SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર આગમ કથાનુયોગ-૨ હણાયા. તે ભય મુનિસુવ્રત પછીના કાળમાં થયેલા, મૃત્યુ પામીને ચોથી નરકે ગયા. –૦- તારક આદિ પ્રતિવાસુદેવની કથા :- હિપૃષ્ઠાદિ વાસુદેવ કથા માટે અપાયેલ સૂચના મુજબ જાણવી. ૦ તારક આદિ પ્રતિવાસુદેવના આગમ સંદર્ભ :ઠા. ૮૧૧; સમ. ૩૪૧ થી ૩૪૩; આવ.નિ. ૪૧૩; આવ.ભા. ૪૦, ૪૨, ૪3; આવ.પૂ.૧–પૃ.૨૨૦; આવ.નિ. ૪૧૯, ૪ર૦ની વૃ. તિલ્યો. પ૭૭, ૬૧૦, ૧૧; – ૪ – ૪ – ૯. જરાસંધ પ્રતિશત્રુ પરીચય : જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવમા પ્રતિશત્રુ જરાસંધ થયા. તે રાજગૃહીના રાજા હતા. કંસના સસરા હતા. તેના પોતાના ચક્રથી જ વાસુદેવ કૃષ્ણ વડે તે હણાયા. તેઓ ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં થયેલા. તેમનો જરાસિંધ નામે પણ ઉલ્લેખ મળે છે. –૦- જરાસંઘ પ્રતિશત્રુ કથાનક :- વાસુદેવ કૃષ્ણ પ્રમાણે જાણવું. ૦ આગમ સંદર્ભ :આયા.યૂ.પૂ. ૮૬; આયા.મૂ. 63–9. સૂય..પ. ૩૪૦; ઠા ૮૧૧; ઠામૂ. ૩૬ ૦ની વૃ; સમ. ૩૪૧ થી ૩૪3; નાયા. ૧૭૦; પપ્પા. ૧૯, આવ.નિ. ૪૧૩; આવ.ભા. ૪૦, ૪૨, ૪૩; આવપૂ.૧–પૃ. ૨૨૦, ૪૯૨; આવ.નિ. ૪૧૯, ૪૨૦–વૃ. દસ યૂ.પૃ. ૪૧; તિથો. ૬૧૦; ૦ વાસુદેવ કૃષ્ણ, બળદેવ રામ, પ્રતિશત્રુ જરાસંધ કથા :-૦- ભૂમિકા : – મથુરાનગરીના રાજા વસુદેવ અને રાણી દેવકીના પુત્ર કૃષ્ણ આ અવસર્પિણીમાં ભારતમાં નવમાં વાસુદેવ થયા. – મથુરા નગરીના રાજા વસુદેવ અને રાણી રોહિણીના પુત્ર રામ આ અવસર્પિણીમાં ભારતમાં નવમાં બળદેવ થયા. – રાજગૃહીના રાજા જરાસંધ જે બૃહદ્રથ રાજાના પુત્ર હતા તે આ અવસર્પિણીમાં ભારતમાં ત્રણ ખંડના સ્વામી પ્રતિશત્રુ થયા. –૦- વાસુદેવ કૃષ્ણ અને બળદેવ રામનો પૂર્વભવ : એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. કોઈ વખતે કાષ્ઠ લેવા માટે તેઓ ગામ બહાર ગયા. કાષ્ઠની ગાડી ભરી પાછા વળ્યા. તે વખતે મોટો ભાઈ આગળ ચાલતો હતો. તેણે માર્ગના ચીલા ઉપર એક સર્પિણીને જતી જોઈ. તેથી ગાડી હાંકતા નાના ભાઈને કહ્યું કે, આ ચીલામાં સર્પિણી પડી છે તેને બચાવીને ગાડી ચલાવજે. તે સાંભળી સર્પિણી વિશ્વાસમાં આવી. પણ નાના ભાઈએ ક્રુર થઈ ગાડી તેના પર ચલાવી. તેના હાડકા ભાંગી ગયા. તે સર્પિણી પણ આ મારો વૈરી છે, એમ ચિંતવતા મરણ પામી, હસ્તિનાપુરમાં જન્મી. કોઈ શ્રેષ્ઠીની પત્ની બની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy