SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી – મધવ કથા –૦- કથાનક : આ ભરતક્ષેત્રમાં મહીમંડળ નામે નગરમાં ભગવંત વાસુપૂજ્યના તીર્થમાં નરપતિ નામે રાજા હતો. પોતાના સંતાનની માફક પ્રજાનું પાલન કરતા તેણે દીર્ઘકાળ સુધી રાજ્ય કર્યું. કોઈ કાળે તેણે વિરકત બની રાજ્યનો ત્યાગ કર્યો અને દીક્ષા ગ્રહણ કરી. અપ્રમત્તપણે લાંબાકાળ સુધી દીક્ષાનું પાલન કરી મૃત્યુ પામ્યા (કાળધર્મ પામ્યા). ત્યાંથી મધ્યમ રૈવેયકમાં અહમિંદ્ર દેવ થયા. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શ્રાવતિ નામે નગરી હતી. તેમાં અસંખ્યગુણરૂપ રત્નો વડે મૂર્તિમાનું સમુદ્ર હોય તેવા સમુદ્ર વિજય નામે રાજા હતા. તેને ભદ્ર અંગવાળી સર્વ ભદ્રના સ્થાનરૂપ દેવી સશ ભદ્રા નામે પત્ની (રાણી) હતી. તે નરપતિદેવ રૈવેયકથી ચ્યવને ભદ્રામાતાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તે વખતે ભદ્રામાતાએ ચૌદ મહાસ્વપ્નોને જોયા. રાજાએ તેણીને કહ્યું કે, આ ચૌદ મહાસ્વપ્નના ફળરૂપે તને પુત્ર જન્મશે અને તે ચક્રવર્તી રાજા થશે. કાળક્રમે તેણીએ ઉત્તમ લક્ષણવાળા, સુવર્ણ વર્ણથી શોભતા એવા ઉત્તમ પુત્રરત્નને જન્મ આપ્યો. આ પુત્ર પૃથ્વીમાં મઘવા (ઇન્દ્ર) સમાન થશે એવું ધારીને સમુદ્રવિજયે મહોત્સવ કરીને તેનું મઘવા એવું નામ રાખ્યું. જ્યારે તે યુવાન થયો ત્યારે સમુદ્રવિજય રાજાએ તેને રાજ્ય સોંપ્યું. તેના શસ્ત્રાગારમાં દેદીપ્યમાન એવું ચક્ર ઉત્પન્ન થયું. ત્યારે **ભરત ચક્રવર્તીની માફક ** તેણે છ ખંડ ભારતને જીતી લીધું. લાંબા સમય સુધી ચક્રવર્તીપણે છ ખંડ ભારતનું રાજ્ય કર્યું. ત્યાર પછી તે મહાન, ઋદ્ધિસંપન્ન અને યશસ્વી એવા મઘવા ચક્રવર્તીએ ભરતક્ષેત્રના રાજ્યનો–દ્ધિ, પરિવારનો ત્યાગ કર્યો અને વિરક્ત થઈ દીક્ષા ગ્રહણ કરી. ૨૫,૦૦૦ વર્ષ કુમારવયમાં, ૨૫,૦૦૦ વર્ષ મંડલીક રાજા રૂપે, ૧૦,૦૦૦ વર્ષ દિગ્વીજયમાં, ૩,૯૦,૦૦૦ વર્ષ ચક્રવર્તીપણામાં અને ૫૦,૦૦૦ વર્ષનો દીક્ષાપર્યાય પાળી કુલ પાંચ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી તે મઘવા ચક્રવર્તી સનકુમાર નામે ત્રીજા દેવલોકમાં મહર્દિક દેવ થયા. ૦ આગમ સંદર્ભ :ઠા. ૯૦૫ થી ૯૦૭ + . સમ. ૩૧૩, ૩૧૫, ૩૧૭, ૩૨૦; આવ.નિ. ૩૭૪, ૩૯૧, ૩૨, ૩૯૪, ૩૯૫, ૩૯૭ થી ૩૯૯, ૪૦૧, ૪૧૬, આવ.યૂ.૧-૫. ૨૧૫, ૨૨૦, ૨૨૮; આવા નિ ૪૧૬, ૪૧૯, ૪૨૧ની વૃ. ઉત્ત. પ૯૫; ઉત્તભાવ . ૩૪૦; તિથો. પપ૯, ૫૬ ૧; (૪) સનસ્કુમાર ચક્રવર્તી કથાનક - –૦- સામાન્ય પરીચય : જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં ચોથા ચક્રવર્તી સનકુમાર (અન્નકુમાર) થયા. હસ્તિનાપુરના અશ્વસેન રાજાની પત્ની સહદેવી રાણીની કુક્ષીમાં તેમનો જન્મ થયો. તેઓ કાશ્યપગોત્રના હતા. તેમનો વર્ણ નિર્મળ સુવર્ણની પ્રભા સમાન હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy