SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી – બહાદત્ત કથા ૧૧૭ દૂષિત કરેલ. તેથી રાજાએ તેને ગુપ્ત રીતે મારી નાખવા માટે ભૂતદત્ત ચંડાળને સોંપ્યો. તેણે નમુચીને કહ્યું કે, જો તું મારા પુત્રોને ભોંયરામાં રહીને ગુપ્ત રીતે ભણાવ તો હું તને જીવતો રાખીશ. નમુચીએ જીવિત રહેવા માટે તે ચાંડાળનું વચન સ્વીકાર્યું. પછી તેણે ચિત્ર અને સંભૂતને વીણાવાદન આદિ વિચિત્ર કળાઓનો અભ્યાસ કરાવ્યો. કેટલેક દિવસે તે કુબુદ્ધિ માતંગપતિની પત્ની સાથે અનુરાગી થઈ રમણ કરવા લાગ્યા. તે વાત જાણીને ક્રુદ્ધ થયેલ તે ચાંડાલ નમુચીનો વધ કરવા પ્રવૃત્ત થયો. તે વાત ચિત્ર સંભૂતે જાણીને નમુચીને ત્યાંથી ભગાડી મૂક્યો. નમુચી ત્યાંથી હસ્તિનાપુર આવ્યો. ત્યાં સનસ્કુમાર ચક્રવર્તીએ તેને પ્રધાન બનાવ્યો. અહીં ચિત્ર અને સંભૂત નવયૌવનને પામ્યા. અનિંદ્ય એવું અદ્ભુત રૂપ પામ્યા. અતિ મધુર ગીત ગાવા લાગ્યા. ઉત્તમ વીણા વગાડવા લાગ્યા. તેઓ જ્યારે ગાતા અને નૃત્ય કરતા ત્યારે જગના લોકોના મનને હરી લેતા હતા. એક વખત તે નગરીમાં મદનોત્સવ પ્રવર્યો. તેથી નગરજનો સંગીતના રસિક થઈને નગરની બહાર નીકળ્યા. તે વખતે ચિત્ર અને સંભૂત પણ ગાતા ગાતા બહાર નીકળ્યા. તેમના ગીતથી આકર્ષાઈને મૃગલાની જેમ નગરજનો એકઠા થયા. તે વખતે કોઈએ રાજા પાસે આવીને કહ્યું કે, બે ચાંડાળોએ આપણા નગરજનોને ગીતથી આકર્ષીને તેમના જેવા મલિન કરી નાંખ્યા છે. તેમની વિશિષ્ટ ગીતકળાથી તરુણીવર્ગ આક્ષિપ્ત થયો છે. આસક્તિ હેતુથી તેઓએ સ્પૃશ્ય–અસ્પૃશ્યનો ભેદ ભૂંસી નાખ્યો છે. તત્કાળ રાજાએ કોટવાળને બોલાવીને હુકમ કર્યો કે, આ બંને ચાંડાળોને નગરીના કોઈપણ પ્રદેશમાં પ્રવેશવા દેવા નહીં. કોટવાળે તેમને રાજાનો હુકમ સંભળાવતા તેઓ વારાણસીથી દૂર રહેવા લાગ્યા. એક વખતે વારાણસીમાં કૌમુદી ઉત્સવ પ્રવર્યો. તેથી તે ચાંડાળોએ રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી તે નગરીમાં પ્રવેશ કર્યો. આખા અંગ પર બુરખો નાંખીને ઉત્સવને જોતાં ચોરની જેમ આખી નગરીમાં તેઓ છુપી રીતે ફરવા લાગ્યા. પછી નગરજનોના ગીત સાથે પોતાના સ્વરને મેળવીને તેઓ પણ ગીત ગાવા લાગ્યા. રાજાજ્ઞાની અવગણના કરી મનોહર ગીત ગાતા, તેમને, સાંભળીને મધ પર માખીની જેમ યુવાન નગરજનો તેને ઘેરી વળ્યા. પછી “આ બંને જણ કોણ છે ?” એવા કુતૂહલથી તેમનો બુરખો ખેંચી કાઢ્યો. “અરે ! આ તો રાજાજ્ઞાના ભંજક ચંડાળો છે.” તેમ જાણતાં જ લોકો તેમને મારવા લાગ્યા. – તેથી તુરંત જ તે બંને ત્યાંથી ભાગ્યા. ગરીબડા જેવા દેખાતા, ભયથી વિહળ અને પગેપગે સ્કૂલના પામતા. એવા તે બંને લોકોનો માર ખાઈને માંડ માંડ બહાર ગંભીર ઉદ્યાનમાં આવ્યા. ત્યાં આવીને વિચારવા લાગ્યા કે હીન જાતિથી દૂષિત એવા આપણા કળા કૌશલ્ય અને રૂ૫ વગેરેને ધિક્કાર થાઓ. આપણામાં રહેલા કળા, લાવણ્ય અને રૂપ આપણા આ શરીર સાથે એકરૂપ થઈ ગયા છે. સર્વ અનર્થનું કારણ આ શરીર જ છે. માટે તેને કોઈ પણ રીતે તૃણની જેમ ત્યજી દઈએ. સાક્ષાત્ મૃત્યુ જોવા જતા હોય તેમ બંને દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા. – ઘણે દૂર જતા એક મોટો પર્વત તેમના જોવામાં આવ્યો. તે બંને તેના પર ચડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy