________________
ચક્રવર્તી – ભરત કથા
૭૩
અઠમભક્ત તપ પૂર્ણ થતાં તે રાજા ભરતે આભિયોગિકદેવોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! વિનીતા રાજધાનીના ઇશાન ખૂણામાં જલ્દીથી એક વિશાલ અભિષેક મંડપની વિફર્વણા કરો. કરીને અભિષેક મંડપ તૈયાર થયાની મને સૂચના આપો. ત્યાર પછી તે આભિયોગિક દેવ ભરતરાજાની તે આજ્ઞા સાંભળીને હર્ષિતસંતુષ્ટ થયા – યાવત્ – “હે સ્વામી! તે પ્રમાણે થશે.” કહીને તે આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને વિનીતા રાજધાનીના ઇશાન ખૂણામાં ગયો. જઈને વૈક્રિય સમુદ્દઘાત કર્યો. કરીને સંખ્યાત યોજન લાંબો દંડ બનાવ્યો તે આ પ્રમાણે
રત્નોનો – યાવત્ રિષ્ટ રત્નોના, યથાબાદર પુદ્ગલોને દૂર કર્યા અને યથાસૂમ પુદગલો ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને બીજી વખત પણ વૈક્રિય સમુઘાત કરી અત્યંત સમતલ, રમણીય ભૂમિભાગની રચના કરી. તે ઢોલકના ઉપરના ભાગ સમાન હતો. તે સમતલ અને રમણીય ભૂમિભાગની વચ્ચોવચ્ચ એક વિશાળ અભિષેક મંડપની રચના કરી. તેમાં અનેક સ્તંભ લાગેલા હતા – યાવત્ – સુગંધમય વાટિકા જેવો બનાવી દીધો. અહીં પ્રેક્ષાગૃહનું વર્ણન સમજી લેવું. તે અભિષેક મંડપના ઠીક મધ્યભાગમાં એક મહાન અભિષેક પીઠ બનાવી જે અત્યંત સ્વચ્છ અને નિગ્ધ હતી. તે અભિષેક પીઠની ત્રણ દિશાઓમાં ત્રણ સોપાનો જેવી રચના કરી. તે ત્રણ સોપાનોનું વર્ણન સમજી લેવું – યાવત્ – તેની પર તોરણોની રચના કરી. તે અભિષેકપીઠનો ભૂભાગ ઘણો જ સમ અને રમણીય હતો.
તે સમ અને રમણીય ભૂભાગની ઠીક મધ્યમાં એક વિશાળ સિંહાસનની વિદુર્વણા કરી, તે સિંહાસન – યાવત્ – માળાનું વર્ણના “વિજયદેવ'ના અધિકાર પ્રમાણે સમજી લેવું ત્યાર પછી તે દેવ અભિષેક મંડપની રચના કરે છે, રચના કરીને જ્યાં ભરતરાજા હતો. ત્યાં આવીને – યાવત્ – આજ્ઞાનુસાર કાર્ય સંપન્ન થયાની સૂચના આપે છે.
ત્યારપછી આભિયોગિક દેવોની વાત સાંભળી, સમજીને તે ભરતરાજા હર્ષિત, સંતુષ્ટ થયો – યાવત્ – પૌષધશાળાની બહાર નીકળ્યો. નીકળીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી આભિષેક્ય હસ્તિરત્નને તૈયાર કરો, કરીને હાથી, ઘોડા – યાવત્ – સજાવીને મારી આ આજ્ઞાનું પાલન થયાની મને સૂચના આપો – યાવત્ – તે દેવોએ તેમ કર્યું. ત્યારે તે ભરતરાજાએ ખાનગૃહમાં પ્રવેશ કર્યો – યાવત્ – અંજનગિરિના શિખર જેવા ગજપતિ ઉપર તે નરપતિ ભરતરાજા આરૂઢ થયો.
ત્યારપછી જ્યારે તે ભરતરાજા આભિષેક્ય હસ્તિરત્ન પર આરૂઢ થયા ત્યારે તેની આગળ આઠ-આઠ મંગલ ચાલવા લાગ્યા. શોભાયાત્રાનું સમસ્ત વર્ણન વિનીતા રાજધાનીના પ્રવેશ વખતે કરાયેલ, તે પ્રમાણે જાણવું – થાવ – પ્રતિબધ્યમાનું થતા– થતા વિનીતા રાજધાનીના મધ્યભાગથી નીકળે છે, નીકળીને જ્યાં વિનીતા રાજધાનીના ઇશાન ખૂણામાં અભિષેક મંડપ છે ત્યાં આવે છે. આવીને અભિષેક મંડપના દ્વારે આભિષેજ્ય હસ્તિરત્નને ઊભો રાખે છે. ઊભો રાખીને આભિષેકય હસ્તિરત્નથી નીચે ઉતરે છે. ઉતરીને સ્ત્રીરત્ન–૩૨,૦૦૦ તુ કલ્યાણિકા–૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા તથા બત્રીશબદ્ધ–૩૨,૦૦૦ નાટ્યમંડળી સાથે અભિષેક મંડપમાં પ્રવેશ કરે છે. પ્રવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org