SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિવાસુદેવ ૧૫૧ સમવાય-૧૪, સૂત્ર-૧૩૨માં તથા આવ.ભા. અલ્માં ૫૪ ઉત્તમ પુરુષોનો ઉલ્લેખ કરે છે. કેમકે ત્યાં ૨૪ તીર્થકર, ૧૨-ચક્રવર્તી, ૯-બળદેવ અને ૯-વાસુદેવ એ ૫૪ને ઉત્તમ પુરુષ ગણેલ છે. તેમાં પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ)નો ઉલ્લેખ કરેલ નથી. પણ ત્રેસઠ શલાકા પુરુષોની ગણનામાં આ નવ પ્રતિશત્રુને સમાવેલા છે. એ રીતે ૬૩ શલાકા અર્થાત્ ઉત્તમ પુરુષોની ગણના થયેલી છે. તે મતે પ્રતિવાસુદેવને પણ ઉત્તમ પુરુષ ગણેલા છે. ૦ પ્રતિવાસુદેવ પરીચયના આગમ સંદર્ભ– સમ ૩૪૦ થી ૩૪૨; ભગ. ૨૪૩; આવ.ભા. ૪૨, ૪૩; તિલ્યો. ૬૦૯, ૧૦ – ૪ – ૪ – ૧. અશ્વગ્રીવ પ્રતિશત્રુ–પરીચય : જંબૂઢીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પહેલા પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ) અશ્વગ્રીવ થયા. તેને ઘોડગગ્રીવ પણ કહે છે. તેને તેના જ ચક્ર વડે પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠએ હણ્યા હતા. તે મરીને સાતમી નરકભૂમિમાં ગયા. તેઓ ભગવંત શ્રેયાંસના શાસનમાં થયેલા. –૦- અશ્વગ્રીવ પ્રતિશત્રુ કથા – ત્રિપૃષ્ઠ વાસુદેવ પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ :સૂય.ચૂપૃ. ૩૪૧; ઠા. ૮૧૧; સમ. ૩૨૮, ૩૪૧ થી ૩૪૩, આવ.નિ. ૪૧૩; આવ, ભા. ૪૦, ૪૨, ૪3; આવ.યૂ.૧–. ર૨૦, ૨૩૨–૩૪; આવ.નિ. ૪૧૯, ૪૨૦ની વૃ. તિથો. ૬૧૦; – ૪ –– » –– ૨ થી ૮ પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ પરીચય) : - જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં– ૨. બીજા પ્રતિશત્રુ તારક થયા. જે બીજા વાસુદેવ દ્વિપૃષ્ઠ વડે સ્વચક્રથી હણાયા. મરીને છઠી નરકે ગયા. આ પ્રતિશત્રુ ભગવંત વાસુપૂજ્યના શાસનમાં થયેલા. 3. ત્રીજા પ્રતિશત્રુ મેરક થયા. જે ત્રીજા વાસુદેવ સયંભૂ વડે સ્વચક્રથી હણાયા. તે ભગવંત વિમલના શાસનમાં થયેલ. ૪. ચોથા પ્રતિશત્રુ મધુકૈટભ થયા. જે ચોથા વાસુદેવ પુરુષોત્તમ વડે સ્વચક્રથી હણાયા. તે ભગવંત અનંતના શાસનમાં થયેલ. ૫. પાંચમાં પ્રતિશત્રુ નિશુંભ થયા. જે પાંચમાં વાસુદેવ પુરુષસીંહ વડે સ્વચક્રથી હણાયા. તે ભગવંત ધર્મના શાસનમાં થયેલા. ૬. છઠા પ્રતિશત્રુ બલિ થયા. જે છઠા વાસુદેવ પુરુષપુંડરિક વડે સ્વચક્રથી હણાયા. તે ભઅર અને ભ૦મલ્લિના વચ્ચેના અંતરમાં થયા. ૭. સાતમાં પ્રતિશત્ર પ્રહ્માદ થયા. તે સાતમાં વાસુદેવ દત્ત વડે સ્વચક્રથી હણાયા. તે ભોઅર અને ભમલિના વચ્ચેના અંતરમાં થયા. ૮. આઠમા પ્રતિશત્રુ રાવણ થયા. તે આઠમાં વાસુદેવ લક્ષ્મણ વડે સ્વચક્રથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy