૂરિએ પ્રરૂપણા કરેલી છે, તેમાં કંઈપણ ન્યૂનાધિક નથી. ત્યારે ગોષ્ઠામાડિલે કહ્યું કે, તમારા જેવા ઋષિઓ આમાં શું જાણે ? તીર્થકરોએ તો જેમ હું કહું છું તેમજ પ્રરૂપણા કરી છે. સ્થવિરોએ સમજાવ્યું કે, તું હવે મિથ્યાભિનિવેશ ન કર. એમ કરવાથી તીર્થકરની આશાતના થાય છે તે હું જાણતો નથી ? ઇત્યાદિ કહેવા છતાં ગોષ્ઠામાડિલે તે ન સ્વીકાર્યું. – ત્યારે સકલ શ્રી સંઘે મળીને શાસનદેવતાને બોલાવવા માટે કાયોત્સર્ગ કર્યો તેથી કોઈ ભદ્રક દેવીએ આવીને કહ્યું કે, “મને આજ્ઞા આપો, હું શું કાર્ય કરું ?" સંઘે સિદ્ધાંતનો પરમાર્થ જાણવા છતાં પણ લોકના વિશ્વાસ માટે કહ્યું કે, હે દેવી ! તમે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પાસે જઈને પૂછી લાવો કે, દુર્બલિકા પુષ્પમિત્ર આદિ સંઘ જે વાત કહે છે તે સત્ય છે કે ગોષ્ઠામાહિલ કહે છે તે સત્ય છે ? ત્યારે દેવીએ કહ્યું કે, હું મહાવિદેહમાં જઈને પાછી આવું ત્યાં સુધી મને માર્ગમાં વિદ્ધ ન થાય તે માટે કૃપા કરીને તમે કાયોત્સર્ગમાં રહો કે જેથી હું જઈ શકું.” સંઘે તે પ્રમાણે કર્યું. પછી તે દેવીએ મહાવિદેહમાં જઈને તીર્થકરને પૂછીને આવીને કહ્યું કે, તીર્થકર ભગવંતે જણાવ્યું છે કે, સંઘ છે તે સમ્યફવાદી છે અને ગોષ્ઠામાહિલ કહે છે તે મિથ્યાવાદ છે. ૦-૦ ગોષ્ઠામાજિલને નિહાવ જાહેર કરવો : મહાવિદેહક્ષેત્રમાં તીર્થકર ભગવંતે જણાવેલ કે, આ સાતમો નિલવ થયો છે. ભગવંત મહાવીરના નિર્વાણ પછી ૫૮૪મે વર્ષે થનારો સાતમો નિલવ તે જ આ ગોષ્ઠામાલિ. તે વાત દેવીએ આવીને આચાર્ય દુર્બલિકા પુષ્પમિત્ર આદિ સંઘને જણાવી. ત્યારે ગોષ્ઠામાહિલ બોલ્યો કે, આ બિચારી દેવી અલ્પદ્ધિવાળી છે, તેની મહાવિદેહમાં જવાની શક્તિ જ ક્યાંથી હોય ? એમ કહીને તેણે તે વાતને અંગીકાર કરી નહીં ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, જે આર્યો તીર્થકર ભગવંતનું વચન સ્વીકારે છે તેને સંઘ બહાર કરવાની જરૂર નથી. જેઓ આ વચન સ્વીકારવા ઇચ્છતા નથી, તેમને સંઘ બહાર કર્યા. બાર પ્રકારના સંભોગથી વિસંભોગિક કર્યો. તે આ પ્રમાણે :- ૧. ઉપધિ, ૨. સૂત્ર, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આગમ કથાનુયોગ-૨ ૩. ભક્તપાન, ૪. અંજલિપ્રગ્રહ, ૫. દાયણા, ૬. નિકાય, ૭. અબ્દુત્થાન, ૮. કૃતિકર્મ, ૯. વૈયાવચ્ચકરણ, ૧૦. સમોસરણ, ૧૧. સન્નિસેન્જા અને ૧૨. કથામાં નિમંત્રણ. પંચકલ્પ સૂત્રમાં કહ્યા મુજબ આ બારે ભેદો તેના ઉત્તરભેદો સહિત જાણવા. આ પ્રમાણે તે સાતમો નિલવ આલોચના–પ્રતિક્રમણ કર્યા વિના જ કાળધર્મ પામ્યો. અર્થાત્ સંઘ બહાર કરાયેલો તે ગોષ્ઠામાહિલ નિલવ ત્યાર પછી આયુષ્યના ક્ષયે મિથ્યાપ્રરૂપણા તથા કદાગ્રહની આલોચના કર્યા વિના મૃત્યુ પામ્યો. બોધિરત્નરહિત થઈને તે પૃથ્વી પર અનેક લોકોને વ્યાપિત કરી પોતે પણ સંસારમાં ભમ્યો. ૦ આગમ સંદર્ભ :ઠા. ૬૮૮, ૬૮૯ + વૃ ઉવ ૫૧ની વૃ, નિસી.ભા. ૫૫૯૬, ૫૬૦૭, -૫૬૧૬, ૫૬૧૮, ૫૬૨૨ થી ૨૬૨૪; આવ.નિ. ૭૭૮ થી ૭૮૮; આવ.ભા. ૧૪ર થી ૧૪૪; આવ.૨.૧–. ૪૧૦ થી ૪૧૫, ૪ર૭; આવ.નિ. ૭૭૭, ૭૮૫ ની વૃ, ઉત્ત.નિ ૧૬૫, ૧૭૫ થી ૧૭૭, ઉત્ત.અ. 3 ભાવ. (૮) નિલવ શિવભૂતિ કથા :-૦- પરીચય : ભગવંત મહાવીરના શાસનમાં આઠમો નિલવ શિવભૂતિ થયો, તેનું બીજું નામ સાસ્ત્રીમલ હતું. તેણે બોટિક (દિગંબર) મત કાઢેલો. રથવીરપુર નગરે તેણે પોતાનો નિલવ મત સ્થાપેલો. ભગવંત મહાવીરના નિર્વાણથી ૬૦૯ વર્ષે જિનેશ્વરના સર્વ વચનનું ઉત્થાપન કરનારો આ આઠમો નિહ્નવ થયો. તેણે પોતાનો મત જીવનપર્યત છોડ્યો નહીં. તે મૂળભૂતપણે જ મિથ્યાષ્ટિ હતો. તેને સાધુ કહ્યા નથી. તેમના નિમિત્તે જે અશનાદિ તૈયાર કરાયા હોય, તે સર્વે શ્રમણ–નિર્ચન્થોને કણ અને શુદ્ધ કહ્યા છે. -૦– શિવભૂતિ કથા : તે કાળે, તે સમયે રથવીરપુર નામે નગર હતું. ત્યાં દીપક નામે ઉદ્યાન હતું. ત્યાં આર્યકૃષ્ણ નામે આચાર્ય સમવસર્યા. તે નગરમાં એક કુત્સગોત્રિય શિવભૂતિ નામનો સહસ્ત્રમલ (હજારો યોધાને જીતનાર). એક ક્ષત્રિય હતો. તે ત્યાંના રાજાની સેવામાં હતો. એક વખત રાજાએ તેના શૌર્યાદિક ગુણોની પરીક્ષા કરવા માટે કૃષ્ણ ચતુર્દશીના દિવસે તેને એક પશુ તથા મદિરા આપીને કહ્યું કે, “તું એકલો શ્મશાનમાં જા અને આ પશુનું બલિદાન આપીને પાછો આવ. તે મધ્યરાત્રિએ એકલો શ્મશાનમાં ગયો. ત્યાં અનેક પુરુષોએ તેને બીવડાવવા માટે ભૂત, પ્રેત, પિશાચ વગેરેનો તેને ભય બતાવ્યો, પણ તેનું રૂવાંડુ પણ ફરક્યું નહીં. તેણે ત્યાં પશુનું બલિદાન આપ્યું. તે જ શ્મશાનમાં તે પશુને મારીને ખાધું. રાજ્યના પુરુષોએ ભેગા થઈ ત્યાં ભૈરવ નાદો કર્યા, તો પણ તે ડર્યો નહીં. પછી રાજા પાસે ગયો. તેથી તેને શૂરવીર જાણીને રાજાએ તેનો પગાર વધારી આપ્યો. અન્યદા કોઈ દિવસે રાજાએ દંડિક પુરુષને આજ્ઞા કરી કે, જાઓ મથુરાના રાજાને જીતી લાવો. તે સર્વસૈન્ય–બળ આદિ લઈને નીકળ્યો. ત્યાંથી થોડે દૂર જઈને બોલ્યો કે, આપણે રાજાને એ તો પૂછ્યું નહીં કે, જ્યાં મથુરામાં જવું? રાજાએ પણ જણાવ્યું નહીં. Page #256 -------------------------------------------------------------------------- ________________ નિદ્ભવ – શિવભૂતિ કથા ૨૫૫ તે ક્યા સ્થળે રોકાયા. શિવભૂતિ આવ્યો અને બોલ્યો કે, તમે અહીં કેમ રોકાયા છો ? તેઓએ બધી વાત કરી ત્યારે શિવભૂતિ બોલ્યો કે, દક્ષિણ અને ઉત્તર બંને મથુરા હું જીતી લાવીશ. ત્યારે દંડિકોએ કહ્યું કે, તે શક્ય નથી. બેમાંથી કોઈપણ એક મથુરાને જીતવામાં પણ ઘણો સમય લાગે. ત્યારે તેણે કહ્યું કે, જે દુર્જય હોય તે મને આપો. ત્યારે તેને પાંડુ મથુરા મોકલ્યો. દંડિકો ઉત્તર મથુરા ગયા. શિવભૂતિ પાંડુ મથુરાના માર્ગે આગળ વધ્યો, તેના અંત ભાગને ત્રાસ પમાડતો ચાલ્યો. પછી દુર્ગમાં રોકાયો. છેલ્લે નગરને પણ જીતીને પાછો ફર્યો. તેણે રાજાને નિવેદન કર્યું. રાજાએ ખુશ થઈને કહ્યું, બોલ તને શું આપીએ ? તે વિચાર કરીને બોલ્યો કે, મને સ્વતંત્રતા આપો. રાજાએ તેને સહસ્ત્રમલ્લ એવો ખિતાબ આપ્યો અને સ્વતંત્રતા આપી. પછી તે રાજાના પ્રસાદથી ઇચ્છા મુજબ વિલાસ કરતો નગરમાં ફરવા લાગ્યો. અડધી રાત્રે પણ પાછો આવતો અને ન પણ આવતો. તેની પત્ની જ્યાં સુધી શિવભૂતિ ન આવે ત્યાં સુધી ભોજન કરતી નહીં કે સૂતી પણ નહીં. ધીરેધીરે તેની પત્ની ખેદ પામી. કોઈ વખતે તેણીએ શિવભૂતિની માતા સાથે કલહ કર્યો અને કહ્યું કે, તમારા પુત્રથી હવે હું થાકી છું, તે અડધી અડધી રાત્રે આવે છે. હું તેના માટે જાગતી રહું છું અને ભૂખતરસથી પિડાઉ છું ત્યારે માતાએ કહ્યું કે, આજે દ્વાર બંધ કરતી નહીં, આજે હું જાગીશ, તું સૂઈ રહેજે. અડધી રાત્રે શિવભૂતિ આવ્યો અને કહ્યું કે, બારણું ઉઘાડો. તે સાંભળી માતાએ કોપ પામીને કહ્યું કે, હે દુષ્ટ ! આ મધ્યરાત્રિને સમયે જ્યાં દ્વાર ઉઘાડા હોય ત્યાં જા. આ પ્રમાણે સાંભળીને તે પણ ક્રોધથી નગરમાં ફરવા લાગ્યો. ભવિતવ્યતાના યોગે ઉઘાડા હારવાળો સાધુનો ઉપાશ્રય જોયો. ત્યાં જઈને તેણે પ્રવ્રજ્યા માટે માંગણી કરી. તે વખતે આચાર્યએ જાણ્યું કે, આ રાજાનો પ્રિય માણસ છે, વળી સ્વેચ્છાચારી પણ છે અને માતા વગેરેએ તેને છુટો કર્યો નથી, તેથી તેને દીક્ષા ન આપી. – ત્યારે તેણે સાધુના થુંકવાના પાત્રમાંથી રાખ લઈને પોતાની જાતે જ લોચ કર્યો. એટલે પછી આચાર્ય કૃષ્ણએ તેને નિવેશ આપ્યો. દશ પ્રકારની દીક્ષામાં આ દીક્ષાનું રોસા–રોષથી દીક્ષા કહેવામાં આવે છે. પછી આચાર્ય કૃષ્ણ સાથે વિહાર કરતા એક દિવસ પાછા તે જ નગરમાં આવ્યા. ત્યારે રાજાએ શિવભૂતિને એક રત્નકંબલ આપ્યું. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, આપણે સાધુએ આવા બહુમૂલ્ય રત્નકંબલ રાખવા ન જોઈએ. શિવભૂતિએ તે ગોપવી દીધુ. એક વખત તે બહાર ગયેલ ત્યારે શિવભૂતિને પૂછયા વિના જ કંબલને ફાડીને નિષદ્યાઓ કરી દીધી. ત્યારે તે ક્રોધિત થઈ ગયો. કોઈ વખતે જિનકલ્પિકનું વર્ણન ચાલતું હતું. જેમકે જિનકલ્પિકો બે પ્રકારના છે. કરપાત્રી (હાથમાં ભોજન–પાન ગ્રહણ કરનારા) અને બીજા પાત્રભોજી. તે પાત્રમાં લઈને ભોજન કરનારા તે દરેકના પણ બબ્બે ભેદ છે :- (૧) સ્વલ્પ સચેલકા એટલે અલ્પ વસ્ત્ર રાખનારા અને બીજા અચલકા એટલે બિલકુલ વસ્ત્ર નહીં રાખનારા. આ વાત સાંભળીને શિવભૂતિએ પૂછયું કે, જો એમ છે તો હાલમાં શા માટે બહુ ઉપધિ રાખવામાં આવે છે ? જિનકલ્પ કેમ અંગીકાર કરતા નથી ? આચાર્ય ભગવંતે ઉત્તર આપ્યો કે ભરતક્ષેત્રમાં શ્રી વીર પ્રભુની ત્રીજી પાટે આવેલા શ્રી જંબુસ્વામીના નિર્વાણ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આગમ કથાનુયોગ-૨ પછી જિનકલ્પ આદિ દશ વસ્તુઓનો વિચ્છેદ થયો છે. વળી તેવા પ્રકારના શરીરના સંવનન – તેવા પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન આદિના અભાવથી વર્તમાન કાળમાં તેમ કરી શકાતું નથી. તે સાંભળી શિવભૂતિ બોલ્યા કે, અલ્પસત્ત્વવાળા માટે જિનકલ્પ વિચ્છેદ થયો છે, પણ મારા જેવાને માટે નહીં. કેમકે મારા જેવા મહાસત્ત્વ તો વર્તમાનકાળમાં પણ જિનકલ્પ અંગીકાર કરવાને સમર્થ છે. મોક્ષના અભિલાષીએ સમગ્ર પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. તો પછી કષાય, ભય, મૂચ્છ આદિ દોષના નિધિ સમાન આ અનર્થકારી પરિગ્રહથી શું? વળી જિનેન્દ્રો પોતે પણ અચેલક જ હતા. તેથી વસ્ત્રરહિતપણું જ શ્રેષ્ઠ છે. ત્યારે ગુરુએ કહ્યું કે, “જો એમ હોય તો દેહને વિશે પણ કષાય, ભય, મૂછ વગેરે દોષોનો સંભવ છે. માટે તે દેહનો પણ વ્રત ગ્રહણ કર્યા પછી તુરંત જ ત્યાગ કરવો જોઈએ. પરંતુ શાસ્ત્રમાં જે પરિગ્રહરહિતપણું કહ્યું છે, તેનો હેતુ એ છે કે, ધર્મના ઉપકરણો પર મૂછ રાખવી નહીં. પણ સર્વથા ધર્મના ઉપકરણોનો ત્યાગ કરવો તેવું કહ્યું નથી. વળી જિનેશ્વરો પણ. સર્વથા અચેલક હતા જ નહીં. કેમકે “સર્વે જિનેશ્વર એક દૂષ્ય–વસ્ત્ર લઈને દીક્ષા લીધેલી છે.' તે આગમ વચન છે. તેથી તેઓ પહેલા તો સચેલક હતા જ. આ પ્રમાણે આચાર્ય તથા સ્થવિરોએ પૂર્વોક્ત તથા હવે પછી કહેવાનાર ઘણી યુક્તિઓથી બોધ કર્યો છતાં પણ તથા પ્રકારના કષાય અને મોહનીયના ઉદયથી તેણે પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં અને સર્વ વસ્ત્રો ત્યજી દઈને ગામ બહાર અરણ્યમાં જઈને રહ્યો. એક વખત તેમની બહેન “ઉત્તરા” તેમને વંદન કરવા ગયા. ત્યાં પોતાના ભાઈને વસ્ત્રરહિત જોઈને તેણીએ પણ વસ્ત્રનો ત્યાગ કર્યો, પછી તેણી ભિક્ષા માટે નગરમાં ગઈ ત્યાં કોઈ વેશ્યાએ તેને જોઈને વિચાર્યું કે, વસ્ત્રરહિત હોવાથી બીભત્સ દેખાતી આ સ્ત્રીને જોઈને લોકો અમારાથી પણ વિરક્ત થશે. એમ ધારીને તેણીએ ઉત્તરાની ઇચ્છા ન હોવા છતાં તેની એક સાડી પહેરાવી. જાણીને તે શિવભૂતિએ વિચાર્યું કે, વસ્ત્રરહિત સ્ત્રી ઘણી જ બીભત્સ તથા લજ્જાસ્પદ થાય છે. તેથી તેણે ઉત્તરાને કહ્યું હવે તું આ રીતે જ રહે, વસ્ત્ર ત્યજીશ નહીં. તારે કહેવું કે, આ વસ્ત્ર દેવતાએ આપ્યા છે. ત્યારપછી શિવભૂતિએ બે શિષ્યો કર્યા. ૧. કૌડિન્ય ૨. કોટ્યવીર. ત્યારપછી શિષ્ય-પ્રશિષ્ય પરંપરા જન્મી અને મિથ્યાત્વની વૃદ્ધિ થતી ગઈ. અને “બોટિક" મતની ઉત્પત્તિ થઈ. આ રીતે સ્વતર્ક બુદ્ધિથી શિવભૂતિ અને ઉત્તરા આદિ દ્વારા રથપુર નગરે બોટિક” નામક મિથ્યાદર્શની ઉત્પત્તિ થઈ – (જેને દિગંબર મત પણ કહે છે) શિવભૂતિ બોટિકથી બોટિકલિંગ ઉત્પન્ન થયું. નિલવો વિશે આવશ્યક નિર્યુક્તિ-૭૮૬માં જણાવે પણ છે કે, પૂર્વેના સાત નિલવો તો દૃષ્ટિવાળા હતા, જ્યારે બોટિકો તો મિથ્યાદૃષ્ટિ જ હતા. તેઓએ જાતિ, જરા, મરણ, ગર્ભવાસ ઇત્યાદિ તથા ચતુર્ગતિ ભ્રમણરૂપ સંસારનું ઉપાર્જન કર્યું. તેમને સાધુ કે ગૃહસ્થ કે અન્યતીર્થિ ન ગણતા “અવ્યક્ત રૂપ” જ કહ્યાં છે. શિવભૂતિને જો કે તે પૂર્વે અનેક સ્થવિરોએ સમજાવેલ કે, ત્રણ કારણે આગમોમાં વસ્ત્ર ધારણ કરવાનું કહેલ છે. તે આ પ્રમાણે :- ૧. લજ્જા અથવા સંયમના રક્ષણ નિમિત્તે, ૨. લોકમાં દુર્ગાછા–નિંદા ન થાય તે માટે, ૩. પરીષહ અર્થાત્ ટાઢ, તડકો, ડાંસ, મચ્છર વગેરેથી રક્ષણ થવા માટે. આ ત્રણ કારણે વસ્ત્રો ધારણ કરવા. વળી એમ પણ Page #258 -------------------------------------------------------------------------- ________________ નિલવ – શિવભૂતિ કથા ૨૫૭ કહેલું છે કે, તપસ્વીઓને ધર્મમાં સહાયભૂત હોવાથી શુદ્ધ આહારાદિકની જેમ વસ્ત્રાદિકનું ગ્રહણ કરવામાં કોઈ દોષ નથી. વળી તું રૌદ્રધ્યાનને આગળ ધરે છે. રૌદ્રધ્યાન ચાર પ્રકારનું છે :૧. હિંસાનુબંધી, ૨. મૃષાનુબંધી, ૩. તેયાનુબંધી, ૪. સંરક્ષણાનુબંધી. તેમાં હિંસાનુબંધી એટલે જેમાં પ્રાણીના વધનું નિરંતર ચિંતવન હોય તે, મૃષાનુબંધી એટલે જેમાં અસત્યનું ચિંતવન હોય છે. તેયાનુબંધી એટલે ચોરીનું જેમાં ચિંતવન હોય છે. પોતાના ધન અને વિષય સંબંધિ રક્ષણની જેમાં નિત્ય ચિંતવના હોય તે વિષય–સંરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન. તું એવું માને છે કે, વસ્ત્રાદિ ગ્રહણ કરવાથી વિષયસંરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન અવશ્ય થશે. કેમકે તે રૌદ્રધ્યાનનો હેતુ છે. વળી “શસ્ત્રાદિકની જેમ દુર્ગતિનું કારણ હોવાથી વસ્ત્રાદિક ગ્રહણ કરવા નહીં” એવી તારી બુદ્ધિ થાય તો તે પણ અયુકત છે. કેમકે હે દેવાનુપ્રિય! તારી આ યુક્તિ પ્રમાણે તો દેહાદિકમાં પણ રૌદ્રધ્યાનની પ્રાપ્તિ થશે. કેમકે શરીરનું પણ જળ, અગ્નિ, ચોર, ડાંસ, શિકારી પશુ, વિષ, કંટક વગેરેથી રક્ષણ કરવાની જરૂર પડે છે. તેથી દેહાદિકમાં પણ સંરક્ષણાનુબંધ ધ્યાન થાય છે, એટલે તે દેહાદિકનો પણ ત્યાગ કરવો પડશે. કદાચ તું એમ કહીશ કે, દેહાદિક મોક્ષના સાધનરૂપે અંગભૂત હોવાથી જયણા વડે તેનું સંરક્ષણ કરવું તેમાં દોષ નથી. પણ તે પ્રશસ્ત સંરક્ષણ છે. તો અહીં પણ આગમમાં કહેલ જયણાના પ્રકારથી જ વસ્ત્રાદિકનું સંરક્ષણ કરવું તે કેમ પ્રશસ્ત નથી ? માટે વસ્ત્રાદિકનો શા માટે ત્યાગ કરતા નથી ? વળી ભગવંતે મૂછને જ પરગ્રહ કહ્યો છે. ઇત્યાદિ પૂર્વ ષિના વચનથી વસ્ત્ર, ધન, દેહ વગેરેમાં મૂછ ઉત્પન્ન થાય તે પરિગ્રહ છે. શિવભૂતિએ પ્રશ્ન કર્યો કે, જો વસ્ત્ર ગ્રહણ કરે, તો પછી સાધુને અચેલ પરીષહ સહન કરવાનું કેમ કહ્યું છે ? કેમકે જો વસ્ત્ર હોય તો જ તે વાત ઘટી શકે ? ત્યારે સ્થવિરોએ જવાબ આપ્યો કે, તારું કહેવું અયોગ્ય છે. કેમકે જીર્ણપ્રાય વસ્ત્રથી પણ વસ્ત્રરહિતપણું લોકમાં પ્રસિદ્ધ છે. કોઈ સ્ત્રી જીર્ણ અને ફાટેલું વસ્ત્ર શરીરે વીંટીને કોઈ વણકરને કહે છે કે, હે વણકર ! જલ્દીથી મારી સાડી વણીને આપ, કેમકે હું નગ્ન ફરું છું. અહીં વસ્ત્ર સહિત છતાં પણ સ્ત્રીને વિશે નગ્રપણાનો શબ્દ પ્રવર્તે છે. શાસ્ત્રમાં પણ નસ 3 નામાવો” એવું વાક્ય છે તે ઉપચારિક નમ્રભાવને માટે જ છે, તેથી વસ્ત્ર રાખવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી. તે જ પ્રમાણે મુખવસ્ત્રિકા, રજોહરણ વગેરે ઉપકરણો પણ સંયમમાં ઉપકારી હોવાથી ગ્રહણ કરવા યોગ્ય છે. કહ્યું છે કે, કોઈપણ સ્થાનને વિશે બેસવું, શયન કરવું, કોઈપણ વસ્તુ લેવી–મૂકવી વગેરે કાર્યમાં પ્રમાર્જના માટે રજોહરણની જરૂર છે. સંપાતિમ વગેરે જંતુઓના રક્ષણને માટે મુખવસ્ત્રિકાની જરૂર છે અને ભક્તપાનને વિશે રહેલા જેતુની જયણાને માટે પાત્રની જરૂર છે. વળી પાત્ર વિના સજીવ ગોરસાદિક અજાણપણાથી હાથમાં લેવાય જાય તો પછી તેનું શું કરવું? તેમાં રહેલા જીવની હિંસા તો થવાની જ છે. તથા હાથમાં લીધેલા પ્રવાહી પદાર્થો હાથમાંથી નીચે ઢળે તો તેનાથી કુંથુવા, કીડી વગેરે અનેક જીવોની હિંસા થવાનો સંભવ છે. વળી ગૃહસ્થો મુનિએ વાપરેલા પાત્રો ધોવે, લે છે તો તેનાથી પશ્ચાત્ ૨૧૭ Jain due . nternational Page #259 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ કર્માદિ દોષનો સંભવ છે. તદુપરાંત બાળ અને ગ્લાન આદિ સાધુઓની વૈયાવચ્ચને માટે તેમજ પારિષ્ઠાપનિકા સમિતિ માટે સાધુને પાત્રનું ગ્રહણ કરવું યોગ્ય છે. વળી જઘન્યથી પણ નવ પૂર્વમાં કંઈક ઓછું ભણેલા, ઉત્તમ ધૈર્ય અને સંહનનવાળા પણ તપ, સૂત્ર અને સત્ય વડે ઇત્યાદિ ભાવનાએ કરીને પ્રથમ તુલના કર્યા પછી જ જિનકલ્પ અંગીકાર કરી શકે છે. પરંતુ શેરીના સિંહ સમાન તારા જેવાને માટે તીર્થંકરોએ જિનકલ્પની આજ્ઞા આપેલી નથી. તેમજ તું જે તીર્થંકરની તુલ્યતા કરે છે, તે પણ યોગ્ય નથી, કેમકે જિનેશ્વરો તો પ્રાણીપતગ્રાહી આદિ અનેક અતિશયોવાળા છે. માટે તારું માનવું સર્વથા ત્યાજ્ય છે. આ પ્રમાણે આચાર્ય ભગવંત તથા સ્થવિરોએ તેને અનેક યુક્તિ-પ્રયુક્તિથી સમજાવ્યા છતાં પણ તે મિથ્યાભિનિવેશ થકી શ્રી તીર્થંકરના અનેક વચનોનો ઉત્થાપક થયો. તે શિવભૂતિ આઠમો નિહ્રવ થયો. પૂર્વે જણાવ્યા અનુસાર તેને કૌડિન્ય અને કોટ્યવીર નામના બે બુદ્ધિશાળી શિષ્યો થયા. તેમનાથી તેના બોટિક મતની પરંપરા આગળ ચાલી. (હવેનું લખાણ પરંપરાથી સામેલ કરે છે, કેમકે આગમ કાળમાં બનેલી ઘટના ન હોવાથી તેનો ઉલ્લેખ આગમોથી નહીં પણ ગ્રંથોથી ગ્રહણ કરેલ છે – તે આ પ્રમાણે છે પછી તેઓએ અનુક્રમે – કેવલી આહાર ન કરે, સ્ત્રીઓ મોક્ષ પામે નહીં, તિવિહાર ઉપવાસમાં સચિત્ત જળ પીવામાં દોષ નથી, દિગંબર સાધુ દેવદ્રવ્ય લે કે તેનો વ્યય કરે તેમાં દોષ નહીં વગેરે જિનાગમથી વિરુદ્ધ લગભગ ૮૦૦ નવા વચનો રચ્યા અને તે વચનો તેઓ સ્વેચ્છાએ બોલવા લાગ્યા. માટે તેઓ સર્વ વિસંવાદી થયા. તે બોટિક પરંપરામાં થયેલા બોટિકો દિગંબર કહેવાય છે.) છેલ્લું લખાણ ગ્રંથથી જાણવું, તેની સાક્ષી આગમથી મળેલ નથી. ૨૫૮ ૦ આગમ સંદર્ભ : – આયા.ચૂપૃ. ૧૩૯, ૧૬૩, ૩૩૬; સૂય ચૂ.પૃ. ૧૧૩, ૨૭૩; ઠા. ૬૦૨, ૮૯૮ની વૃ; નિસી.ભા. ૫૬૦૯, ૫૬૧૦, ૫૬૧૭, ૫૬૨૦ થી ૫૬૨૪; + તેની ચૂર્ણિ આવ.ભા. ૧૪૫ થી ૧૪૮; આવ.નિ. ૭૮૩, ૭૮૬, ૭૮૭, ૭૮૮ની ; ઉત્તનિ ૧૭૮ ની વૃ; ઉત્ત.અધ્ય.૩ની ભાવ.; * = X મુનિ દીપરત્નસાગર સંકલિત અને અનુવાદિત નિહ્નવકથા પૂર્ણ X = Xx આવ.યૂ.૧-પૃ. ૪૨૭, ૪ર૮, ૫૮૬; ઓહ.નિ. ૧૧૦૦ ની ; ઉત્ત.નિ. ૧૭૮નું ભા. ૧, ૨ની ; કલ્પ.સ્થવિ.ની ૬; - Page #260 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૫૯ ખંડ–૨–અધ્યયન-૩-ગોશાલક કથા -: એક સ્પષ્ટીકરણ :- ગોશાળાની ગણના નથી શ્રમણરૂપે કે નથી નિહવરૂપે. તો તેનો અહીં સમાવેશ કેમ ? એ સત્ય છે કે નિલવોના ઉલ્લેખમાં કયાંય ગોશાળાનો ઉલ્લેખ નથી જ. એ જ કારણે અધ્યયન–૨– “નિભવકથામાં તેનો સમાવેશ કર્યો નથી. પરંતુ તેનું જુદું જ અધ્યયન નોંધેલ છે. – રહી વાત શ્રમણની – તો ગોશાળાનો ઉલ્લેખ ક્યાંય શ્રાવક કે અન્યતીર્થિ રૂપે થયો નથી. તેને શ્રમણ કહેવો કે કેમ ? તે પણ પ્રશ્ન જ છે. – નિલવ–નવા મતવાદીઓની કથા સાથે ગોશાળો પણ ‘આજીવિક મતવાદી' હોવાથી જોડે– જોડે તેનો મત રજૂ કરી દેવો એવી ગણતરીથી ગોશાળક કથા સાથે મૂકી દીધી. – બીજું ભગવતીજી સૂત્રના શતક–૧૫–સૂત્ર-૬૩ભાં એવી વાત આવે છે કે, જ્યારે (ફરી વખત) ગોશાળાએ ભગવંતને કહ્યું કે, “આ મારા ધર્માચાર્ય અને હું આપનો શિષ્ય” ત્યારે તેણે તે વાતની સંમતિ આપી – ગોશાળાનો શિષ્યરૂપે સ્વીકાર કરેલો. સૂત્ર–૬૫૭–માં પણ ગૌતમ સ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યો કે કરેલો, “હે ભગવંત! આપ દેવાનુપ્રિયનો અંતેવાસી કુશિષ્ય ગોશાળો કાળ કરીને ક્યાં ઉત્પન્ન થયો. એ રીતે તેનો ભગવંતના શિષ્ય – કુશિષ્ય તરીકે ઉલ્લેખ છે. ભગવંતે તેને દીક્ષા આપી તેમ પણ આવે છે. – વળી તેનો પૂર્વભવ, “ઈશ્વર, મુનિવર પણ ઉલ્લેખ છે. અંત્યભવે કેવલી થઈ મોક્ષે જશે. - ઉક્ત બંને કારણોથી અમે તેને શ્રમણ વિભાગમાં નોંધેલ છે. ૦ શ્રાવસ્તીમાં ગોશાળો : તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. તે શ્રાવતી નગરીની બહાર ઇશાન ખૂણામાં કોષ્ટક નામનું ચૈત્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં હાલાહલા નામની આજીવિક ઉપાસિકા કુંભારણ રહેતી હતી. તે ધનધાન્ય સંપન્ન હતી – યાવત્ - અનેક લોકો દ્વારા પણ પરાભવ પ્રાપ્ત કરે તેવી ન હતી. તેણીએ આજીવિક સિદ્ધાંતનો અર્થ રહસ્ય પ્રાપ્ત કરી લીધું હતું. ગ્રહણ કરી લીધું હતું. અર્થ પૂછી લીધો હતો. અર્થનો નિશ્ચય કરેલો હતો અને તેની અસ્થિ અને મજ્જા પણ આજીવિક સિદ્ધાંત પ્રતિ પ્રેમ અને અનુરાગથી રંગાયેલ હતી. તેણી બીજાઓને કહેતી હતી કે, હે આયુષ્યમનો ! આજીવિક સિદ્ધાંત જ અર્થપ-સાર્થક છે. એ જ પરમાર્થ છે અને તે સિવાયના અર્થ તો અનર્થરૂપ છે. આ રીતે તેણી આજીવિક સિદ્ધાંત વડે પોતાના આત્માને ભાવિત કરતી વિચરતી હતી. તે કાળ, તે સમયમાં ચોવીસ વર્ષના પ્રવજ્યા પર્યાયવાળો પંખલિપુત્ર ગોશાલક હાલાહલા કુંભારણના કુંભકારાપણમાં આજીવિક સંઘથી પરિવૃત્ત થઈને આજીવિક સિદ્ધાંત વડે પોતાના આત્માને ભાવિત કરતો વિચરતો હતો. ૦ ગોશાળાના છ દિશાચરો અને છ પ્રરૂપણા : ત્યાર પછી (“ભગવંત પાસેથી ગોશાળો છુટો પડ્યા પછી” – આ વાત આ જ કથાનકમાં આગળ કહેવાશે) કોઈ એક સમયે તે મખલિપુત્ર ગોશાલકની પાસે છ દિશાચાર પ્રગટ થયા. (આવ્યા) તે આ પ્રમાણે :- ૧. શાણ, ૨. કલંદ, ૩. કર્ણિકાર, ૪. અચ્છિદ્ર, Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ આગમ કથાનુયોગ-૨ ૫. અગ્નિવેશ્યાયન, ૬. ગોમાયુપુત્ર અર્જુન. ત્યારે તે છ દિશાચરોએ પૂર્વગત આઠ પ્રકારના નિમિત્તો અને દશમમાર્ગને પોતપોતાના મતિ દર્શનથી ઉદ્ધત કર્યા અને ઉદ્ધત કરીને ગોશાલક મંખલિપુત્ર પાસે ઉપસ્થાપિત કર્યા. ત્યાર પછી તે મખલિપુત્ર ગોશાલક તે અષ્ટાંગ મહાનિમિત્તના સ્વલ્પ ઉપદેશ દ્વારા સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વે સત્વો અને સર્વે જીવોને આ ૭ બાબતોના વિષયમાં અનતિક્રમણીય ઉત્તર આપવા લાગ્યો. તે છ વિષય આ પ્રમાણે છે :- ૧. લાભ, ૨. અલાભ, ૩. સુખ, ૪. દુઃખ, ૫. જીવન અને ૬. મરણ. ૦ ગોશાળાનું પોતાને “જિન આદિ છે તેમ કહેવું” : ત્યાર પછી તે મખલિપુત્ર ગોશાલક અષ્ટાંગ મહાનિમિત્તના કિંચિંતુ સ્વલ્પ ઉપદેશ માત્રથી શ્રાવસ્તી નગરીમાં 'જિન' ન હોવા છતાં હું જિન છું – આ પ્રમાણે પ્રલાપ કરતો, અરિહંત ન હોવા છતાં હું અરિહંત છું, એવો મિથ્યા પ્રલાપ કરતો, કેવલી ન હોવા છતાં પોતે કેવલી છે, એ પ્રમાણે પ્રલાપ કરતો, સર્વજ્ઞ ન હોવા છતાં, પોતે સર્વજ્ઞ હોવાનો પ્રલાપ કરતો હતો. પોતે જિન ન હોવા છતાં પોતાની જાતને જિન તરીકે ઓળખાવતો–પ્રગટ કરતો વિચરતો હતો. તે વખતે શ્રાવસ્તી નગરીના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મુખો અને મહાપથોમાં ઘણાં મનુષ્યો એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, આ પ્રમાણે બોલવા લાગ્યા, આ પ્રમાણે બતાવવા લાગ્યા અને આ પ્રમાણે પ્રરૂપિત કરવા લાગ્યા કે હે દેવાનુપ્રિયો ! આ મંખલિપુત્ર ગોશાલક પોતાને જિન અને જિન હોવાનો પ્રલાપ કરતો એવો, અર્હત્ અને અર્હત્ હોવાનો પ્રલાપ કરતો એવો, કેવલી અને કેવલી હોવાનો પ્રલાપ કરતો એવો, સર્વજ્ઞ અને સર્વજ્ઞ હોવાનો પ્રલાપ કરતો એવો અને પોતાને જિન શબ્દથી પ્રકાશતોઓળખાવતો વિચરણ કરી રહ્યો છે તો આ વાત કઈ રીતે માનવી ? ૦ ગૌતમ સ્વામી વર્ણન અને ગૌચરી ગમન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા – યાવત્ – પર્ષદા (ધર્મશ્રવણ કરીને) પાછી ગઈ. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી, સાત હાથ ઊંચા, સમચતુરઢ સંસ્થાનથી સંસ્થિત–આકારવાળા, વજઋષભનારાચ સંહનનવાળા, કસૌટી પર ઘસેલા સ્વર્ણ સમાન ગૌર વર્ણવાળા, ઉગ્રતપસ્વી, દીસતપસ્વી, તત તપસ્વી, મહાતપસ્વી, ઉદાર, ઘોર, ઘોર ગુણવાળા, ઘોર તપસ્વી, મહાન્ બ્રહ્મચર્યના ધારક, શરીર પ્રત્યે નિર્મોહી, શરીરમાં સંક્ષિપ્ત તેજોલેશ્યાવાળા, નિરંતર છઠ–છઠ તપથી અને સંયમ તથા વિવિધ પ્રકારના તપોથી આત્માને ભાવિત કરતા એવા ગૌતમગોત્રીય ઇન્દ્રભૂતિ નામના અણગાર વિચરતા હતા. ત્યાર પછી ભગવદ્ ગૌતમે છઠના પારણાના દિવસે પહેલા પ્રહરે સ્વાધ્યાય કર્યો. બીજા પ્રહરે ધ્યાન કર્યું, ત્રીજા પ્રહરે અત્વરિત, અચપલ અને અસંભ્રાન્ત ભાવપૂર્વક મુખવસ્ત્રિકાનું પડિલેહણ કર્યું, પડિલેહણ કરીને પછી પાત્ર, વસ્ત્રની પડિલેહણા કરી, પડિલેહણ કર્યા. પછી પાત્રોને પ્રમાર્જિત કર્યા, પ્રમાર્જિત કરીને પાત્રાને ઉઠાવ્યા. ઉઠાવીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા. આવીને ભગવંત મહાવીરને Page #262 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૬૧ વંદન–નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે નિવેદન કર્યું, હે ભગવંત ! આપની આજ્ઞા હોય તો, છઠના પારણા નિમિત્તે હું શ્રાવસ્તી નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરવા ઇચ્છું છું. ભગવંતે ઉત્તર આપ્યો, હે દેવાનુપ્રિય ! જેમ અનુકૂળ હોય તેમ કરો, પરંતુ વિલંબ ન કરો. ત્યારપછી ભગવદ્ ગૌતમ, શ્રમણ ભગવંત મહાવીર દ્વારા આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી તથા કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા. નીકળીને અત્વરિત, અચપળ, અસંભ્રાન્ત ભાવપૂર્વક યુગઅંતર પ્રમાણ જોવાતી દૃષ્ટિથી આગળનો માર્ગ જોતા જોતા અર્થાત્ ઇર્યાસમિતિના પાલનપૂર્વક જ્યાં શ્રાવસ્તી નગરી હતી, ત્યાં આવ્યા. આવીને શ્રાવસ્તીનગરીમાં ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યા માટે ભ્રમણ કરવા લાગ્યા. તે વખતે ભગવદ્ ગૌતમે ઘણાં મનુષ્યોની વાતચીત સાંભળી. તે બધાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહી રહ્યા હતા, બોલી રહ્યા હતા – યાવત્ – પ્રરૂપણા કરી રહ્યા હતા કે, હે દેવાનુપ્રિયો ! ગોશાલક મંખલિપુત્ર પોતાને જિન અને જિનપ્રલાપ કરતો – યાવત્ – જિન અને જિન શબ્દનું પ્રકાશન કરતાં એવો વિચરણ કરી રહ્યો છે તો તેની આ વાત કઈ રીતે માનવી ? ૦ ગોશાળાનું ચરિત્ર જાણવા માટે ગૌતમની જિજ્ઞાસા : ત્યારે ઘણાં લોકો પાસે આ વાત સાંભળી અને અવધારણા કરી તથા પ્રશ્ન પૂછવાની શ્રદ્ધાવાળા થઈને – યાવત્ – કુતૂહલ ઉત્પન્ન થવાથી ભગવદ્ ગૌતમે યથાપર્યાપ્ત સમુદાન (આહાર–પાણી)ને લીધા, લઈને – યાવત્ – જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીર સમીપ ગમનાગમન સંબંધિ ક્રિયાનું પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરીને એષણીય આહારની આલોચના કરી, આલોચના કરીને ભગવાને આહાર–પાણી દેખાડ્યા, દેખાડીને શ્રમણ ભગવાન્ મહાવીરને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને અતિ દૂર નહીં, અતિ નિકટ નહીં તેવા યથોચિત સ્થાને સુશ્રુષા કરતા, નમન કરતા અર્થાત્ મસ્તક નમાવીને સન્મુખ વિનયપૂર્વક અંજલિ કરીને આ પ્રમાણે નિવેદન કર્યું હે ભગવંત્ ! મેં છઠના પારણાને માટે આપની આજ્ઞા લીધી, હું શ્રાવસ્તી નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાના નિમિત્તે ભ્રમણ કરતો હતો, ત્યારે ઘણાં લોકોની વાતચીત સાંભળી. તે બધાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કરી રહ્યા હતા, બોલી રહ્યા હતા – યાવત્ – પ્રરૂપણા કરી રહ્યા હતા કે, હે દેવાનુપ્રિયો ! ગોશાલક મંખલિપુત્ર પોતાને જિન કહેતો અને જિનપ્રલાપ કરતો – યાવત્ - જિન અને જિન શબ્દને પ્રકાશિત કરતો એવો વિચરણ કરી રહ્યો છે, તો આ વાત કેમ માનવી ? તેથી હે ભગવંત ! હું આપની પાસેથી ગોશાલક મંખલિપુત્રનું જન્મથી લઈને આજપર્યંતનું વૃત્તાંત સાંભળવા ઇચ્છું છું. ૦ ભ૦મહાવીર દ્વારા ગોશાલક ચરિત્રનું વર્ણન : હે ગૌતમ ! એ પ્રમાણે ગૌતમ સ્વામી આદિ શ્રમણોને આમંત્રિત – સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું, ઘણાં બધાં મનુષ્યો જે પરસ્પર એકબીજાને જે આ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ આગમ કથાનુયોગ-૨ પ્રમાણે કહે છે, બોલે છે, પ્રતિપાદિત કરે છે અને પ્રરૂપણા કરે છે કે ગોશાલક મંખલિ પુત્ર પોતાને જિન કહેતો, જિનનો પ્રલાપ કરતો – યાવત્ સ્વયં પોતાને જિન અને જિનરૂપે પ્રગટ કરતો વિચરી રહ્યો છે, તે વાત મિથ્યા છે. પરંતુ હે ગૌતમ હું આ પ્રમાણે કહું છું – યાવતુ – પ્રરૂપણા કરું છું કે ગોશાલક મખલિપુત્રનું (ચરિત્ર આ પ્રમાણે છે–). -૦–ગોશાળાનો પૂર્વભવ : હે ગૌતમ ! અગીતાર્થપણાના દોષથી ઈશ્વરે જે પ્રાપ્ત કર્યું. તે સાંભળીને તુરંત ગીતાર્થ મુનિ બનવું. હે ભગવંત ! ઈશ્વર મુનિવર કોણ હતા તે હું જાણતો નથી, તેમજ અગીતાર્થપણાના દોષથી તેણે શું પ્રાપ્ત કર્યું તે મને કહો, હે ગૌતમ ! કોઈક બીજી ચોવીશીના પ્રથમ તીર્થકર જ્યારે નિર્વાણ પામ્યા. ત્યારે મનોહર નિર્વાણ મહોત્સવ પ્રવર્તતો હતો અને સુંદર રૂપવાળા દેવો તથા અસુરો નીચે ઉતરતા અને ઉપર ચડતા હતા. ત્યારે નજીકમાં રહેનાર લોકો તે જોઈને વિચારવા લાગ્યા કે, અરે! આજે મનુષ્યલોકમાં આશ્ચર્ય દેખાય છે. કોઈ વખત પણ ક્યાંય આવી ઇન્દ્રજાળો જોવામાં આવેલ નથી. આવા પ્રકારની વિચારણા કરતા-કરતા એક મનુષ્યને પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું એટલે તે ક્ષણવાર મૂછ પામ્યો. પરંતુ ફરી વાયરાથી આશ્વાસન પામ્યો. ભાનમાં આવ્યા પછી થરથર ધ્રુજવા લાગ્યો અને લાંબા કાળ સુધી પોતાના આત્માની ખૂબ નિંદા કરવા લાગ્યો. તુરંત જ તે મુનિપણું અંગીકાર કરવા ઉદ્યત થયો. ત્યાર પછી તે મહાયશવાળો જેટલામાં પંચમુષ્ટિક લોચ કરવાનો શરૂ કરે છે, તેટલામાં દેવતાએ વિનયપૂર્વક તેને રજોહરણ અર્પણ કર્યું. તેના કષ્ટકારી ઉગ્રતા અને ચારિત્રને જોઈને તથા લોકોને તેની પૂજા કરતા જોઈને ઈશ્વર ત્યાં આવીને તેને પૂછવા લાગ્યા કે તમોને કોણે દીક્ષા આપી ? ક્યાં જન્મ્યા છો ?, તમારું કુળ કયું છે ? કોના ચરણકમળમાં તમે અતિશયવાળા સૂત્ર અને અર્થનું અધ્યયન કર્યું? - તે પ્રત્યેક બુદ્ધ જેટલામાં તેને સર્વ જાતિ, કુળ, દીક્ષા, સૂત્ર, અર્થ વગેરે જે પ્રમાણે પ્રાપ્ત કર્યા તે કહેતા હતા, તેટલામાં તે સર્વ હકીકત સાંભળીને તે નિર્ભાગી-ઈશ્વર આ પ્રમાણે ચિંતવવા લાગ્યો કે, આ જુદો છે, આ અનાર્ય લોકો દંભથી ઠગે છે, તો જેવા પ્રકારનું આ બોલે છે તેવા જ પ્રકારના તે જિનવર પણ હશે. આ વિષયમાં કંઈ વિચારવાનું નથી. એમ માનીને લાંબાકાળ સુધી મૌનપણે ઊભો રહ્યો. – અથવા તો નાના એમ નહીં. દેવ અને દાનવોથી પ્રણામ કરાયેલા તે ભગવંત જો મારા સંશયને છેદે તો મને ખાતરી થાય. તેટલામાં વળી ફરી ચિંતવ્યું કે, જે થવાનું હોય તે થાઓ. મારે અહીં વિચાર કરવાનું શું પ્રયોજન છે, હું તો સર્વ દુઃખનો નાશ કરનાર પ્રવજ્યાને અભિનંદન આપું છું. તેટલામાં તે જિનેશ્વરની પાસે જવા નીકળ્યો. પરંતુ જિનેશ્વરને જોયા નહીં. એટલે ગણધર ભગવંત પાસે જવા માટે પ્રયાણ કર્યું. જિનેશ્વર ભગવંતે કહેલા સૂત્ર અને અર્થની પ્રરૂપણા કરનારા ગણધર મહારાજા હોય છે. જ્યારે અહીં ગણધર મહારાજા વ્યાખ્યાન કરતા હતા, ત્યારે તેમાં આલાપક આવ્યો કે, એક જ પૃથ્વીકાયજીવો સર્વત્ર ઉપદ્રવ પામે છે. તેનું રક્ષણ કરવા કોણ સમર્થ થઈ શકે? આ વિષયમાં આ મહાયશવાળા પોતાની લઘુતા કહે છે આ સમગ્ર લોકમાં આ Page #264 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૬ ૩ વાત સિદ્ધ કરવા યોગ્ય નથી. આવી વાત આ કેમ પ્રરૂપતા હશે ? આ તેમનું વ્યાખ્યાન પ્રગટપણે કાનમાં અત્યંત કડકડ કરનારું છે નિષ્કારણ તે ગળાને શોષવે છે. તે સિવાય કંઈ ફાયદો નથી. આવું વર્તન કોણ કરી શકશે ? માટે આ ઉપદેશ છોડીને સામાન્ય કે મધ્યમ પ્રકારનો ધર્મ ઉપદેશ કરવો જોઈએ. જેથી કરીને પાસે આવતા લોકો કંટાળી ન જાય. અથવા તો ખરેખર હું મૂઢ પાપકર્મ નરાધમ છું. ભલે હું તેમ કરતો નથી, પણ બીજા લોક તો તેમ વર્તે છે. વળી અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે આ હકીકત પ્રરૂપેલી છે, જે કોઈ વચનથી વિપરીત વાત કરે તેનો અર્થ ટકી શકતો નથી. માટે હવે હું આનું ઘોર અતિદુષ્કર ઉત્તમ પ્રકારનું પ્રાયશ્ચિત્ત એકદમ તુરંત જલ્દી અતિ શીધ્રતર સમયમાં કરીશ, કે કેટલામાં મારું મૃત્યુ ન થાય. આશાતના કરવાથી મેં એવું પાપ કરેલું છે કે દેવતાઈ સો વર્ષનું એકઠું કરેલું પુણ્ય પણ તેનાથી વિનાશ પામે છે. હવે તે ઈશ્વર પ્રાયશ્ચિત્ત કરવા તૈયાર થયો છે, અને પોતાની મતિ કલ્પનાથી તેવા પ્રકારનું મહાઘોર પ્રાયશ્ચિત્ત કરીને પ્રત્યેક બુદ્ધની પાસે ફરીથી ગયા. ત્યાં પણ સૂત્રની વ્યાખ્યા શ્રવણ કરતા કરતા તે જ અધિકાર ફરી આવ્યો કે, “પૃથ્વી આદિનો સમારંભ સાધુ ત્રિવિધે ત્રિવિધ વર્લ્ડ" અતિશય મૂઢ એવા તે ઈશ્વર સાધુ મુર્ખ બનીને ચિંતવવા લાગ્યો કે, આ જગમાં કોણ તે પૃથ્વીકાયાદિકનો સમારંભ કરતો નથી? ખુદ પોતે જ તો પૃથ્વીકાયની ઉપર બેઠેલા છે. અગ્નિકાયથી પકાવેલ આહાર ખાય છે, અને તે આહાર સર્વ બીજ–ધાન્યમાંથી ઉત્પન્ન થાય છે. બીજું પાણી વિના એક ક્ષણ પણ કઈ રીતે જીવી શકાય? તો ખરેખર આ પ્રત્યક્ષ જ અવળી હકીકત જણાય છે. હું તેની પાસે આવ્યો પણ આ વાતમાં કોઈ શ્રદ્ધા કરવાના નથી. તો તેઓ ભલે અહીં રહે, આમના કરતાં તો ગણધર ભગવંત ઉત્તમ છે અથવા તો અહીં એ કોઈ પણ મારું કહેલું કરશે નહીં. આવા પ્રકારનો ધર્મ પણ કયા કારણથી કહેતા હશે ! જે અત્યંત કડકડતોઆકરો ધર્મ કહેશે તો ફરી હવે સાંભળીશ જ નહીં – અથવા તેઓને બાજુ પર રાખો. હું જાતે જ સુખેથી બની શકે અને સર્વ લોકો કરી શકે તેવો ધર્મ કહીશ. આ જ કડકડ–આકરો ધર્મ કરવાનો કાળ નથી. એમ જેટલામાં ચિંતવે છે, એટલામાં તો તેના ઉપર ધડધડ શબ્દ કરતી વીજળી તૂટી પડી. હે ગૌતમ ! તે ત્યાં મૃત્યુ પામ્યો. ત્યાંથી સાતમી નરકમૃથ્વીમાં ઉત્પન્ન થયો. શાસન, શ્રમણપણું, શ્રુતજ્ઞાનના સંસર્ગના પ્રત્યેનીકપણાને કારણે ઈશ્વર લાંબા કાળ સુધી નરકમાં દુઃખનો અનુભવ કરીને અહીં આવીને સમુદ્રમાં મહામસ્થ થઈને ફરી પણ સાતમી નારકીમાં ૩૩ સાગરોપમના મોટા કાળ સુધી દુ:ખે કરી સહન કરી શકાય તેવા ભયંકર દુઃખો ભોગવશે. - ત્યાંથી નીકળી ઈશ્વરનો જીવ તિર્યંચ એવા પક્ષી કાગડાપણે ઉત્પન્ન થયો. ત્યાંથી વળી પ્રથમ નારકમાં જઈને આયુષ્ય પૂર્ણ કરીને અહીં દુષ્ટ સ્થાનપણે ઉત્પન્ન થઈને ફરી પણ પહેલી નારકીમાં ગયો. ત્યાંથી નીકળી સિંહપણે ઉત્પન્ન થયો. પછી તે ચોથી નારકીમાં ગયો, ત્યાંથી ચ્યવીને અહીં આવ્યો. ફરી નરકમાં જઈને તે ઈશ્વરનો જીવ કુંભારપણે ઉત્પન્ન થયો ત્યાં કુષ્ઠી થઈને અતિશય દુઃખી થયેલો, કૃમિઓથી ફોલી ખવાતો ૫૦ વર્ષ સુધી પરાધીનપણે પારાવાર દુઃખ સહન કરી, અકામ નિર્જરા કરી ત્યાંથી Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ આગમ કથાનુયોગ-૨ દેવભવમાં ઉત્પન્ન થયો. ત્યાંથી અહીં આવી રાજાપણું પામીને સાતમી નારકીમાં ગયો. – એ પ્રમાણે ઈશ્વરનો જીવ સ્વકલ્પના કરવાના કારણે નારક અને તિર્યંચ ગતિમાં તેમજ કુત્સિત – અધમ મનુષ્યગતિમાં લાંબાકાળ સુધી ભવભ્રમણ કરીને ઘોર દુઃખ ભોગવીને અત્યંત દુઃખી થયેલો. તે જ ઈશ્વરનો જીવ હાલ ગોશાલકપણે ઉત્પન્ન થયો છે. આ તે જ ઈશ્વરનો જીવ છે માટે પરમાર્થ સમજવાપૂર્વક સારાસારથી પરિપૂર્ણ એવા શાસ્ત્રના ભાવને જલ્દી જાણીને ગીતાર્થ બનવું. ૦ ગોશાળાનો જન્મ : આ ગોશાલક મંખલિપુત્રના મંખલી નામે મંખ પિતા હતા. તે મંલિ મંખની પત્નીનું નામ ભદ્રા હતું. તેણી સુકુમાલ હાથ–પગવાળી – યાવત્ – મનોહર હતી. ત્યાર પછી કોઈ સમયે તે ભદ્રા ગર્ભવતી થઈ. તે કાળ, તે સમયે શરવણ નામનું સન્નિવેશ હતું. તે ઋદ્ધિસંપન્ન, શત્રુના ભયથી મુક્ત, ધનધાન્યાદિ વડે સમૃદ્ધ – યાવત્ – નંદનવનની સમાન પ્રભા—કાંતિવાળું, પ્રાસાદિક, દર્શનીય, મનોહર અને અતિ સુંદર હતું. તે શરવણ સન્નિવેશમાં ગોબડુલ નામનો બ્રાહ્મણ નિવાસ કરતો હતો. તે બ્રાહ્મણ ધનાઢય – યાવત્ – અનેક લોકો દ્વારા અપરિભૂત હતો. ટ્વેદ – યાવત્ – બ્રાહ્મણ ગ્રંથો, પરિવ્રાજક શાસ્ત્રો, નયોના વિષયમાં નિપુણ હતો. તે ગોબડુલ બ્રાહ્મણની એક ગોશાળા હતી. તત્પશ્ચાત્ તે મખલિ મખ કોઈ એક દિવસે ગર્ભવતી ભદ્રાભાર્યાની સાથે ચિત્રફલક હાથમાં લઈને મંખપણાથી અર્થાત્ ચિત્ર દેખાડી આજીવિકા કરનારી ભિક્ષાવૃત્તિથી પોતાની આજીવિકાને પ્રાપ્ત કરતાં-કરતો પૂર્વાનુપૂર્વીના ક્રમથી ચાલતો–ચાલતો ગ્રામાનુગ્રામમાં ગમન કરતો-કરતો જ્યાં શરવણ નામનું સન્નિવેશ હતું. જ્યાં ગોબહુલ બ્રાહ્મણની ગોશાળા હતી, ત્યાં આવ્યો. આવીને ગોબસ્કુલ બ્રાહ્મણની ગોશાળાના એક ખૂણામાં પોતાના ભાંડ– ઉપકરણ અર્થાત્ વસ્ત્ર–પાત્ર રાખ્યા, રાખીને શરવણ ગામના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષા માંગવા માટે ભટકતો એવો વસતિના બધાં સ્થાનો પર માર્ગણા, ગવેષણા કરવા લાગ્યો. નિવાસ કરવા યોગ્ય સર્વે સ્થાનોની માર્ગણા, ગવેષણા કરતા પણ જ્યારે કોઈ અન્ય વસતિ ન મળી, તો તે ગોબહુલ બ્રાહ્મણની ગોશાળાના કોઈ એક ખૂણામાં વર્ષાઋતુ વિતાવવા માટે રહ્યો. ત્યાર પછી નવ માસ પ્રતિપૂર્ણ થઈને અને સાડા સાત દિન વીતી ગયા પછી તે ભદ્રાએ સુકુમાલ હાથ–પગવાળા – યાવત્ – એક સુંદર બાળકને જન્મ આપ્યો. ત્યાર પછી તે બાળકના માતાપિતાએ અગિયાર દિવસ વીતી ગયા બાદ બારમા દિવસે તે બાળકનું ગુણ નિષ્પન્ન એવું આ પ્રકારનું નામકરણ કર્યું – કેમકે અમારો આ બાળક ગોબડુલ બ્રાહ્મણની ગોશાળામાં ઉત્પન્ન થયો છે, તેથી અમારા આ બાળકનું નામ ગોપાલક થાઓ. ત્યારે માતાપિતાએ તે બાળકનું ગોશાલક (ગોશાળો) એવું નામ રાખ્યું. - ત્યાર પછી તે ગોશાલક બાળકે બાલ્યાવસ્થાથી મુક્ત થઈને, વિજ્ઞાનથી પરિણત થઈને અને યુવાવસ્થાને પ્રાપ્ત કરીને સ્વયં ચિત્રફલક બનાવ્યું, બનાવીને તે ચિત્રફલક હાથમાં લઈને મુખપણાથી અર્થાત્ ચિત્ર દેખાડી આજીવિકા ઉપાર્જિત કરવા દ્વારા પોતાના આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યો. Page #266 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૬૫ ૦ ભગવંત મહાવીરનું નાલંદાની તંતુશાળામાં વિચરણ : હે ગૌતમ ! તે કાળે, તે સમયે મેં ૩૦ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહીને માતાપિતાનો સ્વર્ગવાસ થયા પછી, પ્રતિજ્ઞાપૂર્ણ થતા યાવત્ – એક દેવદૂષ્ય ગ્રહણ કરી મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અનગારિક પ્રવજ્યા ગ્રહણ કરી. ત્યાર પછી તે ગૌતમ ! હું પહેલા વર્ષે અર્ધ–અર્ધ માસક્ષમણ કરતા-કરતા અસ્થિક ગ્રામની નિશ્રામાં પ્રથમ વર્ષાવાસ વીતાવવા રહ્યો. બીજા વર્ષે માસ–માસક્ષમણ કરતા કરતા અને પૂર્વાનપૂર્વી ક્રમથી ચાલતા-ચાલતા, રામાનુગ્રામ વિચરણ કરતા, જ્યાં રાજગૃહ નામે નગર હતું, નાલંદા નામે પાડો (પરાવિસ્તાર) હતો અને તેમાં જ્યાં તંતુવાય (કપડાં વણવાની) શાળા હતી, ત્યાં આવ્યો. આવીને યથા પ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને તંતુવાય શાળાના એક ખૂણામાં વર્ષાવાસ વિતાવવા રોકાયો. તે સમયે હે ગૌતમ ! હું પહેલું માસક્ષમણ સ્વીકારીને વિચારતો હતો. ૦ ગોશાળાનું તંતુશાળામાં આગમન : ત્યારપછી તે ગોશાલ મંખલિપુત્ર હાથમાં ચિત્રપટને લઈને મંખપનથી પોતાના આત્માને ભાવિત કરતો પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતો–ચાલતો, પ્રામાનુગ્રામ ફરતો-ફરતો, ગમન કરતો, જ્યાં રાજગૃહ નગર હતું, જ્યાં નાલંદા નામનો ઉપવિસ્તાર હતો, તેમાં જ્યાં તંતુવાયશાળા હતી, ત્યાં આવ્યો. આવીને તેણે તંતુવાયશાળાના એક ખૂણામાં ભાંડ– ઉપકરણ રાખ્યા. રાખીને રાજગૃહ નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાવૃત્તિને માટે ફરતા–ફરતા બધાં સ્થાનોમાં વસતિની માર્ગણા–ગવેષણા કરતો કરતો જ્યારે અન્યત્ર ક્યાંય પણ નિવાસ સ્થાન પ્રાપ્ત ન કરી શક્યો ત્યારે હે ગૌતમ ! જ્યાં હું રહેલો હતો, તે જ તંતુવાયાળાના એક ખૂણામાં વર્ષાકાળ વિતાવવા માટે રહેવા લાગ્યો. ૦ ભ૦મહાવીરની ઋદ્ધિ જોઈને ગોશાળાએ કરેલ શિષ્યત્વ પ્રાર્થના : ત્યાર પછી હે ગૌતમ ! પ્રથમ માસક્ષમણના પારણાને માટે હું તંતુવાય શાળામાંથી નીકળ્યો, નીકળીને નાલંદાના બાહ્ય વિસ્તારથી નીકળીને – યાવતું – રાજગૃહ નગર હતું ત્યાં આવ્યો. આવીને રાજગૃહ નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં – યાવત્ – ભ્રમણ કરતો વિજય ગાથાપતિના ઘરમાં પ્રવિષ્ટ થયો. તે વખતે વિજય ગાથાપતિએ મને તેની તરફ આવતો જોયો. જોઈને હૃષ્ટ-તુષ્ટ – થાવત્ – ઉલ્લસિત હૃદયવાળો થઈને શીઘ તે પોતાના આસનેથી ઉદ્દયો, ઊભો થઈને પાદ પીઠથી નીચે ઉતર્યો. નીચે ઉતરીને પાદુકા ઉતારી, ઉતારીને એક શાટિક ઉત્તરાસંગ કર્યું. ઉત્તરાસંગ કરીને અંજલિરૂપમાં મુકુલિત હસ્તપૂર્વક–મારી સન્મુખ સાત-આઠ કદમ આવ્યો. આવીને મને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને મને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને મને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારથી પ્રતિલાભિત કરવાનો વિચાર કરીને સંતુષ્ટ થયો. પછી મને પ્રતિલાભિત કરતા પણ સંતુષ્ટ થયો અને પ્રતિલાભિત કરીને પણ સંતુષ્ટ થયો. ત્યારે તે વિજય ગાથાપતિએ તે દ્રવ્યશુદ્ધિ, દાયકશુદ્ધિ અને પાત્રશુદ્ધિ તથા મન, વચન, કાયા એ ત્રિવિધ અને કરણ, કરાવણ, અનુમોદન એ ત્રિકરણની શુદ્ધિથી મને Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ આગમ કથાનુયોગ-૨ પ્રતિલાભિત કરવાને કારણે દેવાયુષ્યનો બંધ કર્યો, સંસાર પરિમિત કર્યો તથા તેના ઘરમાં આ પાંચ દિવ્ય પ્રાદુર્ભત થયા તે આ પ્રમાણે :- ૧. વસુધારાની વૃષ્ટિ, ૨. પંચ વર્ણના પુષ્પની વૃષ્ટિ, ૩. ધ્વજાત્મક વસ્ત્રોની વૃષ્ટિ, ૪. આકાશમાં દેવદુંદુભિનો નાદ અને ૫. આકાશમાં “અહોદાન” “અહોદાન" એ પ્રમાણેની ઉદ્ઘોષણા. તે સમયે રાજગૃહ નગરના શૃંગાટકો – યાવત્ – માર્ગોમાં ઘણાં બધાં લોકો આપસ-આપસમાં એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા – યાવત્ – પ્રરૂપણા કરવા લાગ્યા. હે દેવાનુપ્રિયો ! વિજય ગાથાપતિ ધન્ય છે, દેવાનુપ્રિયો ! વિજયગાથાપતિ કૃતાર્થ છે, હે દેવાનુપ્રિયો ! વિજય ગાથાપતિ કૃતપુણ્ય છે, હે દેવાનુપ્રિયો ! વિજય ગાથાપતિ કૃતલક્ષણ છે, હે દેવાનુપ્રિયો ! વિજયગાથાપતિના ઉભયલોક સાર્થક છે. વિજયગાથાપતિએ મનુષ્ય જન્મ અને જીવનનું સફળ પ્રાપ્ત કરેલ છે – જેના ઘરમાં તથારૂપ ઉત્તમ શ્રમણને પ્રતિલાભિત કરવાથી આ પાંચ દિવ્યો પ્રાદુર્ભત થયા છે. જેમકે વસુધારા વૃષ્ટિ – થાવત્ – “અહોદાને અહોદાન' એ પ્રકારની ઉદ્ઘોષણા. તેથી વિજય ગાથાપતિ ધન્ય છે, કૃતાર્થ છે, કૃતપુણ્ય છે, કૃતલક્ષણ છે. તેણે બંને લોક સાર્થક કર્યા છે. વિજય ગાથાપતિના મનુષ્ય જન્મ અને જીવનનું સુફલ પ્રશંસનીય છે. ત્યારપછી ગોશાલ મખલિપુત્રએ અનેક લોકો પાસેથી આ વૃત્તાંતને સાંભળ્યો અને તેના પર મનન કરીને સંશય અને કુતૂહલ ઉત્પન્ન થવાથી જ્યાં વિજયગાથાપતિનું ઘર હતું, ત્યાં આવ્યો. આવીને વિજય ગાથાપતિના ઘરમાં તેણે વસુધારા વૃષ્ટિ, પંચવર્ણના પુષ્પો વિખેરાયેલા તથા વિજય ગાથાપતિના ઘરમાંથી મને નીકળતો જોયો. જોઈને હર્ષિત અને સંતુષ્ટ થયો. જ્યાં હું હતો ત્યાં આવ્યો. આવીને મને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. મને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને મને આ પ્રમાણે નિવેદન કર્યું, હે ભગવંત ! આપ મારા ધર્માચાર્ય છો અને હું તમારો શિષ્ય છું. ત્યારે હે ગૌતમ ! મેં મખલિપુત્ર ગોશાલના તે કથનનો આદર ન કર્યો, ધ્યાન પણ ન આપ્યું, પરંતુ ચુપચાપ મૌન ધારણ કર્યું. ૦ ભ૦મહાવીરની ઋદ્ધિ જોઈને ગોશાળાએ કરેલ પુનઃ પ્રાર્થના : ત્યારપછી હે ગૌતમ ! હું રાજગૃહી નગરથી નીકળ્યો, નીકળીને ઉપનગર નાલંદાના મધ્યભાગથી નીકળ્યો. નીકળીને જ્યાં તંતુવાયશાળા હતી. ત્યાં આવ્યો. આવીને બીજું માસક્ષમણ સ્વીકારીને વિચારવા લાગ્યો. ત્યાર પછી તે ગૌતમ ! બીજા માસક્ષમણના પારણા નિમિત્તે હું તંતુવાયશાળાથી નીકળ્યો. નીકળીને ઉપનગર નાલંદાના મધ્ય ભાગમાંથી નીકળ્યો, નીકળીને જ્યાં રાજગૃહનગર હતું પાવત્ – ભ્રમણ કરતો આનંદ ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારે તે આનંદગાથાપતિએ મને પોતાની તરફ આવતો જોયો ઇત્યાદિ વર્ણન વિજયગાથાપતિ અનુસાર જાણવું. પરંતુ વિશેષતા એ કે વંદન-નમસ્કાર કરીને વિપુલ ખાજાથી પ્રતિલાભિત કરીશ એવો વિચાર કરી તે આનંદ ગાથાપતિ સંતુષ્ટ થયો, પ્રતિલાભિત કરતી વખતે પણ સંતુષ્ટ થયો અને પ્રતિલાભિત કર્યા પછી પણ તે સંતુષ્ટ થયો. ત્યારે તે આનંદ ગાથાપતિએ દ્રવ્યની શુદ્ધિથી – યાવત્ – વિજય ગાથાપતિ પ્રમાણે Page #268 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૬૭ સર્વ વૃત્તાંત જાણવો. ત્યારે લોકો એવી પ્રરૂપણા કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો! આનંદ ગાથાપતિ ધન્ય છે, હે દેવાનુપ્રિયો ! આનંદ ગાથાપતિ કૃતાર્થ છે. હે દેવાનુપ્રિયો ! આનંદ ગાથાપતિ કૃતપુણ્ય છે. હે દેવાનુપ્રિયો ! આનંદ ગાથાપતિ કૃતલક્ષણ છે. હે દેવાનુપ્રિયો ! આનંદ ગાથાપતિના બંને લોક સાર્થક થયા છે. હે દેવાનુપ્રિયો! આનંદ ગાથાપતિએ મનુષ્ય અને જીવનનું સુફળ પ્રાપ્ત કરેલ છે કે જેના ઘરમાં તથારૂપ ઉત્તમ સૌમ્ય શ્રમણને પ્રતિલાભિત કરવાથી આ પાંચ દિવ્યો પ્રગટ થયા છે. વસુધારા વૃષ્ટિ – યાવત્ – ગગનમંડલમાં “અહોદાન–અહોદાન' એ પ્રમાણેની ઉદ્ઘોષણા. ખરેખર ! આનંદ ગાથાપતિ ધન્ય છે, કૃતાર્થ છે, કૃતપુણ્ય છે, કૃતલક્ષણ છે, તેના ઉભયલોક સાર્થક થયા છે અને આનંદ ગાથાપતિનો મનુષ્ય સંબંધિ જન્મ અને જીવનનું ફળ પ્રશંસનીય છે. ત્યારે તે મંખલિપુત્ર ગોશાલકે અનેક લોકો પાસે આ વૃત્તાંત સાંભળ્યો – થાવત્ – વિજયગાથાપતિમાં કહ્યા પ્રમાણે તે જ્યાં આનંદ ગાથાપતિનું ઘર હતું ત્યાં આવ્યો, આવીને આનંદ ગાથાપતિના ઘરમાં વસુધારાની વૃષ્ટિ, વિખરાયેલા પંચરંગી પુષ્પોને તથા મને પણ આનંદ ગાથાપતિના ઘરમાંથી નીકળતો જોયો. પછી ગોશાળાએ ફરી પણ મને નિવેદન કર્યું કે, હે ભગવંત ! આપ મારા ધર્માચાર્ય છો અને હું આપનો ધર્મ શિષ્ય છું. ત્યારે હે ગૌતમ ! મેં મખલિપુત્ર ગોશાલકની તે વાત પર ધ્યાન ન આપ્યું. તેના કથનનો આદર પણ ન કર્યો. પરંતુ ચુપચાપ મૌન ધારણ કરીને રહ્યો. ૦ ભ૦મહાવીરનું ત્રીજું પારણું-ગોશાળાની પુનઃ શિષ્યત્વ માંગણી : ત્યાર પછી હે ગૌતમ ! હું રાજગૃહનગરથી પાછો નીકળ્યો – યાવત્ – પૂર્વે જણાવ્યા મુજબ મેં ત્રીજા માસક્ષમણનો સ્વીકાર કર્યો. ત્યાર પછી હે ગૌતમ ! હું ત્રીજા માસક્ષમણના પારણાને માટે તંતુવાયશાળાથી નીકળ્યો. નીકળીને – યાવત્ – વિજય ગાથાપતિમાં વર્ણવ્યા મુજબ ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરતા મેં સુનંદ ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારે સુનંદ ગાથાપતિએ મને આવતો જોયો. ઇત્યાદિ વિજય ગાથાપતિ સમાન જાણવું યાવત્ સુનંદ ગાથાપતિએ મને વંદન–નમસ્કાર કરીને પછી વિપુલ સર્વ કામગુણિત ભોજન વડે પ્રતિલાભિત કરીશ એમ વિચારીને સંતુષ્ટ થયો. પ્રતિલાભિત કરતી વેળાએ સંતુષ્ટ થયો અને પ્રતિલાભિત કર્યા પછી સંતુષ્ટ થયો. ત્યારે તે સુનંદ ગાથાપતિના ઘરમાં દ્રવ્યની શુદ્ધિથી – યાવત્ – લોકો એવી પ્રરૂપણા કરવા લાગ્યા. હે દેવાનુપ્રિયો ! સુનંદ ગાથાપતિ ધન્ય છે, દેવાનુપ્રિયો સુનંદ ગાથાપતિ કૃતપુણ્ય છે. સુનંદ ગાથાપતિ કૃત લક્ષણ છે. સુનંદ ગાથાપતિએ બંને લોક સાર્થક કર્યા છે. દેવાનુપ્રિયો ! સુનંદ ગાથાપતિએ મનુષ્ય જન્મ અને જીવનનું સુફળ પ્રાપ્ત કરી લીધું છે કે, જેના ઘરમાં તથારૂપ સૌમ્ય શ્રમણને પ્રતિલાભિત કરવાથી આ પાંચ દિવ્યો પ્રગટ થયા છે યથા – વસુધારા વૃષ્ટિ – યાવત્ – “અહોદાનું અહોદાનની ઉદ્ઘોષણા. તેથી સુનંદ ગાથાપતિ ધન્ય છે, કૃતાર્થ છે, કૃતલક્ષણ છે, કૃતપુણ્ય છે. તેણે બંને લોકને સાર્થક કર્યા છે અને મનુષ્ય જન્મ તથા જીવનનું સુફળ પ્રાપ્ત કરેલ છે. ત્યારે તે મંખલિપુત્ર ગોશાલકે અનેક લોકો પાસે આ વૃત્તાંત સાંભળીને તેના પર મનન કરતા સંશય ઉત્પન્ન થયો, કુતૂહલ ઉત્પન્ન થયું. તેથી તે સુનંદ ગાથાપતિનું ઘર હતું Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આગમ કથાનુયોગ-૨ ત્યાં આવ્યો. આવીને સુનંદ ગાથાપતિના ઘરમાં વસુધારાની વૃષ્ટિ જોઈ, પંચવર્ણા પુષ્પોને વિખરાયેલા જોયા તથા સુનંદ ગાથાપતિના ઘરમાંથી મને નીકળતો જોયો. તે જોઈને હર્ષિત અને સંતુષ્ટ થયેલો ગોશાળો હું જ્યાં હતો ત્યાં આવ્યો. મને ત્રણ વખત પ્રદક્ષિણા કરી. વંદના નમસ્કાર કરીને મને આ પ્રમાણે નિવેદન કર્યું કે, હે ભગવંત! આપ મારા ધર્માચાર્ય છો અને હું આપનો શિષ્ય છું ત્યારે હે ગૌતમ ! મેં મખલિપુત્ર ગોશાલના તે કથનનો આદર કર્યો નહીં, તે તરફ ધ્યાન આપ્યું નહીં, પરંતુ મૌન ધારણ કર્યું. ૦ ભ૦મહાવીરનું ચોથું પારણું–ગોશાળાને શિષ્યરૂપે સ્વીકાર : ત્યારપછી હે ગૌતમ ! હું રાજગૃહ નગરથી પાછો નીકળ્યો. યાવત્ આવીને ચોથું માસક્ષમણ અંગીકાર કર્યું, તે નાલંદાના બહારના ભાગથી કંઈક દૂર કોલ્લાગ નામક સંનિવેશ હતું. તે કોલ્લાગ સંનિવેશમાં બહુલ નામે બ્રાહ્મણ નિવાસ કરતો હતો. તે ધન વૈભવ સંપન્ન હતો – યાવત્ - અનેક લોકોથી અપરિભૂત હતો તથા ઋગવેદ – યાવત્ – બ્રાહ્મણ ગ્રંથો અને પરિવ્રાજક સિદ્ધાંતોમાં નિષ્ણાત હતો. તે બહુલ બ્રાહ્મણે કાર્તિક ચાતુર્માસ અનંતર પ્રતિપદાના દિવસે પુષ્કળ મધુ અને ધૃતથી સંયુક્ત ખીરનું બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. ત્યારે હે ગૌતમ ! ચોથા માસક્ષમણના પારણાને માટે હું તંતુવાયશાળાથી નીકળ્યો. નીકળીને નાલંદા–પાડાના મધ્યભાગમાંથી થઈને જ્યાં કોલ્લાક સંનિવેશ હતું, ત્યાં ગયો. ત્યાં જઈને કોલ્લાગ સંનિવેશના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં – યાવત્ – ભ્રમણ કરતો બહુલ બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ્યો ત્યાર પછી તે બહુલ બ્રાહ્મણે મને પોતાના ઘરમાં આવતો જોઈને ઇત્યાદિ વર્ણન વિજય ગાથાપતિ પ્રમાણે કરી લેવું – યાવત્ – વંદનનમસ્કાર કરીને મને તે પુષ્કળ મધુ-બૃતથી સંયુક્ત પરમાત્ર વડે પ્રતિલાભિત કરીશ, એવા વિચારથી તે બહુલ બ્રાહ્મણ સંતુષ્ટ થયો. પ્રતિલાભિત કરતા પણ સંતુષ્ટ થયો અને પ્રતિલાભિત કર્યા પછી પણ સંતુષ્ટ થયો. ત્યારે તે બહુલ બ્રાહ્મણે દ્રવ્ય શુદ્ધિથી - યાવત્ – વિજય ગાથાપતિના વર્ણનમાં જણાવ્યા અનુસાર લોકો પ્રરૂપણા કરવા લાગ્યા. હે દેવાનુપ્રિયો ! બહુલ બ્રાહ્મણ ધન્ય છે, દેવાનુપ્રિયો ! બહુલ બ્રાહ્મણ કૃતાર્થ છે. દેવાનુપ્રિયો ! બહુલ બ્રાહ્મણ કૃતપુન્ય છે. દેવાનુપ્રિયો ! બહુલ બ્રાહ્મણ કૃતલક્ષણ છે. દેવાનુપ્રિયો ! બહુલ બ્રાહ્મણે ઉભયલોક સાર્થક કર્યો છે. દેવાનુપ્રિયો ! તે બહુલ બ્રાહ્મણનો મનુષ્યજન્મ અને જીવનનું ફળ પ્રશંસનીય છે કે જેના ઘરમાં તથારૂપ પરમ શ્રમણને પ્રતિલાભિત કરવાથી આ પંચદિવ્યો પ્રગટ થયા છે તે આ પ્રમાણે – વસુધારા વૃષ્ટિ – યાવતું – “અહોદાનં–અહોદાન"ની ઉદૂઘોષણા. તેથી બહુલ બ્રાહ્મણ ધન્ય છે, કૃતાર્થ છે, કૃતપુણ્ય છે, કૃતલક્ષણ છે, તેના બંને લોક સાર્થક છે અને તેણે મનુષ્ય સંબંધિ જન્મ અને જીવનનું ફળ સમ્યક્ પ્રકારે પ્રાપ્ત કર્યું છે. હવે તે જ દિવસે ગોશાળાએ ભગવંતને પૂછેલું કે, આજ મને શું ભોજન પ્રાપ્ત થશે? ભગવંત વતી સિદ્ધાર્થ વ્યંતરે કહેલું કે, આજે તને આંબલીના પાણી સાથે ક્રોદરાભાત મળશે અને દક્ષિણામાં એક ખોટો રૂપિયો મળશે. ત્યારે ગોશાળો સર્વ આદર વડે આખી નગરીમાં ફર્યો, પણ તેને કંઈજ પ્રાપ્ત થયું નહીં. પછી અપરહણ કાળે–સંધ્યાકાળે કોઈ કર્મકરે આંબલીના પાણીવાળા ભાત આપ્યા, ત્યારે તે જમ્યો. પછી કર્મકરે દક્ષિણામાં Page #270 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૬૯ એક રૂપિયો આપ્યો. તેણે રૂપિયાની પરીક્ષા કરી. તો ખબર પડી કે તે ખોટો છે. ત્યારે તે બોલ્યો, જ્યારે જે થવાનું હોય તે અન્યથા થતું નથી. લજ્જા પામી પાછો આવ્યો. ત્યારપછી તે મખલિપુત્ર ગોશાલકે મને તંતુવાયશાળામાં ન જોઈને રાજગૃહ નગરની અંદર-બહાર બધે ચારે તરફ મારી માર્ગણા–ગવેષણા કરી. પરંતુ ક્યાંય મારી શ્રુતિ–સુતિ અને પ્રવૃત્તિ જાણવામાં ન આવી, ત્યારે તે પાછો તંતુવાય શાળામાં આવ્યો, આવીને પોતાની શાટિકા, પાટિકા (બંને એક પ્રકારના વસ્ત્ર છે), કુંડિકા, પાદુકા અને ચિત્રપટ્ટ આદિ પોતાના ઉપકરણોને ધિક્કારપૂર્વક બ્રાહ્મણને સોંપી દીધા. સોંપીને દાઢી-મૂંછ મુંડાવ્યા. મસ્તકનું મુંડન કરાવ્યું. કરાવીને તંતુવાય શાળાથી નીકળ્યો. નીકળીને નાલંદા પાડાના મધ્યભાગમાંથી નીકળ્યો, નીકળીને જ્યાં કોલ્લાગ સંનિવેશ હતું ત્યાં આવ્યો. તે વખતે કોલ્લાગ સન્નિવેશના બાહ્ય ભાગમાં ઘણાં લોકો પરસ્પર એકબીજા સાથે આ પ્રમાણે વાત કરી રહ્યા હતા – યાવત્ – પ્રરૂપણા કરી રહ્યા હતા કે, હે દેવાનુપ્રિયો! બહુલ બ્રાહ્મણ ધન્ય છે – યાવત્ – બહુલ બ્રાહ્મણના મનુષ્ય જન્મ અને જીવનનું ફળ પ્રશંસનીય છે. ત્યારે ગોશાલક મખલિપુત્રે તે ઘણાં લોકો પાસે આ સંવાદ સાંભળીને અને હૃદયમાં અવધારિત કરીને આવા પ્રકારનો મનોગત – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવંતને જેવી ઋદ્ધિ, ધૃતિ, યશ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ મળેલ છે. પ્રાપ્ત થયેલ છે, અભિસમન્વાગત થયેલ છે, તેવા પ્રકારની ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અન્ય કોઈપણ તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને મળેલ નથી, પ્રાપ્ત થયેલ નથી. અધિગત થયેલ નથી. તેથી નિસંદેહ અહીં મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવંત મહાવીર હોવા જોઈએ. આવા પ્રકારનો વિચાર કરીને કોલ્લાગ સન્નિવેશના અંદર-બહાર મારી માર્ગણા–ગવેષણા કરી અને પછી બધે જ ચારે તરફ મારી માર્ગણા–ગવેષણા કરતાંકરતો કોલ્લાગ સન્નિવેશના બાહ્ય ભાગમાં સ્થિત મનોજ્ઞભૂમિમાં મને આવીને મળ્યો. ત્યારપછી તે મંખલિપુત્ર ગોશાલકે હર્ષિત-સંતુષ્ટ થઈને મને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા અને વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે નિવેદન કર્યું, હે ભંતે ! આપ મારા ધર્માચાર્ય છો અને હું આપનો અંતેવાસી છું. ત્યારે તે ગૌતમ ! મેં મખલિપુત્ર ગોશાલકની આ વાત સાંભળી અને સ્વીકાર કર્યો. ૦ ગોશાલકનો ભ૦મહાવીર સાથે વિહાર : ત્યારપછી હે ગૌતમ! મેં ગોશાલ મખલિપુત્ર સાથે છ વર્ષપર્યંત તે પ્રણિત ભૂમિમાં લાભ–અલાભ, સુખ-દુ:ખ, સત્કાર–અસત્કારનો અનુભવ કરતાં-કરતા અને અનિત્યતાનું ચિંતન કરતા–કરતા વિચરણ કર્યું. તે આ પ્રમાણે– હું ગોશાલા સાથે સ્વર્ણખલ ગયો. ત્યાં માર્ગમાં ગોપાલો દૂધ લઈને મોટા થાળમાં નવા ચોખા નાંખીને દૂધપાક બનાવતા હતા. ત્યારે ગોશાળાએ કહ્યું કે, ચાલો ભગવંત આપણે રહીં ભોજન લઈશું. ત્યારે (મારામાં રહેલ) સિદ્ધાર્થ વ્યંતરે જવાબ આપ્યો કે, આ દૂધપાક પાકવાનો જ નથી, તે વાસણ ભાંગી જવાનું છે. ત્યારે તે વચનમાં શ્રદ્ધા ન કરતા, તેણે ગોવાળને કહ્યું કે, આ દેવાર્ય ભૂત અને ભાવિના જાણકાર છે. તેઓ કહે છે Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ આગમ કથાનુયોગ-૨ કે, આ થાળ ભાંગી જવાનો છે, તેથી પ્રયત્નપૂર્વક તેનું રક્ષણ કરવું, તેઓએ દૂધપાક પકાવવાના થાળને વાંસની ચીપ બનાવીને બાંધી દીધો. તેમાં ઘણાંબધાં વધારે ચોખા નાંખ્યા, ચોખા પાકવાથી ફૂલી ગયા. તેથી તે થાળ ફૂટી ગયો. ત્યારે ગોવાળોએ જે-તે જમી લીધું. ગોશાળાને કંઈ મળ્યું નહીં. તેથી તેના મનમાં નિયતિવાદ ગાઢ બન્યો. ત્યાંથી હું બ્રાહ્મણગ્રામ ગયો. ત્યાં નંદ અને ઉપનંદ બે ભાઈઓ રહેતા હતા. તે ગામમાં પણ બે પાડા (ઉપ વિસ્તાર) હતા. એક નંદનો પાટક અને બીજો ઉપનંદનો પાટક. ત્યારે હું નંદના પાડામાં, નંદના ઘરે ગયો. ત્યાં નંદે મને પર્કષિત અન્ન વડે પ્રતિલાભિત કર્યો. ગોશાળા ઉપનંદના પાટકમાં ઉપનંદના ઘેર ગયો. તેણે ઉપનંદને ભિક્ષા આપવા માટે કહ્યું, ત્યારે ત્યાં ગૌચરીની વેળા થઈ ન હતી. ત્યારે તે ઠંડા ભાત લઈને આપવા આવ્યો. ગોશાળાએ તે લેવાની ના પાડી. તેથી ઉપનંદે ગુસ્સાથી દાસીને કહ્યું કે, એ ભાત તું તેના માથા ઉપર ફેંકી દે. તેણીએ ગોશાળાના માથે ઠંડા ભાત ફેંક્યા. ત્યારે ગોશાળાએ અપ્રીતિથી કહ્યું કે, જો મારા ધર્માચાર્યનું કંઈ તપ તેજ હોય તો આનું ઘર બળી જાઓ. ત્યારે નિકટ રહેલા વાણવ્યંતરે વિચાર્યું કે, ભગવંતનું વચન મિથ્યા ન થાઓ. તેથી તેણે તેનું ઘર બાળી નાંખ્યું. ત્યાંથી હું (ભગવંત મહાવીર) ચંપાનગરી ગયો. ત્યાં વર્ષાવાસ રહ્યો. ત્યાં બે માસી તપ અંગીકાર કર્યો. વિવિધ તપ વડે ત્રીજું ચોમાસું પૂર્ણ કર્યું. ત્યારે છેલ્લા બે માસી તપનું પારણું કાલાક નામના સંનિવેશમાં બહાર કર્યું. ગોશાળા સાથે પછી શૂન્યગૃહમાં કાયોત્સર્ગ ધ્યાને રહ્યો. ગોશાળો પણ તેના બારણા પાસે રહ્યો. ત્યારે સિંહ નામનો ગામના મુખીનો પુત્ર વિદ્યુમ્નતી નામના દાસી સાથે તે શૂન્યગૃહમાં આવ્યો. તેમણે કહ્યું કે, અહીં જે કોઈ શ્રમણ કે બ્રાહ્મણ કે પથિક જે કોઈ રહેલ હોય તે અન્યત્ર ચાલ્યા જાઓ. તે બંને થોડીવારે ક્રીડા કરીને નીકળ્યા ગોશાળા વડે તે દાસીને સ્પર્શ થયો. ત્યારે તેણી બોલી અહીં કોઈક છે. ત્યારે મુખિપુત્રએ આવીને તેને ખૂબ માર્યો કે, આ પૂર્વે આપણને અનાચાર કરતા જોયા છે. ત્યારે તેણે ભગવંતને ફરિયાદ કરી કે, મને એકલાને માર્યો ત્યારે તમે કેમ ન રોક્યા ? ત્યારે કહ્યું કે, તું તારા લક્ષણ સરખા રાખ, શું અમારે પણ તારી પાછળ માર ખાવો ? અંદર કેમ રહેતો નથી ? ' ત્યાંથી હું (મહાવીર સ્વામી) પાત્રાલકે ગયા. ત્યાં પણ શૂન્યગૃહે રહ્યા. ગોશાળો ત્યાં ભયથી અંદર જ રહ્યો. ત્યાં &દક નામનો ગામના મુખીનો પુત્ર પોતાની દાસી દંતિલિકા સાથે તે શૂન્યગૃહમાં આવ્યો. તેણે પણ પૂર્વવત્ જણાવ્યું કે, જો કોઈ હોય તે બહાર નીકળી જાય. ક્રીડા કરીને જતા હતા ત્યારે ગોશાળો હસ્યો. ત્યારે ફરી પણ તેણે માર ખાધો. ત્યારે ફરી ભગવંતને (મો) તિરસ્કારથી કહ્યું કે, હું માર ખાઉં છું અને તમે બચાવતા નથી. ત્યારે તેને કહ્યું કે, તું તારું માથું ઠેકાણે રાખને. તું તારી પોતાની ભૂલથી માર ખાય છે. ત્યાંથી હું કુમારક નામના સંનિવેશમાં ગયો. ત્યાં ચંપરમણીય ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહ્યો. ત્યાં પાર્શ્વનાથના શાસનના મુનિચંદ્ર નામના સ્થવિર જિનકલ્પપ્રતિમા ધારણ કરીને રહેલા. ગોશાળાએ કહ્યું કે, હે ભગવંત ! ચાલો અવસર થયો છે. ભિક્ષાર્થે જઈએ. ત્યારે મેં કહ્યું, મારે ઉપવાસ છે. ગોશાળો ચાલવા લાગ્યો, તેણે મુનિચંદ્રસૂરિને WW Page #272 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા જોયા. તેમને પૂછ્યું કે, તમે કોણ છો ? તેમણે જવાબ આપ્યો કે, અમે શ્રમણો છીએ ત્યારે ગોશાળાએ કહ્યું કે, તમે તો પરિગ્રહી છો, તમે નિગ્રન્થ કઈ રીતે કહેવાઓ ? એ રીતે સંવાદ કરતા આગળ ગોશાળાએ શ્રાપ આપ્યો કે, મારા ધર્માચાર્યનું તપ-તેજ હોય તો આ શ્રમણનું સ્થાન બળી જાઓ. પણ કંઈ થયું નહીં એટલે મને ફરિયાદ કરી. ત્યારે તેને સમજાવ્યું કે, તેઓ ભ૰પાર્થના શાસનના સાધુ છે, તે બળે નહીં. ત્યારપછી રાત્રિ થવા આવી. મુનિચંદ્રાચાર્ય ઉપાશ્રયની બહાર પ્રતિમા ઘ્યાને રહ્યા. તે દિવસે ત્યાં કોઈ દારૂ પીને ઉન્મત્ત થઈને સંધ્યાકાળે આવેલો. જેવા તેણે મુનિચંદ્રાચાર્યને જોયા કે તે વિચારવા લાગ્યો કે, આ ચોર છે, તેથી તેમને ગળેથી પકડ્યા. તેમને શ્વાસોચ્છવાસ રહિત કરી દીધા, તો પણ ધ્યાનથી વિચલિત ન થયા. તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, આયુષ્ય પૂર્ણ થઈ ગયું અને દેવલોકમાં ગયા. તે વખતે નજીકમાં રહેલા વ્યંતર દેવોએ આચાર્ય ભગવંતનો કાળધર્મનો મહિમા કર્યો. તે વખતે ગોશાળાએ બહાર ઊભા રહીને જોયું. તેણે દેવોને નીચે ઉતરતા અને ઉપર ચઢતા જોયા. દેવ ઉદ્યોથી ગોશાળાએ માન્યું કે, આચાર્ય ભગવંતનો ઉપાશ્રય બળી રહ્યો છે. તેણે ભગવંતને (મને) કહ્યું કે, જુઓ તમારા પ્રત્યેનીકનો ઉપાશ્રય બળી રહ્યો છે. ત્યારે ગોશાળાને જણાવ્યું કે, તેનો ઉપાશ્રય નથી બળતો પણ, તે આચાર્યને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું અને તેમનું આયુષ્ય પૂર્ણ થતા દેવલોકે ગયા, તેનો મહોત્સવ દેવો કરી રહ્યા છે. દેવાના ગયા બાદ ગોશાળો ત્યાં ગયો તો તેણે જોયું કે, ત્યાં ગંધોદક અને પુષ્પોની વર્ષા થયેલી છે. જ્યારે સાધુઓએ આ બધી હકીકત જાણી ત્યારે તેઓ પણ ગોશાળાનો તિરસ્કાર કરીને ચાલ્યા ગયા. ત્યારપછી (ભગવંત મહાવીર) હું ચોરાક સંનિવેશ ગયો. ત્યાં કોટવાળો એ અમને ચોર જાણી કૂવામાં ફેંકી દીધા. ફરી બહાર કાઢ્યા. તેવામાં ઉત્પલ નિમિત્તકની સોમા અને જયંતી નામની બે બહેનો આવી, તેમણે આ તો ચરમ તીર્થંકર છે જાણી અમને છોડાવ્યા. ત્યાંથી મેં ચોથુ ચાતુર્માસ પૃષ્ઠચંપામાં કર્યુ. ત્યાં ચોમાસી તપ કર્યો. તે તપ પારીને બહાર કૃતાંગલા નગરીએ ગયો. ત્યાં દરિદ્ર સ્થવિર નામનો પાખંડી હતો. તે મહિલા, આરંભ અને પરિગ્રહ સહિત હતો. તેના દેવકુલમાં હું પ્રતિમા ધ્યાને રહ્યો. તેઓને તે દિવસે જાગરણ હતું. તે મહિલાઓ સહિત ગાતો અને નાચતો હતો. ત્યારે ગોશાળો બોલ્યો કે, આનું નામ જ પાખંડી, સ્રીઓ અને આરંભ સહિત એકઠા થઈ ગાય છે, વગાડે છે અને નાચે છે. ત્યારે તેઓએ તેના ઉપર ઠંડુ પાણી નાંખ્યુ. મહામાસની ઠંડીમાં તે થરથરતો ત્યાં રહ્યો. અનુકંપા બુદ્ધિથી તેઓએ ગોશાળાને છોડ્યો. ફરીથી ગોશાળાએ મજાક કરી, ફરી તેને પાણીમાં ફેંક્યો. એ રીતે ત્રણ વખત ગોશાળાને બહાર ફેંક્યો અને પાછો લાવ્યા. ત્યારે કોઈએ કહ્યું કે, આ દેવાર્યનો કોઈ પીઠમર્દક કે છત્રધર લાગે છે. ત્યારે તે મૌન ધારણ કરીને રહ્યો. ૨૦૧ ત્યારપછી (ભગવંત મહાવીર) હું શ્રાવસ્તી ગયો. ત્યાં બહાર પ્રતિમાધ્યાને રહ્યા. ત્યારે ગોશાળાએ પૂછ્યું, તમે ચાલો છો ? ત્યારે કહ્યું કે, અમારે આજે ઉપવાસ છે. ગોશાળાએ પૂછ્યું કે, મને ભોજનમાં શું મળશે ? ત્યારે કહ્યું કે, તું આજે મનુષ્યનું માંસ ખાઈશ. ત્યારે તે બોલ્યો કે, તો હું આજે એવા સ્થાને ભોજન લઈશ કે જ્યાં માંસનો Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આગમ કથાનુયોગ-૨ સંભવ જ ન હોય. પછી મનુષ્યના માંસનો સંભવ જ ક્યાંથી રહેશે ? તે આહાર માટે નીકળ્યો. તે નગરીમાં પિતૃદત્ત ગાથાપતિની શ્રીભદ્રા પત્ની નિંદુ હતી. તેને મૃત બાળક જન્મતા હોવાથી કોઈ નિમિત્તકે કહેલું કે તમે કોઈ તપસ્વીને બાળકનું માંસ રાંધીને ખીર બનાવીને આપો તો સ્થિર પ્રજા થશે. તેણીએ તેમ કરીને, ગોપાલક ભિક્ષાર્થે આવ્યો ત્યારે ખીરને મધુ-બૃત સહિત આપી. ગોશાળાને થયું કે આમાં માંસ કયાંથી હશે ? ત્યારે ખુશ થઈને આહાર કર્યો. આવીને બોલ્યો કે, તમારું નિમિત્ત જ્ઞાન ક્યાં ગયું, મેં તો ખીર ખાધી. ત્યારે તેને કહ્યું કે, તું વમન કરીને જોઈ લે. તેણે વમન કર્યું ત્યારે તેમાં માંસ અને ટુકડા નીકળ્યા. (ઇત્યાદિ વૃત્તાંત ભ૦ મહાવીર કથાથી જાણવો) યાવત્ પિતૃદત્તનું ઘર બળી ગયું. ત્યારપછી (ભ૦મહાવીર) હું હરિદ્રાક નામના ગામે ગયો. ત્યાં પ્રતિપાધ્યાને રહ્યો – યાવત્ – તે સાથે લોકોએ રાત્રિના શીતકાળે અગ્નિ પ્રગટાવ્યો. વહેલી સવારે સાર્થિકો ગયા, ત્યારે તેમણે અગ્નિને શાંત ન કર્યો. તે બળતો–બળતો (ભગવંત) મારી પાસે આવ્યો. તેનો પરિતાપ લાગવા માંડ્યો. ગોશાળા બોલ્યો કે, ભગવંત ! ભાગો, આ અગ્રિ આવી રહ્યો છે. મારા પગ બળવા લાગ્યા. ગોશાળો નાસી ગયો. ત્યાંથી (ભગવંત) હું બંગલા ગામે ગયો. વાસુદેવગૃહે પ્રતિમાધ્યાને રહ્યો. ત્યાં ગોશાળો પણ રહ્યો. ત્યાં બાળકો રમી રહ્યા હતા. તેણે કાંદપિક ચેષ્ટા શરૂ કરી. આંખોનો વિકાર કરી, મુખનો વિકાર કરી તે બાળકોને બીવડાવવા લાગ્યો. ત્યારે બાળકો ભાગવા લાગ્યા. પડતા–પડતા તેમના ઘુંટણો ભાંગ્યા. પછી તેના માતા-પિતાએ આવીને ગોશાળાને માર્યો. પછી બોલ્યા કે, આ દેવાર્યનો દાસ લાગે છે. એક સ્થાને રહેતો નથી. પછી ગોશાળાએ ફરિયાદ કરી કે હું માર ખાઉ છું અને તમે બચાવતા નથી. ત્યારે તેને કહ્યું કે, તું એક સ્થાને સરખો નહીં રહેતો અવશ્ય માર ખાતો રહીશ. પછી (ભગવંત) હું આવર્તા નામક ગામે ગયો ત્યાં પણ બળદેવગૃહે પ્રતિમાધ્યાને રહ્યો. ત્યાં ગોશાળાએ વાંદરા જેવું મુખ કરીને બાળકોને ભય પમાડ્યો. ત્યાં પણ તેને લોકોએ માર્યો. તે બાળકો રોતા–રોતા માબાપ પાસે ગયા અને વાત કરી. તેઓએ પણ આવીને ગોશાળાને માર્યો. તેને પિશાચ જાણી છોડી દીધો – યાવત્ – બળદેવ (યક્ષ) પ્રગટ થઈ ભગવંતને છોડાવ્યા. ત્યાંથી (ભગવંત) હું ચોરાક સંનિવેશ ગયો. ત્યાં ગોષ્ઠિક ભોજન તૈયાર થતું હતું. ત્યાં ભગવંત પ્રતિમા ધ્યાને રહ્યા. ગોશાળો બોલ્યો કે, ચાલો અહીં ફરીએ – ચાવત – ગોશાળો વારંવાર ત્યાં જોવા લાગ્યો. તેઓએ માન્યું કે, આ ચોર લાગે છે. તેથી તેને પકડીને ખૂબ જ માર્યો. (ભગવંત) હું પ્રચ્છન્નપણે રહ્યો. ત્યારે ગોશાળો બોલ્યો કે, જો મારા ધર્માચાર્યનું તપ તેજ હોય તો આ મંડપ બળી જાઓ. નિકટ રહેલા વ્યંતર દેવે તે બાળી નાંખ્યો. ત્યાંથી (ભગવંત) હું કલંબુકા સંનિવેશ ગયો. ત્યાં કાલહતિ ચોરે અમને બાંધી દીધા – યાવત્ – મેઘ નામના ભાઈએ અમને છોડાવ્યા. ત્યાંથી હું લાઢ દેશમાં ગયો. ત્યાં ઘણાં કર્મોની નિર્જરા કરી પછી ત્યાંથી નીકળવું એમ વિચાર્યું. ઇત્યાદિ કથાનક ભ૦ મહાવીર કથામાં આપેલ છે. કદલી સમાગમ ગામે મારે ઉપવાસ હતો. ગોશાળો ત્યાં ગયો. ત્યાં દહીંભાત ખાધાં. ત્યાં પણ તેની ઉપર ગરમ ભાત ફેંકાયા, તે દાઝતો પાછો આવ્યો. ત્યાંથી Page #274 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૭૩ જંબૂખંડ ગામે ગયા. ત્યાં પણ ગોશાળાને ઉપદ્રવ થયો. ત્યાંથી હું ત્રંબા ગામે ગયો. ત્યાં ભ૦પાર્શના શાસનના નંદિષેણ નામના સ્થવિર જિનકલ્પ પરિકર્મ કરતા હતા. તેઓ બહાર પ્રતિમાધ્યાને રહ્યા. ગોશાળાએ ત્યાં જઈને મુનિચંદ્રાચાર્યને પૂછયા હતા તેવા જ પ્રશ્નો પૂછયા, પછી આચાર્યની હાંસી કરી – યાવત્ – ત્યાંથી ચાલતા બે રસ્તા આવ્યા. ત્યારે ગોશાળાએ કહ્યું કે, હું તમારી સાથે નહીં આવું કેમકે તમે મને માર ખાતો બચાવતા નથી વળી તમારી સાથે ઘણાં ઉપસર્ગો થાય છે. તેથી એકલો જ વિચરણ કરીશ. .. તે એકલો જતો હતો ત્યારે ૫૦૦ ચોરોએ તેને પકડીને “આ મામો છે, મામો છે” એમ કહીને ઘણી જ કદર્થના કરી, ત્યારે ગોશાળાને થયું કે, આ કરતા ભગવંત સાથે જ રહેવું સારું છે. ભગવંતને કોઈક તો છોડાવે છે, તેની નિશ્રામાં હું પણ બચી જઉં છું. ત્યાર પછી તેણે મને શોધવાનું શરૂ કર્યું. હું વિશાલાનગરી ગયો. ત્યાં કર્મકરની શાળામાં અનુજ્ઞા લઈને પ્રતિમા ધ્યાને રહ્યો – યાવત્ – (શેષ કથા ભમહાવીરના કથાનકથી જાણવી) ત્યાંથી ભદ્રિકા નગરીએ ચોમાસામાં ફરી ગોશાળો ત્યાં ભેગો થયો – યાવત્ – આલંભિકા નગરીમાં સાતમું ચોમાસુ કરી ચોમાસી તપ કરી ત્યાંથી હું કુંડાક સંનિવેશ ગયો. – ત્યાં વાસુદેવ ગૃહે એક ખૂણામાં પ્રતિમા ધ્યાને રહ્યો. ગોશાળો પણ ત્યાં વાસુદેવ પ્રતિમા સન્મુખ રહ્યો. ત્યાંના પૂજારીએ આવીને તેને જોયો, ગામમાં જઈને વાત કરી. તેઓએ આવીને ગોશાળાને માર્યો, પછી બાંધી દીધો. કોઈ બોલ્યું કે, આ પિશાચ છે, ત્યારે તેને મુક્ત કર્યો. ત્યાંથી હું મર્દના ગામે ગયો, ત્યાં બળદેવગડે એક ખૂણામાં પ્રતિમા ધ્યાને રહ્યો. ગોશાળો ત્યાં પણ તેવી જ રીતે રહ્યો. પછી ત્યાં પણ તેણે માર ખાધો - યાવત (ભ મહાવીરની શેષ કથા ભ, મહાવીર કથાનકથી જાણવી) - ત્યાંથી હું ઉર્તાક ગામે ગયો. ત્યાં માર્ગમાં એક વર-વહૂ સામે મળ્યા. તે બંને કુરુપ અને બેડોળ હતા. ત્યારે ગોશાળો બોલ્યો, અહો ! આ કેવો સુસંયોગ છે. વિધિરાજ પણ ખરેખર કુશળ છે. એકબીજાથી દૂર હોય તો પણ સરખે સરખાનો સંયોગ કરાવી દે છે. તે સાંભળીને લોકોએ તેને ખૂબ જ માર્યો. પછી વાંસના જંગલમાં ફેંકી દીધો. ત્યાં પડ્યો પડ્યો શરણરહિત રહ્યો. હું થોડે દૂર જઈ રોકાયો, ત્યારે તે લોકોને થયું કે, આ તો દેવાર્યનો કોઈ પીઠિકાવાહક કે છત્રધર લાગે છે. તેને બહાર કાઢ્યો. એ રીતે મુક્ત કર્યો. ત્યાંથી (ભગવંત) હું ગોભૂમિ પ્રતિ ચાલ્યો. માર્ગમાં સઘન અટવી આવી. તે ગોભૂમિમાં ગાયો ચરતી હતી. ત્યારે ગોશાળાએ ગોવાળને તુચ્છ ભાષામાં પૂછયું કે, ઓ! વજલાઢ ! આ રસ્તો ક્યાં જાય છે ? વજલાઢ શબ્દ મ્લેચ્છ માટે વપરાય છે. ત્યારે તે ગોવાળો બોલ્યા કે, કેમ ગાળો આપે છે? ત્યારે ગોશાળો તેને ભાંડવા લાગ્યો, અરે અસૂય પુત્રો! અરે સૌર પુત્રો ! મેં તમને બરાબર જ કહ્યું છે. તેથી તેઓએ ભેગા થઈને ગોશાળાને માર્યો. બાંધીને વાંસમાં ફેંકી દીધો. વળી કોઈએ તેને છોડાવ્યો – યાવત્ (ભ,મહાવીરની શેષ કથા તેમના કથાનકથી જાણવી) – સિદ્ધાર્થપુરથી કૂર્મગ્રામ તરફ ચાલ્યા. તે કાળે હે ગૌતમ ! શરદકાળના સમયે જ્યારે વરસાદ થતો ન હતો. તે વખતે હું ગોશાળા સાથે કૂર્મગ્રામ નગર તરફ જઈ રહ્યો હતો. ત્યાં માર્ગમાં એક વિશાળ –મોટો તલનો છોડ હતો. જે ફળફૂલ સહિત પોતાની હરિયાળીથી અત્યંત રમણીય અને પોતાના ૨/૧૮), Jain bation_hternational Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ આગમ કથાનુયોગ-૨ શોભા-લાવણ્યથી અતિ શોભાયમાન હતો. ત્યારે તે મખલિપુત્ર ગોશાલકે તે તલના છોડને જોયો. જોઈને મને વંદન-નમસ્કાર કર્યો અને પૂછયું, હે ભગવન્ ! આ તલનો છોડ નિષ્પન્ન–પલ્લવિત થશે કે નહીં ? આ સાત તલપુષ્પોના જીવ મરીને કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? ત્યારે હે ગૌતમ ! મેં ગોશાલક મંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું, હે ગોશાલ! આ તલનો છોડ નિષ્પન્ન થશે. અનિષ્પન્ન થશે નહીં. આ સાત તલના પુષ્પ જીવો મરીને આ તલના છોડમાં એક તલની ફલીમાં સાત તલના રૂપમાં ઉત્પન્ન થશે. ત્યારે તે મંખલિપુત્ર ગોશાલે મારા દ્વારા કહેવાયેલ વચન પર શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રૂચિ ન કરી. પરંતુ તે વાત પર અશ્રદ્ધા, અપ્રતીતિ અને અરુચિ કરતા – “મારા નિમિત્તે આ મિથ્યાવાદી થાય' એવું વિચારી મારી પાસેથી ધીરે ધીરે સરકીને પાછળ ગયો. પાછળ જઈને જ્યાં તે તલનો છોડ હતો, ત્યાં પહોંચ્યો. પહોંચીને તે તલના છોડને માટી સહિત મૂળથી ઉખેડી નાંખ્યો. ઉખેડીને એકાંતમાં કોઈ ખૂણામાં ફેંકી દીધો. સમયે હે ગૌતમ ! તત્કાલ ઉપર આકાશમાં દિવ્ય મેઘવાળા વાદળો પ્રગટ થયા. તે દિવ્ય વાદળો તુરંત જ ગરજવા લાગ્યા. તુરંત જ વીજળી ચમકવા લાગી અને જલ્દીથી અધિક કીચડ કે અધિક પાણી ન થાય તે રીતે રિમઝીમ–રિમઝીમ નાના–નાના બુંદ સહિત અને રજ તથા ધૂળને શાંત કરનારી દિવ્ય જળની વૃષ્ટિના રૂપમાં વરસવા લાગ્યા. જેનાથી તે તલનો છોડ ત્યાંજ સ્થિર થઈ ગયો. વિશેષ રૂપે સ્થિર થઈ ગયો અને બદ્ધમૂલ થઈને ત્યાંજ પ્રતિષ્ઠિત થઈ ગયો. તથા તે સાત તલપુષ્પના જીવ મરીને તે જ તલના છોડમાં એક તલની ફળીમાં સાત તલના રૂપે ઉત્પન્ન થયા. (ઉક્ત અભિપ્રાય ભગવતીજીનો છે. આવશ્યક વૃત્તિ તથા પૂર્ણિમાં જણાવ્યા પ્રમાણે – ત્યાં નિકટમાં રહેલા વ્યંતરોએ વિચાર્યું કે, “ભગવંત મૃષાવાદી ન થાઓ" તે માટે તેમણે જ દિવ્ય વાદળો વિફર્ચા, વરસાદ વરસાવ્યો. છોડ સ્થિર કર્યો. પછી ગાય આવી, તેણીએ પગની ખરી વડે છોડને જમીનમાં ઉતારી દીધો. પ્રતિષ્ઠિત કર્યો. પુષ્પો પણ થયા. ત્યાર પછી તે ગૌતમ ! હું મખલિપુત્ર ગોશાલકની સાથે જ્યાં કૂર્મગ્રામ નગર હતું ત્યાં આવ્યો. તે કૂર્મગ્રામ નગરની બહાર વૈશ્યાયન નામે એક બાલતપસ્વી આતાપના લેતો હતો, તે તપસ્વી નિરંતર છઠના પારણે છઠ તપકર્મ કરતો હતો. બંને ભૂજાને ઉપર તરફ રાખી, સૂર્ય તરફ મુખ કરી આતાપના ભૂમિમાં આતાપના લેતો વિચરતો હતો. સૂર્યના તાપથી તેની જટામાં રહેલી જૂઓ ચારે તરફથી નીકળતી હતી – નીચે પડતી હતી. તે તપસ્વી પ્રાણ, ભૂત, જીવ અને સત્વની દયા કરીને, જીવ રક્ષાર્થે તે પડેલી જૂઓને પુનઃ પુનઃ ઉપાડીને માથામાં પાછી રાખતો હતો. ત્યારે તે પંખલિપુત્ર ગોશાળાએ તે વૈશ્યાયન બાલ તપસ્વીને જોયા, જોઈને મારી પાસેથી ખસતો–ખસતો પાછળ ગયો. જઈને જ્યાં તે બાલ તપસ્વી વૈશ્યાયન હતા, ત્યાં પહોંચ્યા. પહોંચીને વૈશ્યાયન બાલતપસ્વીને આ પ્રમાણે કહ્યું, શું તમે તત્વજ્ઞ મુનિ છો ? કે પછી જૂઓના શય્યાતર છો – ખાણ કે ભંડાર છો ? અથવા સ્ત્રી છો કે પુરૂષ છો ? ત્યારે તે વૈશ્યાયન બાલતપસ્વીએ મખલિપુત્ર ગોશાલકની તે વાતનો આદર ન કર્યો, ધ્યાન, ન આપ્યું પણ મૌન રહ્યા. ત્યાર પછી ગોશાળાએ તે વૈશ્યાયન બાલતપસ્વીને ફરીથી બીજી Page #276 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૭૫ વાર, ત્રીજી વાર પણ આ પ્રમાણે કહ્યું કે, શું તમે મુનિ છો ? ઇત્યાદિ. ત્યારે તે વૈશ્યાયન બાલતપસ્વી ગોશાલ સંખલિપુત્ર દ્વારા બીજી વખત, ત્રીજી વખત કહેવાયેલ આ કથનને સાંભળીને ક્રોધાભિભૂત થઈને રુઝ, કુપિત થયા. પ્રચંડ અને દાંતોને કચકચાવતા આતાપના ભૂમિથી નીચે ઉતર્યા. ઉતરીને તેણે તેજસુ સમુઘાત કર્યો. સમુઘાત કરીને સાત–આઠ ડગલાં પાછળ ખસ્યા. પાછળ ખસીને ગોશાલ મખલિપુત્રનો વધ કરવાને માટે શરીરમાંથી તેજલેશ્યા કાઢી. ત્યારપછી હે ગૌતમ ! મખલિપુત્ર ગોશાલકની અનુકંપાર્થે અને વૈશ્યાયન બાલતપસ્વીની તેજલેશ્યાના ઉષ્ણતેજનો પ્રતિસંહરણ કરવાના હેતુથી મેં વચ્ચે જ શીતલેશ્યા કાઢી. તે શીતલેશ્યા આ વિશાળ જંબૂઢીપને અંદરના ભાગથી વીંટી દે તેટલી વિશાળ હતી. મારી તે શીતળ તેજલેશ્યા વડે વૈશ્યાયન બાલતપસ્વીની ઉષ્ણ તેજલેશ્યાનો પ્રતિઘાત થઈ ગયો. ત્યારે પોતાની ઉષ્ણ તેજોલેશ્યાનો પ્રતિઘાત થયેલ જાણીને તથા મંખલિપુત્ર ગોશાલકના શરીરમાં કિંચિંતુ માત્ર પણ પીડા, બાધા અથવા અવયવનો છેદ ન થયો જોઈને, તે વૈશ્યાયન બાલતપસ્વીએ પોતાની ઉષ્ણ તેજોલેશ્યા પાછી ખેંચી લીધી અને પાછી ખેંચીને, મારી ઋદ્ધિ જાણીને આ પ્રમાણે કહ્યું, હે ભગવંત! મેં જાણ્યું, હે ભગવંત! મેં આ જાણ્યું. મને ખબર નહીં કે આ તમારો શિષ્ય છે અને ક્ષમા કરો. ત્યારપછી સંખલિપુત્ર ગોશાલકે આ પ્રમાણે કહ્યું, હે ભગવંત ! આ જૂના શય્યાતર બાલ તપસ્વીએ આપને આ પ્રમાણે શું કહ્યું કે, ભગવંત ! આ જાણ્યું ? ભગવંત! મેં આ જાણ્યું. ત્યારે હે ગૌતમ ! મેં ગોશાલક મંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું, હે ગોશાલ! તું બાળ તપસ્વી વૈશ્યાયનને જોઈને મારી પાસેથી ધીરે ધીરે પાછળ ખસ્યો. ખસીને જ્યાં તે વૈશ્યાયન બાલ તપસ્વી હતા, ત્યાં પહોંચ્યો. ત્યાં પહોંચીને વૈશ્યાયન બાલતપસ્વીને તે આ પ્રમાણે કહ્યું કે, શું તું મુનિ છે ? તત્વજ્ઞ છે ? જૂઓનો શય્યાતર છે? સ્ત્રી છે કે પુરુષ છે? ત્યારે તે બોલ તપસ્વીએ તારી તે વાતની ઉપેક્ષા કરી, તેના પર ધ્યાન આપ્યું પણ મૌન ધારણ કરીને રહ્યા. ત્યાર પછી તે ગોશાલ! તેં બીજી વખત, ત્રીજી વખત પણ તે બાલ તપસ્વી વૈશ્યાયનને એ પ્રમાણે જ પ્રશ્ન કર્યો - ત્યારે તે વૈશ્યાયન બાલ તપસ્વી તારી એ બીજી વખત, ત્રીજી વખત કહેવાયેલી વાત સાંભળીને ઘણો જ કૂદ્ધ અને રષ્ટ થયો – યાવત્ – વૈશ્યાયન બાલતપસ્વીએ પોતાની તેજોલેશ્યા પાછી ખેંચી લીધી અને પાછી ખેંચીને મને આ પ્રમાણે કહ્યું કે, હે ભગવન્! મેં આ જાણ્યું, હે ભગવન્! મેં આ સારી રીતે જાણ્યું. ત્યાર પછી મારી ઉપર્યુક્ત વાત સાંભળીને અને અવધારીને તે મંખલિપુત્ર ગોશાલકે ભીત, ત્રસ્ત, ત્રસિત, ઉદ્વિગ્ન અને ભયથી આક્રાન્ત થઈને મને વંદન–નમસ્કાર કર્યો તથા વંદન–નમસ્કાર કરીને પોતાના આ પ્રકારની જિજ્ઞાસા દર્શાવી. હે ભગવંત ! સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા કઈ રીતે પ્રાપ્ત થાય છે ? ત્યારે તે ગૌતમ ! મેં તે મંખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું, હે ગોશાલ નખ સહિત મુઠિમાં જેટલા અડદના બકુળા આવે તેટલી માત્રાથી અને ચુલ્લુભર પાણીથી નિરંતર છઠ–છઠની તપસ્યા કરે, તેની સાથે બંને હાથ ઊંચા રાખીને સૂર્ય તરફ મુખ રાખીને આતાપના ભૂમિમાં જે આતાપના લે છે, તેને છ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ આગમ કથાનુયોગ-૨ માસને અંતે સંક્ષિપ્ત વિપુલ તેજલેશ્યા પ્રાપ્ત થાય છે ત્યાર પછી ગોશાલક મંખલિપુત્રે મારા આ કથનને વિનયપૂર્વક સમ્યકરૂપે સ્વીકાર્યું. ત્યાર પછી તે ગૌતમ ! અન્યદા એક દિવસે હું મખલિપુત્ર ગોશાલની સાથે કૂર્મગ્રામનગરથી સિદ્ધાર્થગ્રામનગર તરફ વિહાર કરવા ઉદ્યત થયો જ્યારે અમે તે તલના છોડના સ્થાને આવ્યા ત્યારે મંકલિપુત્ર ગોશાલકે મને આ પ્રમાણે કહ્યું, હે ભગવંત ! આપે મને તે સમયે કહ્યું હતું – યાવતુ – પ્રરૂપિત કરેલ હતું – હે ગોશાલક ! આ તલનો છોડ નિષ્પન્ન થશે. પરંતુ હે ભગવન્! તે નિષ્પન્ન ન થયો. આપે કહેલું કે, તે સાત તલપુષ્પના જીવ મરીને તે જ તલના છોડની એક તલની ફલીમાં સાત તલના રૂપે ઉત્પન્ન થશે, પણ હે ભગવંત ! આપની તે વાત મિથ્યા થઈ. કેમકે આ પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે કે તે તલનો છોડ નિષ્પન્ન ન થયો, ઉગ્યો જ નહીં, અનિષ્પન્ન જ છે અને ન તે સાત તલ પુષ્પ જીવ મરીને તે તલના છોડની એક તલફલિમાં સાત તલના રૂપે ઉત્પન્ન થયા છે. ત્યારે હે ગૌતમ ! મેં તેના ઉત્તરમાં ગોશાલ સંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું, હે ગોશાલ ! એ સમયે જ્યારે મેં તને એમ કહ્યું હતું – યાવત્ – પ્રરૂપિત કરેલ હતું, ત્યારે તે કથનની તેં શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી અને રુચિ પણ ન કરી, પરંતુ એ કથન પરત્વે અશ્રદ્ધા, અપ્રતીતિ અને અરુચિ કરતા – તારા નિમિત્તે હું મિથ્યાવાદી થઉં, એમ વિચાર કરી મારી પાસેથી ધીમે ધીમે પાછળ ખસ્યો, પાછળ ખસીને જ્યાં તલનો છોડ હતો ત્યાં પહોંચ્યો, ત્યાં પહોંચીને તે તલના છોડને મૂળ અને માટી સહિત ઉખેડી નાંખેલ. ઉખેડીને એકાંતમાં ફેંકી દીધેલ. પરંતુ હે ગોશાલ ! તત્કાલ દિવ્ય મેઘવાદળ ઉત્પન્ન થયા. ત્યારે તે દિવ્ય મેઘવાદળ શીધ્ર ગરજવા લાગ્યા, શીઘ વીજળી ચમકવા લાગી, શીઘ જ અધિક પાણી ન વરસે અને ન કીચડ ન થાય એવી પ્રવિરલ નાની નાની બુંદવાળી, રજ અને ધૂળનો વિનાશ કરનારી દિવ્ય જળવૃષ્ટિ થઈ. જેનાથી તે તલનો છોડ ત્યાં જ સ્થિર થઈ ગયો, વિશેષ સ્થિર થઈ ગયો અને બદ્ધ મૂળવાળો થઈ સુપ્રતિષ્ઠિત થઈ ગયો. તે સાત તલ પુષ્પજીવ મરીને તે તલના છોડની એક તલફલીમાં સાત તલના રૂપે ઉત્પન્ન થયા છે. તેથી હે ગોશાલ ! તે તલનો છોડ નિષ્પન્ન થયો છે પણ અનિષ્પન્ન થયો નથી અને તે સાત તલપુષ્પના જીવ મરીને તે તલના છોડની એક તલફળીમાં સાત તલરૂપે ઉત્પન્ન થયા છે. કેમકે હે ગોશાલ ! વનસ્પતિકાયના જીવ મરીને પ્રવૃત્ત પરિવારનો પરિહાર કરે છે અર્થાત્ મરીને પુનઃ તે શરીરમાં ઉત્પન્ન થાય છે. ત્યારે મારા દ્વારા આ પ્રમાણે કહેવાયું ત્યારે – યાવત્ – પ્રરૂપણા કરાઈ ત્યારે ગોશાલ મખલિપુત્રે આ કથનની શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રુચિ ન કરી, પરંતુ આ કથન પરત્વે અશ્રદ્ધા, અપ્રતીતિ અને અરુચિ કરતો જ્યાં તે તલનો છોડ હતો, ત્યાં પહોંચ્યો, પહોંચીને તે તલના છોડમાંથી તલની ફળી તોડી, તોડીને હાથમાં સાત તલ બહાર કાઢ્યા. ત્યાર પછી તે ગોશાલ મખલિપુત્રે તે સાત તલોની ગણતરી કરી, તે સમયે આ પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, આ પ્રકારે સર્વે જીવો પ્રવૃત્ત પરિવારનો પરિહાર કરે છે અર્થાત મરીને પુનઃ તે શરીરમાં ઉત્પન્ન થાય છે. તેને નિયતિવાદનું ગાઢ અવલંબન કર્યું. હું ગૌતમ! મખલિપુત્ર ગોશાળાનું આ પરિવર્તન છે. હે ગૌતમ ! મખલિપુત્ર ગોશાલનું મારે Page #278 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૭૭ પાસે આ જ આગમન છે અને અપક્રમણ – પૃથક્ થવાપણું છે. ૦ ગોશાળાનો પૃથફ વિહારતેજલેશ્યા પ્રાપ્તિ : ત્યારપછી ગોશાળાએ મારાથી પૃથક્ વિહાર કર્યો. મેં તેને જે રીતે સંક્ષિપ્ત વિપુલ તેજલેશ્યા પ્રાપ્ત કરવાની રીત બતાવેલી તેની સાધના કરવા ગયો. તે શ્રાવસ્તિમાં કુંભકારની શાળામાં રહ્યો. ત્યાં તે ગોશાલ મખલિપુત્રે નખ સહિત એક મુઠી અડદના બાકુળાથી અને એક ચુલ્લભર પાણી દ્વારા નિરંતર છઠ–છઠના તપકર્મ દ્વારા બંને હાથ ઊંચા રાખીને સૂર્ય સન્મુખ ઊભા રહીને આતાપના ભૂમિમાં આતાપના લેતો વિચરવા લાગ્યો. ત્યારે તે ગોશાલ સંખલિપત્રે છ માસના અંતે સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા ઉત્પન્ન થઈ. ત્યાર પછી તેણે કૂવાના કાંઠે રહેલી દાસીને બાળી નાંખી. ૦ ભ મહાવીરે પ્રગટ કરેલ ગોશાળાનું અજિનવ : તત્પશ્ચાત્ તે મંખલિપુત્ર ગોશાલ પાસે કોઈ એક સમયે છ દિશાચર પ્રગટ થયા. તે આ પ્રમાણે :- ૧. શાણ, ૨. કલંદ, ૩. કર્ણિકાર, ૪. અછિદ્ર, ૫. અગ્નિ વૈશ્યાયન અને ૬. ગોમાયુપુત્ર અર્જુન ત્યારે તે છ દિશાચરોએ પૂર્વકૃતમાં કહેલ આઠ મહાનિમિત્ત અને દશ માર્ગનું પોતપોતાના પતિદર્શનથી નિયૂહણ કર્યું - ઉદ્ધત કર્યું. નિય્હણ કરીને ગોશાલ મખલિપુત્રનો આશ્રય ગ્રહણ કર્યો. ત્યારબાદ તે ગોશાલ મખલિપુત્ર તે આઠ પ્રકારના મહાનિમિત્તોના ઉપદેશ દ્વારા સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વ જીવો અને સર્વ સત્વોની આ છ વાતના વિષયમાં અનતિક્રમણીય ઉત્તર દેવા લાગ્યા. તે છ બાબત આ પ્રમાણે છે – લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવન અને મરણ. ત્યારપછી તે મખલિપુત્ર ગોશાલ તે અષ્ટાંગ મહાનિમિત્તોના સ્વલ્પ ઉપદેશ માત્રથી શ્રાવસ્તી નગરીમાં જિન નહીં હોવા છતાં હું જિન છું – આ પ્રમાણે પ્રલાપ કરતો, અત્ ન હોવા છતાં પણ પોતાને અત્ રૂપે પ્રલાપતો, કેવલી ન હોવા છતાં પોતાનો કેવલી હોવાનો પ્રલાપ કરતો, સર્વજ્ઞ ન હોવા છતાં પોતાનો સર્વજ્ઞ હોવાનો પ્રલાપ કરતો અને જિન ન હોવા છતાં જિન શબ્દનો પ્રકાશ કરતો એવો તે વિચરી રહ્યો છે. પરંતુ હે ગૌતમ! તે ગોશાલ મખલિપુત્ર યર્થાથતઃ જિન થઈને પોતાને જિન કહેનારો, યાવત્ જિના થઈને પોતાને જિન શબ્દથી ઓળખાવનારો નથી. પણ તે મખલિપુત્ર અજિન છે અને જિનનો અપલાપ કરનારો છે. અહત નથી પણ અહંતનો અપલાપ કરનારો છે. કેવલી નથી પણ કેવલીનો અપલાપ કરનારો છે, સર્વજ્ઞ નથી પણ સર્વજ્ઞનો અપલાપ કરનારો છે જિન નથી પણ પોતાને જિન શબ્દથી ઓળખાવનાર માત્ર છે. - ત્યાર પછી તે અતિ વિશાળ પર્ષદાએ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી આ વાત સાંભળી અને હૃદયમાં અવધારિત કરી, હર્ષિત અને સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરીને જે દિશાથી આવ્યા હતા પાછી તે જ દિશામાં ચાલ્યા ગયા. ૦ ગોશાળાનો રોષ : ત્યાર પછી શ્રાવસ્તી નગરીના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મુખો, મહાપથો અને પથોમાં એકત્રિત થયેલા ઘણાં મનુષ્યો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા – યાવત્ - પ્રરૂપણા કરવા લાગ્યા, હે દેવાનુપ્રિયો ! મખલિપુત્ર ગોશાલ જે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ આગમ કથાનુયોગ-૨ પોતાને જિન અને જિનનો પ્રલાપ કરતો – યાવત્ – જિન અને જિન શબ્દને પ્રકાશિત કરતો વિચરી રહ્યો છે. તે મિથ્યા–જૂઠ છે. શ્રમણ ભગવંત મહાવીર તો એમ કહે છે – થાવત્ – એમ પ્રરૂપિત કરે છે કે, તે ગોશાલ મખલિપુત્રનો મંખલિ નામક મંખ પિતા હતા ઇત્યાદિ પૂર્વોક્ત સમસ્ત વર્ણન જાણવું. તેથી મોશાલ સંખલિપુત્ર જિન થઈને પોતાને જિન કહેનારો ઇત્યાદિ નથી, પણ ગોશાલ સંખલિપુત્ર જિન નથી, જિનનો પ્રલાપ કરનારો છે – થાવત્ – વિચરી રહ્યો છે. શ્રમણ ભગવંત મહાવીર જિન છે, અને જિન શબ્દ દ્વારા કહેવાનારા – યાવત્ – જિન શબ્દને પ્રકાશિત કરતા વિચારી રહ્યા છે. ત્યાર પછી તે ગોશાલ મખલિ પુત્ર ઘણાં લોકો પાસેથી આ વાતને સાંભળીને અને હૃદયમાં અવધારીને અત્યંત કુદ્ધ, રુષ્ટ, કુપિત, પ્રચંડ થઈ, દાંતને કચકચાવતો આતાપના ભૂમિથી ઉતર્યો. ઉતરીને શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચે થઈને હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં આજીવિક સંઘથી પરિવૃત્ત થઈને અત્યંત રોષને ધારણ કરી અત્યંત કુદ્ધ થઈને વિચારવા લાગ્યો. ૦ ગોશાળા દ્વારા આનંદ સ્થવિર સમક્ષ આક્રોશ-પ્રદર્શન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી પ્રકૃતિથી ભદ્ર – યાવત્ વિનીત આનંદ સ્થવિર નિરંતર છઠ-છઠનું તપોકર્મ કરતા, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ત્યાર પછી તે આનંદ સ્થવિરે છઠના પારણાના દિવસે પહેલી પોરસીમાં સ્વાધ્યાય કર્યો આદિ વર્ણન ગૌતમ સ્વામીના ક્રિયા વર્ણન અનુસાર જાણવું. તે જ પ્રમાણે ભગવંતની આજ્ઞા માંગી અને તે જ પ્રકારે – યાવત્ – ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરતા હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણની નજીકથી નીકળ્યો. ત્યારે ગોશાલ મખલિપુત્રે હાલાહલા કુંભારણના કુંભકાર-આપણની પાસેથી જતા એવા આનંદ સ્થવિરે જોયા. જોઈને આ પ્રમાણે કહ્યું, અરે ! આનંદ ! અહીં આવ અને મારી પાસેથી એક દૃષ્ટાંત સાંભળ – ત્યારે ગોપાલ મખલિપુત્રના આ સંકેતને સાંભળીને આનંદ સ્થવિર જ્યાં હાલાહલા કુંભારણની કુંભકારાપણ હતી, ત્યાં જ્યાં ગોશાલક મંખલિપુત્ર હતો ત્યાં પહોંચ્યા. ત્યાર પછી ગોશાલ મખલિપુત્રએ આનંદ સ્થવિરને આ પ્રમાણે કહ્યું, ઓ આનંદ ! સાંભળ – આજથી ઘણાં પહેલાના સમયમાં ધનના અર્થ, ધનના લોભી, ધનના ગવેષી, ધનના આકાંક્ષી, ધનની લિપ્સા કરનારા કેટલાએક નાના–મોટા વણિકો ધનની ગવેષણા કરવાને માટે, ઉપાર્જન કરવાને માટે, અનેક પ્રકારે વેચાણ કરવા યોગ્ય પદાર્થોના ગાડાં–ગાડીઓ ભરીને અને ઘણીબધી ખાવા-પીવાની સામગ્રી તથા પાથેય લઈને એક નિર્જન, અગમ્ય – આરપાર વગરની, જેમાંથી નીકળવાના રસ્તાની પણ માહિતી ન હતી એવી મહા અટવીમાં પ્રવિષ્ટ થયા. ત્યારે તે નિર્જન, અગમ્ય, આરપારથી રહિત અને લાંબા રસ્તાવાળી અટવીમાં કંઈક દૂર ગયા પછી તે વણિકોએ સાથે લાવેલા પાણી પીવાતા–પીવાતા પૂરું થઈ ગયું. ત્યારે પાણી સમાપ્ત થઈ જવાથી અને તરસથી પીડિત થવાથી તે વ્યાપારીઓએ પરસ્પર એકબીજાને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આ નિર્જન, Page #280 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૭૯ અગમ્ય, આર-પારરહિત લાંબા રસ્તાવાળી અટવીના એક ભાગમાં આવ્યા ત્યાં તો પહેલા સાથે લાવેલ પાણી પીવાતા–પીવાતા સમાપ્ત થઈ ગયું છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે પાણીની માર્ગણાં–ગવેષણા કરવી ઉચિત છે એમ કહીને પરસ્પર એકબીજાએ આ વિચારનો સ્વીકાર કર્યો. તે નિર્જન, અગમ્ય, આરપારરહિત, લાંબા રસ્તાવાળી અટવીમાં ચારે તરફ પાણીની માર્ગણા–ગવેષણા કરી, ચારે તરફ માર્ગણા–ગવેષણા કરતા કરતા શ્યામલ શ્યામલ આભાસવાળા – યાવત્ – ત્યાં મેઘોના સમૂહ રૂપ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ એક વિશાળ વનખંડને જોવામાં આવ્યું. તે વનખંડના અતિ મધ્ય દેશાભાગમાં એક વિશાળ વલ્મીક જોવામાં આવી. તે વાલ્મીકની ઉપર ઊંચે બેસીને તિછું, વિસ્તીર્ણ, નીચે અર્ધ સર્પની સમાન વિસ્તીર્ણ અને ઉપર સંકુચિત, અર્ધસર્પની આકૃતિવાળા, પ્રસન્નતા ઉત્પન્ન કરનારા – પ્રાસાદીય, જોવામાં યોગ્ય દર્શનીય, (મનોહર), અભિરૂપ અને પ્રતિરૂપ (સુંદર) ચાર શિખર હતા. તે વાલ્મીકને જોઈને તે વ્યાપારી હર્ષિત અને સંતુષ્ટ થયા. પછી પરસ્પર એકબીજાને બોલાવ્યા બોલાવીને પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આપણે આ નિર્જન, અગમ્ય, આરપાર વગરની, લાંબી અટવીમાં ચારે તરફ પાણીની માર્ગણા–ગવેષણા કરતાં કરતાં આ શ્યામલ અને શ્યામ આભાવાળા વનખંડને જોયું – પ્રાપ્ત કર્યું છે. આ વનખંડની વચ્ચોવચ્ચ આ વલ્મીકને જોયું છે. આ વર્ભીકની ઉપર ઊંચે ઉઠેલા, તિછ, વિસ્તીર્ણ નીચે અર્ધ સર્પની સમાન વિસ્તીર્ણ અને ઉપરથી સંકુચિત, અર્ધ સર્પની આકૃતિવાળા, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ–મનોહર એવા ચાર શિખર છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે આ વલ્મીકના પહેલા શિખરને તોડવું શ્રેયસ્કર છે. સંભવ છે કે, તેનાથી આપણને ઉત્તમ ઉદકરત્ન (પાણી) મળી શકશે. ત્યારે તે વણિકોએ પરસ્પર એકબીજાની આ વાતને સ્વીકાર કરીને તે વલ્મીકના પહેલા શિખરને તોડ્યું. જેનાથી તેઓને સ્વચ્છ, પથ્યકારી, સ્વાભાવિક, હલકું, સ્ફટિક મણિની સમાન વર્ણ પ્રભાવાળું ઉત્તમ ઉદકરત્ન (પાણી) પ્રાપ્ત થયું. ત્યારપછી તે વણિકોએ હર્ષિત અને સંતુષ્ટ થઈને પાણી પીધું, પીને પોતાના વાહનો – બળદ આદિને તે પાણી પીવડાવ્યું, પીવડાવીને વાસણોમાં પાણી ભર્યું. પાણી ભરીને બીજી વખત પરસ્પર એકબીજાને કહ્યું, હે દેવાનુપ્રિયો! આ વાલ્મીકનું પહેલું શિખર તોડવાથી આપણે આ ઉત્તમ ઉદકરત્ન (પાણી) પ્રાપ્ત કરેલું છે. તેથી હે દેવાનુપ્રિયો ! હવે આપણે આ વર્ભીકના બીજા શિખરનું પણ ભેદન કરવું શ્રેયસ્કર રહેશે – ઉચિત થશે. સંભવ છે કે તેમાંથી સર્વોત્તમ સ્વર્ણરત્ન પ્રાપ્ત થઈ જાય. ત્યારપછી તે વણિકોએ પરસ્પર એકબીજાના આ વિચારને સાંભળ્યો, સ્વીકાર કર્યો અને સ્વીકાર કરીને તે વાલ્મીકના બીજા શિખરને પણ તોડ્યું. ત્યારે તેઓએ ત્યાં સ્વચ્છ, અકૃત્રિમ, તપનીય, મહા અર્થવાળા, મૂલ્યવાનું, મહાપુરુષોને યોગ્ય એવા ઉત્તમ સુવર્ણ રત્નને પ્રાપ્ત કર્યું. ત્યારપછી હર્ષિત-સંતુષ્ટ થયેલા તે વણિકોએ તે સુવર્ણને પાત્રોમાં ભર્યુ, પાત્રોમાં ભરીને વાહનો – ગાડાં, ગાડી ભરી દીધાં, ભરીને પછી ત્રીજી વખત પણ એકબીજાને Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આગમ કથાનુયોગ-૨ પરસ્પર આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! આ વાલ્મીકનું પહેલું શિખર તોડવાથી આપણને ઉત્તમ ઉદકરત્ન (પાણી)ની પ્રાપ્તિ થઈ, તે વલ્મીકનું બીજું શિખર તોડવાથી આપણે ઉત્તમ સુવર્ણરત્નની પ્રાપ્તિ થઈ. તેથી હવે હે દેવાનુપ્રિયો ! હવે આપણે આ વલ્મીકના ત્રીજા શિખરને તોડવું શ્રેયસ્કર થશે – ઉચિત લાગે છે. કદાચ તેમાંથી શ્રેષ્ઠ– ઉત્તમ મણિરત્નોની પ્રાપ્તિ થઈ જાય. ત્યારપછી તે વ્યાપારિયોએ પરસ્પર એકબીજાના આ વિચારનો સ્વીકાર કરીને નિર્ણય કર્યો. તે વાલ્મીકના ત્રીજા શિખરનું પણ ભેદન કર્યું તે તોડવાથી તેમને ત્યાંથી વિમલ, નિર્મલ, અનિવૃત્ત, નિષ્કલ (દોષરહિત) મહાઅર્થવાળા, મહામૂલ્યવાળા, મહાપુરુષોને યોગ્ય એવા ઉત્તમ પ્રકારના મણિરત્નોની પ્રાપ્તિ થઈ. ત્યારે હર્ષિત અને સંતુષ્ટ થયેલા તે વ્યાપારિઓએ પોતાના વાસણો ભર્યા, ભરીને ગાડાં ગાડી ભર્યા. એ રીતે ઉદકરત્ન, સુવર્ણ રત્ન અને મણિરત્નોની પ્રાપ્તિ પછી ફરી ચોથી વખત પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! વાત આ પ્રમાણે છે કે, આ વર્ભીકના પ્રથમ શિખર ભેદન કરવાથી ઉત્તમ ઉદક રત્નની પ્રાપ્તિ થઈ, પછી બીજું શિખર ભેદવાથી ઉત્તમ સુવર્ણરત્નની પ્રાપ્તિ થઈ ત્રીજું શિખર ભેદન કરવાથી સર્વશ્રેષ્ઠ મણિરત્નની પ્રાપ્તિ થઈ. તેથી હવે આપણા માટે એ ઉચિત થશે કે, હે દેવાનુપ્રિયો! આ વર્ભીકના ચોથા શિખરનું પણ આપણે ભેદન કરવું જોઈએ. શક્ય છે કે, કદાચ તેને તોડવાથી આપણને ઉત્તમ મહામૂલ્યવાન, મહાપુરુષોને યોગ્ય એવા સર્વશ્રેષ્ઠ વજરત્નની કદાચ પ્રાપ્તિ થઈ જાય. ત્યારપછી તે વ્યાપારીઓમાં એક વણિક સર્વના હિતની કામનાવાળો, સુખની કામનાવાળો, પથ્યની કામનાવાળો, અનુકંપક, નિઃશ્રેયસિક એવા હિત, સુખ અને કલ્યાણની કામનાવાળો હતો. તે વણિકે બીજા સર્વ વણિકોને આ પ્રમાણે કહ્યું, એ પ્રમાણે છે દેવાનુપ્રિયો ! ખરેખર, આ વાલ્મીકના પહેલા શિખરનું ભેદન કરવાથી આપણે શ્રેષ્ઠ ઉદકરત્ન (પાણી) પ્રાપ્ત થયેલ છે, તે વલ્મીકના બીજા શિખરનું ભેદન કરવાથી આપણને ઉત્તમ સુવર્ણરત્નની પ્રાપ્તિ થઈ, તે વલ્મીકનું ત્રીજું શિખર તોડવાથી આપણને સર્વશ્રેષ્ઠ મણિરત્નની પ્રાપ્તિ થયેલી છે. તેથી હવે બસ કરો, આપણે માટે જેટલું પ્રાપ્ત થયું છે તે જ પર્યાપ્ત છે - ઘણું છે. હવે તમે આ વાલ્મીકના ચોથા શિખરનું ભેદન કરવાનો વિચાર છોડી દ્યો. તેનું ભેદન ન કરો. સંભવ છે કે, તે ચોથા શિખરનું ભેદન કરવાનું આપણને માટે ઉપસર્ગકારક – ઉપદ્રવકારી પણ થઈ શકે છે. ત્યારે તે બાકીના વણિકોને તે હિતકામી, સુખકામી, પથ્યકામી, અનુકંપક, નિઃશ્રેયસકારી એવા હિત–સુખ અને કલ્યાણકારી વણિક દ્વારા આ પ્રમાણે કહેવાયા છતાં - યાવત્ – પ્રરૂપણા કરાયા છતાં પણ તેઓએ એ વાતની શ્રદ્ધા કરી નહીં, પ્રતીતિ કરી નહીં, કે તે કથન પરત્વે કોઈ રુચિ દેખાડી નહીં. પરંતુ તેથી વિપરિત તે કથનની શ્રદ્ધા ન કરતા એવા, પ્રતીતિ ન કરતા એવા, રુચિ ન કરતા એવા તેઓએ તે વલ્મીકના ચોથા શિખરનું પણ ભેદન કરી દીધું – તોડી નાંખ્યું. ત્યારે તે વલ્મીકનું ચોથું શિખર તુટવાથી, તેમાંથી ઉગ્ર વિષવાળો, પ્રચંડ Page #282 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૮૧ વિષવાળો, ઘોર વિષવાળો, મહાવિષવાળો, અતિકાય (મોટા શરીરવાળો), મહાકાય (કદમાં લાંબો), મણિ અને મૂષાની સમાન કૃષ્ણ વર્ણવાળો (કાળો) દૃષ્ટિવિષ વડે રોષપૂર્ણ, કાજળના પુંજ સમાન કાળી કાંતિવાળો, લાલ આંખોવાળો, ચપળ અને ચંચળ થતી એવી બે જીભવાળો, પૃથ્વીતલની વેણીના સમાન ઉત્કૃષ્ટ, સ્પષ્ટ, કુટિલ, જટિલ, કર્કશ, વિકટ, ફટાટોપ કરવામાં (ફેણને ફેલાવીને પહોળી કરવામાં) દક્ષ, ધોકાતા એવા ધોકાની સમાન ધમધમાયમાન શબ્દનો ધોષ કરવાવાળો, ઉગ્ર અને તીવ્ર રોષવાળો, ત્વરાયુક્ત, ચપળ અને ફૂત્કાર કરતો એવા દૃષ્ટિવિષ સર્પનો સ્પર્શ કર્યો – જોયો. ત્યારપછી તે વણિકોનો સ્પર્શ થતાં – જોતાં જ તે દૃષ્ટિવિષ સર્પ અત્યંત ક્રોધિત, રોષાયમાન, કોપાયમાન અને પ્રચંડ થઈને દાંતોને કચકચાવતો એવો ધીમે ધીમે ઊભો થયો. ઉઠીને સરસરાહટ કરતો એવો તે સર્પ વલ્મીકના શિખર ઉપર ચડ્યો. શિખર પર ચડીને તેણે સૂર્યની સામે દૃષ્ટિ કરી. દૃષ્ટિ કરીને તે વણિકો તરફ અનિમેષ દૃષ્ટિ વડે ઉપરથી નીચે સુધી બધાંને ચારો તરફથી જોયા–અવલોકન કર્યું. ત્યારે તે વણિકો તે દૃષ્ટિવિષ સર્પ દ્વારા અનિમેષ દૃષ્ટિથી નખથી શિખા સુધી જોવાયા ત્યારે પાત્ર અને ઉપકરણો સહિત એક જ પ્રહારમાં કૂટાઘાતથી બાળીને ભસ્મ કરી દેવાયા. પરંતુ તે વણિકોમાં જે વણિક એ સર્વ વણિકોના હિતની કામનાવાળો, સુખની કામનાવાળો, પથ્યની કામનાવાળો, અનુકંપક, નિઃશ્રેયસકારી હિત, સુખ અને કલ્યાણની કામનાવાળો હતો. તેના પરત્વે અનુકંપા કરીને તે દૃષ્ટિવિષ સર્પરૂપ દેવે તે વણિકને તેના ભાંડ અને ઉપકરણ સહિત તેના નગરમાં પહોંચાડી દીધો. એ જ પ્રમાણે ઓ આનંદ ! તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરે ઉદાર પર્યાય પ્રાપ્ત કરેલ છે અને દેવ, મનુષ્ય અને અસુરોથી યુક્ત આ લોકમાં તેઓની ઉત્તમ કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લોક (યશ) વ્યાપ્ત થયેલો છે. તેમજ શ્રમણ ભગવંત મહાવીર, શ્રમણ ભગવંત મહાવીર એવા ઘોષથી લોકો તેમને બોલાવે છે. વળી તેમની સ્તુતિ પણ થયા કરે છે. હવે જો આજ પછી તેઓ મારા માટે કંઈ પણ કહેશે, તો જેવી રીતે તે દૃષ્ટિવિષ ભયંકર સર્ષે તે વણિકોને બાળીને ભસ્મ કરી દીધા હતા, તે જ પ્રકારે હું મખલિપુત્ર ગોશાલ પણ મારા પોતાના તપતેજથી એક જ પ્રહારમાં કૂટાઘાત વડે તેઓને ભસ્મ કરી દઈશ. હે આનંદ ! જે પ્રમાણે વણિકોના તે હિતકામી, સુખકામી, પથ્યકામી, અનુકંપક, નિઃશ્રેયસકારી હિત, સુખ અને કલ્યાણકારી કામનાવાળા વણિકને તે નાગદેવે અનુકંપા કરીને તેના ભાંડ અને ઉપકરણ સહિત તેના પોતાના નગરમાં પહોંચાડી દીધો હતો, તે જ પ્રકારે હું તારું સંરક્ષણ અને સંગોપન કરીશ. તેથી તે આનંદ ! તું જા અને તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ જ્ઞાતપુત્રને આ વાત કરી દે. ૦ આનદ ભગવંતને જણાવેલ સર્વ વૃત્તાંત : ત્યારપછી ગોશાલ મખલિપુત્રના આ કથનને–ધમકીને સાંભળીને આનંદ સ્થવિર ડરી ગયા – યાવત્ – ભયથી આક્રાન્ત થઈ ગયા. પછી તે ગોશાલ સંખલિપુત્ર પાસેથી અને હાલાહલા કુંભારણની કુંભકારાપણથી નીકળ્યા અને નીકળીને શીધ્ર તથા Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ આગમ કથાનુયોગ-૨ ત્વરિતગતિથી શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચેથી નીકળીને જ્યાં કોષ્ટક ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં પહોંચીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પછી ભગવંતને વંદન–નમસ્કાર કરીને કહ્યું હે ભગવંત ! છઠ તપના પારણના નિમિત્તે હું આપની આજ્ઞા લઈને શ્રાવસ્તી નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ભિક્ષાચર્યા અર્થે – ચાવત્ – ભ્રમણ કરતા કરતા હાલાહલા કુંભારણના કુંભકારાપણની પાસેથી જઈ રહ્યો હતો. ત્યારે ગોશાલ મખલિપુત્ર મને પસાર થતો જોઈને કહ્યું, અરે ઓ ! આનંદ! અહીં આવ, તને હું એક દૃષ્ટાંત સંભળાવું છું. ત્યારે હું તે મખલિપુત્ર ગોશાલની એ વાત સાંભળીને જ્યાં હાલાહલા કુંભારણની કુંભકારાપણ હતી, જ્યાં ગોશાલ મખલિપુત્ર હતો ત્યાં પહોંચ્યો. ત્યારપછી તે મંખલિપુત્ર ગોશાલકે મને આ પ્રમાણે કહ્યું, ઓ આનંદ ! આજથી ઘણાં સમય પૂર્વે કેટલાંક ઉચ્ચ-નીચ અર્થાત્ ધનવા–નિર્ધન વણિકો હતા. ઇત્યાદિ સમસ્ત વર્ણન ગોશાળાએ આનંદને કહ્યા પ્રમાણે કરી દેવું – યાવત્ – નાગદેવે બધાં વણિકોને ભસ્મ કરી દીધા, માત્ર હિતકામી – યાવત્ – કલ્યાણની કામના વાળા તે વણિકને પોતાના નગરમાં પહોંચાડી દીધો. યાવત્ – હે આનંદ ! તું જા અને તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ, જ્ઞાતપુત્ર મહાવીરને આ બધો વૃત્તાંત સંભળાવજે. હે ભગવંત ! તો પંખલિપુત્ર ગોશાલ પોતાના તપ-તેજથી એક જ પ્રહારમાં કૂટાઘાતની સમાન બાળીને ભસ્મરાશિ કરી દેવાને માટે સમર્થ – શક્તિમાન છે ખરો? હે ભગવંત! પોતાના તપ-તેજથી એક જ પ્રકારમાં કૂટા ઘાતની સમાન બાળીને ભસ્મરાશિ કરી દેવાને શું મખલિપુત્ર ગોશાળાનો વિષયમાત્ર છે ? અથવા હે ભગવંત! શું તે મખલિપુત્ર ગોપાલક નિશ્ચિત્તરૂપથી પોતાના તપ-તેજ દ્વારા એક જ પ્રહારમાં કૂટાઘાત સમાન બાળીને ભસ્મરાશિ કરી દેશે ખરો ? હે આનંદ ! મખલિપુત્ર ગોશાલક પોતાના તપ-તેજથી એક જ પ્રકારમાં કૂટાઘાતની સમાન બાળીને ભસ્મરાશિ કરવામાં સમર્થ–શક્તિમાન છે. હે આનંદ ! પોતાના તપતેજથી એક જ પ્રકારમાં કૂટાઘાતની સમાન બાળીને ભસ્મ કરી દેવાનો મખલિપુત્ર ગોશાલકના વિષય પણ છે. હે આનંદ ! પોતાના તપ–તેજથી એક જ પ્રહારમાં કૂટાઘાતની સમાન બાળીને ભસ્મ કરવાની સક્ષમતા પણ છે, પરંતુ અરિહંત ભગવંતોને બાળીને ભસ્મ કરવામાં સમર્થ નથી. હાં તેઓને પરિતાપ ઉત્પન્ન કરવામાં તે જરૂર સમર્થ છે. હે આનંદ ! ગોશાલ મખલિપુત્રનું જેટલું તપ-તેજ છે, તેનાથી અણગાર ભગવંતોનું તપ-તેજ અનંતગુણ વિશિષ્ટ હોય છે અને અણગાર ભગવંત શાંતિક્ષમ હોય છે. હે આનંદ ! અણગાર ભગવંતોનું જેટલું તપ-તેજ હોય છે, તેના કરતાં અનંતગુણ વિશેષ તપ-તેજ સ્થવિર ભગવંતોનું હોય છે. કેમકે સ્થવિર ભગવંત શાંતિક્ષમ હોય છે. હે આનંદ ! જેટલું તપ–તેજ સ્થવિર ભગવંતોનું હોય છે, તેના કરતા અનંતગુણ વિશિષ્ટ તપ-તેજ અરિહંત ભગવંતોનું હોય છે. કેમકે અરિહંત ભગવંત ક્ષમા કરવામાં (સર્વાધિક) સમર્થ હોય છે. હે આનંદ ! મખલિપુત્ર પોતાના તપ-તેજથી એક જ પ્રહારમાં કૂટાઘાત સમાન Page #284 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૮૩ બાળીને ભસ્મરાશિ કરવામાં પ્રભૂ (સક્ષમ) છે. હે આનંદ ! ગોશાલ મખલિપુત્રનો પોતાના તપ-તેજથી એક જ પ્રહારમાં કૂટાઘાત સમાન બાળીને ભસ્મરાશિ કરવાનો વિષય છે અને હે આનંદ ! ગોશાલ મખલિપુત્ર પોતાના તપ–તેજથી એક જ પ્રહારમાં કૂટાઘાત કરવા સમાન બાળીને ભસ્મરાશિ કરવામાં સમર્થ પણ છે. પરંતુ અરિહંત ભગવંતોને બાળીને ભસ્મરાશિ કરવામાં સમર્થ નથી. કેવળ તેમને તે પરિતાપ ઉત્પન્ન અવશ્ય કરી શકે છે, ૦ ભ૦મહાવીરે ગોશાળાની નિર્ભર્જનાનો કરેલ નિષેધ : હે આનંદ ! એટલા માટે તમે જાઓ અને ગૌતમ આદિ શ્રમણ નિર્ચન્થોને આ વાત કહો કે, હે આર્યો ! તમારામાંથી કોઈપણ સંખલિપુત્ર ગોશાલકની સાથે તેના મનની પ્રતિકૂળ કોઈપણ ધર્મસંબંધિ ચર્ચા કરે નહીં. તેના મનની પ્રતિકૂળ અર્થનું સ્મરણ ન કરે અને તેના મનની પ્રતિકૂળ પ્રત્યુપચાર (તિરસ્કાર રૂપ વચન) પણ ન કરે. કેમકે ગોશાલ સંખલિપુત્રે શ્રમણનિર્ચન્હો પરત્વે મિથ્યાત્વ ભાવ અથવા માત્સર્યભાવ ધારણ કરેલો છે. ત્યાર પછી આનંદ સ્થવિરે શ્રમણ ભગવંત મહાવીરના એ આદેશ વચનને સાંભળીને પછી શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને, જ્યાં ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથ હતા, ત્યાં તેમની પાસે આવ્યા. તેઓને આ પ્રમાણે કહ્યું, હે આર્યો! વાત એમ છે કે, આજે છઠ તપના પારણે શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા લઈને હું શ્રાવસ્તી નગરીમાં ઉચ, નીચ, મધ્યમ કુળોમાં ગયેલો – ઇત્યાદિ વર્ણન પૂર્વે કરાયેલ છે, તે પ્રમાણે જાણી લેવું – યાવત્ – ગૌતમ આદિ શ્રમણ નિર્ગસ્થોને ભગવંતના ઉપરોક્ત આજ્ઞાવચન કહી સંભળાવ્યા. ૦ ગોશાળાએ ભગવંત સામે કરેલ સ્વસિદ્ધાંત નિરૂપણ : જ્યારે આનંદ સ્થવિર ગૌતમ આદિ શ્રમણ નિર્ચન્થોને શ્રમણ ભગવંત મહાવીરનું આજ્ઞાવચન કહી રહ્યા હતા, તે જ સમયે ગોશાલ મખલિપુત્ર હાલાહલા કુંભારણના કુંભકારાપણથી નીકળ્યો. નીકળીને આજીવિક સંઘની સાથે અત્યંત રોષને ધારણ કરતો એવો શીધ્ર અને ત્વરિત ગતિથી શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યો. નીકળીને જ્યાં કોષ્ઠક ચૈત્ય હતું, તેમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરથી અતિ દૂર નહીં તેમ અતિ નીકટ નહીં એ રીતે યથાયોગ્ય સ્થાને ઊભો રહીને શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે કહેવા લાગ્યો – હે આયુષ્યમાનૂ કાશ્યપ ! તમે મારા માટે ઠીક કહી રહ્યા છો. હે આયુષ્યમાન્ કાશ્યપ ! મારા વિષયમાં તમે સારું કહી રહ્યા છો કે, મખલિપુત્ર ગોપાલ મારો ધર્માન્તવાસી છે, મખલિપુત્ર ગોશાલ મારો ધર્માન્તવાસી છે. (પરંતુ તમને એ ખબર હોવી જોઈએ કે–) જે મખલિપુત્ર ગોશાલ તમારો ધર્માન્તવાસી હતો, તે તો શુક્લ અને શુક્લાભિજાત થઈને કાળના સમયે કાળ કરીને કોઈ એક દેવલોકમાં દેવરૂપ ઉત્પન્ન થયેલો છે. હું તો કૌડિન્યાયન ગોત્રીય ઉદાયી છું. મેં ગૌતમ પુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરીને અને મંખલિપુત્ર ગોશાળાના શરીરમાં પ્રવેશ કરીને આ સાતમો પરિવૃત્ત પરિહાર કરેલો છે. હે આયુષ્યમાન કાશ્યપ ! અમારા સિદ્ધાંતની અનુસાર જેઓ મોલમાં ગયા છે, Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ આગમ કથાનુયોગ-૨ મોક્ષમાં જાય છે કે મોલમાં જશે, તે બધાં જ ચોર્યાશી લાખ મહાકલ્પ, સાત દેવના ભવ, સાત સંયૂથ, સાત સંજ્ઞી ગર્ભ, સાત પરિવૃત્ત પરિહાર, પ૬૦૬૦૩ કર્મોનો ભેદોનો અનુક્રમે ક્ષય કરીને અનંતર સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પ્રાપ્ત થાય છે અને સર્વે દુઃખોનો અંત કરે છે. ભૂતકાળમાં આ પ્રમાણે કરેલ છે. વર્તમાનમાં આ પ્રમાણે કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ પ્રમાણે કરશે. જે પ્રમાણે ગંગા મહાનદી જ્યાંથી નીકળે છે અને જ્યાં તે પર્યવસિત અર્થાત્ સમાપ્ત થાય છે. તે ગંગાનો અદ્ધા (માગ) લંબાઈમાં પાંચસો યોજન છે, પહોડાઈમાં અડધો યોજન છે અને ઊંડાઈમાં પાંચસો ધનુષ છે. આ પ્રમાણે ગંગાનદીના પ્રમાણવાળી સાત ગંગા નદીઓ ભેગી મળીને એક મહાગંગા નદી થાય છે આવા પ્રમાણની સાત મહાગંગા નદીઓ ભેગી મળીને એક સાદીન ગંગા નદી બને છે. સાદીન ગંગાનદીના પ્રમાણવાળી સાત સાદી ગંગાનદી મળીને એક મૃત્યુ ગંગાનદી થાય છે. મૃત્યુ ગંગાનદી પ્રમાણવાળી સાત મૃત્યુ ગંગાનદી મળીને એક લોહિત ગંગાનદી થાય છે. લોહિત ગંગાનદી પ્રમાણ સાત લોહિત ગંગા નદી મળીને એક અવંતિ ગંગા નદી થાય છે. સાત અવંતિ ગંગા નદી મળીને એક પરમાવતી ગંગા નદી થાય છે. એ પ્રમાણે પૂર્વા પર ગંગા નદી મળીને કુલ ૧,૧૭,૬૪૯ ગંગા નદીઓ થાય છે તેમ કહેવામાં આવેલ છે. તે ગંગા નદીઓનો બે પ્રકારનો ઉદ્ધાર કહેવાયેલ છે. તે આ પ્રમાણે – સૂક્ષ્મ બોદિ કલેવરરૂપ અને બાદર બૉદિકલેવર રૂ૫. તેમાં સૂક્ષ્મ બૉદિ કલેવર રૂપ ઉદ્ધાર સ્થાપ્ય (નિરુપયોગી) છે અને તેમાં જે બાદર બૉદિ કલેવર રૂપ ઉદ્ધાર છે, તેમાંથી સો-સો વર્ષ પછી એક એક બાલુનો કણ (રેતીનો કણ) કાઢવામાં આવે અને જેટલા કાળમાં ઉપર કહેવાયેલ ગંગાના સમુદયરૂપ તે કોઠો ખાલી થાય, નીરજ થાય, નિર્લેપ થાય અને નિષ્ઠિત થાય તેટલા કાળ પ્રમાણને એક “શરપ્રમાણ” કાળ કહેવાય છે. આવા એક શરપ્રમાણવાળા ત્રણ લાખ શરપ્રમાણ કાળનો એક “મહાકલ્પ” થાય છે અને ચોર્યાશી લાખ મહાકલ્પનો એક “મહામાનસ" થાય છે. ૧. અનંત સંયૂથથી જીવ ચ્યવીને ઉપરિત માનસ પ્રમાણ આયુષ્ય દ્વારા સંયુથદેવભવમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે દિવ્ય ભોગોપભોગને ભોગતો એવો વિચરે છે. ત્યાં વિચરણ કર્યા બાદ તે દેવલોકોથી આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિ ક્ષય થયા બાદ ચ્યવીને પ્રથમ સંજ્ઞીગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યરૂપમાં ઉત્પન્ન થાય છે. ૨. ત્યારપછી ત્યાં મૃત્યુ પામીને તુરંત મધ્યમ માનસ શરપ્રમાણ આયુષ્ય દ્વારા સંયૂથ દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે દિવ્ય ભોગોને ભોગવતો સમય વિતાવે છે તે સમય વિતાવ્યા બાદ આયુષય, ભવક્ષય અને સ્થિતિશય થયા બાદ તે દેવલોકથી તત્કાળ ચ્ચવીને બીજા સંજ્ઞીગર્ભમાં જન્મ લે છે. 3. ત્યારપછી ત્યાંથી મૃત્યુ પામીને તત્કાલ અધસ્તન માનસ શરપ્રમાણ આયુષ્ય દ્વારા સંયુથ દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે ત્યાં તે દિવ્ય ભોગો ભોગવીને યાવત્ – ઐવિત થઈને ત્રીજા સંજ્ઞી ગર્ભમાં જન્મ લે છે. ૪. ત્યારપછી ત્યાંથી મૃત્યુ પામીને – યાવત્ – નીકળીને ઉપરિત માનસોત્તર Page #286 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૮૫ આયુષ્ય દ્વારા સંયૂથ દેવનિકાયમાં તે ઉત્પન્ન થાય છે ત્યાં તે દિવ્ય ભોગ ભોગવીને – યાવત્ – ઐવિત થઈને ચોથા સંજ્ઞી ગર્ભમાં જન્મ લે છે. ૫. ત્યારપછી ત્યાંથી મૃત્યુ પામીને તત્કાળ મધ્યમ માનસોત્તર આયુષ્ય દ્વારા સંયૂથ દેવમાં ઉત્પન્ન થાય છે, ત્યાં દિવ્ય ભોગો ભોગવીને – યાવત્ – અવિત થઈને તે પાંચમાં સંજ્ઞીગર્ભમાં ઉત્પન્ન થાય છે. ૬. ત્યારપછી તે જીવ તત્કાળ ત્યાંથી (મૃત્યુ પામીને) નીકળીને અધિસ્તન માનસોત્તર આયુષ્ય દ્વારા સંયુથ દેવમાં ઉત્પન્ન થાય છે ત્યાં તે જીવ દિવ્ય ભોગોને ભોગવીને – યાવત્ – ત્યાંથી ચ્યવીને છટ્ઠા સંજ્ઞીગર્ભમાં ઉત્પન્ન થાય છે. ૭. તત્પશ્ચાત્ તત્કાળ ત્યાંથી નીકળીને જે બ્રહ્મલોક નામક કલ્પ (દેવલોક) કહેવાયેલ છે કે, જે પૂર્વ-પશ્ચિમ લાંબો છે અને ઉત્તર-દક્ષિણ પહોળો છે ઇત્યાદિ વર્ણન પન્નવણા સૂત્રના બીજા સ્થાન પદમાં કરાયેલ છે. (જુઓ પન્નવણા સૂત્ર-૨૨૮) – યાવત્ – તેમાં પાંચ અવતંસક વિમાન કહેવાયા છે તે આ પ્રમાણે – અશોક અવતંસક જે મનોહર - યાવત્ – પ્રતિરૂપ છે, તે દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે દશ સાગરોપમ પર્યત દિવ્ય ભોગોને ભોગવીને – યાવત્ – ઐવિત થઈને સાતમાં સંજ્ઞી ગર્ભમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે નવમાસ અને સાડા સાત રાત્રિ-દિવસ વ્યતીત થયા બાદ સુકુમાલ ભદ્ર મૃદુ દર્ભના કુંડલ સમાન સંકુચિત વાળવાળો, કાનોના આભૂષણોથી જેનો કપોલ ભાગ (ગાલનો ભાગ) શોભિત થઈ રહેલ છે. એવો દેવકુમારની સમાન પ્રભા અર્થાત્ કાંતિવાળા બાળકના રૂપમાં ઉત્પન્ન થાય છે. (ઉત્પન્ન થયો) હે કાશ્યપ ! તે હું છું, ત્યાર પછી તે આયુષ્યમાન્ કાશ્યપ ! કુમાર અવસ્થામાં પ્રવજ્યા દ્વારા, કુમાર અવસ્થામાં બ્રહ્મચર્ય દ્વારા અવિદ્ધકર્ણ અર્થાત્ કોઈના પણ ઉપદેશ વિના મને પ્રવજ્યા ગ્રહણ કરવાની ભાવના જાગૃત થઈ, પ્રવજ્યા ગ્રહણ કરીને આ સાત પ્રવૃત્ત–પરિવૃત્ત પરિવારમાં મેં સંચરણ કર્યું. તે સાત પ્રવૃત્ત પરિવાર આ પ્રમાણે છે :૧. ઐણેયકના, ૨. મલ્લરામના, 3. મંડિકના, ૪. રોહના, ૫. ભારદ્વાજના, ૬. ગૌતમ પુત્ર અર્જુનના અને ૭. મંખલિપુત્ર ગોશાળાના. ૧. તેમાં જે પહેલો પરિવૃત્ત પરિવાર હતો, તે રાજગૃહ નગરની બહાર મંઝિકૃષિ નામના ચૈત્યમાં કુંડિયાયન ગોત્રીય ઉદાયનનો શરીરનો ત્યાગ કર્યો. ત્યાગ કરીને ઐણેયકના શરીરમાં મેં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને બાવીસ વર્ષ સુધી પ્રથમ શરીરાન્તરમાં મેં પ્રવૃત્ત પરિહારે પરિવર્તન કર્યું. ૨. જે બીજો પરિવૃત્ત પરિવાર હતો, તેમાં ઉદંડપુર નગરની બહાર ચંદ્રાવરણ ચૈત્યમાં ઐણેયકના શરીરનો ત્યાગ કર્યો, ત્યાગ કરીને મેં મલ્લરામના શરીરમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને એકવીસ વર્ષ સુધી બીજા પરિવૃત્ત પરિહારનો મેં ઉપભોગ કર્યો. ૩. જે ત્રીજો પરિવૃત્ત પરિવાર હતો. તેમાં મેં ચંપાનગરીની બહાર અંગમંદિર ચૈિત્યમાં મલ્લરામના શરીરનો ત્યાગ કર્યો અને ત્યાગ કરીને મંડિકના શરીરમાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કરીને મેં વીસ વર્ષ સુધી આ ત્રીજા પરિવૃત્ત પરિવારનો ઉપભોગ કર્યો. ૪. જે ચોથો પરિવૃત્ત પરિવાર હતો. તેમાં વાણારસી નગરીની બહાર કામ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ આગમ કથાનુયોગ-૨ મહાવન નામનું ચૈત્ય હતું, તેમાં મેં મંડિકના શરીરનો ત્યાગ કર્યો અને ત્યાગ કરીને મેં રોહના શરીરમાં પ્રવેશ કર્યો, ત્યાં પ્રવેશ કરીને મેં ઓગણીસ વર્ષ પર્યત ચોથા પરિવૃત્ત પરિહારનો ઉપભોગ કર્યો. પ. જે પાંચમો પરિવૃત્ત પરિવાર હતો, તેમાં મેં આલંભિકા નગરીની બહાર પ્રાપ્તકાલ ચૈત્યમાં રોડના શરીરનો ત્યાગ કર્યો, ત્યાગ કરીને ભારદ્વાજના શરીરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને મેં અઢાર વર્ષ પર્યત પાંચમા પરિવત્ત પરિવારનો ઉપભોગ કર્યો. ૬. જે છઠો પરિવૃત્ત પરિહાર હતા. તેમાં મેં વૈશાલી નગરીની બહાર ફંડિયાયન ચૈત્યમાં ભારદ્વાજના શરીરનો ત્યાગ કર્યો. તેનો ત્યાગ કરીને અર્જુન ગૌતમપુત્રના શરીરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને મેં સત્તર વર્ષ સુધી છઠા પરિવૃત્ત પરિવારનો ઉપભોગ કર્યો. ૭. જે સાતમો પરિવૃત્ત પરિહાર છે, તેમાં મેં આ જ શ્રાવતી નગરીની બહાર હાલાહલા કુંભારણના કુંભકારાપણમાં ગૌતમ પુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરીને ગોશાલ સંખલિપુત્રના શરીરને સમર્થ, સ્થિર, ધ્રુવ, ધારણ કરવાને માટે યોગ્ય, ઠંડીને સહન કરવામાં સમર્થ, ગરમી–ઉષ્ણતાને સહન કરવામાં સક્ષમ, ભુખને સહન કરવામાં શક્તિમાન, ડાંસ–મચ્છર આદિ વિવિધ પરીષણો અને ઉપસર્ગોને સહન કરવામાં સામર્થ્યવાનું તથા સ્થિર સંહનનવાળું છે, એવું સમજીને તેમાં મેં પ્રવેશ કર્યો. સોળ વર્ષ પર્યતથી આ સાતમાં પરિવૃત્ત પરિવારનો હું ઉપભોગ કરી રહ્યો છું. આ પ્રમાણે હે આયુષ્યમાન્ કાશ્યપ ! મેં એકસો તેત્રીશ વર્ષમાં આ સાત પરિવૃત્ત પરિહાર કર્યા છે એવું મેં કહ્યું. તેથી હે આયુષ્યમાનું કાશ્યપ ! તે મારા માટે એ સારું કહ્યું છે. હે આયુષ્યમાનું કાશ્યપ ! તેં મારા માટે ઉચિત કહ્યું છે કે, આ મંખલિપુત્ર ગોપાલ મારો ધર્માતેવાસી છે, આ મખલિપુત્ર ગોશાલ મારો ધર્માતવાસી છે. (એમ કહીને ઉપહાસ કર્યો.) ૦ ભગવંતે કરેલ ગોશાળાના વચનનો પ્રતિવાદ : તદનન્તર શ્રમણ ભગવંત મહાવીરે ગોશાલક મખલિપુત્રને આ પ્રમાણે કહ્યું, હે ગોશાલક ! જે પ્રમાણે કોઈ ચોર હોય અને તે ગામવાસિઓ દ્વારા પરાભવ પામતો – પામતો કોઈ ખાડો, ગુફા, દુર્ગ, નિમ્ન (નીચું સ્થાન), પર્વત અથવા કોઈ વિષમ સ્થાનને પ્રાપ્ત ન કરે ત્યારે, કોઈ એક મોટા ઉનના દોરા વડે, શણના દોરા વડે, કપાસના દોરા વડે, તણખલાંના અગ્રભાગ વડે, પોતાને આચ્છાદિત કરીને–ઢાંકીને બેસી જાય, એ રીતે તે ઢંકાયેલો નહીં હોવા છતાં પણ પોતે પોતાને ઢંકાયેલો – અવરાઈ ગયેલો છે તેવું માને, અપ્રચ્છન્ન હોવા છતાં પણ પોતાને પ્રચ્છન્ન–ગુપ્ત છે તેવું માને, લુપાયેલો ન હોવા છતાં પણ પોતાને લોપાઈ ગયેલો છે તેવું માને, અપલાપિત અર્થાત્ ગુપ્ત નહીં હોવા છતાં પોતે– પોતાને લાપિત અર્થાત્ ગુપ્ત છે તેવું માને છે. ઠીક એવી જ રીતે હે ગોશાલક ! તું અન્ય ન હોવા છતાં પણ તારી જાતને અન્ય છે તેવું માને છે તારી જાતને ગોશાળાને બદલે બીજો કોઈ છો તેવું બતાવી રહ્યો છે. હે ગોશાલક ! તું આવું ન કર. હે ગોશાલક ! એવું કરવું યોગ્ય નથી. તું તે જ છે, તારી તે જ પ્રકૃતિ છે, તું અન્ય કોઈ નથી. ૦ ભગવંત પરત્વે ગોશાળાનો પુનઃ આક્રોશ : Page #288 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૮૭ - ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલક શ્રમણ ભગવંત મહાવીરના કથનને સાંભળીને કોપાયમાન, રોષાયમાન, ક્રોધાયમાન, ચંડ સમાન થઈને દાંતોને કચકચાવતો શ્રમણ ભગવંત મહાવીરનો અનેક પ્રકારના અનુચિત એવા આક્રોશપૂર્ણ વચનોથી તિરસ્કાર કર્યો, અનેક પ્રકારના ઉદ્ઘર્ષણા અર્થાત્ પરાભવ કરનારા વચનોથી અપમાન કર્યું, અનેક પ્રકારના કર્કશ વચનો દ્વારા ભગવંતની નિર્ભર્સના કરી, અનેક પ્રકારના કઠોર વચનો દ્વારા તેણે ભગવંત મહાવીરને ધમકી અને ચેતાવણી આપી ધમકીઓ આપીને આ પ્રમાણે કહ્યું, (હે કાશ્યપ !) કદાચિત્ આજે તું નષ્ટ થઈશ, કદાચિત્ આજે તું વિનષ્ટ થઈશ, કદાચિત્ આજે તું ભ્રષ્ટ થઈશ, કદાચિત્ આજે તું નષ્ટ, વિનષ્ટ, ભ્રષ્ટ થઈ જઈશ. આજે હવે તું જીવતો નહીં રહે, માર દ્વારા (હે કાશ્યપ !) હવે તારું શુભ થવાનું નથી. ૦ ગોશાળાએ સર્વાનુભૂતિ મુનિને ભસ્મ કર્યા : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી, પૂર્વદેશમાં ઉત્પન્ન થયેલા, પ્રકૃત્તિથી ભદ્ર, સ્વભાવથી શાંત, પ્રકૃતિથી પાતળા પડી ગયેલા ક્રોધ, માન, માયા, લોભ યુક્ત અર્થાત્ સ્વાભાવિક પાતળા કષાયવાળા, મૃદુ–માર્દવતા સંપન્ન, વિનયશીલ એવા સર્વાનુભૂતિ નામના અણગાર પોતાના ધર્માચાર્ય પરત્વેના અનુરાગથી ગોશાલકની આ વાત પર અશ્રદ્ધા કરતા એવા પોતાના આસનેથી ઊભા થયા, ઊભા થઈને જ્યાં ગોશાલ મખલિપુત્ર હતો, ત્યાં આવ્યા. ત્યાં આવીને ગોશાલ મખલિપુત્રને આ પ્રમાણે કહ્યું હે ગોશાલક ! જે કોઈપણ વ્યક્તિ તથારૂપ શ્રમણ અથવા બ્રાહ્મણ પાસેથી એક પણ આર્યધાર્મિક સુવચન સાંભળે છે, તે પણ તેમને વંદન-નમસ્કાર કરે છે, સત્કારસન્માન કરે છે તથા કલ્યાણ, મંગલ, દેવ અને ચૈત્યરૂપ માનીને તેમની પર્યાપાસના કરે છે, તો પછી તે ગોશાલક ! તારા માટે તો કહેવાનું જ શું હોય ? કેમકે શ્રમણ ભગવંત મહાવીરે તને દીક્ષા આપી, શ્રમણ ભગવંત મહાવીરે તને મુંડિત કર્યો, શ્રમણ ભગવંત મહાવીરે તને વ્રત અને સામાચારી શીખવાડ્યા, શ્રમણ ભગવંત મહાવીરે તને શિક્ષા આપી, શ્રમણ ભગવંત મહાવીરે તને બહુશ્રુત બનાવ્યો; પરંતુ આટલું કરવા છતાં પણ તું શ્રમણ ભગવંત મહાવીરની પ્રતિકૂળ પ્રવૃત્તિ કરી રહ્યો છે. હે ગોશાલક ! તું આવું ન કર, હે ગોશાલક ! તું આમ કરવાને યોગ્ય નથી. તું તેજ છે, બીજો કોઈ નથી. - ત્યાર પછી સર્વાનુભૂતિ અણગારની તે વાત સાંભળીને મખલિપુત્ર ગોશાલ ક્રોધાભિભૂત, રોષાયમાન, કોપાયમાન થઈ ગયો. તેણે ચંડિકાવત્ રૌદ્રરૂપ ધારણ કર્યું, દાંતોને કચકચાવતો તે પોતાના તપ–તેજ દ્વારા એક જ પ્રહારમાં કૂટાઘાતની માફક તેણે સર્વાનુભૂતિ અણગારને બાળીને ભસ્મ કરી દીધા. ત્યારે પોતાના તપ-તેજથી એક જ પ્રહારમાં કૂટાઘાતની માફક સર્વાનુભૂતિ અણગારને બાળીને ભસ્મરાશિ કર્યા પછી તે ગોશાલક મંખલિપુત્ર બીજી વખત ફરીથી શ્રમણ ભગવંત મહાવીરને અનેક પ્રકારના આક્રોશ વચનોથી તિરસ્કાર કરવા લાગ્યો – થાવત્ – તેણે શ્રમણ ભગવંત મહાવીરને કહ્યું કે, આજે તારું શુભ થવાનું નથી. ૦ ગોશાળા દ્વારા નક્ષત્રમુનિનું પરિતાપન : તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી અને કોશલ દેશના Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આગમ કથાનુયોગ-૨ નિવાસી, પ્રકૃતિથી ભદ્ર, સ્વભાવથી શાંત, સ્વાભાવિક પાતળા કષાયવાળા, મૃદુ, વિનયશીલ એવા સુનક્ષત્ર અણગારે પોતાના ધર્માચાર્યના અનુરાગથી તે મખલિપુત્ર ગોશાલકને કહ્યું, (સર્વાનુભૂતિ અણગારે કહેલ બધી જ વાત અહીં પણ એ જ પ્રમાણે સમજી લેવી) – યાવત્ – તું તેજ ગોશાલો છે, તારી તે જ પ્રકૃતિ છે, તું બીજા કોઈ નથી. ત્યારે સુનક્ષત્ર અણગારની આ વાત સાંભળીને તે ગોશાલક મંખલિપુત્રએ ક્રોધાભિભૂત, રોષાયમાન, કોપાયમાન થઈને ચંડિકાવત્ રૌદ્રરૂપ ધારણ કર્યું. દાંતોને કચકચાવતા એવા તેણે પોતાના તપતેજથી સુનક્ષત્ર અણગારને પરિતાપિત કર્યો અર્થાત્ સુનક્ષત્ર અણગાર પર તેણે તેજોલેગ્યા છોડીને બાળ્યા. ત્યારપછી ગોશાલ સંખલિપુત્રના તપતેજથી પરિતાપિત થયેલ તે સુનક્ષત્ર અણગાર જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત વંદન–નમસ્કાર કર્યા, સ્વયં પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું. કરીને શ્રમણ અને શ્રમણી વૃંદની ક્ષમાયાચના કરી. પછી આલોચના અને પ્રતિક્રમણ કર્યું. પછી તેઓ સમાધિ પ્રાપ્ત કરીને અનુક્રમે કાળધર્મ પામ્યા. ૦ ભ૦મહાવીરના ગોશાળાને શિક્ષા વચન : ત્યારપછી તે ગોશાલ સંખલિપુત્રએ ત્રીજી વખત પણ અનેક પ્રકારના આક્રોશપૂર્ણ વચનોથી શ્રમણ ભગવંત મહાવીરનો તિરસ્કાર કર્યો – યાવત્ – તેણે ભગવંતને ધમકી આપી કે, આજ તારું શુભ થવાનું નથી. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે ગોશાલક મંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું કે, હે ગોશાલક ! તથારૂપ શ્રમણ અથવા માડણ પાસે જે કોઈ પણ એક પણ ધાર્મિક આર્ય વચનને સાંભળે છે, તે પણ તેઓને (તે શ્રમણ કે માહણને) વંદન–નમસ્કાર કરે છે. તેઓનો સત્કાર અને સન્માન કરે છે તથા તેઓને કલ્યાણ, મંગલ, દેવ અને ચૈત્યરૂપ માનીને તેમની પÚપાસના કરે છે. તો પછી હે ગોશાલક ! તારા માટે તો શું કહેવાનું હોય? મેં તને દીક્ષા આપી – પ્રવ્રુજિત કર્યો. મેં જ તને મુંડિત કર્યો, મેં જ તને (શૈક્ષ. ગણી) શીખવાડ્યું, મેં જ તને શિક્ષા આપી (કેવળણી આપી), મેં જ તને બહુશ્રુત વિજ્ઞ બનાવ્યો છે. આ બધું કરવા છતાં પણ તું મારાથી પ્રતિકૂળ પ્રવૃત્તિ કરી રહ્યો છે ? હે ગોશાલક ! તું એ પ્રમાણે કરવું રહેવા દે. આ પ્રમાણેની તારી પ્રવૃત્તિ યોગ્ય પણ નથી તું તે જ ગોશાળો છે, તારી તે જ પ્રકૃત્તિ છે, તું બીજો કોઈ નથી. ૦ ગોશાળાએ ભગવંત પર તેજોલેશ્યા છોડી : - ત્યાર પછી તે ગોશાલ મખલિપુત્ર શ્રમણ ભગવંત મહાવીરના આ કથનને સાંભળીને અત્યંત ક્રોધાભિભૂત, રોષાયમાન અને કોપાયમાન થયો. ચંડિકા વત્ રૌદ્ધ થઈ ગયો, દાંતોને કચકચાવતા તૈજસ્ સમુદ્ઘાત કર્યો. સાત-આઠ ડગલાં પાછળ ખસ્યો, પાછળ ખસીને તેણે શ્રમણ ભગવંત મહાવીરનો વધ કરવાને માટે પોતાના શરીરમાંથી તેજલેશ્યા કાઢી, પણ જે પ્રકારે વાતોત્કલિકા અને મંડલાકાર વાયુ પર્વત, દીવાલ, સ્તંભ અથવા સ્તૂપ દ્વારા સ્કૂલનાં પામીને નિવૃત્ત થઈ જાય છે, પરંતુ તે વાયુ, પર્વત, દીવાલ, ખંભ કે સ્તૂપને પાડી દેવા માટે સમર્થ કે વિશેષ સમર્થ થઈ શકતો નથી, તે જ પ્રકારે Page #290 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૮૯ શ્રમણ ભગવંત મહાવીરનો વધ કરવાને માટે મંખલિપુત્ર ગોશાલક દ્વારા પોતાના શરીરમાંથી બહાર કાઢવામાં આવેલ તપોજન્ય તેજલેશ્યા ભગવંતને ક્ષતિ પહોંચાડવા માટે સમર્થ કે વિશેષ સમર્થ થઈ શકી નહીં. ૦ તેજલેશ્યાનો ગોશાળાના શરીરમાં પ્રવેશ : (ભગવંતને ક્ષતિ પહોંચાડવામાં અસમર્થ બનેલી તેજલેશ્યા) ગમનાગમન કરવા લાગી, પછી તે તેજલેશ્યા ભગવંતને આદક્ષિણ-પ્રદક્ષિણા કરવા લાગી, પ્રદક્ષિણા કરીને તે તેજલેશ્યા આકાશમાં ઊંચે ઉછળી અને પછી ત્યાંથી પ્રતિહત થઈને તે જ મંખલિપુત્ર ગોશાળાના શરીરને બાળતી એવી તેના શરીરની અંદર પ્રવેશ કરી ગઈ. ૦ ગોશાળા દ્વારા ભ મહાવીરના મરણકાળનું કથન : ત્યાર પછી ગોશાલક મંખલિપુત્ર દ્વારા પોતાની જ તેજોલેશ્યાથી પરાભવને પ્રાપ્ત કરીને શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે કહ્યું, હે આયુષ્યમાન્ કાશ્યપ ! મારા, તપતેજથી પરાભવને પ્રાપ્ત થતો એવો તું પિત્તજ્વર યુક્ત શરીરવાળો થઈને છ માસમાં જ દાહજ્વરની પીડાથી છઘસ્થ અવસ્થામાં જ કાળ કરી જઈશ–મૃત્યુ પામીશ. ૦ ભ૦મહાવીર દ્વારા ગોશાળાના મરણ કાળનું કથન : ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે ગોશાલક મંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું, હે ગોશાલક ! હું તારા તપ કે તેજથી પરાભવને પ્રાપ્ત થઈને પિત્તજ્વરથી આક્રાન્ત શરીરવાળો થઈ, દાહની પીડાથી પીડિત થઈને છ માસમાં છપસ્થ અવસ્થામાં કાળ કરીશ નહીં. પરંતુ હજી બીજા સોળ વર્ષપર્યંત ગંધહસ્તિ સમાન જિનરૂપે – તીર્થકરરૂપે વિચરીશ, પરંતુ હે ગોશાલક ! તું પોતે જ પોતાના તપ અને તેજથી પરાભવને પ્રાપ્ત થઈને આજથી સાત રાત્રિના અંતે પિત્તજ્વરથી ગ્રસ્ત શરીરવાળો થઈને દાવેદનાથી પીડાઈને છદ્મસ્થ અવસ્થામાં જ કાળ કરીશ અર્થાત્ મૃત્યુ પામીશ. ૦ શ્રાવસ્તીમાં જનપ્રવાદ : ત્યાર પછી શ્રાવસ્તી નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગ આદિમાં ઘણાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા – થાવત્ - પ્રરૂપણા કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો ! શ્રાવસ્તી નગરીની બહાર કોષ્ઠક ચૈત્યમાં બે જિન પરસ્પર એવો સંલાપ કરે છે – તે બેમાંથી એક આ પ્રકારે કહે છે કે, તું પહેલા કાળ કરીશ અને બીજો એક એમ કહે છે કે, તું પહેલા મરી જઈશ. આ બેમાંથી ખબર પડતી નથી કે કોણ સત્યવાદી છે અને કોણ મિથ્યાવાદી ? તે લોકોમાં જે પ્રધાન–પ્રમુખ મનુષ્યજન હતા તેઓ કહેતા હતા કે, શ્રમણ ભગવંત મહાવીર સમ્યકૂવાદી–સત્યવાદી છે અને ગોશાળો મંખલિપુત્ર મિથ્યાવાદી છે. ૦ ભગવંતના કહ્યા મુજબ નિગ્રંથોનો ગોશાળાને બોધ : શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિર્ચન્થોને સંબોધિત કરીને કહ્યું, હે આર્યો ! જે પ્રકારે તૃણરાશિ, કાષ્ઠરાશિ, પત્રરાશિ, ત્વચારાશિ, તુષરાશિ, ભૂસરાશિ, ગોમયરાશિ અને અવકર રાશિ અગ્નિથી નાશ, અગ્નિથી દગ્ધ અને અગ્નિથી પરિણામાન્તરને પ્રાપ્ત થતા–થતા હતતેજ, ગતતેજ, નષ્ટતેજ, ભ્રષ્ટતેજ, લુપ્તતેજ વિનષ્ટ તેજ થઈ જાય છે, એ જ પ્રમાણે રિ ૧૯]. Jain International Page #291 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ મંખલિપુત્ર ગોશાલક પણ મારો વધ કરવાને માટે શરીર થકી તેજોલેશ્યા કાઢીને હતતેજ, ગતતેજ, નષ્ટતેજ, ભ્રષ્ટતેજ, લુપ્તતેજ, વિનષ્ટ તેજવાળો થઈ ગયો છે. તેથી હવે હું આર્યો! હવે તમે તમારી ઇચ્છાનુસાર ગોશાલ મંખલિપુત્ર સાથે ધર્મચર્ચા કરો; ધાર્મિક પ્રતિસારણા કરો, ધાર્મિક પ્રત્યુપચાર વિચાર—વિવાદ કરો અને અર્થ હેતુ પ્રશ્ન-વ્યાકરણ અને કારણો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર ન આપી શકે તે પ્રકારે તેને નિરુત્તર કરો. - ત્યાર પછી તે શ્રમણ નિર્પ્રન્થોએ શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા – અનુમતિને સાંભળીને, શ્રમણ ભગવંત મહાવીરને વંદન—નમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને જ્યાં ગોશાલક મંખલિપુત્ર હતો, ત્યાં આવ્યા. ત્યાં આવીને ગોશાલક મંખલિપુત્રની સાથે ધાર્મિક ચર્ચા પ્રતિચોદના કરવા લાગ્યા. તથા અર્થહેતુ કારણ દ્વારા પ્રશ્નોનું વિવેચન કરવાને ઉત્તર આપવાને અયોગ્ય અર્થાત્ નિરુત્તર કરી દીધા. ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર શ્રમણ નિર્પ્રન્થો દ્વારા ધાર્મિક પ્રતિચોદના વડે પ્રતિચોદનિત, ધાર્મિક પ્રતિસારણથી પ્રતિસારિત, ધાર્મિક પ્રત્યુપચારથી પ્રત્યુપચારિત, અર્થ, હેતુ, કારણ, પ્રશ્ન, વ્યાકરણ દ્વારા નિરુત્તરિત કરાયો ત્યારે અર્થાત્ ઉત્તર ન આપી શકે તેવો કરાયો ત્યારે ક્રોધાભિભૂત, રોષાયમાન, કોપાયમાન, ચંડિકાવત્ રૌદ્ર થઈને દાંતોનો કચકચાવતો એવો થવા છતાં પણ તે શ્રમણ નિગ્રન્થોના શરીરને કંઈ પણ પીડા, ઉપદ્રવ—બાધા આદિ કંઈપણ ઉત્પન્ન કરવામાં (પહોંચાડવામાં) અથવા શ્રમણ નિર્પ્રન્થોના અંગભંગ કરવામાં સમર્થ થઈ શક્યો નહીં. ૨૯૦ ૦ ગોશાળાના આજીવિક સંઘમાં ભેદ :~ ત્યાર પછી કેટલાંક આજીવિક સ્થવિરોએ શ્રમણ નિગ્રન્થો દ્વારા પ્રતિચોદનાથી પ્રતિચોદિત, ધાર્મિક પ્રતિસારણથી પ્રતિસારિત, ધાર્મિક પ્રત્યુપચારથી પ્રત્યુપચારિત અને અર્થ, હેતુ, પ્રશ્ન, વ્યાકરણ અને કારણો દ્વારા મંખલિપુત્ર ગોશાલકને નિરુત્તર કરતો એવો જોઈને તથા ગોશાલકને ક્રોધાભિભૂત, રોષાયમાન, કોપાયમાન, ચંડિકાવત્ પ્રચંડ થઈને અને દાંતોને કચકચાવતો હોવા છતાં શ્રમણ નિર્પ્રન્થોના શરીરમાં કંઈપણ પીડા, બાધા, છવિચ્છેદ ન કરતો એવો જોયો. તે જોઈને તેઓ ગોશાલક મંખલિપુત્રની નિશ્રામાંથી નીકળી ગયા અર્થાત્ આજીવિક સંઘનો ત્યાગ કર્યો. એમ કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરે તે ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, વંદન—નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને શ્રમણ ભગવંત મહાવીરનો આશ્રય લઈને ભગવંતની નિશ્રામાં વિચરવા લાગ્યા. જ્યારે કેટલાંક આજીવિકસ્થવિર મંખલિપુત્રગોશાળાના આશ્રયે વિચરવા લાગ્યા. ૦ ગોશાળાની વિચિત્ર પ્રવૃત્તિઓ :– ત્યાર પછી ગોશાલક મંખલિપુત્ર જે અર્થને (કાર્યને) સિદ્ધ કરવાને માટે આવેલ હતો, તે અર્થને સિદ્ધ ન થતો જોઈને, ચારે દિશાઓમાં લાંબે સુધી દૃષ્ટિ કરતો એવો, લાંબા—લાંબા દીર્ઘ અને ગરમ નિઃશ્વાસોને છોડતો એવો પોતાની દાઢીના વાળોને ખેંચવા લાગ્યો. ગર્દનની પાછળના ભાગને વારંવાર ખંજવાળવા લાગ્યો. કમરની નીચેના ભાગ કુલ્લાને પ્રસ્ફોટિત કરવા લાગ્યો, હાથોને હલાવતો અને બંને પગોને ભૂમિ પર પટકવા Page #292 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૯૧ લાગ્યો. હાથ–પગ પટકતો હા-હા ! હવે હું “મરી ગયો,” – એ પ્રમાણે કહેતો કહેતો શ્રમણ ભગવંત મહાવીર પાસેથી અને કોષ્ટક ચૈત્યથી નીકળી ગયો. – નીકળીને જ્યાં શ્રાવસ્તી નગરી હતી, જ્યાં હાલાહલા કુંભારણની કુંભકારાપણ હતી, ત્યાં આવીને આમની ગોઠલી હાથમાં લઈને, મદ્યપાન કરતો એવો, વારંવાર ગાતો એવો, વારંવાર નાચતો એવો, વારંવાર હાલાહલા કુંભારણને અંજલિ કંરતો એવો તે ગોશાળા માટીવાળા શીતળ પાણીનું શરીર પર સિંચન કરતો વિચરવા લાગ્યો. ૦ ગોશાળાની તેજલેશ્યાનું સામર્થ્ય : શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિર્ચન્થોને સંબોધિત કરીને કહ્યું, ગોશાલક મખલિપુત્રે મારો વધ કરવાને માટે જે તેજોવેશ્યા કાઢેલી તે તેજલેશ્યા નિમ્નલિખિત સોળ જનપદો–દેશોને નષ્ટ કરવામાં, તેનો ઘાત કરવામાં, તેનો વધ-ઉચ્છેદન કે ભસ્મ કરવામાં સમર્થ હતી – તે આ પ્રમાણે :- ૧. અંગ, ૨. બંગ, ૩. મગધ, ૪. મલય, ૫. માલવ, ૬. અચ્છ, ૭. વત્સ, ૮. કૌત્સ, ૯. પાટ, ૧૦. લાજ, ૧૧. વજ, ૧૨. મૌલી, ૧૩. કાશી, ૧૪. કૌશલ, ૧૫. અબાધ અને ૧૬ સંભુક્તર ૦ ગોશાલક દ્વારા આઠ પ્રરૂપણાઓ : હે આર્યો ! યદ્યપિ ગોશાલક મખલિપુત્ર હાલાહલા કુંભારણના કુંભકારાપણમાં આમની ગોટલી હાથમાં લઈને, તથા મદ્યપાન કરતો એવો, વારંવાર ગાયન ગાતો, વારંવાર નાચતો અને વારંવાર હાલાહલા કુંભારણને અંજલિ કર્મ કરતો એવો વિચારી રહ્યો છે – વિચિત્ર ચેષ્ટા કરી રહ્યો છે, તથાપિ તે પોતાના દોષોને ઢાંકવાને માટે આ આઠ ચરમ વસ્તુઓની પ્રરૂપણા કરશે, તે આ પ્રમાણે ૧. ચરમપાન, ૨. ચરમગાન, ૩. ચરમના, ૪. ચરમ અંજલિકર્મ, ૫. ચરમ પુષ્કલ સંવર્તક મહામેઘ, ૬. ચરમ સેચનક ગંધહસ્તિ, ૭. ચરમ મહાશિલા કંટક સંગ્રામ અને ૮. હું આ અવસર્પિણીકાળમાં થયેલા ચોવીશ તીર્થકરોમાંથી છેલ્લા તીર્થકર સ્વરૂપે સિદ્ધ થઈશ – યાવત્ – સમસ્ત દુઃખોનો અંત કરીશ. ૦ ગોશાલકે કરેલ પાનક–અપાનકની પ્રરૂપણા : હે આર્યો ! જો કે મંખલિપત્ર ગોશાલક માટીના પાત્રમાં રહેલ એવા માટી મિશ્રિત શીતળ પાણી દ્વારા અત્યારે પોતાના શરીરનું સિંચન કરતો એવો વિચારી રહ્યો છે, પરંતુ તે પોતાના આ પાપને છુપાવવાને માટે ચાર પ્રકારના પાનક (પીવા યોગ્ય પાણી) અને ચાર પ્રકારના અપાનક (પીવા માટે અયોગ્ય એવા પાણી)ની પ્રરૂપણા કરે છે– પ્રશ્ન :- તે પાણી કયા કયા પ્રકારનું કહેવાયેલ છે ? ઉત્તર :- તે પાણી ચાર પ્રકારનું કહેવાયેલ છે. ૧. ગાયની પીઠ ઉપર થઈને પડેલું એવું, ૨. હાથથી મસળેલું એવું, ૩. સૂર્યના તાપથી તપેલું એવું અને ૪. શિલા પરથી પડેલું એવું. આ ચાર પ્રકારના પાણીને તે પાનક–પીવા યોગ્ય પાણી કહે છે. પ્રશ્ન :- તે અપાનક કયા કયા પ્રકારનું કહેવાયેલ છે. ઉત્તર :– અપાનક (પીવા માટે અયોગ્ય પાણી) ચાર પ્રકારનું કહેવાયેલ છે. તે આ પ્રમાણે – ૧. ત્વચા અર્થાત્ વૃક્ષ આદિની છાલનું પાણી, ૨. સ્થાલ–થાળનું પાણી, ૩. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ આગમ કથાનુયોગ-૨ સિમ્બલી અર્થાત્ મટર આદિની ફલિનું પાણી અને ૪. શુદ્ધ પાણી. આ પ્રમાણે મખલિપુત્ર ગોશાલક ચાર પાનક અને ચાર અપાનકની પ્રરૂપણા કરી છે. પ્રશ્ન :- સ્થાલ પાણી કેટલા પ્રકારનું કહેલ છે ? ઉત્તર :- પાણીથી ભિંજાયેલો એવો સ્થાલ, પાણીથી ભિંજાયેલ વારક પાણી વડે ભિંજાયેલ કુંભ પાણી વડે ભિંજાયેલ કળશનું શીતળ પાણી – સર્વે પાણીનો હાથ વડે સ્પર્શ કરે, પરંતુ તે પાણી પીએ નહીં. તેને સ્થાન પાણી કહેલું છે. પ્રશ્ન :- ત્વચા પાણી કેવા પ્રકારનું હોય છે ? ઉત્તર :- પન્નવણા સૂત્રના સોળમાં “પ્રયોગ પદ”માં સૂત્ર ૪૪૧માં જણાવ્યા અનુસાર – આમ, આશ્ચાતક, બિજોરું, બિલ્વફળ, કવીઠફળ, ભદ્રફળ, કટહલ, દાડમ, પારેવતફળ, અખરોટ, ચોરાફળ, બોર, તિંદુસક તરુણ અર્થાત્ અપક્વ અને કાચા હોય, તેને મુખમાં રાખી થોડું ચૂસે કે વિશેષ રૂપથી ચૂસે, પરંતુ પાણી ન પીએ, તેને ત્વચા પાણી કહે છે. પ્રશ્ન :- સિમ્બલીનું પાણી કેવા પ્રકારનું હોય છે ? ઉત્તર :– કલાય, મગ, અડદ, સિમ્બલીની ફલી આદિ સર્વે તરુણ અર્થાત્ અપક્વ અને આમ અર્થાત્ કાચા હોય, તેને મોઢામાં લઈને થોડું ચાવે, વિશેષ રૂપથી ચાવે, પરંતુ તેનું પાણી ન પીએ. તો આવા પાણીને સિમ્બલીનું પાણી કહેવામાં આવે છે. પ્રશ્ન :- શુદ્ધ પાણી કેવા પ્રકારનું હોય છે ? ઉત્તર :- જે છ મહિના પર્યત શુદ્ધ ખાદિમ આહારને ખાય છે, છ મહિનામાંથી બે માસ પર્યત પૃથ્વી (ભૂમિ) સંથારા પર સૂએ છે, બે મહિના પર્યત કાષ્ઠના અને બે મહિના પર્યત દર્ભના સંથારા પર સૂએ છે. એ પ્રમાણે છ માસ પૂરા થાય ત્યારે છેલ્લી રાત્રિએ તેની પાસે મહાદ્ધિવાળા, મહા બળવાળા, મહા યશવાળા – યાવત્ – મહા સુખવાળા બે દેવ પ્રગટ થાય છે પૂર્ણભદ્ર અને માણિભદ્ર. ત્યારે તે દેવો શીતળ અને ભીના હાથ વડે તેના શરીરના અવયવોને સ્પર્શ કરે છે, જે તે દેવોની અનુમોદના કરે છે, તે આશીવિષ કર્મ કરે છે અને જે તે દેવોની અનુમોદના કરતા નથી, તેના પોતાના શરીરમાં અગ્નિકાય ઉત્પન્ન થઈ જાય છે. તે અગ્નિકાય તેના પોતાના તેજ દ્વારા તેના શરીરને જલાવે છે, તેના પછી તે સિદ્ધ થઈ જાય છે – યાવત - સમસ્ત દુ:ખોનો અંત કરે છે, તેને શુદ્ધ પાણી કહેવામાં આવે છે. ૦ અયંપુલ આજીવિકોપાસક : તે શ્રાવસ્તી નગરીમાં અત્યંપુલ નામનો એક આજીવિકોપાસક (આજીવિક મતની ઉપાસના કરનારો) રહેતો હતો. તે ધનાઢ્ય હતો. હાલાહલા કુંભારણની માફક તે ધનધાન્યથી સંપન્ન હતો, અનેક લોકો દ્વારા પણ તે પરાભવ પ્રાપ્ત કરે તેવો ન હતો અર્થાત્ અપરાભૂત હતો. તેણે આજીવિક સિદ્ધાંતનો અર્થ પ્રાપ્ત કરેલ હતો, તે અર્થ ગ્રહણ કરેલ હતો, અર્થ પૂછી લીધેલ હતો, અર્થનો નિશ્ચય કરી લીધો હતો. તેના અસ્થિ, મજ્જા પણ આજીવિક સિદ્ધાંત પ્રતિ પ્રેમ અને અનુરાગથી રંગાયેલ હતા – યાવત્ - તે આજીવિક સિદ્ધાંત વડે પોતાની આત્માને ભાવિત કરતો એવો વિચરી રહેલ હતો. ૦ અચંપુલ આજીવિકોપાસકને જન્મેલ ગ્લાનિ : Page #294 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૯૩ ત્યાર પછી કોઈ એક દિવસે રાત્રિના પાછલા પ્રહરમાં કુટુંબ જાગરિકા કરતી વખતે તે અચંપુલ આજીવિકોપાસકને આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ - મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, “હલા” નામના કોઈ કીટ (કીડા) વિશેષનો આકાર કેવો હોય છે? તત્પશ્ચાત્ તે અત્યંપુલ આજીવિકા મતના ઉપાસકને બીજી વખત આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલક છે, જે ઉત્પન્ન જ્ઞાન-દર્શનના ધારક છે, તેઓ જિન, અન્ત, કેવલી, સર્વજ્ઞ અને સર્વદર્શી છે અને તેઓ આ જ શ્રાવસ્તીનગરીમાં હાલાહલા કુંભારણના કુંભકારાપણમાં આજીવિક સંઘથી સંપરિવૃત્ત થઈને આજીવિક સિદ્ધાંતથી પોતાના આત્માને ભાવિત કરતા એવા વિચરી રહેલા છે. તેથી હવે આવતી કાલે રાત્રિને પ્રભાત રૂપે રૂપાંતરિત થયા બાદ – યાવત્ – સૂર્યનો ઉદય થાય ત્યારે અને સહસ્રરશ્મિ દિનકરના જાજ્વલ્યમાન તેજ સહિત પ્રકાશિત થયા બાદ ગોશાલક મંખલિપુત્રને વંદનનમસ્કાર કરીશ, પછી તેમનાથી અતિ દૂર નહીં તેમ અતિ નિકટ નહીં એવા યથાયોગ્ય સ્થાને રહીને – યાવત્ – તેમની પર્યાપાસના કરતા આ અને આવા પ્રકારના પ્રશ્ન પૂછવા, એ જ મારા માટે શ્રેયસ્કર છે એ પ્રમાણે અચંપુલે વિચાર કર્યો. અયંપુલ આજિવિકોપાસકે આ પ્રમાણેનો વિચાર કરીને બીજે દિવસે રાત્રિના પ્રભાતરૂપમાં પરિવર્તિત થયા બાદ – યાવત્ – સહસ્રરશ્મિ દિનકરને તેજસહિત પ્રકાશિત થયા પછી ખાન અને બલિકર્મ કરીને – યાવત્ – મૂલ્યવાનું પણ અલ્પ આભૂષણો વડે પોતાના શરીરને અલંકૃત્ કરીને તે પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને પગે ચાલતો એવો તે અચંપુલ શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈને જતો એવો જ્યાં હાલાહલા કુંભારણની કુંભકારાપણ હતી, ત્યાં આવ્યો. ત્યાં આવીને જોયું તો તેના ધર્માચાર્ય, ધર્મોપદેશક એવા મખલિપુત્ર ગોશાલકને હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં જોયા. તે વખતે મખલિપુત્ર ગોશાલકે હાથમાં આમની ગોટલી પકડી હતી, યાવત્ શીતળ માટીથી મિશ્રિત એવા પાણીથી પોતાના શરીરને સીંચી રહ્યા હતા. મખલિપુત્ર ગોશાલકને આવી સ્થિતિમાં જોયા, જોઈને તે અચંપુલ આજીવિકોપાસક લજ્જિત થયો, ઉદાસ થયો, અધિક લજ્જા પામ્યો. પછી તે ત્યાંથી ધીમે ધીમે પાછળ ખસવા લાગ્યો. ૦ અચંપુલનું આજીવિકા ઉપાસકત્વમાં સ્થિરકરણ : ત્યારે તે આજીવિક સ્થવિરોએ અચંપુલ આજીવિકોપાસકને લજ્જિત થયેલો, ઉદાસ થયેલો, વ્રીડિત થયેલો – યાવત – પાછળ ખસતો એવો જોયો. એ પ્રમાણે જોઈને તે સ્થવિરોએ આ પ્રમાણે કહ્યું, હે અયંપુલ ! અહીં આવો. તે અચંપુલ આજીવિકોપાસક તે આજીવિક સ્થવિરોના એ સંબોધનને સાંભળીને, જ્યાં આજીવિક સ્થવિર હતા, ત્યાં પહોંચ્યો, પહોંચીને આજીવિક સ્થવિરોને વંદનનમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને અતિ નિકટ નહીં, અતિ દૂર નહીં એવા યથાયોગ્ય સ્થાને સ્થિત થયો – યાવત્ – પર્યાપાસના કરવા લાગ્યો. હે અલંપુલ ! નિશ્ચયથી આજે પાછલી રાત્રિએ કુટુંબ જાગરણ કરતી વખતે તને આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ આગમ કથાનુયોગ-૨ “હલ્લા” નામક કીટકનો સંસ્થાન–આકાર કેવો હશે ? ત્યારપછી તે અચંપુલ ! ફરીથી બીજી વખત તને આ અને આવા પ્રકારનો સંકલ્પ થયો – ઇત્યાદિ બધું પૂર્વવત્ જાણવું - યાવત્ – શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચે થઈને જ્યાં હાલાહલા કુંભારણની કુંભકારાપણ હતી ત્યાં આવ્યો. તો હે અચંપુલ ! શું આ વાત સત્ય છે ? અયંપુલે કહ્યું કે, હાં, તે સત્ય છે. હે અલંપુલ ! જો કે તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, ગોશાલ સંખલિપુત્ર હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં આમ્રની ગોટલીને હાથમાં લઈને, મદ્યપાન કરતા હતા, વારંવાર ગીતો ગાતા હતા, વારંવાર નાચતા હતા, વારંવાર હાલાહલા કુંભારણને અંજલિ કરતા હતા, શીતલ માટીથી મિશ્રિત પાણી વડે શરીરને સીંચી રહ્યા હતા. તે તેં જોયું અને તું પાછો ખસવા લાગ્યો. તો સાંભળ, ત્યાં પણ ભગવંત ગોશાલકે આ ચાર પાનક અને ચાર અપાનકની પ્રરૂપણા કરેલી છે. (ઇત્યાદિ પૂર્વવત્ જાણવું.) તેથી હવે અચંપુલ ! તમે જાઓ અને તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક સંખલિપુત્ર ગોશાલકને આ અને આવા પ્રકારના પ્રશ્ન પૂછો. તત્પશ્ચાત્ તે અચંપુલ આજીવિકોપાસક આજીવિક સ્થવિરોની આ વાત સાંભળીને હર્ષિત થયો, સંતુષ્ટ થયો, પોતાના સ્થાનેથી ઊભો થયો. ઊભો થઈને જ્યાં ગોશાલક મખલિપુત્ર હતો, તે તરફ જવાને માટે ઉદ્યત થયો. તે વખતે તે આજીવિક સ્થવિરોએ ગોાલક મંખલિપત્રને આમની ગોટલીને એકાંત સ્થાનમાં ફેંકી દેવાનો સંકેત કર્યો. તે વખતે પંખલિ પુત્ર ગોશાલકે પણ આજીવિક સ્થવિરોના સંકેતને જાણી લઈને આમની ગોટલીને એકાંતમાં ફેંકી દીધી. ૦ અjપુલને ગોશાળા દ્વારા અપાયેલ ઉત્તર : ત્યાર પછી અચંપુલ આજીવિકોપાસક જ્યાં ગોશાલ સંખલિપુત્ર હતો, ત્યાં આવ્યો, આવીને ગોશાલ મખલિપુત્રને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને ગોશાલક મંખલિપુત્રથી અતિ દૂર નહીં, અતિ નીકટ નહીં તે રીતે યથાસ્થાને રહીને બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી પર્યાપાસના કરવા લાગ્યો. ગોશાલમખલિપુત્રે અચંપલ આજીવિકોપાસકને કહ્યું, હે અચંપલ ! તને આજે પાછલી રાત્રિના સમયે એવો આધ્યાત્મિક મનોગત સંકલ્પ થયેલો – યાવત્ – જ્યાં હું હતો, ત્યાં મારી પાસે આવ્યો તો હે અયંપુલ શું આ વાત સત્ય છે ? હાં ભગવન્! આ વાત સત્ય છે. હે અલંપુલ! મારા હાથમાં આમની ગુટલી ન હતી, પણ આમની છાલ હતી. બીજું તને એ જાણવાની ઇચ્છા હતી કે, હલ્લાનો આકાર–સંસ્થાન કેવો હોય છે ? હલ્લાનો આકાર વાંસના મૂળના આકાર જેવો હોય છે. (ત્યારપછી ઉન્માદ વશ ગોશાલક મંખલિપુત્ર પ્રલાપ કરવા લાગ્યો હે વીરક ! વીણા વગાડો, હે વીરસ ! વીણા વગાડો. તત્પશ્ચાત્ અયંપુલ આજીવિકોપાસકે ગોશાલક મંખલિપુત્રને આ અને આવા પ્રકારના પોતાના પ્રશ્નો પૂછયા અને ગોપાલક મંખલિપુત્ર પાસેથી તેનો ઉત્તર સાંભળીને હર્ષિત થયો, સંતુષ્ટ થયો, આનંદિત ચિત્તવાળો થયો, પ્રસન્ન થયો, પ્રીતિયુક્ત મનવાળો થયો, પરમ Page #296 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૯૫ સૌમનસ્ક અને હર્ષાતિરેકથી તેનું હૃદય વિકસિત થઈ ગયું. તેણે ગોશાલ સંખલિપુત્રને વંદન–નમસ્કાર કર્યા. પ્રશ્નો પૂછયા. પૂછીને અર્થને ગ્રહણ કર્યા પછી પોતાના આસનેથી ઉયો, ગોશાલ મંખલિપુત્રને ફરી વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને જે દિશામાંથી તે આવ્યો હતો. ફરી તે એ જ દિશામાં પાછો ચાલ્યો ગયો. ૦ ગોશાળાનો પોતાના મરણાંતર નીહરણ નિર્દેશ : ત્યાર પછી તે ગોશાલ મખલિપુત્રએ પોતાનો મરણ કાળ નીકટ જાણ્યો. જાણીને આજીવિક સ્થવિરોને પોતાની પાસે બોલાવ્યા અને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે. દેવાનુપ્રિયો ! મને કાળગત જાણીને અર્થાત્ મૃત્યુ પામેલો જાણીને મને સુગંધિત ગબ્ધ દ્રવ્યથી સ્નાન કરાવજો. પદ્મના સમાન સુકમાલ ગંધ કાષાયિત વસ્ત્ર વડે તમે મારા શરીરને લુંછજો, લુંછીને સરસ ગોશીષચંદન વડે મારા શરીરને વિલેપન કરજો. વિલેપન કરીને મહામૂલ્યવાન્ એવા હંસ સદશ લક્ષણવાળા એવા શ્વેત ધવલ પટફાટક પહેરાવજો. તે પહેરાવીને પછી સમસ્ત અલંકારો વડે મારા શરીરને તમે વિભૂષિત કરજો. – એ રીતે મારા શરીરને વિભૂષિત કર્યા પછી હજાર પુરુષ દ્વારા વહન કરાઈ શકાય તેવી શિબિકામાં બેસાડજો, બેસાડ્યા પછી મને શ્રાવસ્તી નગરીના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મુખો, રાજમાર્ગો અને સામાન્ય માર્ગોમાં જોર-જોરથી ઉચ્ચ સ્વર વડે તમે ઉદ્દઘોષણા કરતા-કરતા આ પ્રમાણે કહેજો કે, હે દેવાનુપ્રિયો ! આ ગોશાલક સંખલિપુત્ર જિન, જિનપ્રલાપી, અન્ત, અર્યન્ત પ્રલાપી, કેવલી, કેવલી પ્રલાપી, સર્વજ્ઞ, સર્વજ્ઞપ્રલાપી, જિન અને જિનશબ્દનો પ્રકાશ કરતા એવા વિચરણ કરીને, આ અવસર્પિણી કાળના ચોવીશ તીર્થકરોમાંના અંતિમ તીર્થંકર થઈને સિદ્ધ થયા છે – યાવત્ – સમસ્ત દુઃખોથી રહિત થયા છે. આ પ્રમાણે ઋદ્ધિ, સત્કાર અને સમુદયની સાથે મારા શરીરનું નીહરણ કરજો. (આ પ્રમાણે તે ગોશાલક મંખલિપુત્રે તેના આજીવિક સંઘને આજ્ઞા કરી.) ત્યારે તે આજીવિક સ્થવિરોએ (પોતાના ધર્માચાર્ય અને ધર્મોપદેશક) મંખલિપુત્ર ગોશાલકની એ વાત વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ૦ ગોશાલકના સમ્યકત્વ પરિણામ : - ત્યાર પછી જ્યારે સાતમી રાત્રિ પસાર થઈ રહી હતી. ત્યારે તે ગોશાલ મંખલિપુત્રને સમ્યક્ત્વ પ્રાપ્તિ થવાથી આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક વિચાર – થાવત્ – મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, યથાર્થતઃ (– ખરેખર) હું જિન નથી, તથાપી હું જિનપ્રલાપી થયો. હું અર્હત્ નથી પણ કેવળ અર્હત્ પ્રલાપી છું, હું કેવલી નથી પણ માત્ર કેવલી પ્રલાપી છું, હું સર્વજ્ઞ નથી પરંતુ સર્વજ્ઞ પ્રલાપી છું, હું જિન અને જિન શબ્દનો પ્રકાશ કરતો એવો વિચરેલ છું, પણ ખરેખર ! ગોશાલક મંખલિપુત્ર જ છું. હું શ્રમણોનો ઘાતક છું, શ્રમણોને મારનારો છું, શ્રમણોનો પ્રત્યેનીક અર્થાત્ વિરોધી છું, હું આચાર્ય – ઉપાધ્યાયનો અપયશ કરનારો, આચાર્ય–ઉપાધ્યાયનો અવર્ણવાદ કરનારો, આચાર્ય અને ઉપાધ્યાયની અપકીર્તિ કરનારો છું. હું અત્યધિક અસદુ ભાવનાપૂર્ણ મિથ્યાભિનિવેશથી મને પોતાને તથા સ્વપરને ચુડ્ઝાહિત (બ્રાન્ત) કરતો એવો, વ્યુત્પાદિક અર્થાત્ મિથ્યાત્વયુક્ત કરતો એવો વિચરેલ છું, મારી પોતાની જ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ આગમ કથાનુયોગ-૨ છોડેલી તેજોલેશ્યાથી પરાભૂત થઈને પિત્તજ્વરથી વ્યાપ્ત થયેલો છું અને દાહથી બળતો એવો છગસ્થ અવસ્થામાં જ સાત રાત્રિને અંત કાળ કરીશ. વાસ્તવમાં શ્રમણ ભગવંત મહાવીર જ જિન છે અને જિનપ્રલાપી છે, અત્ છે તેમજ અહંતુ પ્રલાપી છે, કેવલી છે અને કેવલી પ્રલાપી છે, સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ પ્રલાપી છે, જિન છે અને જિન શબ્દનો પ્રકાશ કરતા એવા તેઓ વિચરી રહેલા છે. ૦ ગોશાલકનો કાલધર્મ : ગોશાળાએ ઉપર કહ્યા પ્રમાણે વિચાર કર્યો અને વિચાર કરીને આજીવિક સંઘના સ્થવિરોને બોલાવ્યા, બોલાવીને અનેક પ્રકારની શપથ દેવડાવીને કહ્યું, હું ખરેખર જિન અને જિનપ્રલાપી નથી, યાવત્ હું મારી પોતાની છોડેલી તેજલેશ્યાથી પરાભૂત થઈને પિત્તજ્વરથી વ્યાપ્ત અને દાહ વડે બળી રહ્યો છું. – તેથી હે દેવાનુપ્રિયો ! તમે મને કાલગત જાણીને, મૃત્યુ પામેલો જાણીને, મારા ડાબા પગને મુંજની દોરડી વડે બાંધજો. બાંધીને ત્રણ વખત મારા મોઢા પર થૂકજો, ઘૂંકીને શ્રાવતી નગરીના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્રો, ચતુર્મુખો, મહાપથો અને સામાન્ય પથો પર ઘસડતા એવા જોરજોરથી ઉચ્ચ સ્વરે ઉદ્ઘોષણા કરતા-કરતા આ પ્રમાણે કહેજો કે હે દેવાનુપ્રિયો ! ગોશાલ સંખલિપત્ર જિન નથી પણ જિનપ્રલાપી છે, અહંત નથી પણ અત્ પ્રલાપી છે – યાવત્ – જિન ન હોવા છતાં જિન શબ્દને પ્રકાશતો એવો વિચરેલ છું. આ શ્રમણોનો ઘાત કરનારો મખલિપુત્ર ગોશાલક છે – યાવત્ – તે છઘસ્થાવસ્થામાં જ કાળધર્મને પ્રાપ્ત થયેલ છે. શ્રમણ ભગવંત મહાવીર જ જિન અને જિનપ્રલાપી છે, અર્હતું અને અત્ પ્રલાપી છે, કેવલી અને કેવલીપ્રલાપી છે, સર્વજ્ઞ અને સર્વપ્રલાપી છે, જિન અને જિન શબ્દનો પ્રકાશ કરતા એવા વિચરી રહ્યા છે. (એ પ્રમાણે શૃંગાટક – યાવત્ – સામાન્ય માર્ગ પર ઉદ્ઘોષણા કરાવજો) આ પ્રકારે દ્વિરહિત અને સન્માનરહિતપણે મારા શરીરનું નીરણ કરજો. એ પ્રમાણે કહીને સંબલિપુત્ર ગોશાલક કાળધર્મ પામ્યો (મૃત્યુ થયું). ૦ ગોશાળાના શરીરનું નીહરણ : - ત્યાર પછી આજીવિક સ્થવિરોએ ગોશાલ પંખલિપુત્રને કાળધર્મ પામેલા જાણીને હાલાહલા કુંભારણના કુંભકારાપણના દ્વાર બંધ કર્યા. બંધ કરીને કુંભકારાપણના અતિમધ્ય ભાગમાં શ્રાવસ્તી નગરીનું ચિત્ર બનાવ્યું, ચિત્રાંકન કરીને ગોશાલ મખલિ પુત્રના ડાબા પગમાં મુંજની રસ્સી બાંધી, બાંધીને ત્રણ વખત તેના મોઢા પર થૂકયા, ઘૂંકીને ચીતરેલી શ્રાવસ્તી નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને પથમાં ઘસેડતા એવા તેઓએ મંદમંદ સ્વરે ઉદ્ઘોષણા કરતા એવા આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! ગોશાલ મંખલિપુત્ર જિન ન હતા, પરંતુ જિન પ્રલાપી હતા – યાવત્ – તેઓ છદ્મસ્થ અવસ્થામાં જ કાળધર્મને પામ્યા છે. (જ્યારે) શ્રમણ ભગવંત મહાવીર વાસ્તવમાં જિન અને જિનપ્રલાપી હતા, યાવતુ આ પ્રમાણે કુંભકારાપણમાં ચીતરેલ શ્રાવસ્તી પાસે મંદ સ્વરે ઉદ્દઘોષણા કરી અને તે આજીવિક સ્થવિરો ગોશાળાએ આપેલ શપથ પૂરી કરી, પછી તે સોગંદથી મુક્ત થયા. Page #298 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૯૭ શપથથી મુક્ત થયા બાદ ફરીથી તેઓએ ગોશાલક મંખલિપુત્રની પૂજા સત્કારને સ્થિર કરવાને માટે, તેઓએ ગોશાલ મખલિપુત્રના પગની રસ્સી ખોલી નાખી, ખોલીને હાલાહલા કુંભારણની કુંભકારાપણના દ્વાર ઉઘાડી દીધા. ઉઘાડીને ગોશાલ મખલિપુત્રના શરીરને સુગંધિત ગંધોદકના રસ વડે સ્નાન કરાવ્યું, સ્નાન કરાવીને ગંધ કાષાયિત વસ્ત્ર વડે ગોશાળાના શરીરને લુંછવું ઇત્યાદિ ગોશાળા પૂર્વોક્ત કથન વડે સર્વ કંઈ કરીને – થાવત્ – મહાત્ ઋદ્ધિ અને સત્કાર પૂર્વક ગોશાલક મંખલિપુત્રના શરીરનું નીહરણ કર્યું. (* ગોશાલકનો આર્દિકકુમાર મુનિ સાથે પણ વાદ થયેલો, જે આર્કકકુમારના કથાનકમાં નોંધેલ છે) ૦ ભગવંતના શરીરમાં રોગાંતક-પ્રાદુર્ભાવ : - ત્યાર પછી કોઈ એક દિવસે શ્રમણ ભગવાન્ મહાવીર શ્રાવતી નગરીના કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા, નીકળીને બહારના અન્ય જનપદોમાં વિચરવા લાગ્યા. તે કાળ અને તે સમયે મેંઢિક ગ્રામ નામનું નગર હતું. તે મેંઢિક ગ્રામ નગરની બહાર ઉત્તર પૂર્વ દિમાગમાં શાલકોપ્ટક નામનું ચૈત્ય હતું. (મેંઢિક ગ્રામ તથા શાલકોષ્ટક ચૈત્યનું વર્ણન કલ્પી લેવું) – યાવત્ – ત્યાં પૃથ્વી શિલા પટ્ટક હતો. તે શાલ કોષ્ટક ચૈત્યની નજીક એક વિશાળ માલુકા કચ્છ હતો. જે શ્યામ અને શ્યામલ કાંતિવાળો હતો યાવત્ મહામેઘના સમૂહના સમાન પ્રભાયુક્ત હતો. તે પત્ર, પુષ્પ, ફળ અને હરિત વર્ણથી દેદીપ્યમાન અને ઘણો જ સુશોભિત હતો. તે મેંઢિક ગ્રામ નામના નગરમાં રેવતિ નામના એક ગાથાપત્ની-શ્રમણોપાસિકા રહેતા હતા. જે ધનાઢ્ય હતા – યાવત્ – કોઈથી પરાભવ ન પામે તેવા અર્થાત્ બહુજન અપરિભૂત હતા. ત્યાર પછી કોઈ એક દિવસે શ્રમણ ભગવંત મહાવીર અનુક્રમથી વિહાર કરતા કરતા, ગ્રામાનુગ્રામને સ્પર્શ કરતા કરતા અને સુખપૂર્વક વિચરણ કરતા કરતા જ્યાં મેંદ્રિક ગામ નામનું નગર હતું, જ્યાં શાલ કૌષ્ઠક નામનું ચૈત્ય હતું, ત્યાં પધાર્યા – યાવત્ – પર્ષદા ધર્મદેશના શ્રવણ કરવાને માટે આવી – યાવત્ – પર્ષદા પાછી ગઈ. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરના શરીરમાં મહાપીડાકારી, વિકટ, પ્રગાઢ, કર્કશ, કટુક, પ્રચંડ, દુ:ખદ, કષ્ટકર, તીવ્ર, અસહ્ય પિત્ત જવરના દ્વારા શરીરને વ્યાપ્ત કરનારી અને જેના વડે અત્યંત દાહ ઉત્પન્ન થાય છે, એવા પ્રકારનો રોગાંતક ઉત્પન્ન થયો. તે દાહજ્વર–રોગાતંકને કારણે રક્તયુક્ત ઝાડા થઈ ગયા – લોહી ખંડવા થઈ ગયો, ભગવંતના શરીરની આવી સ્થિતિ જાણીને ચારે વર્ણના લોકો–જનસમુદાય આ પ્રમાણે કહેવા લાગ્યો- શ્રમણ ભગવંત મહાવીર ગોશાલ સંખલિપુત્રના તપ અને તેજથી પરાભૂત થઈને પિત્તજ્વર અને દાહથી પીડાઈ રહ્યા છે. આ રીતે પીડાતા હવે તેઓ છ માસના અંતે છદ્મસ્થ અવસ્થામાં જ કાળધર્મ પામશે. ૦ ઉપસર્ગરૂપ આશ્ચર્ય : લોકોમાં આશ્ચર્યરૂપ – અચ્છેરું પણ ભવિતવ્યતાનો યોગ થાય છે કે, જે આશ્ચર્યો અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા બાદ ઉત્પન્ન થાય છે. એવા દશ આશ્ચર્યો આ અવસર્પિણીમાં થયા તે આ પ્રમાણે– Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ આગમ કથાનુયોગ-૨ ૧. ઉપસર્ગ, ૨. ગર્ભહરણ, ૩. સ્ત્રી તીર્થકર, ૪. અભાવિત પર્ષદા, ૫. કૃષ્ણનું અપરકંકા ગમન, ૬. ચંદ્ર સૂર્યનું મૂળ વિમાને અવતરણ, છ. હરિવંશ કુળની ઉત્પત્તિ, ૮. ચમરનો ઉત્પાત્ ૯. ઉત્કૃષ્ટ અવગાહના વાળા ૧૦૮નું એક સાથે સિદ્ધ થવું અને ૧૦. અસંયતિની પૂજા. (ઉક્ત આચર્યોની વાત ભ મહાવીરની કથામાં આવી ગયેલ છે, તેના સંદર્ભો પણ ત્યાં નોધ્યા છે. ફક્ત પહેલા આશ્ચર્ય “ઉપસર્ગ'નો અહીં સંબંધ હોવાથી ઉલ્લેખ કરી રહ્યા છીએ-) શ્રમણ ભગવંત મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ગોશાળાએ ઉપસર્ગ કર્યો તે દશ આશ્ચર્યોમાંનું પ્રથમ આશ્ચર્ય છે. કેમકે કોઈપણ તીર્થકર ભગવંતને કેવળજ્ઞાન થયા પછી ઉપસર્ગ થાય નહીં, છતાં શ્રમણ ભગવંત મહાવીરને આ ગોશાળાની કથામાં જણાવ્યા મુજબ ગોશાળાએ છોડેલ તેજોવેશ્યાના પ્રભાવથી છ મહિના સુધી લોહીખંડઝાળા થયા તે આ અવસર્પિણીમાં થયેલ એક અચ્છેરારૂપ ઘટના જાણવી. ૦ સિંહ મુનિને થયેલ માનસિક દુઃખ : તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી સિંહ નામના અણગાર જે પ્રકૃત્તિથતી ભદ્ર – યાવત્ – વિનીત હતા. તેઓ માલુકા કચ્છની નીકટ જ નિરંતર છટ્ઠ – છઠની તપશ્ચર્યા કરતા હતા. બંને હાથોને ઉપર કરીને સૂર્યાભિમુખ થઈને આતાપના ભૂમિ મધ્યે આતાપના લેતા વિચરણ કરી રહ્યા હતા. ત્યાર પછી સિંહ અણગારને ધ્યાનાંતરિકામાં રહ્યા હતા ત્યારે આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો – મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરના શરીરમાં અત્યંત વિકટ અને પીડાકારી રોગાતંક ઉત્પન્ન થયેલ છે, તે દાહર્પોર-રોગાતંકને કારણે ભગવંતને લોહીખંડઝાડા થઈ ગયા છે – યાવત્ – લોકો એવું કહી રહ્યા છે કે શ્રમણ ભગવંત મહાવીર છદ્મસ્થ અવસ્થામાં કાળ કરશે. ત્યારે અન્ય તીર્થિકો કહેશે કે તેઓ છદ્મસ્થ અવસ્થામાં કાળધર્મને પ્રાપ્ત થઈ ગયા. - આવા પ્રકારના મહામાનસિક દુઃખથી સિંહ અણગાર આક્રાંત, પીડિત થતા એવા આતાપના ભૂમિથી નીચે ઉતર્યા, ઉતરીને જ્યાં માલુકા કચ્છ હતું ત્યાં આવ્યા અને આવીને માલુકા કચ્છમાં અંદર તેમણે પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યા બાદ સિંહ અણગાર જોરજોરથી આવેગપૂર્વક શબ્દ કરતા એવા સિસકતા સિસકતા રડવા લાગ્યા. ૦ સિંહ મુનિને ભગવંતે આપેલ આશ્વાસન : શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિગ્રંથોને આમંત્રિત કરીને તેઓને આ પ્રમાણે કહ્યું કે, હે આર્યો ! મારા અંતેવાસી સિંહ નામના અણગાર જે પ્રકૃત્તિથી ભદ્ર – યાવત્ – વિનીત છે, માલુકા કચ્છની નજીક નિરંતર છઠ-છઠનો તપ કરી રહ્યા છે, બંને હાથ ઉપર તરફ રાખીને સૂર્ય પ્રતિ મુખ રાખીને આતાપના લેતા વિચરી રહ્યા છે. તે સિંહ અણગારને ધ્યાનાંતરિકામાં વર્તતા એવા આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક – પાવત્ – મનોગત સંકલ્પ ઉત્પન્ન થયેલો છે કે – મારા ધર્માચાર્ય ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીર માલુકાકચ્છમાં આવેલા છે. ભગવંતના શરીરમાં અત્યંત વિકટ અને પીડાકારી રોગાતંક ઉત્પન્ન થયેલ છે, તે Page #300 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૨૯૯ દાડમ્પરને કારણે ભગવંતને લોહીખંડઝાડા થયેલા છે ઇત્યાદિ વર્ણન પૂર્વવત્. – યાવતું - તેઓએ માલુકા કચ્છમાં પ્રવેશ કરેલ છે – યાવત્ – તેઓ સિસકતા એવા રૂદન કરી રહ્યા છે. તેથી હે આર્યો ! તમે જાઓ અને સિંહ અણગારને બોલાવીને અહીં લાવો. તત્પશ્ચાત્ તે શ્રમણ નિર્ગળ્યોએ ભગવંત મહાવીરની આ આજ્ઞાને સાંભળીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને તેઓ શ્રમણ ભગવંતની પાસેથી અને શાલકોષ્ઠક ચૈત્યથી નીકળ્યા. નીકળીને જ્યાં માલુકાકચ્છ હતો, જ્યાં સિંહ અણગાર (રૂદન કરી રહ્યા) હતા. ત્યાં પહોંચ્યા. પહોંચીને સિંહ અણગારને આ પ્રમાણે કહ્યું, હે સિંહ ! તમને ધર્માચાર્ય (ધર્મઉપદેશક શ્રમણ ભગવંત મહાવીર) બોલાવી રહ્યા છે. તદનન્તર શ્રમણ નિર્ચન્થોની સાથે સિંહ અણગાર માલુકા કચ્છથી નીકળ્યા, નીકળીને જ્યાં શાલકોપ્ટક ચૈત્ય હતું, તેમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન રહેલા હતા, ત્યાં આવ્યા, ત્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને ભગવંતથી અતિ દૂર નહીં તેમ અતિ નીકટ નહીં એવા યથાયોગ્ય સ્થાને ઊભા રહીને પર્યાપાસના કરવા લાગ્યા. શ્રમણ ભગવંત મહાવીર સિંહ અણગારને કહ્યું, ધ્યાનાંતરિકામાં વર્તતા એવા તમને આ પ્રકારનો વિચાર આવેલો કે, મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરના શરીરમાં અત્યંત વિકટ અને પીડાકારી રોગાંતક ઉત્પન્ન થયેલ છે – યાવત્ – તું અત્યંત રૂદન કરવા લાગ્યો. તે સિંહ ! શું એ વાત સત્ય છે ? હાં ભગવન્! એ સત્ય છે. હે સિંહ ! ગોશાલક મંખલિપુત્રના તપ અને તેજથી પરાભૂત થઈને હું છ માસના અંતે પિત્તજ્વરથી પરાક્રાન્ત શરીરવાળો થઈને દાહની વેદનાથી છવ્વસ્થ અવસ્થામાં ખરેખર એ પ્રમાણે કાળ કરવાનો નથી. હું બીજા સાડા પંદર વર્ષ પર્યત ગંધહસ્તીની સમાન જિનપણામાં હું વિચરીશ. તેથી હે સિંહ ! તું મેંઢિક ગ્રામમનગરમાં રેવતી ગાથા પત્નીના ઘેર જા. ત્યાં રેવતી ગાથાપત્નીએ મારા નિમિત્તે કોળાના બે ફળોનો પાક સંસ્કારિત કરીને તૈયાર કરેલો છે, મારે તેનું કોઈ પ્રયોજન નથી અર્થાત્ મારે તે કલ્પતા નથી. પરંતુ તેને ત્યાં માર્જર નામની વાયુને શાંત કરનાર વનસ્પતિજન્ય બિજોરા પાક જે કાલે તૈયાર કરેલ છે, તેને લઈ આવ તે મારા માટે ઉપયુક્ત છે અર્થાત મને કપ્ય છે. ૦ સિંહ મુનિ દ્વારા રેવતી શ્રાવિકાને ત્યાંથી ઔષધ લાવવું : ત્યાર પછી સિંહ અણગાર શ્રમણ ભગવંત મહાવીરના એ કથનને સાંભળ્યું, ત્યારે તે સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા – યાવત્ – આનંદિત હૃદયવાળા થઈને શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કર્યા બાદ અત્વરિત, અચપળ અને અસંભ્રાન્ત થઈને મુખવસ્ત્રિકાનું પડિલેહણ કર્યું, પડિલેહણ કરીને પાત્ર–વસ્ત્રાદિની પડિલેહણા કરી. પડિલેહણ કરીને પાત્ર આદિનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જના કરીને પાત્રાને હાથમાં લીધા, લઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી તથા શાલ કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ આગમ કથાનુયોગ-૨ – ત્યાંથી નીકળીને અત્વરિત, અચપળ અને અસંભ્રાન્ત પણે યુગપ્રમાણ દૃષ્ટિથી અર્થાત્ ચાર હાથ પ્રમાણ આગળ જોઈ શકાય તેવી દૃષ્ટિથી સામે જોતા-જોતા અર્થાત્ ઇર્ષા સમિતિનું પાલન કરતા કરતા જ્યાં મૅઢિક ગ્રામ નગર હતું ત્યાં આવ્યા, ત્યાં આવીને મેંઢિક ગ્રામ નગરની વચ્ચોવચ્ચ થઈને જતા-જતા જ્યાં રેવતી શ્રાવિકા (ગાથાપત્ની)નું ઘર હતું, ત્યાં પહોંચ્યા, પહોંચીને તેમણે રેવતી ગાથાપત્નીના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારે તે રેવતી ગાથાપત્નીએ સિંહ અણગારને પોતાના ઘેર આવતા જોયા. જોઈને તેણી હર્ષિત અને સંતુષ્ટ થઈ. તેણી તુરંત જ આસન પરથી ઉઠી, ઉઠીને સિંહ અણગારની સન્મુખ સાત-આઠ કદમ ચાલી. પછી ત્યાં પહોંચીને સિંહ અણગારને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. વંદન–નમસ્કાર કરીને રેવતી ગાથાપત્ની આ પ્રમાણે બોલી કે, હે દેવાનુપ્રિય ! આપ કહો કે, આપના અત્રે પધારવાનું પ્રયોજન શું છે ? ત્યારે સિંહ અણગારે રેવતી ગાથાપત્નીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે શ્રમણ ભગવંત મહાવીરના નિમિત્તે જે કોળાના બે ફળ સંસ્કારિત કરીને પાક તૈયાર કરેલ છે, તેનું મારે કંઈ પ્રયોજન નથી. પરંતુ માર્જર નામના વાયુને શાંત કરનારો અને કાલે બનાવેલો એવો જે બિજોરા પાક છે તે મને આપો, મારે તેનું પ્રયોજન છે. આ વાત સાંભળીને રેવતી ગાથાપત્નીએ સિંહ અણગારને આ પ્રમાણે કહ્યું (પૂછયું) – હે સિંહ ! આવું તે કોણ જ્ઞાની છે અને તપસ્વી છે, જેમણે મારી આ ખાનગી વાતને જાણીને તમને કહ્યું, જેનાથી તમને આ વાતનું જ્ઞાન થયેલ છે ? ત્યારે સિંહ અણગારે કહ્યું, હે રેવતી શ્રાવિકા ! મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, ઉત્પન્નજ્ઞાનદર્શનના ધારક, અહંતુ, જિન, કેવલી, અતીત–વર્તમાન અને અનાગતના વિજ્ઞાતા, સર્વજ્ઞ–સર્વદર્શી શ્રમણ ભગવંત મહાવીરે આ ગુપ્ત વાત મને જણાવી અને મને તમારે ત્યાં ઔષધરૂપ આહાર લાવવા માટે આજ્ઞા કરી, તેથી હું આ વાતને જાણું છું. તત્પશ્ચાત્ રેવતી ગાથાપત્ની, સિંહ અણગારની આ વાતને સાંભળીને અને હૃદયમાં મનન કરીને - અવધારીને ઘણી જ હર્ષિત અને સંતુષ્ટ થઈ. પછી તેણી ત્યાંથી જ્યાં ભોજનગૃહ હતું ત્યાં આવી, આવીને પાત્રને ખોલ્યું, ખોલીને જ્યાં સિંહ અણગાર હતા, ત્યાં આવી, આવીને સિંહ અણગારની પાસે આવીને તે બધો જ બીજોરા પાક તેમના પાત્રમાં નાંખી દીધો – વહોરાવી દીધો. ૦ રેવતી શ્રાવિકાની લોકો દ્વારા અનુમોદના : તે વખતે તે રેવતી ગાથાપત્ની (શ્રાવિકા)એ તે દ્રવ્યશુદ્ધિ, દાયકશુદ્ધિ અને પ્રતિગ્રાહક શુદ્ધિરૂપ ત્રિવિધશુદ્ધિ અને મન, વચન તથા કાયા એ ત્રિકરણ શુદ્ધિપૂર્વકના દાનથી પ્રતિલાભિત કરતા દેવ આયુષ્ય કર્મનો બંધ કર્યો, તેણીએ સંસાર પરિમિત કર્યો અને તેણીના ઘરમાં આ પાંચ દિવ્યો પ્રાદુર્ભત થયા. ૧. વસુધારા–સુવર્ણ/ધનની વૃષ્ટિ, ૨. પંચરંગી પુષ્પોની વૃષ્ટિ, ૩. વસ્ત્રોની વૃષ્ટિ, ૪. આકાશમાં દેવદુંદુભિનો નાદ અને ૫. ગગન મંડલમાં “અહોદાન–અહોદાન"ની ઉદ્ઘોષણા. ત્યારે રાજગૃહ નગરના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મુખો, રાજમાર્ગો અને સામાન્ય માર્ગોમાં ઘણા બધા લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, Page #302 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૩૦૧ બોલવા લાગ્યા, પ્રજ્ઞાપના કરવા લાગ્યા અને પ્રરૂપણા કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો ! રેવતી ગાથાપત્ની ધન્ય છે, હે દેવાનુપ્રિયો ! રેવતી ગાથાપત્ની કૃતાર્થ છે, હે દેવાનુપ્રિયો! રેવતી ગાથાપત્ની કૃતિપુણ્યા છે. હે દેવાનુપ્રિયો ! રેવતી ગાથાપત્ની કૃતલક્ષણા છે, હે દેવાનુપ્રિયો ! રેવતી ગાથાપત્નીએ પોતાના બંને લોકને સફળ કરી લીધા છે. તે દેવાનુપ્રિયો! રેવતી ગાથાપનીએ પોતાના મનુષ્ય જન્મ અને જીવનનું સફળ પ્રાપ્ત કરી લીધેલ છે. જેણીના ઘરમાં તથારૂપ સાધુને સારા પ્રકારે પ્રતિલાભિત કર્યા. એ પ્રમાણે પ્રતિલાભિત કરવાથી રેવતી ગાથાપત્નીના ઘરમાં પાંચ દિવ્યો પ્રગટ થયા તે આ પ્રમાણે– ૧. વસુધારા-ધનની વૃષ્ટિ, ૨. પંચરંગી પુષ્પોની વૃષ્ટિ, ૩. વસ્ત્રોની વૃષ્ટિ, ૪. આકાશમાં દેવદંભીનો નાદ અને ૫. ગગનમંડલમાં “અહોદાન–અહોદાન” એ પ્રમાણેની ઉદ્દઘોષણા. તેથી રેવતીગાથાપત્ની ધન્યા છે, કૃતાર્યા છે, કૃતપુણ્યા છે, કૃતલક્ષણા છે, તેણીએ પોતાનો આલોક અને પરલોક બંનેને સફળ કરી લીધો છે, તેણીને મનુષ્ય જન્મ અને જીવનનું સફળ પ્રાપ્ત કરી લીધેલ છે. ૦ સિંહ અણગારનું આગમન : ત્યાર પછી સિંહ અણગાર રેવતી ગાથાપત્નીના ઘરેથી નીકળ્યા, નીકળીને મેંઢિક ગ્રામ નગરના ઠીક મધ્ય ભાગમાંથી નીકળ્યા. નીકળીને ગૌતમ સ્વામીની સમાન ચાલતાચાલતા – યાવત્ – જ્યાં કોષ્ટક ચૈત્ય હતું, જ્યાં ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા. – યાવત્ – દરિયાપથ પ્રતિક્રમી, ગૌચરી આલોવીને ભગવંત મહાવીરને આહાર પાણી દેખાડ્યા, દેખાડીને તે સર્વ આહાર–પાણી શ્રમણ ભગવંત મહાવીરના હાથમાં સમ્યક્ પ્રકારે રાખી દીધા. (અહીં મુખ્યત્વે ગોશાલકનું જ કથાનક છે, અવાંતર વાતરૂપે તથા ભગવંત મહાવીરને અચ્છેરારૂપે થયેલ ઉપસર્ગ ગોશાળા નિમિત્તે થયેલો હોવાથી, કેવળ સંબંધનો ઘટનાક્રમ અખંડિત રાખવા માટે સિંહ અણગાર તથા રેવતી શ્રાવિકાનો ઉલ્લેખ કરેલ છે. તો પણ શ્રમણ કથાનક વિભાગમાં સિંહ અણગારનો અને રેવતી શ્રાવિકાનો ઉલ્લેખ શ્રાવિકા–શ્રમણોપાસિકા કથાનક વિભાગમાં નિર્દેશ તો કરેલ જ છે) ૦ ભગવંતને રોગમુક્તિ : ત્યાર પછી ભગવંત મહાવીરે તે આહારને મૂચ્છરહિત થઈને ગૃદ્ધિરહિત, આસક્તિરહિત, લાલસારહિતપણે, જે રીતે સર્પ બિલમાં પ્રવેશ કરે (ત્યારે વાંકોચૂંકો ચાલ્યા વગર સીધો જ સડસડાટ બિલમાં પ્રવેશ કરી દે તેમ) પોતાના શરીરરૂપી કોઠામાં તે આહારને પ્રક્ષેપ કરી દીધો અર્થાત્ બીજોરા પાક વાપરી ગયા. ત્યારે તે આહારને (બીજોરા પાકને) ખાવાથી શ્રમણ ભગવંત મહાવીરનો તે મહાપીડાકારી રોગાતંક જલ્દીથી ઉપશાંત થઈ ગયો, તેઓ હૃષ્ટ–પુષ્ટ, નિરોગી અને બળવાનું શરીરવાળા થઈ ગયા. તેના કારણે બધાં જ શ્રમણો સંતુષ્ટ અર્થાત્ પ્રસન્ન થઈ ગયા, બધાં જ શ્રમણીઓ સંતુષ્ટ થઈ ગયા, બધાં જ શ્રાવકો સંતુષ્ટ થઈ ગયા, બધાં જ શ્રાવિકાઓ સંતુષ્ટ થઈ ગયા. એ જ પ્રમાણે દેવો સંતુષ્ટ થઈ ગયા, દેવીઓ સંતુષ્ટ થયા. આ પ્રકારે દવ–મનુષ્ય અને અસુરો સહિત સમગ્ર લોક હર્ષિત અને સંતુષ્ટ થયો કે શ્રમણ ભગવંત મહાવીર હવે હૃષ્ટ, પુષ્ટ, નિરોગી અને બળવાનું શરીરવાળા થઈ ગયા છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ આગમ કથાનુયોગ-૨ ૦ સર્વાનુભૂતિ અણગારની ગતિ: હે ભગવંત! આ પ્રમાણે કહીને ભગવદ્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા. વદન–નમસ્કાર કરીને પૂછ્યું, હે ભગવન્! આપ દેવાનુપ્રિયના અંતેવાસીપૂર્વદેશના નિવાસી, પ્રકૃતિથી ભદ્ર – યાવત્ – વિનીત એવા સર્વાનુભૂતિ અણગાર તે જ સમયે ગોશાલક મંખલિપુત્ર દ્વારા તેના તપતેજથી બાળીને ભસ્મરાશિ કરી દેવામાં આવ્યા હતા, તે કાળધર્મ પામીને ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા છે ? હે ગૌતમ ! પૂર્વ દેશમાં ઉત્પન્ન, પ્રકૃત્તિથી ભદ્ર – યાવત્ – વિનીત, મારા અંતેવાસી સર્વાનુભૂતિ નામના અણગાર જે તે સમયે ગોશાલક મંખલિપુત્રના તપ અને તેજથી બાળીને ભસ્મરાશિ કરી દેવાયા હતા, તે ચંદ્ર અને સૂર્યથી પણ ખૂબ ઊંચે, સૌધર્મ અને ઇશાન દેવલોકથી પણ ઉપર – યાવત્ – બ્રહ્મલોક, લાંતક કલ્પ અને મહાશુક્ર દેવલોકને પણ ઉબંધીને આઠમાં સહસ્ત્રારકલ્પ નામક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયેલા છે. ત્યાં કેટલાંયે દેવોની અઢાર સાગરોપમની સ્થિતિ કહેવાઈ છે. ત્યાં તે સર્વાનુભૂતિ દેવની પણ અઢાર સાગરોપમની સ્થિતિ છે. ' હે ભગવંત ! તે સર્વાનુભૂતિ દેવ ત્યાંના દેવભવના આયુષ્યનો ક્ષય કરીને, ભવ સ્થિતિનો ક્ષય કરીને, સ્થિતિનો ક્ષય કરીને ત્યાર પછી તે દેવભવથી ઐવિત થઈને પછી ક્યાં જશે અર્થાત્ કઈ ગતિમાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! સર્વાનુભૂતિ દેવ, ત્યાં દેવ ભવના આયુષ્યનો, ભવનો અને સ્થિતિનો ક્ષય કરીને પછી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે, ત્યાં સિદ્ધિને પ્રાપ્ત કરશે અર્થાત્ મોક્ષે જશે – યાવત્ – તે સર્વ દુઃખોનો અંત કરનારા થશે. ૦ સુનક્ષત્ર અણગારની ગતિ : એ જ પ્રમાણે હે ભગવંત ! આપ દેવાનુપ્રિયના અંતેવાસી કોશલ દેશમાં ઉત્પન્ન થયેલા અને પ્રકૃત્તિથી ભદ્ર – યાવત્ – વિનીત સુનક્ષત્ર નામના જે અણગાર હતા, તે પણ હે ભગવંત! તે સમયે ગોશાલક મંખલિપુત્ર દ્વારા તેના તપ અને તેજથી પરિતાપિત કરાયા હતા અને પછી અનુક્રમે કાળના સમયે કાળધર્મ પામ્યા હતા. તે સુનક્ષત્ર અણગાર ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા ? હે ગૌતમ ! પ્રકૃતિથી ભદ્ર – યાવત્ – વિનીત એવા મારા જે સુનક્ષત્ર નામના અણગાર અંતેવાસી હતા, તે એ સમયે ગોશાળા મંખલિપુત્રના તપ અને તેજથી પરિતાપિતા થઈને, જ્યાં હું હતો ત્યાં આવ્યા, આવીને તેણે મને વંદન અને નમસ્કાર કર્યા વંદન અને નમસ્કાર કરીને સ્વયમેવ પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું હતું (અર્થાત્ પુનઃ સ્વીકાર કર્યો હતો), ઉચ્ચારણ કરીને તેણે શ્રમણ અને શ્રમણીઓને ખમાવ્યા હતા. ખમાવ્યા પછી આલોચના અને પ્રતિક્રમણ કર્યા હતા. ત્યાર પછી સમાધિને પ્રાપ્ત કરીને કાળના સમયે કાળ કરીને ઊંચે, ખૂબ જ ઊંચે ચંદ્ર અને સૂર્યથી પણ ઊંચે સૌધર્મ અને ઇશાન કલ્પથી પણ ઉપર, સનસ્કુમાર અને માહેન્દ્ર દેવલોકથી ઉપર, બ્રહ્મલોક-લાંતક મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પથી પણ ઉપર – યાવત્ – આણત, પ્રાણત, આરણ કલ્પનું ઉલ્લંઘન કરીને બારમાં અય્યત દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા હતા. Page #304 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૩૦૩ બારમાં અય્યતકલ્પમાં કેટલાંક–કેટલાંક દેવોની સ્થિતિ બાવીશ સાગરોપમની હોય છે. ત્યાં તે સુનક્ષત્ર દેવની પણ સ્થિતિ બાવીશ સાગરોપમની થઈ છે. હે ભગવન્! તે સુનક્ષત્ર દેવ, દેવ ભવના આયુનો ક્ષય કરીને, ભવનો ક્ષય કરીને અને સ્થિતિનો ક્ષય કરીને અનન્તર તે દેવલોકથી ઐવિત થયા બાદ ક્યાં જશે? અર્થાત્ તેઓ ત્યાંથી કઈ ગતિમાં જશે ? અને ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! સુનક્ષત્ર દેવ, દેવભવના આયુનો ક્ષય કરીને, ભવનો ક્ષય કરીને અને સ્થિતિનો ક્ષય કરીને ત્યાંથી ચ્યવ્યા બાદ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે, ત્યાં ઉત્પન્ન થઈને - યાવત્ – સિદ્ધ થશે અર્થાત્ મોક્ષે જશે અને સમસ્ત દુઃખોનો અંત કરશે. (અહીં સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ આણગારનું શેષ કથન પણ કથાનો સંબંધ જાળવવા પૂરતું જ કરેલ છે. બાકી આ બંને મુનિઓનો નિર્દેશ શ્રમણ કથાનક વિભાગમાં આવવાનો જ છે. – ૪ – ૪ – હવે ગોશાલકના મૂળ કથાનકનો સંબંધ અહીં પુનઃ આરંભ થાય છે.) ૦ ગોશાળાની દેવલોકે ઉત્પત્તિ : (ગોશાળાનો પૂર્વભવ ઈશ્વરથી શરૂ થયો હતો – અહીંથી તેની ભાવિ ભવપરંપરા શરૂ થાય છે.) હે ભગવન્! આપ દેવાનુપ્રિયનો અંતેવાસી કુશિષ્ય જે મખલિપુત્ર ગોશાલક હતો, તે મખલિપુત્ર ગોશાલ કાળ સમયે કાળ કરીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! મારો અંતેવાસી કુશિષ્ય ગોશાલક મંખલિપુત્ર જે શ્રમણ ઘાતક હતો - યાવત્ – તે કાળ કરીને છદ્મસ્થાવસ્થામાં જ મૃત્યુ પામીને ઉપર ચંદ્ર અને સૂર્ય કરતા પણ ઘણે ઊંચે સૌધર્મ અને ઇશાન દેવલોકથી પણ ઘણે ઊંચે – યાવત્ – બારમાં અશ્રુત કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયેલો છે. ત્યાં કેટલાંયે દેવોની સ્થિતિ બાવીશ સાગરોપમની કહેવાઈ છે. તેમાં ગોશાળા મંખલિપુત્રની સ્થિતિ પણ બાવીશ સાગરોપમની છે. ૦ ગોશાળાનો મહાપદ્મ રાજાનો ભવ : હે ભગવંતુ ! તે ગોશાલ દેવ દેવભવનો આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિશય થયા પછી તે દેવલોકથી ચ્યવીને ક્યાં જશે ? અર્થાત્ કઈ ગતિમાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વિંધ્યગિરિ પર્વતની તળેટીમાં પુરૂદેશના શતકાર નગરમાં સંભૂતિ નામના રાજાની ભદ્રા નામે પત્નીની કુક્ષિમાં તે પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં બરાબર નવમાસ પ્રતિપૂર્ણ થયા પછી સાડા સાત રાત્રિ-દિવસ વ્યતિક્રાંત થયા પછી – યાવત્ – એક સુંદર બાળકને જન્મ આપશે. જે રાત્રિએ તે બાળકનો જન્મ થશે, તે રાત્રિમાં શતધાર નગરની અંદર અને બહાર અનેક ભાર પ્રમાણ અને અનેક કુંભ પ્રમાણ પડ્યો અને રત્નોની વૃષ્ટિ થશે. ત્યાર પછી તે બાળકના માતા-પિતા અગિયાર દિવસ વીતી ગયા પછી જાતકર્મ સંબંધિ અશુચિનું નિવારણ કરશે. તે કર્યા પછી બારમા દિવસે આ આવા પ્રકારનું તે બાળકનું ગુણ નિષ્પન્ન નામકરણ કરશે – કેમકે અમારો આ બાળક ઉત્પન્ન થયો ત્યારે શતહાર નગરની બહાર અને અંદર ભાર પ્રમાણ અને કુંભ પ્રમાણ પધો અને રત્નોની વૃષ્ટિ થઈ હતી, તેથી કરીને અમારા આ બાળકનું નામ મહાપદ્મ થાઓ. આ પ્રમાણે વિચાર કરીને તે બાળકના માતાપિતા તે બાળકનું મહાપદ્મ એવું નામકરણ કરશે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ આગમ કથાનુયોગ-૨ ત્યાર પછી માતા–પિતા તે મહાપઘ બાળકને કંઈક અધિક આઠ વર્ષનો થયેલો જાણીને શુભતિથિ, શુભકરણ, શુભ દિવસ, નક્ષત્ર અને મુહૂર્તમાં મહાન્ સમારોહપૂર્વક તેનો રાજ્યાભિષેક કરશે. જેનાથી તે મહાહિમવનું, મલય, મંદર આદિ પર્વતોની સમાન પ્રસિદ્ધ એવો મહાન્ રાજા થઈ જશે ઇત્યાદિ વર્ણન કરી લેવું – યાવત્ – વિચરણ કરશે. ૦ મહાપદ્મનું દેવસેન એવું બીજું નામ થશે : ત્યાર પછી કોઈ એક સમયે તે મહાપદ્મ રાજાને મહર્તિક – યાવતુ – મહાસુખવાળા એવા બે દેવ સેનાકર્મ કરશે અર્થાત્ સેનાનું આધિપત્ય કરશે. તે બે દેવોનું નામ આ પ્રમાણે હશે – ૧. પૂર્ણભદ્ર અને ૨. માણિભદ્ર. તે વખતે શતદ્વાર નગરમાં ઘણાં બધાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ પરસ્પર એકબીજાને બોલાવશે અને બોલાવીને આ પ્રમાણે કહેશે– હે દેવાનુપ્રિયો ! આપણા આ મહાપદ્મરાજાને મહર્તિક – યાવત્ – મહાસુખલાલા પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના બે દેવ સેનાકર્મ કરે છે અર્થાત્ સેનાનું આધિપત્ય કરી રહ્યા છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણા આ મહાપા રાજાનું બીજું નામ દેવસેન” થાઓ. ત્યારે તે મહાપદ્મ રાજાનું બીજું નામ “દેવસેન” એ પ્રમાણે પ્રસિદ્ધ થયું. ૦ મહાપદ્યનું ત્રીજું નામ વિમલવાહન થશે : ( રાજા શ્રેણિકનો આગામી ભવ, જેમાં તે પહેલા તીર્થકર થશે તેના ત્રણ નામો પણ આ જ પ્રમાણે મહાપા, દેવસેન અને વિમલવાહન બતાવેલા છે. તેમનો જન્મ પણ ભરતક્ષેત્રના વિંધ્યગિરિ પર્વતની તળેટીમાં પડદેશના શતકાર નગરમાં થયાનું જણાવેલ છે, તેને પણ સંભૂતિ કુલકર અને ભદ્રા માતાના પુત્ર કહેલા છે – જુઓ ઠાણાંગ-સ્થાન-૯ સૂત્ર-૮૭૨; આ બંને કથાનકો બધાં જ નામોનું આટલું સામ્ય કિંચિંત્ વિભ્રમ ઊભો કરે છે. “શું ખરેખર આ બધાં નામો સમાન હશે ? કે પછી વાચનાભેદથી કંઈક કથા મિશ્રણ થયું હશે ? બહુશ્રતો જ આ શંકાનું સમાધાન આપી શકે.) ત્યાર પછી કોઈ એક દિવસે તે (મહાપા) દેવસેન રાજાને ત્યાં શંખતલની સમાન નિર્મળ અને શ્વેત એવા ચાર દાંતવાળો એક હસ્તીરત્ન ઉપસ્થિત થશે. ત્યારે તે દેવસેન રાજા તે શંખતલની સમાન નિર્મલ પ્રભાવાળા ચાર દાંતોવાળા હસ્તીરત્ન પર આરૂઢ થઈને શતકાર નગરના ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ એકબીજાને બોલાવશે અને બોલાવીને આ પ્રમાણે કહેશે હે દેવાનુપ્રિયો ! કેમકે આપણા દેવસેને રાજાને ત્યાં શંખતલ સમાન નિર્મળ, ચાર દાંતોવાળો હસ્તીરત્ન ઉત્પન્ન થયેલ છે, તેથી હે દેવાનુપ્રિયો ! આપણા (મહાપદ્મ) દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન થાઓ. ત્યારે તે (મહાપા) દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન થશે. આ રીતે ગોશાળાના મહાપા રાજાના ભવમાં ત્રણ નામો પ્રસિદ્ધ થશે – ૧. મહાપદ્મ, ૨. દેવસેન અને ૩. વિમલવાહન. ૦ વિમલવાહનનું નિર્ચન્થો સાથે પ્રતિકૂલ આચરણ : - ત્યાર પછી તે વિમલવાહન રાજા કોઈ એક સમયે શ્રમણ-નિર્ચન્થોની સાથે મિથ્યા–અનાર્યપણાનું આચરણ કરશે, કોઈના પરત્વે આક્રોશ કરશે, કોઈ પરત્વે હાંસી કરશે, કોઈકોઈને એકબીજાથી અલગ કરશે, કેટલાયની ભર્સના કરશે, કોઈને બાંધશે, કોઈને ઉપદ્રાવિત કરશે, કોઈ—કોઈના વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછનકને તોડી નાખશે, ફોડી Page #306 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૩૦૫ નાખશે અને નષ્ટ કરી નાખશે. કોઈનું અપહરણ કરશે. ઘણાં બધાંના આહાર–પાણીનો વિચ્છેદ કરશે અને ઘણાં બધાં શ્રમણોને નગર તથા દેશની બહાર કાઢી મૂકશે. તે સમયે શતધાર નગરના ઘણાં બધાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ પરસ્પર એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહેશે- હે દેવાનુપ્રિયો ! વિમલવાહન રાજા શ્રમણ નિર્ચન્હો પરત્વે મિથ્યા આચરણ, અનાર્યપણાનો સ્વીકાર કરેલો છે – યાવત્ – કેટલાયે શ્રમણો પ્રતિ આક્રોશ કરે છે, કોઈ પરત્વે હાંસી કરે છે, કોઈ—કોઈને એકબીજાથી અલગ કરે છે, કેટલાયની ભર્લ્સના કરે છે, કોઈને બાંધે છે, કોઈને ઉપદ્રાવિત કરે છે, કોઈ—કોઈના પાત્ર તોડી–ફોડી નાંખે છે, કોઈ– કોઈના વસ્ત્ર અને કંબલાદિ નષ્ટ કરી નાંખે છે, કોઈનું અપહરણ કરી રહ્યો છે – યાવત્ -- કેટલાંયે શ્રમણોને તેણે દેશ કે નગરમાંથી નિકાલ કરેલ છે. તેથી હે દેવાનુપ્રિયો ! એ આપણા માટે શ્રેયસ્કર નથી અને વિમલવાહન રાજાને માટે પણ શ્રેયસ્કર નથી. તથા આ રાજ્ય, રાષ્ટ્રબળ, વાહન, પૂર, અંતઃપુર તથા દેશને માટે પણ શ્રેયસ્કર નથી કે જે આપણા વિમલવાહન રાજા શ્રમણ નિર્ચન્હો પરત્વે અનાર્યપણાનો વ્યવહાર કરે. તેથી હે દેવાનુપ્રિયો ! આ વિષયમાં વિમલવાહન રાજાને આપણે નિવેદન કરવું ઉચિત છે. આ પ્રમાણે પરસ્પર એકબીજાના નિશ્ચયનો તેઓ સ્વીકાર કરશે, સ્વીકાર કરીને જ્યાં વિમલવાહન રાજા હશે ત્યાં પહોંચશે, પહોંચીને બંને હાથ જોડી મસ્તકે અંજલિ કરી, દશ નખ ભેગા કરી, આવર્તપૂર્વક મસ્તકે બે હાથ જોડીને જય-વિજય શબ્દના ઘોષ વડે વિમલવાહન રાજાને વધાવશે. વધાવીને આ પ્રમાણે કહેશે હે દેવાનુપ્રિય ! શ્રમણ નિર્ચન્હો પરત્વે આપ જે અનાર્યપણાથી મિથ્યા–આચરણ કરી રહ્યા છો, તેમાંના કેટલાંક પર આક્રોશ કરો છો, કોઈ શ્રમણો પરત્વે હાંસી કરી રહ્યા છો – યાવત્ – કોઈ કોઈને આપ નગર કે દેશની બહાર કાઢી રહ્યા છો, તો હે દેવાનુપ્રિય! એ કાર્ય આપને માટે શ્રેયસ્કર નથી, અમારા માટે પણ શ્રેયસ્કર નથી તથા આ રાજ્ય, રાષ્ટ્રબળ, વાહન, પુર, અંતઃપુર તથા દેશને માટે પણ શ્રેયસ્કર નથી કે જે આપ શ્રમણ નિગ્રંથો પરત્વે આવું અનાર્યત્વ, મિથ્યા આચરણ કરી રહ્યા છો, તેથી હે દેવાનુપ્રિય ! તમે તમારા આ દૂરાચરણને બંધ કરો, આ દુષ્ટ પ્રવૃત્તિથી અટકો. ત્યારે તે વિમલવાહન રાજા તે અનેક રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિના આ નિવેદનને સાંભળીને “ધર્મ નથી", “તપ નથી” એવી બુદ્ધિવાળો હોવા છતાં પણ મિથ્યા વિનય બતાવીને તેઓના નિવેદનનો ખોટેખોટો સ્વીકાર કરી લેશે. ૦ વિમલવાહને સુમંગલ અણગારને કરેલ ઉપસર્ગ : તે શતદ્વાર નગરની બહાર ઇશાન ખૂણામાં સુભૂમિભાગ નામનું એક ઉદ્યાન હશે. જે સર્વ ઋતુઓના ફળ અને ફૂલોથી સમૃદ્ધ હશે ઇત્યાદિ વર્ણન કરી લેવું. તે કાળ અને તે સમયમાં વિમલ અરિહંતના પ્રપૌત્ર સુમંગલ નામના જાતિ સંપન્ન અણગાર થશે. (અહીં વૃત્તિકાર મહર્ષિ અભયદેવ સૂરિજી જણાવે છે કે, સમવાયાંગમાં ઉત્સર્પિણી Page #307 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ કાળમાં વિમલજિનનો ઉલ્લેખ એકવીશમાં તીર્થંકર રૂપે થયેલ છે. તે અવસર્પિણી કાળ પ્રમાણે ચોથા જિનને સ્થાને પ્રાપ્ત થાય છે. તેથી ભાવિ ચોવીસીમાં વિમલ જિન ઘણાં કરોડ સાગરોપમ વ્યતિક્રાન્ત થયે સંભવે છે. જ્યારે આ મહાપદ્મ—વિમલવાહન રાજા તો બાવીશ સાગરોપમનું દેવાયુ પૂર્ણ કરીને જ થવાના છે. તેથી વિમલજિનના પ્રપૌત્ર શિષ્યનો આલાપક દુઃખે કરીને સ્વીકારાય તેવો છે. અથવા તો બાવીશ સાગરોપમ કાળ વીત્યા પછી થનારા તીર્થંકરનું પણ ‘વિમલ'' એવું નામ સંભવી શકે છે કેમકે ઉત્તમ પુરુષોના તો અનેક નામો હોઈ શકે છે. ૩૦૬ તે સુમંગલ અણગારનું વર્ણન ધર્મઘોષ અણગાર સમાન જાણવું (ભગવતીજી શતક ૧૧, સૂત્ર-૫૨૩માં ધમ્મઘોસ અણગાર આવે છે) - યાવત્ – તેઓ સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યાના અને ત્રણ જ્ઞાનના ધારક હશે, તે સુમંગલ અણગાર સુભૂમિ ભાગ ઉદ્યાનથી અતિ દૂર નહીં તેમ અતિ નીકટ નહીં એવા યથોચિત સ્થાને રહેલા હતા. તેઓ નિરંતર છટ્ઠ–છઠ્ઠના તપ પૂર્વક વિચરતા હતા, તપની સાથે ઉપર તરફ બંને હાથ રાખી સૂર્યાભિમુખ થઈને આતાપના ભૂમિમાં આતાપના લેતા વિચરી રહ્યા હતા. તેવા સમયમાં એક વખત વિમલવાહન રાજા રથચર્ચા માટે રથમાં બેસીને ફરવાને માટે નીકળશે. ત્યારપછી તે વિમલવાહન રાજા સુભૂમિભાગ ઉદ્યાનથી થોડી દૂર રથમાં ફરતા ફરતા નીકળશે ત્યારે નિરંતર છટ્ઠના પારણે છટ્ઠનો તપ કરી રહેલા અને પોતાના બંને હાથ ઊંચા રાખી સૂર્યાભિમુખ થઈને આતાપના ભૂમિમાં આતાપના લઈ રહેલા એવા સુમંગલ અણગારને જોશે. જોઈને તે રાજા ક્રોધાભિભૂત થઈને, રોષાયમાન અને કોપાયમાન થઈને ચંડિકાવત્ રૌદ્રરૂપ ધારણ કરીને દાંતોને કચકચાવતો રથના અગ્રભાગથી સુમંગલ અણગારને ટક્કર મારીને નીચે પાડી દેશે. ત્યારે તે સુમંગલ અણગાર વિમલવાહન રાજાના દ્વારા રથના અગ્રભાગની ટક્કર લાગવાથી પડી ગયા બાદ ધીમે ધીમે ઉઠશે અને ઊભા થઈને બીજી વખત પણ ઉપર તરફ હાથોને રાખીને સૂર્ય તરફ પોતાનું મુખ કરીને આતાપના ભૂમિમાં આતાપના લેતા વિચરણ કરશે. ત્યારપછી ફરી બીજી વખત પણ તે વિમલવાહન રાજા સુમંગલ અણગારને રથના અગ્રભાગની ટક્કર મારીને નીચે પાડી દેશે. ત્યારે તે સુમંગલ અણગાર બીજી વખત પણ એ જ પ્રમાણે વિમલવાહન રાજા દ્વારા રથના અગ્રભાગની ટક્કર મારી પાડી દેવાયા પછી ફરીથી ધીમે ધીમે ઊભા થશે, ઊભા થઈને પોતે અવધિજ્ઞાનનો ઉપયોગ મુકશે. અવધિજ્ઞાન ઉપયોગ દ્વારા વિમલવાહન રાજાના ભૂતકાળને જોશે, જોઈને વિમલવાહન રાજાને આ પ્રમાણે કહેશે કે– તું વાસ્તવમાં વિમલવાહન રાજા નથી, તું દેવસેન રાજા પણ નથી, તું મહાપદ્મ રાજા પણ નથી, પરંતુ ખરેખર તો આજથી પૂર્વના ત્રીજા ભવમાં શ્રમણોનો ઘાત કરનારો, શ્રમણને પરિતાપ ઉપજાવનારો – યાવત્ – છદ્મસ્થ અવસ્થામાં જ કાલધર્મ—મૃત્યુ પામેલો એવો તું ગોશાલ મંખલિપુત્ર છે. - તે સમયે સર્વાનુભૂતિ અણગારે સમર્થ હોવા છતાં પણ સમભાવથી તારા અપરાધને સહન કર્યો હતો, ક્ષમા કરી હતી, તિતિક્ષા કરી હતી અને તારા અપરાધને અધ્યાસિત અર્થાત્ સહન કર્યો હતો. તે જ પ્રમાણે તે સમયે સુનક્ષત્ર અણગારે પણ સમર્થ હોવા છતાં Page #308 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૩૦૭ તારા અપરાધને સમ્યક્ પ્રકારે સહન કર્યો હતો. ક્ષમા કરી હતી, તિતિક્ષા કરી હતી અને તારા અપરાધને અધ્યાસિત અર્થાત સહન કર્યો હતો શ્રમણ ભગવંત મહાવીરે પણ સમર્થ હોવા છતાં તારા અપરાધને સમ્યક્ પ્રકારે સહન કર્યો હતો, ક્ષમા કરી હતી, તિતિક્ષા કરી હતી અને તે અપરાધને અધ્યાસિત અર્થાત્ સહન કર્યો હતો. પરંતુ (હે રાજન્ !) હું તે પ્રકારે તારા અપરાધને સહન પણ નહીં કરું, મા પણ નહીં કરું, તિતિક્ષા પણ નહીં કરું અને અધ્યાસિત પણ કરીશ નહીં. હું તો તને મારા તપ અને તેજ વડે તારા અશ્વ, રથ અને સારથી સહિત એક જ પ્રહારમાં કૂટાઘાતની જેમ ભસ્મરાશિરાખનો ઢગલો કરી દઈશ. ત્યારે તે વિમલવાહન રાજા સુમંગલ અણગારના આ કથનને સાંભળીને ક્રોધાયમાન, રોષાયમાન, કોપાયમાન, ચંડિકાવાતું રૌદ્ર થઈને દાંતોને કચકચાવતો એવો સુમંગલ અણગારને રથના અગ્ર ભાગ વડે ટક્કર મારીને ત્રીજી વખત પણ નીચે પાડી દેશે. ૦ સુમંગલ મુનિના તેજ દ્વારા વિમલવાહનનું મરણ : ત્યારે તે સુમંગલ અણગાર, વિમલવાહન રાજા દ્વારા ત્રીજી વખત રથના અગ્રભાગની ટક્કરથી નીચે પાડી દેવાયા ત્યારે ક્રોધાભિભૂત થઈને, કોપાયમાન અને રોષાયમાન થઈને, ચંડિકાવતું રૌદ્રરૂપ ધારણ કરીને, દાંતોને કચકચાવતા એવા આતાપના ભૂમિથી નીચે ઉતરશે, નીચે ઉતરીને તૈજસ્ સમુદઘાત કરશે, તૈજસ્ સમુદઘાત કરીને સાત-આઠ કદમ પાછળ ખસશે. પાછળ ખસીને ઘોડા–રથ અને સારથી સહિત વિમલવાહન રાજાને એક જ પ્રહારમાં કૂટાઘાતની માફક રાખનો ઢગલો કરી દેશે. ૦ સુમંગલ મુનિની ગતિ : હે ભગવંત ! સુમંગલ અણગાર, વિમલવાહન રાજાને અશ્વ, રથ અને સારથી સહિત રાખનો ઢેર બનાવીને ક્યાં જશે? (કઈ ગતિમાં જશે ?), ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! વિમલવાહન રાજાને ઘોડા, રથ અને સારથી સહિત ભસ્મરાશિ કરીને સુમંગલ અણગાર ઘણા બધાં છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષમણ, અર્ધ માસક્ષમણ આદિ વિચિત્ર પ્રકારના તપોકર્મ વડે પોતાના આત્માને ભાવિત કરતા એવા અનેક વર્ષો પર્યત શ્રમણ પર્યાયનું પાલન કરશે, પાલન કરીને એક મહિનાની સંખના દ્વારા આત્માને વિશુદ્ધ કરીને, અનશન દ્વારા સાઇઠ ભોજનનો છેદ કરીને અર્થાત્ માસિક સંલેખના કરીને આલોચના પ્રતિક્રમણ પૂર્વક સમાધિ ભાવે કાળ કરશે. કાળધર્મ પામ્યા પછી ઊંચે ચંદ્ર અને સૂર્ય વિમાનથી પણ ઉપર, સૌધર્મ-ઇશાન કલ્પથી પણ ઉપર – યાવત્ – આરણ અને અય્યત કલ્પથી પણ ઉપર, નવે નવ રૈવેયક વિમાનોનું પણ ઉલ્લંઘન કરીને પાંચમાં અનુત્તર એવા સર્વાથસિદ્ધ વિમાનમાં દેવરૂપથી ત્યાં ઉત્પન્ન થશે. (દેવ થશે). ત્યાં દેવોની અજઘન્ય–અનુત્કૃષ્ટ એવી તેત્રીશ સાગરોપમ સ્થિતિ કહેવામાં આવી છે. તે સુમંગલદેવની પણ અજઘન્ય–અનુત્કૃષ્ટ એવી તેત્રીશ સાગરોપમની સ્થિતિ થશે. હે ભગવન્! તે સુમંગલ દેવ દેવ ભવના આયુનો ક્ષય, ભવનો ક્ષય, સ્થિતિનો ક્ષય થયા પછી અનન્તર તે દેવલોકથી ઐવિત થઈને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? Page #309 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ હે ગૌતમ ! તે સુમંગલ દેવ—દેવના આયુનો ક્ષય, ભવનો ક્ષય અને સ્થિતિનો ક્ષય થયા પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. (* અહીં સુમંગલ અણગારની શેષ કથા કેવળ ચાલુ કથાના અનુસંધાને હોવાથી નોધેલ છે. તેનો નિર્દેશ શ્રમણ કથાનકમાં તો અલગથી કરેલો જ છે.) ૦ ગોશાળાના જીવની દુ:ખ પ્રચૂર ભવ પરંપરા : હે ભગવંત ! સુમંગલ અણગાર દ્વારા અશ્વ, રથ, સારથી સહિત ભસ્મ રાશિ કરાયેલો વિમલવાહન રાજાનો (ગોશાળાનો) જીવ ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! સુમંગલ અણગાર દ્વારા અશ્વ, રથ, સારથીસહિત ભસ્મરાશિ કરાયેલ વિમલવાહન રાજાનો (ગોશાળાનો) જીવ અધઃસપ્તમ પૃથ્વીમાં (સાતમી નરક ભૂમિમાં) ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નરકોમાં નૈયિક રૂપે ઉત્પન્ન થશે. ત્યારપછી તે ગોશાળાનો જીવ સાતમી નારકીમાંથી નીકળીને મત્સ્યપણે ઉત્પન્ન થશે. ત્યાં તેનો શસ્રના દ્વારા ઘાત થવાથી તેને દાહજવરની પીડા ઉત્પન્ન થશે. તે પીડાથી પીડિત થઈને કાળ કરીને ફરીથી બીજી વખત સાતમી નારકી ભૂમિ – અધઃસક્ષમા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસોમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થશે. ત્યારપછી તે સાતમી નારકીથી ઉદ્વર્તન કરીને (નીકળીને) ફરી વખત પણ મત્સ્યમાં ઉત્પન્ન થશે. તે ત્યાં પણ શસ્ત્રના દ્વારા ઘાત પામશે. તેના શરીરમાં દાહ ઉત્પન્ન થશે, દાહની પીડાથી પીડિત થઈને કાળના સમયે કાળ કરીને છટ્ઠી નરકભૂમિ એવી તમસ્તમા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થશે. ૩૦૮ ત્યારપછી તે (ગોશાળાનો જીવ) ત્યાંથી ઉર્તન કરીને (નીકળીને) સ્ત્રીરૂપે ઉત્પન્ન થશે. સ્ત્રીના ભવમાં પણ શાસ્ત્રાઘાતથી ઘાતિત થશે, તેના કારણે દાહજ્વરથી પીડિત થશે, તે પીડા ભોગવતો કાલ માસમાં કાળ કરીને બીજી વખત પણ છટ્ઠી નરકભૂમિ તમસ્તમાં પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસોમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થશે. ત્યારપછી ત્યાંથી (છઠ્ઠી નરકભૂમિથી) નીકળીને ગોશાળાનો જીવ બીજી વખત પણ સ્ત્રીરૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ તેનો શસ્ત્રથી વધ થશે, તેના કારણે તેને દાહ ઉત્પન્ન થશે, દાહની પીડાથી પીડિત થઈને મૃત્યુ સમયે મૃત્યુ પામીને પાંચમી નરકભૂમિ ધૂમપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થશે. ત્યારપછી તે ગોશાળાનો જીવ પાંચમી નરકભૂમિથી નીકળીને ઉર:પરિસર્પ રૂપે ઉત્પન્ન થશે. અહીં પણ શસ્ત્રના દ્વારા વધ થશે. તેનાથી દાહ ઉત્પન્ન થશે. તે દાહની પીડાથી પીડિત થઈ કાળ સમયે કાળ કરીને બીજી વખત પણ પાંચમી નરકભૂમિ ધૂમપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરયિકપણે ઉત્પન્ન થશે. ત્યારપછી ત્યાંથી નીકળીને બીજી વખત પણ (તે ગોશાળાનો જીવ) ઉર:પરિસર્પોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ તેનો શસ્ત્ર દ્વારા વધ થશે. તેના શરીરમાં દાહ ઉત્પન્ન થશે, દાહથી પીડિત થઈને કાલમાસમાં કાળ કરીને ચોથી નરકભૂમિ—પંકપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસોમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થશે. ત્યારપછી પંકપ્રભા પૃથ્વીથી નીકળીને ગોશાળાનો જીવ સિંહરૂપે ઉત્પન્ન થશે. ત્યાં Page #310 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા પણ શસ્ત્ર દ્વારા વધ થવાથી તેના શરીરમાં દાહ ઉત્પન્ન થશે. દાહની પીડાથી પીડિત થઈને મરણ સમયે મૃત્યુ પામીને બીજી વખત પણ ચોથી નરકભૂમિ—પંકપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકોમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થશે. ત્યારપછી તે ગોશાળાનો જીવ ચોથી નારકીમાંથી નીકળીને ફરી વખત સિંહરૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ તેનો શસ્ત્ર દ્વારા વધ થશે. તેના લીધે તેના શરીરમાં દાહ ઉત્પન્ન થશે, દાહજ્વરથી પીડિત થઈ કાલમાસમાં કાળ કરીને ત્રીજી નરકભૂમિ—વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસોમાં નારકરૂપે ઉત્પન્ન થશે. ત્યારપછી ત્રીજી નારકીથી નીકળીને ગોશાળાનો જીવ પક્ષીરૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ તેનો શસ્ત્રથી ઘાત થશે, તેના શરીરમાં દાહ ઉત્પન્ન થશે, તે દાહની પીડાથી કાળ માસે કાળ કરીને તે બીજી વખત પણ ત્રીજી નરકભૂમિ–વાલુકાપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકોમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થશે. ત્યારપછી ગોશાળાનો જીવ ત્રીજી નારકીમાંથી નીકળીને ફરી બીજી વખત પણ પક્ષીરૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ તે શસ્ત્ર વડે વધ પામીને, દાહથી આક્રાન્ત થઈને કાળના સમયે કાળ કરીને બીજી શર્કરાપ્રભા પૃથ્વીમાં અર્થાત્ બીજી નરકભૂમિમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થશે. ૩૦૯ ત્યારપછી ગોશાળાનો જીવ બીજી નરકથી ઉદ્વર્તન કરીને, નીકળીને, સરિસૃપ રૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ તે શસ્ત્ર વડે વધ પામીને અને દાહથી પીડિત થઈને કાળ માસમાં કાળ કરીને બીજી વખત પણ બીજી નરકભૂમિ–શર્કરાપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસોમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થશે. ત્યાર પછી ગોશાળાનો જીવ બીજી નરકથી નીકળીને બીજી વખત સરીસર્પોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રઘાત વડે ઘાતિત અને દાહથી પીડિત થઈને કાળના સમયે કાળ કરીને પ્રથમ નરકભૂમિ–રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિવાળા નારકોમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થશે. ત્યાર પછી ગોશાળાનો જીવ પહેલી નારકીથી નીકળીને સંજ્ઞી જીવોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ તે શસ્ત્રથી વધ પામીને તથા દાહથી આક્રાન્ત થઈને કાળના સમયે કાળ કરીને અસંજ્ઞી જીવોમાં ઉત્પન્ન થશે. અસંજ્ઞી જીવોમાં પણ શસ્ત્રથી વધ પામીને દાહથી પીડિત થઈને કાળ સમયે કાળ કરીને બીજી વખત પણ પ્રથમ નરકભૂમિ–રત્નપ્રભા પૃથ્વીમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિવાળા નૈરયિકોમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થશે. (* આ રીતે ગોશાળાનો જીવ સાતમી, છટ્ઠી, પાંચમી, ચોથી, ત્રીજી, બીજી અને પહેલી નારકીમાં અનુક્રમે બબ્બે વખત ઉત્પન્ન થશે અને તેના મધ્ય-મધ્યના ભવમાં બે વખત મત્સ્યરૂપે, બે વખત સ્ત્રીરૂપે, બે વખત ઉર:પરિસર્પરૂપે, બે વખત સિંહરૂપે, બે વખત પક્ષીરૂપે, બે વખત સરિસર્પરૂપે એ રીતે ઉત્પન્ન થશે. આવી વિષમ ભવભ્રમણ સ્થિતિને તે ભોગવશે) ૦ ગોશાળાનું ભવભ્રમણ પંચેન્દ્રિય તિર્યંચરૂપે : ગોશાળાનો જીવ પહેલી નારકીથી ઉદ્ભર્તન કરીને, નીકળીને ખેચર જીવોના જે ભેદ છે, જેમકે – ચર્મપક્ષી, લોમપક્ષી, સમુદ્ગપક્ષી અને વિતતપક્ષી, તે ખેચર જીવોમાં અનેક Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ આગમ કથાનુયોગ-૨ લાખો વખત મરી–મરીને વારંવાર ત્યાંજ ઉત્પન્ન થતો રહેશે. તે બધાં જ ભવોમાં સર્વત્ર શસ્ત્રો દ્વારા વધ પામશે, તેના શરીરમાં દાહ ઉત્પન્ન થશે અને તે દાડથી પીડિત થઈને કાળના સમયે કાળ કરીને જે ભુજ પરિસર્પોના ભેદ છે – જેમકે, ગોહ, નકુલ ઇત્યાદિ. તે બધાં જ ભેદોમાં – યાવત્ – જાહક ચતુષ્પદ જીવોમાં અનેક લાખો વખત મરી–મરીને ત્યાં ને ત્યાં જ વારંવાર ઉત્પન્ન થશે. ત્યાં ભુજપરિસર્પોની પ્રત્યેક જાતિના ભવોમાં પણ સર્વત્ર શસ્ત્રથી વધ પામીને, દાહથી આક્રાન્ત થઈને મરણના સમયે મરણ પામીને પછી તે ગોશાળાનો જીવ ઉર:પરિસર્પોના જે ભેદ છે – જેમકે – સર્પ, અજગર, આશાલિક અને મહોરગ – તેના તેના ભાવોમાં અનેક લાખો વખત મરીમરીને વારંવાર તેમાં જ ઉત્પન્ન થશે. ત્યાં પણ ઉર:પરિસર્પોના ભવોમાં સર્વત્ર શસ્ત્રથી વધ પામશે, દાહથી આક્રાન્ત થઈને કાળના સમયે કાળ કરીને ગોશાળાનો જીવ જે ચતુષ્પદો છે – જેમકે – એક ખૂરવાળા, બે ખૂરવાળા, ગંડીપદ, સનખપદ – તે તે ચતુષ્પદોના ભવોમાં તે અનેક લાખો વખત મરી–મરીને વારંવાર તેના તે જ ભવોમાં ઉત્પન્ન થશે. તે ચતુષ્પદોના ભાવોમાં પણ સર્વત્ર શસ્ત્રથી વધ પામીને અને દાહથી પીડિત થઈને કાળના સમયે કાળ કરીને જે જલચર જીવોના ભેદ છે – જેમકે – મત્સ્ય, કચ્છપ – યાવત્ – સુસુમાર, તેના તેના ભાવોમાં ગોશાળાનો જીવ અનેક લાખો વખત મરી–મરીને વારંવાર તેના તે જ ભવોમાં પુનઃ પુનઃ ઉત્પન્ન થશે. ૦ ગોશાળાનું ભવભ્રમણ વિકસેન્દ્રિય રૂપે : ચતુષ્પદોના ભવોમાં સર્વત્ર શસ્ત્રથી ઘાત પામીને, શરીરમાં ઉત્પન્ન થયેલ દાહની પીડા પામતો કાળ માસે કાળ કરીને ગોશાળાનો જીવ જે ચતુરિન્દ્રિય જીવોના ભેદ છે – જેમકે – અંબિક, પૌત્રિક ઇત્યાદિ – યાવત્ – ગોમય કીડામાં અનેક લાખો વખત મરી– મરીને પુનઃ પુનઃ તે ચતુષ્પદોમાં જ ઉત્પન્ન થશે. ત્યાં પણ સર્વત્ર શસ્ત્રથી વધ્ય થઈને અને દાહથી પીડિત થઈને કાળ માસના સમયે કાળ કરીને ત્રીન્દ્રિય જીવોના જે ભેદ છે, જેમકે – ઉપચિત યાવત્ – હસ્તીશૌડ, ઇત્યાદિ ભવોમાં ગોશાળાનો જીવ અનેક લાખો વખત મરી–મરીને તે જ ભવોમાં પુનઃ પુનઃ વારંવાર ઉત્પન્ન થશે. ત્યાં પણ ત્રિ-ઇન્દ્રિયોના ભાવોમાં સર્વત્ર શસ્ત્રથી વધુ પામીને અને દાહથી પીડિત થઈને કાળ માસમાં કાળ કરીને જે દ્વિન્દ્રિય જીવોના પ્રકાર છે – જેમકે – પુલાકૃમિ – થાવત્ – સમુદ્રલિફા, તેના તેના ભાવોમાં ગોશાળાનો જીવ અનેક લાખો વખત મરી–મરીને પુનઃ પુનઃ તે જ ભવોમાં વારંવાર ઉત્પન્ન થશે. ૦ ગોશાળાનું ભવભ્રમણ એકેન્દ્રિય રૂપે : દ્વિ–ઇન્દ્રિયના ભાવોમાં પણ શસ્ત્રથી વધુ પામીને અને દાહથી પીડિત થઈને કાળધર્મના સમયે કાળ કરીને વનસ્પતિકાયના જે ભેદ છે – જેમકે – વૃક્ષ, ગુચ્છ – થાવત્ – કુંપણ – તેના તેના રૂપે ગોશાળાનો જીવ અનેક લાખો વખત મરી—મરીને વારંવાર પુનઃ પુનઃ તે–તે ભવોમાં ઉત્પન્ન થશે. વિશેષ કરીને કટ્રસવાળા વૃક્ષો અને Page #312 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૩૧૧ વેલોમાં તે ઉત્પન્ન થશે. તે વનસ્પતિકાયિક જીવોના ભવમાં સર્વત્ર શસ્ત્ર વડે ઘાત પામીને અને દાહથી પીડિત થઈને મરણના સમયે મરણ પામીને વાયુકાયિક જીવોના જે ભેદ છે – જેમકે – પૂર્વવાયુ – યાવત્ – શુદ્ધવાયુ – તે–તે ભવોમાં ગોશાળાનો જીવ અનેક લાખો વખત મરી–મરીને પુનઃ પુનઃ વારંવાર તે જ ભવોમાં ઉત્પન્ન થશે. વાયુકાયિક જીવોના ભવોમાં પણ સર્વત્ર શસ્ત્ર દ્વારા વધ પામીને અને દાહથી આક્રાન્ત થઈને કાળમાસમાં કાળ કરીને જે તેજસ્કાયિકના જીવોના ભેદ છે – જેમકે – અંગાર – યાવત્ – સૂર્યકાંત મણિથી નિશ્રિત અગ્નિ. તેના તેના ભાવોમાં ગોશાળાનો જીવ. અનેક લાખો વખત મરી–મરીને ત્યાં ને ત્યાં જ પુનઃ પુનઃ વારંવાર ઉત્પન્ન થયા કરશે. - તેજસ્કાયિક જીવોના ભવોમાં પણ સર્વત્ર શસ્ત્ર વડે વધ પામીને તથા દાહથી આક્રાન્ત થઈને કાળ માસે કાળ કરીને જે અકાયિક જીવો છે – જેમકે – ઓમ – યાવત - ખાઈનું પાણી, તેના તેના ભાવોમાં અનેક લાખો વખત મરી–મરીને પુનઃ પુનઃ વારંવાર તે–તે ભવોમાં જ ઉત્પન્ન થશે. તેમાં પણ વિશેષ કરીને ખારા પાણી અને ખાઈના પાણીમાં ઉત્પત્તિ પામશે. અપ્લાયિક જીવોના ભવોમાં પણ તે સર્વત્ર શસ્ત્રથી વધ પામીને અને દાહથી આક્રાન્ત થઈને કાળ માસના સમયે કાળ કરીને જે પૃથ્વીકાયિક જીવોના ભેદ છે – જેમકે – પૃથ્વી, શર્કરા – યાવત્ – સૂર્યકાંત મણિ, ગોશાળાનો જીવ તે–તે ભવોમાં અનેક લાખો વખત મરી–મરીને પણ ત્યાં જ વારંવાર ઉત્પન્ન થશે. તેમાં પણ તે વિશેષે કરીને ખર બાદર પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થશે. (* આ રીતે તિર્યંચ યોનિમાં દીર્ઘકાળ તે ભવ ભ્રમણ કરશે.) ૦ ગોશાળાનું તુચ્છ સ્ત્રી ભવમાં ભ્રમણ : પૃથ્વીકાયિકના ભવોમાં પણ સર્વત્ર શસ્ત્રથી વધ પામીને અને દાહથી આક્રાન્ત થઈને કાળધર્મના સમયે કાળ કરીને ગોશાળાનો જીવ રાજગૃહ નગરની બહાર નોકરાણીના રૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ તે શસ્ત્રથી વધુ પામશે, તેના શરીરમાં દાહ ઉત્પન્ન થશે અને દાહથી આક્રાન્ત થઈને કાળમાસે કાળ કરીને બીજી વાર પણ તે રાજગૃહ નગરીની અંદર નોકરાણીરૂપે તે ઉત્પન્ન થશે. તે નોકરાણીના ભાવમાં પણ તે શસ્ત્રથી વધુ પામશે અને દાહથી આક્રાન્ત થઈને મરણના સમયમાં મરણ પામીને આ જ જંબૂઢીપના ભરતક્ષેત્રમાં વિન્ય પર્વતની તળેટીમાં સ્થિત બેભેલ સનિવેશમાં બ્રાહ્મણ કુળમાં કોઈ એક બાલિકાના રૂપમાં ઉત્પન્ન થશે. - ત્યાર પછી જ્યારે તે બાલિકા બાલ્યાવસ્થાનો ત્યાગ કરીને યૌવનાવસ્થાને પ્રાપ્ત થશે, ત્યારે તેણીના માતા-પિતા ઉચિત દ્રવ્ય અને ઉચિત વિનય દ્વારા, કોઈ યોગ્ય પતિને પત્નીના રૂપમાં પ્રદાન કરશે. તે તે કન્યાની ઇષ્ટ, કાન્ત – યાવત્ - અનુમત આભુષણોના કરંડિયા સમાન, તેલની કુપ્પીની સમાન, અત્યંત સુરક્ષિત વસ્ત્રની પેટીની સમાન, સુસંગૃહીત, રત્ન કરંડિકાની સામાન સુરક્ષિત શીત, ઉષ્ણ – યાવતુ - પરીષહ – ઉપસર્ગ પણ તે બાલિકાને સ્પર્શ ન કરે, એ પ્રમાણેની અત્યંત સંગોપિત પત્નીની સમાન રાખશે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ આગમ કથાનુયોગ-૨ ત્યાર બાદ તે બાલિકા કોઈ સમયે ગર્ભવતી થશે. પોતાના સાસરેથી પિયર જાતી હશે ત્યારે માર્ગમાં દાવના અગ્રિની જ્વાળાથી બળી જઈને કાળધર્મના સમયે કાળ કરશે. ૦ ગોશાળાનું મનુષ્ય અને દેવરૂપે ભવ ભ્રમણ :-- તે કન્યાના રૂપે કાળ કરીને ગોશાળાનો જીવ અગ્રિકુમાર દેવોમાં દેવ થશે. ત્યારપછી ત્યાંથી નીકળીને મનુષ્યનું શરીર પ્રાપ્ત કરશે, પ્રાપ્ત કરીને કેવલ બોધિ (સમ્યક્ત્વ)ને ધારણ કરશે. ત્યાર પછી મુંડિત થઈને ગૃહ ત્યાગ કરી અણગાર પ્રવજ્યાને અંગીકાર કરશે. ત્યાં પણ વિરાધિત શ્રામસ્યવાળા – વિરાધક થઈને કાળમાસના અવસરે કાળ કરીને દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યારપછી દેવભવથી ચ્યવીને ત્યાંથી નીકળીને પુનઃ મનુષ્ય શરીર ધારણ કરશે, ધારણ કરીને કેવલ બોધિને પ્રાપ્ત કરશે, બોધિ પ્રાપ્ત કરીને મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અણગાર પ્રવજ્યા અંગીકાર કરશે. ત્યાં પણ વિરાધિત–શ્રામાણ્યવાળો થઈને કાળમાસે કાળ કરીને તે ગોશાળાનો જીવ દક્ષિણ દિશાવર્તી નાગકુમારના દેવોમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યારપછી તે આજ પ્રકારના આલાપક પ્રમાણે દક્ષિણ દિશાવર્ત સુવર્ણકુમાર દેવોમાં ઉત્પન્ન થશે, વિદ્યુતકુમાર દેવોમાં ઉત્પન્ન થશે, અગ્રિકુમાર દેવોને છોડીને – યાવત્ - દક્ષિણ દિશાવર્તી અનિતકુમાર દેવોમાં ઉત્પન્ન થશે. ત્યાર પછી તે ગોશાળાનો જીવ સ્વનિતકુમાર દેવના ભવ થકી નીકળીને મનુષ્ય શરીરને પ્રાપ્ત કરશે. પ્રાપ્ત કરીને તે કેવલબોધિ ગ્રહણ કરશે. ગ્રહણ કરીને અને પંડિત થઈને ગૃહ ત્યાગ કરીને અણગાર પ્રવજ્યા અંગીકાર કરશે. ત્યાં પણ તે વિરાધિત શ્રામણ્યવાળો થઈને જ્યોતિષ્ક દેવ નિકાયમાં દેવ રૂપથી ઉત્પન્ન થશે. ત્યાર પછી ગોશાળાનો જીવ મનુષ્ય શરીરને ધારણ કરશે, ત્યાં કેવલબોધિ ગ્રહણ કરીને મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર દીક્ષાનો સ્વીકાર કરશે. ત્યાં તે શ્રાપ્ય પર્યાયની વિરાધના નહીં કરે કાળ કરીને સૌધર્મકલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાર પછી સૌધર્મ કલ્પથી વિત થઈને ગોશાળાનો જીવ મનુષ્ય શરીરને ધારણ કરશે, ત્યાં પણ શ્રમણ પર્યાયની વિરાધના નહીં કરે, કાળના સમયે કાળ કરીને સનકુમાર કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યારપછી સનકુમાર કલ્પથી વિત થઈને ગોશાળાનો જીવ જે પ્રકારે સનસ્કુમાર દેવલોકના વિષયમાં કહેવાયું છે, તે જ પ્રકારના આલાપકથી બ્રહ્મલોક, મહાશુક્ર, આનત અને આરણ દેવલોકે ઉત્પન્ન થશે. ત્યાર પછી તે આરણ દેવલોકથી ચ્યવિત થઈને મનુષ્ય શરીરને પ્રાપ્ત કરશે. પ્રાપ્ત કરીને કેવલબોધિને ગ્રહણ કરશે, ગ્રહણ કરીને મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અણગાર પ્રવજ્યા અંગીકાર કરશે. ત્યાં પણ તે શ્રમણ પર્યાયની વિરાધના નહીં કરે. કાળ માસે કાળ કરીને તે સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ૦ છેલ્લો દઢપ્રતિજ્ઞનો ભવ અને મોક્ષ ગમન : ત્યાર પછી ગોશાળાનો જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી ઐવિત થઈને મહાવિદેહ ક્ષેત્રમાં જે ધનાઢ્ય – યાવત્ - અપરાભૂત કૂળ છે, તેવા પ્રકારના કુળોમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. જે પ્રમાણે ઉવવાઈ સૂત્રમાં દૃઢપ્રતિજ્ઞનું વર્ણન આવે છે, તે સમગ્ર વક્તવ્યતા Page #314 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કથા ૩૧૩ નિરવશેષ રૂપે અહીં કરી લેવી જોઈએ (જુઓ “અંબ” – ઢપ્રતિજ્ઞ કથા, શ્રમણ વિભાગમાં આવેલ છે.) – યાવત્ – તે ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરશે. ત્યારપછી તે દૃઢપ્રતિજ્ઞ કેવળી પોતાના અતીતકાળનું અવલોકન કરીને શ્રમણ નિગ્રંથોને કહેશે, આજથી ઘણાં વર્ષો પહેલાં હું ગોશાળ નામનો મખલિપુત્ર હતો. જે શ્રમણોનો ઘાતક – યાવત્ – છદ્મસ્થ અવસ્થામાં જ કાળધર્મને પ્રાપ્ત થયો. તે કારણે હે આર્યો ! હું અનાદિ – અનંત અને દીર્ધ માર્ગવાળા ચતુર્ગતિરૂપ સંસારઅટવીમાં ભટક્યો. તેથી હે આર્યો ! તમારામાંથી કોઈ પણ આચાર્ય પ્રત્યેનીક થશો નહીં, ઉપાધ્યાય પ્રત્યેનીક થશો નહીં. આચાર્ય–ઉપાધ્યાયનો અપયશ કરનારા, અવર્ણવાદ કરનારા, અપકીર્તિ કરનારા થશો નહીં અને મારી જેમ અનાદિ-અનંત અને દીર્ધ માર્ગવાળા ચતુર્ગતિરૂપ સંસાર કાંતારમાં ભ્રમણ ન કરશો. ત્યારે તે શ્રમણ નિર્ગુન્હો દઢપ્રતિજ્ઞા કેવલીના આ કથનને સાંભળીને અને હૃદયમાં અવધારીને ભયભીત થશે, ત્રસ્ત થશે, ત્રસિત થશે અને સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને દૃઢપ્રતિજ્ઞા કેવલીને વંદન–નમસ્કાર કરીને, તે પાપરૂપ સ્થાનની આલોચના કરશે, પ્રતિક્રમણ કરશે અને આત્મનિંદા કરશે – યાવત્ – યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપનો સ્વીકાર કરશે. ત્યારપછી તે દૃઢ પ્રતિજ્ઞ કેવલી ઘણાં વર્ષો સુધી કેવળી પર્યાયનું પાલન કરીને પોતાનું શેષ આયુષ્ય જાણીને ભક્ત પ્રત્યાખ્યાન કરશે. યાવત્ – સમસ્ત દુઃખોનો અંત કરશે. હે ભગવન્! આ એ જ પ્રકારે છે, હે ભગવન્! આ એજ પ્રકારે છે, એ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી – યાવત્ – વિચરે છે. ૦ આગમ સંદર્ભ :સૂયનિ. ૧૯૦; સૂય ચૂ૫ ૪૧૭; ઠા. ૮૭૦, ૯૭૦, ૧૦૦૦ની વૃ. ભ. ૬ર૭ થી ૬૫૮: ઉવા. 3૮ થી ૪૫; આવનિ ૪૭૩ થી ૪૯૪ + વૃક્ષ આવ. યૂ.૧–પૃ. ૨૭૨, ૨૮૨ થી ૨૮૪; નંદી. ૧૫૦–વૃક મહાનિ ૧૦૯૦ થી ૧૧૩૭; કલ્પસૂત્ર–૧૯– – ૪ – ૪ – સમ. ર Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ આગમ કથાનુયોગ-૨ ખંડ–૨ અધ્યયન–૪ પ્રત્યેકબુધ્ધ કથા ૦ પ્રત્યેક બુદ્ધ : - જેમનો જ્ઞાનપ્રકાશ અર્થાત્ “બોધિ" બાહ્ય કારણોના નિમિત્તે જેમકે – વૃષભ આદિને જોઈને અનિત્યાદિ ભાવનાને કારણે જેઓને બોધ પ્રાપ્ત થાય છે. તેને પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. વૃત્તિકાર મહર્ષિ મલયગિરિ આદિ પણ “વાહ્ય પ્રત્યયમપદ્મ' એવો વાક્ય પ્રયોગ કરે છે અર્થાત્ બાહ્ય પ્રત્યાયની અપેક્ષાથી કે બાહ્ય કોઈ નિમિત્ત પામીને જેમને વૈરાગ્ય ભાવ અથવા સમ્યક્ત્વાદિ પ્રાદુભાવું પામે છે તે પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. કોઈપણ એક પારમાર્થિક ભાવથી જેમને આત્મબોધની સ્વયં પ્રાપ્તિ થઈ હોય તે પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. તેઓનું ભ્રમણ – વિહારચર્યા પણ સર્વત્ર એકલા જ હોય છે. તેઓ કોઈની સંગતે કે કોઈ ગચ્છ અથવા ગણના સંબંધથી વિચરણ કરતા નથી પણ એકલ–ચર્યા જ કરે છે. તેઓએ પોતાના બોધિલાભ અથવા વૈરાગ્યોત્પત્તિના પૂર્વભવોમાં અવશ્યપણે શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરેલું જ હોય છે. તે પૂર્વાધીત શ્રત નિયમથી જઘન્ય અગિયાર અંગ અને ઉત્કૃષ્પી કિંચિત્ન્યૂન દશપૂર્વ હોય છે. દેવતા તેને વેશ આપે છે અથવા લિંગરહિત પણ હોય છે. પ્રત્યેક બુદ્ધ અને સ્વયંબુદ્ધ વચ્ચે મહત્ત્વનો તફાવત એ છે કે, સ્વયંબદ્ધોને બોધિ પ્રાપ્તિ કે, વૈરાગ્યના નિમિત્ત માટે કોઈ જ પ્રકારના બાહ્ય નિમિત્તો કે કારણોની અપેક્ષા રહેતી નથી. સ્વયંબુદ્ધો બોધિની–જ્ઞાનની પ્રાપ્તિ પોતાના જાતિસ્મરણ જ્ઞાનાદિથી આપમેળે જ પ્રાપ્ત કરતા હોય છે. પ્રત્યેક બુદ્ધને નિયમો પૂર્વાધીત શ્રત હોય છે, સ્વયંબુદ્ધોને પૂર્વાધીત શ્રત હોય અને ન પણ હોય. તેઓ સામાન્યતયા પોતાના ગણ – શિષ્યાદિ પરિવાર સહિત જ વિચરણ કરતા હોય છે. સ્વયંબુદ્ધોને પાત્રાદિ બાર પ્રકારની ઉપધિ હોય છે. જ્યારે પ્રત્યેક બુદ્ધને ત્રણ પ્રાવરણ સિવાય નવ ઉપધિ હોય છે. પંદર પ્રકારના સિદ્ધના ભેદોમાં પણ પ્રત્યેક બુદ્ધ સિદ્ધનો એક આગવો ભેદ સ્વીકારાયેલો છે. જેઓ કોઈ નિમિત્તથી આપમેળે જ બોધ પામીને નિર્ગસ્થપણું સ્વીકારીને પછી સિદ્ધત્વની પ્રાપ્તિ કરતા હોય છે. તેથી જ તેમને પ્રત્યેક બુદ્ધસિદ્ધ કહેવામાં આવે છે. સામાન્યથી ઉત્તરાધ્યયન સૂત્રના આધારે ચાર પ્રત્યેકબુદ્ધો વિશેષ ખ્યાતિ પામેલા છે. જેમકે :- ૧, કરકંડુ, ૨. દ્વિમુખ, 3. નમિ અને ૪. નગ્નઈ. પણ વાસ્તવમાં આ ચાર જ પ્રત્યેક બુદ્ધ થયા છે તે માન્યતા ભ્રામક છે કેમકે “મણિયાડું – ઋષિભાષિત – પયન્ના સૂત્રની પહેલી જ ગાથામાં જણાવે છે તે પ્રમાણે – ભગવંત અરિષ્ઠનેમિના શાસનમાં વીસ પ્રત્યેક બુદ્ધ થયા, ભગવંત પાર્શ્વના શાસનમાં પંદર પ્રત્યેક બુદ્ધ થયા અને ભગવંત મહાવીરના શાસનમાં દશ પ્રત્યેક બુદ્ધ થયા એ રીતે પીસ્તાળીશ ઋષિઓ પત્યેક બુદ્ધ થયાનો પાઠ ઋષિભાષિત પ્રકિર્ણક સૂત્રમાં આપેલ છે. આ વાત માત્ર ઋષિભાષિતમાં જ છે તેવું નથી. પાક્ષિક સૂત્રની વૃત્તિ મધ્યે પણ કાલિક શ્રતરૂપે જ્યાં મસિયાડું નો ઉલ્લેખ છે. તેની વૃત્તિમાં ડુત્રય: શબ્દનો અર્થ પ્રત્યેવૃદ્ધસાધવ: એ પ્રમાણે કરીને નેમિનાથ તીર્થવર્તી એવા નારદ આદિ વીશ પ્રત્યેક બુદ્ધ, Page #316 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ કથા ૩૧૫ પાર્શ્વનાથ તીર્થવર્તી એવા પંદર પ્રત્યેક બુદ્ધ અને વર્ધમાનસ્વામી તીર્થવર્તી એવા દશ પ્રત્યેક બુદ્ધ એ પ્રમાણે પીસ્તાળીશ પ્રત્યેક બુદ્ધ ગ્રહણ કરવા – તે પ્રમાણે જણાવેલ છે. મહત્ત્વની વાત તો એ છે કે, પ્રસિદ્ધ કરકંડુ આદિ ચાર પ્રત્યેક બુદ્ધ તો ઉપરોક્ત પીસ્તાળીશ પ્રત્યેક બુદ્ધો કરતા અતિરિક્ત જ છે. એ રીતે આપણને પીસ્તાળીશ અને બીજા ચાર એમ ઓગણપચાશ પ્રત્યેક બુદ્ધોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, તદુપરાંત ઉપરોક્ત પીસ્તાળીશ પ્રત્યેક બુદ્ધ (કે જેનો નામ નિર્દેશ આગળ ઉપર કરવાનો જ છે) તેમાં વર્તતા એવા વાત્રક, વલ્કલગીરી, ઇન્દ્રનાગ આદિનો પ્રત્યેક બુદ્ધરૂપે ઉલ્લેખ તથા કથા સાવ સૂત્રમાં પણ પ્રાપ્ત થાય છે. તદુપરાંત ઋષિભાષિત કથિત પીસ્તાળીશ અને ઉત્તરાધ્યયન પ્રસિદ્ધ ચાર પ્રત્યેક બુદ્ધ ઉપરાંત ધર્મરુચિ, રુદ્રક, ગંધર્વનાગદત્ત આદિનો પ્રત્યેક બુદ્ધ તરીકેનો ઉલ્લેખ તથા કથા પણ આવશ્યક વૃત્તિમાં જોવા મળેલ છે. ઉત્તનિ. ૪૪૯માંરથનેમિ અને સત્યનેમિને પણ પ્રત્યેક બુદ્ધ કહ્યા છે. એ રીતે અનેક પ્રત્યેક બુદ્ધોનો ઉલ્લેખ મળે છે. આવશ્યક નિર્યુક્તિ ૧૧૫૧ની વૃત્તિમાં તો ભરતને પણ પ્રત્યેક બુદ્ધ ગણાવેલ છે. ૦ આગમ સંદર્ભ :આયLચૂપૃ. ૨૨, ૧૩૪; સૂય.યૂ.પૂ. ૧૨૦; ઠા. ૫૧ની વૃ; સમ, ૨૨૬; ભગ. ૯૦૮; જીવા. છે; પત્ર. ૧૬-4, વવ.ભા. ૪૬૬૮ + વ આવ.નિ. ૧૧૫૧ + ; આવ.નિ. ૧૨૭૦ની વૃ; આવ.યૂ. ૧–પૂ. ૭૫, ૭૬; –ર–પૃ. ૨૦૪ થી ૨૦૮; ઓહ.નિ. ૧૯૭; પિંડ.નિ. ૧૬૯, ૧૭૩, ૧૭૪, ૧૮૦ ની વ. ઉત્ત. ૬૦૫; ઉત્ત. ૬૦૪ ની વ નંદી. ૮૭, ૧૩૭ + વૃ; નંદી ચૂપૃ. ૨૬; Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ આગમ કથાનુયોગ-૨ ૧. પ્રત્યેક બુદ્ધ કરકંડ કથા : (ચાર પ્રત્યેક બુદ્ધો એક જ સાથે સ્વર્ગમાંથી ચવ્યા, સમકાળે જ પ્રવ્રુજિત થયા, કેવળજ્ઞાન ઉત્પત્તિ પણ સમકાળે થઈ અને મોક્ષે પણ સમકાળે ગયા – કલિંગમાં કરકં પાંચાલમાં દ્વિમુખ, વિદેડમાં નમીરાજા અને ગાંધામાં નગ્નતિ) અંગદેશમાં ચંપાનગરી હતી, ત્યાં દધિવાહન રાજા હતો. ચેટક રાજાની પુત્રી પદ્માવતી તેની (પત્ની) રાણી હતી. તે એક વખત ગર્ભિણી થઈ, ત્યારે ગર્ભના પ્રભાવથી તેને એવો દોહદ (ઇચ્છા) થઈ કે, કઈ રીતે હું રાજાનો વેષ ધારણ કરીને, રાજાએ જેને માથે છત્ર ધારણ કરેલ હોય એવી, પટ્ટહતિ પર બેસીને ઉદ્યાનમાં વિચરું? તે દોહદ પૂર્ણ નહીં થવાથી, પ્રતિદિન તેનું શરીર કૃશ થવા લાગ્યું, તે ક્ષીણ શરીરવાળી થઈ. રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે રાણીએ પોતાના દોહદની વાત કરી. તેથી રાજાએ તેનો દોહદ પૂર્ણ કરવા માટે તેણીની સાથે જ હસ્તિ પર આરૂઢ થયો. રાણીના મસ્તક પર રાજાએ પોતાના હાથે જ છત્ર ધારણ કર્યું અને તેઓ વનમાં ગયા. તે વખતે પ્રથમ વર્ષા થયેલી. પ્રથમ વર્ષાને કારણે શીતળ થયેલી માટીની મહેક પ્રગટ થઈ, તે સુગંધથી મદોન્મત્ત થયેલો હાથી વન તરફ દોડ્યો. રાજાએ તેને અંકુશ વગેરેથી ઘણો નિવાર્યો, પણ તે અટક્યો નહીં. રાજા અને રાણીને લઈને તે અટવીમાં પ્રવેશ્યો, ત્યારે રાજાએ દૂર એક વટવૃક્ષ જોયું. ત્યારે રાજાએ રાણીને કહ્યું, હે પ્રિયા ! દૂર પેલું વટવૃક્ષ દેખાય છે. તેની નીચેથી આ હાથી નીકળશે, તે વખતે તું તે વટની શાખા મજબૂત રીતે પકડી લેજે, હું પણ પકડી લઈશ, પછી હાથીને જવા દઈશું, આપણે નગર તરફ જઈશું. તેણીએ પણ એ વાત કબૂલ રાખી. પછી જ્યારે હાથી વડની નીચેથી નીકળ્યો, ત્યારે રાજા તો દક્ષ હતો, તેથી તેણે તત્કાળ તેની શાખા પકડી લીધી. પણ રાણી તેની શાખા પકડી શકી નહીં. રાજા નીચે ઉતર્યો. પ્રિયાનો વિયોગ થવાથી તે આનંદરહિત થઈ ગયો. વિલાપ કરતો પાછો વળીને હાથીનાં પગલાંને અનુસરતો ચંપાનગરીમાં ગયો. રાણી મનુષ્યરહિત એવી અટવીમાં પહોંચી ગઈ. હાથી ચાલતાં-ચાલતાં અતિ તૃષાતુર થયો. ત્યાં તેણે એક મોટું સરોવર જોયું. હાથી તે સરોવરમાં ઉતરીને રમણ કરવા લાગ્યો. રાણી પર અવસર જાણીને તેના પરથી ઉતરી તળાવના કાંઠે આવી ગઈ. રાણીએ વિચાર્યું કે, પૂર્વના અશુભ કર્મને લીધે આ આપત્તિ આવી પડી છે, રૂદન કરવાથી તો ઉલટો કર્મનો બંધ થશે, તેના કરતા હું ભક્ત પ્રત્યાખ્યાન કરી આ અટવી પાર કરી દઉં. રાણી પદ્માવતી દિશા જાણતી ન હતી. તેથી તેણીએ એક દિશા પકડી સાગારી ભક્ત પ્રત્યાખ્યાન અંગીકાર કર્યું. તેણી ચાલવા લાગી, થોડે દૂર ગઈ, ત્યાં એક તાપસને જોયો. તે તાપસે તેના પાસે જઈને પૂછયું કે, હે માતા ! તમે કોણ છો ? અહીં કઈ રીતે આવ્યા છો ? ત્યારે તેણીએ કહ્યું કે, હું ચેટક રાજાની પુત્રી છું. એમ કહીને હાથી તેણીને અહીં સુધી કઈ રીતે લાવ્યો તે પોતાનું સર્વ વૃત્તાંત જણાવ્યું. તે તાપસ ચેટક રાજાનો નિજક-સ્વજન હતો. તેણે પદ્માવતી રાણીને આશ્વાસન આપ્યું. તું ડરીશ નહીં, હું ચેટક રાજાનો સ્વજન જ છું. પછી તેણીને વનના ફળો લાવીને આપ્યા. ત્યાં તેણીને રાખી. Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – કરકંડ કથા ૩૧૭ કેટલાંક દિવસ પછી તેણીને અટવીથી બહાર લઈ ગયો. પછી તાપસ એક સ્થાને પહોંચીને બોલ્યો કે, અહીં અમારી ભૂમિ પૂરી થાય છે. આગળ હળકૃષ્ણા ભૂમિ છે. અમને તેનું અતિક્રમણ કરવું કલ્પતું નથી. હવે દંતપુરની હદ શરૂ થાય છે, ત્યાં દંતચક્ર રાજા છે. પદ્માવતી રાણી પછી તે અટવીમાંથી નીકળી ગયા. દંતપુર નગરમાં આવ્યા. ત્યાં સાધ્વીઓની પાસે પહોંચી, કામભોગથી નિર્વેદ પામીને તેણી સાથ્વીને વંદના કરીને ત્યાં બેઠી. ત્યારે સાધ્વીએ પૂછયું કે, હે શ્રાવિકા ! તું ક્યાંથી આવી છે ? ત્યારે રાણીએ દીક્ષા લેવાની ઇચ્છાથી એક ગર્ભ સિવાયની બધી હકીકત જણાવી. સાધ્વીજીએ તેને સંસારની અસારતા સમજાવી. વિરક્ત થયેલી તેણીએ દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી તેનો ગર્ભ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો, ત્યારે તેણીએ મહત્તરિકા (મુખ્ય સાધ્વીજી) પાસે જઈને સર્વ આલોચના કરી અર્થાત્ સત્ય વાત કહી સંભળાવી. સાધ્વીઓ તેણીને ગુપ્ત સ્થાને લઈ ગયા. ગર્ભ સમય પૂર્ણ થતાં તેણીએ શય્યાતરને ત્યાં એક પુત્રરત્નનો જન્મ આપ્યો. પછી તે પુત્રને તેના પિતાના નામવાળી મુદ્રિકા પહેરાવી, રત્નકંબલમાં વીંટીને શ્મશાનમાં મૂકી દીધો. પછી તેણી તે પુત્રને કોણ લઈ જાય છે તે જોવા છૂપાઈને ઊભા રહ્યા. તેવામાં તે મશાનનો ચાંડાલ આવ્યો. તેણે તે પુત્રને ગ્રહણ કર્યો અને પોતાની પત્નીને તે પુત્ર આપ્યો. તે ચાંડાલની પાછળ જઈ, તેનું ઘર જોઈ અને પદ્માવતી ઉપાશ્રયે પાછા આવ્યા. ચાંડાળે તેનું અવકીર્ણક એ પ્રમાણે નામ રાખ્યું. પદ્માવતી સાધ્વીએ તે ચાંડાલણી સાથે મૈત્રી બાંધી. જ્યારે તેણીને અન્ય સાધ્વીઓ દ્વારા પૂછવામાં આવ્યું કે, તારા ગર્ભનું શું થયું? ત્યારે પદ્માવતી સાધ્વીએ કહ્યું કે, મારો ગર્ભ મૃતપણે જમ્યો હોવાથી મેં તેનો ત્યાગ કર્યો. તે બાળક ચાંડાલને ત્યાં મોટો થવા લાગ્યો. પદ્માવતી આર્યા મોહથી તેના ઘેર જઈ લાડુ વગેરે આપી તેને લાગુ લડાવતા હતા. તે પુત્રના જન્મથી જ તેના શરીરમાં કંડુ એટલે ખરજનો રોગ હતો. એક વખત તે બાળક અન્ય બાળકો સાથે રમતા રમતા બોલ્યો કે, હું તમારો રાજા છું. તમે મને કર આપો. ત્યારે બાળકોએ પૂછયું કે, અમે શું આપીએ ? તેણે કહ્યું કે, તમે તમારા હાથથી (કર વડે) મને ખૂબ જ ખજવાળો. તેથી હું પ્રસન્ન થઈશ. બાળકો તેને ખંજવાળતા એવા તેને કરકંડુ કહેવા લાગ્યા. એ રીતે અવકીર્ણકનું બીજું નામ કરઠંડુ થયું. અનુક્રમે તે પુત્ર યુવાવસ્થા પામ્યો અને શ્મશાનની રક્ષા કરવા લાગ્યો. કોઈ વખતે બે મુનિ વિહાર કરતા-કરતા ત્યાં આવ્યા. તેઓ કોઈ કારણે મશાનમાંથી પસાર થયા. તેમાંના એક મુનિ લક્ષણશાસ્ત્રના જ્ઞાતા હતા. તેણે વાંસની જાળીમાં એક દંડ જોયો, તે જોઈને કહ્યું કે, આ દંહ હજી ચાર આંગળ મોટો થાય ત્યાં સુધી રાહ જોયા પછી તેને જે માણસ ગ્રહણ કરે તે રાજા થાય. આ વાક્ય કરકંડ્રએ સાંભળ્યું, એક બ્રાહ્મણે પણ સાંભળ્યું. પછી તે દંડ ચાર આંગળ વધ્યો ત્યારે તે ધિગુજાતિય બ્રાહ્મણે તેને ખોદીને કાઢ્યો. તે કરકંડુએ જોયું. તેથી તેણે તે દંડને છિનવી લીધો. તે ધજાતિયે તેને કહ્યું કે, મને દંડ આપી દે. ત્યારે કરકંડુએ કહ્યું કે, આ દંડ મારા શ્મશાનમાં થયેલ છે. તેથી હું આપીશ નહીં. લોકોએ તે વિજાતિયને કહ્યું કે, તું બીજો દંડ લઈ લે. ત્યારે તેણે કહ્યું, મારે તો આ દંડ જ જોઈએ છે. પણ કરકંડુ તે દંડ આપતો Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ આગમ કથાનુયોગ-૨ નથી. લોકોએ પૂછયું કે, તારે આ દંડનું શું કામ છે? કરકંડુએ કહ્યું કે, આ દંડના પ્રભાવથી હું રાજા થઈશ. ત્યારે લોકોએ હસીને કહ્યું કે, જો તું આના પ્રભાવે રાજા થાય તો આ વિજાતિયને એક ગામ આપી દેજે. કરકંડુએ તે વાત કબૂલ રાખી. તે વખતે પેલા ધિગુજાતિયે બીજા ધિગૃજાતિયોને પોતાના પક્ષમાં લીધા. નક્કી કર્યું કે, આને મારીને-હણીને પણ આ દંડ તેની પાસેથી હરી લેવો. તે વાત પેલા ચાંડાલે સાંભળી. તેથી ચાંડાલ-ચાંડાલણી અને કરકંડુ ત્રણે ત્યાંથી નાશીને કાંચનપુર ચાલ્યા ગયા. ત્યાં થાકી જવાથી ગામ બહાર ઉદ્યાનમાં કરકંડુ સુઈ ગયો. ત્યાંનો રાજા પુત્રરહિતપણે મરણ પામેલો. પ્રધાનોએ ઘોડાને અધિવાસિત કરી છૂટો મૂક્યો. તે ઘોડો ઉદ્યાનમાં આવ્યો, ત્યાં સૂતેલા કરકંડુ પાસે આવીને પ્રદક્ષિણા આપીને ત્યાં ઊભો રહ્યો. નગરજનોએ જોયું કે, આ કોઈ લક્ષણવાનું જણાય છે. ત્યારે જય-જય શબ્દ કર્યો. નંદીવાદ્ય વગાડ્યું. કરકંડુ પણ બગાસું ખાતો ઊભો થયો અને વિશ્વાસપૂર્વક તે અશ્વ પર સવાર થઈ ગયો. આરૂઢ થયેલો કરકંડુ નગરપ્રવેશ કરતો હતો, તેવામાં વિજાતિય ત્યાં આવ્યો અને તેને નગર પ્રવેશ કરતો અટકાવ્યો અને બોલ્યો કે, અરે ! ચાંડાલ ! તને રાજ્ય ન હોય. ત્યારે કરકંડુએ હાથમાં દંડવત્ન ગ્રહણ કર્યું, તે જ્વાળા કાઢવા લાગ્યું, ભયભીત થઈને તે વિજાતિઓ ઊભા જ રહી ગયા. ત્યાર પછી પ્રધાનોએ તેનો રાજ્યાભિષેક કર્યો. રાજાએ સર્વ ચાંડાળોને બ્રાહ્મણ બનાવ્યા. તે રાજાનું મૂળ નામ તો અવકીર્ણક જ હતું, તે અવકીર્ણ પુત્ર તરીકે પણ ઓળખાતો હતો, પરંતુ બાળકોએ તેનું જે કરકંડુ નામ પાડેલ તે નામથી જ રાજા પ્રસિદ્ધ થયો. એક વખત પે'લો ધિજાતિય આવ્યો, તેણે કરકંડુ રાજાને કહ્યું કે, હે રાજા ! તમે મને પૂર્વે વચન આપેલું હતું, તો હવે મને એક ગામ આપો. બોલ તને કયું ગામ આપું? તે ધિગુજાતિય બોલ્યો કે, મારું ઘર ચંપાનગરીમાં છે, તો તેની નજીકનું કોઈ ગામ આપો. તે સાંભળીને કરકંડુ રાજાએ ચંપાનગરીના દધિવાહન રાજા ઉપર લેખ લખીને આપ્યો. મને તમે એક ગામ આપો. તેના બદલામાં હું તમને ગમતું હોય તેવું એક ગામ કે નગર આપીશ. તે વિજાતિયે એ લેખ દધિવાહન રાજાને આપ્યો. તે લેખ વાંચીને દધિવાહન રાજા અતિ રોષાયમાન થઈ ગયો અને બોલ્યો કે, ઓ દુષ્ટ માતંગ ! શું તું તને જાણતો નથી કે, મને આવો લેખ લખે છે. હું આ ચાંડાળના લેખને સ્પર્શ કરવાથી પણ મલિન થયો છું, તે સાંભળીને તે દૂત શીધ્રપણે કરકંડુ રાજા પાસે પાછો આવ્યો. તેથી કરકંદ્ર રાજા પણ કોપાયમાન થયો. તે મોટું સૈન્ય લઈને ચંપાપુરી પહોંચ્યો. નગરીને ઘેરી લીધી. બંને રાજા મધ્યે મહાયુદ્ધ થયું. તે વાત પદ્માવતી સાધ્વીના જાણવામાં આવી. તેથી તેઓ માણસોનો સંહાર ન થાય એ બુદ્ધિથી પ્રથમ કરકંડુ રાજા પાસે આવ્ય. કરકંડૂ તેની સન્મુખ જઈને નમ્યો. સાધ્વીજીએ તેને સમગ્ર વૃત્તાંત જણાવી રહસ્ય સ્ફોટ કરતાં કહ્યું કે, આ રાજા તારા પિતા છે. હે પુત્ર ! પોતાના પિતા સાથે યુદ્ધ કરવું તે યોગ્ય નથી. - ત્યારે તેણે તેના માતા-પિતાને પૂછયું. તેઓએ પણ બનેલી ઘટના કહી. સાધ્વીજીએ કહ્યું કે, હજી તને વિશ્વાસ ન આવતો હોય તો જન્મ વખતે તારા હાથમાં Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ-કરકંડુ કથા ૩૧૯ પહેરાવેલી તારા પિતાના નામવાળી મુદ્રિકા જો. કરકંડૂ તેથી શંકારહિત થઈ ગયો. ત્યાર પછી પદ્માવતી સાધ્વી ચંપાપુરીમાં રાજાને ત્યાં ગયા. દાસિઓ તેમને ઓળખીને પગે પડી ગઈ અને રૂદન કરવા લાગી. રાજા દધિવાહન પણ તે વાત સાંભળી તેમની પાસે આવ્યો. તેણીને વંદના કરી, આસન આપીને પૂછયું કે, તમને જે ગર્ભ હતો તેનું શું થયેલું ? સાધ્વીજીએ કહ્યું કે, જે આ નગરને ઘેરીને રહેલો છે તે જ તમારો પુત્ર છે, આનંદિત થયેલો રાજા પુત્રને મળવા ઉત્કંઠિત થયો. સામે મળવા ચાલ્યો. તેમને આવતા જોઈ કરકંડુ પણ પગે ચાલતો સન્મુખ ગયો અને પિતાના ચરણમાં નમ્યો. દધિવાહન રાજાએ તેને મળીને પોતાનું રાજ્ય સોંપીને પોતે દીક્ષા લીધી. ત્યાર પછી કરકંડુ રાજા ન્યાયપૂર્વક બંને રાજ્યોને ચલાવતો મહાશાસક થયો. તેને ગોકુળ ઘણો જ પ્રિય હતો. તેની પાસે અનેક ગોકુળો હતા. શરદઋતુમાં તેણે રૂપા જેવો અતિશ્વેત એક વાછરડો જોયો. જોઈને તેણે કહ્યું કે, આ વાછરડાની માતાને તમે દોહશો નહીં. કદાચ તેની માતા વૃદ્ધ થઈ જાય તો બીજી ગાયોનું દૂધ પણ આ વાછરડાને પીવડાવજો. તે સાંભળીને ગોપાલકે તે વાત સ્વીકારી, હંમેશાં તે પ્રમાણે કરવા લાગ્યા. તે વાછરડો અત્યંત કાંતિમાન્ ચંદ્રમા જેવો, અત્યંત પુષ્ટ અને સમર્થ વૃષભ થયો. રાજા તેને બીજા વૃષભો સાથે યુદ્ધ કરાવતો, પણ કોઈ વૃષભ તેને જીતી શકતો ન હતો. કેટલોક કાળ વીતી ગયા બાદ રાજાએ આવીને ગોકુળમાં જોયું તો એક મહાકાય એવા જીર્ણ (વૃદ્ધત્વ પામેલા) વૃષભને જોયો, નાના-નાના વાછરડા પણ તેને લાતોથી પ્રહાર કરી રહ્યા હતા. રાજાએ ગોપાલને પૂછયું કે, પેલો મહાવીર્યવાળો પુષ્ટ વૃષભ ક્યાં છે ? ગોપાલકે કહ્યું કે, તે જ આ વૃષભ છે. પણ તે વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત થયેલો છે. તે જોઈને કરકંડુ રાજા વિષાદ પામ્યો. રાજા અનિત્યતા ભાવના ચિંતવવા લાગ્યો. અહો ! સર્વ પદાર્થ અનિત્ય છે. પ્રત્યંચાના ટંકાર શબ્દથી જેમ પક્ષીઓ ઉડી જાય, તેમ જેના ભાંભરવાથી બળવાન્ વૃષભો પણ નાસી જતા હતા, તે આજે નાના વાછરડાની લાતો સહન કરી રહ્યો છે જેનું સ્વરૂપ જોઈને ચંદ્રના દર્શનની પણ ઇચ્છા થતી ન હતી, તે આજે તેની સામે જોવાથી મળ-મૂત્રને જોતાં હોય તેમ જુગુપ્સા કરે છે. તેથી આ પરાક્રમ, આ વય, આ રૂપ, આ રાજ્ય, આ વૈભવ વગેરે સર્વે ધ્વજાની જેવા ચંચળ છે એમ પ્રત્યક્ષ ભાસ થાય છે. તેમ છતાં પણ માણસો અજ્ઞાનને લીધે તે વાત સમજતા નથી. પરંતુ હું તો આત્મતત્વને પ્રાપ્ત કરનાર સ્વભાવધર્માનુયાયી ધર્મનું સેવન કરું અને મારા જન્મને સફળ કરું, એ પ્રમાણે વિચારી, પોતે જ પોતાના હાથ વડે કેશનો લોચ કરીને દેવતાએ આપેલ મુનિવેષને ધારણ કરી, આત્મધર્મમાં રાગી થયેલ તે પ્રત્યેક બુદ્ધ કરકંડૂ મુનિ પૃથ્વી પર વિચારવા લાગ્યા. આ રીતે વૃષભનું નિમિત્ત પામીને કરકંડૂને બોધિ (જ્ઞાનપ્રકાશ) પ્રાપ્ત થતા સંવેગ જખ્યો જાતિસ્મરણ જ્ઞાન થયું અને તે પ્રત્યેક બુદ્ધ થયા. ૦ આગમ સંદર્ભ :ઠા પ૧ની વૃ: પન્ન ૧ની વૃ; નિસી.ભા. ૧૫૫૭ ની ચું, આવ યૂ. ૧–પૃ.૭૬; ૨- ૨૦૪ થી ૨૦૭; આવ.ભા. ૨૦૫ની વ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ઉત્ત.મૂ. ૬૦૫; ઉત્તચૂ.પૃ. ૧૭૮; આગમ કથાનુયોગ-૨ ઉત્ત.મૂ. ૬૦૪ ની ; નંદી. ૮૭ની વૃ; ઉત્ત.નિ. ૨૬૪ થી ૨૬૬, ૨૭૦, ૨૭૧ + ; ઉત્તઅધ્ય.—ભાવ.વૃ; X---- * ૨. પ્રત્યેક બુદ્ધ – દ્વિમુખ કથા ઃ - (ચાર પ્રત્યેક બુદ્ધો એક જ સાથે સ્વર્ગમાંથી વ્યવ્યા, સમકાળે જ પ્રવ્રુજિત થયા, કેવળજ્ઞાન ઉત્પત્તિ પણ સમકાળે થઈ, મોક્ષે પણ સમકાળે જ ગયા – કલિંગમાં કરકુંડૂ, પાંચાલમાં દુર્મુખ, વિદેહમાં નમિ રાજા અને ગાંધારમાં નગતિ – તેમાંના બીજા પ્રત્યેક બુદ્ધ કે જેમને ઇન્દ્રધ્વજ જોવાથી બોધ થયો તેમનું કથાનક−) પાંચાલ દેશના કાંપિલ્યપુર નગરમાં દુર્મુખ નામનો રાજા હતો. જેનું મૂળ નામ તો જવ (યવ) રાજા હતું. તે હરિવંશના હતો. તેને ગુણમાળા નામે રાણી હતી. એક વખત સભામાં બેઠેલા રાજાએ દેશાંતરથી આવેલા દૂતને પૂછ્યું કે, હે દૂત ! જે બીજા રાજ્યમાં કંઈ વિશેષ હોય તેવું મારા રાજ્યમાં શું નથી ? ત્યારે દૂતે તેમને જણાવ્યું કે, આપના રાજ્યમાં એક ચિત્રસભા નથી. તે સાંભળીને રાજાએ ચિત્રકારોને તથા સુતારોને બોલાવીને કહ્યું કે, એક ચિત્રસભા સત્વરે તૈયાર કરો. તેઓએ રાજાની આજ્ઞાથી શુભ સમયે ખાતમુહૂર્ત કરીને પાયો ખોદવાનો આરંભ કર્યો. ખોદતાં ખોદતાં પાંચમે દિવસે પૃથ્વીના તળમાંથી કાંતિ વડે અત્યંત દેદીપ્યમાન એવો એક મુગટ પ્રગટ થયો. તે રત્નમય મુગટ જોઈને હર્ષ પામેલા રાજાએ સર્વ કારીગરોને વસ્ત્રાદિકની પહેરામણી કરી ખુશ કર્યા. અનુક્રમે કારીગરોએ સુશોભિત પુતળીઓ વગેરેથી શોભાયમાન એવી દેવસભા સટ્ટશ ચિત્રસભા તૈયાર કરી. પછી કોઈ શુભ દિવસે રાજા પેલો દિવ્ય મુગટ ધારણ કરીને તે નવી સભામાં બેઠો. તે વખતે નવરત્નવાળા હારના પ્રભાવથી જેમ રાવણના દશ મસ્તક દેખાતા હતા, તેમ તે મુગટના પ્રભાવથી રાજાના મુખ બે દેખાવા લાગ્યા, તેથી લોકમાં તે રાજાનું દ્વિમુખ એવું નામ પ્રસિદ્ધ થયું. તે રાજાને સાત પુત્રો થયા, પણ એકે પુત્રી થઈ નહીં. તેથી તેણે કોઈ યક્ષની આરાધના કરીને તેણે એક પુત્રી માંગી, તે યક્ષની આરાધનાના પ્રભાવે તેને મદનમંજરી નામની ઍક ગુણવાન અને રૂપવાન પુત્રી થઈ. એક વખત ઉજ્જયિનીના રાજાએ દૂતના મુખેથી સાંભળ્યું કે, કાંપિયપુરના રાજાને મુગટના પ્રભાવથી બે મુખ દેખાય છે. તે સાંભળીને લોભથી ચંડપ્રદ્યોત રાજાએ તે મુગટને માટે એક ચતુર દૂતને તેની પાસે મોકલ્યો. તે દૂત દ્વિમુખ રાજા પાસે આવ્યો. આવીને તેણે રાજાને નમસ્કાર કર્યા. પછી કહ્યું કે, તમારા મસ્તક પર રહેલા મુગટરત્નને અમારા રાજા ચંઽપ્રદ્યોત ઇચ્છે છે આપ સત્વરે તે મુગટ આપો, નહીં તો યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ. તે સાંભળીને દ્વિમુખ રાજાએ તે દૂતને આ પ્રમાણે કહ્યું જો તારો રાજા ચંડપ્રદ્યોત મને ચાર વસ્તુઓ આપે તો હું આ મુગટ તેમને આપવા તૈયાર છું. તે ચાર વસ્તુઓ આ પ્રમાણે છે :– ૧. અનલગિરિ નામનો ગંધહસ્તી, ૨. અગ્નિભીરુ રથ, ૩. શિવા નામની પદ્મિની રાણી અને ૪. લોહજંઘ નામનો દૂત. આ સર્વ વાત દૂતે જઈને રાજા ચંડપ્રદ્યોતને કરી. તે સાંભળીને રાજા ચંડપ્રદ્યોત ક્રોધથી અભિભૂત, કોપાયમાન, રોષાયમાન્ ચંડિકાવત્ રૂદ્ર થઈ ગયો. તેણે તુરંત જ યુદ્ધના પ્રયાણ માટે ભેરી વગડાવી અને કોપાગ્નિથી પ્રજ્વલિત પ્રદ્યોત રાજા સૈન્યસહિત પાંચાલ દેશ તરફ ચાલ્યો. Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – દ્વિમુખ કથા ૩૨૧ રાજા ચંડપ્રદ્યોતના સૈન્યમાં બે લાખ હાથીઓ, પચાસ હજાર ઘોડાઓ, બે હજાર અશ્વરથો અને શત્રુને વિપત્તિ આપનારું સાત કરોડનું પાયદળ હતું. દ્વિમુખ રાજા પણ ચર (જાસૂસ)ના મુખેથી પ્રદ્યોતને આવતો સાંભળી સૈન્યસહિત સન્મુખ ચાલ્યો. ચંડપ્રદ્યોત અને દ્વિમુખ બંને રાજાઓનું સૈન્ય એકઠું થયું એટલે પ્રદ્યોત રાજાએ અતિ દુર્ભેદ્ય એવો ગરૂડ વ્યુહ રચ્યો. તેની સામે દ્વિમુખરાજાએ પોતાના સૈન્યમાં વાર્કિંગૂહની રચના કરી. બંને સૈન્યો વચ્ચે મહાયુદ્ધ થયું. પણ દિવ્ય મુગટના પ્રભાવથી હિમુખ રાજાને પ્રદ્યોતરાજા જીતી શક્યો નહીં. તેથી શ્રાંત થયેલો પ્રદ્યોતરાજા ત્યાંથી નાસવા લાગ્યો. તેને દ્વિમુખ રાજાએ સસલાની જેમ પકડી લીધો. ક્રૌંચ બંધનથી બાંધીને તેના પગમાં બેડી નાંખીને કેદ કર્યો અને ખૂબ જ આપત્તિમાં પડ્યો. કેટલોક કાળ વીતી ગયા બાદ દ્વિમુખ રાજાએ પ્રદ્યોતરાજાને બંધનમુક્ત કર્યો. તેને માનપૂર્વક પોતાના અર્ધઆસન પર બેસાડ્યો. કોઈ વખતે પ્રદ્યોત રાજાને દ્વિમુખ રાજાની પુત્રી મદનમંજરી જોવામાં આવી. જોઈને તેના પરના ગાઢ અનુરાગથી પ્રદ્યોત અત્યંત આકુળ-વ્યાકુળ થઈ ગયો. કામન્વરના દાહથી પ્રદ્યોતરાજાને કિંચિત્ માત્ર શાંતિ મળી નહીં. તે રાત્રિને તેણે મહાકાષ્ટ નિર્ગમન કરી. પ્રાતઃકાળે તે રાજસભામાં આવ્યો, તેને અતિ ઉદ્વિગ્ન જોઈને પ્રિમુખ રાજાએ તેને પૂછયું કે હે અવંતિપતિ ! તમારા મનમાં શેની ચિંતા પ્રવેશી છે ? તમારું મુખ આટલું બધું ગ્લાન અને ઉદ્વિગ્ન કેમ દેખાય છે? પ્રદ્યોતરાજા તે સાંભળીને મૌન રહ્યો. ત્યારે હિમુખરાજાએ ફરી કહ્યું કે, અવંતિપતિ! જ્યાં સુધી આપ કારણ નહીં જણાવો, ત્યાં સુધી તેનો ઉપાય કઈ રીતે થઈ શકશે ? તે સાંભળી પ્રદ્યોત રાજાએ દીર્ધ નિ:શ્વાસ મૂક્યો. પછી લજ્જાનો ત્યાગ કરીને તે બોલ્યો કે, હે રાજન્ ! જો આપ મારું કુશળ ઇચ્છતા હો તો તમારી પુત્રી મને પરણાવો, અન્યથા હું અગ્રિમાં પ્રવેશ કરી મારા જીવિતને સમાપ્ત કરીશ. તે સાંભળીને દ્વિમુખ રાજાના મનમાં થયું કે, મારી પુત્રીને માટે આ યોગ્ય વર છે. તેથી મોટા ઉત્સવપૂર્વક પોતાની પુત્રીને પ્રદ્યોત રાજા સાથે પરણાવી પ્રદ્યોત રાજા પણ પોતાનો જન્મ સફળ થયો એમ માનીને દ્વિમુખ રાજાની રજા લઈને પોતાની નગરીમાં પાછો ફર્યો એક વખત ઇન્દ્ર મહોત્સવનો દિવસ આવ્યો. તે વખતે દ્વિમુખ રાજાએ નગરજનોને આજ્ઞા કરી કે, હે દેવાનુપ્રિયો ! તમે ઇન્દ્રધ્વજની સ્થાપના કરો. નગરજનોએ રાજાની આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો અને તુરંત જ ઇન્દ્રધ્વજ માટેના સ્તંભને ઊભો કર્યો. ઊભો કરીને તેને શ્વેત ધ્વજાઓ, પુષ્પમાળાઓ અને ઘણી બધી ઘંટિકા વડે શણગાર્યો. પછી વાજિંત્રના નાદપૂર્વક તે ઇન્દ્રધ્વજની પુષ્પફળ આદિ વડે પૂજા કરવામાં આવી. પછી કેટલાંક તેની સન્મુખ નૃત્ય કરવા લાગ્યા. કેટલાંક ત્યાં બેસી ગીતો ગાવા લાગ્યા. એ પ્રમાણે સાત દિવસ સુધી મહોત્સવ પ્રવર્યો. આઠમાં દિવસે પૂર્ણિમાના રોજ રાજા દ્વિમુખ પોતે મહાત્ ઋદ્ધિ અને સમૃદ્ધિપૂર્વક ત્યાં આવ્યો. આવીને તેણે પૂજા કરી. ત્યાર પછી ઉત્સવ પૂર્ણ થઈ ગયો ત્યારે નગરજનો તે ઇન્દ્રધ્વજને શોભાવવા માટે ત્યાં પધરાવેલા પોત-પોતાના વસ્ત્રો આદિ સામગ્રીને લઈ ગયા. શોભાયમાન કરવા માટેની ધજા તથા ઘંટિકાઓ પણ કાઢી લીધી. માત્ર લાકડાનો (કાષ્ઠનો) જે સામાન્ય સ્તંભ બાકી રહ્યો તેને Jain Education nternational Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ આગમ કથાનુયોગ-૨ પાડીને પૃથ્વી પર નાંખી દીધો. બીજે દિવસે તે કાષ્ઠતંભ ભૂમિ ઉપર પડેલો હતો, તે વિષ્ટા અને મૂત્રથી લેપાયેલો હતો. અશુચિસ્થાનના ગૃહ જેવો થઈ ગયો હતો. તેના પર બાળકો ક્રીડા કરી રહ્યા હતા. આવો ઇન્દ્રસ્તંભ જે ફક્ત કાષ્ઠરૂપ બની ગયેલો હતો તે નગરચર્યા માટે નીકળેલ પ્રિમુખ રાજાના જોવામાં આવ્યો. તે જોઈને વૈરાગ્ય પામેલા રાજાને વિચાર આવ્યો કે, “જે મહાધ્વજવાળો ઇન્દ્રસ્તંભ ગઈ કાલ સુધી સર્વ લોકોથી પૂજાતો હતો તે જ સ્તંભ આજે મહા વિડંબનાને પામી રહ્યો છે. લક્ષ્મીની શોભા પણ ક્ષણભંગુર જ છે. જે સંપત્તિ નદીના પૂરની જેમ અથવા સમુદ્રની ભરતીની જેમ જલદી આવે છે અને જલ્દી જાય છે. તે પાંસલી સ્ત્રીના જેવી સંપત્તિ ઉપર કોણ આસક્તિ કરે ?” તેથી પ્રાયઃ વિડંબના ભૂત એવી આ રાજ્ય સંપદાને તજીને મુક્તિને આપનારી સમતારૂપ સામ્રાજ્ય સંપદાનો આશ્રય કરવો એ જ મારે માટે શ્રેયસ્કર છે. એમ વિચારી જેનો મમતારૂપી અગ્નિ શાંત થઈ ગયો છે એવા તે વિમુખ રાજાએ તે જ વખતે પોતાના કેશનો લોચ કરીને દેવતાએ આપેલ મુનિવેષ ધારણ કરીને પૃથ્વી પર વિચરણ કર્યું. આ રીતે પાંચાલ જનપદના કાંપિલ્ય નગરમાં (મુખ) પ્રિમુખ રાજાએ અનેક હજારો લઘુ પતાકાથી મંડિત થઈ શોભતા એવા ઇન્દ્ર સ્તંભને પહેલા નગરના લોકો વડે પૂજાતા જોયો, પછીથી શોભારહિત થયેલા એવા તે ઇન્દ્રસ્તંભને કાષ્ઠની જેમ પડેલો અને વિષ્ટા તથા મૂત્ર વડે લેપાયેલો જોતાં તે બોધ પામ્યા. ઋદ્ધિ અને અવૃદ્ધિને સમ્યક્ પ્રકારે વિચારીને તે પાંચલ રાજ દ્વિમુખે ધર્મ અંગીકાર કર્યો અર્થાત્ સખ્યમ્ બોધ પામીને સ્વયં પ્રવજ્યા અંગીકાર કરી. દેવતા આપેલ લિંગ–અનિવેશને ધારણ કરીને પૃથ્વી પર વિચરણ કર્યું. એ પ્રમાણે પ્રત્યેક બુદ્ધ દ્વિમુખ રાજર્ષિનું કથાનક જાણવું. ૦ આગમ સંદર્ભ :આવભા. ૨૦૭ થી ૨૦૯ + ; આવ.સ્. –પૃ. ૨૦૭, ૨૦૮; ઉ. ૬૦૫; ઉત્તનિ. ૨૬૪, ૨૬૫, ૨૭૨ + 4. ઉત્ત.અધ્ય.૯ ની ભાવ.9 ઉત્ત.ચૂં.પૃ. ૧૭૮; ૩. પ્રત્યેક બુદ્ધ નમિ રાજર્ષિ કથા : | (ચાર પ્રત્યેક બુદ્ધો એક સાથે જ સ્વર્ગમાંથી ચ્યવ્યા. સમકાળે જ પ્રવ્રજિત થયા. તેઓને કેવળજ્ઞાન ઉત્પત્તિ પણ સમકાળે જ થઈ, તેઓ મોલે પણ સમકાળે જ ગયા. તે આ પ્રમાણે :- ૧. કલિંગમાં કરકં, ૨. પાંચાલમાં દુર્મુખ, ૩. વિદેહમાં નમિરાજા અને ૪. ગાંધારમાં નમ્નતિ તેમાંના ત્રીજા પ્રત્યેક બુદ્ધ નમિ રાજાનું કથાનક...) અવંતિ દેશમાં સુદર્શન નામના નગરમાં મણિરથ નામે રાજા હતો. તેનો નાનોભાઈ યુગબાહુ યુવરાજ પદે બિરાજ્યો હતો. તે યુગબાહને મદનરેખા નામની અતિ સ્વરૂપવાનું સ્ત્રી હતી. કોઈ વખતે મદનરેખાને જોઈને મણિરથ રાજા કામાતુર થયો. તેથી તે એકદમ મનોમન બોલ્યો કે, જે સ્ત્રીની રૂપસંપત્તિ જોઈને મારા આત્માને વિશે જ કામદેવ બળવા લાગ્યો છે તો ખરેખર કામદેવનો વિનાશ થયો છે તે વાત મિથ્યા જણાય છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – નમિરાજર્ષિ કથા ૩૨૩ ત્યારપછી મણિરથ રાજા મદનરેખાને વશ કરવા માટે નિરંતર દાસી દ્વારા તેણીને પુષ્પ, તાંબુલ, વસ્ત્ર તથા અલંકાર વગેરે મોકલવા લાગ્યો. તેને આ જેઠની પ્રસાદી છે, એમ માની મદનરેખા ગ્રહણ કરવા લાગી. કોઈ વખતે મણિરથ રાજાના કહેવાથી દાસીએ મદનરેખા પાસે જઈને રાજાની ઇચ્છા જણાવી. તે સાંભળી મદનરેખા બોલી કે હે દાસી! સ્ત્રીઓને માટે શીલરૂપી જ મહાગુણ જગપ્રસિદ્ધ છે. તે શીલનો લોપ થાય તો પછી જીવ વિનાના શરીરની જેમ તે સ્ત્રીઓનો જન્મ વૃથા જ જાણવો. માટે તમારા પૃથ્વીપતિ આવું અયોગ્ય વચન મારા પ્રત્યે કહેવું તે યોગ્ય નથી. એમ કહીને દાસીને વિદાય કરી. દાસીએ જઈને મણિરથ રાજાને એ જ પ્રમાણે બધી વાત કહી. તે સાંભળી રાગથી લુબ્ધ બનેલા રાજાએ વિચાર કર્યો કે, જો હું મારા નાનાભાઈ યુગબાહુને મારી નાંખીશ તો જ તેની પત્ની મદનરેખા મારે કન્જ આવશે. તે વિના મારું કાર્ય સિદ્ધ થશે નહીં. આ પ્રમાણે વિચારીને મણિરથ રાજા ભાઈની હત્યા કરવાનો ઉપાય શોધવા લાગ્યો. એક વખત વસંતઋતુમાં ક્રીડા કરવા માટે યુગબાહુ પોતાની પ્રિયા મદનરેખાને લઈને ઉદ્યાનમાં ગયો. ત્યાં ચિરકાળ સુધી ક્રીડા કરીÁ રાત્રિએ પણ ત્યાંજ ઉદ્યાનમાં કદલીગૃહની અંદર પોતાની પ્રિયા સહિત સૂઈ ગયો, ત્યારે અવસર જોઈને રાજા મણિરથ ગુપ્ત રીતે ખડૂગ લઈને કદલિગૃહમાં પ્રવેશ્યો. ત્યાં તેણે યુવરાજ યુગબાહુને પ્રિયાસહિત નિદ્રાવશ થયેલો જોયો. એટલે તુરંત જ કુળમર્યાદાનું ઉલ્લંઘન કરી, યશ ધર્મ અને લજ્જાદિકનો પણ ત્યાગ કરી રાજાએ પગ વડે પોતાના ભાઈ એવા યુગબાહુનો શિરચ્છેદ કર્યો પછી રાજા પોતાના મહેલ તરફ ચાલ્યો. જ્યારે મણિરથ રાજાએ પોતાના બંધુ પર ખગનો પ્રહાર કર્યો, તે જ વખતે મદનરેખા જાગૃત થઈ ગઈ હતી. તેણીએ જોયું કે, રાજાએ જ આ અકૃત્ય આચરણ કરેલું છે, એટલે તેણી મૌન રહી. રાજાના ગયા પછી પોતાના પતિના મૃત્યુનો સમય જાણી મદનરેખા વિલાપ કરવા લાગી, પછી ગદ્ગદ્ કંઠે બોલી, હે સ્વામી ! તમે જરા પણ વૃથા ખેદ કરશો નહીં. કેમકે પૂર્વે કરેલા કર્મોથી જ સર્વ પ્રાણીઓ અપરાધ કરે છે. તેથી કરીને હે પ્રાણેશ ! તમે તમારા મનને સમાધિમાં રાખજો, જિનેશ્વર પરમાત્માનું શરણ કરો, મમતાનો ત્યાગ કરો, સર્વ પ્રાણીઓને વિશે મૈત્રીભાવને ધારણ કરો. ઇત્યાદિ પ્રકારે મદનરેખાએ પોતાના પતિ યુગબાહુને સમાધિ જાળવવા માટેના ઇષ્ટ અને મિષ્ટ વચનો કહ્યા. તે વચનોથી યુગબાહનો કોપ શાંત થયો. સર્વ અપરાધ અને વેદનાને ભૂલી જઈને યુગબાપુએ પંચપરમેષ્ઠીના સ્મરણમાં પોતાના ચિત્તને સ્થિર કર્યું. એ રીતે યુગબાહુ સમાધિ મરણ પામીને પાંચમાં દેવલોકમાં દેવ થયા. - ત્યાર પછી મદનરેખા પોતાના પતિના મોટાભાઈ એવા રાજા મણિરથની બદનિષ્ઠા જાણીને પોતાના શીલનું રક્ષણ કરવા માટે પોતાના યુવાન પુત્ર, ધન, રાજ્ય આદિ સર્વસ્વનો ત્યાગ કરીને, તેમજ પોતે ગર્ભવતી હોવા છતાં રાત્રિએ જ ત્યાંથી ચાલી નીકળી. ચાલતાં ચાલતાં તે એક મહાભયંકર અટવીમાં આવી પહોંચી. તે અટવીમાં જ સિંહ-વાઘ આદિના ભયંકર શબ્દોથી ત્રાસ પામેલી તે મહાસતીએ ત્યાંજ પુત્રને જન્મ આપ્યો. પછી તે બાળકને એક રત્નકંબલમાં વીંટી દઈ, પોતાના પતિના નામની મુદ્રિકા તે Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ આગમ કથાનુયોગ-૨ બાળકની આંગળીમાં પહેરાવીને, પોતાના વસ્ત્રોની તથા શરીરની શુદ્ધિ કરવા માટે નજીકના સરોવરમાં ગઈ. તે સરોવરમાં પહેલા જળહતિએ તેણીને પોતાની સૂંઢ વડે પકડીને આકાશમાં ઉછાળી. તે વખતે આકાશમાર્ગે કોઈ ખેચરેન્દ્ર નંદીશ્વરતીપની યાત્રા કરવા વિમાનમાં બેસીને જઈ રહ્યો હતો. તેણે મદનરેખાને ઝાલી લીધી અને પોતાના વિમાનમાં બેસાડી ત્યારે મદનરેખાએ રૂદન કરતા–કરતા પોતાને થયેલા પુત્ર પ્રસવની અને તે પુત્રને માર્ગમાં મૂકીને આવ્યાની વાત તે વિદ્યાધર રાજાને કહી. તે સાંભળીને તેણે વિદ્યાના બળથી પુત્રનું સ્વરૂપ જાણીને કહ્યું હે ભદ્રે ! તું ચિંતા ન કર, વિપરીત શિક્ષા પામેલા અશ્વથી હરણ કરાયેલા મિથિલાનગરીના રાજા પઘરથે તારા પુત્રને લઈને પોતાની પુત્રરહિત પ્રિયાને સોપેલ છે. માટે હવે તું તે સંબંધિ વિષાદનો ત્યાગ કરી મને પતિ તરીકે અંગીકાર કર. તે સાંભળી મદનરેખા બોલી કે, હે પૂજ્ય ! પ્રથમ મને નંદીશ્વર દ્વીપની યાત્રા કરાવો, પછી હું તમારા મનોરથ પૂર્ણ કરવા પ્રયત્ન કરીશ. તે સાંભળીને વિદ્યાધરેન્દ્ર તેણીને નંદીશ્વર હીપે લઈ ગયો. ત્યાં બાવન જિનાલયોમાં જિનેશ્વરોના બિંબોને વંદના કરીને તે વિદ્યાધર તથા મદનરેખા ત્યાં રહેલા મણિચૂક રાજર્ષિ પાસે આવ્યા. આવીને તેમને વંદના કરીને બેઠા. આ સમયે પાંચમાં દેવલોકમાં ઉત્પન્ન થયેલ યુગબાહુ દેવ અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણીને ત્યાં આવ્યો. પ્રથમ તે દેવે મદનરેખાને વંદના કરી, પછી તેણે મુનિને વંદના કરી. તે જોઈને વિસ્મય પામેલા મણિપ્રભ વિદ્યાધરે તેને કહ્યું કે, હે મહાભાગ ! તમારા જેવા વિવેકી પુરુષે પ્રથમ આ સ્ત્રીને વંદના કરી અને પછી મુનિને વંદના કરી તેનું શું કારણ ? તમે આવું આ અયોગ્ય આચરણ કેમ કર્યું ? એમ કહીને તે યુગબાહુ દેવને તેણે ઠપકો આપ્યો. ત્યારે ચારણશ્રમણમુનિ મણિચંડરાજર્ષિએ તે દેવના પૂર્વભવનું સ્વરૂપ મણિપ્રભને કહી સંભળાવ્યું. પછી કહ્યું કે, હે વિદ્યાધર રાજા ! આ દેવ પોતાના ધર્માચાર્યનું સ્મરણ કરીને શીઘ્રતાથી અહીં આવેલ છે, આ દેવીના પ્રભાવે જ તેની દેવગતિ થયેલી છે. તેથી તેણે મુનિને છોડીને પ્રથમ આ મહાસતીને વંદન કરેલું છે. તેમાં કશું અયોગ્ય કરેલ નથી. આ પ્રમાણે સાંભળીને તે વિદ્યાધરરાજાએ યુગબાહુ દેવની ક્ષમા માંગી. ત્યાર પછી તે દેવે મદનરેખાને ઉપાડીને મિથિલાનગરીમાં મૂકી દીધી ત્યાં પોતાના પુત્રને સુખી જોઈને તે સ્વસ્થ ચિત્તવાળી થઈ, ત્યાર પછી તેણીએ વૈરાગ્ય પામીને કોઈ પ્રવર્તિની પાસે જઈને પ્રવજ્યા ગ્રહણ કરી. મદનરેખાના પુત્રનું નામ “નમિ” પાડવામાં આવેલ હતું. તે નમિકુમાર અનુક્રમે યુવાવસ્થાને પામ્યો, ત્યારે મિથિલાપતિએ તેને ૧૦૦૮ કન્યાઓ પરણાવી. પછી તે પારથ રાજાએ નમિકુમારને રાજ્યભાર સોંપી દઈને દીક્ષા ગ્રહણ કરી. અવંતિ દેશમાં સુદર્શન નગરમાં જે રાત્રિએ મણિરથ રાજાએ પોતાના નાના ભાઈ યુગબાહુને ખડ્રગ વડે મારી નાંખેલ. તે જ રાત્રિએ કૃષ્ણ સર્પના દંશથી રૌદ્ર ધ્યાન વડે મરણ પામીને રાજા મણિરથ ચોથી નરકે ગયો. ત્યાર પછી યુગબાહુ અને મદનરેખાનો Page #326 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – નમિરાજર્ષિ કથા ૩૨૫ મોટો પુત્ર ચંદ્રયશા ત્યાંનો રાજા થયેલો. કોઈ વખતે નમિરાજાનો પટ્ટહતિ બંધનના સ્તંભને ઉખેડીને નાસી ગયો, તેને કોઈ પકડી શક્યું નહીં, તે હાથી નાસતોનાસતો ચંદ્રયશા રાજાના નગરની હદમાં પ્રવેશી ગયો. એટલે રાજા ચંદ્રયશાએ તે હાથીને પકડીને પોતાની હાથી શાળામાં મૂકાવી દીધો. આ વાતની જાણ નમિરાજાને થઈ, ત્યારે તેણે પોતાના દૂતને ચંદ્રયશા રાજા પાસે મોકલ્યો, મોકલીને પોતાના હાથીને પરત આપવા માંગણી કરી. ત્યારે ચંદ્રયશા રાજાએ હાથી પરત આપવાની ના પાડી દીધી, તે સાંભળી નમિરાજા તેની સાથે યુદ્ધ કરવાને આવ્યો અને ચંદ્રયશા રાજાના નગરને ઘેરો ઘાલીને ત્યાં રહ્યો. આ સમગ્ર વૃત્તાંત સાધ્વી મદનરેખાના સાંભળવામાં આવ્યો, તેથી તેણી આવ્યા અને નમિરાજાને સમજાવવા લાગ્યા કે, હે વત્સ નમિ ! તારા પોતાના જ મોટા ભાઈ સાથે તારે યુદ્ધ કરવું એ યુક્ત નથી. તે સાંભળી વિસ્મીત થયેલા નમિ રાજાએ સાધ્વી મદનરેખાને પૂછયું કે, ચંદ્રયશા રાજા મારો ભાઈ કઈ રીતે થાય ? ત્યારે સાધ્વી મદનરેખાએ નમિરાજાને તેના જન્મથી માંડીને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી કિંચિત્ શંકાશીલ થયેલા નમિ રાજાએ પિતાના નામની મુદ્રિકા જોઈ તે જોઈને તે નિશ્ચિત્ થઈ ગયો. એટલે યુદ્ધને છોડી દઈને તે પોતાના મોટાભાઈ એવા રાજા ચંદ્રયશા પાસે ગયો. ત્યાં જઈને તેણે રાજા ચંદ્રયશાને સર્વ વૃત્તાંત જણાવ્યો. ત્યાર પછી બંને ભાઈઓ પરસ્પર પ્રીતિવાળા થયા. અનુક્રમે રાજા ચંદ્રયશાએ નમિકુમારને પોતાનું રાજ્ય સોંપીને વ્રત ગ્રહણ કરવાની તીવ્ર ભાવનાથી પ્રવજ્યા અંગીકાર કરી, નમિ રાજા બંને રાજ્યોનું અખંડપણે અને ન્યાયપૂર્વક પાલન કરવા લાગ્યા. કોઈ વખતે તથા પ્રકારના પૂર્વકર્મના ઉદયથી નમિરાજાના દેહમાં છ માસની સ્થિતિવાળો મહા દાડમ્પર ઉત્પન્ન થયો. અનેક વૈદ્યોએ અનેક પ્રકારે ચિકિત્સા કરી, તો પણ તે દાહવર શાંત થયો નહીં. એક વખત કોઈ વૈદ્યના કહેવાથી નમિરાજાને વિલેપન કરવા માટે સર્વ રાણીઓ ચંદન ઘસવા લાગી. તે વખતે રાણીઓના હાથમાં રહેલા કંકણોના પરસ્પર અથડાવાથી ઘણો જ અવાજ થતો હતો, જે અવાજ નમિ રાજાથી કોઈ રીતે સહન થતો ન હતો. એટલે તેણે રાણીઓને આજ્ઞા કરી કે, તમે આ કંકણો કાઢી નાંખો, મારાથી તેનો અવાજ સહન થતો નથી. રાજાની આજ્ઞાને વિનયપૂર્વક સાંભળી – હૃદયમાં અવધારીને ફક્ત એક–એક કંકણ હાથમાં પહેરી રાખ્યું, બાકીના સર્વ કંકણો કાઢી નાંખ્યા. થોડી વારે કંકણોનો ખણખણાટ બંધ થયો જાણીને રાજાએ પૂછ્યું કે, કેમ હવે કંકણનો અવાજ સંભળાતો નથી ? ત્યારે રાણીએ તેને એક–એક કંકણ બતાવ્યું. તે જોઈને એ જ વખતે રાજાને ચારિત્રાવણકર્મનો બંધ તુટવાથી એવો અધ્યવસાય થયો કે– કંકણના સમૂહના દૃષ્ટાંતથી એવું સિદ્ધ થાય છે કે ઘણાં બધાં પરિગ્રહને ધારણ કરનારો જીવ નિશ્ચય કરીને દુઃખને અનુભવે છે. એકલો જીવ દુઃખથી મુક્ત થાય છે, માટે એકલા રહેવું તે જ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે એકત્વ ભાવનાની ધારાએ ચડેલા નમિરાજાને ગાઢ નિદ્રા આવી ગઈ. તેમણે સ્વપ્નમાં પોતાને મેરૂ પર્વત પર રહેલા અને શ્વેત હાથી પર બિરાજમાન થયેલા Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ આગમ કથાનુયોગ-૨ જોયા. જ્યારે તેઓ સ્વપ્નમાંથી જાગૃત થયા ત્યારે તેને એમ લાગ્યું કે, આવો સુવર્ણ પર્વત પૂર્વે મેં ક્યાંક પણ જોયેલો છે. એ પ્રમાણે ઉહાપોહ કરતા નમિરાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જાતિસ્મરણ જ્ઞાનથી તેણે જાણ્યું કે, પૂર્વભવમાં તેણે ખૂબ જ સારી રીતે – સમ્યક્તયા ચારિત્ર ધર્મની પરિપાલના કરવાથી, તેઓ અનુપમ લક્ષ્મીવાળા પુષ્પોત્તર વિમાનમાં દેવતા થયેલા હતા. તે દેવના ભવે જિનેશ્વર ભગવંતના જન્મ કલ્યાણક અવસરે તે ત્યાં આવેલ હતા. તે વખતે આવો સુવર્ણમય મેરૂ પર્વત જોયેલો હતો. આ પ્રમાણે જાતિસ્મરણ જ્ઞાન થતાં જ તેને ચારિત્ર લેવાની ઉત્કટ ઇચ્છા થઈ. સ્વયં કેશનો લોચ કર્યો, દેવતાએ તેને સાધુવેષ આપ્યો અને પ્રત્યેક બુદ્ધ એવા નમિ રાજર્ષિ રાજ્યનો, રાણીઓનો, પરિવારનો, વૈભવનો, સંપત્તિનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. તેથી જ ઉત્તરાધ્યયન સૂત્રમાં નવમાં અધ્યયન “નમિ પ્રવજ્યા"માં અધ્યયનો આરંભ કરતાં જ સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે દેવલોકથી આવીને નમિના જીવે મનુષ્ય લોકમાં જન્મ લીધો. તેનો મોહ ઉપશાંત થયો, ત્યારે નમિરાજાને પૂર્વજન્મનું સ્મરણ થયું. સ્મરણ કરીને અનુત્તર ધર્મમાં સ્વયં સંબુદ્ધ થયા. રાજ્યનો ભાર પોતાના પુત્રને સોંપીને નમિરાજાએ અભિનિષ્ક્રમણ કર્યું. નમિરાજાએ શ્રેષ્ઠ અંતઃપુરમાં રહીને, દેવલોકના ભોગ સમાન સુંદર ભોગોને ભોગવીને એક દિવસ પ્રબુદ્ધ થયા અને તેઓએ ભોગોનો પરિત્યાગ કર્યો. ભગવદ્ નેમિએ પોતાનું નગર અર્થાત્ સમગ્ર મિથિલા નગરીનું રાજ્ય અને જનપદસહિત પોતાની રાજધાની મિથિલાનો, સમગ્ર (અશ્વ, રથ, હાથી, પાયદળ સહિતની) સેનાનો, અંતઃપુરનો અને સમગ્ર પરિજનોનો ત્યાગ કરીને, તેઓને છોડી દઈને અભિનિષ્ક્રમણ કર્યું – પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને એકાંતવાસી થઈ ગયા. જે સમયે નમિરાજર્ષિ અભિનિષ્ક્રમણ કરીને પ્રવજિત થઈ રહ્યા હતા, તે સમયે મિથિલાનગરીમાં ઘણો જ કોલાહલ થયેલો હતો. ઉત્તમ પ્રવજ્યા સ્થાનને માટે પ્રસ્તુત (નીકળેલા) એવા નમિરાજર્ષિને બ્રાહ્મણના રૂપમાં આવેલ દેવેન્દ્રએ કહ્યું કે, હે રાજર્ષિ ! આજે મિથિલા નગરીમાં, પ્રાસાદોમાં અને ઘરોમાં કોલાહલપૂર્ણ દારણ શબ્દો કેમ સંભળાઈ રહ્યા છે ? દેવેન્દ્રના આ કથનને સાંભળીને અને હેતુ તથા કારણથી પ્રેરિત નિમિરાજર્ષિએ દેવેન્દ્રને કહ્યું કે, મિથિલા નગરીમાં એક ચૈત્યવૃક્ષ હતું. જે શીતળ છાયાવાળું, મનોરમ, પાંદડા–પુષ્પો અને ફળોથી યુક્ત હતું. એક વખત પ્રચંડ આંધી આવી, તે મનોરમ વૃક્ષ તુટી પડ્યું. તે વખતે વૃક્ષના તુટી પડવાથી દુઃખિત, આર્ત અને અશરણ પલીઓ ક્રન્દન–વિલાપ કરી રહ્યા હતા. તે જ રીતે જે સ્વજનાદિ ક્રન્દન કરી રહ્યા છે, તે આ પક્ષીની માફક પોતપોતાનો આશરો જવાથી જ વિલાપ કરી રહ્યા છે. સ્વજન અને પરિજન પોતાની આહાર-વાર્તાને કારણે, પત્નીઓ પોતાના ભોગોપભોગ, ઘર, વૈભવ, સુખ આદિને માટે એ રીતે બધાં પોતાના કાર્યને (સ્વાર્થને) માટે જ વિલાપ કરી રહ્યા છે. પણ તેઓ એ વિચારતા નથી Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – નમિરાજર્ષિ કથા ૩૨૭ કે, જેમ સંધ્યાકાળે વૃક્ષનો આશરો લેવા આવેલા પક્ષી સવારે તો પાછા ઉડીને અન્યત્ર જાય જ છે તેમ આ જગમાં સર્વે કુટુંબીજનો એકઠા થાય છે, પણ પાછા સર્વે પોતપોતાની જ દિશામાં અર્થાત્ કર્માનુસાર ગતિમાં ચાલ્યા જાય છે. નમિરાજર્ષિના અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ કહ્યું, જુઓ આ અગ્નિ છે, આ વાયુ છે, તેના વડે તમારું રાજભવન સળગી રહ્યું છે અને તમે તેના તરફ કે તમારા અંતઃપુર તરફ કેમ ધ્યાન નથી આપતા ? દેવેન્દ્રના આ કથનને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નિમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું, જેની પાસે પોતાનું કહી શકાય એવું કંઈ હોતું નથી, એવા અમે લોકો સુખેથી રહીએ છીએ. સુખપૂર્વક જીવીએ છીએ. મિથિલાના બળવાથી મારું કંઈજ સળગી રહ્યું નથી. પુત્ર, પત્ની અને ગૃહવ્યાપાર (કુટુંબ પ્રવૃત્તિ)થી મુક્ત ભિક્ષને માટે કોઈ વસ્તુ પ્રિય નથી હોતી કે કોઈ વસ્તુ અપ્રિય હોતી નથી. હું બધી જ બાજુથી એકલો જ છું, આ પ્રકારે એકાંતદષ્ટા ગૃહત્યાગી મુનિને બધાં પ્રકારે સુખ જ સુખ હોય છે. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ કહ્યું, હે ક્ષત્રિય ! પહેલાં તમે નગરની ફરતો કોટ, ગોપુર, અટ્ટાલિકાઓ, દૂર્ગની ખાઈ અને શતદની બનાવો. પછી પ્રવૃજિત થજો. અર્થાત્ તમારા નગરની સારી રીતે રક્ષા થાય તેવી પૂરી કિલ્લેબંધી કરાવી દો, જેથી કોઈ શત્રુ તેને લુંટી કે ભાંગી ન શકે, પછી પ્રવજ્યા લેજો. - દેવેન્દ્રના આ કથનને સાંભળીને, હેતુ અને કારણથી પ્રેરિત નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું– શ્રદ્ધારૂપી મારું નગર છે. તેમાં તપ અને સંયમરૂપી અર્ગલા છે. તેને ક્ષમારૂપી પ્રાકાર બનાવીને મન, વચન અને કાયાની ત્રણ ગુણથી સુરક્ષિત કરેલ છે અને અજેય—મજબુત એવો પ્રાકાર-કિલ્લો મેં બનાવેલો છે. પરાક્રમ (પુરુષાર્થ) એ મારું ધનુષ્ય છે. ઇર્યાદિ સમિતિ એ મારા ધનુષ્યની પ્રત્યંચા–દોરી છે. ધૃતિ–ધીરજને મેં તેની મૂઠ બનાવેલ છે. સત્યથી મેં તેને બાંધેલ છે. તારૂપી બાણ મેં ગ્રહણ કરેલ છે. તપના બાણોથી યુક્ત ધનુષ્ય વડે હું કર્મરૂપી કવચને ભેદીને અન્તર્યુદ્ધમાં હું વિજય મેળવીશ. એ પ્રમાણે વિજેતા બનીને મુનિ સંસારથી મુક્ત થઈ જાય છે. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિરાજર્ષિને કહ્યું, હે ક્ષત્રિય ! પહેલા તમે પ્રાસાદ, વર્ધમાનગૃહ અને ચંદ્રશાળાઓ બનાવો પછી પ્રવજ્યા લો. દેવેન્દ્રના આ કથનને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિ રાજર્ષિએ આ પ્રમાણે કહ્યું આવું થશે કે નહીં થાય એવો જેને સંશય હોય છે, મારું ત્યાં કદાચ ગમન થાય તો મને કામ લાગશે એવો હેતુ હોય તે જ માર્ગમાં ઘર (પ્રાસાદ) બનાવે છે. પણ મને મારા ગમનનો નિશ્ચય હોવાથી હું તે વિષયમાં સંશયિત નથી. સમ્યગ્દર્શનાદિ વડે મુક્તિ પ્રત્યેના હેતુને કારણે મેં નિશ્ચિતપણે મારો માર્ગ જામ્યો છે. હવે જ્યારે હું સંશયિત જ નથી પછી મારે ઘર શા માટે બનાવવું જોઈએ ? તેથી જ્યાં જવાની ઇચ્છા હોય ત્યાંજ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ આગમ કથાનુયોગ-૨ સ્થાયિ ઘર બનાવવું જોઈએ અર્થાત્ મુક્તિપદ-સિદ્ધિગતિમાં જવાનું મારે સુનિશ્ચિત્ છે, તો પછી મારી પ્રવૃત્તિ પણ તે તરફની જ હોય. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્ર એ નમિરાજર્ષિને કહ્યું કે, હે ક્ષત્રિય ! પહેલા તમે લુંટારા, પ્રાણઘાતક ડાકુઓ, ગાંઠ ભેદનારાઓ અને ચોરીથી નગરની રક્ષા કરો, પછી પ્રવજ્યા પંથે જજો. દેવેન્દ્રના આ કથનને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નિમિરાજર્ષિએ કહ્યું આ લોકમાં મનુષ્યો દ્વારા અનેક વખત મિથ્યાદંડનો પ્રયોગ કરાય છે. અપરાધ ન કરનારા નિર્દોષ પકડાય જાય છે અને ખરો અપરાધી છૂટી જાય છે – આ જગમાં અનેક વખત નિરપરાધી જીવોને પણ અજ્ઞાન, અહંકાર આદિ હેતુથી અપરાધીની જેમ ખોટો દંડ અપાય છે અને દેશ ત્યાગ કે બંધનાદિથી સજા થાય છે. તેથી તું જે કહે છે કે, નગરનું ક્ષેમ–કલ્યાણ કરીને જવું તે વ્યર્થ છે કેમકે અજ્ઞાનતાથી - તે પ્રકારના પરિજ્ઞાનના અભાવે નિરપરાધીને પણ દંડ થતો હોય તો તેની રક્ષા કરવાનું જ્ઞાન અશક્ય છે. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિરાજર્ષિને આ પ્રમાણે કહ્યું, હે ક્ષત્રિય ! જે રાજા હજી પણ તમને ગમે છે, પહેલા તેને તમારા વશમાં કરી, પછી પ્રવજ્યા પંથે જજો. દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિ રાજર્ષિએ આ પ્રમાણે કહ્યું જે દુર્જય સંગ્રામમાં દશ લાખ યોદ્ધાઓને જીતે છે, તેની અપેક્ષાએ, જે એક પોતે પોતાને જીતે છે, તેનો વિજય એ જ પરમ વિજય છે. બહારના યુદ્ધો કરવાથી બીજું શું મળવાનું છે ? યુદ્ધ તો સ્વયં પોતાની સાથે જ કરવું જોઈએ. – પોતાના વડે પોતાને જીતીને જ સાચું સુખ પ્રાપ્ત થઈ શકે – પાંચ ઇન્દ્રિય, ક્રોધ, માન, માયા અને લોભ – એ જ વાસ્તવમાં દર્જેય છે અર્થાત્ કષ્ટ કરીને જીતી શકાય તેવા છે. એક સ્વયં પોતાને જીતી લેવાથી, બીજું બધું તો જીતાય જ જાય છે. – કેમકે પોતાની જે દુરાચાર પ્રવૃત્તિઓ છે, તેને જીતવાથી બીજું બધું તો જીતાઈ જ ગયેલ છે. જો લાખો યોદ્ધાઓને યુદ્ધમાં પરાજિત કરવામાં આવે તો પણ તે વિજય એ ખરેખર તો બીજાનો જ પરાજય છે. તેના કરતા આત્માનો અર્થાત્ પોતાનો પરાજય કરવો અતિ દુર્જય–મુશ્કેલ છે. જો આત્માને જીતી લેવાય તો એકાંતે આત્યંતિક એવું મુક્તિરૂપ સુખ પ્રાપ્ત થઈ શકે છે. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ કહ્યું કે, હે ક્ષત્રિય ! તમે વિપુલ યજ્ઞ કરાવીને, શ્રમણ અને બ્રાહ્મણોને ભોજન કરાવીને, દાન દઈને, ભોગ ભોગવીને અને પોતે પણ યજ્ઞ કરીને પછી પ્રવજ્યા પંથે ગમન કરજો. દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું – જે મનુષ્ય પ્રતિમાસ દશ લાખ ગાયોનું દાન કરે છે, તેના કરતા પણ સંયમ જ કલ્યાણકારી છે, પછી ભલે તે મનુષ્ય કોઈને કંઈ પણ દાન ન કરે, Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – નમિરાજર્ષિ કથા ૩૨૯ કેમકે ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમ વડે કોઈ સંયમ અંગીકાર કરશે તો તે આશ્રવ આદિથી વિરમવાનો જ છે. આશ્રવ આદિથી અટકવું તે દાન દેવા કરતાં પણ પ્રશસ્તતર પ્રવૃત્તિ છે. સંયમનો અર્થ જ છે – પ્રાણીની હિંસા આદિ પ્રવૃત્તિથી અટકવું તે. વળી જે યજ્ઞ કરવાનું, ભોજન કરાવવાનું કે ભોગ ભોગવવાનું તમે કહો છો તે સર્વ પ્રવૃત્તિતો પ્રત્યક્ષતયા સાવદ્ય જ છે કેમકે તેમાં તો જીવોનું ઉપમર્થન આદિ થવાના જ છે. જે સાવદ્ય છે, તે પ્રાણીને પ્રતિકર્તા થતા નથી. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિરાજર્ષિને આ પ્રમાણે કહ્યું, હે મનુજાધિપ ! તમે ગૃહસ્થ આશ્રમને છોડીને, જે બીજા સંન્યાસ આશ્રમની ઇચ્છા કરી રહ્યા છો, તે ઉચિત નથી. ગૃહસ્થ આશ્રમમાં રહીને જ પૌષધવ્રતમાં અનુરક્તજોડાયેલા રહો. કેમકે ગૃહસ્થ આશ્રમ અલ્પ સત્ત્વવાળા જીવો માટે અતિદુષ્કર કે અત્યંત દુરનુચર (દુઃખે કરીને વિચારી શકાય તેવો) છે. તેથી જ કહ્યું છે કે, ગૃહસ્થાશ્રમ સમાન કોઈ ધર્મ થયો નથી કે થવાનો નથી. તેનું પરિપાલન શૂરવીરો જ કરી શકે કલીબ (નપુંસકો) તો પાખંડનો જ આશ્રય કરે છે. વળી ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી ઇત્તર ધર્મની ઇચ્છા તો કૃષિ કે પશુપાલનાદિમાં પણ અશક્ત એવા કાયરજનો કરે છે. તો હે રાજર્ષિ તમે ગૃહસ્થ ધર્મનું પાલન કરીને પણ અષ્ટમ્યાદિ તિથિમાં પૌષધ નામના વ્રતમાં આસક્ત રહો – અણુવ્રતાદિની પરિપાલના કરો. કહ્યું પણ છે કે, સર્વે તપોયોગમાં પ્રશસ્ત એવા આઠમ, ચૌદશ, પૂનમ, અમાસના દિવસોમાં પૌષધવતમાં મનુષ્ય વસવું જોઈએ. દેવેન્દ્રના આ કથનને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું જે બાળ સાધક મહિના–મહિનાનો તપ કરે છે અને પારણે ઘાસના તણખલાના અગ્રભાગ ઉપર આવે એટલો જ આહાર ગ્રહણ કરે છે. તે સુઆખ્યાત ધર્મની સોળમી કળા જેટલો ધર્મ પણ પામી શકતા નથી. કેમકે – આવા પ્રકારનું કષ્ટદાયી અનુષ્ઠાન કરવા કરતા પણ તીર્થકર ભગવંતે કહેલો સર્વ સાવદ્ય વિરતિરૂપ એવો ચારિત્ર ધર્મ વધારે શોભન – સારો કહેલો છે. (પ્ર–) જે-જે ઘોર ધર્મ હોય તેનું ધર્માર્થીઓએ અવશ્ય અનુષ્ઠાન કરવું જોઈએ તેમ કહ્યું તેનું શું? (ઉત્તર) અહીં “ઘોરત્ન” શબ્દ અનેકાંત અર્થ વડે ચિંતવવાનો છે. ઘોર હોય તો પણ સ્વાખ્યાત (કેવળી પ્રરૂપિત) એવું ધર્માનુષ્ઠાન – કરવું જોઈએ. કેવળી પ્રજ્ઞપ્ત ધર્મ સિવાયનું તપ આત્મવિઘાતક બને છે. તેથી ધર્મના અર્થી જીવોએ સ્વાખ્યાત ધર્મ ન હોય તેવા ઘોર અનુષ્ઠાન કરવા ન જોઈએ. ગૃહસ્થ ધર્મ તો સાવદ્ય હોવાથી હિંસાવત્ જ જાણવો તેનો આદર કેવળ સર્વવિરતિ ન જ ગ્રહણ કરી શકનાર માટે ઉપદેશામેલ છે. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિરાજર્ષિને આ પ્રમાણે કહ્યું, હે ક્ષત્રિય ! તમે ચાંદી, સોના, મણિ, મોતી, કાંસાના પાત્ર, વસ્ત્ર, વાહન અને કોશની વૃદ્ધિ કરીને પછી મુનિપણું અંગીકાર કરો. દેવેન્દ્રના આ કથનને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નિમિરાજર્ષિએ દેવેન્દ્રને Page #331 -------------------------------------------------------------------------- ________________ 330 આ પ્રમાણે કહ્યું સોના અને ચાંદીના કૈલાશપર્વત સમાન અસંખ્ય પર્વત હોય, તો પણ લોભી મનુષ્યની તેનાથી કોઈ તૃપ્તિ થતી નથી. કેમકે ઇચ્છાઓ આકાશ સમાન અનંત છે. પૃથ્વી પરના તમામ પ્રદેશો, ચોખા, જવ, સોનું તથા પશુઓ પણ એક મનુષ્યની ઇચ્છા પૂર્તિ માટે પર્યાપ્ત થતા નથી એમ જાણી સાધકે તપનું આચરણ કરવું જોઈએ. નમિરાજર્ષિ અહીં જણાવે છે તે પ્રમાણે કોઈ નાનો—મોટો નહીં પણ વિશાળ એવો કૈલાશ પર્વત હોય, તે પર્વતતુલ્ય સોનાના અને ચાંદીના પર્વતો પ્રાપ્ત થઈ જાય, તે પણ એક, બે, ત્રણ કે સંખ્યાત નહીં પણ અસંખ્ય પર્વતો પ્રાપ્ત થઈ જાય, ઉપલક્ષણથી સ્રીઓ વગેરે પણ તેટલા બધાં પ્રાપ્ત થઈ જાય તો પણ કિંચિત્ માત્ર પણ પરિતોષ–સંતોષ આપવા સમર્થ થઈ શકતા નથી. કેમકે જે ઇચ્છાઓ છે તે આકાશતુલ્યા અર્થાત્ અંતરહિત હોય છે અને કહ્યું પણ છે કે– જીવને સેંકડોગણું કે હજારોગણું પ્રાપ્ત થાય, રાજ્ય મળી જાય, દેવત્વ કે ઇન્દ્રપણાની પ્રાપ્તિ થઈ જાય તો પણ તુષ્ટિ થતી નથી. - આગમ કથાનુયોગ-૨ તેથી પંડિત પુરુષોએ બાર પ્રકારના તપનું આચરણ કરવું એ જ શ્રેયસ્કર છે. કેમકે ત્યાર પછી જ નિસ્પૃહતયા ઇચ્છાની પરિપૂર્તિ થવી સંભવ છે. સંતોષ આકાંક્ષારહિતપણાથી જ થવાનો છે, સોના આદિની વૃદ્ધિ માત્રથી સંતોષની પ્રાપ્તિ થતી નથી. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ કહ્યું કે, હે પાર્થિવ ! આશ્ચર્ય છે કે, તમે પ્રત્યક્ષથી પ્રાપ્ત થતા ભોગોનો ત્યાગ કરી રહ્યા છો અને અપ્રાપ્ત ભોગોની ઇચ્છા કરી રહ્યા છો. માલૂમ પડે છે કે, તમે વ્યર્થ સંકલ્પોથી ઠગાઈ રહ્યા છો. ખરેખર કોઈ વિવેકી પુરુષ, બ્રહ્મદત્ત ચક્રવર્તી આદિની માફક અપ્રાપ્ત વિષયોની આકાંક્ષા કરવામાં પ્રાપ્ત થયેલા વિષયોનો ત્યાગ કરતો નથી. દેવેન્દ્રના આ કથનને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત એવા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું સંસારના કામભોગો શલ્ય સમાન છે, વિષ સમાન છે, આશીવિષ સર્પ સમાન છે. જેઓ કામભોગ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખે છે, પરંતુ તેનું સેવન કરી શકતા નથી તેઓ પણ દુર્ગતિમાં જાય છે. વળી ક્રોધથી અધોગતિમાં જવું પડે છે, માનથી અધમગતિમાં જવું પડે છે, માયાને કારણે સુગતિમાં બાધા આવે છે અને લોભથી બંને તરફનો ભય રહે છે. કામ અર્થાત્ મનોજ્ઞ એવા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શની કામના, શલ્ય સમાન છે કેમકે જેમ શરીરમાં પ્રવેશેલ કાંટો વગેરે શલ્ય શરીરને વિવિધ પ્રકારે પીડા—બાધા આદિ આપ્યા કરે છે, તાલપુટ આદિ ઝેર, જે રીતે શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે, તે રીતે કામ પણ શરીર આખામાં ફેલાય જાય છે. ઝેરને ખાવાથી ઉપભોગ કરવાથી મધુર વસ્તુ પણ અસુંદર હોય તેવી ભાસે છે. તેના પરિણામ અતિ દારુણ હોય છે. તે જ રીતે કામ પણ પરિણામે દારુણ હોય છે. તે જ રીતે આશીવિષ સર્પ તેની વિશાળ ફેણ અને મણિથી આભૂષિત હોય ત્યારે દેખાવમાં તો સુંદર જ લાગે છે, પણ જો તેનો સ્પર્શ કરવામાં આવે Page #332 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – નમિરાજર્ષિ કથા ૩૩૧ તો નિશ્ચય કરીને વિનાશને પ્રાપ્ત થવાય છે. તેવી જ કામની ગતિ છે. જ્યારે મુમુક્ષને તો કિંચિત્ માત્ર પણ આકાંક્ષા હોતી જ નથી. નમિરાજર્ષિની આ વાત સાંભળીને દેવેન્દ્રએ બ્રાહ્મણના રૂપનો ત્યાગ કરીને પોતાનું વાસ્તવિક ઇન્દ્રસ્વરૂપ પ્રગટ કર્યું. ત્યાર પછી મધુર વાણીથી સ્તુતિ કરતા નમિરાજર્ષિને વંદના કરી. વંદના કર્યા પછી તેણે નમિરાજર્ષિને કહ્યું કે અહો ! આશ્ચર્ય છે કે, તમે ક્રોધને જીત્યો છે, માનને પરાજિત કરેલ છે, માયાને નિરાકૃત કરેલી છે, લોભને વશ કરેલા છે. અહો મુનિ ! તમારી સરળતા ઉત્તમ છે, તમારી મૃદુતા ઉત્તમ છે, તમારી ક્ષમા ઉત્તમ છે, તમારી નિર્લોભતા ઉત્તમ છે. હે ભગવન્! તમે આ લોકમાં પણ ઉત્તમ છો અને પરલોકમાં પણ ઉત્તમતાને પ્રાપ્ત કરશો. કર્મમળથી રહિત થઈને તમે લોકમાં સર્વોત્તમ સ્થાન એવી સિદ્ધિને પ્રાપ્ત કરશો. આ પ્રમાણે સ્તુતિ કરતા એવા ઇન્દ્રએ, ઉત્તમ શ્રદ્ધાપૂર્વક રાજર્ષિને પ્રદક્ષિણા કરતા–કરતા અનેક વખત વંદના કરી, ત્યાર પછી નમિમુનિવરના ચક્ર–અંકુશ આદિ ઉત્તમ લક્ષણોથી યુક્ત એવા ચરણમાં નમસ્કાર કર્યો. ત્યાર પછી લલિત અને ચપળ એવા કુંડલ અને મુગટને ધારણ કરનારો ઇન્દ્ર ઉપર આકાશ માર્ગે ચાલ્યો. નમિરાજર્ષિએ આત્મભાવનાથી સ્વયં પોતાને વિનત કર્યા. સાક્ષાત્ દેવેન્દ્ર દ્વારા પ્રેરિત થવા છતાં પણ ગૃહ અને વૈદેહીની રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને શ્રામણ્ય ભાવમાં સુસ્થિર રહ્યા. સંબુદ્ધ, પંડિત અને વિચક્ષણ પુરુષો આ જ પ્રકારે ભોગોથી નિવૃત્ત થાય છે, જે રીતે નમિરાજર્ષિ ભોગથી નિવૃત્ત થયા અર્થાત્ મિથ્યાત્વને દૂર કરીને અને જીવ–અજીવાદિ તત્ત્વોને જાણતા એવા સંબુદ્ધ – જેમણે શાસ્ત્રનો અર્થ સુનિશ્ચિત્ કરેલો છે તેવા પંડિતો અને અભ્યાસના અતિશય થકી ક્રિયા પ્રતિ પ્રાવિષ્યવાળા એવા પ્રવિચક્ષણ લોકો ભોગોના આ સેવનથી અટકે છે – અત્યંત નિશ્ચલતાપૂર્વક નિવર્તે છે – સર્વથા અટકી જાય છે. ૦ આગમ સંદર્ભ :સૂય. રર૬; સૂય યૂ.પૂ. ૧૨૦; આવભા ૨૦૮, ૨૧૦, ૨૧૧ + વૃક આવ.પૂ.૧–પૃ. ૭૫, ર–પૃ. ૨૦૭, ૨૦૮; ઉત્ત.નિ. ૨૬૪ થી ૨૬૭, ૨૬૯, ર૭૨ થી ૨૭૪ + ; ઉત્ત.મૂ. ૨૨૯ થી ૨૯૦, ૬૦૪, ૬૦૫ + ; ઉત્ત.ચૂપૃ૧૧૭ થી ૧૮૫; ઉત્ત.અધ્ય –ની ભાવ – ૪ – ૪ –– ૪. પ્રત્યેક બુદ્ધ નગ્નતિ કથા : (ચાર પ્રત્યેકબુદ્ધો એક સાથે સ્વર્ગમાંથી ચ્યવ્યા, સમકાળે ધ્વજિત થયા, કેવળજ્ઞાન ઉત્પત્તિ પણ સમકાળે થઈ, મોલે પણ સમકાળે ગયા. તે આ પ્રમાણે :- ૧. કલિંગમાં કઢં, ૨. પાંચાલમાં દ્વિમુખ, 3. વિદેહમાં નમિરાજા અને ૪. ગાંધારમાં નગ્નતિ તેમાંના ચોથા પ્રત્યેક બુદ્ધ નગ્નતિ, કે જેને આમ્રવૃક્ષ જોઈને બોધ પ્રાપ્ત થયેલો તેનું કથાનક–) ગાંધાર દેશમાં સિંહરથ નામે રાજા હતો. કોઈ વખતે તેને બે ઘોડા ભેટ મળ્યા. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ આગમ કથાનુયોગ-૨ પણ તે બંને ઘોડાઓ વિપરીત શિક્ષા પામેલા હતા. તે ઘોડાની ગતિ પરીક્ષા કરવા માટે તે બેમાંના એક ઘોડા પર ચડીને રાજા સિંહરથ ક્રીડા કરવા નીકળ્યો. તે વિપરિત શિક્ષા પામેલો ઘોડો નદીના પૂરની જેમ દોડતો–દોડતો બાર યોજન દૂર નીકળી ગયો અને એક મહાઅરણ્યમાં રાજાને લાવીને મૂકી દીધો. રાજા તે અશ્વની લગામ ખેંચી ખેંચીને થાકી ગયો હતો. તેથી તેણે લગામ છોડી દીધી જેવી લગામ મૂકી કે અશ્વ ઊભો રહી ગયો. ત્યારપછી રાજાએ નીચે ઉતરીને અશ્વને વૃક્ષ સાથે બાંધી દીધો, પોતે ફળ–આદિથી પોતાની સુધાનું નિવારણ કર્યું. રાત્રિવાસ કરવા માટે રાજા પાસેના પર્વત પર ચડ્યો. ત્યાં એક સાત માળનો પ્રાસાદ જોઈને રાજાએ તેમાં પ્રવેશ કર્યો. તે મહેલમાં એક મૃગ સરખા નેત્રવાળી કન્યા જોવામાં આવી. તે કન્યા રાજાને જોઈને તુરંત જ ઊભી થઈ, તેણે રાજાને આસન આપ્યું. પછી સિંહસેન રાજાએ તેને પૂછયું કે, હે સુભગ ! તું કોણ છે ? અને અહીં એકલી કેમ રહે છે ? તેણી બોલી કે, પ્રથમ તમે મને ગાંધર્વ વિવાહથી પરણો પછી હું તમને મારું સર્વ વૃત્તાંત જણાવીશ. તે સાંભળીને રાજાએ તેની સાથે ગાંધર્વ વિવાહ કર્યો. પછી તે સ્ત્રી પોતાનું વૃત્તાંત કહેવા લાગી. આ ભરતક્ષેત્રમાં ક્ષિતિપુર નામે નગર છે. ત્યાં જિતશત્રુ નામે રાજા રહે છે. તેણે એકદા ચિત્રશાળા કરવા માટે ચિત્રકારોને બોલાવ્યા. બોલાવીને આજ્ઞા કરીને કે તમે આ શહેરમાં તમારાં જેટલા ઘર હોય તેટલા વિભાગ કરીને આ સભા ચિતરો, ચિતારાઓ તે પ્રમાણે ભાગ પાડ્યા. પછી તે સભા ચિતરવા લાગ્યા. તે ચિત્રકારોની સભામાં એક વૃદ્ધ ચિત્રકાર હતો, તેને કોઈ સહાયભૂત થતું ન હતું. માત્ર કનક મંજરી નામે તેને પુત્રી હતી, તે હંમેશાં પિતાને માટે ત્યાં ભોજન લઈને આવતી. તે વૃદ્ધ ચિત્રકારને એવી ટેવ હતી કે, જ્યારે ભોજન આવે ત્યારે શૌચ માટે બહાર જાય. એક વખત કનકમંજરી ભોજન લઈને રાજમાર્ગેથી આવતી હતી, તે વખતે રાજા ઘોડા પર સવાર થઈને ઘોડો દોડાવતો ત્યાંથી નીકળ્યો. તેને જોઈને ભયભીત થયેલી કનકમંજરી દોડીને સભામંડપમાં આવી. તે સમયે રાજા પણ ચિત્રસભા જોવા માટે ત્યાં આવ્યો. તે ચિત્ર જોતો હતો ત્યારે ભીંત ઉપર ચિત્રિત થયેલું એક મોરનું પીછું તેણે જોયું. તે જોઈને તેણે હાથ લંબાવ્યો, તે મોરપીંછુ લેવા માટે એકદમ પોતાનો હાથ ત્યાં લઈ ગયો. તે ચિત્ર માત્ર હોવાથી મોરનું પીંછુ તો હાથમાં ન આવ્યું, પણ રાજાની આંગળીનો નખ ભાંગી ગયો, તેથી રાજા લજ્જિત થઈ ગયો. તે દૃશ્ય જોઈને કનકમંજરી વિલાસપૂર્વક હાસ્ય કરીને બોલી કે, હવે માંચો (ખાટલી) ચારે પાયાથી પૂર્ણ થઈ ગયો. તે સાંભળીને રાજાએ આગ્રહ કર્યો કે, હે કન્યા ! તું મને જણાવ કે, માંચો કઈ રીતે પૂર્ણ થઈ ગયો ? ત્યારે તેણી બોલી કે, આજે જ્યારે હું મારા વૃદ્ધ ચિત્રકાર પિતા માટે ભોજન લઈને આવતી હતી, ત્યારે રાજમાર્ગ મેં કોઈ માણસને ઘોડો દોડાવતો જોયો, તે પહેલો મૂર્ખ. તેને મૂર્નાઈરૂપી માંચાનો પહેલો પાયો સમજવો. કેમકે રાજમાર્ગ બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો વગેરેના જવા-આવવાથી સાંકડો થયેલો હોય છે, તેથી ડાહ્યા પુરુષો ત્યાં ત્વરાથી અશ્વ દોડાવતા નથી. Page #334 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – નગ્નતિ કથા ૩૩૩ બીજો મૂર્ખ અર્થાત્ મૂર્ખતારૂપી માંચાનો બીજો પાયો તે – આ રાજ્યનો રાજા છે કેમકે તેણે પરનું દુઃખ જાણ્યા વિના જ બીજા યુવાન ચિત્રકારો જેટલો જ ભાગ ચિત્ર બનાવવા માટે મારા વૃદ્ધ અને પુત્ર વિહોણા એવા પિતાને આપેલો છે. ત્રીજો મૂર્ખ અર્થાત્ મૂર્ખતારૂપી માંચાનો ત્રીજો પાયો તે – મારા પિતા છે. કેમકે જ્યારે હું ભોજન લઈને આવું છું ત્યારે જ તે દેહચિંતા અર્થાત્ શૌચ કાર્ય માટે બહાર જાય છે. પરંતુ ભોજનના લાવ્યા પહેલાં કે પછી જતા નથી. ચોથા મુખે તમે છો. ભીંત ઉપર ચિત્રિત થયેલ મોરનું પીંછુ લેવા માટે તમે હાથ લંબાવ્યો. તમને એટલી પણ ખબર નથી કે, મોરનું પીંછુ આ ચિત્રસભામાં ક્યાંથી આવે? કદાચિત આવે, તો પણ તે ભીંતની ઉપર ક્યાંથી હોય ? તો પણ તમે મોરપીંછુ લેવા માટે હાથ લંબાવ્યો. તે આ મૂર્ખતારૂપી માંચાનો ચોથો પાયો જાણવો. આ પ્રમાણે તે કન્યાનાં વાક્યો સાંભળીને રાજાને તેની બધી જ વાત સત્ય લાગી. પછી રાજાએ વિચાર્યું કે, આ કન્યા સાથે જો હું લગ્ન કરીશ, તો મારો જન્મ સફળ થશે. પછી રાજાની આજ્ઞાથી રાજ્યના મંત્રીએ, પેલા વૃદ્ધ ચિત્રકાર પાસે કનકમંજરી માટે માંગણી કરી. તે ચિત્રકારે પણ હર્ષ પામીને તેને પોતાની પુત્રી રાજા સાથે પરણાવી. એક વખત કનકમંજરી રાણી પોતાનો વારો હોવાથી દાસીની સાથે રાજાના શયનગૃહમાં આવી. રાજા સુતો, ત્યારે પ્રથમથી સંકેત કરી રાખેલી દાસીએ કનકમંજરીને કહ્યું કે, હે દેવી! તમને અભુત કથાઓ આવડે છે. માટે તેમાંથી એક કથા આજે મને કહો, ત્યારે તેણી બોલી કે, જ્યારે રાજા ઊંઘી જશે ત્યારે હું તને કથા કહીશ. તે સાંભળી વાર્તા સાંભળવાની ઇચ્છાથી રાજાએ ખોટી નિદ્રાનો ડોળ કર્યો. એટલે કનકમંજરીએ વાર્તા કહેવા માંડી– એક શ્રેષ્ઠીએ એક હાથનું ચૈત્ય કરાવ્યું, તેમાં ચાર હાથની દેવપ્રતિમા સ્થાપન કરી, તે સાંભળી દાસીએ પૂછયું કે, હે રાણી ! એક હાથના ચૈત્યમાં ચાર હાથના દેવ કઈ રીતે રહી શકે ? તમે મારા એ સંશયને દૂર કરો, પછી વાર્તા આગળ કહેજો. ત્યારે રાણીએ દાસીને કહ્યું કે, અત્યારે તો મને નિદ્રા આવે છે, તું જા. હું તને કાલે ઉત્તર આપીશ. બીજે દિવસે તે વાર્તાનું સમાધાન સાંભળવાની ઇચ્છાથી રાજાએ ફરી કનકમંજરી રાણીનો જ વારો રાખ્યો. તે દિવસે પણ રાજા ખોટી નિદ્રા લેવા લાગ્યો, ત્યારે દાસીએ પૂછયું કે, હે સ્વામિની ! પહેલા મારા કાલના સંશયનું નિવારણ કરો ત્યારે રાણી બોલી કે, ચાર હાથની પ્રતિમા એટલે ચાર હાથ ઊંચાઈવાળી પ્રતિમા નહીં, પણ દેવને ચાર હાથ હતા, તેવી પ્રતિમા. પ્રતિમા તો એક હાથની ઊંચાઈના ચૈત્યમાં સમાઈ શકે તેટલી જ હતી. તેથી એક હાથના ચૈત્યમાં ચાર હાથવાળી દેવ પ્રતિમાં રહે કે ન રહે ? પછી દાસીએ કહ્યું કે, હે સ્વામિની ! આજે બીજી વાર્તા કહો. ત્યારે રાણીએ વાર્તાનો આરંભ કર્યો, કોઈ વનમાં લાલ અશોકવૃક્ષ હતું. તે વૃક્ષને સેંકડો શાખાઓ હતી. પણ તેની છાયા પૃથ્વી પર બીલકુલ પડતી નહોતી. ત્યારે દાસીએ વચ્ચે પૂછયું કે, એવડા મોટા વૃક્ષને છાયા કેમ ન હોય ? હોવી જ જોઈએ. ત્યારે રાણી બોલી કે, તું જા. અત્યારે મને નિદ્રા આવે છે. કાલે તારા પ્રશ્નનો ઉત્તર આપીશ. એમ કહીને રાણી સૂઈ ગઈ. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ આગમ કથાનુયોગ-૨ - ત્રીજે દિવસે ફરી રાજાને વાર્તામાં શું સમાધાન આવે છે તે જાણવાની જિજ્ઞાસા થઈ. રાજાએ ત્રીજે દિવસે પણ કનકમંજરીને જ રાત્રે સુવાનો ક્રમ આપ્યો. તે દિવસે પણ રાત્રે રાજા ખોટો જ નિદ્રાધીન થઈ ગયો એટલે દાસીએ પૂર્વની જેમ જ પૂછયું – ત્યારે રાણીએ તેને ખુલાસો કર્યો. તે વૃક્ષ કુવા પર હતું. તેથી તેની છાયા કુવામાં પડતી હતી, એટલે પૃથ્વી પર પડતી નહોતી. આ પ્રમાણે કનકમંજરીએ છ મહિના સુધી વાર્તાઓ કહીને રાજાને વશ કરી લીધો. તેથી બીજી રાણીઓ કનકમંજરી ઉપર કોપાયમાન થઈને તેના છિદ્રો શોધવા લાગી. કનકમંજરીને એવો નિયમ હતો કે, હંમેશા એક વખત પોતાનો નિવાસખંડ બંધ કરીને પોતાના પિતાના ઘરના વસ્ત્રો પહેરી, રાજાએ આપેલા ઉત્તમ વસ્ત્રો તથા આભૂષણો કાઢી નાંખીને પૂર્વાવસ્થાનું સ્મરણ કરી પોતાના આત્માની નિંદા કરવી તે આ પ્રમાણે :હે જીવ! તું મદ કરીશ નહીં, દ્ધિનો ગૌરવ કરીશ નહીં, કેમકે કદાચિત્ રાજા કોહવાયેલી કૂતરીની જેમ તને ઘરમાંથી કાઢી મૂકે, માટે તું અહંકાર કરીશ નહીં. આ પ્રમાણેની તેની ચેષ્ટા જોઈને બીજી રાણીઓએ રાજાને કહ્યું કે, હે સ્વામી ! પેલા વૃદ્ધ ચિત્રકારની પુત્રી અને તમારી નવી રાણી કનકમંજરી, જે તમારી માનીતી છે, તે હંમેશા કંઈક કામણ કરે છે, માટે તમે જાતે પ્રમાદનો ત્યાગ કરીને જૂઓ અને અમારી વાતની તમે જાતે ખાતરી કરો, નહીં તો તેણીની ઉપરના મોતના કારણે ક્યારેક તમે કંઈપણ કામ કરવા લાયક રહેશો નહીં. તે સાંભળીને રાજા પોતે પ્રચ્છન્નપણે ત્યાં જોવા માટે ગયો. તે વખતે કનકમંજરીને હંમેશાની માફક પોતાના આત્માને શિખામણ આપતી જોઈ. તેના વચનોને સાંભળીને સંતુષ્ટ થયેલા રાજાએ વિચાર કર્યો કે જ્યારે મારી બીજી રાણીઓ થોડી સંપત્તિ મળતા પણ મદોન્મત્ત થયેલી છે, ત્યારે આ કનકમંજરી આટલી મોટી સમૃદ્ધિ પામ્યા છતાં પણ ગર્વ કરતી નથી. મારી બીજી રાણીઓ ઇર્ષ્યાથી આ રાણીના ગુણને પણ દોષરૂપે જુએ છે. પરંતુ દુર્જનનો એવો સ્વભાવ જ હોય છે. આ પ્રમાણે વિચારીને રાજાએ તેને પટ્ટરાણી પદે સ્થાપી. કોઈ વખતે રાજાએ પટ્ટરાણીની સાથે ધર્મોપદેશ સાંભળીને શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી કાળક્રમે તે ચિત્રકાર પુત્રી કનકમંજરી રાણી ધર્મનું આરાધન કરીને સ્વર્ગ ગઈ. સ્વર્ગમાંથી ચ્યવીને તે વૈતાઢ્ય પર્વત પર દઢશક્તિ રાજાની પુત્રી થઈ. તે પુત્રી જ્યારે યુવાવસ્થા પામી ત્યારે તેના રૂપ અને લાવણ્યથી મોહિત થઈને વાસવ નામનો ખેચર તેનું હરણ કરીને આ પર્વત પર લાવ્યો. અહીં આવીને પોતાના વિદ્યાના બળથી આ પ્રાસાદ બનાવ્યો. પછી તે કન્યાને પરણવાને માટે તૈયાર થયો. તેટલામાં તે કન્યાનો મોટો ભાઈ આવ્યો. પછી વાસવ સાથે તેનું યુદ્ધ થયું. તે યુદ્ધના પરિણામરૂપે તે બંને મૃત્યુ પામ્યા. પોતાના ભાઈને મૃત્યુ પામેલો જોઈને તે કન્યા શોકાતુર થઈ અને અત્યંત વિલાપ કરવા લાગી. તેવામાં કોઈ વ્યંતર દેવ અહીં આવ્યો. આવીને પૂછયું કે, હે કન્યા ! તું શા માટે આટલો બધો વિલાપ કરી રહી છે ? હજી તો તે કન્યા વ્યંતરને દેવને ઉત્તર આપે, તેટલામાં તે કન્યાના પિતા અહીં આવ્યા. તેને આવતા જોઈને તે વ્યંતર દેવે તે કન્યાને શબરૂપ કરી નાંખી. દેઢશક્તિ રાજાએ જ્યારે પોતાના પુત્રને તથા પુત્રીને મૃત્યુ પામેલા Page #336 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – નમ્નતિ કથા ૩૩૫ જોયા ત્યારે તે ઘણાં જ ઉદ્વેગ પામ્યા. સંસારની અસારતા જાણીને તેણે પોતાના હાથે જ સ્વયં લોચ કરી ચારિત્ર અંગીકાર કર્યું. ત્યાર પછી તે વ્યંતર દેવે માયાનું હરણ કરીને તે કન્યાને સચેતન કરી અને તે બંનેએ મુનિને વંદના કરી. પછી જ્યારે તે મુનિએ વ્યંતર દેવને પૂછયું કે, તમે કોણ છો? અને આ કન્યા કોણ છે ? ત્યારે તે કન્યાએ પોતાના ભાઈનો સર્વ વૃત્તાંત તેમને જણાવ્યો. તે સાંભળીને મુનિ બોલ્યા કે, મેં હમણાં તો અહીં ત્રણ શબ જોયેલા હતાં, તે કેમ દેખાતા નથી ? એટલે તે દેવ બોલ્યા કે, મેં તમને મારી વિફર્વેલી માયા બતાવી હતી. તે સાંભળીને દૃઢશક્તિ મુનિએ તે વ્યંતર દેવને પૂછ્યું કે, તમે શા માટે માયા વિકુર્તી હતી ? ત્યારે દેવે તેને ઉત્તર આપ્યો કે, આ કન્યા પૂર્વે એક વૃદ્ધ ચિત્રકારની પુત્રી અને જિતશત્રુ રાજાની રાણી કનકમંજરી હતી. તેણી પરમ શ્રાવિકા હતી. તેણે પોતાના પિતાના મૃત્યુ સમયે પંચનમસ્કાર આદિ વડે તેમની નિર્ધામણા કરાવી હતી. તેથી તે ચિત્રકાર મૃત્યુ પામીને વ્યંતર દેવ થયો, તે હું છું. મેં અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું તો આ મારી પૂર્વભવની પુત્રીને શોકાતુર જોઈ. તેથી પૂર્વભવના સ્નેહને વશ થઈને અહીં આવીને મેં તેણીને આશ્વસ્ત કરી. તેટલામાં મેં તમને આવતા જોયા. એટલે મને એમ થયું કે, હવે આ પુત્રી તો તેના આ ભવના પિતા સાથે જતી રહેશે, તેથી મને તેણીના વિરહ થશે. એમ જાણીને મેં આ કન્યાને ચેષ્ટારહિત કરી દીધી. પછી આપને નિસ્પૃહી થયેલા જોઈને મેં વિકર્વેલી માયાને પાછી ખેંચી લીધી. હે મુનિરાજ ! આપ મને મારા અપરાધ માટે ક્ષમા કરો. ત્યારે મુનિએ કહ્યું કે, તમે તો મને ધર્મપ્રાપ્તિમાં હેતુભૂત થયા છો. તેથી તમે મારા ઉપકારી છો. એમ કહીને મુનિએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. ત્યારે આ વૃત્તાંત સાંભળીને તે કન્યાને જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી તેણી પોતાના પૂર્વભવના પિતા એવા તે દેવને ઓળખી ગઈ. ત્યાર પછી તે કન્યાએ તેના પિતા એવા વ્યંતર દેવને પૂછયું કે, હે પિતા ! મારો પતિ કોણ થશે ? ત્યારે તે દેવે અવધિજ્ઞાનના ઉપયોગ વડે જાણીને મને કહ્યું કે, હે પુત્રી ! તારો પૂર્વભવનો પતિ સ્વર્ગથી ચ્યવીને સિંહરથ નામે રાજા થયેલો છે, તે અશ્વ વડે હરણ કરાઈને અહીં આવશે અને તે જ તારો પતિ થશે. માટે ધીરજ રાખીને તું અહીં રહે. આ પ્રમાણે પોતાની પ્રિયાના મુખેથી સમગ્ર કથન સાંભળીને સિંહરથ રાજાને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે સંદેહરહિત થઈ ગયો. પછી તે સ્ત્રીની સાથે રાજા ત્યાં એક માસ પર્યત ભોગ ભોગવતો સુખેથી રહ્યો. કોઈ વખતે તે રાણીએ કહ્યું કે, હે સ્વામી ! તમારું નગર અહીંથી ઘણે દૂર છે, માટે તમે મારી પાસેથી પ્રજ્ઞપ્તિ વિદ્યાને ગ્રહણ કરો અને તેની સાધના કરો. સિંડરથ રાજાએ પણ તેણીના વચનને અંગીકાર કર્યું. પછી તેણીની પાસેથી પ્રજ્ઞપ્તિ વિદ્યાને ગ્રહણ કરી. ત્યાર પછી વિધિપૂર્વક તે વિદ્યાની સાધના કરી, વિદ્યા સિદ્ધ થઈ ગયા બાદ આકાશ માર્ગ તે રાજા પોતાના નગરમાં આવ્યો. ત્યાંથી પાછો તે પર્વત પર આવ્યો. એવી રીતે સિંહરથ રાજા વારંવાર પર્વત ઉપર જતો અને પોતાના નગરમાં પાછો Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ આગમ કથાનુયોગ-૨ આવતો હતો. તેથી લોકોએ નમ્ અર્થાત્ પર્વત અને “પર્વત પર જેની ગતિ છે તેવો” એવા અર્થમાં સિંહરથ રાજાનું નામ “નતિ" એવું પાડી દીધું. જ્યારે તે વિદ્યાધર પુત્રી કનકમાળા તો તે વ્યંતર દેવના કહેવાથી તે પર્વત ઉપર જ રહી. તેથી નગ્નતિ રાજાએ ત્યાં નવું નગર વસાવ્યું. કોઈ વખતે કાર્તિક પૂર્ણિમાનો દિવસ આવ્યો. તે દિવસે રાજા નગ્નતિ રમવાડીએ જવા નીકળ્યો. ત્યાં નવીન પલ્લવોથી રક્ત અને માંજરોથી પીત દેખાતો એવો એક સદા ફળથી યુક્ત રહેતો છત્રાકાર આમ્રવૃક્ષ જોયો. તે મનોહરવૃક્ષની એક માંજર રાજાએ માંગલિક માટે ગ્રહણ કરી અને ત્યાંથી આગળ ચાલ્યો. તેને અનુસરતા આખા સૈન્યએ પાછળથી તે વૃક્ષના પાંદડા, પલ્લવ, માંજર જે કંઈ હાથમાં આવ્યું તેને–તેને ગ્રહણ કર્યું. પરિણામે તે મનોહર લાગતું અને નિત્ય પલ્લવિત એવું તે વૃક્ષ ઠુઠારૂપ થઈ ગયું. થોડો વખત પછી રાજા રયવાડીથી પાછો ફરતા તે જ સ્થળે આવ્યો, જ્યાં પૂર્વે મનોહર-રમણીય એવું આમ્રવૃક્ષ હતું. ત્યારે ત્યાં ઝાડનું ઠુંઠું જોઈને તેણે મંત્રીને પૂછ્યું કે, આપણે રમવાડીએ નીકળ્યા ત્યારે તો અહીં આંબાનું નિત્ય પલ્લવિત એવું સુંદર વૃક્ષ હતું. અચાનક તે ક્યાં ગયું ? ત્યારે મંત્રીએ રાજાને ઠુંઠું બતાવીને કહ્યું કે, આ તે જ આમ્રવૃક્ષનું ઠુંઠું છે, જે આપે પહેલા જોયું હતું. તે જોઈને રાજા નગ્ગતિએ ફરી પૂછયું કે, તે આવું કેમ થઈ ગયું ? ત્યારે તે મંત્રીએ ઉત્તર આપ્યો કે, હે સ્વામી ! આ વૃક્ષની એક મંજરી પ્રથમ આપે ગ્રહણ કરી, ત્યાર પછી સૈન્યના સર્વ લોકોએ તેના પત્ર, પુષ્પ, ફળ, માંજર વગેરે લીધા. એ રીતે ચોર જેમ ધનિકની લક્ષ્મીનો વિનાશ કરી નિર્ધન કરી નાખે તેમ આ વૃક્ષને શોભારહિત કરી દીધું. તે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે, અહો આ શોભા (લક્ષ્મી) પણ કેવી ચંચળ છે? જુઓ આ અદ્ભુત શોભાવાળુ આમ્રવૃક્ષ ક્ષણવારમાં તો શોભારહિત થઈ ગયું. જે પ્રથમ જોતાની સાથે જ રમણીય લાગતું હતું તે ક્ષણાંતરમાં જ વમન કરેલા ભોજનની જેમ જોવા યોગ્ય પણ રહ્યું નથી. જેમ જળના બુબુદો અને સંધ્યા સમયની કાંતિ સ્થિર રહેતા નથી, તેમ સર્વ સંપત્તિઓ પણ અસ્થિર છે એમ નિશ્ચય થાય છે. આ પ્રમાણે વિચાર કરીને સ્વયં આપમેળે કેશનો લોચ કરી, દેવતાએ આપેલ મુનિવેષ ધારણ કરીને ગાંધાર દેશના રાજા નગ્ગતિએ પ્રવજ્યા ગ્રહણ કરી અને તેઓએ પ્રત્યેક બુદ્ધ થઈને ત્યાંથી પૃથ્વી પર વિચરણ કર્યું. એ રીતે મનને અભિરામ (રમણીય) એવા મંજરી, પલ્લવ, પુષ્પસહિતના આમ્રવૃક્ષની ઋદ્ધિસહિતતા અને ઋદ્ધિરહિતતાને સમ્યક્ પ્રકારે જોઈને ગંધાર રાજા નગ્નતિ પણ બોધ પામ્યા અને તેણે – પ્રત્યેક બુદ્ધ થઈ – ચારિત્ર ધર્મ અંગીકાર કર્યો. ૦ આગમ સંદર્ભ :આવ.ભા. ૨૧૧, ૨૧ર + ; આવ.ચૂં.ર-પૃ. ૨૦૮; ઉત્ત. ૬૦૫; ઉત્ત.નિ. ર૬૪, ૨૫, ૨૭૪ + વૃ; ઉત્ત.અધ્ય. ૯ત્ની ભાવ.વૃ; — — — Page #338 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – કરકંડુ આદિનો મોક્ષ ૦ કરકંડૂ આદિ ચાર પ્રત્યેક બુદ્ધનો મોક્ષ : કલિંગ દેશમાં કરકંડૂ રાજા, પાંચાલ દેશમાં દ્વિમુખ રાજા, વિદેહ દેશમાં નમિરાજા અને ગાંધાર દેશમાં નગૃતિ રાજા થયા. આ ચારે રાજાઓ પુષ્પોત્તર વિમાનથી એક કાળે ચ્યવ્યા. સમકાળે જ પ્રવ્રજ્યા લીધી, સમકાળે મોક્ષે ગયા. (જે ચારે પ્રત્યેક બુદ્ધનું ચરિત્ર ઉપરોક્ત કથાનકોમાં વર્ણવાયેલ છે.) આ ચારે રાજર્ષિઓ વિચરણ કરતા કોઈ વખતે ક્ષિતિપ્રતિષ્ઠત નગરમાં આવ્યા. ત્યાં ગામની બહાર કોઈ એક યક્ષનું ચાર દ્વારવાળું ચૈત્ય હતું. તેમાં પૂર્વાભિમુખે જંતરની પ્રતિમા હતી. આ દેવકુલમાં પહેલા પૂર્વના દ્વારેથી કરકંડૂ રાજર્ષિએ પ્રવેશ કર્યો. પછી દક્ષિણના દ્વારેથી દ્વિમુખ રાજર્ષિએ પ્રવેશ કર્યો. તે વખત ત્યાં પ્રતિમામાં રહેલા વ્યંતરે વિચાર કર્યો કે, હું સાધુથી પરાસ્મુખ કેમ રહું ? એમ વિચારીને તે વ્યંતરે દક્ષિણ તરફ પણ પોતાનું મુખ કર્યું. 339 ત્યાર પછી નમિરાજર્ષિએ પશ્ચિમના દ્વારેથી પ્રવેશ કર્યો. એટલે તે વ્યંતરે પોતાનું ત્રીજું મુખ વિકુર્વી તેની સન્મુખ રહ્યો. ત્યાર પછી ઉત્તરના દ્વારેથી નગતિ રાજર્ષિએ પ્રવેશ કર્યો ત્યારે વ્યંતરે તે તરફ પણ પોતાનું ચોથું મુખ કર્યું. આ પ્રમાણે ચારે પ્રત્યેકબુદ્ધ મુનિઓએ ચાર અલગ-અલગ દ્વારેથી પ્રવેશ કરતા, તે વ્યંતરે પણ ચારે તરફ પોતાના મુખ કર્યા અને તે ચતુર્મુખ થયો. ત્યાં રહેલા કરકંમુનિને બાળપણથી જ લુખી ખરજ હજી સુધી પણ દેહમાં હતી, તેથી શરીરે ખરજ આવવાથી તેણે ખરજ ખણવાનું અધિકરણ લઈને ખરજ ખણી – બંને કાનને ખણ્યા. પછી તે અધિકરણને ગોપવીને મૂક્યું. તે દ્વિમુખ મુનિ જોઈ ગયા. તે જોઈને દ્વિમુખ મુનિ બોલ્યા કે, હે કરકંડૂ મુનિ ! તમે રાજ્ય, રાષ્ટ્ર, અંતઃપુર આદિ સર્વે વસ્તુઓનો ત્યાગ કર્યો છે, ત્યારે આટલી ખરજ ખણવાના અધિકરણનો શા માટે સંચય (પરિગ્રહ) રાખો છો ? તે સાંભળીને હજી તો કરકંડૂમુનિએ તેને કોઈ પ્રત્યુત્તર ન આપ્યો, તેટલામાં નમિમુનિ આ પ્રકારના વચનો તુરંત જ બોલ્યા, હે દ્વિમુખમુનિ ! તમે પૈતૃક–રાજ્ય આદિ સર્વ કાર્યનો ત્યાગ કરીને નિર્પ્રન્થ થયેલા છો, ત્યાં તો તમે બીજાના કાર્યો જોતા હતા, તેનો તમે ત્યાગ કર્યો છે, તો હવે ફરી બીજાના કાર્ય જોનારા કેમ થાઓ છો ? અર્થાત્ અન્યના દોષ જોઈ જ રહ્યા છો તેનું શું ? તે તમારા જેવા નિઃસંગને યોગ્ય નથી. તે સાંભળીને દુર્ગતિરહિત થયેલા નગતિમુનિ બોલ્યા કે, હે મુનિ ! તમે એમને કહો છો, પણ જ્યારે તમે સર્વનો ત્યાગ કરીને મોક્ષને માટે જ ઉદ્યમી થયા છો, ત્યારે ફોગટ અન્યની નિંદા શા માટે કરો છો ? તે શું તમારે માટે યોગ્ય છે ? આ બધો જ સંવાદ સાંભળીને કરકંડૂમુનિ બોલ્યા કે, હે મુનિઓ ! મોક્ષમાર્ગ પ્રતિપત્ર (મોક્ષની ઇચ્છાવાળા) બ્રહ્મચર્યને ધારણ કરનાર સાધુને અહિતથી અટકાવનાર સાધુને નિંદક કહેવા કોઈપણ રીતે યોગ્ય નથી કેમકે— ક્રોધથી (રોષથી) બીજાનો દોષ કહેવામાં આવે તો તે નિંદા કહેવાય છે. આવા પ્રકારની નિંદા મોક્ષમાર્ગને અનુસરનારા કોઈપણ મુનિએ કરવી જોઈએ નહીં. પરંતુ Jain ૨/૨૨ | International Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ આગમ કથાનુયોગ-૨ હિતબુદ્ધિથી જે શિક્ષા આપવામાં આવે તે નિંદા કહેવાતી નથી. માટે તેવી શિક્ષા સામો વ્યક્તિ કોપ કરે તો પણ આપવી જોઈએ. તેથી જ કહ્યું છે કે સામી વ્યક્તિ કોપ કરે અથવા કોપ ન કરે, ચાહે તે વાત વિષ સમાન કડવી લાગે, તો પણ શત્રુને ગુણ કરે તેવી હિતકારી ભાષા અવશ્ય બોલવી જોઈએ. આ પ્રમાણે કરકંડૂમુનિએ આપેલો ઉપદેશ બાકીના ત્રણ પ્રત્યેકબુદ્ધ મુનિઓએ હર્ષપૂર્વક સ્વીકાર્યો. ત્યાર પછી કરકંડ્રમુનિએ શરીરે ખણવાના અધિકરણનો ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કર્યો. તે સંપૂર્ણ નિઃસ્પૃહી થયા. ત્યારથી ખરજ આવે તે વખતે પણ તેને ખણવારૂપ તેનો સત્કાર તજી દીધો. દ્વિમુખમુનિએ પણ વિચાર્યું કે, મેં સાધુ થઈને પણ કરકંડૂમુનિને ખંજવાળતા જોઈ તેની નિંદા કરી, તે મેં અયોગ્ય પ્રવૃત્તિ કરેલી છે. માટે મારે પણ આજથી સમભાવ કેળવવો. આ પ્રમાણે ચારે પ્રત્યેક બુદ્ધ મુનિઓએ પોતપોતાના વચનને સમતારહિત એવું અયોગ્ય માનીને વિશેષે સમભાવને ધારણ કર્યો. પછી તે ચારે મુનિઓએ યથારુચિ ત્યાંથી વિહાર કર્યો. છેવટે તે ચારે સમકાળે જ કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. – ૪ — — — ૦ શેષ કથાનક આગમ સંદર્ભ :આવ.ભા. ૨૧ની વૃ ઉત્ત.નિ. ૨૭૦, ૨૭૬ થી ૨૭૯ની લૂ — — — — — — Page #340 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – ઋષિભાષિત મુજબ ૩૩૯ ૦ ઋષિભાષિત પયન્ના અનુસાર પ્રત્યેક બુદ્ધો : (પારમાર્થિક ભાવથી જેમને આત્મબોધની – જ્ઞાનની સ્વયં પ્રાપ્તિ થઈ હોય તેમને પ્રત્યેક બુદ્ધ કહેવામાં આવે છે, જે માટે ઋષિભાષિત પયત્રામાં પીસ્તાળીશ અધ્યયન છે. પ્રત્યેક અધ્યયન અલગઅલગ પ્રત્યેક બુદ્ધનો નિર્દેશ કરે છે. જો કે વીસમા અધ્યયનના પ્રરૂપક એવા પ્રત્યેક બુદ્ધનો નામોલ્લેખ પ્રાપ્ત નથી. બાકીના પ્રત્યેક બુદ્ધને અમે અમારાદિ ક્રમે અહીં નોંધેલ છે) * કયા ભગવંતના તીર્થમાં કયા પ્રત્યેક બુદ્ધ થયા તે તેમના ક્રમાનુસાર કરેલું અમારું અનુમાન છે. (૧) અંગિરસ ભારદ્વાજ :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં આ પ્રત્યેકબુદ્ધ થયા. જેનો ક્રમ ઋષિભાષિતમાં ચોથો છે તેનું નામ અંગરિસિ કે અંગિરિસિ પણ જોવા મળે છે. (શ્રમણ કથામાં પણ અંગર્ષિની કથા નોંધેલી છે. તે આ જ પ્રત્યેકબુદ્ધ છે કે બીજા મુનિ છે તે બહુશ્રુતે નક્કી કરવું) (૨) આર્તક :- ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં અઠાવીસમાં પ્રત્યેક બુદ્ધરૂપે થયો છે. (કદાચ તે ભ, મહાવીરના શાસનવાળા આદ્રક પણ હોય - કેમકે સૂયગડાંગ સૂત્ર ૭૩૮ની વૃત્તિમાં આર્દ્રકુમારનો પ્રત્યેકબુદ્ધ તરીકે ઉલ્લેખ છે જ.) (૩) અદાલક :- ભગવંત પાર્થના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિત્તમાં પાત્રીશમાં પ્રત્યેકબદ્ધરૂપે થયો છે. તેને ઔદ્દાલક પણ કહે છે. (૪) અંબઇ :- ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલા એક પરિવ્રાજક, જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં પચ્ચીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. તેમને જોગંધરાયણ નામના વ્યક્તિ સાથે સંવાદ થયેલો હતો. (૫) અરુણ :- મહાશાલના પુત્ર અને ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં તેત્રીશમાં પ્રત્યેક બુદ્ધ રૂપે થયેલો છે. (૬) અસિતદવિલ :– ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં ત્રીજા પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. તેનો અસિઅદેવલ નામે પણ ઉલ્લેખ જોવા મળેલ છે. (૭) આર્યાયણ - ભગવંત-અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ, જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં ઓગણીસમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. * (૮) ઇન્દ્રનાગ :- ભગવંત મહાવીરના તીર્થમાં થયેલા એક બાલતપસ્વી પરિવ્રાજક, જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં એકતાલીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (તેમનું કથાનક આ અધ્યયનમાં જ આગળ આપેલ છે.) (૯) ઋષિગિરિ :- ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલ એક બ્રાહ્મણ પરિવ્રાજક, જેમનો ઉલ્લેખ ચોત્રીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૧૦) ઉત્કલવાદી :- (ખરેખર આ નામ નથી, કેમકે વીસમાં અધ્યયનના પ્રરૂપકનું નામ પ્રાપ્ત થતું નથી. માત્ર પાંચ પ્રકારના ઉત્કલની તેના અધ્યયનમાં પ્રરૂપણા કરાયેલી હોવાથી તેને ઉત્કલવાદીરૂપે ઓળખાવેલ છે.) ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં થયા. જેમનો ઉલ્લેખ (નામથી નહીં પણ અધ્યયન Page #341 -------------------------------------------------------------------------- ________________ 3४० આગમ કથાનુયોગ-૨ આધારે કર્યો છે) ઋષિભાષિતમાં વીસમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૧૧) કૂર્માપુત્ર :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક સાધુ, જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં સાતમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. (૧૨) કેતલિપુત્ર :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક સાધુ જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં આઠમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. (૧૩) જમ/યમ:- ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં તેતાલીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૧૪) જજ્ઞવલ્કયાજ્ઞવલ્કય :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં બારમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૧૫) તરુણ :– ભગવંત પાર્થના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં એકવીસમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. તેઓ ગાથાપતિપુત્ર હતા. સૂટ (૧૬) તેતલિપુત્ર :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં દશમાં પ્રત્યેક બુદ્ધરૂપે થયો છે તેનો તેતલિસુત નામે પણ ઉલ્લેખ છે. બીજા મતે (આવશ્યક ચૂર્ણિ પૃ. ૫૦૧ મુજબ) પોટ્ટિલા કથાનકવાળા તેતલિપુત્ર જ આ પ્રત્યેકબુદ્ધ તેતલિપુત્ર જાણવા (કથા જુઓ તેતલિપુત્ર) (ઋષિભાષિત અધ્ય.૧૦ કે આવ.નિ. ૮૭૮ બંનેમાં પોટિલા સંબંધી જ કથા છે માટે બંને તેતલિપત્ર એક જ હોય) (૧૭) દગભાલ–ગર્દભાલ :- ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલા એક અજાતીર્થિક સાધુ. તેને ગર્દભ કે ગર્દભાલ નામે પણ ઓળખાવેલ છે. પરંતુ ઋષિભાષિતના બાવીસમાં અધ્યયનની પહેલી ગાથામાં તેનો દગભાલ નામે પણ ઉલ્લેખ છે. તેઓ ઋષિભાષિતના ઉલ્લેખ પ્રમાણે બાવીસમાં પ્રત્યેકબુદ્ધ થયા. (૧૮) કૈપાયન :-- ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ એક બ્રાહ્મણ પરિવ્રાજક, જેમનો ઉલ્લેખ ચાલીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે ઋષિભાષિતમાં થયેલો છે. (તેની લઘુકથા આગળ આપેલ છે.) # (૧૯) નારદ :– ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ, જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં પહેલા પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. તેને દેવનારદ પણ કહે છે. આવશ્યક સૂત્રના વૃત્તિકાર મહર્ષિએ પણ તેનો પ્રત્યેકબુદ્ધ રૂપે ઉલ્લેખ કરેલ છે. (તેમનું કથાનક આગળ આપેલ છે.) (૨૦) પાર્થ :– ભગવંત પાર્થના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ – ઋષિભાષિતમાં એકત્રીશમાં પ્રત્યેક બુદ્ધરૂપે થયેલો છે. (૨૧) પિંગ :- ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલ એક બ્રાહ્મણ પરિવ્રાજક. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં બત્રીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૨૨) પુષ્પશાલપુત્ર :– ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં પાંચમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. તેને પુષ્પશાલ પણ કહે છે. # (૨૩) બાહુક - ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક Page #342 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ ઋષિભાષિત મુજબ સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં ચૌદમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે (તેની લઘુકથા આગળ આપેલ છે) (૨૪) ભયાલિ :– ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં તેરમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. (૨૫) મંખલિપુત્ર :– ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં અગિયારમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. (૨૬) મધુરાયણ :– ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં પંદરમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. (૨૭) મહાકાશ્યપ :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં નવમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૨૮) માતંગ :– ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલ એક અન્યતિર્થિક સાધુ, જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં છવ્વીસમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. (૨૯) રામપુત્ર :- ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ, જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં તેવીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. * (૩૦) વક્કલ/વલ્કલ :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ, જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં છટ્ઠા પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. તેને વલ્કલચિરિ પણ કહે છે. (આવશ્યક ચૂર્ણિ--૧–પૃ. ૪૫૯ પર વલ્કલચિરિને પ્રત્યેકબુદ્ધ કહેલા છે. અલબત ત્યાં ભગવંત મહાવીરના શાસનમાં તે વલ્કલચિરિ થયાનો ઉલ્લેખ છે કથા આગળ આપેલ છે.) (૩૧) વજ્જિતપુત્ર :– ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ, જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં બીજા પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૩૨) વર્ધમાન :– ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં ઓગણત્રીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. (૩૩) વરુણ :– ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં ચુંમાલીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૩૪) વર્ષકૃષ્ણ :– ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં અઢારમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. તેને વરિસકÇ કે વાર્ષગણ્ય પણ કહે છે. ૩૪૧ ---- (૩૫) વાયુ :– ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં ત્રીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. * (૩૬) વાત્રક :– ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં સત્તાવીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલ છે. (જેની કથા આગળ આપેલ છે.) તેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં ‘વારત્તય' નામે છે, આવશ્યક, નિશીથભાષ્ય, બૃહત્કલ્પભાષ્ય, પિંડનિર્યુક્તિ આદિમાં વરત્તા નામે થયેલો છે. આવશ્યક ચૂર્ણિમાં વારત્નગ નામેથયો છે. (૩૭) વિત્ત તારાયણ :– ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ એક અન્ય તીર્થિક Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ આગમ કથાનુયોગ-૨ સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં છત્રીશમાં પ્રત્યેક બુદ્ધરૂપે થયેલો છે. (૩૮) વિદુ :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ, જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં સત્તરમાં પ્રત્યેકબુદ્ધ રૂપે છે. તેમને વિજ્ઞ પણ કહે છે. (૩૯) વૈશ્રમણ :- ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં પીસ્તાળીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૪૦) શૌર્યાયણ :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ અન્યતીર્થિક સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં સોળમાં પ્રત્યેકબુદ્ધ રૂપે છે. તેને શૌર્માણ પણ કહે છે. (૪૧) શ્રીગિરિ :- ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ એક બ્રાહ્મણ પરિવ્રાજક તેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં સાડત્રીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૪૨) સંજય :- ભગવંત મહાવીરના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ, તેમનો ઉલ્લેખ ઓગણચાલીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૪૩) સોમ :- ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. તેમનો ઉલ્લેખ તેતાલીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૪૪) સ્વાતિપુત્ર બુદ્ધ :- ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ, તેમનો ઉલ્લેખ આડત્રીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલ છે. તે બુદ્ધના અનુયાયી હતા. (૪૫) હરિગિરિ :- ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ, તેમનો ઉલ્લેખ ચોવીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે ઋષિભાષિતમાં થયેલો છે. * ખાસ નોંધ :- ઉક્ત પીસ્તાળીશ પ્રત્યેકબુદ્ધ કોના–કોના શાસનમાં થયા તેનો ક્રમ અમે ઋષિભાષિત સંગ્રહણી પરથી અનુમાનિત કર્યો છે. પણ તેમજ છે એવું નિશ્ચયથી કહી શકાય નહીં. ૦ આગમ સંદર્ભ :- ઋષિભાષિત સંગ્રહણી ગાથા ૧ થી ૬ – X X – ઋષિભાષિત પયન્ના સૂત્રમાં આ પિસ્તાલીશ ઋષિઓના ઉપદેશ રૂપ પિસ્તાલીશ અધ્યયનો છે તેમાં ભગવંત નેમિનાથના શાસનમાં વીશ પ્રત્યેકબુદ્ધ થયા, ભગવંત પાર્શ્વનાથના શાસનમાં પંદર પ્રત્યેકબુદ્ધ થયા અને ભગવંત મહાવીરના શાસનમાં દશ પ્રત્યેકબુદ્ધ થયા હતા. જેમના ક્રમશઃ નામ આ પ્રમાણે છે : ૧. નારદ, ૨. વજ્જિત પુત્ર, ૩. અસિતદવિલ, ૪. અંગરિસિ, ૫. પુષ્પશાલપુત્ર, ૬. વલ્કલગીરી, ૭. કૂમપુત્ર, ૮, કેતલિપુત્ર, ૯. મહાકાશ્યપ, ૧૦. તેતલિપુત્ર, ૧૧. પંખલિપુત્ર, ૧૨. યજ્ઞવલ્ક, ૧૩. ભયાલિ, ૧૪. બાહુક, ૧૫. મધુરાયણ, ૧૬. શૌર્યાયણ, ૧૭. વિદુ, ૧૮. વરિસક૭, ૧૯. આર્યાયણ, ૨૦. (ઉત્કલવાદી). ૨૧. તરુણ, ૨૨. ગર્દભ, ૨૩. રામપુત્ર, ૨૪. હરિગિરિ, ૨૫. અંબર, ૨૬. માતંગ, ર૭. વાત્રક, ૨૮. આર્દક, ૨૯. વર્તમાન, ૩૦. વાયુ, ૩૧. પાર્થ, [૩૨. પિંગ, ૩૩. અરુણ, ૩૪. ઋષિગિરિ, ૩૫. ઔદ્દાલક. ૩૬. વિત્ત, ૩૭. શ્રીગિરિ, ૩૮. સ્વાતિપુત્રબુદ્ધ, ૩૯. સંજય, ૪૦. દ્વૈપાયન, ૪૧. ઇન્દ્રનાગ, ૪૨. સોમ, ૪૩. યમ, ૪૪. વરુણ. ૪૫. વૈશ્રમણ. – ૪ – ૪ – Page #344 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – ઇન્દ્રનાગ કથા ૩૪૩ ૦ પ્રત્યેકબુદ્ધ ઇન્દ્રનાગ કથા : વસંતપુર નામે (જિર્ણપુર નામે) એક નગર હતું. ત્યાં એક શ્રેષ્ઠિનું ઘર હતું. ત્યાં મારિનો ઉપદ્રવ થયો. ઇન્દ્રનાગ નામે એક બાળક હતો. તે એક જ શ્રેષ્ઠિના ઘરમાં બયેલો. તે ભૂખ્યો થયો – બિમાર હતો. તેને પાણીની તરસ લાગી. તેણે જોયું કે, ઘરમાં બધાં મૃત્યુ પામેલા છે. લોકોએ બારણાને કાંટા વડે ઢાંકી દીધું હતું, ત્યારે ઇન્દ્રનાગ એક નાના છિદ્રમાંથી નીકળ્યો. નીકળીને તે નગરમાં ભિક્ષા મેળવવા ભ્રમણ કરવા લાગ્યો. આ આપણા ગામનો પુત્ર છે એમ માનીને લોકો તેને ભિક્ષા આપતા હતા. એ રીતે તે બાળક મોટો થવા લાગ્યો. આ તરફ એક સાર્થવાહ રાજગૃહ જવાને ઇચ્છતો હતો, તેણે ઘોષણા કરાવી કે, જેને સાથે આવવું હોય તે આવે. ઇન્દ્રનાગે આ ઘોષણા સાંભળી, તે સાર્થની સાથે ચાલ્યો. ત્યાં સાર્થમાં તેને ભાત પ્રાપ્ત થયા. તેણે તેનું ભોજન કર્યું. તેને તે ભોજન પચ્યું નહીં. બીજે દિવસે પણ તે સાથે રહ્યો. સાર્થવાહે તેને જોયો. સાર્થવાહને વિચાર આવ્યો કે, નક્કી આને ઉપવાસ લાગે છે. નક્કી તે અવ્યક્ત લિંગ-તપસ્વી લાગે છે. બીજે દિવસે સાથે ભ્રમણ, કરતા શ્રેષ્ઠીએ તેને ઘણું જ સ્નિગ્ધ ભોજન આપ્યું. ત્યાર પછી તે બે દિવસ અજીર્ણ વડે રહ્યો. સાર્થવાહે વિચાર્યું કે, આ બે દિવસે ભોજન કરનાર લાગે છે. તેને ઇન્દ્રનાગ પરત્વે ઘણી શ્રદ્ધા જન્મી. તે ત્રીજે દિવસે સાર્થની સાથે ચાલતો હતો. ત્યારે તેને સાર્થવાહે બોલાવ્યો. કેમ તું કાલે આવ્યો નહીં ? એ પ્રમાણે પૂછ્યું ત્યારે તે મૌનપૂર્વક ઊભો રહ્યો. સાર્થવાહે કહ્યું કે, હું જાણું છું કે તે છઠ કરેલો છે. ત્યાર પછી તેને ભોજન આપ્યું. ત્યાર પછી બે દિવસ તે એ જ રીતે રહ્યો. લોકોએ પણ તેને બહુમાન આપ્યું. બીજા કોઈપણ તેને નિમંત્રણ આપતા તો ઇન્દ્રનાગ તેનું નિમંત્રણ સ્વીકારતો ન હતો. ત્યારે લોકો એ પ્રમાણે કહેવા લાગ્યો કે, આ એકપિંડિક છે અર્થાત એક જ જગ્યાનું (એક જ વ્યક્તિનું) ભોજન કરનાર છે. તેનાથી તેને અર્થપદની પ્રાપ્તિ થઈ. વણિકો કહેવા લાગ્યા કે, તું બીજાને ત્યાંથી પારણું અર્થાત્ ભોજન ગ્રહણ કરતો નહીં. જ્યાં સુધી આપણે નગરમાં પહોંચીએ, ત્યાં સુધી અમે તને ભોજન આપીશું. ત્યાર પછી તેઓ નગરે પહોંચ્યા. ત્યાર પછી તેણે પોતાના ઘેર એક મઠ બનાવ્યો. ત્યારે તેણે પોતાના મસ્તકનું મુંડન કરાવ્યું. પછી કાષાયિક અર્થાત્ ભગવા વસ્ત્રો ધારણ કર્યા. ત્યાર પછી તે લોકોમાં (પરિવ્રાજક રૂપે) વિખ્યાત થઈ ગયો. ત્યાર પછી લોકો તેને પોતાને ઘેર બોલાવતા ન હતા. ત્યારે જે દિવસે તેને પારણું હોય, તે દિવસે લોકો તેના માટે ભોજન લઈને તેને ત્યાં આવવા લાગ્યા. તે ફક્ત કોઈ એક જ વ્યક્તિના લાવેલા ભોજનનો સ્વીકાર કરતો હતો. ત્યારે લોકો જાણતા ન હતા કે, કઈ વ્યક્તિના ભોજનનો ઇન્દ્રનાગ પરિવ્રાજક સ્વીકાર કરવાનો છે. ત્યારે લોકોએ જાણકારીને માટે એક ભેરી બનાવી. જે ભોજન આપે તે ભરીને વગાડતા, તે સાંભળીને લોકો ત્યાં પ્રવેશ કરતા અને સમય પ્રમાણે ચાલ્યા જતા હતા. કોઈ વખતે ભગવંત મહાવીર સ્વામી સમવસર્યા ત્યારે સાધુઓને ઉપાલંભ આપતા ઇન્દ્રનાથે કહ્યું કે, મુહુર્ત માત્ર માટે તમે એષણારહિત રહો. ભોજનરહિત રહો) ત્યાર Page #345 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ પછી ભોજન કરો છો તેણે ગૌતમસ્વામીને પણ કહ્યું કે, ઓ ! અનેક પિંડિકા (અનેક ઘરનું ભોજન કરનારા) ! મારું વચન સાંભળો. તમે એકપિંડિક – (એક ઘરનું ભોજન કરનારને) જોવા ઇચ્છો છો. એ પ્રમાણે ગૌતમસ્વામીને કહેતો તે રોષાયમાન થયો અને બોલ્યો કે– તમે સાધુઓ અનેક સેંકડો પિંડનો (ઘણાં બધાં ગૃહમાંથી પ્રાપ્ત કરેલ ભોજનનો) આહાર કરનારાઓ છે, જ્યારે હું ફક્ત એક પિંડ (એક જ ગૃહનું ભોજન) કરનારો છું. તેથી હું એકજ માત્ર એકપિંડિક છું. ગૌતમસ્વામી સાથે સંવાદ કર્યા બાદ, મુહૂર્ત અન્તર પશ્ચાત્ ઉપશાંત ચિત્તે ઇન્દ્રનાગ પરિવ્રાજક વિચારવા લાગ્યો કે, આ સાધુઓ જે અનેક પિંડિકપણાનો (અનેક ગૃહમાંથી પ્રાપ્ત કરેલ આહારનું ભોજન કરવાનો) જે ઉપદેશ આપી રહ્યા છે, તે જ પ્રમાણે પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેઓ અસત્ય બોલતા નથી, તેમનો ઉપદેશ સમ્યક્ જણાય છે. પણ આમ કેમ હોઈ શકે ? ૩૪૪ તેને પૂર્વભવની સ્મૃતિ થઈ, જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. તેણે મનોમન સંકલ્પ કર્યો કે, હું પણ અનેકપિંડિક થઈશ. (એક ગૃહને બદલે હવે હું પણ અનેક ઘેરથી થોડો-થોડો આહાર મેળવીને ભોજન કરીશ) જે દિવસે મારે તપનું પારણું હશે તે દિવસે અનેક—શત પિંડને ગ્રહણ કરીશ. અકૃત—અકારિત એવું ભોજન કરીશ અર્થાત્ મારા નિમિત્તે કરાયેલ કે કરાવાયેલ આહારને હવે હું ગ્રહણ કરીશ નહીં. આ સાધુઓ સત્ય પ્રરૂપણા કરી રહ્યા છે. આ પ્રમાણે ચિંતવતા ઇન્દ્રનાગ પરિવ્રાજકને જાતિસ્મરણ જ્ઞાન થતા તે પ્રત્યેકબુદ્ધ થયા. તેને બોધિની પ્રાપ્ત થઈ, દેવતા દ્વારા અર્પિત કરાયેલ લિંગ-સાધુવેશને ગ્રહણ કર્યો, આ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. ઋષિભાષિત અધ્યયનમાં જણાવે છે કે, એ રીતે આ પ્રત્યેકબુદ્ધ સિદ્ધિપદને પામ્યા યાવત્ સર્વ દુ:ખથી મુક્ત થયા. તેઓ ભગવંત મહાવીરના તીર્થમાં થયેલા હતા. બાલ (અજ્ઞાન) તપસ્વી હોવા છતાં, તેઓ સામાયિકને પામ્યા અને પ્રત્યેકબુદ્ધપણાંને પામી સિદ્ધત્વને ઉપલબ્ધ કર્યું. ૦ આગમ સંદર્ભ : આયા.ચૂ.પૃ. ૧૨, ૧૩૪, ૧૩૯; આ.નિ. ૮૪૬; . આવ.યૂ.૧-૧ ૪૬૬; X પ્રત્યેકબુદ્ધ ધર્મરુચિ કથા : વસંતપુર નામનું એક નગર હતું. તે નગરમાં રાજા જિતશત્રુ રાજ્ય કરતો હતો. તે જિતશત્રુ રાજાને એક સુંદર પત્ની (રાણી) હતી. તેનું નામ ધારિણી હતું. જિતશત્રુ અને ધારિણી સુખે કરીને ભોગ ભોગવતા પોતાનો કાળ નિર્ગમન કરી રહ્યા હતા. તેમને એક પુત્ર થયો તેનું નામ ધર્મરુચિ પાડવામાં આવ્યું. X આયા.મૂ. ૧૩૯ ની ; આવ.નિ. ૮૪૭ ની વ્; જ્યારે જિતશત્રુ રાજા સ્થવિર (ઉંમરવાના) થયો, ત્યારે તેને પ્રવ્રુજિત થવાની (સંન્યાસી થવાની) ઇચ્છા થઈ, તેથી તેના મનમાં એવો વિચાર આવ્યો કે, હું મારા પુત્ર (યુવરાજ) ધર્મરુચિને રાજ્યનો ભાર સોંપીને સંન્યાસ ગ્રહણ કરું. જ્યારે યુવરાજ ધર્મરુચિને એ વાતની ખબર પડી કે તેના પિતા (રાજા જિતશત્રુ) રાજ્યનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરવાની ઇચ્છા કરી રહ્યા છે, ત્યારે તેણે તેની માતા (રાણી ધારિણી)ને Page #346 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – ઘર્મરુચિ કથા ૩૪૫ પૂછયું કે, હે માતા ! મારા પિતા રાજ્યનો પરિત્યાગ કેમ કરી રહ્યા છે ? ત્યારે માતા ધારિણીદેવીએ ધર્મચિને જણાવ્યું કે, હે પુત્ર ! આ સંસારનું ભ્રમણ અટકાવવાને – પરિમિત કરવાને માટે તેઓ રાજ્યનો પરિત્યાગ કરી રહ્યા છે. ત્યારે ફરી પૂછયું કે, મને રાજ્યભારની સોંપણી તેઓ કરવા ઇચ્છે છે, તો આ રાજ્યથી મને શો લાભ થવાનો છે ? માતા ધારિણીદેવીએ જણાવ્યું કે, રાજ્યથી સંસારની વૃદ્ધિ થાય છે, અર્થાત્ ભવભ્રમણ વધે છે. ત્યારે ધર્મરુચિ યુવરાજે માતાને જણાવ્યું કે, હે માતા ! મારે આવા રાજ્યનું કોઈ પ્રયોજન (કામ) નથી કે, જેના વડે સંસારનું ભ્રમણ વધતું હોય. ત્યાર પછી પિતા (રાજા જિતશત્રુ)ની સાથે ધર્મરુચિએ પણ તાપસપણાની પ્રવજ્યા અંગીકાર કરી. પિતા-પુત્ર બંને તાપસ થઈ ગયા. તે બંને તાપસપણે વિચરી રહ્યા હતા, તેટલામાં એક દિવસે અમાવાસ્યા આવી. તાપસના અધિપતિએ એવી ઉદ્ઘોષણા કરી કે, આવતીકાલે અમાવાસ્યા છે. સર્વે તાપસોએ ફળ–ફૂલ આદિનો જે કાંઈ સંગ્રહ કરવો હોય તો તેઓએ આજે જ સંગ્રહ કરી લેવો. અમાવાસ્યા હોવાથી આવતીકાલે ફળ-ફૂલ આદિનું છેદન-ભેદન કરવું યોગ્ય નથી અર્થાત્ તાપસોનો એવો આચાર છે કે, અમાવાસ્યાના દિવસે ફળ–કૂલ આદિ વનસ્પતિનું છેદન કરવું તેમને કલ્પતું નથી. આવી ઉદ્દઘોષણા સાંભળીને ધર્મરુચિને મનોમન એવો સંકલ્પ થયો – વિચાર ઉત્પન્ન થયો કે, જો સર્વકાળે અર્થાત્ હંમેશને માટે જો ફળ-ફૂલનું છેદન ન કરવાનો આચાર હોય તો તે કેટલું સારું કહેવાય ? અર્થાત્ તાપસોને હંમેશને માટે એવો કલ્પ હોવો જોઈએ કે, તેઓને ક્યારેય પણ ફળ-ફૂલ આદિ વનસ્પતિનું છેદન કરવું કલ્પે નહીં તો તે આચાર ઘણો પ્રશંસનીય કહેવાય. કોઈ વખતે ધર્મચિ તાપસે અમાવાસ્યાના દિવસે સાધુ ભગવંતોને તેમના આશ્રમની નજીકથી વિચરણ કરી જતા જોયા. ધર્મચિએ તેઓને જોઈને પૂછયું, ભગવંત! શું તમારે પણ આજે અનાકુટ્ટિ વર્તે છે. અર્થાત્ શું આપને પણ આજે અમાવાસ્યાનો યોગ હોવાથી પત્ર–પુષ્પાદિ વનસ્પતિનું છેદન ન કરવું ઇત્યાદિ હિંસા ન કરવારૂપ આચાર વર્તે છે ? તેથી કરીને શું તમે અટવીમાંથી પસાર થઈ રહ્યા છો ? ત્યારે સાધુ ભગવંતોએ તેમને પ્રશાંતભાવે પ્રત્યુત્તર આપ્યો કે, હે ભાગ્યવાનું ! અમારે તો યાવજીવન અનાકુટ્ટી જ વર્તે છે. અર્થાત્ અમે જીવનપર્યત્ સર્વથા હિંસાનો ત્યાગ કરેલો હોય છે. તેથી અમારે તો નિત્ય અનાકુટ્ટી જ વર્તતી હોય છે. (ફક્ત અમાવાસ્યાના દિવસે નહીં) આ શબ્દો સાંભળીને ધર્મરુચિ તાપસ સંભ્રાન્ત થયો. તે “અનાકુટ્ટી' શબ્દ માવજીવન વર્તે છે, તે વાતને ચિંતવવા લાગ્યો. સાધુ ભગવંતો તો ધર્મરુચિના પ્રશ્નનો ઉત્તર આપીને ત્યાંથી આગળ વિહાર કરી ચાલવા લાગ્યા. પણ ધર્મચિ તાપસને એમ થયા કર્યું કે, આવી વાત મેં ક્યાંક સાંભળેલી છે – જાણેલી છે. એ પ્રમાણે સતત વિચારતા - ઇહાપોહ કરતા કરતા તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેઓએ પૂર્વભવમાં પાળેલ સાધુપણું તેમના સ્મરણમાં આવ્યું, સર્વ સાવદ્યનો-પ્રાણાતિપાતાદિ હિંસાનો કરેલો ત્યાગ યાદ આવ્યો. તે નિમિત્ત માત્રથી તેમની બોધિ જાગૃત થઈ. જ્ઞાન પ્રાપ્ત થયું અને તે પ્રત્યેકબુદ્ધ થઈ ગયા. દેવતાએ તેમને સાધુલિંગ-વસ્ત્ર, રજોહરણાદિ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ આગમ કથાનુયોગ-૨ આપ્યા. પ્રત્યેકબદ્ધ એવા ધર્મરચિ અણગાર પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. આકુટ્ટિ અર્થાત્ હિંસા અને અનાકુષ્ટિ અર્થાત્ હિંસાનો ત્યાગ. આવશ્યક નિર્યુક્તિકાર મહર્ષિ જણાવે છે કે, ફક્ત એક જ વખત “અનાકુટ્ટી” શબ્દને સાંભળતા જ - “સર્વકાલને માટે અનાફટ્ટી વર્તે છે.” એવું વાક્ય સાંભળતા જ પાપભીરુ એવા ધર્મરુચિને બોધ થયો. તે આ પ્રમાણે – તે–તે યોનિના જીવોની હિંસા કરવારૂપ પાપનું વર્જન કરીને – પરિત્યાગ કરીને તેમણે અનવદ્ય ભાવને ઉપાગત કર્યો અર્થાત્ સર્વ સાવદ્યયોગનો ત્યાગ કરી નિરવદ્ય યોગની ઉપાસના કરી અને ધર્મચિ અણગાર આશ્રવનો ત્યાગ કરીને સંવરધર્મના આરાધનમાં પ્રવૃત્ત થયા. ૦ આગમ સંદર્ભ :આયા.મૂ૪ ની વૃક આવનિ ૮૭૭ + ૪ આવરૃ. ૧–પૃ. ૪૯૮; આવ.નિ. ૮૭૬ ની (નોધ – પ્રથમ ઉત્તરાધ્યયન સૂત્ર—વિખ્યાત ચાર પ્રત્યેક બુદ્ધોના કથાનકો નોંધ્યા, ત્યાર પછી ઋષિભાષિત પયત્રામાં આપેલ એવા પીસ્તાળીશ પ્રત્યેકબુદ્ધોનો ઉલ્લેખ કર્યો પણ ઓગણ પચાશ પ્રત્યેકબુદ્ધોના નામ નિર્દેશમાં ક્યાંય ધર્મરુચિ પ્રત્યેક બુદ્ધનો નામોલ્લેખ જોવા મળેલ નથી. ઘર્મયિ પ્રત્યેકબુદ્ધ આ ઓગણપચાશથી અતિરિક્ત એવા પ્રત્યેકબુદ્ધ જાણવા. – – – ૦ પ્રત્યેક બુદ્ધ રુદ્રક કથા : ચંપા નામે એક રમણીય નગરી હતી, ત્યાં કૌશિકાર્ય નામના (બ્રાહ્મણ) ઉપાધ્યાય હતા. તે ઉપાધ્યાયને બે શિષ્યો હતા. ૧. અંગર્ષિ અને ૨. રુદ્ર. તે બંને શિષ્યોમાં જે અંગક હતો તે પ્રકૃત્તિથી ભદ્ર હોવાથી, તેનું અંગર્ષિ એવું નામ પાડવામાં આવેલ હતું. બીજો શિષ્ય જે રુકક હતો તે ગ્રંથિ છેદક હતો. તે બંને શિષ્યોને કૌશિક ઉપાધ્યાયે જંગલમાંથી લાકડા કાપીને લઈ આવવાનું કામ સોંપેલ હતું. પહેલો શિષ્ય જે અંગર્ષિ હતો, તે અટવીમાં જઈ લાકડા કાપી, તેનો ભારો બાંધી, લાકડાનો ભારો લઈને પાછો આવતો હતો. ત્યારે બીજો શિષ્ય રુદ્રકે આખો દિવસ રખડ્યા કર્યું. જ્યારે વિકાસ અર્થાત્ સંધ્યાકાળ થયો ત્યારે તેને અચાનક યાદ આવ્યું કે, ઉપાધ્યાયે અટવીમાં જઈને લાકડા કાપીને ભારો લાવવાનું કાર્ય સોંપેલ છે. તેથી તે જેમતેમ કરીને અટવી તરફ દોડ્યો. તેણે જોયું કે, પહેલો શિષ્ય અંગર્ષિ લાકડાનો ભારો લઈને આવી રહ્યો છે, ત્યારે રકમને થયું કે, જો હું હવે લાકડાનો ભારો લઈને આશ્રમમાં નહીં પહોંચુ તો ઉપાધ્યાય નક્કી મને આશ્રમમાંથી કાઢી મૂકશે. તે વખતે એવું બન્યું કે, એક જ્યોતિર્યશા નામની વત્સપાલિકા હતી, તેનો એક પુત્ર પંથક નામે હતો. તે જ્યોતિર્યા વત્સપાલિકા પોતાના પુત્ર પંથકને માટે ભોજન લઈને ગયેલ હતી તે લાકડાનો ભારો લઈને આવી રહી હતી. રકકે તેણીને જોઈ અને તેના મનમાં વિચાર આવ્યો કે, જો હું આને મારીને લાકડાનો ભારો છિનવી લઉં, તો જ સમયસર Page #348 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – રુદ્રક કથા ઉપાધ્યાય પાસે આશ્રમમાં પહોંચી શકું. તેમ વિચારીને તેણે જ્યોર્તિયશા વત્સપાલિકાને મારી નાંખીને એક ખાડામાં ફેંકી દીધી. તેણીની પાસે જે લાકડાનો ભારો હતો. તે છિનવી લઈને કોઈ બીજા ટૂંકા માર્ગેથી ચંપાનગરીમાં આવી ગયો. ત્યારપછી તેણે કૌશિક ઉપાધ્યાયના હાથમાં લાકડાનો ભારો મૂકી દીધો. પછી તેણે ઉપાધ્યાયને કહ્યું, આ તમારા સુંદર શિષ્ય અંગર્ષિએ જ્યોતિર્યશા વત્સપાલિકાને મારી નાંખેલ છે. પછી રખડતો—ભટકતો તે આવી રહ્યો છે. જ્યારે અંગર્ષિ આવ્યો ત્યારે કૌશિક ઉપાધ્યાયે તેને કાઢી મૂક્યો. ત્યારે અંગર્ષિ વનખંડમાં ગયો અને પોતાના અશુભ કર્મોનું જ આ ફળ પ્રાપ્ત થયેલ છે. એ પ્રમાણે ચિંતવવા લાગ્યો. એ પ્રમાણે ધર્મધ્યાનમાં આગળ વધતાં અંગર્ષિને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ સ્મરણમાં આવતા સાધુપણું યાદ આવ્યું. અંગર્ષિએ સ્વયંકેશલોચ કરી દીક્ષા લીધી. ત્યાંજ શુક્લધ્યાનની ધારાએ ચઢેલા અંગર્ષિને કેવળજ્ઞાન થયું. દેવોએ આવીને અંગર્ષિકવલીનો કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. ત્યાર પછી દેવોએ લોકો મધ્યે જાહેર કર્યું કે, રુદ્રકે આ અંગર્ષિ કેવલી પર ખોટું આળ ચઢાવેલ છે. જ્યોતિર્યશા વત્સપાલિકાને અંગર્ષિએ નહીં પણ રુદ્રકે મારી નાંખીને ખાડામાં ફેંકી દીધેલ છે. એ કહીને દેવોએ સમગ્ર સત્ય વૃતાંત લોકો સમક્ષ જણાવ્યો. લોકો રુદ્રકની નિંદા કરવા લાગ્યા. રુદ્રક ઘણી હેલના પામ્યો. તેહિલનાથી વ્યથિત થયેલો રુદ્રક મનોમન ચિંતવવા લાગ્યો કે, ખરેખર, દેવોનું કથન સત્ય જ છે. મેં જ અંગર્ષિ પરત્વે ખોટું આળ ચઢાવેલ છે કે, તેણે જ્યોતિર્યશા વત્સપાલિકાને મારી નાંખેલ છે. વાસ્તવમાં જ્યોતિર્યશા વત્સપાલિકાને તો મેં જ મારી નાંખીને લાકડાનો ભારો તેણીની પાસેથી છિનવી લીધો હતો. આ પ્રમાણે રુદ્રક મનોમન ચિંતવના કરવા લાગ્યો. એ પ્રમાણે શુભ ચિંતવના કરતા-કરતા તે સંબુદ્ધ થયો અર્થાત્ રુદ્રક સમ્યક્ પ્રકારે બોધ પામ્યો. (જાતિસ્મરણ જ્ઞાન થયું) અને ત્યાર પછી રુદ્રક પ્રત્યેક બુદ્ધ થયા. (દેવતાએ મુનિર્લિંગ અર્પણ કર્યું. અર્થાત્ સાધુનો વેશ, રજોહરણાદિ અર્પણ કર્યા. ત્યાર પછી પ્રત્યેકબુદ્ધ એવા રુદ્રક અણગાર ત્યાંથી પૃથ્વીતલ ઉપર વિચરવા લાગ્યા). આ રીતે પ્રથમ શિષ્ય અંગર્ષિને કેવળજ્ઞાની થયેલા જોઈને તથા બીજા શિષ્ય રુદ્રકને પણ પ્રત્યેકબુદ્ધ થયેલા જાણીને કૌશિક ઉપાધ્યાય બ્રાહ્મણ તથા તેની પત્ની (બ્રાહ્મણી) બંને પણ સંવેગને પામ્યા. તે બ્રાહ્મણ–બ્રાહ્મણીએ પણ વૈરાગ્યભાવ ધારણ કરીને ત્યાર પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરી – સાધુપણાને અંગીકાર કર્યું. કાળક્રમે તે ચારે : ૧. અંગર્ષિ કેવળી, ૨. રુદ્રક પ્રત્યેક બુદ્ધ, 3. કૌશિક ઉપાધ્યાય બ્રાહ્મણ અને ૪. બ્રાહ્મણી—કૌશિક ઉપાધ્યાયની પત્ની સિદ્ધ થયા. અર્થાત્ તેમના સઘળા કર્મોનો ક્ષય કરીને તેઓ મોક્ષગતિને પામ્યા. ૦ આગમ સંદર્ભ આવ.નિ. ૧૨૯૩ + ; — * - * —— ૩૪૭ X X --- આવ.ચૂ.૨-પૃ. ૧૯૩; Page #349 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ (નોંધ :- પ્રત્યેક બુદ્ધના કથાનકોમાં બે મુખ્ય સંદર્ભો નોંધેલ છે. પહેલાં ઉત્તરાધ્યયન સૂત્ર આધારિત અને લોકપ્રસિદ્ધ એવા કરકંડૂ આદિ ચાર પ્રત્યેક બુદ્ધોની કથાઓ અને પછી ઋષિભાષિત પયત્રા સૂત્ર આધારિત અન્યતીર્થિક આદિ પિસ્તાળીશ પ્રત્યેકબુદ્ધોના નામનિર્દેશો. પણ તે ઓગણ પચાશ પ્રત્યેકબુદ્ધો સિવાય પણ બીજા પ્રત્યેકબુદ્ધોના કથાનકો આગમ શાસ્ત્રોના પૃષ્ઠો પર અંકિત થયેલા દૃષ્ટિગોચર થાય જ છે. જેમાંનું એક કથાનક ધર્મરુચિનું આ પૂર્વે નોંધેલ છે. તેવા જ બીજા અન્યતીર્થિક રુદ્રક પ્રત્યેકબુદ્ધનું કથાનક અહીં નોંધ્યું. જે ઉક્ત પ્રત્યેકબુદ્ધોથી અતિરિક્ત કથા જ છે.) ૩૪૮ . પ્રત્યેકબુદ્ધ વલ્કલચિરિ કથા : પોતનપુર નામના નગરમાં સોમચંદ્ર નામે રાજા હતો. તેને ધારિણી નામે રાણી (પત્ની) હતી. કોઈ વખતે ધારિણી રાણી પોતાના પતિના માથાના વાળ કાંસકી વડે ઓળતી હતી. તે વખતે મસ્તક પર શ્વેત કેશ તેણીના જોવામાં આવ્યો. તે જોઈને ધારિણી રાણી બોલી કે, હે સ્વામી ! જુઓ, આ જરાવસ્થાનો દૂત આવ્યો. અર્થાત્ હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ. રાજા પોતાને મસ્તકે આવેલ ધોળો વાળ જોઈને વિચારવા લાગ્યા કે, મારા (વૃદ્ધ) વડિલોએ તો યૌવન વયમાં વ્રતને ગ્રહણ કરેલ હતું અર્થાત્ સંન્યાસી થયા હતા. મને ધિક્કાર છે કે, હું અદ્યાપિ માથે પળીયા આવ્યા (વાળ ધોળા થવા શરૂ થઈ ગયા) તો પણ ધર્મને આચરતો નથી. — * - * —— ત્યારે સોમચંદ્ર રાજાએ રાણીને કહ્યું કે, હે દેવી ! તારા ચક્ષુ ખરેખર દિવ્ય છે કે તે પળીયા (ધોળો વાળ) જોયા. ખરેખર, આ તો ધર્મદૂત છે. તે મને ધર્મ માર્ગે વાળવા માટે આવેલો છે. તે જોઈને રાજા મનથી દૂણાયો (દુભાયો). તે જાણીને ધારિણી દેવીએ રાજાને કહ્યું કે, હે સ્વામી ! શું તમે વૃદ્ધભાવથી લજ્જા પામો છો ? તો તેનું નિવારણ કરીએ. ત્યારે સોમચંદ્ર રાજાએ ધારિણી રાણીને કહ્યું, હે દેવી ! એ વાત બરાબર નથી. હું માનું છું કે, આપણો કુમાર બાળક છે પ્રજાના પાલન માટે તે અસમર્થ છે. આવી માન્યતાથી હું આજ સુધી પૂર્વ પુરુષોએ આચરેલ માર્ગે ગયો નહીં. આ વાત સાંભળીને ધારિણીએ કહ્યું કે, હે સ્વામી ! હજી પણ ધર્મકાર્યમાં વિલંબ કરો નહીં. ત્યારે સોમચંદ્ર રાજાએ તેણીને કહ્યું, દેવી ! તમે પ્રસન્નચંદ્રનું સંરક્ષણ કરતા સારી રીતે રહો. પરંતુ રાણી પણ સંસારમાં રહેવા ઇચ્છતી ન હતી. ત્યારે રાજા સોમચંદ્રએ પોતાના પુત્ર પ્રસન્નચંદ્રને રાજ્યનો ભાર સોંપ્યો. દિશાપ્રોક્ષિક તાપસ નામની પ્રવ્રજ્યા ગ્રહણ કરી તેઓ તાપસ થઈ ગયા. દીર્ઘકાળથી શૂન્ય એવા આશ્રમે જઈ રહ્યા. તે સમયે ધારિણી દેવી ગર્ભવતી હતા, તો પણ એક ધાત્રીને સાથે લઈને પોતાના પતિ (સોમચંદ્ર રાજા) સાથ તે ચાલી નીકળી. પૂર્વથી સાથે લાવેલ તેણીનો ગર્ભ ધીરે ધીરે વૃદ્ધિ પામવા લાગ્યો. પ્રસન્નચંદ્ર રાજાના ચાર પુરુષોએ આ વાતનું રાજા પાસે જઈને નિવેદન કર્યું. કાળક્રમે ગર્ભનો સમય પૂર્ણ થતા ધારિણી રાણીએ એક નિરોગી એવા સુકુમાર પુત્રને જન્મ આપ્યો. તે કુમારને વલ્કલમાં સ્થાપેલો હોવાથી તે બાળકનું વલ્કલચીરિ નામ સ્થાપન કર્યું. પ્રસવની તીવ્ર વેદનાને કારણે ધારિણી દેવી મૃત્યુ પામ્યા. હવે સોમચંદ્ર તાપસને ચિંતા થવા લાગી કે, માતા વિનાનો આ પુત્ર મારે કઈ રીતે Page #350 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – વલ્કલચિરિ કથા ૩૪૯ ઉછેરવો ? સ્વર્ગમાં ઉત્પન્ન થયેલ ધારિણી દેવીએ એક ભેંસનું રૂપ ધારણ કર્યું. કેમકે તેણીએ ઉત્પન્ન થતાં જ પોતાના અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો ત્યારે તેણીએ જાણ્યું કે, તેણીના પતિ (સોમચંદ્ર તાપસ) બાળકને કઈ રીતે મોટો કરવો તેની ચિંતા કરી રહ્યા છે. વન્ય ભેંસના રૂપે આવીને ધારિણીદેવીએ આવીને બાળકને દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. બાળકને ઉછેરનારી પેલી ધાત્રી પણ થોડો સમય પસાર થયા બાદ મૃત્યુ પામી. અનુક્રમે જ્યારે વલ્કલચીરિ ત્રણ વર્ષનો થયો ત્યારે વન્ય ભેંસનું રૂપ લઈને આવેલી ધારિણી દેવી પણ પાછી દેવલોકમાં ચાલી ગઈ. પછી તાપસો દ્વારા વનના ફળ આદિથી પોષણ પામતો તે બાળક અનુક્રમે સોળ વર્ષનો થયો. ચિત્તને અતિ પ્રસન્નતા અર્પતો એવો સુંદર–સોહામણો કુમાર થઈ ગયો. ત્યારે તે બાળક જે મળે તે હે તાત, હે તાત ! એમ કહેતો અને સર્વેને નમસ્કાર કરતો હતો. તેમજ વનના ફળ લાવીને પોતાનું તથા પોતાના પિતાનું પોષણ કરતાં શીખ્યો હતો. કોઈ વખતે પ્રસન્નચંદ્ર રાજાએ કોઈ ભિલના મુખેથી પોતાના સહોદરનો (વલ્કલચીરીનો) પ્રબંધ સાંભળ્યો. ત્યારે રાજા તુરંત જ પોતાના ભાઈને મળવા ઉત્સુક થઈ ગયો. તેથી તેણે ગણિકા–બાલિકાઓને (કોઈ કહે છે વેશ્યા પુત્રીઓને) બોલાવીને કહ્યું કે, તમે કોઈપણ ઉપાય વડે લોભાવીને મારા નાના ભાઈને અહીં રાજ્યમાં લઈ આવો. પરંતુ તમારે આ કાર્યક્રૂર રહીને કરવું. જો મારા પિતા સોમચંદ્ર તાપસ તમને જોઈ જશે તો શ્રાપ આપી દેશે. રાજાના વચનોને અંગીકાર કરીને તે ગણિકાઓ તાપસનો વેષ ધારણ કરીને સોમચંદ્ર તાપસના આશ્રમ પાસે આવી. ત્યારે વલ્કલચીરીએ તેઓને દૂરથી આવતા જોઈને તેણીને તાપસરૂપ હોવાથી હે તાત ! તમને નમસ્કાર થાઓ. એમ કહીને નમસ્કાર કર્યા અને વલ્કલગીરીએ વનમાંથી લાવેલા કુળ તેઓના આહાર માટે આગળ ધર્યા. તે ફળોને જોઈને તે તાપસવેશે રહેલી ગણિકા બોલી કે, આવા નિરસ ફળોને અમે શું કરીએ ? અમારે તો પોતન—આશ્રમના ફળો જોઈએ. હે મુનિ ! તમે અમારા આશ્રમના ફળો જુઓ, તે કેવા મીઠાં–મધુરા લાગે છે. ત્યાર પછી અત્યંત સ્નેહપૂર્વક તે ગણિકાઓ વલ્કલચીરીને એકાંતમાં લઈ ગઈ. ત્યાં બેસાડી મીઠા વચનો બોલતા તે બાળતાપસને લોભાવવો શરૂ કર્યો અને ખાંડ, સાકર, દ્રાક્ષ આદિ મધુર મેવા આદિ આગ્રહ કરીને તેમણે વલ્કલચીરીને આહાર કરાવ્યો. તે મધુર ફળોના સ્વાદથી હર્ષ પામેલ વલ્કલચીરી પોતે જે બીલ્ડ, આંબલી અને કોઠાના ફળો ખાતો હતો તેના સ્વાદમાં ઉદ્વેગ પામ્યો. જેમ જેમ તે બાળતાપસ લોભાતો ગયો, તેમ તેમ તેણીઓ વિશેષ—વિશેષ સ્વાદવાળી વસ્તુઓ તેને ખાવા માટે આપવા લાગી. ત્યારપછી તે તાપસરૂપધારી ગણિકાઓએ વલ્કલચીરીનો હાથ પોતાના કોમળ હાથમાં લઈ પોતાના સુકુમાળ, પીન, ઉન્નત સ્તન પર અને પોતાના ગાલ વગેરે અવયવો પર મૂકવો અર્થાત્ સ્પર્શ કરાવવો શરૂ કર્યો. ત્યારે તે બાળતાપસ બોલ્યો કે, હે મહાનુભવ! તમારું શરીર આટલું કોમળ કેમ છે ? અને તમારા ઉર:સ્થળ પર આ બે વેદિકાઓ શેની છે ? ત્યારે તે ગણિકાઓ બોલી કે, અમારા પોતન આશ્રમના ફળો Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ આગમ કથાનુયોગ-૨ આસ્વાદન કરવાથી શરીર આવું સુકોમળ બને છે. આવી બે વેદિકાનો રમણીય સ્પર્શ થાય છે, માટે તમે આ આશ્રમનો ત્યાગ કરી, પોતન આશ્રમ ચાલો. ત્યારપછી કેટલોક સમય ગયા બાદ વલ્કલચીરી તેમની સાથે જવાનો સંકેત કરીને પાછો ફર્યો. પોતાના પાત્ર, વલ્કલ આદિ એકાંતમાં ગોપવી દીધા. તેમની સાથે જવા માટે ફરીવાર પાછો ફર્યો. એ સમયે સોમચંદ્ર ઋષિને આમતેમ ફરતા આશ્રમ તરફ આવતા જોયા. તેમને દૂરથી આવતા જોઈને અગાઉથી સંકેત કરી વૃક્ષ ઉપર રહેલા પુરષોએ તે ગણિકાઓને ખબર આપ્યા. એટલે તત્કાળ તેણી સર્વે ઋષિના શ્રાપના ભયથી નાશી ગઈ અને પ્રસન્નચંદ્ર રાજાની પાસે આવીને સર્વ વૃત્તાંત જણાવ્યો. ગણિકાઓ પાસેથી આ વૃત્તાંત સાંભળી પ્રસન્નચંદ્ર રાજા ખિન્ન થઈ ગયો – અહો! મારો નાનો ભાઈ તો બંનેથી ભ્રષ્ટ થયો. હવે તેના શા હાલ થશે? તે ત્યાં રહી શકશે નહીં અને અહીં તે પહોંચ્યો નહીં. દિલગીર થયેલા પ્રસન્નચંદ્ર રાજાએ આખા નગરમાં ગીત, નૃત્ય, વાદ્ય આદિ સર્વ પ્રવૃત્તિઓનો પ્રતિષેધ કરાવી દીધો. વલ્કલચીરી આશ્રમમાંથી બહાર આવ્યો ત્યારે તેણે તાપસરૂપધારી ગણિકાઓને ક્યાંય જોઈ નહીં. તેથી તે વનમાં આમતેમ ભમવા લાગ્યો. તેટલામાં ત્યાંથી કોઈ રથ પસાર થતો હતો. ત્યારે રથમાં બેસેલા પુરુષે આ બાળતાપસને જોયો. તે વખતે વલ્કલચીરીએ પણ તેને જોઈને કહ્યું કે, હે તાત ! હું આપને અભિવાદન કરું છું. ત્યારે રથમાંના પુરુષે તેને પૂછયું કે, હે મુનિ આપને કઈ તરફ જવું છે? ત્યારે વલ્કલચીરીએ કહ્યું કે, હું પોતનઆશ્રમે જવા ઇચ્છું છું, રથવાળાને તે તરફ જ જવું હતું. એટલે તે બોલ્યો કે, ચાલો, હું પોતનઆશ્રમ જ જઉ છું. ત્યારે વલ્કલગીરી પણ તેની સાથે ચાલ્યો. તે રથમાં તે રથિક પુરુષની પત્ની બેઠેલી હતી, તેને જોઈને તે તાપસ કહેવા લાગ્યો કે, હે તાત ! હે તાત ! હું આપને અભિવાદન કરું છું ત્યારે રથમાં બેઠેલી સ્ત્રીએ તેના પતિને કહ્યું કે, આ બાળક હજી સ્ત્રી અને પુરુષના ભેદને સમજતો લાગતો નથી. ત્યારે તે સ્ત્રીએ તેના પતિને પૂછયું કે, આ બાળક આમ કેમ વતી રહ્યો છે. ત્યારે રથિક પુરુષે તેણીને સમજાવ્યું કે, હે સુંદરી! નક્કી આ બાળક સ્ત્રીરહિત એવા આશ્રમમાં મોટો થયો જણાય છે. તેથી તેને કોઈ વિશેષ જ્ઞાન લાગતું નથી. માટે તેના પરત્વે તું સહેજ પણ કોપાયમાન થઈશ નહીં. ફરી તે તાપસકુમારે રથિકપુરુષને પૂછયું કે, હે તાત ! તમે આ મૃગોને કેમ વહન કરી રહ્યા છો ? ત્યારે તે પુરુષે (જાણ્યું કે આ બાળકને અશ્વ અને મૃગનો ભેદ પણ ખબર નથી તેથી તેને) કહ્યું કે, આ (મૃગો) આ કાર્ય માટે જ ઉપયોગમાં લેવાય છે, તેમાં કોઈ જાતનો દોષ નથી. પછી તે તાપસને મુગ્ધ બાળક જાણીને તે રથવાળા પુરુષે તેને લાડવા ખાવા માટે આપ્યા. તેનો સ્વાદ લેતા વલ્કલચીરી બોલ્યો કે, અહો ! હવે મને જાણવામાં આવ્યું. પહેલા પોતનઆશ્રમવાસી કુમારોએ પણ મને આવા પ્રકારના જ સ્વાદિષ્ટ ફળ ખાવા માટે આપેલા હતા. માર્ગમાં તેઓ આગળ વધી રહ્યા હતા, ત્યારે આગળ જતાં કોઈ એક ચોરની સાથે તે રથિક પુરુષને યુદ્ધ થયું. રથિક પુરુષે તેના પર ગાઢ પ્રહાર કર્યો, તે ચોરને જીતી લીધો. તેના ગુણથી ખુશ થયેલ ચોર બોલ્યો કે, મારી પાસે વિપુલ ધન છે, તેને આપ ગ્રહણ Page #352 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – વલ્કલચિરિ કથા કરો. તે લઈને અનુક્રમે ત્રણે જણ પોતનપુર પહોંચ્યા. ત્યાં પહોંચીને તે રથિકપુરુષ વલ્કલચીરીને કહ્યું, હે બાળમુનિ ! લ્યો, આ ધન ગ્રહણ કરો. અહીં ધન વગર તમને ભોજન કે સ્થાન મળશે નહીં. એમ કહી કેટલુંક ધન આપી તેણે વલ્કલચીરીને વિસર્જિત કર્યો, પોતે પણ ત્યાંથી આગળ ચાલ્યો. ત્યાંથી વલ્કલચીરી નગરમાં ચાલ્યો. ત્યાં દુકાનોની શ્રેણી અને હવેલીઓ જોઈ વિચાર કરવા લાગ્યો કે, હું આ ક્યાં આવ્યો ? આ આવું બધું શું હશે ? વળી માર્ગમાં જે કોઈ નર કે નારી મળે તો તેને હે તાત ! હું વંદન કરું છું' એમ કહેવા લાગ્યો. લોકો તેની આવી ચેષ્ટા જોઈને હસવા લાગ્યા. એ પ્રમાણે ભમતો ભમતો તે કોઈ ગણિકાના ઘેર જઈ ચડ્યો. તે ગણિકાને જોઈને બોલ્યો કે, હે તાત ! હું તમને વંદન કરું છું. ત્યાર પછી તેને પણ મુનિ છે તેવું સમજીને વલ્કલચીરીએ તેને મૂલ્ય આપીને નિવાસ તથા ફળાદિકને માટે યાચના કરી, ગણિકાએ તેને નિવાસ અને ભોજનાદિ આપ્યા. ૩૫૧ ત્યારપછી તે ગણિકાએ વાણંદને બોલાવ્યો. બોલાવીને વલ્કલચીરીની ઇચ્છા ન હોવા છતાં તેના નખનું પરિકર્મ કરાવ્યું, (નખ કપાવ્યા), ક્ષૌર કર્મ કર્યું (વાળ આદિ કાપીને સુશોભિત કર્યા), તેના વલ્કલ ઉતરાવ્યા. અત્યંતર સ્નાન કરાવ્યું. તે સર્વે વસ્તુને બાલતાપસે ઉપસર્ગ માનીને સહન કર્યા. ત્યાર પછી તેણે વલ્કલચીરીને વસ્ત્ર–આભુષણ આદિથી વિભુષિત કર્યો. પછી તે ગણિકાએ તેની સાથે પોતાની પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું. જ્યારે તેનો ઋષિવેશ ઉતારતા હતા ત્યારે તે તાપસને બબડતો જોઈને ગણિકાએ કહેલું કે, જે કોઈ મહેમાન અહીં આવે, તેનો અમે આ રીતે જ ઉપચાર કરીએ છીએ. ત્યાર પછી સોમચંદ્રઋષિના પુત્ર બાળતાપસ વલ્કલચીરીની ફરતી તે બધી ગણિકાઓ ગીતો ગાવા લાગી, નૃત્ય કરવા લાગી, વાદ્યો વગાડવા લાગી, તે બધું જોતા અને સાંભળતા વલ્કલચીરી ચિંતવન કરવા લાગ્યો કે, આ બધાં શું બોલી રહ્યા છે ? કંઈ મને સમજ પડતી નથી. તેઓ મને ફળ કેમ આપતા નથી ? તે વખતે જેઓને ઋષિવેશ ધારણ કરી આશ્રમમાં કુમારને લોભાવવાના નિમિત્તે મોકલવામાં આવેલા, તે લોકો આવીને રાજા પ્રસન્નચંદ્રને કહેવા લાગ્યા કે, હે સ્વામી ! કુમાર વનમાંથી નીકળી ગયા છે. અમે પણ સોમચંદ્ર ઋષિના ભયથી કુમારને બોલાવ્યા નહીં. તે સાંભળીને રાજા વિષાદગ્રસ્ત મનવાળો થઈ ગયો. તેમણે તે લોકોને કહ્યું કે, ખરેખર ! મારાથી આ અકાર્ય થઈ ગયું. મારો નાનો ભાઈ ન પિતા સમીપે રહ્યો કે ન તે મારી પાસે અહીં આવ્યો. ખબર નથી પડતી કે હવે તેની પ્રાપ્તિ થશે કે નહીં થશે ? ચિંતાગ્રસ્ત થઈને પ્રસન્નચંદ્ર રાજા સ્થિતપ્રજ્ઞ થઈ ગયો. એટલામાં રાજાને તે ગણિકાના ઘેરથી મૃદંગનો અવાજ સાંભળવામાં આવ્યો. તેથી તત્કાળ તે ગણિકાને બોલાવીને રાજાએ તેણીને પૂછયું કે, હું દુઃખી છું, શોકગ્રસ્ત છું, નગરમાં મેં ગીતવાદ્ય આદિ સર્વે બંધ કરાવેલ છે, છતાં તારે ઘેર વાદ્ય કેમ વગાડે છે? ગણિકા આવીને રાજાના પગમાં પડી ગઈ. રાજા પ્રસન્નચંદ્રને વિનવણી કરવા લાગી. હે રાજન્ ! મને માફ કરો. મને એક દૈવજ્ઞ—નિમિત્તકે કહેલું હતું કે, જ્યારે કોઈ તાપસરૂપે તરુણ તારે ઘેર આવે ત્યારે તું તેને જ તારી પુત્રી પરણાવી દેજે. તે ખૂબ જ ઉત્તમ અને Page #353 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૨ ગુણવાન્ પુરુષ હશે. તેમાં કોઈ જ સંશય તારે કરવો નહીં. તેથી મેં નિમિત્તકના વચનથી એ તાપસકુમારને મારી કન્યા સાથે પાણિગ્રહણ કરાવેલ છે, તેથી આ વાદ્ય વગાડાઈ રહ્યા છે, માટે મને માફ કરો. કેમકે મારે ઘેર હર્ષનો ઉત્સવ છે. ૩૫૨ હે રાજન્ ! અમારે આજ મહાન્ સૌખ્યભાગનો પ્રસંગ છે. કેમકે નિમિત્તકના કહ્યા પ્રમાણે જ આજે તે તરુણ તાપસ મારે ગૃહે આવેલ હતો. મેં તો નિમિત્તકના સંદેશ પ્રમાણે કર્યું છે અને મારી કન્યા તેને આપેલ છે. આ ઉત્સવ પણ તેના નિમિત્તે જ થઈ રહેલો છે. તે કુમાર ક્યાંય નાસી ન જાય તે માટે મારાથી આપની આજ્ઞાનો ભંગ થઈ ગયો છે. આપ મારા આ એક અપરાધને માફ કરો. આ સમગ્ર વૃત્તાંત સાંભળીને તે જ વખતે પ્રસન્નચંદ્ર રાજાનું જમણું અંગ ફરક્યું. તેથી રાજાને નિશ્ચય થયો કે, જરૂર મારો નાનોભાઈ જ આવ્યો લાગે છે. તેથી રાજાએ પોતાના માણસોને બોલાવીને આજ્ઞા કરી કે, જાઓ તપાસ કરો કે, તમે જે તાપસકુમારને આશ્રમમાં જોયેલ હતા, તે જ આ કુમાર છે કે બીજા છે ? રાજાની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારીને તે માણસો ગણિકાના ઘેર તપાસ કરવા ગયા. તપાસ કરીને આવીને રાજાને પ્રિય નિવેદન કર્યું. હે સ્વામી ! એ તે જ કુમાર છે, જેને અમે આશ્રમમાં જોયેલ. રાજા તેને પરમ પ્રીતિપૂર્વક, ઉલ્લાસ સહિત અને વધૂની સાથે લઈને પોતાના મહેલમાં લાવ્યા. રાજાએ પ્રેમપૂર્વક તેનું વિવાહ મંગલ કર્યું, સટ્ટશ કુળ, રૂપ, યૌવન અને ગુણવાળી રાજકન્યાઓ સાથે તેમણે વલ્કલચીરી સાથે પાણિગ્રહણ કરાવ્યું. તે સુખપૂર્વક રહી શકે, રમણ કરી શકે તે માટે તેની યોગ્ય વ્યવસ્થા કરી. પછી રથિક ચોરે આપેલ દ્રવ્ય પાછું આપ્યું. રાજપુરુષો દ્વારા ચોરને ગ્રહણ કરાવીને તેને પણ ખુશ કર્યો. અનુક્રમે તેમણે તાપસકુમારને (વલ્કલચીરીને) સર્વ કળાઓમાં કુશળ કર્યો. આશ્રમમાં જ્યારે સોમચંદ્રઋષિએ કુમારને જોયો નહીં ત્યારે તેઓ પ્રગાઢ શોક સાગરમાં ડૂબી ગયા. પ્રસન્નચંદ્રએ મોકલેલ પુરુષોએ સોમચંદ્ર ઋષિને જણાવ્યું કે, તેઓએ વલ્કલચીરીને નગરમાં જતા જોયેલ છે, સોમચંદ્ર ઋષિ પોતાના પુત્રને સંભારતા—વિલાપ કરતા કરતા અંધ થઈ ગયા. ત્યારે રાજાના મોકલેલા પુરુષો ત્યાં આશ્રમમાં જ રહેવા લાગ્યા અને ઋષિને ફળ આદિ લાવીને આપવા લાગ્યા. પોતનપુર નગરમાં રહેતા–રહેતા અને સ્ત્રીઓ સાથે વિષયસુખ ભોગવતા—ભોગવતા વલ્કલચીરીને બાર વર્ષ વીતી ગયા. એકદા અર્ધરાત્રે જાગૃત થયેલા વલ્કલચીરીને વિચાર આવ્યો કે, મારા પિતા (સોમચંદ્ર ઋષિ)નું શું થયું હશે ? તેને પિતાની ચિંતા થવા લાગી. અહો ! મારા અકૃતજ્ઞપણાને ધિક્કાર છે, મારા અજિતેન્દ્રિયપણાને પણ ધિક્કાર છે કે, જેથી મને એકલે હાથે ઉછેરનાર, પાલનપોષણ કરીને મોટો કરનાર એવા મારા પિતાને ભૂલી જઈને હું આ ભોગ સુખાદિમાં લેપાઈને પડી રહ્યો છું. મેં તેમની આટલા વર્ષોમાં કોઈ ભાળ લીધી નહીં. આ પ્રમાણે વિચારતો તે પોતાના પિતાને મળવા માટે ઉત્સુક થયો. પ્રાતઃકાળે તે પ્રસન્નચંદ્ર રાજા પાસે ગયો. ત્યાં જઈને તેણે રાજાને વિનંતિ કરી. હે દેવ ! હવે આપ મને અહીંથી વિસર્જિત કરો. મને જવાની આજ્ઞા આપો. હું પિતાજીને મળવા માટે ઘણો જ Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – વલ્કલચિરિ કથા ૩૫૩ ઉત્સુક થયો છું. ત્યારે પ્રસન્નચંદ્ર રાજાએ તેને કહ્યું, થોડો સમય રોકાઈ જા. પણ વલ્કલચીરીના આગ્રહથી ત્યાં ગયા. બંને પોતાના પિતા સોમચંદ્ર ઋષિને મળીને તેમના પગે પડ્યા, પ્રણામ કર્યા. સોમચંદ્ર ઋષિએ પોતાના બંને હાથ ફેલાવી વલ્કલચીરીને બાહુમાં લીધો. પછી પૂછયું કે, હે પુત્ર ! તું કેમ છે ? તારું આરોગ્ય કેવું છે? વલ્કલગીરીએ તેને સમગ્ર વૃત્તાંત નિવેદિત કર્યો. તે વખતે સોમચંદ્ર ઋષિને હર્ષના આંસુ આવી ગયા. હર્ષના અતિરેકથી આવેલા આંસુ વડે તેના નેત્રમાં આવી ગયેલા પગલો ધોવાઈ ગયા, તે ફરી દેખતા થઈ ગયા. વલ્કલગીરી પણ ત્યાંજ રહેવા માટે ઇચ્છુક બની ગયા. સોમચંદ્ર ઋષિએ તેના બંને પુત્રોને જોયા. તે જોઈને તે પણ પરમ સંતુષ્ટ થયા. - ત્યાર પછી વલ્કલચીરીએ પૂર્વે ગોપવી રાખેલા પોતાના વસ્ત્ર–ઉપકરણો આદિ બહાર કાઢ્યા. તેની પડિલેહણા–પ્રમાર્જના કરવા વિચાર્યું. પછી પોતાના ઉત્તરીય વસ્ત્રના છેડા વડે તેણે પ્રતિલેખના કરવાનો અને ચક્ષુ વડે પ્રમાર્જનાદિ કરવાનો આરંભ કર્યો. પ્રમાર્જનાદિ કરતા કરતા તેને મનમાં એવો અધ્યવસાય ઉત્પન્ન થયો કે, મેં આવું ક્યાંક જોયેલ છે, આવી ક્રિયા ક્યારેક કરેલી છે. એ પ્રમાણે ઉહાપોહ કરતાં પાત્રકેશરિકા વડે સાધુની માફક કરેલ પાત્ર પ્રતિલેખના યાદ આવી. “મેં પણ આ બધું કર્યું છે.” એવા પ્રકારની સ્મૃતિ અને સંજ્ઞાદિ થતા તેણે પૂર્વે અનુસરેલી બધી વિધિ યાદ આવવા લાગી. - તેના આવરક કર્મો ખસી જવાથી, તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. વલ્કલચીરી પોતાનો પૂર્વભવ જોવા લાગ્યા. એ રીતે પૂર્વભવનું સ્મરણ થવાથી તેને દેવભવનું અને તે પૂર્વેના મનુષ્યભવનું સ્મરણ થયું. તેને યાદ આવ્યું કે, તેણે ગતભવમાં સાધુપણું આરાધેલ છે. સાધુપણામાં જ આ બધી ક્રિયાઓ કરેલી છે. તેને મનોમન એવું થવા લાગ્યું કે, અહો ! ગતભવમાં પાડેલ સાધુપણું પણ મને યાદ આવ્યું નહીં. ખરેખર મારા સ્ત્રીલંપટપણાને ધિક્કાર છે. એ પ્રમાણે શુભ ધ્યાનથી તે વૈરાગ્ય માર્ગની ધારાએ ચયા. ધર્મધ્યાનમાં રત બની ગયા. - ત્યાર પછી અતીવ વિશુદ્ધ પરિણામે થવા લાગ્યા અને તે વિશુધ્યમાન પરિણામોથી અનુક્રમે શુક્લધ્યાનના બીજા ચરણને પણ વલ્કલગીરી અતિક્રમી ગયા. તુરંત જ ત્યાં તેમના મોહને આવરક કર્મો નષ્ટ થઈ ગયા. મોહનીય કર્મનો ક્ષય થતાં જ તેના જ્ઞાનાવરક, દર્શનાવરક અને અંતરાયકર્મો પણ તુરંત જ ક્ષય પામ્યા. એ રીતે છઘસ્થતા આવરક કર્મોનો ક્ષય થવાથી વલ્કલચીરીને ત્યાંજ કેવળજ્ઞાન–કેવળદર્શન પ્રાપ્ત થયા. ત્યાર પછી વલ્કલચીરી કેવળીએ જિનપ્રણીત ધર્મનો સુખ્યાત બોધ આપવા માટે પોતાના પિતા સોમચંદ્ર ઋષિને તથા પ્રસન્નચંદ્ર રાજર્ષિને ધર્મદેશના આપી. ત્યારે તેના પિતા અને રાજા બંને જણને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ. તે બંનેએ મસ્તક ઝૂકાવીને વલ્કલચીરી કેવલીને નમસ્કાર કર્યો. બંનેએ કહ્યું કે, હે ભગવન્! આપે અમને મોક્ષમાર્ગ દેખાડ્યો, કેવલી પ્રરૂપિત ધર્મનો બોધ કરાવ્યો તે ઘણું જ સારું કર્યું. એ રીતે તે બંને કેવલીની અનુમોદના કરવા લાગ્યા. ત્યારે આ પ્રમાણે વલ્કલચીરી તાપસ પ્રત્યેકબુદ્ધ થયા. (દેવતાએ આપેલ મુનિવેશને ધારણ કર્યોતેની દેશનાથી સોમચંદ્ર ઋષિએ પણ મહાવ્રતોને અંગીકાર કર્યા. ૨/૨૩ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ આગમ કથાનુયોગ-૨ પ્રસન્નચંદ્ર રાજાએ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું. (પ્રસન્નચંદ્ર રાજર્ષિની શેષ કથા શ્રમણ વિભાગમાં જોવી) પ્રત્યેકબુદ્ધ થયેલા વલ્કલગીરી કેવલી પોતાના પિતાને વ્રત ઉચ્ચરાવીને તેમને લઈને ભગવંત મહાવીરસ્વામી પાસે ગયા. પ્રસન્નચંદ્ર રાજા પોતાના નગરમાં પાછો ફર્યો ત્યાર પછી વલ્કલચીરી કેવલી પોતાના શેષ કર્મો ખપાવીને મોક્ષે પધાર્યા. ૦ આગમ સંદર્ભ :આવપૂ.૧–પૃ. ૪૫૬ થી ૪૫૯; આવનિ ૮૪૪–– ૪ – ૪ –– (નોંધ :- અમારી માહિતી પ્રમાણે ઋષિભાષિત સૂત્રમાં જણાવેલા પ્રત્યેકબુદ્ધ વલ્કલચીરી ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં થયેલા. જો તે વાત. યોગ્ય હોય તો પ્રસ્તુત વલ્કલગીરી તે સિવાયના પ્રત્યેકબુદ્ધ થયા છે તેમ જાણવું કેમકે, આ વલ્કલગીરી ભગવંતુ મહાવીરના તીર્થમાં થયા છે. જો કોઈ માહિતી દોષ હોય તો બંને વલ્કલચીરી એક જ છે તેમ જાણવું) – » –– » –– ૦ પ્રત્યેકબુદ્ધ વારસક કથા - ( નોંધ :- વાત્રક પ્રત્યેકબુદ્ધનો ઉલ્લેખ “ભ પાર્શ્વના શાસનમાં થયા” એ પ્રમાણે પૂર્વે ઉલ્લેખ કરેલો છે. અમે આ ઉલ્લેખ તીર્થકર ભગવંત અને પ્રત્યેકબુદ્ધોનો ઋષિભાષિત સૂત્રનો અનુક્રમ જાળવીને કરેલો છે. અમારા અનુમાનમાં કદાચ ક્ષતિ હોય કે, પછી કોઈ વાચના ભેદ હોય, પરંતુ વાત્રક પ્રત્યેકબુદ્ધની કથામાં “બૃહકલ્પભાષ્ય” ૨૦૨૭ની વૃત્તિમાં વૃત્તિકાર મહર્ષિએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, વાત્રક મહર્ષિએ ઋષિભાષિતનું સત્તાવીસમું અધ્યયન પ્રરૂપ્યું. તેથી અહીં લખેલી કથા પ્રત્યેકબુદ્ધ વાત્રકની જ છે, તે વાત નિઃશંક છે, બીજું બૃહત્કલ્પભાષ્ય ૪૦૬૬ની વૃત્તિમાં એ જ વાત્રક અમાત્ય પ્રત્યેકબુદ્ધ થયા તેવો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે જ. તેથી પ્રસ્તુત કથાવાળા વાત્રક એ જ પ્રત્યેકબુદ્ધ છે, જેનો ઉલ્લેખ ઋષિભાષિતના સત્તાવીશમાં અધ્યયનમાં છે. ફર્ક માત્ર એ જ છે કે, આ વારત્રકમુનિમાં રાજા પ્રદ્યોતુનો ઉલ્લેખ આવે છે. પ્રદ્યોત્ રાજા ભગવંત મહાવીરના તીર્થમાં થયા છે, તો પછી આ વારત્રકમુનિ પણ ભગવંત મહાવીરના તીર્થમાં થયા હોવા જોઈએ.) –– ૪ - ૪ - વારતપુર નામે નગર હતું. ત્યાં અભયસેન નામનો રાજા હતો. તેના અમાત્ય (મંત્રી)નું નામ વાત્રક હતું. તે મંત્રી સજ્જન, સત્યવાદી અને ચારિત્રવાન્ હતો. કોઈ વખત ધર્મઘોષ નામના મુનિ વિચરણ કરતા–કરતા વારત્તપુર પહોંચ્યા. એક વખત તે મુનિ ત્વરા વિના, ચપળતા વિના, સંભ્રાન્તતા વિના અને એષણા સમિતિપાલન કરતા-કરતા ગૌચરી માટે ભ્રમણ કરી રહ્યા હતા. તે રીતે મુનિ વાત્રક અમાત્યના ઘરમાં પ્રવેશ્યા. ત્યારે વાત્રક અમાત્યની પત્નીએ મુનિને ભિક્ષા આપવા માટે ઘી અને સાકર મિશ્રિત એવું ખીરનું પાત્ર ઉપાયું. ધર્મઘોષ મુનિને વહોરાવવા ચાલી. તે વખતે તે પાત્રમાંથી ઘી-ખાંડ મિશ્રિત ખીરનું એક બિંદુ ભૂમિ પર પડ્યું. ભગવંત કથિત ભિક્ષાગ્રહણની વિધિ પાલન કરવામાં ઉદ્યમવંત એવા મુનિએ જાણ્યું કે, ખીરનું ટીપું નીચે પડવાથી આ ભિક્ષા છર્દિતદોષ વડે દૂષણવાળી થયેલી છે, તેથી તે હવે મારે કલ્પતી નથી. એમ વિચારી મુનિ ત્યાંથી નીકળી ગયા. Page #356 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – વાત્રક કથા ૩૫૫ તે વખતે બારીમાં ઉભેલા અમાત્ય વાત્રકે જોયું કે, આ મુનિ ભિક્ષા વહોર્યા વિના જ નીકળી ગયા. તેના ચિત્તમાં એવો વિચાર આવ્યો કે, આ મુનિએ મારે ઘેરથી ભિક્ષા કેમ ગ્રહણ કરી નહીં હોય ? આ પ્રમાણે હજી વિચાર કરે છે ત્યાં તો ભૂમિ પર પડેલ ખીરના બિંદુને માખીઓ આવીને ચાટવા લાગી. માખીઓને પકડવા માટે ગરોળી દોડી, ગરોળીનો વધ કરવા સરટ (કાકીડો) દોડ્યો, કાકડાનું ભક્ષણ કરવા બિલાડી દોડી, તેની હત્યા કરવા માટે ગામનો કુતરો દોડ્યો. તેનો પ્રતિહંદી ત્યાંનો સ્થાયી કૂતરો દોડ્યો. બંને કૂતરાને પરસ્પર કલહ થયો. ઘરનો કૂતરો ગામના કૂતરાને કઠોર નખ અને દાઢાના પ્રહાર કરી લડવા લાગ્યો. પોતપોતાના કૂતરાના પરાભવને જોઈને મનમાં દુઃખ થવાથી તેના સ્વામીઓ લડવા લાગ્યા. તેમનું પરસ્પર તલવાર વડે યુદ્ધ થયું. તેમાંથી મોટી તકરારો અને મારામારી જામી. આ સર્વ કંઈ વારતક અમાત્યે પ્રત્યક્ષ જોયું ત્યારે મંત્રીના મનમાં વિચાર આવ્યો કે, ખીરનું એક બિંદુ માત્ર ભૂમિ ઉપર પડવાથી આ પ્રમાણે અધિકરણ–પાપની પ્રવૃત્તિ થઈ! તેથી કરીને અધિકરણથી ભય પામેલા તે મહર્ષિએ ખીર વહોરી નહીં. અહોહો અરિહંતદેવે ધર્મને સારી રીતે જોયો છે. ખરેખર ! આ ધર્મ અતિ મનોહર છે. સર્વજ્ઞ એવા ભગવંત વિના આવા એકાંત હિતકારક ધર્મનો ઉપદેશ આપવા કોણ સમર્થ છે ? ત્રણે જગતુમાં જિનધર્મ જયવંતો વર્તે છે. જે રીતે અંધપુરુષ રૂપના વિશેષપણાને જાણી શકતો નથી. એ રીતે અસર્વજ્ઞ પણ આ પ્રમાણે સમગ્રકાળ સુધી હિતકારક ધર્મનો ઉપદેશ કરવા સમર્થ નથી. તેથી કરીને અરિહંત ભગવંત જ સર્વજ્ઞ છે, તે જ જિનેશ્વર મારા દેવ છે, તેમની પ્રરૂપિત ક્રિયા (ધર્મ) જ કરવા લાયક છે. એ પ્રમાણે વિચાર કરતા વાત્રક મંત્રી સંસારથી વિમુખ બુદ્ધિવાળા થયા. મુક્તિરૂપી સ્ત્રીને વરવાને માટે આતુર બન્યા. તેમનો વૈરાગ્ય જાગૃત થયો. અતિશુભ અધ્યવસાયવાળા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. સમ્યકૂતયા બોધ પામેલા તે પ્રત્યેકબુદ્ધ થયા. પછી પોતાના પુત્રને ગૃહભાર સોંપીને તેમણે નિરવદ્ય પ્રવજ્યા અંગીકાર કરી. દેવતાએ તેમને સંયમના ઉપકરણ અને અનિવેશ આપ્યો. (જો કે પિંડનિયુક્તિ ૬૭૦ની મલયગિરિની વૃત્તિમાં વાત્રક મુનિને ધર્મઘોષ મુનિના શિષ્ય થયા તેવું જણાવેલ છે. જ્યારે આવશ્યક, બૃહકલ્પ આદિમાં તેને પ્રત્યેકબુદ્ધ સ્વરૂપે ઓળખાવેલા છે.) પ્રત્યેકબુદ્ધ વારત્રક મુનિ ત્યાંથી વિહાર કરીને સંસમાર નગરે પહોંચ્યા. ગીતાર્થ એવા તે મુનિ શરીર પરત્વે નિસ્પૃહ, શાસ્ત્રાનુસારી ભિક્ષા ગ્રહણાદિક વિધિને સેવનાર, સંયમાનુષ્ઠાનમાં તત્પર અને સ્વાધ્યાયાદિથી અંતઃકરણને ભાવિત કરતા હતા. સુસુમારપુર નગરમાં ધુંધુમાર નામે રાજા હતો, તે રાજાને અતિ સ્વરૂપવાન્ એવી અંગારવતી નામની પુત્રી હતી. તેણી જિનકથિત ધર્મ-અધર્મ, નવતત્ત્વ આદિની જાણકાર અભ્યાસી શ્રાવિકા હતી. તત્ત્વની જાણકાર, તેના વિસ્તાર અને પરમાર્થના સુંદર વિચારોમાં નિપુણ એવી તેની પાસે કોઈ વખતે નાસ્તિકવાદી એવી એક પરિવારિકા આવી. અંગારવતી એ તે પરિવ્રાજિકાને વાદમાં હરાવી દીધી. એટલે તેણી અંગારવતી પરત્વે અતિદ્વેષ રાખવા લાગી. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ આગમ કથાનુયોગ-૨ પછી તે પરિવ્રાજિકાએ વિચાર્યું કે, આ અંગારવતીને મારે નિશ્ચયથી અનેક શોક્યો થાય તે માટે અનેક પત્નીવાળા પતિ સાથે પરણાવીને વિરહાગ્નિનું મહાદુઃખ ભોગવે તેવા સંકટમાં પાડવી. ત્યાર પછી અંગારવતીનું આબેહુબ ચિત્ર બનાવીને તે ચિત્ર ફલક પરિવારિકાએ ઉજ્જૈની નગરીમાં પ્રદ્યોત રાજાને જોવા માટે ભેટ મોકલ્યું. પ્રદ્યોત રાજાએ તે ચિત્ર જોઈને પૂછયું, આ કુંવરી કેવીક સુંદર છે ? તે મને જણાવો. ત્યારે તેને ઉત્તર મળ્યો કે, ધુંધુમાર રાજાની અંગારવતી પુત્રીનું આ રૂપ છે, તેના કરતા ચડિયાતુ રૂપ સંભવી શકે નહીં, એટલી બધી તે સુંદર છે. પ્રદ્યોત રાજા તેનું રૂપ દેખીને તેના પ્રત્યે અતિ અનુરાગવાળો અને કામાધીન ચિત્તવૃત્તિવાળો થયો. તેથી રાજા પ્રદ્યોતે સુસુમાર નગરે ધુંધુમાર રાજા પાસે દૂત મોકલ્યો. દૂતે આવીને રાજા પ્રદ્યોત માટે ધુંધુમાર રાજાની પુત્રી અંગારવતીની માંગણી કરી. અહંકારથી રાજાએ દૂતનો તિરસ્કાર કર્યો, પણ તેને અંગારવતીનું માંગુ કબૂલ રાખ્યું નહીં. તે દૂતનો અસત્કાર કરીને તેને કાઢી મૂક્યો. દૂતે ઉજ્જૈની પાછા આવીને પ્રદ્યોત રાજાની પાસે તે વાત બઢાવી–ચઢાવીને કહી ત્યારપછી અતિ ક્રોધિત ચિત્તવાળો રાજા પ્રદ્યોત સર્વ સૈન્ય પરિવાર સહિત ત્યાં પહોંચ્યો. તેણે સંસમારપુર નગરને ચારે તરફથી ઘેરી લીધું. બહાર પડાવ નાંખ્યો. ધંધુમાર રાજા પાસે પૂરતી બળ–સામગ્રી ન હોવાથી તે નગરની અંદર ભરાઈ ગયો. તેમ છતાં રણસંગ્રામ કરવાના નિશ્ચલ મનવાળો ધુંધુમાર રાજા નગરની અંદર કિલ્લામાં પ્રવેશ કરી દાખલ થયો ત્યારે ત્યાં તે નગરમાં વાત્રક મુનિ વિચારી રહ્યા હતા. તે વાત્રક મુનિ ત્યાં કોઈ ચત્વરમૂળે નાગદેવતાના મંદિરમાં ધ્યાન કરવાના મનવાળા થઈને રહ્યા હતા. નગરની ચારે બાજુ ઘેરો ઘાલીને રાજા પ્રદ્યોત રહેલો હોવાથી લોકોની અવરજવર બંધ થઈ ગયેલી. તેનાથી ભયભીત થયેલા ધુંધુમાર રાજાએ કોઈ નૈમિત્તિકને પૂછ્યું કે, હું ભયભીત થઈ ગયેલો છું, તો હું રાજા પ્રદ્યોત સાથે યુદ્ધ કર્યું કે, પલાયન થઈ જાઉ? ત્યારે નિમિત્તિયા તેને કહ્યું કે, તમારો વિજય અવશ્ય થશે. કેમકે મેં નિમિત્ત ગ્રહણ કરવા પૂરતું બાળકોને ત્રાસ પમાડ્યો ત્યારે તે બાળકો ભયભીત થયેલા, ડરતા ડરતા જ્યારે તે બાળકો વારત્રક મુનિ પાસે ગયા ત્યારે વાત્રક મુનિએ તેમને નિર્ભય કર્યા. માટે આ નિમિત્ત અનુસાર તમારો વિજય નિશ્ચિત છે. ત્યારપછી શુદ્ધ લગ્નબળ મેળવીને મધ્યાહે હથિયારો સજ્જ કર્યા. શરીર ઉપર કવચ ધારણ કર્યું, નગરના દરવાજા અચાનક ઉઘાડી દીધા. ભોજનકાર્યમાં વ્યગ્ર બનેલા પ્રદ્યોતરાજાને ધંધમાર રાજાએ પકડીને બાંધી લીધો. પછી તેને નગરીમાં લઈને આવ્યા નગરના દરવાજા બંધ કરાવી દીધા. પ્રદ્યોત રાજાના સમગ્ર હાથી, ઘોડા, રથ અને ભંડાર બધું જ ગ્રહણ કરી લીધું. પછી રાજા પ્રદ્યોતની મજાક ઉડાવતા પૂછયું કે, હે રાજન્ ! હવે તારો એ ગર્વ કયા ગયો ? તારો પૌરુષવાદ ક્યાં ગયો ? હવે હું તમારું શું કરું? ત્યારે પ્રદ્યોત રાજાએ તેને કહ્યું કે, તમારા મનમાં જે અભિપ્રેત હોય તે કરો. અત્યારે કંઈ કરશો તો થશે, નહીં તો પછી તમારા મનમાં ખટકો રહી જશે. ત્યારે ધંધુમારે કહ્યું કે, હે રાજન્ ! તમે આવા વેણ ન ઉચ્ચારો. અલ્પસેના પરિવારવાળા એવી મારી Page #358 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – વારત્રક કથા ૩૫૭ તમારી પાસે કઈ હસ્તિ છે? ભલે અત્યારે તમારી દશા વિષમ છે, પણ છતાં તમે મહાનું છો. હું તમારુ કંઈપણ અનિષ્ટ ઇચ્છતો નથી. તમો સદા આનંદ-મંગલ અને સુખ ભોગવનારા થાઓ. ત્યારે રાજા ધુંધુમારે કહ્યું કે, હે રાજન્ શૃંગારની નીક સમાન એવી અંગારવતીની સાથે તમે લગ્ન કરો. પછી મહોત્સવપૂર્વક મોટા સત્કાર અને મહાવિભૂતિથી અંગારવતી સાથે રાજા પ્રદ્યોતનો વિવાહ ઉત્સવ નિષ્પન્ન થયો. નગરના દરવાજા ખુલ્લા કરીને, ત્યાંજ તેને રોકવાનો પ્રબંધ કરાવ્યો. તેના હાથી, ઘોડા, રથ વગેરે જે કંઈ પણ લુંટી લીધેલ હતું તે બધું જ તેને પાછું અર્પણ કર્યું. તે સિવાય બીજા પણ ઘણાં સત્કાર અને સન્માન કર્યા. કોઈ વખતે રાજા પ્રદ્યોતે અંગારવતીને એકાંતમાં પૂછયું કે, અલ્પ સૈન્યવાળા એવા તારા પિતાએ, ઘણાં સૈન્યવાળા એવા મારો પરાભવ કઈ રીતે કર્યો ? ત્યારે અંગારવતીએ પરમાર્થ કહ્યો, સાધુના વચનથી તમારો પરાભવ થયો તે આ પ્રમાણે – કોઈ નિમિત્તક બાળકોને ભય પમાડી રહ્યો હતો, બાળકો રૂદન કરતા વારત્રકમુનિ પાસે આવ્યા. વારત્રકમુનિએ તે બાળકોને કહ્યું, તમે ભયભીત થશો નહીં, પછી તેમને નિર્ભય બનાવ્યા. તે સાધુ વચનથી નિમિત્તકે કહેલું કે, મારા પિતાનો વિજય થશે. કેમકે લોકોત્તર સાધુની વાણી યથાર્થ જ હોય છે. ત્યારે રાજા પ્રદ્યોત વારત્રકમુનિ પાસે ગયો. મુનિની હાંસી કરતા તેણે કહ્યું કે, મહા નિમિત્તને કહેનારા એવા હે મુનિ ! હું તમારા ચરણોમાં પ્રણામ કરું છું. પ્રાણનો નાશ કરવાને માટે એકદમ તત્પર થયેલા એવા રાજાને મરણથી રોકનાર એવા હે વાત્રક મુનિ ! આપને મારા નમસ્કાર થાઓ. આવા હાંસી વચનો સાંભળીને વાત્રક મુનિએ ઉપયોગ મૂકયો કે, આ રાજા આવા વચનો કેમ બોલે છે ? ત્યારે તેને યાદ આવ્યું કે, અનુપયોગ દશામાં બાળકોને જે અભય વચન આપેલું હતું. તેનું આ પરિણામ છે. પ્રત્યેકબુદ્ધ વાત્રક મહર્ષિએ તે અનુપયોગની આલોચના અને ગર્ણ કરી. પોતાના પ્રમાદ વચનની નિંદા કરવા લાગ્યા. ગૃહસ્થના કરેલા અલ્પ માત્ર સંગ પણ તેના માટે હાંસીનું કારણ બન્યું. તે ગૃહસ્થ સંગની નિંદા કરી. કાળક્રમે પ્રત્યેકબુદ્ધ વારત્રકમુનિ સિદ્ધિ ગતિને પામ્યા અને સર્વ કર્મોથી મુક્ત થયા. વાત્રક ઋષિના પુત્રએ પિતૃભક્તિને માટે એક દેવકુલ કરાવેલ. તેમાં તેણે રજોહરણ અને મુહપત્તિયુક્ત એવી પ્રતિગ્રહધારી પિત પ્રતિમાનું સ્થાપન કરાવેલ હતું. (પછીની લઘુકથા અર્થાત્ દષ્ટાંત માત્રક ગ્રહણ કરવા તથા માત્રક અને પાત્રક ભિન્ન ભિન્ન રાખવા સંબંધે છે, તેથી અહીં તેની નોંધ લીધી નથી.) ૦ આગમ સંદર્ભ :નિસી.ભા. ૫૮૮૮, ૫૮૯૦ + ચૂ; - બ.ભા. ૨૦૨૭, ૪૦૬૬ + ; આવ.નિ ૧૩૦૩ + ; આવ યૂ.ર-પૃ. ૧૯૯; પિંડનિ ૬૦ + 4 – ૪ –– » –– Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ આગમ કથાનુયોગ-૨ ૦ પ્રત્યેકબુદ્ધ નારદ કથા : (* ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા આ પ્રત્યેકબુદ્ધ એવા નારદ એક અન્યતીર્થિક સાધુ હતા. તેને દેવનારદ પણ કહે છે. આટલું કથન તો ઋષિભાષિત પયત્રાના આધારે પણ કરેલ જ છે. અર્થાત્ નારદના પ્રત્યેકબુદ્ધ હોવાની વાત તો સુનિશ્ચિત્ છે જ. વિશેષમાં આવશ્યક સૂત્રની નિર્યુક્તિ ૧૨૯૫, ૧૨૯૬ તથા તેની વૃત્તિમાં જે નારદની કથા છે, તે કથાનકમાં નારદના પ્રત્યેકબુદ્ધપણાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તદુપરાંત વૃત્તિકાર મહર્ષિ હરિભદ્ર સૂરિજીએ ત્યાં એમ પણ જણાવેલ છે કે, આ પ્રત્યેકબુદ્ધ નારદે પ્રથમ અધ્યયન પ્રરૂપ્યું – જેમાં “શૌચ વડે યોગસંગ્રહ થાય છે. તેમ જણાવ્યું. ઋષિભાષિત પયત્રામાં પહેલું અધ્યયન “શૌચ” વિષયક જ છે. વળી તેના પ્રણેતા પણ “નારદ” ઋષિ જ છે. તેથી આવશ્યક વૃત્તિમાં અપાયેલી કથા પ્રત્યેકબુદ્ધ નારદની વાતને પુષ્ટિ આપે છે. આ જ વક્તવ્યતાની પુષ્ટિ આવશ્યક ચૂર્ણિકાર મહર્ષિએ પણ (આવશ્યક ચૂર્ણિ ર–પૃ. ૧૯૪ ઉપર) કરેલી જ છે. નાયાધમકામાં દ્રૌપદીની કથા અંતર્ગત જે નારદની વાત આવે છે, તેમાં જો કે તેના જીવનનો (પરિવ્રાજક અવસ્થાનો) કલાપ્રિય સ્વભાવ જ વર્ણવાયેલ છે, તેમજ તેને “કચ્છલ્લનારદ” રૂપે પણ ઓળખાવાયેલ છે. ત્યાં તેના પ્રત્યેકબુદ્ધપણાની કોઈ જ સાબિતી પ્રાપ્ત થતી નથી, તેથી એવી ભ્રાંતિ થાય પણ ખરી કે, દેવનારદ અને કચ્છલનારદ બંને ભિન્ન-ભિન્ન હોઈ શકે. પરંતુ વાસુદેવકૃષ્ણ સાથેના સંબંધમાં જ નારદની કથા આવશ્યકમાં છે અને નાયાધમ્મકથામાં પણ આવતા નારદનો સંબંધ વાસુદેવ કૃષ્ણ સાથે છે, તેથી બંને પાત્રો ભિન્ન ભિન્ન નહીં પણ એક જ હોવા જોઈએ તેવું અનુમાન થઈ શકે છે. | દશવૈકાલિક નિર્યુક્તિ ૧૯૩ની ચૂર્ણિ તથા વૃત્તિમાં જે નારદનો ઉલ્લેખ આવે છે, ત્યાં પણ વાસુદેવકૃષ્ણ અને રુકિમણીનો સંબંધ નારદે જોડ્યાનો તથા દ્રૌપદીના પ્રસંગનો ઉલ્લેખ આવે છે. નંદીસૂત્ર–૪૬ની વૃત્તિમાં “શૈલઘન"ના દૃષ્ટાંતમાં પણ નારદની વાત આવે છે, ત્યાં તેની કલકપ્રિયતાને જણાવતું ‘‘કલહાભિનંદી” એવું વિશેષણ આવે છે. તેથી આ એક જ નારદની કથા છે, તેવું અમારું અનુમાન છે. જો કે અહીં અમે નારદની સંપૂર્ણ કથાને વર્ણવતા નથી. કેમકે તેનું વર્ણન દ્રૌપદીની કથામાં પણ આવવાનું જ છે, તદુપરાંત અન્યતીર્થિક કથામાં જે “ઉવવાઈ” સૂત્ર-૪૫ અનુસાર અન્યતીર્થિક કે, તાપસોનું વર્ણન આવે છે, તેમાં પણ “નારદ”નો ઉલ્લેખ આવે જ છે. તેથી અહીં પ્રત્યેકબુદ્ધ એવા અન્યતીથિંક નારદ સાથે સંબંધ ધરાવતા કથાનકને જ અમે ગ્રહણ કરેલું છે.) તિ નમ્ મુનિ દીપરત્નસાગર – ૪ – ૪ – પ્રત્યેકબુદ્ધ નારદ :- (આવશ્યક સૂત્રાનુસાર કથા) જ્યારે શૌર્યપુર નગરમાં સમુદ્રવિજય રાજા હતા. ત્યારે (જણજશ) યજ્ઞયશસ્ નામે એક તાપસ પણ ત્યાં રહેતો હતો. તેની પત્નીનું નામ સૌમિત્રી હતું. તે દંપતિને (જણદત્ત) યજ્ઞદત નાનો પુત્ર થયો. યજ્ઞદત્તની પત્નીનું નામ સોમયશા હતું. તે યજ્ઞદત્ત અને સોમયશાનો પુત્ર નારદ થયો. એ પ્રમાણે કહીને ભગવંતે નારદની ઉત્પત્તિ જણાવી, તેનું ચરિત્ર કહેવાનો ત્યાં આરંભ કર્યો. તે આ પ્રમાણે– યજ્ઞદત્ત અને સોમયશા ઊંછવૃત્તિથી જીવન વ્યતીત કરતા હતા. તેમાં તેઓ એક દિવસે ભોજન લેતા હતા અને એક દિવસે ઉપવાસ કરતા હતા અર્થાત્ એકાંતર ઉપવાસરૂપ તપ કરતા હતા. ત્યારે યજ્ઞદત્ત અને સોમયશા તેમના પુત્ર નારદને અશોકવૃક્ષની નીચે દિવસના પૂર્વ ભાગમાં સારી રીતે સ્થાપીને (રાખીને) ભિક્ષાર્થે જતા હતા. કોઈ દિવસે વૈશ્રમણકાયિક જાતિના જંભક દેવો તે માર્ગે જઈ રહ્યા હતા. તેમના Page #360 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – નારદ કથા ૩૫૯ જોવામાં આ બાળક (નારદ) આવ્યો. તેઓએ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. ઉપયોગ દ્વારા જાણ્યું કે, આ બાળક દેવનિકાયાથી ઍવીને અહીં આવેલ છે. (જન્મ લીધેલ છે) ત્યારે તે દેવોએ તે બાળકની અનુકંપાને માટે ત્યાં છાયાનું સ્તંભન કર્યું. અર્થાત્ તે બાળક ઉપર છાયાની વિકુવણા કરી. કેમકે તે બાળક તાપમાં દુઃખે કરીને ત્યાં રહેતો હતો. તેથી જૈભક દેવોએ તેના પર પડતા તાપનું નિવારણ કર્યું. ત્યાર પછી તે બાળકને તે જૈભક દેવોએ ગુપ્ત વિદ્યાનું શિક્ષણ આપ્યું. કેટલાંક કહે છે કે, ભગવંતે આ પ્રમાણે અશોકવૃક્ષની પૃચ્છા અને નારદની ઉત્પત્તિ જણાવી. જ્યારે તે બાળક (નારદ) બાલ્યભાવનો ત્યાગ કરી કુમાર થયો (મોટો થયો) ત્યારે પૂર્વભવની પ્રીતિ હોવાના કારણે વિદ્યાર્જુભક વૈશ્રમણકાયિક દેવોએ તે બાળકને પ્રજ્ઞતિ આદિ વિદ્યાનું શિક્ષણ (જ્ઞાન) આપેલું હતું. તે નારદ મણિપાદુકાઓ વડે તથા કાંચનકુંડિકા થકી આકાશમાં ચાલતો હતો અર્થાત્ ગગનમંડલમાં ઉડી શકતો હતો. કોઈ વખતે નારદ તારવતી (દ્વારિકા)માં આવ્યો. તે વખતે વાસુદેવ કૃષ્ણએ તેને પ્રશ્નો પૂછયા. ત્યારે નારદ તે પ્રશ્નોના ઉત્તર આપવાને માટે સમર્થ ન થયો. તે ઉડીને આકાશમાર્ગે ચાલ્યો ગયો. બીજાના કથન પ્રમાણે આ પ્રશ્ન પૂર્વ વિદેહમાં (મહાવિદેહ ક્ષેત્રમાં) યુગબાહુ વાસુદેવે ભગવંત સીમંધર સ્વામીને પૂછેલો હતો. તે પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, “સત્ય એ શૌચ" છે. તે એક જ પદ વડે સત્યના પર્યાયને અવધારિત કર્યો. ફરીથી મહાબાહુ નામના વાસુદેવે મહાવિદેહ ક્ષેત્રમાં અવરવિદેહમાં ભગવંત યુગંધર સ્વામીને પ્રશ્ન પૂછ્યો. ત્યારે નારદ ત્યાં સાક્ષાત્ ઉપસ્થિત હતા. ત્યાંથી નારદ ફરી પાછા તારવતી (દ્વારિકા)માં આવ્યા. તેણે વાસુદેવ કૃષ્ણને કહ્યું કે, હે વાસુદેવ! તે દિવસે તમે મને શું પૂછયું હતું ? (કયો પ્રશ્ન કરેલ ?) . ત્યારે વાસુદેવ કૃષ્ણએ તેને કહ્યું કે, મેં તમને પૂછ્યું હતું કે, “શૌચ એટલે શું?" ત્યારે નારદે તેને ઉત્તર આપ્યો કે, “શૌચ એ જ સત્ય છે.” વાસુદેવ કૃષ્ણએ પુનઃ પ્રશ્ન કર્યો કે, તો પછી “સત્ય શું છે ?" નારદ ફરી અપભ્રાજના પામ્યા. ત્યારે વાસુદેવ કૃષ્ણએ કહ્યું કે, જ્યારે તમે શૌચનો અર્થ પૂછયો ત્યારે સત્યનો અર્થ પણ પૂછવો જોઈએ. તેથી હવે સત્યનો અર્થ પણ ભવિષ્યમાં પૂછીને આવજો. એમ કહીને વાસુદેવે નારદની નિર્ભર્લૅના કરી – તિરસ્કાર કર્યો. ત્યારે નારદે કહ્યું કે, તમારી વાત સત્ય છે, મેં ભટ્ટારક તીર્થકર ભગવંતને આ પૂછયું ન હતું. ત્યારે નારદે તે પ્રશ્ન સંબંધે વિચારવાનો આરંભ કર્યો. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારપછી તે અતિ શૌચવાળા એવા પ્રત્યેકબુદ્ધ થયા. (દેવતાએ તેમને મુનિવેશ – રજોહરણ, ઉપકરણાદિ આપ્યા) તે પ્રત્યેકબુદ્ધ નારદમુનિએ “શૌચ" નામના અધ્યયનની પ્રરૂપણા કરી. જે અધ્યયન ઋષિભાષિત પયત્રાના પ્રથમ અધ્યયનરૂપે જોવા મળે છે. આ અધ્યયનમાં દેવનારદ ઋષિએ આ પ્રમાણે ફરમાવ્યું કે, “શ્રોતવ્ય છે તેમજ કહેવું. શ્રોતવ્ય છે તેમ પ્રવેદન કરવું.” જે સમયે જીવ સર્વદુઃખોથી મુકત થાય છે, ત્યારે શ્રોતવ્યથી પરમ કોઈ શૌચ નથી. તેમણે શ્રોતવ્ય લક્ષણને ચાર ભેદે વર્ણવ્યું. તે આ પ્રમાણે – ૧. પ્રાણાતિપાત ત્રિવિધ–ત્રિવિધ ન કરે – ન કરાવે તે પહેલું શ્રોતવ્ય લક્ષણ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ આગમ કથાનુયોગ-૨ છે, ૨. મૃષાવાદ ત્રિવિધ–ત્રિવિધે ન બોલે—ન બોલાવે, તે બીજું શ્રોતવ્ય લક્ષણ છે, ૩. અદત્ત આદાન ત્રિવિધ–ત્રિવિધે ન કરે – ન કરાવે તે ત્રીજું શ્રોતવ્ય લક્ષણ છે, ૪. અબ્રહ્મ અને પરિગ્રહ ત્રિવિધ–ત્રિવિધે ન કરે – ન કરાવે તે ચોથું શ્રોતવ્ય લક્ષણ. આ પ્રમાણે પ્રત્યેકબુદ્ધ નારદ ઋષિએ અહિંસા, સત્ય, અસ્તેય અને બ્રહ્મચર્યઅપરિગ્રહને લગતું જે કંઈ હોય તે જ શ્રોતવ્ય છે અને તે જ શૌચ છે, તે પ્રકારે પ્રરૂપણા કરી, પછી ઋષિભાષિત પયાના તે જ અધ્યયનમાં આ અહિંસા આદિ ચારેની આચરણાનું ફળ બતાવતા જણાવ્યું કે, સર્વકાળે, સર્વ પ્રકારે, સર્વ વડે જેઓ નિર્મમત્વ, વિમુક્તિ અને હિંસા આદિથી વિરતિનું સેવન કરે છે, તેઓ સર્વ દુઃખોથી મુક્ત થાય છે. ૦ નારદ (આદિ) પરિવ્રાજકનું જ્ઞાન : સામાન્યથી તેઓ સ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વણવેદના જ્ઞાતા હોય છે, તદુપરાંત ઇતિહાસ, નિઘંટુશાસ્ત્રના અધ્યેતા હોય છે તેમને વેદોનું સાંગોપાંગ રહસ્ય બોધપૂર્વક જ્ઞાન હતું. તે ચારે વેદોના સારગ, પારગ, ધારક તથા વેદોના છ અંગોના જ્ઞાતા હોય છે, તેઓ ષષ્ટિતંત્રમાં વિશારદ કે નિપુણ હતા. સંખ્યા, શિક્ષા, વેદમંત્રોના ઉચ્ચારણનું વિશિષ્ટ વિજ્ઞાન, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરક્ત, જ્યોતિષ શાસ્ત્ર તથા અન્ય બ્રાહ્મણ ગ્રંથ એ બધામાં સુપરિનિષ્ઠિત જ્ઞાનયુક્ત હતા. તેઓ પરિવ્રાજક દાનધર્મ, શૌચધર્મ, દેહિક શુદ્ધિ અને સ્વચ્છતામૂલક આચારનું આખ્યાન કરતા, પ્રજ્ઞાપના કરતા, પ્રરૂપણા કરતા વિચરતા. ૦ પરિવ્રાજક નારદનું સ્વરૂપ : પ્રત્યેકબુદ્ધ થયા પૂર્વે અન્યતીર્થિક એવા પરિવ્રાજક નારદનું સ્વરૂપ “નાયાધમકહા''માં વર્ણવતા સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે, તેઓ જોવામાં અત્યંત ભદ્ર દર્શનવાળા અને વિનીત દેખાતા હતા. પરંતુ ભીતરથી તેઓ કલહપ્રિય હોવાના કારણે તેમનું હૃદય અંદરથી અતિ કલુષિત હતું. તેઓ દચિત્ત અને કૌતુક પ્રિય હતા. બ્રહ્મચર્ય વ્રતના ધારક હોવાથી તેઓ મધ્યસ્થતા પ્રાપ્ત હતા અર્થાત્ વ્રતગ્રહણથી તેમણે સમતાને અભ્યાગત અને પ્રાપ્ત કરેલી હતી. આશ્રિતોને નારદનું દર્શન પ્રિય, સૌમ્ય અને અરૌદ્ર લાગતું હતું. તેમનું રૂપ મનોહર હતું. આ નારદ પરિવ્રાજક ઉ જ્વળ અને સકલ એવું એક પ્રકારનું અમલિન, અખંડ, વલ્કનું વસ્ત્ર પહેરતા હતા. તેઓ વક્ષ:સ્થળ પર એક કાળું મૃગચર્મ ઉત્તરીય રૂપે ધારણ કરતા હતા. તેમણે હાથમાં દંડ અને કમંડલ રાખેલા હતા. જટારૂપી મસ્તક વડે નારદ પરિવ્રાજકનું મસ્તક શોભાયમાન હતું. તેમણે જનોઈ–યજ્ઞોપવીત અને રુદ્રાક્ષની માળાના આભરણ, મુંજની કટિમેખલા અને વલ્કલના વસ્ત્ર ધારણ કર્યા હતા. તે નારદ પરિવ્રાજકના હાથમાં કચ્છપી નામની વીણા રહેતી હતી. તેઓ ગીતસંગીત પ્રિય હતા. આકાશગમન કરવાની શક્તિ હોવાથી તેઓ પૃથ્વી પર બહુ ઓછું વિચરણ કરતા હતા. મુખ્યત્વે તેઓ ગગન વિહારી હતા. સંચરણી, આવરણી, અવતરણી, ઉત્પતની, શ્લેષણી, સંક્રામણી, અભિયોગિની, પ્રજ્ઞપ્તિ, ગમનીઑભિની ઇત્યાદિ ઘણી બધી વિદ્યાધરો સંબંધિ વિદ્યાઓમાં પ્રવિણ હોવાથી તે નારદ પરિવ્રાજકની કીર્તિ ફેલાયેલી હતી. Page #362 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – નાગદત્ત કથા ૩૬૧ તે બળદેવ અને વાસુદેવના પ્રેમપાત્ર હતા. પ્રદ્યુમ્ન, પ્રદીપ, શાંબ અનિરુદ્ધ, નિષધ, ઉમુખ, સારણ, ગજસુકુમાલ, સુમુખ અને દુર્મુખ આદિ યાદવોના સાડા ત્રણ કરોડ કુમારોના હૃદયના તે વલ્લભ હતા અને યાદવકુમારો દ્વારા પ્રશંસનીય હતા. તેમને કલહ, યુદ્ધ અને કોલાહલ અતિ પ્રિય હતા. તેઓ ભાંડની સમાન વચન બોલવાના અભિલાષી હતા. અનેક સમર અને સમ્પરાય જોવાના તે રસિક હતા. ચારે તરફ દક્ષિણા આપીને પણ તેઓ કલહ-કજીયાની શોધ કરતા રહેતા હતા. કલહ કરાવીને તેઓ બીજાના ચિત્તમાં અસમાધિ ઉત્પન્ન કરતા હતા. આવા તે નારદ પરિવ્રાજક શૌચ અને સત્ય શબ્દના ચિંતન કરતા પ્રત્યેકબુદ્ધ થઈને સિદ્ધ, બુદ્ધ – યાવત્ – સર્વકર્મથી મુક્ત થયા. બીજા મતે આવતી ચોવીસીમાં તીર્થકર થશે. (સત્ય બહુશ્રુતો જાણે). ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૭૪ થી ૧૭૬; ઉવ. ૪૫, આવનિ ૧૨૯૫, ૧૨૯૬ + 4 આવ..૧–પૃ. ૧૨૧, ૨- ૧૯૪; દસ..પૃ. ૧૦૬; દસ.નિ. ૧૯૩ની : નંદી ૪૬ની વૃ ઋષિભાષિત અધ્ય ૧; ૦ પ્રત્યેકબુદ્ધ નાગદત કથા : પૂર્વે કોઈ બે સાધુ તપ કરી સ્વર્ગે ગયા. ત્યાં દેવલોકમાં તે બંનેએ પરસ્પર એવો નિર્ણય કર્યો કે, આપણામાંથી જે પહેલો ઍવીને મનુષ્યલોકમાં જન્મ લે, તેને બીજા દેવે આવીને પ્રતિબોધ કરવો અર્થાત્ સંયમ લેવા માટે પ્રેરિત કરવો. કોઈ એક નગરમાં એક શ્રેષ્ઠી રહેતો હતો. તેની પત્ની પુત્રની પ્રાપ્તિ માટે નાગદેવતાની આરાધના કરી રહી હતી. તે માટે તેણી ઉપવાસ કરીને રહેલી હતી. નાગદેવતાએ પ્રસન્ન થઈને તેણીને કહ્યું કે, તને એક પુત્ર થશે. સ્વર્ગે ગયેલા પેલા બે સાધુમાંથી એક સાધુનો જીવ દેવલોકની કાયસ્થિતિ, ભવસ્થિતિ આદિનો ક્ષય કરીને ત્યાંથી ઍવીને શ્રેષ્ઠીની પત્નીની કુશિમાં પુત્રપણે અવતર્યો. બરાબર નવ માસ અને સાડા સાત દિવસ પ્રતિપૂર્ણ થયા ત્યારે તે શ્રેષ્ઠી પત્નીએ એક સુંદર, સુકમાળ, પૂર્ણ પંચેન્દ્રિય એવા પુત્રને જન્મ આપ્યો. શ્રેષ્ઠીએ તેનો જન્મોત્સવ કર્યો. તે પુત્ર નાગદેવતાની આરાધનાથી પ્રાપ્ત થયો હોવાથી તેનું “નાગદત્ત' એ પ્રમાણે નામ પાડ્યું. ત્યાર પછી તે નાગદત્ત બાલ્યભાવને છોડીને મોટો થયો. કાળક્રમે બહોતેર કળાઓમાં કુશળ થયો. તે બાળકને ગંધર્વની કળા અતિ પ્રિય હોવાથી, તેમજ ગંધર્વની કળામાં અતિ કુશળ હોવાથી તે “ગંધર્વનાગદત્ત" એવા નામથી લોકોમાં પ્રસિદ્ધ થયો. વળી તે સર્પની ક્રીડામાં પણ વ્યસનવાળો થયો. ગંધર્વ નાગદત્તને તેના મિત્રજન આદિએ ઘણો નિવાર્યો તો પણ તે સર્પ ક્રીડાથી કિંચિત્ માત્ર અટક્યો નહીં. દેવલોકે રહેલ પેલા બીજા સાધુના જીવે અવધિજ્ઞાન વડે પોતાના મિત્રને સર્પ રમાડવાનું વ્યસન જાણીને તેને પ્રતિબોધ પમાડવાનો વિચાર કર્યો. તે દેવે નાગદત્તને બોધ પમાડવા માટે ઘણો–ઘણો પ્રયત્ન કર્યો. પણ નાગદત્ત કોઈ રીતે સમ્યક્ બોધ પામતો ન હતો અને સર્પ સાથે ક્રીડા કરવાનું તેનું વ્યસન જરા પણ છોડ્યું Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ આગમ કથાનુયોગ-૨ નહીં. તે તો સર્પોને રમાડ઼યા જ કરતો હતો. કોઈ વખતે ગંધર્વ નાગદત્ત સર્પોનો કરંડીયો ભરીને પોતાના મિત્રો સાથે ઉદ્યાનમાં ગયો. ત્યાં તે સર્પોને ખેલવવા લાગ્યો. તે અવસરે દેવલોક સ્થિત દેવ આવ્યો. તે એ રીતે અવ્યક્ત લિંગને ધારણ કરીને આવ્યો કે, નાગદત્ત જાણી ન શકે તે પ્રવ્રજિતક – સાધુ છે. તે દેવે પોતાની પાસે રજોહરણ આદિ ઉપકરણો પણ રાખ્યા ન હતા. તે દેવે ગારુડી જેવું રૂપ ધારણ કર્યું હતું. તે સર્પનો કરંડીયો ભરીને તે ઉદ્યાનથી બહુ દૂર નહીં તેમ બહુ નીકટ નહીં એવા સ્થાનેથી પસાર થવા લાગ્યો. તેને જોઈને નાગદત્તના મિત્રોએ કહ્યું કે, જો, આ કોઈ નવો ગારડી જતો હોય તેમ જણાય છે. ગંધર્વ નાગદત્તે તેની પાસે જઈને પૂછયું કે, આ કરંડીયામાં શું છે ? ત્યારે પેલા દેવે જવાબ આપ્યો કે, તેમાં સર્પો છે. ગંધર્વ નાગદત્તે તેને કહ્યું કે, ચાલો આપણે આપણા સર્પોને રમાડીએ. તું મારા સર્પોને ખેલાવ અને હું તારા સર્પોને ખેલાવું. અથવા તો આપણો આપણા સર્પોને પરસ્પર ખેલાવીએ. ત્યારે પેલો ગારૂડિક દેવ નાગદત્તના સર્પને ક્રીડા કરાવવા લાગ્યો. નાગદત્તના સર્વોએ ગારુડિક દેવને ડંશ દીધા, તો પણ તે ગાડિક દેવ મૃત્યુ પામ્યો નહીં ત્યારે નાગદત્ત તેને રીસથી કહેવા લાગ્યો કે, ચાલ, હવે હું તારા સર્પો સાથે ક્રીડા કરું. ગંધર્વ નાગદત્તની તે વાત સાંભળીને પેલા ગારૂડિક દેવે કહ્યું કે, હે ગંધર્વ નાગદત્ત ! તું મારા સર્પો સાથે રમવું રહેવા દે, જો મારા સર્પ તેને ડસશે તો તું નક્કી મૃત્યુ પામીશ. પરંતુ નાગદત્તે અભિમાનથી કહ્યું કે, તું તારા સર્પને બહાર કાઢ, પછી જોઈએ કે, હું તેને રમાડી શકું છું કે નહીં ? જ્યારે નાગદત્તે ઘણો આગ્રહ કર્યો ત્યારે ગાડિક દેવે એક મંડળનું આલેખન કર્યું. પછી તેણે ચારે દિશામાં કરંડીયાઓનું સ્થાપન કર્યું. ત્યાર પછી તેણે નાગદત્તના બધાં જ સ્વજન-મિત્રજન અને પરિજનોને એકઠા કર્યા. તેમની સમક્ષ આ પ્રમાણે કહ્યું આ ગંધર્વ નાગદત્ત મારા સર્પો સાથે ક્રીડા કરવાની ઇચ્છા-અભિલાષા રાખે છે. હવે જો અહીં આ નાગદત્તને મારા સર્પો કોઈપણ પ્રકારે ડંશ આપે (તેને ખાય), તો તમારે મને કોઈ પ્રકારે દોષ ન આપવો. ત્યાર પછી તે ગાડિક દેવે ચારે દિશામાં સ્થાપેલા પોતાના સર્પોની મહત્તા જણાવી તેનું પ્રતિપાદન આ પ્રમાણે કરેલ છે– - ક્રોધ સર્પ – આ જે પહેલો સર્પ છે તે તરણ સૂર્ય જેવો અર્થાતુ નવા જ ઉગેલા સૂર્ય સમાન રક્ત નેત્રવાળો, વીજળીની લતા જેવા ચંચળ જીભવાળો, ભયંકર ઝેરવાળી દાઢોથી યુક્ત અને ઉલ્કાપાતના જેવો પ્રજ્વલિત રોષવાળો છે. તે મૃત્યુના કારણરૂપ હોવાથી આ સર્પને અદૃશ્ય મૃત્યુ જ છે એમ તમે જાણજો. આ મારો સર્પ જેને ડશે છે, તે પ્રાણી કૃત્ય-અકૃત્યપણાનું ભાન ભૂલી જાય છે. તે મૃત્યુના હેતુરૂપ એવો હોવાથી કરંડીયામાં રહેલ સાક્ષાત્ મૃત્યુ જ છે, તેમ તમે જાણજો. તો મારા આ મહાનાગને ગંધર્વ નાગદત્ત કઈ રીતે રમાડશે ? આ સર્પનું નામ ક્રોધ સર્પ છે. (અહીં સ્વબુદ્ધિથી એ પરિકલ્પના કરી લેવી કે જેમ ક્રોધયુક્ત માણસના નયનો તરુણ સૂર્ય જેવા લાલ થઈ જાય છે, તેવો આ સર્પ છે.) Page #364 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – નાગદત્ત કથા ૩૬ ૩ આ નાગદત્ત મારા સર્પો સાથે રમવાનો વિચાર કરે છે પણ મારા આ ક્રોધ નામના સર્પના કરડવાથી અગર જો તે મૃત્યુ પામે તો તમારે મને તે માટે દોષિત ગણવો નહીં. આ પ્રમાણે જણાવીને તે ગાડિક દેવે ક્રોધ સર્પને તે આલેખેલા મંડળની એક દિશામાં મૂક્યો. - માનસર્પ :– હવે જુઓ ! આ બીજો સર્પ છે તે મેરૂ ગિરિના ઉન્નત-ઊંચા શિખર જેવો છે, તેની આઠ ફણાઓ છે તે આ પ્રમાણે :- ૧. જાતિ, ૨. કુળ, ૩. રૂપ, ૪. બળ, ૫. લાભ, ૬. બુદ્ધિ, ૭. ઐશ્વર્ય અને ૮. મદ (અર્થાત્ આઠ પ્રકારના મદરૂપ આ સર્પની આઠ ફેણ છે.) આ સર્પને બે જીભ છે. જેને યમલા કહે છે. (યમ એટલે મૃત્યુના હેતુરૂપ અથવા સાક્ષાત્ મૃત્યુ, લા એટલે લાવનાર કે આપનાર, તે મૃત્યુને આપનાર હોવાથી તેને યમલા કહે છે) આ સર્પનું નામ “માન” છે. (માન કષાયરૂપ સર્પ છે) એમ કહીને તેણે તે સર્પના કરંડીયાને દક્ષિણ દિશામાં સ્થાપિત કર્યો. દક્ષિણ દિશામાં સ્થાપવાથી દાક્ષિણ્યવત્ તે માન પ્રવૃત્તિનો ઉપરોધ કરે છે તેમ જાણવું, તે માન સર્પ. પછી તે ગારુડિક દેવે કહ્યું કે, આ સર્પ એટલો તો જોરાવર છે કે, એક વખત તે જેને કરડે છે, તે પ્રાણી સ્તબ્ધ થઈ જાય છે. પછી તે પ્રાણી પોતાના અભિમાન વડે દેવરાજા ઇન્દ્રને પણ ગણકારતો નથી. તો તમારો આ નાગદત્ત મેરૂ પર્વત સમાન મહાનાગને કઈ રીતે ગ્રહણ કરશે ? અહો લોકો ! આ ગંધર્વનાગદત્ત મારા સર્પો સાથે રમવાનો વિચાર કરે છે, પણ જો મારો આ માનસર્પ તેને કરડે અને તે મૃત્યુ પામશે, તો તેનો દોષ મને આપવો નહીં. – માયા સર્પ :– હવે જુઓ આ મારો ત્રીજો સર્પ છે. તે લલિત અને વિલક્ષણ ગતિથી યુક્ત એવી સ્વસ્તિક લાંછન વડે અંકિત તેની ધજારૂપ એવી પણ છે. તે કપટ કરીને ઠગવામાં કુશળ એવી માયાનિકૃતિ નામની નાગણ છે. (અર્થાત્ તે નાગ નથી પણ મહાભયંકર એવી માયા નામની નાગણ છે.) તે વેશપરાવર્તન આદિ બાહ્ય કપટ અને છેતરવાની કળામાં ઘણી જ કુશળ છે. આવા પ્રકારની આ રૌદ્ર નાગણને, સર્પોને પકડવામાં કુશળ મનુષ્ય પણ તેને ગ્રહણ કરવામાં સમર્થ થતો નથી. એક વખત જો આ નાગણ કરડે તો પછી તે પ્રાણી ઉપર કોઈપણ પ્રકારનો મંત્ર કે કોઈ ઔષધિ પણ કામ કરી શકતા નથી અર્થાત્ તેને બચાવવા માટે સમર્થ થઈ શકતા નથી. કેમકે તે ગહન વનમાં રહેનારી છે અને ઘણાં લાંબા કાળથી તેણીએ પોતાનામાં વિષનો સંચય કરેલો છે. આ પ્રમાણે કહીને તેને માયા નાગણને એક દિશામાં મૂકીને પછી સર્વ લોકોને જણાવ્યું કે, તમારો આ ગંધર્વ નાગદત્ત મારા સર્પો સાથે રમવા ઇચ્છે છે, પરંતુ જો મારી આ માયાનાગણ તેને કરડે અને તે મૃત્યુ પામશે, તો તેનો દોષ તમારે મને ન આપવો. - લોભ સર્પ :- હવે જુઓ આ ચોથો સર્પ છે. આ સર્વે તો સર્વ જગતને પરાભવ આપેલો છે. તે મહાલય રૂપ છે. સર્વત્ર તેને કોઈ નિવારી શકેલ નથી. પુષ્કરાવર્તના મેઘ જેવો તેનો નિર્દોષ છે. પૂર્ણ મેઘ સરખા ફંફાડાવાળો આ લોભ નામનો સર્પ છે. તેનું બળ બીજા ત્રણે સર્પો કરતા પણ અધિક છે. કદાચ પહેલા ત્રણે સર્પોને રમાડી પણ લે, તો પણ આ એકમાત્ર સર્પ કરડે તો પછી પેલા ત્રણે સર્પો ગમે ત્યારે પ્રાણીને ફરી કષ્ટ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ આગમ કથાનુયોગ-૨ આપી શકે છે. તે મહાસમુદ્રની પેઠે ન પૂરી શકાય તેવો વિશાળ છે. તેણે સર્વ પ્રકારનું વિષ પોતાનામાં એકઠું કરેલું છે. આ પ્રમાણે કહીને તે ગારુડિક દેવે એ ચોથા સર્પને ઉત્તર દિશામાં સ્થાપિત કર્યો. તે એવું સૂચવે છે કે, આ સર્પ અન્ય બધાં સર્પો કરતાં ઉત્તર અર્થાત્ પ્રધાન એવો લોભ સર્પ છે. એક વખત જો આ સર્પ કોઈને કરડી જાય તો પછી તે પ્રાણીનું મન સ્વયંભૂ રમણ નામના મહાસમુદ્ર જેવું અગાધ બની જાય છે. તેની ઇચ્છાઓની પૂર્તિ કરવી અશક્યવત્ બની જાય છે. વળી તે સર્વ વ્યસનો માટે રાજમાર્ગ હોય તેવું ઝેર, તે પ્રાણીના શરીરમાં ભરી દે છે તો પછી હે ગંધર્વ નાગદત્ત ! તું આ સર્પને કઈ રીતે ગ્રહણ કરી શકીશ ? આ પ્રમાણે કહીને તેણે નાગદત્તના સ્વજન, મિત્ર, પરિજન આદિને જણાવ્યું કે, આ ગંધર્વ નાગદત્ત મારા સર્પો સાથે રમવાનો વિચાર કરે છે, પણ જો આ મારો લોભ નામનો સર્પ તેને કરડે અને તે મૃત્યુ પામે તો તમારે મને કોઈ દોષ આપવો નહીં. ત્યાર પછી તે ગારુડિક રૂપધારી દેવે કહ્યું કે, આ ચારે ક્રોધ, માન, માયા, લોભ નામના મહાન્ પાપ સર્પો છે. તેના ડસવાથી આખું જગત્ જ્વર્ (તાવ) વાળા મનુષ્યની પેઠે કણસ્યા કરે છે. આ આશીવિષ સર્પોનું ઝેર જેને ચડે છે, તે પ્રાણીને નરકમાં જ પડવાનું થાય છે. તેને બીજું કોઈ જ આલંબન મળી શકતું નથી. તે જેને ડરે છે, ખાય છે તે તત્કાળ પતન પામે છે, તેનું મૃત્યુ થઈ જાય છે. માટે હવે તારે તેની સાથે રમવું હોય તો રમ. આ પ્રમાણે દ્વિઅર્થી વર્ણન કરીને તે ગારુડિક દેવે ચારે સર્પોને ચાર અલગ-અલગ દિશામાં મૂકી દીધા. ત્યાર પછી તે સર્પો ગંધર્વ નાગદત્તને કરડ્યા, તેનાથી તે નાગદત્ત તત્કાળ પડી ગયો અને ત્યાંને ત્યાંજ મૃત્યુ પામ્યો. ત્યારે તેના સેવકો બોલવા લાગ્યા કે અરે ! આ તે શું કર્યું ? ત્યારે તે ગારુડિક રૂપધારી દેવે તેને કહ્યું કે, મેં તો તેને ઘણો જ નિવાર્યો હતો. તમારા બધાંની સન્મુખ મેં કહેલું જ હતું કે, આ ચારે ભયંકર સર્પો છે, તે જેને કરડે તેનું તત્કાળ મૃત્યુ થઈ જાય છે. તો પણ આ નાગદત્ત માન્યો નહીં. હવે તેમાં મારો શો દોષ છે ? ત્યારે નાગદત્તના મિત્રોએ વૈદ્યોને અને સાપનું ઝેર ઉતારનારા માંત્રિકોને બોલાવ્યા. ઘણાં જ ઔષધોપચાર કરાવ્યા, મંત્રો ભણ્યા, પણ તે એક પણ ઉપાયથી કોઈ જ ફાયદો થયો નહીં. ત્યાર પછી નાગદત્તના સ્વજનો ગારુડિક રૂપધારી દેવને પગે પડી ગયા. તેને વિનવણી કરવા લાગ્યા કે, પ્રસન્ન થઈને તમે જ હવે આને જલ્દીથી જીવતો કરો – તેનામાં ચેતના પૂરો. ત્યારે તે દેવે કહ્યું કે, પૂર્વે મને પણ આ સર્પો ડશ્યા હતા. હવે હું જેમ કહું તેમ કરો. પૂર્વે હું પણ આવી જ ક્રિયા કરવાથી જીવિત રહ્યો હતો. જો હવે તે મેં આચરેલી એવી ક્રિયા કરવા તૈયાર થાય તો તે જીવતો રહી શકે અને એક વખત મેં કહેલી ક્રિયાને અંગીકાર કરે અને ત્યાર પછી પણ જો તે તેનું યથાયોગ્ય પાલન કરવા તૈયાર ન રહે, જાગૃત ન રહે તો ફરી પાછું તેનું મૃત્યુ થઈ જશે. માટે તમે બધાં પહેલા એકમત થઈને નિર્ણય કરો, તો નાગદત્તને પુનઃ ચેતનવંતો બનાવનારી ક્રિયા હું તમને જણાવું. તે ક્રિયા આ પ્રમાણે છે :– એમ કહીને તેણે જણાવવી શરૂ કરી, જ્યારે મને Page #366 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ - નાગદત કથા ૩૬૫ ક્રોધ, માન, માયા અને લોભરૂ૫ ચાર કષાય સર્પો કરડ્યા ત્યારે તેનું વિષ નિવારવાને માટે મેં અનેક પ્રકારે તપકર્મનું આચરણ કરેલું હતું ત્યાર પછી હું પર્વત, વન, રમશાનભૂમિ શૂન્યઘર તથા વૃક્ષના મૂળના આશ્રયે અનેક વખત રહ્યો (તે તે સ્થાનોમાં નિવાસ કરીને મેં કાયોત્સર્ગ પ્રતિમા, ધ્યાન આદિનું આરાધન કર્યું હતું, તે પાપી સર્ષોથી હું ક્ષણમાત્ર પણ વિસામો પામતો ન હતો. કેમકે તે કિંચિત્ માત્ર પણ વિશ્વાસ કરવાને લાયક નહીં એવા ભયંકર સર્પો છે. તદુપરાંત આ નાગદત્તે હવે ઘણો આહાર કરવાનો નહીં, અતિ સ્નિગ્ધ એવો આહાર પણ કરવાનો નહીં, કેમકે અતિ નિગ્ધ આહાર ફરીથી વિષપણે પરિણમતો હોય છે. તેનાથી ફરી તેના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ વિષ ઉદિરણા પામે છે. તેથી તેણે ઉદરપૂર્તિ જેટલો જ આહાર કરવો અથવા તો તેની યાત્રા (સંયમરૂપ યાત્રા) સુખે કરીને થઈ શકે, તેટલી માત્રામાં જ તેણે આહારનું સેવન કરવું પણ પ્રકામ માત્રામાં ન કરવું. વળી તે આહાર નાગદત્તે ગામ બહાર જ કરવો. અર્થાત્ વસ્તી મધ્યે રહીને ન કરવો. ઓસન્ન અર્થાત્ તેને માટે તૈયાર થયેલો એવો કે ઉષ્ણ આહાર ન કરવો. છ પ્રકારની જે વિગઈ – દૂધ, દહીં, તેલ, ઘી, ગોળ કે તળેલા પદાર્થનો આહાર ન કરવો. એટલે કે વિગઈરહિત એવો જ આહાર તેણે કરવો. જે કંઈ શોભન કે અશોભન એવા ઓદન વગેરે હોય, તે પણ લોકોએ પોતાના માટે કરેલા હોય. તેનો જ આહાર કરવો. મેં પણ તે જ પ્રમાણે કરેલું હતું. આહારમાં તેણે “ઉન્દ્રિતધર્મા" અર્થાત્ તુચ્છ એવો આહાર લેવો, તે પણ થોડી માત્રામાં લેવો. પ્રચૂર પ્રમાણમાં આહાર ગ્રહણ ન કરવો. ત્યાર પછી આ પ્રમાણેની ક્રિયા બતાવીને ક્રિયાન્તર યોગથી જે ગુણો છે તેનું નિદર્શન કરતા તે ગાડિક દેવે કહ્યું જેઓ થોડો આહાર લે છે, થોડું બોલે છે, થોડી નિદ્રા લે છે, અલ્પ પ્રમાણમાં ઉપધિ અને ઉપકરણોને ધારણ કરે છે, તેને દેવતા પણ નમસ્કાર કરે છે. આ પ્રમાણે જો અનુપાલન કરવા તૈયાર હોય તો તે ચેતનવંતો થશે, જીવિત થશે. ત્યારે નાગદત્તના સ્વજન આદિ બોલ્યા કે, ભલે તેમ કરે. તેમ કરતા પણ જો તે જીવતો રહેતો હોય, તો તેનાથી વિશેષ રૂડું શું ? ત્યારપછી તે દેવ પૂર્વાભિમુખ ઊભો રહ્યો. પછી સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને તે બોલ્યો કે, હવે હું સંસારમાં મન, વચન, કાયારૂપ ત્રણ દંડ અને તેર પ્રકારની ક્રિયારૂપ વિષ, તેને નિવારણ કરનારી, મોટી વિદ્યા ભણી. ત્યારપછી પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહથી અટકવા માટે તેના પચ્ચકખાણ કરવા. આ પ્રમાણે જ્યારે કર્યું ત્યારે તે નાગદત્ત ચેતનવંતો થયો, ઊભો થયો. ત્યારે નાગદત્તના માતા-પિતા બોલ્યા કે, અમારો આ કુમાર તો આપમેળે જ ઊભો થઈ ગયો છે. તેઓએ દેવના વચનમાં શ્રદ્ધા કરી નહીં. એટલે નાગદત્ત ફરી પાછો પડી ગયો. ત્યારે તેમણે ગાડિક દેવને આજીજી કરી કે, તમે ગમે તે કરીને આને જીવાડો. ફરી તે દેવે તેને તે જ રીતે સજીવન કર્યો. ફરી નાગદત્ત દોડવા ગયો. ફરી પાછો તે પડી ગયો. પછી ત્રીજી વખત તે દેવે તેને સજીવન કરવાની ના પાડી દીધી. જ્યારે નાગદત્તના સ્વજને તે દેવને કૃપા કરવા માટે અનેક કાલા–વાલા કર્યા ત્યારે તેને સજીવન કર્યો. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ આગમ કથાનુયોગ-૨ નાગદત્તે કબૂલ કર્યું કે, “મને એમ કહેશે તેમ હું કરીશ.” એ પ્રમાણે કહીને તેણે ગારૂડિક દેવની વાત અંગીકાર કરી. પછી પોતાના માતા-પિતાની અનુમતિ લઈને નાગદત્તા તે દેવની સાથે જવા માટે નીકળ્યો. તે દેવ તેને એક વનખંડમાં લઈ ગયો. પછી દેવતાએ તેને પૂર્વભવ કહી સંભળાવ્યો. તેઓએ પાળેલ સાધુપણું, પછી બંનેનો દેવલોકનો ભવ, ત્યાર પછી જે પહેલા ચ્યવને મનુષ્ય થાય, તેને દેવલોકમાં રહેલા મિત્રદેવે પ્રતિબોધ કરવાનું વચન વગેરે યાદ કરાવ્યા. આ બધું જ સાંભળતા–સાંભળતા નાગદત્તને જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વના ભવો યાદ આવ્યા. તે સમ્યક્ બોધ પામ્યો. પ્રત્યેકબુદ્ધ પ્રવજ્યા ગ્રહણ કરી. દેવતાએ આપેલ રજોહરણ–ઉપકરણ આદિ મુનિવેશને ધારણ કર્યો. ક્રોધ, માન, માયા અને લોભરૂપ ચાર સર્ષોથી દૂર રહેવાનો સંકલ્પ કર્યો, પછી તે દેવ સ્વ સ્થાનકે પાછો ફર્યો અને પ્રત્યેકબુદ્ધ નાગદત્ત મુનિએ પણ આ ચારે શત્રુઓને જીતી લઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી કાળક્રમે તેઓ સર્વકર્મનો ક્ષય કરીને મોક્ષે ગયા. આ પ્રમાણે પ્રત્યેકબુદ્ધ બનેલા નાગદત્તે ક્રોધ, માન, માયા, લોભરૂપ ચારે સર્પોને જાણીને શરીરરૂપી કરંડીયામાં પુરી દીધા. તેને ક્યાંય પણ સંચરવા ન દીધા. ઔદયિક ભાવોને વશ થયા વિના તેને ન આચરવા અમ્યુત્થિત થઈને પ્રતિક્રાંત થયા. પછી દીધું એવા શ્રમણપણામાં વિચરીને સિદ્ધ થયા. આગમ સંદર્ભ :આવ.નિ ૧૨૫૧ થી ૧૨૭૦ + ૬ આવર્ર–પૃ. ૬૫ થી ૬૭; – ૪ – ૪ – (નોંધ :– ઉત્તરાધ્યયન સૂત્ર કથિત ચાર પ્રત્યેકબુદ્ધ તેમજ ઋષિભાષિત પયત્રા નિર્દિષ્ટ પીસ્તાળીશ પ્રત્યેકબુદ્ધો સિવાય પણ બીજા પ્રત્યેકબુદ્ધ થયેલા છે. તેમાંના એક તે આ નાગદત્ત પ્રત્યેકબુદ્ધ) – x – ૪ – ૦ પ્રત્યેકબુદ્ધ બાહુક :- (અત્યંત લઘુ કથા). ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક પ્રત્યેકબુદ્ધ હતા. તેઓ મૂળ એક અન્યતીર્થિક હતા. પરિવ્રાજકપણામાં તેઓ એવું માનતા હતા કે, સચિત્ત જળનું સેવન કરી શકાય. તેઓ પ્રત્યેકબુદ્ધ થયા. દેવતાએ આપેલો મુનિવેશ ગ્રહણ કર્યો અને તે જ ભવે સઘળા કર્મોનો ક્ષય કરીને સિદ્ધ થયા – બુદ્ધ થયા યાવતુ મોક્ષે ગયા. ઋષિભાષિત પયત્રામાં પ્રત્યેકબુદ્ધ બાહુકે પ્રરૂપેલું એવું ચૌદમું અધ્યયન છે. જેમાં તેઓએ આલોક અને પરલોકની આશંસાના નિષેધનો ઉપદેશ આપેલો છે. તેઓની પ્રરૂપણાનો મુખ્ય સાર એ હતો કે, પ્રવજ્યા અકામપણે ગ્રહણ કરવી. તપનું આચરણ પણ નિષ્કામ કરવું. નિષ્કામ મરણથી જ નિષ્કામ એવી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ૦ આગમ સંદર્ભ :સૂય. ૨૨૯ + ; સૂય યૂ.પૂ. ૧૨૦; ઋષિભા.૧થ્ય. ૧૪; — — — — — Page #368 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધ – નાગદત્ત કથા ૩૬૭ ૦ પ્રત્યેકબુદ્ધ કૈપાયન :- (અત્યંત લઘુકથા) તેઓ ભગવંત મહાવીરના તીર્થમાં પ્રત્યેકબુદ્ધ થયા. તે પૂર્વે તે એક બ્રાહ્મણ પરિવ્રાજક હતા. તેઓ અચિત્ત પાણી, બીજ અને વનસ્પતિકાયનું સેવન કરતા હતા, તો પણ તેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી એવું તેમના માટે કહેવાય છે. વાસ્તવમાં તેઓ જાતિસ્મરણ જ્ઞાન થવાથી પ્રત્યેકબુદ્ધ થયા. પછી કાળક્રમે શ્રમણપણાનું પાલન કરતા સિદ્ધ થયા – બુદ્ધ થયા – સર્વ કર્મનો ક્ષય કરી યાવતું મોક્ષને પ્રાપ્ત કર્યો. | ઋષિભાષિત પયજ્ઞામાં આવતું ચોત્રીશમું અધ્યયન આ પ્રત્યેક બુદ્ધ દ્વૈપાયન મુનિનું પ્રરૂપેલું છે. તેમણે “ઇચ્છાનિરોધ" કરવો તેવી પ્રરૂપણા કરેલી છે. લોકમાં ઇચ્છાઓ અનેક પ્રકારે છે, તેનાથી બદ્ધ લોકો કલેશને પ્રાપ્ત કરે છે. ઇચ્છાને અભિભૂત થયેલા માતા, પિતા, ગુર આદિ કોઈને જાણતા નથી. ઇચ્છાના કારણે જ ધનની હાનિ, બંધન, પ્રિયનો વિયોગ અને ઘણાં જન્મ-મરણો થાય છે. માટે ઇચ્છાનો નિરોધ કરવો. તેમના જ્ઞાનનું વર્ણન પ્રત્યેકબુદ્ધ નારદમાં કરાયેલા જ્ઞાનના વર્ણન અનુસાર જાણવું. તેમના વ્રત, નિયમ, પાત્ર, કપ્ય–અકથ્ય આદિનું વર્ણન અંબઇ પરિવ્રાજકમાં કરાશે તે પ્રમાણે જાણવું. ૦ આગમ સંદર્ભ :સૂય. ૨૨૭ + 9 સૂય યૂ.પ્ર. ૧૨૦, ઉવ. ૪૫; ઋષિભાષિત અધ્ય. ૩૪; – » –– » –– મુનિ દીપરત્નસાગર સંકલિત અને અનુવાદિત આગમ કથાનુયોગ ભાગ-૨ સંપૂર્ણ — — — — — Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ આગમ કથાનુયોગ-૨ ખંડ-૨-શ્રમણ કથાનક અધ્યયન–(૧) ગણધર, (૨) નિલવ કથા (૩) ગોશાલક કથા (૪) પ્રત્યેકબુદ્ધ કથા આ ચાર અધ્યયન આ ભાગમાં આપ્યા છે. શેષ શ્રમણ કથા – આગમ કથાનુયોગ ભાગ-૩ અને - આગમ કથાનુયોગ ભાગ-૪માં છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ | ‘અભાવ હેમ લધુયોકયા’ જો મારી - સર્જાયાત્રાનું આરંભબિંદુ ગણીએ તો મારી આ યાબા બાવીસ વર્ષની થઈ. ગઢ આલા વરસોથી લખું છું. છતાં ટjથસ્યકૃતિઓની સંભ્યાથી કોઈoો આંજી શકું તેમ નથી. વર્ષો સાથે ગણિતનો મેળ બેસાડવા પ્રયત્ન કર્યો xથી. ' 'મારાથી થાય એ રીતે શબ્દofી સાધના કરી રહ્યા છું. શબ્દotી આંગળી ઝાલી ક્યાં ત્યાં હું ગયો છું 'એ મુકામોનો હિસાબ હવે 40 પ્રકાશનોએ પહોંચે છે. આયુષ્ય કર્મ અoો દેહનામ કમે આટિorો મણવારો રહે તો હજી શબ્દો સંગાથે. (વદ્યુoો વધુ પંથકાયવાર્તા ભાવેoiા ભાવું છું. જે કંઈ લખ્યું છે એ ફરી વાંયવાળો સમય 1 મળે એવી તારા વચ્ચે જીવવાળું થયું છે. શ્વાસ લઉં છું કે વિયરું છું ત્યારે નહીં, યહા કંઈક લખી શકું છું ત્યારે જ જીવું છું. છતાંયે લખવામાં જ રસમણા જીવોનો 'વ્યાય આવી જાય છે, એવા ભ્રમમાં યહા Guથી. હી, આ સર્જોયાણાવાયુ સમ જરૂર બળી રહે છે. વકના -મુot દીયર0ારસાગર