________________
ચક્રવર્તી
-
સગર કથા
મરવું એ જ શ્રેષ્ઠ છે. તે વખતે ત્યાં કોઈ બ્રાહ્મણે પ્રગટ થઈને કહ્યું કે, શુભ કે અશુભ કર્મો પ્રત્યેક પ્રાણીએ ભોગવવા જ પડે છે. તેથી તમે વ્યાકૂળ ન થાઓ. તમારા સ્વામીને હું સમજાવીશ.
૮૯
આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણ કોઈ અનાથ મૃતકને લઈને રાજકૂલ દ્વારે ગયો. ત્યાં જઈને મોટે—મોટેથી વિલાપ કરવા લાગ્યો. તે સાંભળીને સગર ચક્રવર્તીએ તેને બોલાવીને પૂછયું કે, શા માટે રડે છે ? ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે, મને ભાગ્યયોગે એક જ પુત્ર હતો. તે હવે નિશ્ચેષ્ટ થઈ ગયો છે. તેને કોઈપણ રીતે જીવતો કરવો છે. હું જ્યારે તેના શોકમાં ડૂબેલો હતો ત્યારે મને કૂળદેવીએ કહ્યું કે, જેના ઘરમાં કોઈ મૃત્યુ પામેલ ન હોય તેના ઘેર જઈને માંગલિક ભસ્મ લઈ આવ. તો હું તારા પુત્રને જીવતો કરી દઈશ. પુત્રને જીવાડવાના લોભથી હું ઘેર ઘેર ભટકતો રહ્યો, પરંતુ મને એક પણ ઘર એવું ન મળ્યું કે, જ્યાં કોઈ મૃત્યુ થયું ન હોય. ત્યારે રાજાએ કહ્યું કે, અમારે પણ પૂર્વે ઘણાં પૂર્વજો મૃત્યુ પામ્યા છે. મૃત્યુ એ તો સર્વસાધારણ ઘટના છે. હે બ્રાહ્મણ ! તું કેમ આટલો બધો ખેદ કરે છે ? તું મૃતપુત્રના વિચાર છોડીને તારા મૃત્યુ પહેલાં કંઈક આત્મહિતને સાધ.
ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે, હે રાજા ! હું પ્રાણીઓનું ભવસ્વરૂપ જાણું છું, પણ પુત્રના વિયોગે આજે તે બધું ભૂલી જવાય છે. કેમકે જો મારો પુત્ર જીવંત નહીં થાય તો મારું કૂળ ક્ષય પામશે. હે દીન અને અનાથોના નાથ ! તેના દુઃખથી હું આકુળ—વ્યાકુળ થઈ ગયો છું. હું તેના વગર જીવી શકું તેમ નથી. તમે મને મારા પુત્રની ભિક્ષા આપો. ત્યારે રાજાએ તેને સાંત્વન આપતા કહ્યું કે, હે દ્વિજોત્તમ ! તમે મોહના ચિન્હરૂપ શોકને દૂર કરો, ધીરજ રાખો, હે મહાસત્વ ! આત્મામાં વિવેકને ધારણ કરો. ધર્મશાળાના વટેમાર્ગુની માફક સંસારમાં બધાં આવે છે, મળે છે અને વિખૂટા પડે છે.
– ત્યારે તે બ્રાહ્મણે સગર ચક્રવર્તીને કહ્યું કે, હે રાજન ! તારા પણ ૬૦,૦૦૦ પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા છે. તું પણ તેનો શોક ન કર. તે વખતે બ્રાહ્મણે પૂર્વે સમજાવ્યા પ્રમાણે બધાં સામન્તાદિ સગર ચક્રવર્તી પાસે આવ્યા. જે પ્રમાણે બનેલ તે સર્વ વૃત્તાંત સગર ચક્રવર્તીને જણાવ્યો. તે સાંભળીને ચક્રી પણ વજ્રથી હણાયો હોય તેમ મૂર્છા પામીને જમીન પર પડી ગયો. કંઈક ભાન આવતા તે સાર્વભૌમ રાજા વિલાપ કરવા લાગ્યો. “ઓ પુત્રો ! મને એકલો મૂકીને તમે બધાં ક્યાં ચાલ્યા ગયા ?'' હે દુદૈવ ! તેં સર્વે બાળકોને એક સાથે સંહરીને કેવી ક્રૂરતા આચરી ? બધાં બાળકોના મૃત્યુના સમાચાર સાંભળીને જે હૃદય ફાટી પડતું નથી તે નિષ્ઠુરથી પણ નિષ્ઠુર છે. સર્વસુખને ભોગવ્યા વિના મારા પુત્રો પરલોકે સિધાવી ગયા, હવે જો હું તેને અનુસરું નહીં તો મારો આ પ્રેમ કૃત્રિમ જ છે.
રાજાને આ રીતે કરુણ વિલાપ કરતો જોઈને તે બ્રાહ્મણે ચક્રવર્તીને કહ્યું કે, હે સ્વામી ! હજી હમણાં તો તમે મને શોક ન કરવા સમજાવતા હતા. હવે તમે સ્વયં કેમ રડો છો ? હે નાથ ! પ્રિયજનોનો વિયોગ કોને અતિદુઃસહ નથી થતો ? કેવળ ધીરપુરુષો જ તેને સહન કરે છે. જો વિચક્ષણ પુરુષો આવા કાળે પોતાના આત્માને શિક્ષા આપી શકે તો જ બીજાને કરેલ શિક્ષાદાન શોભે છે. આ પ્રમાણે તે બ્રાહ્મણના વચનો અને મંત્રીની વાત સાંભળીને સગર ચક્રીએ ધીરતાને ધારણ કરી. પછી કાલ–ઉચિત ક્રિયા કરી, ત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org