________________
ચક્રવર્તી – ભરત કથા
૮૭
થયા. તે આ પ્રમાણે :- ૧. આદિત્યયશ, ૨. મહાયશ, ૩. અતિબલ, ૪. મહાબલ, ૫. તેજોવીર્ય, ૬. કાર્તવીર્ય, ૭. દંડવીર્ય અને ૮. જલવીર્ય. ભરતચક્રીની દીક્ષા બાદ શકેન્દ્રએ આદિત્યયશાનો રાજ્યાભિષેક કર્યો.
(૨) સગર ચક્રવર્તી કથાનક :–૦- સામાન્ય પરીચય :
જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સગર નામે બીજા ચક્રવર્તી થયા. તેમનો જન્મ અયોધ્યા નગરીમાં સુમિત્ર વિજયની પત્ની (રાણી) જશવતી(–ચશોમતી)ની કુક્ષિમાં થયો. તેઓ કાશ્યપ ગોત્રના હતા. તેમનો વર્ણ નિર્મળ સુવર્ણની પ્રભા જેવો હતો. ઊંચાઈ ૪૫૦ ધનુષની હતી. તેઓ છ ખંડરૂપ ભરતના, ચૌદ રત્નના અને નવનિધિના સ્વામી હતા. ભદ્રા નામે તેની મુખ્ય રાણી (સ્ત્રીરત્ન) હતા. બોંતેર લાખ પૂર્વનું પૂર્ણ આય. ભોગવ્યું. તેઓ ૭૧ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા. ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા લીધી. એક લાખ પૂર્વનો શ્રમણ પર્યાય પાળી, અંતે કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. તે ભગવંત અજીતનાથના શાસનમાં થયેલા. –૦- કથાનક :
અયોધ્યા (અપરનામ વિનીતા) નામે નગરી હતી. તેમાં જિતશત્ર નામે રાજા હતો. તેને સુમિત્રવિજય નામે નાનો ભાઈ હતો, જે યુવરાજ હતો. જિતશત્રુ રાજાની પત્ની (રાણી)નું નામ વિજયા હતું અને સુમિત્રવિજય યુવરાજની પત્ની યશોમતી (જશવતી) હતી. એક રાત્રિએ રાણીવિજયા તથા યશોમતી બંનેએ રાત્રિના કંઈક સુતા, કંઈક જાગતા એવી સ્થિતિમાં ચૌદ સ્વપ્નો જોયા. વિજયારાણીની કૃષિમાં ભગવંત અજિતનાથનો જીવ આવ્યો અને યશોમતીની કુલિમાં સગર ચક્રવર્તીનો જીવ આવ્યો.
ત્યારપછી કોઈ કાળે જિતશત્રુ તથા સુમિત્રવિજયે દીક્ષા ગ્રહણ કરી. પછી અજિતસ્વામી રાજા બન્યા અને સગર યુવરાજ બન્યો. કોઈ વખતે અજિતનાથ પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી અને નાના ભાઈ સગરને રાજ્ય સોંપ્યું ત્યાર પછી સગર ચક્રવર્તી રાજા થયા. (સગરના દિગ્વીજય અને ચક્રવર્તીપણાનું વર્ણન ભરત ચક્રવર્તી અનુસાર જાણવું). તે સગર ચક્રવર્તીને પોતાની ૬૪,૦૦૦ સ્ત્રીઓ સાથે ભોગ ભોગવતા કાળક્રમે ૬૦,૦૦૦ પુત્રો થયા. તેમાં જહનુકુમાર સૌથી મોટો પુત્ર હતો. અન્ય કોઈ દિવસે તેણે ચક્રવર્તી પિતાને ખુશ કરીને કહ્યું કે – હે તાત! આપની કૃપાથી અમને બધું જ પ્રાપ્ત થયું છે. આપ અમને દંડરત્ન આપો તો અમે સમગ્ર પૃથ્વી પર સ્વેચ્છાએ વિચરણ કરીએ.
સગર રાજાની અનુજ્ઞા પામી જહનુકુમાર આદિ પુત્રોએ સૈન્ય સહિત ત્યાંથી પ્રયાણ કર્યું. આશ્ચર્ય ચકિત કરતી રત્નગર્ભા પૃથ્વીને અવલોકતા તે વિચારવા લાગ્યા. અનુક્રમે તેઓ ચાર યોજન વિસ્તારવાળા અને આઠ યોજન ઊંચા એવા અષ્ટાપદ પર્વત પર બધાં ભાઈઓ સાથે ચડ્યા. તેઓએ ત્યાં બે કોશ પહોળા અને ત્રણ કોશ લાંબા એવા રત્નમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org