SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ગોશાલક કથા ૨૬૧ વંદન–નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે નિવેદન કર્યું, હે ભગવંત ! આપની આજ્ઞા હોય તો, છઠના પારણા નિમિત્તે હું શ્રાવસ્તી નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરવા ઇચ્છું છું. ભગવંતે ઉત્તર આપ્યો, હે દેવાનુપ્રિય ! જેમ અનુકૂળ હોય તેમ કરો, પરંતુ વિલંબ ન કરો. ત્યારપછી ભગવદ્ ગૌતમ, શ્રમણ ભગવંત મહાવીર દ્વારા આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી તથા કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા. નીકળીને અત્વરિત, અચપળ, અસંભ્રાન્ત ભાવપૂર્વક યુગઅંતર પ્રમાણ જોવાતી દૃષ્ટિથી આગળનો માર્ગ જોતા જોતા અર્થાત્ ઇર્યાસમિતિના પાલનપૂર્વક જ્યાં શ્રાવસ્તી નગરી હતી, ત્યાં આવ્યા. આવીને શ્રાવસ્તીનગરીમાં ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યા માટે ભ્રમણ કરવા લાગ્યા. તે વખતે ભગવદ્ ગૌતમે ઘણાં મનુષ્યોની વાતચીત સાંભળી. તે બધાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહી રહ્યા હતા, બોલી રહ્યા હતા – યાવત્ – પ્રરૂપણા કરી રહ્યા હતા કે, હે દેવાનુપ્રિયો ! ગોશાલક મંખલિપુત્ર પોતાને જિન અને જિનપ્રલાપ કરતો – યાવત્ – જિન અને જિન શબ્દનું પ્રકાશન કરતાં એવો વિચરણ કરી રહ્યો છે તો તેની આ વાત કઈ રીતે માનવી ? ૦ ગોશાળાનું ચરિત્ર જાણવા માટે ગૌતમની જિજ્ઞાસા : ત્યારે ઘણાં લોકો પાસે આ વાત સાંભળી અને અવધારણા કરી તથા પ્રશ્ન પૂછવાની શ્રદ્ધાવાળા થઈને – યાવત્ – કુતૂહલ ઉત્પન્ન થવાથી ભગવદ્ ગૌતમે યથાપર્યાપ્ત સમુદાન (આહાર–પાણી)ને લીધા, લઈને – યાવત્ – જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીર સમીપ ગમનાગમન સંબંધિ ક્રિયાનું પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરીને એષણીય આહારની આલોચના કરી, આલોચના કરીને ભગવાને આહાર–પાણી દેખાડ્યા, દેખાડીને શ્રમણ ભગવાન્ મહાવીરને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને અતિ દૂર નહીં, અતિ નિકટ નહીં તેવા યથોચિત સ્થાને સુશ્રુષા કરતા, નમન કરતા અર્થાત્ મસ્તક નમાવીને સન્મુખ વિનયપૂર્વક અંજલિ કરીને આ પ્રમાણે નિવેદન કર્યું હે ભગવંત્ ! મેં છઠના પારણાને માટે આપની આજ્ઞા લીધી, હું શ્રાવસ્તી નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાના નિમિત્તે ભ્રમણ કરતો હતો, ત્યારે ઘણાં લોકોની વાતચીત સાંભળી. તે બધાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કરી રહ્યા હતા, બોલી રહ્યા હતા – યાવત્ – પ્રરૂપણા કરી રહ્યા હતા કે, હે દેવાનુપ્રિયો ! ગોશાલક મંખલિપુત્ર પોતાને જિન કહેતો અને જિનપ્રલાપ કરતો – યાવત્ - જિન અને જિન શબ્દને પ્રકાશિત કરતો એવો વિચરણ કરી રહ્યો છે, તો આ વાત કેમ માનવી ? તેથી હે ભગવંત ! હું આપની પાસેથી ગોશાલક મંખલિપુત્રનું જન્મથી લઈને આજપર્યંતનું વૃત્તાંત સાંભળવા ઇચ્છું છું. ૦ ભ૦મહાવીર દ્વારા ગોશાલક ચરિત્રનું વર્ણન : હે ગૌતમ ! એ પ્રમાણે ગૌતમ સ્વામી આદિ શ્રમણોને આમંત્રિત – સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું, ઘણાં બધાં મનુષ્યો જે પરસ્પર એકબીજાને જે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy