________________
૧૧૮
આગમ કથાનુયોગ-૨
ગયા. ત્યાંથી તેઓ ભૃગુપાત કરવા (પડવા) ઇચ્છતા હતા. ત્યાં તેમને એક શ્રમણ—મુનિ જોવામાં આવ્યા. તે ધ્યાનસ્થ અને સકલ ગુણભંડાર મુનિને જોઈને તેઓનો સકળ સંતાપ દૂર થઈ ગયો. ત્યાં આવી તે બંને ચાંડાલ મુનિને નમી પડ્યા. મુનિએ ધ્યાન સમાપ્ત કરીને તેમને કહ્યું કે, તમે બે કોણ છો ? અહીં કેમ આવ્યા છો ? તેઓએ પોતાનો સર્વ વૃત્તાંત મુનિને કહી સંભળાવ્યો. ત્યારે મુનિએ કહ્યું કે, ભૃગુપાત કરવાથી તમારા શરીરનો નાશ થશે, પણ પાપનો નાશ થશે નહીં. તમારા જેવા દક્ષ–ચતુરને માટે તેમ કરવું યોગ્ય નથી. દુઃખના મૂળરૂપ પાપકર્મ તપથી ક્ષય પામે છે. મૃત્યુથી નહીં. તેથી ત્યાજ્ય એવા આ દેહને તપ અને ચારિત્ર વડે સફળ કરો.
- તેઓએ મુનિના વચનને તત્કાળ અંગીકૃત્ કર્યું. તેમની પાસે દીક્ષા લઈને કાળક્રમે તે બંને ગીતાર્થ થયા. છઠ–અઠમ વગેરે દસ્તપ તપીને તેમણે પૂર્વકર્મની સાથે શરીરને પણ શોષવી નાંખ્યું. તપોમૂર્તિ એવા તે બંને સાથે-સાથે વિચરણ કરવા લાગ્યા. વિચરતા–વિચરતા તે બંને કોઈ વખતે હસ્તિનાપુર નગરે આવ્યા. ત્યાં નગર બહારના ઉદ્યાનમાં રહીને દુરૂપ એવું તપ તપવા લાગ્યા. કોઈ વખતે સંભૂત મુનિ માસક્ષમણને પારણે હસ્તિનાપુરમાં ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. ભિક્ષાર્થે ભ્રમણ કરતા તે મુનિને દુરાત્મનું નમુચીએ જોયા. તેને શંકા થઈ કે, આ ચાંડાલ પુત્ર મારું દુરિત્ર જાણે છે. “કદાચ તે મારો વૃત્તાંત કહી દેશે તો ?" નમુચીમંત્રીએ પોતાના સેવકને આજ્ઞા કરી કે, આ મુનિને તત્કાળ નગરની બહાર કાઢી મૂકો.
યમદૂત જેવા તે ચંડ સેવકોએ મુનિને લાકડીઓના માર મારીને તે સ્થાનેથી ભગાડ્યા. મુનિ તત્કાળ ઉતાવળથી ઉદ્યાન તરફ જવા લાગ્યા, તો પણ નમુચિના સેવકોએ તેમને છોડ્યા નહીં. ત્યારે શાંત એવા તે મુનિને ક્રોધ ચડ્યો. કેમકે અગ્નિના તાપથી શીતળજળ પણ ઉષ્ણ થઈ જાય છે. તત્કાળ મુનિના મુખમાંથી અકાળે ઉત્પન્ન થયેલા મેઘમાંથી વીજળીની જેમ તેજોલેશ્યા ઉત્પન્ન થઈ. તેની મોટી મોટી જ્વાલા આકાશ મંડળને સ્પર્શવા લાગી. આ પ્રમાણે ક્રોધથી તેજોલેશ્યાને ધારણ કરતા તે મુનિને પ્રસન્ન કરવા માટે નગરજનો ભય અને કૌતુકથી
ત્યાં આવ્યા. સનસ્કુમાર ચક્રી પણ ત્યાં આવ્યા. સંભૂત મુનિને નમસ્કાર કરી ચક્રવર્તી બોલ્યા કે, હે ભગવંત! આપને આમ કરવું ઉચિત નથી. આપ અમારા પર કૃપા કરો, આપના ક્રોધને ત્વરિત શાંત કરો. પુરુષોનો કોપ તો દુર્જનના સ્નેહ જેવો હોય છે. હું આપને પ્રાર્થના કરું છું કે, આપ આપના કોપનો ત્યાગ કરો.
આ સમયે સમગ્ર વૃત્તાંત જાણીને ચિત્રમુનિ ત્યાં આવ્યા. તેમણે કહ્યું કે, હે ભાઈ ! આ રોષ ચારિત્ર રૂપી વનને સળગાવનાર છે. દેશોન પૂર્વક્રોડ વર્ષે જે નિર્મળ ચારિત્રને પ્રાપ્ત કર્યું હોય, તે પણ કષાયથી કલુષિત થયેલ મુનિ મુહૂર્ત માત્રમાં હારી જાય છે. અપકાર કરનાર પરત્વે કરાયેલ ક્રોધ પણ ધર્મરૂપી ધનનું હરણ કરીને અનંત દુઃખને આપનારું થાય છે. આવા–આવા વિવિધ વચનો વડે, શાસ્ત્રાનુસારી વાણી વડે ચિત્રમુનિએ સંભૂતિમુનિના ક્રોધને શાંત કર્યો. પછી સંભૂતિમુનિ ઉપશાંત થયા. લોકો પણ તેમને નમસ્કાર કરીને પોતપોતાના સ્થાને ગયા. ચિત્રમુનિ પણ સંભૂતિમુનિને લઈને ઉદ્યાનમાં પાછા ફર્યા. ત્યાં ગયા પછી તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે માત્ર આહારને માટે ઘેરઘેર ફરવાથી મોટુ દુઃખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org