SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩૨ આગમ કથાનુયોગ-૨ - ચક્રવર્તીએ આ પ્રમાણે કહેતા મુનિએ શું કહ્યું તે જણાવે છે – તે રાજાના હિતાનુપ્રેક્ષી, હિતાકાંક્ષી ચિત્રમુનિએ પૂર્વભવના સ્નેહથી અનુરકત અને કામભોગોમાં આસક્ત નરપતિને આવા વચનોથી સમજાવતા કહ્યું કે, બધાં જ ગીત–ગાન વિલાપ છે. સમસ્ત નાટ્ય વિડંબણા છે. બધાં આભરણો ભારરૂપ છે અને સમગ્ર કામભોગ દુઃખપ્રદ છે. અજ્ઞાનીઓને સુંદર દેખાતા, પરંતુ વસ્તુતઃ દુઃખકર કામભોગોમાં તે સુખ નથી. જે સુખ શીલગુણોમાં રત અને કામ–ભોગોથી નિવૃત્ત તપોધન ભિક્ષુઓને હોય છે. હે નરેન્દ્ર મનુષ્યોમાં જે ચાંડાલ જાતિ અધમ જાતિ મનાય છે, તેમાં આપણે બંને ઉત્પન્ન થઈ ચૂક્યા છીએ. ચાંડાલોની વસ્તીમાં આપણે બંને રહેતા હતા. ત્યાં બધાં લોકો આપણો દ્વેષ કરતા હતા. તે ચાંડાલ જાતિમાં આપણે જન્મ લીધો હતો. ત્યાં આપણે બંને રહ્યા ત્યારે બધાં લોકોએ આપણી દુગંછા–જુગુપ્સા કરી. જ્યારે આ જન્મમાં જે કંઈ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી તે પૂર્વજન્મના શુભકર્મોનું ફળ છે. તેથી શુભકર્મોને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ પણ વિષયાદિ ભોગમાં વ્યાકુળ થવું ન જોઈએ. વળી, પૂર્વ શુભકર્મોના ફળ સ્વરૂપ અત્યારે તું મહાનુભાગ, મહાદ્ધિવાળો રાજા બન્યો છે. તેથી તું ક્ષણિક ભોગોનો ત્યાગ કરી ચારિત્ર ધર્મની આરાધના માટે અભિનિષ્ક્રમણ કર, ગૃહસ્થપણામાં સર્વ ચારિત્રનો સંભવ નથી. હે રાજન્ ! આ અશાશ્વત માનવજીવનમાં જે વિપુલ પુણ્યકર્મ કરતો નથી, તે મૃત્યુ આવતા પશ્ચાતાપ કરે છે અને ધર્મ ન કર્યો હોવાથી પરલોકમાં પણ પશ્ચાત્તાપ કરે છે. જે રીતે અહીં સિંહ હરણને પકડીને લઈ જાય છે, તે જ રીતે અંતકાળે મૃત્યુ મનુષ્યને લઈ જાય છે. મૃત્યુ સમયે તેના માતા–પિતા કે ભાઈ કોઈ પણ તેના મૃત્યુના દુઃખમાં ભાગીદાર થતા નથી... તેના દુઃખમાં જ્ઞાતિજન કે મિત્ર કે પુત્ર કે બંધુ–ભાઈ કોઈપણ દુઃખનો ભાગ લઈ શકતું નથી તે પોતે એકલો જ પ્રાપ્ત થયેલા દુ:ખોને ભોગવે છે, કેમકે કર્મ તેના કરનારની પાછળ જ ચાલે છે. સેવક, પશુ, ક્ષેત્ર, ઘર, ધન-ધાન્ય વગેરે બધું જ છોડીને આ પરાધીન જીવ પોતાના કરેલા કર્મોની સાથે સુંદર કે અસુંદર અર્થાત્ સ્વર્ગ–નરકાદિ પરભવમાં જાય છે. જીવરહિત તે એકાકી તુચ્છ શરીરને ચિતામાં અગ્નિ વડે બાળીને લોકકૃત્ય કરીને ફરી સ્વાર્થસિદ્ધિ માટે તે સ્ત્રી, પુત્ર અને જ્ઞાતિજનો કોઈ અન્ય આશ્રયદાતાનું અનુસરણ કરે છે. હે રાજન્ કર્મ કોઈપણ પ્રકારનો પ્રમાદ કર્યા વિના જીવનને પ્રત્યેક ક્ષણે મૃત્યુની નજીક લઈ જઈ રહ્યું છે અને આ જરા મનુષ્યની કાંતિનું હરણ કરી રહી છે. તે પાંચાંલરાજ ! મારી વાત સાંભળો, પ્રચૂર-અતિશય કર્મો, પંચેન્દ્રિય વધ આદિ ન કરો. આ પ્રમાણે મુનિએ કહ્યું, ત્યારે ચક્રવર્તીએ તેને કહ્યું હે આર્ય! (મુનિ !) જે પ્રમાણે તમે મને જણાવી રહ્યા છો, તે હું પણ જાણું છું કે, આ કામભોગ બંધનરૂપ છે. પરંતુ તે સાધુ! અમારા જેવા ભારેકર્મી લોકો માટે કામભોગનો ત્યાગ ઘણો દુર્જય છે. હે ચિત્ર (મુનિ !) હસ્તિનાપુરમાં મહાત્ ઋદ્ધિવાળા ચક્રવર્તી રાજાને જોઈને ભોગોમાં આસક્ત થઈને મેં આ અશુભ નિયાણું કરેલ. તેનું મેં પ્રતિક્રમણ ન કર્યું. આ તે જ કર્મનું ફળ છે કે, જેથી ધર્મને જાણવા છતાં પણ હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy