________________
ગોશાલક કથા
૨૫૯
ખંડ–૨–અધ્યયન-૩-ગોશાલક કથા
-: એક સ્પષ્ટીકરણ :- ગોશાળાની ગણના નથી શ્રમણરૂપે કે નથી નિહવરૂપે. તો તેનો અહીં સમાવેશ કેમ ? એ સત્ય છે કે નિલવોના ઉલ્લેખમાં કયાંય ગોશાળાનો ઉલ્લેખ નથી જ. એ જ કારણે અધ્યયન–૨– “નિભવકથામાં તેનો સમાવેશ કર્યો નથી. પરંતુ તેનું જુદું જ અધ્યયન નોંધેલ છે.
– રહી વાત શ્રમણની – તો ગોશાળાનો ઉલ્લેખ ક્યાંય શ્રાવક કે અન્યતીર્થિ રૂપે થયો નથી. તેને શ્રમણ કહેવો કે કેમ ? તે પણ પ્રશ્ન જ છે.
– નિલવ–નવા મતવાદીઓની કથા સાથે ગોશાળો પણ ‘આજીવિક મતવાદી' હોવાથી જોડે– જોડે તેનો મત રજૂ કરી દેવો એવી ગણતરીથી ગોશાળક કથા સાથે મૂકી દીધી.
– બીજું ભગવતીજી સૂત્રના શતક–૧૫–સૂત્ર-૬૩ભાં એવી વાત આવે છે કે, જ્યારે (ફરી વખત) ગોશાળાએ ભગવંતને કહ્યું કે, “આ મારા ધર્માચાર્ય અને હું આપનો શિષ્ય” ત્યારે તેણે તે વાતની સંમતિ આપી – ગોશાળાનો શિષ્યરૂપે સ્વીકાર કરેલો. સૂત્ર–૬૫૭–માં પણ ગૌતમ સ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યો કે કરેલો, “હે ભગવંત! આપ દેવાનુપ્રિયનો અંતેવાસી કુશિષ્ય ગોશાળો કાળ કરીને ક્યાં ઉત્પન્ન થયો. એ રીતે તેનો ભગવંતના શિષ્ય – કુશિષ્ય તરીકે ઉલ્લેખ છે. ભગવંતે તેને દીક્ષા આપી તેમ પણ આવે છે.
– વળી તેનો પૂર્વભવ, “ઈશ્વર, મુનિવર પણ ઉલ્લેખ છે. અંત્યભવે કેવલી થઈ મોક્ષે જશે.
- ઉક્ત બંને કારણોથી અમે તેને શ્રમણ વિભાગમાં નોંધેલ છે. ૦ શ્રાવસ્તીમાં ગોશાળો :
તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. તે શ્રાવતી નગરીની બહાર ઇશાન ખૂણામાં કોષ્ટક નામનું ચૈત્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં હાલાહલા નામની આજીવિક ઉપાસિકા કુંભારણ રહેતી હતી. તે ધનધાન્ય સંપન્ન હતી – યાવત્ - અનેક લોકો દ્વારા પણ પરાભવ પ્રાપ્ત કરે તેવી ન હતી. તેણીએ આજીવિક સિદ્ધાંતનો અર્થ રહસ્ય પ્રાપ્ત કરી લીધું હતું. ગ્રહણ કરી લીધું હતું. અર્થ પૂછી લીધો હતો. અર્થનો નિશ્ચય કરેલો હતો અને તેની અસ્થિ અને મજ્જા પણ આજીવિક સિદ્ધાંત પ્રતિ પ્રેમ અને અનુરાગથી રંગાયેલ હતી. તેણી બીજાઓને કહેતી હતી કે, હે આયુષ્યમનો ! આજીવિક સિદ્ધાંત જ અર્થપ-સાર્થક છે. એ જ પરમાર્થ છે અને તે સિવાયના અર્થ તો અનર્થરૂપ છે. આ રીતે તેણી આજીવિક સિદ્ધાંત વડે પોતાના આત્માને ભાવિત કરતી વિચરતી હતી.
તે કાળ, તે સમયમાં ચોવીસ વર્ષના પ્રવજ્યા પર્યાયવાળો પંખલિપુત્ર ગોશાલક હાલાહલા કુંભારણના કુંભકારાપણમાં આજીવિક સંઘથી પરિવૃત્ત થઈને આજીવિક સિદ્ધાંત વડે પોતાના આત્માને ભાવિત કરતો વિચરતો હતો. ૦ ગોશાળાના છ દિશાચરો અને છ પ્રરૂપણા :
ત્યાર પછી (“ભગવંત પાસેથી ગોશાળો છુટો પડ્યા પછી” – આ વાત આ જ કથાનકમાં આગળ કહેવાશે) કોઈ એક સમયે તે મખલિપુત્ર ગોશાલકની પાસે છ દિશાચાર પ્રગટ થયા. (આવ્યા) તે આ પ્રમાણે :- ૧. શાણ, ૨. કલંદ, ૩. કર્ણિકાર, ૪. અચ્છિદ્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org