SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ આગમ કથાનુયોગ-૨ પક્ષનો કદાગ્રહ છોડીને પરમાત્માના સિદ્ધાંતને અંગીકાર કર્યો. તેથી તે શ્રાવકોએ પણ તેમને હર્ષપૂર્વક ખમાવીને વંદન કર્યું અને પોતાનું સમકિત પણ નિર્મળ કર્યું. ૦ આગમ સંદર્ભ :ઠા. ૬૮૮, ૬૮૯ + 9. ઉવ. ૫૧ની . નિસીભા પપ૯૬, ૫૬૦૪, -પ૬૧૪, ૫૬૧૮, પ૬રર થી પ૬૨૪, આવ.નિ. ૭૭૮ થી ૭૮૮; આવ.ભા. ૧૩૧, ૧૩ર + વૃક્ષ આવ યૂ.૧–પૃ. ૪૨૨, ૪ર૩; ઉત્ત.નિ ૧૬૫, ૧૭૦ + ; ઉત્ત.અધ્ય. ૩-ભાવ. (૫) નિલવ ગંગાચાર્ય | ગંગેચ કથા - –૦- પરીચય : ભગવંત મહાવીરના શાસનમાં પાંચમાં નિલવ ગંગ નામે આચાર્ય થયા, તેનું ગંગેય નામ પણ આવે છે. તેમણે “તિક્રિયા–બેક્રિયા” નામે મત કાઢેલો. આ નિલવ મત તેમણે ઉલૂકાતીરે સ્થાપિત કર્યો હતો. ભગવંત મહાવીરના નિર્વાણ પછી ૨૨૮ વર્ષે એક સમયે બે ઉપયોગની વાત કરનાર આ નિલવ થયેલા. જો કે પછીથી તેણે પોતાના મતનો ત્યાગ કરેલો અને ભગવંત મહાવીર પ્રરૂપિત સિદ્ધાંતને અંગીકાર કરેલ હતા. મૂળભૂત તેઓ સમ્યક્દષ્ટિવાળા હતા અને નિત્ય પચ્ચક્ખાણાદિ યુક્ત હતા. શેષ જમાલિ મુજબ જાણવું. ૦ ગંગાચાર્ય કથા : ઉલુકા નામે નદી હતી. તેના કાંઠે ઉલ્લકાતીર નગર હતું, બીજા કાંઠે ખેટકસ્થામ હતું. ત્યાં મહાગિરિ નામના આચાર્યના શિષ્ય ધનગુપ્ત અને તેના શિષ્ય ગંગ નામના આચાર્ય હતા. કોઈ વખતે ગંગાચાર્ય ઉલુકા નદીના પૂર્વ કાંઠે અને તેમના ગુરુ ધનગુપ્તાચાર્ય નદીના પશ્ચિમ કાંઠે ચાતુર્માસ રહેલા. એક વખત શરદઋતુમાં ગંગાચાર્ય પોતાના ગુરુને વંદન કરવા માટે ઉલૂકા નદી પાર કરતા હતા. તે વખતે સૂર્યના કિરણોથી તેમનું મસ્તક દાઝવા લાગ્યું, પગ શીતળ પાણીના સ્પર્શથી શીતળતા અનુભવતા હતા. તે વખતે પૂર્વકૃત્ મોહનીયના ઉદયથી તે એવું ચિંતવવા લાગ્યા કે, સિદ્ધાંતમાં એ પ્રમાણે કહ્યું છે કે, એક સમયે એક જ ક્રિયાનું વેદના થાય, બે ક્રિયાનો અનુભવ ન થાય. જીવ કાં તો શીત ક્રિયાને વેદે અથવા ઉષ્ણ ક્રિયાનું વેદન કરે છે. પણ મને તો અત્યારે એક સાથે બે ક્રિયાનો અનુભવ થાય છે – શીત અને ઉષ્ણ. તે બંને ક્રિયાનું વદન હું એક જ સમયે કરી રહ્યો છું. માટે આગમનું એ વચન યથાર્થ લાગતું નથી. પોતાની આવી શંકા સાથે તેઓ ગુરુ ભગવંત પાસે આવ્યા. તેમણે ગુરુ ભગવંતને પોતાના સંશયનું નિવેદન કર્યું. તે સાંભળીને આચાર્ય ભગવંતે કહ્યું કે, તું આવી પ્રજ્ઞાપના કરીશ નહીં, કેમકે એક સમયે બે ક્રિયાઓનું વેદના થઈ શકે નહીં. શીતસ્પર્શ કે ઉષ્ણસ્પર્શ કે ઉભયસ્પર્શ સાથે થઈ શકે ખરો, પણ તેનું વેદન એક સાથે થઈ શકે નહીં. હે વત્સ ! છાયા અને આતપ જેમ સમકાળે ન હોય તેમ એક કાળે બે ક્રિયાનો અનુભવ અન્યોન્ય વિરુદ્ધ હોવાથી થઈ શકે જ નહીં જે વેદના થાય છે તે અનુક્રમે જ થાય છે. કેમકે જીવને એક સમયે એક જ ઉપયોગ હોય છે. (આ રીતે અનેક યુક્તિ-પ્રયુક્તિથી ગંગાચાર્યને સમજાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy