________________
ચક્રવર્તી – ભરત કથા
૭૫
દ્વારા – યાવત્ - વિભૂષિત કરે છે. મહાનું એવા રાજ્યાભિષેકથી અભિસિંચિત્ થયા બાદ તે ભરતરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! તમે હાથીના ઉત્તમ સ્કંધ પર આરૂઢ થઈને વિનીતા રાજધાનીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર – યાવત્ – મોટા માર્ગો અને ગલિયોમાં ઊંચા અવાજમાં ઉદ્ઘોષણા કરાવો કે, આજથી બાર વર્ષનો પ્રમોદ ઉત્સવ આરંભ થાય છે. આ સમયે સમગ્ર રાજ્ય શુલ્કરહિત, કરરહિત, ખેડાણરહિત, દેવારહિત અને માપરહિત રહેશે. તેમજ ભટ્ટના ગૃહપ્રવેશ અને દંડ-કુદંડ રહિત રહેશે – યાવત્ – પુરજનપદ સહિત આ બાર વર્ષનો પ્રમોદ ઉત્સવ મનાવવામાં આવશે. આ ઘોષણા કરીને મારી આજ્ઞાનું પાલન થયાની મને સૂચના આપો. ત્યારે તે કૌટુંબિક પુરુષ ભરતરાજાની આ વાત સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળા, પ્રિતીયુક્ત મનવાળા થયા. હર્ષના વશથી તેમના હૃદય વિકસિત થયા, તેમણે વિનયપૂર્વક આજ્ઞા સ્વીકારી. પછી તત્કાળ હાથીના સ્કંધ પર બેસીને – યાવતુ – ઘોષણા કરી. કરીને આજ્ઞાપૂર્તિની સૂચના આપી. ૦ રાજા ભરતનું પોતાના પ્રાસાદે જવું :
મહાનું એવા રાજ્યાભિષેકથી અભિસિંચિત્ થયેલ તે ભરત રાજા સિંહાસનથી ઊભા થયા. ઊભા થઈને સ્ત્રીરત્ન – યાવત્ – ૩૨,૦૦૦ નાટકોથી પરિવૃત્ત થઈ અભિષેક પીઠથી પૂર્વ દિશાવર્તી ત્રિસાપન પ્રતિરૂપકથી નીચે ઉતર્યો. ઉતરીને અભિષેક મંડપથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં આભિષેક્ય હસ્તિરત્ન હતો, ત્યાં આવ્યા. આવીને અંજનગિરિના શિખર સમાન ગજપતિ પર – યાવત્ – આરૂઢ થયા. પછી તે ભરતરાજાના ૩૨,૦૦૦ રાજાઓ અભિષેક પીઠના ઉત્તર દિશાવર્તી ત્રિસોપાન પ્રતિરૂપક દ્વારા નીચે ઉતર્યા. પછી ભરતરાજાના સેનાપતિ રત્ન – યાવત્ – સાર્થવાહ વગેરે અભિષેક પીઠની દક્ષિણ બાજુના ત્રિસોપાન પ્રતિરૂપક દ્વારા નીચે ઉતર્યા.
તે વખતે જ્યારે તે ભરતરાજા આભિષેક્ય હસ્તિરત્ન પર આરૂઢ થયા ત્યારે આઠ–આઠ મંગળ આગળ – યાવતુ – ચાલવા લાગ્યા. સત્કારના પાઠ સિવાયનું પ્રવેશના સમયનું જે વર્ણન પહેલા કરાયું છે, તે જ વર્ણન અહીં પણ સમજી લેવું. તથા કુબેર પર્વતનો આખો સૂત્રપાઠ પણ અહીં જાણવો – યાવત્ – કૈલાશ પર્વતના શિખરની ઉપર કુબેર સમાન તે ભરતરાજા પોતાના પ્રાસાદે સુખનો અનુભવ કરે છે.
ત્યારપછી તે ભરતરાજા સ્નાનગૃહમાં પ્રવેશ્યો. પ્રવેશીને – યાવત્ – ભોજન મંડપમાં સુખાસને બેસીને અઠમભક્ત તપનું પારણું કર્યું. કરીને ભોજનમંડપથી બહાર આવ્યો. આવીને ઉત્તમ પ્રાસાદના ઉપરના ભાગમાં ઢોલક આદિ વાદ્ય વાગી રહ્યા હતા – થાવત્ – ભોગવતો વિચરે છે.
ત્યારપછી જ્યારે બાર વર્ષનો પ્રમોદ પ્રસંગ પૂર્ણ થઈ ગયો ત્યારે તે ભરતરાજા જ્યાં ખાનગૃહ હતું ત્યાં આવ્યા. આવીને – યાવત્ – સ્નાનગૃહથી બહાર નીકળ્યા. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી – યાવતુ – સિંહાસન પર પૂર્વ તરફ મુખ કરીને બેઠા. બેસીને ૧૬,૦૦૦ દેવોના સત્કાર-સન્માન કર્યા. સત્કાર-સન્માન કરીને તેમને વિદાય આપી. પછી ૩૨,૦૦૦ રાજાઓના સત્કાર-સન્માન કર્યા. કરીને સેનાપતિરત્નના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org