________________
૨૫૬
આગમ કથાનુયોગ-૨
પછી જિનકલ્પ આદિ દશ વસ્તુઓનો વિચ્છેદ થયો છે. વળી તેવા પ્રકારના શરીરના સંવનન – તેવા પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન આદિના અભાવથી વર્તમાન કાળમાં તેમ કરી શકાતું નથી. તે સાંભળી શિવભૂતિ બોલ્યા કે, અલ્પસત્ત્વવાળા માટે જિનકલ્પ વિચ્છેદ થયો છે, પણ મારા જેવાને માટે નહીં. કેમકે મારા જેવા મહાસત્ત્વ તો વર્તમાનકાળમાં પણ જિનકલ્પ અંગીકાર કરવાને સમર્થ છે. મોક્ષના અભિલાષીએ સમગ્ર પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. તો પછી કષાય, ભય, મૂચ્છ આદિ દોષના નિધિ સમાન આ અનર્થકારી પરિગ્રહથી શું? વળી જિનેન્દ્રો પોતે પણ અચેલક જ હતા. તેથી વસ્ત્રરહિતપણું જ શ્રેષ્ઠ છે. ત્યારે ગુરુએ કહ્યું કે, “જો એમ હોય તો દેહને વિશે પણ કષાય, ભય, મૂછ વગેરે દોષોનો સંભવ છે. માટે તે દેહનો પણ વ્રત ગ્રહણ કર્યા પછી તુરંત જ ત્યાગ કરવો જોઈએ. પરંતુ શાસ્ત્રમાં જે પરિગ્રહરહિતપણું કહ્યું છે, તેનો હેતુ એ છે કે, ધર્મના ઉપકરણો પર મૂછ રાખવી નહીં. પણ સર્વથા ધર્મના ઉપકરણોનો ત્યાગ કરવો તેવું કહ્યું નથી. વળી જિનેશ્વરો પણ. સર્વથા અચેલક હતા જ નહીં. કેમકે “સર્વે જિનેશ્વર એક દૂષ્ય–વસ્ત્ર લઈને દીક્ષા લીધેલી છે.' તે આગમ વચન છે. તેથી તેઓ પહેલા તો સચેલક હતા જ.
આ પ્રમાણે આચાર્ય તથા સ્થવિરોએ પૂર્વોક્ત તથા હવે પછી કહેવાનાર ઘણી યુક્તિઓથી બોધ કર્યો છતાં પણ તથા પ્રકારના કષાય અને મોહનીયના ઉદયથી તેણે પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં અને સર્વ વસ્ત્રો ત્યજી દઈને ગામ બહાર અરણ્યમાં જઈને રહ્યો. એક વખત તેમની બહેન “ઉત્તરા” તેમને વંદન કરવા ગયા. ત્યાં પોતાના ભાઈને વસ્ત્રરહિત જોઈને તેણીએ પણ વસ્ત્રનો ત્યાગ કર્યો, પછી તેણી ભિક્ષા માટે નગરમાં ગઈ
ત્યાં કોઈ વેશ્યાએ તેને જોઈને વિચાર્યું કે, વસ્ત્રરહિત હોવાથી બીભત્સ દેખાતી આ સ્ત્રીને જોઈને લોકો અમારાથી પણ વિરક્ત થશે. એમ ધારીને તેણીએ ઉત્તરાની ઇચ્છા ન હોવા છતાં તેની એક સાડી પહેરાવી. જાણીને તે શિવભૂતિએ વિચાર્યું કે, વસ્ત્રરહિત સ્ત્રી ઘણી જ બીભત્સ તથા લજ્જાસ્પદ થાય છે. તેથી તેણે ઉત્તરાને કહ્યું હવે તું આ રીતે જ રહે, વસ્ત્ર ત્યજીશ નહીં. તારે કહેવું કે, આ વસ્ત્ર દેવતાએ આપ્યા છે.
ત્યારપછી શિવભૂતિએ બે શિષ્યો કર્યા. ૧. કૌડિન્ય ૨. કોટ્યવીર. ત્યારપછી શિષ્ય-પ્રશિષ્ય પરંપરા જન્મી અને મિથ્યાત્વની વૃદ્ધિ થતી ગઈ. અને “બોટિક" મતની ઉત્પત્તિ થઈ. આ રીતે સ્વતર્ક બુદ્ધિથી શિવભૂતિ અને ઉત્તરા આદિ દ્વારા રથપુર નગરે
બોટિક” નામક મિથ્યાદર્શની ઉત્પત્તિ થઈ – (જેને દિગંબર મત પણ કહે છે) શિવભૂતિ બોટિકથી બોટિકલિંગ ઉત્પન્ન થયું. નિલવો વિશે આવશ્યક નિર્યુક્તિ-૭૮૬માં જણાવે પણ છે કે, પૂર્વેના સાત નિલવો તો દૃષ્ટિવાળા હતા, જ્યારે બોટિકો તો મિથ્યાદૃષ્ટિ જ હતા. તેઓએ જાતિ, જરા, મરણ, ગર્ભવાસ ઇત્યાદિ તથા ચતુર્ગતિ ભ્રમણરૂપ સંસારનું ઉપાર્જન કર્યું. તેમને સાધુ કે ગૃહસ્થ કે અન્યતીર્થિ ન ગણતા “અવ્યક્ત રૂપ” જ કહ્યાં છે.
શિવભૂતિને જો કે તે પૂર્વે અનેક સ્થવિરોએ સમજાવેલ કે, ત્રણ કારણે આગમોમાં વસ્ત્ર ધારણ કરવાનું કહેલ છે. તે આ પ્રમાણે :- ૧. લજ્જા અથવા સંયમના રક્ષણ નિમિત્તે, ૨. લોકમાં દુર્ગાછા–નિંદા ન થાય તે માટે, ૩. પરીષહ અર્થાત્ ટાઢ, તડકો, ડાંસ, મચ્છર વગેરેથી રક્ષણ થવા માટે. આ ત્રણ કારણે વસ્ત્રો ધારણ કરવા. વળી એમ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org