________________
આગમ કથાનુયોગ-૨
કરીને, જ્યાં અભિષેક પીઠ છે ત્યાં આવે છે. આવીને અભિષેક પીઠની અનુપ્રદક્ષિણા કરીને પૂર્વ તરફના ત્રિસોપાન જેવા સોપાન પર ચડે છે. ચડીને જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે. આવીને પૂર્વદિશા તરફ મુખ કરી સિંહાસન ઉપર બેઠો.
૭૪
ત્યારપછી તે રાજા ભરતના ૩૨,૦૦૦ રાજા જ્યાં અભિષેક મંડપ છે ત્યાં આવે છે. આવીને અભિષેક મંડપમાં પ્રવેશ કરે છે. પ્રવેશીને અભિષેક પીઠની અનુપ્રદક્ષિણા કરીને ઉત્તર તરફના ત્રિસોપાન પ્રતિરૂપકથી જ્યાં ભરતરાજા હતા ત્યાં આવે છે. આવીને બંને હાથ જોડી – યાવત્ – મસ્તકે અંજલિ કરી ભરતરાજાને જય—વિજય વડે વધાવે છે. વધાવીને ભરતરાજાની બહુ દૂર નહીં, બહુ નીકટ નહીં એવા સ્થાને તેમની સેવા કરતા યાવત્ – પર્યુંપાસના કરે છે.
-
-
ત્યારપછી તે ભરતરાજાના સેનાપતિરત્ન – યાવત્ – સાર્થવાહ આદિ પણ તે જ રીતે પ્રવેશ કરે છે. વિશેષ એટલું કે, તેઓ દક્ષિણ તરફના ત્રિસોપાન પ્રતિરૂપકથી પ્રવેશ કરી – યાવત્ – પર્યાપાસના કરે છે. ત્યાર પછી તે ભરતરાજા આભિયોગિક દેવોને બોલાવે છે. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! હવે જલ્દીથી મારો મહાર્થ, મહાઈ, મહાર્હ મહારાજા પદ સંબંધિ અભિષેક કરો, ત્યારે તે આભિયોગિક દેવ ભરતરાજાની આ વાત સંભળી અત્યંત હર્ષિત–સંતુષ્ટ થયા — યાવત્ – ઇશાનખૂણા તરફ ગયા. જઈને વૈક્રિય સમુઘાત કર્યો.
-
–
-
(અભિષેક સંબંધિ) સર્વ વર્ણન ‘વિજયદેવ''ના અભિષેક અનુસાર જાણવું - યાવત્ – પંડક વનમાં એક સ્થાને એકત્રિત થયા. એકત્રિત થઈને જ્યાં દક્ષિણાર્ધ ભરતવર્ષ ક્ષેત્ર છે, જ્યાં વિનીતા રાજધાની છે, ત્યાં આવ્યા. આવીને વિનીતા રાજધાનીની પ્રદક્ષિણા કરી જ્યાં અભિષેક મંડપ છે, જ્યાં ભરતરાજા છે ત્યાં આવ્યા, આવીને મહાર્થ, મહાર્દ, મહાર્દ, મહારાજ્યાભિષેકની તૈયારી કરી. ત્યાર પછી શુભ તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર, મુહૂર્ત આવ્યા ત્યારે ઉત્તર પ્રોષ્ઠપદાના વિજયમુહૂર્તમાં ૩૨,૦૦૦ રાજા ઉત્તમ કમળો પર રાખેલ, ઉત્તમ સુગંધિત જળથી ભરેલ, તે સ્વાભાવિક અને વિક્રિયા દ્વારા બનાવેલ કળશો દ્વારા યાવત્ – ઘણી ધૂમધામથી રાજા ભરતનો રાજ્યાભિષેક કરે છે. અભિષેક સંબંધિ વર્ણન ‘વિજયદેવ’'ના અધિકાર પ્રમાણે સમજી લેવું. અભિષેક કરીને પ્રત્યેક પ્રત્યેક યાવત્ – અંજલિ કરીને ઇષ્ટ પ્રિય વાણી દ્વારા જેમ પ્રવેશના વર્ણનમાં કહેલું તેમ અહીં સમજવું – યાવત્ જય-જય શબ્દો બોલે છે. ૦ નગરમાં દ્વાદશવર્ષીય પ્રમોદ ઘોષણા :
-
-
Jain Education International
ત્યાર પછી તે રાજા ભરતના સેનાપતિરત્ન યાવત્ – પુરોહિતરત્ન, ૩૬૦ સૂપકાર, અઢાર શ્રેણી—પ્રશ્રેણીજનો તથા બીજા પણ ઘણાં – યાવત્ – સાર્થવાહ આદિ આ જ પ્રમાણે ઉત્તમ કમળો પર રાખેલ કળશો દ્વારા અભિષેક કરે છે – યાવત્ – સ્તુતિ કરે છે. ૧૬,૦૦૦ દેવ પણ આ રીતે અભિષેક કરે છે. વિશેષ એટલું કે, પદ્મ સનાન સુકોમલ વસ્ત્ર દ્વારા દેવોએ રાજા ભરતના શરીરને સ્વચ્છ કર્યું – યાવત્ મુગટ પહેરાવ્યો. ત્યાર પછી દદ્દર–ચંદન આદિ સુગંધિત પદાર્થોનું શરીર પર વિલેપન કર્યું. દિવ્ય એવી સુંદર પુષ્પમાળા પહેરાવી. વિશેષ કેટલું વર્ણન કરવું ? ગ્રંથિમ, વેષ્ટિમ માળાઓ
For Private & Personal Use Only
-
www.jainelibrary.org