________________
U
આગમ કથાનુયોગ-૨
વીંટી પડી ગયાનો ખ્યાલ ન રહ્યો. આ પ્રમાણે તેનું–પોતાનું અવલોકન કરતા જ્યારે તેની દૃષ્ટિ તેની આંગળી પર પડી, ત્યારે તેણે તેની આંગળીને શોભારહિત જોઈ, ત્યારે તેણે કટક (નામના આભુષણને) ઉતાર્યું. એ પ્રમાણે તે એક–એક આભૂષણ ઉતારવા લાગ્યા. બધાં જ આભૂષણો ઉતારી દીધા, ત્યારે પોતાને પઘરહિત એવા પદ્મસરોવરની માફક શોભારહિત જાણીને સંવેગ ઉત્પન્ન થયો. તે વિચારવા લાગ્યો કે, આ શરીરની શોભા તો આગંતુક (અન્ય) દ્રવ્યથી છે. તે સ્વાભાવિક સુંદર જણાતું નથી.
ત્યાર પછી શુભ માનસિક પરિણામ, પ્રશસ્ત અધ્યવસાયોને કારણે વિશેષરૂપે શુદ્ધ થઈ રહેલી વેશ્યાઓના ફળ સ્વરૂપ ઇહા, વિચાર, માર્ગણા, તર્ક–વિતર્ક, ગવેષણા, આત્મ નિરીક્ષણ કરતા-કરતા આત્મગુણના આચ્છાદક કર્મોનો ક્ષય થવાથી કમરૂપી રજને દૂર કરનાર અપૂર્વકરણમાં પ્રવેશ કરતા તે રાજાને અનંત, અનુત્તર, સર્વોત્કૃષ્ટ, ખરાબાદ, નિરાવરણ, સમગ્ર, પ્રતિપૂર્ણ એવું ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા. ત્યારે
ત્યાં દેવેન્દ્ર દેવરાજ શક્રએ આવીને કહ્યું કે, આપ દ્રવ્યલિંગ ગ્રહણ કરો, જેથી હું આપનો નિષ્ક્રમણ મહોત્સવ કરું.
ત્યારે તેમણે સ્વયમેવ પંચમુષ્ટિક લોચ કર્યો. રાજા આદર્શગૃહથી બહાર નીકળ્યા. ત્યાં નીકટમાં રહેલા વાણવ્યંતર દેવતાઓએ રજોહરણ, પાત્ર, ઉપકરણાદિ ઉપસ્થાપિત કર્યા–લાવીને આપ્યા. ત્યાર પછી દેવેન્દ્ર શક્રએ તેમને વંદન કર્યું. ભરતરાજા દશ હજાર રાજાઓ સાથે પ્રવ્રજિત થયા. પછી અંતઃપુરની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યા. નીકળીને દશ હજાર રાજાઓ સાથે વિનીતા રાજધાનીના મધ્યભાગથી થઈને નીકળ્યા, નીકળીને મધ્યદેશમાં સુખપૂર્વક વિહાર કર્યો. એ રીતે એક લાખ પૂર્વની કેવલિપર્યાય પાળીને જે તરફ અષ્ટાપદ પર્વત છે તે તરફ જાય છે. ત્યાં જઈને ધીમે ધીમે અષ્ટાપદ પર્વત પર ચડે છે. ચડીને મેઘ જેવા શ્યામ વર્ણના દેવોના વાસ સ્થાન સદશ એક શિલાપટ્ટની પ્રતિલેખના કરે છે. સંલેખણામાં તત્પર થઈને, આહાર–પાણીનો સર્વથા ત્યાગ કરીને પાદપોપગમન આસને સ્થિર થઈ સર્વ પ્રકારની શંકા–આશંકાઓનો નિઃશેષરૂપે ત્યાગ કરીને વિચરે છે.
ત્યારે તે ભરતરાજા ૭૭ લાખ પૂર્વ વર્ષ સુધી કુમારવસ્થામાં રહીને, ૧૦૦૦ વર્ષ સુધી માંડલિક રાજારૂપે રહીને, ૧૦૦૦ વર્ષ જૂન છ લાખ પૂર્વ વર્ષ સુધી ચક્રવર્તી પદ ભોગવીને, એ રીતે કુલ ૮૩ લાખ પૂર્વ પર્યત ગૃહસ્થાવાસમાં રહીને ભરતે ભરત–વર્ષક્ષેત્ર તથા કામભોગ છોડીને પ્રવજ્યા ગ્રહણ કરી કિંચિત્ જૂન એક લાખ પૂર્વ વર્ષ સુધી કેવલી પર્યાય ભોગવીને અને તેટલો જ શ્રમણ પર્યાય ભોગવીને, ચોર્યાશી લાખ પૂર્વનું પોતાનું પૂર્ણ આયુ ભોગવીને તેમાં છેલ્લે એક માસનું નિર્જળ અનશન વ્રત પાળીને શ્રવણ નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ થયો ત્યારે વેદનીય, આયુ, નામ અને ગોત્ર આ ચાર કર્મો ક્ષીણ થતા જ ભરતકેવલિ કાળધર્મ પામ્યા. સંસારથી વ્યતિક્રમણ કર્યું. સમ્યક્ પ્રકારે ઉર્ધ્વગમન થયું. જન્મ, જરા, મરણના બંધનો છિન્ન ભિન્ન થઈ ગયા. તેઓ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા, પરિનિર્વાણને પ્રાપ્ત થયા. અંતકર થયા, સર્વ દુઃખથી મુક્ત થયા.
આ રીતે ભરત ચક્રવર્તીનું ચરિત્ર પૂર્ણ થયું. સાર્વભૌમ ચક્રવર્તી ભરતરાજા પછી આઠ યુગપ્રધાન પુરુષ અનુક્રમે, વ્યવધાનરહિત સિદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખથી મુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org