________________
ચક્રવર્તી – ભરત કથા
૪૫
શસ્ત્રોને છોડી દીધા. દર્ભાસન પર એકલા બેસીને અદ્વિતીય અઠમ તપ અને ધર્મ જાગરણ આરાધના કરતા ત્યાં રહ્યા. ૦ લવણ સમુદ્રમાં પ્રવેશ :
અઠમ તપની આરાધના કરીને રાજા ભરત પૌષધશાળામાંથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો! તમે જલ્દીથી ઘોડા, હાથી, રથ અને પ્રવર યોદ્ધા સહિતની ચતુરંગિણી સેના તૈયાર કરો તથા ચારઘંટવાળો અથરથ તૈયાર કરો. એમ કહીને તે રાજા સ્નાનઘરમાં પ્રવેશ્યો. પ્રવેશીને પૂર્વે વર્ણન કર્યા મુજબ – યાવત્ - સ્નાન કરીને ધવલ મહામેઘમાંથી નીકળતા ચંદ્રસમાન – યાવત્ – સ્નાનગૃહથી બહાર નીકળ્યો. નીકળીને અશ્વ, હાથી, રથ શ્રેષ્ઠ વાહન – કાવત્ – જેની કીર્તિ ચારે તરફ ફેલાઈ રહી છે એવો તે ભરત રાજા જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં ચારઘંયુક્ત અશ્વરથ હતો ત્યાં આવ્યો. આવીને ચતુર્ઘટક અશ્વરથમાં બેઠો.
ત્યાર પછી ચતુર્ઘટવાળા અશ્વરથમાં બેઠેલા અને હાથી, ઘોડા, રથ અને યોદ્ધાયુક્ત ચતુરંગિણી સેનાથી પરિવરેલો, મહા ભટ-સુભટ પથગર આદિ દ્વારા પરિરક્ષિત ચક્રરત્ન દ્વારા દેખાડાતા માર્ગે, અનેક હજારો શ્રેષ્ઠ રાજાઓ દ્વારા અનુગમન કરાતા અને ઉત્કૃષ્ટ સિંહનાદના ઘોષથી કલ–કલ શબ્દારો દ્વારા પ્રભિત મહાસમુદ્રની ગર્જના સમાન આકાશમંડલને ગુંજાવતા તે ભરત રાજા માગધતીર્થથી પૂર્વ દિશાના માર્ગ પર ચાલતો લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે – યાવત્ – તેના ઉત્તમ રથના પૈડા મધ્યભાગ સુધી ભીંજાઈ ગયા ત્યારે તે ભરત રાજાએ ઘોડાઓને રોકયા. રોકીને રથને ઊભો રાખ્યો. પછી ધનુષ્યને હાથમાં લીધું. ૦ માગધ તીર્થાધિપતિના ભવનમાં બાણ ફેંકવું – દેવનું આવવું :
તે ધનુષનો આકાર તત્કાળ ઉગેલા બાલચંદ્ર (બીજના ચંદ્ર) જેવો, ઇન્દ્ર ધનુષ સમાન વક્ર હતો. મદોન્મત્ત ગર્વીષ્ઠ શ્રેષ્ઠ ભેંસના સુદઢ નિગડ સીંગડાના મધ્ય ભાગમાંથી બનાવેલ હતું. શ્રેષ્ઠ સર્પ, શ્રેષ્ઠ ભેંસ, શ્રેષ્ઠ કોકિલ, ભ્રમર સમૂહ, નીલરાશિ સમાન અત્યંત કૃષ્ણવર્ણી તે ધનુષની પૃષ્ઠભાગ તેજસ્વી, નિર્મળ અને સ્નિગ્ધ હતો. નિપુણ શિધ્ધિઓ દ્વારા સજાવેલ હોવાથી તે ચમકતું હતું. મણિરત્નોની ઘંટિકા દ્વારા વેષ્ટિત હતું. તેના પર વિજળી સમાન ચમકતા સોનેરી કિરણોના ચિન્હો લાગેલ હતા. દદર પર્વત – મલય પર્વતના શિખરો પર વસતા સિંહોની કેસરા, ચમરી ગાયની પૂછના વાળ તથા અર્ધચંદ્રના ચિન્હોથી અંકિત હતું. કાળા, લીલા, પીળા અને જૈતરંગી અનેક સ્નાયુઓની બનેલી પ્રત્યંચા વડે સજ્જિત હતું. શત્રુઓના જીવનનો અંત કરનાર તથા જેનો ટંકાર મનને કંપાવી દેનાર હતો. તે ધનુષના બાણના બંને છેડા વમણિના બનેલ હતા. તેના પર સુવર્ણ મણિરત્નો દ્વારા પોતાના નામનું ચિન્હ બનાવેલ હતું.
આવા પ્રકારનું ધનુષ લઈને, તેના પર બાણ ચઢાવીને, વૈશાખ નામના આસને બેસીને ધનુષની પ્રત્યંચાને કાન સુધી ખેંચીને તે રાજા ભરત આ પ્રકારના વચનો બોલ્યો – હે દેવગણ ! તમે બધા ધ્યાનપૂર્વક સાંભળો. જે દેવગણ મારા બાણના બાહ્ય સ્થાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org