________________
ચક્રવર્તી – બહ્મદત્ત કથા
૧૩૧
(ઉત્ત.નિ. ૩૫૫ >) બ્રહ્મદત્તને જાતિસ્મરણ જ્ઞાન થવાથી દોઢ શ્લોક બનાવી, બીજા શ્લોકનો ઉત્તરાર્ધ બાકી રાખ્યો. કર્ણોપકર્ણ થતા ચિત્રના જીવ મુનિએ સાંભળ્યો. તેવા પ્રકારના જ્ઞાનાતિશય-ઉપયોગથી એવો સંકલ્પ કર્યો કે, હું ત્યાં જઈને પૂર્વભવના મારા ભાઈ સંભૂતના જીવને પ્રતિબોધ કરું. તેણે કપિલપુર વિહાર કર્યો. ત્યાં પહોંચીને નગરના બહારના ઉદ્યાનમાં રહ્યા. ઇત્યાદિ કથા પૂર્વે જણાવ્યા મુજબ જાણવી. પછી તેઓએ પરસ્પર સુખદુ:ખની વાર્તા કરી.
– મહાત્ ઋદ્ધિ સંપન્ન અને મહાનું યશસ્વી ચક્રવર્તી બ્રહ્મદ અતીવ આદર સહ પોતાના પૂર્વભવના ભાઈને આ પ્રમાણે કહાં
- આ પૂર્વે આપણે બંને પરસ્પર વશવર્તી, અનુરક્ત અને હિતૈષી ભાઈ–ભાઈ હતા. આપણે બંને દશાર્ણ દેશમાં દાસ, કાલિંજર પર્વત પર હરણ, મૃત ગંગાને કિનારે હંસ અને કાશી દેશમાં ચાંડાલ હતા. દેવલોકમાં મહાત્ ઋદ્ધિસંપન્ન દેવ હતા. ત્યારથી આપણો આ છઠો ભવ છે. જેમાં આપણે એકબીજાને છોડીને અલગ-અલગ સ્થાને જમ્યા છીએ.
– ચક્રવર્તીએ આ પ્રમાણે કહેતા મુનિએ તેમને કહ્યું, હે રાજા ! તે નિદાનકૃત્ કર્મોનું વિશેષરૂપે ચિંતન કર્યું. તે આર્તધ્યાન જનિત કર્મફળના વિપાકથી આપણે અલગ-અલગ જમ્યા. તે વખતે મેં તને ઘણો અટકાવ્યો, તો પણ તે નિદાનનો ત્યાગ ન કર્યો. તેનું આ ફળ છે કે, આપણો આ ભવે વિયોગ થયો.
– આ પ્રમાણે વિયોગનો હેતુ જાણીને ચક્રવર્તીએ ફરી પૂછ્યું, હે ચિત્ર ! પૂર્વજન્મમાં મેં કરેલ સત્ય અને માયારહિત અનુષ્ઠાન કર્મોના ફળરૂપે, શુભ અનુષ્ઠાનના ફળરૂપે આજે – આ કાળે હું સ્ત્રીરત્નાદિનો પરિભોગ કરી રહ્યો છું. શું તમે પણ તેવા જ સુખ ભોગવી રહ્યા છો ?
– આ પ્રમાણે ચક્રવર્તીએ કહ્યું, એટલે મુનિએ પ્રત્યુત્તર આપ્યો, મનુષ્યો દ્વારા સમાચરિત બધાં સત્કર્મ સફળ થાય છે. કરેલા કર્મોના ફળને ભોગવ્યા વિના મુક્તિ થતી નથી. મારો આત્મા પણ ઉત્તમ અર્થ અને કામ દ્વારા પુણ્ય ફળથી યુક્ત રહ્યો છે.
– તેથી જ હે સંભૂત (બ્રહ્મદત્ત) ! જેમ તું તને પોતાને ભાગ્યવાનું, મહાનું ઋદ્ધિથી સંપન્ન અને પુણ્ય–ફળથી યુક્ત સમજે છે. તે જ રીતે ચિત્રને (મને) પણ સમજ.
– હે રાજનું ચિત્રની (મારી) પાસે પણ પ્રચૂર ઋદ્ધિ અને ઘુતિ રહી છે. સ્થવિરોએ જનસમુદાયમાં ઓછા વર્ણવાળી પણ મહાનું અર્થવાળી ગાથા કહેલી હતી, જેને શીલ અને ગુણોથી યુક્ત ભિભૂ પ્રયત્નથી પામે છે. તે સાંભળીને હું શ્રમણ થઈ ગયો. કોઈ દુઃખથી દગ્ધ થઈને શ્રમણ થયો નથી.
– મુનિએ આ પ્રમાણે કહેતા, બ્રહ્મદત્તે પોતાની સંપત્તિ માટે નિમંત્રણ કરતા કહ્યું, ઉચ્ચોદય, મધુ, કર્ક, મધ્ય અને બ્રહ્મા. એ પાંચ મુખ્ય પ્રાસાદ અને અનેક બીજા રમણીય પ્રાસાદ છે. પાંચાલ દેશના અનેક વિશિષ્ટ પદાર્થોથી યુક્ત તથા પ્રચૂર અને વિવિધ ધનથી પરિપૂર્ણ આ ગૃહોનો સ્વીકાર કરો.
– તમે નાટ્ય, ગીત અને વાદ્યો સહિત સ્ત્રીઓથી પરિવરેલા આ ભોગોને ભોગવો. હે ભિક્ષુ ! મને આ જ પ્રિય છે. પ્રવજ્યા નિશ્ચયથી દુઃખપ્રદ છે. તેમાં કંઈપણ સુખ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org