SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૨ કર્માદિ દોષનો સંભવ છે. તદુપરાંત બાળ અને ગ્લાન આદિ સાધુઓની વૈયાવચ્ચને માટે તેમજ પારિષ્ઠાપનિકા સમિતિ માટે સાધુને પાત્રનું ગ્રહણ કરવું યોગ્ય છે. વળી જઘન્યથી પણ નવ પૂર્વમાં કંઈક ઓછું ભણેલા, ઉત્તમ ધૈર્ય અને સંહનનવાળા પણ તપ, સૂત્ર અને સત્ય વડે ઇત્યાદિ ભાવનાએ કરીને પ્રથમ તુલના કર્યા પછી જ જિનકલ્પ અંગીકાર કરી શકે છે. પરંતુ શેરીના સિંહ સમાન તારા જેવાને માટે તીર્થંકરોએ જિનકલ્પની આજ્ઞા આપેલી નથી. તેમજ તું જે તીર્થંકરની તુલ્યતા કરે છે, તે પણ યોગ્ય નથી, કેમકે જિનેશ્વરો તો પ્રાણીપતગ્રાહી આદિ અનેક અતિશયોવાળા છે. માટે તારું માનવું સર્વથા ત્યાજ્ય છે. આ પ્રમાણે આચાર્ય ભગવંત તથા સ્થવિરોએ તેને અનેક યુક્તિ-પ્રયુક્તિથી સમજાવ્યા છતાં પણ તે મિથ્યાભિનિવેશ થકી શ્રી તીર્થંકરના અનેક વચનોનો ઉત્થાપક થયો. તે શિવભૂતિ આઠમો નિહ્રવ થયો. પૂર્વે જણાવ્યા અનુસાર તેને કૌડિન્ય અને કોટ્યવીર નામના બે બુદ્ધિશાળી શિષ્યો થયા. તેમનાથી તેના બોટિક મતની પરંપરા આગળ ચાલી. (હવેનું લખાણ પરંપરાથી સામેલ કરે છે, કેમકે આગમ કાળમાં બનેલી ઘટના ન હોવાથી તેનો ઉલ્લેખ આગમોથી નહીં પણ ગ્રંથોથી ગ્રહણ કરેલ છે – તે આ પ્રમાણે છે પછી તેઓએ અનુક્રમે – કેવલી આહાર ન કરે, સ્ત્રીઓ મોક્ષ પામે નહીં, તિવિહાર ઉપવાસમાં સચિત્ત જળ પીવામાં દોષ નથી, દિગંબર સાધુ દેવદ્રવ્ય લે કે તેનો વ્યય કરે તેમાં દોષ નહીં વગેરે જિનાગમથી વિરુદ્ધ લગભગ ૮૦૦ નવા વચનો રચ્યા અને તે વચનો તેઓ સ્વેચ્છાએ બોલવા લાગ્યા. માટે તેઓ સર્વ વિસંવાદી થયા. તે બોટિક પરંપરામાં થયેલા બોટિકો દિગંબર કહેવાય છે.) છેલ્લું લખાણ ગ્રંથથી જાણવું, તેની સાક્ષી આગમથી મળેલ નથી. ૨૫૮ ૦ આગમ સંદર્ભ : – આયા.ચૂપૃ. ૧૩૯, ૧૬૩, ૩૩૬; સૂય ચૂ.પૃ. ૧૧૩, ૨૭૩; ઠા. ૬૦૨, ૮૯૮ની વૃ; નિસી.ભા. ૫૬૦૯, ૫૬૧૦, ૫૬૧૭, ૫૬૨૦ થી ૫૬૨૪; + તેની ચૂર્ણિ આવ.ભા. ૧૪૫ થી ૧૪૮; આવ.નિ. ૭૮૩, ૭૮૬, ૭૮૭, ૭૮૮ની ; ઉત્તનિ ૧૭૮ ની વૃ; ઉત્ત.અધ્ય.૩ની ભાવ.; Jain Education International * = X મુનિ દીપરત્નસાગર સંકલિત અને અનુવાદિત નિહ્નવકથા પૂર્ણ X = Xx આવ.યૂ.૧-પૃ. ૪૨૭, ૪ર૮, ૫૮૬; ઓહ.નિ. ૧૧૦૦ ની ; ઉત્ત.નિ. ૧૭૮નું ભા. ૧, ૨ની ; કલ્પ.સ્થવિ.ની ૬; - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy