SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ નિલવ – ગોષ્ઠામાવિલ કથા ૨૫૩ - પચ્ચકખાણમાં પણ તે દોષ પ્રાપ્ત થશે. કેમકે કાળપ્રત્યાખ્યાનમાં પ્રહર વગેરે કાળમાન સાક્ષાત્ કહેલું છે. “જો કદાચ પોરિસિ વગેરે કાળની અવધિ કહેવી નહીં.” એમ કહેશો તો દીક્ષા ગ્રહણના દિવસથી જ અનશન કરવું પડશે અને તીર્થકરોએ તો તપસ્વીઓને દશા પ્રકારે અનાગત આદિ પ્રત્યાખ્યાનો કરવાનું સિદ્ધાંતમાં કહેલું છે. જો “તૃષ્ણા કે વાંછાથી આશંસા દોષ પ્રાપ્ત થાય છે” – એ બીજો પક્ષ માનશો તો તે પણ અયોગ્ય છે. કેમકે મુનિને અન્ય ભવમાં પાપ સેવવાની ઇચ્છા હોતી નથી અને જો અવધિ રહિત પ્રત્યાખ્યાન કરે તો સર્વ પ્રત્યાખ્યાન આગામી કાળનું પણ થઈ જશે. તેમ થવાથી આયુષ્યના લયે દેવગતિને પામેલા યતિને સાવદ્ય કર્મના સેવનથી અવશ્ય વ્રતનો ભંગ પ્રાપ્ત થશે. આવા-આવા કારણોથી આશંસારહિતપણે અવધિ સહિત પ્રત્યાખ્યાન કરવાથી કાયોત્સર્ગની જેમ કાંઈ પણ દોષ લાગતો નથી. ઇત્યાદિ યુક્તિઓથી સમજાવ્યા છતાં પણ જ્યારે તે કાંઈ પણ શ્રદ્ધા પામ્યા નહીં ત્યારે આચાર્ય દુર્બલિકા પુષ્પમિત્ર તેને ગચ્છના બહુશ્રુત અને વૃદ્ધ મુનિઓ પાસે લઈ ગયા. તેઓએ કહ્યું કે, આ આચાર્ય ભગવંત જેમ કહે છે, તેમજ આર્યરક્ષિત સૂરિએ પ્રરૂપણા કરેલી છે, તેમાં કંઈપણ ન્યૂનાધિક નથી. ત્યારે ગોષ્ઠામાડિલે કહ્યું કે, તમારા જેવા ઋષિઓ આમાં શું જાણે ? તીર્થકરોએ તો જેમ હું કહું છું તેમજ પ્રરૂપણા કરી છે. સ્થવિરોએ સમજાવ્યું કે, તું હવે મિથ્યાભિનિવેશ ન કર. એમ કરવાથી તીર્થકરની આશાતના થાય છે તે હું જાણતો નથી ? ઇત્યાદિ કહેવા છતાં ગોષ્ઠામાડિલે તે ન સ્વીકાર્યું. – ત્યારે સકલ શ્રી સંઘે મળીને શાસનદેવતાને બોલાવવા માટે કાયોત્સર્ગ કર્યો તેથી કોઈ ભદ્રક દેવીએ આવીને કહ્યું કે, “મને આજ્ઞા આપો, હું શું કાર્ય કરું ?" સંઘે સિદ્ધાંતનો પરમાર્થ જાણવા છતાં પણ લોકના વિશ્વાસ માટે કહ્યું કે, હે દેવી ! તમે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પાસે જઈને પૂછી લાવો કે, દુર્બલિકા પુષ્પમિત્ર આદિ સંઘ જે વાત કહે છે તે સત્ય છે કે ગોષ્ઠામાહિલ કહે છે તે સત્ય છે ? ત્યારે દેવીએ કહ્યું કે, હું મહાવિદેહમાં જઈને પાછી આવું ત્યાં સુધી મને માર્ગમાં વિદ્ધ ન થાય તે માટે કૃપા કરીને તમે કાયોત્સર્ગમાં રહો કે જેથી હું જઈ શકું.” સંઘે તે પ્રમાણે કર્યું. પછી તે દેવીએ મહાવિદેહમાં જઈને તીર્થકરને પૂછીને આવીને કહ્યું કે, તીર્થકર ભગવંતે જણાવ્યું છે કે, સંઘ છે તે સમ્યફવાદી છે અને ગોષ્ઠામાહિલ કહે છે તે મિથ્યાવાદ છે. ૦-૦ ગોષ્ઠામાજિલને નિહાવ જાહેર કરવો : મહાવિદેહક્ષેત્રમાં તીર્થકર ભગવંતે જણાવેલ કે, આ સાતમો નિલવ થયો છે. ભગવંત મહાવીરના નિર્વાણ પછી ૫૮૪મે વર્ષે થનારો સાતમો નિલવ તે જ આ ગોષ્ઠામાલિ. તે વાત દેવીએ આવીને આચાર્ય દુર્બલિકા પુષ્પમિત્ર આદિ સંઘને જણાવી. ત્યારે ગોષ્ઠામાહિલ બોલ્યો કે, આ બિચારી દેવી અલ્પદ્ધિવાળી છે, તેની મહાવિદેહમાં જવાની શક્તિ જ ક્યાંથી હોય ? એમ કહીને તેણે તે વાતને અંગીકાર કરી નહીં ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, જે આર્યો તીર્થકર ભગવંતનું વચન સ્વીકારે છે તેને સંઘ બહાર કરવાની જરૂર નથી. જેઓ આ વચન સ્વીકારવા ઇચ્છતા નથી, તેમને સંઘ બહાર કર્યા. બાર પ્રકારના સંભોગથી વિસંભોગિક કર્યો. તે આ પ્રમાણે :- ૧. ઉપધિ, ૨. સૂત્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy