________________
નિર્હાવ – અશ્ચમિત્ર કથા
વ્યય અને ધ્રૌવ્યરૂપ હોવાથી અનેક પર્યાયવાળી છે. ભુવન, વિમાન, દ્વીપ, સમુદ્ર વગેરે સર્વ વસ્તુ નિત્યાનિત્યપણાથી વિચિત્ર પરિણામી અને અનેક સ્વરૂપી છે. એમ જિનેશ્વર પરમાત્માએ કહેલું છે. વળી સૂત્રમાં ભગવંતે કોઈ સ્થાને કોઈ વાત વ્યવહારનયને આશ્રિને કહી છે, તો કોઈ સ્થાને નિશ્ચયનયને આશ્રિને કહેલી છે અને કોઈ સ્થાને તે બંને ઉભયનયને આશ્રિને કહેલી હોય છે. તે સર્વ યથાર્થ બુદ્ધિથી સ્વીકારવું, પણ જિનેશ્વરના વચનમાં પોતાના મતની કલ્પના કરવી નહીં.
હે શિષ્ય ! જો તું એકલા પર્યાયનયને જ અંગીકાર કરીશ તો – સુખ, દુઃખ, બંધ, મોક્ષ વગેરે કંઈ પણ ઘટશે નહીં અને માત્ર દ્રવ્યાર્થિક નયનો આશ્રય કરીએ તો પણ સુખદુઃખાદિ કંઈ ઘટે નહીં. કેમકે દ્રવ્યાર્થિક સર્વ વસ્તુ એકાંતે નિત્ય હોવાથી સર્વ વસ્તુ આકાશ માફક અવિચળ થશે. તેથી તેની વિચિત્રતા ઘટી નહીં શકે. માટે બંને પક્ષને સ્વીકારવાથી જ સર્વ વાત ઘટાવી શકાશે. વળી એકાંત પક્ષ તો અનેક દોષોથી ભરપૂર હોવાથી ત્યાગ કરવા જ લાયક છે.
૨૩૯
આ પ્રમાણે અનેક યુક્તિઓથી તેને સમજાવ્યા તો પણ જ્યારે તે સમજ્યો નહીં, ત્યારે તેને નિહ્નવ જાણીને ગચ્છ બહાર કરવામાં આવ્યા. પછી તે પોતાના મતમાં વ્યુાહિત થયેલા સાધુઓ સહ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યો. એ રીતે વિચરતા તે એકદા રાજગૃહી નગરે ગયો. વિહારમાં તે બધે ‘સમુચ્છેદ'' મતની વ્યાખ્યા કરતો જતો હતો. જ્યાં કોઈ લોકો ન હોય ત્યાં અસદ્ભાવનાથી પોતાના આત્માને ભાવિત કરતો હતો. ત્યાં ખંડરક્ષા કરનારા આરક્ષકો શ્રમણોપાસક હતા. તેઓ જકાત-કર ઉઘરાવતા હતા. તેઓએ નિહ્નવોને આવેલા જાણ્યા. તે શ્રાવકો તેમને મારવા લાગ્યા. કેમકે શ્રાવકો વિચારતા હતા કે આ નિહ્નવોને કઠોર કર્મથી બોધ પમાડવો જરૂરી છે.
તે સાધુઓ ભયભીત થઈ ગયા અને કહ્યું કે, અમે તો લોકોમાં એમ સાંભળેલ છે કે, તમે ‘‘શ્રાવકો છો’’ તો પછી અમને સાધુઓને કેમ મારો છો ? અસંયત થઈને સંયતને મારો છો ? તે સાંભળી શ્રાવકોએ તેમને કહ્યું કે, તમારા સમુચ્છેદ મત પ્રમાણ જેઓએ વ્રત ગ્રહણ કર્યું છે તે સર્વે નાશ પામ્યા છે અને તમે તો વળી બીજા જ ઉત્પન્ન થયા છો. તમે ચોર કે લુંટારા જે હો તે તો તમારા મતે સ્વયં વિનશ્વર જ છે. તમારો વિનાશ કોણ કરી શકે ? તમે તો પ્રતિક્ષણ નાશ પામનારા છો, તેથી માર ખાનાર બીજા કોઈક છે અને વિનાશ પામનારા બીજા કોઈક છે. તેમજ તમારા મત પ્રમાણે અમે પણ કોઈ બીજા જ છીએ, શ્રાવક નથી. તેથી તમે અમને શ્રાવક કેમ કહો છો ? પરંતુ જો તમે જિનેશ્વરના ઉત્તમ સિદ્ધાંત–આગમને પ્રમાણ માનતા હો તો અમે પણ તમને તેવા જ ઉત્તમ સાધુ માનીને શ્રદ્ધા રાખીએ અને તમને મારીએ નહીં.
જિનેશ્વર ભગવંતના સિદ્ધાંત મુજબ તો કાળ આદિની સામગ્રીથી એક જ વસ્તુ એક સમયે પ્રથમ સમયપણે નાશ પામે છે, પણ બીજા સમયપણે ઉત્પન્ન થાય છે. વળી ત્રીજા સમયે બીજા સમયપણાને છોડીને ત્રીજા સમયવાળી થાય છે. એ રીતે ચોથા– પાંચમા સમયે — યાવત્ – સમજી લેવું. આ અભિપ્રાયથી જ નારકી વગેરે જીવોને ક્ષણિક કહેલા છે. આ પ્રમાણે તે સાધુઓ પ્રતિબોધ પામ્યા અને પોતાના સમુચ્છેદ મતનો—ક્ષણિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org