________________
નિલવ – જમાલિ કથા
૨૧૯
તારી ઉમર પણ પરિપક્વ થઈ જાય તેમજ કુળવંશની વૃદ્ધિનું કાર્ય થઈ જાય ત્યારે નિરપેક્ષ થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને અગારવાસ છોડીને અનગારધર્મમાં પ્રવજિત થજે. ત્યારે ક્ષત્રિકુમાર જમાલિએ માતા–પિતાને કહ્યું,
હે માતાપિતા ! તમે મને જે કહ્યું કે, પુત્ર ! તારું આ શરીર ઉત્તમ રૂ૫ આદિ ગુણો વડે યુક્ત છે ઇત્યાદિ – યાવત્ – અમારું મૃત્યુ થાય પછી તું પ્રવ્રજિત થજે. પરંતુ આ માનવશરીર દુઃખોનું ઘર છે. અનેક પ્રકારની સેંકડો વ્યાધિઓનું નિવાસસ્થાન છે, અસ્થિરૂપ કાષ્ઠ ઉપર ઉભેલું છે. નાડિયો અને સ્નાયુઓના જાળથી વેષ્ટિત છે. માટીના વાસણ સમાન દુર્બળ છે. અશુચિ વડે સંક્લિષ્ટ છે. તેને ટકાવી રાખવા માટે સદૈવ તેની સંભાળ રાખવી પડે છે. તે સડેલા મૃતક અને જીર્ણ ઘર જેવું છે. સડવું, પડવું, નાશ પામવું તેનો સ્વભાવ છે. આ શરીરને પહેલા કે પછી અવશ્ય છોડવું પડશે. ત્યારે કોને ખબર છે કે, પહેલા કોણ જશે અને પછી કોણ જશે ? ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ – યાવત્ – તેથી હું ઇચ્છું છું કે, તમારી આજ્ઞા પ્રાપ્ત કરીને હું પ્રવજ્યા ગ્રહણ કરું.
ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિના માતાપિતાએ કહ્યું, હે પુત્ર ! આ તારી ગુણવલ્લભા, ઉત્તમ, તારામાં નિત્ય ભાવાનુરક્ત, સર્વાગ સુંદર આઠ પત્નીઓ છે. જે વિશાળ કુળમાં ઉત્પન્ન નવ યૌવનાઓ છે. કળાકુશળ છે. સદૈવ લાલિત અને સુખ ભોગને યોગ્ય છે. તેણીઓ માર્દવગુણથી યુક્ત, નિપુણ, વિનયવ્યવહારમાં કુશળ અને વિચક્ષણ છે. મંજુલ– પરિમિત અને મધુર ભાષિણી છે. હાસ્ય, વિપ્રેક્ષિત, ગતિ, વિલાસ અને ચેષ્ટાઓમાં વિશારદ છે. નિર્દોષ કુળ અને શીલ વડે સુશોભિત છે. વિશુદ્ધ કુળરૂપ વંશતંતુની વૃદ્ધિ કરવામાં સમર્થ અને પૂર્ણ યૌવનવાળી છે. મનોનુકૂલ અને હૃદયને ઇષ્ટ છે. તેથી હે પુત્ર ! તું તેણીની સાથે મનુષ્યસંબંધિ વિપુલ કામભોગનો ઉપભોગ કર અને પછી જ્યારે તું ભક્તભોગી થઈ જાય, વિષયવિકારોમાં તારી ઉત્સુકતા સમાપ્ત થઈ જાય, ત્યારે અમારા મૃત્યુ બાદ – યાવત્ – તું પ્રવ્રુજિત થજે.
માતાપિતાના પૂર્વોક્ત કથનના ઉત્તરમાં જમાલિ ક્ષત્રિયકુમારે પોતાના માતાપિતાને કહ્યું, ભલે તમે જે આ કહ્યું કે, વિશાળકુળમાં ઉત્પન્ન તારી આ આઠ પત્નીઓ છે – યાવત્ – મુક્ત ભોગી થઈને તથા તમારા મૃત્યુ બાદ દીક્ષા લેજે, પરંતુ તે માતાપિતા ! એ નક્કી છે કે, આ મનુષ્ય સંબંધિ કામભોગો, મળ, મૂત્ર શ્લેષ્મ, સિંઘાણ, વમન, પિત્ત, પૂતિ, શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થાય છે. આ અમનોજ્ઞ અને અસુંદર મૂત્ર તથા દુર્ગધયુક્ત વિષ્ઠાથી પરિપૂર્ણ છે. મૃત ક્લેવર સમાન ગંધવાળા, ઉચ્છવાસ અને અશુભ નિઃશ્વાસથી યુક્ત હોવાથી ઉઠેગ ઉત્પન્ન કરનારા છે, બીભત્સ છે, અલ્પકાલ સ્થાયી છે, તુચ્છ સ્વભાવવાળા છે, કલમલના સ્થાનરૂપ હોવાથી દુઃખરૂપ છે અને અનેક જનસમુદાયને માટે ભોગ્યરૂપથી સાધારણ છે. અત્યંત માનસિક કલેશ અને ગાઢ શારીરિક કષ્ટ વડે સાધ્ય છે. અજ્ઞાની લોકો દ્વારા સેવિત છે. સાધુ પરષો દ્વારા સંદેવ નિંદનીય છે. અનંત સંસારની વૃદ્ધિ કરનારા છે. પરિણામથી કટુ ફળવાળા છે. બળતા એવા ઘાસના પૂળાની આગ સમાન કઠિનતાથી છૂટનારા છે તથા દુઃખાનુબંધી છે. સિદ્ધિગમનમાં વિનરૂપ છે. તેથી હે માતાપિતા ! આ કોણ જાણે છે કે, આપણામાં કોણ પહેલા જશે અને કોણ પછી જશે? તેથી હું આપની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org