________________
આગમ કથાનુયોગ-૨
કાળમાં વિમલજિનનો ઉલ્લેખ એકવીશમાં તીર્થંકર રૂપે થયેલ છે. તે અવસર્પિણી કાળ પ્રમાણે ચોથા જિનને સ્થાને પ્રાપ્ત થાય છે. તેથી ભાવિ ચોવીસીમાં વિમલ જિન ઘણાં કરોડ સાગરોપમ વ્યતિક્રાન્ત થયે સંભવે છે. જ્યારે આ મહાપદ્મ—વિમલવાહન રાજા તો બાવીશ સાગરોપમનું દેવાયુ પૂર્ણ કરીને જ થવાના છે. તેથી વિમલજિનના પ્રપૌત્ર શિષ્યનો આલાપક દુઃખે કરીને સ્વીકારાય તેવો છે. અથવા તો બાવીશ સાગરોપમ કાળ વીત્યા પછી થનારા તીર્થંકરનું પણ ‘વિમલ'' એવું નામ સંભવી શકે છે કેમકે ઉત્તમ પુરુષોના તો અનેક નામો હોઈ શકે છે.
૩૦૬
તે સુમંગલ અણગારનું વર્ણન ધર્મઘોષ અણગાર સમાન જાણવું (ભગવતીજી શતક ૧૧, સૂત્ર-૫૨૩માં ધમ્મઘોસ અણગાર આવે છે) - યાવત્ – તેઓ સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યાના અને ત્રણ જ્ઞાનના ધારક હશે, તે સુમંગલ અણગાર સુભૂમિ ભાગ ઉદ્યાનથી અતિ દૂર નહીં તેમ અતિ નીકટ નહીં એવા યથોચિત સ્થાને રહેલા હતા. તેઓ નિરંતર છટ્ઠ–છઠ્ઠના તપ પૂર્વક વિચરતા હતા, તપની સાથે ઉપર તરફ બંને હાથ રાખી સૂર્યાભિમુખ થઈને આતાપના ભૂમિમાં આતાપના લેતા વિચરી રહ્યા હતા.
તેવા સમયમાં એક વખત વિમલવાહન રાજા રથચર્ચા માટે રથમાં બેસીને ફરવાને માટે નીકળશે.
ત્યારપછી તે વિમલવાહન રાજા સુભૂમિભાગ ઉદ્યાનથી થોડી દૂર રથમાં ફરતા ફરતા નીકળશે ત્યારે નિરંતર છટ્ઠના પારણે છટ્ઠનો તપ કરી રહેલા અને પોતાના બંને હાથ ઊંચા રાખી સૂર્યાભિમુખ થઈને આતાપના ભૂમિમાં આતાપના લઈ રહેલા એવા સુમંગલ અણગારને જોશે. જોઈને તે રાજા ક્રોધાભિભૂત થઈને, રોષાયમાન અને કોપાયમાન થઈને ચંડિકાવત્ રૌદ્રરૂપ ધારણ કરીને દાંતોને કચકચાવતો રથના અગ્રભાગથી સુમંગલ અણગારને ટક્કર મારીને નીચે પાડી દેશે.
ત્યારે તે સુમંગલ અણગાર વિમલવાહન રાજાના દ્વારા રથના અગ્રભાગની ટક્કર લાગવાથી પડી ગયા બાદ ધીમે ધીમે ઉઠશે અને ઊભા થઈને બીજી વખત પણ ઉપર તરફ હાથોને રાખીને સૂર્ય તરફ પોતાનું મુખ કરીને આતાપના ભૂમિમાં આતાપના લેતા વિચરણ કરશે. ત્યારપછી ફરી બીજી વખત પણ તે વિમલવાહન રાજા સુમંગલ અણગારને રથના અગ્રભાગની ટક્કર મારીને નીચે પાડી દેશે.
ત્યારે તે સુમંગલ અણગાર બીજી વખત પણ એ જ પ્રમાણે વિમલવાહન રાજા દ્વારા રથના અગ્રભાગની ટક્કર મારી પાડી દેવાયા પછી ફરીથી ધીમે ધીમે ઊભા થશે, ઊભા થઈને પોતે અવધિજ્ઞાનનો ઉપયોગ મુકશે. અવધિજ્ઞાન ઉપયોગ દ્વારા વિમલવાહન રાજાના ભૂતકાળને જોશે, જોઈને વિમલવાહન રાજાને આ પ્રમાણે કહેશે કે–
તું વાસ્તવમાં વિમલવાહન રાજા નથી, તું દેવસેન રાજા પણ નથી, તું મહાપદ્મ રાજા પણ નથી, પરંતુ ખરેખર તો આજથી પૂર્વના ત્રીજા ભવમાં શ્રમણોનો ઘાત કરનારો, શ્રમણને પરિતાપ ઉપજાવનારો – યાવત્ – છદ્મસ્થ અવસ્થામાં જ કાલધર્મ—મૃત્યુ પામેલો એવો તું ગોશાલ મંખલિપુત્ર છે.
-
તે સમયે સર્વાનુભૂતિ અણગારે સમર્થ હોવા છતાં પણ સમભાવથી તારા અપરાધને સહન કર્યો હતો, ક્ષમા કરી હતી, તિતિક્ષા કરી હતી અને તારા અપરાધને અધ્યાસિત અર્થાત્ સહન કર્યો હતો. તે જ પ્રમાણે તે સમયે સુનક્ષત્ર અણગારે પણ સમર્થ હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org