________________
૭૬
આગમ કથાનુયોગ-૨
સત્કાર-સન્માન કર્યા. કરીને – યાવત્ – પુરોહિતરત્નના સત્કાર-સન્માન કર્યા. કરીને ૩૬૦ સૂપકારોના સત્કાર-સન્માન કર્યા, અઢાર શ્રેણી–પ્રશ્રેણીજનોના સત્કાર-સન્માન કર્યા કરીને બીજા પણ ઘણાં રાજા, ઈશ્વર, તલવર યાવત્ સાર્થવાહ આદિના સત્કારસન્માન કરીને બધાંને વિદાય આપી. વિદાય આપીને ઉત્તમ પ્રાસાદના ઉપરના ભાગમાં જઈને – યાવત્ – ભોગ ભોગવતો વિચરે છે. ૦ રત્ન અને મહાનિધિઓના ઉત્પત્તિ સ્થાન :
ભરતરાજાના ૧. ચક્રરત્ન, ૨. દંડરન, 3. અસિરત્ન, ૪. છત્રરત્ન. આ ચાર એકેન્દ્રિય રત્નો આયુધશાળામાં સમુત્પન્ન થયા. ૫. ચર્મરત્ન, ૬. મણિરત્ન અને ૭. કાકણીરત્ન અને નવમહાનિધિ શ્રીગૃહમાં ઉત્પન્ન થયા.
૧. સેનાપતિરત્ન, ૨. ગૃહપતિરત્ન, 3. વર્ધકિરત્ન અને ૪. પુરોહિતરત્ન. આ ચાર મનુષ્યરત્ન વિનીતા રાજધાનીમાં ઉત્પન્ન થયા. ૫. અશ્વરત્ન અને ૬. હસ્તિરત્ન એ બે પંચેન્દ્રિયરત્નો વૈતાઢ્ય પર્વતની તળેટીમાં ઉત્પન્ન થયા. ૭. સુભદ્રા નામક સ્ત્રીરત્ન ઉત્તરદિશાવર્તી વિદ્યાધર શ્રેણીમાં ઉત્પન્ન થયેલ. ૦ ભરત ચક્રવર્તીની શાસન ઋદ્ધિ :
ત્યારે તે ભરતરાજા (ચક્રવર્તી) ચૌદરત્નો, નવ મહાનિધિ, ૧૬,૦૦૦ દેવતા, ૧૬,૦૦૦ (માંડલીક) રાજાઓ, ૩૨,૦૦૦ ઋતુ કલ્યાણિકા, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા, બત્રીશબદ્ધ ૩૨,૦૦૦ નાટક, ૩૬૦ સૂપકારો, અઢાર શ્રેણી–પ્રશ્રેણીજન, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૯૬ કરોડ મનુષ્યો (પાયદળ), ૭૨,૦૦૦ ઉત્તમપુર (નગર), ૨૨,૦૦૦ જનપદ, ૯૬ કરોડ ગામ, ૯૯,૦૦૦ દ્રોણમુખ, ૪૮,૦૦૦ પટ્ટણ, ૨૪,૦૦૦ કર્બટ, ૨૪,૦૦૦ મડબ, ૨૦,૦૦૦ આકર, ૧૬,૦૦૦ ખેડા, ૧૪,૦૦૦ સંબોધ, છપ્પન અંતરોદક (જલ અન્તર્વતી સ્થાન), ૪૯ કુરાજ્યો, વિનીતા રાજધાની, લઘુહિમવંત પર્વતથી સમુદ્ર મર્યાદા પર્યાનું ભરતક્ષેત્ર અને બીજા પણ અનેક રાજા, ઈશ્વર, તલવર – યાવત્ – સાર્થવાહ આદિનું આધિપત્ય, પૌરોપત્ય, ભર્તૃત્વ, સ્વામિત્વ, મહત્તરત્વ, આજ્ઞેશ્વરત્વ, સૈનાપત્ય કરતા, પાલન કરતા (સખ્ય નિર્વાહ કરતા) વિચરતા હતા.
(રાજા ભરતે) પોતાના સમસ્ત શત્રુરૂપ કંટકોને ઉખેડીને ફેંકી દીધા, સર્વશત્રુઓને જીતી લીધા. પછી ભરતખંડનો અધિપતિ (ચક્રવર્તી) રાજા થયો. તેનું સમસ્ત શરીર ઉત્તમ ચંદન લેપથી ચર્ચિત હતું, ઉત્તમ હાર આદિથી તેનું વક્ષસ્થળ શોભતું હતું. મસ્તક પર ઉત્તમ મુગટ ધારણ કરેલા, શરીર પર ઉત્તમ વસ્ત્ર અને આભૂષણ ધારણ કરેલા, તેના મસ્તક પર બધી ઋતુઓના ઉત્તમ પુષ્પોની માળા શોભતી હતી. ઉત્તમ નાટક—નાટિકાઓ તથા ઉત્તમ સ્ત્રીઓના સમૂહથી ઘેરાયેલો હતો. સર્વ ઔષધિ, સર્વરત્નો તથા પોતાની સર્વ શોભાથી સંપન્ન હતો. તેના સંપૂર્ણ મનોરથ પૂરા થયા હતા. પોતાના સર્વશત્રુના માનનું મર્દન કરેલ હતું. પૂર્વકૃત્ તપના પ્રભાવથી સુખરૂપ ફળનો તેણે સંચય કર્યો હતો. આવો તે ભરત નામનો રાજા મનુષ્ય સંબંધિ ભોગો ભોગવતો વિચરતો હતો. ૦ સુંદરીની દીક્ષા :(ભઋષભને કેવળજ્ઞાન થયું ત્યારે બ્રાહ્મી વગેરેએ દીક્ષા લીધેલી. સુંદરી અતિ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International