SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી – ભરત કથા ૭૭ સ્વરૂપવાનું હોવાથી ભરતરાજા તેને સ્ત્રીરત્ન પદે સ્થાપવા ઇચ્છતા હોવાથી તેણીને દીક્ષાની અનુમતિ ન આપી. તેણી શ્રાવિકા બની) રાજા ભરત ૬૦,૦૦૦ વર્ષે ભારત વર્ષક્ષેત્ર જીતીને વિનીતા રાજધાની પધાર્યા. પછી બાર વર્ષનો મહારાજ્યાભિષેક મહોત્સવ થયો. બાર વર્ષીય રાજ્યાભિષેક મહોત્સવ પૂર્ણ થયા બાદ સર્વેને વિદાય આપી. પછી પોતાના સ્વજનવર્ગનું સ્મરણ કરવા લાગ્યા. તે વખતે બધાં સ્વજનોને જોતા-જોતા સુંદરીને જોઈ. તેણીને ખૂબ જ કૃશકાય અને પ્લાન મુખવાળી જોઈ. (સ્વજનોને પૂછયું કે, સુંદરી આવી કૃશકાય અને જ્ઞાનમુખ કેમ થઈ ગઈ છે ? ત્યારે સ્વજનોએ જણાવ્યું કે–). જે દિવસે ભરતરાજાએ દિગ્વીજય યાત્રાનો આરંભ કર્યો તે જ દિવસથી સુંદરીએ આયંબિલનો તપ આરંભ કર્યો હતો. તેણીને જોઈને રોષાયમાન થયેલ રાજાએ કૌટુંબિકજનોને કહ્યું કે, કેમ મારે ત્યાં ભોજન મળતું ન હતું. જેથી આ આટલી કૃશકાય અને પ્લાન સૌંદર્યવતી બની ગઈ ? કે પછી વૈદ્યો મળતા ન હતા ? ત્યારે કુટુંબીજનોએ રાજાને સમજાવ્યું કે, તેણી એટલા માટે આયંબિલ કરતી રહી છે જેથી તમારો તેના પરનો રાગ ઘટી જાય. સુંદરીએ પણ ભરતને કહ્યું કે, હવે જો તમને રુચે તો મારી સાથે ભોગ ભોગવો અને મારું રૂપ ન ગમે તો મને દીક્ષાની અનુજ્ઞા આપો. ત્યારે ભરત તેના પગે પડી ગયો. તેણીને રજા આપી અને સુંદરીએ પણ દીક્ષા લીધી. ૦ બાકીના અઠાણુ ભાઈઓની દીક્ષા : અન્ય કોઈ દિવસે ભરતરાજાએ તેમના ભાઈઓને ત્યાં દૂતો મોકલ્યા. કહેવડાવ્યું કે, તમે મારી આજ્ઞામાં રહીને રાજ્ય ભોગવો અર્થાત્ માટે શરણે આવી જાઓ. ભાઈઓએ ઉત્તર આપ્યો કે, આ રાજ્ય અમને પિતા તરફથી મળેલું છે અને તમને પણ પિતાએ જ રાજ્ય આપ્યું છે. અમે પિતા (ભગવંત ઋષભ) પાસે જઈશું તેમને પૂછીશું અને તેઓ જેમ કહેશે તેમ કરીશું. તે વખતે ભષભ અષ્ટાપદ તરફ વિચરતા હતા. બધાં. ભાઈઓએ ભેગા થઈને ભગવંત પાસે જઈને પૂછયું કે, આ રાજ્ય તો આપનું આપેલું છે અને મોટા ભાઈ ભરત તે આંચકી લેવા માગે છે. તો અમે શું કરીએ ? શું યુદ્ધ કરીએ કે તેની આજ્ઞાનો સ્વીકાર કરીએ ? (શેષ કથા ભઋષભના ચરિત્ર પ્રમાણે જાણવી) – યાવતું – અઠાણુ ભાઈઓએ દીક્ષા લીધી. ૦ બાહુબલી સાથે યુદ્ધ : પોતાના અઠ્ઠાણું ભાઈઓની દીક્ષા થયા પછી ભરતે બાહુબલી પાસે દૂત મોકલ્યો. બાકીના ભાઈઓની દીક્ષાની વાત સાંભળી બાહુબલી ક્રોધિત થઈ ગયા. દૂતને કહ્યું કે, તે ભાઈઓ તો નાના હતા એટલે દીક્ષા અપાવી દીધી. પણ હું યુદ્ધ માટે સમર્થ છું, મને જીત્યા વગર તું કઈ રીતે જીતેલ કહેવાઈશ ? મારી સાથે લડવા આવી જાય. ત્યારે બંને પોતાના દેશની સરહદ ઉપર સર્વ સૈન્ય–બળ સાથે ભેગા થયા. (અહીં કલ્પસૂત્ર વૃત્તિકાર સૂત્ર-૨૧રની વૃત્તિમાં એવું જણાવે છે કે-) બાહુબલિએ ભારતની આજ્ઞા ન માનતા ભરતે તેના પર ચડાઈ કરી. ભરત અને બાહુબલિ વચ્ચે બાર વર્ષ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું. બંનેના સૈન્યોમાં પુષ્કળ મનુષ્યોનો સંહાર થયો. પણ બંનેમાંથી કોઈ હાર્યું નહીં. આ રીતે ઘણાં મનુષ્યોનો સંહાર થતો જાણી ત્યાં શક્રઇન્દ્રએ આવી તેઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy