SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ આગમ કથાનુયોગ-૨ ચતુર્મુખ ચૈત્યના દર્શન કર્યા. ત્યાં પોતપોતાના પ્રમાણથી શોભતા એવા ભગવંત ઋષભ આદિ ચોવીશે તીર્થકર ભગવંતોની પૂજા કરી. ભરત આદિ ભાઈઓના સો સ્તુપોને નમસ્કાર કર્યા. સાગરરાજાના પુત્રો સુષમકાળમાં બનેલા આ ચૈત્યને જોઈને અતિ હર્ષ પામ્યા. તેમણે અમાત્યને પૂછ્યું કે, આવું ભવ્ય ચૈત્ય કોણે કરાવ્યું? અમાત્યે જણાવ્યું કે, આપના પૂર્વજ એવા ભરત ચક્રવર્તીએ આ ચૈત્ય કરાવેલ છે. જહનુકુમારે તેના સેવકોને કહ્યું કે, ભરતચક્રવર્તીએ કરાવેલ ચૈત્ય જેવું જ બીજું એક ચૈત્ય અહીં તૈયાર કરાવો. સેવકોએ જઈને–આવીને કહ્યું કે, જૂના ધર્મસ્થાનોનું રક્ષણ કરવું તે નવા ધર્મસ્થાન કરાવ્યાથી પણ અધિક છે. તેથી આપણે આ ચૈત્યની રક્ષા કરવી જોઈએ. કાળના અનુભાવથી ભાવિમાં અન્ય લોકો અહીં ઉપદ્રવ ન કરે તે માટે આ જ ચૈત્યનું રક્ષણ કરવું તે મહાફળનું કારણ બનશે. એ પ્રમાણે વિચારી જહનુકુમારે પોતાના ભાઈઓ સાથે મળીને અષ્ટાપદ ગિરિ ફરતી હજાર યોજન ઊંડી ખાઈ ખોદવાનું વિચાર્યું. ત્યાર પછી દંડરત્ન વડે તેઓએ પૃથ્વીને ખોદવાનું શરૂ કર્યું. તે વખતે નીચે રહેલા નાગકુમારના ક્રીડાગૃહ આદિ માટીના પાત્રની જેમ ભાંગવા માંડ્યા. - આ ઉપદ્રવથી નાગકુમારેન્દ્ર વલપ્રભ અત્યંત લોભ પામ્યો. અવધિજ્ઞાન વડે સર્વ વૃત્તાંત જાણી તે અત્યંત ક્રોધિત થયો. તેણે સગરરાજાના પુત્રોને કહ્યું કે, ઓ મૂર્ખ લોકો ! તમે આ પૃથ્વીને ભેદવા દ્વારા કેવું અકૃત્ય કર્યું તે તમે જાણો છો ? તમે નાગકુમારના ગૃહો સાથે શાશ્વત ચૈત્યોને ઉપદ્રવ કર્યો છે. સિંહની માફક તે જ્વલનપ્રભ બધાંને હણવા તૈયાર થઈ ગયો. તે વખતે જહનુકુમારે તેને કહ્યું કે, હે ભોગીંદ્ર ! અમે તો તીર્થરક્ષાની બુદ્ધિથી આ કાર્ય કરેલ. અમારા અજ્ઞાનને તમે ક્ષમા કરો. જહનુકુમારની પ્રાર્થનાથી તે જ્વલનપ્રભ નાગેન્દ્ર શાંત થયો. સગરચક્રવર્તીના પુત્રોએ પણ ફરી આવું નહીં કરીએ તેવું વચન આપ્યું. પછી તે નાગેન્દ્ર નાગલોકમાં પાછો ફર્યો. - ત્યાર પછી જહનુકુમારોએ પોતાના નાનાભાઈઓ સાથે વિચાર્યું કે, આ ખાઈમાં જો પાણી ભરેલું નહીં હોય તો તે કદાચ ભવિષયમાં ધૂળથી ભરાઈ જશે. તેથી પવિત્ર ગંગાનદીના જળ વડે તેને ભરી દેવી જોઈએ. ત્યારે મોટાભાઈની તે વાતમાં સર્વે ભાઈઓ સંમત થયા. તેણે ત્યાર પછી દંડરત્ન વડે ગંગાનદીના નીરને તે ખાઈમાં વહેવડાવી, ખાઈ પૂરાઈ ગયા પછી વધારાનું પાણી નાગકુમારોના સ્થાનમાં પ્રવેશી ગયું. તેમના ઘર–મંદિર વગેરેમાં પ્રવેશથી તે ભાંગવા લાગ્યા. નાગલોકના લોભથી નાગેન્દ્ર જ્વલનપ્રભ ભયંકર કોપાયમાન થયો. ક્રોધથી સળગતા તે નાગેન્દ્રએ તુરંત જ સગરચક્રવર્તીના પુત્રોના વધને માટે દૃષ્ટિવિષ સર્પોને મોકલ્યા. દૃષ્ટિવિષ સપએ તેઓને જોતાં જ પોતાની દૃષ્ટિમાંથી વિષને છોડ્યું અને સગરચક્રવતીના સાઠ હજાર પુત્રોને ભસ્મીભૂત કરી દીધા. આ ઘટનાથી સગરચક્રવર્તીનું સૈન્ય આદિ હૈયાફાટ રૂદન કરવા લાગ્યા. તે વખતે મંત્રીઓએ વિચાર્યું કે, અવશ્યભાવી એવી ઘટનાનું કોઈ જ અતિક્રમણ કરી શકતું નથી. ઉપદ્રવસ્થાને રહેવું ઉચિત નથી એમ સમજીને સામંત આદિ સર્વે પણ અયોધ્યા આવ્યા. તેઓ પણ લજ્જાથી પ્લાન વદનવાળા થઈ વિચારવા લાગ્યા કે, હવે સગર રાજાને જઈને આપણે કઈ રીતે મોઢું બતાવીશું? આના કરતા આપણે બધાંએ અગ્રિમાં પ્રવેશ કરી બળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy