________________
આગમ કથાનુયોગ-૨
આપ્યો. રાજાએ તેનો જન્મોત્સવ કરી સનકુમાર નામ રાખ્યું. તે કાળક્રમે વૃદ્ધિ પામતા કલ્પવૃક્ષ સદૃશ થયો. સાડા એકતાલીશ ધનુની તેની કાયા હતી.
કાલિંદીસૂરનો શ્રીયુક્ત એવો મહેન્દ્રસિંહ નામનો પુત્ર હતો. તેની સાથે ધૂળમાં રમતા–રમતા જ તેની મૈત્રી બંધાયેલી, બંને મિત્રો કલાચાર્ય પાસે ભણવા મૂકેલા, સનકુમારે લીલા માત્રમાં બધી જ કળાઓ શીખી લીધી. સનત્કુમાર જ્યારે યૌવન પામ્યા ત્યારે તેના લાવણ્યથી અનેક સ્ત્રીઓ તેના તરફ આકર્ષવા લાગી. મકરંદ નામના ઉદ્યાનમાં કોઈ સમયે વસંતઋતુમાં તે મહેન્દ્રસિંહ સાથે ક્રીડા કરવા ગયા. તે વખતે મિત્ર સાથે વિવિધ ક્રીડા કરતા એવા તેને રાજાએ એક સુંદર અશ્વ ભેટ આપ્યો. તે અશ્વનું નામ જલધિકલ્લોલ હતું. રાજકુમાર પણ તેના પર ચઢીને તેની ગતિ જાણવા માટે ઉત્સુક બન્યા. તે રાજકુમારે અશ્વની લગામ ખેંચી તેને ગતિવંત થવા પ્રેર્યો. તે ઘોડો વાયુ જેવી ગતિથી આકાશમાં ઉડતો હોય તેમ દોડ્યો. જેમ જેમ કુમાર તેને લગામથી ખેંચવા લાગ્યો તેમ તેમ તે વિપરિત શિક્ષાવાળો અશ્વ અધિક—અધિક દોડવા લાગ્યો.
૯૪
સાથે-સાથે બીજા ઘોડેશ્વાર રાજપુત્રો અશ્વ દોડાવતા હતા. તેઓની મધ્યમાંથી સનત્કુમારનો અશ્વ જોતજોતામાં કુમારને લઈને અદૃશ્ય થઈ ગયો. પોતાના કુમારને અશ્વ હરી ગયો, તે જાણીને અશ્વસેન રાજા મોટી અશ્વસેના લઈને તેને પાછો લાવવા પાછળ ચાલ્યા. તેટલામાં પ્રચંડ ધૂળની આંધી ઉઠી, સૈન્યને દિગ્મૂઢ કરી દીધું. કુમારના અશ્વના પગલાંના ચિહ્નો તે પવનની સાથે ભુંસાઈ ગયા. તેની સામે સઘળું સૈન્ય નિરૂપાય થઈ ગયું. તે વખતે મહેન્દ્રસિંહે અશ્વસેન રાજાને વિજ્ઞપ્તિ કરી, હે દેવ ! આ દૈવદુર્ઘટના જુઓ. આ અનિષ્ટ કંઈ સમજાતું નથી. તો પણ હું મિત્રને શોધીને જલ્દીથી અહીં લાવીશ. હે પ્રભો ! ઘણાં સૈન્ય સાથે વનમાં ભમવું દુષ્કર છે. તેના કરતા પક્ષીની માફક એકાકી કે અલ્પસૈન્ય સાથે શોધવું સહેલું છે. હે પ્રભો ! આપ અહીં જ રહો હું મારા મિત્રને શોધવા જાઉ છું. ત્યાર પછી પરિમિત પરિવાર સાથે મહેન્દ્રસિંહ યમ જેવી મોટી અટવીમાં પ્રવેશ્યો. તે અટવીમાં ગેંડાઓએ શીંગડાથી ઉખેડેલા પાષાણો વડે સર્વ માર્ગ વિષમ થઈ ગયો હતો. ગરમીથી પીડાતા ડુક્કરોએ નાના તળાવોને કાદવમય કરી દીધેલા. પ્રૌઢ રીંછોના નાદથી ગુફાઓમાં પડઘા પડતા હતા. ગુફામાં રહેલા કેશરીઓના નાદથી ભયંકર દેખાવ થઈ રહ્યો હતો. ઊંચી ફાળ ભરતા ચિત્તાઓના સમૂહથી મૃગોના ટોળા આકુળવ્યાકુળ થઈ જતા હતા. પશુઓને ગળી જઈને અજગરો વૃક્ષોને વીંટાઈ રહ્યા હતા. જળપાન કરતા સિંહોએ નદીઓને રુંધી હતી. ઉન્મત્ત હાથીઓએ વૃક્ષની શાખાઓ ભાંગીને અટવીને દુર્ગમ બનાવી હતી. આવી અટવીમાં તેણે સનકુમારને શોધવા પ્રવેશ કર્યો.
- ધીરે ધીરે તેનું સર્વ સૈન્ય વિખુટું પડી ગયું. મહેન્દ્રસિંહ સંગરહિત મુનિની જેમ એકલો ફરવા લાગ્યો. પલ્લીપતિની જેમ ધનુષ્ય લઈને એકલો ભમતા તે મિત્રને શોધતો હતો. ઉનાળો, ચોમાસુ, શિયાળો બધી ઋતુ અને ભૂખ–તરસ વેઠવા લાગ્યો. એ રીતે સનત્કુમારને શોધવામાં મહેન્દ્રસિંહને એક વર્ષ વીતી ગયું. તેટલામાં કોઈ વખતે પક્ષીઓનો કલરવ, કમળની સુગંધ આદિથી નજીકમાં સરોવર હોવાનું અનુમાન થયું. એટલામાં સનકુમારને જોઈને તેને થયું કે, આ સત્ય છે કે, મારા મનનો ભ્રમ છે ? તેટલામાં કોઈના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org