SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ નિલવ – શિવભૂતિ કથા ૨૫૭ કહેલું છે કે, તપસ્વીઓને ધર્મમાં સહાયભૂત હોવાથી શુદ્ધ આહારાદિકની જેમ વસ્ત્રાદિકનું ગ્રહણ કરવામાં કોઈ દોષ નથી. વળી તું રૌદ્રધ્યાનને આગળ ધરે છે. રૌદ્રધ્યાન ચાર પ્રકારનું છે :૧. હિંસાનુબંધી, ૨. મૃષાનુબંધી, ૩. તેયાનુબંધી, ૪. સંરક્ષણાનુબંધી. તેમાં હિંસાનુબંધી એટલે જેમાં પ્રાણીના વધનું નિરંતર ચિંતવન હોય તે, મૃષાનુબંધી એટલે જેમાં અસત્યનું ચિંતવન હોય છે. તેયાનુબંધી એટલે ચોરીનું જેમાં ચિંતવન હોય છે. પોતાના ધન અને વિષય સંબંધિ રક્ષણની જેમાં નિત્ય ચિંતવના હોય તે વિષય–સંરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન. તું એવું માને છે કે, વસ્ત્રાદિ ગ્રહણ કરવાથી વિષયસંરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન અવશ્ય થશે. કેમકે તે રૌદ્રધ્યાનનો હેતુ છે. વળી “શસ્ત્રાદિકની જેમ દુર્ગતિનું કારણ હોવાથી વસ્ત્રાદિક ગ્રહણ કરવા નહીં” એવી તારી બુદ્ધિ થાય તો તે પણ અયુકત છે. કેમકે હે દેવાનુપ્રિય! તારી આ યુક્તિ પ્રમાણે તો દેહાદિકમાં પણ રૌદ્રધ્યાનની પ્રાપ્તિ થશે. કેમકે શરીરનું પણ જળ, અગ્નિ, ચોર, ડાંસ, શિકારી પશુ, વિષ, કંટક વગેરેથી રક્ષણ કરવાની જરૂર પડે છે. તેથી દેહાદિકમાં પણ સંરક્ષણાનુબંધ ધ્યાન થાય છે, એટલે તે દેહાદિકનો પણ ત્યાગ કરવો પડશે. કદાચ તું એમ કહીશ કે, દેહાદિક મોક્ષના સાધનરૂપે અંગભૂત હોવાથી જયણા વડે તેનું સંરક્ષણ કરવું તેમાં દોષ નથી. પણ તે પ્રશસ્ત સંરક્ષણ છે. તો અહીં પણ આગમમાં કહેલ જયણાના પ્રકારથી જ વસ્ત્રાદિકનું સંરક્ષણ કરવું તે કેમ પ્રશસ્ત નથી ? માટે વસ્ત્રાદિકનો શા માટે ત્યાગ કરતા નથી ? વળી ભગવંતે મૂછને જ પરગ્રહ કહ્યો છે. ઇત્યાદિ પૂર્વ ષિના વચનથી વસ્ત્ર, ધન, દેહ વગેરેમાં મૂછ ઉત્પન્ન થાય તે પરિગ્રહ છે. શિવભૂતિએ પ્રશ્ન કર્યો કે, જો વસ્ત્ર ગ્રહણ કરે, તો પછી સાધુને અચેલ પરીષહ સહન કરવાનું કેમ કહ્યું છે ? કેમકે જો વસ્ત્ર હોય તો જ તે વાત ઘટી શકે ? ત્યારે સ્થવિરોએ જવાબ આપ્યો કે, તારું કહેવું અયોગ્ય છે. કેમકે જીર્ણપ્રાય વસ્ત્રથી પણ વસ્ત્રરહિતપણું લોકમાં પ્રસિદ્ધ છે. કોઈ સ્ત્રી જીર્ણ અને ફાટેલું વસ્ત્ર શરીરે વીંટીને કોઈ વણકરને કહે છે કે, હે વણકર ! જલ્દીથી મારી સાડી વણીને આપ, કેમકે હું નગ્ન ફરું છું. અહીં વસ્ત્ર સહિત છતાં પણ સ્ત્રીને વિશે નગ્રપણાનો શબ્દ પ્રવર્તે છે. શાસ્ત્રમાં પણ નસ 3 નામાવો” એવું વાક્ય છે તે ઉપચારિક નમ્રભાવને માટે જ છે, તેથી વસ્ત્ર રાખવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી. તે જ પ્રમાણે મુખવસ્ત્રિકા, રજોહરણ વગેરે ઉપકરણો પણ સંયમમાં ઉપકારી હોવાથી ગ્રહણ કરવા યોગ્ય છે. કહ્યું છે કે, કોઈપણ સ્થાનને વિશે બેસવું, શયન કરવું, કોઈપણ વસ્તુ લેવી–મૂકવી વગેરે કાર્યમાં પ્રમાર્જના માટે રજોહરણની જરૂર છે. સંપાતિમ વગેરે જંતુઓના રક્ષણને માટે મુખવસ્ત્રિકાની જરૂર છે અને ભક્તપાનને વિશે રહેલા જેતુની જયણાને માટે પાત્રની જરૂર છે. વળી પાત્ર વિના સજીવ ગોરસાદિક અજાણપણાથી હાથમાં લેવાય જાય તો પછી તેનું શું કરવું? તેમાં રહેલા જીવની હિંસા તો થવાની જ છે. તથા હાથમાં લીધેલા પ્રવાહી પદાર્થો હાથમાંથી નીચે ઢળે તો તેનાથી કુંથુવા, કીડી વગેરે અનેક જીવોની હિંસા થવાનો સંભવ છે. વળી ગૃહસ્થો મુનિએ વાપરેલા પાત્રો ધોવે, લે છે તો તેનાથી પશ્ચાત્ ૨૧૭ For Private & Personal Use Only Jain due . nternational www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy