SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ગોશાલક કથા ૨૭૯ અગમ્ય, આર-પારરહિત લાંબા રસ્તાવાળી અટવીના એક ભાગમાં આવ્યા ત્યાં તો પહેલા સાથે લાવેલ પાણી પીવાતા–પીવાતા સમાપ્ત થઈ ગયું છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે પાણીની માર્ગણાં–ગવેષણા કરવી ઉચિત છે એમ કહીને પરસ્પર એકબીજાએ આ વિચારનો સ્વીકાર કર્યો. તે નિર્જન, અગમ્ય, આરપારરહિત, લાંબા રસ્તાવાળી અટવીમાં ચારે તરફ પાણીની માર્ગણા–ગવેષણા કરી, ચારે તરફ માર્ગણા–ગવેષણા કરતા કરતા શ્યામલ શ્યામલ આભાસવાળા – યાવત્ – ત્યાં મેઘોના સમૂહ રૂપ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ એક વિશાળ વનખંડને જોવામાં આવ્યું. તે વનખંડના અતિ મધ્ય દેશાભાગમાં એક વિશાળ વલ્મીક જોવામાં આવી. તે વાલ્મીકની ઉપર ઊંચે બેસીને તિછું, વિસ્તીર્ણ, નીચે અર્ધ સર્પની સમાન વિસ્તીર્ણ અને ઉપર સંકુચિત, અર્ધસર્પની આકૃતિવાળા, પ્રસન્નતા ઉત્પન્ન કરનારા – પ્રાસાદીય, જોવામાં યોગ્ય દર્શનીય, (મનોહર), અભિરૂપ અને પ્રતિરૂપ (સુંદર) ચાર શિખર હતા. તે વાલ્મીકને જોઈને તે વ્યાપારી હર્ષિત અને સંતુષ્ટ થયા. પછી પરસ્પર એકબીજાને બોલાવ્યા બોલાવીને પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આપણે આ નિર્જન, અગમ્ય, આરપાર વગરની, લાંબી અટવીમાં ચારે તરફ પાણીની માર્ગણા–ગવેષણા કરતાં કરતાં આ શ્યામલ અને શ્યામ આભાવાળા વનખંડને જોયું – પ્રાપ્ત કર્યું છે. આ વનખંડની વચ્ચોવચ્ચ આ વલ્મીકને જોયું છે. આ વર્ભીકની ઉપર ઊંચે ઉઠેલા, તિછ, વિસ્તીર્ણ નીચે અર્ધ સર્પની સમાન વિસ્તીર્ણ અને ઉપરથી સંકુચિત, અર્ધ સર્પની આકૃતિવાળા, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ–મનોહર એવા ચાર શિખર છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે આ વલ્મીકના પહેલા શિખરને તોડવું શ્રેયસ્કર છે. સંભવ છે કે, તેનાથી આપણને ઉત્તમ ઉદકરત્ન (પાણી) મળી શકશે. ત્યારે તે વણિકોએ પરસ્પર એકબીજાની આ વાતને સ્વીકાર કરીને તે વલ્મીકના પહેલા શિખરને તોડ્યું. જેનાથી તેઓને સ્વચ્છ, પથ્યકારી, સ્વાભાવિક, હલકું, સ્ફટિક મણિની સમાન વર્ણ પ્રભાવાળું ઉત્તમ ઉદકરત્ન (પાણી) પ્રાપ્ત થયું. ત્યારપછી તે વણિકોએ હર્ષિત અને સંતુષ્ટ થઈને પાણી પીધું, પીને પોતાના વાહનો – બળદ આદિને તે પાણી પીવડાવ્યું, પીવડાવીને વાસણોમાં પાણી ભર્યું. પાણી ભરીને બીજી વખત પરસ્પર એકબીજાને કહ્યું, હે દેવાનુપ્રિયો! આ વાલ્મીકનું પહેલું શિખર તોડવાથી આપણે આ ઉત્તમ ઉદકરત્ન (પાણી) પ્રાપ્ત કરેલું છે. તેથી હે દેવાનુપ્રિયો ! હવે આપણે આ વર્ભીકના બીજા શિખરનું પણ ભેદન કરવું શ્રેયસ્કર રહેશે – ઉચિત થશે. સંભવ છે કે તેમાંથી સર્વોત્તમ સ્વર્ણરત્ન પ્રાપ્ત થઈ જાય. ત્યારપછી તે વણિકોએ પરસ્પર એકબીજાના આ વિચારને સાંભળ્યો, સ્વીકાર કર્યો અને સ્વીકાર કરીને તે વાલ્મીકના બીજા શિખરને પણ તોડ્યું. ત્યારે તેઓએ ત્યાં સ્વચ્છ, અકૃત્રિમ, તપનીય, મહા અર્થવાળા, મૂલ્યવાનું, મહાપુરુષોને યોગ્ય એવા ઉત્તમ સુવર્ણ રત્નને પ્રાપ્ત કર્યું. ત્યારપછી હર્ષિત-સંતુષ્ટ થયેલા તે વણિકોએ તે સુવર્ણને પાત્રોમાં ભર્યુ, પાત્રોમાં ભરીને વાહનો – ગાડાં, ગાડી ભરી દીધાં, ભરીને પછી ત્રીજી વખત પણ એકબીજાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy