________________
૨૮૦
આગમ કથાનુયોગ-૨
પરસ્પર આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! આ વાલ્મીકનું પહેલું શિખર તોડવાથી આપણને ઉત્તમ ઉદકરત્ન (પાણી)ની પ્રાપ્તિ થઈ, તે વલ્મીકનું બીજું શિખર તોડવાથી આપણે ઉત્તમ સુવર્ણરત્નની પ્રાપ્તિ થઈ. તેથી હવે હે દેવાનુપ્રિયો ! હવે આપણે આ વલ્મીકના ત્રીજા શિખરને તોડવું શ્રેયસ્કર થશે – ઉચિત લાગે છે. કદાચ તેમાંથી શ્રેષ્ઠ– ઉત્તમ મણિરત્નોની પ્રાપ્તિ થઈ જાય.
ત્યારપછી તે વ્યાપારિયોએ પરસ્પર એકબીજાના આ વિચારનો સ્વીકાર કરીને નિર્ણય કર્યો. તે વાલ્મીકના ત્રીજા શિખરનું પણ ભેદન કર્યું તે તોડવાથી તેમને ત્યાંથી વિમલ, નિર્મલ, અનિવૃત્ત, નિષ્કલ (દોષરહિત) મહાઅર્થવાળા, મહામૂલ્યવાળા, મહાપુરુષોને યોગ્ય એવા ઉત્તમ પ્રકારના મણિરત્નોની પ્રાપ્તિ થઈ.
ત્યારે હર્ષિત અને સંતુષ્ટ થયેલા તે વ્યાપારિઓએ પોતાના વાસણો ભર્યા, ભરીને ગાડાં ગાડી ભર્યા. એ રીતે ઉદકરત્ન, સુવર્ણ રત્ન અને મણિરત્નોની પ્રાપ્તિ પછી ફરી ચોથી વખત પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! વાત આ પ્રમાણે છે કે, આ વર્ભીકના પ્રથમ શિખર ભેદન કરવાથી ઉત્તમ ઉદક રત્નની પ્રાપ્તિ થઈ, પછી બીજું શિખર ભેદવાથી ઉત્તમ સુવર્ણરત્નની પ્રાપ્તિ થઈ ત્રીજું શિખર ભેદન કરવાથી સર્વશ્રેષ્ઠ મણિરત્નની પ્રાપ્તિ થઈ. તેથી હવે આપણા માટે એ ઉચિત થશે કે, હે દેવાનુપ્રિયો! આ વર્ભીકના ચોથા શિખરનું પણ આપણે ભેદન કરવું જોઈએ. શક્ય છે કે, કદાચ તેને તોડવાથી આપણને ઉત્તમ મહામૂલ્યવાન, મહાપુરુષોને યોગ્ય એવા સર્વશ્રેષ્ઠ વજરત્નની કદાચ પ્રાપ્તિ થઈ જાય.
ત્યારપછી તે વ્યાપારીઓમાં એક વણિક સર્વના હિતની કામનાવાળો, સુખની કામનાવાળો, પથ્યની કામનાવાળો, અનુકંપક, નિઃશ્રેયસિક એવા હિત, સુખ અને કલ્યાણની કામનાવાળો હતો. તે વણિકે બીજા સર્વ વણિકોને આ પ્રમાણે કહ્યું, એ પ્રમાણે છે દેવાનુપ્રિયો ! ખરેખર, આ વાલ્મીકના પહેલા શિખરનું ભેદન કરવાથી આપણે શ્રેષ્ઠ ઉદકરત્ન (પાણી) પ્રાપ્ત થયેલ છે, તે વલ્મીકના બીજા શિખરનું ભેદન કરવાથી આપણને ઉત્તમ સુવર્ણરત્નની પ્રાપ્તિ થઈ, તે વલ્મીકનું ત્રીજું શિખર તોડવાથી આપણને સર્વશ્રેષ્ઠ મણિરત્નની પ્રાપ્તિ થયેલી છે. તેથી હવે બસ કરો, આપણે માટે જેટલું પ્રાપ્ત થયું છે તે જ પર્યાપ્ત છે - ઘણું છે. હવે તમે આ વાલ્મીકના ચોથા શિખરનું ભેદન કરવાનો વિચાર છોડી દ્યો. તેનું ભેદન ન કરો. સંભવ છે કે, તે ચોથા શિખરનું ભેદન કરવાનું આપણને માટે ઉપસર્ગકારક – ઉપદ્રવકારી પણ થઈ શકે છે.
ત્યારે તે બાકીના વણિકોને તે હિતકામી, સુખકામી, પથ્યકામી, અનુકંપક, નિઃશ્રેયસકારી એવા હિત–સુખ અને કલ્યાણકારી વણિક દ્વારા આ પ્રમાણે કહેવાયા છતાં - યાવત્ – પ્રરૂપણા કરાયા છતાં પણ તેઓએ એ વાતની શ્રદ્ધા કરી નહીં, પ્રતીતિ કરી નહીં, કે તે કથન પરત્વે કોઈ રુચિ દેખાડી નહીં. પરંતુ તેથી વિપરિત તે કથનની શ્રદ્ધા ન કરતા એવા, પ્રતીતિ ન કરતા એવા, રુચિ ન કરતા એવા તેઓએ તે વલ્મીકના ચોથા શિખરનું પણ ભેદન કરી દીધું – તોડી નાંખ્યું.
ત્યારે તે વલ્મીકનું ચોથું શિખર તુટવાથી, તેમાંથી ઉગ્ર વિષવાળો, પ્રચંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org