________________
ચક્રવતી - સનકુમાર કથા
આ દશા જો. હવે મારા આત્માને નિર્મળ કરવા માટે મારે ધર્મક્રિયારૂપી નીર વડે જ પાપરૂપી કાદવને ધોવો જોઈએ. આ પ્રમાણે વિરક્ત બનેલા તે રાજાએ સુવ્રતાચાર્ય પાસે જઈને, ધૂળની જેમ રાજ્યનો ત્યાગ કરીને દીક્ષા લીધી. વિવિધ પ્રકારના તપ વડે, શરીરને શોષવી દઈને, લાંબા કાળ સુધી શ્રમણપણામાં વિચરીને મૃત્યુ બાદ ત્રીજા સ્વર્ગે ગયો.
આ તરફ પત્નીના વિરહથી દુઃખી થયેલો નાગદત્ત પણ આર્તધ્યાન વડે મૃત્યુ પામીને તિર્યંચ યોનિમાં અનેક ભવ ભટક્યો. પછી સિંહપુર નામના નગરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણપુત્ર થયો. કોઈ વખતે તેણે પૂણ્યના હેતુથી ત્રિદંડીપણાનો ધર્મ સ્વીકાર્યો. કોઈ વખતે બેમાસી તપ કરીને તે રત્નપુર નગરમાં આવ્યો. ત્યાં ત્રિદંડીભક્ત નરવાહના નામે રાજા હતો. રાજાએ તેને પોતાને ત્યાં પારણું કરવા માટે નિમંત્રણ આપ્યું. ત્યાં તેણે જિનધર્મ નામક કુમારને ત્યાં આવેલો જોયો. તેને જોતાં જ અગ્નિશર્મા તાપસના નેત્રો રોષથી લાલ થઈ ગયા. પૂર્વજન્મનું વેર યાદ આવ્યું. તે ત્રિદંડિકે નરવાહન રાજાને આ પ્રમાણે કહ્યું- હે રાજા ! જો આ શ્રેષ્ઠીના વાંસા પર અતિ ઉષ્ણ દૂધપાકનું પાત્ર મૂકીને ભોજન કરાવશો તો હું કરીશ, અન્યથા ભોજન કરીશ નહીં.
રાજાએ કહ્યું કે, હું બીજા પુરુષના વાંસા પર પાત્ર મૂકી ભોજન કરાવું. આ પ્રમાણે રાજાએ કહેતા તે દુષ્ટ, દુષ્ટ, વતી ફરીથી બોલ્યો, આના જ વાંસા પર પાત્ર મૂક તો હું ભોજન કરીશ, અન્યથા જતો રહીશ. તે રાજા ત્રિદંડીક ભક્ત હોવાથી તેણે ત્રિદંડીના વચનને ગ્રહણ કર્યું. રાજાની આજ્ઞાથી તે શ્રાવકના વાંસા પર અતિ ઉષ્ણ દૂધપાકનો થાળ મૂકીને તે તાપસને ભોજન માટે અપાયું ત્યારે તેણે ભોજન કરવું શરૂ કર્યું. તે શ્રાવકે વિચાર્યું કે, આ મારા જ અશુભકર્મનું ફળ છે, તેણે વિશુદ્ધ બુદ્ધિ વડે તે થાળીના ઉષ્ણ તાપને સહન કર્યો. ભિક્ષુએ ભોજન કરી લીધું ત્યાં સુધીમાં તે તાપથી શ્રેષ્ઠીના ચામડી, માંસ, લોહીમાં તે પાત્ર ચોંટી ગયું. લોકોએ તે થાળને ઉખાડ્યો પછી શ્રેષ્ઠી ઘેર ગયો.
- જિનધર્મકુમારે સર્વજનોને ખમાવ્યા. પછી ગુરુજન પાસે જઈને જિનધર્મદીક્ષા અંગીકાર કરી, પછી નગરીની બહાર નીકળ્યા. પક્ષ—પક્ષનું અનશન ગ્રહણ કરી, પર્વતના શિખરે કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. એ રીતે ચારે દિશામાં કાયોત્સર્ગ કરતા જે ઉપસર્ગો થયા તે સહન કર્યા. તે વખતે ગીધ અને કાગડાઓએ તેના પૃષ્ઠ ભાગને ચૂંથી નાંખ્યો. તેણે તે ઉગ્ર વેદનાને સહન કરી અને નમસ્કાર મંત્રનું ધ્યાન કર્યું. મૃત્યુ બાદ તે પહેલા સૌધર્મકલ્પ ઇન્દ્ર થયા. તેણે જિનધર્મનું આ અનંતર ફળ પ્રાપ્ત કર્યું. પેલો ત્રિદંડી તાપસ પણ મરીને તેના આભિયોગિક કુકર્મોથી પહેલા દેવલોકમાં ઇન્દ્રના વાહનરૂપ ઐરાવણ હાથી થયો. તે ત્રિદંડીનો જીવ ત્યાંથી ચ્યવીને કેટલાંક ભવો ભમી કરી અસિત નામે યક્ષરાજ થયો.
આ ભરતક્ષેત્રમાં કુર જાંગલ દેશમાં કલ્યાણપદ અને શોભા સંપન્ન એવું હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં અશ્વોની સેનાથી શત્રુને જિતનાર એવો અશ્વસેન નામનો એક શ્રેષ્ઠ રાજા હતો. પૃથ્વી પર દેવી સમાન એવી સહદેવી નામે તેની રાણી હતી, તેની કુક્ષિમાં જિનધર્મનો જીવ સ્વર્ગથી ઍવીને આવ્યો. તેનું ગર્ભાવતરણ થયું ત્યારે ચૌદ મહાસ્વપ્નોને જોઈને માતા સહદેવી જાગ્યા. ગર્ભકાળ પૂર્ણ થયો ત્યારે તેણીએ ઉત્તમ લક્ષણોથી લક્ષિત, જગના લોકોને મનોહારી, અદ્વિતીય રૂપ લક્ષ્મીથી યુક્ત કામદેવ જેવા પુત્રને જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org