SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ .. આગમ કથાનુયોગ-૨ કુહાડી વડે કાપેલી ચંપકલતાની માફક અને મહોત્સવ સમાપ્ત થયા પછીના ઇન્દ્રધ્વજની માફક શોભાવિહીન થઈ ગઈ. તેના સંધિબંધન શિથિલ થઈ ગયા અને તેણી ધડામ કરતી સર્વ શરીર સાથે ફર્શ પર પડી ગઈ. ત્યાર બાદ ક્ષત્રિયકુમાર જમાલિની વ્યાકુળતાપૂર્વક અહીં-તહીં પડતી માતાના શરીર પર શીઘ દાસિઓએ સ્વર્ણકળશોના મુખથી નીકળતી શીતળ અને નિર્મળ જળધારાનું સિંચન કરીને તેણીના શરીરને સ્વસ્થ કર્યું. પછી પંખા અને તાડપત્રોથી જલકણો સહિત હવા નાંખી. ત્યાર પછી અંતઃપુરના પરિજનોએ તેણીને આશ્વસ્ત કરી. રડતી, ઇંદન કરતી, શોક કરતી અને વિલાપ કરતી એવી માતા ક્ષત્રિયકુમાર જમાલિને કહેવા લાગી, હે પુત્ર! તું અમારે એકમાત્ર પુત્ર છે, તું અમને ઇષ્ટ છે, કાંત છે, પ્રિય છે, મનોજ્ઞ છે, મનને સુખકર છે, આધારભૂત છે, વિશ્વાસપાત્ર છે, તું સંમત-અનુમત અને બહુમત છે. તું આભૂષણોની પેટી સમાન છે, રત્નસ્વરૂપ છે, રત્નતુલ્ય છે, જીવન કે જીવિતોત્સવ સમાન છે, હૃદયને આનંદ દેનારો છે, ઉદુમ્બરના ફૂલ સમાન તારું નામ શ્રવણ પણ દુર્લભ છે તો તારું દર્શન દુર્લભ હોય તેમાં શું કહેવાપણું છે ? તેથી હે પુત્ર ! અમે તારો વિયોગ ક્ષણમાત્ર પણ ઇચ્છતા નથી. તેથી જ્યાં સુધી અમે જીવતા રહીએ, ત્યાં સુધી તું ઘરમાં જ રહે. ત્યાર પછી જ્યારે અમારું મૃત્યુ થાય, તારી ઉમર પરિપક્વ થઈ જાય, કુળવંશની વૃદ્ધિનું કાર્ય થઈ જાય ત્યારે નિરપેક્ષ થઈને તું ગૃહવાસનો ત્યાગ કરીને, મુંડિત થઈને અનગાર ધર્મથી પ્રવજિત થજે. ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિએ પોતાના માતાપિતાને કહ્યું, હમણાં જે તમે કહ્યું, હે પુત્ર ! તું અમારો એકમાત્ર પુત્ર છે, ઇષ્ટ, કાંત આદિ છે – યાવત્ - અમારા મૃત્યુ બાદ પ્રવ્રજિત થજે ઇત્યાદિ. તો હે માતપિતા ! આ મનુષ્ય જીવન જન્મ, જરા, મૃત્યુ, રોગ તથા શારીરિક અને માનસિક અનેક દુઃખોની વેદનાથી અને સેંકડો કષ્ટો અને ઉપદ્રવો વડે ગ્રસ્ત છે, અધ્રુવ છે, અનિયત છે, અશાશ્વત છે, સંધ્યાકાલીન વાદળોના રંગ સમાન ક્ષણિક છે. પાણીના પરપોટા સમાન છે. ઘાસના તણખલાની અણી ઉપર રહેલા જળબિંદુ સમાન છે. સ્વપ્નદર્શન તુલ્ય છે. વિદ્યુતુલતાની ચમક સમાન ચંચળ અને અનિત્ય છે. સડવા, ગળવા, પડવા અને વિધ્વંસ થવાના સ્વભાવવાળું છે. પહેલા કે પછી તેને અવશ્ય છોડવું પડશે. તેથી હે માતાપિતા ! એ કોણ જાણે છે કે આપણામાં કોણ પહેલાં જશે કે પછી કોણ જશે? તેથી હું ઇચ્છું છું કે, આપની અનુજ્ઞા પ્રાપ્ત થાય તો હું શ્રમણ ભગવંત મહાવીર પાસે ખંડિત થઈને – યાવત્ – પ્રવ્રજ્યા અંગીકાર કરું. આ વાત સાંભળીને ક્ષત્રિયકુમાર જમાલિને તેના માતાપિતાએ કહ્યું કે, હે પુત્ર ! તારું આ શરીર – વિશિષ્ટ , લક્ષણો, વ્યંજનો અને ગુણોથી યુક્ત છે. ઉત્તમ બળ, વીર્ય અને સત્ત્વથી સંપન્ન છે. વિજ્ઞાનમાં વિચક્ષણ છે, સૌભાગ્ય ગુણથી ઉન્નત છે, કુલીન છે, મહાનું સમર્થ છે. વિવિધ વ્યાધિઓ અને રોગોથી રહિત છે, નિરુપદ્ધત, ઉદાત્ત, મનોહર અને પાંચ ઇન્દ્રિયોની પટુતા વડે યુક્ત છે તથા પ્રથમ યૌવન અવસ્થામાં છે ઇત્યાદિ અનેક ગુણોથી યુક્ત છે. હે પુત્ર! જ્યાં સુધી તારું શરીર રૂપ-સૌભાગ્ય અને યૌવન આદિ ઉત્તમ ગુણયુક્ત છે. ત્યાં સુધી હું તેનો અનુભવ કર–ભોગવ. પછી અમારું મૃત્યુ થાય ત્યારે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy