SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ આગમ કથાનુયોગ-૨ દીક્ષા લીધી. ૧૨૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવી તેઓ પાંચમા દેવલોક, બ્રહ્મ દેવલોકમાં– દેવરૂપે ઉત્પન્ન થયા. આવતી ચોવીસીમાં તેઓ એક ગર્ભવાસ લઈને (તીર્થકરત્વ પામીને) સિદ્ધ થશે–મોક્ષે જશે. તેઓ ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં થયા. . – રામ એ પ્રત્યેક બળદેવ માટે વપરાતું સામાન્ય નામ પણ છે. – તેમને ધારિણી નામે પત્નીથી સુમુખ, દુર્મુખ, કૂપદાયક નામે પુત્રો થયેલા. રેવતી નામે પત્નીથી નિષધ વગેરે પુત્રો થયેલા. જરાકુમાર નામે તેને બીજા એક ભાઈ પણ હતા. કૃષ્ણના પાંચ મહાવીરોમાં તેઓ મુખ્ય વીર હતા. સાગરચંદ્ર તેનો પૌત્ર હતો. તેણે ક્રોધ પર વિજય મેળવેલો. દ્વારિકા બળતી હતી ત્યારે માતા–પિતાને બચાવવા માટે તેમણે પ્રયત્ન કરેલો. તેઓ કૃષ્ણ વાસુદેવ માટે વનમાં પાણીની શોધમાં ગયા ત્યારે જરાકુમારના બાણથી કૃષ્ણનું મૃત્યુ થયેલ. કૃષ્ણને નરકમાં દુ:ખથી બચાવવા માટે પણ તેમનો જીવ દેવલોકમાંથી ગયો હતો. પણ તે દેવરૂપે કૃષ્ણને કંઈ મદદ કરી શક્યા ન હતા. કૃષ્ણના કહેવાથી તેમણે કૃષ્ણને પીતાંબરધારી તથા હાથમાં ચક્ર, તલવાર આદિ મૂકીને દેવરૂપે પ્રસિદ્ધ કરેલા. તેમના વાહન તરીકે ગરુડને પ્રસિદ્ધ કરેલું. તેઓ નિષ્કષાય નામે ચૌદમાં તીર્થકર ભરતક્ષેત્રની આગામી ચોવીસીમાં થશે. તીર્થકરત્વ ભોગવીને નિર્વાણ પ્રાપ્ત કરશે. -૦- રામ (બલભદ્ર) બળદેવ કથા :- વાસુદેવ કૃષ્ણ પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ :સૂય.નિ રત્ની વૃ. ઠ. ૮૧૧ થી ૮૧૩; સમ. ૧૪, ૨૫, ૩૨૩, ૩ર૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫, ૩૫૭, ૩૬ ૨; નાયા. ૬૩, ૧૬૯; અંત. 3, ૨૦, ૬૪; પા . ૧૯; જીવા. ૯૫ની વૃ. વણ્ડિ . ૩; મરણ. ૪૯૮; બુહ.ભા. ૧૭રની વૃ. આવ.નિ. ૪૦૨, ૪૦૭, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫; આવ.ભ. ૪૦, ૪૧; આવ.યૂ.૧–પૃ. ૧૧૨, ૨૨૦, ૩૫૫; આવ.નિ. ૪૧૯, ૪૨૦ની વૃ. ઉત્ત. ૭૯૭, ૭૯૮; ઉત્ત.પૂ.પૃ. ૭૫; ઉત્ત.મૂ. ૮૦ની વૃ. તિસ્થો. પ૬૭, ૫૭૮, ૬૦૨, ૬૦૪, ૬૦૭, ૬૧૬; ૦ પ્રતિવાસુદેવ પરીચય : પ્રતિવાસુદેવ વ્યવહાર પ્રસિદ્ધ શબ્દ છે. તે માટે આગમમાં વપરાતો શબ્દ છે – સિતું – “પ્રતિશત્રુઓ. તેઓ વાસુદેવના જન્મજાત શત્રુ હોય છે. તેમની હત્યા તેમના જ ચક્ર વડે થાય છે. જેટલા વાસુદેવ હોય તેટલાં જ પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ) હોય છે. તેઓ બધાં મૃત્યુ પછી નરકે જાય છે. અર્થાત્ જંબૂદ્વીપમાં જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી ૩૦ પ્રતિશત્રુઓ હોય છે. ભારત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં નવ-નવ પ્રતિશત્રુઓ થાય છે. તે દરેક દુઃષમ-સુષમ આરામાં જ થાય છે. ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં નવ પ્રતિશત્રુઓ (પ્રતિવાસુદેવો) થયા. તે આ પ્રમાણે :- ૧. અશ્વગ્રીવ, ૨. તારક, ૩. મેરક, ૪. મધુકેતભ, ૫. નિશુંભ, ૬. બલિ, ૭, પ્રહ્માદ, ૮. રાવલ અને ૯, જરાસંધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy