________________
૯૨
આગમ કથાનુયોગ-૨
ઊંચાઈ સાડા એકતાલીશ ધનુષ હતી. તેઓ છ ખંડરૂપ ભરતના, ચૌદરત્નના, નવનિધિન સ્વામી હતા. જયા નામે તેની મુખ્ય રાણી (સ્ત્રીરત્ન) હતી, ત્રણ લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. અંતે દીક્ષા લીધી. મૃત્યુ બાદ તેઓ સનસ્કુમાર નામના ત્રીજા દેવલોકમાં દેવત થયા. તેઓ ભગવંત ધર્મનાથ અને ભગવંત શાંતિનાથના શાસનના વચ્ચેના અંતરમાં અને સનસ્કુમાર ચક્રવર્તીના કાળ પૂરો થયા બાદ ચક્રવર્તી થયેલા. -૦– કથાનક :
કાંચનની શોભાને ધારણ કરનારી એવી કાંચનપુર નામે નગરી હતી. ત્યાં અતિ પરાક્રમી એવો વિક્રમયશા નામે રાજા હતો. તેને વિશ્વમાં મનોહર એવી પાંચસો રાણી હતી. તે નગરમાં ઘણો જ સમૃદ્ધિશાળી અને ધનવાનું એવો નાગદત્ત નામે સાર્થવાહ હતો તેને સૌભાગ્યકારી, લાવણ્યવતી અને અતિશય રૂપથી શોભતી વિષ્ણુની લક્ષ્મીદેવી સદશા દેવસુંદરી જેવી વિષ્ણશ્રી નામે સ્ત્રી હતી. કોઈ વખતે વિક્રમયશા રાજાની દૃષ્ટિ વિષ્ણુર્થ ઉપર પડી. તે સ્ત્રીના સૌંદર્યએ રાજાનું મન હરી લીધું. રાજાના મનમાં થયું કે, આ સ્ત્ર વિના મારું રાજ્ય, જન્મ સર્વે નિષ્ફળ છે. રાજાએ તુરંત જ તેણીનું હરણ કરીને પોતાન અંતઃપુરમાં સ્થાપન કરી દીધી.
“હે પ્રિયે ! તું ક્યાં ચાલી ગઈ ?' એ પ્રમાણે વિલાપ કરતો નાગદત્ત સાર્થવા ત્યાર પછી ઉન્મત્ત – ગાંડાની માફક ભમવા લાગ્યો. વિક્રમયશા રાજા લજ્જા-લોકાપવા અને પોતાના શુદ્ધ અંત:પુરને બધાંને છોડીને નિત્ય વિષ્ણુશ્રી સાથે કામક્રીડા આદિમાં રમણ કરવા લાગ્યો. તેથી અંતઃપુરની અન્ય સ્ત્રીઓને ઇર્ષ્યા જન્મી. અસૂયાથી તે સ્ત્રી પર કામ કર્યું. તે મૃગાક્ષી સ્ત્રી ક્ષણે-ક્ષણે ક્ષીણ થતી મૃત્યુ પામી. ત્યારે તેણીના દવાગ્રિની જેમ દુઃસહ્ય એવા વિયોગને કારણે તે રાજા પણ નાગદત્તની માફક ઉન્મત્ત–પાગલ જેવો થઈ ગયો. તે બોલવા લાગ્યો કે, મારી પ્રિયા તો પ્રણયથી રીસાઈને મૌન થઈ ગઈ છે. સ્નેહર્થ મોહિત થઈ તેણીના મૃતકને અગ્રિમાં નાંખવાની ના પાડી દીધી. ત્યારે મંત્રીઓએ કંઈક વિચારી, રાજાને છેતરીને પશુના મૃતકની માફક તે સ્ત્રીના મૃતકને જંગલમાં ફેંકાવી દીધું
તે રાજાએ જ્યારે તે સ્ત્રીને ન જોઈ ત્યારે તેની શોધમાં અશ્રુ વહાવતો આંસુ વડે પૃથ્વીને સિંચતો અહીં-તહીં ભમવા લાગ્યો. વિરહથી વિહળ બનીને હે કાન્તા ! તે એકાંતને કેમ ધારણ કર્યું છે ? મશ્કરીમાં પણ તારે આમ ન કરવું જોઈએ. એ પ્રમાણે આક્રન્ટ કરતો, ત્રણ દિવસ સુધી તેણે અન્ન-જળને પણ લીધા નહીં. મંત્રીઓને થયું કે, આ રાજ આમ જ મરી જશે. તેથી વનમાં રહેલા તે સ્ત્રીના શરીરને બતાવ્યું. તે સ્ત્રીના સ્તનો ગીધડાંએ ચૂંથી નાખેલા, કાગડાઓએ તેની આંખો ખેંચી કાઢેલી. તેનું શરીર કૃમિઓર્થ ખદબદતુ હતું અને તેના શરીરમાંથી દુર્ગધ ફેલાઈ રહી હતી. શિયાળીઆએ તેના આંતરડ ખેંચી લીધેલા, માખીઓનો સમૂહ તેની આસપાસ ફેલાઈ ગયો હતો. વિષ્ણુશ્રીના આવા ચુંથાયેલા શરીરને જોઈને તે રાજા ત્યાં બેસી પડ્યો.
વિક્રમયશા રાજા વિરક્ત થઈને ચિંતવવા લાગ્યો, અરે ! આ અસાર સંસારમાં કંઈ જ સાર નથી. આવા અસાર સ્ત્રીદેહમાં હું બહુ કાળ મોહ પામ્યો, ખરેખર મને ધિક્કાર છે. કુળ, શીલ, યશ, લજ્જા આદિ મેં જેને કારણે છોડી દીધા હે જીવ! હે ઉન્મત્ત ! જો તેણીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org