________________
ચક્રવર્તી – બહાદત્ત કથા
૧૧૯
પ્રાપ્ત થાય છે. આ શરીર આહાર વડે પોષણ કર્યા છતાં પરિણામે તો નાશવંત જ છે. તો પછી આ શરીરની કે આહારની જરૂર શું છે ? આવો નિશ્ચય કરી બંને મુનિઓએ સંખનાપૂર્વક ચતુર્વિધ આહારના પચ્ચક્ખાણ કર્યા.
સનસ્કુમાર ચક્રવર્તીએ આજ્ઞા કરી કે, મારા હોવા છતાં પણ તે સાધુઓનો જેણે પરાભવ કર્યો છે તેને શોધી લાવો. એટલે કોઈએ કહ્યું કે, એ કાર્ય નમુચીમંત્રીએ કરેલ છે. રાજાએ ગુસ્સે થઈને નમુચીને બંધનમાં નાંખી બોલાવ્યો. “હવેથી બીજો કોઈ આ રીતે સાધુઓનો પરાભવ ન કરે” એમ વિચારી શુદ્ધ બુદ્ધિવાળા સનસ્કુમાર ચક્રી નગરના મધ્યમાંથી નીકળી નમુચીને બાંધેલી હાલતમાં મુનિની પાસે લાવ્યા. ચક્રીએ બંને મુનિને વંદના કરી, ત્યારે પ્રસન્ન એવા મુનિઓએ તેમને ધર્મલાભરૂપ આશીર્વાદ આપ્યા. રાજાને કહ્યું કે, જે અપરાધી હોય છે તે પોતાની મેળે જ કર્મનું ફળ ભોગવે છે. પછી રાજાએ અપરાધી એવા નમુચીને બતાવ્યો. મુનિએ તેને છોડાવ્યો. પછી રાજાએ નમુચીને દેશનિકાલ કર્યો.
ત્યાર પછી ચક્રવર્તીની સ્ત્રીરત્ન (મુખ્ય પત્ની) સુનંદા બીજી અન્ય સર્વે રાણીઓ સાથે મુનિને વંદન કરવા આવી. ઇન્દ્રાણી જેવી તે સ્ત્રીરત્ન સંભૂતમુનિના ચરણકમળમાં નમી
ત્યારે તેના વાળનો સ્પર્શ થતા સંભૂતમુનિ પ્રબળતાથી તેનામાં અનુરક્ત થયા. મુનિને વિચાર આવ્યો કે, જો આના વાળની લટનો સ્પર્શ પણ આવા અતુલ સુખને આપે છે. તો તેની સમગ્ર કાયાના સ્પર્શ કેવો સુખદ હશે ? અંતઃપુર સહિત તેમને નમસ્કાર કરી જ્યારે રાજા પાછા ગયા ત્યારે સંભૂતિમુનિએ કામરાગથી અંધ બની નિયાણ કર્યું કે, અતિ દુષ્કર એવા મારા સપનું જો કંઈપણ ફળ હોય તો હું પણ ભાવિમાં આવા સ્ત્રીરત્નનો સ્વામી થઉં. મેં ચાંડાલજાતિમાં અનેક કદર્થના ભોગવી છે.
તે સાંભળીને ચિત્રમુનિએ વિચાર્યું કે, ખરેખર ! મોહને જીતવો ઘણો દુષ્કર છે. કેમકે આગમોના જ્ઞાતા એવા આ સંસારરૂપી સમુદ્રમાં પડી રહ્યા છે. તેને બોધ પમાડવા માટે ચિત્રમુનિએ કહ્યું કે, હે ભાઈ ! તમે આ શું કરો છો ? તપના ઉત્કૃષ્ટ ફળને છોડીને આવા તણખલા જેવા ફળને કેમ ઇચ્છે છે ? મોક્ષના સુખને છોડીને ક્ષણિક સુખ આપનારા ભોગફળને કેમ ઇચ્છો છો ? કાચના ટુકડા માટે રત્નનો ત્યાગ કેમ કરો છો ? દુઃખના નિદાન જેવા આ મોહના નિદાનનો કેમ ત્યાગ કરતા નથી ? એ રીતે ચિત્રમુનિએ અટકાવવા છતાં પણ સંભૂતમુનિએ તેના તપના ફળરૂપે ચક્રવર્તી થવાની જ વાંછા કરી. જેથી તે પણ ઉત્તમ જાતિમાં જન્મ પામી લલિત લલનાના વિલાસને પામે. પણ તેણે વિષયતૃષ્ણા છોડી નહીં. નિયાણા સહિત જ અનશન કર્યું.
આયુષ્ય કર્મનો ક્ષય થતા બંને મુનિઓ તે તપના અનુભાવથી સૌધર્મ દેવલોકમાં – નલિનગુલ્મવિમાનમાં વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયા. ૦ બ્રહ્મદત્ત ચક્રવર્તીનો ભવ – જન્મ અને ઉછેર :
ચિત્રમુનિનો જીવ દેવલોકથી ચ્યવને પુરિમતાલ નગરમાં એક ધનાઢ્ય વણિકનો પુત્ર થયો.
સંભૂતમુનિનો જીવ દેવલોકથી અવીને કાંપિલ્યપુરના રાજા બ્રહ્મની પત્ની (રાણી) ચુલનીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે ચૂલનીદેવીએ ચક્રવર્તીપણાના સૂચક ચૌદ સ્વપ્નો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org