________________
૪૬
આગમ કથાનુયોગ-૨
રહેલા હોય તથા નાગ, અસુર, સુવર્ણકુમાર આદિ દેવો. આ બધાં જ દેવતાઓને હું ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હે દેવગણ ! તમે ધ્યાનપૂક સાંભળો કે, જે નાગ, અસુર, સુવર્ણકુમાર આદિ દેવ બાણના અત્યંતર ભાગના અધિષ્ઠાયક છે અને મારા દેશમાં વસે છે. તે બધાંને હું નમસ્કાર કરું છું એમ કહીને રાજા ભરતે બાણ છોડ્યું.
| (તે સમયે રાજા ભરત કેવો દેખાતો હતો ?) યુદ્ધ સમયે જેમ યોદ્ધો પોતાના શરીરના મધ્ય ભાગને મજબૂત બાંધે છે. તે જ રીતે રાજા ભરતે પોતાના શરીરના મધ્ય ભાગને મજબૂતીથી બાંધ્યો હતો. મંદ મંદ વહેતા પવનની લહેરોથી શરીર પર ધારણ કરેલ કૌશય વસ્ત્ર ફરકી રહ્યું હતું. દર્શનીય શ્રેષ્ઠ ધનુષને હાથમાં ધારણ કરેલ તે રાજા ભરત સાક્ષાત્ ઇન્દ્ર સમાન શોભી રહ્યો હતો.
- પંચમીના ચંદ્રમા સમાન અત્યંત ચંચળ અને વિજયના સાધનરૂપ તે મહાધનુષ રાજા ભરતના ડાબા હાથમાં શોભી રહ્યું હતું. જ્યારે રાજા ભરતે તે બાણ છોડ્યું, ત્યારે છૂટતાની સાથે જ બાર યોજન દૂર રહેલા માગધતીર્થના અધિપતિ દેવના ભવનમાં આવીને પડ્યું. ત્યારે તે મગધતીર્થાધિપતિદેવ ભવનમાં પડેલા બાણને જુએ છે. જોઈને અત્યંત ક્રોધિત થયો, રોષાયમાન થયો, કુપિત થયો. ક્રોધથી દાંતને કચકચાવતો, કપાળમાં ત્રણ સળ પાડી, ભ્રકુટી ખેંચીને આ પ્રમાણે બોલ્યો
' અરે કોણ છે આ? જે અપ્રાર્થિતનો પ્રાર્થી છે. (મૃત્યુનો અભિલાષી છે) પૂરત, પ્રાંત, લક્ષણવાળો, હીનપુચ, ચઉદ્દસિયો, હી–શ્રી રહિત અર્થાત્ કંગાળ, એવો નિર્લજ્જ કોણ છે ? જે મારી આવા પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ, દેવધૃતિ, દેવાનુભાવથી ઉપાર્જિત, પ્રાપ્ત–આધીન કરાયેલ સંપત્તિ, વૈભવની પ્રાપ્તિની ઇચ્છા કરનારો મારા ભવનમાં બાણ ફેંકી રહ્યો છે. એમ વિચારી સિંહાસનથી ઉઠે છે. ઉઠીને જ્યાં તે નામાંકિત બાણ પડેલું હતું, તે તરફ જાય છે. તે નામાંકિત બાણને ગ્રહણ કરે છે. બાણને લઈને તે નામાંકન વાંચે છે. નામના ચિન્હ અક્ષરને વાંચીને, તે માગધ તીર્થાધિપતિ દેવના મનમાં આ પ્રકારનો વિચાર, ચિંતન, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો
અરે ! જંબૂદીપ નામના દ્વીપમાં ભરત વર્ષક્ષેત્રમાં સાર્વભૌમ ચક્રવર્તી ભરત નામનો રાજા ઉત્પન્ન થયો છે. તો અતીત, વર્તમાન અને અનાગત કાળે થનારા પ્રત્યેક માગધતીર્થવાસી દેવકુમારોના આ પરંપરાગત આચાર છે કે, તે રાજાનો સત્કાર કરવો. “હું પણ જાઉં અને તે ભરત રાજાનો સત્કાર ક" એ પ્રમાણે વિચારે છે. વિચારીને હાર, મુગટ, કુંડલ, કટક, ત્રુટિત, વસ્ત્ર, આભરણ અને નામાંકિત બાણ તથા માગધતીર્થનું જળ વગેરે ગ્રહણ કરે છે. કરીને ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ, વેગવાળી, સિંહસદશ, શીઘ, વિશેષ વેગવાળી, દિવ્ય દેવગતિ વડે ચાલત–ચાલતો જ્યાં રાજા ભરત છે ત્યાં આવે છે.
ત્યાં આવીને ઘુંઘરુવાળા પંચરંગી ઉત્તમ વસ્ત્રો ધારણ કરીને, બે હાથ જોડી દશ નખ ભેગા કરી મસ્તકે અંજલિ કરી ભરત રાજાને જય અને વિજય વડે વધાવે છે. વધાવીને આ પ્રમાણે બોલ્યો, હે દેવાનુપ્રિય! તમે સમગ્ર ભારત વર્ષના માગધતીર્થ સુધીના પૂર્વ દિશાવર્તી ક્ષેત્ર પર વિજય પ્રાપ્ત કરી લીધો છે. તેથી હું પણ આપ દેવાનુપ્રિયના દેશનો નિવાસી બન્યો છું. હું પણ આપ દેવાનુપ્રિયનો આજ્ઞાકારી કિંકર-નોકર છું. આપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org