________________
નિહ્રવ – ગોષ્ઠામાહિલ કથા
અભ્યાસ કરો છો ? પણ તે બીજાને વ્યુાહિત કરી શક્યા નહીં. 010 વિંદ્યમુનિનો કર્મપ્રવાદનો અભ્યાસ :–
એક વખત દુર્બલિકા પુષ્પમિત્રસૂરિના વિંદ્ય નામના શિષ્ય પૌરિસિકાળે કર્મપ્રવાહ નામના પૂર્વની આવૃત્તિ કરતા હતા. તેમાં એવો વિષય હતો કે, જીવના પ્રદેશ સાથે બદ્ધ થયેલું કર્મ જેનો માત્ર બંધ થાય છે એટલે કષાયરહિત–કેવળીને ઇર્યાપથિકી સંબંધિ જે કર્મ બંધાય છે તે બદ્ધ કહેવાય છે. તે કર્મ કાલાંતર સ્થિતિને પામ્યા વિના જ સુકી ભીંત પર નાંખેલી સુકી રેતીની જેમ જીવના પ્રદેશથી જુદું પડે છે અને જીવના પ્રદેશોએ પોતાનું કરી લીધેલું જે કર્મ તે બદ્ધ સ્પષ્ટ કહેવાય છે. તેવું કર્મ આર્દ્ર ભીંત પર નાંખેલા ભીના ચૂર્ણની જેમ કાલાંતરે નાશ પામે છે. અતિ ગાઢ અધ્યવસાયથી બાંધેલું કર્મ કે જે અપવર્તનાદિ કરણને અયોગ્ય હોવાથી નિકાચિત કહેવાય છે, તે કર્મ અતિ ગાઢ બંધવાળુ હોવાથી આર્દ્ર ભીંત ઉપર આકરા કળી ચૂનાનો હાથ દીધો હોય તેની જેમ કાલાંતરે પણ વિપાકથી ભોગવ્યા વિના પ્રાયે કરીને ક્ષય પામતું નથી.
આ ત્રણે પ્રકારના બંધ સમજવા માટે સૉયના સમૂહનું જેવું કર્મ તે બદ્ધ કર્મ જાણવું, લોઢાની પાટીથી બાંધેલા સોયના સમૂહ જેવું કર્મ બદ્ધ સ્પષ્ટ કર્મ જાણવું. અગ્નિથી તપાવી હથોડા વતી ટીપીને એકત્ર કરેલા સોયના સમૂહ જેવું કર્મ બદ્ધ સૃષ્ટ નિકાચિત જાણવું. અહીં કોઈને શંકા થાય કે નિકાચિત તથા અનિકાચિત કર્મમાં શો તફાવત ? તેનો ઉત્તર આપતા જણાવે છે કે, કર્મસંબંધે અપવર્તનાદિક આઠ કરણ કહેલાં છે, તે સર્વકરણ અનિકાચિત કર્મમાં જ પ્રવર્તે છે. નિકાચિતકર્મમાં તો તેનું ફળ ઉદય આવ્યેથી પ્રાયે કરીને ભોગવવું જ પડે છે. અહીં ‘પ્રાયે કરીને’ એવો શબ્દપ્રયોગ એટલા માટે થયો છે કે, ‘‘તપ વડે નિકાચિત કર્મનો પણ ક્ષય થાય છે.'' એ વચનાનુસાર અત્યંત તપ કરવાથી તથા ઉત્કૃષ્ટ અધ્યવસાયના બળથી નિકાચિત કર્મમાં પણ અપવર્તનાદિક કરણો પ્રવર્તે છે. સમગ્ર વ્યાખ્યાનું તાત્પર્ય એ છે કે જીવપ્રદેશ અને કર્મનો સંબંધ ક્ષીરનીરની જેમ અથવા અગ્નિ તપાવેલા લોઢાના ગોળાની જેવો છે.
૨૫૧
૦ ગોષ્ઠામાહિલે કરેલ મિથ્યાવાદ :– (જીવ અને કર્મ સંબંધ)
આ રીતે આચાર્ય ભગવંત અર્થ પૌરુષી કરી રહ્યા હતા. પણ ગોષ્ઠામાહિલ તે સાંભળતા ન હતા. તેણે આવીને કહ્યું કે, તમે બધાં અહીં વાલના ઘડા સમાન છો. ત્યારે ત્યાંથી ઉઠીને વિંદ્યમુનિએ પ્રતિ ઉત્તર આપતા કહ્યું કે, આઠમા કર્મપ્રવાદ પૂર્વમાં કર્મનું વર્ણન કરાયેલ છે. ત્યારે અસત્ કર્મના ઉદયને લીધે કદાગ્રહથી તે વાતને ન સ્વીકારતા ગોષ્ઠામાહિલે તેમને કહ્યું કે, જીવ અને કર્મનો બંધ કઈ રીતે થાય ? તમે જીવ અને કર્મનો જે તાદાત્મ્ય સંબંધ કહો છો તે દૂષિત છે. તાદાત્મ્ય ભાવ માનવાથી જેમ જીવના પ્રદેશ જીવથી ભિન્ન થતા નથી, તેમ કર્મ પણ જીવથી અભિન્ન રહેશે અને તેથી સદાકાળ જીવ કર્મ સહિત રહેવાથી મોક્ષ પામશે નહીં અને મોક્ષનો જ અભાવ થશે. માટે મારી યુક્તિ જ યોગ્ય છે. સર્પની કાંચળીની પેઠે જીવની સાથે કર્મનો માત્ર સ્પર્શ જ થાય છે. અગ્નિથી તપાવેલા ગોળાની જેમ તાદાત્મ્ય ભાવ પામ્યા વિના જ તે જીવની સાથે જોડાય છે અને તેની સાથે પરભવમાં જાય છે એવું જો માનશો તો મોક્ષની પ્રાપ્તિ થશે નહીં.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org