________________
પ્રત્યેકબુદ્ધ કથા
૩૧૫
પાર્શ્વનાથ તીર્થવર્તી એવા પંદર પ્રત્યેક બુદ્ધ અને વર્ધમાનસ્વામી તીર્થવર્તી એવા દશ પ્રત્યેક બુદ્ધ એ પ્રમાણે પીસ્તાળીશ પ્રત્યેક બુદ્ધ ગ્રહણ કરવા – તે પ્રમાણે જણાવેલ છે.
મહત્ત્વની વાત તો એ છે કે, પ્રસિદ્ધ કરકંડુ આદિ ચાર પ્રત્યેક બુદ્ધ તો ઉપરોક્ત પીસ્તાળીશ પ્રત્યેક બુદ્ધો કરતા અતિરિક્ત જ છે. એ રીતે આપણને પીસ્તાળીશ અને બીજા ચાર એમ ઓગણપચાશ પ્રત્યેક બુદ્ધોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, તદુપરાંત ઉપરોક્ત પીસ્તાળીશ પ્રત્યેક બુદ્ધ (કે જેનો નામ નિર્દેશ આગળ ઉપર કરવાનો જ છે) તેમાં વર્તતા એવા વાત્રક, વલ્કલગીરી, ઇન્દ્રનાગ આદિનો પ્રત્યેક બુદ્ધરૂપે ઉલ્લેખ તથા કથા સાવ સૂત્રમાં પણ પ્રાપ્ત થાય છે.
તદુપરાંત ઋષિભાષિત કથિત પીસ્તાળીશ અને ઉત્તરાધ્યયન પ્રસિદ્ધ ચાર પ્રત્યેક બુદ્ધ ઉપરાંત ધર્મરુચિ, રુદ્રક, ગંધર્વનાગદત્ત આદિનો પ્રત્યેક બુદ્ધ તરીકેનો ઉલ્લેખ તથા કથા પણ આવશ્યક વૃત્તિમાં જોવા મળેલ છે. ઉત્તનિ. ૪૪૯માંરથનેમિ અને સત્યનેમિને પણ પ્રત્યેક બુદ્ધ કહ્યા છે. એ રીતે અનેક પ્રત્યેક બુદ્ધોનો ઉલ્લેખ મળે છે. આવશ્યક નિર્યુક્તિ ૧૧૫૧ની વૃત્તિમાં તો ભરતને પણ પ્રત્યેક બુદ્ધ ગણાવેલ છે.
૦ આગમ સંદર્ભ :આયLચૂપૃ. ૨૨, ૧૩૪;
સૂય.યૂ.પૂ. ૧૨૦;
ઠા. ૫૧ની વૃ; સમ, ૨૨૬; ભગ. ૯૦૮;
જીવા. છે; પત્ર. ૧૬-4, વવ.ભા. ૪૬૬૮ + વ આવ.નિ. ૧૧૫૧ + ; આવ.નિ. ૧૨૭૦ની વૃ; આવ.યૂ. ૧–પૂ. ૭૫, ૭૬; –ર–પૃ. ૨૦૪ થી ૨૦૮;
ઓહ.નિ. ૧૯૭; પિંડ.નિ. ૧૬૯, ૧૭૩, ૧૭૪, ૧૮૦ ની વ. ઉત્ત. ૬૦૫; ઉત્ત. ૬૦૪ ની વ નંદી. ૮૭, ૧૩૭ + વૃ;
નંદી ચૂપૃ. ૨૬;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org