________________
૨૫૪
આગમ કથાનુયોગ-૨
૩. ભક્તપાન, ૪. અંજલિપ્રગ્રહ, ૫. દાયણા, ૬. નિકાય, ૭. અબ્દુત્થાન, ૮. કૃતિકર્મ, ૯. વૈયાવચ્ચકરણ, ૧૦. સમોસરણ, ૧૧. સન્નિસેન્જા અને ૧૨. કથામાં નિમંત્રણ. પંચકલ્પ સૂત્રમાં કહ્યા મુજબ આ બારે ભેદો તેના ઉત્તરભેદો સહિત જાણવા.
આ પ્રમાણે તે સાતમો નિલવ આલોચના–પ્રતિક્રમણ કર્યા વિના જ કાળધર્મ પામ્યો. અર્થાત્ સંઘ બહાર કરાયેલો તે ગોષ્ઠામાહિલ નિલવ ત્યાર પછી આયુષ્યના ક્ષયે મિથ્યાપ્રરૂપણા તથા કદાગ્રહની આલોચના કર્યા વિના મૃત્યુ પામ્યો. બોધિરત્નરહિત થઈને તે પૃથ્વી પર અનેક લોકોને વ્યાપિત કરી પોતે પણ સંસારમાં ભમ્યો.
૦ આગમ સંદર્ભ :ઠા. ૬૮૮, ૬૮૯ + વૃ ઉવ ૫૧ની વૃ, નિસી.ભા. ૫૫૯૬, ૫૬૦૭, -૫૬૧૬, ૫૬૧૮, ૫૬૨૨ થી ૨૬૨૪;
આવ.નિ. ૭૭૮ થી ૭૮૮; આવ.ભા. ૧૪ર થી ૧૪૪;
આવ.૨.૧–. ૪૧૦ થી ૪૧૫, ૪ર૭; આવ.નિ. ૭૭૭, ૭૮૫ ની વૃ, ઉત્ત.નિ ૧૬૫, ૧૭૫ થી ૧૭૭, ઉત્ત.અ. 3 ભાવ.
(૮) નિલવ શિવભૂતિ કથા :-૦- પરીચય :
ભગવંત મહાવીરના શાસનમાં આઠમો નિલવ શિવભૂતિ થયો, તેનું બીજું નામ સાસ્ત્રીમલ હતું. તેણે બોટિક (દિગંબર) મત કાઢેલો. રથવીરપુર નગરે તેણે પોતાનો નિલવ મત સ્થાપેલો. ભગવંત મહાવીરના નિર્વાણથી ૬૦૯ વર્ષે જિનેશ્વરના સર્વ વચનનું ઉત્થાપન કરનારો આ આઠમો નિહ્નવ થયો. તેણે પોતાનો મત જીવનપર્યત છોડ્યો નહીં. તે મૂળભૂતપણે જ મિથ્યાષ્ટિ હતો. તેને સાધુ કહ્યા નથી. તેમના નિમિત્તે જે અશનાદિ તૈયાર કરાયા હોય, તે સર્વે શ્રમણ–નિર્ચન્થોને કણ અને શુદ્ધ કહ્યા છે. -૦– શિવભૂતિ કથા :
તે કાળે, તે સમયે રથવીરપુર નામે નગર હતું. ત્યાં દીપક નામે ઉદ્યાન હતું. ત્યાં આર્યકૃષ્ણ નામે આચાર્ય સમવસર્યા. તે નગરમાં એક કુત્સગોત્રિય શિવભૂતિ નામનો સહસ્ત્રમલ (હજારો યોધાને જીતનાર). એક ક્ષત્રિય હતો. તે ત્યાંના રાજાની સેવામાં હતો. એક વખત રાજાએ તેના શૌર્યાદિક ગુણોની પરીક્ષા કરવા માટે કૃષ્ણ ચતુર્દશીના દિવસે તેને એક પશુ તથા મદિરા આપીને કહ્યું કે, “તું એકલો શ્મશાનમાં જા અને આ પશુનું બલિદાન આપીને પાછો આવ. તે મધ્યરાત્રિએ એકલો શ્મશાનમાં ગયો. ત્યાં અનેક પુરુષોએ તેને બીવડાવવા માટે ભૂત, પ્રેત, પિશાચ વગેરેનો તેને ભય બતાવ્યો, પણ તેનું રૂવાંડુ પણ ફરક્યું નહીં. તેણે ત્યાં પશુનું બલિદાન આપ્યું. તે જ શ્મશાનમાં તે પશુને મારીને ખાધું. રાજ્યના પુરુષોએ ભેગા થઈ ત્યાં ભૈરવ નાદો કર્યા, તો પણ તે ડર્યો નહીં. પછી રાજા પાસે ગયો. તેથી તેને શૂરવીર જાણીને રાજાએ તેનો પગાર વધારી આપ્યો.
અન્યદા કોઈ દિવસે રાજાએ દંડિક પુરુષને આજ્ઞા કરી કે, જાઓ મથુરાના રાજાને જીતી લાવો. તે સર્વસૈન્ય–બળ આદિ લઈને નીકળ્યો. ત્યાંથી થોડે દૂર જઈને બોલ્યો કે, આપણે રાજાને એ તો પૂછ્યું નહીં કે, જ્યાં મથુરામાં જવું? રાજાએ પણ જણાવ્યું નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org