SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ આગમ કથાનુયોગ-૨ શોભા-લાવણ્યથી અતિ શોભાયમાન હતો. ત્યારે તે મખલિપુત્ર ગોશાલકે તે તલના છોડને જોયો. જોઈને મને વંદન-નમસ્કાર કર્યો અને પૂછયું, હે ભગવન્ ! આ તલનો છોડ નિષ્પન્ન–પલ્લવિત થશે કે નહીં ? આ સાત તલપુષ્પોના જીવ મરીને કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? ત્યારે હે ગૌતમ ! મેં ગોશાલક મંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું, હે ગોશાલ! આ તલનો છોડ નિષ્પન્ન થશે. અનિષ્પન્ન થશે નહીં. આ સાત તલના પુષ્પ જીવો મરીને આ તલના છોડમાં એક તલની ફલીમાં સાત તલના રૂપમાં ઉત્પન્ન થશે. ત્યારે તે મંખલિપુત્ર ગોશાલે મારા દ્વારા કહેવાયેલ વચન પર શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રૂચિ ન કરી. પરંતુ તે વાત પર અશ્રદ્ધા, અપ્રતીતિ અને અરુચિ કરતા – “મારા નિમિત્તે આ મિથ્યાવાદી થાય' એવું વિચારી મારી પાસેથી ધીરે ધીરે સરકીને પાછળ ગયો. પાછળ જઈને જ્યાં તે તલનો છોડ હતો, ત્યાં પહોંચ્યો. પહોંચીને તે તલના છોડને માટી સહિત મૂળથી ઉખેડી નાંખ્યો. ઉખેડીને એકાંતમાં કોઈ ખૂણામાં ફેંકી દીધો. સમયે હે ગૌતમ ! તત્કાલ ઉપર આકાશમાં દિવ્ય મેઘવાળા વાદળો પ્રગટ થયા. તે દિવ્ય વાદળો તુરંત જ ગરજવા લાગ્યા. તુરંત જ વીજળી ચમકવા લાગી અને જલ્દીથી અધિક કીચડ કે અધિક પાણી ન થાય તે રીતે રિમઝીમ–રિમઝીમ નાના–નાના બુંદ સહિત અને રજ તથા ધૂળને શાંત કરનારી દિવ્ય જળની વૃષ્ટિના રૂપમાં વરસવા લાગ્યા. જેનાથી તે તલનો છોડ ત્યાંજ સ્થિર થઈ ગયો. વિશેષ રૂપે સ્થિર થઈ ગયો અને બદ્ધમૂલ થઈને ત્યાંજ પ્રતિષ્ઠિત થઈ ગયો. તથા તે સાત તલપુષ્પના જીવ મરીને તે જ તલના છોડમાં એક તલની ફળીમાં સાત તલના રૂપે ઉત્પન્ન થયા. (ઉક્ત અભિપ્રાય ભગવતીજીનો છે. આવશ્યક વૃત્તિ તથા પૂર્ણિમાં જણાવ્યા પ્રમાણે – ત્યાં નિકટમાં રહેલા વ્યંતરોએ વિચાર્યું કે, “ભગવંત મૃષાવાદી ન થાઓ" તે માટે તેમણે જ દિવ્ય વાદળો વિફર્ચા, વરસાદ વરસાવ્યો. છોડ સ્થિર કર્યો. પછી ગાય આવી, તેણીએ પગની ખરી વડે છોડને જમીનમાં ઉતારી દીધો. પ્રતિષ્ઠિત કર્યો. પુષ્પો પણ થયા. ત્યાર પછી તે ગૌતમ ! હું મખલિપુત્ર ગોશાલકની સાથે જ્યાં કૂર્મગ્રામ નગર હતું ત્યાં આવ્યો. તે કૂર્મગ્રામ નગરની બહાર વૈશ્યાયન નામે એક બાલતપસ્વી આતાપના લેતો હતો, તે તપસ્વી નિરંતર છઠના પારણે છઠ તપકર્મ કરતો હતો. બંને ભૂજાને ઉપર તરફ રાખી, સૂર્ય તરફ મુખ કરી આતાપના ભૂમિમાં આતાપના લેતો વિચરતો હતો. સૂર્યના તાપથી તેની જટામાં રહેલી જૂઓ ચારે તરફથી નીકળતી હતી – નીચે પડતી હતી. તે તપસ્વી પ્રાણ, ભૂત, જીવ અને સત્વની દયા કરીને, જીવ રક્ષાર્થે તે પડેલી જૂઓને પુનઃ પુનઃ ઉપાડીને માથામાં પાછી રાખતો હતો. ત્યારે તે પંખલિપુત્ર ગોશાળાએ તે વૈશ્યાયન બાલ તપસ્વીને જોયા, જોઈને મારી પાસેથી ખસતો–ખસતો પાછળ ગયો. જઈને જ્યાં તે બાલ તપસ્વી વૈશ્યાયન હતા, ત્યાં પહોંચ્યા. પહોંચીને વૈશ્યાયન બાલતપસ્વીને આ પ્રમાણે કહ્યું, શું તમે તત્વજ્ઞ મુનિ છો ? કે પછી જૂઓના શય્યાતર છો – ખાણ કે ભંડાર છો ? અથવા સ્ત્રી છો કે પુરૂષ છો ? ત્યારે તે વૈશ્યાયન બાલતપસ્વીએ મખલિપુત્ર ગોશાલકની તે વાતનો આદર ન કર્યો, ધ્યાન, ન આપ્યું પણ મૌન રહ્યા. ત્યાર પછી ગોશાળાએ તે વૈશ્યાયન બાલતપસ્વીને ફરીથી બીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy