________________
૨પર
આગમ કથાનુયોગ-૨
ગોષ્ઠામાહિલનું આ પ્રમાણેનું વચન સાંભળીને વિંદ્યમુનિને શંકા પડવાથી તેમણે આચાર્ય ભગવંતને જઈને પૂછ્યું. ત્યારે આચાર્ય ભગવંતે ઉત્તર આપ્યો કે, તમે જે પ્રથમ કહ્યું તે જ સત્ય છે. કેમકે જીવ પોતાની અવગાહનાથી વ્યાપ્ત થયેલા આકાશપ્રદેશમાં રહેલાં જ કર્મના દળીયાને ગ્રહણ કરે છે. પણ બીજા પ્રદેશમાં રહેલાંને ગ્રહણ કરતો નથી. તેથી જો આત્મા કદાચ અન્ય પ્રદેશમાં રહેલા કર્મને ગ્રહણ કરી પોતાની ફરતા વીટે તો તે કર્મને સર્પ–કાંચળીની ઉપમા ઘટી શકે. તે સિવાય ઘટી શકે નહીં. આ પ્રકારનું ગુરનું વચન વિંધ્યમુનિએ ગોષ્ઠામાજિલને કહ્યું, પણ તેણે અંગીકાર કર્યું નહીં.
ત્યારે આચાર્યએ ગોષ્ઠામાહિલને બોલાવીને પૂછયું કે, તમે સર્પકંચુકની જેમ સંબંધ માનો છો, તે જીવના દરેક પ્રદેશની સાથે માનો છો કે, જીવની બહારના ત્વચાના પર્યત ભાગ સાથે ફરતો વિંટાયેલો માનો છો ? જો જીવના દરેક પ્રદેશના પર્યત ભાગ સાથે માનશો, તો આકાશની જેમ જીવમાં સર્વ પ્રદેશે કર્મ પ્રાપ્ત થશે, તો પછી જીવનો મધ્યભાગ કયો કે જે કર્મરહિત રહેશે ? કેમકે જીવના પ્રતિપ્રદેશે કર્મ લાગવાથી કોઈ મધ્યપ્રદેશ બાકી રહેશે નહીં, કે જેથી કર્મનું અસર્વવ્યાપીપણું થાય. એ રીતે સાધ્યવિફળતા પ્રાપ્ત થવાથી સર્પ–કંચુકનું દૃષ્ટાંત અઘટિત થશે.
– જો જીવની બહાર ત્વચાના પર્યત ભાગ સાથે કંચુકની જેમ સ્પર્શ કરેલું કર્મ માનશો, તો જીવ એક ભવમાંથી બીજા ભવમાં જશે, ત્યારે અંગબાહ્ય મેલની જેમ તેની સાથે કર્મ જશે નહીં અને જો તમે એમ કહેશો કે, જીવની સાથે કર્મ ન જાય તેમાં શો દોષ છે ? તો સર્વ જીવનો મોક્ષ થશે, કેમકે પુનર્જન્મના કારણભૂત કર્મનો જ તેની સાથે અભાવ છે. ઇત્યાદિ અનેક દોષ પ્રાપ્ત થશે.
તે સાંભળી ગોષ્ઠામાહિલે કહ્યું કે, જો જીવ અને કર્મનું જુદાપણું ન હોય, તો જીવ થકી તેનો વિયોગ શી રીતે થાય ? ત્યારે ગુરુ ભગવંતે ઉત્તર આપ્યો કે, “જો કે કર્મ જીવની સાથે અભેદે કરીને રહ્યું છે, તો પણ સુવર્ણ અને માટીની જેમ તેનો વિયોગ થઈ શકે છે. જેમ મિથ્યાત્વાદિકે કરીને કર્મનું ગ્રહણ થાય છે, તેમ જ્ઞાન અને ક્રિયાએ કરીને તેનો વિયોગ થઈ શકે છે. ઇત્યાદિ અનેક યુક્તિથી તેને સમજાવ્યા છતાં ગોષ્ઠામાહિલ બોધ પામ્યા નહીં અને તેણે પોતાનો કદાગ્રહ મૂક્યો નહીં ૦-૦ ગોષ્ઠામાડિલે કરેલ મિથ્યાવાદ–પ્રત્યાખ્યાન સંબંધે :
અન્યદા વિંધ્યમુનિ નવમા પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વમાં આવેલા મુનિઓના પ્રત્યાખ્યાનનું વર્ણન કરતા હતા કે, મુનિએ યાવજીવ સર્વ સાવદ્યના પ્રત્યાખ્યાન ત્રિવિધે ત્રિવિધે કરવા. તે સાંભળીને ગોષ્ઠામાહિલે કહ્યું કે, સર્વ પ્રત્યાખ્યાન યાવજીવ આદિ અવધિ વિના જ કરવાં. અવધિ સહિત પ્રત્યાખ્યાન કરવાથી આશંસા દોષ પ્રાપ્ત થાય છે. જેમકે કોઈ સાધુ એવો વિચાર કરે કે, પ્રત્યાખ્યાન પૂર્ણ થયા પછી હું સ્વર્ગાદિકમાં દેવાંગના સાથે ભોગ ભોગવીશ. આમ થવાથી પરિણામ અશુદ્ધ થયા, તેથી પ્રત્યાખ્યાન પણ અશુદ્ધ થયું. ત્યારે ગુરુ ભગવંતે પૂછયું કે, તમે જે આશંસા દોષ આપ્યો તે કાળનો અવધિ કરવાથી પ્રાપ્ત થાય છે કે, વાંછાથી પ્રાપ્ત થાય છે ?
જો કાળની અવધિ કરવાથી આશંસા દોષ પ્રાપ્ત થતો હોય તો પોરિસિ વગેરેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org