________________
૩૧૬
આગમ કથાનુયોગ-૨
૧. પ્રત્યેક બુદ્ધ કરકંડ કથા :
(ચાર પ્રત્યેક બુદ્ધો એક જ સાથે સ્વર્ગમાંથી ચવ્યા, સમકાળે જ પ્રવ્રુજિત થયા, કેવળજ્ઞાન ઉત્પત્તિ પણ સમકાળે થઈ અને મોક્ષે પણ સમકાળે ગયા – કલિંગમાં કરકં પાંચાલમાં દ્વિમુખ, વિદેડમાં નમીરાજા અને ગાંધામાં નગ્નતિ)
અંગદેશમાં ચંપાનગરી હતી, ત્યાં દધિવાહન રાજા હતો. ચેટક રાજાની પુત્રી પદ્માવતી તેની (પત્ની) રાણી હતી. તે એક વખત ગર્ભિણી થઈ, ત્યારે ગર્ભના પ્રભાવથી તેને એવો દોહદ (ઇચ્છા) થઈ કે, કઈ રીતે હું રાજાનો વેષ ધારણ કરીને, રાજાએ જેને માથે છત્ર ધારણ કરેલ હોય એવી, પટ્ટહતિ પર બેસીને ઉદ્યાનમાં વિચરું? તે દોહદ પૂર્ણ નહીં થવાથી, પ્રતિદિન તેનું શરીર કૃશ થવા લાગ્યું, તે ક્ષીણ શરીરવાળી થઈ. રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે રાણીએ પોતાના દોહદની વાત કરી. તેથી રાજાએ તેનો દોહદ પૂર્ણ કરવા માટે તેણીની સાથે જ હસ્તિ પર આરૂઢ થયો. રાણીના મસ્તક પર રાજાએ પોતાના હાથે જ છત્ર ધારણ કર્યું અને તેઓ વનમાં ગયા.
તે વખતે પ્રથમ વર્ષા થયેલી. પ્રથમ વર્ષાને કારણે શીતળ થયેલી માટીની મહેક પ્રગટ થઈ, તે સુગંધથી મદોન્મત્ત થયેલો હાથી વન તરફ દોડ્યો. રાજાએ તેને અંકુશ વગેરેથી ઘણો નિવાર્યો, પણ તે અટક્યો નહીં. રાજા અને રાણીને લઈને તે અટવીમાં પ્રવેશ્યો, ત્યારે રાજાએ દૂર એક વટવૃક્ષ જોયું. ત્યારે રાજાએ રાણીને કહ્યું, હે પ્રિયા ! દૂર પેલું વટવૃક્ષ દેખાય છે. તેની નીચેથી આ હાથી નીકળશે, તે વખતે તું તે વટની શાખા મજબૂત રીતે પકડી લેજે, હું પણ પકડી લઈશ, પછી હાથીને જવા દઈશું, આપણે નગર તરફ જઈશું. તેણીએ પણ એ વાત કબૂલ રાખી.
પછી જ્યારે હાથી વડની નીચેથી નીકળ્યો, ત્યારે રાજા તો દક્ષ હતો, તેથી તેણે તત્કાળ તેની શાખા પકડી લીધી. પણ રાણી તેની શાખા પકડી શકી નહીં. રાજા નીચે ઉતર્યો. પ્રિયાનો વિયોગ થવાથી તે આનંદરહિત થઈ ગયો. વિલાપ કરતો પાછો વળીને હાથીનાં પગલાંને અનુસરતો ચંપાનગરીમાં ગયો. રાણી મનુષ્યરહિત એવી અટવીમાં પહોંચી ગઈ. હાથી ચાલતાં-ચાલતાં અતિ તૃષાતુર થયો. ત્યાં તેણે એક મોટું સરોવર જોયું. હાથી તે સરોવરમાં ઉતરીને રમણ કરવા લાગ્યો. રાણી પર અવસર જાણીને તેના પરથી ઉતરી તળાવના કાંઠે આવી ગઈ. રાણીએ વિચાર્યું કે, પૂર્વના અશુભ કર્મને લીધે આ આપત્તિ આવી પડી છે, રૂદન કરવાથી તો ઉલટો કર્મનો બંધ થશે, તેના કરતા હું ભક્ત પ્રત્યાખ્યાન કરી આ અટવી પાર કરી દઉં.
રાણી પદ્માવતી દિશા જાણતી ન હતી. તેથી તેણીએ એક દિશા પકડી સાગારી ભક્ત પ્રત્યાખ્યાન અંગીકાર કર્યું. તેણી ચાલવા લાગી, થોડે દૂર ગઈ, ત્યાં એક તાપસને જોયો. તે તાપસે તેના પાસે જઈને પૂછયું કે, હે માતા ! તમે કોણ છો ? અહીં કઈ રીતે આવ્યા છો ? ત્યારે તેણીએ કહ્યું કે, હું ચેટક રાજાની પુત્રી છું. એમ કહીને હાથી તેણીને અહીં સુધી કઈ રીતે લાવ્યો તે પોતાનું સર્વ વૃત્તાંત જણાવ્યું. તે તાપસ ચેટક રાજાનો નિજક-સ્વજન હતો. તેણે પદ્માવતી રાણીને આશ્વાસન આપ્યું. તું ડરીશ નહીં, હું ચેટક રાજાનો સ્વજન જ છું. પછી તેણીને વનના ફળો લાવીને આપ્યા. ત્યાં તેણીને રાખી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org