SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ નિદ્ભવ – શિવભૂતિ કથા ૨૫૫ તે ક્યા સ્થળે રોકાયા. શિવભૂતિ આવ્યો અને બોલ્યો કે, તમે અહીં કેમ રોકાયા છો ? તેઓએ બધી વાત કરી ત્યારે શિવભૂતિ બોલ્યો કે, દક્ષિણ અને ઉત્તર બંને મથુરા હું જીતી લાવીશ. ત્યારે દંડિકોએ કહ્યું કે, તે શક્ય નથી. બેમાંથી કોઈપણ એક મથુરાને જીતવામાં પણ ઘણો સમય લાગે. ત્યારે તેણે કહ્યું કે, જે દુર્જય હોય તે મને આપો. ત્યારે તેને પાંડુ મથુરા મોકલ્યો. દંડિકો ઉત્તર મથુરા ગયા. શિવભૂતિ પાંડુ મથુરાના માર્ગે આગળ વધ્યો, તેના અંત ભાગને ત્રાસ પમાડતો ચાલ્યો. પછી દુર્ગમાં રોકાયો. છેલ્લે નગરને પણ જીતીને પાછો ફર્યો. તેણે રાજાને નિવેદન કર્યું. રાજાએ ખુશ થઈને કહ્યું, બોલ તને શું આપીએ ? તે વિચાર કરીને બોલ્યો કે, મને સ્વતંત્રતા આપો. રાજાએ તેને સહસ્ત્રમલ્લ એવો ખિતાબ આપ્યો અને સ્વતંત્રતા આપી. પછી તે રાજાના પ્રસાદથી ઇચ્છા મુજબ વિલાસ કરતો નગરમાં ફરવા લાગ્યો. અડધી રાત્રે પણ પાછો આવતો અને ન પણ આવતો. તેની પત્ની જ્યાં સુધી શિવભૂતિ ન આવે ત્યાં સુધી ભોજન કરતી નહીં કે સૂતી પણ નહીં. ધીરેધીરે તેની પત્ની ખેદ પામી. કોઈ વખતે તેણીએ શિવભૂતિની માતા સાથે કલહ કર્યો અને કહ્યું કે, તમારા પુત્રથી હવે હું થાકી છું, તે અડધી અડધી રાત્રે આવે છે. હું તેના માટે જાગતી રહું છું અને ભૂખતરસથી પિડાઉ છું ત્યારે માતાએ કહ્યું કે, આજે દ્વાર બંધ કરતી નહીં, આજે હું જાગીશ, તું સૂઈ રહેજે. અડધી રાત્રે શિવભૂતિ આવ્યો અને કહ્યું કે, બારણું ઉઘાડો. તે સાંભળી માતાએ કોપ પામીને કહ્યું કે, હે દુષ્ટ ! આ મધ્યરાત્રિને સમયે જ્યાં દ્વાર ઉઘાડા હોય ત્યાં જા. આ પ્રમાણે સાંભળીને તે પણ ક્રોધથી નગરમાં ફરવા લાગ્યો. ભવિતવ્યતાના યોગે ઉઘાડા હારવાળો સાધુનો ઉપાશ્રય જોયો. ત્યાં જઈને તેણે પ્રવ્રજ્યા માટે માંગણી કરી. તે વખતે આચાર્યએ જાણ્યું કે, આ રાજાનો પ્રિય માણસ છે, વળી સ્વેચ્છાચારી પણ છે અને માતા વગેરેએ તેને છુટો કર્યો નથી, તેથી તેને દીક્ષા ન આપી. – ત્યારે તેણે સાધુના થુંકવાના પાત્રમાંથી રાખ લઈને પોતાની જાતે જ લોચ કર્યો. એટલે પછી આચાર્ય કૃષ્ણએ તેને નિવેશ આપ્યો. દશ પ્રકારની દીક્ષામાં આ દીક્ષાનું રોસા–રોષથી દીક્ષા કહેવામાં આવે છે. પછી આચાર્ય કૃષ્ણ સાથે વિહાર કરતા એક દિવસ પાછા તે જ નગરમાં આવ્યા. ત્યારે રાજાએ શિવભૂતિને એક રત્નકંબલ આપ્યું. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, આપણે સાધુએ આવા બહુમૂલ્ય રત્નકંબલ રાખવા ન જોઈએ. શિવભૂતિએ તે ગોપવી દીધુ. એક વખત તે બહાર ગયેલ ત્યારે શિવભૂતિને પૂછયા વિના જ કંબલને ફાડીને નિષદ્યાઓ કરી દીધી. ત્યારે તે ક્રોધિત થઈ ગયો. કોઈ વખતે જિનકલ્પિકનું વર્ણન ચાલતું હતું. જેમકે જિનકલ્પિકો બે પ્રકારના છે. કરપાત્રી (હાથમાં ભોજન–પાન ગ્રહણ કરનારા) અને બીજા પાત્રભોજી. તે પાત્રમાં લઈને ભોજન કરનારા તે દરેકના પણ બબ્બે ભેદ છે :- (૧) સ્વલ્પ સચેલકા એટલે અલ્પ વસ્ત્ર રાખનારા અને બીજા અચલકા એટલે બિલકુલ વસ્ત્ર નહીં રાખનારા. આ વાત સાંભળીને શિવભૂતિએ પૂછયું કે, જો એમ છે તો હાલમાં શા માટે બહુ ઉપધિ રાખવામાં આવે છે ? જિનકલ્પ કેમ અંગીકાર કરતા નથી ? આચાર્ય ભગવંતે ઉત્તર આપ્યો કે ભરતક્ષેત્રમાં શ્રી વીર પ્રભુની ત્રીજી પાટે આવેલા શ્રી જંબુસ્વામીના નિર્વાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy