________________
પ્રત્યેકબુદ્ધ – કરકંડ કથા
૩૧૭
કેટલાંક દિવસ પછી તેણીને અટવીથી બહાર લઈ ગયો. પછી તાપસ એક સ્થાને પહોંચીને બોલ્યો કે, અહીં અમારી ભૂમિ પૂરી થાય છે. આગળ હળકૃષ્ણા ભૂમિ છે. અમને તેનું અતિક્રમણ કરવું કલ્પતું નથી. હવે દંતપુરની હદ શરૂ થાય છે, ત્યાં દંતચક્ર રાજા છે. પદ્માવતી રાણી પછી તે અટવીમાંથી નીકળી ગયા. દંતપુર નગરમાં આવ્યા. ત્યાં સાધ્વીઓની પાસે પહોંચી, કામભોગથી નિર્વેદ પામીને તેણી સાથ્વીને વંદના કરીને ત્યાં બેઠી. ત્યારે સાધ્વીએ પૂછયું કે, હે શ્રાવિકા ! તું ક્યાંથી આવી છે ? ત્યારે રાણીએ દીક્ષા લેવાની ઇચ્છાથી એક ગર્ભ સિવાયની બધી હકીકત જણાવી. સાધ્વીજીએ તેને સંસારની અસારતા સમજાવી. વિરક્ત થયેલી તેણીએ દીક્ષા ગ્રહણ કરી.
ત્યારપછી તેનો ગર્ભ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો, ત્યારે તેણીએ મહત્તરિકા (મુખ્ય સાધ્વીજી) પાસે જઈને સર્વ આલોચના કરી અર્થાત્ સત્ય વાત કહી સંભળાવી. સાધ્વીઓ તેણીને ગુપ્ત સ્થાને લઈ ગયા. ગર્ભ સમય પૂર્ણ થતાં તેણીએ શય્યાતરને ત્યાં એક પુત્રરત્નનો જન્મ આપ્યો. પછી તે પુત્રને તેના પિતાના નામવાળી મુદ્રિકા પહેરાવી, રત્નકંબલમાં વીંટીને શ્મશાનમાં મૂકી દીધો. પછી તેણી તે પુત્રને કોણ લઈ જાય છે તે જોવા છૂપાઈને ઊભા રહ્યા. તેવામાં તે મશાનનો ચાંડાલ આવ્યો. તેણે તે પુત્રને ગ્રહણ કર્યો અને પોતાની પત્નીને તે પુત્ર આપ્યો. તે ચાંડાલની પાછળ જઈ, તેનું ઘર જોઈ અને પદ્માવતી ઉપાશ્રયે પાછા આવ્યા. ચાંડાળે તેનું અવકીર્ણક એ પ્રમાણે નામ રાખ્યું.
પદ્માવતી સાધ્વીએ તે ચાંડાલણી સાથે મૈત્રી બાંધી. જ્યારે તેણીને અન્ય સાધ્વીઓ દ્વારા પૂછવામાં આવ્યું કે, તારા ગર્ભનું શું થયું? ત્યારે પદ્માવતી સાધ્વીએ કહ્યું કે, મારો ગર્ભ મૃતપણે જમ્યો હોવાથી મેં તેનો ત્યાગ કર્યો. તે બાળક ચાંડાલને ત્યાં મોટો થવા લાગ્યો. પદ્માવતી આર્યા મોહથી તેના ઘેર જઈ લાડુ વગેરે આપી તેને લાગુ લડાવતા હતા. તે પુત્રના જન્મથી જ તેના શરીરમાં કંડુ એટલે ખરજનો રોગ હતો. એક વખત તે બાળક અન્ય બાળકો સાથે રમતા રમતા બોલ્યો કે, હું તમારો રાજા છું. તમે મને કર આપો. ત્યારે બાળકોએ પૂછયું કે, અમે શું આપીએ ? તેણે કહ્યું કે, તમે તમારા હાથથી (કર વડે) મને ખૂબ જ ખજવાળો. તેથી હું પ્રસન્ન થઈશ. બાળકો તેને ખંજવાળતા એવા તેને કરકંડુ કહેવા લાગ્યા. એ રીતે અવકીર્ણકનું બીજું નામ કરઠંડુ થયું. અનુક્રમે તે પુત્ર યુવાવસ્થા પામ્યો અને શ્મશાનની રક્ષા કરવા લાગ્યો.
કોઈ વખતે બે મુનિ વિહાર કરતા-કરતા ત્યાં આવ્યા. તેઓ કોઈ કારણે મશાનમાંથી પસાર થયા. તેમાંના એક મુનિ લક્ષણશાસ્ત્રના જ્ઞાતા હતા. તેણે વાંસની જાળીમાં એક દંડ જોયો, તે જોઈને કહ્યું કે, આ દંહ હજી ચાર આંગળ મોટો થાય ત્યાં સુધી રાહ જોયા પછી તેને જે માણસ ગ્રહણ કરે તે રાજા થાય. આ વાક્ય કરકંડ્રએ સાંભળ્યું, એક બ્રાહ્મણે પણ સાંભળ્યું. પછી તે દંડ ચાર આંગળ વધ્યો ત્યારે તે ધિગુજાતિય બ્રાહ્મણે તેને ખોદીને કાઢ્યો. તે કરકંડુએ જોયું. તેથી તેણે તે દંડને છિનવી લીધો. તે ધજાતિયે તેને કહ્યું કે, મને દંડ આપી દે. ત્યારે કરકંડુએ કહ્યું કે, આ દંડ મારા શ્મશાનમાં થયેલ છે. તેથી હું આપીશ નહીં. લોકોએ તે વિજાતિયને કહ્યું કે, તું બીજો દંડ લઈ લે. ત્યારે તેણે કહ્યું, મારે તો આ દંડ જ જોઈએ છે. પણ કરકંડુ તે દંડ આપતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org