________________
૨૬૦
આગમ કથાનુયોગ-૨
૫. અગ્નિવેશ્યાયન, ૬. ગોમાયુપુત્ર અર્જુન. ત્યારે તે છ દિશાચરોએ પૂર્વગત આઠ પ્રકારના નિમિત્તો અને દશમમાર્ગને પોતપોતાના મતિ દર્શનથી ઉદ્ધત કર્યા અને ઉદ્ધત કરીને ગોશાલક મંખલિપુત્ર પાસે ઉપસ્થાપિત કર્યા.
ત્યાર પછી તે મખલિપુત્ર ગોશાલક તે અષ્ટાંગ મહાનિમિત્તના સ્વલ્પ ઉપદેશ દ્વારા સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વે સત્વો અને સર્વે જીવોને આ ૭ બાબતોના વિષયમાં અનતિક્રમણીય ઉત્તર આપવા લાગ્યો. તે છ વિષય આ પ્રમાણે છે :- ૧. લાભ, ૨. અલાભ, ૩. સુખ, ૪. દુઃખ, ૫. જીવન અને ૬. મરણ. ૦ ગોશાળાનું પોતાને “જિન આદિ છે તેમ કહેવું” :
ત્યાર પછી તે મખલિપુત્ર ગોશાલક અષ્ટાંગ મહાનિમિત્તના કિંચિંતુ સ્વલ્પ ઉપદેશ માત્રથી શ્રાવસ્તી નગરીમાં 'જિન' ન હોવા છતાં હું જિન છું – આ પ્રમાણે પ્રલાપ કરતો, અરિહંત ન હોવા છતાં હું અરિહંત છું, એવો મિથ્યા પ્રલાપ કરતો, કેવલી ન હોવા છતાં પોતે કેવલી છે, એ પ્રમાણે પ્રલાપ કરતો, સર્વજ્ઞ ન હોવા છતાં, પોતે સર્વજ્ઞ હોવાનો પ્રલાપ કરતો હતો. પોતે જિન ન હોવા છતાં પોતાની જાતને જિન તરીકે ઓળખાવતો–પ્રગટ કરતો વિચરતો હતો.
તે વખતે શ્રાવસ્તી નગરીના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મુખો અને મહાપથોમાં ઘણાં મનુષ્યો એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, આ પ્રમાણે બોલવા લાગ્યા, આ પ્રમાણે બતાવવા લાગ્યા અને આ પ્રમાણે પ્રરૂપિત કરવા લાગ્યા કે હે દેવાનુપ્રિયો ! આ મંખલિપુત્ર ગોશાલક પોતાને જિન અને જિન હોવાનો પ્રલાપ કરતો એવો, અર્હત્ અને અર્હત્ હોવાનો પ્રલાપ કરતો એવો, કેવલી અને કેવલી હોવાનો પ્રલાપ કરતો એવો, સર્વજ્ઞ અને સર્વજ્ઞ હોવાનો પ્રલાપ કરતો એવો અને પોતાને જિન શબ્દથી પ્રકાશતોઓળખાવતો વિચરણ કરી રહ્યો છે તો આ વાત કઈ રીતે માનવી ? ૦ ગૌતમ સ્વામી વર્ણન અને ગૌચરી ગમન :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા – યાવત્ – પર્ષદા (ધર્મશ્રવણ કરીને) પાછી ગઈ. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી, સાત હાથ ઊંચા, સમચતુરઢ સંસ્થાનથી સંસ્થિત–આકારવાળા, વજઋષભનારાચ સંહનનવાળા, કસૌટી પર ઘસેલા સ્વર્ણ સમાન ગૌર વર્ણવાળા, ઉગ્રતપસ્વી, દીસતપસ્વી, તત તપસ્વી, મહાતપસ્વી, ઉદાર, ઘોર, ઘોર ગુણવાળા, ઘોર તપસ્વી, મહાન્ બ્રહ્મચર્યના ધારક, શરીર પ્રત્યે નિર્મોહી, શરીરમાં સંક્ષિપ્ત તેજોલેશ્યાવાળા, નિરંતર છઠ–છઠ તપથી અને સંયમ તથા વિવિધ પ્રકારના તપોથી આત્માને ભાવિત કરતા એવા ગૌતમગોત્રીય ઇન્દ્રભૂતિ નામના અણગાર વિચરતા હતા.
ત્યાર પછી ભગવદ્ ગૌતમે છઠના પારણાના દિવસે પહેલા પ્રહરે સ્વાધ્યાય કર્યો. બીજા પ્રહરે ધ્યાન કર્યું, ત્રીજા પ્રહરે અત્વરિત, અચપલ અને અસંભ્રાન્ત ભાવપૂર્વક મુખવસ્ત્રિકાનું પડિલેહણ કર્યું, પડિલેહણ કરીને પછી પાત્ર, વસ્ત્રની પડિલેહણા કરી, પડિલેહણ કર્યા. પછી પાત્રોને પ્રમાર્જિત કર્યા, પ્રમાર્જિત કરીને પાત્રાને ઉઠાવ્યા. ઉઠાવીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા. આવીને ભગવંત મહાવીરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org