________________
૨૬૬
આગમ કથાનુયોગ-૨
પ્રતિલાભિત કરવાને કારણે દેવાયુષ્યનો બંધ કર્યો, સંસાર પરિમિત કર્યો તથા તેના ઘરમાં આ પાંચ દિવ્ય પ્રાદુર્ભત થયા તે આ પ્રમાણે :- ૧. વસુધારાની વૃષ્ટિ, ૨. પંચ વર્ણના પુષ્પની વૃષ્ટિ, ૩. ધ્વજાત્મક વસ્ત્રોની વૃષ્ટિ, ૪. આકાશમાં દેવદુંદુભિનો નાદ અને ૫. આકાશમાં “અહોદાન” “અહોદાન" એ પ્રમાણેની ઉદ્ઘોષણા.
તે સમયે રાજગૃહ નગરના શૃંગાટકો – યાવત્ – માર્ગોમાં ઘણાં બધાં લોકો આપસ-આપસમાં એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા – યાવત્ – પ્રરૂપણા કરવા લાગ્યા. હે દેવાનુપ્રિયો ! વિજય ગાથાપતિ ધન્ય છે, દેવાનુપ્રિયો ! વિજયગાથાપતિ કૃતાર્થ છે, હે દેવાનુપ્રિયો ! વિજય ગાથાપતિ કૃતપુણ્ય છે, હે દેવાનુપ્રિયો ! વિજય ગાથાપતિ કૃતલક્ષણ છે, હે દેવાનુપ્રિયો ! વિજયગાથાપતિના ઉભયલોક સાર્થક છે. વિજયગાથાપતિએ મનુષ્ય જન્મ અને જીવનનું સફળ પ્રાપ્ત કરેલ છે – જેના ઘરમાં તથારૂપ ઉત્તમ શ્રમણને પ્રતિલાભિત કરવાથી આ પાંચ દિવ્યો પ્રાદુર્ભત થયા છે. જેમકે વસુધારા વૃષ્ટિ – થાવત્ – “અહોદાને અહોદાન' એ પ્રકારની ઉદ્ઘોષણા. તેથી વિજય ગાથાપતિ ધન્ય છે, કૃતાર્થ છે, કૃતપુણ્ય છે, કૃતલક્ષણ છે. તેણે બંને લોક સાર્થક કર્યા છે. વિજય ગાથાપતિના મનુષ્ય જન્મ અને જીવનનું સુફલ પ્રશંસનીય છે.
ત્યારપછી ગોશાલ મખલિપુત્રએ અનેક લોકો પાસેથી આ વૃત્તાંતને સાંભળ્યો અને તેના પર મનન કરીને સંશય અને કુતૂહલ ઉત્પન્ન થવાથી જ્યાં વિજયગાથાપતિનું ઘર હતું,
ત્યાં આવ્યો. આવીને વિજય ગાથાપતિના ઘરમાં તેણે વસુધારા વૃષ્ટિ, પંચવર્ણના પુષ્પો વિખેરાયેલા તથા વિજય ગાથાપતિના ઘરમાંથી મને નીકળતો જોયો. જોઈને હર્ષિત અને સંતુષ્ટ થયો. જ્યાં હું હતો ત્યાં આવ્યો. આવીને મને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. મને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને મને આ પ્રમાણે નિવેદન કર્યું, હે ભગવંત ! આપ મારા ધર્માચાર્ય છો અને હું તમારો શિષ્ય છું.
ત્યારે હે ગૌતમ ! મેં મખલિપુત્ર ગોશાલના તે કથનનો આદર ન કર્યો, ધ્યાન પણ ન આપ્યું, પરંતુ ચુપચાપ મૌન ધારણ કર્યું. ૦ ભ૦મહાવીરની ઋદ્ધિ જોઈને ગોશાળાએ કરેલ પુનઃ પ્રાર્થના :
ત્યારપછી હે ગૌતમ ! હું રાજગૃહી નગરથી નીકળ્યો, નીકળીને ઉપનગર નાલંદાના મધ્યભાગથી નીકળ્યો. નીકળીને જ્યાં તંતુવાયશાળા હતી. ત્યાં આવ્યો. આવીને બીજું માસક્ષમણ સ્વીકારીને વિચારવા લાગ્યો. ત્યાર પછી તે ગૌતમ ! બીજા માસક્ષમણના પારણા નિમિત્તે હું તંતુવાયશાળાથી નીકળ્યો. નીકળીને ઉપનગર નાલંદાના મધ્ય ભાગમાંથી નીકળ્યો, નીકળીને જ્યાં રાજગૃહનગર હતું પાવત્ – ભ્રમણ કરતો આનંદ ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો.
ત્યારે તે આનંદગાથાપતિએ મને પોતાની તરફ આવતો જોયો ઇત્યાદિ વર્ણન વિજયગાથાપતિ અનુસાર જાણવું. પરંતુ વિશેષતા એ કે વંદન-નમસ્કાર કરીને વિપુલ ખાજાથી પ્રતિલાભિત કરીશ એવો વિચાર કરી તે આનંદ ગાથાપતિ સંતુષ્ટ થયો, પ્રતિલાભિત કરતી વખતે પણ સંતુષ્ટ થયો અને પ્રતિલાભિત કર્યા પછી પણ તે સંતુષ્ટ થયો. ત્યારે તે આનંદ ગાથાપતિએ દ્રવ્યની શુદ્ધિથી – યાવત્ – વિજય ગાથાપતિ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org